________________
પ્રકરણ - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
:
સમાલોચનાઃ (પૂર્વોક્ત લખાણમાં A-B-C-D વિભાગ સમાલોચનાની સગવડતા માટે અમે પાડ્યા છે.)
૭૭
(૧) A - વિભાગની વાત સાવ ખોટી છે, તે અત્યાર સુધીની ચર્ચાથી સિદ્ધ થાય છે. પૂર્વનિર્દિષ્ટ ગ્રંથોના શાસ્ત્રપાઠો દરેક કક્ષાના સાધકને ‘સ્વદ્રવ્ય’થી જ જિનપૂજા કરવાનું કહે છે.
(૨) B - વિભાગમાં જણાવેલી વાત પણ સત્યથી તદ્દન વેગળી છે. ઉપદેશપદાદિ ગ્રંથોના ‘‘સતિ હિ વેવદ્રવ્યે’’ વાળા પાઠો શુદ્ધદેવદ્રવ્યથી જિનપૂજા કરવાની રજા આપતા જ નથી. જેની વિગતવાર ચર્ચા પ્રકરણ૫માં કરવામાં આવી છે.
(૩) c - વિભાગમાં વિ.સં. ૧૯૭૬ના શ્રમણ સંમેલને કરેલા આઠ ઠરાવ પૈકીના બીજા ઠરાવની જે વાત કરી છે, તેમાં એ ઠરાવને ખોટી રીતે લખ્યો છે. તે આપણે પૂર્વે જોયું જ છે અને આગળ પણ જોઈશું. ત્યાં તેમણે ભવ્યાત્માઓને ગેરમાર્ગે દોર્યા છે.
(૪) એ ઠરાવોની નીચે પૂ.આ.ભ. શ્રી.વિ.રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની (તે વખતે પૂ.મુ.રામવિજયજી મ.ની) સહી હતી, તે વાત સાચી છે પરંતુ તેઓએ ક્યાંયે દેવદ્રવ્યથી જિનપૂજા થાય તેવું લખ્યું નથી - કહ્યું નથી કે, પ્રવચનમાં પ્રરૂપ્યું નથી. જિનપૂજા અંગે તેઓશ્રીની માન્યતા શી હતી, તે પૂર્વેના એમના પ્રવચનાંશોમાં જણાવી જ છે. પરિશિષ્ટકારે માત્ર એ મહાપુરુષોના નામે લોકોને ગુમરાહ કરવાનું મહાપાપ જ આદર્યું છે.
→ વળી, આ પાઠમાં આગળ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનું જણાવ્યું છે. તેથી ઋદ્ધિમાન, મધ્યમ અને નિર્ધન શ્રાવકે તથા ગૃહમંદિરવાળા શ્રાવકે, આમ સર્વ શ્રાવકોએ સ્વદ્રવ્યથી જ પૂજા કરવાનું વિધાન છે, તે સ્પષ્ટ છે.
→ ‘‘ટેવવૃદ્ધે તેવવૂનાપિ સ્વદ્રવ્યેીવ યથાશક્તિ જાŕ' - આ પાઠ “ધાર્મિક વહીવટ વિચાર”ના લેખકશ્રી અને એ પુસ્તકને પ્રચારનારો વર્ગ માત્ર ગૃહમંદિરવાળા શ્રાવક માટેનો છે, બધા જ શ્રાવકો માટેનો નથી,