Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પૂર્વનો કોઇ દુષ્મસંગ યાદ આવી ગયો અને મનમાં આર્નરૌદ્રધ્યાન ઉત્પન્ન થયું. તે દુર્ગાનવશાતુમન પોતાના કાબૂમાં નથી રહેતું. તેવા સમયે એવા કાર્યનો પ્રારંભ કરી દીધો કે જેને કરવાનો કોઈ મતલબ ન હોય અને જેમાં નિષ્કારણ હિંસા થતી હોય. આવા નિષ્કારણ કાર્યને અપધ્યાનાચરિત કહેવામાં આવે છે. अवज्झाय - अपध्यात (त्रि.) (1. દુર્ગાનનો વિષય 2. દુર્બાન કરનાર) ચાલતાં ચાલતાં આપણું ધ્યાન ન રહ્યું અને પથ્થર જોડે અથડાતા ઇજા થઇ. ત્યારે પોતાની ભૂલ ન જોતા પેલા નિર્જીવ પથ્થર પર ગુસ્સો નીકળશે. સાલ્લો આ પથરો વચ્ચે ક્યાંથી આવ્યો? ત્યાં દુર્ગાનનો વિષય નિર્જીવ પથરી બને છે. જો કોઇ માણસ સાથે અથડાઇએ કે અણબનાવ બને તો તે દેહધારી સજીવ માટે દુર્બાન થાય છે. ત્યાં સચેતનદુર્ગાનનો વિષય બને છે. આમદુર્ગાનનો વિષય સજીવ અને નિર્જીવ બન્ને બની શકે છે. વહુ - ઝવટુ (છું.) (ગરદન, ડોકની પાછળનો ભાગ) અવÉમ - વણ૫ (ઈ.) (દિવાલ કે થાંભલાને ટેકો આપવો તે) ધર્મસંગ્રહમાં કહ્યું છે કે “જે શરીરે હૃષ્ટપુષ્ટ છે. દેહમાં ક્યાંય રોગ નથી અને જે સર્વકાર્ય કરવામાં સમર્થ છે. તેવા સાધુએ થાંભલાને કે દિવાલને ટેકો દઈને બેસવું કે ઉભા રહેવું ન જોઈએ. તેમ કરવાથી ત્યાં રહેલ કંથવા, ઉધઇ આદિ જીવોની વિરાધના તથા ગરોળી આદિ ઝેરી જંતુઓથી આત્મવિરાધના થવાનો સંભવ છે.” વET - માજ() (ચાલ્યું ગયું છે પરમાર્થનું પ્રયોજન જેનું તે) કેવલજ્ઞાન પ્રાપ્તિ બાદ તીર્થંકરો શેષ અઘાતી કર્મના ક્ષયને માટે પરમાર્થે દેશનાદિ આપે છે. જયારે સિદ્ધભગવંતોને તો ઘાતી અને અધાતી બન્ને પ્રકારના કર્મોનો ક્ષય થયો હોવાથી તેમને કોઇપણ પ્રકારનું પ્રયોજન હોતું નથી. આથી તેઓ તીર્થકર ભગવંતની જેમ દેશનાદિ કાર્ય પણ કરતાં નથી. વાળ - મેવસ્થાન () (1. અવસ્થિતિ, અવસ્થા 2. વ્યવસ્થા) ભગવાન ઋષભદેવે યુગલિકધર્મની સમાપ્તિ બાદ વ્યવહારમાર્ગ પ્રવર્તાવવા માટે ચાર પ્રકારના વર્ગોની સ્થાપના કરી. તેમણે જે વર્ણભેદ કર્યો તે ઊંચ-નીચને આશ્રયીને ક્યારેય કર્યા નહોતા. તે વર્ણો સમાજની રક્ષા અને તેના વ્યવહારની વ્યવસ્થાર્થે હતાં. જયારથી આ વર્ણવ્યવસ્થા તૂટી છે ત્યારથી સમાજમાં વિખવાદો, અસમંજસતા, કુળની પરંપરા અને ખાનદાનીનો સફાયો થઇ ગયો છે. માફિ - મસ્થિતિ (at) (મર્યાદા, સીમા, હદ) કિંવદન્તી અનુસાર લક્ષ્મણરેખાને ઓળંગવા માત્રથી સીતા જેવી સ્ત્રીને ભયંકર તકલીફોમાં મૂકાવવું પડ્યું હતું. જો એક હદ ઓળંગવાથી આખું રામાયણ રચાઇ ગયું તો લાજશરમ નેવે મૂકીને મોર્ડનના નામે ધતિંગો કરતા આજના માનવને કેટલું વેઠવું પડશે. તેનો અંદાજો લગાવી જો જો. જવાનીના જોશમાં હદો ઓળંગીને કૃત્યો કરનારના સંતાનો જયારે તેમની અવજ્ઞા કરીને તેમની નજર સામે દુષ્કૃત્યો કરતાં હશે ત્યારે તેમની આંખો આંસુઓથી નહિ સૂકાય. સમય રહેતા જાગી જાય તે જ ખરા અર્થમાં બુદ્ધિમાન છે. કવયિ - અવસ્થિત (2.) (1. શાશ્વત 2. નિશ્ચલ 3. યથાસ્થિત)