Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૧૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા | સર્વસાધારણમાં) લઈ જવાય નહીં. ) દેવદ્રવ્યની ચઢાવા વગેરેથી પ્રાપ્ત થતી આવક બંધ કરાવે તો સંસાર
પરિભ્રમણનું ફળ બતાવ્યું છે. (i) બોલીઓ કલ્પેલી નથી, પણ શાસ્ત્રીય છે.
- અહીં યાદ રાખવું કે, વિ.સં. ૧૯૭૬ના સંમેલનના ઠરાવોના ઘડવૈયા ગીતાર્થો હતા અને સંબોધપ્રકરણ વગેરે ગ્રંથોના જ્ઞાતા હતા. તેમના લખાણમાંથી-ઠરાવોમાંથી પોતાની કલ્પનાના બળે ફાવતો અર્થ કાઢવાનો દુષ્ક્રયત્ન કરવો, તે લેશમાત્ર ઉચિત નથી. * કમનસીબ ઘટનાઃ
- અહીં ઉલ્લેખનીય છે કે, વિ.સં. ૨૦૪૪ સુધી શાસ્ત્રાધારે અને વિશેષ પરિસ્થિતિમાં નિર્માણ પામેલા વિ.સં. ૧૯૭૬, ૧૯૯૦ અને ૨૦૧૪ના શ્રમણ સંમેલનના ઠરાવોના આધારે દેવદ્રવ્ય વિષયક વ્યવસ્થા સકલ સંઘમાં સુવ્યવસ્થિત-સુનિશ્ચિત સ્વરૂપે ચાલતી હતી. પરંતુ વિ.સં. ૨૦૪૪માં થયેલા મર્યાદિત-અનધિકૃત સંમેલનના અનધિકૃત ઠરાવોએ એ શાસ્ત્રાનુસારી પરંપરાનો નાશ કરવાનો અનુચિત પ્રયત્ન કર્યો છે. ૦ વિ.સં. ૨૦૪૪'ના સંમેલનના શાસ્ત્રવિરુદ્ધ ઠરાવોઃ
વિ.સં. ૨૦૪૪'ના સંમેલનના પ્રસ્તુત ચર્ચામાં ઉલ્લેખનીય ૨૨ પૈકીના આત્મઘાતક-શાસ્ત્રાનુસારી પરંપરાનાશક મહત્ત્વના ચાર ઠરાવો અને એની સમાલોચના અહીં પ્રસ્તુત કરીએ છે. તે નીચે મુજબ છે –
નિર્ણય - ૧૩: દેવદ્રવ્ય-વ્યવસ્થાઃ
સ્વદ્રવ્યથી સર્વ પ્રકારની જિન ભક્તિ કરી શકતા શક્તિ સંપન સંઘે તેવી ભાવનાથી પણ સંપન રહેવું જોઈએ. પણ તે જો ભાવના સંપન્ન ન થાય તો નીચેના વિધાન પ્રમાણે વર્તવું. પૂજ્યપાદ આચાર્ય શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજે, “સંબોધ પ્રકરણ” ગ્રંથમાં, દેવદ્રવ્યના ત્રણ વિભાગ પાડ્યા છે.
૧. પૂજાદ્રવ્ય, ૨. નિર્માલ્ય દ્રવ્ય, ૩. કલ્પિત દ્રવ્ય,