Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૧૨.
પ્રકરણ - ૧ : શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૧૯ સુધી કરાતાં હતાં, તેમાં આ દેવદ્રવ્યનો ઉપયોગ કરવાનું ઠરાવી દેવદ્રવ્યને દેરાસર સાધારણમાં લઈ જવાનું અહિતકર પગલું ભરવામાં આવ્યું છે. જે સર્વથા અનધિકૃત પણ છે.
– પૂજાના દ્રવ્યોની ખરીદી, પૂજારીનો પગાર, વહીવટી ખર્ચ વગેરે કાર્યો શ્રાવકોએ પોતે કરવાનાં છે. છેવટે તે શક્તિના અભાવે ન બને તો સાધારણમાંથી કરવાનાં છે. પણ દેવદ્રવ્યમાંથી થઈ શકે નહિ. તેમ છતાં બોલીના દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્ય ઠરાવી તેનો ઉપયોગ જે રીતે કરવાનો સૂચવાયો છે, તેનાથી દેવદ્રવ્યનો ખૂબ જ ઝડપી દુરુપયોગ અને પરિણામે નાશ થશે.
– દેવદ્રવ્યનો નાશ થવાથી તે દેવદ્રવ્યથી જે જીર્ણોદ્ધાર વગેરેનાં કાર્યો ચાલે છે, તેને ખૂબ જ મોટો ફટકો પડશે. પરિણામે મંદિરો, તીર્થો અસલામત બનશે અને એના ઉપર કાળની અસર ખૂબ જ ઝડપી બનશે.
– આજ સુધી જે મંદિરો, તીર્થો જળવાઈ રહ્યાં છે, તે દેવદ્રવ્યને આભારી છે. “દેવદ્રવ્ય વધારે છે” એવી જે સત પ્રચારાઈ રહી છે, તે સદંતર જૂઠી છે.
– દેવદ્રવ્યની જેટલી જરૂર છે, તેના પ્રમાણમાં દેવદ્રવ્ય ઘણું ઓછું છે. - આ શબ્દો આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ સ્વ. કસ્તુરભાઈ લાલભાઈએ તે સમયે ઉચ્ચાર્યા હતા.
(ખાસ ભલામણ - વાચકોને ખાસ ભલામણ છે કે, પૂર્વે જણાવેલા ૧૯૭૬, ૧૯૯૦ અને ૨૦૧૪ના ઠરાવો અને અહીં સમાલોચનામાં જણાવેલી શાસ્ત્રાનુસારી વિગતો તથા પરિશિષ્ટ-૧માં વિ.સં. ૧૯૭૬ આદિ ત્રણે ઠરાવોની સહીઓ સાથેની સંપૂર્ણ વિગત જોવી. તે જોતાં સ્પષ્ટ થઈ જશે કે, ૨૦૪૪'ના સંમેલનના ઠરાવો શાસ્ત્રાનુસારી નથી.)
– ૧૯૭૬-૧૯૯૦-૨૦૧૪માં શ્રમણ સંમેલનોએ કરેલા ઠરાવો વાચ્યાં પછી હવે વિ.સં. ૨૦૪૪ના શ્રમણસંમેલનનો નિર્ણય વાંચવાથી