Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अवकिरियव्व - अवकिरणीय (न.) (ત્યાગવા યોગ્ય, છોડવા યોગ્ય) અવલંત - પ ત્ત (ઉ.). (સર્વ શુભભાવોથી પતિત થયેલ) જેમને શ્રુતકેવલીની ઉપમા આપવામાં આવી છે એવા ચૌદપૂર્વ જે દિવસે રસ-ઋદ્ધિ કે શાતાગારવમાં આસક્ત થઇ જાય છે. પ્રમાદી બનીને અધ્યયન અને ચારિત્ર પાલન છોડી દે છે. તે દિવસથી તે સર્વશુભભાવોથી ભ્રષ્ટ થઇને નિગોદમાં જવાને પ્રાયોગ્ય કર્મનો બંધ કરે છે. કર્મસત્તા જો ચૌદપૂર્વીને પણ નથી છોડતી તો શુભભાવોથી જોજનો દૂર રહેલા આપણી શું હાલત થશે? એકવાર વિચારી તો જુઓ ! *વ્યુanત્ત (કિ.). (ઉલ્લંઘન ન કરેલ, નહિ ઓળંગેલ). હિંદુસ્તાન પર શક, હૂણ, યવન, મોગલો અને અંગ્રેજો જેવા પરદેશીઓએ રાજ્ય કર્યું. તેઓએ ભારતને ગુલામ બનાવીને પોતાની સત્તા ચલાવી. પરંતુ અહિ વસનારા હિંદુસ્તાનીના હૃદયમાં ધર્મભાવના અને સંસ્કૃતિપ્રેમ હાડોહાડ વસેલા હતા. આથી તેઓ ક્ષેત્રનું ઉલ્લંઘન તો કરી શક્યા કિંતુ તેમના ચિત્તનું ઉલ્લંઘન નહોતા કરી શક્યા. અવક્ષતિ - પત્તિ (ft.) (1. ગમન, ગતિ 2. ત્યજવું, પરિત્યાગ) #મા - મામા () (1. નીકળવું 2. પાછા હટવું) કર્મક્ષયાર્થે નીકળેલા શ્રમણને ચારિત્રપાલનમાં એવી ક્ષણ આવી જાય કે જેમાં પ્રાણ નષ્ટ થવાનો સંભવ છે. ત્યારે જો સત્ત્વ હોય અને સમતાભાવ રહેતો હોય તો તેવા ઉપસર્ગોને સહન કરવા જોઇએ. અન્યથા તેવા સત્ત્વના અભાવમાં શાસ્ત્ર પાછા હટવાની અને અપવાદ સેવવાની અનુજ્ઞા આપે છે. કેમકે સર્વઘાતોમાં આત્મઘાત મોટું પાપ માનેલું છે. અવદશા - ઝવણ (અવ્ય.) (જઇને). વ - અવશ્વ (.) (નીકળીને) વક્રય - ઝવય (કું.) (ભાડું આપવું તે) ભાડાના ઘરમાં રહેતો ભાડુઆત દર મહિને ભાડું ચૂકવીને ઘરનો ઉપયોગ કરે છે. પરંતુ તેને ઘર પ્રત્યે કોઇ આકર્ષણ કે આસક્તિ હોતી નથી. તેમ શાસ્ત્રજ્ઞ પુરુષો કહે છે કે આ શરીર પણ ભાડાનું મકાન છે. તેમાં આસક્તિ ન રાખો. તેના ઉપયોગ માટે ભાડારૂપે આવશ્યકતા પૂરતો આહાર જ આપો. તેને હૃષ્ટપુષ્ટ રાખવા માટે માલમલિદા આપવાની જરૂર નથી. કેમકે આયુષ્ય પુરું થતાં જ તેને છોડીને બધાએ ફરજીયાત જવાનું જ છે. વૈરાગ્યની સઝાયમાં પણ કહેવું છે કે જીવતું શાને ફરે છે ગુમાનમાં રે, તારે રહેવું તો ભાડાના મકાનમાં. વસ - () ર્ષ (પુ.). (ઋદ્ધિ આદિનું અત્યંત અભિમાન કરવું તે) માત્ર પુરુષાર્થ કરવાથી જ સંપત્તિની પ્રાપ્તિ થઈ જતી હોત તો દિવસ-રાત કાળી મજૂરી કરનારા મજૂરો અબજોપતિ થઇ ગયા હોત. પણ માત્ર પુરુષાર્થથી ઋદ્ધિ પ્રાપ્ત નથી થતી. જોડે જોઈએ છે આત્માની પુણ્યાઇ. પૂર્વભવના કોઇ પુણ્યબળે થોડીક મહેનત