Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अभिवायमाण - अभिवादयत् (त्रि.) (1. અભિવાદન કરતો, પ્રણામ કરતો, નમસ્કાર કરતો) મમવદર - વ્યાપm (.) (ગુરુ શિષ્ય વચ્ચેની પ્રશ્નોત્તરી, સંવાદ, ઉક્તિ પ્રયુક્તિ) શિષ્યનો સસંશય પ્રશ્ન અને ગુરુનો માર્મિક સટીક ઉત્તર. આ વ્યવહાર પ્રાચીનકાળથી દરેક ધર્મમાં જોવામાં આવે છે. પછી ભલે એ વૈદિકધર્મ હોય, જૈનધર્મ હોય, ઇસ્લામધર્મ હોય કે ખ્રિસ્તી વગેરે ધર્મો હોય. જૈનધર્મમાં ભગવતીસૂત્રનામક આગમ છે. તેમાં ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને કુલ 36000 પ્રશ્નો પૂછ્યા અને પ્રભુ વીરે તે બધાના જવાબ આપ્યા હતાં. મમવાર - માહ (ઈ.) (1. કાલિકશ્રુતવિષયક ગુરુ શિષ્યની ઉક્તિ પ્રયુક્તિ, કાલિકશ્રુતવિષયક પ્રશ્નોત્તરી) વહિ- વિધિ (પુ.) (મર્યાદા, વ્યાપ્તિ) સિદ્ધહૈમવ્યાકરણમાં અભિવિધિની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “જ્યારે કોઇ વસ્તુ કે ક્ષેત્રાદિને સમસ્ત રીતે આવરીને મર્યાદા કે વ્યાપ્તિના અર્થમાં કથન કરવામાં આવે તે અભિવિધિ કહેવાય છે.” - fમવૃદ્ધિ (ઈ.) (ઉત્તરભાદ્રપદ નક્ષત્ર) મમવુત્તિ - મમવર્ગ (વ્ય). (અભિવૃદ્ધિ કરાવીને) જગદ્ગુરુ હીરસૂરિશ્વરજી મહારાજ પાસે કોઇ મંત્ર-વિદ્યાદિની શક્તિ ન હોવાં છતાં, અત્યંત ક્રૂર અને મુસ્લિમ બાદશાહ પાસે અમારિનું પાલન કરાવીને ધર્મની અભિવૃદ્ધિ અને જિનશાસનની અપૂર્વ પ્રભાવના કરાવી હતી. આ વસ્તુ સાબિત કરે છે કે જિનપ્રરૂપિત ચારિત્રમાં એટલી બધી તાકાત છે કે તે ગમેતેવા સિરફીરા અને ક્રમાંકૂર વ્યક્તિઓનું હૃદયપરિવર્તન કરી શકે છે. મમબંનr - સમવ્યa (1) (1. સ્વરૂપથી જ પ્રકાશિત 2. પ્રાદુર્ભાવ) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે વિમલનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું છે કે “હે પ્રભુ ! અનાદિકાલીન રાંક એવો જીવ મિથ્યાભ્રમણાઓમાં અને માન્યતાઓમાં અટવાયેલો હતો. પરંતુ પરમ કરુણાવંત ગુરુ ભગવંતે જિનવાણીરૂપી પરમાન્નનું દાન કર્યું છે, ત્યારથી મારા મિથ્યાત્વાલંકારનો નાશ થયો છે. આત્મામાં જાણે સમ્યજ્ઞાનરૂપી સૂર્યનો પ્રાદુર્ભાવ થયો છે. જેણે મારા આત્મામાં પ્રકાશ પ્રકાશ ફેલાવી દીધો છે.” મસંઋા - મઝા (a.). (આશંકા, સંશય, સંદેહ) શાસ્ત્રોનો અભ્યાસ કરતાં કોઈ પદાર્થ ખબર ન પડે ત્યારે પ્રશ્ન થવો સ્વાભાવિક છે. અને તે પ્રશ્નનો ઉત્તર મેળવવા ગુરુને પૃચ્છા કરે તેને સિદ્ધાંત માન્ય ગણે છે. પરંતુ સબૂર દરેક વાતોમાં અને તત્ત્વોમાં માત્ર શંકાપૂર્વકના પ્રશ્નોને શાસ્ત્ર અમાન્ય અને મિથ્યાત્વ ગણે છે. કેમકે તેમાં પોતાની પંડિતાઇ બતાડવાની ઘેલછા અથવા આત્મામાં પડેલ શંકાશીલીયો સ્વભાવ કારણ છે. अभिसंकि (ण)- अभिशडिन (त्रि.) (1. શંકા કરનાર, 2. ભીરુ, ડરપોક) fમe( ) - fમg(g.) (ભાવ રાગ, દ્રવ્યાદિ પ્રતિબંધ)