Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૧ઃ શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૨૫ (પૂજારી) તો રાખવો જ પડશે. તો પછી એકાંતે નિષેધ શા માટે?
– પૂજારી દ્વારા થતી આશાતના નિવારણનો ઉપાય એ તો નથી જ કે પૂજા બંધ કરવી. તે માટે તો પૂજારીઓને યોગ્ય કેળવણી આપવી, તેઓની યોગ્ય રીતે સારસંભાળ રાખવી અને એ રીતે આશાતના નિવારણના ઘણા ઘણા ઉપાયો યોજી શકાય છે, તેમ હોવા છતાં આ રીતે લેવાયેલો આ નિર્ણય શાસ્ત્ર અને સુવિહિત પરંપરાથી નિરપેક્ષ છે.
– આશાતના થતી હોય તો તેનું નિવારણ કરવાના ઉપાયો યોજી શકાય પણ પૂજા બંધ કરવા સ્વરૂપ મહા આશાતના તો કદાપિ ન કરી શકાય.
– વિ.સં. ૧૯૯૦ તથા વિ.સં. ૨૦૧૪ના ઠરાવમાં પણ ભગવાન કોઈપણ સંયોગમાં અપૂજ તો ન જ રહેવા જોઈએ, તે માટે ભારપૂર્વક ભલામણ કરતાં લખ્યું છે કે –
કોઈ સ્થળે અન્ય સામગ્રીના અભાવે પ્રભુની પૂજા આદિમાં વાંધો આવતો જણાય તો દેવદ્રવ્યમાંથી પ્રભુની પૂજા આદિનો પ્રબંધ કરી લેવો. પરંતુ પ્રભુની પૂજા આદિ તો જરૂર થવી જ જોઈએ.”
–વિ.સં. ૧૯૯૦તથા વિ.સં. ૨૦૧૪ના ઠરાવમાં પ્રભુ અપૂજનરહે તે માટે કેટલો ભાર મૂક્યો છે, તેમ છતાં પણ ૨૦૪૪ના સંમેલને આ નિર્ણય૧૭ દ્વારા તે ઠરાવોની કેવી ઉપેક્ષા કરાઈ છે, તે વિચારવા યોગ્ય છે.
– અહીં ઉલ્લેખનીય છે કે, પં.શ્રી કલ્યાણ વિજયજી મ.ના ઉપદેશથી જ્યારે જાલોરમાં નિર્મિત થયેલા શ્રી નંદીશ્વરદ્વીપ મંદિરમાં નિત્ય અભિષેકાદિ પૂજા બંધ થયા, ત્યારે આ અશાસ્ત્રીય પદ્ધતિ અટકે, એ જ એક હેતુથી “રાજસ્થાન જૈન સંસ્કૃતિ રક્ષક સભા” (બાવર) દ્વારા અનેક ગીતાર્થ પૂ.આચાર્યદેવો પર પત્રો લખીને આ વિષયમાં અભિપ્રાયો મંગાવવામાં આવ્યા. તે વખતે અમદાવાદમાં બિરાજમાન પૂ. આચાર્યદેવો તરફથી એક સંયુક્ત અભિપ્રાય ડહેલાના ઉપાશ્રયેથી પાઠવવામાં આવ્યો હતો. જે