________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
નીચે પ્રમાણે છે –
નિત્ય અભિષેકાદિ પૂજા અંગે રાજનગરસ્થ શ્રમણ સંઘનો સ્પષ્ટ અભિપ્રાય:
ડહેલાનો ઉપાશ્રય, અમદાવાદ, કાર્તિક સુદ ૧૦, વિ.સં. ૨૦૧૪. રાજનગરસ્થ શ્રી શ્રમણ સંઘ તરફથી. દેવગુરુ ભક્તિકારક ધર્માનુરાગી શ્રી રાજસ્થાન જૈન સંસ્કૃતિ રક્ષક સભા (વ્યાવર) યોગ્ય ધર્મલાભ.
તમારો પત્ર મળ્યો, જાલોરના શ્રી નંદીશ્વરદ્વીપ દહેરાસરમાં નિત્ય અભિષેકાદિ પૂજા બંધ છે, તે ઠીક નથી. શાસ્ત્રોમાં શ્રી જિનેશ્વરદેવના બિંબની નિત્ય અભિષેકાદિ પૂજા વિહિત છે માટે પૂજા ચાલુ રહેવી જોઈએ. દ. : વિજય હર્ષસૂરિ (પૂ.આ.શ્રી વિજયનીતિસૂરિજી મ.નો સમુદાય) | વિજય પ્રેમસૂરિ (પૂ.આ.શ્રી વિજયદાનસૂરિજી મ.નો સમુદાય).
| વિજય મનોહરસૂરિ (પૂ.આ. શ્રી વિજયસિદ્ધિસૂરિજી મ.નો સમુદાય) ઉ. : કૈલાસસાગર (પૂ.આ.શ્રી બુદ્ધિસાગરસૂરિજી મ.નો સમુદાય)
વિજયપધસૂરિ (પૂ.આ.શ્રી વિજય નેમિસૂરિજી મ.નો સમુદાય) ઉ. : દેવેન્દ્રસાગર (પૂ.આ.શ્રી સાગરાનંદસૂરિજી મ.નો સમુદાય)
– મુનિ ખાંતિવિજય - પૂજ્ય આચાર્ય ભગવંતોના ઉપરોક્ત અભિપ્રાયથી વર્તમાન સંમેલનના ઠરાવની અશાસ્ત્રીયતા અને અવ્યવહારૂતા સ્વતઃ સિદ્ધ થાય છે. વિશેષમાં સ્વ.પં. શ્રી કલ્યાણવિજયજી મ.ના શ્રી જિનપૂજા પદ્ધતિ અંગેના વિચારો કેટલા અશાસ્ત્રીય અને અવ્યવહારૂ હતા તે અંગે વિગતથી સમજવા માગતા જિજ્ઞાસુઓને પૂજ્યોના નીચેના પ્રકાશનો તથા પૂજ્યોના માર્ગદર્શક પત્રો વાંચી જવા ખાસ ભલામણ છે. (૧) “શ્રી જિનપૂજા પદ્ધતિકી સમાલોચના' : આલેખક : પૂ.આ.દેવશ્રી