Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ માત (2) સંગમ - માત્મસંયમ (ઈ.) (1. અંગોપાંગ સંકોચી રાખવા તે 2. ચિત્તસંયમ) શાસ્ત્રમાં સાધુ અને શ્રાવક માટે અનાવશ્યક શારીરિકાદિ ક્રિયાનો નિષેધ કરવામાં આવેલો છે. સંયમની આરાધના માટે અંગોપાંગને સંકોચવા તે શારીરિક આત્મસંયમ છે. તથા દુષ્ટ વિચારોમાં પ્રવૃત્ત થતાં મનને રોકીને શુભ વિચારોમાં વાળવું તે ચિત્તસંયમ છે. તેવી જ રીતે કઠોર કે અવચનીય ભાષાનો ત્યાગ કરવો તે વાચિક આત્મસંયમ છે. અતિ () સંયમપુર - અાત્મસંયમપર (ત્રિ.) (જેણે ઈન્દ્રય અને શરીરનું સંકોચન કર્યું છે કે, સંવૃત્તાંગોપાંગ) ગતિ (2) વય - માત્મસંયમપાય (4) (ચારિત્રપાલનના માર્ગ, સંયમના સ્થાન) દશવૈકાલિક આગમના પ્રથમ અધ્યયનની ટીકામાં કહેલું છે કે “જે સાધુ સદાચારમાં રત છે. સંયમના પ્રત્યેક સ્થાનોનું નિરતિચાર સેવન કરે છે. તે જ ખરેખર તિવાળો છે. તે જ સાચો સંયમી છે, અને તેના જીવને જ ધર્મ સંભવે છે. એવું જિનેશ્વર ભગવંતનું વચન છે.” આત (2) સંવેયન - માત્મસંવેર (.) (દ્રવ્ય ઉપસર્ગનો એક ભેદ) ઉપસર્ગના ચાર ભેદ પૈકી દ્રવ્ય ઉપસર્ગદેવ, મનુષ્ય, તિર્યંચ અને આત્મસંવેદનારૂપ ચાર પ્રકારે કહેલો છે. તેમાં આત્મસંવેદના પણ ઘટ્ટના, લેશના, સ્તંભના અને પ્રપાત એમ ચાર પ્રકારે કહેવામાં આવેલી છે. સાત (4) સવિલ (1) - અાત્મસાક્ષન (વિ.) (જેમાં માત્ર પોતાનો આત્મા જ સાક્ષી હોય તે). નારદ ઋષિના ગુરુએ પોતાના ત્રણેય શિષ્યોને એક લોટની બનાવેલી નકલી મરઘી આપી. અને કહ્યું કે તમારે એવી જગ્યાએ જઇને તેને મારી નાંખવાની જ્યાં તમને કોઇ ન જોતું હોય. બાકીના બે શિષ્યો તો કોઇ ખાનગી જગ્યાએ જઇને નલી મરઘીનો શિરોચ્છેદ કરીને આવ્યા. પરંતુ નારદ માટે તો ચિંતાનો વિષય થઇ ગયો. તે જંગલમાં ગયા અને જયાં મરઘીને મારવાનો પ્રયાસ કરે છે. ત્યાં જ વિચાર આવ્યો કે ભલે કોઇ મનુષ્ય ન જતું હોય પરંતુ અહીં રહેલા પશુ-પક્ષીઓ તો જુએ છે. વનદેવતા પણ જુએ છે. અનંતજ્ઞાની એવા કેવલી ભગવંતો જુએ છે. અરે ? બીજાની વાત જવા દો મારો પોતાનો આત્મા તો જુએ જ છે ને? હું જે હત્યા કરી રહ્યો છું તેમાં મારો પોતાનો આત્મા તો સાક્ષી છે જ ને. બસ! તેઓ મરઘીને માર્યા વિના પાછા ગુરુ પાસે લઇને આવ્યા. તેમના વિચારોને ગુરુએ બિરદાવ્યા અને તેમને શાબાશી આપી. માત () (ગ) ક્ષત્તમ - આત્મસનમ (a.) (જેમાં પોતે સાતમા ક્રમે રહેલ છે તે, પોતાનાથી સાતમાં ક્રમે રહેલ) મતિ (2) સમા - આત્મસાઈન (). (આત્મનિવેદન, પોતાના ભાવોનું કથન કરવું તે). વંદિતુ સૂત્રમાં પાપની આલોચના રૂપ એક પદ આવે છે. સંવિંટે તંa ferfજતેનો અર્થ થાય છે મેં દિવસ કે રાત્રિ દરમિયાન જે કોઇ પણ પાપનું જાણતાં કે અજાણતાં સેવન કર્યું હોય તેની નિંદા કરું છું અને તેની ગહ કરું છું. પ્રતિક્રમણ સૂત્રની ટીકામાં નિંદા અને ગહની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “પાપોનો આત્મસાક્ષીએ તિરસ્કાર કરવો તે નિંદા છે અને ગુરુ સમક્ષ પોતાના ભાવોનું કથન કરીને ખેદ પ્રગટ કરવો તે ગહ છે. જ્યારે આ બન્ને પદોનું આચરણ કરવામાં આવે ત્યારે ખરા અર્થમાં પાપોનું પ્રાયશ્ચિત્ત થયું ગણાય. ગત (2) કમલા - માભિક્ષમતા (a.) (આત્મતુલ્યતા, પોતાની સમાન અન્યને જોવા તે) 291 0