Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ઝરત (નિ.). (આરંભથી નિવૃત્ત, મમત્વરહિત) આખી જીંદગી વિવિધ પ્રવૃત્તિઓ કરનાર માણસની એક વય એવી આવે છે. જેમાં તે દરેક પ્રકારના કાર્યોથી નિવૃત્ત થઈ જાય છે. તેના માટે કંઇ જ કરવાનું રહેતું નથી. સંસારમાં રહેલ પ્રત્યેક પ્રાણી ઓછાવત્તા અંશે આરંભોથી નિવૃત્ત હોય છે. તેમના માટે સર્વથા આરંભરહિત બનવું શક્ય નથી. માત્ર સિદ્ધ ભગવંતો જ સર્વ આરંભોથી નિવૃત્ત હોય છે. अरयंबरवत्थधर - अरजोऽम्बरवस्त्रधर (त्रि.) (રજરહિત આકાશ જેવા સ્વચ્છ વસ્ત્રને ધારણ કરનાર દેવાદિ) (વિસ્તૃત અંગુલીવાળા હાથ) સામુદ્રિક શાસ્ત્રમાં સ્ત્રીપુરુષના શારીરિક અંગોના આધારે શ્રેષ્ઠ, મધ્યમ કે અધમનો નિર્ણય કરવામાં આવેલ છે. તેમાં શરીરના અવયવોના વિવિધ શાસ્ત્રીય નામો કહેલા છે. જેના હાથની આંગળી વિસ્તૃત અને ખૂલી હોય તેવા હાથને અરત્નિ તરીકે સંબોધવામાં આવેલ છે. સર્વિ- અરવિન્દ્ર() (પદ્મ, કમળ, પુષ્પવિશેષ) પર્વતોમાં મેરુ શ્રેષ્ઠ છે, દૂધમાં ગાયનું દૂધ શ્રેષ્ઠ છે, તેલમાં તલનું તેલ શ્રેષ્ઠ છે, દેવોમાં ઇંદ્ર શ્રેષ્ઠ છે, ભાવોમાં સવિજીવ કરું શાસનરસીની ભાવના શ્રેષ્ઠ છે તેમ પુષ્પોમાં કમળને શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે. ઠાણાંગસૂત્રમાં પણ કહેવું છે કે “પુશ્કેલું વા अरविंद पहाणं' મરસ - રસ () (નીરસ, હિંગાદિ દ્રવ્યોથી સંસ્કૃત નહિ થયેલું) જે આહાર હિંગ, મરચું, હળદરાદિ દ્રવ્યોથી સંસ્કાર નથી પામ્યું, તે નીરસ હોવાથી ભોજનને યોગ્ય ગણાતું નથી, તેના વખાણ તો દૂર રહો લોકો તેને વખોડી નાંખે છે. તેમ જેનું જીવન સ્નેહ, ઉદારતા, પરોપકારીતાદિ ગુણોથી સંસ્કાર નથી પામ્યું તે નીરસ ભોજનના જેવું હોવાથી લોકમાં નિદાને પાત્ર બને છે. અનta() - માસનવિન (!). (રસહીન આહારથી જીવનાર, અભિપ્રવિશેષધારી શ્રમણ) મગધાધિપતિ શ્રેણિકે પ્રભુ વીરને પુછ્યું “હે પ્રભુ! આપના ચૌદહજાર શ્રમણોમાં શ્રેષ્ઠ સાધુ કોણ ?' ત્યારે પ્રભુએ પ્રત્યુત્તર આપતાં કહ્યું. “મારા ચૌદહજાર સાધુમાં ધન્ના કાકંદી ઉત્તમ શ્રમણ છે. તેઓ ચારિત્રમાં દિન દિન વધતે પરિણામ છે. શરીર પ્રત્યે એટલા નિર્મમ થઇ ગયા છે કે જેના પર માખી પણ બેસવા તૈયાર ન થાય તેવા રસહીન આહારને ગ્રહણ કરીને જીવન વિતાવે સાત - અરસાત (ત્રિ) (વિરસ, રસહીન). નિશીથસૂત્રની ચૂર્ણિમાં પાઠ આવે છે કે “મરાનં જોયાં સુN iધનુ' અર્થાતુ જે ભોજન હિંગાદિ મસાલાથી સંસ્કાર પામેલ ન હોવા છતાં જો ઉત્તમગંધથી યુક્ત હોય તો તે પણ શુભ છે. તેવું સુગંધયુક્ત ભોજન જમવા યોગ્ય બને છે. અરસાહાર - મહા (4) (રસ વિનાનો આહાર, રસહીન ભોજન) મરદ - મહમ્ () (1. પ્રગટ ૨.જેનાથી કોઇપણ છૂપું નથી તે 2. અરિહંત, જિન) - 48 -