SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૧ઃ શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૨૫ (પૂજારી) તો રાખવો જ પડશે. તો પછી એકાંતે નિષેધ શા માટે? – પૂજારી દ્વારા થતી આશાતના નિવારણનો ઉપાય એ તો નથી જ કે પૂજા બંધ કરવી. તે માટે તો પૂજારીઓને યોગ્ય કેળવણી આપવી, તેઓની યોગ્ય રીતે સારસંભાળ રાખવી અને એ રીતે આશાતના નિવારણના ઘણા ઘણા ઉપાયો યોજી શકાય છે, તેમ હોવા છતાં આ રીતે લેવાયેલો આ નિર્ણય શાસ્ત્ર અને સુવિહિત પરંપરાથી નિરપેક્ષ છે. – આશાતના થતી હોય તો તેનું નિવારણ કરવાના ઉપાયો યોજી શકાય પણ પૂજા બંધ કરવા સ્વરૂપ મહા આશાતના તો કદાપિ ન કરી શકાય. – વિ.સં. ૧૯૯૦ તથા વિ.સં. ૨૦૧૪ના ઠરાવમાં પણ ભગવાન કોઈપણ સંયોગમાં અપૂજ તો ન જ રહેવા જોઈએ, તે માટે ભારપૂર્વક ભલામણ કરતાં લખ્યું છે કે – કોઈ સ્થળે અન્ય સામગ્રીના અભાવે પ્રભુની પૂજા આદિમાં વાંધો આવતો જણાય તો દેવદ્રવ્યમાંથી પ્રભુની પૂજા આદિનો પ્રબંધ કરી લેવો. પરંતુ પ્રભુની પૂજા આદિ તો જરૂર થવી જ જોઈએ.” –વિ.સં. ૧૯૯૦તથા વિ.સં. ૨૦૧૪ના ઠરાવમાં પ્રભુ અપૂજનરહે તે માટે કેટલો ભાર મૂક્યો છે, તેમ છતાં પણ ૨૦૪૪ના સંમેલને આ નિર્ણય૧૭ દ્વારા તે ઠરાવોની કેવી ઉપેક્ષા કરાઈ છે, તે વિચારવા યોગ્ય છે. – અહીં ઉલ્લેખનીય છે કે, પં.શ્રી કલ્યાણ વિજયજી મ.ના ઉપદેશથી જ્યારે જાલોરમાં નિર્મિત થયેલા શ્રી નંદીશ્વરદ્વીપ મંદિરમાં નિત્ય અભિષેકાદિ પૂજા બંધ થયા, ત્યારે આ અશાસ્ત્રીય પદ્ધતિ અટકે, એ જ એક હેતુથી “રાજસ્થાન જૈન સંસ્કૃતિ રક્ષક સભા” (બાવર) દ્વારા અનેક ગીતાર્થ પૂ.આચાર્યદેવો પર પત્રો લખીને આ વિષયમાં અભિપ્રાયો મંગાવવામાં આવ્યા. તે વખતે અમદાવાદમાં બિરાજમાન પૂ. આચાર્યદેવો તરફથી એક સંયુક્ત અભિપ્રાય ડહેલાના ઉપાશ્રયેથી પાઠવવામાં આવ્યો હતો. જે
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy