Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૨ : દેવદ્રવ્યના વિવિધ પ્રકારો
દેવદ્રવ્યના ત્રણ પ્રકાર:
સમર્થ શાસ્ત્રકાર શિરોમણી પૂજયપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ સ્વરચિત “સંબોધ પ્રકરણ” ગ્રંથમાં દેવદ્રવ્યના ત્રણ પ્રકાર નીચે મુજબ જણાવ્યા છે –
વેલä તિવિદ્દ, પુરા-નિમન-ણિયે તથા आयाणमाइ पूआदव्वं जिणदेहपरिभोगं ॥१६३॥ अक्खयफलबलिवत्थाइसंतिअंजं पुणो दविणजायं । तं निम्मल्लं वुच्चइ, जिणगिहकम्मंमि उवओगं ॥१६४॥ दव्वंतरनिम्मवियं निम्मल्लं पि हु विभूषणाइहिं । तं पुण जिणसंसग्गि, ठविज्ज णण्णत्थ तं भयणा ॥१६५॥ रिद्धिजुअसम्मएहिं सद्धेहिं अहवा अप्पणा चेव ।
जिणभत्तीइ निमित्तं जं चरियं सव्वमुवओगि ॥१६६॥" ભાવાર્થ:
ચૈત્યદ્રવ્ય = દેવદ્રવ્યના ત્રણ પ્રકાર છે : (૧) પૂજા દેવદ્રવ્ય, (૨) નિર્માલ્ય દેવદ્રવ્ય અને (૩) કલ્પિત દેવદ્રવ્ય. (તે ત્રણેનું સ્વરૂપ અને તેનો ઉપયોગ હવે ક્રમશઃ જણાવાય છે.)
(૧) પૂજા દેવદ્રવ્યઃ-પૂજા દેવદ્રવ્ય તે આદાન (ભાડા) આદિ સ્વરૂપ ગણાય છે અને તેનાથી પ્રાપ્ત રકમનો ઉપયોગ શ્રીજિનેશ્વર દેવની સેવામાં થાય છે. એટલે કે આ પૂજા-દ્રવ્યનો ઉપયોગ કેશર, ચંદન વગેરે પ્રભુના અંગે ચઢતા પદાર્થો માટે વપરાય છે. (અંગપૂજાની જેમ અગ્રપૂજાનાં દ્રવ્યોમાં પણ આ પૂજાદ્રવ્યનો ઉપયોગ થઈ શકે છે.)
(૨) નિર્માલ્ય દેવદ્રવ્યઃ પ્રભુજીની આગળ ચઢાવેલાં અક્ષત, ફળ, નૈવેદ્ય, વસ્ત્ર વગેરેના વેચાણથી જે રકમ પ્રાપ્ત થાય તે નિર્માલ્ય દેવદ્રવ્ય