________________
પ્રકરણ - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
૭૯
આવતા ‘‘વેવસપુષ્પાવિના વા, પ્રભુત્ત્તોષાત્'' - આ વિધાનના અર્થની સાચી હકીકતને લોકો આગળ પ્રગટ કરતા ખચકાટ અનુભવે છે. કારણ કે, ‘દેવ સંબંધી પુષ્પો વગેરેથી દેવપૂજા કરે તો પૂર્વોક્ત દોષો લાગે છે’ અહીં ‘પૂર્વોક્ત દોષ’થી પૂર્વમાં જણાવેલ માત્ર મુધાજનપ્રશંસા જ નહીં, પરંતુ તેની સાથે અનાદર-અવજ્ઞાદિ દોષ પણ લેવાના છે. પરંતુ બંને લેખકશ્રીઓ જો એ વાતને લોકો સમક્ષ જાહેર કરે તો ‘સ્વદ્રવ્યને બદલે દેવદ્રવ્યથી થતી પૂજામાં ભગવાનનો અનાદર-અવજ્ઞા થવી વગેરે દોષો લાગે છે.’ આ વાત શ્રાવકો સમક્ષ પ્રગટ થઈ જાય અને એમ થાય તો આવા દોષોની સંભાવનાને લઈને એક પણ શ્રાવક એ દોષ માથે લેવા તૈયાર ન થાય અને તેના યોગે લેખકયુગલને પોતાનો એજન્ડા પણ સિદ્ધ ન થાય. આથી પૂર્વોક્તદોષના વિવરણમાં અધૂરું અર્થઘટન કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરેલ છે.
અહીં બીજી પણ એક વાત ઉલ્લેખનીય છે કે, ‘દેવદ્રવ્ય અને જિનપૂજા’ પુસ્તકના લેખકશ્રીએ તો શ્રાદ્ધવિધિના એ ગ્રંથાધિકારને છોડીને પોતાના પુસ્તકના પૃ.-૫ ઉપર દ્રવ્યસપ્તતિકાનો પાઠ ગ્રહણ કર્યો છે અને ત્યાં ‘અન્યથા મુધાજનપ્રશંસાદિદોષઃ’ આ પંક્તિના વિવરણ વખતે આદિ પદથી જણાવવા યોગ્ય અનાદર-અવજ્ઞા દોષ પણ જણાવ્યા નથી. તેનો આશય વાચકો સ્વયં સમજી શકે છે. તદુપરાંત, શ્રાદ્ધવિધિમાં અને દ્રવ્યસપ્તતિકામાં તે પછીથી જણાવેલો “મુલ્યવૃન્યા...થી રેવદ્રવ્યાવિવિનાશોિષાવત્તે:'' સુધીનો આ ગ્રંથાધિકાર તેમને સ્વાભિમતની સિદ્ધિમાં પ્રતિબંધક બનવાનો છે, એ ખબર છે અને એ ગ્રંથાધિકાર લોકો સમક્ષ મૂકતાં અમે જ જુઠ્ઠા ઠરવાના છીએ, એ પણ બીક છે. તેથી જ એ અગત્યના શાસ્ત્રપાઠને ભવ્યાત્માઓથી છૂપાવ્યો છે. ખરેખર તો એ શાસ્ત્રપાઠને અર્થસહિત મૂકવો જોઈતો હતો.
"
→ આથી એ ગ્રંથાધિકારથી ‘વૃથાજનપ્રશંસાદિ'માં આદિ પદથી જણાવવા યોગ્ય દોષોને નહીં જણાવી, “સંઘ જ દેવદ્રવ્યથી પૂજા કરવાની વ્યવસ્થા કરી આપતો હોય તો તમને વૃથાજનપ્રશંસાદિ દોષ