Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૯૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા નિર્ણયાદિને દૂષિત કરવા એ શાસ્ત્રવિરુદ્ધ કાર્ય છે, મુગ્ધજનોને ગેરમાર્ગે લઈ જનારું છે અને પરિણામે સ્વ-પરને અનર્થકારી છે. આથી યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં કુતર્કને આત્માનો મહાશત્રુ કહ્યો છે. કુતર્કની ભયંકરતા પૂર્વે પ્રસ્તાવનામાં વિચારી જ છે. • કુતર્ક-૧ :
જો દેવદ્રવ્યમાંથી દેરાસરોના નિર્માણ થઈ શકે છે અને તેને સુખી ભક્તો વાપરી શકે છે, તો તે જ દેવદ્રવ્યમાંથી દેરાસરજીમાં બિરાજમાન પરમાત્માની પૂજદિ કેમ ન થઈ શકે? તેમાં એકાંતે પાપબંધ શી રીતે કહેવાય?” (ધા.વ.વિ.પ્ર.આ. પૃ. ૬)
સમાલોચના-૧: આ કુતર્કની વિસ્તારથી સમાલોચના કરીશું.
(A) “દેવદ્રવ્યમાંથી જિનાલયનું નિર્માણ કરવાની શાસ્ત્રજ્ઞા છે (આની વિશેષ ચર્ચા કર્તક-૨ની સમાલોચનામાં આગળ જણાવાશે.) અને ૧૯૭૬-૧૯૯૦-૨૦૧૪ના શ્રમણ સંમેલનના ઠરાવો ઉપર દૃષ્ટિપાત કરતાં ખ્યાલ આવશે કે, પૂ.આ.ભગવંતોની પરંપરા પણ એ જ છે. ૧૯૯૦ના શ્રમણસંમેલનના ઠરાવ-પમાં દેવદ્રવ્યને તીર્થોદ્ધારજીર્ણોદ્ધાર-નવીનમંદિરોમાં વાપરવાનું સૂચન કર્યું છે. આથી શાસ્ત્રજ્ઞા અને શાસ્ત્રાનુસારી પરંપરા અનુસાર દેવદ્રવ્યથી જિનાલયોનું નિર્માણ કરવાનું વિહિત જ છે. આથી દેવદ્રવ્યમાંથી જિનાલયનું નિર્માણ થઈ શકે છે અને તેના આલંબને ધનવાનો કે નિર્ધનો એમ સર્વે જિનભક્તિ કરી શકે છે.
- જ્યારે શ્રાવકની જિનપૂજા માટે શાસ્ત્રાજ્ઞા અને પરંપરા જુદા પ્રકારની છે. પૂર્વે જોયા મુજબ શ્રાદ્ધવિધિ-શ્રાદ્ધદિનકૃત્ય, લલિતવિસ્તરા, પંચાલકજી આદિ ગ્રંથોમાં “રેવા દે દેવપૂગાડપિ વચ્ચેવ યથાશક્સિ कार्या", "पूजां च वीतरागानां स्वविभवौचित्येन ।" "विभवानुसारेण
૧. “ધાર્મિક વહીવટ વિચાર, પ્રથમ આવૃત્તિ, પૃ-૬” આને સંક્ષિપ્તમાં ધા.વ.વિ. પ્ર.આ.પૃ-૬ લખ્યું છે. હવે દરેક સ્થળે એ રીતે લખાશે. તે જાણ માટે.