Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अभुत्तभोग - अभुक्तभोग (त्रि.) (બાલદીક્ષિત સાધુ) કર્મબંધના કારણભૂત સ્ત્રી વગેરે સાંસારિક ભોગોને ભોગવ્યા વિના જ જે કુમાર અવસ્થામાં પ્રવ્રજિત થયા છે તેવા બાલશ્રમણને અભુક્તભોગ કે અભુક્તભોગી કહેવાય છે. ભૂમવિ- અમૂત્તિમાલ (). (સંપત્તિનો અભાવ) ભૌતિકસંપત્તિને સર્વેસર્વા માનનાર ભોગીને તેની હયાતીમાં માત્ર શારિરીક સુખ જ મળે છે. જે દિવસે તે સંપત્તિનો અભાવ થાય છે. ત્યારે તે નિર્બળ અને હતાશ બની જાય છે. જ્યારે અધ્યાત્મયોગીઓ પાસે ભલે બાહ્યસંપત્તિનો અભાવ હોય કિંતુ આત્મિક ગુણસંપત્તિનો અખૂટખજાનાના તે માલિક હોય છે. તેઓ બાહ્યસંપત્તિના અભાવમાં પણ મોજની જીંદગી માણતાં હોય છે. અમૂડમાવા - અપૂતો બાવન () (અસત્યનો ભેદ) જે વસ્તુ જે સ્વરૂપે હોય તે પ્રમાણે પ્રતિપાદન ન કરતાં તેનાથી વિપરીત પ્રકારે જણાવવું તેને અભૂતોદુભાવન કહેવાય છે. જેમકે આત્મા ચોખાના દાણા જેટલો જ છે અથવા આત્મા સર્વગત છે. અમfમસંગ - અમૃતifમાન(ઈ.) (1. જેનાથી પ્રાણીઓને ભય નથી તે 2. પ્રશસ્ત વાણીવિનય ભેદ) બળદેવમુનિ માટે કહેવાય છે કે તેઓએ ક્ષમાગુણને ઉત્કૃષ્ટ અવસ્થાએ આત્મસાત્ કર્યો હતો. તે ક્ષમાગુણના પ્રભાવે જંગલના જંગલી જાનવરો જે જન્મજાતથી એકબીજાના દુશ્મન હોય. તે પણ પોતાના વૈરભાવ છોડીને મિત્ર બનીને રહેતાં હતાં. જે ગભરુ. અને બીકણ પ્રાણીઓ હતાં તેમને બળદેવમુનિથી કોઇ જાતનો ભય હતો જ નહિ. *મેન - ગમેઘ (ઉ.) (જને ભેદી ન શકાય તેવું) સમય અને પરમાણુ એવા છે જે ભેદ્યા ભેદી શકાય તેવા નથી. યાવત કેવલી ભગવંત તે સમય અને પરમાણુની સંભાવનાના અર્થમાં પણ ભેદ કરી શકતાં નથી. अभेज्जकवय - अभेद्यकवच (न.) (અન્યથી ભેદી ન શકાય તેવું કવચ) યોદ્ધા જ્યારે યુદ્ધમાં ઉતરે છે ત્યારે શત્રુના વારને નિષ્ફળ બનાવવા માટે અભેદ્ય એવા કવચને ધારણ કરે છે. તેમ કર્મ સામે યુદ્ધમાં ઉતરેલ શ્રમણ કર્યસમ્રાટુ મોહનીયના વારને અસફળ બનાવવા માટે જિનાજ્ઞારૂપી અભેદ્ય કવચને ધારણ કરે છે. અમેર - અમેર (g) (ભેદરહિત) અમોન - અમોન (6) (સંયમની ઉપબૃહણાર્થે સ્વસત્તાનું સ્થાપન) ઉપબૃહણા એટલે સરાહના કરીને વૃદ્ધિ કરવી. શ્રમણે પોતાના સંયમની ઉપબૃહણા અર્થાત વૃદ્ધિ માટે સાવઘકર્મમાં અવ્યાપારરૂપ સ્વસત્તાનું સ્થાપન કરવું જોઈએ. મમMયર - અમદ(.). (જેના ઘરે ભોજન ન થઇ શકે તેવા ઘર, નીચલી જતિના ઘરો) કર્મની થિયરીમાં માનનાર જૈનધર્મ ક્યારેય ઊંચ-નીચનો ભેદભાવ રાખતો નથી. કિંતુ જિનધર્મની અવહેલના કે લઘુતાન થાય - 24 -