Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ -૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૫૯ ભગવાનની પૂજાનો અંતરાય કરવો, તે તમને યોગ્ય નથી. (૨૮૨૩) તે શ્રાવકો અથવા સાધુઓ સારી રીતે નગરના માણસોને પૂજા માટે ખૂબ આગ્રહ કરે. આગ્રહ કરવા છતાં જો ન ઈચ્છે તો બીજી રીતે પૂજા ન થઈ શકે તેમ હોય તો, સાધારણનું પણ ધન. (૨૮૨૪) આપીને ત્યાં રહેતા માળી આદિના હાથ વડે પૂજા, ધૂપ અને દીવો તથા (શંખનો અવાજ કરાવે) શંખ ફૂંકાવે.
ટિપ્પણી :
(૧) જો સાધારણ દ્રવ્યનો ઉપયોગ કરવા અંગેની આટલી બધી શાસ્ત્રીય મર્યાદાઓ હોય અને તેનો ગમે તેમ વ્યય કરવાનો નિષેધ હોય, તો દેવદ્રવ્ય માટે તો પૂછવાનું જ શું હોય ! એટલે સ્વદ્રવ્યથી કરવાના કર્તવ્યો તો દેવદ્રવ્યથી કરવાની વાત જ ઊભી રહેતી નથી. તે વાચકો સ્વયં સમજી શકે છે.