Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પણ મોક્ષ અપાવશે. અને જો દિલમાં શ્રદ્ધાનો અભાવ હશે તો સાક્ષાત ભાવતીર્થકર મળવાં છતાં મોક્ષ તો શું શુભકર્મ પણ નહિ બાંધી શકાય. અસહૃા - મરઘાન (1) (નિગોદાદિ વાતો પર અવિશ્વાસ કરવો તે, અશ્રદ્ધા, અવિશ્વાસ) મHપ્રવિત્તિ - વૃત્તિ (સ્ત્રી) (અસુંદર પ્રવૃત્તિ, પાપકારી પ્રવૃત્તિ) જીવન એક માર્ગ છે. તેની પર ચાલનાર આત્મા તે મુસાફર છે. રસ્તો જેમ સરળ, સીધો આવે તેમ ક્યારેક ખાડા ટેકરાવાળો પણ આવે છે. તેવી રીતે જીવનમાર્ગમાં સુખ અને દુખદ એમ બે પ્રકારના પ્રસંગો આવે છે. વિવેકી પુરુષ જેમ ખાડા ટેકરાવાળા માર્ગમાં પણ ખાડામાં પડાય નહિ તેમ રસ્તો કરીને આગળ ચાલે છે. તેવી રીતે વિકટમાં વિકટ પરિસ્થિતિઓમાં સજ્જનો અસત્રવૃત્તિનો ત્યાગ કરવા પૂર્વક સન્માર્ગે આગળ વધે છે. असप्पलावि (ण)- असत्पलापिन् (त्रि.) (અસત્ય બોલનાર, મિથ્યા પ્રલાપ કરનાર) આજના લોકોનો ગુરુમંત્ર છે બોલે એના બોર વેચાય”પોતાનો માલ વેચવા માટે જેમ વેપારીઓ ઘણીવખત સાચું ખોટું કરતાં હોય છે. તેમ પોતાનો માર્ગ ચલાવવા અને લોકોને આકર્ષવા માટે અસદ્ધર્મ પ્રરૂપકો મિથ્યા પ્રલાપ કરતાં જોવા મળે છે. પિત્તળ પર સોનાનો ઢોળ ચઢાવીને ધર્મની લ્હાણી કરતાં હોય છે. પરંતુ તેમને ખબર નથી હોતી કે સોનાનું ઢોળ ચઢાવેલ પિત્તળ લાંબો સમય સુધી તેની ચમક જાળવી શકતું નથી. એક દિવસ તે પોતાની જાત બતાવીને જ રહે છે. સુવર્ણ સમાન સદ્ધર્મ ક્યારેય મલિન થતો નથી અને મલિનતા સભર અધર્મ ક્યારેય ઉવળતાને પામી શકતો નથી. મકવન - અજિત (મું) (નિરતિચાર ચારિત્ર, શુદ્ધ સંયમ) સ્વચ્છ અને સફેદ કાગળ પર ઢોળાયેલ રંગો કાગળની ચેતતાને નષ્ટ કરીને ચિત્રવિચિત્ર બનાવી દે છે. તે કાગળ પર ન તો સુંદર ચિત્ર દોરી શકાય છે કે ન તો તે દર્શનીય રહે છે. તેમ શાસ્ત્રોક્ત વિશુદ્ધ ચારિત્ર પર જે આત્મા વિવિધ પ્રકારના દોષો સેવીને મલિનતાના કાદવને ઢોળે છે. તે કર્દમમિશ્રિત ચારિત્ર નથી સદૂગતિ અપાવી શકતું કે નથી સિદ્ધિગતિ પ્રાપ્ત કરાવી શકતું. તેવું ચારિત્ર માત્ર અધોગતિમાં લઈ જવાનું માધ્યમ બની રહે છે. મજાયા - અવિનંaR (પુ.). (વિશુદ્ધ આચાર, શુદ્ધ આચાર) આચાર, વિચાર અને પ્રચાર તે સાંકળની જેમ એક બીજા સાથે સંકળાયેલ છે. શુદ્ધ આચાર તમારા વિચારોને શુદ્ધ કરે છે અને શુદ્ધવિચારોવાળો આત્મા હમેશાં શુદ્ધધર્મનો જ પ્રચાર કરે છે. જેનો આચાર અશુદ્ધ તેના વિચાર અને પ્રચાર પણ અશુદ્ધ જ હશે. ક્રમ -- મચ્છ(ત્રિ.) (સભામાં બેસવાને અયોગ્ય, દુર્જન) સભ્ય અને અસભ્યની વ્યાખ્યા લોકો બહુ સારી રીતે જાણે છે. જે વ્યક્તિ વિવેક અને મર્યાદાયુક્ત આચરણ કરે છે તે સભ્ય કહેવાય છે. તેમજ જે સભ્યતાથી વિપરીત આચરણ કરે છે તેને લોકો અસભ્ય અને નિર્લજ્જ કહે છે. શાસ્ત્રોમાં તો આનાથી પણ સૂક્ષ્મ વ્યાખ્યા કરવામાં આવી છે. જે માત્ર આચારમાં જ નહિ વિચારમાં પણ વિવેક નથી રાખતાં તેઓ પણ અસભ્ય જ છે. સમવયા - મધ્યવરન (.) (દુષ્ટ વચન, દુર્વચન) સંત કબીરે શબ્દ માટે બહુ જ સરસ લખ્યું છે. “શબ્દ શબ્દ વય સ્રરેશ હાથ ન પવ, શબ્દ પણ ને પૂજા અને - 151