SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. પ્રકરણ - ૧ : શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૧૯ સુધી કરાતાં હતાં, તેમાં આ દેવદ્રવ્યનો ઉપયોગ કરવાનું ઠરાવી દેવદ્રવ્યને દેરાસર સાધારણમાં લઈ જવાનું અહિતકર પગલું ભરવામાં આવ્યું છે. જે સર્વથા અનધિકૃત પણ છે. – પૂજાના દ્રવ્યોની ખરીદી, પૂજારીનો પગાર, વહીવટી ખર્ચ વગેરે કાર્યો શ્રાવકોએ પોતે કરવાનાં છે. છેવટે તે શક્તિના અભાવે ન બને તો સાધારણમાંથી કરવાનાં છે. પણ દેવદ્રવ્યમાંથી થઈ શકે નહિ. તેમ છતાં બોલીના દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્ય ઠરાવી તેનો ઉપયોગ જે રીતે કરવાનો સૂચવાયો છે, તેનાથી દેવદ્રવ્યનો ખૂબ જ ઝડપી દુરુપયોગ અને પરિણામે નાશ થશે. – દેવદ્રવ્યનો નાશ થવાથી તે દેવદ્રવ્યથી જે જીર્ણોદ્ધાર વગેરેનાં કાર્યો ચાલે છે, તેને ખૂબ જ મોટો ફટકો પડશે. પરિણામે મંદિરો, તીર્થો અસલામત બનશે અને એના ઉપર કાળની અસર ખૂબ જ ઝડપી બનશે. – આજ સુધી જે મંદિરો, તીર્થો જળવાઈ રહ્યાં છે, તે દેવદ્રવ્યને આભારી છે. “દેવદ્રવ્ય વધારે છે” એવી જે સત પ્રચારાઈ રહી છે, તે સદંતર જૂઠી છે. – દેવદ્રવ્યની જેટલી જરૂર છે, તેના પ્રમાણમાં દેવદ્રવ્ય ઘણું ઓછું છે. - આ શબ્દો આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ સ્વ. કસ્તુરભાઈ લાલભાઈએ તે સમયે ઉચ્ચાર્યા હતા. (ખાસ ભલામણ - વાચકોને ખાસ ભલામણ છે કે, પૂર્વે જણાવેલા ૧૯૭૬, ૧૯૯૦ અને ૨૦૧૪ના ઠરાવો અને અહીં સમાલોચનામાં જણાવેલી શાસ્ત્રાનુસારી વિગતો તથા પરિશિષ્ટ-૧માં વિ.સં. ૧૯૭૬ આદિ ત્રણે ઠરાવોની સહીઓ સાથેની સંપૂર્ણ વિગત જોવી. તે જોતાં સ્પષ્ટ થઈ જશે કે, ૨૦૪૪'ના સંમેલનના ઠરાવો શાસ્ત્રાનુસારી નથી.) – ૧૯૭૬-૧૯૯૦-૨૦૧૪માં શ્રમણ સંમેલનોએ કરેલા ઠરાવો વાચ્યાં પછી હવે વિ.સં. ૨૦૪૪ના શ્રમણસંમેલનનો નિર્ણય વાંચવાથી
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy