Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૫૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૧) પૂ.આ.ભ.શ્રી.વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની જિનપૂજા, પૂજારીના પગાર આદિ માટે શું માન્યતા હતી?
(૭૨) શું તેઓશ્રીની માન્યતા વારંવાર બદલાતી રહી છે?
(૮) પૂ.આ.ભ.શ્રી વિજય રવિચન્દ્રસૂ.મ.સા. પણ સ્વપ્નની બોલીને કલ્પિત દેવદ્રવ્યમાં ગણવાનું પોતાના “પ્રશ્નોત્તર કર્ણિકા' વિભાગમાં લખી ગયા છે, તે વાત સાચી છે?
(૯) ગુરુપૂજનની રકમ અને ગુરુપૂજનની ઉછામણીની રકમ, શાસ્ત્રાધારે ક્યા ખાતામાં ગણાય? અને શાસ્ત્રાધારે તેનો સદુપયોગ કયાં થાય?
(૯/૧) એક વર્ગ આ રકમ જીર્ણોદ્ધારાદિમાં વાપરવા જણાવે છે અને એક વર્ગ ગુરુની વૈયાવચ્ચમાં લઈ જવાનું કહે છે? તેમાં સાચું કોણ? શાસ્ત્ર અને પરંપરા શું કહે છે?
(૧૦) ગુરુના મૃતકના અગ્નિસંસ્કાર સંબંધી ઉછામણીની રકમ કયા ખાતામાં ગણાય? અને તેનો સદુપયોગ કયાં થાય ?
(૧૦/૧) એક વર્ગ આ રકમ જીવદયામાં જાય એમ કહે છે અને એક વર્ગ ગુરુના સ્મારક બનાવવા વગેરે ત્રણ કાર્યોમાં જાય એમ કહે છે, તેમાં શાસ્ત્ર અને પરંપરા શું કહે છે?
- આ રીતે ધાર્મિક દ્રવ્ય વિષયક અનેક પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે. તેના શાસ્ત્ર-પરંપરા આધારે ઉત્તરો આગળના પ્રકરણોમાં વિચારીશું.
(નોંધઃ પ્રકરણ-૪થી ૭ સુધી આ પ્રશ્નોની વિસ્તૃત વિચારણા કરી છે અને પ્રકરણ-૭ના અંતે પૂર્વનિર્દિષ્ટ તમામ પ્રશ્નોનો જવાબ સંક્ષેપમાં ઉપસંહારરૂપે આપેલ છે.)