Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પરમાત્માનું વચન જગતના સર્વ જીવો વિના વિરોધે સ્વીકારી લે છે. અથવા બીજી ભાષામાં કહીએ તો ડોક્ટરે આપેલી દવા જેમ દર્દી શંકા વિના ગળી લે છે. તેવી જ રીતે જિનેશ્વરદેવના હિતકારી વચનને સર્વપ્રાણી નિઃસંદેહપણે સ્વીકારી લે છે. યાવત્ તીર્થંકર પ્રભુના કટ્ટર વિરોધી એવા 363 પાખંડીઓ પણ તે સમયે તેમનો વિરોધ કરી શકતા નથી. મg (2) સ - ગા (ઈ.) (1. ઉપદેશ 2, આજ્ઞા 3. અતિથિ 4. વિવક્ષા 5, પ્રકાર, ભેદ 6. ઇચ્છા 7, ઉપચાર, આરોપ 8, શાસ્ત્ર, સૂત્ર 9. સમ્મતિ) આદેશ શબ્દનો સામાન્યથી અર્થ આજ્ઞા થાય છે. પરંતુ આગમ ગ્રંથોમાં તેના સ્થાનની અપક્ષાએ અનેક અર્થ કરવામાં આવેલા છે. ક્યાંક ઉપદેશના અર્થમાં છે. ક્યાંક આજ્ઞામાં, ક્યાંક અતિથિ, ક્યાંક પ્રકારના અર્થમાં, તો ક્યાંક શાસ્ત્રના અર્થમાં કરવામાં આવેલો છે. આથી જ તો વ્યાકરણના ગ્રંથોમાં કહેવાયું છે કે દ્વાન મનેજાથ: અર્થાત્ શબ્દો અનેક અર્થવાળા હોય છે. * પ્રખ્ય (ત્રિ) (ભવિષ્યમાં આવનાર) કહેવાય કે માણસ પોતાના ભૂતકાળને બદલી તો નથી શકતો. કારણ કે તે તેના હાથમાંથી ચાલ્યો ગયો હોય છે. તેમાં થઇ ગયેલી ભૂલો પર તેનું નિયંત્રણ હોતું નથી. પરંતુ પોતાના ભવિષ્યને તો ચોક્કસ સુધારી શકે છે. કેમકે આવનાર ભવિષ્ય તેના હાથમાં છે. આથી જ આપણાં વડવાઓ કહી ગયા છે કે જેની આજ બગડી તેની કાલ પણ બગડી. અને જેની આજ સારી છે તેની કાલ પણ સુંદર હોવાની. સમજુ અને હોંશિયાર માણસ તે જ છે જે ભવિષ્યમાં આવનારા સમયને આજથી જ સુધારવાનું ચાલુ કરી દે. તમારી ગણતરી શેમાં આવે છે? * માવા (કું.) (1, પ્રવેશ 2. જ્ઞાતિજન 3. સ્વજન 4. મિત્ર 5. સ્વામી 6, પરતીર્થિક) જે સ્થાનમાં પ્રવેશ કરવાથી તે સ્થાનના માલિકને વધારે પરિશ્રમ થાય તેને આવેશ કે આદેશ કહેવામાં આવે છે. જેમ કે ઘરમાં કોઈ મહેમાન, વજન કે સાધુ-સંન્યાસી આવે તો, તેમના આવવા માત્રથી આખું ઘર તેમની આગતા-સ્વાગતામાં તેમની ઇચ્છા પ્રમાણે વર્તવા લાગી જાય છે. આથી તે આવનાર અતિથિ, સ્વજન કે સાધુ વગેરેને શાસ્ત્રીય ભાષામાં આવેશ કે આદેશ કહેવામાં આવેલા છે. आएसकारिण - आदेशकारिन् (पुं.) (આજ્ઞા કરનાર, આદેશ કરનાર). શાસ્ત્રમાં કહેલું છે કે સદ્ગુરુની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે. સંયોગવશ સદ્દગુરુની પ્રાપ્તિ થઇ પણ જાય તો, તેમની આજ્ઞા પ્રમાણેનું જીવન મળવું તો અતિદુર્લભ છે. જે જીવનો અનંતાનંત પુણ્યનો ઉદય હોય તે જ જીવને ગુવજ્ઞાનુસારનું જીવન જીવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. એક તો અનંત પુણ્યનો ઉદય હોય તેમાં પણ આજ્ઞા કરનારા સદ્દગુરુ હોય, અને જિનાજ્ઞાનુસારનું જીવન હોય. તો પછી તેના જીવનો મોક્ષ દૂર કેવી રીતે હોઇ શકે ? માણસા (3) - માર્શ (f) (1, આદેશ કરનાર, આજ્ઞા કરનાર 2. મહેમાન, અતિથિ) માણસા - મા () (પરિમિત આદેશ, અલ્પ આદેશ) * માન () (1. લોખંડ વગેરેનું કારખાનું, શિલ્પશાળા) આuપર - મારાપર (3) (આજ્ઞામાં નિયુક્ત, આદેશાનુસાર કાર્યમાં જોડાયેલ) કલ્પસૂત્ર આગમમાં આદેશકારી પુરુષોનું વર્ણન કરવામાં આવેલું છે. ત્યાં આદેશકારીનો અર્થ આજ્ઞા અનુસાર કાર્ય કરનારા 241