SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા એવું જે કહે છે, તે તદ્દન અસત્ય છે. કારણ કે, આ પાઠના આજુબાજુના શાસ્ત્રસંદર્ભો અને આગળ જણાવાશે તે શ્રાદ્ધવિધિની વિગતથી તથા અન્ય ગ્રંથોમાં વર્ણવેલી પૂજાવિધિથી “રેવા..."વાળો પાઠ તમામ (ઋદ્ધિમાનમધ્યમ-નિર્ધન-ગૃહમંદિરવાળા) શ્રાવકો માટે છે એ સમજી શકાય છે. એકપણ શાસ્ત્રમાં “સ્વવિભાવાનુસાર પૂજા કરવી અને સ્વદ્રવ્યથી જ પૂજા કરવી અને “પુષ્પાદિ સામગ્રીના અભાવવાળાએ દેરાસરના અન્ય કાર્યો કરવા” - આ ત્રણ શાસ્ત્ર વિધાનોને ગૌણ કરીને દેવદ્રવ્યથી પણ પૂજા કરી શકાય અને તેનાથી ભલે પરિગ્રહની મૂર્છા મારવાનો લાભ ન મળે પણ સમ્યકત્વની નિર્મલતા તો જરૂર થાય. - આવો શાસ્ત્રપાઠ એકપણ શાસ્ત્રમાં જોવા મળતો નથી. અરે ! અર્થાપત્તિ-ઉપલક્ષણથી પણ એવું અર્થઘટન કોઈપણ શાસ્ત્રપાઠમાંથી નીકળી શકતું નથી. હવે શ્રાદ્ધવિધિકાર પૂર્વનિર્દિષ્ટ પાઠમાં આગળ જણાવે છે કે, "तथा देवगृहागतं नैवेद्याक्षतादि स्ववस्तुवत् सम्यग् रक्षणीयं, सम्यग्मूल्यादियुक्त्या च विक्रेयं न तु यथा तथा मोच्यं, देवद्रव्यादिવિનાશરિતોષાપ ' અર્થ દેરાસરમાં આવેલા ફળ-નૈવેદ્યાદિ પોતાની વસ્તુની જેમ સાચવવા, યોગ્ય મૂલ્ય વેચવા પરંતુ તેને ગમે ત્યાં ન મૂકવા અને વેચવાથી મળેલી રકમ દેવદ્રવ્યમાં જમા કરવી.) આમ ન કરવાથી દેવદ્રવ્ય વિનાશાદિનો દોષ લાગે છે. = અહીં એકવાત એ પણ ઉલ્લેખનીય છે, પૂર્વનિર્દિષ્ટ પાઠમાં બેસપુષ્પવિના વા" આ વિધાન અને પછી તુરંત આવતું “વહાતિ...” વિધાન - આ બંને, એ શાસ્ત્રપાઠ માત્ર ગૃહમંદિરવાળા શ્રાવકની જિનપૂજાની વિધિ માટે છે, તેને રદીયો આપે છે. ક વિશેષમાં...પૂર્વોક્ત સમગ્ર શાસ્ત્રપાઠને આગળ કરીને આ ગ્રંથાધિકાર ઘરદહેરાસરના માલિકનો છે, એવો પ્રચાર કરનારા ધા.વ.વિ.ના લેખકશ્રી તથા દેવદ્રવ્ય અને જિનપૂજા'ના લેખકશ્રી પૂર્વોક્ત પાઠ અંતર્ગત
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy