Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૭૫ અર્થ: દેવગૃહમાં (સંઘમંદિરમાં) દેવપૂજા પણ સ્વદ્રવ્યથી જયથાશક્તિ કરવી જોઈએ. નહિ કે પોતાના ગૃહ(મંદિર)માં ચડાવેલાં નૈવેદ્ય વગેરેના વેચાણથી પ્રાપ્ત થયેલા પૈસાથી કે દેવસંબંધી પુષ્પો વગેરેથી, કેમ કે, એવું કરવામાં પૂર્વે કહેલા “ફોગટ પ્રશંસા', અવજ્ઞા, અનાદર વગેરે દોષ લાગે છે.
સ્પષ્ટીકરણ :
(૧) પૂર્વોક્ત શાસ્ત્રવિધાનમાં કહ્યું છે કે, ““જિનમંદિરમાં પ્રભુપૂજા સ્વદ્રવ્યથી જ યથાશક્તિ કરવી. પરંતુ ગૃહમંદિરવાળા શ્રાવકે પોતાના મંદિરમાં ચઢાવેલાં નૈવેદ્યાદિના વેચાણથી પ્રાપ્ત પૈસાથી જિનપૂજા ન કરવી તથા ગૃહમંદિરવાળા (અને ગૃહમંદિર વિનાના તમામ શ્રાવકોએ) દેવસંબંધી પુષ્પોથી જિનમંદિરમાં પ્રભુપૂજા ન કરવી. કારણ કે, તેમાં પૂર્વનિર્દિષ્ટ દોષો લાગે છે.
(૨) અહીં ઉલ્લેખનીય છે કે, પૂર્વોક્ત પાઠનો અર્થ કરતી વેળાએ ધા.વ.વિ.ના લેખકશ્રીએ “રેવપુષ્પવિના વા પ્રપુતોષા' - આ પદનો અર્થ કરવાનું ટાળી દીધું છે. જ્યારે ગણિ શ્રી અભયશેખર મહારાજે “રેવપુષ્પવિના''નો અર્થ “ભગવાનને ચઢાવેલાં ફૂલથી” એવો અર્થ કર્યો છે, તે સાચો નથી. “વસ'નો અર્થ દેવસંબંધી જ થાય છે. તેથી તે પદનો અર્થ ‘દેવસંબંધી પુષ્પો” જ થાય. પરંતુ “ભગવાનને ચઢાવેલા ફૂલોથી ન થાય અને બીજી પણ મહત્ત્વની વાત એ છે કે, ભગવાનને ચઢાવેલા ફૂલો ફરી (ઉતરી ગયેલા વિગન્ધિ) ફૂલો હોવાથી પુનઃ ચઢાવી શકાતા જ નથી, કે જેથી ગ્રંથકારશ્રીને એવું કહેવું પડે. તેથી
ત્યાં એવો જ અર્થ કરવાનો છે કે, ગૃહમંદિરવાળા કે ગૃહમંદિર વિનાના કોઈપણ શ્રાવકે “દેવસંબંધી પુષ્પાદિથી જિનપૂજા કરવાની નથી. પરંતુ સ્વદ્રવ્યથી જ પ્રભુપૂજા કરવાની છે. (અહીં રેવત્વ = દેવસંબંધી પુષ્પો એટલે કોઈક શ્રાવકે જિનાલયની ભક્તિ માટે બગીચો આદિ ભેટ આપ્યો હોય, તે બગીચા આદિમાંના આવેલા પુષ્પોને દેવસંબંધી પુષ્પો કહેવાય છે.) આથી દેવદ્રવ્યથી જિનપૂજા કરવાની વાત આ પાઠથી કોઈપણ રીતે