Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૪: શ્રવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૫૯ પ્રભુપૂજાનું કર્તવ્ય પતાવી દે તો એમાં વાંધો નથી – દોષ નથી, એવું ક્યાંય લખ્યું નથી.
– જિનપૂજામાં ધનની મૂચ્છ મારવાનો અને સમ્યકત્વને નિર્મલ કરવાનો ઉદ્દેશ સમાયેલો હોય છે. સ્વદ્રવ્યથી જિનપૂજા થાય તો તે ઉદ્દેશ જળવાય છે. નહીંતર નહીં.
(C) શ્રાદ્ધદિનકૃત્યના પાઠો :
૧) ઋદ્ધિમાન શ્રાવક જિનમંદિરે કેવી રીતે જાય અને ભક્તિ કરે તેના પાઠો.
तओ हयगयाहिं जाणेहिं य रहेहि य । बंधुमित्तपरिक्खितो घित्तुं पूयं स उत्तमं ॥३१॥ अन्नेसिं भव्वसत्ताणं दायतो मग्गमुत्तमं ।
वच्चए जिणगेहमि, पभावितो य सासणं ॥३२॥ અર્થ: ત્યારબાદ અશ્વો-હાથીઓ વગેરે, પાલખી વગેરે સુખાસનો અને કર્ણરથ વગેરે રથોથી સદા યુક્ત અને સ્વજન-મિત્રોથી પરિવરેલો, ઋદ્ધિમાન શ્રાવક પૂજામાં ઉપયોગી ઉત્તમ દ્રવ્યોને લઈને બીજા ભવ્ય જીવોને ઉત્તમ મોક્ષમાર્ગ બતાવતો અને શાસનની પ્રભાવના કરતો શ્રીજિનમંદિરમાં જાય.
૨) (જિનમંદિર ગયા પછી નિતીતિ કરીને જિનમંદિરની હદમાં પ્રવેશે. મંદિરનું કર્તવ્ય કંઈ હોય તો કરી પછી નિશીહિ કરી ત્રણ પ્રદક્ષિણા આદિ કરી, પછી નિસાહિ કહીને પૂજાદિ કરે તે અંગેનો પાઠ.)
पुणो निसीहियं काउं, पविसे जिणमंदिरे । पुव्वुत्तेण विहाणेणं, कुणई पूयं तओ विउ ॥५७॥