Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૯૫ અન્યૂઝનમ્”, “યથાત્રા'', વશવર્ચનુસારે વિનાિ : ” – આવા વિધાનો કરીને શ્રાવકને સ્વદ્રવ્યથી જ પોતાની સંપત્તિ અનુસારે જ પ્રભુપૂજા કરવાનું જણાવ્યું છે. સાથોસાથ શક્તિહીન શ્રાવકોને સામાયિકાદિ ભાવપૂજાનું વિધાન કર્યું છે. તે ગ્રંથોમાં શ્રાવકની પૂજાવિધિના પ્રકરણમાં ક્યાંયે દેવદ્રવ્યથી પ્રભુપૂજા કરવાનું બતાવ્યું નથી. આથી શાસ્ત્રાજ્ઞા મુજબ શ્રાવકે પ્રભુપૂજા સ્વદ્રવ્યથી જ કરવાની છે. પરંતુ દેવદ્રવ્યથી નહીં. અહીં યાદ રાખવું કે, શાસ્ત્ર અને સુવિહિત પરંપરા જેની રજા ન આપતું હોય અને જેનો નિષેધ કરતું હોય, તેવી નિષિદ્ધ પ્રવૃત્તિ કરવાથી પાપબંધ થયા વિના રહેતો નથી.
> તદુપરાંત, આ વિષયમાં શાસ્ત્રાનુસારી પરંપરા જોઈએ તો, વિ.સં. ૧૯૯૦ના શ્રમણ સંમેલનનો ઠરાવ-૪ પણ સ્વદ્રવ્યથી જ શ્રાવકને જિનપૂજાનો લાભ લેવા જણાવે છે. તે ઠરાવ-૪ ઉપર પરામર્શ કરવો આવશ્યક હોવાથી તે પણ કરી લઈએ.
ઠરાવ-૪: “શ્રાવકોએ પોતાના દ્રવ્યથી જ પ્રભુની પૂજા વગેરેનો લાભ લેવો જ જોઈએ. પરંતુ કોઈક સ્થળે અન્ય સામગ્રીના અભાવે પ્રભુની પૂજા આદિમાં વાંધો આવતો જણાય તો દેવદ્રવ્યમાંથી પ્રભુની પૂજા આદિનો પ્રબંધ કરી લેવો, પરંતુ પ્રભુની પૂજા આદિ તો જરૂર થવી. જ જોઈએ.”
– પરામર્શ - (૧) ઠરાવ-૪ના પ્રારંભમાં શ્રાવકોને પ્રભુપૂજાનો લાભ સ્વદ્રવ્યથી જ લેવાનું ફરમાવ્યું છે. તેમાંનો જ કાર સૂચિત છે. તે
સ્વકર્તવ્યરૂપે કરાતી જિનપૂજામાં સ્વદ્રવ્યથી અતિરિક્ત દ્રવ્ય (દેવદ્રવ્યપદ્રવ્ય)ના વ્યવચ્છેદ માટે જ મૂકાયો છે અને પૂર્વે જણાવ્યા પ્રમાણે શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોમાં એમ જ જણાવેલ છે.
(૨) ઠરાવ-૪ના બીજા વિધાનમાં “અંજનશલાકા કરાયેલી પ્રતિમાની નિત્યપૂજા થવી જોઈએ. ભગવાન અપૂજન રહેવા જોઈએ” - આ શાસ્ત્રાજ્ઞાનું પાલન કરવા માટેનો માર્ગ સુનિશ્ચિત કરવાનું જણાવ્યું છે. સામગ્રીસંપન્ન