Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૩૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા પૂજારી વગેરેને અપાતી હોય, એટલા માત્રથી એ માર્ગ બની જતો નથી. એ શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિને અટકાવવી જ જોઈએ અને તે તે સંઘો કે ગૃહમંદિરના માલિક શ્રાવકોને શાસ્ત્રનિર્દિષ્ટ માર્ગથી જ્ઞાત કરવા જોઈએ. શાસ્ત્રો ફરમાવે છે કે, સંવિગ્ન-ભવભીરૂ-ગીતાર્થ મહાપુરુષો દ્વારા આચરિત અને અશઠ મધ્યસ્થ ગીતાર્થ દ્વારા
અનિષિદ્ધ સુવિહિત પરંપરા જ માર્ગ બની શકે છે. બીજી નહીં. ૦ કલ્પિત દેવદ્રવ્યઃ
કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યા પૂર્વે જણાવી જ છે. આ પ્રકારના દેવદ્રવ્યમાં કયા દ્રવ્યનો સમાવેશ થાય, એ અંગે વિ.સં. ૨૦૪૪'ની સાલ સુધી કોઈ વિવાદ જ નહોતો. પૂર્વે જણાવેલી વ્યાખ્યા મુજબ ધનવાન શ્રાવકોએ કે સ્વદ્રવ્યથી જિનાલય બંધાવનાર શ્રાવકોએ જિનમંદિરના તમામ પ્રકારના નિર્વાહ માટે કલ્પલા કોષ (સ્થાયી ફંડ)ને કલ્પિત દેવદ્રવ્ય તરીકે જણાવેલ છે. તેમાં કોઈ વિવાદ જ નહોતો અને એ કલ્પિત દેવદ્રવ્યમાંથી પૂજારીના પગારથી માંડીને જિનાલયના તમામ કાર્યો પાર પાડી શકાય છે.
– આ વિષયમાં વિવાદ શરૂ થયો ૨૦૪૪'ના સંમેલનના ઠરાવોથી. સ્વપ્ન આદિની બોલીની રકમ જે વિ.સં. ૨૦૪૪ના સંમેલન સુધી શુદ્ધદેવદ્રવ્યમાં ગણાતી હતી-જતી હતી અને તેનો ઉપયોગ જીર્ણોદ્ધારાદિમાં થતો હતો, તેને બદલીને ૨૦૪૪'ના સંમેલને સ્વપ્ન આદિની બોલીની રકમને કલ્પિત દેવદ્રવ્ય તરીકે ઠરાવીને તેનો ઉપયોગ જિનાલયના તમામ કાર્યો માટે કરવાનું જણાવ્યું - ત્યારે વિવાદની શરૂઆત થઈ હતી.
– સ્વપ્ન-અંજનશલાકા-આરતી-મંગલદીવો વગેરેની બોલીની આવક શાસ્ત્રાનુસારી પરંપરા મુજબ શુદ્ધદેવદ્રવ્યમાં જ જાય છે.
– પ્રભુભક્તિ નિમિત્તે બોલાતી કોઈપણ બોલીની રકમનો સમાવેશ કલ્પિત દેવદ્રવ્યમાં ક્યારેય ન થાય.
– અહીં ઉલ્લેખનીય છે કે,