Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ
-
૧ : શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૧૫ (૧) પૂજાદ્રવ્ય : પૂજા માટે આવેલું દ્રવ્ય તે પૂજાદ્રવ્ય. તે જિનેશ્વર ભગવાનની મૂર્તિની ભક્તિમાં વપરાય છે.
(૨) નિર્માલ્ય દ્રવ્ય : ચઢાવેલું કે ધરેલું દ્રવ્ય તે નિર્માલ્ય દ્રવ્ય. તે દ્રવ્ય ભગવાનની અંગપૂજામાં ઉપયોગી બનતું નથી. પરંતુ અલંકારાદિના ઉપયોગમાં લેવાય છે અને મંદિરના કામમાં પણ ઉપયોગી બને છે.
(૩) કલ્પિત દ્રવ્ય : જુદા જુદા કાળે જરૂરિયાત વગેરે વિચારી ગીતાર્થોએ ચઢાવાની (બોલીની) શરૂઆત કરી, તે બોલી આદિથી આવેલું દ્રવ્ય તે કલ્પિત દ્રવ્ય. જેમ કે પૂજાના ચઢાવા, સ્વપ્ન વગેરેની બોલી, પાંચ કલ્યાણકોની બોલી, ઉપધાનની માળના ચઢાવા તેમજ તેઓએ સમર્પિત કરેલ વગેરે વગેરે. એ કલ્પિત દ્રવ્ય, ભગવાનની પૂજાના દ્રવ્યો, મંદિર માટે રાખેલા માણસોના પગાર, જીર્ણોદ્ધાર, નવાં મંદિરો વગેરેની રચના તેમજ મંદિરના વહીવટી ખર્ચ વગેરે દરેક કાર્યોમાં વાપરી શકાય છે.
નિર્ણય - ૧૩ : સમાલોચના :
આ નિર્ણયમાં પહેલા પેરેગ્રાફમાં ‘તે જો ભાવના સંપન્ન ન થાય તો નીચેના વિધાન મુજબ વર્તવું’ એમ જે જણાવ્યું છે, તે શાસ્ત્રવિરુદ્ધ છે.
– અહીં યાદ રાખવાનું છે કે, શ્રાદ્ધદિનકૃત્ય આદિ ગ્રંથોના આધારે તો જે ભાવના સંપન્ન ન હોય, તે પણ જેમ દેવદ્રવ્યમાંથી પૂજા કરી ન શકે, તેમ જે શક્તિ સંપન્ન ન હોય તે પણ દેવદ્રવ્યમાંથી પૂજા ન કરી શકે. દરેક કક્ષાના શ્રાવક માટે શાસ્ત્રોમાં જિનપૂજાની જે વિધિ બતાવી છે, તે મુજબ જ તેને અનુસરવાનું છે. કોઈપણ ગ્રંથમાં શક્તિહીન કે ભાવનાહીનને દેવદ્રવ્યમાંથી પૂજા કરવાનું વિધાન જ કરવામાં આવ્યું નથી.
– શ્રાવકને સ્વકર્તવ્યરૂપે કરવાની જિનપૂજા માટે દેવદ્રવ્ય વાપરવાનો કોઈ અધિકાર નથી અને એ રીતે શ્રાવકને પોતે કરવાની પૂજામાં દેવદ્રવ્ય વાપરવાની છૂટ આપવાનો પણ શ્રમણસંઘને અધિકાર નથી.
— શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોમાં (૧) ‘વેવવૃદ્ધે વેવપૂજ્ઞાપિ સ્વદ્રવ્યૌવ