Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ સ્વાધ્યાય છે. તે ચિંતન કેવી રીતે કરવું તેનો પણ વિધિ બતાવેલો છે. તમે જેનું ચિંતન કરો તે આગમાનુસાર હોવું જોઇએ. અર્થાત્ શાસ્ત્રમાં કહેલી પૂર્વાપર વાતોનો વિચાર કરીને, ગુરુભગવંતની પાસે તેનો ખુલાસો મેળવીને પછી શાસ્ત્રદષ્ટિએ ચિંતન થાય તે શુદ્ધ ચિંતન છે. આવું આગમશુદ્ધ ચિંતન સ્વ અને પર એમ બન્નેનું હિત કરનાર બને છે. आगमाभास - आगमाऽऽभास (पुं.) (મિથ્યાશાસ્ત્ર, આHવચનરહિત પ્રાપ્ત થયેલ જ્ઞાન, વિપરીત જ્ઞાન) જે વસ્તુ જે સ્વરૂપે રહેલી હોય તેને યથાવસ્થિત જાણનાર પુરુષને આપ્તપુરુષ કહેલા છે, અને તેવા આપ્તપુરુષે કહેલા શાસ્ત્રને આગમ કહેવાય છે. જયારે સંપૂર્ણ જ્ઞાનને નહીં પામેલા અને રાગાદિયુક્ત પુરુષ જે કથન કરે તેને અનાપ્રવચન કે આગામાભાસ કહેવામાં આવે છે. મifમર - મમર્જ(ઉ.) (1. શાસ્ત્ર દ્વારા પ્રતિપાદિત, શાસ્ત્રીય 2. શાસ્ત્રોક્ત વસ્તુને માનનાર) * મામત (રિ) (1. વિદિત, જ્ઞાત 2. ભણેલ 3. ગ્રહણ કરેલ 4. પ્રાપ્ત કરેલ) મામિરર (ત) - માષ્યિત (રિ.) (ભવિષ્યમાં આવનાર, ભવિષ્યકાલીન) કેવલી ભગવંત જેમ અનંતા ભૂતકાળને જોઇ શકે છે. તેમ આવનારા અનંતા ભવિષ્ય કાળને પણ જોઇ શકે છે. આથી જ તો તેઓ કહી ગયા છે કે તમે તમારા ભૂતકાળને તો નથી બદલી શકતાં. પરંતુ તમારા આવનારા ભવિષ્યકાળને તો ચોક્કસ બદલી જ શકો છો. ભૂતકાળ તમારા હાથમાંથી સરકી ગયો છે. જ્યારે ભવિષ્યનું નિર્માણ તમે પોતે કરી શકો છો. તમારી આજની પ્રવૃત્તિ તમારા આવતીકાલનું નિર્માણ કરે છે. માળ (મ) મે - માગ (D) ત્ય( વ્ય.) (1. આવીને 2. જાણીને 3. પામીને) માલ્વિ - મામયિતવ્ય (8) (ભવિષ્યકાલીન જ્ઞાનને યોગ્ય) માસિ(ત) - ચિહ્ન (ર) (ભવિષ્યમાં આવનાર, ભવિષ્યકાલીન) માસિક - સમિતિ (7). (કલ્યાણકારી ભવિષ્ય, એક ભવ કરીને જેનો મોક્ષ નિશ્ચિત છે તે) દરેક જીવ એવું જ ઇચ્છે છે કે મારું ભવિષ્ય સારું હોય. હું ભવિષ્યમાં ખૂબ જ સુખ પ્રાપ્ત કરું. પણ તે સુખ પ્રાપ્ત કરવા માટે જીવે તેવો પુરુષાર્થ કરવો પડે, તેવા શુભકર્મોનો બંધ કરવો પડે જેથી તેનું ભવિષ્ય કલ્યાણકારી બને. શાસ્ત્રમાં એવા દસ લક્ષણ બતાવ્યા છે જેના કારણે જીવ શુભકર્મોનો બંધ કરે છે. અને જેના પ્રતાપે જીવ કલ્યાણકારી ભવિષ્યની પ્રાપ્તિ કરે છે. 1. અનિદાન 2. 3. યોગવાહિતા 4, ક્ષમા 5. જિતેંદ્રિયતા 6. અમાયાવીપણુ 7, બાહ્યભાવોથી રહિત 8, શુદ્ધશ્રમણપણુ 9. પ્રવચનવત્સલતા અને 10 પ્રવચનપ્રભાવના. આ દસ કારણોએ જીવ કલ્યાણકારી ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. સમય - સાત (ર) (1. આવેલ 2. પામેલ 3. ઉત્પન્ન થયેલ) એક જગ્યાએ ખૂબ મઝાનું વાક્ય વાંચ્યું હતું. પાપના ઉદયે આવતા દુખને મઝાથી વેઠવું અને પુણ્યથી મળતા સુખનો ત્યાગ કરવાની ઇચ્છા તે સાચા સુખને પામવાનો ઉપાય છે. સુખ મળે છે તો માણસ તેને ઘીની જેમ સડસડાટ પીવા મંડે છે. એટલે કે 251 -