Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૧૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા યથાશ િવાય” - જિનમંદિરમાં જિનપૂજા પણ સ્વદ્રવ્યથી જ યથાશક્તિ કરવી. (૨) “પૂનાં વીતરનાં વમવન'' - વીતરાગ પરમાત્માની પૂજા પોતાના વૈભવ મુજબ કરવી. (૩) “વિમવાનુ
ન્યૂઝનમ્” – વૈભવને અનુસારે પૂજન કરવું. (૪) યાત્રામમ્ - જેવી આવક હોય તે મુજબ (પૂજા કરવી). (૫) “નિવવાપુરાવો”- પોતાના વૈભવને અનુરૂપ (પૂજા કરવી). (૬) “વિશવત્વનુસારે નિમnિ: વર્યા '' પોતાની શક્તિ મુજબ જિનભક્તિ કરવી. આ રીતે “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનું જણાવ્યું છે. આ સર્વે પાઠોનું અર્થસહિત સંકલન અને તેની વિચારણા પ્રકરણ-૪માં કરી છે.
- જ્યારે ભગવાન અપૂજ રહે તેવી સ્થિતિ હોય ત્યારે ભગવાનની પૂજા માટે જરૂર પડે તો દેવદ્રવ્યનો ઉપયોગ કરી - કરાવી શકાય. બાકી ભગવાન અપૂજ રહે તેવી સ્થિતિમાં ન હોય અને શ્રાવકસંઘને પોતાને પૂજા કરવાનું મન હોય એ માટે તે શક્તિ વગરના હોય કે શક્તિ છતાં ભાવના વગરના હોય, એ બંનેમાંથી કોઈને પણ દેવદ્રવ્યમાંથી પૂજા કરવાનો અધિકાર નથી.
– વિ. સં. ૧૯૯૦ તથા વિ. સં. ૨૦૧૪માં ભગવાન અપૂજ રહે તેવી સ્થિતિમાં હોય, ત્યારે જ દેવદ્રવ્યમાંથી ભગવાનની પૂજા વગેરેની વ્યવસ્થા કરવાની શાસ્ત્રમર્યાદાનુસાર છૂટ અપાઈ છે. જ્યારે વિ.સં. ૨૦૪૪'ના આ નિર્ણય દ્વારા તે ભગવાન અપૂજ રહે તેવી સ્થિતિમાં ન હોય, ત્યારે પણ માત્ર જેની ભાવના નથી તેવા શક્તિસંપન્ન સંઘોને પણ દેવદ્રવ્યમાંથી પૂજા કરવાની છૂટ અપાઈ છે. જે લેશમાત્ર ઉચિત નથી.
– નિર્માલ્ય દ્રવ્યની વ્યાખ્યામાં સંબોધ પ્રકરણની જે ગાથાઓને આધારે આ ઠરાવ કરાયો છે, તેને અનુરૂપ અર્થ નથી કરાયો.
– ત્યાં અક્ષત વગેરેના વેચાણથી આવેલ દ્રવ્યને નિર્માલ્ય દ્રવ્ય જણાવ્યું છે. જ્યારે આ નિર્ણયમાં અક્ષત વગેરેના વેચાણની વાત ઉડાવી દેવામાં આવી છે.