Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પરિમિત અને અપરિમિત એમ બન્ને પ્રકારના માપને જાણતાં હોય છે. બાકી વ્યવહારમાં જે અસંખ્ય, અનંતાદિ માપ પ્રવર્તે છે તે છદ્મસ્થ અવસ્થાવાળા જીવોને આશ્રયીને છે.” પિયટ્ટ - ગણિતતિ (g) (1, દક્ષિણદિશાના દિકુમારેંદ્ર 2. તે નામે પ્રસિદ્ધ એક દિગંબર જૈનાચાર્ય) વિક્રમ સંવત ૧૦૫૦માં માથુરસંઘીય દિગંબરાચાર્ય માધવસેનના અમિતગતિ નામક શિષ્ય થઇ ગયા. જેમણે ધર્મપરીક્ષા અને સુભાષિતરત્નસંદોહના નામક ગ્રંથોની રચના કરેલ છે. अमियचंद - अमृतचन्द्र (पुं.) (ત નામે પ્રસિદ્ધ એક જૈનાચાર્ય) વિક્રમ ૯૬૨માં વર્ષે તેમની સત્તા માનવામાં આવે છે. તેઓશ્રીએ સમયસાર ગ્રંથ પર આત્મખ્યાતિ નામક ટીકા તથા પ્રવચનસાર ટીકા, પંચાસ્તિકાય ટીકા, તત્ત્વાર્થસાર, પુરુષાર્થસિધ્ધપાય, તત્ત્વદીપિકાદિ ગ્રંથોની રચના કરેલી છે. પિયા ( ) - મતિજ્ઞાનિન (.). (અનંતજ્ઞાની, કેવલી, સર્વજ્ઞ) થોડીક જાણકારી કે આવડત હોય એટલે માણસ કાગડાની જેમ ફૂલાઈ જાય છે. બધે ઠેકાણે પોતાની આવડતનું પ્રદર્શન કરતો રહે છે. જે અનંતા ભૂતકાળને, ભવિષ્યકાળને અને વર્તમાનકાળને એક સાથે જાણે છે એવા અનંતજ્ઞાની કેવલીભગવંત આવાં લોકો માટે ઉદાહરણ સમાન છે. તેઓ પ્રત્યેક પ્રાણીનું ભૂત-ભાવિ જાણતાં હોવાં છતાં પણ ક્યારેય પોતાના જ્ઞાનનું પ્રદર્શન નથી કરતાં. તેમજ બધે ઢંઢેરો પીટતાં નથી. મમય સૂરિ - મિતતેન:સૂરિ (ઈ.) (ત નામે પ્રસિદ્ધ એક જૈનાચાર્ય) अमियभूय - अमृतभूत (न.) (અમૃતતુલ્ય, અમૃતસમાન) 34 અતિશય શોભતા જિનેશ્વર ભગવંતની વાણીને અમૃતસમાન કહેલી છે. જે સમયે પરમાત્માની દેશના ચાલતી હોય છે, તે વખતે તે ધર્મકથા સાંભળનાર શ્રોતાને જિનવચન અત્યંત મીઠા અને અમૃતસુધાસમાં લાગે છે. તેઓને એમ થાય છે કે પ્રભુ હજી બોલ્યા જ કરે અને અમે સાંભળ્યા જ કરીએ. તેઓને દેશના સાંભળતા સમય અને ભૂખનું ભાન જ રહેતું નથી. अमियमेह - अमृतमेघ (पुं.) (ચતુર્થ મેઘ, વરસાદવિશેષ) ભરતક્ષેત્રમાં અવસર્પિણીકાળ સમાપ્ત થયા પછી ઉત્સર્પિણીકાળનો પ્રથમ આરો સમાપ્ત થયે છતે, દ્વિતીય આરાના પ્રારંભમાં જે ચોથા પ્રકારનો મેઘ વરસે તેને અમૃતમેઘ કહેવામાં આવે છે. આ મેધ લગાતાર સાત દિવસ સુધી વરસે છે. તેના પ્રભાવે ભારતવર્ષમાં નષ્ટપ્રાયઃ થઇ ગયેલ વનસ્પતિઓની પુનઃ ઉત્પત્તિ થાય છે. अमियरसरसोवम - अमृतरसरसोपम (त्रि.) (અમૃતરસ વડે રસની ઉપમાં છે જેમાં તે, અમૃતરસ તુલ્ય સ્વાદ છે જેનો તે) fમયવહન - મમતવાદન (ઈ.) (ઉત્તરદિશાનો દિકુમારેંદ્ર) अमियासणिय - अमितासनिक (पुं.) (અબદ્ધાસન, અનેક આસન સેવનાર) શ્રમણ કારણ વિના કોઇપણ જાતની શારીરિક ક્રિયા ન કરે. કેમકે અંગોના હલન-ચલનથી જીવહિંસા થાય છે. તે બદ્ધાસન - 34 -