Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૧૧૬
કેટલાક મુદ્દા ઉઠાવ્યા છે. તે મુદ્દાઓનો જવાબ પૂર્વે જિનવાણી, વર્ષ૨૦, અંક-૮૩-૮૪, તા. ૨૯-૨-૯૬માં અપાયેલો છે. તેને અક્ષરશઃ સાભાર અહીં રજુ કરીએ છીએ. એ જોવાથી સાચી હકીકતનો ખ્યાલ આવશે અને સામેના પક્ષના કૂટપ્રયત્નોનો અંદાજ આવશે.)
જિજ્ઞાસા ઃ એક વિદ્વાનું કહેવાતા લેખક પોતાની પુસ્તિકામાં (‘દેવદ્રવ્ય અને જિનપૂજા’ના પૃ. ૨૧-૨૨) લખે છે કે,
“જુઓ, ‘જિનવાણી’ પાક્ષિકમાં તો અનેકવિધ વાતો એવી આવે છે કે, જેથી એ પત્રની પ્રામાણિકતામાં સુજ્ઞજનોને સંદેહ પડી જાય. જેમ કે,-આ જ અંકમાં (જિનવાણી અંક તા. ૩૦-૪-૯૫) જણાવ્યું છે કે દેરાસરમાં તૈયાર રાખેલી કેસર વગેરે સામગ્રીને શ્રાવકો જેટલી વાપરે એટલી કે એથી અધિક રકમ ભંડારમાં નાંખી, સ્વદ્રવ્ય બનાવી સ્વદ્રવ્યથી પૂજા કર્યાનો આનંદ અનુભવે....આ માટે જ એ સામગ્રી દેરાસરમાં રાખવામાં આવે છે, વગેરે...
કેટલા દેરાસરમાં કેટલા શ્રાવકો ભંડારમાં એટલા પૈસા મૂલ્ય ચૂકવવા રૂપે નાંખીને કેસરાદિનો ઉપયોગ કરે છે એનું નિરીક્ષણ કરવામાં આવે તો આ વાત કેટલી સાચી છે એ તરત ખબર પડી જાય...
એટલે આવા આડેધડ નિરૂપણ કરનારા પાક્ષિકના’
– લેખકના ‘જિનવાણી' પાક્ષિક અંગેના ઉપરોક્ત આક્ષેપમાં કેટલું તથ્ય છે તે જાણવાની અમારી જિજ્ઞાસા છે, તો આપ તે અંગે ખુલાસો કરશો ?
તે
તૃપ્તિ : ‘જિનવાણી’ ના પ્રસ્તુત અંકમાં અમે જે લખાણ કર્યું છે, આધાર પૂર્વકનું હોઈ એ લેખકનો સંદેહ નિરાધાર છે. શ્રીપાળનગર (મુંબઈ)માં નીચેના મંદિરના એક તરફના ખૂણામાં આવો જ એક ભંડાર છે જેની ઉ૫૨ બોર્ડ મૂકવામાં આવ્યું છે, તેમાં જણાવ્યું છે કે –
“અનંત ઉપકારી શ્રી તીર્થંકર પરમાત્માની પૂજા, ભક્તિ સર્વે