Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
– આ નિર્ણયથી મુનિવરોનું પાંચમું મહાવ્રત દૂષિત બનવાનો પૂરો સંભવ છે. જેના યોગે શ્રમણસંઘમાં અનેક પ્રકારની શિથિલતાને મોકળું મેદાન મળશે.
૨૨
– ગુરુપૂજનાદિ ગુરુદ્રવ્યને દેવદ્રવ્યમાં લઈ જવાની પરંપરાને એકદમ યોગ્ય જણાવ્યા પછી આ ભયસ્થાન ખુદ ધાર્મિક વહીવટ વિચાર'ના લેખકશ્રીએ વિ.સં. ૨૦૪૪ના સંમેલનના ૯ માસ પૂર્વેના પત્રમાં જ એક મહાત્માને જણાવેલ છે. તે પત્ર પરિશિષ્ટ-૪માં આપેલ છે. અહીં નીચે પણ આપીએ છીએ.
પં. ચન્દ્રશેખર વિ. તરફથી વિનયાદિ ગુણાલંકૃત મુનિવર્ય હિતપ્રજ્ઞ વિજય મ.સા., અનુવંદના.
સુખસાતામાં હશો.
વિ.સં. ૨૦૪૩
ભા.વ. ૧
વિ. જણાવવાનું કે ગુરુપૂજનના પૈસા દેવદ્રવ્યમાં જ લઈ જવા એવી પરંપરા છે. માટે દેવદ્રવ્યમાં જ લઈ જવા જોઈએ.
તથા જો તે પૈસા મુનિઓની વૈયાવચ્ચમાં લેવામાં આવે તો મુનિઓને તે પૈસા ઉપર પોતાના પૈસા છે એ રીતે આસક્તિ થવાની શક્યતા છે માટે આ પરંપરા અત્યંત યથાયોગ્ય જણાય છે તે જાણશો.
એજ દ. જિનસુંદર વિ. ચંદ્રશેખર વિ.ના અનુવંદના
–વિ.સં. ૨૦૪૪ના સંમેલનના પૂર્વોક્ત ઠરાવ મુજબ ગુરુપૂજનાદિનું ગુરુદ્રવ્ય જો વૈયાવચ્ચમાં લઈ જવામાં આવે તો દ્રવ્યસઋતિકા ગ્રંથાનુસારે જીર્ણોદ્વારાદિરૂપ દેવદ્રવ્યમાં જવા યોગ્ય એ ગુરદ્રવ્યનો શ્રમણસંઘ ભક્ષક