Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મનોતિ - મનોભિત () (કાંઇક ચંચળ કરેલ) વંત - વિ7 (g) (અવન્તિ નગરીનો રાજા) आवंतिअज्झयण - आवन्त्यध्ययन (न.) (આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના પાંચમાં અધ્યયનનું નામ) માવ (નવ) - યવત્ (કિ.) (1. જેટલું 2. જયાં સુધી). વદ -- યાવિથિ ( વ્ય.) (જાવજીવ, જીવન પર્યંત) મવિશ્વ - માવજેથr (1) (જીવન પર્યંત, જ્યાં સુધી નામ રહે ત્યાં સુધી) બાળકનો જન્મ થાય એટલે દરેક માતા-પિતા તેનું કોઈને કોઈ નામ રાખતા હોય છે. કોઇ રમેશ, સુરેશ, રામ, હરેશ વગેરે વગેરે. અને નામકરણ થાય ત્યારથી લઇને જીવનના છેલ્લા શ્વાસ સુધી વ્યક્તિ પોતાને તે નામવાળો અને તસ્વરૂપવાળો જ માને છે. છેલ્લે મૃત્યુ પામે ત્યારે પણ લોકો તેને નામથી જ ઓળખે છે. કોઈ પૂછે કે કોણ મરી ગયું. તો કહેશે કે ફલાણા ફલાણા ભાઈ મૃત્યુ પામ્યા. જયારે તીર્થંકર પરમાત્મા, જિનશાસન કે સાધુ વ્યક્તિને નામથી નહીં પરંતુ આત્મા તરીકે ઓળખે છે. તે આત્માના જ્ઞાનાદિ ગુણો વડે તેની ઓળખ જગતમાં કરાવે છે. માત્ર સંસારમાં જ નહીં પણ મોક્ષમાં ચાલ્યો જાય તો પણ તેને વિશુદ્ધ ગુણવાળો આત્મા હતો. એમ ઓળખાણ રાખે છે. રમેશ વગેરે નામો તો માત્ર એકાદ ભવ સુધી રહેનાર સાધન માત્ર છે. જયારે આત્મા અને તેનું સ્વરૂપ તો અનંતકાળ સુધી બદલાયા વિનાનું એકસમાન રહેનારું છે. માવદિય :- રાવજીંજ (4) (યાવજીવ રહેનાર, યાવત્રુથિક વ્રતવિશેષ) કોઈ જીવ સંસારથી વિરક્ત થઇને દીક્ષા લેવા પ્રેરાય ત્યારે તેનો દીક્ષા મહોત્સવ યોજાતો હોય છે. ગુરૂભગવંત સંઘસમક્ષ નાણ માંડે છે. અને તેને સૂત્રોચ્ચાર દ્વારાદીક્ષા પ્રદાન કરે છે. આપણે સમજીએ છીએ કે વેશ ગ્રહણ કર્યો એટલે તે સાધુ થઈ ગયા. પણ ના એવું નથી. તે સમયે ગુરૂદેવ શિષ્યને માત્ર યાવત્કથિક સામાયિક સૂત્ર ઉચ્ચરાવે છે. અર્થાત્ જીવનપર્યતનું સામાયિક જીવને પ્રદાન કરે છે. અને એક મહિનાના જોગ બાદ તેમને જીવનના છેલ્લા શ્વાસ સુધી, ગમે તેવી પરિસ્થિતિમાં પણ અત્યાજ્ય એવા પાંચ મહાવ્રત અને છ રાત્રિભોજન વિરમણ વ્રત ઉચ્ચરાવે છે. માલ - આવિ (કિ.) (રક્ષક, રક્ષણ કરનાર). જગતમાં જાન-માલને નુકસાન કરનાર અનિષ્ટ તત્ત્વોથી રક્ષા કરીને તમને સુખનો અનુભવ કરાવે તેને રક્ષક તરીકે સંબોધિત કરવામાં આવે છે. આપણા સહુના અને ત્રણ લોકમાં પૂજ્ય એવા સાધુ ભગવંતો પણ આત્માના ગુણોનું અપહરણ કરનાર મોદાદિ અનિષ્ટ તત્ત્વોથી આપણું રક્ષણ કરીને જીવને ઉપશમ સુખનું પ્રદાન કરનાર હોવાથી તે પણ ખરા અર્થમાં રક્ષક જ છે. માવM - માતા (2) (વીણાદિ વાજિંત્ર) માવજ - માવળ () (સન્મુખ કરવું, ઉપયોગ, વ્યાપાર) 371