Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૭૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા એવું જે કહે છે, તે તદ્દન અસત્ય છે. કારણ કે, આ પાઠના આજુબાજુના શાસ્ત્રસંદર્ભો અને આગળ જણાવાશે તે શ્રાદ્ધવિધિની વિગતથી તથા અન્ય ગ્રંથોમાં વર્ણવેલી પૂજાવિધિથી “રેવા..."વાળો પાઠ તમામ (ઋદ્ધિમાનમધ્યમ-નિર્ધન-ગૃહમંદિરવાળા) શ્રાવકો માટે છે એ સમજી શકાય છે. એકપણ શાસ્ત્રમાં “સ્વવિભાવાનુસાર પૂજા કરવી અને સ્વદ્રવ્યથી જ પૂજા કરવી અને “પુષ્પાદિ સામગ્રીના અભાવવાળાએ દેરાસરના અન્ય કાર્યો કરવા” - આ ત્રણ શાસ્ત્ર વિધાનોને ગૌણ કરીને દેવદ્રવ્યથી પણ પૂજા કરી શકાય અને તેનાથી ભલે પરિગ્રહની મૂર્છા મારવાનો લાભ ન મળે પણ સમ્યકત્વની નિર્મલતા તો જરૂર થાય. - આવો શાસ્ત્રપાઠ એકપણ શાસ્ત્રમાં જોવા મળતો નથી. અરે ! અર્થાપત્તિ-ઉપલક્ષણથી પણ એવું અર્થઘટન કોઈપણ શાસ્ત્રપાઠમાંથી નીકળી શકતું નથી.
હવે શ્રાદ્ધવિધિકાર પૂર્વનિર્દિષ્ટ પાઠમાં આગળ જણાવે છે કે, "तथा देवगृहागतं नैवेद्याक्षतादि स्ववस्तुवत् सम्यग् रक्षणीयं, सम्यग्मूल्यादियुक्त्या च विक्रेयं न तु यथा तथा मोच्यं, देवद्रव्यादिવિનાશરિતોષાપ '
અર્થ દેરાસરમાં આવેલા ફળ-નૈવેદ્યાદિ પોતાની વસ્તુની જેમ સાચવવા, યોગ્ય મૂલ્ય વેચવા પરંતુ તેને ગમે ત્યાં ન મૂકવા અને વેચવાથી મળેલી રકમ દેવદ્રવ્યમાં જમા કરવી.) આમ ન કરવાથી દેવદ્રવ્ય વિનાશાદિનો દોષ લાગે છે.
= અહીં એકવાત એ પણ ઉલ્લેખનીય છે, પૂર્વનિર્દિષ્ટ પાઠમાં બેસપુષ્પવિના વા" આ વિધાન અને પછી તુરંત આવતું “વહાતિ...” વિધાન - આ બંને, એ શાસ્ત્રપાઠ માત્ર ગૃહમંદિરવાળા શ્રાવકની જિનપૂજાની વિધિ માટે છે, તેને રદીયો આપે છે.
ક વિશેષમાં...પૂર્વોક્ત સમગ્ર શાસ્ત્રપાઠને આગળ કરીને આ ગ્રંથાધિકાર ઘરદહેરાસરના માલિકનો છે, એવો પ્રચાર કરનારા ધા.વ.વિ.ના લેખકશ્રી તથા દેવદ્રવ્ય અને જિનપૂજા'ના લેખકશ્રી પૂર્વોક્ત પાઠ અંતર્ગત