Page #1
--------------------------------------------------------------------------
________________ ?i હિંદુવિધા છીd] ]]ીવિદ]l: * *. મનિમાઈ. બી. રાહું જ
Page #2
--------------------------------------------------------------------------
________________ શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ સ્મારકનિધિ ગ્રંથમાળા - 3 વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા (શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈનું જીવનચરિત્ર અને એમનાં લખાણોની ગ્રંથસૂચિ-લેખસૂચિ) - સંપાદકો જયંત કોઠારી કાન્તિભાઈ બી. શાહ શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ
Page #3
--------------------------------------------------------------------------
________________ Viral Vidvatpratibha ane Manushyapratibha biography of shree Mohanlal Dalichand Deshai & bibliography of his writings ed. Jayant Kothari, Kantibhai B. Shah 1992, Mahavira Jaina Vidyalaya, Bombay પ્રથમ આવૃત્તિ, મે 1992 નકલ ૭પ૦ કિંમત રૂ. 60.00 પ્રકાશક ધીરજલાલ મોહનલાલ શાહ શ્રીકાંતભાઈ સાકરચંદ વસા દિનેશભાઈ જીવણલાલ કુવાડિયા મંત્રીઓ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઑગસ્ટ ક્રાન્તિ માર્ગ, મુંબઈ 400 037 લેસર ટાઈપસેટિંગ શારદા મુદ્રણાલય (લેસર વિભાગ) જુમ્મા મસ્જિદ સામે, ગાંધી માર્ગ, અમદાવાદ 380 001 મુદ્રક ભગવતી મુદ્રણાલય 19, અજય ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, દૂધેશ્વર રોડ, અમદાવાદ 380 004
Page #4
--------------------------------------------------------------------------
________________ પિતૃભક્ત જયસુખલાલ મોહનલાલ દેસાઈને , આદરપૂર્વક
Page #5
--------------------------------------------------------------------------
________________ પ્રકાશકીય નિવેદન “શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ સ્મારકનિધિ ગ્રંથમાળા'નાં પ્રથમ બે પુસ્તકો આ અગાઉ અમે પ્રકાશિત કર્યા છે. ૧૯૮૮માં “સામાયિકસૂત્ર'ની ત્રીજી આવૃત્તિ અને ૧૯૮૯માં “જિનદેવદર્શન'ની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી. બંનેના રચયિતા શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ હતા. આ ગ્રંથમાળાના તૃતીય પુષ્પ તરીકે ‘વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા' ગ્રંથનું પ્રકાશન કરતાં અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આ પ્રસંગનું વિશેષ ઔચિત્ય એ છે કે સ્વર્ગસ્થ મોહનભાઈ આ સંસ્થાના સ્થાપક સભ્યોમાંના એક હતા અને જીવનપર્યત એની વ્યવસ્થાપક સમિતિના સભ્યપદે રહેલા. આ ગ્રંથમાં શ્રી મોહનભાઈનું પ્રમાણભૂત ચરિત્ર અને શાસ્ત્રીય પદ્ધતિએ તૈયાર કરવામાં આવેલી મોહનભાઈની ગ્રંથસૂચિ-લેખસૂચિ પ્રગટ કરવામાં આવ્યાં છે. આ માટે બન્ને સંપાદકોએ ઉઠાવેલા પરિશ્રમની અમે ઊંડી કદર કરીએ છીએ. ભવિષ્યમાં મોહનભાઈ વિશે સંશોધનકાર્ય કરનારને માટે આ ગ્રંથ ઉપયોગી નીવડે એવો થયો છે એ વિશેષ આનંદની વાત છે. આ પ્રકારનાં ઉપયોગી પ્રકાશનો ઉપલબ્ધ બની શક્યાં છે એમાં સ્વ. મોહનલાલ દેશાઈની પુણ્યસ્મૃતિમાં એમના રાજકોટનિવાસી સુપુત્ર શ્રી જયસુખભાઈ તરફથી રૂપિયા એક લાખનું સાંપડેલું માતબર દાન સહાયભૂત નીવડ્યું છે. એ માટે અમે શ્રી જયસુખભાઈ પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરીએ છીએ. આ ગ્રંથના પ્રકાશનમાં વિદ્યાલયના સાહિત્ય-સંશોધન વિભાગના ભૂતપૂર્વ ડાયરેક્ટર સ્વ. કાન્તિલાલ ડી. કોરા તેમજ સંસ્થાના આપ્તજન સમા શ્રી રમણલાલ ચી. શાહે જે રસરુચિ દર્શાવ્યાં છે તેમના પણ અમે આભારી છીએ. આ પુસ્તક પ્રકાશિત થાય તે અગાઉ મુ. શ્રી કોરાસાહેબનું નિધન અમારે માટે ખેદનો વિષય છે. આ ગ્રંથના સંપાદકોને જેમની જેમની સહાય પ્રાપ્ત થઈ છે તે સૌ . પ્રત્યે અમે પણ આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ધીરજલાલ મોહનલાલ શાહ ઑગસ્ટ ક્રાન્તિ માર્ગ, શ્રીકાંતભાઈ સાકરચંદ વસા મુંબઈ 400 036 દિનેશભાઈ જીવણલાલ કુવાડિયા 10-4-1992 મંત્રીઓ
Page #6
--------------------------------------------------------------------------
________________ સંપાદકીય નિવેદન ગુજરાતી સાહિત્યકોશ માટે સામયિકો - ખાસ કરીને જેમાં જૂનું ગુજરાતી સાહિત્ય પ્રગટ થયું હોય તેવાં - ની ફાઇલો જોવાનું થયું ત્યારે “શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડ', “જૈનયુગ' વગેરે જૈન સામયિકો પણ સ્વાભાવિક રીતે જ એમાં આવ્યાં. “હેરલ્ડ” અને “જૈનયુગ” તો મોહનભાઈએ કેટલાંક વર્ષો પોતે ચલાવેલાં. એ સામયિકોની સામગ્રીની નોંધ લેતાં એક આશ્ચર્યકારક બીના એ બહાર આવી કે એમાં મોહનભાઈએ પાનાંનાં પાનાં પોતે જ લખેલાં હતાં. એમાં વિવિધ વિષયોના લેખો હતા, પ્રાચીન સાહિત્યનું સંપાદન હતું, ચરિત્ર-ઇતિહાસ વગેરેની સામગ્રી હતી. એ પણ લક્ષમાં આવ્યું કે આમાંનું ઘણુંખરું સાહિત્ય આજ સુધી અગ્રંથસ્થ રહ્યું છે. પછી તો બીજાં જૈન સામયિકોમાં તેમજ ગ્રંથોમાં પણ ઠેરઠેર મોહનભાઈનાં લખાણો નજરે ચઢતાં ગયાં. “જૈન ગૂર્જર કવિઓ” તથા “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ તેમજ કેટલાંક પ્રાચીન કતિઓનાં સંપાદનોથી જેમને આપણે ઓળખીએ છીએ એ મોહનભાઈનો આ વિપુલ ખજાનો ગ્રંથસ્થ થઈ પ્રકાશિત થાય તો એમની પ્રતિભા ઓર નીખરી આવે એવી તીવ્ર લાગણી પણ થઈ. એ કામ તો ક્યારે થાય અને કોણ કરે ? કેમકે ઓછામાં ઓછા પંદર-વીસ ગ્રંથોની એ સામગ્રી ગણાય. પરંતુ મોહનભાઈના આ લેખોની જો સૂચિ થઈ શકે તો એ અભ્યાસીઓને માર્ગદર્શક બને અને ભવિષ્યમાં એ લેખોના પ્રકાશનની સગવડ પણ ઊભી થાય. આ કામ કંઈ નાનું નહોતું. બધાં સામયિકોની ફાઇલો એક સ્થળે અખંડ મળે પણ નહીં. એ માટે ઘણાં ગ્રંથાલયો ફંફોસવાનાં થાય. છતાં મોહનભાઈ પ્રત્યેના અત્યંત આદરને કારણે એ હામ ભીડવાનું અમને મન થયું. શરૂઆતમાં થોડોક સમય કીર્તિદા જોશીએ થોડું કામ કર્યું. પણ પછી તો આ બોજો કાન્તિભાઈ શાહે જ ઉપાડ્યો. આ માટે અમદાવાદનાં તો જાણીતાં ગ્રંથાલયોમાંથી મળી શકી તે સામગ્રી મેળવી; પણ તે ઉપરાંત ભાવનગર, મુંબઈ વગેરે સ્થળોના કેટલાક ગ્રંથાલયોની મુલાકાત પણ લીધી. ક્યારેક વ્યક્તિગત રીતે શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિવર જેવા પાસેથી પણ માહિતી મળતી ગઈ. આ સામગ્રી ફરીને હાથમાં આવવી મુશ્કેલ હતી તેથી એ ઝેરોક્ષ કરાવીને સાચવી પણ લીધી. આ બધો એક રીતે જોઈએ તો પ્રીતિપરિશ્રમ જ હતો.
Page #7
--------------------------------------------------------------------------
________________ લેખસૂચિનું કામ ૧૯૮૪-૮૫થી શરૂ થયું. એનો છેડો તો કદી આવે એમ જ નહોતો. કેમકે આકસ્મિક રીતે કંઈક ને કંઈક હાથમાં આવ્યા કરતું હતું. પરંતુ છેવટે ક્યાંક અટકવું રહ્યું. એટલે એના ગ્રંથપ્રકાશનનું વિચાર્યું. જયસુખભાઈ મોહનલાલ દેસાઈના માતબર દાનથી શરૂ થયેલી “શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ સ્મારકનિધિ ગ્રંથમાળામાં આ સૂચિનું પ્રકાશન થાય એ ઉચિત હતું. આ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રીઓને અમે ભલામણ કરી અને એમણે હોંશપૂર્વક એ સ્વીકારી લીધી. લેખસૂચિની સાથે મોહનભાઈનું નાનકડું જીવનચરિત્ર જોડવું એવો એક ખ્યાલ પણ હતો. નાનકડું એટલા માટે કે એમના જીવન વિશેની ઘણી માહિતી ઉપલબ્ધ નહોતી. પરંતુ જયંત કોઠારીએ મોહનભાઈનાં કેટલાંક સગાંસ્નેહીઓના સંપર્કો કર્યા, મોહનભાઈ વિશે જ્યાં માહિતી હોઈ શકે એવું કેટલુંક સાહિત્ય તપાસ્યું અને મોહનભાઈએ વિવિધ ક્ષેત્રોમાં જે સેવા બજાવી છે એનાં પરિચય-મૂલ્યાંકન જોડવાનું પણ વિચાર્યું. તેથી ચરિત્રલેખ ખાસ્સો લંબાયો. વળી મોહનભાઈ વિશેના સંસ્મરણાત્મક લેખો મળ્યા; તે પણ આ ગ્રંથમાં સમાવી લેવાનું નક્કી કર્યું. આમ આ ગ્રંથ એક સામગ્રીસભર સમૃદ્ધ ગ્રંથ બની ગયો. ગ્રંથસૂચિ-લેખસૂચિ ચોક્કસ દૃષ્ટિકોણથી થયેલી છે અને સાથે વિષયસૂચિ પણ જોડી છે. આ દ્વારા ગ્રંથસૂચિ-લેખસૂચિનો એક નમૂનો તૈયાર કરવાનો ખ્યાલ હતો. એમાં જયંત મેઘાણી જેવા આ વિષયના નિષ્ણાતનો લાભ મળ્યો છે. આશા છે કે અભ્યાસીઓને આ બધો શ્રમ સાર્થક લાગશે. અને વિશાળ જનસમાજને મોહનભાઈની વિરલ પ્રતિભાની છબી આકર્ષક અને આદરપ્રેરક જણાશે, આ ગ્રંથના નિર્માણમાં અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓની નાનીમોટી સહાય અમને મળી છે. તે બધાંનો નામોલ્લેખ કરવો પણ શક્ય નથી. એ સૌ પ્રત્યે અમે ઊંડો ઋણભાવ અનુભવીએ છીએ. અત્યંત ખંત અને ચીવટથી આ પુસ્તકનું મુદ્રણકાર્ય પાર પાડવા બદલ શારદા મુદ્રણાલય (લેસર વિભાગ)ના શ્રી રોહિત કોઠારી અને શ્રી ભીખાભાઈ પટેલના અમે આભારી છીએ. અમદાવાદ જયંત કોઠારી તા. 6-4-1992 કાન્તિભાઈ બી. શાહ સંપાદકો
Page #8
--------------------------------------------------------------------------
________________ (fii મોહનલાલ દલીચંદ દેશાઈ (યુવાન વયે)
Page #9
--------------------------------------------------------------------------
________________ મોહનલાલ દલીચંદ દેસાઈ (લેખનપીઠ પર)
Page #10
--------------------------------------------------------------------------
________________ મોહનલાલ દલીચંદ દેશાઈ (પ્રૌઢ વયે)
Page #11
--------------------------------------------------------------------------
________________ પ્રાણજીવન મોરારજી શાહ (મામા)
Page #12
--------------------------------------------------------------------------
________________ અનુક્રમણિકા વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા (1) વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા . . જયંત કોઠારી 2 1. વૃત્તાંતર 2. વ્યક્તિત્વ/ર૫ 3. વિચાર૩ર 4. વિશેષ૪૯ (ક) જાહેરજીવન/૫૦ (ખ) પત્રકારત્વ/૬૧ (ગ) સાહિત્યકાર્ય૭૧ 5. સમાપન/૧૦૩ (2) સદ્ગત મોહનલાલ દલીચંદ દેશાઈ .. પરમાનંદ કાપડિયા 105 (3) કેટલાંક સંસ્મરણો . . . . . . . . . પંડિત સુખલાલજી 108 (4) કવિ ફિરદૌસી અને સ્વ. મોહનભાઈ . પરમાનંદ કાપડિયા 118 (5) અંજલિ . . . . . . . . . . . . . પંડિત સુખલાલજી 122 (ડ) સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈ . ભોગીલાલ જ. સાંડેસરા 134 ગ્રંથસૂચિ-લેખસૂચિ (1) ગ્રંથસૂચિ . . . . . . . . . . . . . * * * * * * * 142 1. વિચારાત્મક/૧૪૨ 2. સાહિત્યિક/૧૪૩ 3. સંપાદનો/૧૪૪ 4. પ્રકીર્ણ/૧૪૬ (2) લેખ i . . . . . . . . . . . . . . . . * * * 147 (ક) લેખો, તંત્રીનોંધો, કૃતિસંપાદનો તથા કાવ્યોની સૂચિ/૧૪૯ 1. વિચારાત્મક/૧૪૯ 2. સાહિત્યિક/૧૫૯ 3. સંપાદન/૧૭ 4. ઐતિહાસિક/૧૮૦
Page #13
--------------------------------------------------------------------------
________________ 5. ચરિત્રાત્મક/૧૮૭ છે. સંસ્થા પરિચયો અને સંમેલન-અહેવાલો/૧૯૪ 7. સામયિકો૨૦૧ 8. પ્રકીર્ણ/૨૦૪ 9. કાવ્યર 10 (ખ) પુસ્તકોનાં સ્વીકાર અને સમાલોચનાની સૂચિ,૨૧૫ 1. સ્વીકાર અને સમાલોચના૨૧૫ 2. પરિશિષ્ટ : માત્ર સ્વીકાર/૨૪૪ (3) વિષયસૂચિ . . . . . . . . . . . . . . . . . . . 254 નોંધઃ મુખપૃષ્ઠ ઉપરની છબી તે જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સમાં મુકાયેલ સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈના તૈલચિત્રની છે.
Page #14
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા (મોહનલાલ દલીચંદ દેશાઈનું જીવન અને કાર્ય)
Page #15
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા જયંત કોઠારી વિદ્વાનો તો ઘણા હોય છે, પરંતુ માણસ વિદ્વાન હોય તે સાથે કોઈ જીવનધ્યેયને વરેલો હોય, કર્મઠ હોય, ઘન અને કીર્તિ બન્ને પરત્વે નિઃસ્પૃહ હોય, નિરભિમાની, નમ્ર અને જિજ્ઞાસુ હોય, ધર્મ અને નીતિમાર્ગી હોય તથા દેશવત્સલ, સમાજસેવાભાવી અને મનુષ્યપ્રેમી હોય એવું જવલ્લે જ બની આવતું હોય છે. મોહનલાલ દલીચંદ દેશાઈ આવા એક વિરલ વિદ્વાન પુરુષ હતા. મોહનભાઈના “જૈન ગૂર્જર કવિઓ” અને “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” જેવા આકરગ્રન્થો આપણી સામે હોવા છતાં એમની વિદ્વત્યંતિભાને આપણે હજુ પૂરેપૂરી ઓળખી શક્યા છીએ એવું કહેવાય એમ નથી. આ પ્રકારનાં કામો કેવો અખંડ પરિશ્રમ, કેવું સર્વસંગ્રહાત્મક (એન્સાઈક્લોપીડિક) ચિત્ત, કેવી શાસ્ત્રબુદ્ધિ ને વ્યવસ્થાસૂઝ માગે એની આપણને કલ્પના નથી ને મોહનભાઈએ તો આ મહાસાગરો એકલે હાથે ખંધા-ખેડ્યા છે ! વળી, મોહનભાઈનાં બેચાર હજાર પાનાં થાય એટલાં લખાણો તો અગ્રંથસ્થ હોઈને આપણાથી ઓઝલ રહ્યાં છે. એમની મનુષ્ય પ્રતિભાની તો વાત જ ક્યાં કરવી ? એમના જીવનની અને વ્યક્તિત્વની અલ્પ-સ્વલ્પ રેખાઓ મેળવવા માટે પણ મથામણ કરવી પડે એવું છે. પણ ચાલો, થોડી મથામણ કરીએ અને આ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભાની ખરી ઓળખ મેળવવાની કોશિશ કરીએ. 1. વૃત્તાંત ગરીબ કુટુંબમાં જન્મ મોહનભાઈનો જન્મ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસર
Page #16
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા ગામે, તા. એપ્રિલ, 1885 (વિ.સં.૧૯૪૧ ચૈત્ર વદ 3) ને સોમવારના રોજ, દશાશ્રીમાળી વણિક કુટુંબમાં. ધર્મે શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન. પિતાનું નામ દલીચંદ, માતાનું નામ ઉજમબા. ઘેર દુઝાણું હતું એનું ઘી વેચાય અને દલીચંદભાઈ આજુબાજુનાં ગામોમાં ચીજવસ્તુઓની ફેરી કરતા તેમાંથી કુટુંબનિર્વાહ થતો. કુટુંબનિર્વાહના સાધન તરીકે દુઝાણું તો ઊજમબાએ દલીચંદભાઈના અવસાન પછી પણ ચાલુ રાખેલું. આ રીતે કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. મોહનભાઈ કહેતા કે હું તો ગરીબ કુટુંબમાં જન્મ્યો છું અને મામાની સહાયથી જ ભણી શક્યો છું. મામાં પ્રાણજીવન મોરારજી શાહ રાજકોટ સ્ટેટના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર હતા અને મોહનભાઈએ માધ્યમિક શિક્ષણ રાજકોટમાં એમને ત્યાં રહીને લીધેલું. સૌથી વહાલું સંતાન દલીચંદભાઈને ચાર સંતાનો હતાં - બે પુત્રો અને બે પુત્રીઓ. એમાં મોહનભાઈ સૌથી મોટા. પિતાનું એ સૌથી વહાલું સંતાન. મરણપથારીએ હતા (1914) ત્યારે પિતા મોહનને ઝંખતા હતા અને મોહન તો હતો મુંબઈ. નેહીઓને લાગ્યું કે આ જીવને મોહનની વાસના રહી જશે અને એ અવગતિએ જશે. નાના પુત્ર મગનને મોહનનો વેશ પહેરાવી પિતા સમક્ષ રજૂ કરવામાં આવ્યો અને પિતાએ સંતોષથી દેહ છોડ્યો. ધર્મનિષ્ઠ, ઉદારચરિત મામા મામ પ્રાણજીવનભાઈ જૈન સમાજના અગ્રણી અને રાજકોટની પ્રજામાં અત્યંત પ્રતિષ્ઠિત. સૌ “ડિપોટી' તરીકે ઓળખે. પોતે અત્યંત ધાર્મિક વૃત્તિના, જૈન શાસ્ત્રોના જાણકાર અને પ્રામાણિક, સત્યનિષ્ઠ, નીતિનિષ્ઠ, સાદાઈભર્યા જીવનના આગ્રહી હતા. નિયમિત સામાયિક-પ્રતિક્રમણ કરે, કદી સંડાસનો ઉપયોગ ન કરે અને હંમેશાં ગામ બહાર ખુલ્લામાં જ મળવિસર્જન કરે, ચા પીન નહીં, સાબુ વાપરે નહીં અને હાથે દળેલા લોટની જ રસોઈ જમે. રોપકારવૃત્તિ ને સેવાભાવ પણ ખરાં. એમના પુત્ર છબીલભાઈએ કહેલો એક પ્રસંગ મામાની સહાયવૃત્તિ અને મનની મોટાઈનું આબાદ દર્શન કરાવે એક વખત એક ગરીબ વિધવા બાઈ પ્રાણજીવનભાઈ પાસે મદદ
Page #17
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્યંતિભા અને મનુષ્ય પ્રતિભા લેવા આવી. પ્રાણજીવનભાઈ સામાન્ય રીતે અનાજની જ મદદ કરતા. એટલે એમણે પુત્ર છબીલને કહ્યું, “જા, આ બાઈને અડધો મણ બાજરો અપાવી દે.” બાઈએ કહ્યું, “દાદા, અડધા મણ બાજરામાં શું થાય ?' પ્રાણજીવનભાઈએ કહ્યું, “સારું, મણ બાજરો અપાવી દે.” પુત્ર છબીલે સાથે જઈને પોતાના વેપારીને ત્યાંથી બાઈને મણ બાજરો અપાવી દીધો. બાઈ એ લઈ ચાલતી થઈ. પણ છબીલને કુતૂહલ થયું તેથી એ બાઈની પાછળ પાછળ ગયો. બાઈએ તો આગળ જઈને બાજરો વેચીને પૈસા રોકડા કરી લીધા. છબીલે ઘેર આવીને ફરિયાદ કરતાં પિતાને કહ્યું કે, “બાપુ, તમે કેવા માણસોને મદદ કરો છો ? બાઈએ તો બાજરો વેચી મારી પૈસા રોકડા કરી લીધા.” પિતાએ પુત્રને સમજાવતાં કહ્યું, “બેટા, તેં મોટી ભૂલ કરી. તારાથી એ બાઈની પાછળ ન જવાય. આપણે મદદ કરી એટલે આપણું કામ પૂરું થયું. લેનાર એનું શું કરે છે એ આપણે જોવાનું ન હોય. સંભવ છે કે એ બાઈની પાસે પગમાં પહેરવાનાં પગરખાં નહીં હોય અને બાજરો વેચીને મેળવેલા પૈસામાંથી એ પગરખાં ખરીદે. તું તો જાણે છે કે હું અનાજ સિવાય કશાની મદદ કરતો નથી. પછી એ બાઈ મારી આગળ જૂઠું ન બોલે તો શું કરે ?" મામા-ભાણેજનો અનન્ય આત્મીય સંબંધ આવા સૂક્ષ્મ ઘર્મબુદ્ધિવાળા ઉદારચરિત પુરુષને હાથે ઉછેર એ મોહનભાઈના જીવનઘડતરનું સૌથી મહત્ત્વનું પરિબળ હતું. મામા-ભાણેજની પ્રીતિ અનેરી. મામાને મન મોહન અંગના દીકરાઓથી પણ વિશેષ. મોહન જ ખરો દીકરો. એક વખતે સૌ સાથે જમવા બેઠાં હતાં. રોટલી પીરસાતી હતી. તેમાં મોહનના ભાણામાં ઠંડી રોટલી આવી. મામાએ મામીને તમાચો માર્યો અને કહ્યું, “મારા મોહનને ઠંડી રોટલી કેમ ? તારા દીકરાઓને આપ.” છબીલભાઈ મુંબઈ ભણતા હતા ત્યારે મોહનભાઈને ત્યાં રહેલા. પિતાએ એમને કહેલું, “મોહન તારો બાપ છે એમ સમજજે.” પછીથી છબીલભાઈ પગમાં પોતાનું ઘર માંડીને રહેતા ત્યારે મોહનભાઈ કેટલીક
Page #18
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા વાર એમને ઘેર આવે. છબીલભાઈના ઘરમાં ચા જ નહીં અને મોહનભાઈ ચાના પાકા બંધાણી. પિતા સમાન મોહનભાઈને ચા પિવડાવ્યા વિના કેમ ચાલે? અને પોતાના વ્રતનો ભંગ પણ કેમ થાય? છબીલભાઈ મોહનભાઈને સ્ટેશન પર ચા પાઈને ઘેર લઈ જતા ! મોહનભાઈને પણ મામા માટે અપાર ભક્તિ. રાજકોટમાં મામાને ઘેરથી આવતા હોય અને કોઈ પૂછે કે ક્યાં જઈને આવ્યા, તો મોહનભાઈ કહે કે મંદિર જઈને આવ્યો. મામાનું ઘર એટલે એમને મન દેવમંદિર. મુંબઈથી રજાઓમાં મોહનભાઈ નીકળે એટલે પહેલાં મામાનાં દર્શને રાજકોટ જાય, લુણસર બાને પણ મળી આવે અને પછી પોતાનું કામ હોય તે બીજા સ્થળોએ જાય. કોઈને મદદરૂપ થવાનું હોય ત્યારે મામા મોહનભાઈને પણ કોઈ વાર એમાં જોડે. ઘરમાં પ્રસંગ હોય ત્યારે તો મોહનભાઈ પોતાની ચેકબુક જ મામાને આપી દેતા અને કહેતા, “આમાં જે કંઈ રકમ હોય તે તમારી જ.” મામા, અલબત્ત, ભાણેજનું કશું ન જ સ્વીકારે. મામા-ભાણેજ વચ્ચે અનન્ય આત્મીય સંબંધ રચાયો હતો અને મોહનભાઈને માટે મામા સર્વ કંઈ હતા. “જૈન કાવ્યપ્રવેશ' (1912) મામાને અર્પણ કરતાં મોહનભાઈએ જે શબ્દો વાપર્યા છે તે આ આત્મીય સંબંધને પ્રકાશિત કરી આપણા હૃદયને પણ ભીંજવી જાય છે : “મંગલ પ્રેમમૂર્તિ પૂજ્યવર્ય મામાશ્રી પ્રાણજીવન મોરારજીના ચરણકમલમાં, આપ મારા શિરચ્છત્ર, ગુરુ, બંધુ, સખા એમ અનેક પ્રેમસ્વરૂપમાં મારી સાથે રહી મને પોષી પાળી જ્ઞાનપયઃ પાયું છે તે અવર્ણનીય છે, તેનો પ્રત્યુપકાર આ જન્મ કે આવતા જન્મોમાં વાળી શકનાર નથી જ, છતાં આ મારો રંક પ્રયાસ આપની સેવામાં ધરું છું. આશીર્વાદ સાથે આપ સ્વીકારશો. - સદાનો દાસ મોહન” ફરીને પોતાના મહત્વના આકરગ્રંથ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” (૧૯૩૩)નું અર્પણ પણ મોહનભાઈ મામાને જ કરે છે. એમાં ““તેઓ મારા જ્ઞાનગુરુ છે, મારામાં જે કંઈ સાહિત્યપ્રેમ, ધર્મચિ, જ્ઞાન, સંસ્કાર છે તે તેમનો પ્રતાપ” એમ કહી પ્રબોધચંદ્રના નીચેના શ્લોકથી મામાને પોતાની વિંદના અર્પે છે :
Page #19
--------------------------------------------------------------------------
________________ વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા ज्ञानदानगुरून् वन्दे यद् वाणीदीपिकारूचा / वाङ्मये विवरे स्वैरं सिद्धयर्थी विचराम्यहम् // (જેમને કારણે સિદ્ધિની કામનાવાળો હું વાણીરૂપી દીવીના પ્રકાશથી વિસ્તૃત વાત્મયક્ષેત્રે વૈરપણે વિચરું છું તે મને જ્ઞાનદાન કરનાર ગુરુને હું વંદું છું.) ઉપરાંત, એમણે મામાને કાવ્યાંજલિ પણ ધરી છે, જેમાં મામાના ઉદાત્ત ચારિત્ર્યનું આબાદ ચિત્ર ઊપસે છે : અહો એકાકી તું ગૃહજીવનમાં ગાંધી સમ તું, નમે, વંદે, પૂજે અમ હૃદય, આદર્શ અમ તું, અતિ ઓજસ્વી તું, સ્મિત ફરકતું રમ્ય વદને, ચરિત્રશુદ્ધિથી જળકમળ શો વિશ્વસદને. દુખી દેખી ઘાતો, દરદીદિલસંતાપ હરતો, ભલાં કાર્યો કાજે ગગન ઘરતી એક કરતો, દબાતો ના લોભે, સબળ રહીને ઈશ ભજતો, કદી કો આવે, સહનશીલતા-ખગ સજતો. અનાસક્તિયોગે જીવનચર્યા મસ્ત વિલસતો, અમો સંસારીમાં વિરલ નિજ જ્યોતિ વિકસતો, રમ્યો તારે અંકે શિશુસમયથી જ્ઞાન હતો, સુખે પોષાયો હું અજબ ઉર સંસ્કાર ભરતો. અભ્યાસ મેટ્રિક્યુલેશન સુધી મોહનભાઈ રાજકોટમાં જ ભણ્યા હતા. પણ એ કઈ શાળાઓમાં ભણ્યા, એમનો અભ્યાસ કેવો હતો અને કઈ સાલમાં એ મેટ્રિક થયા વગેરે કશી માહિતી મળતી નથી. બી.એ. (1908) અને એલએલ.બી. (1910) એ મુંબઈમાંથી થયા. બી.એ.માં એ વિલ્સન કૉલેજના વિદ્યાર્થી હતા, પણ કયા વિષયો સાથે બી.એ. થયા વગેરે કશી માહિતી મળતી નથી. રામનારાયણ વિ. પાઠક એમના કૉલેજસમયથી મિત્ર હતા. અભ્યાસકાળ દરમ્યાન મોહનભાઈ પરેલમાં શેઠ ગોકુલભાઈ મૂલચંદ જૈન ટુડન્ટસ હૉસ્ટેલમાં રહ્યા હોય એમ દેખાય છે - એમનાં ૧૯૧૦નાં
Page #20
--------------------------------------------------------------------------
________________ વિરલ વિભૂતિભા અને મનુષ્ય પ્રતિભા પુસ્તકોમાં આ સરનામું મળે છે. “જૈન સાહિત્ય અને શ્રીમંતોનું કર્તવ્ય (૧૯૦૮)માં કલ્યાણજી કેશવજીનો બંગલો, માટુંગા” (તા.૧૯-૪-૧૯૦૮) એમ સરનામું મળે છે તે એ પુસ્તિકા ત્યાં રહીને લખાઈ હશે માટે આવ્યું હશે કે હોસ્ટેલની પૂર્વે મોહનભાઈ ખાનગી બંગલામાં રહેતા હશે તેથી આવ્યું હશે એ સ્પષ્ટ થતું નથી. પહેલો વિકલ્પ વધારે સંભવિત લાગે છે. સાહિત્યસેવાની લગની વિદ્યાર્થીકાળથી જ મોહનભાઈની સાહિત્યપ્રવૃત્તિ શરૂ થઈ ગયેલી દેખાય છે. મનસુખલાલ રવજીએ ૧૯૦૫થી “સનાતન જૈન' નામનું માસિક પત્ર શરૂ કરેલું. તેમાં મોહનભાઈ 1907 (માર્ચ)થી સહતંત્રી તરીકે જોડાયા છે. ૧૯૦૮માં પ્રસિદ્ધ થયેલી નાનકડી પુસ્તિકા જૈન સાહિત્ય અને શ્રીમંતોનું કર્તવ્યમાં મોહનભાઈ જૈન સાહિત્ય, ધર્મ અને ઇતિહાસમાં ઊંડો રસ બતાવે છે અને સાહિત્યના સંરક્ષણ, પોષણ, સંવર્ધન માટે ઘણાં સૂચનો કરે છે. ૧૯૧૦થી તો એમની પોતાની લેખન-પ્રકાશનની પ્રવૃત્તિ સાતત્યપૂર્વક શરૂ થઈ જાય છે અને ૧૯૧૧માં પ્રાચીન જૈન સાહિત્યની વીગતવાર વર્ણનાત્મક સૂચિનું કામ આરંભાઈ જાય છે, જે પછીથી “જૈન ગૂર્જર કવિઓ'ના શકવર્તી સંગ્રહગ્રંથ તરીકે આપણને મળે છે. મોહનભાઈને સાહિત્યની આ લગની ક્યાંથી લાગી ? મોહનભાઈ પોતે પોતાની સાહિત્યપ્રીતિ મામાને આભારી હોવાનું જણાવે છે. મામા પ્રાણજીવનભાઈ જૈન શાસ્ત્રોના અભ્યાસી હતા, પરંતુ પોતે આ જાતની સાહિત્યિક પ્રવૃત્તિ તરફ વળેલા ન હતા. બીજું કોઈ પણ આમાં પ્રેરક-પોષક બન્યું હોવાની માહિતી મળતી નથી, એટલે મોહનભાઈની આ સ્વયંસ્ફરણા જ હશે એમ લાગે છે. કંઈક યુગબળે પણ એમાં ભાગ ભજવ્યો હોય. વકીલાત - કેવળ આજીવિકાળે આટલોબધો ઉત્કટ સાહિત્યરસ છતાં મોહનભાઈએ વ્યવસાય સ્વીકાર્યો તે તો વકીલાતનો. એમણે પોતાના સાહિત્યરસને અનુરૂપ અધ્યાપકની કે એવી કોઈ કારકિર્દી ઘડવાનું કેમ વિચાર્યું નહીં હોય ? આ વિશે આજે આપણે કશું કહી શકીએ તેમ નથી. એ સમયે વકીલાતનો વ્યવસાય એ બુદ્ધિજીવી વર્ગનો એક ઉત્તમ વ્યવસાય ગણાતો હતો એ પરિસ્થિતિ આમાં
Page #21
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા કારણભૂત બની હોય. વકીલાતનો વ્યવસાય કરનારે નોકરી શોધવાપણું હોય નહીં, વકીલાત એ આજીવિકાનું એક સ્વાધીન સાધન - તે હકીકત પણ પ્રેરક બની હોય. ગોવર્ધનરામ ત્રિપાઠી જેવાનો દાખલો પણ નજર સામે હોય. એલએલ.બી. થયા પછી મોહનભાઈએ ૧૯૧૦-૧૧માં જ હાઈકૉર્ટ વકીલની સનદ મેળવી મુંબઈની સ્મૉલ કૉઝ કૉર્ટમાં વકીલાત શરૂ કરી અને છેક સુધી એ જ કરતા રહ્યા. મોહનભાઈ પ્રતિષ્ઠિત વકીલ હતા પણ એમની યોગ્યતા અને સજ્જતાને છાજે એવી રીતે વકીલાતમાં એ આગળ આવ્યા નહીં. વકીલાત એમણે જમાવી નહીં, ન એમાંથી પૈસા કમાયા. ઊલટું, કુટુંબનો સારી રીતે નિર્વાહ કરવાની ચિંતામાંથી એ કદી મુક્ત થયા નહીં. આનાં ઘણાં કારણો હતાં. એક તો ગરીબાઈમાં ઊછરેલા મોહનભાઈને શ્રીમંતાઈનું કદી આકર્ષણ ન થયું. યોગક્ષેમ પૂરતું કમાઈ લેવાથી એમણે સંતોષ માન્યો. હૉસ્ટેલ છોડ્યા પછી મોહનભાઈ પ્રિન્સેસ સ્ટ્રીટ પર લુહાર ચાલમાં તવાવાળા બિલ્ડિંગમાં બે રૂમ ને રસોડાના બ્લૉકમાં પોતાનો ઘરસંસાર શરૂ કર્યો તે જીવનભર એમાં જ રહ્યા. ચોપડીઓથી ભરચક્ક એમના દીવાનખંડમાં ખુરશી-ટેબલ પણ નહીં. પોતે ગાદી પર બેસે ને આવનાર ચટાઈ પર. મોહનભાઈની કક્ષાના વકીલનું ઘર આવું તો ન જ હોય. બીજું, મોહનભાઈ સત્યપ્રિય વ્યક્તિ હતા. વ્યવસાયમાં પણ એ સત્યપ્રિયતા છોડવાનું પસંદ ન કરે. સત્યપ્રિયતા સાચવીને વકીલાતનો વ્યવસાય કેવોક થઈ શકે ? ફોજદારી કેસ તો મોહનભાઈ કદી લેતા જ ન હતા. ત્રીજું, મોહનભાઈ સેવાભાવી હતા. એટલે એમની કેટલીક વકીલાત વગર પૈસાની પણ હોય. પોતે જેની સાથે સંકળાયા હતા તે મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાનું વકીલાતનું કામ હોય તો એની એ ફી ન લેતા. ચોથું, વકીલાતનો રસ મોહનભાઈને જીવનનિર્વાહ પૂરતો જ હતો. એમને લગની તો સાહિત્યસેવા અને સમાજસેવાની હતી. એમની સાહિત્યસેવા અવિરતપણે ૧૯૧૦થી જ શરૂ થઈ ચૂકી હતી અને વકીલાતમાં પડ્યા પછી થોડા વખતમાં જ એ જૈન સમાજને લગતા જાહેરજીવનમાં પણ ઊંડો રસ
Page #22
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા લેવા લાગ્યા - અનેક જૈન સંસ્થાઓ સાથે સંકળાવા લાગ્યા. આમાં વકીલાતને એ કેટલો સમય આપી શકે ? વકીલાતને ભોગે સેવા પ્રવૃત્તિ પિકેટ ક્રૉસ લેઈન પાસે મોહનભાઈએ ઑફિસ રાખેલી ત્યાં કૉર્ટનો સમય પૂરો થયા પછી મોહનભાઈ જતા અને બેચાર કલાક પોતાના વ્યવસાયને લગતું કામ કરતા. રાત્રે 10 સુધી કોઈ વાર ઘેર અસીલો આવતા, પણ સામાન્ય રીતે ઘેર એ સાહિત્યસેવામાં જ સમય ગાળતા - રાતના બે વાગ્યા સુધી જાગીને ! કૉર્ટમાં પણ નવરાશ હોય ત્યારે મોહનભાઈ પ્રૂફ જોતા બેઠા હોય. કૉર્ટનાં વેકેશનો તો એ સામાન્ય રીતે “જૈન ગૂર્જર કવિઓની સામગ્રી માટે જુદાંજુદાં સ્થળોએ જવામાં ગાળતા. પોતે સંકળાયેલા હોય એ સંસ્થાઓની હોદ્દેદારોની મીટિંગો, જૈન સમાજની સભાઓ, સાહિત્ય પરિષદના સંમેલનો અને કૉંગ્રેસના અધિવેશનમાં હાજરી - આ બધાં રોકાણો પણ મોહનભાઈના વકીલાતના સમય પર કાપ મૂકે. વળી, પંડિત સુખલાલજી કે જિનવિજયજી મુંબઈમાં હોય ત્યારે કેવળ જ્ઞાનપિપાસાથી પ્રેરાઈને જ એમને નિયમિત મળવા જવાની - રજા હોય તો એમની સાથે રહેવાની - મોહનભાઈને ઉત્સુકતા. મોહનભાઈની વિદ્યાપ્રવૃત્તિ અને જાહેર સેવા પ્રવૃત્તિ વકીલાતને ભોગે જ વિકસતી રહી. જાહેરજીવનની કામગીરીઓ - જૈન સમાજની મોહનભાઈને જાહેરજીવનની કેવીકેની જવાબદારી અદા કરવાની આવી ? ૧૯૧૨ના એપ્રિલથી ૧૯૧૯ના જાન્યુ.-ફેબ્રુ. સુધી એમણે જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડના માનાર્ય સંપાદકની કામગીરી બજાવી અને 1925 (વિ.સં.૧૯૮૧ ભાદરવો)થી 1930 (વિ.સં. 1986 અસાડ-શ્રાવણ) સુધી એ જ સંસ્થાના મુખપત્ર “જૈનયુગ'નું સંપાદન કર્યું. વચ્ચે ૧૯૧૬-૧૭ના 1. બહેરલ્ડ' છોડતી અને જૈનયુગ' શરૂ કરતી વખતે મોહનભાઈએ બહેરલ્ડ' પોતે ૧૯૧૧ના એપ્રિલથી સંભાળેલું એમ લખ્યું છે તે એમનો મૃતિદોષ છે. 2. “શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સનો ઇતિહાસ' એમ નોંધે છે કે “સં. ૧૯૮૬-૮૭માં જૈનયુગને પાક્ષિક બનાવવામાં આવ્યું હતું અને શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈએ તેનું તંત્રીપદ સંભાળ્યું હતું.” (પૃ.૧૨૯) પરંતુ આ માહિતીનું અન્યત્રથી
Page #23
--------------------------------------------------------------------------
________________ 10 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા અરસામાં એ મોતીચંદ કાપડિયા સાથે કૉન્ફરન્સના જૈન એજ્યુકેશન બૉર્ડના સેક્રેટરી થયેલા અને ૧૯૧૮ના અરસામાં કૉન્ફરન્સના આસિસ્ટન્ટ સેક્રેટરી થયેલા. કૉન્ફરન્સની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તો એ હતા જ. આ નિમિત્તે મોહનભાઈને કૉન્ફરન્સનાં અનેક કાર્યોમાં જોડાવાનું થયું. કૉન્ફરન્સે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જૈન ચેર માટે દાન આપ્યું ને પંડિત સુખલાલજી એ ચેર પર ગયા તેમાં મોહનભાઈએ લીધેલા ઉત્કટ રસે ઘણો ભાગ ભજવેલો. શત્રુંજય તીર્થ અંગેની પાલીતાણાના રાજવી સામેની જૈન સમાજની લડત જેવા પ્રશ્નોમાં પણ મોહનભાઈને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે ભાગ લેવાનો આવેલો. ૧૯૧૫માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ ત્યારે મોહનભાઈ એના સ્થાપક સભ્યો માંહેના એક હતા અને પછી જીવનભર એની વ્યવસ્થાપક સમિતિના સભ્યપદે રહ્યા હતા. ૧૯૪૦માં વિદ્યાલયની રજતજયંતી ઊજવાઈ ત્યારે એ પચીસેય વર્ષ કશા વિક્ષેપ વિના વ્યવસ્થાપક સમિતિના સભ્ય રહી હોય એવી બે જ વ્યક્તિઓ હતી - મોતીચંદ ગિરધરલાલ કાપડિયા અને મોહનલાલ દલીચંદ દેશાઈ. વિદ્યાલયની અનેક યોજનાઓમાં મોહનભાઈનો સક્રિય હિસ્સો હતો. એમણે વિદ્યાલયને લલિતસૂરિનો હસ્તપ્રતસંગ્રહ મેળવી આપેલો. વાડીલાલ મોતીલાલ શાહે ૧૯૧૭માં મુંબઈમાં સ્થાપેલા સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહના મોહનભાઈ અનુમોદક હતા અને એની કારોબારી સભાના સભ્ય પણ રહેલા. જૈન એસોસિએશન ઓફ ઈન્ડિયા, મુંબઈ માંગરોળ જૈન સભા વગેરે અન્ય કેટલીક સંસ્થાઓના પણ એ અગ્રણી કાર્યકર્તા હતા. મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળાના એ નિયમિત વ્યાખ્યાતા હતા. ૧૯૨૬માં કોલ્હાપુર રાજ્યના શિરોલ રોડ ગામે દક્ષિણ મહારાષ્ટ્ર જૈન શ્વેતામ્બર પ્રાન્તિક પરિષદનું ચોથું અધિવેશન થયું તેમાં પ્રમુખપદ શોભાવવાનું માન મોહનભાઈને મળેલું તે જૈન સમાજમાં એમણે પ્રાપ્ત કરેલી પ્રતિષ્ઠાનું સૂચક છે. સમર્થન થતું નથી. આ પુસ્તકમાં કોઈકોઈ હકીકતદોષ જોવા મળ્યા છે, તેથી આ પણ હકીકતદોષ હોય એવો સંભવ છે. પંડિત સુખલાલજી જૈનયુગને કેવળ પાક્ષિક કહે છે, એમાં પણ કંઈક સમજફેર લાગે છે.
Page #24
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા નવા યુગનો પ્રાણ વહતી મિત્રમંડળી મુંબઈમાં એ વખતે “મમ્મા' પાર્ટી જાણીતી હતી. એ મમ્મા પાર્ટીના પાંચ મેમ્બર - મોતીચંદ ગિરધરલાલ કાપડિયા (સોલીસિટર), મોહનલાલ ઝવેરી (સોલીસિટર), મકનજી જૂઠાભાઈ (બેરિસ્ટર), મોહનલાલ દલીચંદ દેશાઈ (વકીલ) અને મોહનલાલ દીપચંદ ચોક્સી. આ લોકો જૈન સંસ્થાઓમાં સાથે મળીને કામ કરતા, પરસ્પર વિચારવિનિમય કરતા અને અનેક નવી યોજનાઓના પ્રેરક બનતા. કેટલીક વાર મકનજી જૂઠાભાઈ, મોહનલાલ દલીચંદ દેશાઈ અને ડૉ. નાનચંદ કસ્તુરચંદ મોદીની ત્રિપુટી પણ ધ્યાન ખેંચતી. એ વખતે આપણે ઉપર નિર્દેશ કર્યો તે જૈન સંસ્થાઓમાં ઓછેવત્તે અંશે નવા યુગનો પ્રાણ ફૂંકાયો હતો અને આ બધા મિત્રો એ નવા યુગના પ્રાણના વાહક બન્યા હતા. નવા યુગનો પ્રાણ વહતી છતાં આ જૈન સાંપ્રદાયિક સંસ્થાઓ હતી. મોહનભાઈ એની સાથે સંકળાયા, પણ એમની સહાનુભૂતિનો વિસ્તાર તો એથી ઘણો મોટો હતો. સાંપ્રદાયિક ચીલામાંથી બહાર નીકળી વિશાળ દૃષ્ટિની સમાજસેવા અને વિદ્યાસેવા કરનાર મુનિ જિનવિજયજી, પંડિત સુખલાલજી, નથુરામ પ્રેમી, પંડિત દરબારીલાલ વગેરેની સાથે મોહનભાઈને ઘરોબો હતો. એમની પ્રવૃત્તિઓમાં એ ઉત્સાહપૂર્વક રસ લેતા અને પોતાનાથી શક્ય એવી સઘળી મદદ કરતા. પ્રજાકીય ને રાષ્ટ્રીય જાહેરજીવન સાથે નાતો મોહનભાઈનો જાહેરજીવનનો રસ જૈન સમાજ પૂરતો મર્યાદિત ન હતો. કનૈયાલાલ મુનશીએ ૧૯૨૨માં સ્થાપેલી સાહિત્યસંસદના સ્થાપક સભ્યોમાંના એ એક હતા અને મુનશીએ સાહિત્યના ઇતિહાસની જે યોજના કરી તેના તંત્રીમંડળમાં પણ હતા. ૧૯૨૬માં મુંબઈમાં આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદ ભરાઈ ત્યારે એની કારોબારી સભા તથા સત્કારમંડળના તેમજ નિબંધ પરીક્ષક સમિતિના મોહનભાઈ સભ્ય હતા. આમેય મોહનભાઈ ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં શક્ય હોય ત્યાં સુધી અચૂક હાજર રહેતા તથા નિબંધવાચન કરતા. ૧૯૨૭ની અમદાવાદની પત્રકાર પરિષદમાં તથા ૧૯૨૯ની પાટણની પુસ્તકાલય પરિષદમાં મોહનભાઈએ હાજરી આપેલી.
Page #25
--------------------------------------------------------------------------
________________ 12 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા કનૈયાલાલ મુનશી ઉપરાંત રણજિતરામ વાવાભાઈ, રામલાલ ચુનીલાલ મોદી, બલવંતરાય ઠાકોર, કેશવ હર્ષદ ધ્રુવ, મણિલાલ બકોરભાઈ વ્યાસ, અંબાલાલ જાની વગેરે અગ્રગણ્ય ગુજરાતી સાહિત્યકારો સાથે મોહનભાઈ સંપર્કમાં હતા અને સમગ્ર ગુજરાતી સાહિત્યની એ જાણકારી ધરાવતા હતા. દેશના રાજકીય જાહેરજીવનમાં મોહનભાઈ સક્રિય ન હતા પણ એનાથી અલિપ્ત ન હતા. ગાંધીજીથી એ અત્યંત પ્રભાવિત હતા અને રાષ્ટ્રીય કૉંગ્રેસના અધિવેશનોમાં હાજરી આપવાનો ઉત્સાહ એ અનુભવતા. આથી જ, ૧૯૧૯માં અમૃતસર, ૧૯૨૪માં બેલગામ અને ૧૯૩૧માં કરાંચી કૉંગ્રેસમાં જવાનો શ્રમ એમણે ઉઠાવેલો. સાહિત્યસેવામાં અગ્રયાયી ને એકલવીર મોહનભાઈની જાહેરજીવનની અન્ય પ્રવૃત્તિઓ બીજાઓના સાથમાં ચાલતી અને એમાં ઘણી વાર એમને પાછળ રહેવાનું થતું. પરંતુ સાહિત્યસેવામાં તો મોહનભાઈ અગ્રયાયી અને એકલવીર હતા. ૧૯૦૭થી આરંભાયેલી એમની સાહિત્યયાત્રા 1924 સુધીમાં એમને નામે નાનાંમોટાં 13 પુસ્તકો - જેમાં “જૈન ઐતિહાસિક રાસમાળા ભા.૧ (1913) જેવા અભ્યાસપૂર્ણ સંપાદન તથા “જૈન અને બૌદ્ધ મતનો સંક્ષિપ્ત ઇતિહાસ - તેના સિદ્ધાંતો અને વૈદિક મત સાથે તુલના' જેવા તત્ત્વવિચારના મહત્ત્વાકાંક્ષી ઇનામી મહાનિબંધ (1914, અપ્રગટ)નો સમાવેશ થાય છે - તથા “હેરલ્ડ'માંનાં સંખ્યાબંધ લખાણો એમને નામે જમા થાય છે. આ ગાળા દરમ્યાન મોટું કામ ચાલ્યું તે તો “જૈન ગૂર્જર કવિઓ'નું, જેના ત્રણ ભાગ પછીથી 1926, 1931 અને ૧૯૪૪માં પ્રસિદ્ધ થયા. એ રીતે જોઈએ તો મોહનભાઈની શક્તિઓનો ખરો હિસાબ 1925 પછી મળે છે એમ કહેવાય. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' (1933) જેવો આકરગ્રંથ આ ગાળાનો તથા સિદ્ધિચંદ્રગણિવિરચિત “ભાનુચંદ્રગણિચરિત'નું પ્રતિષ્ઠાભર્યું સંપાદન (1941) આ ગાળાનું અને “જૈનયુગ'માં પીરસેલી ભરચક સામગ્રી પણ આ ગાળાની. ઉપાધ્યાય યશોવિજયકત “ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧' (૧૯૩૬)નું વાસ્તવિક સંપાદનકર્મ મોહનભાઈનું જ હતું અને આવાં અન્ય સંપાદનો એમના હાથે થવાની યોજના હતી તે કાળબળે પાર ન પડી.
Page #26
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્યંતિભા અને મનુષ્ય પ્રતિભા 13. કુટુંબપ્રેમ અને કૌટુંબિક ચિંતા વકીલાતનો વ્યવસાય, જીવનભરની અવિરત સાહિત્યસાધના અને જાહેરજીવનનાં આટઆટલાં રોકાણો - એમાં મોહનભાઈ કુટુંબને કેટલો સમય આપી શકતા હશે એવો પ્રશ્ન સહેજે થાય. પરંતુ મોહનભાઈ કુટુંબપ્રેમી હતા એમ દેખાય છે. મામાના કુટુંબ સાથેના એમના આત્મીય સંબંધની વાત આપણે કરી ગયા. નાના ભાઈ મગનભાઈને અને અન્ય ઘણા કુટુંબીઓને મોહનભાઈ ઓથ આપતા. એમના જમાઈ લીલાધરભાઈ કહેતા કે મોહનભાઈ ઘણી વાર એમની સાથે રાતના બાર વાગ્યા સુધી મામાના ઘરની, સ્નેહીઓની અને કુટુંબની વાતો કરતા. ૧૯૩૫માં મોહનભાઈએ પોતાનાં સગાંસ્નેહીઓને પાલીતાણાની જાત્રા પણ કરાવેલી. પરંતુ મોહનભાઈનું કુટુંબજીવન ઉપાધિમુક્ત નહોતું. પિતાની સામાન્ય આર્થિક સ્થિતિને કારણે કુટુંબનો મદાર સ્વાભાવિક રીતે જ મોહનભાઈ કમાતા થાય એ પર હતો. ૧૯૧૧માં મોહનભાઈ કમાતા થયા અને ૧૯૧૪માં તો પિતાનું અવસાન થયું. એટલે કુટુંબનો સંપૂર્ણ બોજો મોહનભાઈ પર આવી પડ્યો. માતા 1922-23 સુધી લુણસર અને પછી રાજકોટ રહ્યાં ને ૧૯૨૯માં એ પણ અવસાન પામ્યાં. મોહનભાઈ પોતે બે વખત પરણેલા. પ્રથમ લગ્ન ૧૯૧૧માં જેતપુરના વકીલ અભેચંદ કાળીદાસ ઉદાણીની પુત્રી હેમકુંવર સાથે થયેલાં. એમનું ૧૯૨૦ના અરસામાં અવસાન થતાં બીજાં લગ્ન એ વર્ષમાં રાજકોટના શામળદાસ વાલજી ખારાની પુત્રી પ્રભાબહેન સાથે થયેલાં. પ્રથમ લગ્નથી મોહનભાઈને એક પુત્ર (નટવરલાલ) તથા એક પુત્રી (લાભુબહેન) થયેલાં અને બીજાં લગ્નથી બે પુત્ર (રમણીકલાલ તથા જયસુખલાલ) અને ત્રણ પુત્રી (તારાબહેન, રમાબહેન તથા ચંદ્રિકાબહેન) થયેલાં. મોટા પુત્ર નટવરલાલનો અભ્યાસ બહુ સંતોષકારક ન હતો તેથી મોહનભાઈને એમની ચિંતા રહેતી. એમને વાંચવા માટે તવાવાળા બિલ્ડિંગમાં નીચે એક રૂમ રાખેલી, જેમાં મામાના દીકરા છબીલદાસ પણ સાથે રહેલા. એ રૂમને એ લોકો વાંઢાવિલાસ તરીકે ઓળખાવતા. નટવરલાલે છેવટે નૉનમેટ્રિક જ રહી નોકરીએ વળગવાનું થયું. પછીથી નટવરલાલે મુંબઈમાં પોતાનો સુખી મધ્યમવર્ગીય ઘરસંસાર ઊભો કરી લીધો, પણ પોતાની
Page #27
--------------------------------------------------------------------------
________________ 14 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા હયાતીમાં મોટા કુટુંબની આ અને આવી બીજી અનેક ચિંતાઓ સ્વાભાવિક રીતે મોહનભાઈને રહેતી. નિઃસ્પૃહ સાહિત્યસેવાની લગની અને કુટુંબની સંભાળ - આ બેનો મેળ સાધવામાં મોહનભાઈની ઠીકઠીક શક્તિ ખરચાઈ હશે એમ લાગે છે. ૧૯૪૪ના જાન્યુઆરીમાં જ્યારે પંડિત સુખલાલજીએ એમને સૂચવ્યું કે ““તમારી રુચિ, શક્તિ અને પ્રવૃત્તિ જોતાં મને લાગે છે કે હવે તો તમારે નિવૃત્ત થઈ તમારા પ્રિય કામ પાછળ જ જીવન વ્યતીત કરવું ઘટે” ત્યારે મોહનભાઈએ આપેલો જવાબ એમની આ મથામણની પિછાન કરાવે છે : “મારી ઇચ્છા પણ એવી જ છે. હું એ જ દૃષ્ટિથી કેટલીક કૌટુંબિક ગોઠવણી એવી કરવા વિચારું છું કે મુંબઈનું ખરચાળપણું ઓછું થાય. કોઈ સંસ્થા પાસેથી કાંઈ લીધા સિવાય આજ લગી કર્યું છે તેમ કામ કરું અને છેલ્લા જીવનનો શાંત ઉપયોગ કરી લઉં.” લથડતી જતી તબિયત અને અવસાન પણ મોહનભાઈની આ ભાવના ફળીભૂત થઈ નહીં. આ અરસામાં જૈન ગૂર્જર કવિઓ'નો ત્રીજો ભાગ તૈયાર થઈ રહ્યો હતો તેમાં એક વિસ્તૃત પ્રસ્તાવના લખવાની એમની ઇચ્છા હતી તે પણ પાર પડી નહીં. મુંબઈનું જીવન તો એમણે છોડવું પડ્યું પણ તે પોતે વિચારેલી વ્યવસ્થાના ભાગ રૂપે નહીં પણ તબિયતને કારણે. તા.૫-૭-૧૯૪૪ના રોજ લખાયેલું “જૈન ગૂર્જર કવિઓ'ના ત્રીજા ભાગનું ટૂંકું નિવેદન કદાચ મોહનભાઈનું છેલ્લું લખાણ હશે. પ્રસ્તાવના પડતી મુકાઈ અને પહેલા બે ભાગમાં 10-15 પાનાંનાં નિવેદનો લખનાર મોહનભાઈએ ત્રીજા ભાગનું માત્ર દોઢ પાનાનું નિવેદન - જેમાં ઝાઝો ભાગ તો વિષયાનુક્રમનો જ છે - લખ્યું એ એમની લથડતી જતી તબિયતની નિશાની છે. ઑગષ્ટમાં પર્યુષણ વ્યાખ્યાનમાળામાં એ હાજરી આપે છે, પણ વ્યાખ્યાન આપતા નથી. એમનું શરીર નંખાઈ ગયેલું હોય છે અને એમના સ્નેહીજનોને એમને માટે ચિંતા થાય છે. રાજકોટ મામાને સમાચાર પહોંચે છે કે મોહનભાઈની શરીરની અને મનની અવસ્થા પણ બરાબર નથી એટલે મામા તરત મુંબઈ આવી મોહનભાઈને રાજકોટ લઈ જાય છે. દવાદારૂ શરૂ થાય છે પણ મોહનભાઈની માંદગી ગંભીર સ્વરૂપ લેતી જાય છે. એ ખાવાપીવા, પહેરવા-ઓઢવા જેવાં સઘળાં વર્તનવ્યવહારનું
Page #28
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા 15 સાનભાન ગુમાવી દે છે અને ગાંડપણની અવસ્થાએ પહોંચી જાય છે. અપાર પરિશ્રમ અને કૌટુંબિક જંજાળ મોહનભાઈનાં સુંદર શરીર-મનને કદાચ અંદરથી એટલાં કોરી ખાધાં હોય છે કે ઉપચારો કારગત નીવડતા નથી અને મોહનભાઈ તા.ર-૧૨-૧૯૪૫ ને રવિવારના રોજ દેહ છોડે છે. મામાની આંખમાં આંસુ જેમણે મોહનને અનન્ય લાડપ્રેમથી ઉછેર્યો હતો એ મામાને એના છેલ્લા દિવસો પણ સંભાળવાના આવ્યા. મોહનભાઈને માટે તો જીવનને આરંભે અને અંતે આ એક જ આશ્રય રહ્યો. ઉચ્ચ ધર્મબુદ્ધિ ધરાવતા મામાની આંખમાં કદી કોઈએ આંસુ જોયેલાં નહીં. વહાલા મોહનના અવસાન વખતે મામાની આંખમાં આંસુ ઊભરાઈ આવે છે. કિસ્મતના અજબ ખેલ જેવી ઘટના મોહનભાઈના અવસાનના દિવસે કિસ્મતના અજબ ખેલ જેવી એક ઘટના બને છે. મોહનભાઈની અનેકવિધ સેવાઓની કદર રૂપે શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક કૉન્ફરન્સે એમનું સંમાન કરવાનો અને એમને થેલી અર્પવાનો નિર્ણય કર્યો હતો. આ માટે ભરણું ચાલુ થયું હતું અને તેમાં રૂ. 5,000 ઉપરાંત રકમ ભેગી થઈ હતી. રાજકોટથી સમાચાર આવ્યા કરે છે કે મોહનભાઈ સાનભાન ગુમાવતા જાય છે, એમનો દેહ લાંબો સમય ટકે એમ નથી અને તેથી સંમાનકાર્યમાં હવે ઢીલ કરવામાં જોખમ છે. છેવટે માનપત્ર, ચાંદીનું કાસ્કેટ અને રૂ. 6,000 લઈને સંમાન સમિતિના પ્રતિનિધિ તરીકે મોહનલાલ દીપચંદ ચોકસીને રાજકોટ રવાના કરવામાં આવે છે. પરંતુ શ્રી ચોકસી રાજકોટ પહોંચે છે ત્યારે મોહનભાઈનો ક્ષરદેહ ભસ્મીભૂત થઈ ચૂક્યો હોય છે. મોડી અને મોળી કદર શ્રી ચોકસીએ ધરેલી રૂ.૬,૦૦૦ની થેલી મોહનભાઈનાં સંતાનોએ, મોહનભાઈના ગૌરવને છાજે એવી રીતે, પાછી વાળી. મામાએ એ રકમમાં પોતાના તરફથી રૂ.પ00 ઉમેરી આપ્યા. સમાન ફંડ સ્મારક ફંડમાં ફેરવાયું અને એમાં ફાળો આપવાની ટહેલ ચાલુ રહી. પણ પછી એ ફંડ ઝાઝું આગળ વધ્યું હોય એવી સંભાવના જણાતી નથી. મોહનભાઈનું નામ રહે એવી એમને પ્રિય કોઈ પ્રવૃત્તિ એ ફંડમાંથી શરૂ થઈ હોવાનું જાણવા મળતું
Page #29
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા નથી. માત્ર મોહનભાઈના અવસાન પછી છેક 11 વર્ષે તા.૧૫-૭-૧૯૫૬ના રોજ કૉન્ફરન્સમાં મોહનભાઈના તૈલચિત્રનું અનાવરણ પંડિત સુખલાલજીને હસ્તે થયેલું જાણવા મળે છે. જૈન સમાજ મોહનભાઈની કદર કરવામાં મોડો અને મોળો પડ્યો એમાં શંકા નથી. કદાચ વાણિજ્યરસિક જૈન સમાજને મોહનભાઈની અસાધારણ સેવાની સમજ પડી નથી. મોહનભાઈની સેવા એ સંકુચિત સાંપ્રદાયિક સેવા ન હતી. એ વિશાળ પ્રકારની વિદ્યોપાસના હતી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કામગીરી આજેયે મોહનભાઈના આધાર વિના ચાલી ન શકે એવો એમણે વિસ્તૃત અને દૃઢ પાયો નાખ્યો છે. એટલે સમગ્ર વિદ્યાસમાજનું પણ મોહનભાઈ પ્રત્યે કર્તવ્ય હતું. મોહનભાઈને નામે યુનિવર્સિટીમાં સ્વાધ્યાયપીઠ હોય એ એમનું, ઓછામાં ઓછું અપેક્ષિત, તર્પણ હોય. પણ આવું કશું થઈ શક્યું નથી. ક્યારેય થાય એવી સંભાવના દેખાતી નથી. એટલે શ્રી મહાવીર જૈન વિદ્યાલયે “જૈન ગૂર્જર કવિઓ'ની નવી આવૃત્તિના પ્રકાશનનું સાહસ કરી પિતૃઋણ યત્કિંચિત અદા કર્યું એનાથી આપણે સંતોષ માનવાનો રહે છે. અને મોહનભાઈએ જેમને પંદર વર્ષના છોડેલા એ એમના સૌથી નાના પુત્ર જયસુખભાઈએ પિતૃભક્તિથી પ્રેરાઈને પિતાના નામથી ગ્રંથપ્રકાશનાદિની પ્રવૃત્તિ કરવા શ્રી મહાવીર જૈન વિદ્યાલયને એક લાખ રૂપિયાનું દાન આપ્યું તેને માટે ધન્યવાદ આપવાના રહે છે. જે સમાજે કરવું જોઈતું હતું તે સંતાને કર્યું ! મોહનભાઈ ને એમનાં સંતાનોએ હંમેશાં આપ્યું જ, કદી કંઈ લીધું નહીં ! પિતૃભક્ત જયસુખભાઈ ગુજરાતી સાહિત્યકોશ માટે “જૈન ગૂર્જર કવિઓનો ઉપયોગ કરવાનો થતાં મોહનભાઈ માટે અત્યંત આદર થયેલો. એમના જીવન અંગે કૌતુક પણ થયેલું. “જૈન ગૂર્જર કવિઓના પુનઃપ્રકાશનની યોજના થતાં એ કૌતુકને વેગ મળ્યો. આ સંદર્ભે ૧૯૮૬માં પ્રથમ વાર જયસુખભાઈને મળવાનું થયું. મેં વાતવાતમાં કહ્યું કે “જૈન ગૂર્જર કવિઓ'ના પુનઃપ્રકાશનની જવાબદારી તો શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ઉપાડી પણ મોહનભાઈનાં બેચાર હજાર પાનાં થાય એટલાં લખાણો અગ્રંથસ્થ છે. એનું શું થાય ? જયસુખભાઈએ
Page #30
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા પૂછયું, “હું શું કરી શકું?” મેં કહ્યું, “એ તો તમે જ વિચારી શકો.” જયસુખભાઈ કહે, “હું લાખ રૂપિયા આપી શકે.” જયસુખભાઈ સિવિલ એન્જિનિયર. સુડતાલીસ વર્ષની ઉંમરે સરકારી નોકરીમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લીધેલી. શ્રીમદ્ રાજચંદ્રના ધાર્મિક વિચારના અનુયાયી. કોઈ વૈભવી બંગલામાં નહીં, પણ એક સાદા સરસ મકાનમાં નીચેનો ભાગ ભાડે આપી ઉપરના ભાગે પોતે રહેનારા. એ આમ પહેલી જ મુલાકાતમાં મારા જેવા પ્રમાણમાં અજાણ્યા માણસને આટલી સરળતાથી લાખ રૂપિયા આપવાની વાત કરે એથી આશ્ચર્ય થયા વિના ન રહે. જયસુખભાઈનો આ પ્રસ્તાવ પિતૃભક્તિથી જ પ્રેરાયેલો હતો એમ સમજાયું - એમના મકાનનું નામ પણ ‘પિતૃસ્મૃતિ છે ! વળી જયસુખભાઈ તો કહે, “હું આમાં કશું ન સમજું, તમે કહેશો એમ જ કરીશ.” પહેલો વિચાર એક ટ્રસ્ટ કરી તેને આશ્રયે નિયમિત રૂપે ગ્રંથપ્રકાશનાદિ પ્રવૃત્તિ કરવાનો આવ્યો પણ પછી એ જંજાળમાં ન પડતાં કોઈ ચાલુ સંસ્થાને જ આવી પ્રવૃત્તિ કરવા રકમ આપી દેવાનું વધુ યોગ્ય લાગ્યું. ડૉ. રમણલાલ શાહ ત્યારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી હતા અને એમણે વિદ્યાલયમાં આ રકમ સ્વીકારવાની તૈયારી બતાવી. જે સંસ્થાના મોહનભાઈ એક સ્થાપક સભ્ય હતા અને આજીવન કાર્યવાહક સમિતિના સભ્ય રહેલા તે સંસ્થા સાથે મોહનભાઈનું નામ જોડાય એનું ઔચિત્ય સ્વયંસ્પષ્ટ હતું. આ બધી વિચારણામાં સમય ગયો અને બેત્રણ મહિને જયસુખભાઈને ફરી મળવાનું થયું ત્યારે એમણે સામેથી પોતાનો પ્રસ્તાવ દુહરાવ્યો. છેવટે અમારા નિર્ણય મુજબ જ એમણે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને રૂપિયા એક લાખની રકમ આપી. જયસુખભાઈની ધર્મવૃત્તિ, પિતૃભક્તિ ને સરલતા જોતાં લાગે કે એમણે પિતાનો આ વારસો સાચવ્યો અઢળક સામગ્રીનું શું થયું? અમને બીજું કૌતુક મોહનભાઈએ ભેગી કરેલી અઢળક સામગ્રી - ગ્રંથો-સામયિકો ઉપરાંત પ્રાચીન હસ્તપ્રતો, હસ્તપ્રતોની નકલો વગેરેનું હતું. એ ક્યાં ગઈ? મોટા પુત્ર નટુભાઈને પૂછતાં જણાવ્યું કે એ વ્યવસ્થા બીજા પુત્ર રમણીકભાઈએ કરેલી - ઓરમાન સંતાનો વચ્ચે ગેરસમજ ન થાય
Page #31
--------------------------------------------------------------------------
________________ 18 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા માટે પોતે અળગા રહેલા - તેથી પોતે એ વિશે ચોક્કસપણે જાણતા નથી. રમણીકભાઈ તો 43 વર્ષની ઉંમરે ૧૯૬૭માં અવસાન પામ્યા હતા, એટલે આ વિશે માહિતી આપનાર, પછી, કોઈ ન રહ્યું. છેક હમણાં માહિતી મળી છે કે મોહનભાઈનો પુસ્તકસંગ્રહ જૈન સાહિત્ય વિકાસ મંડળના અમૃતલાલ કાળીદાસ દોશી પાસે પહોંચ્યો છે પણ વધારે અગત્યની તો એમની અન્ય અપ્રગટ સામગ્રી છે. એનું શું થયું ? મોહનભાઈની ઉચિત કદર થઈ ન શકી પણ એમણે ભારે પરિશ્રમપૂર્વક એકઠી કરેલી મૂલ્યવાન સામગ્રીની સંભાળ પણ આપણે ન લઈ શક્યા એ વિદ્યાક્ષેત્રે આપણી નિષ્ક્રિયતાની નિશાની છે. આ માત્ર મોહનભાઈની સામગ્રીને જ સ્પર્શતી બાબત નથી, વ્યાપકપણે જોવા મળતી દુર્ઘટના છે એટલે એનો કેટલો અફસોસ કરીએ ? આશા રાખીએ કે આપણી વિદ્યાસંપત્તિને ઓળખવાની ને એનું જતન કરવાની સદ્દબુદ્ધિ આપણને સાંપડે, સાલવારી મોહનભાઈની જીવનઘટનાનું, છેલ્લે, સાલવાર દર્શન કરીએ : 1885 એપ્રિલ 1, સં. 1941 ચૈત્ર વદ 7, સોમવાર : જન્મ, લુણસર, વાંકાનેર તાબે, જિ. રાજકોટ. 1905 : મનસુખલાલ રવજીએ “સનાતન જૈન” માસિક શરૂ કર્યું; “જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ' શરૂ થયું. 1907 માર્ચ : મોહનભાઈ “સનાતન જૈન'માં સહતંત્રી તરીકે જોડાયા. 1908 : વિલ્સન કૉલેજમાંથી બી.એ.; “જૈન સાહિત્ય અને શ્રીમંતોનું કર્તવ્ય એ પુસ્તિકાનું પ્રકાશન. * 1909 : “સનાતન જૈન” બંધ થયું. ' 1910H એલએલ.બી. થયા; હર્બટ વૉરનના જૈનીઝમ”નું ભાષાંતર કર્યું; જૈન સુડસ બ્રધરહૂડ સમક્ષ અંગ્રેજીમાં “શ્રીમદ્ યશોવિજયજી એ નિબંધ રજૂ કર્યો; વિનયવિજયોપાધ્યાયવિરચિત “નયકર્ણિકા'નું પ્રકાશન (ફતેહચંદ કપૂરચંદ લાલન સાથે); “જિનદેવદર્શન'નું પ્રકાશન. 1911: “સામાયિક સૂત્ર'નું પ્રકાશન; જૈન સાહિત્યની વિગતવાર વર્ણનાત્મક
Page #32
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 19 સૂચિના પ્રયાસનો આરંભ. 1911 ફેબ્રુ 15 : પ્રથમ લગ્ન, હેમકુંવર સાથે. 1912 : યશોવિજયકૃત “સમ્યકત્વના સડસઠ બોલની સઝાય” તથા “જૈન કાવ્યપ્રવેશ” એ સંપાદનગ્રંથો તથા “સ્વામી વિવેકાનંદના પત્રો' એ અનુવાદગ્રંથનું પ્રકાશન. 1912 એપ્રિલ : “જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ'ના તંત્રી થયા. 1912 કે 1913 (સંભવતઃ) : “શ્રીમદ્દ યશોવિજયજી' એ અંગ્રેજી નિબંધનું પ્રકાશન. 1912 કે 1913 (સં.૧૯૬૯) : “જૈન ઐતિહાસિક રાસમાળા ભા.૧'નું. પ્રકાશન. 1914 : પિતાનું અવસાન; “જૈન રાસમાળા (પુરવણી) એ સૂચિ-પુસ્તિકાનું પ્રકાશન; ફાર્બસ ગુજરાતી સભાએ જાહેર કરેલ “જૈન અને બૌદ્ધ મતનો સંક્ષિપ્ત ઇતિહાસ - તેના સિદ્ધાંતો અને વૈદિક મત સાથે તુલના” એ પારિતોષિક-નિબંધ રજૂ કર્યો. 1915 : ઉપર્યુક્ત નિબંધ પારિતોષિકપાત્ર ઠર્યો; સુરતમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં હાજરી આપી તથા ત્યાં પ્રદર્શનમાં મુકાયેલી હસ્તપ્રતોની નોંધ લીધી; “હેરલ્ડ'ના તંત્રીપદેથી મુક્ત થવાનો વિચાર કર્યો પરંતુ પછી મુલતવી રાખ્યો; શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના, જેના મોહનભાઈ એક સ્થાપક સભ્ય હતા. 1915 કે 1916H વિનયવિજયોપાધ્યાયવિરચિત “ધ નયકર્ણિકા' (અંગ્રેજી)નું પ્રકાશન. 1916: જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના જૈન એજ્યુકેશન બૉર્ડના સેક્રેટરી થયા ' (મોતીચંદ ગિ. કાપડિયા સાથે); કનૈયાલાલ મુનશીએ ઘનશ્યામ'ના નામથી “પાટણની પ્રભુતા' પ્રગટ કરી તેમાંનાં નિરૂપણો અનૈતિહાસિક હોવાનું બતાવી ચર્ચા જગાવી. 1917 : વાડીલાલ મોતીલાલ શાહે સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહની સ્થાપના કરી, એની કારોબારી સભાના મોહનભાઈ સભ્ય બન્યા. 1917 મે 31 : સિદ્ધક્ષેત્ર બાલાશ્રમની મુલાકાત.
Page #33
--------------------------------------------------------------------------
________________ 20 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 1918 : જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના આસિસ્ટન્ટ સેક્રેટરી બન્યા. 1919 જાન્યુ.-ફેબ્રુ. : મોહનભાઈ તંત્રીપદેથી છૂટા થતાં આ અંક સાથે “હેરલ્ડ” બંધ થયું. 1919 ડિસે. : સાદડીમાં જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના સંમેલનમાં; ત્યાંથી અમૃતસરના રાષ્ટ્રીય કોંગ્રેસના સંમેલનમાં; ત્યાંથી પાછા ફરતાં આગ્રામાં હસ્તપ્રતોની નોંધ લીધી. 1920 લગભગ : પ્રથમ પત્નીનું અવસાન. 1920 : જિનવિજયજીએ સાધુવેશ છોડ્યો; “ગિરનાર તીર્થોદ્ધાર રાસ અને તીર્થમાળા” એ સંપાદનગ્રંથનું પ્રકાશન. 1920 જુલાઈ 16 : બીજાં લગ્ન, પ્રભાબહેન સાથે. 1921 ઑક્ટો. : લીંબડીનો ભંડાર જોઈ પ્રતો નોંઘી. 1922 : કનૈયાલાલ મુનશીએ સાહિત્ય-સંસ સ્થાપી. મોહનભાઈ એના એક સ્થાપક સભ્ય. 1923-24 : પૂનામાં ડેક્કન કૉલેજ | ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટનો હસ્તપ્રતસંગ્રહ જોયો. 1924 : મુનશીએ ગુજરાતી સાહિત્યના ઇતિહાસની યોજના કરી તેના તંત્રીમંડળમાં મોહનભાઈ; “જિનદેવદર્શન'ની બીજી આવૃત્તિનું પ્રકાશન. 1924 સપ્ટે. : “જૈન ગૂર્જર કવિઓ ભા.૧' છાપવા ગયો. 1925 જાન્યુ. : જૈન સાહિત્ય પરિષદની ઑફિસ સ્થાપવા માટે મુંબઈમાં મોહનભાઈને પ્રમુખપદે સભા. 1925 એપ્રિલ : મુંબઈમાં કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખપદે કૉન્ફરન્સનું અધિવેશન, જે કૉન્ફરન્સની ડગમગતી નાવ સ્થિર કરવા અન્ય. અગ્રણીઓ અને મોહનભાઈની સક્રિયતાથી યોજાયું હતું. 1925 મે : વડોદરાના હસ્તપ્રતસંગ્રહો જોયા. 1925 (સં.૧૯૮૧ ભાદરવો) : મોહનભાઈના તંત્રીપદે કૉન્ફરન્સના મુખપત્ર જૈનયુગનો આરંભ. 1925 ઑક્ટો. : અમદાવાદના કેટલાક હસ્તપ્રત સંગ્રહો જોયા.
Page #34
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 21 1924 : મુંબઈમાં મળનારી આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદની કારોબારી સભા તથા સત્કારમંડળના, તેમજ નિબંધ પરીક્ષક સમિતિના સભ્ય; “જૈન ગૂર્જર કવિઓ' ભા.૧નું પ્રકાશન; સાહિત્યસંસદ્ પ્રકાશિત “ગુજરાતી સાહિત્ય'નો ખંડ પાંચમો “મધ્યકાલનો સાહિત્યપ્રવાહમાં “જૈનો ને તેમનું સાહિત્ય લેખ પ્રગટ થયો, જે પછીથી “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' રૂપે પરિણમ્યો; શત્રુંજય પર પાલીતાણાના દરબારે યાત્રાળુવેરો નાખ્યો તે અંગે જૈનોમાં ખળભળાટ અને વિરોધનું આંદોલન, આ પ્રશ્નને કારણે કૉન્ફરન્સનું અધિવેશન ભરવા અંગે વિવાદ. 1926 એપ્રિલ : મુંબઈમાં આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદનું સંમેલન; એમાં અપભ્રંશ સાહિત્ય વિશે નિબંધ વાંચ્યો (જે “જૈન ગૂર્જર કવિઓ' ભા.૧માં મુકાયેલ પ્રસ્તાવનાલેખ જણાય છે); પ્રદર્શનમાં આવેલા હસ્તપ્રતસંગ્રહો જોયા. 1926 મે : રાજકોટમાં ગોકુળદાસ નાનજી ગાંધી હસ્તકનો પુસ્તકસંગ્રહ જોયો; કાઠિયાવાડમાં હોવાને કારણે કૉન્ફરન્સના અધિવેશન અંગેની ચર્ચામાં ભાગ લઈ શક્યા નહીં. 1926 ઑક્ટો. : ખંભાતના હસ્તપ્રતસંગ્રહો જોયા. 1926 ડિસે. 27, 28 : કૉલ્હાપુર રાજ્યના શિરોલ રોડમાં મોહનભાઈના પ્રમુખપદે દક્ષિણ મહારાષ્ટ્ર જૈન શ્વેતામ્બર પ્રાન્તિક પરિષદનું ચોથું અધિવેશન. 1927 : “સામાયિક સૂત્ર'ની બીજી આવૃત્તિનું પ્રકાશન; મુનશી મુંબઈ ધારાસભામાં યુનિવર્સિટી ગ્રેજ્યુએટોના પ્રતિનિધિ તરીકે ઊભા રહ્યા એ પ્રસંગને લઈને જૈનોએ એમની નવલકથાઓમાંનાં નિરૂપણો અંગે વિરોધ કર્યો અને મુનશીને મત ન આપવાનો ઠરાવ પણ એક સભામાં થયો; કેસરિયાજી તીર્થમાં ધજા ચડાવવાની બાબતમાં શ્વેતામ્બરો અને દિગંબરો વચ્ચે ઝઘડો; બલવંતરાય ઠાકોરે “ગુર્જર રાસાવલીની યોજના વિચારી, જેમાં મોહનભાઈ સહસંપાદક. 1927 મે : પાટણના હસ્તપ્રતભંડારો જોયા.
Page #35
--------------------------------------------------------------------------
________________ વિરલ વિભૂતિભા અને મનુષ્ય પ્રતિભા 1927 ઑક્ટો. સુરતના હસ્તપ્રતભંડારો જોયા. 1927 ડિસે.-૧૯૨૮ જાન્યુ. : અમદાવાદની પત્રકાર પરિષદમાં, અમદાવાદના ભંડારો જોયા; પાલણપુરમાં ડાયરાના અપાસરાનો ભંડાર જોયો; આરાસણની તીર્થયાત્રા પંડિત સુખલાલજી અને મુનિ જિનવિજયજી સાથે, ત્યાંના શિલાલેખો જિનવિજયજીના સાથમાં ઉતાર્યા. 1928: “જૈનો ને તેમનું સાહિત્ય' એ લેખમાં આગમસાહિત્યનો ઈતિહાસ ઉમેરવાનો પ્રયત્ન આરંભ્યો. 1928 મે 12 : જિનવિજયજીને જર્મની જવા વિદાય આપી. 1928 મે ૧૩થી 22 : ખેડા, ત્યાંના ભંડારો જોયા, સ્વયંસેવક મંડળને આશ્રયે “આપણો સમાજ વિશે ભાષણ કર્યું, માતર, સાચા દેવને દર્શને તથા શિલાલેખોની નોંધ; વિઠલપુર. 1928 સપ્ટે. : “જૈન ગૂર્જર કવિઓ ભા.૨' છપાઈ રહ્યો અને તેની પ્રસ્તાવના તરીકે મૂકવાના લેખ તરીકે “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” છપાવા ગયો. 1928 ઑક્ટો.-નવે. : વડોદરામાં પંડિત લાલચંદ ગાંધી, કેશવલાલ કામદાર અને મંજુલાલ મજમુદારને મળ્યા; નડિયાદ, ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં; વડતાલ, આણંદ - ચરોતર એજ્યુકેશન સોસાયટી, અમદાવાદ, પંડિત સુખલાલજીને જૈિન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસનાં પ્રકરણો સંભળાવ્યાં, આનંદશંકર, બહેચરદાસ પંડિત વગેરે સાથે મુલાકાત; રાજકોટ, ગોકુળદાસ નાનજી ગાંધી પાસેની કેટલીક પ્રતો જોઈ. 1929 : માતાનું અવસાન; કલકત્તા, જૈન કોન્ફરન્સના અધિવેશનમાં, પૂરણચંદ્ર નાહરનો પુરાતત્ત્વનો સંગ્રહ તથા ગુલાબકુમારી લાયબ્રેરી જોયાં, નાહરે ઉપયોગી સામગ્રી આપી. 1929 મે : રાજકોટ, ત્યાંથી ગિરનારની યાત્રા, શિલાલેખો ઉતાર્યા. 1929 ઑગસ્ટ-સપ્ટે. : અમદાવાદ, પર્યુષણ વ્યાખ્યાનમાળામાં હાજરી, તે પરથી મુંબઈમાં આવી વ્યાખ્યાનમાળા થવી જોઈએ એવો વિચાર.
Page #36
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 23 1929 ઑક્ટો. ઝીંઝુવાડાનો ઉમેદ-ખાંતિ જૈને જ્ઞાનમંદિરનો હસ્તપ્રતસંગ્રહ જોયો, વિરમગામના સંગ્રહો જોયા. 1929 ડિસે. : પાટણ, વડોદરા રાજ્ય પુસ્તકાલય પરિષદમાં; મુનિ જશવિજયનો ગ્રંથસંગ્રહ જોયો. સ્થપાય તે માટે રસ લેવા પંડિત સુખલાલજીને પ્રેર્યા. 130 ફેબ્રુ. : જુર (મહારાષ્ટ્ર)માં કૉન્ફરન્સના અધિવેશનમાં, ત્યાંના ધાતુપ્રતિમાલેખો ઉતાર્યા. 1930 (સં.૧૯૮૬ અસાડ-શ્રાવણ) : મોહનભાઈના તંત્રીપદવાળો જૈનયુગ” માસિકનો છેલ્લો અંક. 131 : “જૈન ગૂર્જર કવિઓ ભા.૨'નું પ્રકાશન; કરાંચી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં. 131 ઑક્ટો. : મહુવાના હસ્તપ્રતસંગ્રહો જોયા. 1932 : મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં “જૈન ધર્મમાં પરિવર્તનો અને તેનાં પરિણામો પર વ્યાખ્યાન. 133 : પંડિત સુખલાલજી કૉન્ફરન્સની જૈન ચેર પર કાશી જવા તૈયાર થયા તેમાં મોહનભાઈનો આગ્રહ કારણભૂત; “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ'નું પ્રકાશન. 1934 : “સુજશવેલી ભાસ'નું પ્રકાશન. 1934 ડિસે.-૧૯૩૫ જાન્યુ. : કુટુંબીઓ-સ્નેહીઓને પાલીતાણાની જાત્રા કરાવી; વળતાં બોટાદ, પ્રતિમાલેખો ઉતાર્યા. 1936 : “જૈનાચાર્ય શ્રી આત્માનંદજી જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ" તથા ઉપાધ્યાય યશોવિજયજીવિરચિત ગૂર્જર સાહિત્યસંગ્રહ ભા. 1" એ સંપાદિત ગ્રંથોનું પ્રકાશન. 136 ઑગસ્ટ 9 : મુંબઈમાં જૈન એકતા માટે મિશ્રી લાલજીએ ઉપવાસ કર્યા તેને અનુલક્ષીને મળેલી સભામાં એકતાના ઠરાવને ટેકો આપી વક્તવ્ય કર્યું. ૧લ્ડ ઑગસ્ટઃ મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં સ્વામી વિવેકાનંદના
Page #37
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વતિભા અને મનુષ્ય પ્રતિભા પ્રેરણાપ્રદ વિચારો” તથા “મહાત્મા ગાંધીજી - કેટલાક ધાર્મિક વિચારો' એ વિષયો પર વ્યાખ્યાનો આપ્યાં. 1937 : “ગુર્જર રાસાવલી'ની યોજના ગાયકવાડ ઑરિએન્ટલ સિરીઝમાં સ્વીકારાઈ; પછીથી છાપકામ શરૂ થયું; “સામાયિક સૂત્ર'ની શાળોપયોગી આવૃત્તિનું પ્રકાશન. 1937 : ઑગસ્ટ-સપ્ટે. : મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં “ભગવાન શ્રી પાર્શ્વનાથ” વિશે વ્યાખ્યાન. 1939 : પાટણ, હૈમ સારસ્વત સત્રમાં હેમચન્દ્રાચાર્ય વિશે નિબંધ રજૂ કર્યો; ભોગીલાલ સાંડેસરાને પોતાના લેખોની સૂચિ રાખવા સૂચવ્યું. 1939 સપ્ટે. ૧૪:મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં “કલ્પસૂત્ર' પર વ્યાખ્યાન. 1940 મે : ભરૂચ, કાવી, ઝઘડિયાનો પ્રવાસ; કાવીના લેખો ઉતાર્યા. 1940 ઑગસ્ટ-સપ્ટે. : મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં “અકબર અને જહાંગીરના દરબારમાં જૈનો” વિશે વ્યાખ્યાન. 1941: સિદ્ધિચન્દ્ર-ઉપાધ્યાયવિરચિત “ભાનુચન્દ્રગણિચરિત' એ સંપાદનગ્રંથનું પ્રકાશન. 1941 ઑગસ્ટ 20 : મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં “આનંદઘનજી અને યશોવિજય” વિશે વ્યાખ્યાન. 1943 ઑગસ્ટ 30 : મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં “જહાંગીર અને જૈનો” વિશે વ્યાખ્યાન. 1944: “જૈન ગૂર્જર કવિઓ ભા.૩'નું બે ખંડમાં પ્રકાશન; લથડતી તબિયત. 1945 ડિસે. 2, રવિવાર : અવસાન, રાજકોટમાં; એમની સેવાઓની કદર ' રૂપે જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સે મોકલાવેલ માનપત્ર અને સંમાનફંડો મોડાં પડ્યાં. ૧૯૪પ ડિસે. 6H મુંબઈમાં 19 જૈન સંસ્થાઓને આશ્રયે શોકસભા. 1956 જુલાઈ 15 : જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સમાં મોહનભાઈના તૈલચિત્રનું પંડિત સુખલાલજીને હસ્તે અનાવરણ. 1958 : બલવંતરાય ઠાકોર તથા મધુસૂદન મોદીની સાથે સંપાદિત કરેલ ગુર્જર રાસાવલી'નું પ્રકાશન.
Page #38
--------------------------------------------------------------------------
________________ વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા 2. વ્યક્તિત્વ દેખાવ મોહનભાઈનું બાહ્ય વ્યક્તિત્વ આકર્ષક હતું - ઊંચી કદાવર દેહયષ્ટિ, ગૌર વર્ણની કાંતિ, સોહામણી મુખમુદ્રા, નેહભરી ને આવકાર આપતી આંખો, બધા માથે કાઠિયાવાડી પાઘડી પહેરતા. ક્યારેક ધોળી ટોપી પહેરી હોવાનું પણ સ્નેહીઓ કહે છે. (મેં કિશોરવયે એમને જોયેલા ત્યારનું કાળી ટોપીનું ઝાંખુંપાછું સ્મરણ છે, જેને કે.કા. શાસ્ત્રી ટેકો આપે છે.) કોટ અને ધોતિયું એ એમનો ઔપચારિક પહેરવેશ. પહેરવેશ ખાદીનો. અવાજ મોહનભાઈનો મેઘગંભીર અવાજ. એથી એ પ્રભાવશાળી વક્તા બની રહેતા. કોમળ મીઠા કંઠથી રાગરાગિણીઓ પણ ગાતા. એમનાં રચેલાં પદ્યોમાં રાગોનો નિર્દેશ મળે છે. તેથી એમને સંગીતનું કેટલુંક જ્ઞાન હશે એમ લાગે આદતો મોહનભાઈની તબિયત સામાન્ય રીતે સારી. શરીર પરિશ્રમથી થાકે નહીં. રાતના બેત્રણ વાગ્યા સુધી જાગીને કામ કરી શકે. અલબત્ત, એ કારણે ચા અને ધૂમ્રપાનનાં વ્યસન વળગ્યાં ખરાં. મોટે ભાગે સિગારેટ અને ક્વચિત દેશી બીડી પીતા. સતત પીનારા એટલે એમની આજુબાજુ બીડી-સિગરેટનાં ઠૂંઠાં પડ્યાં હોય. સિગારેટનું ઠૂંઠું ન થઈ જાય ત્યાં સુધી પીધા કરે અને સિગારેટ પડી પડી પણ સળગ્યા કરે, બુઝાય નહીં, તેથી એક વખત એમના કાગળો બળી ગયેલા. ભંડારો જોવા જાય ત્યાં પણ થોડો સમય બહાર જઈ સિગારેટ-બીડીના કસ ખેંચી આવે. મોહનભાઈનું પાચનતંત્ર સારું. ભારે ભોજન પણ પચાવી શકે. જમી લીધા પછી પણ ભાવતી વસ્તુ આવે તો જમી શકે. બીજાઓને જમાડવાના પણ એ શોખીન. ઝાઝી સગવડની જરૂર નહીં કામ કરવા માટે મોહનભાઈને ઝાઝી સગવડની જરૂર ન પડતી. ઘેર ગાદી પર બેસી ખોળામાં પૂંઠું કે પાટિયું રાખી સતત લખવાનું કામ કરી
Page #39
--------------------------------------------------------------------------
________________ 26 વિરલ વિદ્ધપ્રતિભા અને મનુષ્ય પ્રતિભા શકતા. સુખલાલજી કે જિનવિજયજી પાસે રહેવા જાય ત્યાંયે પોતાનું કામ લઈ જઈ શકે અને એકલા પડે ત્યારે કામ કર્યા કરે. કૉર્ટમાં પણ નવરાશના સમયમાં પૂફો જુએ. કાર્યપદ્ધતિનો કોયડો મોહનભાઈનો દીવાનખંડ જોઈને કોઈને એમ લાગે કે એમનામાં વ્યવસ્થાબુદ્ધિ ન હતી. ચારે બાજુ ખડકાયેલાં પુસ્તકો-પોથીઓમાંથી પોતાને જોઈતી વસ્તુ કેવી રીતે શોધી શકતા હશે એવો પ્રશ્ન પણ થાય. પણ અનેક સંદર્ભોથી ઊભરાતાં મોહનભાઈનાં સર્વગ્રાહી લખાણો જોતાં એમની પોતાની કોઈક વ્યવસ્થા હશે જ એમ લાગ્યા વિના રહેતું નથી. એ પોતાની વસ્તુઓ આઘીપાછી ન થાય માટે ઘણી વાર પોતાની ગેરહાજરીમાં કચરો પણ કાઢવા ન દેતા. એમની સ્મૃતિ તો ઘણી સારી હતી જ. જોઈતું પુસ્તક પોતાની જગ્યાએ બેઠાંબેઠાં જ એ બતાવી શકતા અને એમાંથી જોઈતું પાનું પણ તરત શોધી શકતા. મોહનભાઈએ જે પ્રકારનાં કામો કર્યા છે તે તો ઘણી ઝીણી અને ચોકસાઈભરી વ્યવસ્થાઓ માગે. અનેક સંદર્ભો જોડવાના હોય, સમયના ક્રમથી સામગ્રી પ્રસ્તુત કરવાની હોય ત્યારે સૂચિકાર્ડની કે એવી કોઈ વ્યવસ્થા નિપજાવવી પડે. માત્ર સ્મૃતિથી એ બધું ન થઈ શકે. મોહનભાઈએ આવી વ્યવસ્થાઓ નિપજાવી હતી કે કેમ અથવા કઈ કાર્યપદ્ધતિથી એમણે આ કામો કર્યો એ જાણવાનું અત્યારે કોઈ સાધન નથી. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ'ની અનુક્રમણિકાઓની 7500 કાપલીઓ થયેલી, જેને 23 વિષયોમાં વહેંચવામાં આવેલી એમ મોહનભાઈએ નોંધ્યું છે. પરંતુ ગ્રંથની મૂળ સામગ્રીને તૈયાર કરવામાં એમની કાર્યપદ્ધતિ કઈ હતી એ એમણે નોંધ્યું નથી. ધાર્મિક આચારવિચાર મોહનભાઈ કુલધર્મથી મૂર્તિપૂજક જૈન હતા. પણ જૈન તરીકેના સઘળા બાહ્યાચારો ચુસ્ત રીતે પાળનારા ન હતા. તીર્થસ્થાનોએ જાય ત્યાં દર્શન-સેવા-પૂજાનો લાભ એ જરૂર લે, એક વખતે સગાંસ્નેહીઓને પાલીતાણાની જાત્રા પણ એમણે કરાવેલી, પરંતુ રોજ દેવપૂજા કરવાનો એમનો કોઈ નિયમ ન હતો. કોઈ યંત્રની પૂજા ઘર કરતા એમ જાણવા
Page #40
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા મળે છે. રાત્રે મોડે સુધી જાગનારા અને ચા-સિગારેટના વ્યસની એટલે ચોવિહાર તો ન જ કરી શકે અને ઉપવાસ-એકટાણું કરવામાં પણ મુશ્કેલી જ. ડુંગળી, લસણ પણ એમને ત્યાજ્ય નહોતાં. મામા પ્રાણજીવનભાઈ આવા જૈન આચારો ચુસ્ત રીતે પાળનારા હતા, છતાં મોહનભાઈમાં એ વસ્તુ ન આવી એ જરા નવાઈ પમાડે એવું છે. પણ મોહનભાઈ ઘર્મના બહિરંગને નહીં પણ અંતરંગને વળગનારા હતા એમ આ પરથી સમજાય છે, મનુષ્ય પ્રેમ અને સહાયવૃત્તિ મોહનભાઈ મનુષ્યપ્રેમી હતા. નાનામાં નાના માણસમાં એ રસ લેતા. રસ્તામાં મળે તોયે એવા માણસ પાસે દોઢ-બે કલાક સુધી વાતો કરી એના વિશે ઝીણામાં ઝીણી માહિતી મેળવતા. પેલા માણસને એમ થાય કે મારા પ્રત્યે આમને કેટલોબધો ભાવ છે ! આ સાથે બીજાને સહાયરૂપ થવાની વૃત્તિ પણ હતી. તવાવાળા બિલ્ડિંગમાં કોઈ એવો પ્રસંગ બને કે જેમાં સહાયરૂપ થવાની આવશ્યકતા હોય તો પોતે સંકલ્પ કરતા કે આ દિવસની અથવા અમુક કલાકોની જે કંઈ રોકડ આવક થશે તે હું આ કામમાં આપી દઈશ. વળી પાછા એમ માનતા કે આમાં હું કંઈ કરતો નથી. જે ભાઈના ભાગ્યમાં જેટલું હશે એટલું જ બીજા પાસેથી મળી રહેશે. એક વિધવા બાઈને કોઈ યોગ્ય સંસ્થામાં આશ્રય અપાવવા માટે મોહનભાઈએ રણજિતરામ વાવાભાઈ સાથે પત્રવ્યવહાર કરેલો. નવયુવાનનો ઉત્સાહ મોહનભાઈ હંમેશાં એક નવયુવાનના જેવા ઉત્સાહ અને ખંતથી તરવરતા. કાંઈ પણ નવીન વાત, વિચાર કે વસ્તુ સામે આવે તો એ જાણવાની એમને હોંશ થતી. દૃષ્ટિ આશાવાદી, તેથી અંતકાળ સુધી અનેક પ્રવૃત્તિઓમાં એ રત રહ્યા. એમની કર્મઠતા તો અનન્ય. એ સાથે ભળતી એમની સરળતા અને નમ્રતા. સાધારણમાં સાધારણ કામ કરવામાંયે એમને કશો સંકોચ ન થતો. ન પોતાની વકીલ તરીકેની પ્રતિષ્ઠા આવે કે ન આધુનિક સભ્યતાના ખ્યાલો નડે. મુનિ જિનવિજયજી કુંભારિયાના શિલાલેખો ઉકેલતા હોય ત્યારે મોહનભાઈ એ શિલાલેખો પરની માટી સાફ કરી આપવાનું કામ કરે અને સાથેસાથે જિનવિજયજી પાસેથી શિલાલેખો ઉકેલવાની
Page #41
--------------------------------------------------------------------------
________________ 28 : વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા તાલીમ લેતા જાય. પ્રવાસમાં પોતાનાં બધાં કામ જાતે કરી લે.. અપાર નમ્રતા મોહનભાઈએ કામો તો એવાં કર્યો કે કોઈ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ પણ ભાગ્યે જ કરી શકે. આમ છતાં પોતાની જાતનો કશો મહિમા એમના મનમાં કદી વસ્યો હોય એવું દેખાતું નથી. “જૈન ગૂર્જર કવિઓ” ને “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' જેવા આકરગ્રંથોના નિવેદનમાંયે એકે વાક્ય એવું જડતું નથી કે જેમાં મોહનભાઈ પોતાના કામનો મહિમા કરતા હોવાનું આપણને લાગે. એ બીજાના અભિપ્રાયો નોંધે છે ખરા, પણ અભિપ્રાયો નોંધીને અટકી જાય છે. વળી, પોતાના ગ્રંથોમાં કોઈ ખામીઓ હોય તો તે સૂચવવાની વિનંતી કરવાનું એ કદી ચૂકતા નથી. પોતાની જાતને સુધારવા એ સદા તત્પર દેખાય છે. પંડિત સુખલાલજી વગેરે જેવા પોતે મૌલિક લેખક નથી એવું એ નિખાલસતાથી સ્વીકારે છે ને નિત્યે પોતે વાંચવો શરૂ કરેલો પણ જીરવવાની અશક્તિ જણાતાં છોડી દેવો પડ્યો એવી કબૂલાત કરે છે. જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ'નું તંત્રીપદ સંભાળતી વખતે મોહનભાઈ પોતાની મર્યાદા કેવા સાચા દિલથી વર્ણવે છે ! વિચારોની શ્રેણી હૃદય મુજ ના ગોઠવી શકે ! ન જાણું શી રીતે મુજ હૃદય ખુલ્લું થઈ શકે ? છતાંયે આવે જે મગજમાંહિ તે કહી દઉં ભલા ભાવો સાથે, તમ જિગરનો આદર ચહું. પોતાના ગ્રંથોના નિવેદનોને અંતે પોતાના નામની સાથે મોહનભાઈએ જે શબ્દો જોડ્યા છે તે તો એમની અપાર નમ્રતાનું આપણને દર્શન કરાવે છે. જેમકે, શાસનપ્રેમી (નયકર્ણિકા), જિનચરણોપાસક, વીતરાગચરણરજ (જિનદેવદર્શન), પ્રશમરસપિપાસુ (સામાયિકસૂત્ર), સંતસેવક (સ્વામી વિવેકાનંદના પત્રો, જૈન ઐતિહાસિક રાસમાળા), સંતચરણોપાસક (આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ), સંઘનો સદાનો સેવક (જેને શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૯) વગેરે. નિઃસ્પૃહ સેવાનો સંકલ્પ ઉપરના શબ્દો આપણને મોહનભાઈના ઉત્કટ સેવકભાવની પણ પ્રતીતિ
Page #42
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા કરાવે છે. એ સેવકભાવે જેમ કીર્તિ કે કદરની અપેક્ષા રાખી નથી, તેમ પોતાનાં કાર્યોના આર્થિક વળતરની પણ અપેક્ષા રાખી નથી. “સ્વામી વિવેકાનંદના પત્રો'નું ભાષાંતર સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયને મોહનભાઈએ કંઈ પણ બદલો લીધા વિના કરી આપેલું. “જિનદેવદર્શન' જેવાં કેટલાંક પુસ્તકો પોતે પ્રગટ કરેલાં ત્યારે એમાંથી કશા આર્થિક લાભની ગણતરી રાખી ન હતી. “જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ” અને “જૈનયુગ' એ સામયિકોનું સંપાદન કર્યું તે સંસ્થા પર એક કારકુનનો બોજો પડવા દીધા વિના, પ્રફરીડિંગ વગેરે સઘળાં કામો જાતે જ કરી લઈને. જૈન ગૂર્જર કવિઓ' જેવાં ભગીરથ કામો પણ કેવળ પ્રીતિપરિશ્રમ જ હતાં. ઊલટું આ કામમાં અનેક સ્થળોની મુલાકાત વગેરે નિમિત્તોથી મોહનભાઈને પોતાને ઘણું ખર્ચ વેઠવું પડ્યું હતું. મોહનભાઈ સંકલ્પપૂર્વક આ કામોમાંથી બદલો લેવાથી અળગા રહ્યા જણાય છે કેમકે જ્યાં સહેલાઈથી બદલો મળી શકે તેમ હતો ત્યાં પણ એમણે લીધો નથી અને એમની છેલ્લી ઇચ્છા પણ વકીલાતમાંથી નિવૃત્તિ લઈને, કશો બદલો લીધા વિના જ, સાહિત્યની સેવા કરવાની હતી. જીવનનિર્વાહ માટે તો વકીલાત જ, વિદ્યાકાર્યો કે જાહેર સેવામાંથી પૈસોયે લેવાનો નહીં એ મોહનભાઈનો સંકલ્પ એક અસાધારણ ઘટના છે. એ આપણને પ્રભાવિત કરે છે અને મોહનભાઈમાં એક પ્રકારના સાધુજીવનની જાણે ઝાંખી કરાવે છે. મોહનભાઈની આ ભાવનાનો વિચાર કરતાં આપણને પણ પરમાનંદ કાપડિયાની જેમ તેમ માનવાનું મન થાય કે મોહનભાઈને માનપત્ર અને થેલી પણ વણઅર્પયાં રહી ગયાં એ એમની ભાવનાને અનુસરતું જ થયું. નવિદ્યાપ્રેમ મોહનભાઈમાં નર્યો વિદ્યાપ્રેમ હતો. કોઈની પણ દ્વારા વિદ્યાનું કામ થતું હોય તો આનંદ અનુભવે અને પોતાનાથી શક્ય તે મદદ કરી છૂટે. મુનિ જિનવિજયજીની ગુજરાત પુરાતત્ત્વ મંદિરની, સિંઘી સિરીઝની કે ભારતીય વિદ્યાભવનની વિદ્યાપ્રવૃત્તિઓ ચાલે અને એનો ઉત્સાહ અનુભવે મોહનભાઈ. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈન ચેર સ્થાપવા માટે મોહનભાઈ કૉન્ફરન્સને પ્રેરે અને પંડિત સુખલાલજી એ ચેર પર બનારસ જાય એમાં એ ભાગ
Page #43
--------------------------------------------------------------------------
________________ 30 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા ભજવે. ઘણા પ્રકાશકો, લેખકો મોહનભાઈની મદદ લેતા - રણજિતરામ અને મુનશીને મોહનભાઈએ માહિતી, સંદર્ભો પૂરા પાડ્યા છે - મોહનભાઈ કામનો વધારે બોજો ઉઠાવીને પણ એવી મદદ કરવાનું સ્વીકારતા, જોકે એ બાબતની કૃતજ્ઞતાપૂર્વક નોંધ ભાગ્યે જ લેવાઈ છે. સામે પક્ષે મોહનભાઈ પોતે, પોતાને કોઈની મદદ મળી હોય તો એની કૃતજ્ઞતાપૂર્વક નોંધ લીધા વિના ન રહે. મોહનભાઈના ગ્રંથોનાં નિવેદનોમાં એમને મદદ આપનારાઓનાં જે નામો આવે છે તેની યાદી કરીએ તો ઘણી મોટી થાય. મોહનભાઈનો વિદ્યાપ્રેમ વિદ્યાપ્રવૃત્તિઓમાં આર્થિક મદદ કરવા સુધી પહોંચતો. સુખલાલજી કશા કામનો વિચાર કરે ત્યારે એમના વારવા છતાં મોહનભાઈ, કામ પોતાને ગમે છે માટે રૂપિયા પાંચસો આપવા તૈયાર થઈ જાય, દરબારીલાલને સાહિત્યપ્રકાશન માટે મુશ્કેલી છે એમ જાણતાં વગર માગ્યે પૈસા મોકલાવે, પરદેશ ભણવા જતા વિદ્યાર્થીને આર્થિક મદદ પૂરી પાડે. મોહનભાઈનો આ નર્યો વિદ્યાપ્રેમ સૌને સ્પર્શી જાય એવો હતો. ગુણાનુરાગ મોહનભાઈની પ્રકૃતિ ગુણાનુરાગી હતી. કોઈ પણ વ્યક્તિમાં જે કંઈ સારું જુએ એના એ ચાહક બની જતા. એમાં ઉંમર, નાતજાત, સંપ્રદાય કશું આડે ન આવે. જિનવિજયજી સાધુવેશ છોડે તેથી મોહનભાઈના એમના વિશેના આદરમાં કશો ફરક ન પડે. વાડીલાલ મોતીલાલ શાહ સામે જૈન સમાજમાં ઘણો વિરોધ, પણ મોહનભાઈને એમના જે ગુણો જણાય એની કદર કરવામાં એ પાછા ન પડે. આ કારણે મોહનભાઈ વિવિધ પ્રકારના લોકો સાથે સ્નેહસંબંધ નભાવી શકતા હતા અને એમના સ્નેહસંબંધો વિશાળ હતા. સત્યપ્રિયતા અને સ્પષ્ટવક્નત્વ પણ મોહનભાઈમાં અંધ ગુણાનુરાગ ન હતો. સત્યપ્રિયતા અને સ્પષ્ટવક્તત્વના ભોગે એ ગુણાનુરાગી ન હતા. મિત્ર સાથે મતભેદ હોય તો એ પ્રગટ કર્યા વિના ન રહેતા અને મિત્રની ટીકા કરવાની થતી હોય તો એ કરી શકતા. કેસરિયાજી તીર્ષના થડા વિશેના મોતીચંદ કાપડિયાના અહેવાલમાં દિગંબર મુનિ માટે એકશન વપરાયું હતું તે પોતાને અનુચિત
Page #44
--------------------------------------------------------------------------
________________ વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા 31 લાગે છે એમ એ નોંધ્યા વિના રહી શકતા નથી. વાડીલાલનાં લખાણોમાં ટંકારા જોવા મળે છે તેની ટીકા કરે છે અને એમનાં વૈમનસ્ય વધારે એવાં લખાણો માટે અપ્રસન્નતા વ્યક્ત કરે છે. (આ જ કારણે, પહેલાં જે વાડીલાલના અનન્ય ભક્ત હતા તે મોહનભાઈ પછીથી એમના વિશે તટસ્થ થઈ ગયેલા.) મુનશીની સાહિત્યસંસદના મોહનભાઈ એક સભ્ય હતા, પણ “પાટણની પ્રભુતા” અને “ગુજરાતનો નાથ'નાં કેટલાંક નિરૂપણોનો વિરોધ કરવાનું એ કર્તવ્ય સમજે છે. મુનશીને જૈન પરંપરાનું જે અજ્ઞાન છે તે જોતાં “જૈન સાધુ વિશે લખવા માટે તમે યોગ્ય તો ન જ ગણાવ” એમ સ્પષ્ટ રીતે જણાવી શકે છે. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં કેશવલાલ કામદારની પ્રસ્તાવના મૂકી પણ એ પ્રસ્તાવનાના “બધા વિચારો સાથે હું સંમત નથી” એમ નોંધ્યા વિના મોહનભાઈ રહી શકતા નથી. મોહનભાઈનાં સત્યપ્રિયતા અને સ્પષ્ટવક્નત્વ અનેક સંસ્થાઓના કાર્યવાહક મંડળમાં તેઓ હતા તેની ચર્ચાઓમાં વ્યક્ત થયા વિના રહેતાં નહીં. પોતાના વિચાર અત્યંત સ્પષ્ટ અને નિશ્ચિત હોય ત્યારે એ ઉત્તેજિત પણ થઈ જતા. પણ એમના મનમાં કોઈ દંશ ન હતો તેથી પોતાના વિરોધી સાથે તરત જ મળી જવામાં એમને કોઈ મુશ્કેલી ન પડતી. એ ખેલદિલ - સાફદિલ આદમી હતા. આથી જ પરમાનંદ કાપડિયા એમ લખી શકે છે કે “ભિન્ન ભિન્ન સંસ્થાઓની કાર્યવાહીમાં તેમની બાજુમાં બેસીને કે સામા બેસીને કામ કરવું, સહમતી અનુભવવી કે વિચારોની અથડામણમાં આવવું... આ જીવનનો એક લહાવો હતો.” મહત્ત્વાકાંક્ષા વગરના માણસ . મોટાં સાહિત્યિક કાર્યો માથે લેનારા અને જાહેરજીવન સાથે આટલાબધા સંકળાયેલા છતાં મોહનભાઈ મહત્ત્વાકાંક્ષા વગરના માણસ હતા ! જે કંઈ કર્તવ્ય બજાવવાનું આવ્યું - અગ્રણી બનીને કે અનુયાયી બનીને - તે એમણે ધર્મભાવથી, એકમાત્ર સેવાની લગનીથી બજાવ્યું. મોહનભાઈનું જીવન એ જાણે એક અર્પિત જીવન હતું. વિનોદવૃત્તિ એટલે જ મોહનભાઈ મનથી અત્યંત હળવા રહી શકતા. વિનોદ કરે
Page #45
--------------------------------------------------------------------------
________________ 32 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા અને મિત્રો વિનોદ કરે એ પ્રેમથી સહી લે. ક્યારેક પોતે પોતાની જાતનો વિનોદ કરે. મુક્ત ખડખડાટ હાસ્ય એ એમના સ્વભાવનું એક લક્ષણ હતું. ઉત્કટ વિદ્યાપ્રેમ અને નિઃસ્વાર્થ સેવાની લગની, કપરી કર્મઠતા અને નરી નિઃસ્પૃહતા, ગુણાનુરાગિતા અને સ્પષ્ટવક્રુત્વ, સત્યનિષ્ઠા અને સરલતા, માનવપ્રેમ અને સહાયવૃત્તિ, તથા સાદાઈભર્યા નીતિનિષ્ઠ જીવનનો આદર્શ - મોહનભાઈના વ્યક્તિત્વની આ છબી આપણા ઊંડા આદરને પાત્ર નથી લાગતી ? 3. વિચાર, જૈન સાહિત્યની જ સેવા શા માટે? ૧૯૧૪માં રણજિતરામે એક પત્રમાં મોહનભાઈને પૂછ્યું હતું કે તમે તમારી સાહિત્યસેવા જૈન સંપ્રદાય પૂરતી મર્યાદિત રાખવાનું શા માટે ઇચ્છુક્યું છે? મોહનભાઈએ તા.૧-૯-૧૯૧૪ના પત્રમાં એનો વિસ્તૃત ખુલાસો કરેલો તે ખાસ જાણવા જેવો છે : “મારી પ્રવૃત્તિઓ જૈન સાંપ્રદાયિક સાહિત્ય પૂરતી મેં શા માટે મર્યાદિત રાખી છે એનાં કેટલાંક કારણો જણાવું H (1) જૈન સાહિત્યમાં કેવાં અમૂલ્ય રત્નો પડેલાં છે તે પ્રકાશિત કરવા જૈનોએ હજુ સુધી કંઈ કર્યું નથી. (2) આદર કરવા યોગ્ય છૂટાછવાયા અપવાદો બાદ કરતાં અજૈનોએ જૈન સાહિત્યનો અભ્યાસ કર્યા વિના અને એને અંગે સમાનભાવી નિષ્પક્ષ દૃષ્ટિબિંદુ નિપજાવ્યા વિના જ એની ગુણવત્તા વિશે પૂર્વગ્રહયુક્ત મૂલ્યનિર્ણયો ઉચ્ચાર્યા છે. (3) પાશ્ચાત્ય વિચારોની અસર નીચે આવેલા આધુનિક જૈન લેખકો ઘણા ઓછા છે ને એમણે ઉપરકથિત મૂલ્યનિર્ણયોની અસ્પષ્ટતા અને અસત્યતાને દૂર કરવા કે પોતાનાં સાહિત્ય અને ઐતિહાસિક દસ્તાવેજોને પારદર્શક અને વિસ્મયજનક રીતે પ્રકાશિત કરતી ઉપયોગી માહિતી પૂરી પાડવા ભાગ્યે જ કંઈ કર્યું છે. (4) બિનસાંપ્રદાયિક સાહિત્યના અભ્યાસમાં તો ઘણા સારસ્વતો લાગેલા છે અને તેથી, અલ્પસંખ્ય જૈન વિદ્વાનો ને અભ્યાસીઓની મદદ એમાં એવી જરૂરની નથી કે એ મોટું પ્રદાન ગણાય. જ્યાં સુધી બધા નહીં તો કેટલાક જૈનેતરો જૈન સાહિત્યને સાંપ્રદાયિક અને અસ્પૃશ્ય ગણે છે ત્યાં સુધી જૈન અભ્યાસીઓ દ્વારા એનો અભ્યાસ
Page #46
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા થાય અને એનું પ્રકાશન થાય એ અત્યંત જરૂરનું છે. જૈન સાહિત્યને એને યોગ્ય સ્થાન મળશે કે જૈનેતર સાહિત્યમાં એ ભળી જશે એટલેકે એને શુદ્ધ કેવળ ગુજરાતી સાહિત્ય જ લેખવામાં આવશે ત્યારે જૈનો અને અર્જેનો એક સમાન હેતુ માટે હાથ મિલાવશે.” (જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ, સપ્ટે.-નવે. 1917, અંગ્રેજી પત્રનો અનુવાદ) આનો અર્થ એ છે કે જૈન સાહિત્યની સેવા એ મોહનભાઈએ સુચિંતિત રીતે સ્વીકારેલો ધર્મ હતો એટલું જ નહીં પણ એ ઐતિહાસિક પરિસ્થિતિએ પ્રાપ્ત કરાવેલો ધર્મ હતો. ગુજરાતી સાહિત્યના ઇતિહાસો જોતાં મોહનભાઈએ જે વિચારોથી પ્રેરાઈ જૈન સાહિત્યની સેવા કરવા ભેખ ધર્યો એ વિચારોની યથાર્થતા સમજાશે. 1914 સુધી ગુજરાતી સાહિત્યના ઇતિહાસોમાં જૈન લેખકોને ક્યાં સ્થાન હતું? મોહનભાઈએ જૈન સાહિત્યના મૂલ્યવાન ભંડારને ખુલ્લો કર્યો ને એના અભ્યાસો પણ આપ્યા તે પછી ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જૈન સાહિત્યને કંઈક પ્રવેશ મળવો શરૂ થયો. પણ તાત્ત્વિક દૃષ્ટિએ જોતાં મોહનભાઈને જૈન અને અજૈન સાહિત્યના ભેદો ઈષ્ટ નહોતા. બન્ને પ્રવાહો એક સાથે ભળે અને શુદ્ધ કેવળ ગુજરાતી સાહિત્યનો પ્રવાહ વહે એ એમની ઝંખના હતી. છેક ૧૯૨૭માં “જૈન ગૂર્જર કવિઓ' ભા.૧ના અને ૧૯૩૧માં જૈન ગૂર્જર કવિઓ' ભા.રના અવલોકનમાં સાહિત્ય' માસિક જૈન અને બ્રાહ્મણ સાહિત્ય જુદાં ખીલ્યાં હોવાનું માને છે, જૈન સાહિત્યની જૂની ભાષાને ગુજરાતી ગણવાનું અનુચિત ગણે છે તથા માત્ર જૈન સાહિત્યને જ સાંપ્રદાયિક સાહિત્યનું લેબલ લગાડે છે ત્યારે મોહનભાઈ અંબાલાલ જાનીના ટેકાથી ખુલાસો કરે છે કે જૈન અને બ્રાહ્મણ સાહિત્ય વસ્તુતઃ જુદાં નહોતાં, એ બંનેની ભાષા જુદી હતી એ હસ્તપ્રતોના વિશાલ પરિચયના અભાવે ઊભી થયેલી ભ્રાન્તિ જ છે ને જૈન સાહિત્ય જે અર્થમાં સાંપ્રદાયિક છે તે અર્થમાં બ્રાહ્મણ સાહિત્ય પણ સાંપ્રદાયિક છે : પ્રેમાનંદનાં આખ્યાનો પણ સાંપ્રદાયિક બ્રાહ્મણ પુરાણકથા પરથી લખાયેલાં છે ને તેમાં પણ સાંપ્રદાયિક પરિભાષા આવી છે. તેવી પરિભાષા ચિરપરિચિત થતાં સાધારણજનમાન્ય થાય છે. શબ્દપ્રયોગો પણ પ્રાચીન તેમજ પ્રાચીન પરથી ઉદ્ભવેલા વપરાય છે. જેમ બ્રાહ્મણોનું તેમ જૈનોનું. તેથી પ્રાચીન વિ.૩
Page #47
--------------------------------------------------------------------------
________________ 34 વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા ગુજરાતીની ઈમારત એકલા બ્રાહ્મણ સાહિત્ય પરથી નહીં પણ બન્ને સાહિત્ય પરથી રચી શકાશે.” (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ.૧૦૭૧-૭૩, પાદટીપ) ભેદદૃષ્ટિનો વિરોધ મોહનભાઈએ પોતાનું કાર્ય જૈન સંપ્રદાયમાં સીમિત રાખ્યું પણ એમની દૃષ્ટિ સાંપ્રદાયિકતાથી રંગાયેલી નથી એ હકીકતની પ્રતીતિ એ વાત પરથી થશે કે એ, ગાંધીજીને અનુસરીને, જૈનોને હિંદુઓમાં જ ગણાવે છે : “જૈન એક જાતિ નથી પણ એક ઘર્મ છે - આર્ય ઘર્મ છે - ભારતવર્ષમાં જન્મેલો ધર્મ છે. હિંદુ એ જાતિ છે અને તેથી જૈનો જાતિએ હિંદુ છે. જૈન ધર્મ પાળનારાઓમાં હિંદમાં વસતાં વણિક આદિ જુદાંજુદાં વર્ષો-જાતિઓ છે. ગમે તે વર્ણના તે ધર્મ પાળી શકે છે.” (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, નિવેદન, પૃ.૪૫) મોહનભાઈનું ભેદષ્ટિવિરોધી મંતવ્ય મુનશીનાં “પાટણની પ્રભુતા' ને “રાજાધિરાજ'નાં કેટલાંક નિરૂપણો પરત્વે વિવાદ જાગે છે ત્યારે સ્પષ્ટપણે વ્યક્ત થતું જોવા મળે છે. " “પાટણની પ્રભુતામાં અનેક ગુણો છે. તે એકો હિ દોષો ગુણસંનિપાતે સૂત્રમાં રહેલા અર્થથી ઉપેક્ષા કરવા યોગ્ય નથી” એમ માનનારા મોહનભાઈ મુનશીએ કરેલા આનંદસૂરિ જતિનાં ને હેમચન્દ્રાચાર્યનાં નિરૂપણોમાં રહેલાં ઐતિહાસિક અતધ્યો અને અનૌચિત્યો સાધાર રીતે વીગતે બતાવે છે ને એ નિરૂપણો પરત્વે પોતાની અસંમતિ પણ જાહેર કરે છે. “રાજાધિરાજ' નવલકથા લખાતી હતી ત્યારે જ મુનશીની પૂછપરછના જવાબમાં એમણે માર્મિક ટકોર કરી હતી અને ચેતવણી આપી હતી : શું હેમચંદ્ર અને મંજરીનો મેળાપ કરાવી મંજરીની છબી હેમચંદ્રના મનમાં લાવી તેને તેથી થયેલા વ્રતખંડનથી તેની પાસે પ્રાયશ્ચિત લેવરાવી - મિચ્છામિ દુક્કડ કરાવી - તેને તેવા આકારમાં મૂકી તમારી નવલકથા ભૂષિત કરવા માગો છો ? એક રસિક પ્રસંગ પૂરો પાડવા ચાહો છો ? મુંજાલને મીનળનો આશક કર્યો, ઉદાને પરસ્ત્રીનું અપહરણ કરનાર ચીતર્યો, આમ્રભટ્ટને મૂર્ણો - પરસ્ત્રીલુબ્ધ બતાવ્યો વગેરે વગેરે, આનંદસૂરિના કલ્પિત
Page #48
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા પાત્રને જબરા political Jain monk (રાજદારી જૈન સાધુ) તરીકે reprensible (તિરસ્કરણીય) સ્વરૂપમાં સુજીને મૂક્યો ને હવે હેમચંદ્રને મંજરીમાં મોહ પમાડી પછી પ્રાયશ્ચિત લેવડાવી શુદ્ધ કરવા માગો છો ? પવિનીને નગ્ન રાખી તપ કરી સરસ્વતીનું વરદાન લેનાર આજન્મ બ્રહ્મચારી હેમચંદ્ર આવું સ્વપ્ન પણ કરે છે ? સર્વ પર વિચારતાં જૈન પાત્રો અને જૈનત્વ પ્રત્યે આપનો કેવો સ્નેહાળ આદરભાવ છે તે આપ પ્રત્યક્ષ કરતા નથી ? આપે “પાટણની પ્રભુતા' પછી જે ખુલાસો ઘડ્યો હતો તે યાદ છે કે? અલબત્ત નવલકથાકાર પ્રતિક્ષણે ઐતિહાસિક જ રહી ન શકે એ ખરું છે, તેને અનેક પાત્રો ઉપજાવવાં પડે છે અને ખરાં પાત્રોમાં અનેક ઉપજાવેલી ઘટનાઓ મૂકવી પડે છે, પણ તે સ્વતંત્રતાને સ્વછંદતામાં પરિણમાવવી ન ઘટે. આપનાં માનીતાં પાત્રો સિદ્ધરાજ, ત્રિભુવનપાલ, કાકભટ્ટ તે તો સર્વગુણસંપન્ન. સિદ્ધરાજ ને રાણકદેવીનો પ્રસંગ કેમ ચીતર્યો નથી? જસમા ઓડણ ને સિદ્ધરાજનો પ્રસંગ ક્યાં લુપ્ત થયો? હેમચંદ્ર માટે કલ્પેલો પ્રસંગ જૈનોના આત્માને દુભવશે એ હું જણાવી દઉં છું. છતાં હવે તે કલ્પીને લખવો, પ્રકટ કરવો કે નહીં તે તમારી સ્વાયત્તત્તા પર છે. એટલેકે પછી “ધણીનો કોઈ ઘણી' નથી.” (તા.૩૧-૧૦-૨૨નો પત્ર, જૈનયુગ, માર્ગશીર્ષ 1982, પૃ.૧૭૩) અને વિવાદપ્રસંગે આ પત્ર ઉદ્ધત કરી કડક રીતે નોંધ કરે છે કે “મારા ઉત્તરમાં સ્પષ્ટ ચેતવણી છતાં પણ રા.મુનશીએ જૈન ભાવનાને - હેમચંદ્રસૂરિશ્રીની પવિત્ર શુદ્ધ નૈષ્ઠિક આજન્મ બ્રહ્મચારી જીવનચર્યાને યથાસ્વરૂપે પોતાની નવલમાં આલેખી નથી ને પોતાના માનેલા કલ્પિત સ્વરૂપમાં અને ભ્રષ્ટ રીતે ચીતરેલ છે અને એમાં જ પોતાની બહાદુરી માનેલી છે. રૂબરૂમાં ચર્ચા કરતાં તેઓએ જણાવેલું યાદ છે કે હેમચંદ્રજી એક મનુષ્ય હતા અને મનુષ્યના વિકારો તેમને ન જ થાય, આ ન થયા હોય, એ સંભવિત નથી, ને તે છતાં એક વખત થયેલ વિકારોને નિર્મૂળ કરે તેમાં તેમની કસોટી છે - દેવિક્તા છે. વાહ ! કેવી વકીલાત !" (એજન, પૃ.૧૭૧) આમ છતાં, છેવટે એમની દૃષ્ટિએ મહત્ત્વનો મુદ્દો બને છે તે હિંદુઓ - બલકે હિંદીઓની એકતાનો. જાહેર વિવાદપ્રસંગે પોતાનું દૃષ્ટિબિંદુ તેઓ
Page #49
--------------------------------------------------------------------------
________________ 3s વિરલ વિભૂતિભા અને મનુષ્ય પ્રતિભા આ પ્રમાણે મૂકે છે : “કોઈ પણ પુસ્તકના પરિણામે જૈનો અને બ્રાહ્મણો વચ્ચે - હિંદુઓ વચ્ચે વૈમનસ્ય ઉત્પન્ન થાય એ કોઈ રીતે ઇચ્છવા યોગ્ય નથી. ભૂતકાળમાં શ્રમણ-બ્રાહ્મણના ઝઘડા થયા હોય અને એકબીજાએ એકબીજાની વિરુદ્ધ લખ્યું હોય તે વાતનો આ યુગે પડદો પાડી દીધો છે અને પાડી દેવો ઘટે. આ યુગ એમ માને છે કે હિંદુઓનું સંગઠન કરો - બલકે હિંદીઓનું સંગઠન કરો. અરસપરસ સહકાર કરો, અસહિષ્ણુતાને તિલાંજલિ આપી એખલાસ કેળવો અને વધારો; છતાં ભણેલાગણેલા મોટી ડિગ્રીઓ ધરાવતા સાક્ષરો અરસપરસ લડાલડી કરે અને એકબીજા પર આક્ષેપો મૂકે અને તેમાં કેટલાક અસંયમી લેખકો અમુક ધર્મ પાળતી ઐતિહાસિક વ્યક્તિઓનું ચરિત્રનિરૂપણ પોતાના જનસ્વભાવના માનેલા ધોરણ પર દોરાઈને કરી તેમને નીચા, હલકા, અધમ કે અવગુણવાળા બતાવાય તેથી તે ધર્મના અનુયાયીઓના મનમાં વિષાદ ઉત્પન્ન કરે એ તો શાંતિઇચ્છિક સંગઠનપ્રિય જમાનામાં વિષમય જ ગણાય.” (ર્જનયુગ, ફાગણ 1983). જોઈ શકાય છે કે મોહનભાઈની મુખ્ય ચિંતા પારસ્પરિક વિદ્વેષની છે. વિદ્વેષને પોષે એવું કંઈ એમને સ્વીકાર્ય નથી. જૈન-જૈનેતરોના સંબંધ પરત્વે વિષસૂચક ભાષા પણ એમને ગમતી નથી. રામલાલ ચુનીલાલ મોદીના “વૈદિક સાહિત્યકારોએ સોળમા શતકમાં હુમલો કર્યો અને જૈનોની ઘણીક સત્તા છીનવી લીધી” એવા ભાષાપ્રયોગોની સામે એ વાંધો લે છે. આ હકીકત તો ખોટી જ છે કેમકે સોળમી સદી પછી ઘણું જૈન સાહિત્ય રચાયેલું છે એમ મોહનભાઈ બતાવે છે, પણ એમનો વધારે અણગમો આવી આક્રમણની પરિભાષા સામે છે. જ્યાં એક સામાજિક વર્ગ કાર્ય કરતો હતો ત્યાં બીજો સામાજિક વર્ગ પણ કાર્ય કરતો થયો એમ કહેવું જોઈએ એવું એ સૂચન કરે છે. (જૈનયુગ, ભાદ્રપદ 1981). સંપ્રદાયમોહનો અભાવ મોહનભાઈએ જૈન સાહિત્યનો અભ્યાસ કર્યો એમાં સહજ ગુણાનુરાગ છે, પણ સંપ્રદાયમહિમાનો હેતુ નથી. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં તેઓ જણાવે છે કે “હું જૈન હોઈ જૈન સાહિત્યની ચઢતી અત્યુક્તિથી બતાવું એવી ઇચ્છામાં રહેલો સંપ્રદાયમોહ મેં સ્વીકાર્ય ગણ્યો નથી.” (નિવેદન,
Page #50
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 37 પૃ.૦) આટલું જ નથી, કેશવલાલ કામદાર સાચું જ કહે છે કે “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'નાં છેલ્લાં પ્રકરણોમાં જૈન તત્ત્વો ને જૈન સમાજ ઉપર માર્ગદર્શક ને નિષ્પક્ષપાતી લખાણો ઉમેરવામાં આવ્યાં છે, તે લખાણ વાંચતાં ઘણી વાર તો એમ પણ લાગે કે લેખક જૈનેતર તો નહીં હોય !" (પ્રસ્તાવના, પૃ.૩) મોહનભાઈને એવું વિધાન કરતાં સહેજ પણ સંકોચ થતો નથી કે “કોઈ પણ જમાનામાં જૈન તીર્થે નાલંદાના કે વિક્રમશીલાના વિદ્યાલયની સુગંધ નથી અનુભવી.” (પૃ.૭૮૫) મોહનભાઈની શુદ્ધ, નિષ્પક્ષપાત ઇતિહાસદૃષ્ટિ છે. આ ઈતિહાસદૃષ્ટિ મોહનભાઈને એમ કહેવા સુધી લઈ જાય છે કે “મારા આ પ્રયત્નથી શ્વેતામ્બર જૈનોએ આર્યસંસ્કૃતિની ભવ્ય ઇમારતમાં કેટલો સુંદર ફાળો આપ્યો છે તેનો ખ્યાલ જૈન કે જૈનેતર - સર્વ વિદ્યાવિલાસી વર્ગમાં આવશે તો, મારો પરિશ્રમ નિરર્થક નથી ગયો એ સમજાતાં આ સાહિત્યસેવકને આનંદ થશે. આવા પ્રયત્નો બૌદ્ધ, વૈષ્ણવ, શૈવ, શીખ, જરથોસ્તી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મના સાહિત્યના ઈતિહાસો લખી બહાર પાડવામાં તે તે ધર્મના વિદ્વાનો કરશે તો વિશેષ આનંદ થશે.” (નિવેદન, પૃ. 1. કાળાં બીબાં આ લેખકે કરેલાં છે.) વિશાળ ઇતિહાસદૃષ્ટિ - જ્ઞાનદૃષ્ટિ ઉપરાંત મોહનભાઈની વિશાળ ઇતિહાસદૃષ્ટિને એ સુવિદિત છે કે કોઈ પણ સાહિત્ય બીજાં સાહિત્યના ઉપલબ્ધ સમાંતર (collateral) પુરાવા પ્રત્યે અલક્ષ કરી શકે નહીં (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, નિવેદન પૃ.૫૮) અને જ્ઞાનને સંપ્રદાયના કે એવા કોઈ સીમાડા નથી હોતા. આથી જૈન સાહિત્ય-ઇતિહાસ આદિનો અભ્યાસ કૂપમંડૂકવૃત્તિથી કરવાનું એમને ઈષ્ટ નથી. એને એ વિશ્વજ્ઞાનનો ભાગ બનાવવા ચાહે છે ને તેથી વિશાળ, નૂતન, ચિકિત્સક દ્રષ્ટિથી એ અભ્યાસ હાથ ધરવાનું એ સૂચવે છે. “જૈનો. અને જૈન ધર્મ વિષયે કેવાં લખાણોની જરૂર છે?' એ શીર્ષક નીચે એમણે એક વખત 207 વિષયોની યાદી કરી હતી (હરલ, જુલાઈ 1913) એમાં મણિલાલ નભુભાઈની જૈન સાહિત્ય પ્રત્યે સેવા', “સરસ્વતીચંદ્રમાં જૈન
Page #51
--------------------------------------------------------------------------
________________ 38 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા સંબંધે ઉલ્લેખ”, “શ્રીમદ્ શંકરાચાર્ય અને જૈનો”, "Jain theory of universe tested by science" જેવા વિષયોનો સમાવેશ મોહનભાઈની વિશાળ જ્ઞાનદૃષ્ટિનો સંકેત કરે છે. જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ ધાર્મિક શિક્ષણનો ક્રમ તૈયાર કરાવેલો એમાં મોહનભાઈનો હિસ્સો હશે જ. એ શિક્ષણક્રમમાં સાંપ્રદાયિકતાને વટી જતી વ્યાપક માનવમૂલ્યોની કેળવણીની સુંદર દૃષ્ટિ જોવા મળે છે - આચારોપદેશના વિભાગમાં અહિંસા, સત્ય, અદત્ત ઉપરાંત વિનય, હિમ્મત, આરોગ્ય, કૃતજ્ઞતા, ઉદ્યોગ, અવલોકન, સ્વદેશાભિમાન જેવા ગુણોની કેળવણીની ભલામણ કરવામાં આવી છે અને કથાઓ દ્વારા આ ગુણોની કેળવણી માટે મોહનભાઈ જે સામગ્રી સૂચવે છે તેમાં “ઈસપની વાતો પંચતંત્ર” “સુબોધક નીતિકથા” "Indian Fairy Tales' અને અન્ય ઘણાં મરાઠી, ગુજરાતી, અંગ્રેજી કથાગ્રંથોનો સમાવેશ થાય છે - માત્ર જૈન કથાગ્રંથોનો નહીં. (જુઓ “જૈન કાવ્ય પ્રવેશ'માં ધાર્મિક શિક્ષણનો ક્રમ.') વ્યાપક સાહિત્યરસ આ બધું એ પણ બતાવે છે કે મોહનભાઈએ ભલે જૈન સાહિત્યમાં જ કામ કરવાનું સ્વીકાર્યું પણ એમનો સાહિત્યરસ કંઈ જૈન પરંપરા પૂરતો મર્યાદિત નથી. એમનાં પોતાનાં લખાણોમાં પણ આના પરિણામો જોવા મળે છે. એ યશોવિજયજી વિશે લખે છે ત્યારે મધ્યકાલીન ભારતીય સંતપરંપરા સાથે એનો સંબંધ જોડે છે, જૈન કૃતિઓના અભ્યાસમાં તે-તે વિષયની જૈનેતર કૃતિઓના હવાલા આપે છે, પોતે ચલાવેલા સામયિકોમાં જૈનેતર સાહિત્યના ગ્રંથોનાં અવલોકનો કરે છે - જરૂર જણાય ત્યાં વિસ્તૃત પણ. આખાયે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની એમને પાકી ઓળખ હોય એવું જણાય છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યનું મોહનભાઈનું વાચન પણ ઓછું જણાતું નથી. ગ્રંથો, ગ્રંથોનાં પ્રકરણો તથા લેખોને આરંભે તથા સામયિકના પહેલા પાને અવતરણો મૂકવાની મોહનભાઈને આદત હતી. એ અવતરણોમાં અંગ્રેજી કવિતા ઉપરાંત અર્વાચીન ગુજરાતી કવિતા - અલબત્ત, જૈનેતર - ની પંક્તિઓ અનેક વાર જોવા મળે છે. આ બતાવે છે કે મોહનભાઈની સાહિત્યરુચિ સાંકડી નથી. એ એ પણ બતાવે છે કે મોહનભાઈ કેવળ ધાર્મિકતાથી પ્રેરાયેલા નથી, એમનામાં સાહિત્યનો રસ પણ છે, કેમકે એ
Page #52
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્ધતિભા અને મનુષ્ય પ્રતિભા અવતરણોમાં સાહિત્ય, કવિતા વગેરેનો મહિમા બતાવતી પંક્તિઓ સ્થાન પામી છે. છેક ૧૯૧૮માં “કાયસ્થ જાતિનો ટૂંક ઇતિહાસ' નામનો લેખ લખનાર, ૧૯૧૨માં સ્વામી વિવેકાનંદના પત્રોનો અનુવાદ કરનાર, મુનશીસ્થાપિત સાહિત્યસંસદના અગ્રણી સભ્ય રહેનાર અને હરિ હર્ષદ ધ્રુવ પરદેશની પૌર્વાત્ય પરિષદમાં ભાગ લે એનો ઉમળકો અનુભવનાર ને એમનાં સંસ્કૃત કાવ્યોને ગુજરાતીમાં ઉતારનાર મોહનભાઈની વિચારસૃષ્ટિ સાંપ્રદાયિક સીમાઓને વશ વર્તી છે એમ કોણ કહેશે ? રાષ્ટ્રધર્મની પ્રબળ ભાવના વસ્તુતઃ મોહનભાઈની વિચારસૃષ્ટિ જૈન-અજૈનના ભેદને મિટાવવાથી પણ ઘણો વિશેષ વ્યાપ ધરાવે છે. રાષ્ટ્રધર્મની પ્રબળ ભાવનાથી મોહનભાઈનું હૃદય સતત ધબક્યા કરે છે. વિવેકાનંદ પ્રત્યેનું એમનું આકર્ષણ એમણે જગાવેલી રાષ્ટ્રભક્તિને કારણે જ છે. ગાંધીજીને તો મોહનભાઈ પયગંબર લેખતા અને એમણે પેરેલી રાષ્ટ્રીય જાગૃતિનો અદમ્ય ઉત્સાહ એ અનુભવતા. જૈનોએ રાષ્ટ્રીય પ્રવાહથી અળગા રહેવું ન જોઈએ, દેશની ઉન્નતિમાં પોતાનો ફાળો આપવો જોઈએ એવું પ્રસંગે પ્રસંગે કહ્યા કરતા. જૈનાચાર્ય શ્રી આત્માનંદજી જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ' (૧૯૩૬)ના નિવેદનના નીચેના ઉદ્ગારો જુઓ : “પ્રભાતનો ઉદય થયો છે, આત્મનિર્ણયના સિદ્ધાંત આખા વિશ્વમાં ફરી વળ્યા છે, ભારતમાં સ્વરાજ્યનો ધ્વનિ પૂરજોસથી સંભળાય છે, દરેક ધર્મ, જ્ઞાતિ અને જાતિ એકતા પ્રત્યે સાધના કરી દેશહિતની સમૂહ-પ્રવૃત્તિમાં ભળે છે, તો જૈન ધર્મના અનુયાયીઓ તેમ કરવામાં પાછળ નહીં રહે અને પોતાનો ફાળો સ્વજાતિ, ધર્મ અને દેશની ઉન્નતિમાં આપશે.” આની સાથે મોહનભાઈ આ જ વિષયને રજૂ કરતું સ્વરચિત “પ્રભાતપ્રબોધ' કાવ્ય પણ જોડે છે. જૈન ધર્મ પ્રસારક સભાના મકાનના ઉદ્ઘાટન પ્રસંગે મોહનભાઈએ પાઠવેલો શુભેચ્છા સંદેશ પણ જુઓ : “સભાની દિનપ્રતિદિન પ્રગતિ ઇચ્છે છું ને પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે કે જૈન ધર્મના પ્રસાર માટે સર્વદા સાનુકુળ. કાર્યકારિણી અને વેગવાળી થાય ને રાષ્ટ્રીય હિતને અવિરોધી રહે.” (જૈન,
Page #53
--------------------------------------------------------------------------
________________ 40 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા તા.૮-૨-૧૯૨૫. કાળાં બીબાં અહીં કરવામાં આવ્યાં છે.) જૈન સમાજની ઉન્નતિ દેશની ઉન્નતિમાં સમાયેલી છે એ મોહનભાઈની દૃઢ પ્રતીતિ છે. તેથી જ એક ભાઈએ મહાવીરના સિદ્ધાંતોનો અમલ તેમના અનુયાયીઓમાં દેખાતો નથી એવી હૈયાવરાળ કાઢી તેના ઉત્તર રૂપે તેઓ લખે છે કે “શ્રી મહાવીરના સિદ્ધાંતોનો વ્યવહારુ અમલ તેના અનુયાયી સમાજમાં ન દેખાય તેમાં આપણો બધાનો વાંક છે અને સામાન્ય જનતાને દોરનાર આગેવાનો - ધર્મોપદેશકોના શિરે તેનો મોટામાં મોટો હિસ્સો છે. દેશનું દારિદ્રય ફીટવાની મોટામાં મોટી ચાવી તે સ્વરાજ છે. તે મેળવવા માટે દેશની સર્વ કોમોએ (કે જેમાં જૈનોનો પણ સમાવેશ થાય છે) પોતાની નિર્બળતા દૂર કરીને પ્રગતિના પંથે વિચરવા પ્રબલ પુરુષાર્થ કરવાની - કરીને કંઈક કાર્ય રૂપે બતાવી આપવાની અતિ - અતિશય આવશ્યકતા છે. શ્રી મહાવીરનો પ્રબલ પુરુષાર્થ સર્વને વીર થવા પ્રેરે એ જ અત્યારે ટૂંકમાં હૃદયની પ્રાર્થના.” (જૈનયુગ, વૈશાખ 1985) મોહનભાઈની દેશપ્રીતિની ભાવના એવી ઉત્કટ છે કે આપણને કદાચ અપ્રાસંગિક લાગે એવી રીતે પણ એ ઊછળી આવે છે. ગિરનાર તીર્થોદ્ધાર રાસ અને તીર્થમાળા' (1920) એ શુદ્ધ જૈન સાંપ્રદાયિક કૃતિના સંપાદનને છે. તેઓ “મેળવેલું એક પ્રભાતિયું છાપે છે જે દેશહિત વિશેનું છે ! જૈનો સમેત દેશના સમસ્ત પ્રજાજીવનમાં જે નવો પ્રાણ ફૂંકાયો છે એ ગાંધીજીને આભારી છે એવી મોહનભાઈની પ્રતીતિ છે. શત્રુંજયનો પ્રશ્ન ઊભો થયો ને એ માટે જૈનોને કરવામાં આવેલી યાત્રાત્યાગની હાકલ સફળ થઈ ત્યારે મોહનભાઈ પૂછે છે - આ જોસ અને જોમ ક્યાંથી આવ્યાં ? અને એમનો ઉત્તર છે - મહાત્માજીએ દેશમાં ઊભા કરેલા વાતાવરણમાંથી. (જૈનયુગ, શ્રાવણ 1982) મોહનભાઈ કૉંગ્રેસના ધ્યેયમાં માનતા હતા અને ગાંધીજીએ કૉંગ્રેસનાં સૂત્રો હાથમાં લીધાં ત્યારથી તો કોંગ્રેસ એમને માટે તીર્થધામ બની ગઈ હતી. કોંગ્રેસનું કામ સીધી રીતે કરવાની એમની પરિસ્થિતિ નહોતી પણ કોંગ્રેસના અધિવેશનોમાં એ હાજરી આપતા અને એમાંથી બળ મેળવતા.
Page #54
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 41 વિશે તંત્રીનોંધો લખતા ને જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના અધિવેશનોમાં રાષ્ટ્રીય પ્રશ્નો પરત્વે પ્રગતિશીલ દૃષ્ટિબિંદુ ધરાવતા ઠરાવો થતા તેમાં મોહનભાઈ જેવા કેટલાક અગ્રણીઓનો ફાળો હતો. આ રાષ્ટ્રીય રંગ, અલબત્ત, જૈનોમાં જે ચુસ્ત સાંપ્રદાયિક વર્ગ હતો તેને ન જ ગમે અને મોહનભાઈને એમનો વિરોધ સહન કરવો પડ્યો હતો. મોહનભાઈના જીવનની વિધિવક્રતા એ છે કે એ હમેશાં ગણાયા સાંપ્રદાયિક લેખક - સંપ્રદાયસેવક, પણ સંપ્રદાયના સનાતનીઓ માટે તો રાષ્ટ્રીય રંગે રંગાયેલા, સુધારાવાદી મોહનભાઈ અસ્વીકાર્ય હતા ! સંપ્રદાયના સનાતનીઓને તો “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં કેટલેક સ્થાને હેમચંદ્ર શબ્દ વાપર્યો હોય એથીયે વાંકું પડે, એમાં હેમચંદ્રાચાર્યની અવમાનના લાગે, મોહનભાઈ શાસનપ્રેમી ન હોવાનું દેખાય, ભલેને મોહનભાઈએ હેમચન્દ્રાચાર્યના જીવનકાર્યની અસાધારણ પ્રશસ્તિ કરી હોય, ઘણીયે વાર “હેમચન્દ્રાચાર્ય “હેમચન્દ્રસૂરિ' એવા પ્રયોગો પણ કર્યા હોય. વિનીત સુધારાવાદ મોહનભાઈ સુધારાવાદી ખરા પણ વિનીત સુધારાવાદી. ક્રાંતિકારી વિચારકો પ્રત્યે એ આકર્ષણ અનુભવતા અને એમનો આદર કરતા. સાધુવેશ છોડનાર જિનવિજયજી સાથે મોહનભાઈ એવો ને એવો ઘનિષ્ઠ સંબંધ રાખે છે, ક્રાંતિકારી વિચારોને કારણે જેમને મહાવીર જૈન વિદ્યાલયે મુક્ત કર્યા તે દરબારીલાલને મોહનભાઈ સત્કારતા અને સહાય કરતા રહે છે અને વાડીલાલ મોતીલાલ શાહની ઉદામતાની ટીકા થાય છે ત્યારે તેઓ જણાવે છે કે દેશની ઉન્નતિ માટે વિનીત અને ઉદ્દામ બન્ને પક્ષની જરૂર છે તથા વિનીત પક્ષની કદર ઉદામને લઈને જ થઈ છે, થાય છે અને થશે. ઉદ્દામ હંમેશાં અલ્પ સંખ્યામાં હોય છે, જ્યારે વિનીત ગાડાં ભરી લ્યો એટલી સંખ્યામાં હોય છે. વિરલની કિંમત વિરલ જ હોય છે - તેની કદર કોઈ વિરલ જ કરશે.” (હરલ્ડ, ઑગસ્ટ-ઑક્ટો. 1916) સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહમાં વાડીલાલે આપેલા આપભોગનું મોહનભાઈ અત્યંત અસરકારક ચિત્ર આપે છે અને વિજ્ઞસંતોષીઓની સખત ટીકા કરે છે. (હરલ્ડ, સપ્ટે.-નવે. 1917) પણ મોહનભાઈ પોતે તો સમાજમાં રૂઢિગામી મિત્રો સાથે રહીને
Page #55
--------------------------------------------------------------------------
________________ 42 સામાજિક કાર્યો કરતા. રૂઢિનું તેમને બંધન હતું એવું નહીં, પણ સામાન્ય રીતે સામાજિક રૂઢિઓને એ અનુસરતા અને નિરર્થક રૂઢિનો પણ ખુલ્લેખુલ્લો વિરોધ ન કરતા. મોહનભાઈના સુધારાના વિચારોમાં બાળલગ્ન, કન્યાવિક્રય આદિ કુરિવાજોનો વિરોધ, કેળવણીનો પ્રચાર કરવાની ભલામણ, નિર્ધનતા દૂર કરવાના ઉપાયો, સર્વ પ્રકારની ભેદભાવનાઓનો ત્યાગ કરી એકતા સિદ્ધ કરવાનો ઉપદેશ વગેરે બાબતો - જે રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં જોવા મળતી હતી તેનો - સમાવેશ થતો. વિશેષમાં જૈન કોમ વેપારી કોમ હોઈ એના એ દિશામાંના વિકાસની પણ મોહનભાઈ દરકાર કરતા. ખાનદેશમાં કૉમર્શિયલ સ્કૂલ માટે વાડીલાલ મો. શાહે પ્રયાસો કર્યા હતા તેને મોહનભાઈએ મજબૂત ટેકો આપેલો. બીજી બાજુથી, મોહનભાઈ જૈનોને ન્યાયસંપન્ન દ્રવ્ય મેળવવાનો નીતિમાર્ગ બતાવે છે અને વેપારીઓને સમાજના પેટ તરીકે વર્ણવી ઉદ્દબોધન કરે છે કે “પેટમાં પડેલું અન્ન કાંઈ પેટના ભોગવવામાં આવતું નથી, પણ લોહી બની આખા શરીરમાં જાય છે તેમ તમારું જે દ્રવ્ય છે તે સમાજરૂપી શરીરના પોષણ અર્થે કુદરતે સાચવવા સોંપ્યું છે. તમારે તે દ્રવ્યરૂપી અન્નનું શક્તિરૂપી લોહી બનાવી તે શક્તિ સમાજરૂપ શરીરને વહેંચી આપવી જોઈએ છે.” (હેરલ્ડ, ઑક્ટો.૧૯૧૩) ગાંધીજીએ પ્રેરેલા સમાજધર્મનો પ્રભાવ અહીં જોઈ શકાય છે. ધાર્મિક બાબતોમાં ક્રિયાકાંડો કરતાં વિચારને મોહનભાઈ વધારે મહત્ત્વ આપે છે. સાધુ વિશે એ કહે છે કે માત્ર વેષધારીને પૂજવા ને નભાવ્યે જવા એ વિચારનું અપમાન છે. જૈન સાધુઓને તો એ નવો કર્તવ્યમાર્ગ બતાવે છે - હિંદુ ઘર્મસુધારકોનાં પુસ્તકો વાંચે, જ્યાં જ્યાં વિહાર કરે ત્યાં જોવા મળતા શિલાલેખો ઉતારી લે, ગામોના ઇતિહાસ જાણે ને નોંધે; તેમજ જૈનોમાં એક ધર્મનાં - એક દેશનાં બાળકો તરીકેની ભાવના પ્રેરે વગેરે. (હરલ્ડ, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૯). પણ સુધારાના આવા વિચારોને પણ ન સ્વીકારનાર, ન સહન કરનાર વર્ગ મોહનભાઈ સામે હતો જ. ખેડાના સ્વયંસેવક મંડળને આશ્રયે એમને એક વખતે ભાષણ કરવાનું આવેલું. એમણે દેશમાં વર્ણગત ભાવના કેમ
Page #56
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા ઉત્પન્ન થઈ ને દેશગત ભાવના કેમ સિદ્ધ ન થઈ તે સમજાવી બાળલગ્ન વગેરે રૂઢિઓ તથા કેળવણીનો અભાવ જેવાં દૂષણોનું ચિત્ર આપ્યું ને એ બધાના ઉપાય તરીકે બેઠા બળવાની જરૂર બતાવી, શુદ્ધ ચારિત્ર્યશાલી નેતાઓ ઉત્પન્ન થશે ત્યારે જ સુધારો થશે એમ કહ્યું. પણ પ્રમુખસ્થાને હતા પૂર્ણાનંદ સ્વામી. મોહનભાઈ પોતે જ નોંધે છે, “એ ચુસ્ત સનાતની અને પ્રાચીનતાપૂજક હોઈ પોતાનું વ્યાખ્યાન અન્ય દિશામાં જ લઈ ગયા.' આવું પણ થાય ! વાડીલાલ મો. શાહના ક્રાન્તિકારી વિચારોનું મોહનભાઈ આકર્ષણ અનુભવે છે અને એમનાં કેટલાંક કાર્યોને એ ટેકો આપે છે તેમ છતાં વાડીલાલની કાર્યશૈલીનો મેળ મોહનભાઈના સ્વભાવ સાથે ન જ મળે. વાડીલાલ તો તીખી જબાનવાળા માણસ. કેસરિયાજી તીર્થના ઝઘડા પ્રસંગે વાડીલાલ જે લખાણો કરે છે તેની મોહનભાઈ ટીકા કર્યા વિના રહી શકતા નથી અને કહે છે કે આ પ્રકારનાં લખાણોથી વૈમનસ્ય વધે છે. (જૈનયુગ, વૈશાખ 1983) સમાજમાં વૈમનસ્ય વધે એ મોહનભાઈને હરગિજ સ્વીકાર્ય નથી. આઘાત પહોંચાડીને નહીં પણ સમજાવટથી જ કામ લેવાનું એમને ગમે. જૈન સંપ્રદાયના ફિરકાઓ અને મોહનભાઈ મોહનભાઈ કુલધર્મથી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન હતા અને એમની પ્રવૃત્તિઓ એ સમુદાય સાથે વધારે સંબંધિત રહેતી. પણ આ તો તેમણે સ્વીકારેલી એક વ્યક્તિગત મર્યાદા હતી. એમની દૃષ્ટિ કંઈ આવા ફિરકામાં સમાઈ શકે એવી નહોતી. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” માત્ર શ્વેતામ્બરોના સાહિત્યને આવરે છે, દિગંબરોના નહીં. પણ એ કેમ બન્યું તે એમના શબ્દોમાં જ જોઈએ : દિગંબરી સાહિત્યનો ઈતિહાસ ગુજરાતીમાં લખવા માટે મેં પ્રયત્ન કરી જોયો, પણ પછી મને લાગ્યું કે કોઈ દિગંબર વિદ્વાન મહાશય જ તેને સંપૂર્ણ ન્યાય આપી શકે અને તેવા મહાશય મારા મિત્ર નથુરામ પ્રેમી અગર તો જુગલકિશોર મુખત્યાર છે... તે કાર્ય સત્વર થઈ જાય તો દિગંબરોએ પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, હિંદી ઉપરાંત તામિલ અને કર્ણાટકી ભાષાનું સાહિત્ય ખેડવામાં જે મહાન ફાળો આપ્યો છે તે જણાય. એમ થતાં જૈનના
Page #57
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા બંને સંપ્રદાયોનું સાહિત્ય જનતા સમક્ષ મુકાતાં એકબીજાની સરખામણીમાં કોણે કઈ રીતે એકબીજાથી વધારે સેવા બજાવી છે તે માલુમ પડશે અને સમસ્ત જૈન સાહિત્યનું મૂલ્ય અને સ્થાન આર્યસંસ્કૃતિમાં શું છે તે સ્પષ્ટ જણાઈ આવશે.” (નિવેદન, પૃ.૩૦) મોહનભાઈને દિગંબર સાહિત્યપરંપરા પ્રત્યે ભરપૂર આદર છે એ દેખાઈ આવે છે. કેશવલાલ કામદારને મોહનભાઈના ઇતિહાસગ્રંથમાં સ્થાનકવાસી સંપ્રદાયના કામનો જે ઉલ્લેખ થયેલો છે એ અધૂરો લાગ્યો છે. ઉપરાંત એમની ફરિયાદ છે કે ““મોહનલાલભાઈએ સ્થાનકવાસી સંપ્રદાયના મૂર્તિપૂજા સામેના વિરોધને વિશાળ દૃષ્ટિથી અવલોકવાની જરૂર હતી. એ વિરોધ માત્ર નવો મત ઊભો કરવા માટે નહોતો, તેમાં સિદ્ધાંત હતો, તર્ક હતો, સંસ્કૃત માનસના ઊંડા અને ઊંચા લક્ષણનો અભ્યાસ હતો, અને મૂર્તિપૂજાથી કાળાંતરે પરિણમતાં જડતા ને વહેમ સામે ખરો પ્રકોપ હતો. જૈન શાસન ને જૈન આચારવિચારને સુધારવાની તેમાં તીવ્ર ઉત્કંઠા હતી. દુર્ભાગ્ય સ્થાનકવાસી સુધારકોની આ શક્તિ મૂર્તિપૂજા સામે પ્રકોપ કરવામાં બધી ખરચાઈ ગઈ હોય નહીં તેમ તેનો સમાજ ક્રિયાજડ ને સંસ્કૃત તથા અર્ધમાગધી વિદ્યાના અભ્યાસથી એકદમ વિમુખ થઈ ગયો.” (પ્રસ્તાવના, પૃ.૭૭). જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસની પહેલી દૃષ્ટિએ આવી છાપ પડે ખરી. પણ મોહનભાઈના અભ્યાસનું મૂળ ક્ષેત્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરા હતી એ યાદ રહે તો આ ફરિયાદને ઝાઝો અવકાશ રહેતો નથી. આ કારણે તો દિગંબર પરંપરા આ ગ્રંથમાંથી સંપૂર્ણપણે બાકાત રહી. શ્વેતામ્બર સ્થાનકવાસી સંપ્રદાયની માહિતી થોડીઘણી પણ આમેજ થઈ કેમકે એ સંપ્રદાયનું ગુજરાતમાં ઘણું ચલણ હતું ને મોહનભાઈ મામાને કારણે એ સંપ્રદાયથી સારી રીતે પરિચિત હતા. આમ છતાં, એ માહિતી અધૂરી લાગે તો એનું કારણ, મોહનભાઈ દર્શાવે છે તેમ, એ છે કે “ખાસ ઉલ્લેખવા યોગ્ય તેમનું સાહિત્ય મારી નજરે આવ્યું નથી.” (નિવેદન, પૃ.૪૧) પછીથી, જૈન ગૂર્જર કવિઓ ભા.૩માં સ્થાનકવાસી સંપ્રદાયના સાહિત્યની ઘણી વીગતે નોંધ લેવાઈ છે, કેમકે ત્યારે મોહનભાઈને એ સંપ્રદાયના ભંડારો જોવાના પ્રસંગ આવી ગયા હોય છે. (એ ગ્રંથમાં આ જ રીતે દિગંબર
Page #58
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 45 પરંપરાના ગુજરાતી સાહિત્યની પણ ઘણી નોંધ આવી છે.) સમભાવના મુદ્દા પરત્વે મોહનભાઈનો ખુલાસો અત્યંત સ્પષ્ટ છે : “હું કુલધર્મથી શ્વેતામ્બર મૂર્તિપૂજક છું, પણ પૂજ્ય મામાશ્રીને ત્યાં ઊછરેલો ને તેઓ કુલધર્મથી સ્થાનકવાસી, પણ સર્વ ધર્મ પ્રત્યે ઉદાર હૃદયના એટલે તેમના સમાગમથી સ્થાનકવાસી સંપ્રદાય પ્રત્યે પણ પ્રેમ, ઉદારતા અને સહિષ્ણુતા મારામાં મૂળથી કેળવાયાં છે. વિશાલ દૃષ્ટિથી અવલોકતાં તે સંપ્રદાય માટે ઐતિહાસિક બીના જે કંઈ મળી તે ટૂંકમાં સમભાવે મૂકવામાં આવી છે.” “અલબત્ત તેના મૂર્તિપૂજાનિષેધ આદિ સિદ્ધાંતના ગુણદોષની ચર્ચા આ ગ્રંથમાં કરવી અપ્રસ્તુત છે, તેથી કરી નથી...તેવી વાતો જ્યારે જૈન સંપ્રદાયોનો સંક્ષિપ્ત ઇતિહાસ' લખવામાં આવે ત્યારે તેમાં સ્થાન પામી શકે. એવો ઇતિહાસ પ્રકટ થાય તો તે મનોરંજક, બોધદાયક અને શિક્ષાપ્રદ જરૂર બને તેમ છે. કોઈ લેખક અભિનિવેશ-પૂર્વગ્રહ-સ્વસંપ્રદાયમોહને તજી પ્રેમ, ઉદારભાવ અને સહિષ્ણુતાને સજી તેવો ઈતિહાસ લખવા પ્રેરાય એ ઇચ્છીશું.” (નિવેદન, પૃ.૪૧) સ્થાનકવાસી સંપ્રદાયની ટીકા કરતા ઘણા ગ્રંથો મૂર્તિપૂજક પરંપરામાં લખાયેલા છે. મોહનભાઈના ઈતિહાસગ્રંથમાં સ્વાભાવિક રીતે જ એનો ઉલ્લેખ ને પરિચય આવે. એથી કેશવલાલ કામદારને પડી છે તેવી છાપ પડે. ધર્મવર્ધનનાં સ્થાનકવાસી સંપ્રદાયના સાધુઓ પરનાં “તિરસ્કારસૂચક કવિતો'માંથી બે અને ભાવપ્રભસૂરિના એક સવૈયામાંથી “ગાળોના વરસાદથી લખ્યું છે તે ગાળો કાઢીને થોડુંક મોહનભાઈ ઉદ્ધત કરે છે. (પૃ.૬૫૦ પાદટીપ) પણ મોહનભાઈએ આ ઉદાહરણો આપતી વેળા જે શબ્દો વાપર્યા છે ને જે બાદબાકી કરી છે એ ધ્યાનમાં લીધા વિના કેમ ચાલે? સ્થાનકવાસી સંપ્રદાય પ્રત્યેની જે-તે કવિની અનુદારતા અને વિષવૃત્તિ તથા એ માટેનો મોહનભાઈનો અણગમો એમાંથી સૂચિત થઈ જાય છે. સ્થાનકવાસી પરંપરા પ્રત્યે મોહનભાઈના મનમાં કશો અનાદર હોય એમ માનવા માટે કારણ જણાતું નથી. મોહનભાઈનો તો મનોરથ હતો કે પોતે જૈન સંપ્રદાયોનો સંક્ષિપ્ત ઇતિહાસ લખે. (નિવેદન, પૃ.૪૧) એમના જેવા સ્વસ્થ, સમતોલ, નિષ્પક્ષપાત,
Page #59
--------------------------------------------------------------------------
________________ 4s વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા નમ્ર અને ધર્મતત્ત્વની વિશાલ દૃષ્ટિવાળા અભ્યાસીને હાથે આ કામ થયું હોત તો એ ઘણું ઉપયોગી પુરવાર થયું હોત એમાં શંકા નથી, પણ દુર્ભાગ્યે એમનો એ મનોરથ પાર પડ્યો નથી. વિચારસૃષ્ટિને વ્યાપ મોહનભાઈની વિચારસૃષ્ટિનો વ્યાપ ઘણો મોટો હતો. વિવિધ વિષયો પરત્વે એમણે દર્શાવેલા વિચારોની નોંધ લેવાનું અહીં શક્ય નથી, એવો ઉપક્રમ પણ નથી. અહીં તો એમની કેટલીક વિચારદિશાઓની ઝાંખી કરાવવાનું પર્યાપ્ત ગયું છે. મોહનભાઈનાં બહુસંખ્ય અગ્રંથસ્થ લખાણો છે. એમના વિચારોની દુનિયાનો વીગતે પરિચય તો એ લખાણો ગ્રંથસ્થ થાય અને એનો અભ્યાસ કરવામાં આવે ત્યારે જ થઈ શકે. પરંતુ મોહનભાઈએ કેવાકેવા વિષયો પર કલમ ચલાવી છે એનું દિગ્દર્શન તો એમના લેખોનાં કેટલાંક શીર્ષકો જોવાથી પણ થશે : “જૈનો અને વ્યાયામ”, “હુલ્લડમાં જૈનોની દશા', જૈન સાહિત્યમાં જીવનનો ઉલ્લાસ,” “જૈન દૃષ્ટિએ મહાત્મા ગાંધી', “આત્મઘાત - એક બહેન પ્રત્યે પત્ર”, “કાગડાઓને શું શાંતિથી રહેવાનો હક્ક નથી ?" “દેશી રાજાઓને માનપાન', પડદો કાઢી નાખો', “સમાજમાં નારીનું સ્થાન”, “સંમતિવય સમિતિ', સ્ત્રિીઓના હક્કો વિશે સંવાદ' વગેરે. એક માત્ર જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જોવાથી પણ મોહનભાઈની વિચારસૃષ્ટિના વ્યાપની ઝલક મળે તેવું છે. એનાં છેલ્લાં ચાર પ્રકરણોમાં જૈન ધર્મસિદ્ધાન્તો, સાહિત્ય, ઇતિહાસ, કલા, સંઘવ્યવસ્થા, સાધુ-શ્રાવક સંસ્થાઓ, જ્ઞાનભંડારો, તીર્થો વગેરે વિશે ગાંધીજી, આનંદશંકર જેવા જૈનેતર વિદ્વાનોનાં ઉદ્ધરણો સાથે જે વિચારનિષ્ઠ સામગ્રી રજૂ થઈ છે તેમાં મોહનભાઈની આધુનિક ને પ્રસંગે ચિકિત્સક બનતી દૃષ્ટિનો આપણને પરિચય થાય છે. પણ વધારે ધ્યાન ખેંચે છે તે તો ગ્રંથના આરંભમાં મુકાયેલું પપ પાનાનું નિવદેન. એમાં આ ગ્રંથના લેખન વિશેની વીગતે માહિતી આપવા ઉપરાંત અન્ય કેટલાબધા વિષયો વિશેના વિચારો સંગ્રહ્યા છે ! - જૈનો હિંદુ છે, શાસ્ત્રોને નામે થતા અનર્થો અને જાહેર સેવકનું કર્તવ્ય, ધર્મનું વ્યાપક સ્વરૂપ, સુધારાની યુવકોની શક્તિ અને યુવકો સાથે પ્રેમભર્યા સંબંધની જરૂરિયાત, અક્ષરજ્ઞાન અને કેળવણી, સ્વભાષાનું મહત્ત્વ, હિંદી
Page #60
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 47 અને અંગ્રેજીનું સ્થાન, યુનિ. ગ્રેજ્યુએટોનું કર્તવ્ય, ઈતિહાસનો વિકાસવાદ, હિંદુ-મુસ્લિમ ઐક્ય વગેરે. આ ગ્રંથના નિવેદનમાં આવા બધા વિચારો કઈ રીતે પ્રસ્તુત એવો પણ કોઈને પ્રશ્ન થાય ! મોહનભાઈની વિચારસૃષ્ટિના વ્યાપની આવી ઝાંખી થાય ત્યારે જ એમની સાથે ““જૈન સમાજ, સાહિત્ય, કોંગ્રેસ, રાજકારણ, ધર્મરૂઢિઓ, સાધુસંસ્થાની વિશેષતાઓ અને વિકૃતિઓ વગેરે વિષયો ઉપર ચર્ચા કરવી, વિચારવિનિમય સાધવો એ આ જીવનનો એક લ્હાવો હતો' એ પરમાનંદ કાપડિયાના શબ્દોની યથાર્થતા આપણને સમજાય. કેટલાક વિચારો છેલ્લે, મોહનભાઈના થોડાક લાક્ષણિક, ધ્યાન ખેંચતા વિચારો નોંધવાનો લોભ થાય છે. એથી પણ એમના મનોવલણોને સમજવામાં મદદ મળશે : | | ઈતિહાસ તે ભૂતકાળનું માત્ર રાજકારણ નથી, તે તો દાખલા અને પ્રત્યક્ષ ઉદાહરણોથી બોધ કરતી ફિલસૂફી છે. (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, નિવેદન, પૃ.૨૮). || પૂર્વના મહાન વીરોમાં મહત્તા નીરખવી એ પ્રજાકીય પ્રજ્ઞાનો * પ્રારંભ છે. (એજન, પૃ.૨૮). || ભૂતકાલ પ્રત્યે સામાન્ય રીતે અક્ષમ કે અસહિષ્ણુ નથી થવાતું... ભૂતકાળમાં તે સર્વ બનેલું એટલે આપણને તેની સાથે સાક્ષાત પરિચય હોતો નથી, તેથી તેના પ્રત્યે સારા કે નરસા અભિનિવેશ જાગતા નથી. પણ આપણી નજર આગળ પસાર થયેલો વર્તમાન વિચારવાનો આવે ત્યારે આપણી લાગણી સ્વસ્થ રહેતી નથી... અનિષ્ટ તત્ત્વો પ્રત્યે સહનશીલતા રહેતી નથી અને સત્ય કહેવા જતાં... કોઈ વખત વધુ પડતું કહી જવાનો, તેમ કોક ટાણે અન્યાય કરી દેવાનો પણ પ્રસંગ આવવાનો સંપૂર્ણ સંભવ છે. (એજન, પૃ.૪૨) D જાહેર સેવા કરનારનો ધર્મ પ્રજાના પ્રવાહની જે ગતિ હોય તેમાં તણાવાનો નથી...જો પોતાના દિલમાં “ના” હોય તો તેનામાં “ના” કહેવાની હિંમત હોવી જોઈએ. (એજન, પૃ.૪૬) | યુવકો પ્રત્યે બંડખોર કહી ઉપેક્ષા કરવી, તેમની હરકોઈ પ્રકારે
Page #61
--------------------------------------------------------------------------
________________ 48 વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા નિદા કરવી,. તેમનો જુસ્સો દબાવી દેવો અને તેમની પ્રવૃત્તિઓ ને વિચારÚરણાઓ અનિષ્ટ, ઉશ્રુંખલ તથા અહિતકારી ગણી જ લેવી - એ તેમનું માનસ નહીં સમજવાથી ઉપસ્થિત થયેલાં પરિણામો છે...ભણેલા યુવકો ન્યાય ચાહે છે, યુક્તિ ઈચ્છે છે...યુક્તિ કે ન્યાય દાખવવા જેટલી બુદ્ધિ કે શક્તિ ન હોય અને તે છતાં સ્વમાન જાળવવું હોય તો પ્રેમદૃષ્ટિથી યુવકો જે કરે તે જોયાં કરવું - મૌન સેવવું એ આજનો યુગધર્મ કહે છે. અત્યારે તો વિરોધ, પ્રતિકાર, પ્રણાલિકાભંગ, આક્રમણ એવા અનેક શબ્દોના રણકાર સંભળાય છે. આથી ભડકવાનું નથી, પરંતુ યુગમાં એક પ્રકારનું જોસ - બળ આવ્યું છે. તેના ચિહ્ન તરીકે એ રણકાર છે એમ સમજી આનંદવાનું છે અને વિશેષમાં તેનો લાભ લઈ તે રણકાર વધુ ને વધુ ગતિ લઈ યોગ્ય પ્રગતિના પંથે વહી એક પ્રચંડ મહાન અવાજ બની વિશ્વવ્યાપી થાય, આખા ભારતમાં ફરી વળે એવું ઇચ્છવાનું છે. (એજન, પૃ.૪૮-૫૦). D વાણી અને વિચારના અસંયમથી ધાર્યા ઘા થઈ શકશે નહીં અને એમ કરતાં નિશાન ખાલી જવાથી પ્રત્યાઘાત વધારે જોરવાળો થશે. (એજન, પૃ.૫૦-૫૧). T હિંદુ (જેમાં જૈનો સમાય છે), મુસલમાન ને પારસી એ ત્રણે કોમો ગુજરાતી બોલે છે, ત્રણે વેપારી હોઈ આખા હિંદુસ્તાનમાં ને દેશાવરમાં ફરનારી છે. એ ત્રણેને ગુજરાતી તરીકે ઓળખાવનાર વસ્તુ તેમની ભાષા છે. તેની સેવા ત્રણે કોને કરવી અને તે ભાષામાં શિક્ષણ આપનારી વિદ્યાપીઠને સ્થાપિત, પોષિત અને વર્ધિત કરવી એ તેમની ફરજ છે. (એજન, પૃ.૫૩) _એક જાતિ કે કોમનું તાત્ત્વિક સ્વરૂપ તે પૂર્વ યુગોમાં જે સ્થિતિમાં હતું તેમાંથી ઉપલબ્ધ થતું નથી તેમજ વર્તમાનમાં જે સ્થિતિમાં સ્થિર થયેલ હોય તેમાંથી પણ મળતું નથી; કોઈ પણ પ્રજાના ઈતિહાસની પર્યાલોચના કરીએ તો એવું ઊંડું ને પાયામાંથી ચણેલું કંઈક મળી આવશે કે જે સંપૂર્ણતા પામ્યા વગર નિરંતર નવીન ને નવીન થતું જાય. આ વિકાસવાદ જીવનનું રહસ્ય છે - તાત્ત્વિક સ્વરૂપ છે. (એજન, પૃ.૫૬) ઇતિહાસકારની મોટી વિષમતા એ છે કે કેટલીક વાર પાછળના ગ્રંથોમાં વર્ણવેલી સ્થિતિ પૂર્વના ગ્રંથો કરતાં પણ પૂર્વતર હોય છે, અમુક
Page #62
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા ગ્રંથમાં સ્વસમયનું ચિત્ર પણ કેટલીક વાર હોતું નથી, અમુક રિવાજ બંધ થઈ ગયા છતાં પણ પુસ્તકમાં રહે છે, એક જ ગ્રંથમાં એકબીજાથી ઊલટાં પ્રતિપાદનો પણ જોવામાં આવે છે. આ વિષમતા નીપજવાનાં ઘણાં કારણો છે H હિંદુસ્તાન મોટો દેશ હોઈ એમાં ઊંચીનીચી ભૂમિકાનો સુધારો એકી વખતે જુદાજુદા ભાગમાં પ્રવર્યો છે. દા.ત. આર્ય અને અનાર્ય બંને લોકોને એક જનતામાં સંગ્રહવાની જરૂર પડતાં, એક જ સ્મૃતિગ્રંથમાં બંનેના રીતરિવાજો સંગ્રહવા પડ્યા છે. (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ.૭૫૦-૫૧) [ આ રાજતંત્રમાં ધાર્મિક સ્વતંત્રતા ગમે તેટલી હોય છતાં એવી સ્થિતિ ઉપસ્થિત થાય છે કે તે રાજતંત્ર પોતે પોતાના તરફથી અગાઉના યવન રાજકર્તાઓ જેવું આક્રમણ ન કરે છતાં તમે પોતે જ આપસઆપસમાં ઝઘડા કરી પોતાના તીર્થના ભંજક બનો અને તે ઝઘડાનો નિકાલ ઠેઠ પ્રિવિ કાઉંસિલ સુધી દોડી કરાવો ને ખુવાર થાઓ. આમ કરવું એમાં મૂર્ખતા છે, ધર્મનો દ્રોહ અને અધર્મનું પાલન છે. તીર્થરક્ષા નિમિત્તે આપણે તીર્થનો અને તેના ઉદેશનો ધ્વંસ વધારે કર્યો છે ને કરતા જઈએ છીએ. (એજન, પૃ.૭૮૫) | દાનધર્મની રીતિ હવે ઘણો ફેરફાર માગે છે. તેને વ્યવસ્થિત સંગઠિત કરીને તેનો લાભ વધુ ઉપયોગી રીતે, વધુમાં વધુ માનવસંખ્યા લઈ શકે અને તેમ થતાં ભવિષ્યમાં તેવા લાભ લેનારની સંખ્યા ઓછી જ થતી જાય એમ કરવાની જરૂર છે. (એજન, પૃ.૭૮૮). | દાંભિક અહિંસાને તો દેશવટો જ દેવો જોઈએ. તેની જરા પણ તરફદારી કરવી એ સ્વત્વ ગુમાવવા જેવું છે, એટલે કે જ્યાં ભય, કાયરતા અને સ્વાર્થ ધરબી ધરબીને ભર્યા હોય અને ઉપર જતાં આ બધાંને દયા કે અહિંસાના આવરણ વડે છુપાવવામાં આવે એ કોઈ કાળે વાસ્તવિક અહિંસા ન હોઈ શકે. (એજન, પૃ.૮૧૩). પુસ્તકભંડાર નવો સ્થાપવા કરતાં કોઈ પણ હયાત ભંડારને વિશાલ બનાવવો, એકત્રીકરણ કરવું. (હરલ, જૂન 1913) 4. વિશેષ મોહનભાઈની સક્રિયતા અને સેવાનાં ક્ષેત્રો ત્રણ : જાહેરજીવન, વિ.૪
Page #63
--------------------------------------------------------------------------
________________ 50 વિરલ વિદ્ધતિભા અને મનુષ્યપ્રતિભા પત્રકારત્વ અને સાહિત્યલેખન. આ ત્રણે ક્ષેત્રોમાં એમની કામગીરીની શી વિશેષતાઓ હતી અને એમનું પ્રદાન કેવું મૂલ્યવાન હતું તે હવે જોઈએ. (ક) જાહેરજીવન નિર્મળ, નિર્ભીક, જાતસંડોવણીવાળી સેવાવૃત્તિ મોહનભાઈનું જાહેરજીવન શુદ્ધ સેવાભાવનાનો એક આદર્શ આપણી સમક્ષ મૂકે છે. એમાં નિષ્ઠા હતી - પોતે જે સંસ્થા સાથે સંકળાયા હોય તેની સઘળી કાર્યવાહીમાં એ અચૂક ભાગ લે, એનાં સભાસંમેલનોમાં અચૂક હાજરી આપે; એમાં જાતસંડોવણી હતી - એ નિષ્ક્રિય સભ્ય બની ન રહે, પોતાના વિચારો નિર્ભીકતાથી રજૂ કરે અને જવાબદારી વહન કરવાની આવે તે પ્રેમપૂર્વક અને શ્રમપૂર્વક પણ વહન કરે; એમાં સ્થાનમાનની કશી અપેક્ષા નહોતી - સામાન્ય કાર્યકર્તા તરીકે કર્તવ્ય બજાવવાનું હોય તોયે એ આનંદથી બજાવે. મોતીચંદભાઈ ઈગ્લેંડ ગયેલા ત્યારે ત્યાંથી મોહનભાઈને લખેલું કે તમારી નિષ્કામ સેવા ઘણી વાર યાદ આવે છે. આવી નિર્મળ જાહેર સેવાવૃત્તિના દાખલા બહુ વિરલ હોય છે. કદાચ એમ પણ કહી શકાય કે મોહનભાઈની આ નિર્મળતાને કારણે જાહેર સેવામાં એમણે જે ભોગ આપ્યો છે એના પ્રમાણમાં એમનું ગૌરવ થઈ શક્યું નથી. અનેક જૈને સંસ્થાઓમાં છવાયેલા કાર્યકર્તા મોહનભાઈ વિશાળ જાહેરજીવન સાથે પણ સંકળાયેલા હતા. કોંગ્રેસ, સાહિત્ય પરિષદ, સાહિત્યસંસદ વગેરેના એ સભ્ય હતા. પણ ત્યાં ખાસ કશો અસરકારક ભાગ ભજવવાનું એમને આવ્યું હોય એમ જણાતું નથી. એમણે અસરકારક ભાગ તો જૈન સમાજના પ્રશ્નોમાં ભજવ્યો છે અને ઘણીબધી જૈન સંસ્થાઓમાં એ મહત્ત્વના કાર્યકર્તા તરીકે છવાયેલા રહ્યા છે. આ હકીકતનું સચોટ ચિત્ર તો ટીકાત્મક ભાવે લેવાયેલી એક નોંધમાં જડે છે : રા.રા.દેશાઈ મુંબઈની સઘળી આગેવાન સંસ્થાઓની કારોબારી કમિટીના સભાસદ છે. મુંબઈમાં આવું માન જો કોઈબી ધરાવતું હોય તો આ “ત્રિપુટી' છે. આ ત્રિપુટી' ત્રણ નામચીન જૈન ગૃહસ્થોની બનેલી છે. આ “ત્રિપુટી'ના રા.રા.મોહનલાલ દલીચંદ દેશાઈ, રા.રા.મકનજી જૂઠા બૅરિસ્ટર અને ડૉ. નાનચંદ કસ્તુરચંદ મોદી સભાસદો છે. દરેક તકરારી
Page #64
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા બાબતોમાં આ ત્રિપુટી' હંમેશાં એકમત જ છે. અને આ ત્રિપુટી' ક્યાં નથી ? મુંબઈ માંગલોર જૈન સભા, મુંબઈ મહાવીર જૈન વિદ્યાલય, જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયા - દરેક ઠેકાણે, દરેક કમિટીમાં આ વકીલ, બેરિસ્ટર અને દાક્તરની ત્રિપુટી કાંઈ ઓર જ ચમત્કાર કરી બતાવે છે. કોઈ ઠેકાણે કૉન્ફરન્સના પ્રમુખના માટે આમંત્રણ કરવા ડેપ્યુટેશન જાય તો તેમાં પણ મુખ્ય સભાસદો તરીકે આ “ત્રિપુટી' જ નજરે પડશે. જૈન ગ્રેજ્યુએટ્સ એસોસિએશન, કૉન્ફરન્સ એજ્યુકેશન બૉર્ડ વગેરેવગેરે, નાના કે મોટા કે સારા કે ખોટા કોઈબી અગત્યના ખાતાને આ ત્રિપુટીના ટેકા વગર જીવવું કે નભવું મુશ્કેલ જણાય છે. આ ત્રિપુટી વગર કોઈ સભા શોભતી નથી અને કોઈ હિલચાલ વજનદાર બનતી નથી. મુંબઈના રાજદ્વારીઓ સર ફિરોજશાહ મહેતા, નામદાર જસ્ટિસ મિ.તેલંગ અને મિ. બદરુદ્દીન તૈયબજીની ત્રિપુટી જેમ મુંબઈની રાજદ્વારી તવારીખમાં અમર છે, તેવી રીતે મુંબઈની સાંપ્રત જૈન તવારીખમાં આ ત્રિપુટી પણ તેવું જ અગત્યનું નામ મેલી જાય તો આપણે અજાયબ થઈશું નહીં. આ ત્રિપુટીના સભાસદો તેથી વ્યાજબી રીતે એકબીજાની પડખે હંમેશાં ઊભા રહી, એકબીજાને ટેકો આપે છે, અને તેમ કરી એકબીજાને જાહેરમાં આગળ પાડે છે. ત્રિપુટીના દરેક સભાસદમાં બળ છે, કારણકે ત્રિપુટીના બાકીના સભાસદોના ટેકાની તે સભાસદને ખાતરી છે. અત્યારે મુંબઈની જૈન કોમમાં આ ત્રિપુટી' જે સત્તા અને લાગવગ ધરાવે છે તેનું કારણ ઉપર જણાવ્યું તે છે. મુંબઈ માંગલોર જૈન સભા જ્યારે આ ત્રિપુટીની મદદથી ભાષણશ્રેણી તૈયાર કરે છે, ત્યારે ત્રિપુટીનો એક સભાસદ વક્તા તો બીજો પ્રમુખ અને બીજો વક્તા તો ત્રીજો પ્રમુખ અને ત્રીજો પ્રમુખ તો પહેલો વક્તા આ પ્રમાણે સુંદર ગોઠવણ ભાષણશ્રેણીમાં થાય છે, અને ત્રિપુટીનો એક સભાસદ જ્યારે એકબીજાની તારીફ કરે છે ત્યારે ઘણી વખતે હસવાનું રોકવું અશક્ય થઈ પડે છે. રા.રા.મોહનલાલ દલીચંદ દેશાઈની લાયકાત તપાસતાં જૈન કોમે જાણવું જોઈએ કે રા.રા.દેશાઈ આ બળવાન ત્રિપુટીના એક અગ્રગણ્ય સભાસદ છે અને હાલમાં જોકે ત્રિપુટીના એક રા.રા.મકનજી બૅરિસ્ટર સાથે તેઓએ જૈન ઍસોસિએશન ઓફ ઇન્ડિયામાંથી રાજીનામું આપ્યું છે, છતાં
Page #65
--------------------------------------------------------------------------
________________ પર વિરલ વિભૂતિભા અને મનુષ્ય પ્રતિભા તેઓ બાકીની સઘળી સંસ્થાઓમાં સભાસદ છે, એટલે લાગવગ ધરાવે છે. તેઓએ પોતાના હેરલ્ડ'ના માસિકમાં પોતાના મિત્ર રા.રા.વાડીલાલ મોતીલાલ શાહના ઘણા લેખો પ્રગટ કર્યા છે અને રા.રા.વાડીલાલભાઈએ પોતાના આ વફાદાર મિત્રની આ સેવાની કદર બૂઝી પોતાના હસ્તકના વિદ્યાર્થીગૃહના કારોબારી ખાતામાં રા.રા.મોહનલાલ દલીચંદ દેશાઈની નિમણૂક કરી છે.” (જૈન રિન્યૂ, મે-જૂન 1918, પૃ.૫૪-૫૫). મોહનભાઈ સામેનો વિરોધ ધર્મધ્વજે પણ મોહનભાઈને “મોતીચંદભાઈ મમ્મા પાર્ટીના મેમ્બર' એવી ગાળ આપેલી. આમ, આ ત્રિપુટી અને મમ્મી પાર્ટી કેટલાક લોકોની આંખે ચડેલી એમ સ્પષ્ટ દેખાય છે. “જૈન રિન્યૂએ જે ટીકા કરી છે તે મોહનભાઈને કૉન્ફરન્સના ઓનરરી આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવી તેને અનુલક્ષીને કરવામાં આવી છે. એમાં પ્રથમ કારણ તો વૈધાનિક છે. કારણ વિગતે મુકાયેલું છે તે સમજવા જેવું છે : ગયા એપ્રિલ માસમાં કૉન્ફરન્સના ઑનરરી આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી તરીકે રા.રા.મકનજી જૂઠા બૅરિસ્ટરે રાજીનામું આપ્યું એટલે હાલના બંધારણ પ્રમાણે આ નિમણૂક પૂરવાનું કાર્ય કૉન્ફરન્સની સ્ટેન્ડિંગ કમિટી પર આવ્યું. આ સ્ટેન્ડિંગ કમિટીમાં ઘણા સભાસદો છે અને તેમાં રા.રા.મોહનલાલ દલીચંદ દેશાઈ પણ એક સભાસદ છે. કૉન્ફરન્સનું સઘળું કામ આ સ્ટેનિંગ કમિટી, આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી મારફતે કરે છે. કૉન્ફરન્સનાં સઘળો ખાતાઓ, કૉન્ફરન્સનાં ફંડો અને કૉન્ફરન્સના હોદ્દેદારો પર દેખરેખ રાખનાર આ સત્તાધિકારી મંડળ છે. એક નિયમની ખાતર તેથી કૉન્ફરન્સના કારોબારી ઓધેદારની નિમણૂક સ્ટેન્ડિંગ કમિટીમાં નહીં જ થવી જોઈએ, તેમજ સ્ટેન્ડિંગ કમિટીના કોઈબી સભાસદનો કૉન્ફરન્સના કોઈબી ખાતામાં નરરી કે પગારદાર ઓધ્ધા પર નહીં જ નીમવામાં આવવા જોઈએ. આ નિયમ જાળવવામાં આવે તો જ અને તો જ કૉન્ફરન્સની સ્ટેન્ડિંગ કમિટી કૉન્ફરન્સના નાનામોટા ખાતાઓ પર અસરકારક અને ચાંપતી દેખરેખ રાખી શકે અને કોઈ પણ ખાતાની નિરંકુશ રાજનીતિ અટકાવી શકે અને નિયમમાં રાખી શકે. હિંદના આગેવાનો ન્યાયખાતું અને કારોબારી ખાતું જુદું રાખવાની જે
Page #66
--------------------------------------------------------------------------
________________ વિરલ વિશ્વભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા પ૩ વડત વરસોથી ચલાવે છે તે આ જ મુદ્દાસર ચલાવે છે. એક બાજુ જ્યારે આપણા લોકનાયકો ન્યાયખાતું અને કારોબારી ખાતું જુદું પાડવા સખત હિલચાલ કરે છે ત્યારે આપણી કૉન્ફરન્સ જેવી સંસ્થા આ લડતને ટેકો આપવાને બદલે લડતના મુખ્ય મુદ્દા તરફ બેદરકારી બતાવે છે એ અફસોસભરેલું જ ગણી શકાય. સ્ટેન્ડિંગ કમિટીએ રા.રા.મકનજી બૅરિસ્ટરની જગાએ રા.રા.મોહનલાલ દલીચંદ દેશાઈની નિમણૂક કરી એક ગંભીર ભૂલ કરી છે, કારણકે રા.રા.દેશાઈ કૉન્ફરન્સના વાજિંત્રરૂપ મનાતા હેરલ્ડ' માસિકના તંત્રી છે. કૉન્ફરન્સનાં ઘણાં ખાતાંઓ છે, અને તેમાંનું એક ખાતું “હેરલ્ડ' છે. આ ખાતા પર દેખરેખ રાખવાની, “હેરલ્ડ'ની રાજનીતિ કૉન્ફરન્સના આશયો અને ઠરાવથી વેગળી ન જાય તે જોવાની કૉન્ફરન્સના આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરીની ઘણી ફરજોમાંથી મુખ્ય ફરજ છે. જો હેરલ્ડ'ના તંત્રી મને કોન્ફરન્સના આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરીના બે ઓધ્ધાનું કાર્ય એક જ માણસ કરે તો “હેરલ્ડની રાજનીતિ પર અંકુશ રાખવાનું કાર્ય પહેલાં કરતાં ઘણું જ મુશ્કેલ બને અને બન્યું છે... જો આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરીનો મોધ્ધો રા.રા.મોહનલાલને આપવો હતો તો “હેરલ્ડ'ના તંત્રી તરીકે તેઓને રાજીનામું આપવાની ફરજ પાડવી જ જોઈતી હતી.” (પૃ.પાર-પ૩). દલીલ તો ઘણી તાર્કિક છે, પણ એ બિનવિવાદાસ્પદ નથી. ખાસ કરીને રાજ્યતંત્રની બે સ્વતંત્રકલ્પ ઘટકોની પદ્ધતિ જાહેર સેવા સંસ્થામાં હોવી જોઈએ કે કેમ એ મતભેદનો વિષય બને. જાહેર સેવાસંસ્થાઓમાં આવી પદ્ધતિનો આગ્રહ આજેયે જોવા મળતો નથી. ઓનરરી હોદેદાર માટે તો નહીં જ. સ્ટેન્ડિંગ કમિટીના સભાસદ કારોબારી હોદો ધરાવતો હોય તો એના પર સ્ટેન્ડિંગ કમિટી અંકુશ ન જ રાખી શકે એમ માનવા માટે કશું કારણ જણાતું નથી. અગત્યની વાત તો એ છે કે મોહનભાઈની નિમણૂક થઈ છે તો કૉન્ફરન્સના બંધારણ અનુસાર જ - માત્ર “જૈન રિન્યૂ' વિશેષ નિયમો સૂચવે છે. મોહનભાઈની નિમણૂક થઈ માટે જ આવી દલીલ કરવામાં આવી હતી કે કેમ એ તો આપણે જાણતા નથી - કદાચ આવી દલીલ કરવાનો આ પહેલો જ પ્રસંગે ઉપસ્થિત થયો હોય - પરંતુ “જૈન રિન્યૂએ આગળ વધીને એવું પણ કહ્યું છે કે આ બંધારણીય જોગવાઈની ઉપર
Page #67
--------------------------------------------------------------------------
________________ 54 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા કૉન્ફરન્સ સભાનો અધિકાર હોવો જોઈએ અને સભામાં ઠરાવ રજૂ કરવા દેવામાં ન આવ્યો એ ખોટું થયું છે; ઠરાવ પર મત લેવાયો હોત તો મોહનલાલ દેશાઈની નિમણૂક કદી થાત જ નહીં. એટલે અંતે વાંધો તો મોહનભાઈની સામે વ્યક્તિગત જ આવીને ઊભો રહે છે. જૈન રિન્યૂ' મોહનભાઈને એવી વ્યક્તિ તરીકે વર્ણવે છે જે નાના હોદાઓ અને નાનાં ખાતાંઓમાં પણ નિષ્ફળ નીવડેલ છે. “હેરલ્ડ'ની, એજ્યુકેશન બૉર્ડની અને સુકૃત ભંડારની કામગીરીને એ નિષ્ફળ ગણાવે છે. કોન્ફરન્સનું કપરું કામ ખરી હકીકત એ છે કે કૉન્ફરન્સને પોતાને જૈન સમાજનો હંમેશાં યોગ્ય સહકાર મળ્યો નથી, એ સંસ્થા સર્વમાન્ય બની નથી અને એથી કૉન્ફરન્સની પ્રવૃત્તિઓમાં વેગ તથા મંદતા, એના સમગ્ર ઇતિહાસકાળમાં, આવ્યાં કર્યો છે. કૉન્ફરન્સનો એક ટીકાકાર વર્ગ હંમેશાં રહ્યો છે. છેક ૧૯૧૩માં કૉન્ફરન્સો નકામી છે એમ કહી એની વિરુદ્ધ બુમરાણ કરનારા અને એના હસ્તકના સુકૃત ભંડારમાં ચાર આના નહીં આપવાની હિલચાલ ચલાવનારા કહેવાતા આગેવાનો (ખાસ કરીને અમદાવાદીઓ)ની નોંધ કોઈ પત્રકારે લીધી છે. (હેરલ્ડ, ડિસેં.૧૯૧૩) આમ છતાં મોહનભાઈ તો આવી ટીકાઓ તરફ ઉદારભાવે જ જુએ છે ને લખે છે કે “જૈન શ્વે. મૂ. કૉન્ફરન્સના કાર્યવહન સામે ટકાની સખ્તાઈ સદરહુ કૉન્ફરન્સ વખતે થયેલા ફંડની “ખોદ્યા. ડુંગર ઔર પાયા છછુંદર' જેવી સ્થિતિ જોતાં ગેરવ્યાજબી ન ગણાતાં આ મિત્રભાવે લખાયેલા સર્વે લેખોમાં છુપાઈ રહેલાં શુભ તત્ત્વો આદરણીય લાગે તો ગ્રહણ કરવામાં સમાજને લાભ છે.” (હેરલ્ડ, ઑગસ્ટ-ઑક્ટોબર 1916) મોહનભાઈ ચાવીરૂપ હોદ્દા પર તો ઘણો થોડો સમય રહ્યા છે એટલે કૉન્ફરન્સની જે કંઈ નિષ્ફળતા કોઈની દૃષ્ટિએ હોય એમાં એમનો ફાળો ઘણો અલ્પ ગણાય. મોહનભાઈનું કૉન્ફરન્સમાં પ્રદાન ખરેખર તો કૉન્ફરન્સનું કામ ઘણું કપરું હતું. જૈન સમાજનાં અનેક તડાંને સાથે રાખવાં અને નવા યુગની હવા ફૂંકાતી હતી તેની સાથે તાલ મિલાવવો એ એક પડકાર હતો. રૂઢિચુસ્ત વર્ગ તરફથી આમાં અનેક અવરોધો
Page #68
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્ધભૂતિભા અને મનુષ્ય પ્રતિભા પપ આવે એ સ્વાભાવિક હતું. પરંતુ આ પરિસ્થિતિમાં પણ કૉન્ફરન્સ જે કંઈ કરી શકી એમાં જે કેટલાક મહાનુભાવોનો ફાળો હતો તેમાં મોહનભાઈ અવશ્ય એક હતા. મોહનભાઈ એકતાના પ્રખર હિમાયતી હતા અને કૉન્ફરન્સ સર્વમાન્ય સંસ્થા બને એની જિકર એમણે ઊંડી દાઝથી વારંવાર કરી છે. એજ્યુકેશન બૉર્ડના એ સેક્રેટરી હતા ત્યારે ધાર્મિક શિક્ષણનો જે અભ્યાસક્રમ તૈયાર થયેલો એમાં ચારિત્રઘડતરની વિશાળ દૃષ્ટિ જોવા મળે છે અને એનું મૂલ્ય ઓછું આંકવા જેવું નથી. ધાર્મિક પરીક્ષાનું તંત્ર પણ ઊભું કરવામાં આવેલું, ભલે એ એકસરખી સફળતાથી લાંબો સમય ચાલ્યું ન હોય. કૉન્ફરન્સ અનેક પ્રગતિશીલ ઠરાવો કરેલા અને વિદ્યાકીય પ્રવૃત્તિઓ આરંભી એમાં જેમને મમ્મી પાર્ટી કે ત્રિપુટીના સભ્યો તરીકે ગાળ આપવામાં આવી છે એ મહાનુભાવોનું કર્તુત્વ ઘણું હતું. પણ દેખીતી રીતે જ રૂઢિચુસ્ત વર્ગોને આમાંનું ઘણું પસંદ ન હતું. મોહનભાઈએ ચલાવેલાં માસિકોની ઉગ્ર ટીકા એ વર્ગ દ્વારા થઈ છે - મોહનભાઈએ પોતે સામે ચાલીને બે વાર તંત્રીપદ છોડ્યું તેમાં આ ટીકાઓ પણ જવાબદાર જણાય છે - પણ એક વાર મોહનભાઈએ તંત્રીપદ છોડ્યા પછી માસિક ચાલી ન શકતાં મોહનભાઈને જ ફરી તંત્રીપદ સોંપવું પડ્યું એમાં એમની શક્તિનું અને એમણે બજાવેલી સેવાનું મૂલ્યાંકન થઈ જાય છે. શાંત સમજાવટની કાર્યરીતિ જાહેરજીવનમાં મોહનભાઈની કાર્યરીતિ શાંત સમજાવટની હતી. કૉન્ફરન્સ ભરવા અંગે “જૈન” પત્ર વિરોધી સંલાપ અપલાપ શરૂ કરે છે ત્યારે મોહનભાઈ કેવી વિનમ્રતા, વિવેક, ખેલદિલી અને સમજાવટભરી ભાષામાં એની ચર્ચા કરે છે ! (જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, હેરલ્ડ) મોહનભાઈ પરિસ્થિતિનું તટસ્થતાથી વિશ્લેષણ કરે, હકીકતોને છાવરે નહીં, પોતાના અભિપ્રાયો સ્પષ્ટતાથી મૂકે પણ આત્યંતિક ઉપાયોનો સામાન્ય રીતે પક્ષ ન કરે અને વિભેદ કે વિદ્વેષ ન જન્મે એની ખાસ ચિંતા કરે. મુનશીની પાટણની પ્રભુતા” તથા “રાજાધિરાજ' એ નવલકથામાંનાં જૈન સાધુઓનાં નિરૂપણોથી જૈન સમાજમાં ખળભળાટ થયેલો તે પ્રસંગોએ મોહનભાઈએ જે ભૂમિકા સ્વીકારેલી તે આ દૃષ્ટિએ જોવા જેવી છે. પાટણની પ્રભુતા' ૧૯૧૬માં
Page #69
--------------------------------------------------------------------------
________________ 56 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા ઘનશ્યામ'ના નામથી પ્રગટ થયેલી. મોહનભાઈ એમાં આનંદસૂરિ જતિના નિરૂપણમાં રહેલા ઐતિહાસિકતાના દોષો બતાવે છે, લેખકને જૈન પરંપરા વિશે જ્ઞાન નથી એમ સ્પષ્ટપણે કહે છે, પોતાના સમર્થનમાં ઈન્દુલાલ યાજ્ઞિક વગેરે જૈનેતર તટસ્થ વિચારકોનાં મંતવ્યો ટાંકે છે અને અંતે જૈન વિદ્વાનો અને સંસ્થાઓએ આ અંગે ચર્ચા જગાવવી જોઈએ એમ કહે છે. (હરલ્ડ, જૂન 1916) મોહનભાઈ ચર્ચા જગાવવી જોઈએ એટલું જ કહે છે ને કશા વિશેષ આંદોલનની જિકર કરતા નથી એ ખાસ નોંધપાત્ર છે. કેટલાક જૈનોએ મુનશીને અદાલતમાં ઘસડી જવાનો ઇરાદો સેવેલો ને મુનશી એથી ગભરાયેલા પણ ખરા. પણ એવું કંઈ થયું નહીં. મોહનભાઈ તો એવું સૂચન કરતા જ નથી. મુનશીનાં નિરૂપણો સામેનો વિરોધ | મુનશીપ્રકરણ ઉગ્ર બને છે ૧૯૨૭માં. ૧૯૨૨માં પ્રગટ થયેલ “રાજાધિરાજ'માં હેમચંદ્રાચાર્યનું જે રીતે નિરૂપણ થયેલું તેની સામે જૈનોનો ઘણો અસંતોષ હતો. ૧૯૨૭માં મુનશી જ્યારે યુનિવર્સિટી ગ્રેજ્યુએટોના પ્રતિનિધિ તરીકે ધારાસભાની ચૂંટણીમાં ઊભા રહ્યા ત્યારે જૈનોને એમને ભિડાવવાની તક મળી ગઈ. મુનશી જો જૈનોની માફી ન માગે તો ગ્રેજ્યુએટોએ એમને ધારાસભાની ચૂંટણીમાં મત ન આપવો જોઈએ એવો એક વિચાર વહેતો થયો. જૈનોની પ્રોટેસ્ટ સભામાં એવો ઠરાવ પણ થયો. પણ મોતીચંદ કાપડિયા જેવા અગ્રણીએ મુનશીના નિરૂપણ સાથે પોતે અસંમત હોવા છતાં આ પ્રકારના “ઝનૂન'ને અને રાજકારી બાબતને ધાર્મિક પ્રશ્ન સાથે સાંકળવાની બાબતને અયોગ્ય ગણી. જૈન અગ્રણીઓનો મતભેદ, આ રીતે જાહેર થયો અને મુનશી નિર્વિને ધારાસભામાં ચૂંટાઈ ગયા. મોહનભાઈ આ પ્રસંગે “પાટણની પ્રભુતા” અને “રાજાધિરાજ'માંનાં મુનશીનાં અલનો વીગતે બતાવે છે, મુનશીએ જૈનોની લાગણી સંતોષવાનું ટાળ્યા કર્યું છે એની વિગતો આપે છે અને “ગુજરાતી' પત્રનો અભિપ્રાય ઉદ્ધત કરે છે કે " “સ્વપ્નદ્રષ્ટા'માં હઝરત પાક પેગંબર સાહેબના સંબંધમાં ઈસ્લામીઓને આશ્ચર્યચકિત ત્વરાથી સંતોષવાનું યોગ્ય વિચાર્યું છે. પરંતુ જૈનોનો પણ એવો વાંધો હોવા છતાં તેમને ઘટતો સંતોષ આપવામાં અસાધારણ વિલંબ લગાડ્યો છે, તેથી કુદરતી
Page #70
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા પ૭ રીતે જૈનોમાં ઘણો કચવાટ ઉત્પન્ન થયો છે.” પણ મુનશીને મત ન આપવાના ઠરાવની યોગ્યયોગ્યતા વિશે મતભેદનો એ સ્વીકાર કરે છે, “ગુજરાતી” પત્રનો એ અભિપ્રાય પણ એ ઉદ્ધત કરે છે કે “આ સંબંધમાં અમારે કહેવું જોઈએ કે જૈનોનું આ પગલું સહજ છે તેટલું જ અવસરને યોગ્ય નથી. ધાર્મિક ચળવળને રાજકીય ચળવળ સાથે ભેળવી દેવામાં ભૂલ થઈ છે'' અને પોતાનું દૃષ્ટિબિંદુ આ પ્રમાણે રજૂ કરે છે : “અમે હૃદયપૂર્વક જણાવીએ છીએ કે “લોકસમૂહ” ઊછળી જાય એ સ્વાભાવિક છે. ચૂંટણીના સમયનો મોકો લઈ મિ.મુનશીને મત ન આપવા બાબતનો ઠરાવ કરવો એની યોગ્યાયોગ્યતા માટે મતભેદ હોવા છતાં રા.મુનશી જેવાએ તો સમજુ થઈ આખી કોમની ક્ષુબ્ધ લાગણીને માન આપી તેને યોગ્ય રીતે સંતોષવી ઘટે અને એક સાક્ષર તરીકે તેઓએ તે પ્રકારની પ્રામાણિકતા બતાવવી ઘટે... એ જ ઈચ્છીએ છીએ. એમ થશે માટે આવેશમય ન થવું એ વાત તો ઉપરોક્ત પ્રોટેસ્ટ સભામાં અમે વ્યક્ત કરી હતી.” (ર્જનયુગ, ફાગણ 1983) મોહનભાઈને ઈષ્ટ આંદોલનનો માર્ગ મોહનભાઈ મુનશીને મત ન આપવાના ઠરાવ સાથે પોતાની સ્પષ્ટ સંમતિ કે અસંમતિ દર્શાવતા નથી, પણ જૈનોની લાગણીની સાથે તો એ છે જ. તો પછી આંદોલનનો માર્ગ ક્યો હોઈ શકે ? મોહનભાઈને ઈષ્ટ આંદોલનનો માર્ગ કૉન્ફરન્સ નીમેલી મુનશી કમિટી, જેના મોહનભાઈ પણ એક સભ્ય હતા તેના ઠરાવમાં સૂચવાયેલો છે એમ કહી શકાય : જૈન-જૈનેતર વિદ્વાનોના અભિપ્રાયો મેળવી પ્રગટ કરવા, મુનશી સંતોષકારક ખુલાસો ન કરે તો તેમની નવલકથાની સમાલોચના કરવી, સભાઓ દ્વારા વિરોધ રજૂ કરવો, મુનશીની કૃતિ પાઠ્યપુસ્તક તરીકે મુકરર થાય તે સામે ચળવળ કરવી વગેરે. આ ઠરાવ સાથે પણ મોતીચંદભાઈએ - એ કમિટીના એક સભ્ય હતા જ - પોતાની અસંમતિ દર્શાવેલી, એમ કહીને કે “સુરુચિની મર્યાદામાં અરસપરસ વિચારોનો વિનિમય અને પત્રવ્યવહાર ઈષ્ટ હેતુ પ્રાપ્ત કરી શકે.” (જૈનયુગ, જ્યેષ્ઠ 1983) મોતીચંદભાઈએ કમિટીના ઠરાવ અંગે ગેરસમજણ ઊભી કરી છે એમ કહી તેના ખુલાસા રૂપે કશા ટીકાટિપ્પણ વગર આ
Page #71
--------------------------------------------------------------------------
________________ 58 વિરલ વિભ્રતિભા અને મનુષ્યપ્રતિભા માહિતી મોહનભાઈ જાહેરમાં મૂકે છે તે પરથી તેમનો અભિપ્રાય જણાઈ આવે છે કે આ પ્રશ્ન પરત્વે લોકમત ઊભો કરવામાં અને યોગ્ય સત્તામંડળો સમક્ષ રજૂઆત કરવામાં કશું અનુચિત નથી, બલકે એ આવશ્યક છે. આ ઠરાવમાં મુનશીને મત ન આપવાની તો કોઈ વાત જ નથી. મોહનભાઈને ઈષ્ટ આ માર્ગ બૌદ્ધિક સમાજને શોભે એવો એક તંદુરસ્ત માર્ગ નથી એમ કોણ કહેશે? અને આ માર્ગનું સૂચન પણ મુનશીએ આ પ્રશ્ન પરત્વે ગંભીરતાથી લક્ષ નહોતું આપ્યું તેથી જ થયું હતું એ ભૂલવું ન જોઈએ. શત્રુંજયવેરાના પ્રશ્ને યાત્રાત્યાગની હિમાયત પાલીતાણાના દરબારે ૧૯૨માં શત્રુંજય પર યાત્રાવેરો નાખવાનું નક્કી કર્યું ત્યારે એની સામે જૈનોએ આંદોલન ઉપાડ્યું. આ આંદોલન યાત્રાત્યાગ સુધી પહોંચ્યું હતું અને મોહનભાઈ એ યાત્રાત્યાગના અનુમોદક - પ્રોત્સાહક હતા, એમને તો એમાં ગાંધીજીએ ઊભા કરેલા વાતાવરણનો પ્રભાવ જણાયો હતો. શત્રુંજયના પ્રશ્ન પરત્વે આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી જે કાર્યવાહી કરવામાં આવતી હતી તે ઘણાંને ઢીલી લાગતી હતી અને પેઢી તથા કૉન્ફરન્સ વચ્ચે કેટલુંક અંતર ઊભું થયું હતું. વાયસરોયની મધ્યસ્થીથી થયેલું અંતિમ સમાધાન પણ પૂરતું સંતોષકારક નહોતું. આ બધા પ્રસંગોએ મોહનભાઈ બધી હકીકતોને તટસ્થતાથી જોઈ, કશા પૂર્વગ્રહ વિના, અનાકુલ ભાવે પોતાના મંતવ્યો રજૂ કરે છે અને જૈન સમાજની એકતાને હાનિ થાય એવું કશું પસંદ કરતા નથી. શત્રુંજય તીર્થના પ્રશ્નને કારણે પેઢીએ કૉન્ફરન્સનું અધિવેશન ભરવા સામે વિરોધ કરેલો અને અધિવેશન મુલતવી રાખવું પડેલું તે સંબંધે મોહનભાઈના ઉદ્ગાર જુઓ : “આવી રીતે અધિવેશન ભરવા સામે વિરોધ બતાવનારા સર્વને કૉન્ફરન્સના શત્રુ નહીં કહી શકીએ. તેમને વિઘ્નસંતોષીઓ પણ કેમ કહેવાય? જુદાજુદા દૃષ્ટિકોણથી જોનારાને જુદુંજુદું પ્રતિભાસે અને એ જુદુંજુદું એકત્રિત કરી વિચારવામાં વ્યાવહારિક બુદ્ધિ છે. તેથી જ સત્યશોધન થાય છે. અમને તો એક બાજુથી અધિવેશન ન ભરાયું તેથી એક મહા તક ગુમાવવામાં આવી છે એવું જૈન સમાજનો ભવિષ્યનો ઈતિહાસકાર જરૂર લખશે એમ લાગે છે. બીજી બાજુ આ અધિવેશન નહીં ભરવામાં કુદરતનો કોઈ ગુપ્ત સંકેત હશે તો? એવો પ્રશ્ન હૃદયમાં
Page #72
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 59 થાય છે.” (જૈનયુગ, જ્યેષ્ઠ 1982) મુલતવી રહેલું ખાસ અધિવેશન, પછી તો, ભરાયું, પેઢીનો સહકાર પણ મળી રહ્યો, અને જૈન સમાજની એકતા ટકી રહી. એમાં મોહનભાઈ જેવા તટસ્થ વિચારકોની દૃષ્ટિનો વિજય હતો. કેસરિયાજી તીર્થનો ઝઘડો ૧૯૨૭માં કેસરિયાજી તીર્થમાં દિગંબરો અને શ્વેતામ્બરો વચ્ચે ઝઘડો થાય છે ત્યારે મોહનભાઈ ઐતિહાસિક હકીકતોની સ્પષ્ટતાપૂર્વક શ્વેતામ્બરોનો પક્ષ લે છે પણ દિગમ્બરોની રજૂઆતો પ્રત્યે મન ખુલ્લું રાખે છે અને આ પ્રશ્ન પરત્વેના પોતાના અહેવાલમાં મોતીચંદભાઈએ દિગંબર મુનિ માટે એકવચન વાપર્યું હતું તેનો અણગમો વ્યક્ત કરે છે. (જૈનયુગ, વૈશાખ 1983) એકતાના હિમાયતી છેવટે તો મોહનભાઈ જૈનોના બધા ફાંટાઓ એકબીજાની નજીક આવે અને જૈન એકતા સિદ્ધ થાય એ માટે મથનારા પુરુષ હતા. બધા ફિરકાઓ માટેની સંયુક્ત જૈન હોસ્ટેલની એમણે હિમાયત કરેલી અને વાડીલાલે એવું વિદ્યાર્થીગૃહ સ્થાપ્યું ત્યારે એને ટેકો આપ્યો. ૧૯૩૬માં સ્થાનકવાસી મુનિ મિશ્રી લાલજીએ જૈન સાધુ-સાધ્વીઓની એકતા માટે ઉપવાસ કર્યા ત્યારે એ અંગે મળેલી સભામાં મોહનભાઈ હાજર રહ્યા હતા અને એકતાના ઠરાવને ટેકો આપ્યો હતો. કૉન્ફરન્સનો ડગમગતો પગ સ્થિર કરનાર કૉન્ફરન્સનું નાવ અનેક વાર હાલકડોલક થયું છે. એવે પ્રસંગે એને સ્થિર કરવામાં જે કેટલીક વ્યક્તિઓએ ભાગ ભજવ્યો છે. એમાં મોહનભાઈનું પણ સ્થાન છે. ૧૯૨૫માં “કૉન્ફરન્સના પાયા હચમચવા લાગ્યા હતા ત્યારે શેઠ મોહનલાલ હેમચંદ ઝવેરી, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા સૉલિસિટર, સાક્ષરવર્ય શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ અને મકનજી જૂઠાભાઈ મહેતા બૅરિસ્ટર અને શેઠ દેવકરણ મૂળજીએ હિંમતપૂર્વક આ નાજુક પરિસ્થિતિનો સામનો કરી શેઠ કસ્તૂરભાઈ લાલભાઈના પ્રમુખપણે કન્વેશન બોલાવી કૉન્ફરન્સનો ડગમગતો પગ સ્થિર કર્યો હતો.” (શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સનો
Page #73
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા ઈતિહાસ, પૃ.૧૯૭) કૉન્ફરન્સ દ્વારા વિદ્યાકાર્ય મોહનભાઈનું મહત્ત્વનું કાર્યક્ષેત્ર તો વિદ્યા અને સાહિત્યનું હતું અને સ્વાભાવિક રીતે એ ક્ષેત્રે એમણે કૉન્ફરન્સને સક્રિય કરી અને પોતે કૉન્ફરન્સ દ્વારા આગવું પ્રદાન કર્યું. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈન ચેર સ્થાપવાનો વિચાર અમલી બન્યો એમાં મોહનભાઈનો હિસ્સો હતો. પંડિત સુખલાલજી આ બાબતમાં તટસ્થ હતા, તો મોહનભાઈએ એમની પાસેથી કાશીની સ્થિતિ જાણી કઈ શરતો મૂકવી જોઈએ તે જાણ્યું અને પત્રવ્યવહાર કરી એ શરતો કબૂલ કરાવડાવી. પછીથી યોગ્ય માણસને અભાવે જૈન ચેરનું તંત્ર ડામાડોળ થયું ત્યારે ૧૯૩૩માં પંડિત સુખલાલજી કાશી જવા તૈયાર થયા તેની પાછળ, એમના કહેવા મુજબ જ, “બળ હતું કોન્ફરન્સનું અને કૉન્ફરન્સ એટલે મારી દૃષ્ટિએ તે વખતે સજીવ કાર્યકર્તા બે મોહનભાઈ : એક દેશાઈ અને બીજા ઝવેરી.” એમણે સુખલાલજી માટે બધી વધારાની સગવડ કરી આપવાનું બીડું ઝડપ્યું. આનાં દૂરગામી પરિણામો આવ્યાં. કાળક્રમે જૈન ચેરને પોષક એવી પાર્શ્વનાથ વિદ્યાશ્રમ જેવી સંસ્થાઓ પણ ત્યાં ઊભી થઈ અને વર્ષો સુધી અધ્યયન-અધ્યાપન, લેખન, સંશોધન અને પ્રકાશનની ઘણી મહત્ત્વની પ્રવૃત્તિઓ થઈ. જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના કાર્યને” પંડિત સુખલાલજી કહે છે તેમ “સ્થાયી કીર્તિકળશ ચડાવનાર કાંઈ હોય તો તે મોહનભાઈની કૃતિઓ જ છે.” આ કૃતિઓ એટલે મોહનભાઈએ ચલાવેલાં કૉન્ફરન્સનાં માસિકો - હેરલ્ડ” અને “જૈનયુગ'. એમાં એમણે લખેલા સંખ્યાબંધ લેખો અને કૉન્ફરન્સ દ્વારા પ્રકાશિત એમના “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” તથા “જૈન ગૂર્જર કવિઓ' એ ગ્રંથો. સમય પસાર થાય તેમ જેનું મૂલ્ય વધે એવી આ કૃતિઓ છે. આ, આમ તો, ગણાય મોહનભાઈની સાહિત્યસેવા (જેની હવે પછી વીગતે વાત કરવાની છે), પરંતુ અહીં એ ઉલ્લેખનીય એટલા માટે બને છે કે મોહનભાઈની સાહિત્યસેવા જાહેર સેવા રૂપે પ્રગટ થઈ છે - એમાં જૈન સંપ્રદાય અને સમાજ એમની નજર સામે રહ્યા છે તથા પોતાની એ સેવા એમણે કૉન્ફરન્સ જેવી સંસ્થાને અર્પિત કરેલી છે.
Page #74
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા આ થયું કૉન્ફરન્સ જેવી સંસ્થા દ્વારા સમાજસેવાના એક મહાન યજ્ઞમાં મોહનભાઈએ કેવો ફાળો આપ્યો હતો એનું દિગ્દર્શન. અન્ય પ્રસંગો જાહેરજીવનના બીજા ઘણા પ્રસંગોએ પણ મોહનભાઈનો અભિપ્રાય માર્ગદર્શક બનેલો દેખાય છે. ઘર્મવિજયજી સીઝનમાં હતા અને હર્મન જેકોબી એમને ત્યાં મળવા જનાર હતા તેથી જૈન સાહિત્ય સંમેલન સોઝતમાં ભરવાનું વિચારાયું ત્યારે મોહનભાઈએ એવા નાના ગામમાં સાહિત્યસંમેલન ભરવામાં મુશ્કેલીઓ રહેશે અને એનો હેતુ સરશે નહીં એમ સ્પષ્ટ અભિપ્રાય આપેલો. સંમેલન, પછીથી, જોઘપુર રખાયું એમાં મોહનભાઈ જેવાના દૃષ્ટિબિંદુનો સ્વીકાર હતો. આ સંમેલનને સફળ બનાવવા મોહનભાઈ કેટલાક ઠરાવોની ભલામણ પણ કરે છે - એ દ્વારા કરવા યોગ્ય કામોનું સૂચન કરે છે. સનિષ્ઠા, સ્વસ્થતા અને નિષ્કામતા એ મોહનભાઈની જાહેર સેવાનાં અત્યંત નોંધપાત્ર લક્ષણો છે. (ખ) પત્રકારત્વ સેવાધર્મ મોહનભાઈએ કોઈ અંગત મહત્ત્વાકાંક્ષાથી નહીં પણ સેવાધર્મના એક ભાગ તરીકે જ પત્રકાર તરીકેની જવાબદારીનો સ્વીકાર કરેલો. 1912 એપ્રિલથી એમને “હેરલ્ડ'નું તંત્રીત્વ સ્વીકારવાનું થયું તે વસ્તુતઃ એમણે સામે ચાલીને મેળવેલી વસ્તુ નહોતી, એમના પર આવી પડેલી વસ્તુ હતી. આ પત્ર માટે જૈન ગ્રેજ્યુએટ એસોસિએશન પર મદાર રાખવામાં આવેલો પરંતુ એના સભ્યોનો ખાસ સહકાર ન મળ્યો અને “ગ્રેજ્યુએટ એસોસિએશનના સેક્રેટરીને ઓનરરી તંત્રી તરીકે રહેવા ખાસ દબાણથી કહેવામાં આવ્યું હતું, જે તેમણે કેટલીક શરતોથી કબૂલ રાખ્યું હતું. પણ કોઈ અવાચ્ય કારણથી ઍડવાઈઝરી બૉર્ડમાં પસાર ન થતાં એમ ને એમ ચલાવવાનો ઠરાવ કાયમ રખાયો. આમ ચાલતાં પાછી એ વાર્તા ઉપસ્થિત થઈ કે “હેરલ્ડને મૃત કરવું યા સજીવન રાખવું તો સારા સુધારા પર મૂકીને રાખવું. આ વખતે છેવટે હાલના તંત્રી પર અમુક દબાણ સાથે આ પત્રનું તંત્રીત્વ આવી પડ્યું. તેણે તે કામચલાઉ અમુક શરતોએ અને ઓનરરી તંત્રી તરીકે સ્વીકાર્યું.” (હરલ્ડ,
Page #75
--------------------------------------------------------------------------
________________ C 2 વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩) અહીં નોંધવું જોઈએ કે મોહનભાઈએ “હેરલ્ડ'નું તંત્રીપદ મકનજી જૂઠાભાઈ મહેતા, બાર-ઍટ-લૉના આગ્રહથી સ્વીકારેલું. આ મોહનભાઈનો કેવળ પ્રીતિપરિશ્રમ હતો. પોતે તો કંઈ પારિશ્રમિક લીધું નથી તે ઉપરાંત, “હેરલ્ડ' પર એક ક્લાર્ક કે પ્રૂફરીડરનોયે બોજો એમણે પડવા દીધો નથી. બધો શ્રમ જાતે જ કર્યો છે. પત્રકારત્વની ઉચ્ચ ભાવના મોહનભાઈમાં પત્રકારત્વની ઉચ્ચ ભાવના હતી : “મારામાં સદાય શુદ્ધ નિષ્ઠા, સત્ય જ્ઞાન અને પવિત્ર અંતઃકરણ રહ્યાં કરે એવું શાસનનાયક પ્રત્યે પ્રાર્થ છું, કારણકે એ ત્રણ સદ્ગણો વગરના પત્રકારો તે સમાજના ભયંકર દુશ્મનો છે.” (જનયુગ, ભાદરવો 1981) એમની સત્યનિષ્ઠા એવી પારદર્શક હતી કે એમને પોતાની ભૂલ કબૂલ કરતાં સંકોચ થયો નથી, બલકે પત્રકાર તરીકેનું પોતાનું એ કર્તવ્ય હોવાનું એમને જણાયું છે. સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના સંમેલન વિશે લખતાં એણે કેળવણી, હાનિકારક રિવાજો દૂર કરવા વગેરે સંબંધી ચુપકીદી સેવી હતી તેની મોહનભાઈએ ટીકા કરી હતી, પરંતુ પછીથી કૉન્ફરન્સ તરફથી આ અંગે થયેલા ઠરાવો એમને મળ્યા એટલે પોતાની ટીકા પાછી ખેંચી એ ઠરાવોની સુયોગ્ય રીતે એમણે નોંધ લીધી. (જેનયુગ, ફાગણ 1983). મોહનભાઈનો પત્રકાર-ધર્મ તો એટલે સુધી પહોંચે છે કે પત્રકાર લોકોનું માત્ર ટીકાટિપ્પણ કરીને બેસી ન રહે પરંતુ લોકોને પોતે જે કહ્યું હોય તે, પ્રસંગ આવ્ય, પોતે આચરી બતાવે. વાડીલાલ મોતીલાલ શાહ પોતાને મળેલી રકમ સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહને આપી દે છે ત્યારે મોહનભાઈ એમને અભિનંદન આપે છે અને લખે છે કે “ધનવાનોની ટીકા કરનાર કિંઈ પણ પ્રાપ્તિ થાય ત્યારે પોતાની જ ટીકા પોતાને શિરે ધરી તેનો અમલ કરે એ જોઈ અમો પત્રકારને આનંદ થાય છે.” (હરલ, જૂન 1917) તંત્રીના તથા લેખકના અધિકારનું સહઅસ્તિત્વ તંત્રીના અધિકાર પરત્વે મોહનભાઈ પૂરા સ્પષ્ટ છે. એ અધિકાર લેખકોના અધિકારની સામે પ્રવર્તતો નથી પણ સાથે રહીને પ્રવર્તે છે: “કોઈ પણ લેખકના વિચારને - મતને કે અભિપ્રાયને મારવામચડવા કે ખૂન
Page #76
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્ધત્મતિભા અને મનુષ્ય પ્રતિભા S3 કરવાનો અધિકાર અધિપતિના હાથમાં હોતો નથી. કાં તો આખો લેખ પ્રગટ કરવો, અથવા તો આખો લેખ પ્રગટ ન કરવો - બે જ સત્તા તેના હાથમાં છે. છતાં પણ અધિપતિ કોઈ ભાગ પર ફૂટનોટ આપી પોતાનું વક્તવ્ય જણાવી શકે છે.” (હેરલ્ડ, ઑગસ્ટ-સપ્ટે.૧૯૧૪) આવી સ્પષ્ટતા કરવાનું પણ મોહનભાઈને એટલા માટે ઉપસ્થિત થયેલું કે એમણે પોતાનાં પત્રોમાં કૉન્ફરન્સ સંમત ન હોય એવાં લખાણો માટે અવકાશ રાખેલો, કંઈ પણ શંકાભરેલું લાગે તેનું સમાધાન મૃદુલ ભાષામાં અને યુક્તિપૂર્વક કરવા માટે પોતાનાં પત્રોનાં કૉલમ ખુલ્લાં રાખેલાં. સંપાદકીય સ્વતંત્રતા દેખાઈ આવે છે કે મોહનભાઈએ કૉન્ફરન્સ જેવી સંસ્થાનાં મુખપત્રો સમાં માસિકો ચલાવ્યાં પણ પોતાની સંપાદક તરીકેની સ્વતંત્રતાને ભોગે એમ કર્યું નથી. એમના જેવા વિદ્યારસિક અને સમાજચિંતક પુરુષને સંસ્થાના કેવળ વાજિંત્ર રૂપે માસિકો ચલાવવાનું ન જ ગમે. કૉન્ફરન્સે પણ એમને ઘણી સ્વતંત્રતા આપી જણાય છે. “હેરલ્ડ'નું તંત્રીપદ મોહનભાઈએ કેટલીક શરતોએ સ્વીકાર્યું હતું તેમાં સંપાદક તરીકે સ્વતંત્રતાનો સમાવેશ હશે જ. પછીથી મોહનભાઈએ સ્પષ્ટ રીતે જણાવેલ પણ છે કે “કૉન્ફરન્સની ઍડવાઈઝરી બોર્ડ આ ઊંચું પદ સ્વતંત્ર હક્ક સાથે આપ્યું હતું.” (હરલ, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૯) “જૈનયુગ'નું તંત્રીપદ તો સ્પષ્ટ ઠરાવ કરી આપવામાં આવે છે કે તંત્રીને પોતાનું કાર્ય કરવામાં સંપૂર્ણ સ્વતંત્રતા રહેશે, માસિકનું નવું નામ તંત્રીએ પસંદ કરવું, માસિક બદલામાં તથા લેખકોને મફત આપવાનું તંત્રીની મરજી પર રહેશે વગેરે. (જેનયુગ, ભાદરવો 1981) “જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથમાં પણ એવી નોંધ મળે છે કે પ્રકાશક સમિતિએ ગ્રંથ બાબતની સઘળી સગવડ કરી આપી છે પણ સંપાદકના કામમાં કશો હસ્તક્ષેપ કર્યો નથી. તે બતાવે છે કે સંપાદક તરીકેની સ્વતંત્રતાનો મોહનભાઈને હંમેશાં આગ્રહ રહ્યો છે. હેરલ્ડ અને “જૈનયુગ'નું જ સ્વરૂપ ઘડાયું એ મોહનભાઈની સંપાદકીય સ્વતંત્રતાનો મોટો પુરાવો છે. આ ઉપરાંત, શત્રુંજયપ્રશ્ન જેવા જાહેર વિવાદના પ્રસંગોએ મોહનભાઈએ કૉન્ફરન્સનું જ દૃષ્ટિબિંદુ રજૂ કરવાનું ઇચ્છવું નથી,
Page #77
--------------------------------------------------------------------------
________________ 64 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા પોતાના અભિપ્રાયો પણ દર્શાવ્યા છે. પોતે “હેરલ્ડ'નું “જૈન સમાજ' એવું નામ સૂચવ્યું અને કોન્ફરન્સની સ્ટેન્ડિંગ કમિટીએ ન સ્વીકાર્યું તો એ હકીકત પણ તેઓ નિઃસંકોચ જાહેરમાં મૂકી શકે છે અને આવું અંગ્રેજી નામ રાખવા સામે કોઈ ફરિયાદ કરે છે ત્યારે ફરીને આ હકીકત એની સામે ધરી શકે છે. સરકારના અન્યાયનો ભોગ બનેલા અનલાલ શેઠીની હકીક્ત હેરલ્ડમાં પ્રસિદ્ધ થયેલી. ભાવનગરના એક પ્રતિષ્ઠિત ગણાતા શેઠ કૉન્ફરન્સના જનરલ સેક્રેટરીને જણાવે છે કે ““મારા વિચાર પ્રમાણે અર્જુનલાલ શેઠીની હકીકત આપણે હેરલ્ડ'માં લેવી ઠીક નથી.” મોહનભાઈ આની નોંધ હેરલ્ડ’માં લે છે અને ટકોર કરે છે કે “રાજભક્તિની અવધિ !... વગર જેલમાં સડતો રહે તે માટે કંઈ ન કરે ?" (હેરલ્ડ, જુલાઈ 1916) આ નોંધ બતાવે છે કે સંપાદક સામે ફરિયાદ હોય ત્યારેયે કૉન્ફરન્સે એમાં વચ્ચે પડવાનું રાખ્યું નથી - એનો ખુલાસો કરવાનું કર્તવ્ય પણ સંપાદકનું જ. વળી, એ પણ બતાવે છે કે મોહનભાઈ સરકારથી ડરીને કે શ્રેષ્ઠીથી દબાઈને ચાલનારા તંત્રી નથી. સંપાદકીય નીતિ પત્રોનું સંપાદન મોહનભાઈએ ચોક્કસ નીતિરીતિથી કર્યું છે અને એ નીતિરીતિ એકથી વધુ વાર સ્પષ્ટ પણ કરી છે. “જૈનયુગ” શરૂ થયું ત્યારે તો સંસ્થાની સમિતિએ કરેલા ઠરાવમાં જ આ નીતિરીતિનો સમાવેશ થયો હતો. મોહનભાઈની સંપાદકીય નીતિ આ પ્રમાણે વર્ણવી શકાય : (1) અત્યાર સુધી ઐતિહાસિક સાહિત્ય ઉપર દુર્લક્ષ રહ્યું છે. હવે કાવ્ય, ઇતિહાસ, વિવિધ વર્તમાન, તત્ત્વજ્ઞાન વગેરે પરના લેખો લેવા. (2) ધાર્મિક, સામાજિક, સાંસારિક સુધારાની પ્રગતિ કરનારા લેખો તથા રાષ્ટ્રીય હિલચાલને બાધ ન આવે તેવી રીતે રાજધાની ચર્ચાના લેખો લેવા. (3) ગ્રંથાવલોકનો આપવાં. (4) કૉન્ફરન્સનું પ્રચાર કાર્ય કરવું - સેક્રેટરી પૂરું પાડે તે સાહિત્ય રજૂ કરવું. (5) વ્યક્તિગત સ્વાતંત્ર્યની દૃષ્ટિએ સંગીન હોય પણ કૉન્ફરન્સનું હિત ન સચવાતું હોય તેવા વિષયો માટે આ પત્રનો ઉપયોગ ન કરવો. (6) સંઘ
Page #78
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા su વગેરેના ઝઘડા સંબંધેના લેખો ન લેવા. (7) દિગંબર-સ્થાનકવાસી કોમના સંબંધમાં ચર્ચા કરતાં વૈરવિરોધ વધે નહીં તેવા લેખોને સ્થાન આપવું. (2) પરંતુ સમગ્ર જૈન સમાજની અખંડતા જળવાય એ જોવું. (9) વિચારભેદને આવકાર આપવો - વિચારજડતા તથા પરંપરાગત આચારશૂન્યતાને ભેદવી. (10) પરંતુ અંગત ટીકા કે આક્ષેપોનો ત્યાગ કરવો. (11) શૈલી મંડનાત્મક વાખવી,ખંડનવૌલીથી દૂર રહી, પ્રહારો કરવા નહીં (જુઓ હેરલ્ડ, જાન્યુ -ફેબ્રુ. 1913, જાન્યુ-ફેબ્રુ. 1919; જૈનયુગ, ભાદરવા 1981) “જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ'ના સંપાદનવેળા પણ મોહનભાઈ લેખકોને આમંત્રણ મોકલતી વખતે “મમત્વભરી સાંપ્રદાયિકતા અને કઠોર વાણીપ્રયોગને કોઈ પણ લેખમાં સ્થાને નથી” એમ પહેલેથી જ જણાવે છે તે બતાવે છે કે એ પોતાની સંપાદકીય નીતિ પરત્વે કેટલા સ્પષ્ટ અને સભાન હતા. હિરલ્ડ'નું સ્વરૂપાન્તર હેરલ્ડ'નો આરંભ ૧૯૦૫થી થયેલો. મોહનભાઈના હાથમાં એ ૧૯૧૨માં આવે છે. મોહનભાઈના હાથમાં આવતાં જ એનું ઊડીને આંખે વળગે એવું સ્વરૂપાન્તર થઈ જાય છે. કૉન્ફરન્સનું વાજિંત્ર જૈન વિદ્યાનું, વિશાળ જ્ઞાનોપાસનાનું એક માધ્યમ બની જાય છે. પહેલા જ અંકની “જૈન” પત્ર “વિષયોની ચૂંટણી પસંદ કરવા યોગ્ય છે” એમ કહી ખાસ નોંધ લે છે પણ મોહનભાઈએ જે નવપ્રસ્થાનો કર્યો એની વિગતે નોંધ તો “જૈન હિતેચ્છમાં વાડીલાલ મોતીલાલ શાહ કરે છે. એમના જેવા તીક્ષ્ણ વિચારકે કરેલું “હેરલ્ડ'ના નવાવતારનું મૂલ્યાંકન વધારે મહત્ત્વનું ગણાય. “હેરલ્ડ'ના ૧૯૧રના પર્યુષણ-અંક વિશે લખતાં એ જણાવે છે કે - કૉન્ફરન્સ ઑફિસનું હેરલ્ડ' પત્ર જે ઘણા વખત સુધી રોતડ મૃતપ્રાય જીવન ગુજારતું હતું એણે પણ નવા અધિપતિના હાથમાં આવ્યા પછી આ જીવનસૂચક અનુકરણ કરીને ગયા પર્યુષણમાં ખાસ અંક બહાર પાડ્યો હતો, જેમાં મુનિ કપૂરવિજયજી, શ્રી ચારિત્રવિજયજી તથા બુદ્ધિસાગરજી જેવા મુનિવરોના, રા.કુંવરજી આણંદજી અને રા.અમરચંદ ઘેલાભાઈ જેવા પુરાણપ્રિય સ્વધર્મચુસ્ત ગૃહસ્થોના, મેસર્સ સમયધર્મ, મનસુખલાલ કરતચંદ મહેતા આદિ કેટલાક નૂતન પ્રકાશવાલા વિચારકોના અને રાકૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી વિ.૫
Page #79
--------------------------------------------------------------------------
________________ ss વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા આદિ અન્યધર્મી સ્વતંત્ર લેખકોના વિચારોનું ઠીકઠીક પ્રદર્શન કરવામાં આવ્યું છે. એકંદરે આ અંક વાંચવા યોગ્ય છે, જોકે કેટલાક લેખકોએ માત્ર ટાહ્યલાં જ કર્યો છે એમ કબૂલ કર્યા વિના ચાલશે નહીં. આ અંકમાં કોઈ ખાસ લક્ષણ હોય તો તે એ છે કે એમાં વિચારસ્વાતંત્ર્યને દાબી દેવાની આજના જૈનોની આત્મઘાતી પ્રથાને માન મળ્યું નથી... એકંદરે જોકે કૉન્ફરન્સ જેવી જાહેર સંસ્થાની માલકીના આ એક બી.એ.એલએલ.બી. જેવા વિદ્વાનના આધિપત્યવાળા માસિકના ખાસ અંકમાં આપણે આથી ઘણી ઊંચી કોટિની પ્રસાદીની આશા રાખવા હક્કદાર છીએ, તોપણ જે પેપરો અને માસિકો જૈનોમાં જોવામાં આવે છે તેના મુકાબલે આ અંકને માટે રા. દેશાઈને ધન્યવાદ આપ્યા સિવાય ચાલશે નહીં. ત્રણચાર સ્થાનકવાસી લેખકોને જગા મળી છે તે ઐક્યના સમયની શુભ આગાહી આપે છે.” (જૈન હિતેચ્છ, ઑક્ટો. 1912) શ્રમ, સૂઝ અને સિદ્ધિ ૧૯૧૩ના પર્યુષણ-અંકની પણ “જૈન હિતેચ્છુ'(નવેમ્બર ૧૯૧૩)એ કરેલી સમીક્ષા મોહનભાઈના સંપાદકત્વને ભવ્ય અંજલિ સમાન છે : “આજ સુધીમાં જૈન પત્રકારો તરફથી જેટલા ખાસ અંકો નીકળ્યા છે તે સર્વમાં પ્રથમ પદે મૂકવા લાયક આ અંક વાંચી અમને ઘણો આનંદ થયો. જૈનના ત્રણે ફિરકાના લેખકો ઉપરાંત જૈનેતર વિદ્વાનોના પણ પુષ્કળ લેખોને આમાં સ્થાન અપાયું છે તેથી એની સુંદરતા, ઉપયોગિતા અને વિવિધતામાં વધારો થયો છે. પ્રગતિવિરોધી જૈન સાધુવર્ગમાંથી હમણાં હમણાં કેટલાંક ઉદાર વિચાર ધરાવતાં રત્નો પ્રકાશવા લાગ્યાં છે એ આ અંકમાંના બે લેખો ત્રિલોકચંદજી અને ચારિત્રવિજયજીના] ઉપરથી જણાઈ આવે છે... ઑનરરી એડિટર મહાશયે કેટલાંક કાવ્યો, મહાવીરાચાર્ય સંબંધી લેખ તથા સ્થૂલિભદ્રની કથા વગેરે લેખો લખવામાં પુષ્કળ શ્રમ ઉઠાવ્યો છે, એટલું જ નહીં પણ એડિટૉરિઅલ્સ પણ પુખ્ત વિચારપૂર્વક લખી છે. જૈન સૂત્રોના ભાષાંતરનું જે કામ શ્રી મનસુખલાલ રવજીભાઈ મહેતાએ હમણાં ઉપાડી લીધું છે તેની વિરુદ્ધ જ્યારે શ્વેતામ્બર બીજા પત્રકારો બુમરાણ કરી રહ્યા છે ત્યારે આ શાન્ત અને સમયસૂચક સંપાદકે ખંડનમંડનથી દૂર રહી ભાષાંતરકાર્યની
Page #80
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા 67 આવશ્યક્તા જણાવી છે. અને તે કેવી રીતે થવું જોઈએ તે બાબતમાં કેટલીક કિંમતી સૂચનાઓ આપી છે તથા એ કાર્ય ઉપાડવા ઈચ્છતા ગૃહસ્થને બિનજરૂરી ખળભળાટથી બચાવવા માટે એક વ્યવહારકુશળ સલાહ આપી છે. શ્રીમદ્ વિજયાનંદસૂરિના જીવનસંબંધી એક હિંદી લેખ આ અંકમાં નજરે પડે છે. આ લેખમાંના કેટલાક શબ્દો વાંચી અમને ઘણો ખેદ થયો. ‘હેરલ્ડ' જેવા પત્રમાં આવા લેખકોને - પછી તે ગમે તેવા લોકપ્રિય પુરુષ હોય તોપણ - જગા ન અપાય એમ હરકોઈ વિશાળ હૃદયવાળો જૈન આશા રાખી શકે. એકંદરે “હેરલ્ડ'નો આ ખાસ અંક આટલો ઉત્તમ કાઢવા માટે તેના માનદ સંપાદક મહાશયને ધન્યવાદ ઘટે છે. આવો દળદાર અંક તૈયાર કરવામાં કેટલા વખત અને બુદ્ધિબળનો વ્યય કરવો પડે છે તે માત્ર એ કામના અનુભવીઓ જ સમજી શકે. વળી મુંબઈની જાળી જિંદગી અને વકીલાતનો ધંધો એ બન્ને એવી બાબતો છે કે ઓનરરી કામ પાછળ આટલા વખતનો ભોગ આપવો ઘણો મોંઘો થઈ પડે અને આમ કરવું ઘણા થોડાથી જ બની શકે. અફસોસની વાત છે કે જ્યારે આવા સહૃદય સંપાદક મળ્યા છે ત્યારે જૈન વિદ્વાનો અવારનવાર લેખો મોકલવા રૂપે અને જૈન સમાજ તેના ગ્રાહક થઈ આર્થિક સ્થિતિ સુધારવા રૂપે પોતાનો ધર્મ બજાવવામાં પાછળ પડે છે.” “હેરલ્ડના મહાવીર-અંકના લેખો પાછળના મોહનભાઈના શ્રમ તથા એમની સુંદર શૈલીની રણજિતરામે પ્રશંસા કરેલી અને એ અંકના નિવેદનમાં જૈનોના દોષો તરફ ધ્યાન ખેંચવાની હિંમત બતાવવા માટે મણિલાલ બકોરભાઈ વ્યાસે અભિનંદન આપેલાં. “જૈનયુગ'ના ભાદરવા-કાર્તિક ૧૯૮૫-૮૬નો. અંક જોઈને વિજયરાય વૈદ્ય અભિપ્રાય આપેલો કે એમાં “વિદ્વત્તા ભરચક ભરી છે.” આ બધા અભિપ્રાયોથી મોહનભાઈએ ચલાવેલાં માસિક પત્રોનું સ્વરૂપ અને એમના સંપાદકત્વની લાક્ષણિકતાઓ એટલી સુંદર રીતે પ્રગટ થઈ જાય છે કે એ વિશે કશું વિશેષ લખવાની જરૂર રહેતી નથી. પણ માસિકો ચલાવવામાં મોહનભાઈનાં સૂઝ, શ્રમ અને જાગૃતિ કેટલાં બધાં હતાં તે દર્શાવતી કેટલીક હકીકતો તો નોંધીએ જ. “હેરલ્ડ” ને “જૈનયુગના ઘણા અંકો વિશેષાંકો હતા અને મોહનભાઈએ એનું ઘણું વ્યવસ્થિત પૂર્વઆયોજન
Page #81
--------------------------------------------------------------------------
________________ 68 વિરલ વિદ્ધતિભા અને મનુષ્ય પ્રતિભા કરેલું. મહાવીર-અંક માટે લેખકોને નિમંત્રણ આપતી વખતે એમણે 34 વિષયો સૂચવેલા. એ પૂર્વે એક વખત એમણે “જૈનો અને જૈન ધર્મ વિષયે કેવાં લખાણોની જરૂર છે ?" એવા શીર્ષકથી 207 વિષયો સૂચવેલા. (હેરલ્ડ, જુલાઈ 1913). દર વર્ષે પોતાના સામયિકમાં આવેલા વિવિધ પ્રકારના લેખોની મોહનભાઈ તારીજ કાઢતા, અને આવેલા પ્રતિભાવોનું અવલોકન પણ કરતા. તંત્રી એટલે આવેલું ભેગું કરી છાપી નાખનાર નહીં પણ પત્રનું રવરૂપ ઘડનાર, લેખકોને વિષયો પૂરા પાડનાર, પત્ર પોતાના ઉદ્દેશની સિદ્ધિમાં કેટલું સફળ રહ્યું છે એ પરત્વે બીજાની પરીક્ષા સ્વીકારનાર તથા જાતપરીક્ષા પણ કરનાર - એવો તંત્રીત્વનો ઉચ્ચગ્રાહ રાખીને મોહનભાઈએ પોતાનું કાર્ય બનાવ્યું છે. ઉત્તમ કાર્યની પણ ઉગ્ર ટીકા આવું ઉત્તમ કાર્ય છતાં મોહનભાઈ ટીકાથી બચી શક્યા નથી, એમની ઉગ્ર ટીકા થઈ છે. “જૈન રિબૂ' (મે-જૂન 1918) “હેરલ્ડ'ની દેવાદાર સ્થિતિ માટે મોહનભાઈની લેખનશક્તિને જવાબદાર ગણે છે! અને તેમની સંપાદકીય નીતિની ટીકા કરતાં કહે છે કે - " “હેરલ્ડ' ખાતે કૉન્ફરન્સને દર વરસે જે ખોટ ખાવી પડે છે તેથી જ નહીં, પણ હેરલ્ડ'માં તીર્થંકરો વગેરેની તસવીરો પ્રગટ થવાથી તેમજ લેખોમાં પણ કોઈ વખતે થતી ગફલતી અને નાણાં અને લેખોની સગવડ છતાં માસિકમાં હંમેશાં થતી અનિયમિતતા પુરવાર કરે છે કે કોંન્ફરન્સ હેરલ્ડ'ના તંત્રી તરીકે તેઓની રાજનીતિ નિષ્ફળ ગઈ છે. “હેરલ્ડ'નો મુખ્ય હતુ કૉન્ફરન્સ અને તેનાં ખાતાંઓ વધુ ને વધુ લોકપ્રિય બનાવવાનો છે, જે હેતુ એટલી હદ સુધી નિષ્ફળ ગયો છે કે કૉન્ફરન્સ લોકપ્રિય બનવાને બદલે કૉન્ફરન્સ તરફ સાધુઓ અને શ્રીમંતોની સૂગ વધતી જ જાય છે...” | મોહનભાઈએ પોતે પણ હેરલ્ડનું તંત્રીયદ છોડતી વેળા ાિન્યુ.-ફેબ્રુ. 1919) એની નીતિરીતિ સામે થયેલા આક્ષેપોની નોંધ લીધી છે અને એના ખુલાસા કર્યા છે. આ આક્ષેપો અને ખુલાસા આ મુજબ છે : પહેલો આક્ષેપ એ છે કે કૉન્ફરન્સને લગતા સર્વ વિષયો કે તેમાંનો ઘણો ભાગ આવતો નથી. એટલેકે કૉન્ફરન્સ દેશભરના સમગ્ર જૈન સમાજને
Page #82
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્યંતિભા અને મનુષ્ય પ્રતિભા 69 સાંકળતી સંસ્થા હોઈ એના મુખપત્રમાં દેશભરના જૈન સમાજની પ્રવૃત્તિઓના સમાચાર આવવા જોઈએ તે આવતા નથી. મોહનભાઈનો આનો ખુલાસો એ છે કે ઘણાં સ્થાનોના અહેવાલો મળતા નથી, તો ઘણે સ્થાને સ્થિતિ અસંતોષકારક છે તેથી મૌન રાખવું કર્તવ્ય થઈ પડે છે. બીજો આક્ષેપ એ છે કે બહુ સ્વતંત્ર અને સર્વદશી થવાનું બને છે. મોહનભાઈનો ખુલાસો એ છે કે સ્વતંત્ર અને સર્વદેશી બનવામાં કૉન્ફરન્સના હિતની દૃષ્ટિ રહેલી છે. મોહનભાઈનું ઉદારમતવાદી વલણ આમાં જોઈ શકાય છે. ત્રીજો આક્ષેપ એ છે કે કદાચિત રાજકીય વિષય આવે છે. મોહનભાઈનો ખુલાસો એ છે કે કૉન્ફરન્સની હિતષ્ટિને કારણે રાજકીય વિષય ચર્ચો નથી. (મહત્ત્વની રાજકીય ઘટનાઓની નોંધ લેવાનું અને રાષ્ટ્રીય આંદોલનનો પુરસ્કાર કરવાનું મોહનભાઈનું વલણ હતું પણ આને રાજકીય વિષયની ચર્ચાના લેખો ન ગણાય. પછીથી “જૈનયુગમાં રાષ્ટ્રીય હિલચાલને બાધ ન આવે એવી રીતે રાજદ્વારી ચર્ચાના લેખો સ્વીકારવાનું નક્કી થયેલું પણ એવા. લેખો એમાં ખાસ દેખાતા નથી.) - ચોથો આક્ષેપ એ છે કે જૈન શૈલી પ્રમાણે લેખો લખાવા જોઈએ તે બન્યું નથી. મોહનભાઈનો ખુલાસો એ છે કે મેં મારા ધર્મજ્ઞાન પ્રમાણે કર્યું છે. મોહનભાઈના પત્રોમાં પરંપરાગત નિરૂપણશૈલી કરતાં વર્તમાન સમયને અનુરૂપ નવીન નિરૂપણશૈલીને વધારે અવકાશ રહેતો એની સામેની આ ફરિયાદ હતી. એ સ્પષ્ટ છે કે મોહનભાઈની તંત્રી નીતિની ટીકા કરવામાં સાંપ્રદાયિક અને રૂઢિચુસ્ત દૃષ્ટિ જ કામ કરી રહી છે. આપણને મોહનભાઈની તંત્રી નીતિના જે ગુણવિશેષો લાગે છે તે એ દૃષ્ટિને દોષ રૂપે ભાસે છે. આવી ટીકાઓ છતાં મોહનભાઈએ “હેરલ્ડ છોડ્યા પછી ફરી પાછું “જૈનયુગ'નું સંપાદન એમને જ સોંપવામાં આવ્યું એમાં એમની તંત્રી નીતિનો વિજય છે અને કૉન્ફરન્સનીયે ઉદાર પ્રગતિશીલ દૃષ્ટિ એમાં વ્યક્ત થાય છે, જેને અભિનંદા વિના આપણાથી રહી ન શકાય. મોહનભાઈ પ્રાચીન સાહિત્ય અને ઇતિહાસમાં ભારે રસ લેનારા હતા.
Page #83
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્ધભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા તેથી એવી સામગ્રી એમનાં પત્રોમાં ઘણી આવતી. લોકો એમને જૂના ચોપડા ઉખેળનાર અને ઉકેલનાર ગણતા તથા ફરિયાદ કરતા કે “તમે “હેરલ્ડ' અને “જૈનયુગમાં આ બધું નકામું શું ભરી રહ્યા છો ?" તે વખતે આવી ફરિયાદ થતી પણ “હવે” પંડિત સુખલાલજી કહે છે કે “સૌને સમજાય તેવું છે કે મોહનભાઈનું પ્રવૃત્તિક્ષેત્ર અને કામ વિદ્વાનોને કેટલું ઉપયોગી છે અને તેનું મૂલ્ય કેટલું સ્થાયી છે !" જોકે આવી સ્થાયી મૂલ્ય ધરાવતી સામગ્રીવાળાં હેરલ્ડ' અને “જૈનયુગ”ની અખંડ, પૂરી ફાઇલો ક્યાંય સચવાયેલી નથી એ એક દુઃખદ વિષમતા છે. તંત્રીધર્મની દ્વિધા અને મૂંઝવણ કૉન્ફરન્સ જેવી કોઈ ધાર્મિક સમાજનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાનું મુખપત્ર ચલાવવાનું કામ મોહનભાઈ જેવા નવા વિચારોથી પ્રેરાયેલ માણસને માટે કપરું બને જ. એમને કેટલીક તડજોડ કરવી પડે જે એમને ન રુચે અને એમને શંકા જાય કે પોતે જે શ્રમ લઈ રહ્યા છે એ સાર્થક છે કે કેમ. મોહનભાઈએ પણ આવી દ્વિધાઓ અને મૂંઝવણો અનુભવી છે અને એનું નિખાલસ ચિત્ર એમણે “હેરલ્ડ' છોડતી વેળા (જાન્યુ.-ફેબ્રુ. 1919) આપ્યું છે : “આ માસિક કૉન્ફરન્સનું મુખપત્ર હોઈ તેને ચલાવવામાં જોકે કૉન્ફરન્સના આધારભૂત એવા આખા સંઘના મોટા ભાગની વૃત્તિઓ જાળવી ન શકાય તોપણ તેની સાથે તેને ક્ષોભ પણ ન પમાડી શકાય. આથી આ માસિક ચલાવવાનું કાર્ય મારે માટે કેટલું વિકટ હતું તે સહેલાઈથી સમજી શકાય તેમ છે. સત્ય નીડરપણે જણાવવામાં અપ્રિયતા વહોરવાનો સમય આવે છે છતાં “સત્યમેવ જયતે” એ લક્ષમાં રાખી “સત્યાન્ન પ્રમાદિતવ્યમ્' એ સૂત્ર ઈષ્ટ છે એમ ગણી મેં તંત્રીનું પદ સ્વીકાર્યું હતું અને (1) હવે મને મારા અનેક વ્યવસાયોમાં અવકાશ રહેતો નથી. (2) તંત્રીની જગાએ રહી અનેક જાતના વિચારોની ચિંતા સ્વાભાવિક રીતે કરવી પડે તે પોષાઈ શકતું નથી. (3) સમાજની હાલની સ્થિતિ જોતાં ઘણી વખત સત્ય પોકાર કરવો એ અરણ્યરુદન સમાન જણાય છે. (4) તંત્રી તરીકે નાનાનાના લેખો કે પ્રાસંગિક નોંધો લખવામાં કાળ અને શક્તિનો વ્યય કરવા કરતાં એક
Page #84
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા અખંડ કાર્ય પુસ્તકના રૂપે કરવું એ વિશેષ ઉપયોગી લાગે છે કારણકે માસિકનું સાહિત્ય સ્વતંત્ર લેખોથી અલ્પજીવી છે. (5) સંકુચિત દૃષ્ટિથી બદ્ધ થયેલા સમાજમાં સ્વતંત્ર લેખોથી ક્ષોભ કે અરુચિ ઉત્પન્ન કરવી તેના કરતાં જૈનેતર સમાજમાં જૈન અને જૈનધર્મની ઝળક બતાવે તેવા લેખો દ્વારા જૈન ધર્મ પ્રત્યે આદર ઉત્પન્ન કરવો એ વધારે ઉપયોગી છે. એવાએવા અનેક સંજોગો ને વિચારોથી વશ થઈ મારે આ એક રીતે કીમતી અને સમાજોપયોગી જગ્યા માટે રાજીનામું આપવું પડ્યું છે....” મોહનભાઈએ પરિસ્થિતિનું કેવું સૂક્ષ્મ વિશ્લેષણ કર્યું છે ! એમાં એમની ઊંડી વિચારશીલતા વ્યક્ત થાય છે, જે આપણા મનમાં આદર જગવ્યા વિના રહેતી નથી. સામયિકોના સાહિત્યની અલ્પજીવિતા અંગેનું એમનું મંતવ્ય, એમનાં પોતાનાં ઘણાં લખાણો એમનાં માસિકપત્રોની ફાઈલોમાં દટાયેલાં પડ્યાં રહ્યાં છે એ જોતાં, આપણને ખરું લાગે. અને આવાં સામયિકો ચલાવવામાં એમણે જે વિષમતા અને દ્વિધાનો અનુભવ કર્યો એ સ્વાભાવિક લાગે. પણ ખાસ નોંધપાત્ર વાત તો એ છે કે આવા સ્પષ્ટ અને સચ્ચાઈભર્યા આત્મકથન પછી મોહનભાઈ પાછું “જૈનયુગ'નું તંત્રીપદ તો સ્વીકારે છે. મોહનભાઈની સમાજનિષ્ઠા અને સેવાભાવના એમનાં દ્વિધા, મૂંઝવણ ને સંકોચ કરતાં બળવત્તર નીવડી એ જ એનું કારણ. દૃષ્ટાંતરૂપ પત્રકારત્વ સ્વતંત્રતા, સત્યનિષ્ઠા, સેવાભાવના અને વિદ્યાપ્રેમના ઉજ્વળ રંગોથી ચમકતું મોહનભાઈનું પત્રકારત્વ દૃષ્ટાંતરૂપ લેખાય એવું છે. (ગ) સાહિત્યકાર્ય વાણીપ્રતિમાનું માહાત્મ મોહનભાઈની સેવાનું મુખ્ય ક્ષેત્ર તો, અલબત્ત, સાહિત્ય જ છે. ગ્રેજ્યુએટ થતાંની સાથે છેક ૧૯૦૮માં એ “જૈન સાહિત્ય અને શ્રીમંતોનું કર્તવ્ય” નામની લઘુ પુસ્તિકા પ્રગટ કરે છે એ બતાવે છે કે જેને વિશે એમણે સૌ પ્રથમ વિચારવું શરૂ કર્યું તે સાહિત્યનો વિષય જ છે. એ પુસ્તિકામાં એમણે જિનદેવની માત્ર મૂર્તિપ્રતિમાના સેવનનાં જ નહીં, વાણીપ્રતિમાના સેવનનાં પણ ફળ બતાવ્યાં છે ને વાણીપ્રતિમાનું માહાસ્ય કર્યું છે.
Page #85
--------------------------------------------------------------------------
________________ 72 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા સાહિત્યસેવાની લગની એમના મનમાં ઊગી રહી હતી એનો એ સંકેત છે. એ પુસ્તિકામાં જૈન સાહિત્ય પરત્વે કરવાનાં કાર્યોનું એમણે દિગ્દર્શન કરાવ્યું છે એમાંથી ઘણાં એમણે જ પછીથી કરવામાં આવ્યાં : “જૈન ગૂર્જર કવિઓ'માં જૈન સાહિત્યની મહાભારત સૂચિ એમણે આપી, “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” એ વિગતસભર સર્વગ્રાહી ઈતિહાસ એમણે રચ્યો, સિદ્ધિચન્દ્રઉપાધ્યાયરચિત “ભાનુચન્દ્રગણિચરિત' જેવી સંસ્કૃત અને અનેક મધ્યકાલીન ગુજરાતી જૈન કૃતિઓનાં સંપાદનો કર્યા, અનેક જૈન કવિઓના પરિચયો-અભ્યાસો રજૂ કર્યા અને જૈન ધર્મ-તત્ત્વજ્ઞાનના વિષયમાં પણ કામ કર્યું. ૧૯૦૮માં લખેલી પુસ્તિકા જાણે 1944 સુધી ચાલેલી એમની અવિરત સાહિત્યસાધનાનું પ્રાસ્તાવિક બની રહી. મોહનભાઈનું સાહિત્યસર્જન વિપુલ છે. પણ એ ચોક્કસ પ્રકારનું, નિજી મુદ્રાવાળું છે. એમાંથી એમની કઈ જાતની સાહિત્યિક પ્રતિભા ઊપસે છે એ હવે જોઈએ. સંકલન અને સ્વકીય મુદ્રા પંડિત સુખલાલજી જેવા સ્નેહીઓ મોહનભાઈને ઘણી વાર કહેતા, “મોહનભાઈ, તમે બહુ મોટાં પોથાં પ્રગટ કરો છો અને ખૂબ લાંબું લખો છો.” ત્યારે મોહનભાઈ ખડખડાટ હસીને નિખાલસતાપૂર્વક કહેતા, “તમારા જેવા કાંઈ અમે મૌલિક લેખક નથી.” હા, મોહનભાઈ કેટલે અંશે મૌલિક લેખક છે, એમની મૌલિકતા શામાં રહેલી છે એવો પ્રશ્ન જરૂર થઈ શકે. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” જેવો આકરગ્રંથ સંકલનનો આશ્રય લે - હેમચંદ્રાચાર્ય કે યશોવિજયજીના મૂલ્યાંકનમાં અધિકારી વિદ્વાનોનાં લાંબાંલાંબાં ઉદ્ધરણોથી ચલાવે - તો એ સમજી શકાય; સંપાદક બધું સાહિત્ય વાંચી પોતાનાં જ મૂલ્યાંકનો આપે એવી અપેક્ષા ન રાખી શકાય. પરંતુ જૈન સંપ્રદાય અંગેની સામાન્ય ચર્ચા (જે ઇતિહાસનાં છેવટનાં પ્રકરણોમાં સમાયેલી છે) અને વ્યાપક રસના અન્ય વિષયોની ચર્ચા (જે “નિવેદન”માં સમાયેલી છે) બીજાઓના ટેકે ચાલે, એમાં પણ લાંબાં અવતરણો અપાય ત્યારે લેખકની મૌલિકતા વિશે સંશય થાય. મને વહેમ છે કે ઉદ્ધત તરીકે મુકાયેલા નથી તેવા ભાગોમાં પણ કેટલુંક
Page #86
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 03. અન્યત્રથી સંકલિત કરેલું કદાચ હોય. મોહનભાઈ જબરા સંકલનકાર હતા એમ જણાય છે. એમનું વાચન વિશાળ હતું, સ્મૃતિ સતેજ હતી ને એટલાં ને એવાં મોટાં કામ એ હાથ પર લેતા હતા કે સંકલનનો સહારો લેવાનું એમને માટે સ્વાભાવિક બની જાય. પણ આ સંકલન પોતાના ધ્યેયને વશ વર્તીને ચોક્કસ દૃષ્ટિથી જ થયેલું છે. એમાં ક્યાંય શંભુમેળો નથી, જાતજાતના ટુકડા ભેગા સીવી બનાવેલો ચંદરવો નથી. સંકલન વિવેકપૂર્વક થયું છે, પોતાની માન્યતાને અનુરૂપ રીતે જ થયું છે અને મોહનભાઈના સમગ્ર લખાણમાં આવાં સંકલન એવાં હળીભળી જાય છે કે એમાં કશું પરાયાપણું કે ઉછીનું લીધાપણું પણ ભાસતું નથી. વસ્તુતઃ મોહનભાઈમાં સ્વતંત્ર વિચારશક્તિ નહોતી એવું તો કંઈ નથી. એમણે જાહેરજીવનમાં ભાગ લીધો છે, પત્રો ચલાવ્યાં છે ને એમાં પોતાના મંતવ્યો પ્રગટ કરવાના એમને અવસર આવ્યા છે. મોહનભાઈનું સમગ્ર જીવન પણ વિચારનિષ્ઠ જીવન હતું. પણ કદાચ સ્વભાવગત નમ્રતાને કારણે, કદાચ વિચાર સમર્થિત થાય, એને વધુ મહત્ત્વ પ્રાપ્ત થાય એ હેતુથી, કદાચ સમયાભાવે ગાંધીજી, કાલેલકર, સુખલાલજી વગેરે સંમાન્ય પુરુષોનાં (ને બીજા ઘણાનાં પણ) વચનો ઉદ્ધત કરીને એ પોતાની વાત ચલાવે છે. મોહનભાઈ જે કંઈ વિચારે છે એ એથી અળપાતું નથી, એ પ્રકાશિત થાય છે. વિચારની એક મુદ્રા મોહનભાઈનાં સર્વ લખાણોમાં આપણે જોઈ શકીએ છીએ. સર્વસંગ્રાહક વૃત્તિ મોહનભાઈના સ્વભાવમાં સંગ્રાહક વૃત્તિ છે. જે કંઈ સારું કે ઉપયોગી જણાયું એ સંઘરી લેવું. સંકલનશૈલીમાં આ સંગ્રાહક વૃત્તિનો હિસ્સો પણ હોય. મોહનભાઈનાં પુસ્તકોમાં જે પ્રસ્તાર દેખાય છે તે આ સંગ્રાહક વૃત્તિનું જ પરિણામ છે. વિષય અંગેની એટલી બધી સામગ્રી મોહનભાઈ જોઈ વળતા કે એમનું વિષયનિરૂપણ ભારે વિગતભર્યું બન્યા વિના ન રહે. પોતાની સજ્જતાને કારણે આનુષંગિક બાબતો ઉપર પ્રકાશ પાડવાનુંયે એ ઇચ્છે અને બીજાને અપ્રસ્તુત કે અસંગત લાગે એવી વિગતોને ટાળવાનું એમનાથી ના બની શકે. આને સંગ્રાહક વૃત્તિ નહીં, પણ સર્વસંગ્રાહક (એન્સાઇક્લોપીડિક)
Page #87
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા વૃત્તિ જ કહેવી જોઈએ. સામાયિકસૂત્રપાઠ તો પાંચ પાનાંમાં સમાય એવો. એના વિશે 300 પાનાંનું પુસ્તક હોય એવું કોણ માને ? પણ મોહનભાઈ સૂત્રોના શબ્દો જ્યાં સુધી લઈ જઈ શકે ત્યાં સુધી જાય - એની સઘળી પરિભાષાઓ સ્પષ્ટ કરે, તાત્પર્યાર્થો ઉકેલે, જરૂરી સઘળો નીતિવિચાર અને તત્ત્વવિચાર પૂરો પાડે. એ આટલું જ ન અટકે. “સામાયિકવિચાર” નામનો 140 પાનાં સુધી વિસ્તરતો ભૂમિકા-ખંડ પણ મૂકે જેમાં સામાયિકનાં સ્વરૂપ, સ્થાન, લક્ષણ, પ્રકારો, ઉપકરણો, પ્રયોજનો, માહાસ્ય ને ફલસિદ્ધિની વિચારણા હોય. સામાયિક વિશે પૂર્વે જે કંઈ વિચારાયું હોય તે મોહનભાઈ સંગ્રહીત કરી લે ને આમ એમનું લખાણ વિસ્તરતું જાય. “ભાનુચન્દ્રગણિચરિત'ના સંપાદનમાં, ચરિત્રનાયક જહાંગીરના સંબંધમાં આવેલા તેથી મોગલ દરબારો સુધી પહોંચેલા જૈન મુનિઓની માહિતી જોડવામાં આવે, ભાનુચન્દ્રની શિષ્ય પરંપરા આપવામાં આવે, એમની તથા એમના ચરિત્રલેખક ને શિષ્ય સિદ્ધિચન્દ્રની કૃતિઓની માહિતી પૂરી પાડવામાં આવે એ તો બધું વિષયાનુરૂપ જ ગણાય. પરંતુ ગુરુશિષ્યની કૃતિઓની પ્રશસ્તિઓ ઉતારવામાં આવે ને જે સુભાષિત સંગ્રહમાં સિદ્ધિચન્દ્રનાં કેટલાંક સુભાષિતો મળે છે એ આખા સુભાષિત-સંગ્રહનો વીગતે પરિચય નોંધવામાં આવે એને મોહનભાઈની લોભી વૃત્તિનું જ પરિણામ લખવું પડે. મોહનભાઈની સર્વસંગ્રાહક વૃત્તિનો અભુત દાખલો તો જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ છે. “સંક્ષિપ્ત તરીકે ઓળખાવાયેલા આ ગ્રંથનાં પાનાં 1100 જેટલાં છે ને “જૈન ગૂર્જર કવિઓ'ના બીજા ભાગમાં પ્રસ્તાવના તરીકે મૂકવા ધારેલો લેખ (200-300 પાનાં ધાર્યા હોય; પહેલા ભાગમાં એવડો પ્રસ્તાવનાલેખ છે) 1100 પાનાના ગ્રંથ રૂપે પરિણમ્યો છે ! મોહનભાઈ પછી હીરાલાલ કાપડિયાએ “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસના ગ્રંથો આપ્યા છે ને હિંદીમાં જૈન સાહિત્યના બૃહદ્ ઈતિહાસના કેટલાક ગ્રંથો પ્રગટ થયા છે તેમ છતાં મોહનભાઈના ગ્રંથની ઉપયોગિતા ઓછી થઈ નથી એનું કારણ એ ગ્રંથનું સર્વસંગ્રહાત્મક સ્વરૂપ જ છે. મોહનભાઈએ ઘણા હસ્તપ્રતભંડારો જોયેલા તેનો લાભ આ ગ્રંથને મળ્યો છે. આજે હસ્તપ્રતભંડારો કોણ
Page #88
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 75 જોવા જાય? મોહનભાઈએ કૃતિઓના લેખનની એટલેકે લિપિબદ્ધ થયાની, કૃતિઓ સંશોધિત થયાની વગેરે માહિતી પણ આમેજ કરી છે. સાહિત્યના ઈતિહાસમાં આવી માહિતી કોણ નાખે? એક દ્રષ્ટિએ સાહિત્યના ઇતિહાસમાં એ માહિતી અપ્રસ્તુત પણ લેખાય, પણ આ પ્રકારના માહિતીસંચયે જ મોહનભાઈના ગ્રંથને અદ્વિતીય બનાવ્યો છે. જૈન ગૂર્જર કવિઓ' છે તો એક સાહિત્યસૂચિ - મુખ્યત્વે હસ્તપ્રતસૂચિ. મોહનભાઈએ એમાં જૂની ગુજરાતીનો ઈતિહાસ (જે વસ્તુતઃ અપભ્રંશનો ઈતિહાસ છે), જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ વગેરે સામગ્રી નાખી છે તે ભોગીલાલ સાંડેસરા જેવા વિદ્વાનને પણ અનાવશ્યક લાગી છે. પણ ગુજરાતીમાં આજ સુધી અપભ્રંશનો બીજો કોઈ ઇતિહાસ નથી અને ગુરુપટ્ટાવલી પણ સુઘડ, સુવ્યવસ્થિત, સરળતાથી ઉપયોગમાં લઈ શકાય એવી આ એક જ છે ! મૂળ સામગ્રી પરત્વે એની ઉપકારકતા ઓછી માનીએ (સાવ નથી એવું તો નથી જ) તોયે આ સામગ્રીનું સ્વતંત્ર મૂલ્ય ઓછું નથી અને મોહનભાઈની લોભી વૃત્તિનું એ સુપરિણામ છે એમ આજે તો ભાસે છે. પંડિત સુખલાલજી પાસે રાત રહેવાનું થાય તો મોહનભાઈ સાથે કામ લઈને જાય. એક વાર પંડિતજીએ પૂછ્યું, “આ ભાર શો ?" મોહનભાઈએ જવાબ આપ્યો કે જૈન ગૂર્જર કવિઓ'નાં પરિશિષ્ટોનું કામ ચાલે છે. ન કરે તો કોણ કરે ? અને રહી જાય.” મોહનભાઈની ઘારણા ખોટી ન હતી એની પ્રતીતિ હવે આપણને થાય છે. મોહનભાઈના કાર્યનું મૂલ્યાંકન કરતી વેળા રામનારાયણ પાઠકે “જૈન ગૂર્જર કવિઓ'ને અનુલક્ષીને કહેલા આ શબ્દો યાદ કરવા જેવા છે: “સંગ્રહની ગણના મૌલિક ગ્રંથથી ઊતરતી કરાય છે પણ આવા શાસ્ત્રીય સંપાદનની કિંમત સાહિત્યમાં ઘણી મોટી છે અને તેની મહેનત તો તે પ્રકારનું કામ જેણે થોડુંઘણુંયે કર્યું હોય તે જ સમજે છે.” (પ્રસ્થાન, દીપોત્સવી અંક, 1983) સંદર્ભસાહિત્ય તરીકેનું મૂલ્ય મોહનભાઈના સાહિત્યનું ખરું મૂલ્ય સંદર્ભસાહિત્ય તરીકે છે અને સંદર્ભ સાહિત્યના એ એક ઉત્તમ નિર્માતા છે. એમનું આ પ્રકારનું સાહિત્ય અનેક વિદ્યાકાર્યોને ઉપકારક બની શકે એવું છે, સંશોધનોને સામગ્રી અને
Page #89
--------------------------------------------------------------------------
________________ 76 વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા દિશા પૂરી પાડે એવું છે. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” અને “જૈન ગૂર્જર કવિઓ'ને અનુલક્ષીને હરિવલ્લભ ભાયાણી કહે છે કે “દેશાઈના બંનેય આકરગ્રંથના બાદશાહી ખજાનાનો હું પોતે મારા કામ માટે વરસોથી લાભ ઉઠાવતો આવ્યો છું અને ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના અનેક ઈતિહાસલેખકો-સંશોધકો પણ આજ સુધી એમ કરતા આવ્યા છે.” (ભાષાવિમર્શ, એપ્રિલ-જૂન 1987) “જૈન ગૂર્જર કવિઓમાં મધ્યકાળના સાતસો વરસના ઘર્મ, સંસ્કાર, સમાજજીવન, ઇતિહાસની એવી સામગ્રી સમાયેલી છે કે એને આધારે નાનામોટા અનેક સંશોધન-લેખો તૈયાર થઈ શકે. મોહનભાઈએ સંગ્રહીત કરેલી સામગ્રીનો આવો અભ્યાસ થવો હજુ બાકી છે. લાંબે સુધી પહોંચતી સૂચિ-દૃષ્ટિ સંદર્ભસાહિત્યમાં વિવિધ પ્રકારની વર્ણાનુક્રમિક સૂચિઓ એક અનિવાર્ય અને અત્યંત મહત્ત્વનું અંગ છે. આવી સૂચિઓ વિના સંદર્ભ સાહિત્યનો ઘટતો ઉપયોગ થઈ શકતો નથી. મોહનભાઈની દૃષ્ટિ આ બાબતમાં આશ્ચર્યજનક રીતે લાંબે સુધી પહોંચે છે. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં કર્તાઓ, કૃતિઓ, પારિભાષિક શબ્દો, તીર્થો, ગચ્છો, કુલગોત્રો, સ્થળસ્થાનાદિ વગેરે 22 વિભાગમાં વહેંચાયેલી લગભગ 200 પાનાંની વર્ણાનુક્રમિક સૂચિ છે. જૈન ગૂર્જર કવિઓ'માં કર્તા-કૃતિસૂચિ, કૃતિઓની વર્ગીકૃત સૂચિ, ગદ્યકારો ને ગદ્યકૃતિઓની સૂચિ, સ્થળસ્થાનાદિની સૂચિ, કૃતિઓની સાલવારી સૂચિ વગેરે જેવી વિવિધ પ્રકારની સૂચિઓ એમણે જોડી છે ! સૂચિનું મહત્ત્વ મોહનભાઈને કેટલે પહેલેથી સમજાયું હતું તેના દાખલા જુઓ છેક ૧૯૧૦ના “નયકર્ણિકા જેવા નાના ગ્રંથમાં પણ અંતે પારિભાષિક શબ્દો, વ્યક્તિનામો, ગ્રંથનામો, સ્થળનામો, સંસ્થાનામો વગેરેનો સમાવેશ કરતો સવિસ્તર વિષયાનુક્રમ એમણે મૂક્યો છે. અને ૧૯૧૨ના “જૈન કાવ્યપ્રવેશ' જેવા પાઠ્યપુસ્તકમાં પણ કઈ જૈન કથા કયા ગ્રંથમાં પ્રાપ્ય છે તે દર્શાવતો “કથાનુક્રમ મૂક્યો છે - શિક્ષકને એ કામ આવે ને ! ભોગીલાલ સાંડેસરાને પોતાના લેખોની યાદી રાખવાનું સૂચવનાર મોહનભાઈ હતા. ભોગીલાલ સાંડેસરાએ પોતાના એક લેખની માહિતી આપી
Page #90
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્ધતિભા અને મનુષ્ય પ્રતિભા હતી તેમાં મોહનભાઈએ ભૂલ પણ બતાવેલી. મોહનભાઈ બીજાના લેખોની માહિતી રાખતા હતા તો પોતાના લેખોની માહિતી પણ રાખી જ હશેને ? પણ દુર્ભાગ્યે એ આપણને પ્રાપ્ત થઈ નથી. સૂચિ માટેનો મોહનભાઈનો ઉત્સાહ એટલોબધો હતો કે આનંદશંકર ધ્રુવ અને બેચરદાસ દોશીએ તૈયાર કરેલ પ્રાકૃત પાઠમાળામાં શબ્દકોશ નહોતો તે હોવો જોઈએ એમ કહી મોહનભાઈએ કરી આપ્યો ! ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે સૂચિનું આટલું બધું મહત્ત્વ કરનાર અને સૂચનો આવો પરિશ્રમ ઉઠાવનાર બીજું કોઈ નજરે પડતું નથી. બારીક વ્યવસ્થાસૂઝ ભોગીલાલ સાંડેસરા જેવા સંશોધનક્ષેત્રે પડેલાને મોહનભાઈનો અભ્યાસખંડ જોઈને થયેલી તે લાગણી એમનાં લખાણો પરત્વે પણ થાય છે કે “અહીં કોઈ વ્યવસ્થા નથી.” “જૈન ગૂર્જર કવિઓની બીજી આવૃત્તિના સંદર્ભે એમણે એવું પણ જણાવ્યું કે “મોહનભાઈની તુલનાએ કોઠારીમાં સેન્સ ઑફ ઑર્ડર ઘણી તીવ્ર હોઈ એમનું કામ “હોલ્ડલ'માં ગમે તે ચીજોનો ઢગલો કરવાના શ્રમને મુકાબલે ઘણું કઠિન હતું.” (બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ 1987) એટલેકે મોહનભાઈએ “હોલ્ડ-લ'માં ગમે તેમ ચીજોનો ઢગલો કર્યો હતો, જ્યારે મેં એમની સામગ્રીને વ્યવસ્થામાં મૂકી આપી છે. હું પોતે આ અભિપ્રાય સાથે સંમત થઈ શકતો નથી. મોહનભાઈમાં ઘણી બારીક વ્યવસ્થાસૂઝ હતી એમ હું માનું છું. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત રચી જ ન શકાય. એમાં જે વિપુલ આધારસામગ્રીનો ઉપયોગ થયેલો છે એ ચુસ્ત વ્યવસ્થા ઊભી કર્યા વિના થઈ જ ન શકે. આ ગ્રંથોમાં મુકાયેલી ભરપૂર વર્ણાનુક્રમિક સૂચિઓ એ વ્યવસ્થાસૂઝનું પરિણામ નથી તો શાનું છે ? “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસમાં ફકરાઓને અપાયેલા ક્રમાંક, જૈન ગૂર્જર કવિઓ'માં સમયાનુક્રમે સામગ્રીની રજૂઆત, કર્તાઓને તથા કૃતિઓને ક્રમાંક આપવાની પદ્ધતિ, વર્ણાનુક્રમણીમાં કર્તાકૃતિક્રમાંક તથા પૃષ્ઠક બન્ને દર્શાવવાની અપનાવાયેલી રીત - આ બધું વ્યવસ્થાની ઝીણી સૂઝ ધરાવતો, વ્યવસ્થા માટે આગ્રહી માણસ જ કરી શકે. આમ છતાં આ
Page #91
--------------------------------------------------------------------------
________________ 78 વિરલ વિદભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા આકરગ્રંથોમાં કેટલીક બાબતમાં વ્યવસ્થા તૂટી હોય તો તેનું કારણ સામગ્રીની પ્રચુરતા છે, સાવ એકલે હાથે આ કામો કરવાનાં થયાં છે તે છે અને જૈન ગૂર્જર કવિઓ'નું કામ તો વર્ષો સુધી ખેંચાયું તે છે. મોહનભાઈનો એ પ્રકૃતિદોષ નથી. “સમ્યકત્વના સડસઠ બોલની સઝાય' કે “જૈન કાવ્યપ્રવેશ” જેવાં આરંભકાળનાં બાલબોધાત્મક પુસ્તકોમાંયે વિષયાનુરૂપ ખંડો, વિષયશીર્ષક, સમજૂતી સાથેનો અનુવાદ, વિશેષ અર્થ, ફૂટનોટમાં પૂર્તિ કે ચર્ચા - કેવી સુગમ, સ્વચ્છ, સહાયકારક થાય એવી અનેક સ્તરની વ્યવસ્થા મોહનભાઈએ નિપજાવી છે ! વિવેકાનંદના પત્રોનો મોહનભાઈએ અનુવાદ કર્યો ત્યારે મૂળ અંગ્રેજી પુસ્તકમાં તો પત્રો જે ક્રમમાં પ્રાપ્ત થયેલા એ ક્રમમાં મુકાયા હતા; મોહનભાઈ સમયના ક્રમમાં - તારીખના ક્રમમાં અને સમય ન હોય ત્યાં સંબંધ જોઈ એ પત્રોને ગોઠવે છે - વિવેકાનંદના માનસિક જીવનને સમજવામાં મદદ મળે એ હેતુથી. આમ અવ્યવસ્થા નહીં, વ્યવસ્થા જ મોહનભાઈનો સ્વભાવ છે. જ્યાં વ્યવસ્થા ન હોય ત્યાં એ વ્યવસ્થા નિપજાવે છે અને અનેક નવી વ્યવસ્થાઓ કહ્યું છે. અખંડ જાગરૂકતા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” અને “જૈન ગૂર્જર કવિઓની મર્યાદા દર્શાવતાં મધુસૂદન મોદી કહે છે કે એ ગ્રંથો સંકલ્પના અને આકૃતિની બાબતમાં પૂરતા વૈજ્ઞાનિક અને ચોકસાઈભરેલા નથી. મોદીએ કશી વીગતો આપીને પોતાનો અભિપ્રાય સમર્થિત કર્યો નથી તેથી એ એક અભિપ્રાય જ રહે છે. બાકી આ પ્રકારના આકરગ્રન્થો આથી વધારે વૈજ્ઞાનિક રીતે ને ચોકસાઈથી વિચારાયેલા અને આકારબદ્ધ થયેલા ગુજરાતી સાહિત્યમાં તો કોઈ નજરે ચડતા નથી. અન્યત્ર આનાથી સારા નમૂના હોય અને મોદીના લક્ષમાં એ હોય તો જુદી વાત છે. આ બન્ને આકરગ્રન્થોની કેટલીક ખામીઓ જરૂર જોઈ શકાય પણ એમાંની સામગ્રીની પ્રચુરતા ને મોહનભાઈની એકલા હાથની કામગીરી જોતાં એ નગણ્ય જે લેખાય ને મોહનભાઈએ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ માટે એમને અભિનંદ્યા વિના ન ચાલે. મોહનભાઈ “જૈન ગૂર્જર કવિઓમાં આગળ આવી ગયેલી સામગ્રીની શુદ્ધિવૃદ્ધિ પાછળ સતત
Page #92
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્ધત્મતિભા અને મનુષ્ય પ્રતિભા 78 કરતા રહ્યા છે ને “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં માત્ર ભૂલો સુધારતું જ નહીં પણ નવી પ્રાપ્ત થયેલી માહિતી ઉમેરતું વિસ્તૃત શુદ્ધિ અને વૃદ્ધિપત્રક આપ્યું છે તે આપણે ત્યાં સંશોધકોમાં પણ વારંવાર જોવા ન મળતી ચોકસાઈની વૃત્તિનું અને અખંડ જાગરૂકતાનું એક ઉજ્વલ ઉદાહરણ છે. મોહનભાઈની શક્તિ ને સજ્જતા આમાં ક્યાંક ઊણી ઊતરી હોય એમ બને પણ એમની વૈજ્ઞાનિકતા અને સત્ય હકીકત માટેના આગ્રહનો આંક ઓછો આંકવા જેવો નથી. શૈલી મોહનભાઈનાં સર્વ લખાણોમાં આપણને સંસ્કૃતાઢ્યતા વિનાની શિષ્ટ ગુજરાતી ભાષાનો વિનિયોગ જોવા મળે છે. માહિતી કે વિચાર - કશાને રજૂ કરવામાં એમને ભાષાની મર્યાદા નડતી નથી. એમણે કરેલા અનુવાદો એટલા સરલ-સહજ હોય છે કે એમની ભાષાક્ષમતાનું એ મોટું પ્રમાણ બની રહે છે. વાક્યરચના બહુધા અક્લિષ્ટ અને પ્રવાહી હોય છે ને સમગ્ર લખાણ એક વ્યવસ્થિત આકાર પામે છે. એમનાં લખાણોમાં સઘનતાને સ્થાને પ્રસ્તાર થયેલો કેટલીક વાર અનુભવાય, પણ એથી ફુટતા અને સર્વગમ્યતા આવે છે. મોહનભાઈમાં હૃદયની નિર્મલતા છે. જે કહેવાનું હોય તે શાંત ભાવે સ્પષ્ટ અને સીધું એ કહે છે. એથી એમની શૈલીમાં સાદાઈભરી લક્ષ્યગામિત આવે છે. મોહનભાઈનાં લખાણો માહિતીલક્ષી ને વિચારલક્ષી હોઈ એમાં શૈલીના રંગને ભાગ્યે જ અવકાશ મળે એવું છે. આમેય સ્વસ્થતા એ મોહનભાઈનું સ્વભાવલક્ષણ છે. આમ છતાં, લખાણો શુષ્કતા અને કર્કશતાનો ભોગ બનતાં નથી, પ્રસાદગુણ સદા પ્રવર્તી રહે છે અને પ્રસંગે ઉત્સાહ, જોમ તથા ઉષ્માના સ્પર્શ ધરાવતું ગદ્ય પણ આપણને સાંપડે છે. આ પ્રકારના ગદ્યના બેત્રણ નમૂના જુઓ : તે વિવેકાનંદના પત્રો] વાંચતાં તનમાં તનમનાટ અને મનમાં અપૂર્વ જુસ્સો પ્રગટ થાય છે. ભાષા એવી પ્રોત્સાહક (vigorous) છે, કલ્પના એવી મનોરમ્ય અને ચિત્તાકર્ષક છે અને આત્માનો વેગ એવો પ્રબલ અને શૌર્યાન્વિત છે કે કોઈ પણ વ્યક્તિ મંત્રમુગ્ધ થયા વગર રહે તેમ નથી.”
Page #93
--------------------------------------------------------------------------
________________ 80 વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા (સ્વામી વિવેકાનંદના પત્રો, નિવેદન). ગાંધીજી “વસુધૈવ કુટુંબકમ્' એવી દશાને પામેલા વિશ્વપ્રેમી મહાત્મા છે. જગતના ભાગ્યવિધાતા - જગતના મહાન પુરુષ છે. ભારતના અપ્રતિમ દિવ્ય પુત્ર છે કે જેણે હિન્દના અસંખ્ય જનો પર પોતાની પ્રભાભરી અજબ છાપ પાડી છે. ભારતવર્ષના તેઓ મિત્ર, માર્ગદર્શક અને દ્રષ્ટા (friend, guide and philosopher) છે. તેમની ચૈતન્યશક્તિ સૂતેલામાં જાગૃતિ આણે છે, તેમનામાં પ્રેરણાનું પરમ સામર્થ્ય છે, તેમનો નિષ્કામ ત્યાગ કીર્તિને ઇચ્છતો નથી, કોઈ ભોગેચ્છા સેવતો નથી.” (પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, વર્ષ બીજું, પૃ.૧૫૭). મહાત્માજી એક વ્યક્તિમાત્ર છે એમ નહીં, પણ તે એક મોટી સંસ્થા (institution) છે, જગતને અનેક સંદેશા પાઠવે છે, ભારતને અનેક પાઠો શીખવી સ્ટાર કરે છે, નિર્ભય કરે છે, દેશ માટે - ધર્મ માટે પ્રાણ આપનાર એવા અનેક વીરોને ઉત્પન્ન કરે છે, વિચારો સર્જે છે અને તે અષ્ટાકારે, મુત્સદ્દીપણું બતાવ્યા વગર - દ્વિઅર્થીપણાને સ્થાન આપ્યા વિના બોલે છે, લખે છે.” (એજન, પૃ.૧૫૮). | શબ્દોના અને વાક્યોના ઉપચય દ્વારા મોહનભાઈએ પોતાના કથનને પ્રભાવાત્મક બનાવ્યું છે તે દેખાઈ આવે છે. મોહનભાઈની ભાષા ક્વચિત ચિત્રાત્મક બને છે, રૂપકાદિનો આશ્રય પણ લે છે. વેપારીઓને સમાજના પેટ તરીકે તેઓ વર્ણવે છે, તે આનું ઉદાહરણ છે. (જુઓ આ પૂર્વે પૂ.૪૨) પોતાના લેખોને માટે મોહનભાઈ અરૂઢ પ્રકારનાં, સચોટ અસર નિપજાવતાં શીર્ષકો યોજે છે. થોડાં શીર્ષકો જુઓ : “તીર્થનો સવાલ તે આખી સમાજનો સવાલ છે’, ‘પડદો કાઢી નાખો”, “કાગડાઓને શું શાંતિથી રહેવાનો હક્ક નથી ?', “હવે શું ?", “આપણે કેવા દેખાવું જોઈએ ?', “ઐક્ય ક્યારે કરીશું? હમણાં જ', “શું સાધુસંઘ ઉત્થાપવા યોગ્ય છે? નહીં જ', સંઘ એટલે શું? શ્રાવકવર્ગ વગેરે. વિચાર રજૂ કરવા માટે મોહનભાઈ કોઈ વાર સંવાદના માધ્યમનો ઉપયોગ કરે છે એ બતાવે છે કે એમણે લોકગમ્યતાને વિસારે પાડી નથી.
Page #94
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા 81 પત્રકાર એવું કરી પણ ન શકે. મોહનભાઈ વિશિષ્ટ શૈલીકાર નથી, પરંતુ જેની પાસે કશી જ શૈલી ન હોય એવા લેખક પણ નથી. પોતાના હેતુને અનુરૂપ શૈલી એમણે નિપજાવી લીધી છે ને એમાં થોડું વૈવિધ્ય આવવા દીધું છે. ક્યારેક પોતાની રીતની કંઈક સાહિત્યિકતા અને વાગ્મિતાથી એને સજી છે. મોહનભાઈની વિશિષ્ટ અને વિરલ સાહિત્યિક પ્રતિભાના આ પરિચય પછી એમની ગ્રંથ-લેખ-સૃષ્ટિનો પણ પરિચય મેળવીએ. આકરગ્રંથો મોહનભાઈના ગ્રંથોમાં શિરમોરરૂપ તો છે એમના બે આકરગ્રંથો - જૈન ગૂર્જર કવિઓ” અને “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ'. જૈન ગૂર્જર કવિઓ' વિક્રમ બારમા શતકથી વીસમા શતક સુધીના જૈન ગુજરાતી સાહિત્યની સૂચિ છે. એમાં મુદ્રિત સાહિત્યની નોંધ લેવામાં આવી છે ખરી, પણ મુખ્યત્વે તો એ હસ્તપ્રતભંડારોમાં સચવાયેલા જૈન સાહિત્યની સૂચિ છે. મોહનભાઈએ ૧૯૧૧થી આવી યાદી કરવાનું શરૂ કરેલું અને જૈન ગૂર્જર કવિઓ'નો પહેલો ભાગ ૧૯૨૬માં, બીજો ૧૯૩૧માં અને ત્રીજો ૧૯૪૪માં બહાર પડ્યો તે જોતાં મોહનભાઈનો આ જ્ઞાનયજ્ઞ 33 વર્ષ ચાલ્યો કહેવાય. સાહિત્યસૂચિ માટે 250 જેટલા હસ્તપ્રતસંગ્રહો - સંસ્થાગત કે વ્યક્તિગત, મોટે ભાગે જાતે જોયેલા તો કેટલીક વાર સૂચિ રૂપે પ્રાપ્ત કરેલા - એમણે ઉપયોગમાં લીધા છે અને મુદ્રિત કૃતિઓ માટે તથા પૂરક માહિતી કે સંદર્ભ આપવા માટે એમણે જે ગ્રંથો, સામયિકોમાંના લેખો વગેરેનો ઉપયોગ કર્યો છે તે બધાંની યાદી કરીએ તો મોહનભાઈએ ઉપયોગમાં લીધેલાં સાધનોનો આંકડો 500 સુધી કદાચ પહોંચી જાય. આનો અને ગ્રંથશ્રેણીનાં 4000 ઉપરાંત પાનાંનો વિચાર કરીએ ત્યારે મોહનભાઈના અસાધારણ શ્રમની કંઈક ઝાંખી થાય. મોહનભાઈનાં શ્રમ અને સૂઝની પૂરી ઝાંખી થવા માટે તો ગ્રંથની સામગ્રીમાં થોડુંક ઊંડે ઊતરવું પડે. મોહનભાઈએ કૃતિઓની માત્ર સૂચિ કરી નથી, વર્ણનાત્મક સૂચિ કરી છે. કૃતિના આરંભઅંતના ભાગો ઉતાર્યા છે - કડ વિસ્તારથી ઉતાર્યા છે એમ કહેવાય. જરૂરી લાગ્યું ત્યાં વચ્ચેના ભાગો વિ.
Page #95
--------------------------------------------------------------------------
________________ વિરલ વિભ્રતિભા અને મનુષ્યપ્રતિભા પણ આપ્યા છે, સુભાષિતો જેવી સામગ્રી આવી તો એના નમૂના ઉતાર્યા છે. ક્યાંક છંદો ને દેશીઓની યાદી આપી છે અને કૃતિઓની હસ્તપ્રતોની પુષ્યિકાઓ પણ વીગતે ઉતારી છે. ક્યારેક કૃતિઓની ગુણવત્તા વિશેની નોંધ મળે છે ને આ સામગ્રીમાંથી મળતી દેશીઓની લાંબી સૂચિ મોહનભાઈએ આપી છે તે જોતાં મોહનભાઈએ ઘણી કૃતિઓ વીગતે જોઈ છે એમ ફલિત થાય છે. વસ્તુતઃ આ કૃતિ મેં ઉતારી લીધી છે એવી નોંધ પણ કેટલેક સ્થાને મળે જ છે. કૃતિઓની સૂચિ કરતી વખતે એમાં આટલાબધા ઊંડા ઊતરવાનું કેમ બની શકે એ કોયડો જ છે. 1150 જેટલા કવિઓને, એમની 3000 જેટલી કૃતિઓને અને એ કૃતિઓની વિવિધ ભંડારોમાં રહેલી હસ્તપ્રતોની માહિતીને એકસાથે લાવી મૂકવી. એને સમયના ક્રમમાં ગોઠવવી એ કેવી ઝીણવટભરી ચુસ્ત કાર્યપદ્ધતિ માગે એ તો આવું કામ કરનાર જ સમજી શકે. " “જૈન ગૂર્જર કવિઓ' જૈન સાહિત્યની વિપુલતા અને વિવિધતાનું રોમાંચક દર્શન આપણને કરાવે છે અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું અર્પણ કેટલું મોટું અને મૂલ્યવાન છે તે સ્થાપી આપે છે. આ ઉપરાંત, એ ગ્રંથશ્રેણીએ મધ્યકાળના સાતસો વરસના સાહિત્યિક-સામાજિક ઈતિહાસની ગંજાવર સામગ્રી પોતામાં સંઘરેલી છે - એવી ગંજાવર કે બીજી સંશોધિત આવૃત્તિમાં આ સામગ્રીની વર્ણાનુક્રમણીઓ ને સાલવારી અનુક્રમણિકાનો 850 પાનાં સુધી વિસ્તરતો ગ્રંથ થયો ! | મોહનભાઈ માત્ર જૈન સાહિત્યસૂચિ આપીને અટક્યા નથી; એમણે જૈન ભંડારોમાં પ્રાપ્ત થયેલી જૈનેતર કૃતિઓની નોંધ પણ આપી છે. ઉપરાંત, એમણે કેટલીક પૂરક સામગ્રી પણ જોડી છે - જૂની ગુજરાતી ભાષાનો ઇતિહાસ (વસ્તુતઃ અપભ્રંશનો ઇતિહાસ), જૈન કથાનામકોશ, જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ, રાજાવલી, દેશીઓની સૂચિ વગેરે. શતકવાર કવિઓની કાવ્યપ્રસાદી આપવાની ઈચ્છા હતી (એ તૈયાર પણ થઈ હતી એમ જણાય છે) એ તો વણપૂરી જ રહી. બીજી પણ ઈચ્છાઓ એમના મનમાં ઊગી હશે જ પણ ત્રીજો ભાગ તો એમની લથડતી તબિયતે પૂરો થયો જણાય છે. એટલે ઘણું મનનું મનમાં રહ્યું હશે.
Page #96
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભ પંડિત સુખલાલજીનું ઘારવું સાચું જણાય છે કે “તેમની તબિયત ઉપર જીવલેણ ફટકો મારનાર કૃતિ એ તો “જૈન ગૂર્જર કવિઓ' છે.” નાગકુમાર મકાતી પણ નોંધે છે કે “શ્રી મોહનલાલ દેસાઈએ પોતાની તબિયતની પણ પરવા કર્યા વિના એકલે હાથે આ ગ્રંથો માટે જે અમૂલ્ય સામગ્રી એકત્ર કરી હતી અને તેની પાછળ લોહીનું પાણી કર્યું હતું તેનો સામાન્ય માણસને એકદમ ખ્યાલ આવવો મુશ્કેલ છે. પરંતુ વર્ષોની જહેમત, ઉજાગરા અને સતત અધ્યયનના પરિપાક રૂપે આ ગ્રંથો તૈયાર થયેલા છે. તૈયાર ભોજનની પતરાળી ઉપર બેસનારને રાંધનારની તકલીફનો ખ્યાલ ભાગ્યે જ આવે છે.” (શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સનો ઇતિહાસ, પૃ.૧૧૫). જૈન ગૂર્જર કવિઓ' મોહનભાઈની કેવી ઉત્કટ લગનનું પરિણામ હતું તે મુનિ જિનવિજયજીના આ ઉદ્ગારો આબાદ રીતે બતાવે છે : “આ ગૌરવભરેલા ગ્રંથના સંપ્રયોજક શ્રીયુત મોહનલાલ દ. દેશાઈ આ વિષયમાં અમારા સમવ્યસની અને સમસ્વભાવી ચિરમિત્ર છે. જૈન સાહિત્ય અને જૈન ઈતિહાસના પરિશીલનનો એમને જૂનો રોગ છે. જે વખતે એમને કલમયે ઝાલતાં નહોતી આવડતી તે વખતના એ જૈન ઇતિહાસ અને જૈન સાહિત્યના વિચારઘેલા અને અનન્ય આશક બનેલા છે. કોઈ 20-22 વર્ષથી જે એક પોતાના પ્રિય વિચારરૂપ સુપુત્રની એ પ્રતિપાલન કરતા આવ્યા છે તેના લગ્નોત્સવ સમાન સૌભાગ્યભરેલા સુપ્રસંગ જેવો, આ ગ્રંથને પ્રકાશમાં મૂકવાનો તેમને માટે સુવઅવસર આવેલો ગણાય. અને એ સુઅવસરને જોવા મોહનભાઈ સફળ થયા તે માટે અમે એમને વધામણી આપીએ છીએ. આ યુગના જૈન વ્યવસાયી ગૃહસ્થોમાં મોહનભાઈ જૂના જૈન સાહિત્યના અભ્યાસી તરીકે સર્વત્ર છે.. મોહનભાઈ જો ન જન્મ્યા હોત તો કદાચ જૈન ગૂર્જર કવિઓની ઝાંખી કરવા જગતને એકવીસમી સદીની વાટ જરૂર જોવી પડત.” (જૈન સાહિત્ય સંશોધક, ફાલ્ગન સં.૧૯૮૩) જૈન ગૂર્જર કવિઓ'નું ગુજરાતના વિદ્વત્સસમાજે અને પ્રતિષ્ઠિત સામયિકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું. “સૌરાષ્ટ્ર પત્રે મોહનભાઈને “અંધારી ગુફામાં મશાલ લઈ જનાર' કહ્યા તથા એમના આ સાહસને “અપૂર્વ કહ્યું. તા.પ-ર-૧૭) અંબાલાલ જાનીએ આ ગ્રંથને “સંયોજન તેમજ
Page #97
--------------------------------------------------------------------------
________________ 84 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા સંવિધાનપુર:સર રચી પ્રકટ કરેલો મહામૂલો મહાભારત સૂચિગ્રંથ', મધુસૂદન મોદીએ “સર્વોત્તમ કીર્તિસ્તંભ સમો સૂચિગ્રંથ' તો નાનાલાલ મહેતાએ “ગ્રંથકારો માટેનો ગ્રંથ' કહ્યો. નરસિંહરાવે જણાવ્યું કે “આવા આકરગ્રંથનું અવલોકન લખવું એ મારા સામર્થ્યની બહાર છે”, તો કેશવલાલ હ. ધ્રુવે મોહનભાઈના શ્રમની અનન્યતા એમ કહીને બતાવી કે ““તમે જૈન સાહિત્યની જેવી સેવા બજાવી છે તેવી જૈનેતર ગુજરાતી સાહિત્યની સેવા બજાવનાર કોઈ નથી.” અને કહાનજી ઘર્મસિંહ કવિએ તો ભાવભરી કાવ્યાંજલિ અર્પિત કરી : જૈને કાવ્યસાહિત્યના મહાભારત બે ભાગ, અવલોકનથી ઊપજ્યો અંતરમાં અનુરાગ. 1 જતિ સતી ગુરુ જ્ઞાનીનો અનુપમ જ્ઞાનવિલાસ, અચળ કર્યો ઇતિહાસથી, એ નહિ અલભ્ય પ્રયાસ. 2 ગુજરાતી સાહિત્યમાં જૈન કવિ વર વીર, શુદ્ધ સ્વરૂપે દાખવ્યા, મોહન મતિ ગંભીર. 3 શ્વેતાંબર મંડળી મલી તેનો કર્યો પ્રકાશ, ફહાન અભિવંદન કરે, ઈશ્વર પૂરે આશા. 4 “સંક્ષિપ્ત' તરીકે ઓળખાયેલો પણ હજાર ઉપરાંત પાનાંમાં વિસ્તરતો જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ” શ્રી મહાવીર સ્વામીના સમયથી સં. 1960 સુધીના શ્વેતામ્બર જૈન સાહિત્યનું કાલક્રમબદ્ધ દિગ્દર્શન કરાવે છે. સમકાલીન વ્યક્તિઓ પરત્વે તટસ્થ રહી શકાતું નથી એ સમજથી પોતે સગીર મટ્યા ત્યાં સુધીમાં અવસાન પામેલા લેખકો આગળ અટકી જવાનો મોહનભાઈએ ઉપક્રમ રાખ્યો છે. દિગમ્બર સાહિત્યનો પોતાનાં સાધનશ્રમની મર્યાદાને કારણે એ સમાવેશ કરી શક્યા નથી, પણ શ્વેતામ્બરમાં મૂર્તિપૂજક પરંપરા સાથે સ્થાનકવાસી પરંપરાના સાહિત્યની પણ તેમણે યત્કિંચિત્ નોંધ લીધી છે. આ ગ્રંથ પાછળ મોહનભાઈનો સાતેક વર્ષનો અથાગ પરિશ્રમ પડેલો છે. મુનશીએ ગુજરાતી સાહિત્યના બૃહદ્ ઇતિહાસની યોજના કરી તેમાં મધ્યકાળના જૈન સાહિત્ય વિશે એક પ્રકરણ લખવાનું મોહનભાઈને સોંપવામાં આવ્યું અને કેટલીક ચર્ચાવિચારણા પછી એમણે ૧૯૨ના આરંભમાં આ
Page #98
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ લખવું આવ્યું. “જૈનો અને તેમનું સાહિત્ય” એ નામના આ લેખમાં મોહનભાઈને પૃષ્ઠમર્યાદાને કારણે ઘણી સંકડાશ અનુભવવી પડી - મધ્યકાલીન સાહિત્યનો વારો આવે તે પહેલાં જ 56 પાનાં થઈ ગયાં અને જેને માટે લખવાનું હતું તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ગૌણ કરી નાખવું પડ્યું, માત્ર નામનિર્દેશથી ચલાવવું પડ્યું ને શતકવાર જૈન કવિઓનાં કાવ્યોના નમૂનાઓ તૈયાર કરેલા તે બાદ કરવા પડ્યા. આમ છતાં “મધ્યકાળનો સાહિત્યપ્રવાહ' એ ગ્રંથમાં મુકાયેલા આ લેખે ઘણા વિદ્વાનોનું સારું ધ્યાન ખેંચેલું. આ પછી મોહનભાઈએ આ લેખ એના યોગ્ય સ્વરૂપમાં જૈન ગૂર્જર કવિઓ'ના બીજા ભાગની પ્રસ્તાવના તરીકે મૂકવાનું વિચાર્યું. દરમ્યાન એમાં આગમસાહિત્યનો ઈતિહાસ ઉમેરવાનું સૂચન આવ્યું. ૧૯૨૮માં ભારે પરિશ્રમપૂર્વક એ ભાગ તૈયાર કરી પ્રેસમાં પણ સામગ્રી મોકલવા માંડી, જૈન ગૂર્જર કવિઓ'નો ભાગ બીજો છપાઈ રહ્યો હતો તેનું પ્રકાશન અટકાવ્યું. પરંતુ 1930 સુધીમાં આ લેખમાં હીરવિજયસૂરિ સુધી પહોંચતાં જ પ૬૦ પાનાં થઈ જવાથી એનો જુદો ગ્રંથ પ્રકાશિત કરવાનું નક્કી કર્યું, જે ૧૯૩૩માં પ્રકાશિત થયો. વચ્ચે બાળપુત્રે લગાડેલી નાનકડી આગમાં ઘણી નોંધો બળી ગઈ હતી તે ફરીને તૈયાર કરવી પડી હતી. મોહનભાઈએ પોતે સ્પષ્ટતા કરી છે કે આ ગ્રંથને એક સંગ્રહગ્રંથ એટલેકે સમયાનુક્રમમાં કૃતિઓ, કર્તાઓ વગેરેના કોશ તરીકે પ્રકટ કરવાની મર્યાદા સ્વીકારવી પડી છે. એ સ્વરૂપને લક્ષમાં રાખી બની શકે તેટલી વિષયમાહિતી ને ટૂંક ચર્ચા દાખલ કરી છે પણ સાહિત્યની સિલસિલાબંધ તપાસ ને સર્વ મુદ્રિત ગ્રંથોની વિષયમાહિતી ને સમીક્ષા આપી શકાઈ નથી. એટલે જ તો એ “સંક્ષિપ્ત' તરીકે ઓળખાવાયેલો છે. આમ છતાં મોહનભાઈએ એટલાં બધાં સાધનોનો ઉપયોગ કર્યો છે કે આ ગ્રંથ કેવળ “કોશ' રહી શક્યો નથી, એમાં ઘણી ઐતિહાસિક ને ચરિત્રાત્મક માહિતી આમેજ થઈ છે - મહત્ત્વની વ્યક્તિઓ પરત્વે તો ઘણી વિસ્તૃત, તથા ઘણી વાતો પહેલી વાર પ્રકાશમાં આવી છે. છેલ્લાં પ્રકરણોમાં જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો, તેની સંસ્થાઓ, તીર્થો વગેરે વિશે કેટલીક પ્રાથમિક માહિતી અને પોતાના વિચારો
Page #99
--------------------------------------------------------------------------
________________ 8 વિરલ વિદ્ધભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા જોડ્યા વગર મોહનભાઈ રહી શક્યા નથી. ઉપરાંત, ગ્રંથમાં જિનમૂર્તિઓ, જિનમંદિરો, અન્ય સ્થાપત્યો, ઐતિહાસિક વ્યક્તિઓ, પ્રાચીન પ્રતોમાંનાં રંગીન ચિત્રો, પ્રતોમાંના હસ્તાક્ષરો, લેખો વગેરેની મળીને પ૯ છબીઓ મૂકી છે અને તેનો સવિસ્તર પરિચય 2 પાનાંમાં આપ્યો છે. પોતાના નિવેદનમાં પણ ભંડારો, પ્રદર્શનો, વિહારો-આશ્રમો, કેળવણી, ભાષા, જાતિભેદ આદિ અનેક વિષયો પર ચર્ચા કરવાની તક એમણે લીધી છે. આમ, અનેક રીતે મોહનભાઈએ પોતાના ગ્રંથને સમૃદ્ધ કર્યો છે. મોહનભાઈના સાહિત્યરસ, ઇતિહાસરસ, ધર્મરસ અને ગુણાનુરાગ આ સંગ્રહગ્રંથમાં વ્યક્ત થયા વિના રહ્યા નથી. દરેક પ્રકરણને આરંભે મુકાયેલાં એક કે વધુ ઉદ્ધરણો જુઓ એટલે એ ઉદ્ધરણો આપનારના વ્યક્તિત્વનો ઉષ્માભર્યો સ્પર્શ થયા વિના રહેશે નહીં. ગ્રંથસામગ્રીમાં પણ મોહનભાઈએ કલમને મોકળી વહેવા દઈ ચરિત્રનાયક કે ઐતિહાસિક પ્રસંગનો યોગ્ય મહિમા સ્થાપિત કર્યો છે. કર્તા-કૃતિની કોરી નોંધોના ખડકલા વચ્ચે આ બધું પડેલું છે તેથી પહેલી નજરે આ ગ્રંથના વાચકનું ધ્યાન એ ન ખેંચે એવો સંભવ છે, પણ વૈર્યથી આ ગ્રંથમાંથી પસાર થનારને એક સંગ્રહસ્થાનમાંથી મળે તેના કરતાં ઘણું વધારે મળશે એમાં શંકા નથી. મોહનભાઈના આ ગ્રંથમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી ભાષાના સાહિત્યની નોંધ છે. હિંદી કૃતિઓ જૂજ હોવાથી એની નોંધ પણ આવવા દીધી છે. ગુજરાતી કાવ્યસાહિત્ય પરત્વે મોહનભાઈને “જૈન ગૂર્જર કવિઓ'નો હવાલો આપી કેવલ કવિનામયાદીથી સંતોષ માનવો પડ્યો છે. એ. એન. ઉપાધેએ આ ગ્રંથની વિશિષ્ટતાઓની સુંદર નોંધ લીધી છે : ““આ ગ્રંથ લગભગ પચીસસો વરસના સમયગાળાના જૈન સાહિત્યનું - ખાસ કરીને શ્વેતામ્બર સંપ્રદાયના સાહિત્યનું સર્વેક્ષણ આપવાનો એક અભૂતપૂર્વ પ્રયત્ન છે... અહીંતહીં રસપ્રદ કથાનકો સાથે, સગવડભર્યા ફકરાઓમાં વિભાજિત કરીને તમે જે સુસંગતિભર્યું વૃત્તાંત આપ્યું છે તેની હું ઊંડી કદર કરું છું. તમે તમારી કૃતિથી સાબિત કરી આપ્યું છે તેમ સાહિત્યનો ઈતિહાસ એ પુસ્તકસૂચિ કરતાં કંઈક વિશેષ છે; અને પગલે પગલે - તમે જુદાજુદા ગ્રંથકારો વિશે ચર્ચા કરી છે કે તેમાં સર્વ ઉપલબ્ધ સામાજિક
Page #100
--------------------------------------------------------------------------
________________ વિરલ વિભૂતિભા અને મનુષ્ય પ્રતિભા અને રાજકીય પક્ષાભૂમિકાની કદી ઉપેક્ષા કરી નથી. આ ચર્ચાઓ ક્યારેક લાંબી થઈ છે છતાં સામાન્ય જનને પણ એ આસ્વાદ્ય બનશે. આ ચર્ચાઓ જૈન સંપ્રદાયને, ખાસ કરીને ગુજરાતમાં, જે સામાજિક અને રાજકીય ઊથલપાથલોમાંથી પસાર થવું પડ્યું છે એનું સારું ચિત્ર આપે છે... આધુનિક જૈન ધર્મ પર આપનાં છેલ્લાં પ્રકરણો સર્વે જૈનોએ અભ્યાસી જવા યોગ્ય છે. કોક મુદ્દા પર વૈયક્તિક મતભેદ હોય પણ જે પ્રામાણિકતા, નિખાલસતા અને સરલતાથી તમે વિષયને ચર્યો છે તેનો હું આદર કરું છું.” મેઘાણીની દૃષ્ટિએ કેટલુંક ઇતિહાસદર્શન, અન્ય કેટલીક ચર્ચાઓ, શિલ્પાદિક વિશેનું વિવરણ ઇત્યાદિ વાતો સાહિત્ય સાથે સંબંધ ધરાવતી નથી. પરંતુ જૈનોના સાંપ્રદાયિક ઇતિહાસનો આપણે ત્યાં સર્વથા અભાવ હોઈ, જૈન ધર્મ ને જૈન પ્રજા સંબંધે બહઘા અજ્ઞાન વર્તતું હોઈ કર્તાએ મોકળી કલમે આખા પ્રદેશમાં બૂમાબૂમ કરી છે એ એકંદરે ઠીક થયું છે.” વસ્તુતઃ બળવંતરાય ઠાકોરે ગ્રંથમાંની સામગ્રીના 9095 ટકા વિશે પોતે અજાણ હોવાનું સ્વીકારેલું અને આ ગ્રંથનું એક પ્રકરણ “જૈનયુગ'માં છપાયેલું તેમાંયે વિજયરાય વૈદ્યને વસ્તુપાળ વિશેની પોતે નહીં જાણેલી ઐતિહાસિક હકીકત જાણવા મળેલી. એમણે તો આ પ્રકરણ પરત્વે પણ એવો ઉદ્દગાર કર્યો કે શો જીવનપર્યત કર્યા જ કરેલો સાહિત્યસંચય !" પંડિત સુખલાલજીના અભિપ્રાય અનુસાર “ભારતીય ભાષાઓમાં આધુનિક દૃષ્ટિએ અને સંશોધક વિદ્વાનોને ઉપયોગી થાય એ પ્રકારના સાહિત્યના ઇતિહાસનો અતિ અલ્પ પણ મહત્ત્વનો પાયો શ્રી મોહનભાઈએ નાખ્યો. એ પછી એ દિશામાં નવીન પ્રયત્નો શ્વેતાંબર અને દિગંબર પરંપરામાં શરૂ થયા, પણ તેમાંયે, સુખલાલજીની દૃષ્ટિએ, મોહનભાઈના ઇતિહાસગ્રંથનું સ્થાન છે જ. વસ્તુતઃ કૃષ્ણલાલ ઝવેરીનું એ વચન સાચું પડ્યું છે કે “ભવિષ્યના લાંબા સમય સુધી આ ગ્રંથ એની સામાસિકતા અને વિસ્તીર્ણતાને કારણે અજોડ રહેશે.” કેશવલાલ કામદાર આ ગ્રંથની વિશાળ ઉપયોગિતાનો નિર્દેશ કરતાં કહે છે કે આ ગ્રંથ “માત્ર જૈન સાહિત્ય માટે જ નહીં, માત્ર ગૂર્જર સાહિત્ય માટે જ નહીં, પણ હિંદના મધ્યયુગના સાહિત્ય માટે પણ પ્રમાણભૂત
Page #101
--------------------------------------------------------------------------
________________ 88 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા ગણાશે.” મોહનલાલ ઝવેરી પણ એવું જ મંતવ્ય દર્શાવે છે : “જૈન સાહિત્યના કે પશ્ચિમ હિંદના સાહિત્યના સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, પ્રાચીન કે અર્વાચીન ગુજરાતી ભાષાના ભવિષ્યના ઇતિહાસલેખકને આ ગ્રંથ વગર પગલું ભરવું પણ ચાલે એમ નથી કારણકે તે-તે ઇતિહાસનાં મૂળો અને ઉપયોગી સાધનો કયાક્યા રૂપમાં કયે સ્થળે છે તે માહિતી આ ગ્રંથ પૂરી પાડે છે.” ઉપરાંત તેઓ આ ગ્રંથની અઢળક સામગ્રીનો નિર્દેશ કરતાં કહે છે કે “આ ગ્રંથ સામાન્ય વાચકો માટેનો જ નહીં, પણ ગ્રંથકર્તાઓ, સાહિત્યકારો ને ઈતિહાસકારો માટેનો ગ્રંથ છે. તેમની પ્રચંડ સુધાને યોગ્ય આહાર આવા જ ગ્રંથ સમર્પે.” | મુનિશ્રી ન્યાયવિજયજી તો મોહનભાઈના આ ગ્રંથને શકવર્તી ગણાવે છે : “ગુજરાતી ભાષામાં આ દશકામાં ઘણાં જ ઉત્તમ પુસ્તકો બહાર પડ્યાં છે, જે પુસ્તકો એવાં છે કે અજૈન સમાજમાં પણ આપણે ગર્વપૂર્વક માથું ઊંચું કરી કહી શકીએ કે અમારા સમાજમાં પણ અપૂર્વ પુસ્તકો બહાર પડે છે. તેમાય પાંચેક પુસ્તકો તો આ દશકાનાં જ નહીં કિન્તુ આ સૈકાના ભૂષણરૂપ છે એમ કહું તો ચાલે. તેમાંય ઐતિહાસિક દૃષ્ટિએ સૌથી સુંદર પુસ્તક ગુજરાતી ભાષામાં બહાર પડ્યું હોય તો તે છે “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ.” " અગરચંદ નાહટાએ પણ “આ ગ્રંથ સાહિત્યસંસારમાં અપૂર્વ, અદ્વિતીય, અસાધારણ પ્રકાશમાન રત્ન સમાન છે” એમ કહી એનું અત્યંત ગૌરવ કર્યું છે. પૂર્ણચંદ્ર નાહરે ગ્રંથનું મૂલ્ય ઉચિત રીતે ને પૂરેપૂરું સમજાય એ માટે એને અંગ્રેજીમાં ઉતારવાનું સૂચન કરેલું. આ ગ્રંથમાં પ્રગટ થયેલી મોહનભાઈની વિવિધ શક્તિઓ પણ અવલોકન કરનારાઓના ધ્યાન બહાર રહી નથી. પૂર્ણચંદ્ર નાહર આ ગ્રંથમાં પ્રગટ થતી મોહનભાઈની “હરક્યુલિઅન” (ભગીરથ) શક્તિથી આશ્ચર્ય પામ્યા, કેશવરામ શાસ્ત્રીને મોહનભાઈમાં ગુજરાતીઓએ ખાસ માન લેવા જેવું, ઊંડું પુરાતત્ત્વજ્ઞાન જણાયું, ધીરજલાલ ટોકરશી શાહે એમની તીણ વિવેચનશક્તિ, અપૂર્વ શાસ્ત્રાધ્યયન અને પ્રૌઢ વિચારશક્તિની પ્રશંસા કરી, તો વિજયરાય વૈધે એમનાં અખંડ વિદ્યાભક્તિ અને અવિરત ઉદ્યોગ પ્રત્યે આદર વ્યક્ત કર્યો.
Page #102
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્યંતિભા અને મનુષ્ય પ્રતિભા સંપાદનગ્રંથો મોહનભાઈની એક મહત્ત્વની સાહિત્યસેવા તે પ્રાચીન સાહિત્યકૃતિઓના સંપાદનની છે. પોતાની પુસ્તિકા “જૈન સાહિત્ય અને શ્રીમંતોનું કર્તવ્ય' એ પુસ્તિકામાં પ્રાચીન ગ્રંથોના પ્રકાશનની અગત્ય મોહનભાઈએ ભારપૂર્વક બતાવી હતી. પછી તો પ્રાચીન જૈન સાહિત્યની શોધ, નોંધ, અભ્યાસ અને પ્રકાશન એમનું જીવનકાર્ય બની ગયું. “સુજસવેલી ભાસ” એ કૃતિ અખંડ રૂપે મળી આવતાં મોહનભાઈને થયેલા અતિ ઉલ્લાસની વાત સુખલાલજીએ નોંધી છે તે આ કામનો એમનો રસ કેટલો ઉત્કટ હતો અને એમાં એ કેટલા ખૂંપી ગયેલા તે બતાવે છે. અનેક કૃતિઓ એમણે ઉતારી લીધેલી તેમાંથી કેટલીક ગ્રંથ રૂપે પ્રગટ થઈ છે, કેટલીક સામયિકોમાં દટાયેલી પડી છે ને ઘણી તો અજ્ઞાતવાસમાં ચાલી ગઈ જણાય છે. મોહનભાઈને સૌથી વધુ ગૌરવ આપે એવું સંપાદન તે સિદ્ધિચન્દ્રઉપાધ્યાય-વિરચિત “ભાનુચન્દ્રમણિચરિત'(સંસ્કૃત)નું ગણાય. કેમકે એનું પ્રકાશન અત્યંત પ્રતિષ્ઠિત સિંઘી જૈન ગ્રન્થમાલામાં થયું છે. પંડિત સુખલાલજી મોહનભાઈના આ એક જ સંપાદનને યાદ કરે છે, અને વિશિષ્ટ સંપાદન ગણાવે છે અને એ કોઈ પણ સ્કોલરનું ધ્યાન ખેંચ્યા વિના રહે તેમ નથી” એમ જણાવે છે. આ કૃતિની હસ્તપ્રત મોહનભાઈને અગરચંદ નાહટા પાસેથી પૂર્વે મળેલી અને પોતાના રસથી જ એમણે એને ઉતારી લીધેલી. મુનિ જિનવિજયજીએ એ કૃતિનું મહત્ત્વ સમજી સિંઘી જૈન ગ્રંથમાલા માટે એનું સંપાદન કરી આપવાની મોહનભાઈ પાસે માગણી કરી અને કૃતિમાં નિરૂપાયેલ વિષયનો મોહનભાઈનો ઊંડો અભ્યાસ હોઈ એને લગતી વિસ્તૃત પ્રસ્તાવના અંગ્રેજીમાં તેઓ જોડે એવું પણ સૂચન કર્યું. મોહનભાઈએ ઉત્સાહથી અને નિઃસ્વાર્થભાવે આ કામ કરી આપ્યું. ભાનચંદ્ર અને સિદ્ધિચન્દ્ર મોગલ શહેનશાહ જહાંગીરના સંસર્ગમાં આવ્યા હતા અને એના દરબારમાં સ્થાન પામ્યા હતા એટલે આ કૃતિનું, સાધુચરિત તરીકે મહત્ત્વ છે તે ઉપરાંત, ઈતિહાસદૃષ્ટિએ પણ મહત્ત્વ ગણાય. આ કૃતિની શ્રદ્ધેય વાચના આપવા સાથે મોહનભાઈએ એમાંના વિષયનો
Page #103
--------------------------------------------------------------------------
________________ 90 વિરલ વિદ્વત્યંતિભા અને મનુષ્ય પ્રતિભા અને એને સંબંધિત અનેક બાબતોનો કેવો સઘન અભ્યાસ અહીં રજૂ કર્યો છે એ એમની 75 પાનાંની પ્રસ્તાવનાના મુદ્દાઓની અને જોડેલાં પરિશિષ્ટોની નોંઘમાત્ર લેવાથી આવી જશે : 1. અકબરના દરબારમાં જૈન મુનિઓ; 2. જહાંગીરના દરબારમાં જૈન મુનિઓ; 3. કૃતિનો સાર; 4. એના વિષયને લગતી અન્યત્રથી મળતી માહિતી; 5. ભાનુચન્દ્રની શિષ્ય પરંપરાનો પરિચય; 5. ભાનુચન્દ્રની કૃતિઓનો ટૂંક પરિચય; 7. સિદ્ધિચન્દ્રની કૃતિઓનો ટૂંક પરિચય; 8. ભાનુચન્દ્રકૃત કૃતિઓની પ્રશસ્તિ વગેરે (સૂર્યસહસ્ત્રનામ સ્તોત્ર આખું આપ્યું છે); 9. સિદ્ધિચન્દ્રકૃત કૃતિઓની પ્રશસ્તિ વગેરે (સિદ્ધિચંદ્રનાં કેટલાંક સુભાષિતો “સૂક્તિરત્નાકર”માં મળે છે તો એ આખા ગ્રંથનાં સુભાષિતોની વિષયવાર યાદી, કર્તાનામ સાથે, આપી છે); 10. અકબર અને જહાંગીરનાં શાહી ફરમાનોનો અંગ્રેજી અનુવાદ. મોહનભાઈની શાસ્ત્રબુદ્ધિ ક્યાં સુધી પહોંચે છે એનો ખ્યાલ એમણે પ્રસ્તાવનામાં સમાયેલાં નામાદિની અને કૃતિ તથા પરિશિષ્ટમાં સમાયેલાં નામાદિની અલગ સૂચિઓ આપી છે તે પરથી આવશે. મોહનભાઈનું બીજું મહત્ત્વનું સંપાદન “જૈન ઐતિહાસિક રાસમાળા ભા.૧' છે. એમાં “શાંતિદાસ અને વખતચંદ શેઠનો રાસ' ઉપરાંતની 11 રાસકૃતિઓ તે જૈન મુનિઓ વિશેની છે. આગળ બધા રાસનાયક અને રાસકાર વિશે ઐતિહાસિક પીઠિકા સાથે સંશોધનપૂર્વક માહિતી આપવામાં આવી છે. શાંતિદાસ શેઠની વંશપરંપરાનો ઈતિહાસ કેટલાક ગ્રંથો ને સરકારી દસ્તાવેજોને આધારે અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળના નામથી આપવામાં આવ્યો છે તેમાં અન્યો સાથે મોહનલાલ દલીચંદ દેશાઈની મદદનો ઉલ્લેખ છે, પણ મોહનભાઈનું ઇતિહાસજ્ઞાન જોતાં એમની મદદ સવિશેષ હોય એવો સંભવ જણાય છે. કદાચ લખાણ પણ એમણે જ કર્યું હોય. મોહનભાઈએ બધા રાસમાં વિષયવાર મથાળાં કરી એના વાચનને સુગમ બનાવ્યું છે અને અઘરા શબ્દોનો કોશ પણ આપ્યો છે. આ કૃતિઓનું મોહનભાઈ પોતે જ કેવું તટસ્થ, સ્વસ્થ અને સાચું મૂલ્યાંકન કરે છે એ જોવા જેવું છે. સંગૃહીત બધા રાસો, એ કહે છે કે, “કાવ્યસાહિત્યમાં પ્રવેશ તેમ નથી પરંતુ તેમાંના કેટલાકમાં જે વર્ણન, દેશના આદિ ભાગો છે તે
Page #104
--------------------------------------------------------------------------
________________ વિરલ વિભૂતિભા અને મનુષ્ય પ્રતિભા કાવ્ય તરીકે ખપી શકે તેમ છે.” વિહાર આદિની વીગતોમાં નીરસતા, રુક્ષતા અને નિવિવિધતા છે પણ ઇતિહાસ માટે એ વિગતો કામની છે એમ એ દર્શાવે છે. યશોવિજયજીવિરચિત “ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧' પ્રથમ પંક્તિના પંડિત કવિની કૃતિઓનો સંચય હોઈ અત્યંત મહત્ત્વનું પ્રકાશન ગણાય. આ પુસ્તક પર સંપાદક તરીકે મોહનભાઈનું નામ નથી, પણ મોહનભાઈએ એને પોતાના સંપાદન તરીકે નોંધેલ છે. પુસ્તકમાં એવી નોંઘ તો છે જ કે મોહનલાલ દલીચંદ દેશાઈએ અપ્રકટ કૃતિઓ આપી છે, પ્રેસકૉપી શોધી આપી છે, પાઠાંતરો ઉમેર્યું છે, પ્રફોનું સંશોધન કર્યું છે, “જશવિલાસ'ની અને અન્ય કૃતિઓને મથાળાં આપ્યાં છે, નોંધો મૂકી છે, શુદ્ધિ-વૃદ્ધિપત્રક તૈયાર કર્યું છે અને પ્રતોનો પરિચય આપ્યો છે. એટલે વાસ્તવમાં મોહનભાઈ જ સંપાદક છે એમાં શંકા રહેતી નથી. “ગુર્જર રાસાવલી'ના સંપાદનમાં મોહનભાઈનું નામ બલવંતરાય ઠાકોર અને મધુસૂદન મોદી જેવા સંમાન્ય વિદ્વાનો સાથે જોડાયું છે અને ઑરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ (વડોદરા) જેવી પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા એનું પ્રકાશન થયું છે એ મોહનભાઈને ગૌરવ અપાવે એવી ઘટના છે. આમાં મોહનભાઈએ જહેમતપૂર્વક કેટલીક ઉત્તમ પ્રાચીન પ્રતિઓ મેળવી આપવાની, મધુસૂદન મોદીની સાથે રહી કાવ્યોની પસંદગી કરવાની અને કેટલાંક કાવ્યોની નકલો પૂરી પાડવાની કામગીરી કરી હતી. મોહનભાઈએ જેની નકલો પૂરી પાડી હતી એ કાવ્યો ઉતાવળે ઉતારાયેલ અને તેથી ક્ષતિવાળાં હતાં એમ મધુસૂદન મોદી નોંધે છે. મોહનભાઈએ જે રીતે કામ ખેંચ્યું છે એ જોતાં એ સાચું હશે એમ મનાય પણ સાથેસાથે એમને મળેલી હસ્તપ્રતો ભ્રષ્ટ હોય એમ પણ બને. જોકે જેની હસ્તપ્રત મોદીને જોવા ન મળી હોય એવી મોહનભાઈએ ઉતારેલી એક જ કૃતિ “અબુદાચલ વિનતી સંગ્રહમાં છે એમાં કોઈક જ પાઠદોષ દેખાય છે. સંપાદન, શબ્દકોશ, ટિપ્પણ વગેરે બાકીની સર્વ કામગીરી મધુસૂદન મોદીએ કરેલી. ૧૯૨૭માં વિચારાયેલી આ સંપાદનયોજના ૧૯૩૭માં ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા સ્વીકારાઈ ને એનું છાપકામ એ અરસામાં શરૂ થયું, પણ શબ્દકોશ, ટિપ્પણ વગેરેનાં કામ તે પછી થયો એટલે પુસ્તક તો
Page #105
--------------------------------------------------------------------------
________________ 92 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા ૧૯૫૮માં પ્રસિદ્ધ થયું. દરમ્યાન ૧૯૪૫માં મોહનભાઈનું અને ૧૯પરમાં બલવંતરાયનું અવસાન થઈ ગયું હતું. કવિવર નયસુંદરકત ગિરનાર તીર્થોદ્ધાર રાસ અને તીર્થમાળા' મુનિશ્રી બાલવિજયજીની પ્રેરણાથી તૈયાર થયેલ છે. સમાવિષ્ટ બન્ને કૃતિઓની હસ્તપ્રત એમને બાલવિજયજી પાસેથી મળેલી પણ નયસુંદરકૃત “ગિરનાર તીર્થોદ્ધાર રાસ'નું સંપાદન બીજી જૂની પ્રતો મેળવીને થઈ શક્યું છે, જ્યારે ન્યાયવિજયકૃત ગિરનાર તીર્થમાળા'ની બીજી કોઈ પ્રત મળી નથી. “ગિરનાર તીર્થોદ્ધાર રાસ'ના સંપાદનને રાસસાર, શબ્દાર્થ અને ધાર્મિક, ઐતિહાસિક વગેરે પ્રકારની પૂરક માહિતીથી સમૃદ્ધ કરવામાં આવ્યું છે પરંતુ બીજી કૃતિ સરળ હોઈ એમાં શબ્દાર્થ આપવાની જરૂર જોઈ નથી. વાચન તૈયાર કરવામાં “સંભારઈ'નું “સંભારે' જેવા ફેરફાર કરેલા છે તે કૃતિઓના સાંપ્રદાયિક ઉપયોગને લક્ષમાં રાખીને થયું હશે એમ લાગે પુસ્તકનું પ્રકાશનવર્ષ, સં.૧૯૭૬ છે પણ ગિરનાર તીર્થમાળાને આરંભે મુકાયેલી સંપાદકીય નોંધને અંતે સં.૧૯૭૮નું વર્ષ છે તેથી એવો * વહેમ જાય છે કે બીજી કૃતિ પાછળથી જોડવામાં આવી છે, જોકે પૃષ્ઠક સળંગ જ ચાલે છે. ઉપાધ્યાય યશોવિજયજીના જીવન માટેનો એકમાત્ર પ્રાચીન આધાર કાન્તિવિજયકૃત “સુજસવેલી ભાસ' છે. મહત્ત્વની માહિતી સમાવતી ચાર ઢાળની આ કૃતિનું સંપાદન ત્રણ પ્રત - જેમાંની એક તો ત્રુટક હતી - ને આધારે મોહનભાઈએ કર્યું છે. સાથે કૃતિનો ગદ્યાનુવાદ આપ્યો છે, કૃતિમાંની ઐતિહાસિક માહિતીની પૂર્તિ, સ્પષ્ટતા કે ચર્ચા કરતાં ટિપ્પણો જોડ્યાં છે ને પ્રસ્તાવનામાં યશોવિજયજીનો આલોચનાત્મક જીવનપરિચય આપ્યો છે. નાનકડું પણ ઘણું મહત્ત્વપૂર્ણ આ સંપાદન છે. | ગુજરાતી તથા અંગ્રેજી બન્ને ભાષામાં અલગઅલગ પ્રસિદ્ધ થયેલ વિનયવિજયકૃત “નયકર્ણિકા' (સંસ્કૃત)માં કૃતિની વાચના હસ્તપ્રતોને આધારે સંપાદિત કરીને આપી છે કે પ્રચલિત વાચનાને સ્વીકારી લીધી છે એની કોઈ માહિતી નથી. આ બન્ને પ્રકાશનોનો હેતુ જૈન ન્યાયના આ પ્રારંભિક
Page #106
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્ધત્મતિભા અને મનુષ્ય પ્રતિભા પુસ્તકને ગુજરાતી તથા અંગ્રેજીમાં ઉતારવા તથા સમજાવવાનો જણાય છે. બન્નેમાં કવિપરિચય, કૃતિનો અનુવાદ તથા એમાંના તત્ત્વવિચારને સમજાવતી ભૂમિકા છે. ગુજરાતી પુસ્તક ફત્તેહચંદ કપૂરચંદ લાલનના સહકારમાં તૈયાર થયેલું છે ને એમાં અનુવાદ લાલનનો છે, જે મોહનભાઈએ સુધાર્યો છે. એમાં મોહનભાઈએ પારિભાષિક શબ્દો, વ્યક્તિનામો, ગ્રંથનામો, કૃતિનામો, સ્થળનામો, સંસ્થાનામો વગેરેની વિસ્તૃત વર્ણાનુક્રમણી જોડી છે. અંગ્રેજી પુસ્તક મોહનભાઈનું સ્વતંત્ર પ્રકાશન છે. મોહનભાઈ પોતે દર્શનશાસ્ત્રના માણસ નથી તેથી દાર્શનિક વિષય સાથેની એમની મથામણ તરીકે આ પુસ્તક ધ્યાનપાત્ર છે. યશોવિજયજીકૃત “સમ્યકત્વના 67 બોલની સઝાય'માં પણ હસ્તપ્રતનો આધાર લીધાની કોઈ માહિતી નથી. પરંતુ આ પુસ્તકની વિશિષ્ટતા તે સંપ્રદાયમાં અત્યંત પ્રસિદ્ધ કૃતિને વિષયાનુરૂપ ખંડેવિભાજન, દરેક ખંડને શીર્ષક, સમજૂતી સાથેનો ગદ્યાનુવાદ, ટિપ્પણ વગેરેથી સુગમ-સમૃદ્ધ કરી છે તેમાં છે. આ કૃતિનું શાસ્ત્રીય સંપાદન પછીથી યશોવિજયજીકૃત “ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧માં મળે છે. જૈને કાવ્યપ્રવેશ' એક શૈક્ષણિક સંપાદન છે. એમાં બહુધા સ્તવન-સઝાય-પદ પ્રકારની લઘુ કૃતિઓ છે, પણ તે ઉપરાંત થોડીક છત્રીસીઓ ને “સમ્યકત્વના સડસઠ બોલની સઝાય જેવી કોઈ લાંબી કૃતિનો પણ સમાવેશ થયો છે. સંપાદનનું પ્રયોજન ધાર્મિક શિક્ષણની અંગભૂત કૃતિઓનો સંચય કરવાનું છે એટલે ગદ્યાનુવાદ, સમજૂતી, માહિતી ને શિક્ષકને માર્ગદર્શન એમાં જોડાયાં છે. દૃષ્ટાંતકથાઓ આપવામાં આવી છે ને કાવ્ય કયા રાગમાં ગવાશે એની નોંધ પણ છે. શિક્ષક કથાઓ કહી શકે તે માટે કથાસ્રોતોની યાદી પણ આપી છે. પુસ્તકમાં આગળ કૉન્ફરન્સ તૈયાર કરાવેલો ઘાર્મિક શિક્ષણનો ક્રમ આખોયે આપવામાં આવ્યો છે તે એમાંની વિશાળ દૃષ્ટિને કારણે લક્ષ ખેંચે એવો છે. કથાઓ માટે મોહનભાઈ પોતાના ટિપ્પણમાં “ઈસપની વાતો' પંચતંત્ર' “બાળવાર્તા “સુબોધક નીતિકથા” “ઈન્ડિયન ફેરી ટેઈલ્સ વગેરેની તથા અનેક મરાઠી, ગુજરાતી, અંગ્રેજી અને જૈને કથાગ્રંથોની ભલામણ કરે
Page #107
--------------------------------------------------------------------------
________________ 94 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા છે તેમાં એમણે આ વિષયનો કેવી વિશાળ દૃષ્ટિથી ને ઊંડો વિચાર કરેલો છે એ દેખાઈ આવે છે. પંચતંત્ર કે ઈસપની બધી વાતો બાળકોને કહેવા જેવી નથી એમ જણાવી એ કહેવા જેવી વાતોની યાદી પણ આપે છે ! શિક્ષકો માટેના ખાસ ગ્રંથોની એ ભલામણ કરે છે. આમ, બાલશિક્ષણ વિશે મોહનભાઈનું વાચન નોંધપાત્ર હોવાનું દેખાઈ આવે છે. આરંભના નિવેદનમાં પણ જુદીજુદી કક્ષાનાં બાળકોની સમજશક્તિ, ગ્રહણશક્તિ વિશે મોહનભાઈએ વિચાર કર્યો છે તે પણ આપણને એવું દેખાડે છે. આ શૈક્ષણિક પુસ્તકમાં ‘દર્શન' નામથી મુકાયેલો એક અગ્રલેખ ખાસ ધ્યાન ખેંચે એવો છે. એમાં સ્તવન-સ્વાધ્યાય પ્રકારના સાહિત્ય વિશે કેટલાક સુંદર વિચારો રજૂ થયા છે. મોહનભાઈ સ્તવનોની લોકપ્રિયતાનાં કારણો નોંધે છે - જીવનવેધકતા (તત્ત્વજ્ઞાન), વ્યક્તિગત આનંદ-શોકના ઉદ્ગાર, સંગીતધ્વનિ, આંતરિક કિંમત. સ્તવનના ચાર ભેદ બતાવે છે - વાંચાપૂર્વક, ગુણોત્કીર્તનપૂર્વક, સ્વનિંદાપૂર્વક, આત્મસ્વરૂપાનુભવ. હાલનાં સ્તવનો વિશે અભિપ્રાય વ્યક્ત કરે છે - ““સાહિત્યદૃષ્ટિએ વિચારતાં કેટલાંક સ્તવનો કનિષ્ઠ માસિકમાં પણ આવવા યોગ્ય નહીં.” સ્તવનમાં કયા દોષો ન જોઈએ તે દર્શાવે છે. સ્વાધ્યાયના પ્રકાર તથા એની ઉત્પત્તિનો ટૂંક ઇતિહાસ આપે છે અને મધ્યકાળના અન્ય સાહિત્યપ્રકારો - રાસો, પૂજા, પદ, ગફૂલી વગેરે - વિશે માહિતી આપે છે. જૈન કાવ્યપ્રવેશ' એ શૈક્ષણિક પુસ્તક, આમ, મોહનભાઈના કેટલાક મહત્ત્વના સાહિત્યવિચાર ને શિક્ષણવિચારને સંઘરીને બેઠું છે. જૈનાચાર્ય શ્રી આત્માનંદજી જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ' એ જુદા જ પ્રકારનું સંપાદન છે. એમાં આત્માનંદજી વિશેના અને અન્ય ઉપયોગી વિષયો વિશેના લેખો સંગૃહીત થયા છે. લેખો અંગ્રેજી, હિંદી અને ગુજરાતી એમ ત્રણ વિભાગોમાં રજૂ થયા છે. મોહનભાઈની સંપાદકીય કામગીરી આ પ્રકારની છે - એમણે વિષયોની યાદી સાથે જૈન-જૈનેતર લેખકોને નિમંત્રણ પાઠવ્યાં છે, એ માટે સ્મૃતિપત્ર લખ્યા છે ને એવા શ્રમપૂર્વક આ લેખો મેળવ્યા છે; દરેક લેખને આરંભે લેખક તથા લેખના વિષયનો પરિચય મૂક્યો છે; 147 જેટલાં ફોટાઓ અને રેખાંકનો પ્રાપ્ત કર્યો છે ને એને છાપ્યાં છે.
Page #108
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્ધપ્રતિભા અને મનુષ્ય પ્રતિભા મોહનભાઈને આમાં “સુશીલ'નો તથા સુંદરલાલ જૈનનો સહકાર મળેલો. ડબલ ક્રાઉન સાઈઝના લગભગ 700 પાનાંનો, વરસ ઉપરાંતનો સમય લીધેલો એવો આ ગ્રંથ મોહનભાઈના સંપાદકીય શ્રમનું એક ઊજળું દૃષ્ટાંત વિચારાત્મક ગ્રંથો મોહનભાઈના વિચારાત્મક ગ્રંથોમાં સૌથી મહત્ત્વનો ગ્રંથ તો અપ્રસિદ્ધ છે. એ છે “બૌદ્ધ અને જૈન મતના સંક્ષેપમાં ઈતિહાસ, સિદ્ધાન્તો અને વૈદિક ધર્મ સાથે તુલના.” આ વિષયના નિબંધ માટે ફાર્બસ ગુજરાતી સભાએ તા. ૩-૩-૧૯૧૩ની સભામાં નિર્ણય લઈ રૂ.૫૦૦નું પારિતોષિક જાહેર કર્યું હતું. આ વિષયને કોઈ સમર્થ તત્ત્વજ્ઞ અને મર્મગ્રાહી વિદ્વાન જ ન્યાય આપી શકે, પોતાનો અધિકાર નથી એવી સમજથી મોહનભાઈએ નિબંધ લખવાનો કોઈ વિચાર કર્યો ન હતો, પરંતુ નિબંધ આપવાની સમયમર્યાદા (30--1914) હતી તે પૂરી થતાં પહેલાં ચાર માસે ફાર્બસ ગુજરાતી સભાના મંત્રીમહાશયે મોહનભાઈના એક મિત્ર દ્વારા સૂચના કરી અને એમના આગ્રહથી મોહનભાઈએ નિબંધ લખવાનું સ્વીકાર્યું. એમણે વિષયનો ગંભીર અભ્યાસ શરૂ કર્યો પરંતુ નિબંધની સમયાવધિ આવી ત્યાં સુધીમાં એ પૂરો થઈ શક્યો નહીં. સમયની સગવડ થશે તો પૂરું કરી આપીશ એમ જણાવી એમણે જે કંઈ લખાયું હતું તે, તથા કરેલી સર્વ નોંધો સભાના મંત્રીશ્રીને સમર્પિત કર્યા. સભાએ તા.૧૩-૧૦-૧૯૧૪ની બેઠકમાં મોહનભાઈને વધારે સમય આપવાનો ઠરાવ કર્યો અને નિબંધોના નિર્ણાયકો તરીકે કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી તથા તનસુખરામ ત્રિપાઠીનાં નામ નક્કી કર્યું. આ પછી મોહનભાઈએ નિબંધ પૂરો કર્યો, જેનાં ૧૫૦ને બદલે 340 જેટલાં પાનાં (ફૂલસ્કેપ) થયાં. સભાની તા. ૪-૧૦-૧૯૧૫ની બેઠકમાં નિર્ણાયકોએ આવેલા બે નિબંધોમાંથી મોહનભાઈનો નિબંધ પસંદ કર્યાની નોંધ કરી અને એને પારિતોષિક આપવાનું ઠરાવ્યું. ફાર્બસ ગુજરાતી સભાનાં ૧૯૧૮નાં તૈયાર થતાં પ્રકાશનોમાં આ ગ્રંથની જાહેરાત થઈ છે, પરંતુ ગ્રંથ પ્રકાશિત થયો નથી. છેક નવેમ્બર ૧૯૩૨માં “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'ના નિવેદનમાં મોહનભાઈ આ
Page #109
--------------------------------------------------------------------------
________________ 9 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા નિબંધને અદ્યતન કરવાની આવશ્યકતા દર્શાવે છે, પોતે એ હજુ સુધી નથી કરી શક્યા માટે દિલગીર વ્યક્ત કરે છે અને હવે એ કામ માટે અવકાશ . મેળવશે એમ જણાવે છે. પણ આ પછીયે “જૈન ગૂર્જર કવિઓ'ની ભગીરથ કામગીરી ચાલુ જ રહી તેથી મોહનભાઈની ઈચ્છા પૂરી થઈ જણાતી નથી. સદ્ભાગ્યે આ નિબંધની હસ્તપ્રત મોહનભાઈના સુપુત્ર જયસુખભાઈને મળી આવી છે. એમાં બૌદ્ધ ધર્મ વિશેનો ભાગ 102 પાનામાં છે ને જૈન ધર્મ વિશેનો ભાગ 238 પાનામાં છે. કેટલાંક ચિત્રો પણ આમેજ થયાં છે. બન્ને ધર્મના સર્વ સિદ્ધાંતોને આવરી લેવાનો એમાં પ્રયત્ન છે, કેટલીક આવશ્યક ઐતિહાસિક ભૂમિ છે અને આજની દૃષ્ટિએ પણ બન્ને ધર્મોની કેટલીક ચર્ચા છે. બન્ને વિભાગો માટે ઉપયોગમાં લીધેલા ગ્રંથોની યાદી મોહનભાઈએ ઉઠાવેલા અપાર શ્રમની આપણને પ્રતીતિ કરાવે છે. જૈનધર્મ વિભાગનાં થોડાંક પ્રકરણો “હેરલ્ડમાં છપાયેલાં મળે છે. અનુક્રમણિકામાં દર્શાવેલું “જૈન ધાર્મિક સાહિત્ય' એ પ્રકરણ મળેલી સામગ્રીમાં ગેરહાજર છે, પણ એનો ઉપયોગ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં થઈ ગયો હોવાની સંભાવના જણાય છે. “સામાયિક સૂત્ર” અને “જિનદેવદર્શન” એ મોહનભાઈના સાંપ્રદાયિક વિધિવિચારના લોકભોગ્ય અને લોકોપયોગી ગ્રંથો છે. બન્ને ગ્રંથોમાં પ્રસિદ્ધ વક્તા મુનિશ્રી ચારિત્રવિજયજી તરફથી મોહનભાઈને સામગ્રી અને સહાય મળ્યાં હતાં. “જૈન સાહિત્ય અને શ્રીમંતોનું કર્તવ્ય સાહિત્યસંરક્ષણ અને પ્રકાશનની અગત્ય બતાવતો, એની કાર્યદિશાઓ ચીંધતો નાનકડો પ્રાથમિક લેખ છે. પ્રકીર્ણ ગ્રંથો અંગ્રેજીમાં લખાયેલ “શ્રીમદ્દ યશોવિજયજી' એક નાનકડો ચરિત્રગ્રંથ છે. મૂળ આ જૈન ટુડન્ટ્સ બ્રધરહૂડ સમક્ષ ૧૯૧૦માં વાંચેલો નિબંધ છે ને તે ૧૯૧૨માં “હેરલ્ડ'માં છપાયેલ છે. એમાં યશોવિજયનું જીવનચરિત્ર, એમની સાહિત્યકતિઓનો પરિચય, એમની પ્રતિભાનું મૂલ્યાંકન તથા એમના જૈન-જૈનેતર સમકાલીનો વિશેની માહિતીનો સમાવેશ થયો છે. આ પુસ્તકની કેટલીક માહિતી આજે કાલગ્રસ્ત થઈ ગણાય. મોહનભાઈએ પોતે પછીથી
Page #110
--------------------------------------------------------------------------
________________ વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં યશોવિજયજીનું અધિકૃત ચરિત્ર આપ્યું છે ને એમના સાહિત્યકાર્યનો વધારે વિગતથી પરિચય આપ્યો છે. “સ્વામી વિવેકાનંદના પત્રો એ અનુવાદગ્રંથ છે. પણ મોહનભાઈએ એમાં સંપાદનકર્મ પણ કર્યું છે, મૂળ અંગ્રેજી ગ્રંથ “એપિસ્ટલ્સ આવુ સ્વામી વિવેકાનંદ (બે ભાગ)માં પત્રો જેમ પ્રાપ્ત થતા ગયા તેમ છાપ્યા છે. મોહનભાઈએ એને મિતિ પ્રમાણે ગોઠવ્યા છે, જેથી વિવેકાનંદના જીવનને - માનસિક જીવનને સમજવામાં મદદ મળે. વિવેકાનંદે માંસાહાર પ્રત્યે - હિંસા પ્રત્યે અનુકૂળ વલણ દર્શાવ્યું છે તે મોહનભાઈને યોગ્ય લાગ્યું નથી, તેથી એ ભાગ એમણે ભાષાંતરમાં લીધો નથી ! મોહનભાઈનો આ નિર્ણય વિવાદાસ્પદ જ ગણાય. આ પત્રોનો અનુવાદ એ કેટલું કપરું કાર્ય હતું એ મોહનભાઈએ મૂકેલી નોંધ પરથી સમજાય છે. ગુજરાતીમાં ભગુભાઈ ફતેહચંદ કારભારી તરફથી અનુવાદ તૈયાર થતો હતો તે મોહનભાઈએ જોયો હતો અને એમને લાગ્યું હતું કે “તે ભાષાશૈલી, વિચારવેગ અને મૂલભાવ સુંદર રીતે ઓછાં બતાવી શકશે.' મરાઠીમાં અનુવાદ હતો તે અક્ષરશઃ નહોતો - કઠિન લાગ્યું તે પડતું મૂક્યું હતું. મોહનભાઈનું ભાષાંતર સુવાચ્ય છે. ભાષા સરળ પણ શિષ્ટ અને ગૌરવભરી છે. વાક્યો અક્લિષ્ટ છે. મોહનભાઈ વિવેકાનંદથી કેટલાબધા પ્રભાવિત હતા તે એમણે આ ગ્રંથમાં વિવેકાનંદના વ્યક્તિત્વનાં લક્ષણો વિસ્તારથી તારવીને, 80 પાનાંની જીવનરેખા જોડી છે ને આ પત્રો વિશે નીચેના ઉદ્ગારો કર્યા છે તે પરથી દેખાઈ આવે છે : તે વાંચતાં તનમાં તનમનાટ અને મનમાં અપૂર્વ જુસ્સો પ્રગટ થાય છે. ભાષા એવી પ્રોત્સાહક (vigorous) છે, કલ્પના એવી મનોરમ્ય અને ચિત્તાકર્ષક છે અને આત્માનો વેગ એવો પ્રબલ અને શૌર્યાન્વિત છે કે કોઈ પણ વ્યક્તિ મંત્રમુગ્ધ થયા વગર રહે તેમ નથી.” મોહનભાઈનો તનમનાટ એમના શબ્દોમાં વ્યક્ત થતો આપણે અનુભવી શકીએ છીએ. હર્બટ વૉરનનો “જેનિઝમ” એ લેખ એના ભાષાંતર જૈનધર્મ' સાથે મેસર્સ મેઘજી હીરજીની કંપનીએ પ્રસિદ્ધ કરેલ છે તેમાં પૂઠા પર ભાષાંતરકાર
Page #111
--------------------------------------------------------------------------
________________ 98 વિરલ વિદ્વત્યંતિભા અને મનુષ્ય પ્રતિભા તરીકે મોહનલાલ દલીચંદનું નામ છે, પરંતુ પ્રકાશકના આમુખમાં “ભાષાંતર કરી આપનાર બંધુ મોહનલાલ દલીચંદ બી.એ. તથા બંધુ ઉમેદચંદ દોલતચંદ બી.એ.નો હમારા પર મોટો ઉપકાર થયો છે' એવો ઉલ્લેખ છે તે પરથી ઉમેદચંદ દોલતચંદ સહ-ભાષાંતરકર્તા હોય એવું સમજાય છે. જૈન રાસમાળા (પુરવણી)' એ મનસુખરામ કરતચંદ મહેતાની “જૈન રાસમાળા'ની પુરવણી છે. એમાં કક્કાવારીમાં કૃતિયાદી છે ને સાથે પ્રત જ્યાં પ્રાપ્ત છે એ ભંડારનો પણ નિર્દેશ છે. અગ્રંથસ્થ સાહિત્ય મોહનભાઈનું ઘણું સાહિત્ય હજુ સામયિકો અને અન્ય સંગ્રહાત્મક ગ્રંથોમાં દટાયેલું પડ્યું છે. એ બેત્રણ હજાર પાનાંથી ઓછું નહીં હોય એવો અંદાજ છે. મોહનભાઈના અગ્રંથસ્થ સાહિત્યની સૂચિ તૈયાર કરવામાં આવી છે (જે આ ગ્રંથમાં હવે પછી આપી છે), પણ હજુ એમનાં કેટલાંક લખાણો નજર બહાર રહ્યાં હોય એવો પાકો વહેમ છે, કેમકે મોહનભાઈનાં લખાણો સામયિકો અને અન્ય સંગ્રહાત્મક ગ્રંથોમાં સતત જડતાં રહ્યાં છે તેમજ મોહનભાઈનાં લખાણો અન્યત્ર છપાયાં હોવાનો સંભવ જણાય એવા ઉલ્લેખો સતત સાંપડતા રહ્યા છે. મોહનભાઈનાં અગ્રંથસ્થ લખાણોની યાદી પર નજર ફેરવીએ તોપણ એમની વ્યાપક ફલકની અવિરત સાહિત્યસેવાની ગાઢ પ્રતીતિ થયા વિના રહેતી નથી. તત્ત્વવિચાર, ઇતિહાસ, સાહિત્ય - એ ત્રણે ક્ષેત્રોમાં મોહનભાઈની લેખિની નિર્વિબે ઘૂમતી દેખાય છે અને એમની શોઘદૃષ્ટિ નવનવીન અણજાણ પ્રદેશો આપણી સમક્ષ ખુલ્લાં કરે છે. વિચારાત્મક લેખોમાં સ્વાભાવિક રીતે જ જૈન તત્ત્વવિચારના લેખોનો સમાવેશ છે, પણ “દીલામીમાંસા' જેવો સુદીર્ઘ લેખ શાસ્ત્ર, ઇતિહાસ, ભાવના અને વ્યવહાર એ સર્વ ભૂમિકાઓને સ્પર્શતી વ્યાપક પ્રકારની તત્ત્વવિચારણા રજૂ કરે છે, તો “જૈન દૃષ્ટિએ મહાત્મા ગાંધી” જેવો લેખ જૈન તત્ત્વને ગાંધીજીની વ્યાપક ઘર્મભાવના સાથે જોગવવાના વિશિષ્ટ પ્રયાસરૂપ છે. “સ્વામી શ્રી વિવેકાનંદના પ્રેરણાપ્રદ વિચારો અને મહાત્મા ગાંધીજી - કેટલાક ધાર્મિક વિચારો” આપણને સીધી રીતે જૈનેતર વિચારસૃષ્ટિમાં લઈ જાય છે તો “આત્મઘાત - એક બહેન પ્રત્યે પત્ર” એ
Page #112
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 99 - લેખ બિનસાંપ્રદાયિક જીવનવિચારનો એક નમૂનો બની રહે છે. ઐતિહાસિક લેખો મુખ્યત્વે જૈન સાધનો પર આધારિત છે પણ એમાંની ઇતિહાસદૃષ્ટિ તો વિશાળ છે. એટલે જ “ઈડરનો ઈતિહાસ' જેવો લેખ આપણને સાંપડે છે. ખેડા, ઝીંઝુવાડા વગેરેના પોતાના જ્ઞાનપ્રવાસોને આલેખતા મોહનભાઈ ત્યાંના શિલાલેખોનો અભ્યાસ રજૂ કરવા સાથે સ્થાનિક ઈતિહાસ-ભૂગોળની અન્ય માહિતી પણ મેળવીને મૂકે જ છે. “કાયસ્થ જાતિનો ટૂંક ઇતિહાસ” જેવો લેખ પણ મોહનભાઈને નામે ચડેલો છે એ એમની વિશાળ ઈતિહાસદૃષ્ટિ બતાવે છે. મોહનભાઈના ચરિત્રાત્મક લેખો પણ એમની ઈતિહાસદૃષ્ટિની નીપજ સમા છે. એ લેખો પ્રાચીન-અર્વાચીન સાધુવર તથા જૈન શ્રેષ્ઠીઓ વિશેના છે. એ લેખો કેટલીક વાર સંશોધનાત્મક હોય છે, તો કેટલીક વાર મહાવીર સ્વામી વિશેના લેખમાં બન્યું છે તેમ પોતાની સાથે વિશાળ ઇતિહાસને ખેંચી લાવે છે. સમયસુંદર, ઋષભદાસ વગેરે વિશેના લેખો તે-તે સાધુકવિના વિશાળ સાહિત્યસર્જનનો પરિચય કરાવતા હોઈ માત્ર ચરિત્રાત્મક લેખ બની ન રહેતાં સાહિત્યિક અભ્યાસલેખ બની રહે છે. આ ઉપરાંત પ્રાચીન કૃતિઓ વિશેના ઘણા લેખો છે, એમાં સંસ્કૃત, અપભ્રંશ ભાષાની કૃતિઓનો પણ સમાવેશ છે તથા “શુકસતતિ' જેવી જૈનેતર પરંપરામાં મળતી કથાકૃતિ તથા વરપરાજય' જેવા વૈદકગ્રંથનો પણ સમાવેશ છે એ હકીકત નોંધપાત્ર છે. મોહનભાઈના સાહિત્યિક લેખો સમીક્ષાત્મક હોતા નથી - મોહનભાઈની એ પ્રતિભા નથી - વધારે તો એ માહિતીની કક્ષાએ રહે છે પણ કૃતિઓના આસ્વાદ્ય અંશો કેટલીક વાર એ તારવી આપે છે કે ચીંધે છે એમાં એમની રસદૃષ્ટિનાં ઈગિતો આપણને મળે છે, તો મધ્યકાલીન સાહિત્યમાં જીવનનો ઉલ્લાસ નથી એ મુનશીના મતને પડકારતો “પ્રાચીન જૈન સાહિત્યમાં જીવનનો ઉલ્લાસ” જેવો લેખ મોહનભાઈની સાહિત્યિક અવલોકનની સૂઝનો આપણને પરિચય કરાવે છે. પોતે ચલાવેલાં સામયિકોમાં “સ્વીકાર અને સમાલોચના'ના વિભાગમાં અનેક પ્રકાશનોનાં ટૂંકા-લાંબાં અવલોકનો મોહનભાઈએ લખેલાં છે તે
Page #113
--------------------------------------------------------------------------
________________ 100 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા સાહિત્યની દુનિયા સાથેનો એમનો ગાઢ નાતો દર્શાવે છે. એમાં જૈન ગ્રંથોનાં અવલોકનો સવિશેષ હોય એ સ્વાભાવિક છે, પણ સાથે સાથે “પ્રીતમદાસની વાણી', મંજુલાલ મજમુદારકૃત “અભિમન્યુનું આખ્યાન અને અભિમન્યુનું લોકસાહિત્ય', કેશવ હર્ષદ ધ્રુવ-અનુવાદિત “સાચું સ્વપ્ન', કૃષ્ણલાલ મો. ઝવેરી-અનુવાદિત “કૃષ્ણચરિત્ર વગેરેનો સમાવેશ થયો છે, અને એમાંનાં કેટલાંક અવલોકનો ખાસ્સાં લાંબાં છે તે બતાવે છે કે મોહનભાઈનો સાહિત્યઅભ્યાસ જૈન સાહિત્ય પૂરતો મર્યાદિત નથી, એમની નજર જૈનેતર સાહિત્યપરંપરા તરફ પણ હંમેશાં મંડાયેલી રહી છે. મોહનભાઈનાં લખાણોમાં પ્રાચીન ઇતિહાસ, સાહિત્ય વગેરેને લગતાં લખાણોનું પ્રાચર્ય છે કેમકે એમના અભ્યાસનું મુખ્ય ક્ષેત્ર એ છે, પરંતુ અર્વાચીન જીવનથી એ અલિપ્ત રહ્યા નથી. પોતે ચલાવેલાં સામયિકોમાં મોહનભાઈએ આજના જૈન સમાજને લગતા ઘણા પ્રશ્નો વારંવાર ચર્થ્ય છે તે ઉપરાંત સમકાલીન રાષ્ટ્રીય ઘટનાઓ ઉપર નોંધો લખી છે. સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીજીના વિચારો વિશેના લેખો એ અર્વાચીન સમય સાથેની નિસબત જ વ્યક્ત કરે છે ને ? “સ્વીકાર અને સમાલોચના'માં પ્રસ્થાન'ના નાટક અંકનો સમાવેશ થયો છે એ પણ મોહનભાઈનો રસ પ્રાચીન સાહિત્ય પૂરતો મર્યાદિત નહોતો તે બતાવે છે. એમનાં લખાણોમાં ઉમાશંકરના વિશ્વશાંતિ', લલિતનાં કાવ્યો વગેરેમાંથી ઉતારા મળે છે અને સમકાલીન સાહિત્યના ઘણા સંદર્ભો જડે છે એ જુદી જ વાત છે. મોહનભાઈએ સંપાદિત કરેલી અનેક પ્રાચીન કૃતિઓ સામયિકોમાં પડેલી છે. એમાં ઐતિહાસિક કાવ્યો, રાસાઓ, ફાગ, બારમાસા, સ્તવનો, સુભાષિતો, હરિયાળીઓ, ઉખાણાં, બાલાવબોધ ઉપરાંત પત્રો, રાજવંશાવલિ, ઘરેણાખતનો દસ્તાવેજ, સ્વરોદય-વિજ્ઞાન જેવા વિષયો-પ્રકારોનો સમાવેશ થયો છે ને વિક્રમના પંદરમા સૈકાના કેટલાક જૈન કવિઓની કાવ્યપ્રસાદી', પ્રાચીન જૈન કવિઓમાં વસંતવર્ણન' જેવાં ચોક્કસ વિષયલક્ષી સંકલનો પણ છે. મોહનભાઈની વિશાળ સાહિત્યોપાસનાની ઝાંખી આમાંથી થાય છે. અપ્રાપ્ય લેખો, અધૂરાં કાર્યો મોહનભાઈ ભારે મોટા સંગ્રાહક ને સતત ઘણુંબધું નોંધ રૂપે લખતા
Page #114
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 101 રહેનાર સાહિત્યોપાસક હતા. એમનું જીવન અણધારી રીતે સંકેલાયું તેથી એમની ઘણી સામગ્રી અમુદ્રિત રૂપે પડી રહી હોય એ સ્વાભાવિક છે. એ સામગ્રી ક્યાં ગઈ એના સગડ મળતા નથી, પરંતુ એવી સામગ્રી હતી જ એના સંકેતો તો મળે જ છે. શતકવાર જૈન કવિઓની પ્રસાદી એમણે સંકલિત કરેલી ને પહેલાં “મધ્યકાળનો સાહિત્યપ્રવાહમાંના એમના લેખમાં અને પછીથી “જૈન ગૂર્જર કવિઓ'માં એ મૂકવા એમણે વિચારેલું એવા એમના પોતાના ઉલ્લેખો મળે છે, પણ એ બની શક્યું નથી. આગળ નિર્દેશેલ વિક્રમના પંદરમા શતકના કેટલાક જૈન કવિઓની કાવ્યપ્રસાદી” એ એમના એ બૃહત્ સંકલનનો એક ભાગ હોય એવો સંભવ છે. “જૈન ગૂર્જર કવિઓ'માં કેટલાક સ્થાને પોતે કૃતિ ઉતારી લીધી હોવાની નોંધ છે પણ એ કૃતિઓ પ્રસિદ્ધ થયાની માહિતી મળતી નથી. સિદ્ધિચન્દ્રવિરચિત “ભાનુચન્દ્રગણિચરિત પોતે નાહટા પાસેથી મળેલી પ્રતમાંથી એમ જ ઉતારી લીધેલ ને પાછળથી મુનિ જિનવિજયની ગોઠવણથી પ્રસિદ્ધ થયેલ એ આપણે આગળ નોંધી ગયા છીએ. જિનવિજયજીના સહકારથી લીધેલો આરાસણ તીર્થના પ્રતિમાલેખોનો સંગ્રહ જિનવિજયજી પાસે પ્રકાશન માટે પડી રહેલ છે એવો ઉલ્લેખ મોહનભાઈએ કરેલ છે (જૈન, 26 માર્ચ 1949) પરંતુ આ સંગ્રહ પ્રસિદ્ધ થયાનું જાણવા મળતું નથી. જિનવિજયજીસંપાદિત “પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા.૨'માં આરાસણ તીર્થના લેખો છે. પણ એ દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકરે મોકલેલા છે અને આ પ્રકાશન મોહનભાઈના ઉલ્લેખથી ઘણું વહેલું, છેક ૧૯૨૧નું છે. ઝઘડિયાના લેખો ઉતાર્યાનું મોહનભાઈએ લખેલ છે પણ એ લેખો પ્રસિદ્ધ થયાનું જણાતું નથી. યશોવિજયજીકૃત “ન્યાયાવતાર' અંગ્રેજી પરથી ગુજરાતીમાં મોહનભાઈએ તૈયાર કરેલ ને એ તથા “ન્યાયપ્રદીપ” અને “નયકર્ણિકા' વિશે મનસુખલાલ કીરતચંદ મહેતા પાસેથી ટીકાટિપ્પણ માગેલાં, ન્યાયાવતાર' તો મનસુખભાઈ વિશેષ સ્કુટ કરે તો સહકર્તા તરીકે છપાવવાની તૈયારી મોહનભાઈએ બતાવેલી. પરંતુ આમાંથી “નયકર્ણિકા' જ પ્રસિદ્ધ થયેલ છે. “ન્યાયાવતાર' મૂળ ને અનુવાદ પુસ્તક રૂપે નહીં પણ “હેરલ્ડમાં પછીથી
Page #115
--------------------------------------------------------------------------
________________ 102 વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા પ્રગટ થયેલ. “ગુજરાતના જૈન સંપ્રદાયોનો ઇતિહાસ' લખવાની ભાવના મોહનભાઈએ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'ના નિવેદનમાં વ્યક્ત કરેલી છે, પણ એ ભાવના પરિપૂર્ણ થયેલી નથી. કાવ્યો ' સામયિકોમાં મોહનભાઈનાં કાવ્યો પ્રગટ થયેલાં છે. કેટલાંક કાવ્યો “વીરભક્તિ' એ એમના ઉપનામથી પ્રગટ થયેલાં છે ને કેટલાંક અનામી કાવ્યો પણ એમનાં હોવાની શક્યતા છે. કોઈ કાવ્ય સંયુક્ત રીતે લખાયેલું પણ મળે છે તથા અનુવાદરૂપ કાવ્ય પણ છે. આ કાવ્યો પ્રાસંગિક છે, ભક્તિનાં છે, બોધાત્મક છે, સામાજિક વિષયોનાં (‘વિધવા બહેનને આશ્વાસન) ને રાષ્ટ્રીય ભાવનાનાં પણ છે. ક્યાંક અંગત લાગણી પણ વ્યક્ત થઈ છે (‘હૃદયની વાતો કોણ જાણે', “સ્નેહીનાં સંભારણાં'). ખાસ સ્ત્રીઓ માટેનાં કાવ્યો પણ મોહનભાઈએ રચેલાં છે. આ કાવ્યો એ સમયે લોકપ્રિય થયાં હશે એમ જણાય છે. મોહનભાઈનું ટીકાકાર જૈન રિવ્યુ પણ એવું નોંધે છે કે “તેઓનું ભેજું સુંદર કવિતા રચી શકે છે. ખાસ કરીને ગરબીઓ સ્ત્રીવર્ગમાં એકસરખી રીતે માન પામી છે.” (મે-જૂન 1918) રણજિતરામ વાવાભાઈને પણ મોહનભાઈનાં કાવ્યો રસપ્રદ લાગેલાં અને એનો સંગ્રહ કરવાનું એમણે સૂચન કરેલું (હેરલ્ડ, સપ્ટે.-નવે. 1917). પરંતુ કાવ્યકલાની દૃષ્ટિએ આ રચનાઓ આજે ભાગ્યે જ લક્ષ ખેંચી શકે. એમાં ક્વચિત “બગડેલું ઘડિયાળ' જેવી અન્યોક્તિ રચના મળે છે, મોહનભાઈના ભાવનાશીલ હૃદયનો સ્પર્શ અનુભવાય છે ને રાગ-ઢાળના નિર્દેશપૂર્વક ગેયતા સિદ્ધ કરવામાં આવી છે એ એનો ગુણ પક્ષ છે. 1. ત્રિભુવન વીરજી હેમાણી ગુજરાતી તખલ્લુસોમાં મોહનભાઈનું એક અન્ય ઉપનામ “એક ગ્રેજ્યુએટ' હોવાનું નોંધે છે, પરંતુ આ ઉપનામથી જે એકબે લેખો જોવા મળ્યા તે મોહનભાઈ ગ્રેજ્યુએટ થયા પહેલાંના છે, તો “કાઉન્ટ ઑફ મૉન્ટેક્રિસ્ટોના અનુવાદક એક ગ્રેજ્યુએટ અમદાવાદના છે. આ ઉપનામથી મોહનભાઈનું કોઈ લખાણ પ્રાપ્ત થતું નથી.
Page #116
--------------------------------------------------------------------------
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 103 5. સમાપન મોહનભાઈને જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ તરફથી જે માનપત્ર આપવામાં આવેલું તેમાં મોહનભાઈના વ્યક્તિત્વ તથા એમની સેવાઓને સર્વગ્રાહી, સમુચિત અને ભાવભરી અંજલિ આપવામાં આવી છે તે જ આ ચરિત્રલેખનું શોભીતું સમાપન ગણાશે : અનેક વર્ષો સુધી આપે જૈન સમાજ, સાહિત્ય અને ધર્મની અનેકવિધ કિંમતી સેવાઓ બજાવી છે... આપની અનેકવિધ સેવાઓની ગણના કરવી દુર્ઘટ કામ છે. આપે આપના ધંધાના અતિવ્યવસાયી કામની સાથે જ જૈન સમાજની અનેક પ્રકારે ત્રણ દશકા સુધી સેવા કરી તેનો સામાન્ય ઉલ્લેખ કરતાં પણ સરવાળો અતિ મોટો થઈ જાય. કૉન્ફરન્સ સાથે તો આપે એકરસ બની જે હારબંધ સેવાઓ કરી છે તેનાં નામોની નોંધ કરતાં પાનાંઓ ભરાય તેમ છે. આપની સેવાની માત્ર મોટી વાત યાદ કરીએ તો આપે જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડ'ને ચાલુ રાખવામાં અને “જૈનયુગ”ને એક પુરાતત્ત્વના પાયાગ્રંથ જેવો બનાવવામાં વર્ષોના ઉજાગરા કર્યા છે અને એનું ઉચ્ચ સ્થાન સાહિત્યસૃષ્ટિમાં જીવતું રાખી સમાજની અને ધર્મની ભારે સેવા કરી છે. આપે આપનો પુરાતત્ત્વનો ધોધ તેમાં ઠાલવ્યો અને અત્યારે પણ એનું પરિશીલન અભ્યાસીઓ ગૌરવ સહિત કરે છે. એ તો ખરેખર આપના વિલાસનો વિષય હતો. આપની અવિચળ કૃતિ તો ગુજરાતના પ્રાચીન “જૈન ગૂર્જર કવિઓ'ના ત્રણ ભાગ છે. ત્રીજા ભાગના બે વિભાગ છે. એને અંગેની અપરિમિત મહેનતને પરિણામે આપે જૈન ગુજરાતી સાહિત્યની વિશાળતા, ભવ્યતા, મહત્તા અને કાવ્યમયતા બતાવી ગુજરાતી સાહિત્યમાં જૈન સાહિત્યને એનું સુયોગ્ય સ્થાન અપાવ્યું છે અને સેંકડો અપ્રસિદ્ધ રાસાઓ, દુહાઓ અને પદો વિગેરેને જીવંત કરી એમાં રહેલ અલંકારો, વ્યવહારો, વિલાસી અને ઉપદેશોને થાળ રૂપે જનતા સમક્ષ મૂકી અભુત સેવા કરી છે. એ કૃતિઓના ઉપર કળશ ચઢાવે તેવી આપની કૃતિ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” છે અને એ આપના વિશાળ વાચન અને સતત પ્રયાસનું ચિરસ્મરણીય ફળ છે.
Page #117
--------------------------------------------------------------------------
________________ 104 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા આ તો આપની કૃતિઓની મોટી મોટી વાનકીઓ થઈ. બાકી આપના “મહાવીર અંક' “પર્યુષણ અંક “દીપોત્સવી અંક વિગેરે અનેકવિધ સેવાના નમૂના છે. આપની રાસાસાહિત્યની પ્રસિદ્ધિઓ, આપની ઐતિહાસિક રાસોની પ્રસિદ્ધિઓ અને આપના નામથી અંકિત થયેલા અનેક લેખોના વૈવિધ્ય પર વિચાર કરતાં એક વ્યક્તિ આટલાં કાર્યો કેમ કરી શકે એવો સાહજિક સવાલ જગાવે છે, આપની સર્વદેશીયતા બતાવે તેવી અનેક કૃતિઓ નજરે તરે છે અને તે આપના જીવનની સફળતા અને ધન્યતા સાબિત કરવાના ચિરંજીવ પુરાવા રૂપે અમર થઈ ગઈ છે. આપની નિખાલસ વૃત્તિ, આપનું સ્પષ્ટવક્તાપણું, આપની સામાનું દૃષ્ટિબિંદુ સમજવાની જિજ્ઞાસા અને આપના બુલંદ અવાજમાં રજૂ થતા વિચારોમાં પસરતો વાણીનો ધોધ અમારા કાનમાં હજુ સુધી ગુંજ્યા કરે છે. જૈને કોમના ઉત્કર્ષમાં કૉન્ફરન્સનું સાચું સ્થાન છે. એને માટે ભૂમિકા કેવી તૈયાર થઈ ગઈ છે અને નવયુગ પાસેથી જનતા શી-શી આશા રાખે છે તે બાબત પર આપે બતાવેલા વિચારો અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ, શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા અને બીજી અનેક મુંબઈની અગ્રગણ્ય જૈન સંસ્થાઓની આપે વર્ષો સુધી બજાવેલી સેવાઓ કદી વિસરાય તેમ નથી. વિવિધતાથી, રસથી, આનંદથી ભરપૂર આપના સાદા પણ સચ્ચારિત્રશીલ જીવનમાં ઓતપ્રોત થયેલી, વણાઈ ગયેલી, એકરસ થઈ ગયેલી સેવા ભવિષ્યની પ્રજાને પ્રેરણા આપનાર નીવડો.. એવી શાસનદેવને પ્રાર્થના કરી વિરમીએ છીએ.” આપણે પણ આ પ્રાર્થનામાં આપણો સૂર પુરાવી વિરમીએ.
Page #118
--------------------------------------------------------------------------
________________ સદ્દગત મોહનલાલ દલીચંદ દેશાઈ પરમાનંદ કાપડિયા શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈના અકાળ સ્વર્ગગમનથી જૈન સમાજને તેમજ ગુજરાતી સાહિત્યને બહુ જલ્દીથી ન પુરાય એવા એક કાર્યકર્તાની અને સાહિત્યસેવકની ખોટ પડી છે. તેઓ મારાથી લગભગ એક વર્ષ મોટા હતા. તેથી તેઓ મારા મુરબ્બી ગણાય. એમ છતાં પણ અમારો સંબંધ લગભગ બે મિત્રો જેવો હતો અને સમાન ક્ષેત્રમાં સાથે કામ કરવાના એટલાબધા પ્રસંગો અમને પ્રાપ્ત થયા હતા કે તેમના અવસાનથી એક સાથી કાર્યકર્તા ગુમાવ્યો હોય એવો મર્મસ્પર્શી અનુભવ મને થાય છે અને મારા દિલમાં ઊંડી શોકની લાગણીઓ ઉદ્દભવે છે. તેમનો જન્મ કે ઉછેર કોઈ સુખશયામાં થયો નહોતો. ગરીબ કુટુંબમાં તેઓ જન્મ્યા અને અનેક અગવડો વચ્ચે તેમણે વિદ્યાર્થીજીવન પૂરું કર્યું હતું. કૉલેજના અભ્યાસ દરમિયાન તેઓ મુંબઈની ગોકળદાસ તેજપાળ બૉર્ડિંગમાં રહેતા હતા. બી.એ. થયા, એલએલ.બી. થયા અને મુંબઈની સ્મૉલ કૉઝ કૉર્ટમાં તેમણે વકીલાત શરૂ કરી. તેમની પાસે કોઈ સાધનસંપત્તિ નહોતી; પોતાનો માર્ગ તેમણે પોતે જ કરવાનો હતો; વકીલાત દ્વારા દ્રવ્યોપાર્જન કરવું અને પોતાના કુટુંબનો જીવનનિર્વાહ કરવો એ ઉપાધિથી તેઓ કદી મુક્ત થયા નહોતા. શ્રીમંતાઈ તેમણે જીવનમાં જોઈ નહોતી. ભોગવિલાસ તેમના નસીબમાં નહોતા. તેમજ તે તરફ તેમનું લેશમાત્ર વલણ પણ નહોતું. વકીલાતના પ્રારંભ સાથે તેઓ જૈન સમાજને લગતા જાહેરજીવનમાં પણ પડેલા અને સાથે સાથે સાહિત્યપ્રીતિ પણ તેમને મૂળથી વરેલી. વકીલાત અને સાહિત્યઉપાસના એ બે જ તેમના જીવનના મુખ્ય વ્યવસાયો હતા અને સાથેસાથે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કૉન્ફરન્સ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તેમજ બીજી અનેક જૈન સંસ્થાઓના એક અગ્રગણ્ય કાર્યકર્તા હતા. વિશાળ જાહેરજીવનમાં તેમજ કોંગ્રેસમાં પણ તેમને ખૂબ જ રસ હતો. જૈનોની કોઈ
Page #119
--------------------------------------------------------------------------
________________ 106 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા પણ એવી જાહેર સભા ન હોય કે જ્યાં તેઓ હાજર ન હોય એટલું જ નહીં પણ જ્યાં તેમના ભાગે કાંઈ ને કાંઈ કામ આપવામાં આવ્યું ન હોય અને તેમની સાહિત્યઉપાસના કેવી હતી એ તો તેમનું મુંબઈનું નિવાસસ્થાન જેણે જોયું હોય તેને જ તેનો ખરો ખ્યાલ આવી શકે. બે કે ત્રણ ઓરડાનો બ્લૉક તેમાં તેમને વાંચવાલખવા તથા મળવા હળવાનો ઓરડો ચારે બાજુ પુસ્તકો, પોથીઓ અને લખાણોથી ભરેલો રહેતો. એ ઓરડામાં દિવસરાતનો વિચાર કર્યા સિવાય તેમણે અખંડ સાહિત્યઉપાસના કરેલી. તેમની સાહિત્ય ઉપાસના પાસે વકીલાતનું તેમનું કામ ગૌણ બની જતું. જ્યારે તેમને મળવા જાઓ ત્યારે તેઓ પોતાના સંશોધનકાર્યમાં મશગુલ બનેલા નજરે પડે. વાંચતાં લખતાં મધરાત વટાવી જવી એ તો તેમનો સામાન્ય કાર્યક્રમ હતો. સાહિત્યના ક્ષેત્રમાં તેમનું કાર્ય એક સમર્થ સંગ્રાહક અને સંશોધકનું હતું. ગુજરાતી જૈન સાહિત્ય આજે જે વિપુલ પ્રમાણમાં બહાર પડ્યું છે અને સમગ્ર ગુજરાતી સાહિત્યમાં તેને જે પ્રતિષ્ઠિત સ્થાન મળ્યું છે તેનો યશ મોટા ભાગે તેમના ફાળે જાય છે. જૈન પદ્યસાહિત્યનો તો તેમણે જ જીર્ણોદ્ધાર કર્યો છે. જૈન સાહિત્યના ક્ષેત્રમાં તેઓ જે સંશોધનની પરિપાટી મૂકતા ગયા તેને ઉપાડી લે અને આગળ ચલાવે એવો આજે કોઈ જૈન હજુ નજરે પડતો નથી. જૈન સમાજને લગતા જાહેર જીવનમાં પણ તેમનું સ્થાન અતિ મહત્ત્વનું હતું. તેમની સ્થિતિ સાધારણ હોવા છતાં ખુશામત કે વાક્પટુતા તેમનામાં કદી જોવામાં આવી નહોતી. સ્પષ્ટવસ્તૃત્વ એ તેમની વિશેષતા હતી. તેનો અમલ કરવા જતાં તેઓ અનેકની સાથે અથડામણમાં આવતા અને કદી વાયુદ્ધ પણ ખેલતા. આમ છતાં પણ તેમના દિલમાં કદી પણ કોઈ વ્યક્તિ વિશે ડંખ કે દ્વેષ નહોતો. તેમનામાં એક પ્રકારની ખેલદિલી હતી. તેમનું દિલ સદા સાફ હતું અને સમાજની સાચી સેવા એ જ તેમની અનન્ય નિષ્ઠા હતી. કોઈ કૂડકપટ તેમને કદી સ્પર્શતાં નહોતાં તેમજ એવી કોઈ મહત્ત્વાકાંક્ષા પણ તેમને પીડતી નહોતી. પોતાના ક્ષેત્રમાં રહીને, પોતાના સંયોગો અને તાકાતની મર્યાદા ધ્યાનમાં રાખીને નિઃસ્વાર્થ ભાવે શક્ય તેટલી સેવા કરવી, જ્યાં આગેવાનીભરેલો ભાગ ભજવવાનો આવે ત્યાં તે રીતે અને અન્યત્ર
Page #120
--------------------------------------------------------------------------
________________ સદ્ગત મોહનલાલ દલીચંદ દેશાઈ 107 એક સામાન્ય અનુયાયી તરીકે પોતાની શક્તિનો સમાજને બને તેટલો લાભ આપવો એ જ કેવળ તેમના સમગ્ર જીવનનું પરમ લક્ષ્ય હતું. એવો કોણ જૈન હશે કે જેણે તેમની ગર્જનાઓ આજ સુધીમાં અનેક વાર જૈન સમાજની ભિન્ન ભિન્ન વ્યાસપીઠો ઉપરથી નહીં સાંભળી હોય? તેઓ જે કાંઈ બોલતા તેમાં સ્પષ્ટતા હતી, નીડરતા હતી, નિખાલસતા હતી. આવી જ રીતે ભિન્નભિન્ન સંસ્થાઓની કાર્યવાહીમાં તેમની બાજુમાં બેસીને કે સામા બેસીને કામ કરવું, સહમતી અનુભવવી કે વિચારોની અથડામણમાં આવવું, અને એવી જ રીતે એકલા હોઈએ ત્યારે જૈન સમાજ, સાહિત્ય, કૉંગ્રેસ, રાજકારણ, ધર્મરુઢિઓ, સાધુસંસ્થાની વિશેષતાઓ અને વિકૃતિઓ વગેરે વિષયો ઉપર ચર્ચા કરવી, વિચારવિનિમય સાધવો આ જીવનનો એક લ્હાવો હતો. તેઓ એક જીવતા માણસ હતા. આગળની પેઢીમાં તેઓ ઊછરેલા, વિનીત વલણોને સાધારણ રીતે વરેલા અને એમ છતાં નવા વિચારો સાથે મેળ મેળવવાનો સતત પ્રયત્ન કરતા. જૂના પણ ખરા અને નવા પણ ખરા અને એ બધી બાબતો ઉપરાંત એક નવયુવાન જેટલા ઉત્સાહ, ખંત અને ઉમળકાથી ભરેલા મોહનભાઈ - આવી એક વ્યક્તિને આમ અકાળે ઝૂંટવી લઈને વિધાતાએ આપણા સર્વ ઉપર ખરેખર અત્યન્ત નિષ્ફર પ્રહાર કર્યો છે. આજે જ્યારે આ સ્મરણનોંધ લખું છું ત્યારે તેમનું ભાવભર્યું વ્યક્તિત્વ, સદા આવકાર આપતી તેમની સોહામણી મુખમુદ્રા, કાંઈ પણ નવીન વાત, વિચાર કે વસ્તુ જાણવાની તેમની હોંશ આ બધું કલ્પનાપટ ઉપર આલેખાય છે અને આવી એક પ્રાણવાન વ્યક્તિએ આપણી વચ્ચેથી સદાને માટે હવે વિદાય લીધી એ હકીકતનું ભાન ચિત્તને શોકાતુર કરી મૂકે છે. આવી એક વિશિષ્ટ વિભૂતિ પોતાનો જીવનસંગ્રામ પૂરો કરીને, અનેક મીઠાં સ્મરણો અને પ્રેરક જીવનતત્ત્વો મૂકીને અસીમ અનન્તતાના સાગરમાં વિલીન થઈ છે આપણાં તેમને અનેક વન્દન હો ! પરમાત્મા તેમને પરમ શાન્તિ અર્પો !! તેમની જીવનચર્યા આપણને અનેક રીતે બોધપ્રદ અને માર્ગદર્શક બનો ! પ્રિબુદ્ધ જૈન, તા.૧૫-૧૨-૪૫]
Page #121
--------------------------------------------------------------------------
________________ કેટલાંક સંસ્મરણો સિદ્ગત સાહિત્યોપાસક શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ) પંડિત સુખલાલજી પ્રબુદ્ધ જૈન'ના ૧૫-૧૨-૪પના અંકમાં શ્રીયુત મોહનલાલ દલીચંદ દેશઈના દુઃખદ અવસાનની નોંધ લેતો અને હાર્દિક સમવેદના દર્શવતો એક લેખ પ્રસિદ્ધ થયો છે. હું તો માત્ર મોહનભાઈ વિશેનાં મારાં કેટલાંક સ્મરણો જે તેમના સ્વભાવની વિવિધ બાજુઓનાં અને તેમની કર્મઠતાનાં નિર્દેશક છે તેને પ્રથિત કરી તેમના પરલોકગત આત્માને શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત કરું છું. પ્રથમ પરિચય સને ૧૯૧૭ના ચોમાસામાં મુંબઈના વાલકેશ્વરના ઉપાશ્રયમાં હું તેમને પહેલવહેલો મળ્યો. મોહનભાઈ પોતાના શ્રદ્ધેય મિત્ર વાડીલાલ મોતીલાલ શાહ અને શ્રીયુત નાથુરામ પ્રેમીજી સાથે ત્યાં મુનિશ્રી જિનવિજયજી પાસે આવેલા. આ પ્રાથમિક સ્વલ્પ પરિચયથી હું તેમના પ્રત્યે આકર્ષાયો અને એ આકર્ષણ ઉત્તરોત્તર વધારે પરિચયથી અને તેમના કાર્યનિરીક્ષણથી વધતું જ ગયું. વિવેજ્યુક્ત ગુણપક્ષપાત તેમનામાં સૌથી મોટો ગુણ ગુણપક્ષપાતનો હતો. જ્યાં જ્યાં ગુણ નજરે પડે ત્યાં આકર્ષાવું એ એમનો સહજ સ્વભાવ હતો. આમ છતાં પણ આ ગુણપક્ષપાત વિવેકયુક્ત રહેતો. પોતાના વિશિષ્ટ પક્ષપાતના પાત્રમાં સમયાન્તરે અસાધારણ ટિઓ માલૂમ પડે તો પણ તેની ભક્તિ-ઉપાસના ચાલુ રાખવી એ તેમના માટે કદી શક્ય નહોતું. તેમનામાં કોઈ વિશે કદી આંધળી ભક્તિ નહોતી. દાખલા તરીકે મોહનભાઈ સદ્દગત વા. મો. શાહનાં આકર્ષક લખાણો અને ઉત્તેજક વિચારોથી, તેમની પોતાની ભાષા વાપરીને કહું તો, શાહના અનન્ય ભક્ત થયેલા; પણ વખત જતાં તેઓ તેમના પ્રત્યે તટસ્થ થઈ ગયા.
Page #122
--------------------------------------------------------------------------
________________ કેટલાંક સંસ્મરણો 109 તેથી ઊલટું શ્રીયુત નાથુરામ પ્રેમીજી સાથેની તેમની મૈત્રી છેવટની ઘડી લગી કાયમ રહી હતી, એટલું જ નહીં પણ ઉત્તરોત્તર વધતી પણ ગઈ હતી. મોહનભાઈ હમેશાં કહેતા કે પ્રેમીજી જેટલા સરળ છે તેટલા જ અસાંપ્રદાયિક ઐતિહાસિક દૃષ્ટિવાળા પણ છે. પ્રેમીજીની નિખાલસ વૃત્તિ અને સાહિત્યિક તેમજ ઐતિહાસિક ઉપાસનાએ જ મોહનભાઈને આકર્ષેલા. મુનિશ્રી જિનવિજયજી પૂનામાં જ્યારે સાહિત્યનું અને ઐતિહાસિક સંશોધનનું કામ કરતા ને સાધુવેશમાં હતા ત્યારે મોહનભાઈ તેમના કામથી આકર્ષાઈ ત્યાં જતા અને તેમની પાસેથી ઘણું નવું જાણી પ્રેરણા મેળવતા. સને ૧૯૨૦માં મુનિશ્રીએ સાધુવેશનો પરિત્યાગ કર્યો ત્યારે કેટલાયે તેમના પ્રથમ પરિચિત મિત્રો ચમક્યા અને કાંઈક ઉદાસીન જેવા પણ થઈ ગયા. છતાં મોહનભાઈનો મુનિજી પ્રત્યેનો સદ્ભાવ અને સ્નેહ ઘટવાને બદલે ઉત્તરોત્તર વધતો જ ગયો. જેમજેમ તેઓ મુનિજીના સ્વભાવ અને સાહિત્યિક, ઐતિહાસિક કાર્યોથી વધારે ને વધારે પરિચિત થતા ગયા તેમતેમ તેમનું મુનિજી પ્રત્યેનું આકર્ષણ વધતું જ ગયું. તે એટલે સુધી કે તેઓ અમદાવાદ આવે તો મુનિજીના જ અતિથિ બને, અને મુંબઈમાં મુનિજી આવી ચડે કે ગમે ત્યાંથી મોહનભાઈ તેમને મળવા પહોંચી જ જાય. મોહનભાઈએ અનેક વાર કહેલું કે “મુનિજી, તમે જ્યારે ક્યાંય પણ પ્રવાસ કરો ત્યારે મને જરૂર સૂચવશો. કૉર્ટની રજા હશે તો હું તેનો ઉપયોગ તમારી સાથે દિવસો ગાળવામાં જ કરીશ. એથી મને મારાં પ્રિય કાર્યોમાં ઉપયોગી થાય એવી ઘણી વસ્તુઓ જાણવા મળશે. અને હું એકલો તો પ્રવાસ કરી પણ ન શકું.” એ જ વૃત્તિથી પ્રેરાઈ સને ૧૯૨૪માં બેલગામ કોંગ્રેસ વખતે મોહનભાઈ પ્રવાસમાં સાથે જોડાયા અને વચ્ચે જ્યાંજ્યાં ઐતિહાસિક સ્થળો જોવા ઊતરવાનું બનતું ત્યાં સાથે જ રહેતા. ગુજરાત પુરાતત્ત્વ મંદિરની સાહસિક પ્રવૃત્તિ, સિંધી સિરીઝની પ્રવૃત્તિ અને છેલ્લે છેલ્લે ભારતીય વિદ્યાભવનની વિવિધ વિદ્યાપ્રવૃત્તિથી મોહનભાઈ કેટલો ઉલ્લાસ અનુભવતા અને કેટલો રસ લેતા તેનો હું સાક્ષી છું. મોહનભાઈએ ઉલ્લાસ અને રસના પ્રતીક રૂપે ભારતી વિદ્યાભવન સિંઘી સિરીઝમાં એક ઐતિહાસિક મહત્ત્વનો ગ્રંથ માનુન્દ્રાનિવરિત સંપાદિત કરી આપ્યો છે, અને તેની વિસ્તૃત માહિતીપૂર્ણ અંગ્રેજી પ્રસ્તાવના લખી તેમણે પોતાનું
Page #123
--------------------------------------------------------------------------
________________ 110 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા કાયમી સ્મરણ રાખ્યું છે. મોહનભાઈ સામાજિક લોકો સાથે રહી સમાજનાં કામો કરતા, કેટલીક સામાજિક રૂઢિઓને અનુસરતા, પણ તેમને તેનું બંધન નહોતું. એમને બંધન હોય તો તે હતું એક માત્ર સદ્ગણઉપાસનાનું. તેથી જ તેઓ ગાંધીજીને એક મહાન પેગંબર તરીકે લેખતા અને તેમનાં સત્ય-અહિંસામૂલક લખાણો વાંચ્યા વિના કદી જંપતા નહીં. વિનમ્ર કર્મઠતા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના રજતોત્સવ પ્રસંગે એક સભામાં વિદ્યાર્થીઓને સંબોધી મોહનભાઈએ કહેલું કે હું તદ્દન ગરીબાઈમાં મામાની મદદથી અભ્યાસ કરી આગળ વધ્યો છું. મને ગરીબાઈ તથા સાધારણ સ્થિતિનું ભાન છે. એ ભાન જ મને નમ્ર બનાવે છે. મારી સતત કામ કરવાની વૃત્તિ પણ એ સ્થિતિને આભારી છે. એ સભામાં તેમના મોઢેથી ઉપરની મતલબના ઉદ્ગારો મેં સાંભળ્યા અને પરિચય દરમ્યાન જાણેલ તેમના સ્વભાવ અને કાર્યપ્રવીણતા સાથે તુલના કરી તો મને તે વખતે જ તેમનું કથન તદ્દન સાચું લાગેલું. મુંબઈ, અમદાવાદ તેમ જ પ્રવાસ વખતે, બીજે ઘણે સ્થળે અમે સાથે રહ્યા છીએ. તે વખતે મેં જોયું કે નાના-મોટાનું કશું જ અંતર રાખ્યા વિના પ્રસંગ આવતાં સાધારણમાં સાધારણ ગણાય એવાં કામો પણ જાતે કરવામાં તેમને વકીલની પ્રતિષ્ઠા કે આધુનિક સભ્યતા આડે ન આવતી અને ૧૯૨૭માં અમે અંબાજી અને કુંભારિયાજી તરફ ગયેલા. કુંભારિયાજીના સુપ્રસિદ્ધ વિમલ મંત્રીનાં મંદિરોની કારીગરી જોવાનો. અને ઐતિહાસિક માહિતી મેળવવાનો ઉદ્દેશ હતો. મુનિશ્રી જિનવિજયજી ત્યાંના અસ્તવ્યસ્ત તેમજ ધૂળકીચડથી દબાયેલા અને ઘવાયેલા શિલાલેખોની કૉપી કરવા લાગ્યા કે તે જ વખતે મોહનભાઈએ શિલાલેખોને સાફ કરવાનું કામ એક મજૂરની અદાથી હાથમાં લીધું ને હસતાં હસતાં અમને કહે કે તમે બાકીનાઓ ખાવાનું તૈયાર રાખજો. હું અને મુનિજી તૈયાર થાળી ઉપર બેસીશું.” એમ કહી તેઓ દટાયેલા પથ્થરોને ખુલ્લા કરતા, ધૂળકચરો સાફ કરતા અને નવાં નવાં લખાણો શોધી કાઢી મુનિજીને કૉપી કરવામાં જેમ સાથ આપતા તેમ તેમની પાસેથી એ લખાણો ત્વરિત વાંચી સમજી લેવાની તાલીમ પણ લેતા. આ વખતે મેં જોયું કે મેં કલ્પેલું તે કરતાં પણ મોહનભાઈ
Page #124
--------------------------------------------------------------------------
________________ કેટલાંક સંસ્મરણો 111 વધારે મહેનતુ અને કર્મરસિક છે. ચાલવું હોય ત્યારે માઈલોના માઈલ ચાલે અને સાથીઓથી પાછા ન રહેવામાં ગૌરવ માને. પ્રવાસમાં જાતે કરવામાં કામ આવી પડે ત્યારે તે ઉલ્લાસપૂર્વક કરે અને કોઈને એવું ભાન થવા ન દે કે તેમનો સાથ બોજારૂપ છે. વિદ્યાવૃત્તિ મોહનભાઈનો વકીલાતનો રસ માત્ર સ્વાધીન નિર્વાહ પૂરતો હતો. તેમની મુખ્ય રસવૃત્તિ તો કાયદાના ક્ષેત્રની બહાર બીજા વિષયોમાં જ રમમાણ રહેતી અને તૃપ્તિ અનુભવતી. સાહિત્ય, ઇતિહાસ, પુરાતત્ત્વ આદિ અનેક વિષયોમાં તેમને રસ હતો અને એ જ એમનું કાર્યક્ષેત્ર હતું. ન છૂટકે સ્વતંત્ર જીવનવ્યવહાર માટે કરવી પડતી વકીલાત કરતા, પણ તેમનો બાકીનો બધો સમય અને બધી શક્તિ તો પોતાના પ્રિય વિષયોમાં જ તેઓ ખરચતા. મુંબઈ ઉપરાંત અમદાવાદ, પાટણ, ભાવનગર, પાલણપુર, બિકાનેર આદિ અનેક સ્થળોના ભંડારો તેમણે જાતે જોયેલા. અનેક ભંડારોનાં લિસ્ટો મંગાવે, અનેક સ્થળેથી, દૂરદૂરથી લિખિત પોથીઓ મંગાવે અને જે-જે પોતાને ઉપયોગી દેખાય તેની અને પોતાને ઉપયોગી ન હોય છતાંય અપૂર્વ કોઈ વસ્તુ મળી આવે તો તેની પણ તેઓ જાતે નકલો કર્યા જ કરે. મિત્રો કે પરિચિતો આવે ત્યારે વચ્ચે વાતો પણ કરે, ગપ્પાં પણ મારે, છતાં તેમનું મુખ્ય લક્ષ્ય તો કૉપી કરવામાં, કાંઈક લખવામાં કે પૂફ જોવામાં જ હોય. દિવસે પ્રવૃત્તિને લીધે અગર બીજાઓની અવરજવરને લીધે જે વિક્ષેપ પડતો તેની પુરવણી તેઓ રાતે જાગીને જ કરતા અને " નિશા સર્વભૂતાનાં તસ્યાં નાર્તિ સંયમી !' એ ગીતાવાક્યને સાહિત્યસેવાની દૃષ્ટિએ સાચું સાબિત કરતા. એક વાર તેઓ અમદાવાદ આવ્યા અને શહેરમાં ભંડારો જોવા ગયા. ત્યાં જોતાં જોતાં તેમને એક અપૂર્વ વસ્તુ મળી. તેઓ એના આનંદમાં અને ભંડારો જોવાની મળેલી તકનો ઉપયોગ કરવામાં એટલાબધા નિમગ્ન થયા કે સાંજે જમવા પાછા ન ફર્યા. મોડે સુધી રાતે ઉતારા કરી ઘેર પાછા આવ્યા ત્યારે અમે તો બધા રાહ જોઈ સૂઈ ગયેલા. તેમણે બારણું ખખડાવ્યું. “આટલું બધું મોડું કેમ થયું?” એમ જ્યારે અમારામાંનાં શ્રી મોતીબહેને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે હું જમીને જ આવ્યો છું, પણ કાંઈક એવી વસ્તુ લાવ્યો છું
Page #125
--------------------------------------------------------------------------
________________ 112 વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા કે સુખલાલજી જાગે અને જાણે તો મને કદાચ ઇનામ આપે.” મને, જગાડવામાં આવ્યો. મોહનભાઈ હસીને કહે, “મોડું થયું છે, પણ કાંઈક તમે શોધતા હતા એવી અલભ્ય વસ્તુ લઈ આવ્યો છું.” મેં કહ્યું કે ““એવું તે શું લઈ આવ્યા છો?” “સાંભળો ત્યારે” એમ કહીને તેમણે “સુજસવેલી સંભળાવી. “સુજસવેલીમાં ઉપાધ્યાય યશોવિજયજીનું જીવનવૃત્ત તેમના જ શિષ્ય આલેખેલું હોઈ તે ઐતિહાસિક દૃષ્ટિએ બહુ મહત્ત્વની વસ્તુ હતી. એનો એક ખંડિત ભાગ કેટલાંક વર્ષો અગાઉ મુનિશ્રી જિનવિજયજીને મળેલો. ત્યારથી બાકીના ભાગ માટે ભારે ઉત્કંઠા જાગી હતી. મોહનભાઈએ પૂર્ણ સુસવેલી” સંભળાવેલી અને અમે બધા કોઈ એક કીમતી રત્ન લાધ્યું હોય તેટલી ખુશીથી તેમને અભિનંદન આપવા લાગ્યા. અને છેવટે ઈનામમાં મોહનથાળ ખવડાવી મોહનભાઈને સત્કાર્યા. મુંબઈમાં તેઓ તવાવાળા બિલ્ડિંગમાં રહેતા. એક વાર તેમને ત્યાં જ સૂવાનો પ્રસંગ આવતાં મેં તેમને કહ્યું “તમારે ત્યાં ક્યાં જગા છે ? વળી તમે તો મોડે સુધી જાગવાના, ધુમાડા કાઢવાના અને કાગળ કે ચોપડીઓનો ખખડાટ કરવાના, એટલે મારે પણ ઉજાગરો કરવો રહ્યો.' તેમણે તરત જ નિખાલસ ભાવે કહ્યું, “અલબત્ત, મારી સાંકડી રૂમને પણ ચોપડીઓએ વધારે સાંકડી કરી છે; છતાં સૂવા જેટલી જગા તો કરીશ જ. મને મોડે સુધી જાગી કામ કર્યા વિના ઊંધ આવવાની નથી અને બીડીની ગરમી વિના મારું એંજિન ચાલે પણ નહીં. છતાં તમને વિઘ્ન ન નડે એ રીતે હું રૂમ બહાર બેસીને કામ કરીશ.” હું અમદાવાદ કે કાશીથી જ્યારે જ્યારે મુંબઈ આવું ત્યારે તેઓ મને મળે જ, અને સાહિત્ય, ઇતિહાસ, તેમજ તત્ત્વજ્ઞાનના અનેક વિષયોની ચર્ચા કરે. એમની જિજ્ઞાસા અને ચર્ચાવૃત્તિ એટલી પ્રબળ હતી કે તે મને કહેતા કે “તમે દાદર, ઘાટકોપર, મુલુંદ કે સાંતાક્રુઝ જ્યાં ઊતરો ત્યાં તમને અડચણ ન હોય તો અમે રોજ આવવા તૈયાર છીએ. કૉર્ટ હશે ત્યારે પણ હું અને મારા મિત્રો સાંજે તો આવી જ શકીએ છીએ.” મેં જ્યારે જ્યારે હા પાડેલી ત્યારે કદી મોહનભાઈ ગમે તેટલે દૂર અને સાંજે 1. આ હકીક્ત બરાબર નથી. “સુજસવેલી ભા'ના કર્તા કાંતિવિજય યશોવિજયજીના શિષ્ય હોય એવી કોઈ માહિતી મળતી નથી.
Page #126
--------------------------------------------------------------------------
________________ કેટલાંક સંસ્મરણો 113 ગમે તેટલું મોડું થાય છતાંય આવ્યા વિના ભાગ્યે જ રહે. કૉર્ટ બંધ હોય તો ઘણી વાર બબ્બે ત્રણત્રણ દિવસ શેઠ હરગોવિંદદાસ રામજીને ત્યાં સાથે જ રહે. મોહનભાઈ પોતાનું કામ સાથે જ લઈને આવતા. એટલે જ્યારે એકલા પડે ત્યારે પોતાનું કામ કર્યા જ કરે. તેમને જે-જે વસ્તુ નવી મળી હોય તેનું વર્ણન કરે, થયેલ અને થતા કામનો ખ્યાલ આપે અને અમે કાંઈ ટીકા કરીએ તો મૃદુ જવાબ આપીને અગર ખડખડ હસીને તેની અસર ભૂંસી નાખે. એ પ્રકારની વિદ્યાવૃત્તિ અને સાહિત્યનિષ્ઠાએ જ તેમની પાસે અનેક પ્રકારનું સાહિત્ય તેમજ ઇતિહાસને લગતું કાર્ય સર્જાવ્યું. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના કાર્યને સ્થાયી કીર્તિકળશ ચડાવનાર કાંઈ હોય તો તે મોહનભાઈની અનેક કૃતિઓ જ છે. એમની બધી કૃતિઓ એવી છે કે ભાષા, છંદ, સાહિત્ય, ભંડાર, રાજવંશ, જ્ઞાતિઓ, ગચ્છો અને પ્રાચીન નગર-નિગમો આદિ અનેક વિષયો ઉપર ઈતિહાસ લખનાર તે કૃતિઓ જોયા વિના કદી પોતાનું કામ પૂરું કરી શકશે નહીં. એ કૃતિઓમાં કૉન્ફરન્સના પાક્ષિક અને માસિકમાંના તેમના લેખો, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ', “જૈન ગૂર્જર કવિઓ'ના ત્રણ ભાગોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત બીજા ઘણા પ્રકાશકો અને સંપાદકોને મોહનભાઈએ વિવિધ પ્રકારનું સાહિત્ય, પોતાનાં લખાણો, નોટો, ટિપ્પણીઓ આદિ પૂરાં પાડ્યાં છે. તેમની સંશોધન અને સંપાદનની ધગશ એટલીબધી ઉત્કટ હતી કે કોઈ એ વિશે તેમની પાસેથી મદદ માગે તો બીજો ગમે તેટલો બોજો હોવા છતાં આ વધારાનો બોજો લેવાનું તેઓ સ્વીકારે અને તેમને નિભાવે પણ. એ જ વૃત્તિને લીધે તેમણે “આત્માનંદ જૈન શતાબ્દી સ્મારક ગ્રંથનું દળદાર પુસ્તક સંપાદિત કરી આપ્યું. મોહનભાઈ પાસેથી મદદ લેનારમાં એવા બહુ જ ઓછા છે કે જેમણે તેમની મદદની કૃતજ્ઞતાપૂર્વક નોંધ લીધી હોય. તેથી ઊલટું મોહનભાઈનો સ્વભાવ એવો હતો કે કોઈની પાસેથી તેમને કાંઈ પણ મદદ મળી હોય તો તેનો ઉલ્લેખ કર્યા વિના તેઓ ન રહે. કોઈ વિદ્વાન કે સગુણી વ્યક્તિને મળવાની અને તેમની પાસેથી કાંઈ ને કાંઈ જાણવાની તક મળતી હોય તો મોહનભાઈ ચૂકે નહીં. એવી વ્યક્તિ
Page #127
--------------------------------------------------------------------------
________________ 114 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા પાસે જતાં તેમને ઉંમર, જાતિ કે પંથનું અંતર નડતું નહીં. વિદ્વાનોનો સત્કાર કરવામાં ગૌરવ લેતા મેં તેમને જોયા છે. એમનો વિદ્યાયોગ અર્થાપેક્ષી નહોતો. તેમણે પોતાની સાધારણ કમાણીનો પણ ઠીકઠીક ભાગ સાહિત્યકૃતિઓ સરજવામાં અને સાહિત્યવૃત્તિ સંતોષવામાં ખર્યો છે અને જ્યાં બદલો મળે તેમ હતું ત્યાં પણ તેમણે બદલો લીધા વિના કેવળ સાહિત્યસેવાની દૃષ્ટિએ જ કામ કર્યું છે. એટલું જ નહીં પણ હું એવા પ્રસંગો જાણું છું કે જેમાં તેમણે વિદ્યા અને સાહિત્યને ઉત્તેજન આપવા આર્થિક મદદ પણ કરેલી. એક વાર પરદેશ અભ્યાસ અર્થે જતા એક મિત્રને તેમણે સંગીન મદદ આપેલી. બીજો પ્રસંગ પં.દરબારીલાલ સત્યભક્તનો છે. મોહનભાઈ દરબારીલાલનાં લખાણો અને વિચારો પ્રત્યે બહુ આદર ધરાવતા. એક વાર તેમને માલૂમ પડ્યું કે દરબારીલાલને સાહિત્ય પ્રગટ કરવામાં આર્થિક મુશ્કેલી નડે છે ત્યારે તેમણે વગર માગ્યે જ મદદ મોકલાવી દીધી. અત્રે એ ધ્યાનમાં રાખવા જેવું છે કે મોહનભાઈના શ્રદ્ધાપાત્ર વિદ્વાનો અને લેખકો તદ્દન સુધારક અને ક્રાંતિકારી વિચાર ધરાવનાર હતા, તેથી એ નિઃશંક છે કે મોહનભાઈનો વિદ્યાયોગ સમજપૂર્વકનો અને નિષ્કામ હતો. સામાજિકતા અને રાષ્ટ્રીયતા. મોહનભાઈ જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના મુખપત્ર “જૈન [શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ'ના લાંબા વખત લગી તંત્રી રહેલા. કૉન્ફરન્સની એવી કોઈ પ્રવૃત્તિ નથી કે જેમાં તેમણે છેવટ લગી સાથ આપ્યો ન હોય. કૉન્ફરન્સનું વાર્ષિક અધિવેશન જ્યાં જ્યાં થાય ત્યાંત્યાં સર્વત્ર તેમની હાજરી હોય જ. આ ઉપરાંત શ્વેતાંબર સમાજને લગતી કે સમગ્ર જૈન સમાજને લગતી કોઈ પણ બાબત હોય તો તેમાં મોહનભાઈ ભાગ લીધા વિના ન રહે. દેખીતી રીતે તેઓ સામાજિક વ્યક્તિ દેખાય, છતાં તેમના મન ઉપર રાષ્ટ્રીયતાની ઊંડી છાપ હતી. મેં સને ૧૯૧૯ની કડકડતી ટાઢમાં મારવાડના એક સ્ટેશનથી પંજાબ-અમૃતસર જતાં તેમને પૂછ્યું કે ““કૉંગ્રેસમાં તમને રસ પડે છે ?" તેમણે કહ્યું, “અવશ્ય. જો કોંગ્રેસના ધ્યેયમાં રસ ન હોત તો આટલી ટાઢમાં
Page #128
--------------------------------------------------------------------------
________________ કેટલાંક સંસ્મરણો 115 પંજાબ ન જાત.” તેમણે ઉમેર્યું કે, “જ્યારથી ગાંધીજીએ કોંગ્રેસનાં સૂત્રો ાથમાં લીધાં છે ત્યારથી તો કોંગ્રેસ જ તીર્થધામ બની છે. સીધી રીતે કોંગ્રેસનું કામ કરવાની મારી પરિસ્થિતિ નથી તો શું થયું ? પણ એના અધિવેશનમાં જવાથી મને ઘણું બળ મળે છે !" સને ૧૯૩૧ની કરાંચી કોંગ્રેસ ઉપર જતી વખતે હું તેમની સાથે સ્ટીમરમાં હતો. તે વખતે જોઈ શકેલો કે મોહનભાઈને રાષ્ટ્રીયતાનો કેટલો રંગ છે. સુધારક વૃત્તિ સમાજની ઘણી પ્રવૃત્તિઓમાં તેઓ રૂઢિચુસ્ત અને મધ્યમસરના વિચાર ધરાવનાર સાથે બેસતા અને કામ કરતા. તેથી એવો ભાસ થાય એ સ્વાભાવિક છે કે તેઓ રૂઢ પ્રથાના અનુગામી છે. પરંતુ જેઓ તેમને નજીકથી જાણતા હશે તેઓ કહી શકશે કે સામાજિક પ્રવૃત્તિને આગળ ધપાવવા જોકે તેઓ રૂઢિગામી મિત્રો સાથે કામ કરતા, પણ તેમનામાં તેમના બીજા મિત્રો કરતાં સુધારકપણાની વૃત્તિ પ્રબળ હતી. સને ૧૯૨૯ના પજુસણમાં પજુસણ વ્યાખ્યાનમાળા પ્રસંગે અચાનક તેમનું આગમન અમદાવાદ થયેલું. એકાદ દિવસ એ વ્યાખ્યાનમાળામાં રજૂ કરવામાં આવતા વિચારો સાંભળવાની એમને તક મળી ત્યારે એમણે મને કહ્યું કે, “આવી વ્યાખ્યાનમાળા મુંબઈમાં પણ ચાલે એ જરૂરી છે.” તે ઉપરથી સને ૧૯૩૨માં મુંબઈમાં પણ વ્યાખ્યાનમાળા ચલાવવાનો વિચાર પોષાયો. અને ત્યારથી આજ સુધી મુંબઈમાં વ્યાખ્યાનમાળા ચાલુ છે. સને ૧૯૪૪ના પજુસણમાં જ્યારે મોહનભાઈ છેક નંખાઈ ગયેલા ત્યારે પણ તેઓ વ્યાખ્યાનમાળામાં આવેલા. મુંબઈની વ્યાખ્યાનમાળામાં દર વર્ષે તેમનું એકાદ પ્રવચન તો હોય જ, અને બધાં જ વ્યાખ્યાનોમાં તેમની હાજરી પણ હોય. ઉત્કટ સુધારકની પેઠે તેઓ દરેક નિરર્થક રૂઢિનો ખુલ્લેખુલ્લો વિરોધ ન કરસા, પણ તેમનું વલણ સુધારક વૃત્તિનું જ હતું. તેઓ ઘણી વાર કહેતા કે માત્ર વેષધારીને સાધુ માની પૂજવા અને નભાવ્યે જવા એ વિચારનું અપમાન છે. ક્રાંતિકારી વિચારને કારણે પં. દરબારીલાલજીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે મુક્ત કર્યું તોપણ મોહનભાઈ ઠેઠ સુધી દરબારીલાલજીને ખૂબ સત્કારતા અને તેમના કાર્યમાં યથાશક્તિ મદદ પણ આપતા.
Page #129
--------------------------------------------------------------------------
________________ 116 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા વિનોદપ્રિયતા અને મિલનસારપણું મોહનભાઈને જેમ મિત્રો અને પરિચિતોનો વિનોદ કરવો ગમતો તેમ તેમનો બીજો કોઈ ગમે તે રીતે વિનોદ કરે તે પણ એમને ગમતું. વિનોદ કરવા કે સાંભળવામાં તેમની પ્રકૃતિનું મુખ્ય તત્ત્વ ખડખડ હાસ્ય હતું. એમનો સ્વર જેટલો ઊંચો તેટલું જ તેમનું હાસ્ય મુક્ત. વિનોદી અને આનંદી સ્વભાવનો એક દાખલો અત્રે બસ થશે. બેલગામના પ્રવાસ વખતે મોહનભાઈએ એક સ્થળે પોતાના પ્રિય મિત્ર શેઠ હરગોવિંદદાસ સાથે દોડવાની શરત મારી કે કોણ આગળ જાય છે. એ કાઠિયાવાડી ફેંટો, પ્રૌઢ ઉંમર અને સભળભભળ ધોતિયું છતાં હિંમતથી તેઓ દોડ્યા અને આગળ જવાના ઉત્સાહમાં ખ્યાલ ન રહેવાથી પડી પણ ગયા. કાંઈક વાગ્યું છતાં એટલી જ તાજગીથી પાછા પોતાના પક્ષનો બચાવ કરવા લાગ્યા. એમના સ્વભાવનો એક ખાસ ગુણ મિલનસારપણું હતો. ગમે તેની સાથે એકરસ થઈ જતાં તેમને વાર ન લાગે. વિચારો કે ચર્ચામાં ઘણે પ્રસંગે બીજાથી જુદા પડે ત્યારે ઊંચે અવાજે પોતાનો વિરોધ પ્રગટ કરે. પણ પાછા વિરોધી સાથે મળી જવામાં તેમને કોઈ તત્ત્વ રોકે નહીં. એટલી નિખાલસતા તેમનામાં જોવામાં આવતી. અમે ઘણી વાર કહીએ કે, “મોહનભાઈ ! તમે બહુ મોટાં પોથાં પ્રગટ કરો છો અને ખૂબ લાંબું લખો છો.” ત્યારે તદ્દન નિખાલસ ભાવે પણ ખડખડાટ હસીને નિશાળના માસ્તરોની પેઠે ચાવીને બોલતા હોય તેમ સામાને ઉડાવતાં તેઓ કહે કે “તમારા જેવા કાંઈ અમે મૌલિક લેખક નથી” ઈત્યાદિ. મોહનભાઈને જમવું-જમાડવું ખૂબ ગમતું. તેઓ કહે કે “હું મિત્રો જેટલો સફળ સમારંભ કરી શકતો નથી, પણ મને લોભ નથી.” એ વાત સાચી હતી. તેમની પાચનક્રિયા એટલીબધી સારી હતી કે ગમે તેવું ગરિષ્ઠ ભોજન તેમને પચી જતું. જમ્યા પછી પણ કાંઈક સારું આવે તો ના ન પાડે. અને જુદે જુદે ખાસ નિમિત્તે ગમે તેટલી વાર પ્રસાદ લેવાનો પ્રસંગ આવે તો તેનો ઈન્કાર ન કરે. હું ઘણી વાર પરિહાસમાં કહેતો કે, “મોહનભાઈ ! તમે પાચનાન્તરાય કર્મનો ક્ષયોપશમ ઉપાર્જિત કર્યો છે ત્યારે તેઓ
Page #130
--------------------------------------------------------------------------
________________ કેટલાંક સંસ્મરણો 117 કહેતા કે, “તમારે એવો ક્ષયોપશમ નથી એ દુઃખની વાત છે.” છેલો પ્રસંગ સન ૧૯૪૪ના જાન્યુઆરીમાં હું કાશીથી મુંબઈ આવ્યો ત્યાર બાદ એક વાર મોહનભાઈ મળવા આવ્યા. તેમણે વાતચીતમાં કહ્યું કે, " “જૈન ગૂર્જર કવિઓ - ત્રીજો ભાગ તદન તૈયાર છે. મારે એની અતિવિસ્તૃત પ્રસ્તાવના લખવી છે' ઇત્યાદિ. મેં કહ્યું, “તમારી રુચિ, શક્તિ, અને પ્રવૃત્તિ જોતાં મને લાગે છે કે હવે તો તમારે નિવૃત્ત થઈ તમારા પ્રિય કામ પાછળ જ જીવન વ્યતીત કરવું ઘટે.” તેમણે જવાબમાં કહ્યું કે, “મારી ઇચ્છા પણ એવી જ છે. હું એ જ દૃષ્ટિથી કેટલીક કૌટુંબિક ગોઠવણ એવી કરવા વિચારું છું કે મુંબઈનું ખરચાળપણું ઓછું થાય. કોઈ સંસ્થા પાસેથી કાંઈ લીધા સિવાય આજ લગી કર્યું છે તેમ કામ કરું અને છેલ્લા જીવનનો શાંત ઉપયોગ કરી લઉં.” આવી ભાવના સેવનાર એ કર્મયોગીની સ્થિતિ જ્યારે સન ૧૯૪૪ના પજુસણ પ્રસંગે અમે જોઈ ત્યારે અમને બધાને એમના જીવન વિશે ઊંડી ચિંતા વ્યાપી. ઉપસંહાર શ્રીયુત મોહનભાઈની પ્રવૃત્તિ વિવિધ હતી. છતાં જૈન શ્વે. કૉન્ફરન્સ અને મહાવીર જૈન વિદ્યાલય - એ બે સંસ્થાઓ સાથે એમનું તાદાસ્ય સૌથી વધારે હતું. એના વિકાસમાં તે વધારે ને વધારે રસ લેતા. કૉન્ફરન્સના સંચાલકોએ મોહનભાઈની સેવાનું ઘટતું સન્માન કરવા તેમની યાદગાર માટે એક ફંડ ઊભું કર્યું છે, જેમાં તત્કાલ જ કેટલીક રકમ એકઠી થઈ ગઈ છે. પણ એ સંચાલકોએ અને મોહનભાઈના બીજા મિત્રોએ તેમજ પરિચિતોએ એ ફંડ વધારવા વિશેષ વ્યવસ્થિતપણે ત્વરિત પ્રયત્ન કરવો ઘટે છે. સારું-સરખું ફંડ મેળવી મોહનભાઈના સ્મારક તરીકે કૉન્ફરન્સ કાંઈ પણ એક આવશ્યક અને ઉપયોગી એવી સાહિત્ય પ્રકાશન-સંપાદનની પ્રવૃત્તિ શરૂ કરે તો તે બધી રીતે વ્યાજબી ગણાય. આપણે ઈચ્છીએ કે કૉન્ફરન્સના મંત્રીઓ અને બીજા સદ્ભાવશીલ ગૃહસ્થો આ વસ્તુ તરત ધ્યાનમાં લે. પ્રિબુદ્ધ જૈન, 15 ફેબ્રુઆરી 1946; દર્શન અને ચિંતન, ભા. 2]
Page #131
--------------------------------------------------------------------------
________________ કવિ ફિરદૌસી અને સ્વ.મોહનભાઈ પરમાનંદ કાપડિયા પૂર્વાર્ધ આજથી લગભગ એક હજાર વર્ષ પહેલાં ઈ.સ. ૯૩૪માં ‘શાહનામા'ના રચયિતા કવિ ફિરદૌસીનો જન્મ થયો અને 86 વર્ષની ઉંમરે ઈ.સ. ૧૦૨૦માં તેનું અવસાન થયું. તેની કવિત્વશક્તિએ ગઝનીના સુલતાન મહમદશાહના દરબાર તરફ તેને આકર્ષ્યા અને કેટલાયે વર્ષો સુલતાન મહમદશાહના રાજકવિ તરીકે તેણે ગાળ્યાં. એ અરસામાં કવિ ફિરદૌસીએ શાહનામું રચ્યું અને એ ગ્રંથે કવિ ફિરદોસીના નામને જગવિખ્યાત બનાવ્યું. આવા અણમોલ મહાકાવ્યની કદર તરીકે સુલતાન મહમદશાહે દ0000 સોનામહોર ભેટ આપવાની પોતાની ઈચ્છા જાહેર કરી, પણ તેના વઝીર મેમંડીને બાદશાહની આ ઉડાઉગીરી ખૂંચી, આવી મોટી રકમ આપતાં તેને વાર્યો અને તેની સમજાવટના પરિણામે દ0000 સોનામહોરને બદલે 60000 રૂપાના સિક્કા બાદશાહ તરફથી કવિ ફિરદૌસીને મોકલવામાં આવ્યા. ફિરદૌસીને સુલતાનની આવી કૃપણતા અને વચનભંગ પ્રત્યે નફરત આવી, 0000 રૂપાના સિક્કા પોતે ન રાખતાં આસપાસના લોકોને તે તેણે બેંચી આપ્યા અને આવા બેકદર સુલતાનના દરબારમાં સ્વમાનભંગ થઈને રહેવું યોગ્ય નથી એમ સમજીને 5 વર્ષની ઉંમરે તેણે ગઝનીનો સદાને માટે ત્યાગ કર્યો. કાળાન્તરે આસપાસના સરદારો સાથે યુદ્ધ ખેડતાં ખેડતાં અને દેશ ઉપર દેશ સર કરતાંફરતાં સુલતાન મહમદશાહ કોઈ એક અસાધારણ પરાક્રમી સરદારની અથડામણમાં આવ્યો. “કાં તો શરણે આવો અગર લડાઈ માટે તૈયાર થઈ જાઓ” એવું યુદ્ધકહેણ મોકલવાનો સુલતાન તરફથી હુકમ આપવામાં આવતો હતો. એના અનુસંધાનમાં એક દરબારીએ કે એ હુકમની પુરવણી રૂપે ફિરદૌસી કવિના સુવિખ્યાત શાહનામાની નીચેની કડી સંદેશા રૂપે મોકલવા નમ્ર વિજ્ઞાપના કરી. એ કડી આ મુજબ હતી :
Page #132
--------------------------------------------------------------------------
________________ કવિ ફિરદૌસી અને સ્વ.મોહનભાઈ 119 અગર જુઝ બ કામ-એ મને આયદ જવાબ, મન ઓ ગુડ્ઝ ઓ મયદાન ઓ અફ્રાસિયાબ. (જો મારી ઇચ્છા વિરુદ્ધ જવાબ આવ્યો છે, તો પછી હું છું, મારી ગદા છે અને અશાસિયાબનું મેદાન છે !) સુલતાન આ પંક્તિથી એટલોબધો ખુશ થઈ ગયો કે એ પંક્તિઓનો રચનાર કોણ છે તે પૂછયું અને તે ફિરદૌસી હોવાનું જણાતાં તરત જ તેને ભૂતકાળ યાદ આવ્યો, આવા કવિને નવાજવામાં પોતે કરેલા વચનભંગ માટે પશ્ચાત્તાપ થયો અને તેના પ્રાયશ્ચિત તરીકે તેણે $0000 સોનામહોરો ફિરદૌસીને તુરત જ મોકલી આપવા હુકમ કર્યો. પણ કિસ્મતનો ખેલ કેવો અજબ કે જે વખતે એ મહોરો લઈને સુલતાનનો રસાલો જ્યાં ફિરદૌસી રહેતો હતો તે તુસ ગામને એક દરવાજેથી શહેરમાં દાખલ થતો હતો તે જ વખતે ફિરદૌસીનો જનાજો (સ્મશાન-સરઘસ) બીજે દરવાજેથી બહાર નીકળતો હતો ! એ ભેટ કવિની દીકરી આગળ નજર કરવામાં આવી, પણ તેણે હાથ ન અડકાડતાં એવી અદાથી ઉત્તર આપ્યો કે ““મારી, પાસે મને જોઈતું છે, અને વધુની મને જરૂર નથી.” કવિને એક બહેન હતી. તેને ખ્યાલ આવ્યો કે કવિની જીવનભરની મહત્ત્વાકાંક્ષા પોતાના ગામની નહેરને સમરાવવાની હતી. એટલે તેણે સુલતાનની સોગાદનો સ્વીકાર કર્યો અને એ આખી રકમ નહેરના બાંધકામ પાછળ ખરચી એના જીવનની મોટી મુરાદ પાર પાડવા સાથે ગામમાં તેનું ચિરંજીવ સ્મારક કર્યું. ઉત્તરાર્ધ પોતાની તબિયત વધારે ને વધારે નાદુરસ્ત થતી જવાથી મોહનભાઈ મુંબઈનો કંઈ વર્ષોનો ઘરવાસ સંકેલે છે અને પોતાને વતન રાજકોટ જઈને રહે છે. સ્થળફેરથી, હવાફેરથી પણ તેમની તબિયતમાં કશો સુધારો થતો નથી; શરીર શિથિલ બનતું જાય છે; મન ઢીલું પડતું જાય છે; મગજ ઉપરનો કાબૂ ઘટતો જાય છે. તેમની ચાલુ બીમારી એક ચિંતાનો વિષય બને છે. મુંબઈ તેમની કર્મભૂમિ. જૈન સાહિત્ય તેમની જીવનભરની ઉપાસનાનો વિષય. જૈન શ્વે. મૂ. કૉન્ફરન્સ, અને મહાવીર જૈન વિદ્યાલય તેમની જાહેર સેવાનાં વિશિષ્ટ ક્ષેત્રો. તેમની સાથે કંઈ વર્ષોથી જાહેરજીવનમાં,
Page #133
--------------------------------------------------------------------------
________________ 120 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા સાહિત્ય ઉપાસનામાં જોડાયેલા કેટલાક આગેવાન જૈન બંધુઓના દિલમાં વિચાર આવે છે કે મોહનભાઈની અનેકવિધ સેવાની કદર રૂપે આપણે કાંઈક કરવું જોઈએ. જે. મૂ. કૉન્ફરન્સની સ્થાયી સમિતિમાં એ બાબત ચર્ચાય છે, એક સન્માન સમિતિ નિમાય છે, મોહનભાઈને એક થેલી આપવાનો નિર્ણય કરવામાં આવે છે, થેલી માટે ફંડ એકઠું કરવાની તજવીજ શરૂ થાય છે, કોઈ સો, કોઈ બસો, કોઈ પાંચસો ભરે છે અને એમ રૂ.૬૦૦૦ ઉપર ભરણું થાય છે. બીજી બાજુએ મોહનભાઈની તબિયત વધારે ને વધારે લથડતી જાય છે. ભાનસાન ગુમાવતા જાય છે. કોઈને સાંભળે, સમજે કે જવાબ આપે એવી સ્થિતિ રહેતી નથી. સન્માન કાર્ય મોડું થાય છે. ““જરા પણ ઢીલ કરવામાં જોખમ છે, મોહનભાઈનો દેહ લાંબો વખત ટકે એમ નથી” એવા સમાચાર ઉપરાઉપરી આવ્યા કરે છે. ઝટપટ માનપત્ર ઘડાય છે, ચાંદીનું ભૂંગળું [કલાત્મક કાસ્કેટ) ખરીદાય છે, રૂ.૬૦૦૦ એકઠા કરવામાં આવે છે. માનપત્ર, ચાંદીનું ભૂંગળું અને રૂ.૬૦OOની રોકડ રકમ લઈને શ્રી જૈન છે. મૂ. કૉન્ફરન્સ તરફથી નિમાયેલી “શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ સન્માન સમિતિના પ્રતિનિધિ તરીકે શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી રાજકોટ તરફ રવાના થાય છે. તા.૨ ડિસેમ્બર અને રવિવાર જ્યારે મોહનલાલ દીપચંદ ચોકસી આ બધી સન્માન સામગ્રી લઈને રાજકોટ શહેરમાં પ્રવેશ કરે છે ત્યારે અને તે જ દિવસે મોહનભાઈનો સાક્ષર આત્મા અક્ષરધામમાં પહોંચી ગયો હોય છે અને તેમનો ક્ષરદેહ ભસ્મીભૂત થઈ ચૂક્યો હોય છે. કેવી અજબ ઘટના ! કાળની કેવી ક્રૂર મશ્કરી ! શ્રી ચોકસી રૂ.૬૦૦૦ની રકમ શ્રી મોહનભાઈનાં સંતાનોને સ્વીકારવા વિનંતી કરે છે. તેમનાં સંતાનો “અમારી પાસે જોઈતું છે. અને વધુની જરૂર નથી' એમ કહીને એ રકમ પાછી વાળે છે. એમના મામા જેમની પાસે મોહનભાઈ ઊછર્યા હતા તેઓ આ રકમ જે કાંઈ કાર્યમાં વપરાય તેમાં વાપરવા માટે પોતા તરફથી રૂ.૫૦૦ ઉમેરી આપે છે. ઉપસંહાર ક્યાં કવિ ફિરદૌસી અને ક્યાં મોહનભાઈ ! કોઈને આ સરખામણી ભારે કઢંગી લાગશે. એમ છતાં પણ અક્ષરઉપાસના એ બંનેમાં રહેલો
Page #134
--------------------------------------------------------------------------
________________ કવિ ફિરદૌસી અને સ્વ.મોહનભાઈ 121 અસાધારણ સમાન ગુણ હતો. કાવ્યો પણ મોહનભાઈ કરતા. પોતાની સેવાની કદર વિશે બંને બેપરવા હતા. સન્માન સમિતિ મોહનભાઈને જીવતાં સન્માની ન શકી એ બીના ખેદજનક છે તેમ છતાં પણ અભાન અવસ્થામાં પણ પોતાની સેવાઓના બદલામાં મોહનભાઈએ માનપત્ર અને થેલી સ્વીકારી એમ નોંધાવાને બદલે એમ માનપત્ર અને થેલી વણઅર્પયાં અધ્ધર રહી ગયાં એ ઘટના મોહનભાઈની આજીવન નિષ્કામ સેવાભાવનાને વધારે ઉજ્વળ અને યશસ્વી બનાવે છે. પોતાની સેવાના બદલામાં આટલું પણ મોહનભાઈએ સ્વીકાર્યું હતું એમ કહેવાપણું ન રહ્યું એ મોહનભાઈના નામને વધારે ગૌરવ આપે છે. આજે એ સન્માનફંડ સ્મારક ફંડમાં ફેરવાયેલું ઊભું છે. મોહનભાઈ પ્રત્યે, તેમની સાહિત્યભક્તિ અને સમાજસેવા પ્રત્યે આદર ધરાવનાર સૌ કોઈ બંધુ આ ફંડમાં યથાશક્તિ નાનીમોટી રકમ આપે, મોહનભાઈ સાથે ખભેખભો મેળવીને, અથડાઈને તેમજ ભેટીને તેમના જે સાથીદારોએ વર્ષો સુધી કામ કર્યું છે તેઓ પોતાના સાથી પ્રત્યેની વફાદારી અને સ્નેહધર્મ તરીકે આ ફંડને વિસ્તારવાની ચિંતા અને જવાબદારી સ્વીકારે અને મોહનભાઈની અનેકવિધ સેવાઓ અને અનન્ય સાહિત્યઉપાસનાને અનુરૂપ તેમનું સ્મારક ઊભું કરવામાં આવે આવી નમ્ર ભાવે પ્રાર્થના છે. પ્રિબુદ્ધ જૈન, તા.૧-૩-૪૬]
Page #135
--------------------------------------------------------------------------
________________ અંજલિ સિદ્ગત શ્રી મોહનલાલ દ. દેશાઈની સાહિત્યસેવા અને નિષ્ઠાને] પંડિત સુખલાલજી સહૃદય મિત્રો, આભારવિધિના ઔપચારિક ભારમાં દબાયા વિના જ આપણે મુખ્ય પ્રસંગ ઉપર આવીએ. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક કૉન્ફરન્સે મને પોતાનો સમજીને જ બોલાવ્યો છે. હું પણ એ ભાવથી જ આવ્યો છું. સદૂગત શ્રી મોહનલાલભાઈ દેસાઈનું તૈલચિત્ર કૉન્ફરન્સ તૈયાર કરાવે અને તેના અનાવરણવિધિ માટે મને બોલાવે ત્યારે સહેજે વિચાર આવે છે કે કૉન્ફરન્સ, મોહનભાઈ અને હું એમ ત્રણેનો પરસ્પર શો સંબંધ હતો અને હજીયે છે. વળી, એ પણ જિજ્ઞાસા થયા વિના ન જ રહે કે હું કૉન્ફરન્સને કઈ દૃષ્ટિએ જોતો અને સમજતો રહ્યો છું, તેમજ મોહનભાઈનું મારી દૃષ્ટિએ શું સ્થાન હતું ? હું કૉન્ફરન્સનો નખશિખ ઇતિહાસ નથી જાણતો એ ખરું, પણ એના મુખ્ય સ્વરૂપ અને મુખ્ય પ્રવૃત્તિ વિશે થોડીઘણી માહિતી તો છે જ. હું જાણું છું ત્યાં લગી શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરાની બીજી કોઈ પણ સંસ્થા કરતાં કૉન્ફરન્સનું દૃષ્ટિબિંદુ અને બંધારણ ઉદાર તેમજ વિશાળ રહ્યાં છે. પરિસ્થિતિવશ તેનું મુખ્ય કાર્યાલય મુંબઈમાં હોવા છતાં તેની બેઠકો અને વાર્ષિક અધિવેશનો માત્ર મુંબઈમાં જ પુરાઈ રહ્યાં નથી. પૂર્વમાં કલકત્તા, ઉત્તરમાં પંજાબ, પશ્ચિમમાં કાઠિયાવાડ, રાજસ્થાન અને ગુજરાત તેમજ દક્ષિણમાં પૂના લગી સમયે સમયે એનાં અધિવેશનો થતાં રહ્યાં છે અને તે-તે પ્રાન્ત કે પ્રદેશના સગૃહસ્થો પ્રમુખપદ પણ શોભાવતા રહ્યા છે. આ સૂચવે છે કે પ્રથમથી જ કૉન્ફરન્સનું દૃષ્ટિબિંદુ સમગ્ર મૂર્તિપૂજક સંઘને પોતાની સાથે લેવાનું રહ્યું છે અને એ પણ કબૂલ કરવું જોઈએ કે આ દૃષ્ટિબિંદુને સંઘે હૃદયથી આવકાર્યું પણ છે. તેથી જ તેને દરેક પ્રાન્ત અને પ્રદેશમાંથી હાર્દિક આવકાર મળેલો
Page #136
--------------------------------------------------------------------------
________________ અંજલિ 123 અને ઉદ્દામ, મધ્યમ તેમજ જુનવાણી વિચારસરણી ધરાવનાર ભાઈબહેનો પણ કૉન્ફરન્સને અપનાવતાં રહ્યાં છે. જૈન સંઘના બંધારણમાં ચતુર્વિધ સંઘનું સ્થાન એકસરખું છે. ક્યારેક કોઈ વ્યક્તિ મુખ્ય ભાગ ભજવતી દેખાય યા સર્વોપરી મોવડી જેવી લાગે તોય તેના મૂળમાં ગુણ અને કાર્યશક્તિ રહેલાં હોય છે, નહીં કે પેઢીઉતાર સત્તાનો વારસો. આ જૈન સંઘનું સ્વરૂપ આજકાલની ભાષામાં કહીએ તો લોકશાહી છે, અલબત્ત તે એક ધર્મપરંપરા પૂરતી. કૉન્ફરન્સે પોતાનો કાર્યપ્રદેશ મુખ્યપણે ત્રણ બાબતોમાં મર્યાદિત કરેલો એમ હું સમજું છું : (1) ધાર્મિક, (2) સાહિત્યિક અને (3) સામાજિક, ધાર્મિક બાબતમાં તીર્થના પ્રશ્ન ઉપરાંત ઘર્માચાર અને તાત્ત્વિક શિક્ષણ વગેરેનો સમાસ થાય છે. બને ત્યાં લગી નવા જમાનાની માગણીને અનુકૂળ થાય એ રીતે કૉન્ફરન્સે સાધન ને શક્તિના પ્રમાણમાં એ બાબત કાંઈક ને કાંઈક કર્યું જ છે, અને હજીયે એ કાંઈક ને કાંઈક કરે જ છે. સાહિત્યની બાબતમાં એનું કામ વિશેષ ધ્યાન ખેંચે એવું છે, પ્રથમથી જ એણે પ્રાચીન સાહિત્યવારસાને પ્રકાશમાં લાવવાની નેમ રાખી છે અને એ દિશામાં યથાશક્તિ પણ નક્કર કામ કર્યું છે. સામાજિક બાબતમાં કૉન્ફરન્સે દેશમાં વિકસતા જતા ઉદાર વિચારોને ઝીલ્યા અને યથાશક્તિ પ્રચાર્યા પણ છે. કૉન્ફરન્સની ઉપર સૂચવેલી ભૂમિકામાં સદ્ગત મોહનભાઈનો શો સંબંધ હતો અને તેમણે શો-શો ફાળો આપ્યો, મુખ્યપણે એ જાણવું તે જ આજના પ્રસંગ સાથે વિશેષ સંગત છે. મુંબઈમાં સદ્ગત ડૉ.બાલાભાઈ નાણાવટીના પ્રમુખપણા નીચે અધિવેશન થયું ત્યારે હું પહેલવહેલો કોન્ફરન્સમાં આવેલો એમ યાદ છે. ઘણું કરી તે જ વખતે મોહનભાઈનો પ્રથમ પરિચય થયો અને તેમની રુચિ, પ્રવૃત્તિ તથા પ્રકૃતિ વિશે કાંઈક જાણવા પામ્યો. તે જ વખતે મારા મન ઉપર એમને વિશે જે સામાન્ય છાપ પડેલી તે જ છેવટ સુધી વધારે ને વધારે પ્રત્યક્ષ પરિચયથી સ્પષ્ટ થતી ગઈ. મેં જોયેલું કે તેમની પ્રકૃતિ જેમ હસમુખી તેમ આશાવાદી હતી. મેં એ પણ જોયું કે તે કાંઈક ને કાંઈક સારું કામ કરવાની ધગશવાળા અને જાતે જ કાંઈક કરી છૂટવાની વૃત્તિવાળા હતા અને એ પણ જોયેલું કે જ્યાંથી
Page #137
--------------------------------------------------------------------------
________________ 124 વિરલ વિદ્વત્યંતિભા અને મનુષ્ય પ્રતિભા જે પ્રાપ્ત થાય અને શીખવાનું મળે ત્યાંથી મુક્તમને તે મેળવવું અને તેનો યોગ્ય વિનિમય કરવો. મુંબઈના પ્રથમ મિલન પછી તો તેમના છેલ્લા દિવસો સુધીમાં હું અને તેઓ એટલી બધી વાર મળ્યા છીએ કે તેનો આંક સ્મૃતિમાં પણ નથી. માત્ર મળ્યા જ છીએ એટલું જ નહીં, પણ સાથે કલાકો લગી અને કેટલીક વાર તો દિવસો લગી રહ્યા છીએ. સાથે પ્રવાસ પણ કર્યો છે. આ બધા પ્રસંગે મેં એ જોયું કે તેઓ રાજકારણ, કૉંગ્રેસ કે ગાંધીજી વગેરેની કોઈ પણ ચર્ચા ઉપરથી છેવટે કૉન્ફરન્સની પ્રવૃત્તિને લગતી કોઈ ને કોઈ બાબત ઉપર આવે, જાણે કે એમના મનમાં એક પ્રશ્ન ઘોળાતો ન હોય તે રીતે વાત કરે. મને લાગેલું કે એમનો પ્રશ્ન એ છે કે કૉન્ફરન્સ શિક્ષણ, સાહિત્ય અને સામાજિક સુધારાની બાબતમાં શું-શું કરી શકે અને તે કામ કેવી રીતે પાર પાડવું ? એક તો જૈનસમાજ વ્યાપારપ્રધાન, આર્થિક દૃષ્ટિએ તદ્દન સ્વાધીન હોય એવા લોકો ગણ્યાગાંઠ્યા, મધ્યમવર્ગીય બધા જૈનોને કૉન્ફરન્સમાં સંમિલિત કરવાની દૃષ્ટિ, સાધુઓના અંદરોઅંદરના પક્ષભેદ અને તેને લીધે શ્રાવકવર્ગમાં પડતી ફૂટના કૉન્ફરન્સ ઉપર પડતા પ્રત્યાઘાતો - આ બધું કિૉન્ફરન્સની દૃષ્ટિ, શક્તિ અને પ્રવૃત્તિને મર્યાદિત કરનારું પહેલેથી જ હતું અને હજીયે છે. એક બાજુથી બધી દિશામાં વિચારસ્વાતંત્ર્યનો પવન ફૂંકાતો હોય, અનેક ઉપયોગી પ્રવૃત્તિઓ દેશમાં વિકસતી જતી હોય અને બીજી બાજુથી કૉન્ફરન્સ એ સાથે તાલ મેળવી ન શકતી હોય તો સાચા ધગશવાળા કાર્યકર્તાને મૂંઝવણ થાય. એવી મૂંઝવણ મેં શ્રી મોહનભાઈમાં અનેક વાર નિખાલસપણે પ્રગટ થતી જોઈ છે. અત્રે એક બાબત ધ્યાનમાં રાખવી ઘટે કે મોહનભાઈ વકીલ હતા, પણ તેમની વકીલાત એવી ન હતી કે તેમને તેમની ઇચ્છા પ્રમાણે કામ કરવાનો અવકાશ આપે. આવક બહુ મર્યાદિત, કૌટુમ્બિક આદિ પ્રશ્નો ઘણા, છતાં એમનું ખમીર આશાવાદી, પ્રવૃત્તિશીલ અને કર્મઠ હતું. વળી એમની તબિયત પણ એટલી જ સારી. થાક તો જાણે લાગે જ નહીં. કોઈક વાર જમ્યા પછી પણ જમવાનો પ્રસંગ આવે તો તેઓ પાછા ન પડે. અને એમની નિષ્ઠા પણ એટલી પાકી. કોઈ કામ લીધું એટલે એ પૂરું કર્યું જ છૂટકો.
Page #138
--------------------------------------------------------------------------
________________ અંજલિ 125 એમાં પછી ઊંઘ કે આરામ જોવાનો જ નહીં. તેથી જ તેઓ કૉન્ફરન્સની બધી પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ ભાગ લેતા અને પોતે રૂચિ તેમજ શક્તિ પ્રમાણે અમુક કામ હાથમાં લઈ તેને પૂરા ખંતથી અને મહેનતથી પાર પાડતા. જો કોઈ બીજા કાર્યકર્તા તેમને ભેટી જાય અને તેની પાસેથી કામ લેવાનું શક્ય હોય તો તેઓ તેને કૉન્ફરન્સ સાથે સાંકળી એક યા બીજી રીતે તેની પાસેથી પણ કામ લેવાનો માર્ગ મોકળો કરે. સદ્ભાગ્યે એમને સાથીઓ અને મિત્રો પણ સારા મળેલા. સદ્ગત મોતીચંદભાઈ, મકનજીભાઈ અને મોહનલાલ ઝવેરી વગેરે એમના સાથીઓ. જ્યાં એમની મંડળી મળી કે ત્યાં કાંઈક સર્જક વિચાર થાય જ અને કોઈ એક બીજાને પાછો ન પાડતાં ઉત્સાહિત જ કરે. આ વસ્તુ મેં મહાવીર જૈન વિદ્યાલયની મીટિંગોમાં તથા કૉન્ફરન્સ ઑફિસમાંના મિલન પ્રસંગે અનેક વાર જોઈ છે. મોહનભાઈની અંગત પ્રગતિ મુખ્યપણે સાહિત્યિક હતી. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, પ્રાકૃત, અપભ્રંશ અને સંસ્કૃત આદિ ભાષાઓમાં જ્યાં જ્યાં તેમને જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન કે આચાર વિશે જાણવાનું મળે તે બધાંમાંથી તેઓ એકલે હાથે સંગ્રહ કરે. વાંચનાર પોતે, ભાષાન્તર કરનાર પોતે, પ્રૂફ જોનાર પોતે. એમ પોતાની બધી કૃતિઓમાં અને બધાં લખાણોમાં જે કાંઈ કરવું પડ્યું છે તે બધું લગભગ તેમણે પોતાને હાથે જ કર્યું છે. કૉન્ફરન્સ હેરલ્ડ” અને “જૈનયુગ” જે તે વખતે કૉન્ફરન્સનાં મુખપત્રો હતાં, તેની ફાઇલો જોશો તો જણાશે કે એમાં મુખ્ય આત્મા એમનો જ રમે છે. તેઓ મને ઘણી વાર વાતવાતમાં કહેતા કે “લોકો લખાણોને જૂના ચોપડા ઉખેળનાર અને ઉકેલનાર તરીકે ગણી ટીકા કરે છે કે તમે “હેરલ્ડ' અને “જૈનયુગ'માં આ બધું નકામું શું ભરી રહ્યા છો ?' પણ હવે અત્યારે તો સૌને સમજાય તેવું છે કે મોહનભાઈનું પ્રવૃત્તિક્ષેત્ર અને કામ વિદ્વાનોને કેટલું ઉપયોગી છે અને તેનું મૂલ્ય કેટલું સ્થાયી છે ! પોતાના સાહિત્યિક કામને માટે શ્રી મોહનભાઈને અનેક પ્રાચીન હસ્તલિખિત પ્રતો મેળવવી અને તપાસવી પડતી અને એ માટે કૉર્ટમાં રજાઓ પડે કે તરત જ તેઓ એ કામમાં લાગી જતા અને જરૂર લાગતાં અમદાવાદ કે પાટણના જ્ઞાનભંડારો જોવા માટે પ્રવાસ પણ ખેડતા. રજાઓનો ઉપયોગ
Page #139
--------------------------------------------------------------------------
________________ 126 - વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા આરામ માટે કરવાનો તો વિચાર જ શાનો આવે ? ત્યારે તો ઊલટું બમણા ઉત્સાહથી બમણું કામ કરે અને એમાં એમને કદી પણ થાક કે કંટાળો આવે જ નહીં અને એ કામમાં કંઈક પણ ઉત્તમ કૃતિ મળી આવે તો જોઈ લો આનંદ. અહીં આવો એક પ્રસંગ મને યાદ આવે છે. હું અને આચાર્ય જિનવિજયજી અમદાવાદમાં રહેતા હતા ત્યારે એક વાર શ્રી મોહનભાઈ જ્ઞાનભંડારો શોધવા માટે અમદાવાદ આવેલા. એક દિવસ તેઓ ડેલાના ઉપાશ્રયનો ભંડાર જોવા ગયા. બપોરના ગયેલા તે રાતના અગિયાર સુધી પાછા ન આવ્યા. અમે માન્યું કે હવે તેઓ પાછા નહીં આવે અને શહેરમાં જ ક્યાંક સૂઈ રહેશે. અમે તો બધા સૂઈ ગયા. ત્યાં તો લગભગ અડધી રાતે શ્રી મોહનભાઈએ બારણાં ખખડાવ્યાં અને અમને જગાડ્યા. અમે જોયું કે આટલા પરિશ્રમ પછી પણ એમનામાં થાક કે કંટાળાનું નામ નહોતું. ઊલટું આજે તો એ એવા ખુશ હતા કે ન પૂછો વાત ! ખિલખિલાટ હસીને એ કહે, ““પંડિતજી, આજે તો તમને પ્રિયમાં પ્રિય એક કૃતિ મળ્યાના સમાચાર આપું તો મને શું જમાડશો ? શું ઈનામ આપશો ? કહો તો ખરા કે આપને અતિપ્રિય એવી કઈ કૃતિ મળી હશે ?" મેં કહ્યું, “મોહનભાઈ, એતા ઈનામમાં તમને તમારા જ નામનું મિષ્ટાન્ન જમાડીશું !" તે દિવસે મોહનથાળ બનાવ્યો હતો. પછી હું આ કૃતિ શું હોઈ શકે એના વિચારમાં પડ્યો. ચાર-પાંચ મિનિટ વિચાર કરીને પછી મેં પણ સટોડિયાની જેમ તુક્કો લગાવ્યો અને કહ્યું કે “એ કૃતિ તે મહોપાધ્યાય શ્રી યશોવિજયજીનું જીવન જેમાં થોડુંઘણું પણ સંગ્રહાયેલું છે તે સુજસવેલી ભાસ' હોવી જોઈએ.” આ કૃતિનો થોડોક ભાગ પાટણમાંથી મળેલો. બાકીનો ભાગ મેળવવા અમે ખૂબ ઉત્સુક હતા અને મોહનભાઈએ એ જ કૃતિ શોધી કાઢી હતી. અમારા આનંદનો પાર ન રહ્યો. આવા તો બીજા પ્રસંગો પણ આપી શકાય, પણ અહીં એને માટે એટલો વખત નથી. લૉયમન, વેબર, યાકોબી આદિ જર્મન વિદ્વાનોએ જૈન પરંપરા ને તેના સાહિત્યને લગતો ઇતિહાસ લખવાની પહેલ કરી. ફ્રેંચ અને અંગ્રેજી ભાષામાં પણ જૈન પરંપરાને લગતા અધ્યયનનો પ્રારંભ થયો, પણ ભારતીય
Page #140
--------------------------------------------------------------------------
________________ અંજલિ 127 ભાષાઓમાં આધુનિક દૃષ્ટિએ અને સંશોધક વિદ્વાનોને ઉપયોગી થાય એ પ્રકારના સાહિત્યિક ઈતિહાસનો અતિ અલ્પ પણ મહત્ત્વનો પાયો શ્રી મોહનભાઈએ નાખ્યો. હવે તો એ દિશામાં માગણી અને જિજ્ઞાસાને અનુરૂપ એવા નવીન પ્રયત્નો શ્વેતાંબર અને દિગંબર બન્ને પરંપરામાં થઈ રહ્યા છે, પણ તેમાંય મોહનભાઈના જૈન સાહિત્યનો સંક્ષિપ્ત) ઇતિહાસનું સ્થાન છે એમની મહતી કૃતિ, અને મારી ધારણા સાચી હોય તો, તેમની તબિયત ઉપર જીવલેણ ફટકો મારનાર કૃતિ એ તો “જૈન ગૂર્જર કવિઓ છે. એમણે તે ભારત જેવું કામ એકલે હાથે કેવી રીતે સંપન્ન કર્યું એ નવાઈ જેવું લાગે છે, પણ જેણે જેણે તેમને એ કામ કરતા જોયા છે તે જાણે છે કે એ કામમાં તેમણે કેટલી શક્તિ, કેટલો સમય અને કેટલો અંગત ખર્ચ અર્પિત કર્યો છે. એક રાતે મેં જોયું કે હું તો સૂઈ ગયો છું અને તેઓ બાર વાગ્યા પછી મારી સાથેની ચર્ચા પૂરી કર્યા બાદ જાગતા બેઠા છે. તેમની બીડી અને કલમ બન્ને સમાનગતિએ કામ કરતાં હતાં. બે વાગે તેઓ સૂતા. સવારે મને કહ્યું કે, “મારો રોજિંદો કાર્યક્રમ આ જ છે. દિવસે વચ્ચે વિક્ષેપ આવે, પણ રાતે નિરકુળતા.” એક વાર તેમની સાથે કૉર્ટમાં ગયો, ત્યાંય જોયું કે પ્રફો સાથે હતાં, અને વખત મળે કે જોતા. મેં દાદર, ઘાટકોપર અને મુલુંદ એ સ્થળોમાં તેમને અનેક વાર કામ કરતા જોયા છે. રાત રહે તો કામ લેતા આવે. મેં પૂછ્યું, “આ ભાર શો ?" તો કહે, “પરિશિષ્ટોનું કામ ચાલે છે. ન કરું તો કરે કોણ ? અને રહી જાય.” - અહીં સિંઘી જૈન સિરીઝમાં પ્રસિદ્ધ થયેલ એમનું અંગ્રેજી પ્રસ્તાવનાવાળું વિશિષ્ટ સંપાદન “ભાનુચંદ્ર-સિદ્ધિચંદ્ર' [વસ્તુતઃ સિદ્ધિચન્દ્ર-ઉપાધ્યાયવિરચિત ભાનુચન્દ્રમણિચરિત'] કોઈ પણ સ્કૉલરનું ધ્યાન ખેંચ્યા વિના રહે તેમ નથી એ યાદ રાખવું ઘટે. શ્રી મોહનભાઈની પ્રકૃતિ સારા કામમાં કંઈક ને કંઈક ભાગ લેવો જ એવી હતી. એમ કરવામાં તેઓ પોતાની મુશ્કેલીનો વિચાર ભાગ્યે જ કરે. તેઓની આવક મર્યાદિત અને કૌટુંબિક જવાબદારીઓ વધારે હતી, એનો નિર્દેશ મેં પહેલાં કર્યો જ છે. એક વાર એક કામનો વિચાર ચાલતો હતો
Page #141
--------------------------------------------------------------------------
________________ 128 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા ત્યારે તેઓ આવીને મને કહે, “પંડિતજી, આમાં હું પાંચસો રૂપિયા આપીશ.” હું તો સાંભળી જ રહ્યો. મેં કહ્યું : “મોહનભાઈ, તમારા માટે તો આ બહુ કહેવાય.” તો કહે કે “મને આ કામ પસંદ છે. એટલે મારે એમાં ભાગ લેવો જોઈએ.” આમ શ્રી મોહનભાઈનું જીવન અર્પણનું જીવન હતું એ જોઈ શકાશે. ગુજરાત સાહિત્ય પરિષદના અધિવેશન પ્રસંગે તેઓ કાંઈ ને કાંઈ જરૂર લખી મોકલાવે. આચાર્ય શ્રી જિનવિજયજીએ “જૈન સાહિત્ય સંશોધક શરૂ કર્યું તો મોહનભાઈનો એમાં સક્રિય સાથ. શ્રી વાડીલાલ મોતીલાલ તેમના પ્રાથમિક મિત્ર, પણ તેમનો વિશેષ અને સ્થાયી પરિચય તો ઐતિહાસિક અને તટસ્થ દૃષ્ટિવાળા શ્રી નાથુરામ પ્રેમીજી તથા આચાર્યશ્રી જિનવિજયજી સાથે. મહાવીર જૈન વિદ્યાલયના તેઓ પ્રથમથી જ એક કાર્યકર્તા, પણ તેમનું મુખ્ય પ્રવૃત્તિક્ષેત્ર પ્રાચીન સાહિત્યનો વર્તમાન યુગની દૃષ્ટિએ ઉદ્ધાર અને પરિચય કરાવવો તે. કૉન્ફરન્સના એક જાગરુક કાર્યકર્તા તરીકેનું તેમની સાથે સંકળાયેલું મારું સ્મરણ એ જેમ મારા માટે મધુર છે તેમ એ વિશે બીજાઓએ જાણવું એ તેથીય વધારે રોચક અને ઉપયોગી પણ છે. તેથી એનો ઉલ્લેખ જરા વીગતે કરું છું. આની પાછળ દૃષ્ટિ એ છે કે કૉન્ફરન્સના અત્યારના નવીન કાર્યકર્તાઓ અને હવે પછી આવનાર પેઢીના કાર્યકર્તાઓ કૉન્ફરન્સની પ્રવૃત્તિના એક અને મારી દૃષ્ટિએ મહત્ત્વના અંગથી પરિચિત રહે અને તે દિશામાં પ્રાપ્ત થતાં કર્તવ્યોને બરાબર સમજે. વળી કોન્ફરન્સની એ પ્રવૃત્તિનું બીજ ગમે ત્યારે વવાયું પણ અત્યારે એનાં જે પરિણામો આવ્યાં છે અને ઉત્તરોત્તર વિકસતાં દેખાય છે તેને બધા સમજદાર સમજી લે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈન ચેર સ્થાપવાના વિચારનું બીજ તો ૧૯૧૯ની કલકત્તા કૉંગ્રેસની બેઠક વખતે રોપાયેલું, પણ ફણગો ફૂટવાનો સમય 1930 પછી આવ્યો. શ્રી મોહનભાઈએ અમદાવાદમાં એક વાર મને પૂછ્યું, કે “તમે આ બાબત તટસ્થ કેમ છો ?" મેં કહ્યું : ““કૉન્ફરન્સના મંત્રીઓ અને કાર્યકર્તાઓ બહુ ભલા છે. પં.માલવિયજી જેવાના પ્રભાવમાં તણાઈ અમુક વચન આપી દે છે, પણ કાશીની સ્થિતિ તેઓ નથી જાણતા. મોહનભાઈના આગ્રહથી મેં કહ્યું કે ભલે પૈસા મોકલાવી દો, પણ આ શરતો સાથે સૂચવો.
Page #142
--------------------------------------------------------------------------
________________ અંજલિ 129 એમણે એ શરતો નોંધી અને મુંબઈ જઈ બનારસ સાથે પત્રવ્યવહાર કર્યો. શરતો લગભગ સ્વીકારાઈ. હવે જૈન અધ્યાપક નિયત કરવાનો પ્રશ્ન હતો. એક ભાઈને ત્યાં મોકલ્યા, પણ ચેરનું તંત્ર ડામાડોળ થઈ ગયું. હું પોતે ગુજરાત વિદ્યાપીઠ છોડી અથવા કહો કે ગુજરાત છોડી બહાર જવા પ્રથમથી જ તૈયાર ન હતો, પણ કટોકટી આવતાં ૧૯૩૩ના જુલાઈમાં હું કાશી ગયો. કાશી જવા માટે હું તૈયાર થયો તેની પાછળ બળ હતું કૉન્ફરન્સનું અને કૉન્ફરન્સ એટલે મારી દૃષ્ટિએ તે વખતે સજીવ કાર્યકર્તા બે મોહનભાઈ : એક દેશાઈ અને બીજા ઝવેરી. એમણે મારા માટે બધી વધારાની સગવડ કરી આપવાનું આપમેળે બીડું ઝડપ્યું. કાશીનું તંત્ર તો તરત ગોઠવાયું, પણ તેનાં દૂરગામી સુપરિણામો જે આવ્યાં છે તેનું યથાવતું મૂલ્યાંકન કરનાર અહીં કોણ છે તે હું નથી જાણતો. આની લાંબી કથાનો અત્યારે સમય નથી, પણ સંક્ષેપમાં નોંધ લેવી અસ્થાને નથી. છેલ્લાં 23 વર્ષમાં કાશીમાં જે અધ્યયન-અધ્યાપન, લેખન, સંશોધન અને પ્રકાશનની પ્રવૃત્તિ થઈ છે તે જૈન ચેરને આભારી છે. એને લીધે ભણનાર તો કેટલાક આવ્યા અને ગયા પણ તેમાંથી કેટલાકની યોગ્યતા અને પદવી ગણનાપાત્ર છે. કેટલાક જૈન દર્શનના આચાર્ય થયા તો કેટલાક સાથેસાથે એમ.એ. અને પીએચ.ડી. પણ. એમાંથી પાંચેક તો પ્રોફેસરના ઉચ્ચ પદ ઉપર પ્રતિષ્ઠિત છે. કાશી જૈન ચેરની ભાવનાએ કેટલાક અસાંપ્રદાયિક માનસ ધરાવનાર પણ જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનો ઉત્કર્ષ ઇચ્છનાર પંજાબી ભાઈઓને પ્રેર્યા અને ૧૯૩૭થી શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમની સ્થાપના થઈ. આગળ જતાં જૈન કલ્ચરલ રિસર્ચ સોસાયટી સ્થપાઈ. આમ જૈન ચેર અધ્યાપનનું કામ પૂરું પાડે, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ વિદ્યાર્થીઓને રહેવા-ખાવા-પીવા આદિની સગવડ પૂરી પાડે, વિશિષ્ટ પુસ્તકાલયની સગવડ આપે અને કલ્ચરલ રિસર્ચ સોસાયટી સુનિષ્ણાત વિદ્વાનોના ચિંતન-લેખનને મૂર્ત રૂપ આપે. આ રીતે આ ત્રણેય અંગો એવી રીતે સંકલિત થયાં છે કે તે એકબીજાના પૂરક અને પોષક બની માત્ર જૈન પરંપરાની જ નહીં, પણ ભારતીય-અભારતીય વિદ્વાનોની નવયુગીન અપેક્ષાને અમુક અંશે સંતોષી રહ્યાં છે. અત્યારે ત્યાંની જે સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજીમાં પૂરનકો અને
Page #143
--------------------------------------------------------------------------
________________ 130 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા પત્રિકાઓ પ્રસિદ્ધ થયાં છે અને જે ઉચ્ચ કક્ષાના વિદ્યાવર્તુળમાં આદરપૂર્વક વંચાઈ રહ્યાં છે તેની યાદી આપવા નથી બેઠો. આટલુંય સ્મરણ આપવાનો મારો ઉદેશ એટલો જ છે કે શ્રી મોહનલાલ દેશાઈની અને ઝવેરીની અનિવાર્ય પ્રેરણા ન હોત અને કૉન્ફરન્સે મારી અસાંપ્રદાયિક વિદ્યાવૃત્તિનો ઉપયોગ કરવાની ઉદારતા પૂરી રીતે દાખવી ન હોત તેમજ ચેરને અંગેની જરૂરિયાતોની માગણીને સર્વાનુમતિએ વધાવી લીધી ન હોત તો હું કાશીમાં ગયો જ ન હોત, ગયો હોત તો સ્થિર થયો ન હોત અને ક્રમેક્રમે ત્યાં જે વિકાસ થયો છે તેની શક્યતા પણ ભાગ્યે જ આવી હોત. આ ટૂંકું પણ આવશ્યક સ્મરણ એ સૂચવે છે કે કૉન્ફરન્સ સાથે અને તે દ્વારા શ્રી મોહનભાઈ સાથે મારો શો અને કેવો સંબંધ રહ્યો છે. જો આટલું પણ સ્પષ્ટ હોય તો હવે એ કહેવાની જરૂર નથી રહેતી કે કૉન્ફરન્સ દ્વારા તૈયાર કરાવેલ સદ્ગત મોહનભાઈના તૈલચિત્રને ખુલ્લું મૂકવાના ઔપચારિક વિધિમાં મારું શું સ્થાન છે. તૈલચિત્રના અનાવરણ પ્રસંગે તૈલચિત્રમાં સમાયેલ ગર્ભિત અર્થ જણાવવો અને એ દ્વારા કૉન્ફરન્સની પ્રવૃત્તિનું દિશાસૂચન કરવું અને હું મારી આવશ્યક ફરજ સમજું છું. એ ફરજમાંથી ચૂકું તો મારો અહીં આવવાનો ખાસ અર્થ મારી દૃષ્ટિએ રહે જ નહીં. તૈલચિત્ર એ તો પ્રતીક છે. એ પ્રતીક વિદ્યોપાસના, સાહિત્યસેવા અને નિષ્ઠાનું છે. પ્રતીકની કોઈ સ્વતંત્ર અને નિરપેક્ષ પ્રતિષ્ઠા હોતી જ નથી. તેથી પ્રતીક દ્વારા આપણે મૂળ વસ્તુને સમજવા અને તે દિશામાં ઘટતું કરવા પ્રવૃત્ત થઈએ તો જ સમારંભ એ માત્ર સમારંભ ન રહેતાં એક કાર્યસાધક પગલું બની રહે. સામાજિક સુધારણા અને બીજા ફેરફારો કરાવવાની બાબતમાં કૉન્ફરન્સ કરવા જેવું હોય તો મુખ્યપણે અત્યારે એ છે કે વહેમી અને ખર્ચાળ પ્રથાઓના ભારથી કચડાતા મધ્યમ વર્ગને એ જાળમાંથી મુક્તિ અપાવે એવું વાતાવરણ તૈયાર કરવું. એ સિવાયના બીજા સુધારા ને ફેરફારની બાબતમાં આજની સામાજિકતા જે રીતે ઘડાઈ રહી છે અને દેશવિદેશનાં બળો એને ઘડવામાં જે રીતે કામ કરી રહ્યાં છે તે જોતાં એ નિશ્ચિત છે કે જૈન સમાજ પોતાનું સામાજિક જીવન આપમેળે જ એ પરિવર્તન અને સુધારણાને અનુકૂળ કરી
Page #144
--------------------------------------------------------------------------
________________ અંજલિ 131 લેવાનો. એમ કર્યા વિના એની બીજી કોઈ ગતિ જ નથી. પરંતુ શિક્ષણ, અને સાહિત્યનો એક એવો આગવો પ્રદેશ છે કે જે બાબતમાં કૉન્ફરન્સ ઘણું કરવા જેવું છે. હું ધાર્મિક અને તત્ત્વજ્ઞાનના ચાલુ શિક્ષણની કે તેવું શિક્ષણ આપે તેવા શિક્ષકો તૈયાર કરવાની વાત નથી કહેતો. એ કામ ઉપાશ્રયો અને મહેસાણા જેવી પાઠશાળાઓ મારફત ચાલી રહ્યું છે અને એમાં અનેક મુનિઓ તેમજ ગૃહસ્થોનો સહયોગ પણ છે. હું જે શિક્ષણની વાત કહેવા ઈચ્છું છું તે ઉચ્ચ ભૂમિકાના સર્વગ્રાહી શિક્ષણની વાત છે. આજે શિક્ષણ વ્યાપક બનતું જાય છે. એનું ઊંડાણ પણ ઉચ્ચ ભૂમિકાએ વધતું જાય છે. મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોની સંખ્યા વધતી જાય છે. ઉચ્ચ અને ઉચ્ચતર અધ્યયનની માગણી વધતી જાય છે, અને એ માગણીને સંતોષ એવા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઠીકઠીક વધતી જાય છે. તેથી આ સમય આપણા માટે બહુ અનુકૂળ છે. જો કોન્ફરન્સ ધર્મ અને તત્ત્વજ્ઞાનના ઉચ્ચ ભૂમિકાસ્પર્શી શિક્ષણની દૃષ્ટિએ કાંઈક કરે તો એમાં એને જશ મળે તેમ છે. આ કામના મુખ્ય બે ભાગ છે : (1) તૈયાર મળે એવા સુનિષ્ણાત કે નિષ્ણાત વિદ્વાનો દ્વારા વિષયવાર સાહિત્ય તૈયાર કરાવવું અને સાથે સાથે મહાવિદ્યાલયો કે વિશ્વવિદ્યાલયોમાં પૂરી યોગ્યતાથી કામ કરી શકે એવા થોડા પણ નિષ્ણાતો તૈયાર કરવા-કરાવવામાં શક્તિ ખરચવી. (2) અનેક વિષયનું પ્રાચીન સાહિત્ય આપણે ત્યાં છે. તેમાંથી પસંદગી કરી વિશિષ્ટ વિદ્વાનો. મારફત તેનું આધુનિક દૃષ્ટિએ સંપાદન-પ્રકાશન કરવું એ કૉન્ફરન્સની પ્રવૃત્તિનું એક અંગ હોવું જોઈએ. પુસ્તકો અનેક પ્રસિદ્ધ થાય છે, પણ જ્ઞાનની નવી પેઢીને સંતોષે એવાં બહુ વિરલ પ્રસિદ્ધ થાય છે. પ્રાચીન જૈન સાહિત્યનું વિશ્વસાહિત્યમાં યોગ્ય મૂલ્યાંકન થાય તે માટે નવી દૃષ્ટિએ યોગ્ય હાથે તેના સંપાદનને બહુ અવકાશ છે, અને કૉન્ફરન્સને એમાં જશ મળે તેમ પણ છે. એક બાબત ધ્યાનમાં રહે કે દેશવિદેશના કોઈ પણ ઉચ્ચ કે ઉચ્ચતર વિદ્વાનોનો, ધર્મ અને નાતજાતના ભેદભાવ વિના આપણે ભલે ઉપયોગ કરીએ પણ એ પાછળ દૃષ્ટિ એ રહેવી જોઈએ કે જૈન સમાજ પૌતાનામાંથી જ એવા સુનિષ્ણાતોને તૈયાર કરે અને તૈયાર હોય તેને યથાસ્થાન ગોઠવી પૂરતું કામ આપે, જેથી શિક્ષણ અને સાહિત્યની બાબતમાં બધાં જ સાર્વજનિક
Page #145
--------------------------------------------------------------------------
________________ 132 વિરલ વિદ્ધતિભા અને મનુષ્યપ્રતિભા ક્ષેત્રે સમાજ પરાવલંબી યા શરણાગત જેવો ન રહે. અત્યારે તો આવું કામ કરવા માટે પુષ્કળ સામગ્રી ઉપલબ્ધ છે. જૂની વસ્તુઓનાં સર્વત્ર નવેસરથી મૂલ્યાંકનો થવા લાગ્યાં છે. એક અમેરિકન પ્રોફેસર પ્રાચીન ગુજરાતી ભાષાના “શાલિભદ્ર રાસ'નું સંપાદન કરવા પ્રેરાય તે શું સૂચવે છે ? હું તો જોઉં છું કે આજે હેમચંદ્ર ફરી જીવતા થાય છે. આજે સારા સાહિત્યની અને સારા વિદ્વાનોની ખોટની ઘણી વાતો થાય છે, પણ આજે હવે આ ખોટ એટલી મોટી નથી. જો જોવા ઈચ્છો તો સારું જૈન સાહિત્ય અને જૈન સાહિત્યના ઉચ્ચ કોટિના વિદ્વાનો પણ આપણે ત્યાં છે જ - પછી ભલે એ પ્રમાણમાં કદાચ ઓછા હોય, પણ આ રીતે જોવા-જાણવાની કોને પડી છે ? સદ્ગત શ્રી મોતીચંદભાઈના સ્મારકનું ફંડ થયેલું છે, એનો ઉપયોગ પ્રાચીન સાહિત્યના નવા ગ્રંથોના સંશોધન-સંપાદન પાછળ થવો હજુ બાકી છે. ફંડ એકઠું કરવું એક વાત છે, એનો ઉપયોગ કરવો એ બીજી વાત છે. એ માટે તો દૃષ્ટિ અને ઉદારતા બન્ને જોઈએ. ભારતના નાક સમા મુંબઈનો જ વિચાર કરો, કે અહીં જૈન સાહિત્યના | કેન્દ્ર જેવું કંઈ આપણે ઊભું કર્યું છે ? કોઈને જૈન તત્ત્વજ્ઞાન, સાહિત્ય કે કલાના વિષયમાં મુંબઈમાં જાણવું હોય તો એ વિષયના નિષ્ણાત - એસ્પટ કહી શકાય એવો એક પણ વિદ્વાન અહીં છે ખરો ? વળી આજે માનવતા, રાષ્ટ્રીયતા અને કેળવણીનો વિકાસ જે રીતે થઈ રહ્યો છે તેનો પણ આપણે વિચાર કરવો જોઈએ. આમાં વિકાસ બે માર્ગે થઈ શકે : એક તો સમાજને ઉચ્ચ સંસ્કારો આપવા; અને બીજો અનૈતિકતાનો ત્યાગ કરવો. અનૈતિક ધન લઈને પુસ્તક, મંદિર કે મૂર્તિ કરવાં એ ભારતીય સંસ્કૃતિને શોભે નહીં, જૈનોને તો એ મુદ્દલ શોભે નહીં. અનેકાંતનો વિકાસ કરવાની અને એના મર્મને જીવનમાં ઉતારીને સમભાવ, સહિષ્ણુતા અને ઉદારતા કેળવવાની જરૂર છે. સમાજમાં આવા સંસ્કારોનું સિંચન કરવામાં, ઘર્મ અને તત્ત્વજ્ઞાનના ઉચ્ચ શિક્ષણનો પ્રચાર કરવામાં અને ઉચ્ચ કોટિનું સાહિત્ય પ્રગટ કરવામાં કૉન્ફરન્સ ઘણુંઘણું કરી શકે એમ છે. સદ્ગત શ્રી મોહનલાલ દેસાઈએ આ
Page #146
--------------------------------------------------------------------------
________________ અંજલિ 133 બાબતમાં કૉન્ફરન્સ દ્વારા પહેલ કરી છે, અને આપણે માટે કર્તવ્યની દિશા સૂચવી છે. હવે એ દિશાને વિકસાવવા અને સમૃદ્ધ કરવામાં જ એમનું ખરું મરણ રહેલું છે એમ સૌ કોઈ સ્વીકારશે. આટલા પ્રાસંગિક નિવેદનને અંતે સદૂગત શ્રી મોહનભાઈની નિષ્ઠા અને સાહિત્યસેવાને અંજલિ આપી, મને શાંતિપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો આભાર માની હું મારું વક્તવ્ય પૂરું કરું છું." જૈિન, 21 જુલાઈ 1956; દર્શન અને ચિંતન ભા.૨] 'તા. 15-7-1956 ને રવિવારના રોજ સત શ્રી મોહનલાલ દ. દેશાઈના તૈલચિત્રની અનાવરણવિધિ પ્રસંગે આપેલું વક્તવ્ય.
Page #147
--------------------------------------------------------------------------
________________ સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈ ભોગીલાલ જ. સાંડેસરા જૈન ગૂર્જર કવિઓના સંગ્રાહક અને સંપ્રયોજક સ્વ. મોહનલાલ દેશાઈનું પ્રથમ દર્શન અને એમના પ્રભાવશાળી વçત્વનું શ્રવણ, વડોદરા રાજ્ય પુસ્તકાલય પરિષદનું પાંચમું અધિવેશન સને ૧૯૩૦માં પાટણમાં મળ્યું ત્યારે મેં કર્યું હતું. એ સમયે હું અંગ્રેજી પાંચમા ધોરણમાં (એટલે અત્યારના નવમા ધોરણમાં) ભણતો હતો. પરિષદમાં કામ કરનાર સ્વયંસેવકોમાં એક હું પણ હતો. અમારા કંટન “સ્વ. ડૉ. પંડ્યા સમાજસેવક મંડળ'ના (જેમના નામથી હજી પણ “ડૉ. પંડ્યા અભ્યાસગૃહ પાટણમાં ચાલે છે તે) સ્વ. અંબાલાલ મોતીલાલ દાણી હતા. મારું મુખ્ય કામ પુસ્તકપ્રદર્શન વિભાગમાં હતું. ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી અને સંસ્કૃત પુસ્તકોનું તથા હસ્તલિખિત સચિત્ર ગ્રન્થોનું એક વિશાળ પ્રદર્શન તે વખતની પાટણ હાઇસ્કૂલ - પછી એમ. એન. હાઈસ્કૂલ - ના વિશાળ વર્ગખંડોમાં યોજાયું હતું. જોનારાઓ આમતેમ ફરીને, અને કેટલાક તો ચારે કોર ડાફોરિયાં મારીને જતા રહેતા, પણ મારું ધ્યાન નવાં પુસ્તકોના આ મહાન મેળામાં હતું. આવો મેળો આ પહેલાં મેં કદી જોયો નહોતો અને સારી દુનિયાની પ્રદક્ષિણા કર્યા પછી પણ કહું છું કે ભવિષ્યમાં ભાગ્યે જોઈશ. મુખ્ય કારણ એ કે આ પુસ્તકમેળામાં નહોતો ઘોંઘાટ કે નહોતી પુસ્તક વેચવાની અહમદમિકા. પુસ્તકો જોઈને, પાનાં ફેરવીને, જેને જે કરવું હોય તે કરે. ગાંડીવનું બધું બાલસાહિત્ય એ સમયે - અને આજે પણ - અદ્દભુત લાગતું. પુસ્તકમેળામાં બપોરે અને અપરાદ્ધમાં, જ્યારે પ્રેક્ષકોની હાજરી પાંખી હોય ત્યારે, મેં એ સાવંત વાંચેલું. ચાર રૂપિયાની કિંમતની, ભીડેની સંસ્કૃત-ઈગ્લિશ ડિક્શનેરી (પ્રકાશક - ચિત્રશાળા પ્રેસ, પૂણે) મેં 33% કમિશનથી ખરીદેલી, જેનો ઉપયોગ હજી પણ મારા નાના ભાઈ ચિ.ઉપેન્દ્ર કરે છે.
Page #148
--------------------------------------------------------------------------
________________ સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈ 135 પરિષદના પ્રમુખ લેડી વિદ્યાગૌરી નીલકંઠ હતાં અને ખુલ્લું અધિવેશન સાંડેસરાની વાડીમાં મળ્યું હતું. સ્વાગત પ્રમુખ સિવિલ સર્જન ડૉ.મણિલાલ લલ્લુભાઈ પરીખ અનિવાર્ય કારણે અનુપસ્થિત હોઈ એમનું વ્યાખ્યાન પાટણના સૌથી અગ્રિમ સમાજસેવક, આજન્મ ખાદીધારી શિક્ષક અને ડૉ.પંડ્યા અભ્યાસગૃહના અવૈતનિક સેવાભાવી સંચાલક, પણ પાટણ હાઇસ્કૂલના શિક્ષક તરીકે વડોદરા સરકારના પગારદાર નોકર, પ્રચંડ શરીરધારી અને વ્યાયામપ્રિય સ્વ. મણિલાલ માધવલાલ દવેએ એમના બુલંદ અવાજે વાંચ્યું હતું. એ પછી વિદ્યાબહેનનું વ્યાખ્યાન અત્યંત મધુર, મૃદુ અને સુશ્રાવ્ય તથા વિચારપૂર્ણ. પાટણના વિખ્યાત પુરાવિદ્ અને સાહિત્યસંશોધક સ્વ. રામલાલ ચુનીલાલ મોદીએ પાટણના પ્રWકારોએ લેખ “બુદ્ધિપ્રકાશ'ના જાન્યુઆરી ૧૯૩૦ના અંકમાં છપાવ્યો હતો, અને બુદ્ધિપ્રકાશ'ના તંત્રી સ્વ. હીરાલાલ પારેખ ગુજરાત પુસ્તકાલય પરિષદના મંત્રી હોઈ આ લેખની સેંકડો છૂટી નકલો. છપાવીને પરિષદમાં વહેંચાઈ હતી. તેમાંની એક હજી મારી પાસે સચવાઈ છે. પ્રદર્શનમાં મુદ્રિત પુસ્તકોની ગોઠવણી માટે વડોદરા મધ્યવર્તી પુસ્તકાલય (સેન્ટ્રલ લાયબ્રેરી)ના શ્રી નાનાભાઈ દીવાનજી ફેંટો પહેરીને, અને હસ્તલિખિત પુસ્તકો માટે વડોદરા પ્રાચ્યવિદ્યા મંદિરના જૈન પંડિત લાલચંદ ગાંધી, માથે ઘંટીના પડ જેવી ભાવનગરી પાઘડી પહેરીને, આવ્યા હતા. હસ્તલિખિત પુસ્તકોની ગોઠવણ માટે, મૂલ્યવાન સચિત્ર હસ્તપ્રતો મજૂરણના માથે ટોપલામાં ઉપડાવીને, મારા ભાવી વિદ્યાગુરુ, માત્ર ત્રેવીસ વર્ષના નવયુવાન મુનિશ્રી પુણ્યવિજયજી આવ્યા હતા, જેમનાં દર્શન મેં દૂરથી જ કર્યા હતાં. મોહનલાલ દલીચંદ દેશાઈ એક પ્રભાવશાળી વક્તા હતા. ઊંચી કદાવર દેહયષ્ટિ વક્તાના મેઘગંભીર અવાજને અનુરૂપ હતી. માથે કાઠિયાવાડી ફેંટો વ્યક્તિત્વને અનેરી શોભા આપતો. તેઓ શું બોલ્યા એનું મુદ્દલ સ્મરણ નથી, તોપણ એમનો અવાજ હજી કાનમાં ગુંજે છે. મોહનલાલ દેસાઈ સાથે પ્રત્યક્ષ મિલન સને ૧૯૩૯ના એપ્રિલમાં પાટણ ખાતે, કનૈયાલાલ મુનશીના પ્રમુખપદે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના હૈમ સારસ્વત સત્ર પ્રસંગે થયું. મુંબઈથી તેઓ અને મોતીચંદ ગિરધરલાલ કાપડિયા સાથે આવેલા અને અમારા ત્રણેયના નિબંધો સત્રમાં
Page #149
--------------------------------------------------------------------------
________________ 136 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા રજૂ થયેલા હોઈ અમે વ્યાસપીઠ ઉપર સાથે બેઠેલા. મોહનલાલ દેસાઈ સુકીર્તિત ઍડવોકેટ અને વિખ્યાત સાહિત્યસેવક છતાં સ્વભાવે અતિ નમ્ર હતા. મારો પ્રથમ લેખ જૂન ૧૯૩૧માં “બુદ્ધિપ્રકાશ'માં પ્રગટ થયેલો અને તે વખતે છેલ્લો નિબંધ, એટલેકે સત્રમાં રજૂ થયેલો “હેમચંદ્રાચાર્યનું શિષ્યમંડળ” એ લેખ, જેમાં હેમચંદ્રશિષ્ય રામચંદ્રના જીવન અને કાર્યનો વિસ્તૃત પરિચય અપાયો છે. એ લેખ હૈમ સારસ્વત સત્રના હેવાલમાં તેમજ અન્યત્ર પુસ્તિકા પ્રકાશન, વડોદરા, ૧૯૪૫)માં ગ્રન્થસ્થ થયો છે. મોહનભાઈએ, સ્ટેજ ઉપર બેઠેલા હતા ત્યારે, વાતવાતમાં કહ્યું કે “તમારા મુખ્ય લેખોની યાદી અને મોકલો.” મેં અમદાવાદ જઈને મને ઠીક જણાતા લેખોની યાદી મોકલી ત્યારે એમનો તત્કાળ પ્રત્યુત્તર આવ્યો કે “તમારી યાદીમાં ઘણી ભૂલો છે; અમુક લેખ અમુક સામયિકમાં અમુક વર્ષમાં નહીં, પણ અન્યત્ર અમુક વર્ષમાં છપાયો છે. આ વાંચીને મને સાનંદાશ્ચર્ય થયું અને પરિણામે સને ૧૯૩૧થી માંડી મારા બધા લેખો - ગુજરાતી, અંગ્રેજી, હિન્દી કે અન્ય ભાષામાં - તેમના અનુવાદોની વીગતવાર યાદી તેમજ મારાં પુસ્તકોનાં નામ અને પ્રકાશનવર્ષની વિગતવાર યાદી મેં રાખી છે, જેની અત્યાર સુધી ત્રણ નોટબુકો ભરાઈ છે. મારા સન્મિત્ર અને વડોદરા યુનિવર્સિટીના કુશળ અને કાર્યક્ષમ લાયબ્રેરિયન સ્વ. ચંપકલાલ શુક્લે એ સર્વ લેખોની કાર્ડ-ઈન્ડેક્સ કરાવીને, પ્રત્યેક લેખને તદનુસાર સંબંધ ધરાવતી ફાઇલમાં મુકાવ્યો હોઈ 56 વર્ષના લાંબા સમયગાળામાં પ્રકાશિત થયેલા મારા કોઈ પણ લેખની નકલ અર્ધી મિનિટમાં હું મેળવી શકું છું તથા પચાસેક વર્ષ પહેલાં લેખની છૂટી નકલ આપવાનો રિવાજ નહોતો ત્યારે છપાયેલા લેખનો પણ તત્કાળ રેફરન્સ મેળવી શકું છું. મને મળેલી આ સાધારણ છતાં અદ્દભુત સગવડનું શ્રેય મૂળ મોહનલાલ દેસાઈને ફાળે જાય છે. એ પછી ૧૯૪૦માં હું મુંબઈ ગયો ત્યારે પ્રિન્સેસ સ્ટ્રીટ, તવાવાલા બિલ્ડિંગમાં તેમના નિવાસસ્થાને ગયો હતો. બે વિશાળ ખંડ અને રસોડું, એ એમનો સાદો, પણ સગવડભર્યો નિવાસ. એમાંનો એક મોટો ખંડ એટલે એમનું દિવાનખાનું, બેઠકખંડ, અભ્યાસખંડ, લાયબ્રેરી અને બીજું જે ગણો
Page #150
--------------------------------------------------------------------------
________________ સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈ 137 તે. એમાં મોહનભાઈ ધોતિયું પહેરી, પલાંઠી વાળી, ખોળામાં કાગળ રાખી, નીચે પૂઠું કે પાટિયું રાખી, સતત લખતા હોય કે હસ્તપ્રતની નકલ કરતા હોય. વિશાળ ખંડમાં એકેય ખુરશી કે ઢાળિયું ટેબલ નહીં, ઇસ્કોતરો કે કબાટ પણ નહીં. મુંબઈ જેવા મહાનગરમાં એક એડવોકેટનું ઘર આવું હોય એ એક આશ્ચર્ય ન ગણાય ? જે મુલાકાતી આવે તે પણ તેમની સામે શેતરંજી કે ચટાઈ ઉપર બેસે. એક માત્ર પ્રવેશદ્વાર કે બારીઓ બાદ કરતાં વિશાળ ખંડની ચારેય દીવાલો ફરસબંધીથી ઉપરની છત સુધી પુસ્તકો અને હસ્તપ્રતોથી ખીચોખીચ ભરેલી ! ખબર નથી કે તેઓ પોતાને જોઈતું પુસ્તક કેવી રીતે ખોળી કાઢતા હશે ! વળી વ્યવસાય હતો સર્વસમભક્ષી વકીલનો ! એમના ઉપર્યુક્ત નિવાસમાં પ્રવેશતાં પહેલાં જ કોઈ પણ અસીલ ભડકીને નાસી જાય ! તો યોગક્ષેમનું શું ? ૧૮૮૫માં એમનો જન્મ. ૧૯૧૨માં, 28 વર્ષની તરુણ વયે, એલએલ.બી. થયા બાદ તુરત તેઓ “જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડ'ના તંત્રી થયા અને વર્ષો સુધી એ જવાબદારી સંભાળી. “હેરલ્ડ” અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં પ્રગટ થતું. “હેરલ્ડ બંધ થયા પછી અનેકાનેક જૂની ગુજરાતીના અને સંસ્કૃતના જૈન ગ્રન્થોના સંપાદન ઉપરાંત તેમણે “જૈનયુગ' માસિકનું સંપાદન મરણ પર્યત સંભાળ્યું. “હેરલ્ડ' અને “જૈનયુગ'માં પ્રકાશિત, તેમના અને અન્ય વિદ્વાનોના લેખો અપ્રગટ જૈન સાહિત્યની ખાણ જેવા છે. એમના મોટા ભાગના ગ્રન્થો, “જૈન ગૂર્જર કવિઓ'ના ત્રણ ભાગ ઉપરાંત 1080 પાનનો જૈન સાહિત્યનો સંક્ષિપ્ત (!) ઇતિહાસ” આદિ, અમદાવાદ ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલા છે. એ છપાતા ગ્રન્થોના પ્રફના થોકડા તેઓ કૉર્ટમાં પણ લઈ જતા અને વકીલખંડમાં સમય મળે તો અને ત્યારે એ પણ તપાસીને અવકાશની પ્રત્યેક મિનિટનો ઉપયોગ કરી લેતા. પિકેટ ક્રૉસ લેઈન પાસે એમની ઓફિસ હતી. કૉર્ટનો સમય પૂરો થયા બાદ તેઓ ઑફિસે જતા. ગુમાસ્તો, ટાઇપિસ્ટ ત્યાં હાજર હોય અને જે ગરજાઉ અસીલે ત્યાં આવવું હોય તે આવે ! આમ સાંજના બેચાર કલાકમાં મોહનભાઈ 1. આ ભૂલ છે. જૈનયુગ' માસિકનું સંપાદન એમણે પાંચ વર્ષ - ભાદરવા સં.૧૯૮૧થી અષાઢ-શ્રાવણ, સં.૧૯૮૬ સુધી - સંભાળેલું. ,
Page #151
--------------------------------------------------------------------------
________________ 138 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા યોગક્ષેમ પૂરતું કમાઈ લેતા. એમની માસિક આવક શરૂઆતમાં પાંચસોથી માંડી છેવટે લગભગ ત્રણ હજાર હતી, જે એમનો અનુભવ અને અભ્યાસ જોતાં સાવ સાધારણ ગણાય. પ્રાચ્ય વિદ્યા મંદિરની ગાયકવાડ્ઝ ઑરિએન્ટલ સિરીઝના ૧૧૮મા પુષ્પ તરીકે (વડોદરા, 1952) પ્રકાશિત “ગુર્જર રાસાવલી'ના સંપાદકો ત્રણ છે : બ.ક.ઠાકોર, મોહનલાલ દેસાઈ અને મધુસૂદન મોદી. ૧૯૫૨માં એ ગ્રન્થ પ્રગટ થયો ત્યારે પહેલા બે સંપાદકો દિવંગત થયા હતા ! વધતી વય સાથે માનસિક કામના ભારે પરિશ્રમને કારણે ૧૯૪પમાં સાઠ વર્ષની વયે મોહનભાઈનું અવસાન થયું. કામનો બોજો માફકસર હોત અને યોગક્ષેમ માટે વકીલાતનો પરિશ્રમ કરવાનો ન હોત તો અવશ્ય તેઓ થોડાં વધુ વર્ષ જીવ્યા હોત. પણ ઉમાશંકર જોશીના તંત્રીપદ નીચેના “બુદ્ધિપ્રકાશ' (ઑક્ટોબર-ડિસેમ્બર ૧૯૪૫)માં એમની અવસાનનોંધ લખવાનું મારે ભાગે આવ્યું હતું. મોહનભાઈનો વિશાળ અભ્યાસખંડ જોઈને મને અને મારા કેટલાક સન્માન્ય વડીલોને પણ લાગ્યું હતું કે “અહીં કોઈ વ્યવસ્થા નથી' (There is no sense of order). મોહનભાઈનાં લખાણોને પણ આ લાગુ પડે. જૈન ગૂર્જર કવિઓ' ભાગ ૧ની પ્રસ્તાવના રૂપે, અઢીસો પાનનો જૂની ગુજરાતનો ઇતિહાસ' મૂકવાની શી જરૂર હતી ? એ આકરગ્રંથના ભાગ ૨માં જૈન આચાર્યોની પટ્ટાવલીઓ વગેરે ઉપયોગી લાગી હોય તોપણ અનાવશ્યક છે. પરંતુ આ બધું છતાં “જૈન ગૂર્જર કવિઓ' ભાગ ૧થી 3 (ત્રીજા ભાગના બે ખંડ) એક અદ્ભુત આકર ગ્રન્થ છે. જેમ રતનજી ફરામજી શેઠનાએ “ગુજરાતી જ્ઞાનચક્ર' અથવા એનસાઈક્લોપીડિયાના નવ ગ્રન્થ એકલે હાથે તૈયાર કર્યા તેમ વકીલાતનો સર્વસમભક્ષી વ્યવસાય કરતાં કરતાં મોહનભાઈએ “જૈન ગૂર્જર કવિઓ'ના ત્રણ ભાગનાં ચારેક હજાર પાનાં હસ્તપ્રતોને આધારે સંકલિત કર્યા, લખ્યાં અને એનાં મૂફ સુધ્ધાં સુધાર્યા એ આપણા લક્ષ્મીપૂજક જમાનાની એક આશ્ચર્યજનક ઘટના છે. “જૈન ગૂર્જર કવિઓ'નો પહેલો ભાગ ૧૯૨૬માં એટલે એકસઠ વર્ષ પહેલાં અને બીજો ભાગ ૧૯૩૧માં એટલે છપ્પન વર્ષ પહેલાં પ્રગટ થયો.
Page #152
--------------------------------------------------------------------------
________________ સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈ 139 ત્રીજા ભાગનો પ્રથમ ગ્રન્થ અને દ્વિતીય ગ્રન્થ બન્નેય ૧૯૪૪માં બહાર પડ્યા છે. એ પછી લગભગ અર્ધી સદી જેટલા લાંબા સમયગાળામાં બીજા અભ્યાસીઓએ આ ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે; એ દૃષ્ટિએ આ કિંમતી પ્રન્થોમાંનું કેટલુંક સંશોધન કાલગ્રસ્ત થાય એ સ્વાભાવિક છે. એ ઉપરાંત, મેં ઉપર કહ્યું તેમ, મોહનભાઈનો વિશાળ અભ્યાસખંડ અવ્યવસ્થાના નાદર નમૂના જેવો હતો. આ બન્ને દૃષ્ટિએ આ ગૌરવગ્રન્થ (Magnum opus)નું સંશોધન-સંવર્ધન અતિ આવશ્યક હતું અને તે જયંત કોઠારી જેવા આપણા ચીવટવાળા, ખંતીલા અને તેજસ્વી સંશોધક વિદ્વાનને હાથે થયું છે એ આનંદની વાત છે. [બુદ્ધિપ્રકાશ, જુલાઈ 1987]
Page #153
--------------------------------------------------------------------------
_
Page #154
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ
Page #155
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ 1. વિચારાત્મક (શ્રી) જિનદેવદર્શન (વિધિ, હેતુ, વિવેચન સહિત), (મુનિશ્રી ચારિત્રવિજયજીની સહાયતાથી) સંયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, મૂલચંદ હીરજી માંગરોલવાળા તરફથી ભેટ, 1910, પૃ.૮+૭૬; બીજી આવૃત્તિ, પ્રકા. મેઘજી હીરજી બુકસેલર, મુંબઈ, 1924, પૃ.૧૬+૧૨૦ [આ આવૃત્તિમાં જરૂર જોગો ફેરફાર કરેલ છે તથા વિશેષ પ્રસ્તાવ અને પરિશિષ્ટ - મૂળ પરની ટિપ્પણો ઉમેરેલ છે]; ત્રીજી આવૃત્તિ, શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ સ્મારકનિધિ ગ્રંથમાળા-૨, સંપા. કાંતિભાઈ બી. શાહ, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, 1989, પૃ.૨૮+૧૧૧ [પરિશિષ્ટ સામગ્રીમાં અંતર્ગત કરી લીધેલ છે.] [1] બૌદ્ધ અને જૈન મતના સંક્ષેપમાં ઇતિહાસ, સિદ્ધાન્તો અને વૈદિક ધર્મ સાથે તુલના, મોહનલાલ દલીચંદ દેશાઈ, ફાર્બસ ગુજરાતી સભા તરફથી ૧૯૧૫માં પારિતોષિક માટે સ્વીકારાયેલા નિબંધ, અપ્રકાશિત, પૃ.૧૦૨ +238 [મહાવીરનો સમય અને ઘર્મપ્રવર્તક તરીકે મહાવીર, સદુદેવતત્ત્વ, સદ્દગુરુતત્ત્વ, સધર્મતત્ત્વ, કાલસ્વરૂપ, સમ્યગ્દર્શન - એ અંશો લેખો રૂપે પ્રકાશિત) (શ્રી) સામાયિક સૂત્ર (સંસ્કૃત છાયા, વિધિ, હેતુ, વિવેચન સહિત), (મુનિશ્રી ચારિત્રવિજયજીની સહાયતાથી) સંયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. પોતે, મુંબઈ, 1911, પૃ.૧૧+૨૫૫; બીજી સંવર્ધિત આવૃત્તિ, પ્રકા. સારાભાઈ મગનલાલ મોદી, ખાર, 1927, પૃ.૨૪+૨૬૪ [આ આવૃત્તિમાં મુખ્ય ઉમેરો તે કેટલાંક ચૈત્યવંદન, સ્તવન, સઝાયાદિને સમાવતું પરિશિષ્ટ પ]; શાલોપયોગી આવૃત્તિ, પ્રકા. શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બૉર્ડ, મુંબઈ, પૃ.૧૨૫૩+૧૭૩; ત્રીજી આવૃત્તિ, શ્રી
Page #156
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ—લેબસૂચિ . 143 મોહનલાલ દલીચંદ દેશાઈ સ્મારકનિધિ ગ્રંથમાલા-૧, સંપાદક કાંતિભાઈ બી. શાહ, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, 1988, પૃ.૩૨+૩૧૨ [બીજી આવૃત્તિનું પરિશિષ્ટ 5 કાઢી નાખેલ છે] [3] 2. સાહિત્યિક જૈન ગૂર્જર કવિઓ, સંગ્રાહક અને સંપ્રયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ ઑફિસ, મુંબઈ - પ્રથમ ભાગ (વિક્રમ તેરમા શતકથી સત્તરમા શતક સુધીના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચિ), 1926, પૃ.૨૪+૩૨૦૧૫; બીજો ભાગ (વિક્રમ અઢારમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચિ), 1931, પૃ.૨૪+૮૨૨; ત્રીજો ભાગ, ખંડ 1 અને 2 (વિક્રમ ઓગણીસમાં અને વીસમા શતકના તથા પૂર્વે નહીં પ્રકટેલા ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચિ), 1944, પૃ. 4+2340; સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિ, સંપા. જયંત કોઠારી, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ - ભાગ 1 (વિક્રમ બારમા શતકથી સોળમા શતક સુધીના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચિ) 1986, પૃ.૬૪+૫૦૮; ભાગ 2 તથા 3 વિક્રમ સત્તરમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચિ), 1987, પૃ.૧૬+૪૦૪ તથા પૃ.૧૨ +396; ભાગ 4 તથા 5 (વિક્રમના અઢારમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચિ), 1988, પૃ.૧૬+૪૬૪ તથા પૃ.૧૬+૪૩૮; ભાગ 6 (વિક્રમના ઓગણીસમા તથા વીસમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચિ તથા જૈન ભંડારોમાંથી પ્રાપ્ત થયેલી જૈનેતર કૃતિઓની સૂચિ), 1989, પૃ.૧૬+૫૮૦; ભાગ 7 (ભા. ૧થી ૪માં રજૂ થયેલી સામગ્રીમાં આવેલાં કર્તાઓ, કૃતિઓ, વ્યક્તિઓ, વંશગોત્રો, સ્થળો વગેરેનાં નામોની વર્ણાનુક્રમણીઓ તથા કૃતિઓની સંવતવાર
Page #157
--------------------------------------------------------------------------
________________ 144 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા [4] [8] અનુક્રમણિકા), 1991, પૃ.૧૬+૮૫૪ જૈન રાસમાળા (પુરવણી), સંયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ ઑફિસ, મુંબઈ, 1914, પૃ.૮ [5] જૈન સાહિત્ય અને શ્રીમંતોનું કર્તવ્ય (એક સામાન્ય લેખ), મોહનલાલ દ. દેશાઈ, પ્રકા. -[1908], પૃ.૨૨ [] જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ (સચિત્ર) (શ્રી મહાવીર સ્વામીના સમયથી સં. 1960 સુધીના બેતામ્બર જૈનોના સાહિત્યનું કાલક્રમબદ્ધ દિગ્દર્શન), મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ ઑફિસ, મુંબઈ, 1933, પૃ.૧૭૫+૧૦૮૦ શ્રીમદ્ યશોવિજયજી (એ લાઈફ ઑફ એ ગ્રેટ જૈન સ્કોલર) (અ.), મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. મેઘજી હીરજી એન્ડ કંપની, મુંબઈ, [1912 કે 1913], પૃ.૮૨ 3. સંપાદનો (કવિવર નયસુંદરકૃત) ગિરનાર તીર્થોદ્ધાર રાસ અને ન્યિાયવિજયકૃત) તીર્થમાલા, સંશો. સંપા. મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. સાહિત્યસેવા સમાજ, ભાવનગર, 1920, પૃ.૬૦ ગુર્જર રાસાવલી (ગાયકવાડ ઑરિએન્ટલ સિરીઝ નં. 118) (અ.), સંપા. બી.કે. ઠાકોર, એમ.ડી. દેશાઈ, એમ. સી. મોદી, પ્રકા. ઑરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, વડોદરા, 1958, પૃ.૪૧+૩૭૪; બીજી આવૃત્તિ, 1981 [સમાવિષ્ટ કૃતિઓ - ૧.શાલિભદ્રસૂરિકૃત પંચપડવચરિતરાસ, 2. શાલિસૂરિકત વિરાટપર્વ, 3. જયશેખરસૂરિકૃત નેમિનાથ ફાગુ, 4. જયશેખરસૂરિકૃત અર્બુદાચલ વીનતી, 5. વસ્તિગકૃત ચિહ્રગતિ ચોપાઈ, 6. હીરાણંદસૂરિકૃત વિદ્યાવિલાસ પવાડG] [10] (યશોવિજયવિરચિત) ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભાગ 1, સંપા. મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. શા. બાવચંદ ગોપાલજી, મુંબઈ, 1933 [મુખપૃષ્ઠ પર સંપાદકનું નામ નથી પણ નિવેદનમાં આ બધી કામગીરી દેશાઈએ કરી હોવાનો ઉલ્લેખ છે]; બીજી આવૃત્તિ, સંપા.
Page #158
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ–લેખસૂચિ 145 [11] કીર્તિયશવિજયજી, પ્રકા. યશોદય પ્રકાશન, જિનશાસન રક્ષા સમિતિ, મુંબઈ, 1987, પૃ.૫૮+૪૧૮ જૈન ઐતિહાસિક રાસમાળા ભા. 1 (શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રંથમાલા - 24) (શેઠશ્રી શાંતિદાસ તથા મહામુનિઓના રાસ), સંશો. મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ, મુંબઈ, વિ.સં. 1969, પૃ. 64+4+27 સિમાવિષ્ટ કૃતિઓ - 1. ક્ષેમવર્ધનકત શાંતિદાસ શેઠ રાસ તથા 2. વખતચંદ શેઠ રાસ, 3. મેઘવિજયકૃત વિજયદેવસૂરિ નિર્વાણ સ્વાધ્યાય, 4. જિનહર્ષકૃત સત્યવિજય નિર્વાણ રાસ, 5. જિનવિજયકૃત કપૂરવિજયગણિ નિર્વાણ રાસ, 6. જિનવિજયકૃત ક્ષમાવિજય નિર્વાણ રાસ, 7. ઉત્તમવિજયકૃત જિનવિજયજી નિર્વાણ રાસ, 8. પદ્મવિજયકૃત ઉત્તમવિજયજી નિર્વાણ રાસ, 9. રૂપવિજયકૃત પદ્મવિજયજી નિર્વાણ રાસ, 10. રામવિજયકૃત લક્ષ્મીસાગરસૂરિ નિર્વાણ રાસ, 11. જયવિજયકૃત કલ્યાણવિજયગણિનો રાસ, 12. લાભવિજયકૃત વિજયાનંદસૂરિની સઝાય, 13. કૃપાસાગરકૃત નેમિસાગર નિર્વાણ રાસ] [12] જૈન કાવ્ય પ્રવેશ, સંયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. પોતે, મુંબઈ, 1912, પૃ.૩+૧૯૨ , જૈનાચાર્ય શ્રી આત્માનંદજી જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, સંપા. મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક સમિતિ, મુંબઈ, 1936, પૃ.૧૨+૧૯૧૨૧૭+૨૬૦ [14] વિનયવિજયોપાધ્યાયવિરચિતા) નયકર્ણિકા (જૈન ન્યાય પ્રારંભ પુસ્તક, અનુવાદ, ઊહાપોહાદિ, કૌંજીવન, વિવેચન), ફત્તેહચંદ કપૂરચંદ લાલન અને મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. -, 1910 પૃ.૨૯૦[૧૫] (વિનયવિજય મહારાજપૂત) ધ નય-કર્ણિકા (એ વર્ક ઑન જૈને લૉજિક) સં.-એ.), સંપા. અનુ. મોહનલાલ ડી. દેશાઈ, પ્રકા. ધ સેન્ટ્રલ જૈન પબ્લિશિંગ હાઉસ, આરાહ, [1915 કે 191], પૃ.૨૫૮ [સંપાદકનું નિવેદન ડિસે.૧૯૧૫નું છે] [16] સિદ્ધિચન્દ્ર-ઉપાધ્યાય-વિરચિત) ભાનુચન્દ્રમણિચરિત (સિંઘી જૈન ગ્રન્થમાલા વિ.૧૦
Page #159
--------------------------------------------------------------------------
________________ 10 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા - 15) (સ.અ.), સંપા. મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. સિંઘી જૈન ગ્રન્થમાલા, અમદાવાદ-કલકત્તા, 1941, પૃ.૧૦+૧૦૪+૪૭] (શ્રીમદ્ યશોવિજયજીરચિત) સમ્યક્તના 67 બોલની સઝાય, પ્રયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. પોતે, મુંબઈ, 1912, પૃ.૨૪ [18] સુજસવેલી ભાસ (શ્રીમદ્ યશોવિજયજીનો ટૂંક પરિચય), સંપા. મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. જ્યોતિ કાર્યાલય, અમદાવાદ, વિ.સં. 1990, પૃ.૪૨ [19] 4. પ્રકીર્ણ જૈનીઝમજૈનધર્મ, હર્બર્ટ વોરેન, અનુ. મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. મેઘજી હીરજીની કંપની, મુંબઈ, 1910, પૃ.૪+૧૫ પ્રિકાશકના આમુખમાં ભાષાંતર કરી આપનાર તરીકે મોહનલાલ દલીચંદ તથા ઉમેદચંદ દોલતચંદનો ઉલ્લેખ [20] સ્વામી વિવેકાનંદના પત્રો (તેમની સંક્ષિપ્ત જીવનરેખા સહિત), અનુ. મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, મુંબઈ, વિ.સં. 1968, પૃ.૧૦+૮૦+૧૮૫ [21]
Page #160
--------------------------------------------------------------------------
________________ લેખસૂચિ - - - - - - તંત્રીનોંધો, કૃતિસંપાદનો તથા કાવ્યોની સૂચિનો સમાવેશ છે. ખ વિભાગ પુસ્તકોનાં સ્વીકાર અને સમાલોચનાની સૂચિનો છે. ક વિભાગની સૂચિને નીચે પ્રમાણેના પેટાવિભાગોમાં કક્કાવારી અનુસાર ગોઠવી છે: 1. વિચારાત્મક 2. સાહિત્યિક 3. સંપાદન 4. ઐતિહાસિક 5. ચરિત્રાત્મક 6. સંસ્થા પરિચયો અને સંમેલન-અહેવાલો 7. સામયિકો 8. પ્રકીર્ણ અને 9, કાવ્ય. શ્રી મો.દ.દેશાઈના કેટલાક લેખોને આ કે તે વિભાગમાં મૂકવા અંગે જ્યાં દ્વિધા થઈ છે અથવા તો કેટલાક લેખો સ્પષ્ટતઃ બન્ને વિભાગોમાં મૂકી શકાય એવા લાગ્યા છે ત્યાં લેખોને બંને વિભાગોમાં મૂક્યા છે. અન્ય વિભાગમાં મુકાયાનો નિર્દેશ કૌંસમાં કરવામાં આવ્યો છે. બાકીના લેખોને કોઈ એક જ વિભાગમાં મૂક્યા છે તેમાંના પણ કેટલાક એવા છે જેને વિશે આ કે તે વિભાગમાં ગોઠવવાની દ્વિધા થઈ હોય; છતાં વિષયના મુખ્ય ઝોકને ધ્યાનમાં રાખી ગોઠવણીનો નિર્ણય લીધો છે. ખાસ કરીને સાહિત્યિક ચરિત્રાત્મક-ઐતિહાસિક વિભાગના કેટલાક લેખોમાં આમ બન્યું છે. ક્યારેક એક જ લેખ બે જુદાં જુદાં સામયિકોમાં જુદા જુદા શીર્ષકથી પ્રકાશિત થયો છે ત્યાં તે બંને શીર્ષકો જે-તે સ્થાને સૂચિમાં સમાવી લીધાં છે. કૌંસમાં અન્ય શીર્ષક અને એના સંદર્ભનો નિર્દેશ કરાયો છે. અન્ય લેખકોનાં લખાણોનો જ્યાં શ્રી દેશાઈએ અનુવાદ પ્રગટ કર્યો છે તેમનો પણ સૂચિમાં સમાવેશ કર્યો છે અને તે લખાણ અનૂદિત હોવાનો નિર્દેશ કર્યો છે. મોહનભાઈના તંત્રીપદ હેઠળ પ્રગટતાં “જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ” અને નિયુગનાં કેટલાંક લખાણો એવા છે જેની સાથે લેખકનું નામ મુકાયું નથી, પણ એ લખાણ/અનુવાદ તંત્રી તરીકે મોહનભાઈનાં હોવાનો સંભવ જ્યાં
Page #161
--------------------------------------------------------------------------
________________ 148 વિરલ વિદ્વતંતિભા અને મનુષ્ય પ્રતિભા જણાયો છે ત્યાં એ લખાણ/અનુવાદ મોહનભાઈનાં હોવાના સંભવનો નિર્દેશ કર્યો છે. કાવ્યવિભાગમાં પણ કેટલેક સ્થળે કર્તાનું નામ નથી. પણ જે કાવ્યો મોહનભાઈનાં હોવાનો સંભવ લાગ્યો છે તેવાં કાવ્યોને સૂચિમાં સમાવી લીધાં છે. “જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ” અને “જૈનયુગ'ના તંત્રી તરીકે મોહનભાઈ નિયમિત રીતે તંત્રીનોંધો લખતા. આવી નોંધો “જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ'માં “તંત્રીની નોંધ”, “ફુટ ઉગાર', “Úટ વિચાર', “ફુટ નોંધ - Editorial Notes' એવાં મુખ્ય મથાળાં નીચે મોહનભાઈએ પ્રગટ કરી છે, જ્યારે “જૈનયુગ'માં આવી નોંધો “તંત્રીની નોંઘ', “જૂનું નવું ને જાણવા જેવું, “તંત્રીનું વક્તવ્ય,” “મારી કેટલીક નોંઘો વગેરે મુખ્ય મથાળાં નીચે પ્રગટ કરી છે. આવાં મથાળાં નીચે વિષયવૈવિધ્યવાળી પ્રાસંગિક નોંધોને અલગ પેટાશીર્ષકો પણ મોહનભાઈએ આપ્યાં છે. આ પેટાશીર્ષકવાળી બધી નોંધોને જે-તે વિભાગમાં ફાળવી કક્કાવારીના ક્રમમાં સમાવી છે; અને શીર્ષક પછી કસમાં તંત્રીનોંધ' એવો નિર્દેશ કર્યો છે. “તંત્રીનું નિવેદન એ મથાળા નીચે શ્રી દેશાઈએ કરેલાં કેટલાંક પ્રાસંગિક લખાણોને પણ તંત્રીનોંધ” તરીકે જ ગણી લેવામાં આવ્યાં છે. સૂચિમાં “જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ' સામયિકનો નિર્દેશ જૈ.જે.કૉ.હે.” તરીકે સઘળે કર્યો છે. “પુ.” સામયિકનું વર્ષ સૂચવે છે. | ની નિશાની પછીનો ક્રમાંક તે વર્ષના અંકનો ક્રમ સૂચવે છે. હિન્દુ મહિના પછીનો વર્ષનો આંકડો વિક્રમ સંવતનો, જ્યારે ખ્રિસ્તી માસ પછીનો વર્ષનો આંકડો ઈસવી સનનો સમજવાનો છે. જ્યાં લેખના શીર્ષકમાં લેખનો વિષય અસ્પષ્ટ કે અપ્રગટ રહી જતો લાગ્યો છે ત્યાં કૌંસમાં તદ્વિષયક સંક્ષિપ્ત વિગત આપી છે. એ જ રીતે ક્યાંક નામોલ્લેખ પણ કર્યો છે. જ્યાં કેવળ પ્રણાલીગત રીતે આદરવાચક “શ્રી', “શ્રીયુત”, “શ્રીમદ્’, “શ્રીમતી”, “મિ.” વગેરે શબ્દોથી શીર્ષક શરૂ થતું હોય ત્યાં તેવા શબ્દોને કૌંસમાં મૂક્યા છે. અંગ્રેજી શીર્ષકને ગુજરાતી લિપિમાં લીધું છે તે ગુજરાતી કક્કાવારીના ક્રમમાં ગોઠવ્યું છે ને કૌંસમાં “અંગ્રેજી' એવી નોંધ મૂકી છે. ક્યાંક સંદર્ભની વિગતમાં પ્રકાશકોદિની માહિતી ઉપલબ્ધ નહીં બનતાં, છે તે જ આપી છે. બુકસેલર કે વિક્રેતાને પણ પ્રકાશક જ
Page #162
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેબસૂચિ 149 ગણી લીધા છે. ક્યાંક લેખના પૃષ્ઠક્રમાંક ઉપલબ્ધ બન્યા નથી ત્યાં - નિશાની કરી છે. સૂચિનો ક્રમાંક ખાનાની જમણી બાજુ છેડા પર ચોરસ કૌંસમાં દર્શાવાયો છે. બ વિભાગમાં પુસ્તકોનાં સ્વીકાર અને સમાલોચનાની સૂચિ છે. ખ વિભાગને બે પેટા વિભાગોમાં વહેંચ્યો છે. ૧માં સ્વીકાર અને સમાલોચના છે. સામાન્યતઃ મોહનભાઈ જે પુસ્તકની સમાલોચના કરતા તે પુસ્તકનામથી તેનું મથાળું બાંધતા. અને તે પુસ્તકના કર્તા, સંપાદક, અનુવાદક, ટીકાકાર, પ્રકાશક વગેરે વિશે માહિતી આપતા. અહીં સૂચિમાં પુસ્તક સંદર્ભે આવી જે નક્કર માહિતી ઉપલબ્ધ બની છે તે સમાવી લીધી છે. ખ-૧ ને પણ ત્રણ પેટાવિભાગોમાં વહેંચ્યો છે. (1) પુસ્તકો (2) સામયિકો અને (3) સંસ્થાઓના વાર્ષિક હેવાલો. ખ-૨ પરિશિષ્ટ છે. જેમાં મળેલાં પુસ્તકોનો માત્ર સ્વીકાર છે. અહીં મોહનભાઈની કોઈ સમાલોચના નથી. મોહનભાઈએ પોતાને મળેલાં પુસ્તકોના કર્તા, પ્રકાશનાદિ ક્યાંક નોંધ્યા છે, ક્યાંક નથી પણ નોંધ્યા. ખ-૨ ની સૂચિને મોહનભાઈનાં કોઈ લખાણની નહીં, પણ (1) પુસ્તકો (2) સામયિકો અને (3) સંસ્થાઓના વાર્ષિક હેવાલોની કેવળ સ્વીકારસૂચિ ગણવાની છે. ખ વિભાગની સૂચિને ક્રમાંક આપ્યા નથી, કેમકે વિષયસૂચિમાં એનો સમાવેશ કર્યો નથી.] (ક) લેખો, તંત્રીનોંધો, કૃતિસંપાદનો તથા કાવ્યોની સૂચિ 1. વિચારાત્મક અજૈનોમાં જૈન ધર્મ સંબંધી ઘોર અજ્ઞાન (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૧૦, જેઠ 1982, પૃ.૪૩૩-૩૪. અહિંસા ઉપર લાલા લજપતરાય (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/s, મહા 1982, પૃ.૨૦૧-૦૩. અંધ ધર્મઝનૂન અને વિચારની અસહિષ્ણુતા (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.4/11-12, અષાડ-શ્રાવણ 1985, પૃ.૫૨૨-૨૩. [3] આગમોનું અધ્યયન કેવા પ્રકારનું હોવું જોઈએ . (તંત્રીનોંધ) : જૈ જે.કહે, પુ.૧૩/૨, ફેબ્રુ.૧૯૧૭, પૃ.૩૮-૩૯. આગામી કૉન્ફરન્સની બેઠકમાં ખાસ કરવા ઈગ્ય બાબતો (તંત્રીનોંધ) : [1]
Page #163
--------------------------------------------------------------------------
________________ 150 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા | [10]. જૈનયુગ, પુ.૪/૧, ભાદરવો 1984, પૃ.૪-૫. [5] આત્મઘાત - એક બહેન પ્રત્યે પત્ર : પત્ર-૧ (17-1-14) સ્નેહશાલિની બહેન : જૈ.જે.કૉ.હે. પુ.૧૨/૮-૯-[૧૦]/ ઑગષ્ટ-સપ્ટે.-[ઑક્ટો.] 1916, પૃ.૨૪૪-૬૦. પત્ર-૨ (35-14) પ્રિયદર્શનાબહેન : જૈ..કૉ.હે., પુ.૧૩/૨, ફેબ્રુ.૧૯૧૭, પૃ.૪૪-૪૮. [] આપણી સંસ્કૃત પાઠશાળાઓ : જૈ.ચે.કૉ.હે., પૃ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૪૯-૫૦. [એના વિકાસ માટે શું-શું કરી શકાય ?] [7] આપણી સંસ્થાઓ અને દેશી રાજ્યો (તંત્રીનોંધ): જૈનયુગ, પુ.૪/૩-૪, કારતક-માગશર 1985, પૃ.૧૬૭-૬૮. [] આપણે કેવા દેખાવું જોઈએ ? : આત્માનંદ પ્રકાશ, પૃ.૮/૧૦, વૈશાખ 1967, પૃ.૨૪૬-૫૦. આયુર્વેદિક ઔષધાલય (દવાશાળા) (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ. હે., પૃ.૧૩/૩, માર્ચ 1917, પૃ.૭૫-૭૬. આસ્તિકોનું કર્તવ્ય (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.4/3-4, કારતક-માગશર 1985, પૃ.૧૬૯-૭૫. [સાગરાનંદસૂરિએ વ્યક્ત કરેલા વિચારોથી જાગેલો ખળભળાટ - તંત્રીનો પ્રતિભાવ) [11] એક પત્ર : ૐનયુગ, પુ.૪, વૈશાખ 1985, પૃ.૩૮૯-૯૨. [ચીમન શાહ મો.દ.દેશાઈ ઉપર લખેલો પત્ર. પત્રને અંતે શ્રી દેશાઈનું પત્ર પર વિવરણ, જેમાં જૈન સમાજના કર્તવ્ય અંગે વિચારો.] [12] એક વિદ્વાન મહારાજાએ જૈન સમાજને આપેલી કિંમતી સલાહ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., પૃ.૧૩૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ. 277. [13] ઐક્ય ક્યારે કરીશું? હમણાં જ : જૈશ્વેિ.કૉ.હે., પુ.૧૨/૧, જાન્યુ. 1916, પૃ.-૮, 25-26. ઐતિહાસિક પુરષો નો ઉત્સવ શા માટે કરવો જોઈએ? : જે.જે.કૉ.હે., 5.89, સપ્ટે. 1912, પૃ.૨૯૯-૩૦૩. [લખાણ સંભવતઃ તંત્રીનું [5] કાકા કાલેલકર અને છાત્રાલયો (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.3/6-7, મહા-ફાગણ 1984, પૃ. 198. [અમરેલી મુકામે ભરાયેલા છાત્રાલય-સંમેલનના
Page #164
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 151 [17] પ્રમુખસ્થાનેથી કાલેલકરે આપેલા ભાષણના કેટલાક મુદ્દા] [1] કાગડાઓને શું શાંતિથી રહેવાનો હક્ક નથી ? (તંત્રીનોંધ) : જૈ.વ્ય.કૉ. હે, પુ.૧૨/૮, ઑગસ્ટ 1916, પૃ.૩૪૪-૪૬. કાલસ્વરૂપ : જૈ.એ.કૉ.હે., પૂ.૧૨,૮-૯-[૧૦], ઑગષ્ટ-સપ્ટે.-ઑક્ટો.] 1916, પૃ.૨૮૩-૮૯. [18] કુમારિકાઓનો સંવાદ : જૈનયુગ, પુ.૩૮, વૈશાખ 1984, પૃ.૩૨૨ 25. [સામાજિક કુરૂઢિઓનું ખંડન; કજોડાં આદિ વિશે સુધારાની હિમાયત] [19] ગુજરાતી ભાષાના વિકાસ માટે “પ્રાકૃત'નું આલંબન લેવું જોઈએ કે નહિ? (તંત્રીનોંધ): જૈ.જે.કૉ.હે., પૃ.૮૬, જૂન 1912, પૃ.૧૭૭-૭૮.[૨૦] જર્મન ભાષામાં જિનાગમ સંબંધે પ્રોફેસર વેબર : સનાતન જૈન, પૃ. 3/1-2 3-4, ઑગષ્ટ-સપ્ટે.-ઑક્ટો.-નવે. 1907, પૃ.૩૭-૫૦; 5.3/5-67, ડિસે.-જાન્યુ.-ફેબ્રુ. 1907-08, પૃ.૨૨૪-૨૯; 5.3/8-11, માર્ચજૂન 1908, પૃ.૨૮૧-૯૦. [અંગ્રેજી ભાષાંતરકાર ડૉ. હર્બર્ટ વેઅર મિથ. ગુજ. ભાષાંતરકાર મો.દાદેશાઈ.]. જૈન આરોગ્યભવનો (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૫, પોષ 1982, પૃ.૧૬૪-૬૫. વિલેપારલેમાં એક આરોગ્યભવન ખુલ્લું મુકાયું તેમજ અગાશી, મલાડનાં આરોગ્યભવનો થયેલાં છે તેનાથી પ્રેરિત.] [2] જૈન ઇતિહાસની જરૂર (તંત્રીનોંધ) : જૈ જે કૉ.હે., પુ.૧૦/૭, જુલાઈ 1914, પૃ.૨૦૯. [પંજાબ હિંદુ સભા “જૈન ધર્મનો ઇતિહાસ” પ્રકાશિત કરવા માગે છે. ઈતિહાસ લખનારને સંસ્થાના મંત્રીની બધી તજવીજ કરી આપવા તૈયારી.] [23] (શ્રીમતી) જૈન કૉન્ફરન્સ અને સમાજ સંબંધી થોડા વિચારો : જૈનયુગ, 5.5/6-7-8, મહા-ફાગણ-ચૈત્ર 1986, પૃ.૨૦૩-૧૩. [જુઓ સંસ્થા પરિચયો અને સંમલેન-અહેવાલો વિભાગની સૂચિ.] [24] જૈન ગરીબ બાળકો જૈન, પુ.૭/૫, 2 મે 1909, પૃ.. [આવાં બાળકોની કેળવણી અને વિકાસ માટે શું-શું કરી શકાય. [25] જૈન તત્ત્વ દિગ્દર્શન : જૈન, 5.7/4, 15 એપ્રિલ 1909, પૃ. પ-૭;
Page #165
--------------------------------------------------------------------------
________________ 152 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા [27] પુ.૭/૫, 2 મે 1909, પૃ.૫-૬. [કર્તા વિજયધર્મસૂરિ, અનુવાદક મો.દ.દેસાઈ [] જૈન દૃષ્ટિએ મહાત્મા ગાંધી : જૈનયુગ, પુ.૫/૧-૨-૩, ભાદરવો-આસો-કારતક 1985-86, પૃ.૨-૧૫. [મુંબઈ-માંગરોળ જૈન સભા ભાષણશ્રેણી અંતર્ગત અપાયેલ વ્યાખ્યાન જૈન ધર્મ પર આવેલા આક્ષેપો (તંત્રીનોંધ) : જૈ .કૉ.હે, 5.13/7, જુલાઈ 1917, પૃ.૧૯૯. [28] જૈન ધર્મમાં પરિવર્તનો અને તેનાં પરિણામો : પુસ્તક : પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો [વર્ષ ત્રીજું, પ્રકા. મુંબઈ જૈન યુવક સંઘ, મુંબઈ, 1932, પૃ.૮૭-૧૦૪. [મુંબઈની ૧૯૩૨ની પર્યુષણ- વ્યાખ્યાનમાળામાં અપાયેલું વ્યાખ્યાન (જુઓ ઐતિ. વિભાગની સૂચિ.] [29] જૈન પરિષદ કેવી જોઈએ? (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.33, કારતક 1984, પૃ.૬૩-૬૪. [વાંકાનેર સ્થાનક્વાસી કૉન્ફરન્સ પ્રસંગે ગાંધીજી અને લાલા લજપતરાયના મળેલા સંદેશા અને મો.દ.દેશાઈની વધુ વિચારણા] જૈન વાચનમાળા : જૈનયુગ, પુ.૧૯, વૈશાખ 1982, પૃ.૩૯૭-૪૦૨. [કૈન વાચનમાળા કેવી હોવી જોઈએ અને એણે ક્યો હેતુ સિદ્ધ કરવાનો છે તે વિશે.] [31] જૈન શાસ્ત્ર અને શિલ્પવિઘા (તંત્રીનોંધ) : જૈ.હૈ.કૉ.હે., પૃ.૯૭, જુલાઈ 1913, પૃ.૨૧૬-૧૭. [32] જૈન શિક્ષણ સુધારણા પરિષદ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧૯, વૈશાખ 1982, પૃ.૩૯૨-૯૩. જૈન શિલ્પ (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.1/4, મહા 1982, પૃ.૨૦૩-૦૪. [34] જૈન શુદ્ધિ (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.ર/પ, પોષ 1983, પૃ.૨૦૫-૦૬.[૩૫] જૈન સમાજની નૌકા શું ડૂબે છે? (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ૪/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1985, પૃ.૫૧-૧૭. | [36] જૈન સ્વયંસેવક સંમેલન (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૭, ફાગણ 1982, પૃ.૨૪૧-૪૪. [મુંબઈની સ્વયંસેવક સંસ્થા તરફથી સોળ પ્રશ્નોની [33]
Page #166
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 153 પ્રશ્નાવલીના ઉત્તરો.] [37] જૈનો અને વ્યાયામ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/૪, મહા 1983, પૃ.૨૪૫-૪૬. [38] જૈનોના ઘેર પણ દારૂ ને ઈડાં ખવાય છે ? (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.4/11-12, અષાડ-શ્રાવણ 1985, પૃ.૫૧૯-૨૧. [39] જૈનોની ગરીબાઈ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ. હે, 5.85, મે 1912, પૃ.૧૪૨-૪૩. [40] જૈનોમાંથી લાચારી અને ગરીબાઈ દૂર કરવાની જરૂર : જૈ.એ.કૉ.હે., પુ.૧૨/૨, ફેબ્રુ. 1916, પૃ.૪૭-૫૦. [41] જ્ઞાનીઓનાં કથન અને પદાર્થવિજ્ઞાનીઓની શોધોનાં પરિણામ વચ્ચે આશ્ચર્ય જ તક મળતાપણું (તંત્રીનોંઘ) : જૈ.જે.કહે,, 5.9/5, મે 1913, પૃ.૧૭૪-૭૫. [42] તંત્રીનું નિવેદન (તંત્રીનોંધ) જૈ.જે.કૉ.હે., પુ.૧૧/૭-૧૦, જુલાઈ-ઑક્ટો. 1915, પૃ.૨૧૩-૧૭. જૈિન ઇતિહાસની આવશ્યકતા વિશે] [43] ત્રણ તત્ત્વ 1. ઈશ્વર તત્ત્વ - સદૈવ તત્વ 2. સદ્ગુરુ તત્ત્વ 3. સદ્ધર્મ તત્ત્વ : જૈ શ્વે.કૉ.હે., પૃ.૧૩/૨, ફેબ્રુ. 1917, પૃ.૪૮-૫૮. [44] દીક્ષાનો પ્રશ્ન (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.4/11-12, અષાડ-શ્રાવણ 1985, 'પૃ.૫૨૧-૨૨. [45] દીક્ષામીમાંસા : જૈનયુગ, પુ.૪/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1985, પૃ.૪૮૮ 99; 5.5/1-2-3, ભાદરવો-આસો-કારતક 1985-86, પૃ.૭૦-૭૮; પુ.પ/૪-૫, માગશર-પોષ 1986, પૃ.૧૮૭-૯૯. [4] દુનિયામાં જૈન સંઘનું સ્થાન - એ જોખમદારીઓ અદા કરવા માટે જ્ઞાનનો પ્રચાર કરવાની અનિવાર્ય જરૂર - જ્ઞાનપ્રચાર માટે વ્યવહારુ રસ્તા તાકીદ યોજવાની કેટલાક હિતેચ્છુઓ તરફથી થતી હિલચાલ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., પૃ.૯/૧૦, ઑક્ટો. 1913, પૃ.૪૯૦-૯૩. [47] દેવપૂજા : જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૩૩-૩૪. [48] દેશી રાજાઓને માનપાન (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવોઆસો-કારતક 1985-8, પૃ.૧૧-૧૭. [49]
Page #167
--------------------------------------------------------------------------
________________ 154 વિરલ વિદ્ધપ્રતિભા અને મનુષ્યપ્રતિભા દ્રવ્યનું સ્વરૂપ (એક શિક્ષણપાઠ) : જૈનયુગ, પુ.૧/૨, આસો 1981, પૃ.૬૧. [50] ઘર્મની લાગણી દુભવવા સંબંધીનું જજમેન્ટ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૩૯, વૈશાખ 1984, પૃ.૩૦૨-૦૩. [51] ધર્મનું વ્યાવહારિક સ્વરૂપ : જૈ..કો.હે., પૃ.૧૧/૬, જૂન 1915, પૃ.૧૮-૨૦૦. (તા. ૧-૮-૧૯૧૪ના રોજ આપેલું, મુંબઈ અને માંગરોળ સભાની ભાષણશ્રેણી અંતર્ગત ભાષણ [52] ધાર્મિક અસહિષ્ણુતા અને તડાં (તંત્રીનોંધ) જૈનયુગ, પુ. 3/4, માગશર 1984, પૃ.૯૫-૯૬. [53] નવીન વર્ષ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવો-આસો-કારતક 1985-86, પૃ.૧૧૪. નૂિતન વર્ષે શુભેચ્છાઓ પાર પાડવા બળ કેળવવા વિશે [54] નવીન વર્ષનું ટૂંકું વક્તવ્ય જૈ..કૉ.હે., પૃ.૧૫/૧-૨, જાન્યુ.-ફેબ્રુ. 1919, પૃ.૧૯. [સામાન્ય કર્તવ્યબોધ [55] નિક્ષેપસ્વરૂપ : જૈ.જે.કૉ.હે., પુ.૧૫/૧-૨, જાન્યુ.-ફેબ્રુ. 1919, પૃ. 28 પ૩. ન્યાય-તર્કનો અભ્યાસ શા માટે કરો? (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૩/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1984, પૃ.૩૯૭-૯૯. [] ન્યાયનાં સરલ અને સ્પષ્ટ પુસ્તકોની જરૂર (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૩૯૯. પડદો કાઢી નાંખો (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૩૯૬-૯૭. [59] પત્રકારની ફરજો (તંત્રીનોંઘ) : જૈ.હૈ.કૉ.હે., પૃ.૧૩/૭, જુલાઈ 1917, પૃ.૧૯૮-૯૯. [0] પર્યુષણપર્વ (તંત્રીનોંધ) જૈયુગ, પુ.૪/૧, ભાદરવો 1984, પૃ.૨-૩.[૧] પર્યુષણાપર્વ નિર્ણય (તંત્રીનોંધ) : જૈ.ચે.કો.હે., પુ.૧૩/૯-૧૦-૧૧, સપ્ટે.ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૨૭૫. [2] પ્રમુખ રા. મોહનલાલ દલીચંદ દેશાઈનું ભાષણ (શ્રી દક્ષિણ મહારાષ્ટ્ર જૈન છે. [5]
Page #168
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 155 પ્રાન્તિક પરિષદ ૪થું અધિવેશન તા.૨૭-૨૮ ડિસે. 1926, શીરોળરોડ) : જૈનયુગ પુ.૨/૫, પોષ 1983, પૃ.૨૦૯-૨૧. [શત્રુંજય પ્રકરણનો ઈતિહાસ તથા જૈનોની સામાજિક સ્થિતિની ચર્ચા. “જૈન'માં આ ભાષણ સામાજિક મનોદશા” નામે છપાયું છે. જુઓ આ વિભાગની સૂચિ.] [3] પ્રમુખનું ભાષણ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૫/૬-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1986, પૃ.૨૧૯-૨૪. [જુર કૉન્ફરન્સના પ્રમુખ રાવસાહેબ રવજી સોજપાલનું જૈન સમાજના પ્રશ્નો વિશે ભાષણ જિઓ સંસ્થા પરિચયો અને સંમેલન-અહેવાલો વિભાગની સૂચિ.] [4] પ્રાકૃત ભાષાની ઉપયોગિતા અને તેને યુનિવર્સિટીમાં સ્થાન (તંત્રીનોંધ) : જે.જે.કૉ.હે., પુ.૧૩૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ. ૨૭૧-૭પ. [] ભારતનો જૈન સંપ્રદાય : જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૨૯-૩૨; પુ.૧/૨, આસો 1981, પૃ.૭૩-૭૪. [પ્રા. ડૉ. જે. સી. બુદ્ધના લેખનો અનુવાદ) | [ ] મહાત્મા ગાંધીજી - કેટલાક ધાર્મિક વિચારો પુ.પર્યુષણ પર્વના વ્યાખ્યાનો [વર્ષ બીજું, પ્રકા. મુંબઈ જૈન યુવક સંઘ, મુંબઈ, 1937, પૃ.૧૫૭-૭૫ [મુંબઈની ૧૯૩ની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અપાયેલું વ્યાખ્યાન][૭] (શ્રી) મહાવીર જયન્તી વિશે કંઈક વક્તવ્ય (તંત્રીનોંધ) જૈનયુગ, 5.4-78, મહા-ફાગણ-ચૈત્ર 1985, પૃ.૨૨૯-૩૦. [68] યતિઓનું સંગઠન (તંત્રીનોંઘ) : જૈનયુગ, પુ.૧/૪, મહા 1982, 'પૃ. 240. [9] યશોવિજયજીનો ક્રિયાઉદ્ધાર : જૈનયુગ, પુ.૧/૩, કારતક 1982, પૃ.૯૪ 95. [70] યુવાનોનો અવાજ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૪/૧૦, જેઠ 1985, પૃ.૪૩૫ 3. [અમદાવાદમાં યુવાનોએ એક યુવાન બાળા સાથે વૃદ્ધનું લગ્ન અટકાવેલું તે પરથી [71] રાગદ્વેષનો ક્ષય એ જ મોક્ષનો ઉપાય છે : જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડ શ્રાવણ 1986, પૃ.૪૯૪-૯૫. [યશોવિજયજીકૃત ઘર્મપરીક્ષાની ઉપાંત્ય
Page #169
--------------------------------------------------------------------------
________________ 15 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા [77] ગાથા 107 પરનું વિવરણ] [72] રાજકીય પ્રવૃત્તિ (તંત્રીનોંધ) : જૈ.જે.કો.હે., પુ. 13/9-10-11, સપ્ટે.ઑક્ટો.-નવે. 1917, પૃ. 275-77. [73] રાજભક્તિની અવધિ (તંત્રીનોંધ) : જૈ.એ.કૉ.હે, પુ.૧૨/૭, જુલાઈ 1916, પૃ.૨૧૬-૧૭. [અર્જુનલાલ શેઠીના જેલવાસ અંગેની વિગત “હેરલ્ડ'માં લેવી ઠીક નથી એવો પત્ર ભાવનગરના એક શેઠે લખેલો તેનો કટાક્ષયુક્ત પ્રત્યુત્તર.] [74] લગ્નાદિ પ્રસંગોએ કેલવણી તથા બીજાં ખાતાંને મદદ (તંત્રીનોંધ) : જૈ.જે. કૉ. હે., પૃ.૧૩/૫, મે 1917, પૃ.૧૪૪-૪૫. [35] વાઇસરોયની ધારાસભામાં જૈન પ્રતિનિધિત્વ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ. હે, પુ.૧૨૮, ઑગષ્ટ 1916, પૃ.૩૫૦. [7] વાણીનો દુરુપયોગ (તંત્રીનોંધ) : જૈનયુગ, પૃ.૩૯, વૈશાખ 1984, પૃ.૩૦૩-૦૪. વિદેશમાં જૈન વસતિ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૪/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1985, પૃ.૫૧૮-૧૯. [78] વિદ્યાર્થીઓને : જૈનયુગ, 5.1/2, આસો 1981, પૃ.૭૧-૭૨. [18-7 ૨૫ના રોજ મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રમુખ તરીકે આપેલા ભાષણના મુદ્દા; વિદ્યાર્થીઓના જીવનઘડતર વિશે.] [9] વિદ્યાર્થીઓને : જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૧૬ 17. મિહાવીર જૈન વિદ્યાલયના પ્રીતિસંમેલનમાં 3-8-24 ને દિને આપેલ વ્યાખ્યાન. વિદ્યાર્થીઓની જ્ઞાનોપાસના વિશે.] [20] શું સાધુ સંઘ ઉત્થાપવા યોગ્ય છે ? નહીં જ H જૈ.જે.કૉ.હે., પુ.૧૨/૧, જાન્યુ.૧૯૧૬, પૃ.૨-૫. [ભારત જૈન મહામંડળના વાર્ષિક ઉત્સવમાં પ્રા. ખુશાલ તલકશી શાહે દર્શાવેલા વિચારોની ચર્ચા] [41] શું યાદ્વાદ સંશયવાદ છે ? (તંત્રીનોંધ) : જૈશે.કહે, પુ.૧૩/૧, જાન્યુ. 1917, પૃ. 2-3. [2] સમાજમાં નારીનું સ્થાન (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૧૧, અષાડ 1982, પૃ.૪૮૩-૮૬. ['પાટીદાર'ના અંકમાં એના તંત્રી નરસિંહભાઈ પટેલના
Page #170
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 157 હિંદુ સમાજમાં નારીનું સ્થાન” એ લેખનો કેટલોક ઉતારો. પ્રસ્તુત લેખમાં સાહિત્યમાં નારીના મળતા ઉલ્લેખોનો આલેખ છે.] [3] સમ્યગુદર્શનઃ જૈ.હૈ.કૉ.હે., પુ.૧૩૩, માર્ચ 1917, પૃ. 82-88. [4] સંઘ એટલે શું? શ્રાવકવર્ગ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવોઆસો-કારતક 1985-86, પૃ.૧૧૩-૧૪. [85] સંઘની મહત્તા (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૪/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1985, પૃ.પર૪-૨૫. [8] સંપત્તિશાસ્ત્રનું ગૌરવઃ જૈન હિતેચ્છુ, પુ.૧૬૯-૧૦, સપ્ટે.-ઑક્ટો. 1914, પૃ– [કર્તા પ્રો. હરદયાલ. અનુવાદ) સંમતિવય સમિતિ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૪/૩-૪, કારતક-માગશર 1985, પૃ.૧૬૮-૬૯. [88] સંસ્થાઓમાં સહકાર (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૩/૧-૨, ભાદરવો-આસો 1983, પૃ.૩. [9] સાગરગ મુનિસમેલન પરથી ઊપજતા વિચારો. જુદાજુદા ગચ્છોનું ખેંચવામાં આવતું લક્ષ (તંત્રીનોંધ) : જૈશ્વેિકૉ.હે., પૃ.૯૬, જૂન 1913, પૃ. 181-87. સિમાજની ઉન્નતિનો ઘણો આધાર સાધુવર્ગ ઉપર હોઈ આ વર્ગે શું કરવું જોઈએ.] [જુઓ સંસ્થા પરિચયો અને સંમેલન-અહેવાલો વિભાગની સૂચિ.]. સાત ક્ષેત્રો : જૈનયુગ, 5.5/11-12, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૮૦-૮૨. [‘સપ્તક્ષેત્રુ રાસુરમાં દાન માટેનાં સાત ક્ષેત્રે આ પ્રમાણે : જિનભવન જિનબિંબ, જિનવચન, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. [1] સાધુઓ માટે શાળાઓ (તંત્રીનોંધ) જૈશ્વેિ.કૉ.હે, પુ.૧૩/૨, ફેબ્રુ.૧૯૧૭, પૃ.૩૭-૩૮. [2] સાધુઓનો કર્તવ્યમાર્ગ : જૈ.જે.કો.હે., પુ.૧૫/૧-૨, જાન્યુ.-ફેબ્રુ. 1919, પૃ.૧૯-૨૩. સાધુશાળા માટે થતો પ્રયાસ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., પુ.૧૩/ક, જૂન 1917, પૃ.૧ . [4] સામાજિક મનોદશા જૈન પુ.ર૫૯, 27 ફેબ્રુ. 1927, પૃ.– પુ.૨૫
Page #171
--------------------------------------------------------------------------
________________ 158 વિરલ વિદ્ધત્મતિભા અને મનુષ્ય પ્રતિભા 13 માર્ચ 1927, પૃ.–; 5.25/12, 20 માર્ચ 1927, પૃ.–; 5.25/13, 27 માર્ચ 1927, પૃ.-; 5.25/14, 3 એપ્રિલ 1927, પૃ.– [‘જૈનયુગમાં આ જ લેખ “પ્રમુખ રા. મોહનલાલ દલીચંદ દેશાઈનું ભાષણ' એ શીર્ષકથી છપાયો છે. જુઓ આ વિભાગની સૂચિ.] [5] સાંવત્સરિક પ્રતિક્રમણ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવોઆસો-કારતક 1985-86, પૃ.૧૧૧-૧૨. [] સ્ત્રીઓના હક્કો વિશે સંવાદ : જૈનયુગ, પુ.૪૬-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1985, પૃ.૨૫૬-૫૮. [બાબુ બંકિમચંદ્રના સમાનતાના લેખ પર આધારિત.] [7] સ્ત્રીના અધિકાર (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૩/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1984, પૃ.૩૯૭. [અનુવાદ] [98] સ્ત્રીશિક્ષણની દૃષ્ટિ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૧૧, અષાડ 1982, પૃ.૪૮૬-૮૭ [ભાવનગરના મહિલા વિદ્યાલયના ૨૫-૨ના અહેવાલમાં એના આચાર્યના નિવેદનનો ઉતારો.] સ્વાગત સમિતિના અધ્યક્ષનું ભાષણ (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.પ/૬-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1986, પૃ.૨૧૭-૧૯. [જુર કૉન્ફરન્સમાં શ્રી ચુનીલાલ સરૂપચંદ રાજુરીકરનું જૈન સમાજના પ્રશ્નો વિશે ભાષણ] [જુઓ સંસ્થા પરિચયો અને સંમેલન-અહેવાલો વિભાગની સૂચિ.] [100] સ્વામી શ્રી વિવેકાનંદના પ્રેરણાપ્રદ વિચારો પુ.પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો [વર્ષ બીજું), પ્રકા.મુંબઈ જૈન યુવક સંઘ, મુંબઈ, 1937, પૃ.૭૯૧૦. [મુંબઈની ૧૯૩૬ની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અપાયેલું વ્યાખ્યાન [101] હાલના શુદ્ર કલહો (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૫, પોષ 1982, પૃ.૧૬૫-૬૭. [102] હાલના પત્રકારોને બે બોલ જે.જે.કો.હે., 5.15/1-2, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૯, પૃ.૨૭. સંભવતઃ મો.દ.દેશાઈનું લખાણ [103] હિન્દુનું સંગઠન (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૧/૫, પોષ 1982, પૃ.૧૬૨-૬૪. [હિન્દુ મહાસભાની બેઠકમાં લાલા લજપતરાયના પ્રમુખીય ભાષણના
Page #172
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 159 મુદ્દાઓ પર આધારિત મો.દ.દેશાઈની વિચારણા [જુઓ સંસ્થા પરિચયો અને સંમેલન-અહેવાલો વિભાગની સૂચિ.] [104] હુલડમાં જૈનોની દશા (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૪/૬-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1985, પૃ.૨૩૪. [105] 2. સાહિત્યિક અધ્યાત્મરસિક પંડિત દેવચંદ્રજી H 1. જૈનયુગ, પુ.૨૯, વૈશાખ 1983, પૃ.૪૨૩-૩૭; પુ.૨/૧૦, જેઠ 1983, પૃ.૪૭૩-૮૦; પુ.૨/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1983, પૃ.૫૬૭-૭૨; 2. પુસ્તક “શ્રીમદ્ દેવચંદ્રજી વિસ્તૃત જીવનચરિત્ર તથા દેવવિલાસ (નિર્વાણરાસ) (ચરિત્રલેખક : મણિલાલ મોહનલાલ પાદરાકર. રાસલેખક: શ્રીમદ્ દેવચંદ્રજીશિષ્ય શ્રી કવિયણ)નું પ્રાસ્તાવિક વક્તવ્ય, 1926. [10] અધ્યાત્મરસિક પંડિત દેવચંદ્રજી (પુરવણી) : જૈનયુગ, પુ.૩/૩, કારતક 1994, પૃ.૯૨. [107] અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય : મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ ગ્રંથ, પૃ. 202-15. [આ વિષય મુંબઈની ૧૯૪૧ની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન રૂપે રજૂ થયો હતો. [108] અરિસિંસ્કૃત સુકૃત સંકીર્તન (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૩/૬-૭, મહા-ફાગણ 1984, પૃ.૧૯૬-૯૭. [109] અસ્પષ્ટ હૃદય : જૈ.જે.કૉ.હે. 5.85, મે 1912, પૃ.૧૩૮-૩૯. [11] અંગ્રેજી ભાષામાં જૈન ધર્મ (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૧૩/૩, માર્ચ 1917, પૃ.૭૩-૭૪. [111] અંગ્રેજી ભાષામાં જૈન ધર્મ સંબંધી પુસ્તક (તંત્રીનોંધ) : જૈ.એ.કૉ.હે, પુ.૧૨/૭, જુલાઈ 1916, પૃ.૨૧૨. [જૈન ધર્મનું રેખાદર્શન' - Outline of Jainism' by Mr. Jagmanderlal Jiani. edited by Dr. F. W. Thomas. આ પુસ્તક કેમ્બ્રિજ યુનિ. તરફથી બહાર પાડવામાં હતું ત્યારે.]. [112] આનંદઘન બહોતરી (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૫, પોષ 1982, પૃ.૧૬૯-૭૧. [113]
Page #173
--------------------------------------------------------------------------
________________ 160 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મ - ઈન્યૂ.૮૦૦થી ઈ. પછી પરક (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૪/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1985, પૃ.૫૧૭ 18. [ચીમનલાલ જેચંદ શાહની “થીસીસ” ઉપર આધારિત મો.દ. દેશાઈએ આપેલો પ્રકરણવાર પુસ્તકપરિચય [14] એક મહાન જૈન સ્કોલર પ્રો. શુબિંગ (તંત્રીનોંઘ) : જૈનયુગ, 5.34, માગશર 1984, પૃ.૯૭-૯૮. [મુખ્યતઃ પ્રો. શુબિંગની સાહિત્યસેવાનો પરિચય) [115] કયાં પુસ્તકો નવીન ઢબમાં લખાવા યોગ્ય છે. (તંત્રીનોંધ) : જૈન.જે.કૉ હે., પુ. 13/4, એપ્રિલ 1917, પૃ.૧૦૪-૦૫. [11] કલ્પસૂત્ર [આ વિષય મુંબઈની ૧૯૩૯ની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં રજૂ થયો હતો. મુદ્રિતની માહિતી નથી.] 117] કવિ બનારસીદાસ : જે.જે.કૉ.હે, પુ.૧૧/૭-૮-૯-[૧૦], જુલાઈ-ઑગષ્ટસપ્ટેમ્બર-[ઑક્ટો.] 1915, પૃ.૪૧૭-૧૯. [118] કવિવર ઋષભદાસ : આનંદ કાવ્ય મહૌદધિ ભા.૮, 1927, પૃ.૩૧૧૦૪. [11] કવિવર નયસુંદર: આનંદ કાવ્ય મહોદધિ ભા.૧, 1918, પૃ. 1-35. [120] કવિવર સમયસુંદર H 1. જૈન સાહિત્ય સંશોધન .23-4, 1925, પૃ.૧ 71; 2. આનંદ કાવ્ય મહૌદધિ ભા.૭, 1926, પૃ.(૧)-(૧૧૨); 3. સાતમી ગુજ. સા. પરિષદ, પૃ. [121] કવિવર સમયસુંદર : જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૫ર૫૩. [122] કુરલ નામની તામિલ જૈન કૃતિનું અંગ્રેજી ભાષાંતર (તંત્રીનોંધ) જૈશ્વેિ.કો.હે, પુ.૧૨/૮, ઑગષ્ટ 1986, પૃ.૩૪૭-૪૮. A [123] કુશળલાભ ઉપાધ્યાય : આનંદ કાવ્ય મહૌદધિ ભા.૧, 1926, પૃ.૧૪૩)-(૧૫૮). [124] કેટલાક અનુપલબ્ધ - ઉપલબ્ધ ગ્રંથો (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૧/૭, ફાગણ 1982, પૃ.૨૪૬-૪૭. [125] ગિરનાર (તંત્રીનોંધ)ઃ જૈનયુગ, પુ.૨૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૪૪.
Page #174
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ–લેખસૂચિ 161 [130] [‘ગિરનાર' વિશે નલિનકાને રચેલી કવિતાના અંશો] [12] ગુજરાતના શ્વેતાંબરોનું સાહિત્ય: જૈનયુગ, પુ.૧/૪, મહા 1982, પૃ.૨૦૯ 15. [જોહન્સ હર્ટલના લેખનો મો.દ.દેશાઈએ કરેલો અનુવાદ.] [127] ગૂજરાતનો એક વૈદ્યક ગ્રંથ - 4રપર નય : જૈન રીપ્ય મહોત્સવ સ્મરણાંક, વસંતપંચમી 1986, પૃ.૧૩૬-૪૧. [કર્તા જયરનગણિ] [128] જેસલમીર તથા બીજા જૈન ભંડારો (તંત્રીનોંધ) : જૈ.જે.કોં. 9, પુ.૧૨/૭, જુલાઈ 1916, પૃ.૨૧૨-૧૩. [129] જેસલમેર પુસ્તકોદ્ધાર (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૭, ફાગણ 1982, પૃ.૨૪૫-૪૬. જૈન અંગ સાહિત્ય (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૩/૪, માગશર 1984, પૃ.૯૯૭. [131] જૈન ઇતિહાસ સામગ્રી (તંત્રીનોંધ) : જે.જે.કૉ. હે., પૂ.૧૨/૭, જુલાઈ 1916, પૃ.૨૧૦-૧૨. [13] જૈન ઇતિહાસની પ્રગતિ (તંત્રીનોંધ) : જૈ.વ્ય.કૉ.હે., પુ.૧૨/૮, ઑગસ્ટ 1916, પૃ.૩૪૩-૪૪. [મુનિશ્રી વિદ્યાવિજયજી તરફથી | નિમિત્તથી બહાર પડનારાં પુસ્તકો 1. વિજયતિલકસૂરિરાસ 2. ઐતિ. રાસસંગ્રહ 3. ઐતિ. સઝાયમાલા. મણિલાલ બકોરભાઈ વ્યાસ તરફથી સંશોધિત થઈ લાવણ્યસમયરચિત “યશોભદ્રસૂરિરાસ'નું પ્રકાશન તેમજ શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલે વસ્તુપાલરચિત નરનારાયણાનંદ કાવ્ય છપાવ્યું. [133] જૈન ઉપનિષદ (તંત્રીનોંઘ) : જે.જે.કો.હે, પુ.૮૬, જૂન 1912, પૃ. 178. | [134] જૈન કવિ નામાવલિ (તંત્રીનોંધ) H જૈ.જે.કૉ.હે, પૃ.૧૩/૨, ફેબ્રુ.૧૯૧૭, પૃ.૩૯-૪૧. [135] જૈન ગૂર્જર કવિઓ ભાગ-૧ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/૩-૪, કારતકમાગશર 1983. પૃ. 84-85. [13] જૈન દર્શન અને સાહિત્ય માટે શું કરવાની જરૂર છે? (તંત્રીનોંધ) જૈનયુગ, 5.3/6-7, મહા-ફાગણ 1984, પૃ.૧૯૭. [137] જૈન પવિત્ર આગમોનું મુદ્રીકરણ (તંત્રીનોંઘ) : જૈશ્વેિ.કૉ.હે., પુ.૧૨/૭, વિ.૧૧
Page #175
--------------------------------------------------------------------------
________________ 162 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા જુલાઈ 1916, પૃ.૨૧૫. [138] જૈને પ્રતિમા લેખસંગ્રહ (તંત્રીનોંધ) : જૈ..કૉ. હે, પુ.૧૩/૫, મે 1917, પૃ.૧૪૩. " [139] જૈન ભંડારોની ટીપ કેવી રાખવી જોઈએ ? : જૈ.જે.કૉ.હે, પુ.૯૮-૯, ઑગષ્ટ-સપ્ટે.૧૯૧૩, પૃ.૪૩૩-૩૬. [સંભવતઃ તંત્રીનું લખાણ] [14] જૈન સાહિત્ય પ્રયાસ (તંત્રીનોંધ) : જૈ.ઍ.કૉ.હે., 5.86, જૂન 1912, પૃ.૧૭૬-૭૭. [141] જૈન સાહિત્યમાં જીવનનો ઉલ્લાસ (Romanticism) (તંત્રીનોંઘ) : જૈનયુગ, પુ.૧/૧૧, અષાડ 1982, પૃ.૪૭૯. [14] જૈન સૂત્રોમાં જૈનેતર ગ્રંથોનાં નામોનો ઉલ્લેખ (તંત્રીનોંધ) : જૈ.એ.કૉ. હે, પુ.૧૩/૭, જુલાઈ 1917, પૃ.૧૯૭-૯૮. [143] જૈનો અને તેમનું સાહિત્ય (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૨/૩-૪, કારતક-માગશર 1983, પૃ.૮૨-૮૪. [14] જૈનો વિરુદ્ધ વિષમય સાહિત્ય (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨૪, મહા 1983, પૃ. 250. * [145] જૈિનોનું સાહિત્ય (તંત્રીનોંધ) : જૈ.હૈ.કૉ.હે., પૃ.૧૩/૧૨, ડિસે. 1917, પૃ.૪૮૬-૮૭. [અમૃતલાલ પઢિયારના જૈન સાહિત્ય વિશેના અભિપ્રાયને પડકાર.] [14] (શ્રીમ) જ્ઞાનસારજી : જૈ જે.કૉ.હે., .89, સપ્ટે.૧૯૧૨, પૃ.૩૪૩-૪૫; 5.9/6, જૂન 1913, પૃ.૨૦૯-૧૦. [જુઓ ચરિત્રાત્મક વિભાગની સૂચિ.] | [14] જ્ઞાનાનંદ : જૈન, 5.3835, પૃ.૮૪૫. [માત્ર માહિતીનિર્દેશને આધારે. લેખ જોવા મળ્યો નથી.]. [148] તામિલ કાવ્યકુરલ (મુપાલ) - જૈન કવિની અદ્ભુત કૃતિઃ જૈ.જે.કૉ.હે.પુ.૧૧/ 7-8-9-[10], જુલાઈ-ઑગષ્ટ-સપ્ટે.-ઑક્ટો.]૧૯૧૫, પૃ.૪૧૪૩. . [14] તિલકમંજરી': જૈ.જે.કૉ.હે., પુ.૧૧/૭-૮-૯, જુલાઈ-ઑગષ્ટ-સપ્ટે.૧૯૧૫, પૃ.૫૧૯-૨૦. મો.દ.દેશાઈએ અગાઉ “તિલકમંજરી” વિશે લેખ લખેલો
Page #176
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 163 તેના અનુષંગે મુનિ જિનવિજયજીએ નોંધ લખી તેમજ એના કવિ ઘનપાલ વિશે પણ નોંધ લખી. તેને અનુલક્ષીને આ નોંઘ જણાય છે.] [15] “તૂટેલું હદય': જૈ.જે.કો.હે., પૃ.૮૪, એપ્રિલ 1912, પૃ.૧૦૧-૦૩.[૧૫૧] દાનવીર કાર્નેગી (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.ર/પ, પોષ 1983, પૃ.૨૦-૦૭. [‘દાનવીર કાર્નેગી આત્મકથાની સમીક્ષા] [15] (શ્રી) દેવચંદ્રજી (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૨/૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૪૫. દિવચંદ્રજીની “ચોવીશી” અને “અધ્યાત્મગીતા' કૃતિઓ સંદર્ભે [153] (શ્રીમદ્ દેવચંદ્રજી : જૈ..કાઁ.., 5.87, જુલાઈ 1912, પૃ.૨૦૧૦. [154] દ્રવ્યગુણપર્યાયરાસ (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૪/૧, ભાદરવો 1984, પૃ.૫ 155] નયચંદ્રસૂરિકૃત હમ્મીર મહાકાવ્ય : જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ * 1984, પૃ.૪૩૬-૫૧. [આ કાવ્યની મૂળ અંગ્રેજી પ્રસ્તાવના લખનાર નીલકંઠ જનાર્દન કીર્તને. ગુજરાતી અનુવાદ કર્યો મો.દ.દેશાઈએ.][૧૫] નયસુંદરત શ્રી ગિરિનાર તીર્થોદ્ધાર રાસ : જૈનયુગ, પુ.૪/૩-૪, કારતકમાગશર 1985, પૃ.૮૫-૯૦. [157] નિર્ણયસાગર પ્રેસની સાહિત્યસેવા(તંત્રીનોંધ) : જે.જે.કોં. હે, પૃ.૧૪૪ પ-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૭૨-૭૩. [સંભવતઃ તંત્રીનું લખાણ [158] નેમિચરિત કાવ્ય : જૈ.જે.કોં.,, પુ.૧૫/૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૯, પૃ.૫૮-૬૦. [મો.દ.દેશાઈએ આ કૃતિનો અનુવાદ કરેલો, પણ અહીં એનું પ્રાસ્તાવિક વિવરણ] [159] પરિષદમાં જૈન નિબંધો (તંત્રીનોંધ) : જૈ.એ.કૉ.હે., પૂ.૮૫, મે 1912, પૃ.૧૪૭-૪૮. [ચતુર્થ ગુજરાતી સાહિત્ય પરિષદમાં રજૂ થયેલા બે જૈન નિબંધોનો પરિચય [0] પંડિત જયવિજય H આનંદ કાવ્ય મહૌદધિ ભા.૭, 1926, પૃ.(૧૧૩)(૧૪૨). [11]
Page #177
--------------------------------------------------------------------------
________________ 164 વિરલ વિદ્વત્યંતિભા અને મનુષ્ય પ્રતિભા પાઈઅસ૬ મહણવો - પ્રાકૃત શબ્દ મહાર્ણવ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ. 2/11-12, અષાડ-શ્રાવણ 1913, પૃ.૫૦૫-૦૭. [12] પાટણના જૈન ભંડારોઃ જૈશ્વેિ.કૉ.હે., પુ.૧૨/૧, જાન્યુ.૧૯૧૬, પૃ.૨૮-૩૨; પુ.૧૨/૨, ફેબ્રુ.૧૯૧૬, પૃ.૫૬-૫૯. [13] પુસ્તક-પરીક્ષા: “આત્મપ્રકાશ”: જૈન, પુ.૬૩૯, 10 જાન્યુ. 1909, પૃ.૧૦. [બુદ્ધિસાગરજીરચિત “આત્મપ્રકાશ' ગ્રંથ પરનું વિવેચન] [14] પુસ્તક ભંડારોનો ઇતિહાસ (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.2/11-12, અષાડ શ્રાવણ 1983, પૃ.૫૦૨-૦૩. પ્રબંધ ચિંતામણિનો પુનરુદ્ધાર (તંત્રીનોંઘ) : જૈનયુગ, 5.3/1-2, ભાદરવો આસો૧૯૮૩, પૃ.. [‘પ્રબંધ ચિંતામણિ'ની હસ્તપ્રતો ઉપલબ્ધ કરાવી આપવાની માગણી]. [16] પ્રબોધ ચિન્તામણિ' સંબંધી સાક્ષર શ્રી કેશવલાલભાઈ : જૈનયુગ, 5.34, માગશર 1984, પૃ.૧૦૧. [સામાન્ય પ્રાસ્તાવિક નોંધ] [17] પ્રાકૃત પાઠાવલી (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.3/1-2, ભાદરવો-આસો 1983, પૂ.પ-૬. [18] પ્રાકૃત ભાષાનો ઉદ્ધાર (તંત્રીનોંધ): જૈ.જે.કૉ.હે, પુ.૧૩૩, માર્ચ 1917, પૃ.૭૧-૭૩. [19] પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ ભાગ ૧લો (તંત્રીનોંધ) : જૈ.એ.કૉ.હે., પુ.૧૩/ર, ફેબ્રુ.૧૯૧૭, પૃ.૩૯. [17]. પ્રાચીન જૈન સાહિત્યમાં જીવનનો ઉલ્લાસ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૧૧, અષાડ 1982, પૃ.૪૮૨-૮૩. [171] પ્રાસંગિક નિવેદન : આનંદ કાવ્ય મહૌદવિ ભા.૭, 1926, પૃ.(૧૮૧) (184). [આનંદ કાવ્ય મહૌદધિ ભા.૭માં જે ચાર કૃતિઓ - 1. માર ઢોલા ચોપાઈ ર. માધવાનલ કામકંદલા ચોપાઈ 3. શકુન ચોપાઈ 4. પ્રત્યેક બુદ્ધિનો રાસ પ્રકાશિત થઈ છે તેને વિશે પ્રાસ્તાવિક. પૃ.(૧૦૦) પર નાની નોંધ આની સાથે જોડી શકાય એમ છે.] [17] “બુદ્ધિપ્રકાશ' પત્રમાંની ભૂલનો સુધારો તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., પુ.૧૨૮, ઑગષ્ટ 1916, પૃ.૩પ૩. [173]
Page #178
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ–લેખસૂચિ 15 ભદ્રબાહુસંહિતા (તંત્રીનોંધ) જૈ.એ.કૉ. હે, પુ.૧૩/૧, જાન્યુ. 1917, પૃ.૧ [174] મહોપાધ્યાય શ્રી મેઘવિજય : જૈ..કૉ.હે., .11/7-8-9, જુલાઈ-ઑગષ્ટ-સપ્ટે. 1915, પૃ.૪૩૦-૩ર. [175] મુનિમહારાજ શ્રી બુદ્ધિસાગરજી અને વર્તમાન જૈન સાહિત્ય: જૈ.જે.કૉ.હે., પુ.s/૧, જાન્યુ. 1910, પૃ.૧૧-૧૫. [17] (શ્રી મુનિસુંદરસૂરિ : આત્માનંદ પ્રકાશ, પૃ.૩૯/૧, શ્રાવણ 1997, પૃ.૨૦-૨૩; 5.39/2, ભાદરવો 1997, પૃ.૩૭-૪૦; પુ.૩૯૩, આસો 1997, પૃ.૬૯-૭૧; 5.39/, પોષ 1998, પૃ.૧૪૪-૪૫; પુ.૩૯/૭, મહા 1998, પૃ.૧૪૨-૪૫; 5.39/8, ફાગણ 1998, પૃ.૧૮૮-૯૨; 5.399, ચૈત્ર 1998, પૃ.૨૧૩-૧; 5.39/11, જેઠ 1998, પૃ. 265-2; 5.39/12, અષાડ 1998, પૃ.૨૮૭-૮૮. [‘આત્માનંદ પ્રકાશના છેલ્લા હપ્તામાં “ચાલુ” એવી નોંધ. પણ અનુસંધાન પછીના અંકોમાં મળતું નથી. પુસ્તક “અધ્યાત્મકલ્પદ્રુમ'માં આ લેખ આખો છપાયો છે.] [177] મુંબઈ યુનિવર્સિટી લાયબ્રેરીમાં જૈન પુસ્તકો (તંત્રીનોંધ) : જૈ.વ્ય.કૉ. હે, પુ.૧૩/૧૨, ડિસે. 1917, પૃ.૪૮૭-૮૮. [178] (શ્રીમદ) યશોવિજય અને કવિવર બનારસીદાસ : જૈ.જે.કો.હે., પૃ.૧૧/૭ 8-9, જુલાઈ-ઑગષ્ટ-સપ્ટે.૧૯૧૫, પૃ.૪૨૦-૨૨. [179] (શ્રીમયશોવિજયજી (અંગ્રેજી) H જૈ.જે.કૉ.હે, પુ.૭/૧૧, નવે.૧૯૧૧, પૃ.૩૩૧-૩૮; પુ.૭/૧૨, ડિસે. 1911, પૃ.૩૭૩-૭૮; 5.8-1, જાન્યુ.૧૯૧૨, પૃ. 25-32; 5.84, એપ્રિલ 1912, પૃ.૧૧૨-૧૮; 5.8/5, મે 1912, પૃ.૧૩૩-૩૭. [આ લેખની સ્વતંત્ર પુસ્તિકા થયેલી છે.] [18] (શ્રી) યશોવિજયજીના અપ્રસિદ્ધ ગ્રંથો (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૪, માગશર 1982, પૃ.૧૨૫-૨૬. | [181] યુનિવર્સિટીમાં પ્રાકૃત સાહિત્ય (તંત્રીનોંઘ) : જૈનયુગ, પુ.૨/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1983, પૃ.૫૦૩-૦પ. [182]
Page #179
--------------------------------------------------------------------------
________________ 16 વિરલ વિદ્ધતિભા અને મનુષ્યપ્રતિભા રામચંદ્રસૂરિ જૈન નાટકકાર (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., પૃ.૧૩/૧૨, ડિસે.૧૯૧૭, પૃ.૪૮૬. [183] રૂપચંદકુમાર રાસનો સાર : આનંદ કાવ્ય મહૌદધિ ભા.૬, 1918, પૃ.૩૬ક૨. [184] વસ્તુ-તેજયુગમાં સાહિત્યપ્રવૃત્તિ : જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવોઆસો-કારતક 1985-8, પૃ.૮૨-૯૫. [185] વસ્તુપાલવિરચિત નરનારાયણાનન્દ મહાકાવ્ય : જૈન ધર્મ પ્રકાશ, પૃ.૩૫/૩, જેઠ 1975, પૃ.૮૦-૮૪. [18] વિમલસૂરિનું પહેમચરિયમ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૨, આસો 1981, પૃ.૬૮-૬૯. [18] વિશેષમાં : આનંદ કાવ્ય મહૌદધિ ભા.૭, 1926, પૃ.૧૮૫. [કવિવર સમયસુંદર તથા કુશળલાભ ઉપાધ્યાય વિશે.] [188] શુકસતિ અને શુકબોત્તરી (સુડાબહોત્તરી) : જૈનયુગ, 5.3/5, પોષ 1984, પૃ.૧૫૧-૫૭. [18] શૃંગારશાસ્ત્ર (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ. 2/3-4, કારતક-માગશર 1983, પૃ.૧૪૪. શ્રાવક કવિ ઋષભદાસઃ જૈ.જે.કો.હે, 5.11/7-8-9, જુલાઈ-ઑગષ્ટ-સપ્ટે. 1915, પૃ.૩૭૪-૪૦૩. [191] સાક્ષરશિરોમણિ કેશવલાલ ધ્રુવ અને શ્રી હેમાચાર્ય (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.39, વૈશાખ 1984, પૃ.૩૦૨. [192] “સામાયિક સૂત્ર (તંત્રીનોંઘ) : જૈનયુગ, પુ.૨/૪, મહા 1983, | પૃ.૨૫૦. [13] સાહિત્ય પરિષદ અને ગુજરાતી જૈન સાહિત્ય (તંત્રીનોંધ) : જૈ.જે.કોં. હે, 5.8/5, મે 1912, પૃ.૧૪૬-૪૭. [194] સાહિત્યમાં જીવનનો ઉલ્લાસ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૧૧, અષાડ 1982, પૃ.૪૭૯-૮૨. [195] સુમિત્ર રાજર્ષિનો રાસ : જૈનયુગ, 5.1/3, કારતક 1982, પૃ.૯-૧૦૧. [કર્તા ઋષભદાસ] [19] [10]
Page #180
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 167 (શ્રીમાનું) હરિભદ્રસૂરિ અને વર્તમાન જૈન સાહિત્ય: જૈ.જે.કૉ.હે, પુ.૫/૧0, ઓક્ટો.૧૯૦૯, પૃ.૨૭૩-૭૬. [197] 3. સંપાદન સિંપાદન-સંશોધન-સંગ્રહ–સંકલન વગેરે) અગમવાણી (સમયસુંદરકૃત સત્તાશીઆ દુકાળનું વર્ણન) : જૈનયુગ, પુ.પો 10, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૫૫. [198] અધ્યાત્મ ઋષભ નમસ્કાર સ્તુતિઃ જૈનયુગ, પુ.૨/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1983, પૃ.૫૦૨. [કર્તા માનવિજય [19] અધ્યાત્મ-હરિઆલી (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.ર/૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૪૯-૫ર. [20] અપભ્રંશમાં સીમંધર સ્વામી સ્તોત્ર : જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવોઆસો-કારતક 1985-86, પૃ.૫૬-૫૭. [201] અપ્રસિદ્ધ જૈન સાહિત્ય: જૈ.જે.કૉ.હ, 5.9/10, ઓક્ટો. 1913, પૃ.૫૦પ 10. [1. મહાવીર જિન સ્તવન, કર્તા ભોજ આનંદધન 2-3. આનંદઘન ચોવીશીમાં જ્ઞાનવિમલનાં બે છેલ્લાં સ્તવનો, કર્તા જ્ઞાનવિમલ 4. જગત્કર્તુત્વ, કર્તા જ્ઞાનસાર 5. જિનમત, કર્તા જ્ઞાનસાર 6. વેશવિડંબક, કર્તા જ્ઞાનસાર 7. સુવિહિત ગુરુ, કર્તા જ્ઞાનવિમલ.] [202] અમદાવાદનો બાદશાહી સમયનો ઘરેણાખતનો દસ્તાવેજ સં.૧૭૭૧ઃ જૈનયુગ, પુ.પ/૪-૫, માગશર-પોષ 1986, પૃ.૧૮૪-૮૭; પુ.પ/૬-૭-૮, મહાફાગણ-ચૈત્ર 1986, પૃ.૨૫૫. [ધરેણાખતના અનુષંગે દી.બ.કૃષ્ણલાલ ઝવેરીનો પત્ર અને તંત્રીની નોંધ.]. અલ્કૃત ભાવના : આત્માનંદ પ્રકાશ, પુ.૩૧/૧૦ વૈશાખ 1990, પૃ.૨૩ 39; 5.31/11, જેઠ 1990, પૃ.૨૮૯-૯૫; પુ.૩૧/૧૨, અષાડ 1990, પૃ.૩૧૮-૨૧; 5.32/2, ભાદરવો 1990, પૃ.૪૪-૪૯; 5.323, આસો 1990, પૃ.૬૮-૭૧. [20] આત્મનિંદા ને વરને વિનતિ : જૈ.જે.કૉ.હે, પુ.૧૦૮-૯, ઑગષ્ટ-સપ્ટે. 1914, પૃ.૩૧૩-૧૬. ઋિષભદાસ શ્રાવક, વિનયવિજય, રામવિજય (સુમતિવિજયશિષ્ય), મોહનવિજય અને સમયસુંદર - આ પાંચ
Page #181
--------------------------------------------------------------------------
________________ 168 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા કવિઓની પાંચ કૃતિઓ [205] (શ્રીમ) આત્મારામજી તરફથી પત્રો : શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, 1936, પૃ.૧૨૧-૨૯. (ગુજરાતી વિભાગ - શ્રી આત્માનંદજી વિષયક લેખો.) [20] આનંદઘનજીકૃત પાર્જ અને વીર સ્તવનો જૈનયુગ, પુ.૨/૧-ર, ભાદરવોઆસો 1982, પૃ.૬૬. [20] (શ્રી) આનંદઘનજીની ચોવીશી કે બાવીશી (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.ર૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૪-૪૯. | [28] આનંદઘનનું એક અપ્રસિદ્ધ પદ : જૈ.જે.કૉ.હે., પૃ.૧૪૪-૫-૬, એપ્રિલમે-જૂન 1918, પૃ.૧૬૦. | [20] આબુ તીર્થ : જૈ.જે.કૉ.હે, પુ૧૪/૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૯૧-૯૨. અપૂર્ણ [21] ઈડર ચૈત્ય પરિપાટી (પ્રાચીન કાવ્ય) : જૈ.જે.કૉ.હે., પૃ.૧૩/૨, ફેબ્રુ. 1917, પૃ.૬૫. [અપૂર્ણ | [11] ઈડરગઢ ચૈત્ય પરિપાટી : જૈનયુગ, પુ.૪-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1985, - પૃ.૩૪૧-૪૩. [કર્તા : સોમસુંદરસૂરિના શિષ્ય પરંપરાના સુધાનંદસૂરિના શિષ્ય (સંભવતઃ)] [212 ઈડરના ચૈત્યની પરિપાટી (પ્રાચીન કાવ્ય) જૈ.એ.કૉ.હે., પુ.૧૫/૧-૨, જાન્યુ. ફેબ્રુ.૧૯૧૯, પૃ.૧-. જૈિ.જે.કૉ.હે.ના પુ.૧૩/રમાં અધૂરું છપાયેલું કાવ્ય પ્રસ્તુત અંકમાં ફરીથી નજીવા શીર્ષક ફેરે આખું મુદ્રિત થયું છે.] [213] ઉખાણાં જૈનયુગ, પુ.૨/૩-૪, કારતક-માગશર 1983, પૃ.૮૭-૮૮. [કર્તા: રત્નભૂષણગણિના શિષ્ય (સંભવતઃ)] [14] ઊના સંઘ તરફથી વિજયસિંહસૂરિને વિજ્ઞપ્તિપત્ર સં. 1705 : જૈનયુગ, પુ.પ/૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૪૦૦-૦૧. [15] ઋદ્ધિગારવ ઉપર કથા (વિક્રમ ૧૫મા સૈકાનું ગઘ) : જૈનયુગ, પુ.૩/૮, ચૈત્ર 1984, પૃ.૨૯૯. | [16] ઋષભદેવ સ્તવન H જૈનયુગ, પુ.પ/૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૮૮. [કર્તા : રૂપચંદ] [117]
Page #182
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 169 છે.] એક પ્રાચીન પત્ર (તંત્રીનોંધ) : જે.જે.કૉ.હે., પુ.૧૩/૧૨, ડિસે. 1917, પૃ.૪૮૯-૯૩. કિશવલાલ પ્રેમચંદ મોદી વકીલને મળી આવેલ એક પ્રાચીન પત્ર જેમાં કેટલીક ઐતિહાસિક માહિતી છે, ચીત્રોડકી પટાવલી છે, કાગડો, ચીડી, ગર્દભ વગેરે અમુક દિશામાં બોલે એનું ફળ દર્શાવેલ [118] ઐતિહાસિક નોંધ : જૈ.જે.ક છે, પુ.ટ/૫, મે 1912, પૃ. 149-51. [1. “સત્તરમા સૈકાના ખંભાત શહેરનું વર્ણન', શ્રી ઋષભદાસ કવિના - “હિતશિક્ષાનો રાસ'માંથી. 2. “ચોરાશી નાત', મેરવિજયના “વસ્તુપાલ તેજપાલનો રાસ'માંથી.] [21] ઐતિહાસિક પત્રો : જૈ.વ્ય.કૉ. હે., પૃ.૧૪૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૬૨-૬૪. [220] કવિ દેપાલકૃત સમરા સારંગનો કડખો : જૈનયુગ; પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૪૦૧-૦૩. [21] કવિ સોમવૃત મેઘજી-હીરજી સંવાદના સવૈયા : જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૮૨. [22] કવિવર સમયસુંદર : જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૫૨-૫૩. [સમયસુંદરનાં બે ગીતોનું સંપાદન [23] કુમારપાળના સમયનું એક અપભ્રંશ કાવ્ય : શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, 1936, પૃ.૨૪૬-૬૦. (ગુજરાતી વિભાગ - ઇતર વિષયક લેખો). [24] સમાવિજય ગુરુ સઝાય : જૈ.જે.કૉ.હે, પુ.૧૪૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૮૯-૯૧. [કર્તા : જિનવિજયજી] [25] ખીમાકૃત ચૈત્ય પ્રવાડિ સ્તવન : જૈનયુગ, પુ.૪૬-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1985, પૃ.૨પર. [22] ખેમરાજકૃત મંડપાએલ (માંડવગઢ) ચૈત્ય પરિપાટી H જૈનયુગ, પુ.૪૬-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1985, પૃ.૩૩૨-૩૩. [227] ગુણાકરસૂરિકૃત શ્રાવક વિધિ રાસ - રચના સંવત 1371 - અપભ્રંશ (પ્રાચીન હિન્દી-ગુજરાતી) ભાષા : શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક
Page #183
--------------------------------------------------------------------------
________________ 170 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા ગ્રંથ, 1936, પૃ.૭૫-૮૦. (હિન્દી વિભાગ) [28] (અથ શ્રી) ઘંઘાણી તીર્થસ્તોત્રઃ જૈ..કૉ. હે., પૃ.૧૪૪-૫-૫, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૭૮-૮૨. [29] ચંદ્રવિજયકૃત યૂલિભદ્ર-કોશાના બાર માસ : શ્રી આત્માનંદ જન્મશતાબ્દી વિષયક લેખો) ચિતોડ ચૈત્ય પરિપાટી H જૈનયુગ, પુ.૩/૧-૨, ભાદરવો-આસો 1983, પૃ.૫૪-૫૭. કિર્તા : જયતેમના શિષ્ય (તપા.)]. [231] ચિદાનંદજીકૃત “સ્વરોદયજ્ઞાન' (એક મહાપુરુષની અપ્રગટ નોંધમાંથી) : જૈનયુગ, 5.2/4, મહા 1983, પૃ.૨૩-૬૫. [232] ચોહાણ રાજાની વંશાવલિ : જૈશ્વેિ.કો.હે, પુ.૧૩/૭, જુલાઈ 1917, પૃ.૨૨૩. [233] 14 (ચૌદ) ગુણસ્થાન સ્તવન : ..કૉ.હે., પુ.૧૩૬, જૂન 1917, પૃ.૧૭૩-૭૫. [કર્તા : ધરમસી (ધર્મસિંહ)]. [234] છૂટાં સુભાષિતઃ જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવો-આસો-કારતક, 198586, પૃ.૫૮-૬૦. [35] જયસોમ ઉપાધ્યાયકૃત શ્રી કર્મચંદ્ર વંશાવલી પ્રબંધ : જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૯૦-૯૪. જિનચંદ્રસૂરિ સંબંધી કાવ્યો : જૈનયુગ, 5.59-10, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૯. [સમયસુંદરનાં બે અને કેશવદાસનું એક કાવ્ય] [37] જિનપ્રતિમાસ્તવન : જૈનયુગ, પુ.૧/૨, આસો 1981, પૃ.૨. [કર્તા : સમયસુંદર [238] જિનહર્ષકૃત સુગુરુપચીસી : જૈનયુગ, 5.5/4-5, માગશર-પોષ 1986, પૃ. 183. | [39] જુદા જુદા સંઘપતિઓ : જે.હૈ.કૉ.હે, પુ.૧૪/૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૬૪-૬૬. [40] જૂનાં પદો : જૈનયુગ, પુ.પ/-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર, 1986, પૃ.૨૨૪. [કર્તા : સમયસુંદર અને આનંદ] [241]
Page #184
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 171 જૂનાં સુભાષિતઃ જૈ.એ.ક., પૃ.૧૫/૧-ર, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૯, પૃ.૫૫૫૮. | [42] જૂનાં સુભાષિતોઃ જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૧૩૧૫. [243 જૂનાં સુભાષિતો : જૈનયુગ, પુ.૪/૩-૪, કારતક-માગશર 1985, પૃ.૧૩૧. [24] જૈન ધાતુ-પ્રતિમા લેખસંગ્રહ : જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૭૫-૭૮. [અગાશી, તળેગાંવ અને દમણમાંનાં ધાતુ-પ્રતિમાજી પરના લેખો [245] જૈન ધાતુ-પ્રતિમા લેખસંગ્રહ : જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૬૭-૭૧. [પાટણ-મણિયાતી પાડાના દહેરાસરમાં, પંચાસરા પાર્શ્વનાથના મંદિરમાં, મણિયાતા પાડામાં નગરશેઠના ઘરદહેરાસરમાં, જેતપુર દહેરાસરમાં, સરઘારના દહેરાસરમાં, થાનના દહેરાસરમાં, ગોંડલના દહેરાસરમાં પ્રતિમાજી પરના લેખો] [24] જૈન સુભાષિત સંગ્રહ : જૈ.યૂ.કૉ.હે, પુ.૧૧/૧૨, ડિસે. 1915, પૃ.૧૩૧૯. [47] જ્ઞાનચંદકૃત બાર માસ : જૈનયુગ, પુ.પ/-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1986, પૃ.૨૫૦. [248] જ્ઞાનમેરૂકૃત કુગુરૂછત્રીશી ચોપાઈઃ જૈનયુગ, પુ.પ૪-૫, માગશર-પોષ 1986, પૃ.૧૮૦-૮૧. [24] જ્ઞાનસાગરકૃત આબૂની ચૈત્યપરિપાટી : જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૫૦-પર. [25] તપગચ્છની પટ્ટાવલિ : જૈ.જે.કૉ.હે, પુ.૧૧/૭-૮-૯-[૧૦], જુલાઈ ગષ્ટ-સપ્ટે.-[ ક્ટો.] 1915, પૃ.૩૨૮-૭૩. [51] (શ્રી) તપાગચ્છ ગુર્નાવલી અને શ્રી સોમસુંદરસૂરિ સ્તુતિ : શ્રી જૈન સત્ય પ્રકાશ, પુ.૭/૯, મે ૧૯૪ર, પૃ.૪૩-૬. [‘શ્રી સોમસુંદરસૂરિ સ્તુતિ”ના કર્તા જ્ઞાનકીતિ] [25] (શ્રી) તપાગચ્છ ગુર્વાવલી સ્વાધ્યાય : જૈન ધર્મ પ્રકાશ, પુ. 40/2, વૈશાખ
Page #185
--------------------------------------------------------------------------
________________ 172 વિરલ વિદ્વભ્રતિભા અને મનુષ્યપ્રતિભા 1980, પૃ.૫૭-૫૯. [કર્તા : વિનયસુંદર] [23] તીર્થનામાવલિ : જૈશ્વેિ.કૉ.હે., પૃ.૧૪૪-પ-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૬-૬૭. [254] તેજપાલકૃત કુગુરુપચીસી : જૈનયુગ, પુ.પ૪-૫, માગશર-પોષ 1986, પૃ.૧૮૧-૮૨. [255] તેજવિજયજી વિરચિત કેશરિયાજીનો રાસ જૈનયુગ, પુ.૨/૧૦, જેઠ 1983, પૃ.૪૮૧-૮૫; પુ. 2/11-12, અષાડ-શ્રાવણ 1983, પૃ.૫૬૩$$. [25] ત્રણ રાજમતિ ગીતો : જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવો-આસો-કારતક 1985-86, પૃ.૧૦૧-૦૨. [કર્તા : 1. પ્રીતમવિજય 2. રુચિરવિમલ 3. મેઘમુનિ [57] દીપવિજયકૃત સુરતની ગજ્જલ (ર.સં.૧૮૭૭) : જૈનયુગ, પુ.૪/૩-૪, કારતક-માગશર 1985, પૃ.૧૪૧-૪૬. [258] દેવચંદજીકૃત સ્વાધ્યાય : જૈ.જે.કો.હે, પુ.૧૪૪-પ-s, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૭પ. [59] દેવચંદ્રજીકૃત અપ્રકટ સ્તવનો (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/૩-૪, કારતકમાગશર 1983, પૃ.૧૪૫-૪૬. [20] (શ્રી) દેવચંદ્રજીકૃત સહસકૂટ સ્તવન : જૈ..કો.હે., .11/7-10, જુલાઈઑક્ટો.૧૯૧૫, પૃ.૪૪૦-૪૧. [21] દેશદેશની નારીઓનું પ્રાચીન વર્ણન : શ્રી આત્માનંદ જન્મશતાબ્દી મારક ગ્રંથ, 1936, પૃ.૧૯૨-૯૬. (ગુજરાતી વિભાગ - ઈતર વિષયક [22] ધનવિજયકૃત બે નાની કૃતિઓ : પુ.અધ્યાત્મકલ્પદ્રુમ, પૃ.૫૩-૫૫. [1. શત્રુંજયસ્તવન 2. શત્રુંજયમંડણ સ્તુતિ.] [263 ધર્મસમુદ્રકૃત શકુંતલારાસ : જૈન સાહિત્ય સંશોધન, ખ.૩/૨, 1928, પૃ.૧૯૫-૨૧૫. [24] ઘર્મસાગર ઉપાધ્યાય રાસ : આત્માનંદ પ્રકાશ, પુ.ર૯૩, આસો 1987, પૃ.૫૪-૬૦; પૃ.૨૯૪, પૃ.૯૨-૯૭; 5.29/, પૃ.૧૪૭-૫૧; લેખો.)
Page #186
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 173 પુ.૨૯/૮, પૃ.૧૫-૯૯; પુ. 299, પૃ.૨૧૪-૧૭. [25] નસૂરિકૃત અબુંદ ચૈત્ય પ્રવાડી : જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૪૪-૪૬. [2] નવા વર્ષની કેટલીક ભાવનાઓ જૈનયુગ, પુ.૨/૧-૨, ભાદરવો-આસો 1982, પૃ. 5. પ્રાચીન કાવ્યોમાંથી કેટલાક નાના નાના ઉતારા.] [27] નંદીષેણની સઝાય : જૈનયુગ, પુ.૧૪, માગશર 1982, પૃ.૧૬૦. [કર્તા : રૂપવિજય) નેમિનાથ ત્રિશિકા (એક અપ્રભ્રંશ ટૂંકું કાવ્ય) H જૈનયુગ, પુ.૪, વૈશાખ 1985, 5.375-76. [29]. ન્યાયકર્ણિકા ( પ્રાઈમર ઑફ જૈન લૉજિક) (અંગ્રેજી) : જૈ..કૉ.હે.. 5.89, સપ્ટે.૧૯૧૨, પૃ.૨૬-૭૧. વિનયવિજયજીકૃત જૈન નયવિચારનો ગ્રંથ “નયકર્ણિકા” - મૂળ અને અંગ્રેજી અનુવાદ.] [27] પટ્ટાવલી : જૈ.જે.કો.હે., પૃ.૧૪૪-૫-૫, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૬૯૭૧. [271] પઘાનુકારી ગુજરાતી ગદ્યમય જૈન ગુર્નાવલી (ર.સ.સંવત 1482) ભારતીય વિદ્યા, વર્ષ 1/2, માર્ચ 1940, પૃ.૧૩૩-૪૬. [272] પાટણથી નીકળેલ સંઘ સં.૧૯૨૨ : જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૪૦૪-૦૫. [કૃતિ અપૂર્ણ.]. [273] પૂર્ણિમા ગચ્છની ગુર્નાવલી - અપભ્રંશ તથા ગુજરાતીમાંઃ જૈનયુગ, પુ.પ૪-૫, માગશર-પોષ 1986, પૃ.૧૬૭-૭૦. [274] પ્રભાવતી જૈ.જે.કૉ.હે., પૃ.૧૪૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૯૬૦. નિયસુંદરકૃત કાવ્યો [275] પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન : જૈનયુગ, પુ.૨/૭, ફાગણ 1983, પૃ.૩૦-૧૯; 5.3/-7, મહા-ફાગણ ૧૯૮૪,પૃ.૨૦૧-૧૩. [27] પ્રાચીન ઘેરાવલીઃ જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૮૯ [277] પ્રાચીન પત્રોઃ જૈનયુગ, પુ.૩/૧-૨, ભાદરવો-આસો 1983, પૃ.૨૫-૨૬, [1. વિજયલક્ષ્મી સૂરિને વડોદરે ભૂપાલવિજયે ખંભાતથી સં.૧૮૨૫માં 90.
Page #187
--------------------------------------------------------------------------
________________ 174 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા લખેલો પત્ર 2. વિજયલક્ષ્મસૂરિએ પ્રેમવિજયગણિને છાણી ખાતે લખેલો ટૂંકો પત્ર.] [278] પ્રાચીન સુભાષિત (પ્રાસ્તાવિક દૂહ) : જૈનયુગ, પુ.૧/૧૧, અષાડ 1982, પૃ.૪૯૬. [279] બારબોલ સઝાય : જૈ.જે.કૉ.હે., પૃ.૧૪૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૬૧. [28] મહમદ પાતશાહનું વર્ણન (પ્રાચીન) જૈ.જે.કૉ.હે, પુ.૧૨/૧, જાન્યુ. 1916, પૃ.૨૬-૨૮. [281] મહાજનની 84 ન્યાતનાં કવિતઃ જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૬૮. [28] મહાનંદ મુનિત નેમરાજુલ બાર માસ : શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, 1936, પૃ.૧૭૬-૮૩. (ગુજરાતી વિભાગ - ઈતર વિષયક લેખો) [23] મહાવીર કેમ જગનાથ થયો? : જૈ.જે.કૉ. હે, પુ.૧૦/૧૦-૧૧, ઑક્ટો.-નવે. 1914, પૃ. - [અંકનું પ્રથમ પૃષ્ઠ[કર્તા : માનવિજય [284] (શ્રી) મહાવીર નિર્વાણ દિવસ (દીપાલિકા પર્વ) : જૈનયુગ, 5.2/1-2, ભાદરવો આસો 1982, પૃ.૬-૭. [285] (શ્રી) મહાવીર પ્રવચન : જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૮. [જુદા જુદા ગ્રંથોમાંથી ઉતારા, અનુવાદ સાથે.]. [28] (શ્રી) મહાવીર પ્રવચન : જૈનયુગ, 5.3/8, ચૈત્ર 1984, પૃ.૨૬૧-૬૨. જુદાજુદા ગ્રંથોમાંથી ઉતારા, અનુવાદ સાથે.] [287] (શ્રી મહાવીર સ્તુતિ H જૈનયુગ, પુ.૩/૮, ચૈત્ર 1984, પૃ.૧૫૮. [હરિભદ્રસૂરિ, જિનમંડણગણિ, તિલકાચાર્ય અને યશોવિજયની કૃતિઓમાંથી અંશો, અનુવાદ સાથે.] [288] (શ્રી) મહાવીર સ્તોત્ર (અપભ્રંશમાં એક અતિ પ્રાચીન કાવ્ય) : જૈનયુગ, 5.38, ચૈત્ર 1984, પૃ.૨૯૫. [29] (શ્રી) મહાવીર સ્વામીના સત્તાવીશ ભવ : જે.જે.કૉ.એ., પુ.૧૦૮-૯, ઑગષ્ટ-સપ્ટે.૧૯૧૪, પૃ.૩૧૬-૨૦. કિર્તા : વીરવિજય (શુભવિજય
Page #188
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 175 શિષ્ય)] . [20] (શ્રી) મહાવીર સ્વામીનાં પાંચ કલ્યાણક : જૈ .કૉ.હે., પુ.૧૦૮-૯, ઑગષ્ટ-સપ્ટે.૧૯૧૪, પૃ.૩૨૦-૨૪. [કર્તા : નિત્યલાભ (સહજસુંદરશિષ્ય)] 21] (શ્રી) માણિક્યસુંદરસૂરિકૃત નેમીશ્વર ચરિત - ફાગબંધ - સં.૧૪૭૮ લગભગ રચાયેલું કાવ્ય : 1. શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, 1936, પૃ.૪૭-૪૫. (ગુજરાતી વિભાગ- ઈતર વિષયક લેખો), ૨.વિજયવલ્લભ સૂરિસ્મૃતિગ્રંથ, પૃ–; 3. આર્ય-કલ્યાણ-ગૌતમ સ્મૃતિગ્રંથ, પૃ.- [292] માનવિજયકૃત અને ભાવવિજયકૃત નેમિસ્તવન H જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૭૨. મેઘાકૃત તીર્થમાળા: જૈનયુગ, પુ.૨/૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૫ર૫૬. [294] મેરુનંદન ઉપાધ્યાયકૃત અજિત-શાન્તિ સ્તવ : જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવો-આસો-કારતક 1985-86, પૃ.પર-૫૩. [195] (શ્રીમ) યશોવિજયકૃત અપ્રકટ સ્તવનોઃ જૈનયુગ, પુ.૪/૧, ભાદરવો 1984, પૃ.૧. [1. ઋષભજિનસ્તવન 2. અજિતનાથ સ્તવન.] [29] (શ્રીમ) યશોવિજયજીકૃત જ્ઞાનસાર સ્વોપણ બાલાવબોધ સહિત H જૈનયુગ, 5.3/3, કારતક 1984, પૃ.૮૪–૯૧. [297] (શ્રીમ) યશોવિજયજીગણિકત 108 બોલ : જૈ.જે.કૉ.હે, પુ.૧૦/૬, જૂન 1914, પૃ.૧૭૭-૮૦; પુ.૧૦/૭, જુલાઈ 1914, પૃ.૨૨૮-૩૨; પુ.૧૧૪, એપ્રિલ 1915, પૃ.૧૨૩-૨૯. [298] રત્નચંદ્રમણિકૃત પડધરી પ્રાસાદબિંબ પ્રવેશાધિકાર સ્તવનઃ પુ.અધ્યાત્મકલ્પદ્રુમ, પૃ.૫-૫૮. [299] રત્નવિજયકૃત અમદાવાદ તીર્થમાળા સં. 1912 : જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવો-આસો-કારતક 1985-86, પૃ.૭૮-૮૧. * [30] રંગસાગર નેમિ ફાગ : જે.જે.કોં.., પુ.૧૩/૭, જુલાઈ 1917, પૃ.૨૧૦-૧૪; પુ.૧૩/૮, ઑગસ્ટ 1917, પૃ.૨૩૭-૪૪. [કર્તા : સોમસુંદરસૂરિ [301]
Page #189
--------------------------------------------------------------------------
________________ 176 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા રાજવંશાવલિ : જૈનયુગ, પુ.૧/૨, આસો 1981, પૃ.૫૭-૫૮. [30] રાજીમતી સઝાય અને નેમિનાથ ફાગ : જૈનયુગ, પુ.૩/૧૦, જેઠ 1984, પૃ.૩૫૭-૫૮. [1. રાજીમતી સઝાય (કવિયણ) 2. લબ્ધિવિજયકૃત શ્રી નેમિનાથ ફાગ સ્તવન.] [303] રેંટિયાની સઝાય: જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૨૩ 25. [કર્તા : લાલવિજય (શુભવિજયના શિષ્ય)] [304] લઘુપટ્ટાવલિ : જૈ.જે.કૉ.હે., પૃ.૧૪૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૬૮. [305] લાવણ્યસમયકૃત પાક્ષિક ચાતુર્માસિક સાંવત્સરિક ગીત : જૈનયુગ, પુ.પ/૧૧૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૯૪. [30] લાવણ્યસમયકૃત “રાવણ મંદોદરી સંવાદ' : બુદ્ધિપ્રકાશ, ઑક્ટો. 1931, પૃ.૨૯૦-૯૬. [307] લોંકાશાહ ક્યારે થયા? જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૩૯ 49. [1. લોકશાહ કબ હુએ ? (કોઈકનો હિંદી લેખ) 2. લાવણ્યસમયકૃત “સિદ્ધાન્તચોપાઈ 3. લાવણ્યસમયકૃત બે વૈરાગ્યગીતો 4. કમલસંયમ ઉપાધ્યાયકત “સિદ્ધાન્તસારોદ્ધાર - સમ્યકત્વોલ્લાસ ટિપ્પન્નક સમાવિષ્ટ] [જુઓ ઐતિહાસિક વિભાગની સૂચિ [38] વડનગરમંડન શ્રી યુગાદિ જિનસ્તવનમઃ જૈનયુગ, પુ.૧/૧૧, અષાડ 1982, પૃ.૪૯૪-૯૬. [કર્તા : લબ્ધિકીર્તિગણિ] [39] વડોદરા રાજ્ય પાંચમી પુસ્તકાલય પરિષદ - પાટણ - પ્રદર્શન - જૈન વિભાગ. તેમાં મુકાયેલ પ્રતો-વસ્તુઓ : જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ જેઠ 1986, પૃ.૩૭૮-૮૨. વસ્તિગકૃત વીશ વિહરમાન જિન રાસ : જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડશ્રાવણ 1986, પૃ.૪૩૮-૪૦. [311] વિક્રમ પંદરમા સૈકાના કેટલાક જૈન કવિઓની કાવ્યપ્રસાદી : 1. જૈનયુગ, પુ. 2/3-4, કારતક-માગશર 1983, પૃ.૧૬૯-૭૩; 2. “શારદા તંત્રી અંક, જાન્યુ 1921, પૃ.૧૦૩–. નિરસિંહ મીરાંબાઈ આદિના : પહેલાંના વસ્તિગ, સોમસુદરસૂ, હરાદ, નમંડનગણ, માંડણ [31]
Page #190
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 177 આદિ કવિઓ] [312] વિજયતિલકસૂરિની પાદુકાનો લેખ : જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવોઆસો-કારતક 1985-8, પૃ.૫૮. [313] વિજયદાનસૂરિ સમયમાં સાધુસ્થિતિઃ જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૮૩-૮૪. [314] વિજયસેનસૂરિના દશ બોલઃ જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૫૯૦. [એક પ્રાચીન હસ્તપ્રત ઉપરથી ઉતારો.] [315] વિજયાણંદસૂરિની પાદુકાનો લેખ જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવો- આસોકારતક 1985-86, પૃ.૫૮. [31] (શ્રી) વિનયચંદ્રકૃત બાર વ્રત રાસ : જૈનયુગ, પુ.૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૩૦-૩૪. [317] વિનયવિજય ઉપાધ્યાયકત પટ્ટાવલી સઝાયઃ જૈનયુગ, પુ.પ/૪-૫, માગશરપોષ 1986, પૃ.૧૫-ક૧. [318] વિનયવિજય ઉપાધ્યાયકૃત શ્રી આનંદલેખઃ જૈનયુગ, 5.54-5, માગશર-પોષ 1986, પૃ.૧પ-કડ. [319] વિવેકહર્ષકૃત હીરવિજયસૂરિ (નિર્વાણ) રાસ : જૈનયુગ, પુ.૫/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૬૭. [32] વિકાકૃત અસૂત્રનિરાકરણ બત્રીશી : જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવોઆસો-કારતક 1985-86, પૃ.૯૯-૧૦૦. [321] વીર સ્તુતિઓ (સંસ્કૃત) : જૈનયુગ, પુ.૧/૮, ચૈત્ર 1982, પૃ.૨૮૨-૮૩. [કર્તા : જુદાજુદા કવિઓ] [32] (શ્રી) વીર સ્તુતિઓઃ જૈનયુગ, પુ.ર/૧-૨, ભાદરવો-આસો 1982, પૃ.૪. [યશોવિજયજી, ક્ષમાકલ્યાણજી અને નેમિચંદ્રસૂરિની કૃતિઓના અંશો [323] વૈરાગ્ય સ્વાધ્યાય : જૈનયુગ, 5.1/4, મહા 1982, પૃ.૨૪૦. [કર્તા : લાવણ્યસમય] [324] શત્રુંજય-ચૈત્ય-પરિપાટી : શ્રી જૈન સત્ય પ્રકાશ, પુ.પ૯, મે 1940, પૃ.૩૦-૦૮. [35] વિ.૧૨
Page #191
--------------------------------------------------------------------------
________________ 178 વિરલ વિદ્વત્યંતિભા અને મનુષ્ય પ્રતિભા (શ્રી) શત્રુંજયની એક ઐતિહાસિક બિના જૈનયુગ, પુ.૨/૫, પોષ 1983, પૃ.૨૪૧-૪૨. કિર્તા : દેપાલ કવિ સંભવતઃ, વિકમસી ભાવસારે સિદ્ધાચલજીને વાઘના ત્રાસમાંથી મુક્ત કર્યો તે ઘટના.] [32] (શ્રી) શાંતિકુશલ (સં.૧૬૭) વિરચિત શ્રી ગોડી પાર્શ્વનાથ તીર્થમાળા: શ્રી જૈન સત્ય પ્રકાશ, પુ.પ/૧૦, જૂન 1940, પૃ.૩૬૬-૬૮. [327] સતી સીતા અને સ્ત્રીલંપટ રાવણ : જૈ.જે.કૉ.હે., પૃ.૮/૫, મે 1912, પૃ.૧૩૯-૪૧. [‘ધર્મપરીક્ષાનો રાસ'માંથી. કર્તા નેમવિજય] [328] સમયપ્રમોદકૃત જિનચંદ્રસૂરિનિર્વાણ કાવ્યઃ જૈનયુગ, પુ.૪ોર, આસો 1984, પૃ.૩-૪૬. સમયસુન્દરકૃત અપ્રકટ કાવ્યો : જૈનયુગ, ૫.૪/ર, આસો 1984, પૃ.૫ 51. [1. ભૂદેવ પર સક્ઝાય 2. 24 જિન સ્તવન 3. ધનાની સઝાય.] [33] સમયસુંદરકૃત આબૂતીરથભાસ : જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૮૪. [331] સમયસુંદરકૃતિ ગીતો-પદો : જૈનયુગ, પુ.૪, વૈશાખ 1985, પૃ. ૩પ૩. [332] સમયસુંદરકૃત સત્તાશીઆ દુકાળનું વર્ણન જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવો આસો-કારતક 1985-86, પૃ.૬૮-૬૯; પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૫૩-૫૫. આિ કૃતિને છેડે “અગમવાણી' નામક દૂહા પણ મળે છે.] સં. ૧૮૪૪માં શ્રી શત્રુંજયનાં દેહરાં અને પ્રતિમાઓઃ જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૬૫-૭. [334] સંવત ૧૪૮રમાં લખાયેલી પદ્યાનુકારી ગુજરાતી ગદ્યમય જૈન ગુર્વાવલ: ભારતીય વિદ્યા, 5.1/2, માર્ચ 1940, પૃ.૧૩૩-૪૬. [કર્તા : જિનધર્મગણિ] સંવત ૧૫૩૫માં લખાયેલાં પ્રાચીન કાવ્યોઃ જૈનયુગ, 5.5/11-12, અષાડ શ્રાવણ 1986, પૃ.૪૭૩-૭૭. [1. સીહાકૃત જંબુસ્વામીવેલ 2. સોહાકૃત રહનેમિવેલ 3. ડુંગરકૃત નેમિનાથફાગ (બારમાસ) 4. ઉદયવંતકૃત
Page #192
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 179 નવકાર મહામંત્ર ગીત 5. કરમસીકૃત વૈરાગ્યકુલ 5. શાંતિસૂરિકત શત્રુંજયભાસ.] [33] સંવત સત્તરમા સૈકામાં જૈન સંઘની સ્થિતિ - પ્રાચીન ગુજરાતી ગદ્યના નમૂનાઓ : જે.જે.કૉ.હે, પુ.૧૧/૭-૮-૯-[૧૦], જુલાઈ-ઑગષ્ટસપ્ટે.-[ઑક્ટો.] 1915, પૃ.૪૬૬-૭૧. [337]. સંસ્તારકવિધિ જૈ.એ.કૉ.હે, પુ.૧૪૪-૫-૫, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૭૬. [પદ્યાત્મક, પ્રાકૃત.] [338] સાધુમર્યાદાપટ્ટક : શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, 1936, પૃ. 221-24. (ગુજરાતી વિભાગ - ઈતર વિષયક લેખો.) [કર્તા : યશોવિજયજી] [339] (શ્રી) સિદ્ધ મહાવીર જૈનયુગ, પુ ર/૧-૨, ભાદરવો-આસો 1982, પૃ.૧. દિવચંદજીકૃત કાવ્યો. [34] સિદ્ધપુર ચૈત્ય પરિપાટીઃ જૈનયુગ, પુ.૪, વૈશાખ 1985, પૃ.૩૬૩-૬૫. [કર્તા: કવિ કુશલવર્ધનશિષ્યો [341] (શ્રીમસિદ્ધસેન દિવાકરકત પ્રાચીન જૈન ન્યાયનો ગ્રંથ ન્યાયાવતાર જૈ.ઍ.કૉ. હે, પુ.૧૨,૮-૯-[૧૦], ગષ્ટ-સપ્ટે.-[ઑક્ટો.]૧૯૧૬, પૃ.૨૮૯ 308. [મૂળ શ્લોકો ઉપર મો.દ.દે.નાં શબ્દાર્થ-વિવેચન પણ છે.] [34] સિદ્ધાચલ મંડન ઋષભ સ્તવનઃ જૈનયુગ, પુ.૩/૧૦, જેઠ 1984, પૃ.૩૪૯૫૧. [કર્તા : ઉદયરત્ન.] [343] સુધનહર્ષકૃત હરિઆલીઓ : જૈનયુગ, પુ.૧/૧૦, જેઠ 1982, પૃ.૪૬૧૬૨. [34] સુભાષિતઃ જૈનયુગ, પુ.પ/૪-૫, માગશર-પોષ 1986, પૃ.૨૦૦. [સુભાષિત અંતર્ગત સમયસુંદરકૃત બે પદો પણ છે.] ( [345] સુભાષિત દુહા પંચોત્તરી : શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, 1937, પૃ.૧૯૭-૨૦૨. (ગુજરાતી વિભાગ - ઈતર વિષયક લેખો.) [34] સુભાષિત સંગ્રહ : જૈ.જે.કોં. હે., પૂ.૯૧૧, નવે.૧૯૧૩, પૃ.૫૪૪-૪૬; 5.9/12, ડિસે.૧૯૧૩, પૃ.૫૫-૬૭. કિટલાંક સુભાષિત વીરવિજયના] [347]
Page #193
--------------------------------------------------------------------------
________________ 18O વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા સુરતમાં એક તાડપત્રની પ્રત (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૩/૧-૨, ભાદરવોઆસો 1983, પૃ.૫. [348] સ્યાદ્વાદ સઝાય : જૈ.એ.કૉ.હે., પૃ.૧૪૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૩૫-૩૬. [કર્તા: સાગર [349] હરિયાલી (એક પ્રાચીન સમસ્યા-કાવ્ય) H જૈનયુગ, પુ.ર/૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૧૭. [કર્તા ઘર્મસમુદ્ર] [35] હંસરત્નજીની સઝાયઃ જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૪૦૩ 04. [1. અજ્ઞાતકૃત 2. ઉદયરત્નકૃત 3. ઉદયરત્ન વિશેની અપૂર્ણ સઝાય] [૩પ૧]. હંસરાજકૃત હીરવિજયસૂરિ ચતુર્માસ લાભપ્રવહણ સઝાય : જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૮૫-૮૮. [35] ; હીરવિહાર સ્તવન (સુરતના હીરવિહારનું વર્ણન) : પુ. “સૂર્યપુર રાસમાળા', પ્રક. 3, પ્રકા. મોતીચંદ મગનભાઈ ચોકસી, 1940, પૃ.૯૩-૯૮. [કર્તા : ઘર્મદાસ. [૩પ૩] (શ્રીમ) હેમચંદ્રાચાર્યનો સ્વર્ગવાસ થતાં રાજન કુમારપાલનો વિલાપ : જૈ.જે.કો.હે., પૂ.૮૪, એપ્રિલ 1912, પૃ.૧૦૩-૦૭. [કર્તા : જિનહર્ષ. કુમારપાળરાસમાંથી] [354] 4. ઐતિહાસિક અકબર અને જહાંગીરના દરબારમાં જૈનો : [આ વિષય મુંબઈની ૧૯૪ત્ની ? પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન રૂપે રજૂ થયો હતો. મુદ્રિતની ! માહિતી નથી] [૩પપ . અમારી ગિરનાર તીર્થની યાત્રા (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.4/10, જેઠ 1985, પૃ.૪૩૧-૩૪. (જુઓ પ્રકીર્ણ વિભાગની સૂચિ] [35] અમારો ખેડાનો જ્ઞાનપ્રવાસઃ જૈનયુગ, 5.3/10, જેઠ 1984, પૃ.૩૫૪-૫ક; 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૦૧-૦૯. [૩પ૭] અમારો જ્ઞાનપ્રવાસ-૧ ઝીંઝુવાડા જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવો-આસો કારતક 1985-86, પૃ.૧૦૭-૧૧; 5.5/11-12, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪ર૭-૩૦. [358]
Page #194
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 181 આ સંબંધે “ગુજરાતીનું વક્તવ્ય (તંત્રીનોંઘ) : જૈનયુગ, પુ.૨/૭, ફાગણ 1983, પૃ.૨૮૫-૮૬. [શ્રી ક.મા.મુનશીએ પોતાની ઐતિ. નવલકથામાં કેટલાંક પાત્રોના નિરૂપણ દ્વારા જૈન સમાજની દુભાયેલી લાગણીને સંતોષી નથી. તો, મુનશીને ઘારાસભાની ચૂંટણીમાં મત ન આપવાનું જૈનોનું દબાણ પણ યોગ્ય નથી.] [359] (શ્રી) આગમોનો ઇતિહાસ (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૧૪, માગશર 1982, પૃ.૧૨૪-૨૫. | [30] (શેઠ આણંદજી કલ્યાણજીની સભા (તંત્રીનોંધ): જૈનયુગ, પુ.૧/૧૨, શ્રાવણ 1982, પૃ.૫૧૦-૧૩. [શત્રુંજય તીર્થ સંદર્ભે સભા.] [જુઓ સંસ્થાપરિચયો અને સંમેલન-અહેવાલો વિભાગની સૂચિ.] [31] (શ્રી) આણંદજી કલ્યાણજીની પેઢી અને “ખરતર વસિ'નો પ્રશ્ન (તંત્રી નોંઘ) : જૈનયુગ, પુ.૪/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1985, પૃ.૫૨૩-૨૪; પુ.પ૯િ-૧૦, વૈશાખ-જેઠ 1986, .335-36. [32] (શ્રી) આણંદજી કલ્યાણજીની પેઢી ને શત્રુંજયાદિ તીર્થો (તંત્રીનોંઘ) : જૈનયુગ, પુ.૧/૪, મહા 1982, પૃ.૨૦૪-૦૭. [33] આબુના જૈન મંદિરમાં ચામડાના બૂટ સાથે ઘૂસતા યુરોપિયનોને અટકાવવા માટે શ્વેતામ્બર જૈન કૉન્ફરન્સ લાંબા વખત સુધી કરેલા પ્રયાસનું શુભ પરિણામ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., .9/12, ડિસે. 1913, પૃ.પપપ૫૭. [34] ઈડરનો સંક્ષિપ્ત ઇતિહાસ : જૈનયુગ પુ.૧/૪, માગશર 1982, પૃ.૧૪૩૫૧. [35] ઈડરનો સંક્ષિપ્ત ઇતિહાસ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૭, ફાગણ 1982, પૃ.૨૪૭. [3 ] ઈ.સ. પૂર્વે ચોથા સૈકામાં મૂર્તિપૂજા (તંત્રીનોંધ) : જે.જે.કૉ.હે, પુ.૧૩/૩, માર્ચ 1917, પૃ.૭૪-૭૫. [37] ઐતિહાસિક દૃષ્ટિએ બોટાદના પ્રતિમાલેખો : જૈન, પુ.૩૮/૧૩, 26 માર્ચ 1939, પૃ.૩૦૫-૦૬. [30] કાયસ્થ જાતિનો ટૂંક પરિચય : સમાલોચક, પુ.૨૩/૧૦, ઑક્ટો.૧૯૧૮,
Page #195
--------------------------------------------------------------------------
________________ 182 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા પૃ.૫૧૧-૧૯. [39] (શ્રી) કાવી તીર્થના લેખો : (શ્રી) જૈન સત્ય પ્રકાશ, પુ.પ/૧૧, જુલાઈ - 1940, પૃ.૩૮૯-૯૪ તથા 420. 37ol (શ્રી) કેશરિયાજી તીર્થપ્રકરણ : 1. શું શ્વેતામ્બરીઓએ દિગમ્બર ભાઈઓને માર્યા? શ્વેતાંબર અહેવાલો (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.ર૯, વૈશાખ 1983, પૃ.૪૦૯-૧૫. [371] કેશરીઆજી પ્રકરણ : 2. દિગંબરી ભાઈઓની મનોદશા (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.2/10, જેઠ 1983, પૃ.૪૯૭-૯૯. [37] કેશરીઆનાથજીના સંબંધમાં બે ઐતિહાસિક ઉલ્લેખો (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.2/11-12, અષાડ-શ્રાવણ 1983, પૃ.૫૦૯. [373] કૉન્ફરન્સનું અધિવેશન - તે પહેલાંની સ્થિતિ (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૧/૧૨ શ્રાવણ 1982, પૃ.૫૦૭-૦૮. [શત્રુંજય તીર્થ સંદર્ભે [374] ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૨, આસો 1981, પૃ.૬૭-૬૮. [375] ગોધરા પ્રકરણ (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.4/3-4, કારતક-માગશર 1985, પૃ.૧૭૫-૭૭. [મુસ્લિમોના જૈન કુટુંબો પરના જુલમ વિશેના હિંદી લખાણનો અનુવાદ] [37] ચારૂપ કેસ (તંત્રીનોંધ) : જૈ.જે.કો.હે., પુ.૧૩૪, એપ્રિલ 1917, પૃ.૧૦૩-૦૪. [377 ચુકાદા પછીની હકીકત (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૧૨, શ્રાવણ 1982, પૃ.૫૦૯-૧૦. [શત્રુંજય તીર્થ પ્રકરણનો ચુકાદો આવ્યા પછી જૈ.જે. કૉન્ફરન્સ, આ.ક.પેઢી વ. સંસ્થાઓની હિલચાલ] [378] છેવટે (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/૭, ફાગણ 1983, પૃ.૨૮૬-૮૭. જૈિન સમાજે ધારાસભાની ચૂંટણીમાં મુનશીને મત ન આપવાનો ઠરાવ કર્યો છે તેની યોગ્યાયોગ્યતા અંગે મતભેદ હોય; પણ મુનશીએ તો જૈન સમાજની કુબ્ધ લાગણીને સંતોષવી ઘટે.] [37] જતિઓનો ઇતિહાસ (તંત્રીનોંધ) : જે.જે.કૉ.હે., પુ.૧૩/૫, મે 1917, પૃ.૧૪૧-૪૩. [38]
Page #196
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ–લેખસૂચિ 183 જય બારડોલી (તંત્રીનોંઘ): જૈનયુગ, પુ.૩/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1984, પૃ.૩૯૫-૯૬. [381] જલપ્રલયનાં સંકટો (તંત્રીનોંઘ) : જૈનયુગ, પુ.૨/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1983, પૃ.૫૦૭-૦૯. [ગુજરાત અને કાઠિયાવાડમાં પડેલા અસાધારણ વરસાદથી સર્જાયેલી તારાજી.] [382] જહાંગીર અને જૈનો : જૈન ધર્મ પ્રકાશ પુ.પ૧/૧, ચૈત્ર 1991 (સુવર્ણ મહોત્સવ વિશેષાંક), પૃ.૧૪-૫૮. [આ વિષય મુંબઈની ૧૯૪૩ની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન રૂપે રજૂ થયો હતો.] [33] જુર શહેર (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.પ/-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1986, પૃ.૨૧૬-૧૭. જિઓ સંસ્થા પરિચયો અને સંમેલન-અહેવાલો વિભાગની સૂચિ.] [384] જૈન ધર્મ પ્રકાશના અભિપ્રાયો (તંત્રીનોંધ): જૈનયુગ, 5.2/10, જેઠ 1983, પૃ.૪૯૬-૯૭. [1. “સુવર્ણમાળા' માસિકમાં “ઝમોર' નામક વાર્તામાં હેમચંદ્રાચાર્યના પાત્રસર્જનમાં જે અજ્ઞાન બતાવાયું તે અંગે આક્ષેપો થતાં માસિકના અધિપતિ શેઠ પરશોતમ બિશરામ માવજીએ દિલગીરી વ્યક્ત કરી તે બદલ “જૈન ધર્મ પ્રકાશ'નાં અભિનંદન. 2. મુનશી સામે કૉન્ફરન્સ જાહેર કરેલા વિરોધને “જૈન ધર્મ પ્રકાશ આપેલું અનુમોદન અને પુસ્તકો સામે સ્પષ્ટ વિરોધ કરવાની ભલામણ.]. [385] જૈન ધર્મમાં પરિવર્તનો અને તેનાં પરિણામો : પુસ્તક : “પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો' [વર્ષ ત્રીજું, પ્રકા. મુંબઈ જૈન યુવક સંઘ, મુંબઈ, 1932, પૃ.૮૭-૧૦૪. [મુંબઈની ૧૯૩૨ની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અપાયેલું વ્યાખ્યાન.] [જુઓ વિચારાત્મક વિભાગની સૂચિ.] [38] જૈન વિવિધ જ્ઞાન : જૈ.યૂ.કૉ.હે., પૃ.૬/૨, ફેબ્રુ.૧૯૧૦, પૃ.૩૩-૩૬. [મહારાષ્ટ્રના પ્રાચીન ઇતિહાસમાંથી થોડી પ્રખ્યાત વાતો” એ નામના ડૉ. રામકૃષ્ણ ભાંડારકરના મરાઠી લેખ તેમજ એમના પુત્ર દેવદત્ત ભાંડારકરના “ચિત્તોડગઢ' વિશેના મરાઠી લેખ પર આધારિત ટિપ્પણી; કેટલાંક વિધાનોના પ્રત્યુત્તર રૂપે.] [387] જૈનો અને મિ. મુનશીનું પ્રકરણ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.ર૭, ફાગણ
Page #197
--------------------------------------------------------------------------
________________ 184 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 1983, પૃ.૨૮૨-૮૪. [388] તત્ત્વાર્થસૂત્રનું કર્તુત્વ : જૈનયુગ, પુ.૨/૪, મહા 1983, પૃ.૨૪૬-૬૮. [હીરાલાલ 2. કાપડિયાના લેખ (પૃ.૨૬૬-૬૮) પરની તંત્રીની ટૂંકી નોંધ]. [38] તપાગચ્છની પટ્ટાવલિઃ સનાતન જૈન, પુ.૩/૫-૭, ડિસે.-જાન્યુ.- ફેબ્રુ.૧૯૦૭ 08, પૃ.૨૧૫-૨૩. [મૂળ લેખક ડૉ. જોસ કલાટ પીએચ.ડી. (બર્લિન)નો મો.દ.દેશાઈએ કરેલો અનુવાદ. આ પટ્ટાવલિ “જૈન ગૂર્જર કવિઓ ભા.જેમાં સમાવિષ્ટ છે.] [39] તપાગચ્છની પટ્ટાવલિઃ જૈનયુગ, 5.3-7, મહા-ફાગણ 1984, પૃ.૨૩૨૩૭. [391] તીર્થનો સવાલ તે આખી સમાજનો સવાલ છે. (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૧/૧૨, શ્રાવણ 1982, પૃ.૫૦૮-૦૯. [શત્રુંજય તીર્થ સંદર્ભે [392] દક્ષિણમાં જૈન ધર્મ : જૈનયુગ, પુ.૪૬-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1985, પૃ.૨૩૭-૫૧. એિક બ્રાહ્મણ ગ્રેજ્યુએટ રા. શર્માના અંગ્રેજી નિબંધમાંથી તંત્રીએ ઉતારેલી નોંધ - 9 પ્રકરણોના સંક્ષેપ રૂપે.] [393) પાટણની પ્રભુતા' અને જૈનો : જૈ.એ.કૉ.હે, પુ.૧૨/૬, જૂન 1916, પૃ.૧૯૧-૯૩. [394) પાટણની પ્રભુતા' અને જૈનો (તંત્રીનોંધ) જૈ હૈ.કૉ.હે, પુ.૧૨/૭, જુલાઈ 1916, પૃ.૨૧૩-૧૫. ['પાટણની પ્રભુતા” વાંચીને જૈન સમાજના કેટલાક પ્રતિભાવો.] [395] પાટણની પ્રભુતા” અને જૈનો (તંત્રીનોંધ) : જૈ..કૉ. હે, પુ.૧૨,૮-૧૦, ગષ્ટ-ઑક્ટો. 1916, પૃ.૩૫૪. ['પાટણની પ્રભુતા' વિશે શેઠ કુંવરજી આણંદજીએ આપેલા અભિપ્રાયમાં રહેલી ઐતિહાસિક ભૂલ.] [39] પાલીતાણામાં ત્રાસજનક કુદરતી કોપ (તંત્રીનોંધ) : જૈ.જે.કોં. હે, 5.9/7, જુલાઈ 1913, પૃ.૨૧૩-૧૪. જિળપ્રકોપથી થયેલી મનુષ્ય-મનુષ્યતર જાનહાનિ.] [37] પ્રસ્તાવના : પુ. “યુગપ્રધાન શ્રી જિનચન્દ્રસૂરિ' (અગરચન્દ નાહટા, ભંવરલાલ નાહટા), સં.૧૯૯૨, પૃ.૩૧-૭૧. [‘યુપ્રધાન શ્રી જિનચન્દ્રસૂરિ
Page #198
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિત્રલેખસૂચિ 185 પુસ્તકની પ્રસ્તાવના રૂપે લખાયેલો લેખ જેમાં કેટલીક ઐતિહાસિક પૃષ્ઠભૂમિકા પૂરી પાડવામાં આવી છે.] [398] પ્રાચીન જૈન પરિષદ : જૈનયુગ પુ.૨/૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૧૮-૨૫; વસન્ત, કારતક 1972, પૃ.-. [399] પ્રાચીન જૈન મહારાજા - ખારવેલ (તંત્રીનોંધ) : જૈ.એ.કૉ.હે., પૃ.૧૩/૧, જાન્યુ. 1917, પૃ.૩-૫. [40] પ્રાચીન દ્વારકાપુરી (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.2/3-4, કારતક-માગશર 1983, પૃ.૧૪૪-૪૫. [401] પ્રોટેસ્ટ સભા (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.ર૭, ફાગણ 1983, પૃ.૨૮૪-૮૫. [મુનશીને ધારાસભાની ચૂંટણી સંદર્ભે મત કેમ ન આપવો તે અંગે જૈન ગ્રેજ્યુએટોનું ધ્યાન દોરતાં પહેલાં મુનશી સાથેનો પત્રવ્યવહાર અને સંભવિત પ્રોટેસ્ટ સભા.) [402] માનહાનિનો ખટલો (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૪૬-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1985, પૃ.૨૩૦-૩૨. [રાધનપુરના વતની અને મુંબઈના વેપારી શેઠ જીવનલાલ પરતાપસીએ વીસનગરના શેઠ મહાસુખભાઈ ચુનીલાલ સામે, ૨૬-૬-૧૯૨૮ના “સાંજવર્તમાનમાં આવેલા લેખ બાબતે, માનહાનિનો ખટલો માંડેલો. અંતે બન્ને પક્ષકારોએ સમજૂતી કરી.] [403] (મી.) મુનશી કમિટી (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/૭, ફાગણ 1983, પૃ.૨૮૪. [મુનશી દ્વારા “પાટણની પ્રભુતા'માં જૈન ઐતિ. વ્યક્તિઓ પર થયેલા આક્ષેપોના સંદર્ભમાં કૉન્ફરન્સે પેટા કમિટી નીમી હતી (28-6-1926). અનેક સભાઓ ભરી આ કમિટીએ ૧૫-૩-૧૯૨૭ના રોજ રિપોર્ટ કર્યો.]. | [404] (મી.) મુનશી કમિટી અને રા. મોતીચંદભાઈ (તંત્રીનોંધ): જૈનયુગ,.૨/૧૦, જેઠ 1983, પૃ.૪૯૫-૯૬. [મુનશી કમિટીનો, નવલકથાની ઐતિહાસિકતા સંદર્ભે, જે રિપોર્ટ આવ્યો તેનો સાર. કમિટીના છ સભ્યોમાંથી પાંચની સહમતિ, પણ મોતીચંદ કાપડિયાની અસંમતિ.] [405] રત્નપ્રભસૂરિ : જૈ જે.કૉ.હે, પુ.૧૩/૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે. 1917, પૃ.૪૬૭-૬૮. [40]
Page #199
--------------------------------------------------------------------------
________________ 186 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા રાજગૃહ સંબંધી જૈન સૂત્રોમાંથી હકીકત (તંત્રીનોંધ) જૈ.એ.કૉ.હે, પુ.૧૩/૮, ઑગષ્ટ 1917, પૃ.૨૩૦-૩૨. [407) લોંકાશાહ ક્યારે થયા ? : જૈનયુગ, 5.59-10, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૩૯-૪૯. [1. “લોંકાશાહ કબ હુએ?” (કોઈકનો હિંદી લેખ), 2. લાવણ્યસમયકૃત “સિદ્ધાન્તચોપાઈ', 3. લાવણ્યસમયકૃત બે વૈરાગ્યગીતો તથા 4. કમલસંયમ ઉપાધ્યાયકત “સિદ્ધાન્તસારોદ્ધાર - સમ્યકત્વોલ્લાસ ટિપ્પનક સમાવિષ્ટ] [જુઓ સંપાદન વિભાગની સૂચિ.] [408] વાઈસરોયને માનપત્ર (તંત્રીનોંધ) જૈનયુગ, 5.3/6-7, મહા-ફાગણ 1984, પૃ.૧૯૫-૯૬. [મુંબઈની જૈન ઍસો. ઑફ ઈન્ડિયાએ વાઈસરોયને માનપત્ર આપવાની યોજના કરી. પણ વાઈસરૉયની તબિયત નરમ બનતાં માનપત્ર-સ્વીકાર માંડી વળાયો. સમગ્ર જૈન કોમના નામે બોલવાનો ઍસો.ને અધિકાર નથી તેવું મો.દ.દેશાઈનું મંતવ્ય [409) વિક્રમ પાંચમી સદીની સ્થિતિ (મંદસોરનગર) H જૈ..કૉ.હે., પૃ.૧૪૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૭૩-૭૪. [પ્રતિભા' નામક હિંદી માસિકમાં શ્રી મહાવીર પ્રસાદ દ્વિવેદીના ટૂંકા લેખનો મો.દ.દેશાઈએ કરેલો અનુવાદ.] [41] (શ્રી) વીરચરિત્રની વિગતો જૈનયુગ, પુ.ર/૧-૨, ભાદરવો-આસો 1982, પૃ.૬૭-૬૮. [‘ચેઈય વંદણ મહાભાસ' ગ્રંથમાંથી પ્રાપ્ત વિગતો.] [411] (શ્રી) વીરચરિત્રને લગતી કેટલીક હકીકતો જૈનયુગ, 5.3/8, ચૈત્ર 1984, પૃ.૨૭૭-૭૯. હરિચંદ્રગણિના પ્રશ્નપદ્ધતિમાંથી ઉતારા [12] (શ્રી) વીરનિર્વાણ સંવત : જૈનયુગ, પુ.૨/૧-૨, ભાદરવો-આસો 1982, પૃ. 12. પ્રિો. જયસ્વાલના સં. ૧૯૭રમાં “પાટલીપુત્ર' સામયિકમાં લખાયેલા હિંદી લેખ “જૈન નિર્વાણ સંવત’નું ભાષાંતર] [13] (શ્રી) શત્રુંજય કોન્ફરન્સ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧૯, વૈશાખ 1982, પૃ.૩૮૯-૯૨. [414] (શ્રી શત્રુંજય પ્રકરણ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/૪, મહા 1983, પૃ.૨૪૩-૪પ. [415] (શ્રી) શત્રુંજય પ્રકરણ (તંત્રીનોંધ) : જૈનયુગ, પૃ.૩૯, વૈશાખ 1984,
Page #200
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ—લેખસૂચિ 187 69. પૃ.૩૦૪. [41] શત્રુંજય માટેની લડત (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૧૦, જેઠ 1982, પૃ.૪૩ર. [શત્રુંજયની સાચવણી માટે કૉન્ફરન્સની અગત્ય[૪૧૭] શત્રુંજય તીર્થ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૫, પોષ 1982, પૃ.૧૭ [418] (શ્રી) શત્રુંજયતીર્થ અને શેઠ આણંદજી કલ્યાણજી (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૨, આસો 1981, પૃ.૪૫-૪૭. [19] (શ્રી) શત્રુંજયતીર્થ પ્રકરણની સમામિ (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.3/10, જેઠ 1984, પૃ.૩૫૧-૫૪. 4i20] શાહી ફરમાનો (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૪/૧, ભાદરવો 1984, પૃ. - 86. [421] સંપ ત્યાં સુખ (તંત્રીનોંઘ) : જૈ.જે.કૉ.હે, પુ.૧૨/૭, જુલાઈ 1916, પૃ.૨૧. [બોરસદમાં વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિમાં પડેલાં બે તડ વચ્ચેનું સુખદ સમાધાન; અમદાવાદના રા. અમુલખરાય છગનલાલના સદપદેશથી.] સાંવત્સરી (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૪/૧, ભાદરવો 1984, પૃ.૩-૪. જૈિનોનું નવું વર્ષ ભાદ્રપદથી શરૂ થતું તે અંગેની ઐતિ. આલોચના] [423]. હવે શું? (તંત્રીનોંઘ) : જૈનયુગ, 5.1/12, શ્રાવણ 1982, પૃ.પર૨-૨૪. વિટસનના શત્રુંજયતીર્થ પ્રકરણ અંગેના ચુકાદા પછી હવે શું કરવું જોઈએ તે વિશે.] [424] હાલની ચળવળ અને સ્વદેશી માલનો પ્રચાર (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.પ૯૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૩-૩૭. [425] હિન્દુઓએ કરેલું શ્રી વીર નિર્માણ સ્મારક : જૈનયુગ, પુ.૨/૧-૨, ભાદરવો આસો 1982, પૃ.૮–૯. [જિનાચાર્યકા નિર્વાણ - ઉસકા જાતીય ઉત્સવ' એ નામના હિંદી લેખનો અનુવાદ. દિવાળીના તહેવારની ઐતિહાસિકતાનો નિર્દેશ.]. [42] 5. ચરિત્રાત્મક અધ્યાત્મરસિક પંડિત દેવચંદ્રજી (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.3/5, પોષ 1984, 4i22]
Page #201
--------------------------------------------------------------------------
________________ 188 વિરલ વિશ્વભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા પૃ.૧૩૪-૩પ. 42] અધ્યાત્મરસિક પંડિત શ્રી દેવચંદ્રજી (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪00. [428] અભિનંદન (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૪/૧૦, જેઠ 1985, પૃ.૪૩૪-૩૫. [શ્રી મકનજી જૂઠાભાઈ મહેતા બૅરિસ્ટરને - તથા રા. મોતીચંદ ગિરઘરલાલ કાપડિયા સૉલિસિટરને 4i29] આર્યકાલક (અથવા કાલકાચાય) : જૈન, 5.32/38-39, 7 અને 14 ઑક્ટો. 1934, પૃ.૯૩૩-૩૫ તથા 953-55; 5.32/41, 28 ક્ટો. 1934, પૃ.૧૦૦૯-૧૧; 5.3244, 25 નવે.૧૯૩૪, પૃ.૧૦૭૭-૭૮; 5.32/45, 2 ડિસે. 1934, પૃ.૧૧૦૫-૦૬; 5.3246, 9 ડિસે. 1934, પૃ.૧૧૨૭-૨૮; 5.32/47, 16 ડિસે. 1934, પૃ.૧૧૪૯-૫૦; 5.3248, 23 ડિસે. 1934, પૃ.૧૧૭૪; 5.32/ 49, 30 ડિસે.૧૯૩૪, પૃ.૧૨૦૧-૦૩. કિલ્યાણવિજયજીકૃત લેખનો અનુવાદ) * [430] ઉપાધ્યાય શ્રી ભાનુચંદ્રનું જીવનચરિત્ર (ચર્ચાપત્ર) : જૈન, પુ.૩૮/૧૩, 27 માર્ચ 1939, પૃ.૩૦. [431] એક શોકજનક મૃત્યુ (તંત્રીનોંધ) જૈ..કૉ. હે, પુ.૧૩/૬, જૂન 1917, પૃ.૧૬૬-૬૭. [શ્રી રણજિતરામ વાવાભાઈ મહેતા) [32] કવિ વીરવિજયના ગુરુ શુભવિજય : જૈનયુગ, 5.4/3-4, કારતક-માગશર 1985, પૃ.૧૩૧. [33] કવિશ્રી નાનાલાલ જન્મ સુવર્ણ મહોત્સવ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/, મહા 1983, પૃ.૨૪૮. [34] કાલકાચાર્ય : સનાતન જૈન, 5.3/1-4, ઑગષ્ટ-નવે.૧૯૦૭, પૃ.૩૩-૩૭. [ક ડૉ. ભાઉ દાજી, અનુવાદ વીરભક્તિના નામથી [435 કુશલચંદ્રગણિઃ જૈ.જે.કૉ.હે, પુ.૧૧/૭-૮-૯-[૧૦], જુલાઈ-ઑગષ્ટ-સપ્ટે.[ઓક્ટો.] 1915, પૃ.૪૩ર-૩૪. [43] કૉન્ફરન્સના પિતા (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.1/10, જેઠ 1982, 5.43132. [જયપુરના શ્રીમાનું ગુલાબચંદજી ઢઢા] [437]
Page #202
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 189 “ગુજરાતી” પત્રના તંત્રીશ્રી ઈચ્છારામ (તંત્રીનોંઘ): જૈ.જે.કૉ.હે, પુ.૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૭૧-૭૩. [38] (શેશ્રી) ગુલાબચંદ દેવચંદનું શોકજનક અવસાન (તંત્રીનોંઘ) : જૈનયુગ, પુ.ર૭, ફાગણ 1983, પૃ.૨૮૮. 4i39]. ચિત્રપરિચય : 1. શ્રીયુત મકનજી જૂઠાભાઈ મહેતા B.A.LL.B. (Bar-at Law) 2. ડાક્ટર નાનાલાલ મગનલાલ મહેતા L.M. & S, L.R.C.P. M.R.C.S.L.M.S. જૈ.જે.કૉ.હે. પુ.૯૮-૯, ઑગસ્ટ સપ્ટે.૧૯૧૩, પૃ.૪૪૯-૫ર. [સંભવતઃ તંત્રીનું લખાણ] [40] ચિત્રપરિચય: 1. સર વસનજી ત્રીકમજી રા. બ. જે. પી. 2. સ્વ. સરદાર શેઠ લાલભાઈ દલપતભાઈ 3. સદ્ગત શ્રીયુત ગોવિન્દજી મૂળજી મહેપાણી 4. સ્વ. નગરશેઠ ચમનભાઈ લાલભાઈઃ જૈ.જે.કોં. હે. 5.8/10, ઓક્ટો. 1912, પૃ.૪૦૦-૦૯ [સંભવતઃ તંત્રીનું લખાણ] [41] ચિત્રપરિચય: 1. સ્વ. શ્રીયુત હેમચંદ અમરચંદ 2. શેઠ લલુભાઈ રાયચંદ : જૈ.જે.કૉ.હે. પુ.૧૧/૭-૮-૯-[૧૦], જુલાઈ-ઑગષ્ટ-સપ્ટે.-ઑક્ટો.] 1915, પૃ.૫૩૯-૪૩. [સંભવતઃ તંત્રીનું લખાણ.] [42] (સ્વ) ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ M.A. : જે.જે.કૉ.હે, પુ.૧૫/૧-૨, જાન્યુ.-ફેબ્રુ. 1919, પૃ.૨૩-૨૪. [43] “જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ H જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, | પૃ.૩૮૨-૮૮. [‘હીરસૌભાગ્ય' કાવ્યનો ટૂંક સાર] [ 4] (શ્રી) જયવંતસૂરિ : આત્માનંદ પ્રકાશ, પુ. 21/7, મહા 1980, પૃ.૧૫ 59; 5.21/10, વૈશાખ 1980, પૃ.૨૪૧-૪૩. (શ્રી) જિનવિજયનું જર્મની પ્રત્યે પ્રયાણ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૩૯, વૈશાખ 1984, પૃ.૩૦૧-૦૨. [44] જુગ મંદિરલાલ જૈનીનો સ્વર્ગવાસ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1983, પૃ.૫૧૧. [47] જૈન ડૉક્ટરોની કદર (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/૪, મહા 1983, પૃ.૨૪૬-૪૭. [ડો. ત્રિભોવનદાસ ઓઘડભાઈ શાહ અને ડૉ. નાનચંદ કસ્તુરચંદ મોદી]. [48]
Page #203
--------------------------------------------------------------------------
________________ 10 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા જૈન સાહિત્ય ગુમાવેલો એક વૃદ્ધ સેવક (તંત્રીનોંધ) જૈ.જે.કૉ. હે, 5.98-9, ઑગસ્ટ-સપ્ટે.૧૯૧૩, પૃ.૨૬૫-૬૬. [શ્રી મોતીલાલ મનસુખરામ શાહનું અવસાન [49] જૈને સિવિલિયન (તંત્રીનોંધ) : જૈ.એ.કૉ.હે, પુ.૮/૧૨, ડિસે. 1912, પૃ.૪૫૩-૫૪. દિગંબર સંપ્રદાયના, લાહોરના લાલા રામચંદ સિવિલ સર્વિસની પરીક્ષામાં ઉત્તીર્ણ.] [45] જૈનાચાર્ય શ્રીમદ્દ યશોવિજયજી અને તેમની જીવનકલા : જૈન, પુ.૮૨, 10 એપ્રિલ 1910, પૃ.૯; 5.8/16, 17 જુલાઈ 1910, પૃ.૮-૯. [આ લેખનો બીજો હપ્તો (શ્રીમ) યશોવિજયજી અને તેમની જીવનકલા જૈનધર્મ પ્રકાશમાં મુદ્રિત. જુઓ આ જ વિભાગની સૂચિ.] [51] (શ્રીમ) જ્ઞાનસારજીઃ જૈ.જે.કોં. 9, પૃ.૮૯, સપ્ટે.૧૯૧૨, પૃ.૩૪૩-૪૫; 59/6, જૂન 1913, પૃ.૨૦૯-૧૦. [જુઓ સાહિત્યિક વિભાગની સૂચિ.] [45] (સ્વર્ગસ્થ) ઝવેરી મણિલાલ સુરજમલ (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવો-આસો-કારતક 1985-86, પૃ.૧૧૨-૧૩. [453] (શેઠ) દેવકરણ મૂલજીનો સ્વર્ગવાસ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૪/૧૦, જેઠ 1985, પૃ.૪૩૦-૩૧. [454] ધન્ય શ્રી કસ્તૂરભાઈ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૩૬-૭, મહા ફાગણ 1984, પૃ.૧૯૪-૯૫. | [455] (શ્રીમાનું) નગીનદાસ અમુલખરાય (તંત્રીનોંધ) H જૈનયુગ, પુ.૩/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1984, પૃ.૩૯૯-૪૦૦. [5] નરકેસરી લાલા લજપતરાયનું દેહાવસાન (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૪/૩-૪, કારતક-માગશર 1985, પૃ.૧૬-૬૭. [45] (સદ્ગત) નરોત્તમદાસ ભાણજી (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૭, ફાગણ 1982, પૃ.૨૪૪-૪૫. નવા જૈન બૅરિસ્ટરો (તંત્રીનોંધ) : જે.જે.કોં. હે, પુ.૮/૧૨, ડિસે.૧૯૧૨, પૃ.૪૫૩. [શ્રી મકનજી જૂમાઈ મહેતા, શ્રી ગોવિંદજી મૂલજી મહેપારી અને શ્રી હીરાલાલ મોતીલાલ શાહ. જેમાંથી શ્રી ગોવિંદજી મૂલજી 58]
Page #204
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ—લેખસૂચિ 191 સૂચિ.] મહેપાણીનું છેલ્લી પરીક્ષા ઉત્તીર્ણ કરતાં પહેલાં અવસાન થયું.] [59] ન્યાયમૂર્તિ કૃષ્ણલાલભાઈ (તંત્રીનોંઘ) : જૈનયુગ, પુ.૨/૧૦, જેઠ 1983, પૃ.૪૯૯. (સ્વર્ગસ્થ) પુણ્યાત્મા શ્રીમાન મુનિ મહારાજ શ્રી મોહનલાલજી : 1. જૈન પતાકા, ફેબ્રુ.-માર્ચ 1908, પૃ–. ૨.જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવો-આસો-કારતક 1985, પૃ.૩૧-૩૬. [41] પૂજ્યપાદ પંન્યાસ શ્રી ગંભીરવિજયનું આંતરિક જીવન (માસિક દિગ્દર્શન) : જૈ.જે.કોં.હે., પૂ.૯/૬, જૂન 1913, પૃ.૨૧૦-૧૧; 5.97, જુલાઈ 1913, પૃ.૨૩૭. [42] પ્રમુખ સાહેબ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.પ૬-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1986, પૃ.૨૧૫. [જુર કૉન્ફરન્સના પ્રમુખ રાવસાહેબ રવજી સોજપાલ] [જુઓ સંસ્થા પરિચયો અને સંમેલન-અહેવાલો વિભાગની [43] પ્રેમવિજય ઉપાધ્યાય : જૈનયુગ, પુ.ર૩-૪, કારતક-માગશર 1983, પૃ.૮૬-૮૭. [44] બાબુ જુગલકિશોર અને સમન્તભદ્રાશ્રમ (તંત્રીનોંધ): જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવો-આસો-કારતક 1985-8, પૃ.૧૧૮-૧૯. (જુઓ સંસ્થા પરિચય અને સંમેલન-અહેવાલો વિભાગની સૂચિ.] [45] (સ્વ) બાબુ દયાચંદ ગોયલીય બી.એ. જૈ જે.કૉ. હે, પુ.૧૫/૧-૨, જાન્યુફેબ્રુ.૧૯૧૯, પૃ.૨૪. [4 ] બાબુ પુરણચંદ નાહર અને ગુલાબકુમારી લાયબ્રેરી (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ. પ/૧-૨-૩, ભાદરવો-આસો-કારતક 1985-86, પૃ.૧૧૫-૧૬. (જુઓ સંસ્થા પરિચયો અને સંમેલન-અહેવાલો વિભાગની સૂચિ.] [47] બીજાં અવસાનો (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1983, પૃ.૫૧૧. [કલકત્તાના વેપારી રા. દયાલજી ગંગાધર ભણશાલી તથા જૈન થયેલા પારસી માણેકજી.] [48] બીજી ખેદકારક નોંઘ (તંત્રીનોંધ) જૈ.એ.કૉ. હે, 5.84, એપ્રિલ 1912, પૃ.૧૨૫. [ખંભાતના શેઠ અમરચંદ પ્રેમચંદનું અવસાન] [49]
Page #205
--------------------------------------------------------------------------
________________ 192 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 4i75] ભગવાનશ્રી પાર્શ્વનાથ H મુંબઈની ૧૯૩૭ની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અપાયેલું વ્યાખ્યાન. મુદ્રિતની માહિતી નથી.] [47] (સ્વ. શ્રી) ભગુભાઈ ફ. કારભારી (તંત્રીનોંધ) : જે.જે.કૉ. હે, પુ.૧૧/૧, જાન્યુ. 1915, પૃ.૧૨-૧૪. 4i71] ભાંડાગારિક નેમિચંદ્ર: 1. જૈનયુગ, 5.4/6-7-8, મહા-ફાગણ-ચૈત્ર 1985, પૃ.૩૩૪-૪૧. 2. બુદ્ધિપ્રભા, 5.8/1, એપ્રિલ 1916, પૃ.૧૭-૧૯; 5.8/3, જૂન 1916, પૃ. 7-72. [47] (શ્રીયુત) મકનજી મહેતા તથા મોહનલાલ ઝવેરી (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.3/1-2, ભાદરવો-આસો 1983, પૃ.૭-૮. [473] (શેઠ) મનસુખભાઈ ભગુભાઈનો ખેદજનક દેહોત્સર્ગ (તંત્રીનોંધ) : જૈ.જે. કૉ.હે., પૂ.૯/૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૬૯-૭૦. [474] (શ્રી મહાવીર ચરિત્રનું આલેખન અને સુજ્ઞ પુરુષોને નિમંત્રણ : જૈનયુગ, પુ.૧/૮, ચૈત્ર 1982, પૃ.૩૭૦-૭૪. મહાવીર સંબંધે કંઈકંઈ : જૈ.જે.કો.હે, પુ.૧૦/૧૦-૧૧-૧૨, ઑક્ટો.-નવે.ડિસે.૧૯૧૪, પૃ.૪૩૨-૫૮. [47] મહાવીરનો સમય અને ધર્મપ્રવર્તક તરીકે મહાવીર જે.જે.કૉ.હે. પુ.૧૦૮-૯, ઑગસ્ટ-સપ્ટે.૧૯૧૪, પૃ.૩૭૨-૪૨૯. [477] મુનિમહારાજ શ્રી વલ્લભવિજયજી (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., પૃ.૧૧/૧, જાન્યુ. 1915, પૃ.૧૫-૧૬. | [478] (રા.)મોતીચંદભાઈ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૧૨, શ્રાવણ 1982, પૃ.૫૧૬. [479] (શેઠ) મોતીલાલ મૂળજીનું સંક્ષિપ્ત ચરિત્ર : જૈ.જે.કૉ.હે., .11/2-3, ફેબ્રુ.-માર્ચ 1915, પૃ.૪૦-૪૨. [480] (શ્રીમ) યશોવિજયજી અને તેમની જીવનકલા જૈનધર્મ પ્રકાશ, પુ.૨૬/૩, જેઠ 1966, પૃ.૯૩-૯૬. [આ જ લેખ “જૈનાચાર્ય શ્રીમદ્ યશોવિજયજી અને તેમની જીવનકલા' શીર્ષકથી “જૈન”માં મુદ્રિત. જુઓ આ જ વિભાગની સૂચિ.] [481] યુગપુરુષને અધ્યજલિ : શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, 1936,
Page #206
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 13 પૃ.૧૦૫-૨૦ (ગુજરાતી વિભાગ - ઈતર વિષયક લેખો) [આત્માનંદ, આત્મારામજી/વિજયવલ્લભસૂરિ વિશે.] . લાઈફ ઑફ નગરશેઠ ચમનભાઈ લાલભાઈ (અંગ્રેજી) : જૈ.એ.કૉ.હે., 5.9/3-4, માર્ચ-એપ્રિલ 1913, પૃ.૧૦૨-૦૩. [સંભવતઃ તંત્રીનું લખાણ [483] વખતચંદ શેઠ જે.જે.કૉ.હે, 5.88, ઑગષ્ટ 1912, પૃ.૨૩૪-૩૯[૪૮૪] (શ્રીયુત) વાડીલાલ મોતીલાલની કદર (તંત્રીનોંધ) જૈનયુગ, .2/, મહા 1983, પૃ.૨૪૮-૪૯. [485] વિજયરાજસૂરિ : જૈનયુગ, પુ. 2/3-4, કારતક-માગશર 1983, પૃ. 86. [48] વિનયવિજય ઉપાધ્યાયઃ 1. જૈ.વ્ય.કૉ.હે., .11/7-8-9-[10], જુલાઈ ઑગષ્ટ-સપ્ટે.-ઑક્ટો. 1915, પૃ.૪૨૨-૨૩. 2. પુસ્તિકા નયકર્ણિકા' અંતર્ગત. [487] વિલાયતમાં એક જૈન યુવકની સેવા (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૩૩, કારતક 1984, પૃ.૩૭. લિંડનમાં શ્રી રેવાશંકર જાદવજી ઉદાણી] [488] (શ્રી) વીરચરિત્ર અને તે માટેનાં સાધનો (તંત્રીનું વક્તવ્ય) (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.ર/૧-૨, ભાદરવો-આસો 1982, પૃ.૬૮-૭૩. [489] વૃદ્ધિસાગરસૂરિ : જૈ..કો.હે., પૂ.૧૧/૭-૮-૯-[૧૦], જુલાઈ-ઑગષ્ટસપ્ટે.-ઑક્ટો.] 1915, પૃ.૪૨૪-૨૫. 4i90 શાલિભદ્ર (એક ટૂંકી ધર્મકથા) : જે.જે.કૉ.હે, પુ.૮૯, સપ્ટે.૧૯૧૨, પૃ.૩૧૧. [સંભવતઃ તંત્રીનું લખાણ [491] શાસન પ્રભાવક ગુરુ-શિષ્ય ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્ર : શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, 1936, પૃ.૨૨૫-૪૫. (ગુજરાતી વિભાગ - ઇતર વિષયક લેખો). [492] શોકકારક મૃત્યુ - રા. મોહનલાલ પુંજાભાઈ (તંત્રીનોંધ) : જૈશ્વેિક છે, 5.84, એપ્રિલ 1912, પૃ.૧૨૩-૨૪. [47] વિ.૧૩
Page #207
--------------------------------------------------------------------------
________________ 194 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા શોકજનક મૃત્યુનોંધ : જૈ.એ.કૉ.હે., પૃ.૧૩/૧, જાન્યુ. 1917, પૃ.૧૪. જૈિન સૉલીસિટર રા. ગુલાબચંદ મોતીચંદ દસાણીઆ તથા વિજાપુરનિવાસી શેઠ મગનલાલ કંકુચંદ] 4i94] શ્રેષ્ઠીવર્ય શ્રી શાંતિદાસજી : જે.જે.કૉ.હે., 5.86, જૂન 1912, પૃ.૧૭૯૮૨. [45] (સ્વ.) સાક્ષરશ્રી મનસુખલાલ કિ. મહેતા (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૩/૫, પોષ 1984, પૃ.૧૩૫-૩૭. સાક્ષરશ્રી રસિકલાલ છોટાલાલ (તંત્રીનોંધ) જૈનયુગ, 5.3/1-2, ભાદરવોઆસો 1983, પૃ.-૭. [497 સ્થૂલભદ્ર (એક ઐતિહાસિક ઘર્મકથા) : જૈ.જે.કૉ.હે., પૃ.૯૮-૯, ઑગષ્ટસપ્ટે.૧૯૧૩, પૃ.૩૧૩-૨૭. [498] સ્વાગત સમિતિના અધ્યક્ષ (તંત્રીનોંધ) જૈનયુગ, 5.5/6-7-8, મહા-ફાગણ ચૈત્ર 1986, પૃ. 215-16. [જુર કૉન્ફરન્સમાં. શ્રી ચુનીલાલ સરૂપચંદ રાજુરીકર] [જુઓ સંસ્થાપરિચયો અને સંમેલન-અહેવાલો વિભાગની સૂચિ] 4i99) (શ્રીમહેમચંદ્રાચાર્યઃ પુ.શ્રી હૈમ સારસ્વતસત્ર અહેવાલ અને નિબંધસંગ્રહ, પ્રકા. ગુ.સા. પરિષદ, સપ્ટે.૧૯૪૧, પૃ.૬૭-૭૫. [પ00] . સંસ્થા પરિચય અને સંમેલન-અહેવાલો અધિવેશન માટેના પ્રયાસ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૧૦, જેઠ 1982, પૃ.૪૩૦-૩૧. જૈિ ચે કૉન્ફડનું અધિવેશન ન ભરાઈ શક્યાની વ્યથા [501]. આગમ પ્રકાશન અને આગમોદય સમિતિ : જે.જે.કૉ.હે., પુ.૧૨/૨, ફેબ્રુ.૧૯૧૬, પૃ.૬૦-૬૪. [502] આઠમી ગૂજરાતી સાહિત્ય પરિષદ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧૪, માગશર 1982, પૃ.૧૨; 5.1/4, મહા 1982, પૃ.૨૦૭-૦૮; 5.1/10, જેઠ 1982, પૃ.૪૩૪-૩૬. [503 આઠમી પૌર્વાત્ય પરિષદ અને સ્વ. હરિલાલ ધ્રુવનાં સંસ્કૃત કાવ્યો સમાલોચક, પુ.૨૪/૧૦, ઑક્ટો. 1919, પૃ.૫૪૧-૫૧. [504]
Page #208
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ–વેબસૂચિ 15 [50] (શ્રી) આણંદજી કલ્યાણજીની પેઢી અને ખરતર વસીનો પ્રશ્ન (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.પ/૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૩૫-૩૬. [55] (શેઠ) આણંદજી કલ્યાણજીની સભા (તંત્રીનોંધ) જૈનયુગ, 5.1/12, શ્રાવણ ૧૯૮૨,પૃ.૨૧-૧૩. (જુઓ ઐતિહાસિક વિભાગની સૂચિ.] [50] આપણી કેટલીક સંસ્થાઓ (તંત્રીનોંધ) જે.વ્ય.કૉ.હે, પુ.૧૩/૫, મે 1917, પૃ.૧૩૯-૪૧. [1. જૈન સાહિત્ય પરિષદ 2. દશમી જૈન કૉન્ફરન્સ 3. મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાયબ્રેરી 4. જૈન એજ્યુ. બોર્ડ.] [57] આપણી ઘાર્મિક સંસ્થાઓ (તંત્રીનોંધ) જૈ.જે.કૉ.હે., પુ.૧૩/૭, જુલાઈ 1917, પૃ.૧૯૯-૨૦૦. [58] કૉન્ફરન્સ અને જૈન સમાજ - ભવિષ્યનું માર્ગ સૂચન : જૈ.જે.કૉ.એ, પુ.૧૩/૩, માર્ચ 1917, પૃ. 9-71; પુ.૧૩૪, એપ્રિલ 1917, પૃ.૧૦૦-૦૩.. કૉન્ફરન્સ અને સંપ (તંત્રીનોંધ) : જે.જે.કૉ.હે, 5.84, એપ્રિલ 1912, પૃ.૧૧૯-૨૦. [51]. કૉન્ફરન્સ મહાદેવી (તંત્રીનોંધ) : જે.જે.કૉ. હે, ૫.૯/૧-ર, જાન્યુ.ફેબ્રુ. 1913, પૃ. 7-68. [511] (શ્રીમતી) કૉન્ફરન્સદેવી - નવમા અધિવેશનના ઠરાવોને હવે કાર્યમાં મૂકવાની જરૂર (1) તહેવાર અને ધાર્મિક શિક્ષણ (2) સામાન્ય શિક્ષણ (3) વ્યાપારી શિક્ષણ (તંત્રીનોંધ) જૈ.જે.કૉ.હે., પુ.૧૧/૪, એપ્રિલ 1915, પૃ.૧૦૬-૦૭; પુ.૧૧/૫, મે 1915, પૃ.૧૪-૪૮; પુ.૧૧/૬, જૂન 1915, પૃ.૧૭૯-૮૦. [512] કૉન્ફરન્સદેવી - હવે શું કરવું જોઈએ - કંઈ સારી આશાઓ (તંત્રીનોંધ) : જૈ.જે.કો.હે., પૂ.૮/૧૨, ડિસે. 1912, પૃ.૪૫૧-૫૩. [513] (શ્રીમતી) કૉન્ફરન્સદેવીનું નવમું અધિવેશન - પ્રમુખ સાહેબના ભાષણની અને ઠરાવની ટૂંક સમાલોચના (તંત્રીનોંધ) : જે.જે.કૉ.હે, પુ.૧૧/ર-૩, ફેબ્રુ-માર્ચ 1915, પૃ.૩૫-૩૭. [14] કૉન્ફરન્સના નવીન જનરલ સેક્રેટરીઓ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૩૪, માગશર 1984, પૃ.૯૪-૯૫. [ચીનુભાઈ લાલભાઈ અને નગીનદાસ
Page #209
--------------------------------------------------------------------------
________________ 196 વિરલ વિદ્ધતિભા અને મનુષ્ય પ્રતિભા * કરમચંદ] [515. કૉન્ફરન્સની છઠ્ઠી બેઠક અને તે વિષયે ઉદ્ભવતા વિચારો : જૈ.જે.કૉ. હે, 5.44, એપ્રિલ 1908, પૃ.૧૫૭-૬૮. [51]. કૉન્ફરન્સની ફતેહ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૧૨, શ્રાવણ 1982, પૃ.૫૧૬-૧૭. [17] કૉન્ફરન્સનું ૧૧મું અધિવેશન (તંત્રીનોંધ) : જૈ.એ.કૉ.હે., પૃ.૧૩/૧૨, ડિસે.૧૧૭, પૃ.૪૯૩. [118] કૉન્ફરન્સનું દશમું અધિવેશન : જે.વ્ય.કૉ.હે., પુ.૧૨૩, માર્ચ 1916, | પૃ.૬૭-૬૮. [19] (શ્રી) કૉન્ફરન્સનું વિજયવંતુ ખાસ અધિવેશન (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૧૨, શ્રાવણ 1982, પૃ.૫૧૩-૧૫. [પર૦] (શેઠ) ગોકળભાઈ મુળચંદ જૈન વિદ્યાર્થી આશ્રમઃ જૈ.વ્ય.કૉ.હે., પુ.૧૨/૧ર, ડિસે.૧૯૨૬, પૃ.૪૦૯-૧૯. રિપોર્ટ [પર૧] જુર કૉન્ફરન્સના ઠરાવની ટૂંક તપાસ (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૩ર-૩૫. [પર૨] જુગેર કૉન્ફરન્સની તૈયારી (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ. 5/6-7-8, મહા-ફાગણ-ચૈત્ર 1986, પૃ.૨૧૪. પર૩] જુર શહેર (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.પ/-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1986, પૃ.૨૧-૧૭. [જુઓ ઐતિ. વિભાગની સૂચિ.] [પ૨૪] જુન્નેરમાં કૉન્ફરન્સના અધિવેશનનું આમંત્રણ (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.5/1 2-3, ભાદરવો-આસો-કારતક 1985-86, પૃ.૧૧૭-૧૮. [પર૫] “જૈન” અને અમે (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., પૂ.૯૧-૨, જાન્યુ.-ફેબ્રુ. 1913, પૃ.૬૮-૬૯. [“જૈન” સામયિકે કૉન્ફરન્સ સામે અશિષ્ટ ભાષામાં કરેલા આક્ષેપો સંદર્ભે " [પર] (શ્રીમતી) જૈન કૉન્ફરન્સ અને સમાજ સંબંધી થોડા વિચારો : જૈનયુગ, પુ.પ/-૭%, મહા ફાગણ-ચૈત્ર 1986, પૃ.૨૦૩-૧૩, જુઓ વિચારાત્મક વિભાગની સૂચિ.] (ધ) જૈન ઍજ્યુએટ્સ ઍસોસિએશન (અંગ્રેજી) : જે.જે.કો.હે, પુ.પ/૧,
Page #210
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેબસૂચિ 197 જાન્યુ.૧૯૦૯, પૃ.૧-૪. [પ૨૮] જૈન જ્ઞાનમંદિર (તંત્રીનોંધ) : જે..કો.હે, પુ.૮૪, એપ્રિલ 1912, પૃ.૧૨-૨૨. [વડોદરામાં શ્રીકાંતિવિજય અને શ્રી હંસવિજયની પ્રેરણાથી સ્થાપના [પ૨૯] જૈન દવાખાનું (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૪૬-૭-૮, મહા ફાગણ-ચૈત્ર 1985, પૃ.૨૩૨-૩૪. [મુંબઈમાં પાયધુની વિસ્તારમાં જૈન દવાખાનાનો આરંભ પ૩૦] જૈન મહિલા સંમેલન (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૧૨, શ્રાવણ 1982, પૃ.૫૧૯-૨૦. સિંમેલનમાં શત્રુંજયતીર્થ યાત્રાત્યાગના થયેલા ઠરાવને શ્રી મો.દ.દેશાઈએ બિરદાવ્યો છે.] [31] (શ્રી) જૈન વિદ્યાર્થી આશ્રમ - સૂરતઃ જૈનયુગ, પુ.૩/૧-૨, ભાદરવો-આસો 1983, પૃ.૩૨. [32] જૈન વિદ્યોત્તેજક સહકારી મંડળ લિ. (તંત્રીનોંધ) H જૈનયુગ, 5.2/4, મહા 1983, પૃ.૨૪૭-૪૮. [33] જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૧૦, જેઠ 1982, પૃ.૪૨૯-૩૦. | [પ૩૪] જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ કન્વેન્શન (તંત્રીનોંધ) H જૈનયુગ, પુ.૧/૨, આસો 1981, પૃ.૪૪-૪૫. [35] જૈન સાહિત્ય પરિષદની જરૂર (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/૫, પોષ 1983, પૃ.૨૦૩-૦૪. સુરતમાં ભરાયેલી જૈન સાહિત્ય પરિષદના ઠરાવોને આનુષંગિક] [53] જૈન સાહિત્ય સંમેલન (તંત્રીનોંધ) : જે.જે.કૉ.હે, પુ.૧૦/૧-૨, જાન્યુ.ફેબ્રુ.૧૯૧૪, પૃ.૪-૫. [37] જૈન સેનિટોરીઅમ (તંત્રીનોંધ) : જૈ જે.કૉ.હે., પૂ.૮/૫, મે 1912, પૃ.૧૪૩-૪૪. [દાઉદી વોરા કોમ તરફથી માથેરાનમાં ખુલ્લા મુકાયેલા સેનિટોરીઅમનો પરિચય. આ જ રીતે જૈન આરોગ્યભવન બંધાવું જોઈએ તે વિશે.] પિ૩૮] જૈન સ્વયંસેવક સંમેલન (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૧/૧૨, શ્રાવણ 1982,
Page #211
--------------------------------------------------------------------------
________________ 198 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા પૃ.૫૧૯. [39] તંત્રીનું નિવેદન (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે, પુ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૪૮. જિ.થે કૉન્ફરન્સનું દશમું અધિવેશન મુંબઈ ખાતે ભરવા મુંબઈના જૈન સંઘે આપેલી સંમતિ.] [54] દ.મ.જૈન જે. પ્રાંતિક પરિષદ ૪થું અધિવેશન (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.25, પોષ 1983, પૃ.૨૦૧-૦૨. પિ૪૧] દક્ષિણમાં મળેલો જૈન સમાજ (તંત્રીનોંધ) : જૈશ્વેિકૉ.હે, પુ.લક, જૂન 1913, પૃ.૧૮૮-૯૦. [દક્ષિણના મંચર ગામમાં પ્રતિષ્ઠા-ઉત્સવ પ્રસંગે એકઠા થયેલા જૈન સમાજને સંમેલનનું રૂપ અપાયું, જેના પ્રમુખ હતા કંકુચંદ મૂળચંદ.] [પ૪૨] દશમી કૉન્ફરન્સની પૂર્ણાહુતિ : જૈશ્વિ.કૉ.હે., પુ. 124-5, એપ્રિલ-મે 1916, પૃ.૯૮-૧૦૩. [543 દિગંબર પરિષદ (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.5/1-2-3, ભાદરવો-આસો-કારતક 1985-86, પૃ.૧૧૮. [54] દેશી સંસ્થાન પરિષદ (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.34, માગશર 1984, પૃ.૯૫. [545] નવમી ગૂ.સા.પરિષદ - નડિયાદ (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.43-4, કારતકમાગશર 1985, પૃ.૧પ-૬. [54] નવા રેસી. જનરલ સેક્રેટરીઓ (તંત્રીનોંધ) જૈનયુગ, પુ. 4/11-12, અષાડ શ્રાવણ 1985, પૃ.૫૧૮. [કોન્ફરન્સના જનરલ સેક્રેટરીઓ રા. ચીનભાઈ લાલભાઈ તથા શેઠ નગીનદાસ કરમચંદ પાટણવાળાએ રાજીનામું આપતાં તેમની જગાએ અનુક્રમે શેઠ રણછોડભાઈ રાયચંદ, મોતીચંદ ઝવેરી અને શેઠ છોટાલાલ પ્રેમજી માંગરોળવાળાની વરણી.] [547] પંજાબમાં થયેલું અનુકરણીય સંધબંઘારણ (તંત્રીનોંધ) જૈ..કૉ. હે, 5.97, જુલાઈ 1913, પૃ. 218. [548] પાચોરા (ખાનદેશની એંગ્લો-વર્નાક્યુલર) સંયુક્ત જૈન પાઠશાળા (તંત્રીનોંધ) : જૈ.જે.ક. 5.98-9, ઑગષ્ટ-સપ્ટે.૧૯૧૩, પૃ.૨૬૬-૬૭.૫૪૯] પાલીતાણાની બે સંસ્થા (તંત્રીનોંધ) : જૈનયુગ, ૫.૩/પ, પોષ 1984,
Page #212
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ–લેખસૂચિ 199 પૃ.૧૭૩. [1. બાલાશ્રમ 2. યશોવિજયજી જૈન ગુરુકુળ] [55] પ્રગતિનો પવનઃ આપણે શું તે પવનથી દૂર રહીશું (તંત્રીનોંધ) જે.જે.કૉ. હે., 5.9/5, મે 1913, પૃ.૧૭૬. [સ્થાનકવાસી જૈન કોમની કેટલીક પ્રગતિસૂચક પ્રવૃત્તિઓ. શ્વેતાંબર ભાઈઓએ પોતાની ધીમી પડેલી પ્રવૃત્તિઓને વેગીલી કરવી જોઈએ.] [551] પ્રમુખ માટેની શોધ (તંત્રીનોંધ) : જૈનયુગ પુ.પ/-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1986, પૃ.૨૧૪-૧૫. [પપર પ્રમુખ સાહેબ (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.5/6-7-8, મહા-ફાગણ-ચૈત્ર 1986, પૃ.૨૧૫. [રાવસાહેબ રવજી સોજપાલ] [જુઓ ચરિત્રાત્મક વિભાગની સૂચિ.] [553] પ્રમુખનું ભાષણ (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.5/6-7-8, મહા ફાગણ-ચૈત્ર 1986, પૃ. 229-24. જૈિન સમાજના પ્રશ્નો વિશે.] [જુઓ વિચારાત્મક વિભાગની સૂચિ [554] (શ્રીયુત) બહાદુરસિંહજી અને શ્રીયુત કસ્તૂરભાઈ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૧૨, શ્રાવણ 1982, પૃ.૫૧~૧૯. [કોન્ફરન્સમાં એના પ્રમુખ શ્રી બહાદુરસિંહજી તથા શેઠ આ.ક.પેઢીના પ્રમુખ શ્રી કસ્તૂરભાઈનાં પરસ્પર ખુલાસાવાળાં વક્તવ્યોનું તારણ] [555] બાબુ જુગલકિશોર અને સમન્તભદ્રાશ્રમ (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવો-આસો-કારતક 1985-86, પૃ.૧૧૮-૧૯. જિઓ ચરિત્રાત્મક વિભાગની સૂચિ.] બાબુ પુરણચંદ નાહર અને ગુલાબકુમારી લાયબ્રેરી (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.5/1-2-3, ભાદરવો-આસો-કારતક 1985-86, પૃ.૧૧૫-૧૬. [જુઓ ચરિત્રાત્મક વિભાગની સૂચિ.]. [557] (શ્રી) મહાવીર વિદ્યાલય (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે, પુ.૧૩/૬, જૂન 1917, પૃ.૧૬૭-૬૮. [558] મુંબઈ ખાતે નવા સ્થપાયેલા શ્રી સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહની ઉદ્ઘાટન ક્રિયા પ્રસંગેનું વક્તવ્ય : જૈન હિતેચ્છુ, પુ.૧૯, માર્ચ તથા જૂન 1917, પૃ.૧૨-૬૩. [સંસ્થા તથા વાડીલાલ મોહનલાલ શાહ વિશે.[૫૫૯] [પપદ]
Page #213
--------------------------------------------------------------------------
________________ 200 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા મુંબઈ - બાબુ પનાલાલ પુનમચંદ જૈન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું પ્રીતિસંમેલન (તંત્રીનોંધ) : જૈશ્વેિ.કો.હે, પુ.૧૨/૮, ઑગષ્ટ 1916, પૃ.૩૪૮૫૦. [56] રાજકોટનું શ્રી દશાશ્રીમાળી અને જૈન વણિક બોર્ડિંગ હાઉસ : ..કૉ.હે. પુ.૧૦/૪-૫, એપ્રિલ-મે 1914, પૃ.૧૫૭-૬૦. વિઝિટર્સ બૂકમાં લખેલો અભિપ્રાય] [51] વાંકાનેર સ્થાનકવાસી કૉન્ફરન્સ (તંત્રીનોંધ) : જૈનયુગ, પૃ.૩૩, કારતક 1984, પૃ.૬૪-૬૭. [52] (શ્રી) શત્રુંજય પ્રકરણ (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.3/8, વૈશાખ 1984, પૃ.૩૦૪. [આ પ્રકરણ બાબતે અત્યારે વિવિધ સંસ્થાઓ શું કરી રહી છે તે વિશે.] [53] સભાના એક હિતેચ્છની ખાસ સૂચનાઓ : જૈન ધર્મ પ્રકાશ, પુ.૪૦/૧૨, ફાગણ 1981, પૃ.૪૦૬-૦૮. [જૈન'માં “સાહિત્યસેવાની આવશ્યક ભલામણ” એ નામે થોડાક ફેરફાર સાથે. જુઓ આ જ વિભાગની સૂચિ. [54] સમન્તભદ્રાશ્રમે કરવા ધારેલાં કાર્યો (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવો-આસો-કારતક 1985-86, પૃ.૧૧૯-૨૧. [565 સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., 5.13/6, જૂન 1917, પૃ.૧૬૮-૬૯. [ ] સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., પૃ.૧૩૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૨૭૭-૮૧. [57] સાગરગચ્છ મુનિસમેલન પરથી ઊપજતા વિચારો - જુદા જુદા ગચ્છોનું ખેંચવામાં આવતું લક્ષ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., પૂ.૯/૬, જૂન 1913, પૃ.૧૮૧-૮૭. જુઓ વિચારાત્મક વિભાગની લેખસૂચિ.] [58] સાહિત્યસેવાની આવશ્યક ભલામણ જૈન પુ.૨૩/૬, 8 ફેબ્રુ.૧૯૨૫, પૃ.૮૧ 82. [ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભાએ મકાનની ઉદ્દઘાટન- ક્રિયા રાખેલી ત્યારે લખાયેલું પ્રાસંગિક વક્તવ્ય પત્ર રૂપે મોકલેલું. “જૈન ધર્મપ્રકાશમાં આ જ લખાણ “સભાના એક હિતેચ્છની ખાસ સૂચનાઓ
Page #214
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ–લેબસૂચિ 201 નામથી થોડાક ફેરફાર સાથે, જુઓ આ જ વિભાગની સૂચિ.] [69] સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ (તંત્રીનોંધ) : જે.જે.કૉ.હે, પુ.૧૩/૭, જુલાઈ 1917, પૃ. 200-01. [પ૭૦] (શ્રી) સુકૃત ભંડાર ફંડની ખેદજનક હાલત - જૈન વર્ગને વધારે વિચારશીલ, વધારે આગળ વધતો અને વધારે આબાદ કરવાનો વ્યવહાર માર્ગ - પૂજ્ય મુનિવરો અને આગેવાન શ્રાવકોને અપીલ (તંત્રીનોંધ) : જૈ.જે. કૉ.હે., પૃ.૯/૬, જૂન 1913, પૃ.૧૯૦-૯૨. [શ્રી જૈ.એ.મૂ. કૉન્ફરન્સ અંતર્ગત સંસ્થા. [571] સુરત અશક્તાશ્રમ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૩/૪, માગશર 1984, પૃ.૯૮. [572] સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.રપ, પોષ 1983, પૃ.૨૦૨-૦૩. [573] સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.ર૭, ફાગણ 1983, પૃ.૨૮૭-૮૮. [574] સ્વાગતસમિતિના અધ્યક્ષ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.પ/-૭-૮, મહા-ફાગણ ચૈત્ર 1986, પૃ.૨૧૭-૧૯. ચુનીલાલ સરૂપચંદ રાજુરીકર] જુઓ ચરિત્રાત્મક વિભાગની સૂચિ.] [575] સ્વાગતસમિતિના અધ્યક્ષનું ભાષણ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.પ/૬-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1986, પૃ.૨૧૭-૧૯. જૈિન સમાજના પ્રશ્નો વિશે.] જિઓ વિચારાત્મક વિભાગની સૂચિ.] [57] હિન્દુનું સંગઠન (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૧/૫, પોષ 1982, પૃ.૧૬૨-૬૪. [હિન્દુ મહાસભાની બેઠકમાં લાલા લજપતરાયના પ્રમુખીય ભાષણના મુદ્દાઓ પર આધારિત મો.દ.દેશાઈની વિચારણા] [જુઓ વિચારાત્મક વિભાગની સૂચિ.]. [577] હિંદુ યુનિવર્સિટીમાં જૈન ધર્મ (તંત્રીનોંધ) : જૈ..કૉ.હે, 5.8/12, ડિસે. 1912, પૃ.૫૪. 7. સામયિકો “અનેકાન્ત પત્ર (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવો-આસો [578]
Page #215
--------------------------------------------------------------------------
________________ : 202 વિરલ વિદ્ધપ્રતિભા અને મનુષ્ય પ્રતિભા કારતક 1985-86, પૃ.૧૨૧-૨૨. [59] અમારું ગત વર્ષ (તંત્રીનોંધ) જૈ.જે.કૉ.હે., પૃ.૯/૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ. 5-47. | [580 આ પત્રના નામમાં ફેરફાર કરવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો (તંત્રીનોંધ) : જૈ.જે.કો.હે., પુ.૧૨૮, ઑગસ્ટ 1916, પૃ.૩૫૪-૫૫. [‘હેરલ્ડ”નું નામ બદલી “જૈન સમાજ' રાખવાનું સૂચન કૉન્ફરની સ્ટેન્ડિંગ કમિટીમાં નકારાયું.] [581] આગામી શ્રી મહાવીર જયંતી ખાસ અંક (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૩-૭, મહા-ફાગણ 1984, પૃ.૧૯૪. [582] જૈન ઇતિહાસ-સાહિત્ય ખાસ અંક (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/૩-૪, કારતકમાગશર 1983, પૃ.૮૧-૮૨. [583 જૈન” પત્રનો રજતોત્સવ (તંત્રીનોંધ) : જૈનયુગ, ૫.૩/પ, પોષ 1984, પૃ.૧૩૭-૩૮ [584] જૈન શાસન” (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., પૃ.૮૬, જૂન 1912, પૃ.૧૭૯. [585]. જૈન હિતેચ્છુનો પર્યુષણનો ખાસ અંક (તંત્રીનોંધ) જૈ.એ.કૉ.હે, 5.12/8, ઑગષ્ટ 1916, પૃ.૩૫૦-૫૨. [58] જૈનયુગ'નું નવું વર્ષ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૧૨, શ્રાવણ 1982, પૃ.૫૨૧-૨૨. [587 તંત્રીનું અંતિમ નિવેદન (તંત્રીનોંધ) જૈ.જે.કૉ. હે, પુ.૧૦-૮-૯, ઑગસ્ટ સપ્ટે. 1914, પૃ.૪૨૯-૩૦. જૈિ.જે.કૉ.હરલના ખાસ મહાવીર અંકનું નિવેદન.] [588] તંત્રીનું નિવેદન (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૨-૪. [‘જૈન યુગ'ના તંત્રીપદનો સ્વીકાર કરતાં મો.દ.દેશાઈનું નિવેદન] [589] તંત્રીનું નિવેદન (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., પુ.૧૦૮-૯, ઑગસ્ટ-સપ્ટે. 1914, પૃ.૨૪૧-૪૮. ખિાસ મહાવીર અંક માટે લેખો મોકલી આપવા બદલ લેખકોનો આભાર આદિ] [590] તંત્રીનું નિવેદન (તંત્રીનોંધ) : જૈશ્વેિ.કાં.., પુ.૧૩૯-૧૯૧૧, સપ્ટે.
Page #216
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 203 ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૨૨-૭૧. [પ્રસ્તુત અંક વિશે તેમજ આ અંક માટે આવેલા લેખો વિશે કિંચિત] [591] તંત્રીનું વક્તવ્ય (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.., પુ.૧૧/૧૨, ડિસે. 1915, પૃ.૫૮૭. જૈિ.જે.કૉ. હેરલ્ડના તંત્રી તરીકે પોતે ચાર માસ ચાલુ. તેથી મો.દ.દેશાઈનું છેલ્લું નિવેદન મુલતવી.] દશમા વર્ષમાં પ્રવેશ (તંત્રીનોંધ) : જે.જે.કૉ. હે., પુ.૧૦/૧-૨, જાન્યુ.-ફેબ્રુ. 1914, પૃ.૨-૪. જિ.જે.કૉ. હેરલ્ડનો પ્રવેશ [593] નવીન વર્ષ (તંત્રીનોંઘ) : જૈનયુગ પુ.૩/૧-૨, ભાદરવો-આસો 1983, [594] નવીન વર્ષ (તંત્રીનોંધ) : જૈ.જે.કોં... પુ.૧૧/૧, જાન્યુ. 1915, પૃ. 10-12. જૈિ.જે.કૉ.હેરલ્ડના ૧૧મા વર્ષ-પ્રવેશ ટાણે કેટલુંક સિંહાવલોકન] [195] પ્રેસમાં ફેરફાર (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૭, ફાગણ 1982, પૃ.૨૪૭. [‘જૈનયુગ'ના મુદ્રણ અંગે પ્રેસનો ફેરફાર. ‘નવજીવન’ને બદલે જ્યુબિલી પ્રિન્ટિંગ પ્રેસ) [59] (શ્રી મહાવીર જયંતી અંક (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧૪, માગશર 1982, પૃ. 123. લિખો માટે આમંત્રણ અને વિષયનિર્દેશ] [597] (શ્રી) મહાવીર જયંતી અંક (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૧/૭, ફાગણ 1982, પૃ. 247. [લેખો મોકલવા સ્મૃતિનોંધ] [598] (શ્રી) મહાવીર જયંતી ખાસ અંક (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૮, ચૈત્ર 1982, પૃ. 278-79. [પ્રગટ થયેલા ખાસ અંક વિશે.] [59] (શ્રી) મહાવીર જયંતી ખાસ અંક (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.38, ચૈત્ર 1984, પૃ.૨૫૯-૬૧. [ખાસ અંકનું તંત્રીનિવેદન [20] (શ્રીમ) મહાવીર પ્રભુના ચરિત્ર પર પૂરું પ્રકાશ પાડવા પ્રત્યે અમારો પ્રયાસ (તંત્રીનોંઘ) : જૈ.હૈ.કૉ.હે, પુ.૧૦૧-૨, જાન્યુ.-ફેબ્રુ. 1914, પૃ.૭. [પર્યુષણ પર્વ ઉપર “શ્રીમન મહાવીર અંક કાઢવાની તંત્રીની ઈચ્છા - લેખકોને નિમંત્રણ.] લેખકોને નિમંત્રણ - જૈનો અને જૈન ધર્મ વિષયે કેવાં લખાણોની જરૂર છે? [01]
Page #217
--------------------------------------------------------------------------
________________ 204 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા (તંત્રીનોંધ) : જૈ જે.કૉ. હે, પુ.૯/૭, જુલાઈ 1913, પૃ.૨૨૬-૩૦. [આગામી પર્યુષણ અંક સંદર્ભે.] [602] હેરલ્ડમાં નવીન ફેરફાર અને “જૈન” (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., પૂ.૮૫, મે 1912, પૃ.૧૪૮. * [603] ‘હેરોલ્ડ'નો પર્યુષણ અંક (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ. હે, 5.98-9, ઑગષ્ટસપ્ટે.૧૯૧૩, પૃ.૨૬૧. [0] 8 પ્રકીર્ણ અભિનવ વર્ષ મંગલમ્ (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.3/1-2, ભાદરવો-આસો 1983, પૃ.૮. નૂિતન વર્ષે મો.દ.દેશાઈને મળેલી નોંધનીય શુભેચ્છાઓ]. [85] અમારી ગિરનાર તીર્થની યાત્રા (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૪/૧૦, જેઠ 1985, પૃ.૪૩૧-૩૪. (જુઓ ઐતિ. વિભાગની સૂચિ.] [6] અમારી જ્ઞાનયાત્રા તથા તીર્થયાત્રા (તંત્રીનોંધ) જૈનયુગ, 5.3/5, પોષ 1984, પૃ.૧૩૨-૩૪. [અમદાવાદના કેટલાક ઉપાશ્રયોના ભંડારો, પુરાતત્ત્વ મંદિર વ.માં હસ્તપ્રતો જોઈ. પાલણપુરમાં જૈન વિદ્યાર્થીઓના ઇનામી મેળાવડામાં હાજરી, ડાયરાના ઉપાશ્રયમાં બે દાબડાની હસ્તપ્રતો જોઈ. કુંભારિયાની તીર્થયાત્રા તથા ત્યાંના શિલાલેખોનો ઉતારો.] [607) અમારો પ્રવાસ (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.4/3-4, કારતક-માગશર 1985, પૃ.૧૬૩-૬૫. [વડોદરામાં પં. લાલચંદ ભગવાન ગાંધીને ત્યાં પાટણ ભંડારની સૂચિનાં ફૉર્મ જોયાં. નડિયાદમાં ૯મી ગુ.સા.પ.માં ભાગ લીધો તથી ચૈત્યદર્શન. વડતાલમાં સ્વામિ. મંદિરની મુલાકાત. અમદાવાદમાં પ. સુખલાલજીને ત્યાં. રાજકોટમાં સગાંસંબંધીની મુલાકાત.] [28] આપણી શિલ્પકળા : જૈ.જે.કૉ.હે, પુ.૧૨/૩, માર્ચ 1916, પૃ.૬૮-૭૨. [જુદાજુદા વિદેશી તજ્જ્ઞોના અભિપ્રાયો. ૭૨મે પાને લેખ અપૂર્ણ છે.] [09] ઇસુદાનઃ જૈનયુગ, પુ.૧/૨, આસો 1981, પૃ.૪૧-૪૩. [ગોરઘનભાઈ વીરચંદ શાહરચિત “ઇક્ષુદાન' કાવ્યનું ટિપ્પણ તથા પ્રાસંગિક નોંધ] [10] ઉત્તર હિંદમાં જૈન ધર્મ” (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૪/૧૦, જેઠ 1985,
Page #218
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 205 પૃ.૪૩૬-૩૭. [ચીમનલાલ જેચંદ શાહનો એમ.એ.ની પદવી માટે મહાનિબંધ [11] એક દિગમ્બર જૈન ગૃહસ્થ તરફથી બાદશાહી સખાવત : ત્રણે ફિરકાના જૈનો માટે “જૈન કૉલેજ' સ્થાપવામાં તે રકમ વપરાવાની આવશ્યકતા (તંત્રીનોંધ) : જૈશ્વેિ.કૉ.હે., .9/12, ડિસે. 1913, પૃ.૫૫૮-૫૯. [દિગંબર જૈન શ્રીયુત ત્રિલોકચંદજી કલ્યાણચંદજી ઈદોરનિવાસીએ બે લાખની રકમ જૈનોના કેળવણીના વિકાસ માટે ફાળવી. એમાંથી જૈન હાઈસ્કૂલ સ્થાપવાનો વિચાર.] [12] એક મુનિનાં પરાક્રમ (તંત્રીનોંધ) : જૈ .કૉ.હે., પૃ.૧૪/૧-૨-૩, જાન્યુ ફેબ્રુ.-માર્ચ 1918, પૃ.૯૦. [એક મુનિએ સવાલપત્ર કાઢી કેટલીક જૈન સ્ત્રીઓ - વિધવા સ્ત્રીઓ પાસે જવાબ આપવાની માગણી કરી છે. તે પત્રમાંના પ્રશ્નો તથા તંત્રીએ આ અંગે ઉઠાવેલા કેટલાક વાંધાઓ] [13] ઐતિહાસિક ગ્રંથો અને સાધનો પ્રસિદ્ધ કરવાની જરૂર (તંત્રીનોંધ) : જૈ.જે. કો.હે., પૃ.૧૩/૫, મે 1917, પૃ.૧૪૩-૪૪. [14] કચ્છી ભાઈઓ (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૧/૧૨, શ્રાવણ 1982, પૃ.૫૨૦ 21. [કચ્છી ભાઈઓએ જૈ.એ.કૉન્ફરન્સમાં સારો સહકાર આપ્યો તે વિશે.] [15] ચિત્રપરિચય : જૈ.જે.કૉ.હે, પુ.૧૧/૭-૧૦, જુલાઈ-ઑક્ટો. 1915, પૃ.૫૩૯-૪૧. આિ અંકમાં છપાયેલાં ચિત્રો વિશે વિવેચન. લખાણ સંભવતઃ મો.દ.દેશાઈનું [1] જૈન કેળવણી ફંડનું કોલમ (તંત્રીનોંધ) જૈ.જે.કો.હે., પૃ.૧૩/૫, મે 1917, પૃ.૧૪૪. [17] જૈન ન્યાયાદિનો પઠનક્રમ (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૩/૧-૨, ભાદરવો-આસો 1983, પૃ.. [18] જૈન બુકસેલરો (તંત્રીનોંધ) : જૈ..કૉ.હે, .84, એપ્રિલ 1912, પૃ.૧૨૨-૨૩. સ્વિ. શેઠ ભીમશી માણેક જેવા બુકસેલરોનું જૈન સમાજને સમૃદ્ધ વાચન પૂરું પાડવામાં મહત્ત્વનું પ્રદાન [19] જૈન મૂર્તિવિધાન - પ્રતિષ્ઠાદિ : જૈન, પુ.૨૨/૩૯, 5 ઑક્ટો. 1924,
Page #219
--------------------------------------------------------------------------
________________ 206 વિરલ વિભૂતિભા અને મનુષ્ય પ્રતિભા પૃ.૫૬૯-૭૦. પ્રિાચીન ભારતના ઈતિહાસના એક અધ્યાપક જૈન પ્રતિમાશાસ્ત્રનું અધ્યયન કરવા માગે છે તેમણે માગેલી સામગ્રીની વિગતો અને તે પૂરી પાડવા વિનંતી.] [20] જૈન વિદ્યાર્થી પ્રીતિ સમાજ : જૈન, પુ.૭/૪૫, 20 ફેબ્રુ.૧૯૧૦, પૃ.૧૧. પ્રિતિવર્ષ, જૈન વિદ્યાર્થીઓનું એક પ્રીતિસમાજ - Social gathering થવું જોઈએ તે વિશે.] [21] જૈન વિદ્વાનોને આમંત્રણ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે, 5.9/5, મે 1913, પૃ. 173-74. [મિ. હર્બર્ટ વોરન નામના અંગ્રેજે બહાર પાડેલા જૈન ધર્મ વિષયક એક અંગ્રેજી પુસ્તકનું મિ. રેડબ્રેવ નામે એક અંગ્રેજે લંડનના ઓકલ્ટ રિવ્યુમાં અવલોકન કર્યું છે તેમાં એણે જૈન ધર્મને અન્યાય કર્યો છે. એને રદિયો આપવા માટે જૈન વિદ્વાનોને આમંત્રણ.] [22] જૈન વિવિધ જ્ઞાનવિસ્તાર જે.જે.કૉ.હે, .8/5, મે 1912, પૃ.૧૫ર-પ૩. [જીવાત્માનું ચિત્ર/સ્વામી અભેદાનંદ અને જૈનો.] [23] (શ્રી) જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રમણવર્ગને જાહેર વિજ્ઞપ્તિ (તંત્રીનોંધ) : જે.જે.કૉ.હે., પૃ.૧૩/૧૨, ડિસે. 1917, પૃ.૪૮૯. [24] જૈન સમાજની પ્રગતિનું ટૂંક અવલોકન (તંત્રીનોંધ) જૈ.જે.કૉ. હે૫.૯૮-૯, ગષ્ટ-સપ્ટે.૧૯૧૩, પૃ.૨૬૨. [25] જૈન સંબંધી કંઈકંઈ : જૈ.એ.કૉ.હે., 5.12/6, જૂન 1916, પૃ. 193-95. જૈિન ધર્મ વિશે અંગ્રેજી પુસ્તક પંડિત અર્જુનલાલ શેઠીનો કેસ/પુસ્તક પરીક્ષા/શેઠ ખેતશી ખીઅશી જે.પી.ની ઉદારતા] [2] જૈન સૂત્રોના ઉદ્ધારનો એક વધુ પ્રયાસ (તંત્રીનોંધ) જૈ.એ.કૉ.હે., .98-9, ઑગષ્ટ-સપ્ટે.૧૯૧૩, પૃ.૨૪૩-૪૪. દક્ષિણમાં જૈન ધર્મ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૪/૧૦, જેઠ 1985, પૃ.૪૩૬. [શ્રી શર્માનો એમ.એ.ની પદવી માટેનો મહાનિબંધ. તેને પ્રકાશિત કરવા આર્થિક સહાયની મંત્રીની અપીલ.] [28] દિગમ્બરીય પ્રતિમાઓ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., પુ.૧૨/૮, ઑગષ્ટ 1916, પૃ.૩૫૩-૫૪. [વડોદરાના શ્વેતાંબર જૈન મંદિરમાંની દિગંબરી ચાર પ્રતિમાઓ દિગંબરીઓને આપી દેવાઈ તે અંગે તંત્રીએ પ્રગટ
Page #220
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ–લેખસૂચિ 207 [29]. કરેલો આનંદ.] ધર્મધ્વજ'ના સંપાદકનો સૂર (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/૧૧-૧૨, અષાડ શ્રાવણ 1983, પૃ.૫૦૯-૧૧. [મો.દ.દેશાઈ અને મોતીચંદ કાપડિયાની ધર્મધ્વજે કરેલી ટીકા વિશે.] ઘાર્મિક પરીક્ષા (તંત્રીનોંધ) : જૈ.જે.કોં. હે, પુ.૧૩/૪, એપ્રિલ 1917, પૃ.૧૦પ-૦૬. [31] ધો. અવિવાહિત કન્યાઓ માટેનું પ્રશ્નપત્રઃ જૈ.જે.કૉ.હે, પૃ.૧૪/૧-ર-૩, જાન્યુ.-ફેબ્રુ.-માર્ચ 1918, પૃ.૧૧. પ્રિાક્ષિક મો.દ.દેશાઈ] [32] નમસ્કાર : જૈનયુગ, પુ.૨/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1983, પૃ.૫૦૧. [સંભવતઃ અનુવાદ] [33] નવા જૈન બેરિસ્ટરને માન (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે, પુ.પ, મે 1913, પૃ.૧૭૬. [શ્રી મકનજી જૂઠાભાઈનું સ્વદેશ પાછા ફરતાં, જૈન એસો. ઑફ ઈન્ડિયા તરફથી કરાયેલું બહુમાન.] [34] પત્રવ્યવહાર : જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૩૫-૩૭. તિંત્રી તથા રા. રામલાલ મોદી વચ્ચેનો. રામલાલ મોદીએ ભાલણકૃત બે નળાખ્યાનનું પુસ્તક પ્રગટ કર્યું તેમાં એમણે જોડેલા લેખ “કવિ અને કાવ્ય'માંના જૈન સાહિત્ય-સાહિત્યકારો અંગેના કેટલાક વિચારો પ્રત્યે મોહનભાઈની ટિપ્પણી.] [35] પત્રવ્યવહાર : જૈનયુગ, પુ.૧/૪, માગશર 1982, પૃ.૧૫૯-૬૦; પુ.૧/૫, પોષ 1982, પૃ. 171-73. [તંત્રી તથા ક.મા.મુનશી વચ્ચેનો. પત્ર-૧: મુનશી સાહિત્યના ઇતિહાસગ્રંથ માટે જૈન ગ્રંથકારો વિશેનું લેખનંકાર્ય મોહનભાઈને સોંપવા માગે છે તે વિશે. પત્ર-૨ : જૈન સાધુના કેટલાક નિયમો અંગે મુનશીની પૃચ્છા - હેમચંદ્રસૂરિ મંજરીને મળે છે તેવું પ્રસંગનિરૂપણ કરવાના સંદર્ભે. આ બન્ને પત્રોના ઉત્તરો આપતો મો.દ.દેશાઈનો પત્ર.] [36] પવિત્ર તીર્થો સંબંધી ઝગડા (તંત્રીનોંધ) : જૈ.એ.કૉ.હે, પુ.૧૨/૮, ઑગષ્ટ 1916, પૃ.૩પ૩. [37] પાટણ અને સુરતની જ્ઞાનયાત્રા (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૩/૧-૨, ભાદરવો
Page #221
--------------------------------------------------------------------------
________________ 208 આસો 1983, પૃ.૪-૫. [38] 104; ૫.૩પ-૭, ડિસે.-ફેબ્રુ.૧૯૦૭-૦૮, પૃ.૧૭૩-૮૨. [મૂળ લેખક એમ. એચ. દિલ્બ, અનુવાદક મો.દ.દેસાઈ [39] પૂર્વ તંત્રીનું છેલ્લું નિવેદન - Farewell - જયજિનેન્દ્ર : જૈ.એ.કૉ.હે., પુ.૧૫/૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૯, પૃ.૬૦-૬૪. [40] પ્રકીર્ણ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/૪, મહા 1983, પૃ.૨૪૯-૫૦. [ચીમનલાલ જે. શાહ ‘ઉત્તર હિંદના જૈનો' વિશે તથા એક દક્ષિણી બ્રાહ્મણ ગ્રેજ્યુએટ એમ.એ.ની પદવી માટે “દક્ષિણ હિંદના જૈનો” વિશે લખવા ઇચ્છે છે. ન્યૂ પૂના કૉલેજમાં ફેલો નિમાયેલા મધુસૂદન મોદી અપભ્રંશ સાહિત્ય પર નિબંધ લખી રહ્યા છે.] [41] પ્રશ્ન-વ્યાકરણ' : બુદ્ધિપ્રભા, 5.8 4-5, જુલાઈ-ઑગષ્ટ 1916, પૃ.૧૦૫ 08; 5.8, સપ્ટે. 1916, પૃ.૧૮૧-૮૪; 5.87-8-9, ઓક્ટો.નવે.-ડિસે. 1916, પૃ.૧૯૬-૨૦૦. [મૂળ ગ્રંથ “પાહા-વાગરણ' પરનો બાબુ શરદચંદ્ર ઘોષલનો અંગ્રેજી લેખ. અનુવાદક મો.દ.દેશાઈ[૬૪ર) પ્રાકૃત ભાષાના અભ્યાસ માટેનો ત્રિવાર્ષિક ક્રમ (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.3/9, વૈશાખ 1984, પૃ.૩૦૪. [43] પ્રાકૃત સંસ્કૃત અંગ્રેજી ગુજરાતી કોશ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., 5.91-2, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૭૩-૭૪. પ્રિસ્તુત કોશની યોજના વિશે.][૪] પ્રો. ઠાકોરનો એક વિચારશીલ પત્ર: જૈનયુગ, 5.4/11-12, અષાડ-શ્રાવણ 1985, પૃ.૪૮૧-૮૩. [મો.દ.દેશાઈ પરનો. કે. ધ્રુવના ઈ.૧૫માં શતકના પ્રાચીન ગુર્જર કાવ્યનો સંગ્રહ વાંચીને, તેને અનુષંગે મધ્ય. જેવા કવિની સારી હસ્તપ્રતો મોહનભાઈએ ભેગી કરવી જોઈએ તે અંગે તથા દૃષ્ટાંતકાવ્યો - allegories અંગે બક.ઠા.નાં કેટલાંક મંતવ્યો.] [45] ભાષા : જૈનયુગ, પુ.૪૩-૪, કારતક-માગશર 1985, પૃ.૧૨૯-૩૦. એિક હિન્દી વિદ્વાનના લખાણનો અનુવાદ) [64]
Page #222
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 209 મહાકવિશ્રી ન્હાનાલાલનો ઉદ્ગાર (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૩૬-૭, મહા ફાગણ 1984, પૃ.૧૯૭-૯૮. [માંગરોલ જૈનસભાના વાર્ષિકોત્સવ પ્રસંગે પ્રમુખસ્થાન લેવાના નિમંત્રણનો અસ્વીકાર કરતાં લખેલો પત્ર.] [47] માગધી સંસ્કૃત અંગ્રેજી ગુજરાતી કોશ (તંત્રીનોંધ) જૈ.એ.કૉ.હે, 5.8/12, ડિસે. 1912, પૃ.૫૫. પ્રસ્તુત કોશની યોજના વિશે. યશોવિજયજી ગ્રંથમાળા ઑફિસ આવો કોશ પોતે કરી આપવા સમર્થ.] [48] માગધી-સંસ્કૃત-અંગ્રેજી ગુજરાતી શબ્દકોશ : જૈ.જે.કૉ.હે., પૃ.૮/૧૧, નવે. 1912, પૃ.૪૨૨-૨૮. સૂિચિત. ડૉ. સ્વાલીએ આ કામ પાર પાડવા મૂકેલી કેટલીક શરતો.] [49] મુંબઈ સરકાર અને જૈન તહેવારો (તંત્રીનોંધ) : જે.વ્ય.કૉ. હે., પૂ.૮/૧૨, ડિસે.૧૯૧૨, પૃ.૪૫૪. [50] (સ્વ.) રણજિતરામના પત્રો : જૈ.જે.કૉ.હે., પૃ.૧૩/૯-૧૦-૧૧, સપ્ટે. ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૧૧-૨૩. [રણજિતરામના મોહનભાઈ પરના પત્રો. પત્રોમાં જુદા જુદા પ્રાસંગિક સંદર્ભે અનેક મુદ્દાઓનો ઉલ્લેખ.] [51] રાજસ્થાની ભાષા જૈનયુગ, પુ.૧/૧૧, અષાડ 1982, પૃ.૪૮૮-૯૧.[૫૨] રાજુલ અને રહનેમિ : જૈનયુગ, પુ.૧/૩, કારતક 1982, પૃ.૮૪-૮૬; પુ.૧/૪, માગશર 1982, પૃ.૧૨૨-૨૩. [બાબુલાલ મોતીલાલ મોદીનું કાવ્ય. એનું પ્રાસ્તાવિક અને ટિપ્પણ. કાવ્યને અંતે ટિપ્પણમાં માત્ર કેટલાક શબ્દોના અર્થો જ મો.દ.દેશાઈએ આપ્યા છે.] [53] વિવિધ જ્ઞાન : જૈ.જે.કોં. હે, પુ.૧૩/૪, એપ્રિલ 1917, પૃ.૧૨૩-૨૫. [આ તે ખરું ત્રિયારાજ્ય !પૂર્વજન્મની વાત/ભૂખની અવધિ/ઉપવાસની મહત્તા/પરિશ્રમ દૂર કેમ થાય ?/ફાનસ/ઓ.ના.મા.સી. ઘ/મધ્ય એશિયામાં આર્ય સભ્યતા,સુખ શામાં છે ? /મરતો સાજો થયો/ઢોરની ઓલાદ સુધારવાના યત્નો.) [54] વિવિધ પ્રસંગ જૈ.જે.કૉ. હે., પૃ.૧૧/ર-૩, ફેબ્રુ.-માર્ચ 1915, પૃ.૩૭-૩૯; પ્રાચીન મહાપુરુષોની પિછાન/પ્રસિદ્ધ સ્વદેશભક્ત સંત શ્રીયુત ગાંધીનું હિંદમાં આગમન/શ્રીયુત ગુલાબચંદજી ઢઢા/શ્રીયુત જગમંદિરલાલ જૈની/દિગંબરોમાં દાનવીર શેઠ માણેચંદ પાનાચંદ/પાટણના જૈન ભંડારોની વિ. 14
Page #223
--------------------------------------------------------------------------
________________ 210 વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા ટીપ એક જૈન ગ્રેજ્યુએટ પર આફત આગમવાંચના] પુ.૧૧/૪, એપ્રિલ 1915, પૃ.૧૦૮-૧૧. નામદાર લોકમાન્ય ગોખલેનો સ્વર્ગવાસી જૈન સ્ત્રીકળા કૌશલ્ય પ્રદર્શન/પં. અર્જુનલાલ શેઠી માટે મુંબઈમાં જાહેર મીટિંગ/જૈન પત્રોની સહાનુભૂતિ શ્રી મહાવીર વિદ્યાલયજીવદયા જ્ઞાનપ્રસારક મંડળ,જૈન શ્વેતાંબર ડિરેક્ટરી/લેખકોને નિમંત્રણ/ગુજરાતી સાહિત્ય પરિષદ) [655 વિવિધ વિચાર : જૈ..કૉ.હે., પૂ.૧૧/૫, મે 1915, પૃ.૧૪૯-૫૨; [તીર્થોનો ઇતિહાસ/આણંદજી કલ્યાણજીની પેઢી/જૈન લિટરેચર સોસાઈટી શ્રીમનું મોહનલાલજી સેન્ટ્રલ લાયબ્રેરી] પુ.૧૧/૬, જૂન 1915, પૃ.૧૮૧-૮૫. [શ્રીમનું મોહનલાલજી સેન્ટ્રલ લાયબ્રેરી તથા પાઠશાળા/ ગુજરાતી સાહિત્ય પરિષદ/ઉક્ત પરિષદનું પ્રદર્શન-વંથલી પ્રતિષ્ઠા મહોત્સવ અને પ્રતિષ્ઠા-પરિષદ [5] સમાજબળ વધારવાનો દિગંબર ભાઈઓનો સ્તુત્ય પ્રયાસ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., પૃ.૯/૭, જુલાઈ 1913, પૃ.૨૧૭. [57] સસ્તા ભાડાની ચાલીઓ (તંત્રીનોંધ) : જૈ.૨.કૉ.હે., પૃ.૧૩/૬, જૂન 1917, પૃ.૧૬૯. આ માટે મુંબઈના નરોત્તમ બી. શાહે કરેલી યોજના વિશે.] [58] (સ્વ.) સાક્ષરશ્રી મનસુખભાઈ પરના પત્રો : જૈનયુગ, 5.3/10, જેઠ 1984, પૃ.૩૮૮-૯૦. મિોહનભાઈએ કરેલા ન્યાયકર્ણિકા ગ્રંથના સંપાદન-અનુવાદ સંદર્ભે સુધારાવધારા સૂચવવા લખેલા પત્રો] [59]. (સ્વ.) સાક્ષરશ્રી મનસુખભાઈના પત્રો : જૈનયુગ, 5.3/6-7, મહા-ફાગણ 1984, પૃ.૨૧૪-૧૯. [ન્યાયાવતાર ગ્રંથના મો.દ.દેશાઈએ કરેલા અનુવાદ અંગે મનઃસુખભાઈના પ્રત્યુત્તર.] હિંદુ યુનિવર્સિટી અને જૈનોનું પ્રતિનિધિત્વ (તંત્રીનોંધ) : જૈ..કો.હે., પુ.૧૨/૮, ઑગષ્ટ 1916, પૃ.૩૪-૪૭. 9. કાવ્ય અન્નત્ય ઊસસિએણે - કાયોત્સર્ગના આગારો (સામાયિક ક્રિયાનાં કેટલાંક સૂત્રો) : જૈનયુગ, 5.3/4, માગશર 1984, પૃ.૯૪. પ્રાકૃત સૂત્રનો
Page #224
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ—લેખસૂચિ 211 પદ્યાનુવાદ] [2] અમારા મનોરથ : જૈનયુગ, 5.1/5, પોષ 1982, પૃ.૧૬૧. [3] અમારું મહાધામઃ જૈનયુગ, 5.1|8, વૈશાખ 1982, પૃ.૪૦૨. [શત્રુંજયને મહાધામ કહ્યું છે.] [ 4] અંતિમ મંગલાચરણ : શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ 1936, પૃ.૨૬૦. [ 5] (શ્રી) આત્મારામ સ્તુતિ H જૈનયુગ, પુ.૪/૧૦, જેઠ 1985, પૃ.૩૫૯૬. [6] આનંદોત્સવ : જૈ.જે.કૉ.હે, પુ.૧૨/૪-૫, એપ્રિલ-મે 1916, પૃ.૧૦૩. [‘દશમી કૉન્ફરન્સની પૂર્ણાહુતિ” લેખ અંતર્ગત.] [ 7]. આમંત્રણ : જૈ.જે.કો.હે, પુ.૧૧/૧૨, ડિસે. 1915, પૃ.૫૮૮. [68] આમંત્રણ-સ્વાગત : જૈનયુગ, પુ.૪/૩-૪, કારતક-માગશર 1985, પૃ.૮૪ [ 9] આમંત્રણ સ્વીકારઃ જૈ..કૉ.હે., પૂ.૧૧૨-૩, ફેબ્રુ.-માર્ચ 1915, પૃ.૩૪૩પ. [70] ઈરિયાવહિયં - વિરાધનાની આલોચના - પ્રાયશ્ચિત્ત (સામાયિક ક્રિયાનાં કેટલાંક સૂત્રો) : જૈનયુગ, 5.34, માગશર 1984, પૃ.૯૩. પ્રિાકૃત સૂત્રનો પદ્યાનુવાદ) [71] કૉન્ફરન્સદેવી : જૈ.એ.કૉ.હે., પૂ.૧૨૪-૫, એપ્રિલ-મે 1910, પૃ.૯૮. [‘દશમી કોન્ફરન્સની પૂર્ણાહુતિ” લેખ અંતર્ગત [72] ક્ષમા કરજો: જૈ.જે.કૉ.હે., .138, ઑગષ્ટ 1917, પૃ.૨પર. [સંભવતઃ તંત્રીનું.. [73] ક્ષમાપના : જૈન ધર્મ પ્રકાશ, પુ.૨૬/૬, ભાદરવો 1936, પૃ.૧૧૬૨. [74] ખમાવું છું ક્ષમા કરજો જે.જે.કૉ.હે, 5.89, ઑક્ટો.૧૯૧૨, પૃ.૨૮૧. [સંભવતઃ કર્તા તંત્રી કે પછી અમૃત ?] . ગુરૂતુતિ (ઘઉંલી) : જૈનયુગ, /10, 1985, પૃ.૩૯૬. સ્વિ. શ્રી આત્મારામજી વિશે.] | [7]
Page #225
--------------------------------------------------------------------------
________________ 212 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા જય શ્રી મહાવીર : જૈનયુગ, 5.1|8, ચૈત્ર 1982, પૃ.૨૭૭. [77] જય શ્રી મહાવીર : જૈનયુગ, પુ.૨૮, ચૈત્ર 1983, પૃ.૩૩૯. શ્રી દેવવાચકની સ્તુતિ પરથી.] [7] જૈન કન્યાના મનોરથ : જૈનયુગ, પુ.૩/૧-૨, ભાદરવો-આસો 1983, પૃ.૨. [ 9] તસઉત્તરી - કાયોત્સર્ગનો સંકલ્પ અને હેતુ (સામાયિક ક્રિયાનાં કેટલાંક સૂત્રો) : જૈનયુગ, 5.3/4, માગશર 1984, પૃ.૯૩. [પ્રાકૃત સૂત્રનો પદ્યાનુવાદ] [8] ધર્મક્ષેત્રમાં જીવસૈનિકને પ્રોત્સાહનઃ જે..કૉ.હે, 5.8/10, ઑક્ટો. 1912, પૃ.૩૮૨-૮૩. [સંભવતઃ મો.દ.દેશાઈનું [68] ઘર્મબહેનને : જૈ.એ.કૉ. હે., પૃ.૯૮-૯, ઑગસ્ટ-સપ્ટે.૧૯૧૩, પૃ.૩૪૭ [સંભવતઃ મો.દ.દેશાઈની [682) નવકાર' સૂત્ર - પંચ પરમેષ્ટીને નમસ્કાર (સામાયિક ક્રિયાનાં કેટલાંક સૂત્રો) : જૈનયુગ, પુ.૩/૪, માગશર 1984, પૃ.. [પ્રાકૃત સૂત્રનો પદ્યાનુવાદ.] | [683) નવીન વર્ષ– મંગલ જે.જે.કૉ.હે., પૃ.૧૧/૧, જાન્યુ. 1915, પૃ.૧. [684] નવીન વર્ષનું નિવેદન જૈ.એ.કૉ.હે, પૃ.૧૩/૧, જાન્યુ.૧૯૧૭, પૃ.૧.[૮૫] પતંગ પતન : જૈ.જે.કોં. હે., પૃ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૫૧. [ગોકુલચંદ્ર શર્માના હિંદી કાવ્યનો ભાવાનુવાદ) [8] પ્રભુને આહ્વાન H જૈ.જે.કો.હે., પૃ.૧૩/પ, મે 1917, પૃ.૧૩૧. [687] પ્રભાત-પ્રબોધ : આત્માનંદ જન્મશતાબ્દી સ્મારકગ્રંથ, 1936, પૃ.૬. [સંપાદકીય વક્તવ્યને છેડે [688] પ્રભુપ્રાર્થના : જૈનયુગ, પુ.૧/૧૨, શ્રાવણ 1982, પૃ.૫૦૫. [8] બગડેલું ઘડિયાળ જૈ.જે.કો.હે., પૃ.૧૧/૪, એપ્રિલ 1915, પૃ.૧૦૫.[0] મહાત્મા મોહનદાસ ગાંધી H 1. જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૩૧. 2. જૈન પ્રકાશ, પુ.૧૮૩-૪-૫, નવે.૧80, પૃ.૧૨, જૈિનયુગમાં કવિનું નામ નથી. પણ આ જ કાવ્ય થોડાક શબ્દફેરે અને કડી સંખ્યા ઉમેરાઈને જૈન પ્રકાશમાં છપાયું છે. ત્યાં મો.દ.દેશાઈનું
Page #226
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસુચિ–લેખસૂચિ 213 કર્તાનામ છે.] [91] (શ્રી મહાવીર સ્તુતિઃ જૈનયુગ, પુ.૧/૩, કારતક 1982, પૃ.૮૧. [2] શ્રી મહાવીરસ્મરણ : જૈનયુગ, પૃ.૧૪, માગશર 1982 121. . મંગલાચરણ : જૈ.જે.કૉ.હે, પુ.૧૧/૨-૩, ફેબ્રુ.-માર્ચ 1915, પૃ.૪૫. જૈિન શ્વેતામ્બર કૉન્ફરન્સના નવમા અધિવેશનમાં ગવાયેલું [] મંગલાચરણ (વીરસ્તુતિ) : જૈ.જે.કો.હે., પુ.૧૨/૩, માર્ચ 1916, પૃ.૬૫. મારી બહેનડી H જૈ.જે.કૉ., પૃ.૯૮-૮, ઑગષ્ટ-સપ્ટે.૧૯૧૩, પૃ.૩૭પ. [સંભવતઃ મો.દ.દેશાઈનું [9] મારો હાલો : જૈ.જે.કૉ.હે, પુ.૧૨/૨, ફેબ્રુ.૧૯૧૬, પૃ.૩૩-૩૪. [વીરભક્તિના નામથી [97] (શ્રીમ) યશોવિજયજીની સ્મૃતિ-સ્તુતિઃ જૈનયુગ, 5.4/3-4, કારતક-માગશર 1985, પૃ.૮૪. [“શ્રીમદ્ યશોવિજયજી અને તેમની જીવનકલા” એ લેખમાં થોડાક ફેરફાર સાથે આ કાવ્ય અષ્ટકરૂપે મુકાયું છે અને એનું વિવરણ પણ છે.] [98] રાજકુમારી પ્રત્યે સખીઓ : જૈ.જે.કૉ. હે, પુ.૧૨/૨, ફેબ્રુ.૧૯૧૬, પૃ.૩૫. [વીરભક્તિના નામથી.] 99] રાજા કાલસ્ય કારણમુઃ જૈ.જે.કૉ. હે, પુ.૧૧/૭-૧૦, જુલાઈ-ઑક્ટો. 1915, પૃ.૨૧૨. હિન્દી કાવ્ય. સંભવતઃ મો.દ.દેશાઈનું [20] લોગસ્સ - ચોવીસ જિનસ્તુતિ : જૈનયુગ, પુ.૩/૧-૨, ભાદરવો-આસો 1983, પૃ.૧. પ્રિાકૃત સૂત્રનો પદ્યાનુવાદ] વર્તમાન વીતરાગધર્મ વિમુખતા : જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૯૪. [702] વિધવા બહેનને આશ્વાસનઃ જૈ.એ.કૉ.હે., પૃ.૯૮-૯, ઑગસ્ટ-સપ્ટે.૧૯૧૩, પૃ.૨૮૪. [સંભવતઃ મો.દ.દેશાઈની [73] વિનતિ : જે.ચે.કોં. હે., પુ.૧૨/૩, માર્ચ 1916, પૃ.. [704] (શ્રી) વીરચરિત્ર પરથી ઉદ્ભવતું વીરત્વઃ 1. જૈન ધર્મ પ્રકાશ, પુ.૨૭/૨-૩, વૈશાખ-જેઠ 197, પૃ.૩૩-૩૪; 2. જૈ કૉ.હે., પુ.૧૦૮-૯, [701]
Page #227
--------------------------------------------------------------------------
________________ 214 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા [708] ઑગષ્ટ-સપ્ટે.૧૯૧૪, પૃ.૨૪૦. [705] વીરબાળની વિનતિઃ જૈ .કૉ.હે., પુ.૧૨/૧, જાન્યુ. 1916, પૃ.૧. [0] શારદાષ્ટક : જૈનયુગ, 5.3/3, કારતક 1984, પૃ.૬૧. કિર્તા મો.દ.દેસાઈ તથા મો.ભ.ઝવેરી) [70] સમર્થ બહેનને જૈ.એ.કૉ.હે., 5.12/2, ફેબ્રુ.૧૯૧૬, પૃ.૩૪. [વીરભક્તિ ના નામથી.] સંપઃ જૈ.એ.કૉ.હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૯૧. [70] સામાયિક ક્રિયાનાં કેટલાંક સૂત્રો : જૈનયુગ, પુ.૩/ક, માગશર 1984, પૃ.૯૩-૯૪. કિટલાંક પ્રાકૃત સૂત્રોના પદ્યાનુવાદનું આ મુખ્ય શીર્ષક છે. પ્રત્યેક સૂત્ર પણ યથાસ્થાને કાવ્યસૂચિમાં સામેલ છે.] [71] સામાયિક સમભાવ : જૈ.જે.કોં. હે., પૂ.૮/૧૨, ડિસે. 1912, પૃ.૪૫૦. સિંભવતઃ મો.દ.દેશાઈનું [711] (શ્રી) સિદ્ધક્ષેત્ર : જૈનયુગ, પુ.૩/૧૧-૧૨, અષાડ-શ્રાવણ, 1984, પૃ.૩૯૪. [712] સેવિકાઓને વિનતિ : જૈ.જે.કૉ.હે., પૃ.૧૨/૨, ફેબ્રુ.૧૯૧૬, પૃ.૩૪. વિરભક્તિના નામથી.] [713] સ્નેહી નિમંત્રણ : જૈ હૈ.કૉ. હે, પુ.૧૧/૨-૩, ફેબ્રુ.-માર્ચ 1915, પૃ.૩૪. [714] સ્નેહીનાં સંભારણાં : જૈ.જે.કૉ.હે., પુ.૧૩/૨, ફેબ્રુ.૧૯૧૭, પૃ.૩૫૩૬. [715] સ્વાગત (WELCOME) : જૈ.જે.કૉ.હે., પુ. 12/3, માર્ચ 1916, પૃ.૬૫. હૃદય-ઉલ્લાસ જૈ.જે.કૉ.હે, પુ.૧૨/૩, માર્ચ 1916, પૃ.૬૪. [717] હૃદયની વાતો કોણ જાણે (1), (2) : 1. જૈ.જે.કૉ. હે., પૂ.૧૨૮-૯-[૧૦], ઑગષ્ટ-સપ્ટે.[ઑક્ટો. 1916, પૃ.૩૨૮-૨૯; 2. જૈન રીવ્યુ, પુ. 2/1, એપ્રિલ 1918, પૃ.૨૪. [718] (સ્વ. શ્રીયુત) હેમચંદ અમરચંદ : જૈ.એ.કૉ.હે., પુ.૧૧/૬, જૂન 1915, પૃ. 178, [71] [716]
Page #228
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 215 (શ્રીમદ્ હેમચંદ્ર સ્તુતિઃ જૈનયુગ, પુ.૪/૩-૪, કારતક-માગશર 1985, પૃ.૮૪. [720) (ખ) પુસ્તકોનાં સ્વીકાર અને સમાલોચનાની સૂચિ 1. સ્વીકાર અને સમાલોચના (1) પુસ્તકો અનુભવપંચવિંશતિ, બુદ્ધિસાગરસૂરિ, મૂળ ગુજરાતીમાં, હિન્દી અનુવાદક અને વિવેચક ઉદયચંદ લાલચંદ શાહ, પ્રકા. મિ.એચ.જે. રાઠોડ, શ્રી મહાવીર જૈન મંડળ, કોલ્હાપુરઃ જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૭૯. અભિનંદન ઔર સુમતિનાથ પ્રભુકા ચરિત્ર, મુનિ માણેકમુનિજી, હિંદી માં. : જૈન.જે.કૉ.હે, 5.12/7, જુલાઈ 1916, પૃ.૨૨૦. અભિમન્યુ આખ્યાન તથા અભિમન્યુનું લોકસાહિત્ય, પ્રયોજક-પ્રકાશક મંજુલાલ રણછોડલાલ મજમુદાર, વડોદરાઃ જૈનયુગ, પુ.૨/૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૮૪-૮૫. અર્થપ્રકાશિકા, ઉમાસ્વાતિના તત્ત્વાર્થાધિગમસૂત્રની - મોક્ષશાસ્ત્રની ભાષા વચનિકા ટીકા, હિંદીમાં ટીકાકાર સદા સુખજી કાશલીવાલ, પ્રકા. ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા, કલકત્તા, : જૈ.જે.કૉ.હે., પૃ.૧૩/ર ફેબ્રુ.૧૯૧૭, પૃ.૪૧. અર્પણ, સુશીલ, પ્રકા. જૈન ઑફિસ, ભાવનગર : જૈનયુગ, 5.4-7-8, મહા-ફાગણ-ચૈત્ર 1985, પૃ. 236. આત્મપ્રબોધ, મૂળ ગ્રંથ સંસ્કૃતમાં 149 શ્લોકનો. કર્તા શ્રીકુમાર, હિંદી ભાષાંતર સહિત, પ્રકા. ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા : જૈ. છે.કૉ.હે., પુ.૧૩/૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો-નવે.૧૯૧૭, પૃ.૩૭૨. આત્માવબોધ કુલક અથવા આત્મજ્ઞાન, યોજક પં. લાલન, શ્રી જયશેખરસૂરિકૃત પ્રાકૃત પદ્યરચનાનું વિવેચન, પ્રકા. મેઘજી હીરજી કે. : જૈ.જે.કૉ.હે., 5.8/12, ડિસે. 1912, પૃ.૪૬૮. આદર્શ જૈન, બંસી, પ્રકા. જૈન સસ્તું સાહિત્ય પ્રચારક કાર્યાલય, કલોલ, બીજી આવૃત્તિ : જૈનયુગ, 5.4/5, પોષ 1985, પૃ.૧૮૪.
Page #229
--------------------------------------------------------------------------
________________ 216 વિરલ વિદ્ધત્મતિભા અને મનુષ્ય પ્રતિભા આનંદકાવ્ય મહૌદધિ (પ્રાચીન જૈન કાવ્યસંગ્રહ), મૌક્તિક ૧લું, સંશોધનકાર અને સંગ્રહકર્તા રા. જીવણચંદ સાકરચંદ ઝવેરી, પ્રકા. શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુ. ફંડ, મુંબઈ : જૈ જે.કો.હે., પુ.૧૦૪-૫, એપ્રિલ-મે 1914, પૃ.૧૧૯-૨૦. આનંદકાવ્ય મહૌદધિ, મૌક્તિક રજું, સંશોધક અને સંગ્રહકર્તા જીવણચંદ સાકરચંદ ઝવેરી, પ્રકા. શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ : જૈ..કો.હે., પૂ.૧૧/૧૨, ડિસે. 1915, પૃ.૫૮૯. આનંદકાવ્ય મહોદધિ, મૌક્તિક ૩જું : જૈ.જે.કો.હે, પુ.૧૧/૧૨, ડિસે. 1915, પૃ.૫૮૯-૯૧. આનંદકાવ્ય મહૌદધિ, મૌક્તિક ૪થું, સંશોધક શ્રી બુદ્ધિસાગરસૂરિ, સંગ્રાહક જીવણચંદ સાકરચંદ ઝવેરી, પ્રકા. શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફિંડ : જૈન.જે.કૉ.હે., પુ.૧૨/૭, જુલાઈ 1916, પૃ.૨૧૭-૧૮. આuપરીક્ષા, દિગંબરાચાર્ય શ્રીમદ્ વિદ્યાનંદસ્વામી, પ્રકા. ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા : જૈ.જે.કૉ.એ., પુ.૧૦/૭, જુલાઈ 1914, પૃ. 221-22. આબૂ - પહેલો ભાગ, મુનિશ્રી જયન્તવિજય, પ્રકા. યશોવિજય ગ્રંથમાલા સં.૧૯૮૫: જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૫૦૧. આરાધનાસાર - સટીક, પ્રાકૃતગ્રંથના કર્તા દેવસેનાચાર્ય, સંસ્કૃત ટીકાકાર રત્નકતિદવ, સંશોધક શાસ્ત્રી મનહરલાલ, પ્રકા. માણિકચંદ દિગંબર જૈન ગ્રંથમાલા સમિતિ, હીરાબાગ : જૈ.જે.કૉ.હે., પૃ.૧૩/૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૬૬. ઉપદેશ રત્નકોષ, હિન્દી અનુ. જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૩૮. ઉપદેશ સપ્તતિકા (ભાષાંતર), મૂળ સંસ્કૃત ગ્રંથના કર્તા તપાગચ્છના સોમધર્મ ગણિ, પ્રકા. શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર : જૈનયુગ, 5.39, વૈશાખ 1984, પૃ.૩૩૫-૩૬. કર્મવિચાર - બે ભાગમાં, યોજક અને પ્રકા. પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખ - વ્યવસ્થાપક, જૈન વિદ્યાભવન, પાટણ : જૈનયુગ, પૃ.૩૯, વૈશાખ 1984, પૃ.૩૩૭.
Page #230
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ–લેખસૂચિ 217 કલિયુગકી કુલદેવી, હિંદી ભાષામાં, પ્રકા. રા. મૂલચંદ કિસનદાસ કાપડીઆ, સંપા. “દિગંબર જૈન', સૂરતઃ જૈ.ચે.કૉ.હે, પુ. 9/12, ડિસે.૧૯૧૩, પૃ.૫૭૪. કલ્પતરુ કક્કાવલિ અથવા રમણિક બાલગીતા - પ્રથમ ભાગ, પ્રયોજક રા. વેલચંદ ધનજી, મુંબઈ-૩, પ્રકા. હિંમતલાલ અને અનંતરાય (ત શેઠ ઝવેરભાઈ ભાઈચંદના પૌત્રો), ભાવનગર જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૫૦૧. કલ્પસૂત્ર સુબોધિકા, સંશો. શ્રી વલ્લભવિજયજી, પ્રકા. જૈન આત્માનંદ સભા. ભાવનગર : જે.જે.કૉ. હે., પૃ.૧૪/૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૪૦-૪૧. કલ્યાણ મંદિર, સ્તોત્ર ગીતા તથા સિદ્ધાચલ તીર્થરાજ સ્તવન, સં. મુનિ મહેન્દ્રવિમલ, પ્રકા. દયાવિમલજી જૈનગ્રંથમાલા, અમદાવાદ : જૈ.જે. કૉ.હે., પૃ.૧૪૪-પ-, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૧. કામઘટકથા પ્રબંધ અથવા કામકુંભ (મંગલ કલશ), મુનિ કપૂરવિજયજી, પ્રકા. શ્રી જૈન યુવક મંડળ, સાણંદ : જૈ.શ્વે.કો.હે., પુ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૮૧-૮૨. કાયસ્થિતિ : જૈ.જે.કો.હે., પૃ.૯/૧-૨, જાન્યુ.-ફેબ્રુ. 1913, પૃ.૯૨. કાયસ્થિતિ, મૂળ કુલમંડનસૂરિકૃત, પ્રકા. આત્માનંદ સભા, ભાવનગર : જૈ..કૉ.હે., .103, માર્ચ 1914, પૃ.૮૫-૮૬. કાલસપ્તતિકા, મૂળધર્મઘોષસૂરિકૃત, પ્રકા. આત્માનંદ સભા, ભાવનગર : જૈ.શ્વે.કૉ.હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૫-૮૬. કુમારપાલ મહાકાવ્ય, ચરિત્રસુંદરગણિ, સં. મુનિશ્રી ચતુરવિજય, પ્રકા. જૈન આત્માનંદ સભા, ભાવનગર : જૈ.જે.કો.હે., પૃ.૧૪૪-પ-૬, એપ્રિલ મે-જૂન 1918, પૃ.૧૫૬-૫૭. કુમારિકાધર્મ, લે. અને પ્રકા. માવજી દામજી શાહ : જૈનયુગ, પુ. 1/2, આસો 1981, પૃ.૭૭. કુવલયમાળા, શ્રી રત્નપ્રભસૂરિકૃત સંસ્કૃત ગદ્યપદ્યાત્મક સંપૂ, પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર : જૈ.જે.કૉ.હે., પુ.૧૩/૯-૧૦-૧૧, સપ્ટે.
Page #231
--------------------------------------------------------------------------
________________ 218 વિરલ વિશ્વભ્રતિભા અને મનુષ્યપ્રતિભા ઓક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૭૨. કુવલયમાળા - ભાષાંતર, મૂળ ગ્રંથ પ્રાકૃતમાં શ્રી દાક્ષિણ્યચિહ્નસૂરિએ રચ્યો. તે પરથી સંસ્કૃતમાં પરમાનંદસૂરિશિષ્ય રત્નપ્રભસૂરિએ રચ્યો અને પ્રદ્યુમ્નસૂરિએ શોધ્યો. તેનું આ ગુજરાતી ભાષાંતર. પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, જૈ.ચે.કો.હે., પૃ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૮૩. કુંદકુંદાચાર્યચરિત્ર, અનુ.-પ્રકા. મૂલચંદ કિ. કાપડીઆ (સંપા. “દિગંબર જૈન') સૂરત : જૈ.જે.કૉ.હે., પુ.૧૦/૭, જુલાઈ 1914, પૃ. 22. કૌમુદીમિત્રાનંદ, રામચંદ્રસૂરિ, સં. મુનિશ્રી પુણ્યવિજય, પ્રકા. જૈન આત્માનંદ સભા, ભાવનગર : જૈ શ્વે.કો.હે., પૃ.૧૪૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૩-૫૪. કૃષ્ણચરિત્ર, બંકિમચંદ્રના મૂળ બંગાળી પરથી ભાષાંતરકાર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, મુંબઈ : જૈ..કૉ.હે., .139-10-11, સપ્ટે.-ઑક્ટો.-નવે. 1917, પૃ.૩૫૭-૫૮. ક્ષુલ્લકભવાવલિ, મૂળ ધર્મશેખરગણિકૃત, પ્રકા. આત્માનંદ સભા, ભાવનગર : જૈ.જે.કો.હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૫-૮૬. ગચ્છમત પ્રબંધ અને સંઘપ્રગતિ અને જૈન ગીતા, બુદ્ધિસાગરસૂરિ, પ્રકા. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, મુંબઈ : જૈ.એ.કૉ.હે, પુ.૧૪ 4-5-6, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૦. ગુજરાતની ગર્જના અથવા હેમાચાર્યનું જીવનસૂત્ર, ચુનીલાલ વર્ધમાન શાહ, પ્રકા. “પ્રજાબંધુ', અમદાવાદ : જૈ.જે.કૉ.હે., પુ.૧૩૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૬૦-૬૧. ગુણમાલા, ખરતરગચ્છના રામવિજયમુનિ, પ્રકા. મગનલાલ પુરુષોત્તમ, સાણંદ : જૈનયુગ, પુ.૧/૨, આસો 1981, પૃ.૭૬. ચરિત્રમાળા, મુનિ માણેક, પ્રકા. જૈન મિત્ર મંડળ, માંડળ : જૈ.જે.કૉ.હે., 5.97, જુલાઈ 1913, પૃ.૨૩૨. ચંદ્રશેખરનો રાસ : પં. શ્રી વીરવિજયજી, પ્રકા. સવાઈભાઈ રાયચંદ તથા શેઠ કેશવલાલ જેચંદ, મુંબઈ જે.જે.કોં..પુ.૮/૭, જુલાઈ 1912,
Page #232
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ–લેખસૂચિ 219 પૃ.૨૧૨. ચંપક શ્રેષ્ઠીનું ચરિત્ર, મુનિ માણેક, પ્રકા, જૈન મિત્રમંડળ, માંડળ : જૈ.. કૉ.હે., પૃ.૯/૭, જુલાઈ 1913, પૃ.૨૩૩. ચૈત્યવંદન-સ્તુતિ-સ્તવનાદિ સંગ્રહ ભાગ બીજો અને ત્રીજો, યોજક મુનિ મહારાજશ્રી કપૂરવિજયજી, પ્રકા. શિવનાથ લંબાજી જૈન પુસ્તકાલય, પૂના : જૈશ્વેિ.કૉ.હે., પૃ.૧૩૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૬૮-૬૯. જનાસ્તિત્વ મીમાંસા અથવા જૈનિયોંકો નાસ્તિક કહના ભૂલ હૈ, પં. હંસરાજ શર્મા : જૈ.એ.કૉ.હે., પૂ.૮/૧૨, ડિસે. 1912, પૃ.૪૯. જંબૂગુણ રત્નમાલા, શ્રાવક જેઠમલજી, જયપુરઃ જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૩૮. જિનદત્તચરિત્રમુ, સંસ્કૃત કાવ્યના કર્તા દિગંબર આચાર્યશ્રી ગુણભદ્ર, સંશોધનકાર પં. મનહરલાલ શાસ્ત્રી : જૈ.જે.કૉ.હે., પુ.૧૩/૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો-નવે.૧૯૧૭, પૃ.૩૬૬-૬૭. જિનસ્તોત્રભાંડાગાર, સંગ્રાહિકા શ્રીમતી ચંદનશ્રી, પ્રકા. વચ્છાવત શેઠ હેમરાજ નેમીચંદ : જૈ.હૈ.કૉ.હે., પૂ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૭૬-૭૭. જિનાચારવિધિ, આર.આર.બોવડે, વકીલ મૂર્તિજાપુર, પ્રકા. કૃષ્ણાજી રામચંદ્ર લાટકર, નેપાણી : જૈ.હૈ.કૉ.હે., પૂ.૯/૭, જુલાઈ 1913, પૃ.૨૩૨. જતકલ્પસૂત્ર, શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, સંપા. મુનિ જિનવિજય, પ્રકા. જૈન સાહિત્ય સંશોધક સમિતિ, અમદાવાદ : જૈનયુગ, પુ.૨/૩-૪, કારતક-માગશર 1983, પૃ. 190-91. જીવનચર્યા, લે. અને પ્રકા. માવજી દામજી શાહ: જૈનયુગ, પુ.૧/૨, આસો 1981, પૃ.૭૭. જીવંધચરિત્ર યા ક્ષત્રચૂડામણિ, મૂળકર્તા વાદિભસિંહસૂરિ, સંસ્કૃત કાવ્યના હિંદી પરથી ગુજરાતી અનુવાદક ડૉ. ભાઈલાલ કપુરચંદ શાહ, પ્રકા. મુલચંદ કસનદાસ કાઈડીઆ, તંત્રી, “દિગંબર જૈન', સુરત : જૈ.ચે. કૉ.હે., પૃ.૯/૧૨, ડિસે. 1913, પૃ.૫૭૧. જૂની ગુજરાતી ભાષા અને જૈન સાહિત્ય, રા. મણિલાલ બકોરભાઈ વ્યાસ :
Page #233
--------------------------------------------------------------------------
________________ 220 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા જૈ.એ.કૉ.હે., .11/1, જાન્યુ. 1915, પૃ. 27-29. જેસલમીર ભાંડાગારીય ગ્રંથાનાં સૂચી, ગાયકવાડ પૌર્વાત્ય ગ્રંથમાલા નં. 21, મૂળ સંગ્રાહક ચીમનલાલ ડી. દલાલ, સંશોધન કરી વિસ્તૃત ઉપોદુધાત અને અનુક્રમણિકાઓ લખી તૈયાર કરનાર 5. લાલચંદ ભગવાનદાસ ગાંધી : જૈનયુગ, 5.2/3-4, કારતક-માગશર 1983, પૃ.૧૮૫-૮૭. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય, સંગ્રા. અને સંપા. શ્રી જિનવિજયજી, આચાર્ય, ગૂજરાત પુરાતત્ત્વ મંદિર, અમદાવાદ, પ્રકા. શ્રી જૈનઆત્માનંદ સભા, ભાવનગર : જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૭૪-૭૫. જૈને કાવ્ય પ્રવેશ, લે. અને પ્રકા. માવજી દામજી શાહ : જૈનયુગ, 5.1/2, આસો 1981, પૃ.૭૭. જૈન દર્શન, હિંદી અનુ. મુનિ તિલકવિજયજી, મૂળ હરિભસૂરિ-રચિત ‘પદર્શન સમુચ્ચય' પર ગુણરત્નસૂરિની બૃહત્ ટીકા. તેમાંનાં છ દર્શનો પૈકી જૈન દર્શન સંબંધી ભાગના અનુવાદક પં. બહેચરદાસ જીવરાજ. તેનું હિંદી ભાષાંતર : જૈનયુગ, પુ.૪, વૈશાખ 1985, પૃ.૩૯૨-૯૩. જૈન દર્શન, પ્રકા. દેવચંદ દામજી શેઠ, અધિપતિ “જૈન” : જૈ.જે.કૉ.હે., પુ.૧૪/૪-૫-, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૭-૫૮. જૈન દર્શન ઔર જૈન ધર્મ, મૂળ લે. હર્બર્ટ વૉરન, અનુવાદ : જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૩૮. જૈન ધર્મ કે વિષયમેં અજૈન વિદ્વાનોની સંમતિર્યું H જૈનયુગ, 5.1/1, ભાદરવો 1981, પૃ.૩૮. જૈન પૂજાધિકાર મીમાંસા, જુગલકિશોર મુખ્તાર, પ્રકા. શેઠ નાથા ગાંધી, મુંબઈ : જૈ.એ.કૉ.હે., પુ.૧૦, ઑક્ટો.૧૯૧૩, પૃ.૫૦૮. (ધ) જૈન લૉ - (ભદ્રબાહુ સંહિતા) (અંગ્રેજી), જે.એલ.જૈની, પ્રકા. ધ સેન્ટ્રલ જૈન પબ્લિશિંગ હાઉસ જે.જે.કૉ.હે., પુ.૧૩૩, માર્ચ 1917, પૃ.૮૧-૮૨. જૈન શિક્ષણ પાઠમાળા દૂસરા ભાગ, મુનિ નાનચંદ્રજીકૃત જૈન પ્રશ્નોત્તર કુસુમાવલિનો હિન્દી અનુવાદ : જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981,
Page #234
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 22 1 પૃ.૩૮. જૈન સઝાયમાળા ભાગ 1-2-3, પ્રકા. શા. બાલાભાઈ છગનલાલ, કીકાભટની પોળ, અમદાવાદ : જૈ.જે.કોં. હે, પુ.૮૭, જુલાઈ ૧૯૧૨,પૃ.૨૧૧ 12. જૈન સમાચાર ગદ્યાવલિ ભાગ 1-2, પ્રકા. રા. વાડીલાલ મોતીલાલ શાહ, અધિપતિ, “જૈન સમાચાર” : જૈ.જે.કૉ.હે., પૂ.૮/૭, જુલાઈ 1912, પૃ.૨૧૪. જૈન સંગીત રાગમાળા, પ્રકા. માંગરોળ જૈન સંગીતમંડળી, સં. 1951 : જૈ.જે.કૉ.હે., પૂ.૯/૬, જૂન 1913, પૃ. 20. જૈન સાહિત્ય સંમેલન કાર્યવિવરણ : જૈ હૈ.કૉ.હે., પુ.૧૩૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો-નવે.૧૯૧૭, પૃ.૩૬૧-૬૨. તા.૩-૪-૫ માર્ચ ૧૯૧૪ને ( દિને જોધપુરમાં ભરાયેલી જૈન સાહિત્ય પરિષદનો રિપોટી, (શ્રી) જૈન સ્તોત્ર રત્નાવલી, “વિમલ શાખા”ના પંડિત મુનિઓ, પ્રકા. દયા વિમલ જૈન ગ્રંથમાલા, અમદાવાદ : .જે.કૉ.હે., પૂ.૧૧/૧૧, નવે. 1915, પૃ.૫૭૮-૭૯, જૈનિઝમ (અંગ્રેજી), હર્બર્ટ વૉરન, ઓનરરી સેક્રેટરી, ઘ જૈન લિટરેચર સોસાયટી, લંડન, પ્રકા. ધ સેન્ટ્રલ જૈન પબ્લિશિંગ હાઉસ, આરા : જૈ શ્વે.કો.હે., 5.13/3, માર્ચ 1917, પૃ.૮૦-૮૧. જૈનેતર દૃષ્ટિએ જૈન, સંગ્રા. મુનિ મહારાજશ્રી અમરવિજયજી, પ્રકા. શા. ડાહ્યાભાઈ દલપતભાઈ, ભરૂચ : જૈનયુગ, પુ.૨/૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૮૭-૮૮. જૈનેન્દ્રપ્રક્રિયા, આચાર્ય ગુણવંદિત વ્યાકરણ ગ્રંથ, સંપા. શ્રી લાલ જૈન, પ્રકા. ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા: જૈ..કૉ.હે., પુ.૧૦/૭, જુલાઈ 1914, પૃ. 221. જૈનેન્દ્રપ્રક્રિયા (ઉત્તરાર્ધ), આચાર્ય ગુણનંદિત વ્યાકરણગ્રંથ, પ્રકા. ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા .જે.કૉ.હે., પુ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૭૬. જ્ઞાનપંચમી અને તેનું ઉદ્યાપન, લે. અને પ્રકા. માવજી દામજી શાહ : જૈન
Page #235
--------------------------------------------------------------------------
________________ 222 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા યુગ, 5.1/2, આસો 1981, પૃ.૭૭. જ્ઞાનવિમલસૂરિકૃતિ પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા.૧, સં. મુક્તિવિમલમણિ, પ્રકા. શેઠ જમનાભાઈ ભગુભાઈ, અમદાવાદ : જૈ.જે.કૉ.હે., પૃ.૧૪૪ પ-૫, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૧. ઝેરી જાનવરોના ડંખના તાત્કાલિક ઈલાજો, દીનશાહ દાદાભાઈ દોરડી, પ્રકા. ગોરખા ગ્રંથ પ્રચારક મંડળી, મુંબઈ : જૈશ્વેિ.કાં. હે., પૃ.૯/૭, જુલાઈ 1913, પૃ.૨૩૩-૩૪. ઠંડા પહોરની વાતો ભાગ ૧લો, શ્રીયુત છગનલાલ વિદ્યારામ રાવળ, લુણાવાડા, પ્રકા. શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી, મુંબઈ ; જૈનયુગ, પુ.૪/૮, વૈશાખ 1985, પૃ.૩૯૨. તત્ત્વજ્ઞાન દીપિકા, મુનિ શ્રી બુદ્ધિસાગરજી, પ્રકા. અધ્યાત્મ પ્રસારક મંડળ : જૈ.જે.કૉ.હે, 5.8/12, ડિસે. 1912, પૃ.૪૭૨. તત્ત્વાર્થરાજવાર્તિક, ઉમાસ્વાતિવાચકકૃત તત્ત્વાર્થસૂત્ર પર અલંક દેવની ટીકા સંસ્કૃતમાં, પ્રકા. ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા : જૈ.જે.કો.હે., પુ.૧૦/૭, જુલાઈ 1914, પૃ.૨૨૦-૨૧. તત્ત્વાર્થાધિગમ સૂત્ર સરહસ્ય, પ્રકા. જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા : જૈ શ્વે. ક..પુ.૧૨,૮-૯-૧૦, ઑગસ્ટ-સપ્ટે.-ઑક્ટો. 1916, પૃ.૩૫ પs. તત્ત્વાર્થાધિગમસૂત્ર, ઉમાસ્વાતિવાચકકૃત ગ્રંથનો ગુજરાતીમાં ભાવાર્થ અને તેના પરના ભાષ્યનો ટૂંકસાર, પ્રકા. જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણાઃ જૈનયુગ, 5.2/3-4, કારતક-માગશર 1983, પૃ. 193-94. તત્ત્વાર્થાધિગમસૂત્ર, ઉમાસ્વાતિવાચકકૃત ગ્રંથ પર સ્વોપરી ભાષ્ય અને તે પર દેવગુપ્તસૂરિ અને સિદ્ધસેનગણિ ટીકાસહિત પ્રથમ વિભાગ, સંશોધક હીરાલાલ રસિકદાસ કાપડિયા, પ્રકા. શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, મુંબઈઃ જૈનયુગ, પુ.૨૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૯૪. તત્ત્વાર્થાધિગમસૂત્રાણિ ભાષ્યસહિતાનિ, સંપા. અને પ્રકા. મોતીલાલ લાધાજી, પૂના: જૈન યુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૭૫-૭૭.
Page #236
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 223 - તરંગવતી, મૂળ કર્તા પાદલિતાચાર્ય, પ્રાકૃત ગ્રંથનો પ્રાકૃતમાં જ સંક્ષેપકર્તા નેમિચંદગણિ, જર્મન અનુ. પ્રો. લૉયમન, ગુજ. અનુ. નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ, પ્રકા. બબલચંદ્ર કેશવલાલ મોદી, અમદાવાદ : જૈનયુગ, પુ. 2/3-4, કારતક-માગશર 1983, પૃ. 191-93. તરંગવતી, જર્મન અનુ. પ્રો. લૉયમન, ગુજ. અનુ. નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ, પ્રકા. કર્ખરવિજયજી : જૈનયુગ, 5.2/3-4, કારતક-માગશર 1983, પૃ.૧૯૩. તિલકવિલાસ, મુનિ તિલકવિજય : જૈ.જે.કૉ.હે., પુ.૧૨/૧૨, ડિસે. 1916, પૃ.૪૨૧. તીર્થયાત્રાનું વિમાન, મુનિ શ્રી બુદ્ધિસાગરજી, પ્રકા. અધ્યાત્મ પ્રસારક મંડળ : જૈ.એ.કૉ.હે., પૂ.૮/૧૨, ડિસે. 1912, પૃ.૪૭૨. ત્રિભુવનદીપકપ્રબંધ, જયશેખરસૂરિ, સંપા. પં. લાલચંદ્ર ભગવાનદાસ, પ્રકા. અભયચંદ ભગવાનદાસ ગાંધી : જૈનયુગ, પુ.૨/૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૮૯-૯૦. ત્રિલોકસાર, સં. પં. મનોહરલાલ શાસ્ત્રી, પ્રકા. માણિકચંદ્ર - દિગંબર જૈન ગ્રંથમાલા સમિતિ : જૈ.જે.કૉ.હે., પૃ.૧૪૪-૫-, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૬. દયારામકૃત કાવ્ય મણિમાલા ભા.૧, સંશો. જોશી છોટાલાલ (નાથજીભાઈ) ગિરજાશંકર. સંગ્રા. અને પ્રકા. નારાયણદાસ પરમાનંદ શાહ, ડભોઈવાલા, મુંબઈઃ જૈ.જે.કૉ.હે., .11/11, નવે.૧૯૧૫, પૃ.૫૮૪. દંડકાદિક (41) દ્વાર તથા જીવવિચાર નવતત્ત્વાદિ બોધસંગ્રહ, પ્રકા. શિવનાથ લંબાજી જૈન પુસ્તકાલય, પૂના : જૈ જે.કૉ.હે., પૃ.૧૩/૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૯. દાનપ્રદીપ, મૂળ કર્તા તપાગચ્છના સોમસુંદરસૂરિના પાંચ શિષ્યો પૈકી જિનસુંદરસૂરિના શિષ્ય ચારિત્રરત્નમણિરચિત ગ્રંથનું ગુજરાતી ભાષાંતર, પ્રકા. સભા જૈિન ધર્મ પ્રસારક સભા ? કે આત્માનંદસભા ?], ભાવનગરઃ જૈન યુગ, 5.59-10, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૯૭-૯૮. (શ્રીમ) દેવચંદ્ર ભા.૧, પ્રકા. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ : જૈ.એ.કૉ.હે.,
Page #237
--------------------------------------------------------------------------
________________ 224 વિરલ વિદ્ધતિભા અને મનુષ્ય પ્રતિભા પુ. 144-5-6, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૫-૫૬. દેવસી તથા રાઈ પ્રતિક્રમણ સૂત્ર, પ્રકા. શ્રાવક ભીમસી માણેક, મુંબઈ : જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૩૯. દેવસીરાઈપ્રતિક્રમણિસૂત્રમુ, પ્રકા. જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા : જૈ.એ. કોં..પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૬-૮૭. દેહસ્થિતિસ્તવ, મૂળકર્તા ધર્મઘોષસૂરિ, પ્રકા. આત્માનંદ સભા, ભાવનગર : જૈ.જે.કૉ.હે., પૃ.૧૦૩, માર્ચ 1914, પૃ.૮૫-૮૬. દોધકવૃત્તિ (સંપા. પં. ભગવાનદાસ) : જૈ.જે.કૉ.હે., પૃ.૧૪/૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૪૯-૫૦. દ્વાદશવ્રતપૂજા, વીરવિજયજી, અનુ. ફત્તેહચંદ ઝવેરભાઈ શાહ, પ્રકા. સ્વ. ઝવેરભાઈના પુત્રો, આનંદપ્રેસ, ભાવનગર : જે..કૉ.હે., પૂ.૯, જૂન 1913, પૃ. 205-06. ધનમાળ પંચાશિકા, મૂળ સંસ્કૃત છાયા, સંસ્કૃત અવસૂરિ સહિત, અનુ. મુનિ કપૂરવિજયજી, પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર : જૈ.એ.કૉ.હે., પુ.૧૩/૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૭૨. ધર્મબિંદુ, મૂળ કર્તા શ્રીમદ્ હરિભદ્રસૂરિ, ટીકા શ્રીમદ્ મુનિ સુંદરસૂરિ, અનુવાદક અને વિવેચક રા. શ્રી મણિલાલ નભુભાઈ દોશી, પ્રકા. જૈન પત્ર ઑફિસ: જૈ.થે કૉ. હે., પૂ.૯/૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૮૮-૯૦. ધ્યાનકલ્પતરૂ, શ્રી અમોલખ ઋષિ, હિંદીમાં, ગુજ. અનુ. રા. પ્રાણજીવન મોરારજી શાહ, રાજકોટ, પ્રકા. પોરબંદરવાળા શાહ હરખચંદ વેલજી અને સ્નેહીઓ : જૈશ્વેિ.કૉ.હે., પુ.૧૨/૧૨, ડિસે.૧૯૧૬, પૃ.૪૧૯. ધ્યાનદીપિકા, પં. કેશરવિજયગણિ, પ્રકા. શા. સોમચંદ ભગવાનદાસ, અમદાવાદ : જૈ.જે.કૉ.હે., પૃ.૧૩/૪, એપ્રિલ 1917, પૃ.૧૨૧. નરભવદિઠતોવનયમાલા, મૂળ કર્તા શ્રી જ્ઞાનવિમલસૂરિનો પ્રાકૃત ગ્રંથ અહીં ગુજરાતી ભાષાંતર સાથે, પ્રકા. દયાવિમલ જૈન ગ્રંથમાલા, અમદાવાદ : જૈ.જે.કૉ.હે, પુ.૧૨/૧૨, ડિસે.૧૯૧૬, પૃ.૪૨૦-૨૧. નરમેઘયજ્ઞ મીમાંસા - સમાલોચના, હિંદીમાં, પં. હંસરાજ શર્મા : જૈ.એ. કૉ.હે., .8/12, ડિસે. 1912, પૃ.૪૬૯-૭૦.
Page #238
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 225 નર્મદાસુંદરી કથા, સંસ્કૃત 246 શ્લોકની દૃષ્ટાંતકથા, પ્રકા. શ્રી હંસવિજયજી જૈન લાયબ્રેરી, લુણસાવાડા, અમદાવાદ : જૈનયુગ, પુ.૩૯, વૈશાખ 1984, પૃ.૩૩૭. નલવિલાસ નાટક, મૂળ કર્તા રામચંદ્રસૂરિ, સંશો. જી.કે. શ્રીગોડેકર અને લાલચંદ્ર બી. ગાંધી - વડોદરા સેન્ટ્રલ લાયબ્રેરીવાળા, પ્રસ્તાવનાલેખક પંડિત લાલચંદ્ર, ગાયકવાડ પૌર્વાત્ય ગ્રંથમાળા મણકો ૨૯મો : જૈનયુગ, પુ.૨/૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૮૮. નવજીવન, લે. અને પ્રકા. મણિલાલ મોહનલાલ પાદરાકર : જૈ.જે.કૉ.હે., - પુ.૧૩૪, એપ્રિલ 1917, પૃ.૧૨૧-૨૨. (શ્રી) નવપદ માહાત્મ અને વીશ સ્થાનક વર્ધમાન તપ ગુણવર્ણન, મુનિ શ્રી કર્પરવિજયજી, પ્રકા. જૈન યુવક મંડળ, હ. મંગળદાસ બાલચંદ, સાણંદ : જૈનયુગ, પુ.૧/૨, આસો 1981, પૃ.૭૬. (શ્રીમ) નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલી, પ્રકા. જૈન યુવક મંડળ, શામળાની પોળ, અમદાવાદઃ જૈ.એ.કૉ.હે., પુ.૧૨/૧૨, ડિસે. 1916, પૃ.૪૨૦. નારદર્પણમાં નીતિવાક્ય ભાગ ૧લો, સૌ.બાઈ રંભા શામજી, ભાવનગર : જૈ..કો.હે, .9/5, મે 1913, પૃ.૧૮૦. નિત્યનિયમસ્મરણ : જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૩૮. નિર્વાણકલિકા, પાદલિપ્તાચાર્ય, સંશો. મોહનલાલ ભગવાનદાસ ઝવેરી, પ્રકા. શેઠ નથમલજી કનૈયાલાલજી રાજા, મુંબઈ : જૈનયુગ, પુ.૨/૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૯૩. નીતિમય જીવન અને ગૃહસ્થ ધર્મ, પં. કેશરવિજયગણિ, પ્રકા. શા. સોમચંદ - ભગવાનદાસ, અમદાવાદ : જૈ.વ્ય.કૉ.હે., પૃ.૧૩/૪, એપ્રિલ 1917, પૃ.૧૨૦-૨૧. નીતિવાક્યામૃત, પં. કેશરવિજયગણિ, પ્રકા. શા. સોમચંદ ભગવાનદાસ, અમદાવાદ : જૈ.જે.કૉ.હે., પૃ.૧૩૪, એપ્રિલ 1917, પૃ.૧૨૧. નીતિસૂત્રમાળા, મૂળ મણિલાલ હ. ઉદાણીકૃત “આ ગારલેન્ડ ઑફ મૉરલ પરસેર્સ' નામક અંગ્રેજી સંગ્રહનું ભાષાંતર. અનુ. દિવેટિયા : જૈ.જે. કૉ.હે, પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૫. વિ.૧૫
Page #239
--------------------------------------------------------------------------
________________ 226 વિરલ વિદ્ધત્મતિભા અને મનુષ્ય પ્રતિભા ન્યાયદીપિકા, ધર્મભૂષણ, પ્રકા. ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા, કાશી : જૈ.એ.કૉ.હે., પુ.૧૨/૭, જુલાઈ 1916, પૃ.૨૧૯. ન્યાયાવતાર, મૂળ પ્રણેતા શ્રી સિદ્ધસેન દિવાકર, તે પર દેવભદ્રસૂરિનું ટિપ્પણ અને સિદ્ધહર્ષગણિની ટીકા, સંપા. ડૉ. પરશુરામ વૈદ્ય, એમ.એ.ડી. લિટુ (પરિસ), પ્રકા. શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ, મુંબઈ, 1928 : જૈનયુગ, પુ.૪, વૈશાખ 1985, પૃ.૩૯૩. પત્ર પરીક્ષા, દિગંબરાચાર્ય શ્રીમદ્ વિદ્યાનંદસ્વામી, પ્રકા. ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા : જૈ.જે.કૉ.હે., પુ.૧૦/૭, જુલાઈ 1914, પૃ.૨૨૧ 22. પરમાત્માને પગલે, રા. લાલન. પ્રકા. મેઘજી હીરજી કે., મુંબઈઃ જૈ.જે.કોં.., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૫. પરીક્ષામુખ, માણિજ્યનંદિ, હિંદી અનુ. શ્રી ગજાધરલાલ જૈન, બંગાનુવાદક શ્રી સુરેન્દ્રકુમાર, પ્રકા. ગાંધી હરિભાઈ છોકરણ એન્ડ સન્સ દ્વારા ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા : જૈ જે.કૉ.હે., પુ.૧૨૭, જુલાઈ 1916, પૃ.૨૧૯. પંચ પ્રતિક્રમણાદિ સૂત્રાણિ, પ્રકા. જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા : જૈ.જે. કૉ.હે., પૂ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૭૯. પંચસંગ્રહ, પ્રકા. શ્રીયુત નાથૂરામ પ્રેમી, મંત્રી, શ્રી માણિકચંદ દિગંબર જૈન ગ્રંથમાલા સમિતિ, હીરાબાગ, ગિરગામ, મુંબઈ : જૈનયુગ, 5.3e, વૈશાખ 1984, પૃ.૩૩૮. પાઈએ લચ્છી નામમાલા (પ્રાકૃત કોશ), ધનપાલ, સંશોધિકા અને પ્રકાશિકા બી.બી.એન્ડ કંપની, ભાવનગરઃ જૈ.શ્વે.કાં. .13/2, ફેબ્રુ.૧૯૧૭, પૃ.૪૨-૪૩. પાટા બાંધવા વિશેનાં મૂળતત્ત્વો તથા જખમની સારવાર, પાઈસ સાહેબ, અંગ્રેજીમાં, ગુજ. અનુ. ધનજીશા નસરવાનજી ભરૂઆ, એલ.એમ. એન્ડ.એસ., પ્રકા. મુંબઈ ઈલાકાનું નર્સિંગ એસો. : જૈ.જે.કહે, 5.13/4, એપ્રિલ 1917, પૃ.૧૨૨-૨૩. વાર્થપરાક્રમવ્યાયોગ, પરમાર શ્રી પ્ર©ાદનદેવ, સંશો. ચીમનલાલ ડાહ્યાભાઈ
Page #240
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ–લેખસૂચિ 227 દલાલ, ગાયકવાડ ઑરિએન્ટલ સિરીઝ નં.૪ઃ જે.જે.કૉ. હે, 5.144 પ-૫, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૪૩-૪પ. પાર્શ્વચંદ્રસૂરિનું જીવનચરિત્ર, પ્રકા. શા. મંગળદાસ લલ્લુભાઈ, અમદાવાદ : જે.જે.કો.હે., .128-9-10, ઑગસ્ટ-સપ્ટે.-ઑક્ટો.૧૯૧૬, પૃ.૩૫૭-૫૮. પાર્શ્વનાથચરિતમ્, મૂળ લે. વાદિરાજસૂરિ, સં. શાસ્ત્રી મનોહરલાલ, માણિકચંદ દિગંબર ગ્રંથમાલા -4H જૈ.જે.કૉ.હે., પૃ.૧૪૪-૫-૫, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૪૫-૪૭. પાર્શ્વનાથચરિતમ્, સં. પંડિત વેલસિંહ, મુનિશ્રી મોહનલાલજી જૈન ગ્રંથમાલા, પ્રકા. હર્ષ પરિષદ, બનારસ: જૈ.જે.કૉ.હે., પૃ.૧૪૪-૫-૫, એપ્રિલ મે-જૂન 1918, પૃ.૧૪૭-૪૮. પ્રબુદ્ધરૌહિણેયમ્, સંસ્કૃત નાટક, રામભદ્ર મુનિ, સં. મુનિ શ્રી પુણ્યવિજય, પ્રકા. જૈન આત્માનંદ સભા, ભાવનગરઃ જૈ જે.કૉ.હે., પૃ.૧૪૪-૫-૭, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫ર-પ૩. પ્રમાણનિર્ણય, મૂળ લે. વાદિરાજસૂરિ, સં. પં. ઈદ્રલાલ, માણિકચંદ દિગંબર જૈન ગ્રંથમાલા પુષ્પ 10: જૈ.એ.કૉ.હે., પૃ.૧૪૪-૫-, એપ્રિલ-મેં-જૂન 1918, પૃ.૧૪૮-૪૯. પ્રમાણમીમાંસા, શ્રી હેમચંદ્ર આચાર્યકૃત સ્વોપલ્લવૃત્તિ સહિત, સંપા. અને પ્રકા. મોતીલાલ લાધાજી, પૂનાઃ જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૭૫. પ્રાકૃત માર્ગોપદેશિકા, પંડિત બહેચરદાસ જીવરાજઃ જૈ.હૈ.કૉ.હે., પૂ.૯/૧૨, ડિસે.૧૯૧૩, પૃ.૫૬૯. પ્રાચીન લેખ સંગ્રહ ભાગ ૧લો, સંગ્રા. સ્વ. શ્રી વિજયધર્મસૂરિ, સંપા. મુનિ વિદ્યાવિજય, પ્રકા. યશોવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર : જૈનયુગ, 5.59-10, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૯૭. પ્રાણપ્રેમ પુષ્પમાળા, યોજક રા. પ્રાણસુખ માનચંદ નાયક, સં. 1983 : જૈનયુગ, પુ.૪, વૈશાખ 1985, પૃ.૩૯૨. પ્રાણીપોકાર, સાંકળચંદ પીતાંબરદાસ શાહઃ જૈ.જે.કૉ. હે, પુ.૯/૧૨, ડિસે.
Page #241
--------------------------------------------------------------------------
________________ 228 વિરલ વિદ્ધપ્રતિભા અને મનુષ્ય પ્રતિભા 1913, પૃ.૫૭૧-૭ર. પ્રિયંકર ચરિત્ર, જિનસૂરિ, ગુજ. ભાષાંતર, પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર : જૈ.જે.કો.હે., પુ.૧૩૯-૧૯૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે. 1917, પૃ.૩૬૮. પ્રીતમદાસની વાણી : જૈનયુગ, પુ.૧/૪, મહા 1982, પૃ. 225-26. પ્રેમપુષ્પાંજલિ, સંપા. અને પ્રકા. કુમાર દેવેન્દ્રપ્રસાદ, આરાઃ જૈ.જે.ક છે, પુ.૧૩૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૬૭. બુદ્ધ, ધર્મ અને સંઘ, પ્રો. ધર્માનંદ કોસંબી (મરાઠીમાં), ગુજ. અનુ. રા. હરગોવિંદ શામજી પાઠક, પ્રકા. રા. જીવણલાલ અમરશી મહેતા : જૈ.જે.કૉ. હે, પુ. 11/1, જાન્યુ. 1915, પૃ.૨૯-૩૦. ભાવઆવશ્યક, પ્રકા. ભવાનજી ડુંગરશી, મુળી અને મોહનલાલ અમૃતલાલ, રાજકોટ : જૈ જે.કૉ.હે, 5.11/11, નવે.૧૯૧૫, પૃ.૫૮૨-૮૩. ભાવપ્રકરણ, વિમલવિજયગણિ, પ્રકા. આત્માનંદ સભા, ભાવનગર : જૈ.એ. કૉ.હે., પૃ.૧૦૩, માર્ચ 1914, પૃ.૮૫-૮૬. ભુવનભાનુ કેવળી ચરિત્ર, ઈદ્રરંસગણિ, અનુવાદ, પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા : જૈ.જે.કૉ.હે, પુ.૧૪૪-૫-૫, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૪૨. મણિપતિરાજર્ષિચરિતમ્, જંબૂ કવિ (જબૂનાગ કવિ), સંસ્કૃતમાં, સંપા. પંડિત ભગવાનદાસ હરખચંદ, હેમચંદ્ર ગ્રંથમાલા - અમદાવાદ શાખા : જૈનયુગ, પુ.૩/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૭૯. મનુષ્યકર્તવ્ય (શ્રી જૈન માર્ગદર્શન), પ્રકા. આત્માનંદ જૈન ટ્રેકટ સોસાયટી, અંબાલા : જૈ.જે.કો. હે, પુ.૧૪૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૯. મનુષ્યાહાર, સિડની એચ. બિયર્ડ (તંત્રી “હેરલ ઑફ ધ ગોલ્ડન એજ', લંડન)ની અંગ્રેજી કૃતિ “ઘંટ એસ્ટીમની ઑફ સાયન્સ ઈન ફેવર ઓફ નેચરલ હ્યુમન ડાયટ'નો હિન્દી અનુવાદ, અનુ, રા. દયાચંદ્ર જૈન : જૈ.જે.કૉ.હે., 5.9/12, ડિસે. 1913, પૃ.૫૭૩. મહાવીરચરિયું, નેમિચંદસૂરિ, સંશો. મુનિશ્રી ચતુરવિજય, પ્રકા. જૈન આત્માનંદ
Page #242
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 229 સભા, ભાવનગર : જૈ.જે.કોં. હે, પુ.૧૪૪-૫-, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૩૭-૪૦. મહાવીરજીવન વિસ્તાર, સુશીલ, પ્રયો. પરી ભીમજી હરજીવન, પ્રકા. મેસર્સ મેઘજી હીરજીની કં. જૈ.જે.કો. હે., પૂ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૭૯. માણેકમાળા, મુનિશ્રી માણેક, પ્રકા. જૈન મિત્ર મંડળ, માંડળ: જે.જે.કોં.., 5.9/7, જુલાઈ 1913, પૃ.૨૩૨-૩૩. મેઘમહોદય - વર્ષપ્રબોધ, મેઘવિજય ઉપાધ્યાય, સંસ્કૃત પદ્યમાં, હિંદી અનુ. અને પ્રકા. પંડિત ભગવાનદાસ જૈન, દિ. શેઠિયા, જૈન પ્રિન્ટિંગ પ્રેસ, બિકાનેર : જૈનયુગ, 5.2/3-4, કારતક-માગશર 1983, પૃ.૧૮૭. મેવાડપતન, દ્વિજેન્દ્રલાલ રાય, બંગાળીમાં, હિંદી અનુ. રામચંદ્ર વર્મા, પ્રકા. હિંદી ગ્રંથરત્નાકર કાર્યાલય, મુંબઈ: જૈ..કૉ.હે, પુ.૧૩/૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૬૯-૭૦. મૌનૈકાદશીકથા, “વિમલશાખા'ના લક્ષ્મી વિમલગણિ, સંસ્કૃતમાં, પ્રકા. દયાવિમલ જૈન ગ્રંથમાલા, અમદાવાદ : જૈ.જે.કૉ.હે, પુ.૧૨/૧૨, ડિસે.૧૯૧૬, પૃ.૪૨૦-૨૧. મહારી યાત્રા, લે. અને પ્રકા. રા. ભોગીલાલ સાંકળચંદ વ્હોરાઃ જૈ.જે.કો.હે., પુ.૯/૧૨, ડિસે. 1913, પૃ.૫૭૪-૭૫. યુગાદિ જિનદેશના, સોમમંડનગણિ, હિન્દી અનુ. સાધ્વી શ્રીમતી વિનયશ્રીજી, પ્રકા. જૈનાર્યા શ્રીમતી પુણ્યશ્રીજી સ્મારક ગ્રંથમાળા, જયપુર સિટી, રાજપુતાના: જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૯૮-૯૯. યુગાદિદેશના, મૂળ લે. સોમસુંદરસૂરિના શિષ્ય મુનિસુંદરસૂરિના શિષ્ય સોમમંડનગણિ - સંસ્કૃતમાં, સંપા. અને પ્રકા. પંડિત અમૃતલાલ અમરચંદ, પાલીતાણા : જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૯૮-૯૯. યુગાદિદેશના, સોમમંડનગતિના સંસ્કૃત ગ્રંથનો ગુજ. અનુવાદ, પ્રકા. જૈન ઘર્મ પ્રસારક સભા, ભાવનગર : જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૯૮-૯૯. યોગદીપક, મુનિશ્રી બુદ્ધિસાગરજી, પ્રકા. અધ્યાત્મ પ્રસારક મંડળ : જૈ.જે.
Page #243
--------------------------------------------------------------------------
________________ 230 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા કૉ.હે., પૂ.૮/૧૨, ડિસે.૧૯૧૨, પૃ.૪૭૩. યોનિસ્તવ, ઘર્મઘોષસૂરિ, પ્રકા. આત્માનંદ સભા, ભાવનગર : જૈ.જે.કો.હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૫-૮૬. રત્નપાલનૃપ કથાનકે, સોમમંડનગણિ, સંપા. પ્રવર્તકશ્રી કાન્તિવિજયશિષ્ય મુનિ ચતુરવિજય : જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૯૯. રત્નાકરપચ્ચીશી, પ્રયો. અને પ્રકા. માવજી દામજી શાહ : જૈ.ચૅ.કૉ.હે, પુ.૧૦/૭, જુલાઈ 1914, પૃ.૨૨૩. રત્નાકરપચ્ચીસી, રત્નાકરસૂરિ, ગુજ. પદ્યમાં અનુ. માસ્તર શામજી હેમચંદ્ર દેસાઈ, પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા : જૈ જે.કૉ. હે, 5.144-5-6, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૪-૫૫. રાજકુમારી સુદર્શન યાને સમળીવિહાર, મૂળ માગધીમાં કર્તા શ્રી દેવેન્દ્રસૂરિ (તપાગચ્છના સ્થાપક શ્રી જયચંદ્રસૂરિના શિષ્ય), માગધી પ્રબંધ પરથી લખનાર પં. શ્રી કેશરવિજયગણિ, પ્રકા. શા. સોમચંદ ભગવાનદાસ : જૈ.જે.કૉ.હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૩-૮૪. લગ્નાદિક શુભ પ્રસંગે ગવાતાં માંગલિક ગીતો, સંગ્રા. બહેન જશકુંવર કુંવરજી આણંદજી : જૈ.જે.કૉ.હે., પૂ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૮૩-૮૪. લધ્વલ્પબદુત્વ, ધર્મઘોષસૂરિ, પ્રકા. આત્માનંદ સભા, ભાવનગર : જૈ.જે.કૉ.હે., .103, માર્ચ 1914, પૃ.૮૫-૮૬. લેખસંગ્રહ ૧લો ભાગ, મુનિ ચારિત્રવિજયજી, પ્રકા. મેઘજી હીરજી : જૈ.જે. કૉ.હે., પુ.૧૦/૭, જુલાઈ 1914, પૃ.૨૧૯-૨૦. લોકનાદ્ધાત્રિશિકા, ઘર્મઘોષસૂરિ, પ્રકા. આત્માનંદ સભા, ભાવનગર : જૈ.જે.કૉ. હે, પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૫-૮૬. લોકપ્રકાશ - પ્રથમ વિભાગ, વિનયવિજયજી, પ્રકા. દેવચંદ લાલભાઈ જૈન પુ. ફંડ, સુરત : જૈનયુગ, પુ. 2/3-4, કારતક-માગશર 1983, પૃ.૧૮૮-૮૯. લોહાણા જ્ઞાતિની ઉત્પત્તિ અને તેનો ઇતિહાસ, યોજક ઠક્કર ઉદ્ધવજી તુલસીદાસ તન્ના, પ્રકા. બાપુભાઈ કહાનજી પરીખ - તંત્રી લુહાણા.
Page #244
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ–લેખસૂચિ 231 સમાચાર” : જૈ.જે.કૉ.હે., પૂ.૧૧/૧, જાન્યુ. 1915, પૃ.૩૦-૩૧. વચનામૃત, મુનિશ્રી બુદ્ધિસાગરજી, પ્રકા. અધ્યાત્મ પ્રસારક મંડળ : જૈ.જે. કૉ.હે., .8/12, ડિસે.૧૯૧૨, પૃ.૪૭૨-૭૩. (શ્રીમવિજયાનંદ ત્રિશિકા, લબ્ધિવિજય, પ્રકા. ઝવેરી સોહનલાલ વતનલાલ દિલ્હી : જૈ.એ.કૉ.હે., 5.11/11, નવે.૧૯૧૫, પૃ.૫૭૬. વિજ્ઞપ્તિ ત્રિવેણી, સંપા. મુનિ જિનવિજય, પ્રકા. આત્માનંદ સભા, ભાવનગર : જૈ..કૉ.હે., 5.13/4, એપ્રિલ 1917, પૃ.૧૧૯-૨૦. વિદ્વદ્ રત્નમાલા - પ્રથમ ભાગ, શ્રીયુત નાથુરામ પ્રેમી, પ્રકા. “જૈનમિત્ર' કાર્યાલય, મુંબઈ : જૈ જે.કૉ.હે., .10, ઑક્ટો. 1913, પૃ.૫૦૦ 02. વિશ્વાનુભવ અને દર્પણશતક, મુનિશ્રી માણેક, પ્રકા. જૈન મિત્ર મંડળ, માંડળ : જૈ.શ્કે.કો.હે., પૃ.૯૭, જુલાઈ 1913, પૃ.૨૩૨-૩૩. વિહારવર્ણન, મુનિશ્રી જયન્તવિજયજી, પ્રકા. શેઠ ફૂલચંદ વૈદ, સેક્રેટરી, શ્રી યશોવિજય જૈન ગ્રંથમાલા, ભાવનગર : જૈનયુગ, 5.1/4, મહા 1982, પૃ.૨૨૭. વીતરાગસ્તોત્રમ્, હેમચંદ્રાચાર્ય, અનુ. મુનિશ્રી કíરવિજયજી, પ્રકા. જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા : જૈ.જે.કોં.., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૬. વેજિટેરિયન ડાયટ (અંગ્રેજી), રામદાસ પાલ અને ફારીઆના જૈ જે.કૉ.હે, પુ.૧૪૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫ર. વૈતાલ પંચવીસી, બે કૃતિઓ - 1 પદ્યરાસના કર્તા દેવશીલ 2. ગદ્યગ્રંથના કર્તા સંભવતઃ હીરવિજયસૂરિના શિષ્ય, સંશો. અને પ્રકા. રા. જગજીવનદાસ દયાળજી મોદી, ખાંભા મહાલ, વડોદરા રાજ્ય : જૈ શ્વે. કિ.રે., .12,8-9-10, ઑગસ્ટ-સપ્ટે.-ઑક્ટો. 1916, પૃ.૩૫૮ 60. વૈરાગ્ય તરંગ ભક્તિમાળા, સાંકળચંદ પીતાંબરદાસ શાહ H જૈ.વ્ય.કૉ. હે, 5.9/12, ડિસે. 1913, પૃ.૫૭૧-૭૩. (શ્રી) વૈરાગ્યશતક, આત્મનિરીક્ષણ અને ભજનની ધૂન, પહેલી બે કૃતિઓના
Page #245
--------------------------------------------------------------------------
________________ 232 વિરલ વિશ્વભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા અનુ. રા. મણિલાલ નથુભાઈ દોશી, પ્રકા. મેઘજી હીરજીની કું., મુંબઈઃ જૈ.જે.કૉ.હે., પુ.૧૦/૩, માર્ચ 1994, પૃ.૮૪-૮૫. વ્યાપારની કળ, . શ્રીયુત જીવાભાઈ અમીચંદ પટેલ, ઉત્પાદક શ્રી કચ્છી વિશા ઓસવાલ દે. જૈન પાઠશાળા, મુંબઈ, પ્રકા. નાનચંદ માણેકચંદ મહેતા, કાલબાદેવી પ્રિ. પ્રેસ, મુંબઈ : જૈ.જે.કૉ.હે., પૂ.૮/૧૧, નવે. 1912, પૃ.૪૧૭. શત્રુંજયપ્રકાશ, શેઠ દેવચંદ દામજી કુંડલાકર, અધિપતિ, “જૈન”, ભાવનગર : જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૭૮. શબ્દાનુશાસન, મૂળ સૂત્ર અને તે પર યક્ષવર્ધકૃત ચિંતામણિ વૃત્તિ H જૈન.જે. કૉ.હે., પૂ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૭૬. શરીર અને ગૃહશૃંગાર તથા બહેનોને બે બોલ, શારદા સુમંત મહેતા, પ્રકા. કરસનદાસ જગજીવનદાસ ચીતલિયા, ન. સેક્રેટરી, ભગિની સમાજ, ગિરગામ : જૈ.જે.કૉ.હે., પુ.૧૩-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે. 1917, પૃ.૩૭૦-૭૧. શાન્તિધર્મ, ગુલાબરાય, પ્રકા. કુમાર દેવેન્દ્રપ્રસાદ, આરા : જૈ.જે.કૉ. હે, પુ.૧૩/૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૬૭-૬૮. શાન્તિનાથ ચરિત્રમ્ (સંસ્કૃત), મેઘવિજયગણિ, પ્રકા. જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા, બનારસ : જૈ.જે.કોં.., પૃ.૧૪૪-પ-, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૪. શીલરક્ષા - સુદર્શન શેઠ ચરિત્ર, દીપો : જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૩૮. શુકરાજકથા, મૂળ સંસ્કૃત ગદ્યકથાના લે. માણિજ્યચંદ્રસૂરિ, પ્રકા. શ્રી હિંસવિજયજી જૈન ફ્રી લાયબ્રેરી, લુણાવાડા, અમદાવાદ : જૈનયુગ, 5.3/9, વૈશાખ 1984, પૃ.૩૩૬-૩૭. શુદ્ધ દેવગુરુધર્મની સેવા-ઉપાસના વિધિ, લે. અને યોજક મુનિશ્રી Íરવિજયજી, પ્રકા. શિવનાથ લંબાજી જૈન પુસ્તકાલય, પૂના: જૈ..કૉ.હે., પુ.૧૩૯ 10-11, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૬૯. શ્રાવકકલ્પતરુ, મુનિશ્રી કપૂરવિજયજી, પ્રકા. જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા
Page #246
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ—બસૂચિ 233 તેમજ જૈન આત્માનંદ સભા, ભાવનગર : જૈ.જે.કૉ.હે., પૂ.૧૨૮ 9-10, ઑગસ્ટ-સપ્ટે.-ઑક્ટો.૧૯૧૬, પૃ.૩૦. શ્રાવકધર્મદર્પણ, પ્રબંધકર્તા મોતીલાલ રાંકા, શ્રી જૈન પુસ્તક પ્રકાશક કાર્યાલય, વ્યાવર : જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૩૮. શ્રાવિકાઘર્મ, વાડીલાલ મોતીલાલ શાહ, પ્રકા. શકરાભાઈ મોતીલાલ શાહ, મુંબઈ : જૈ.એ.કૉ.હે., પૃ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૭૮-૭૯. શ્રાવિકાઘર્મદર્પણ અથવા નારી ધર્મદર્પણ, પ્રબંધકર્તા મોતીલાલ રાંકા, શ્રી જૈન પુસ્તક પ્રકાશક કાર્યાલય, વ્યાવર: જૈનયુગ, 5.1/1, ભાદરવો 1981, પૃ.૩૮. શ્રીપાલચરિત્ર, પરિમલ્લ - હિંદી પદ્યમાં, અનુ. માસ્ટર દીપચંદજી ઉપદેશક, પ્રકા. મૂલચંદ કિસનદાસ કાપડીઆ : જૈ.જે.કૉ.હે., પુ.૧૦/૭, જુલાઈ 1914, પૃ.૨૨૨-૨૩. પદ્રવ્યવિચાર, શ્રી બુદ્ધિસાગરસૂરિ, પ્રકા. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, હ. વકીલ મોહનલાલ હીમચંદ, પાદરા : જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૭૯. સકામ નિર્જરા અને નારીહિત શિલા, મુનિશ્રી માણેક, પ્રકા. જૈન મિત્રમંડળ, માંડળ : જૈ.જે.કૉ.હે, 5.9/7, જુલાઈ 1913, પૃ.૨૩૨-૩૩. સતી શિયળવંતી, મુનિ માણેક, પ્રકા. જૈન મિત્ર મંડળ, માંડળ : જૈ.જે.કૉ.હે., 5.9/7, જુલાઈ 1913, પૃ.૨૩૩. સદ્ગોધ ચિંતામણિ અને ગુણમાલા, મુનિશ્રી માણેક, પ્રકા. જૈન મિત્ર મંડળ, માંડળ (વિરમગામ) જૈ.જે.કૉ.હે., પૃ.૯૭, જુલાઈ 1913, પૃ.૨૩૨ 33. સદ્ધોધક પ્રાચીન સ્તવન સંગ્રહ, પ્રકા. રાધનપુર યુવકોદય મંડળના પ્રમુખ લક્ષ્મીચંદ પ્રેમચંદ શાહ : જે.જે.કૉ.હે., .12/7, જુલાઈ 1916, પૃ.૨૨૦. સદ્ગોધસંગ્રહ, મુનિશ્રી કરવિજયજી : જૈ.જે.કૉ.હે, પુ.૧૩૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૬૯. સનાતન જૈન ધર્મ, સં. શ્રીલાલ જૈન શાસ્ત્રી, પ્રકા.પં. પન્નાલાલ બાકલીવાળા,
Page #247
--------------------------------------------------------------------------
________________ ર૩૪ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા જૈન મંત્રી, જૈન ધર્મ પ્રચારિણી સભા, કાશી જે..કૉ.હે., પૃ.૯/૭, જુલાઈ 1913, પૃ.૨૩૨. સતસંધાન મહાકાવ્ય, મહોપાધ્યાય મેઘવિજય, સંપા. પંડિત હરગોવિંદદાસ, બનારસ : જૈ.જે.કૉ.હે., પુ.૧૩૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે. 1917, પૃ.૩૬૨-૬૩. સમય પ્રાભૃત-૧-૨, મૂળ પ્રાકૃત ગ્રંથના લે. કુંદકુંદાચાર્ય, એનું મૂળ, સંસ્કૃત છાયા ને તે પર શ્રી અમૃતચંદ્રસૂરિની આત્મખ્યાતિ નામની ટીકા (બે ભાગ છતાં અપૂર્ણ), પ્રકા. ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા : જૈ.જે.કો.હે., પુ.૧૦૭, જુલાઈ 1914, 221-22. સમર્પણની કથાઓ, બંગાળીમાંથી ગુજ.અનુ. શ્રી નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ, “પાટીદાર મંદિર, આણંદ : જૈનયુગ, પુ.૩૯, વૈશા૫ 1984, પૃ.૩૩૭-૩૮. સમાધિમરણ ઔર મૃત્યુમહોત્સવ, હિંદી કવિતા “સમાધિમરણ'ના લે. પંડિત સૂરચંદજી, અને હિંદી વિવેચન “મૃત્યુમહોત્સવ'ના લે. સદાસુખદાસજી પંડિત : જૈ.જે.કૉ.હે., પૂ.૧૨,૮-૯-૧૦, ઑગસ્ટ-સપ્ટે.-ઑક્ટો. 1916, પૃ.૩૫૭. સમેતશિખરરાસ, જયવિજય (કલ્યાણવિજયોપાધ્યાયના શિષ્ય), પ્રકા. ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ, વડોદરા : જે.જે.કૉ.હે., .11/12, ડિસે. 1915, પૃ.૫૯૧. સમ્યગ્દર્શન, પં. કેશરવિજયગણિ, પ્રકા. શા. સોમચંદ ભગવાનદાસ, અમદાવાદ : જૈ.જે.કોં. હે., પૃ.૧૩/૪, એપ્રિલ 1917, પૃ.૧૨૧. સરળ ભગવદ્ગીતા, કાનજી કાલિદાસ જોશી, પ્રકા. મણિલાલ કે. દેસાઈ, 100, ભૂલેશ્વર, મુંબઈ : જૈનયુગ, પુ.૧/૪, મહા 1982, પૃ.૨૨૭. સંબોધસત્તરિ, મૂળ સંગ્રા. રત્નશેખરસૂરિ, 125 પ્રાકૃત ગાથાના સંગ્રહનું મૂળ સાથે હિંદી ભાષાંતર, પ્રકા. આત્માનંદ જૈન ટ્રેક્ટ સોસાયટી, અંબાલા શહેર : જૈ શેકો. હે, પુ.૧૨/૮-૯-૧૦, ઑગસ્ટ-સપ્ટે. ઑક્ટો. 1916, પૃ.૩૫. સંસ્કૃત પ્રવેશિની - પ્રથમ ભાગ, સંપા. કાવ્યતીર્થ વ્યાકરણશાસ્ત્રી શ્રી શ્રીલાલ
Page #248
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 235 જૈન : જૈ.જે.કૉ.હે, પુ.૧૨/૭, જુલાઈ 1916, પૃ.૨૧૮-૧૯. સંસ્કૃત પ્રવેશિની - દ્વિતીય ભાગ, કર્તા શ્રીલાલ જૈન, પ્રકા. પન્નાલાલ બાલીવાલ, ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા, કલકત્તા : જૈ.જે. કૉ. હે, પુ.૧૩-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૬૬. સાચું સ્વપ્ન, ભાસના “સ્વપ્નવાસવદત્ત'ના ગુજ.અનુ. અને પ્રકા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, અમદાવાદ : જૈ.જે.કૉ.હે., પૃ.૧૩૯-૧૯૧૧, સપ્ટે. ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૫૮-૬૦. સાધુવંદનારા, નયવિમલગણિ, પ્રકા. દયાવિમલજી જૈન ગ્રંથમાળા, અમદા વાદઃ જૈ.જે.કોં. હે,પુ.૧૪૪-પ-, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૧. સાબરમતી ગુણ શિક્ષણ કાવ્ય, શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી, પ્રકા. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ : જૈશ્વેિ.કો.હે., પૃ.૧૩/ક, એપ્રિલ 1917, પૃ.૧૨૩. સાયન્સ ઑફ થૉટ - ઑર ન્યાય (અંગ્રેજી), ચાંપતરાય જૈન, બાર-એટ લૉ, પ્રકા. કુમાર દેવેન્દ્રપ્રસાદ, ધ સેન્ટ્રલ જૈન પબ્લિશિંગ હાઉસ : જૈ.એ. કૉ.હે., પૃ.૧૩/૩, માર્ચ 1917, પૃ.૮૧. સાર્વધર્મ, પંડિત ગોપાલદાસજી વરૈયા, પ્રકા. શ્રી તત્ત્વપ્રકાશિની સભા, ઈટાવાઃ જૈ.યૂ.કૉ. હે., .9/12, ડિસે. 1913, પૃ.૫૭૪. (ધ) સિક્સ દ્રવ્યાસ ઑફ જૈન ફિલોસોફી એન્ડ લિવ એન્ડ લેટ લિવ ઑફ જૈન ડૉક્ટિન (અંગ્રેજી), પ્રકા. એફ.કે.લાલન : જૈ.જે.ક. હે, પુ.૧૧/ 11, નવે.૧૯૧૫, પૃ.૫૮૦-૮૧. સિદ્ધદંડિકાસ્તવ, દેવેંદ્રસૂરિપાદ, પ્રકા. આત્માનંદ સભા, ભાવનગર : જૈ.જે. કો.હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૫-૮૬. સિદ્ધિવરસ્તવનાદિસંગ્રહ અને સિદ્ધિનો સન્માર્ગ, મુનિશ્રી સિદ્ધિમુનિજી, પ્રસ્તાવનાલેખક રા. મણિલાલ નથુભાઈ દોશી, પ્રકા. શ્રી મોહનલાલજી જૈન લાયબ્રેરી, અમદાવાદ : જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૮૦. સુપાસના ચરિએ ભાગ 1 અને 2, સંસ્કૃત સંસ્કરણ સહિત, સંશો. પંડિત હરગોવિંદદાસ ત્રિકમદાસ શેઠ: જૈશ્વેિ.કૉ.હે., પૃ.૧૪૪-પ-ક, એપ્રિલમે-જૂન 1918, પૃ.૧૫૮-૫૯.
Page #249
--------------------------------------------------------------------------
________________ 23 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા સુરસુંદરી ચરિએ, ધનેશ્વરસૂરિ, પ્રાકૃત ભાષામાં, સં. મુનિશ્રી રાજવિજય, પ્રકા. પં. હરગોવિન્દદાસ, જૈ..કૉ.હે., પૃ.૧૪-૫-s, એપ્રિલ-મે જૂન, 1918, પૃ.૧૪૧. સુંદર બાળવચનામૃત, લે. અને સંગ્રા. ભાઈચંદ સુંદરજી મહેતા, ઝીંઝુવાડા : જૈનયુગ, પુ.૧/૪, મહા 1982, પૃ.૨૨૭. સુંદરી અને સાક્ષરો, લે. તથા પ્રકા. નટવરલાલ કનૈયાલાલ વૈષ્ણવ, રાજકોટ : જૈ.જે.કૉ.હે., પુ.૧૦/૬, જૂન 1914, પૃ.૧૯૮. સૂક્તમુક્તાવલિ, સંસ્કૃત, પ્રકા. જૈન આત્માનંદ સભા, ભાવનગર : જૈ.જે.કૉ.હે., પૃ.૧૪૪-૫-૭, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૪૨. સેવાધર્મ, જી.એસ.એરંડલના “ઘ વોસ ઑફ સર્વિસ' નામના અંગ્રેજી ચોપાનિયાનું હિંદી ભાષાંતર, પ્રકા. કુમાર દેવેન્દ્રપ્રસાદ જૈન, આરા : જૈ.જે.કૉ.હે., .12/7, જુલાઈ 1916, પૃ.૨૧૯. સૌભાગ્ય શિક્ષાબ્ધિ ભાગ-૧, લે. તથા પ્રકા. નટવરલાલ કનૈયાલાલ વૈષ્ણવ, રાજકોટ : જૈ.જે.કૉ.હે., પુ.૧૦/૬, જૂન 1914, પૃ.૧૯૭. (ધ) સ્ટડી ઑફ જૈનિઝમ (અંગ્રેજી), લાલા કન્નુમલ, પ્ર. આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ, આગ્રા : જૈ.જે.કૉ.હે, પુ.૧૪૪-૫-ક, એપ્રિલ મે-જૂન 1918, પૃ.૧૪૯-૫૦. સ્ત્રીઓનું ખાનગી વાચન, લે. તથા પ્રકા. નટવરલાલ કનૈયાલાલ વૈષ્ણવ, રાજકોટ : જૈશ્વેિ.કૉ.હે., પુ.૧૦/૬, જૂન 1914, પૃ.૧૯૮. સ્ત્રીસુબોધમાળા, સાંકળચંદ પીતાંબરદાસ શાહ : જૈ.જે.કો.હે, પુ.૯/૧૨, ડિસે.૧૯૧૩, પૃ.૫૭૧-૭૨. સ્થૂલભદ્રચરિત, જયાનંદસૂરિ, પ્રકા. શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ : જૈશ્વેિ.કૉ.હે., પૃ.૧૪૪-૫-૫, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૪૧-૪૨. સ્યાદ્વાદમંજરી, શ્રી હેમચંદ્રાચાર્ય, સંપા.-પ્રકા. મોતીલાલ લાધાજી, પૂના : જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૭૭. સ્યાદ્વાદરત્નાકર - ભાગ 1-2, શ્રી વાદિદેવસૂરિ, સંપા.-પ્રકા. મોતીલાલ લાધાજી, પૂના : જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૭૭-૭૮
Page #250
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ–લેખસૂચિ 237 સ્વાધ્યાયમાળા - પ્રથમ રત્ન, સંગ્રા. અને પ્રકા. ચુનીલાલ વીરચંદ નાળીએર વાળા, ભરૂચ : જૈ.જે.કૉ.હે., પૂ.૯૫, મે 1913, પૃ.૧૭૯. સ્વામી દયાનન્દ ઔર જૈન ધર્મ, હંસરાજ શાસ્ત્રી : જૈ.જે.કૉ.હે., પુ.૧૨/૭, જુલાઈ 1916, પૃ.૨૧૯-૨૦. સ્વામીશિષ્યસંવાદ, બંગાળીમાંથી અનુ. શ્રી સુશીલ, પ્રકા. મેઘજી હીરજી કે. મુંબઈ : જૈ.જે.કોં.., પુ.૧૦/૭, જુલાઈ 1914, પૃ.૨૨૩. હંસરાજ વછરાજનો રાસ, ખરતર જિનોદયસૂરિ, પ્રકા. વોરા લલ્લુભાઈ મોતીચંદ શાહ, પાલીતાણા : જૈજે.કૉ.હે., પુ.૧૦૪-૫, એપ્રિલ-મે 1914, પૃ.૧૧૮-૧૯. હિંદી કર્તવ્ય કૌમુદી : જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૩૮. હિંમતકાવ્ય, રા. હિંમતલાલ ડાહ્યાભાઈ શાહ, મહુવાઃ જૈ.જે.કૉ.હે., પૂ.૯૫, મે 1913, પૃ.૧૭૯-૮૦. હૃદય પ્રદીપ પત્રિશિકા, સટીક ગુજરાતી ભાષાંતર અને વિવેચન સહિત), પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર: જૈ.જે.કૉ.હે., 5.13/9-1 11, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૬૫-૬૬. (2) સામયિકો અંજલિ, પ્રકા. બન્યુ મંડળ, કરાંચીઃ જૈ.જે.કૉ.હે., પૃ.૧૩/૧, જાન્યુ.૧૯૧૭, પૃ.. આત્માનંદ પ્રકાશ, પૃ.૧૪/૭ વીરાતુ 243 : જૈ.જે.કૉ.હે., પુ.૧૩/૩, માર્ચ 1917, પૃ.૭૬-૭૭. આનંદ (માસિક પત્ર), 5.9/10, પ્રકા. જૈન ધર્મ વિદ્યા પ્રસારકવર્ગ, પાલીતાણા : જૈ.જે.કૉ.હે., 5.87, જુલાઈ 1912, પૃ.૨૧૩-૧૪. ગુજરાત શાળાપત્ર, જાન્યુ.ફેબ્રુ.-માર્ચ 1912 : જે.જે.કૉ છે, પુ.૮s, જૂન 1912, પૃ.૧૮૮. જાતી પ્રબોધક (હિંદી માસિક પત્ર), સંપા. તથા પ્રકા. દયાચન્દ્ર ગોયલીય, જૈ.જે.કો.હે, પુ.૧૨/૮-૯-૧૦, ઑગસ્ટ-સપ્ટે.-ઑક્ટો.૧૯૧૬, પૃ.૩૫૬-૫૭. જૈન ધર્મ પ્રકાશ, પુ.૨૮/૧ઃ જૈ.જે.કોં. , .85, મે 1912, પૃ.૧૫
Page #251
--------------------------------------------------------------------------
________________ 238 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા 58. જૈન ધર્મ પ્રકાશ, ૫.૩ર/૧૦, પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર : જૈ.જે.કૉ.હે, પુ.૧૩/૧, જાન્યુ. 1917, પૃ.-૭. જૈન ધર્મ પ્રકાશ - મહા 1973 : જૈ.જે.કો.હે., પૃ.૧૩/૨, ફેબ્રુ. 1917, પૃ.૫૯-૬૧. જૈન પ્રભાત (હિંદી સચિત્ર માસિક) : જે.જે.કૉ.હે, પુ.૧૧/૧૧, નવે. 1915, પૃ.૫૮૧. જૈન યુવક - કાર્તિક 1982 (માસિક), માનદ તંત્રી અમીચંદ ગોવિંદજી શાહ અને હરિલાલ શિવલાલ શાહ, પ્રકા. સુરત જિલ્લા જૈન યુવક મંડળ, નવાપુરા, સુરત : જૈનયુગ, પુ.૧/૪, મહા 1982, પૃ.૨૨૭. જૈન રિવ્યુ (ઓક્ટો.-નવે. ૧૯૧નો સંયુક્ત અંક) જૈ.એ.કૉ. હે, પુ.૧૩/૩, માર્ચ 1917, પૃ.૭૮-૮૦. જૈન સાહિત્ય સંશોધક - સૈમાસિક પત્ર, ખંડ 3/1, પૃ.૧૬૦, સંપા. શ્રી જિનવિજય, આચાર્ય, પુરાતત્ત્વ મંદિર, અમદાવાદ, પ્રકા. જૈન સાહિત્ય સંશોધક કાર્યાલય, એલિસબ્રિજ, અમદાવાદ : જૈનયુગ, 5.29, વૈશાખ 1983, પૃ.૪૧૬. જૈન સાહિત્ય સંશોધક, ખંડ 3/4, સંપા. શ્રી જિનવિજય, પ્રકા. જૈન સાહિત્ય સંશોધક કાર્યાલય, એલિસબ્રિજ, અમદાવાદ H જૈનયુગ, પુ.૩/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૮૦. જૈન હિતૈષી - ચૈત્ર-વૈશાખ વીરાત 2439, 5.9/6-7, હિંદી ભાષીય દિગંબરીય માસિક પત્રના તંત્રી શ્રીયુત નથુરામ પ્રેમી : જૈ.જે.કો. હે., 5.9/12, ડિસે. 1913, પૃ.૫૬૯-૭૦. જૈન હિતૈષી, પુ.૧૧/૧-૨, કાર્તિક-માગશર વીરાત 2441, સંપા. નાથુરામ પ્રેમી : જૈ.જે.કો.હે., પૃ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૭૭-૭૮. દશા શ્રીમાળી હિતેચ્છુ, તંત્રી અને પ્રકા. મોહનલાલ નાગજી ચીનાઈ, પ્લીડર, ઘોરાજી : જૈ.જે.કૉ.હે, પુ.૧૩/૧, જાન્યુ. 1917, પૃ.. દિગંબર જૈને - ખાસ દિવાળી અંક : જૈ.જે.કૉ.હે, પુ.૧૧/૧૧, નવે. 1915, પૃ.૫૭૮.
Page #252
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ–વેબસૂચિ ર૩૯ નવજીવન (સચિત્ર હિંદી માસિક), તંત્રી પંડિત કેશવદેવ શાસ્ત્રી, એમ.ડી. . જૈ.જે.કૉ.હે., પૃ.૧૧/૧૧, નવે. 1915, પૃ.૫૮૨. પ્રસ્થાન - નાટક અંક, ફાગણ 1985, તંત્રીઓ શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક અને શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ, પ્રકા. પ્રસ્થાન કાર્યાલય, અમદાવાદ : જૈનયુગ, 5.4-7-8, મહા ફાગણ-ચૈત્ર 1985, પૃ.૨૩૫-૩૬. બુદ્ધિપ્રભા (ઓક્ટો.થી ડિસે. ૧૯૧નો સંયુક્ત અંક) : જે.જે.કૉ.હે, પુ.૧૩/૩, માર્ચ 1917, પૃ.૭૭-૭૮. મુનિ, માસિક પત્ર, તંત્રી વિશ્વભરદાસ ગાર્ગીય, દિ.જૈન, સ્થાનકવાસી જૈન તરફથી નવું પ્રકાશન : જૈશ્વેિકૉ.હે., પુ.૧૩/૧, જાન્યુ. 1917, પૃ.૫-. વસન્ત - રજત મહોત્સવ સ્મારક ગ્રંથ : જૈનયુગ, 5.39, વૈશાખ 1984, પૃ.૩૩૮. વિંદે જિનવર, પુ.પ/ર, મે 1913, દિગંબરીય માસિક : જૈ..કોં.., પુ.૯/૭, જુલાઈ 1913, પૃ.૨૩૧-૩૨. વાર્તાવારિધિ - 1917 જાન્યુઆરી તરંગ 1, સ્વામિત્વ ઉદયચંદ લાલચંદ : જૈશ્વેિ.કો.હે., પૃ.૧૩/૨, ફેબ્રુ.૧૯૧૭, પૃ.૬૧. અમદાવાદ : જૈનયુગ, 5.1/2, આસો 1981, પૃ.૭૭-૭૮. સત્ય (માસિક), તંત્રી રા.રા. મોતીલાલ ત્રિભુવનદાસ દલાલ, હાઈકૉર્ટ વકીલ, મુંબઈ : જૈ.જે.કૉ.હે., પૃ.૯/૧૦, ઑક્ટો.૧૯૧૩, પૃ.૫૦૨ 3. સુમન - દીપોત્સવી અંક સં.૧૯૮૧, હસ્તલિખિત માસિક, તંત્રી પ્રાગજી જ. ડોસા : જૈનયુગ, 5.1/4, મહા 1982, પૃ.૨૨૭. સાહિત્ય (માસિક) : જૈ.જે.કૉ.હે, .11/1, જાન્યુ. 1915, પૃ.૨૯. સુવર્ણમાલા, રામજયંતી અંક, વર્ષ 979, ચૈત્ર 1981, પ્રકા. શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી : જૈનયુગ, પુ.૧/૨, આસો 1981, પૃ.૭૭. (3) સંસ્થાઓના વાર્ષિકહેવાલો
Page #253
--------------------------------------------------------------------------
________________ 240 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા અજારા પાર્શ્વનાથજી પંચતીર્થી માહાસ્ય અને જીર્ણોદ્ધારનો દ્વિતીય રિપોર્ટ, યોજક વકીલ મોરારજી રઘુભાઈ, ઉના : જૈ..કૉ. હે, પુ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૮૧. અમદાવાદ શ્રાવિક ઉદ્યોગશાળાનો ૭મો વાર્ષિક રિપોર્ટ - સને 1911 : જૈ.જે.કોં. હે., પૂ.૮/૧૨, ડિસે.૧૯૧૨, પૃ.૪૬૮-૬૯. કચ્છી જૈન મહિલા સમાજનો પ્રથમ રિપોર્ટ, મુંબઈ, સં.૧૯૬૪-૬૭ : જૈ.એ. કૉ.હે., પૂ.૮/૧૨, ડિસે. 1912, પૃ.૪૭૦-૭૨. કચ્છી દશા ઓશ. જૈન બોર્ડિંગ સ્કૂલ (મુંબઈ) : જૈ.જે.કૉ.હે, પ.૮૫, મે 1912, પૃ.૧૫૬. કચ્છી દશા ઓશવાળ જૈન પાઠશાળા, મુંબઈ : જૈ.ચે.કૉ. હે., પૃ.૮/પ, મે. 1912, પૃ.૧પપ-પ૬. કચ્છી વિશા ઓસવાળ દહેરાવાસી પુરબાઈ જૈન કન્યાશાળા - વર્ષ રજું, સં.૧૯૪૭ પૂરુંઃ .જે.કૉ.હે., પૃ.૮૬, જૂન 1912, પૃ.૧૮૭-૮૮. (શ્રી) કચ્છી વિશા ઓસવાળ (દ.) જૈન પાઠશાળા - ૭મું વર્ષ સં.૧૯૬૭ : જૈ.જે.કૉ.હે., પૂ.૮/, જૂન 1912, પૃ.૧૮૬-૮૭. કચ્છી વીસા ઓસવાળ (દરાવાસી) જૈન પાઠશાળા, મુંબઈ, ૮મો વાર્ષિક રિપોર્ટ : જૈ.જે.કૉ.હે, પુ.૯/૭, જુલાઈ 1913, પૃ.૨૩૧. કાઠિયાવાડ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની અમરેલીની સમાજ એન્ડ જૈન બોર્ડિંગ સં.૧૯૬૯ઃ જૈ.ચે..હે., પુ.૧૧/૧, જાન્યુ. 1915, પૃ.૩૧ ૩ર. ગુજરાતી સાહિત્ય પરિષદ ભંડોળ કમિટી - અહેવાલ બીજો. પ્રકા. ન. લલ્લુભાઈ શામળદાસ તથા પ્રો. બલવંતરાય ક. ઠાકોર જૈ.જે.કહે, 5.11/11, નવે.૧૯૧૫, પૃ.૫૮૨. ગોધરાનું મહાજન અને કસાઈને ઢોર વેચવાનું ભોપાળું - રિપોર્ટ : જૈ.એ.કૉ.હે., .૯૧-ર, જાન્યુ. ફેબ્રુ.૧૯૧૩, 5.92. ગોધરાનું મહાજન અને કસાઈને ઢોર વેચવાનું ભોપાળું : જૈ.જે.કોં. હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૪. જીવદયા જ્ઞાનપ્રસારક ફંડનો છઠો વાર્ષિક રિપોર્ટ (જાન્યુ.થી ડિસે.૧૯૧૪) :
Page #254
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 241 જૈ.એ.કૉ.હે, પુ.૧૩-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ. 371. જૈન આત્માનંદ સભા - ભાવનગર, રિપોર્ટ સં.૧૯૬૯થી 1971 : જે.જે. - કૉ.એ., પુ.૧૨/૭, જુલાઈ 1916, પૃ.૨૨૦-૨૧. જૈન એસોસિએશન ઑફ ઇન્ડિયા - સં.૧૯૬૯નો રિપોર્ટ : જૈ .કૉ.હે., પુ.૧૦૪-૫, એપ્રિલ-મે 1914, પૃ. 120; પુ.૧૦૬, જૂન 1914, પૃ. 197. જૈન ઍસોસિએશન ઑફ ઇન્ડિયા - સં.૧૯૮૦નો વાર્ષિક અહેવાલ, પ્રકા. શેઠ મણિલાલ સૂરજમલ ઝવેરી તથા રા. મગનલાલ મૂલચંદ શાહ - સેક્રેટરીઓ H જૈનયુગ, પુ.૧/૨, આસો 1981, પૃ.૭૮. જૈન કેળવણીખાતાનો પ્રથમ રિપોર્ટ (કચ્છ) સં.૧૯૫૯-૬૭ : જૈ.એ.કૉ.હે., પુ.૮/૧૨, ડિસે. 1912, પૃ.૪૭૦-૭૨. જૈન કેળવણીખાતું (જૈન શ્રે. મંડળ નીચેનું) - સં.૧૯૬૬-૬૭ પાંચમો રિપોર્ટ : જૈ..ક.કે., .9/6, જૂન 1913, પૃ.૨૦૭-૦૮. જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગનો તૃતીય રિપોર્ટ– .1965-7H જૈ.જે.કૉ.હે., પુ.૮/૧૨, ડિસે. 1912, પૃ.૪૭૦-૭૨. જૈન વિદ્યાશાળા રિપોર્ટ - સં.૧૯૬૬ શ્રાવણથી ૧૯૪૭ના અષાડ સુધી : જૈ.ઍ.કૉ.હે., 5.87, જુલાઈ 1912, પૃ.૨૧૨-૧૩. જૈન વિધવાશ્રમનો પ્રથમ રિપોર્ટ (પાલિતાણા)-સં.૧૯૬૬-૬૭ઃ જૈ.હૈ.કૉ.હે, પુ.૮/૧૨, ડિસે. 1912, પૃ.૪૭૭૨. જૈન શ્રેયસ્કર મંડળ સં.૧૯૬૬-૬૭ - રિપોર્ટ : જે.જે.કૉ.હે, પુ.લક, જૂન 1913, પૃ.૨૦-૦૭. જૈન શ્વે. મૂ. બોર્ડિંગનો સન 1909 અને ૧૯૧૦નો રિપોર્ટ (અમદાવાદ) : જૈ.જે.કૉ.હે., 5.85, મે 1912, પૃ.૧૫૫. (શ્રી) જૈન શ્વેતામ્બર તીર્થ કમેટી હસ્તિનાપુરના વાર્ષિક રિપોર્ટ - વીરાત્ 2453 : જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૮૦. (શ્રી) જૈન સિદ્ધાંત ભવન (આરા ગામ) પ્રથમ વાર્ષિક રિપોર્ટ, પ્રકા. કરોડીચંદ, મંત્રી .ચે.કો.હે, 5.8/12, પૃ.૪૬૭-૬૮. વિ 16
Page #255
--------------------------------------------------------------------------
________________ 242 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા જૈન ટુડન્ટ્સ એસોસિએશનઃ જે.જે.કૉ. હે, પૃ.૧૪૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૯. (શ્રી) દક્ષિણ મહારાષ્ટ્ર જૈન શ્વેતામ્બર પ્રાંતિક પરિષદ - પાંચમા અધિવેશનનો ટૂંક અહેવાલ : જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ. 480. (શ્રી) ધર્મનાથજીનું દેરાસર - લાલપર - પ્રથમ રિપોર્ટ સં.૧૯૬૦-૧૯૬૬ : જે.જે.કો. 5.87, જુલાઈ 1912, પૃ.૨૧૩. નિરાધાર માણસોના ઢોરને આશ્રય આપનાર મંડળનો રિપોર્ટ (૩૧-૩-૧રથી 15-7-12 સુધીનો), વઢવાણ : જૈ.જે.કૉ.હે., પૂ.૯/૫, મે 1913, પૃ.૧૮૦. નૂતન જૈન પાઠશાળા, બોરસદ, વીરા, સં.૨૪૫૦-૫૧ અહેવાલ, પ્રકા. રાયચંદભાઈ અંબાલાલ શાહ : જૈનયુગ, 5.1/3, કારતક 1982, પૃ.૧૨૦. પહેલી ગુજરાત કેળવણી પરિષદનો અહેવાલ, પ્રકા. અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર, અમદાવાદ : જૈ.જે.કૉ.હે., પુ.૧૩/૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો. નવે.૧૯૧૭, પૃ.૩૬૩-૬૫.' પાચોરા જૈન પાઠશાળાનો દ્વિતીય ત્રિવાર્ષિક રિપોર્ટ સં.૧૯૪૫-૧૯૬૭ : જૈ.જે.કૉ.હે., 5.85, મે 1912, પૃ.૧૫૬-૫૭. પ્રાણીરક્ષક સંસ્થા - ધુળીઆ, પમા વર્ષનો અહેવાલ સન 191-1911, ઉત્પાદક શ્રી જૈન શ્રેયસાધક સમાજ : જૈ.જે.કો. હે, 5.8/12, ડિસે. 1912, પૃ.૪૬-૪૭. પ્રાણીલક સંસ્થા ધુળીઆ - રિપોર્ટ 1914-15 : જૈ.હૈ.કૉ.હે., પૂ.૧૨,૮ 9-10, ઑગસ્ટ-સપ્ટે.-ઑક્ટો.૧૯૧૬, પૃ.૩૬૦-૧, મહાવીર જયંતીનો રિપોર્ટ - મુંબઈ : જૈ.જે.કો.હે., પૂ.૧૧/૧૧, નવે. 1915, પૃ.૫૭૭. [માંડવીમાં બે વર્ષ ઉપર થયેલી મહાવીર જયંતીનો રિપોટ]. મહુવા ગૌરક્ષક સભાની પાંજરાપોળ - રિપોર્ટ વર્ષ સાતનો સં.૧૯૬૪થી 1970 : જૈ.એ.કૉ.હે., .127, જુલાઈ 1916, પૃ.૨૨૧.
Page #256
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ લેબસૂચિ 243 મહુવા જૈન મંડળ, સં.૧૯૭૨-૭૩ રિપોર્ટઃ જૈ.જે.કૉ.હે., પૃ.૧૪૪-૫-૭, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૧-પર. મુનિસંમેલન - રિપોર્ટ : જે..કૉ. હે, પુ.૯/પ, મે 1913, પૃ.૧૭૮. | [વડોદરામાં શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામજી)ના શિષ્ય-પ્રશિષ્યાદિ મુનિમંડલનું સંમેલન મુંબાઈ માંગરોળ જૈન સભા રિપોર્ટ ને હિસાબ સં.૧૯૬૯ : જૈ.જે.કૉ.હે., (પુ.૧૧/૧, જાન્યુ. 1915, પૃ.૩૦. મોહનલાલજી જૈન પાઠશાળા તથા લાયબ્રેરી, અમદાવાદ રિપોર્ટ– (સં. 1971 ના આસો સુદ ૪થી સંવત ૧૯૭રના આસો સુદ 3 સુધીનો) H જૈ.એ. કૉ.એ., .13/9-10-11, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૯. (શ્રીમન્સુનિશ્રી) મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાયબ્રેરી તથા સંસ્કૃત પાઠશાળા બીજો વાર્ષિક રિપોર્ટ સને 1911-12 H જે..કો.હે, પુ. 1-2, જાન્યુ-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૧-૯૨. (શ્રી) યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા - મહેસાણા સં.૧૯૬૫-૬-૭ રિપોર્ટ : જૈ.જે.કૉ.હે., પૂ.૯/૭, જુલાઈ 1913, પૃ.૨૩૪-૩૫. રત્નચિંતામણિ સ્થા. જૈન મિત્રમંડળ - ૭મો વાર્ષિક રિપોર્ટ સં.૧૯૦૭ : જૈ.એ.કૉ.હે, પુ.પ, મે 1913, પૃ.૧૭૮-૭૯. રાધનપુર જૈન મંડળ - સં. 19768 વાર્ષિક રિપોર્ટ : જે.જે.કૉ.હે., ૫.૯/૧-ર, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૯૧. રાધનપુર જૈન યુવકોદય મંડળનો ત્રિવાર્ષિક અહેવાલ સં.૧૯૭૮થી 1980: જૈનયુગ,પુ.૧/૩, કારતક 1982, પૃ.૧૨૦. (શેઠ) રૂપશી ભારમલ શ્રાવિકાશાળા (મુંબઈ) સં.૧૯૭૪-૭ઃ જે.એ.કૉ.હે, 5.8/12, ડિસે.૧૯૧૨, પૃ.૪૭૦૭૨. લાલપર દેરાસરજીનો રિપોર્ટ - ભાગ રજો. સં.૧૯૪૭થી 1978 સુધીનો : નયુગ, પુ.૧/૪, મહા ૧૯૮૨,પૃ.૨૨-૨૭. વડોદરાના જીવદયા ખાતાનો વાર્ષિક રિપોર્ટ સં.૧૭૨ H જૈ.એ.કૉ. હે, પુ.૧૨/૮-૯-૧૦, ઑગસ્ટ-સપ્ટે.-ઑો.૧૯૧૬, પૃ.૩૦. વાંકાનેર વિદ્યોત્તેજક ચોથો વાર્ષિક સને 1913 : જે.જે.કોં. , .11/1,
Page #257
--------------------------------------------------------------------------
________________ '244. વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા જાન્યુ. 1915, પૃ.૩૧. હુબલી પાંજરાપોળ ૬-૭-૮મા વાર્ષિક રિપોર્ટ (તા. 1 જાન્યુઆરી ૧૯૦૯થી ૩૧મી ડિસેમ્બર 1911 સુધીનો) : જૈ.જે.કો.હે., પુ.૧૦/૬, જૂન 1914, પૃ.૧૯૮. હુબલી પાંજરાપોળ ૧૧-૧૨મો વાર્ષિક રિપોર્ટ 1914-15 : જૈ.એ.કૉ. હે, પુ.૧૨,૮-૯-૧૦, ઑગસ્ટ-સપ્ટે.-ઑક્ટો.૧૯૧૬, પૃ.૩૬૦. 2. પરિશિષ્ટ : માત્ર સ્વીકાર (1) પુસ્તકો અદ્વૈત મુક્તાવલિ : જૈ.જે.કો. હે, પુ.૯/૧૦, ઑક્ટો.૧૯૧૩, પૃ.૫૦૩. આત્મશક્તિનો ઉદય, મુનિશ્રી ચારિત્રવિજયજી, પ્રકા. મેઘજી હીરજી : જૈ.એ. કૉ.હે., પૃ.૯/૧૨, ડિસે.૧૯૧૩, પૃ.૫૭૫. આનંદ કાવ્ય મહૌદધિ મૌક્તિક-૧, સંશો. ઝવણચંદ સાકરચંદ ઝવેરી : પ્રકા. શ્રી દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ, જૈશ્વેિ.કાં..પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૭. આનંદદાન પદ્ય રત્નાવલી અને જૈન દૃષ્ટિએ યોગ, શ્રીયુત મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ : જૈ.ચૅ.કૉ.હે, પુ.૧૧/૧૨, ડિસે. 1915, પૃ.૫૯૧. ઉપદેશ રત્નમાલા જૈ.એ.કૉ. હે., પૃ.૯/૧૦, ઓક્ટો.૧૯૧૩, પૃ.૫૦૩. ઉપમિતિ ભવપ્રપંચ કથા - પ્રથમ પ્રસ્તાવ ઓર દ્વિતીય પ્રસ્તાવ, અનુ. નાથુરામ પ્રેમી : જૈ.જે.કૉ. હે., પુ.૧૧/૧૨, ડિસે. 1915, પૃ.૫૯૧, ઋષિદના : જૈશ્વેિ.કોં.., પૃ.૯/૧૦, ઑક્ટો.૧૯૧૩, પૃ.૫૦૩. ઋષિદના અથવા વશીકરણમંત્ર, વાડીલાલ મોતીલાલ શાહ, પ્રકા. મેઘજી હીરજી : જૈ.જે.કૉ. હે, .9/12, ડિસે. 1913, પૃ.૫૭૫. કર્તવ્યકૌમુદી, મુનિશ્રી રત્નચંદ્રજી, વિવેચનકાર રા. ચુનીલાલ વર્ધમાન શાહ : જૈ.એ.કૉ.હે, 5.11/1, જાન્યુ. 1915, પૃ.૩૨. કર્મ ફિલોસોફી (અંગ્રેજી), સ્વ. વીરચંદ આર. ગાંધી, સંપા. ભગુ એફ. કારભારી, પ્રકા. દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ : જૈ જે.કો.હે, 5.9/12, ડિસે. 1913, પૃ.૫૭૫. (ધ) કર્મ ફિલોસોફી, વીરચંદ ગાંઘી, પ્રકા. દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર
Page #258
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ–લેખસૂચિ 245 ફંડ : જૈનયુગ, પુ. 1/1, ભાદરવો 1981, પૃ.૩૯. કલિયુગકી કુલદેવી : જૈ.જે.કૉ. હે, પુ.૯/૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. કાલસતતિકા : જૈ.એ.કૉ.હે, પૃ.૯/૧-૨, જાન્યુફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. () કી ઑફ નૉલેજ એન્ડ નયકર્ણિકા (અંગ્રેજી), પ્રકા. સેન્ટ્રલ જૈન પબ્લિશિંગ હાઉસ : જૈ.જે.કૉ.હે., .11/12, ડિસે. 1915, પૃ.૫૯૧. કૃષ્ણચરિત્ર, અનુ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી જૈશ્વેિ.કાં..પુ.૧૧/૧૨, ડિસે.૧૯૧૫, પૃ.૫૯૧. ક્ષુલ્લક ભવાવલિ : જૈ.એ.કૉ.હે, 5.1-2, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. ચતુર્દશ નિયમાવલિ : જૈ.જે.કૉ.હે., પૂ.૯/૧૦, ઑક્ટો.૧૯૧૩, પૃ.૫૦૩. (શ્રી) છન્દોડનુશાસન H જૈ.જે.કૉ.હે, પુ.૧૧/૧૨, ડિસે. 1915, પૃ.૫૯૧. જયાનંદસૂરિરચિત સ્થૂલભદ્રસ્વામિચરિત્ર, પ્રકા. શ્રી દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ : જૈ.જે.કૉ.હે, પુ.૧૧/૧૨, ડિસે.૧૯૧૫, પૃ.૫૮૧. જિનવાણી માતાનો પુકાર : જૈ.જે.કો.હે, પુ.૯/૧૦, ઑક્ટો. 1913, પૃ. 503. જૈન ઐતિહાસિક રાસમાળા ભા-૧, મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, મુંબઈ : જૈ.જે.કો.હે, પુ.૧૧/૧, જાન્યુ. 1915, પૃ.૩૨. જૈન ગેઝેટ વ.૧-૫ (અંગ્રેજી) H જૈ.વ્ય.કૉ.હે., .9/10, ઑક્ટો.૧૯૧૩, પૃ.૫૦૩. જૈન ગેઝેટ વૉ. 6-10 (અંગ્રેજી). જૈ.હૈ.કૉ.હે, 5.9/12, ડિસે. 1913, પૃ.૫૭૫. જૈન ગેઝેટ વૉ. 11-12 (અંગ્રેજી) જૈ..કૉ.હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૭. જૈન દર્શનનાં મૂળ તત્ત્વો, હીરાચંદ લીલાઘર ઝવેરી, પ્રકા. મેઘજી હીરજી : જૈ.એ.કૉ.એ., પુ. 12, ડિસે.૧૯૧૩, પૃ.૫૭૫. (ઘ) જૈન ફિલોસોફી (અંગ્રેજી), વિરચંદ ગાંધી, પ્રકા. શ્રી દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ: જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૩૯. જૈન સંગીતમાળા: જૈ.યૂ.કૉ.હે., 5.91-2, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨.
Page #259
--------------------------------------------------------------------------
________________ 246 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા જૈન સિદ્ધાંત ભાસ્કર કિરણ 1-2-3 જૈ.જે.કૉ. હે., પૃ.૧૧/૧ જાન્યુ. 1915, પૃ.૩૨. ઐવિદ્યગોષ્ઠી, લાલબાગ - જૈનસંઘ H જે.જે.કૉ.હે., પૃ.૧૧/૧૨, ડિસે.૧૯૧૫, પૃ.૫૯૧. દેવસરાઈ પ્રતિક્રમણ સૂત્રઃ જે.જે.કહે. 5.91-2, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. દેહસ્થિતિસ્તવ : જૈ.એ.કૉ. હે, 5.91-2, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. દ્વાદશ વ્રતપૂજા : જૈ.એ.ક. હે, 5.91-2, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. ધમિલ કુમાર ચરિત્ર ભાગ ૧લો : જૈ..કૉ.હે, 5.9/10, ઑક્ટો. 1913, પૃ.૫૦૩. નીતિદર્પણમાં નીતિવાક્ય ભાગ ૧લો જૈ.વ્ય.કૉ.હે., પૂ.૯/૧-૨, જાન્યુ.-ફેબ્રુ. 1913, પૃ.૯૨. નીતિસૂત્રમાળા : જૈ.જે.કોં. હે, ૫.૯/૧-ર, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. પરમાત્માને પગલે જૈ.જે.કો.હે., પૃ.૯/૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. પરિશિષ્ટ પર્વ અને સ્થૂલિભદ્રચરિત્ર, પ્રકા. શેઠ કુંવરજી આણંદજી : જૈ છે. કહે, 5.9/12, ડિસે. 1913, પૃ.૫૭૫. પંચપ્રતિક્રમણ સૂત્રાણિ, પ્રકા. દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ, મુંબઈ : જૈ.જે.કૉ.હે., પૂ.૧૧/૧, જાન્યુ. 1915, પૃ.૩૨. (અ) પીપ બિહાઈન્ડ ધ વેઈલ ઑફ કર્મ (અંગ્રેજી), મિ.સી.આર જૈન, બાર-એટ-લૉ. : જૈ જે.કૉ.હે., પુ.૧૧/૧, જાન્યુ. 1915, પૃ.૩૨. પ્રાકૃત માર્ગોપદેશિકા : જૈ.જે.કો.હે, પુ.૯/૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. પ્રાણીપોકાર : જૈ.જે.કૉ., 5.91-2, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. બાલિકાવિનય : જૈશ્વેિ.કો.હે., પૃ.૯/૧૦, ઓક્ટો.૧૯૧૩, પૃ.૫૦૩. ભયંકર ભૂત, પ્રકા. અચરતલાલ જગજીવન, ભાવનગર : જૈશ્વિક હે., પુ.૧૧/૧૨, ડિસે. 1915, પૃ.૫૯૧. ભરત-બાહુબલિ ચરિત્ર, પ્રકા. અચરતલાલ જગજીવન, ભાવનગર : જૈ.જે. કૉ. હે, પુ.૧૧/૧૨, ડિસે. 1915, પૃ.૫૯૧.
Page #260
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 247 ભાવપ્રકરણ : જૈ.એ.કૉ.હે., ૫.૯/૧-ર, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. મનુષ્યને યોગ્ય કુદરતી ખોરાકઃ .જે.કોં., .9/10, ઑક્ટો.૧૯૧૩, પૃ.૫૦૩. મનુષ્યાહાર : જૈ જે.કો.હે., પૂ.૯૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. માંડવગઢનો મંત્રી પેથકુમાર : જૈ જે.કૉ.હે., પૂ.૧૧/૧, જાન્યુ. 1915, પૃ.૩૨. મુનિસંમેલન : જૈ.જે.કૉ.હે, પુ.૯/૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. હારી યાત્રા : જૈ.જે.કૉ. હે, પુ.૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. (1) યોગ ફિલોસોફી (અંગ્રેજી), વીરચંદ ગાંધી, પ્રકા. શ્રી દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ : જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૩૯. યોગ ફિલોસોફી એન્ડ કમ ફિલોસોફી (અંગ્રેજી), સ્વ. વીરચંદ ગાંધી : જૈ.એ.કૉ.હે, 5.11/1, જાન્યુ. 1915, પૃ.૩૨. યોનિસ્તવ : જે.જે.કોં. હે, પુ.૯/૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. રાજકુમારી સુદર્શનાઃ જૈ.જે.કો.હે., પૃ.૯૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. લધીયઐયાદિસંગ્રહ, માણિકચંદ દિગંબર - જૈન ગ્રંથમાલા : જૈ.જે.કૉ.હે., પુ.૧૧/૧૨, ડિસે. 1915, પૃ.૫૯૧. લધ્વલ્પબદુત્વ : જૈ..કૉ.હે., પૃ.૯૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. લાલન-જૈન-આત્મવાટિકા નં.૧, પ્રકા. શા. હીરજી કાનજી મણશી : જૈશે. કૉ.હે., પૃ.૧૧/૧૨, ડિસે. 1915, પૃ.૫૯૧. લોકનાલદ્ધાત્રિશિકા : જૈ.એ.કૉ.હે., પૂ.૯૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. વનિતા વ્યાખ્યાનમાળા, રત્નસિંહનેણશી, પ્રકા. મેઘજી હીરજી જૈશ્વેિ.કાં.., પુ.૯/૧૨, ડિસે. 1913, પૃ.૫૭૫. વિજયપ્રશસ્તિસાર : જૈ.ભૈ.કૉ.હે., 5.91-2, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. વીતરાગસ્તોત્રમ્ H જૈ.હૈ.કૉ.હે, પુ. 91-2, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. વૈરાગ્ય તરંગ ભક્તિમાળા : જૈ.હૈ.કૉ.હે., પૃ.૯/૧-ર, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. વૈરાગ્યશતક : જે.હૈ.કૉ.હે., પૃ.૯૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. સત્સંગતિ : જૈ.જે.કૉ.હે., પૂ.૯/૧૦, ઑક્ટો.૧૯૧૩, પૃ.૫૦૩.
Page #261
--------------------------------------------------------------------------
________________ 248 વિરલ વિશ્વભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા સમકિત કૌમુદી રાસ, આઠકોટી સંપ્રદાય મુનિ સૂર્યમલ્લ પ્રકા. મેઘજી હીરજી : જૈ.જે કૉ.હે., 5.11/1, જાન્યુ. 1915, પૃ.૩૨. સમાધિવિચાર : જૈ.એ.કો.હે., .910, ઑક્ટો. 1913, પૃ.૫૦૩. સાગારધર્મામૃત, માણિકચંદ દિગંબર જૈન ગ્રંથમાલા : જૈ.જે.કૉ.હે, પુ.૧૧/ 12, ડિસે. 1915, પૃ.૫૯૧. સામાયિક સ્વરૂપ : જૈ.જે.કો.હે, 5.9/10, ઑક્ટો. 1913, પૃ.૫૦૩. સાર્વધર્મ H જૈ.જે.કો.હે., પૃ.૯/૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. સિદ્ધદંડિકાસ્તવ : જૈશ્વેિ કૉ.હે., પૂ.૯૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. સુદર્શન શેઠ, પ્રકા. અચરતલાલ જગજીવન - ભાવનગર : જૈ.જે.કો.હે, પુ.૧૧/૧૨, ડિસે. 1915, પૃ.૫૯૧. સુબોધ સંગીતમાળા ભા.૩ : જૈ.જે.કૉ.હે, પુ./૧૦, ઑક્ટો. 1913, પૃ.૫૦૩. સુભદ્રા, દુર્લભજી ત્રિભુવનદાસ ઝવેરી, પ્રકા. મેઘજી હીરજી : જૈ..કૉ.હે., 5.9/12, ડિસે.૧૯૧૩, પૃ.૫૭૫. સુમનસંચય સ્તબક-૧, સંગ્રા. વિજ્ઞાન ભિક્ષુક દોશી સાકરચંદ મોતીચંદ કસ્ટમ મુખ્ય 6. અંજાર : જૈશ્ય.કૉ.હે, પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૭. સૂક્તરત્નાવલી, પ્રકા. જૈન આત્માનંદ સભા, ભાવનગર : જૈશે.કૉ.હે, પુ.૧૧/૧, જાન્યુ. 1915, પૃ.૩૨. સૌભાગ્ય શિક્ષાબ્ધિ, નટવરલાલ કનૈયાલાલ વૈષ્ણવઃ જૈ.જે.કૉ.હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૭. સ્ત્રીઓનું ખાનગી વાચન, નટવરલાલ કનૈયાલાલ વૈષ્ણવ : જૈ.જે.કૉ. હે, - પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૭. સ્ત્રીસુબોધમાળા : જૈ.જે.કૉ.હે., પૃ.૯/૧-ર, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. સ્વાધ્યાયમાળા : જૈ.એ.કૉ. હે, પુ.૯૧-૨, જાન્યુ.-ફેબ્રુ. 1913, પૃ.૯૨. સ્વામી રામતીર્થ - એમના સદુપદેશ ભાગ 8-9, પ્રકા. સસ્તું સાહિત્ય-વર્ધક કાર્યાલય : જૈશ્ય.કૉ.હે, પુ.૧૧/૧૨, ડિસે. 1915, પૃ.૫૯૧. હિંમતકાવ્ય : જૈ.છે.કૉ.હે, પુ.૯૧-૨, જાન્યુ.-ફેબ્રુ. 1913, પૃ.૯૨. (2) સામયિકો
Page #262
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ . 249 આત્માનંદ પ્રકાશ, પુ.૧૦/૧૨ : જૈ.એ.કૉ. હે, પુ.૯/૧૦, ઑક્ટો.૧૯૧૩, પૃ.૫૦૩. આત્માનંદ પ્રકાશ, પુ.૧૧/૩-૪ : જે.જે.કૉ.હે, પુ.૯/૧૨, ડિસે.૧૯૧૩, પૃ.૫૭૫. આત્માનંદ પ્રકાશ, પુ.૧૧/૫-૭ : જે..કો.હે., પૃ.૧૦૩, માર્ચ 1914, પૃ.૮૭. આનંદ, પુ.૧૦૯ : જૈ.જે.કૉ.હે, 5.9/10, ઓક્ટો. 1913, પૃ.૫૦૩. આનંદ, પુ.૧૦-૧૨ અને પુ.૧૧/૧ : જૈ.એ.કૉ.હે, પુ.૯/૧૨, ડિસે. 1913, પૃ.૫૭૫. આનંદ, પુ.૧૧/૨-૪ઃ જૈ.જે.કૉ.હે, પુ.૧૦૩, માર્ચ 1914, પૃ.૮૭. આર્યપ્રકાશ : જૈ જે.કૉ.હે., પૃ.૯/૧૦, ઑક્ટો. 1913, પૃ.૫૦૩. આર્યપ્રકાશ મહર્ષિ અંક સં.૧૯૬૯, તંત્રી શ્રીયુત પરઘુભાઈ મરઘુભાઈ વ. શર્મા : જૈ.જે.કૉ.હે., .9/12, ડિસે. 1913, પૃ.૫૭૫. કેળવણી, 5.25/12; 5.26/1 : જૈ..કૉ.., .9/10, ઑક્ટો.૧૯૧૩, પૃ.૫૦૩. કેળવણી, પુ.૨૬/૨-૪ : જૈ..કૉ.હેડ, પુ.૯/૧૨, ડિસે.૧૯૧૩, પૃ.૫૭૫. કેળવણી, 5.26/5-: જૈ.જે.કૉ.હે., પૃ.૧૦૩, માર્ચ 1914, પૃ.૮૭. ગુજરાત શાળાપત્ર, પુ.પ૨/૬-૮ : જૈ.જે.કૉ.હે, પુ.૯/૧૦, ઑક્ટો.૧૯૧૩, પૃ.૫૦૩. ગુજરાત શાળાપત્ર, પુ.પ૨/૯-૧૦ઃ જે.જે.કૉ.હે., .9/12, ડિસે.૧૯૧૩, પૃ.૫૭૫. ગુજરાત શાળાપત્ર, પુ.પ૩/૧-૨ H જે.જે.કૉ. હે, પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૭. જૈન ધર્મ પ્રકાશ, પૃ.૨૯૪-૫ H જે.જે.કૉ.હે., 5.910, ઑક્ટો.૧૯૧૩, પૃ.૫૦૩. જૈન ધર્મ પ્રકાશ, પુ.ર૯-૮ : જે.વ્ય.કૉ. હે, પુ.૯/૧૨, ડિસે.૧૯૧૩, પૃ.૫૭૫. જૈન ધર્મ પ્રકાશ, પુ.ર૯-૯-૧૧ : જે.એ.કૉ.હે, પુ.૧૦/૩, માર્ચ 1914,
Page #263
--------------------------------------------------------------------------
________________ 250 વિરલ વિદ્રપ્રતિભા અને મનુષ્ય પ્રતિભા પૃ.૮૭. જૈન હિતેચ્છુ : જૈશ્વેિ.કૉ.હે, પુ.૯/૧-, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. જૈન હિતેચ્છુ, પુ.૧૫/૭-૧૦ : જૈ.જે.કૉ.હે., પૂ.૯/૧૦, ઑક્ટો. 1913, | પૃ.૫૦૩. જૈન હિતેચ્છુ, પુ.૧૫/૧૧: જૈ.જે.કૉ.હે, 5.9/12, ડિસે. 1913, પૃ.૫૭૫. જૈન હિતેચ્છુ, પુ.૧૫/૧૨; 5.16/1-2 : જૈશ્વિ.કૉ.હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૭. જૈન હિતૈષી, પુ.૯૮-૯ : જે.જે.કૉ. હે, પુ.૯/૧૦, ઑક્ટો.૧૯૧૩, પૃ. 503. જૈન હિતૈષી, પુ.૯/૧૦-૧૧ : જે.જે.કૉ.હે., પૂ.૯/૧૨, ડિસે.૧૯૧૩, | પૃ.૫૭૫. જૈન હિતૈષી, 5.9/12; 5.10/1 : જૈશ્વેિ.કૉ.હે, પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૭. જ્ઞાનસુધા, પુ.ર૭/૬-૭ઃ જૈ જે.કૉ. હે, પુ.૧૦, ઑક્ટો. 1913, પૃ.૫૦૩. જ્ઞાનસુધા, 5.27-12 : જૈ.જે.કૉ.એ., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૭. દિગંબર જૈન, પુ. 69-11 : જૈ.જે.કૉ.હે., પૂ.૯/૧૦, ઑક્ટો. 1913, પૃ.૫૦૩. દિગંબર જૈન, 5.6/12; 5.7/1 : જૈ.જે.કૉ.હે., .9/12, ડિસે. 1913, પૃ.૫૭૫. દિગંબર જૈન, ૫.૭/ર-૫ : જૈ.એ.કૉ.હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૭. દિગંબર જૈન (દિવાળી અંક) : જૈ.જે.કૉ.હે, પુ.૧૧/૧, જાન્યુ. 1915, પૃ.૩૨. પટેલબંધુ, પુ.૬/૧-૨ : જૈ.જે.કૉ.હે., પૃ.૧૦૩, માર્ચ 1914, પૃ.૮૭. પટેલ બંધુ (દિવાળી અંક) : જૈ.જે.કૉ.હે. પુ.૧૧/૧, જાન્યુ. 1915, પૃ.૩૨. પુષ્ટિ ભક્તિ સુધા, 5.43-4 : જૈ.જે.કો.હે, 5.9/10, ઑક્ટો. 1913, પૃ.૫૦૩. પુષ્ટિભક્તિ સુધા, પુ.૪/૫-૬: જૈ.જે.કોં. હે, 5.9/12, ડિસે.૧૯૧૩, પૃ. 575.
Page #264
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 251 પુષ્ટિ ભક્તિ સુધા, 5.4/7 : જે.જે.કૉ.હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૭. પ્રજાબંધુ : જૈ.જે.કૉ.હે., .9/10, ઑક્ટો. 1913, પૃ.૫૦૩. બુદ્ધિપ્રકાશ, 5./7-8 : જૈ જે.કૉ.હે., 5.9/10, ઑક્ટો. 1913, પૃ. 503. બુદ્ધિપ્રકાશ, 5.609-10 : જૈ.જે.કૉ.હે., પૂ.૯/૧૨, ડિસે. 1913, પૃ. પ૭પ. બુદ્ધિપ્રકાશ, પુ.૦૧/૧-૨ : જૈ.જે.કૉ.હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૭. બુદ્ધિપ્રભા, ૫.૫/૩-પઃ જૈ.જે.કૉ.હે., .9/10, ઑક્ટો. 1913, પૃ.૫૦૩. બુદ્ધિપ્રભા, પુ.પ/-૭ : જૈ.જે.કૉ.હે., પૂ.૯/૧૨, ડિસે.૧૯૧૩, પૃ.૫૭૫. ભાઈબંધ નવરંગ (ખાસ અંક) : જૈ.ઍ.કૉ.હે., પુ.૧૧/૧, જાન્યુ. 1915, પૃ.૩૨. ભાર્ગવ (દિવાળી અંક) : જૈ.જે.કૉ.હે., પૃ.૧૧/૧, જાન્યુ. 1915, પૃ.૩૨. મર્યાદા, 5.7/2-3 : જૈ.હૈ.કૉ.હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૭. મહાજ્યોતિ, પુ. 2/3 : જૈ.જે.કૉ.હે., પૃ.૧૦૩, માર્ચ 1914, પૃ.૮૭. . માસિક મનોરંજન, મરાઠી માસિક, તંત્રી કાશીનાથ રઘુનાથ મિત્ર : જૈ.જે. કૉ.હે., પુ.૧૧/૧, જાન્યુ. 1915, પૃ.૩૨. લાઈબ્રેરી મીસેલની, પુ.૨૨ : .જે.કૉ.એ., .103, માર્ચ 1914, પૃ.૮૭. વન્દ જિનવરમુ, પુ.૫/૪-૬ : જૈ.જે.કૉ.હે., પૃ.૯/૧૦, ઑક્ટો. 1913, પૃ.૫૦૩. વજે જિનવરમુ, પુ.૫૭ : જૈ.જે.કૉ.હે., પૃ.૯/૧૨, ડિસે. 1913, પૃ.૫૭૫. વન્દ જિનવર, 5.5/8 : જૈ.જે.કૉ.હે., .10/3, માર્ચ 1914, પૃ.૮૭. વસંત, પુ.૧૨/પ-s: જૈ.જે.કૉ.હે., .9/10, ઑક્ટો. 1913, પૃ.૫૦૩. વસંત, પુ.૧૨/૭-૮ : જૈ હૈ.કૉ.હે., 5.9/12, ડિસે. 1913, પૃ.૫૭૫. વસંત, પુ.૧૨/૯-૧૧ : જૈ..કો.હે, પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૭. વાર્તાવારિધિ, 5.5/2-3 જૈ.જે.કૉ.હે., 5.9/10, ઑક્ટો. 1913, પૃ.૫૦૩. વાર્તાવારિધિ, પુપ/૪-૫: જૈ..કૉ.હે., પૃ.૯/૧૨, ડિસે. 1913, પૃ.૫૭૫.
Page #265
--------------------------------------------------------------------------
________________ ૨૫ર વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા વાર્તાવારિધિ, પુ.પ-૧૦ઃ જૈશ્વેિ.કાં..પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૭. વિવેચક, પુ.૧/૭-૯ : જૈ.જે.કૉ.હે., પૃ.૯/૧૦, ઓક્ટો. 1913, પૃ.૫૦૩. વિવેચક, 5.2/1-2 : જૈ.જે.કો.હે, પુ.૧૦૩, માર્ચ 1914, પૃ.૮૭. વૈશ્ય પત્રિકા, પુ. 11-12 : જે.જે.કે.હે., પૃ.૯/૧૦, ઓક્ટો. 1913, પૃ.૫૦૩. વૈશ્ય પત્રિકા, પુ.૧૦/૧-૨ઃ જૈ.જે.કૉ.હે., પૃ.૯/૧૨, ડિસે.૧૯૧૩, પૃ.૫૭૫. વૈશ્ય પત્રિકા, પુ.૧૦૩-s: જૈશ્વિ.કૉ.હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૭. શ્રી ભક્ત, પુ. 10/1 : જૈ.જે.કૉ.હે., પૃ.૯/૧૦, ઑક્ટો.૧૯૧૩, પૃ.૫૦૩. શ્રી ભક્ત, પુ.૧૦/૨-૩ : જૈ.જે.કૉ.હે, 5.9/12, ડિસે.૧૯૧૩, પૃ.૫૭૫. શ્રી જે.સ્થા.જૈન કૉન્ફરન્સ પ્રકાશ, પુ.૧/૫-૯ : જૈ.જે.કૉ.હે., પૂ.૯/૧૦, ઑક્ટો.૧૯૧૩, પૃ.૫૦૩. સત્ય, 5.3/1-3 : જૈ.જે.કૉ.હે., પૂ.૯/૧૦, ઑક્ટો.૧૯૧૩, પૃ.૫૦૩. સત્ય, 5.34-6 : જૈ.જે.કૉ.હે, 5.912, ડિસે. 1913, પૃ.૫૭૫. સત્ય, 5.3/7-8 : જૈ.જે.કૉ.હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૭. સમાલોચક, પુ.૧૮/૧-૨ : જૈ.એ.કૉ.હે., 5.9/10, ઑક્ટો. 1913, પૃ. 503. સાહિત્ય, 5.1/7-9 : જૈ.જે.કહે, 5.9/10, ઑક્ટો.૧૯૧૩, પૃ.૫૦૩. સાહિત્ય, પુ.૧/૧૦-૧૧ : જૈ.જે.કૉ.હે, 5.9/12, ડિસે. 1913, પૃ.૫૭૫. સાહિત્ય, 5.2/1-2 : જૈ.જે.કૉ.હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૭. સુદર્શન, 5.281-4: જૈ.યૂ.કૉ.હે., પૂ.૯/૧૦, ઑક્ટો.૧૯૧૩, પૃ.૫૦૫. સુદર્શન, પુ.૨૮૯ : જૈ.એ.કૉ.હે, પુ.૧૦૩, માર્ચ 1914, પૃ.૮૭. સુંદરી સુબોધ, પુ.૧૦/૧૩[2]-૧૨ઃ જૈ.જે.કૉ.હે, પુ.૯/૧૦, ઓક્ટો.૧૯૧૩, પૃ.૫૦૩. સુંદરી સુબોધ, પુ.૧૧/૧-૨ઃ જૈ.જે.કૉ.હે., પૃ.૯/૧૨, ડિસે. 1913, પૃ.૫૭૫. સુંદરી સુબોધ, પુ.૧૧/૩-૪: જૈ.ચે.કો.હે, પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૭. (3) સંસ્થાઓના વાર્ષિક હેવાલો ચિંતામણિ સ્થા. જૈન મિત્ર મંડળનો ૭મો રિપોર્ટ : જૈશ્વિકૉ,ઈ, પુ.૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨.
Page #266
--------------------------------------------------------------------------
________________ ગ્રંથસૂચિ–લેખસૂચિ 253 જૈન એસોસિએશન ઑફ ઈન્ડિયાના નિયમો (અંગ્રેજી તથા ગુજરાતી) અને તેનો રિપોર્ટ : જૈ.જે.કોં. 9, પૃ.૯/૧૦, ઑક્ટો.૧૯૧૩, પૃ.૫૦૩. જૈન એસોસિએશન ઑફ ઇન્ડિયાનો સં.૧૯૦૯નો રિપોર્ટ : જે.જે.કૉ.એ., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૭. જૈન શ્રેયસ્કર મંડળ - રિપોર્ટ : જૈ.એ.કૉ. હે, પુ.૯/૧-ર, જાન્યુ.ફેબ્રુ. 1913, પૃ.૯૨. જૈન શ્રેયસ્કર મંડળનું કેળવણીખાતું - રિપોર્ટ : જૈ.એ.કૉ.હે, પુ. 1-2, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. નિરાધાર માણસોના ઢોરને આશ્રય આપનાર મંડળ - રિપોર્ટ જૈશ્વેિ.કૉ.હે, 5.9/1-2, જાન્યુ ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણા - રિપોર્ટ : જૈ શ્રે.કૉ.હે., * પુ.૯/૧-૨, જાન્યુ. ફેબ્રુ.૧૯૧૩, પૃ.૯૨. રાધનપુર જૈન મંડળ તથા શ્રી મોહનલાલજી લાયબ્રેરીનો રિપોર્ટ સને 1912 : જૈ.એ.ક. હે, 5.9/10, ઑક્ટો.૧૯૧૩, પૃ.૫૦૩. રુલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઑફ ધ શ્રી જૈન સિદ્ધાર્થ ભવન (અંગ્રેજી) : જૈ.એ.કૉ.હે., પૃ.૧૧/૧, જાન્યુ.૧૯૧૫, પૃ.૩૨. વાંકાનેર પાંજરાપોળ - સં.૧૯૦૭ અને 68 અને હિસાબ H જૈ.એ.કૉ.હે, પુ.૧૧/૧, જાન્યુ. 1915, પૃ.૩૧. સ્યાદ્વાદ મહાવિદ્યાલય (કાશી)નો ૭થી 9 વર્ષનો રિપોર્ટઃ જૈ.જે.કૉ.હે., 5.9/10, ઑક્ટો.૧૯૧૩, પૃ.૫૦૩.
Page #267
--------------------------------------------------------------------------
________________ વિષયસૂચિ [આ વિષયસૂચિ તૈયાર કરવામાં ગ્રંથસૂચિ તથા લેખસૂચિના (ક) વિભાગનો સમાવેશ કર્યો છે. જે તે વિષયની સામે ગ્રંથસૂચિ-લેખસૂચિના ક્રમાંક દર્શાવ્યા છે. એમાંથી ગ્રંથસૂચિના ક્રમાંક પૂર્વે ગ્રં. લખ્યું છે. બાકીના બધા લેખસૂચિના ક્રમાંક સમજવાના છે. વિષયસૂચિ તૈયાર કરવામાં લેખસૂચિના (ખ) વિભાગનો સમાવેશ નથી કર્યો, કેમ કે એમાં પુસ્તકો-સામયિકો વગેરેનાં નામો જ છે જે લેખસૂચિમાં જ કક્કાવારી પ્રમાણે ગોઠવાયેલાં છે. વિષયસૂચિમાં વ્યક્તિનામો, ગ્રંથનામો, કૃતિનામો, સંસ્થા-સામયિકો વગેરેનાં નામો ઉપરાંત ગ્રંથો-લેખોમાં નિરૂપાયેલા વિવિધ વિષયોને સમાવ્યા છે. આમાંથી ગ્રંથનામો, કૃતિનામો, સામયિકોનાં નામો અને કાવ્યોનાં શીર્ષકોને અવતરણચિહ્નથી દર્શાવ્યાં છે. ગ્રંથસૂચિ અને લેખસૂચિમાં કૌંસમાં જે સંપાદકીય નોંધ છે તેનો પણ આ વિષયસૂચિમાં લાભ લીધો છે. કેમ કે એ નોંધો ગ્રંથ કે લેખની સામગ્રીને સ્ફટ કરવા જ લખવામાં આવી છે. જેમને કોઈ ચોક્કસ વિષય પર કામ કરવું છે તેમને આ વિષયસૂચિ માર્ગદર્શક બનશે તેવા ખ્યાલથી વિષયસૂચિનો આ શ્રમ લીધો છે]. અકબર અને જહાંગીરના દરબારમાં “અધ્યાત્મ-હરિઆલી' 200 જૈનો 355 “અનેકાન્ત” પત્ર 579. અગમવાણી” 198, 333 “અન્નત્ય ઊસસિએણ' કરી “અજિતનાથસ્તવન' 296 અપભ્રંશ સાહિત્ય' 641 “અજિત-શાંતિ સ્તવ” 25 (સ્વામી) અભેદાનંદ 23 અધ્યાત્મ ઋષભ નમસ્કાર સ્તુતિ” “અમદાવાદ તીર્થમાળા' 300 199 અમારા મનોરથ' 63 અધ્યાત્મકલ્પદ્રુમ. 177 “અમારું મહાધામ' 664 અધ્યાત્મગીતા” 153 અમુલખરાય છગનલાલ 422
Page #268
--------------------------------------------------------------------------
________________ વિષયસૂચિ 255 અમૃત ક૭૫ આનંદઘન બહોતરી” 113 અરિસિંહ 109 (શ્રી) આનંદલેખ” 319 “અબુદ ચૈત્ય પ્રવાડી” 26 આનંદોત્સવ' ક૭ “અર્બુદાચલ વીનતી' ગ્રં.૧૦ આબુ તીર્થ” 210 અલ્લુ 204 આબૂતીરથભાસ” 331 “અસૂત્રનિરાકરણ બત્રીશી' 321 “આબૂની ચૈત્યપરિપાટી' 250 અહિંસા 2 આમંત્રણ 668 અંતિમ મંગલાચરણ 5 “આમંત્રણ-સ્વાગત’ 69 આગમ પ્રકાશન અને આગદય આમંત્રણ સ્વીકાર' 70 સમિતિ 502 આયુર્વેદિક ઔષધાલય (દવાશાળા) આગમોનું અધ્યયન 4, -નું મુદ્રીકરણ 10 138, -નો ઇતિહાસ 360 આર્યસભ્યતા –મધ્ય એશિયામાં 54 આગમવાંચના 55 આર્યકાલક (કાલકાચાર્ય) 430 (શેઠ) આણંદજી કલ્યાણજી/આણંદજી “આસ્તિકોનું કર્તવ્ય 11 કલ્યાણજીની પેઢી, આ.ક.પેઢી “ઇસુદાન” 10 આણંદજી કલ્યાણજીની સભા ઇચ્છારામ 438 361, 32, 363, 378, “ઇરિયાવહિય” ક૭૧ 419, 505, 504, 555, ઈ. ૧૫મા શતકના પ્રાચીન ગુર્જર કાવ્યનો સંગ્રહ ક૪૫ આત્મનિંદા ને વરને વિનતિ 205 “ઈડર ચૈત્ય પરિપાટી'/ ઈડરના ચૈત્ય“આત્મપ્રકાશ” 14 . ની પરિપાટી 211, 213 આત્માનંદ 482 “ઈડરગઢ ચૈત્ય પરિપાટી 212 (શ્રી) આત્મારામ સ્તુતિ ક૬૬ ઈડરનો સંક્ષિપ્ત ઇતિહાસ 365, 366 (શ્રીમ) આત્મારામજી 206, 482, “ઉખાણાં 214 sos ઉત્તમવિજય ગ્રં.૧૨ આનંદ 241 ઉત્તમવિજયજી નિર્વાણ રાસ” ગ્રં.૧૨ આનંદઘન 108, 207, 208, 209 “ઉત્તર હિંદના જૈનો' 641 આનંદઘન ચોવીશી 202 “ઉત્તર હિન્દુસ્તાનમાં જૈન ધર્મ 114,
Page #269
--------------------------------------------------------------------------
________________ 25s વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા 611 કાપડિયા, મોતીચંદભાઈ ગિરધરલાલ ઉદયરત્ન 343, 351 405, 429, 479, 30 ઉદયવંત 336 કાપડિયા, હીરાલાલ 2. 389 ઉદાણી, રેવાશંકર જાદવજી 488 કાયસ્થ જાતિ 369 ઉપવાસની મહત્તા 54 કારભારી, ભગુભાઈ ફ. 471 ઉમેદચંદ દોલતચંદ ગ્રં. 20 કાલકાચાર્ય 435 ઊના સંઘ 215 કાલસ્વરૂપ ગં.૨, 18 ઋદ્ધિગારવ ઉપર કથા' 216 (કાકા) કાલેલકર 16 ઋષભજિનસ્તવન 296 કાવી તીર્થના લેખો 370 (કવિ) 28ષભદાસ 119, 191, કાંતિવિજય પ૨૯ 19, 205, 219, 645 કીર્તને, નીલકંઠ જનાર્દન 156 ઋષભદેવ સ્તવન' 217 “કુગુરછત્રીશીચોપાઈ 249 108 બોલ” 298 કુગુરુપચીસી' 255 ઐક્ય 14 કુમારપાળ 224, 354 ઐતિહાસિક પુરુષોનો ઉત્સવ 15 કુમારપાળરાસ 354 “ઐતિહાસિક રાસસંગ્રહ’ 133 ‘કુરલ” 123, 149 “ઐતિહાસિક સઝાયમાલા” 133 કુશલચંદ્રમણિ 436 ઓકલ્ટ રિવ્યુ' 622 કુશલવર્ધન 341 કચ્છી ભાઈઓનો સહકાર 15 કુશળલાભ ઉપાધ્યાય 124, 188 કમલસંયમ ઉપાધ્યાય 308, 408 કૃપાસાગર ગ્રં.૧૨ કરમસી 336 (ન્યાયમૂર્તિ) કૃષ્ણલાલભાઈ 460. (શ્રી) કર્મચંદ્ર વંશાવલી પ્રબંધ' ર૩૬ કેશરિયાજી તીર્થપ્રકરણ 371, ૩૭ર કલ્પસૂત્ર” 117 કેશરિયાજીનો રાસ' 256 કલ્યાણવિજયગણિનો રાસ' ગ્રં.૧૨ કેશવદાસ 237 કલ્યાણવિજયજી 430 કૉન્ફરન્સદેવી' ૬૭ર કવિ અને કાવ્ય 635 (ડૉ.) ક્લાટ, હોસ 390 કસ્તૂરભાઈ 455, 555 ક્ષમા કરજો” ક૭૩ કંકુચંદ મૂળચંદ પ૪૨ ક્ષમા કલ્યાણજી 323
Page #270
--------------------------------------------------------------------------
________________ વિષયસૂચિ 257. ક્ષમાપના ક૭૪ ગુજરાતી સાહિત્ય પરિષદ 10, સમાવિજય ગુરુ સઝાય' 225 194, 503, 54, 55, “સમાવિજય નિર્વાણ રાસ” ગ્રં.૧૨ 656 શુદ્ર કહો 102 ગુણાકરસૂરિ 228 ક્ષેમવર્ધન ગ્રં.૧૨ “ગુરસ્તુતિ (ઘઉંલી' 676 ખમાવું છું ક્ષમા કરજો' ક૭૫ “ગુર્જર રાસાવલી' ગ્રં.૧૦ ખરતર વસનો પ્રશ્ન 32, 505 ગુલાબકુમારી લાયબ્રેરી 467, પપ૭ ખંભાત શહેર (૧૭મા સૈકાનું)નું વર્ણન (શેઠ) ગુલાબચંદ દેવચંદ 439 [કાવ્યાંશ 219 ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભાગ-૧ ખીમા 226 ગં.૧૧ ખેડાનો જ્ઞાનપ્રવાસ (મો.દ.દે.નો) (શેઠ) ગોકળભાઈ મુળચંદ જૈન ૩પ૭ વિદ્યાર્થી આશ્રમ પર૧ ખેમરાજ 227 (લામાન્ય) ગોખલે 655 ગદ્યમય જૈન ગુર્નાવલી ૨૭ર (શ્રી) ગોડી પાર્શ્વનાથ તીર્થમાળા' (પંન્યાસ) ગંભીરવિજય 462 327 ગાંધીજી 55, -નું હિંદમાં આગમન ગોધરા પ્રકરણ 376 પપ ગોયલીય, બાબુ દયાચંદ 466 ગિરનાર તીર્થોદ્ધાર રાસ અને ઘરેણાખતનો દસ્તાવેજ 203 તીર્થમાલા' ગ્રં.૯ “(શ્રી) ધંધાણી તીર્થસ્તોત્રમ્ 229 ગિરનારયાત્રા [મો.દદે ની] 356, ધોષલ, બાબુ શરદચંદ્ર 42 SOS ચંદ્રવિજય 230 (શ્રી) ગિરિનાર તીર્થોદ્ધાર રાસ' 157 ચારિત્રવિજયજી ગ્રં.૧, ગં.૩ ગુજરાત-કાઠિયાવાડમાં જલપ્રલય ચારૂપ કેસ 377 382 ચિતોડ ચૈત્ય પરિપાટી 231 ગુજરાતના શ્વેતાંબરોનું સાહિત્ય 127 ચિત્રપરિચય 16 ગુજરાતી' 359, 438 ચિદાનંદજી ર૩ર ગુજરાતી ભાષાના વિકાસ માટે “ચિહુગતિ ચોપાઈ' ગ્રં.૧૦ પ્રાકૃત'નું આલંબન 20 ચીત્રોડકી પટાવલી 218 વિ.૧૭
Page #271
--------------------------------------------------------------------------
________________ 258 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા ચીનુભાઈ લાલભાઈ પ૧૫, 547 “જિનમત’ 202 ચેઈય વંદણ મહાભાસ' 411 જિનમંડણગણિ 288 “ચૈત્ય પ્રવાડિ સ્તવન' 226 જિનવિજય ગ્રં.૧૨, 446 ચોરાશી નાત” [કાવ્યાંશ] 219 જિનવિજયજી [સમાવિજયશિષ્ય] 225 24 જિન સ્તવન' 330 (મુનિ) જિનવિજયજી 150 ચોવીશી 153 જિનવિજયજી નિર્વાણ રાસ' ગ્રં.૧ર ચોવીશી કે બાવીશી' 208 જિનહર્ષ ગ્રં.૧૨, 239, 354 ચોહાણ રાજાની વંશાવલિ 233 “જિનાચાર્યકા નિર્વાણ - ઉસકા જાતીય "14 (ચૌદ) ગુણસ્થાન સ્તવન' 234 ઉત્સવ’ હિંદી લેખ) 42 છાત્રાલયો 16 જીવદયા જ્ઞાનપ્રસારક મંડળ 455 જગત્કર્તુત્વ 202 (બાબુ) જુગલકિશોર 465, 256 જતિઓનો ઇતિહાસ 380. જુર કૉન્ફરન્સ 64, 100, 43, “જય શ્રી મહાવીર' 677, 678 - 499222, પર૩, પર૫ જયરત્નમણિ 128 જુનેર શહેર 384, પ૦૪ જયવંતસૂરિ 445 જૂનાં સુભાષિતો 242, 243, 244, જયવિજય ગ્રં.૧૨, 11 જયશેખરસૂરિ ગં.૧૦ જેસલમીર તથા બીજા જૈન ભંડારો જયસોમ ઉપાધ્યાય 236 129 (પ્રો.) જયસ્વાલ 413 જેસલમેર પુસ્તકોદ્ધાર 130 જયહેમ 231 જૈન” પર૬, 504, 603 જર્મન ભાષામાં જિનાગમ 21 જૈન અંગ સાહિત્ય 131 જહાંગીર અને જૈનો 383 જૈન આરોગ્યભવનો 22 જંબુસ્વામીવેલ 336 જૈન ઇતિહાસ સામગ્રી 132 જિનચંદ્રસૂરિ ર૩૭ જૈન ઇતિહાસની આવશ્યકતા 43 જિનચંદ્રસૂરિનિર્વાણ કાવ્ય” 329 જૈન ઇતિહાસની જરૂર 23 જિનદેવદર્શન” ગ્રં.૧ જૈન ઉપનિષદ 134 જિનધર્મગણિ 335 જૈન એજ્યુ. બોર્ડ 507 જિનપ્રતિમાસ્તવન 238 જૈન ઍસો. ઑફ ઇન્ડિયા 34 279
Page #272
--------------------------------------------------------------------------
________________ વિષયસૂચિ 259 ગં.૧૨ જૈન ઐતિહાસિક રાસમાળા ભા.૧” જૈન પ્રતિમા લેખસંગ્રહ 139 જૈન પ્રતિમાશાસ્ત્રનું અધ્યયન ક૨૦ જૈન કન્યાના મનોરથ' 679 જૈન ભંડારોની ટીપ 140 જૈન કવિ નામાવલિ 135 જૈન મહિલા સંમેલન પ૩૧ “જૈન કાવ્ય પ્રવેશ” ગ્રં.૧૩ જૈન રાસમાળા (પુરવણી)' ગ્રં.૫ (શ્રીમતી) જૈન કૉન્ફરન્સ 24, 507, જૈન લિટરેચર સોસાઈટી 56 પ૨૭ જૈન વાચનમાળા 31 જૈન ગરીબ બાળકો 25 (શ્રી) જૈન વિદ્યાર્થી આશ્રમ પ૩૨ જૈન ગૂર્જર કવિઓ' ગ્રં.૪ જૈન વિદ્યોત્તેજક સહકારી મંડળી લિ. જૈન ગૂર્જર કવિઓ' ભા.૧ 136 પ૩૩ જૈન ગૂર્જર કવિઓ' ભા.૨ 390 “જૈન શાસન' 585 જૈન ગ્રેજ્યુએટ્સ એસોસિએશન પ૨૮ જૈન શાસ્ત્ર અને શિલ્પવિદ્યા 32 જૈન જ્ઞાનમંદિર પ૨૯ જૈન શિક્ષણ સુધારણા પરિષદ 33 જૈન તત્ત્વ 26 જૈન શિલ્પ 34 જૈન દર્શન અને સાહિત્ય 137 જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ કૉન્ફરન્સ જૈન દવાખાનું પ૩૦ કૉન્ફરન્સ દેવી/કૉન્ફરન્સ જૈન ઘર્મ પર આક્ષેપો 28 મહાદેવી, શ્વેતામ્બર જૈન જૈન ધર્મ પ્રકાશ” 385 કૉન્ફરન્સ 364, 374, 378, જૈન ધર્મ પ્રસારક સભા 569 385, 405, 437, 501, “જૈન ધર્મનું રેખાદર્શન' - "Outline 509, 510, 511, 512, of Jainism'992 513, 114, 515, 516, જૈન ધર્મનો ઇતિહાસ” 23 પ૧૭, 518, 519, પ૨૦, જૈન ધર્મમાં પરિવર્તનો અને પરિણામો પર, પ૩૪, 535, 540, ર૯, 386 543, પ૭૧, 15, 67, જૈન ધાતુ-પ્રતિમા લેખસંગ્રહ 245, 672, 694 246 જૈન શ્વેતાંબર ડિરેક્ટરી 655 જૈન નિર્વાણ સંવત 413 જૈન સમાજ 36 જૈન પરિષદ 30 જૈન સમાજના પ્રશ્નો ફ૪, 100,
Page #273
--------------------------------------------------------------------------
________________ 260 વિરલ વિદ્ધપ્રતિભા અને મનુષ્ય પ્રતિભા પપ૪, પ૦૬ જ્ઞાનકીર્તિ ૨પર જૈન સમાજનું કર્તવ્ય 12 જ્ઞાનચંદ 248 જૈન સંઘ 47 જ્ઞાનમેરૂ 249 જૈન સંપ્રદાય - ભારતનો 66 જ્ઞાનયાત્રા તથા તીર્થયાત્રા મો.દ.ઈ.જૈન સાહિત્ય અને શ્રીમંતોનું કર્તવ્ય ની] 07 ગ્રં. જ્ઞાનવિમલ 202 જૈન સાહિત્ય પરિષદ 507, 537 જ્ઞાનસાગર 250 જૈન સાહિત્ય સંમેલન 537 “જ્ઞાનસાર સ્વોપજ્ઞ બાલાવબોધ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ સહિત 297 ગ્રં.૭ (શ્રીમ) જ્ઞાનસારજી” 147, 202, જૈન સાહિત્યમાં જીવનનો ઉલ્લાસ 142 ૪પર જૈન સુભાષિત સંગ્રહ 247 જ્ઞાનાનંદ 148 જૈન સૂત્રોમાં જૈનેતર ગ્રંથોનો નામોલ્લેખ જ્યુબિલી પ્રિન્ટિંગ પ્રેસ પ૯૬ 143 જ્વરપરાજય 128 જૈન સેનિટરીઅોની જરૂર પ૩૮ ‘ઝમોર' 385 જૈન સ્ત્રીકળા કૌશલ્ય પ્રદર્શન 55 (દી.બી) ઝવેરી, કૃષ્ણલાલ 203 જૈન સ્વયંસેવક સંમેલન પ૩૯ ઝવેરી, મણિલાલ સુરજમલ 453 જૈન હિતેચ્છુ 586 ઝવેરી, મોતીચંદ 547 જૈનયુગ” 587, 589, 594, 596 ઝવેરી, મો. ભ. 707 જૈનાચાર્ય શ્રી આત્માનંદજી જન્મ- ઝવેરી, મોહનલાલ 473 શતાબ્દી મારક ગ્રંથ' ગ્રં.૧૪ ઝીંઝુવાડાનો જ્ઞાનપ્રવાસ (મો.દ.દે. જૈની, જુગમંદિરલાલ 447, 55 નો] 358 જૈનીઝમજૈનધર્મ ગ્રં.૨૦ ટિલ્બ, એમ. એચ. 39 જૈનો અને મિ. મુનશીનું પ્રકરણ 388 ઠાકોર, બી. કે.બ.ક.ઠા. ગં.૧૦, જૈનો અને વ્યાયામ 38 645 જૈનો વિરુદ્ધ સાહિત્ય 145, -ની ડુંગર 33 ગરીબાઈ 40, -ની સામાજિક ઢઢા, ગુલાબચંદજી 437, 55 સ્થિતિ 63 ઢોરની ઓલાદ સુધારવાના યત્નો
Page #274
--------------------------------------------------------------------------
________________ વિષયસૂચિ 21 654 (શ્રી) દશાશ્રીમાળી અને જૈન વણિક તત્ત્વાર્થસૂત્રનું કર્તુત્ય 389 બોડિંગ હાઉસ (રાજકોટ) 561 તપગચ્છ ગુર્નાવલી, ૨પર દસાણીઆ, ગુલાબચંદ મોતીચંદ 494 તપગચ્છની પટ્ટાવલિ” 251, 390, “દાનવીર કાર્નેગી” 152 391 દિગમ્બરીય પ્રતિમાઓ 29 (શ્રી) તપાગચ્છ ગુર્વાવલી સ્વાધ્યાય દિગમ્બર પરિષદ 544 253 દીક્ષા 45, મીમાંસા 41 તસ્સઉત્તરી” 680 દીપવિજય 258 તિલકમંજરી” 150 (કવિ) દેપાલ 221, 326 તિલકાચાર્ય 288 દેવચંદજી 259, 340 તીર્થનામાવલિ' 254 (પંડિત) દેવચંદ્રજી 106, 107, “તીર્થમાળા” 294 153, 154, 20, 201, તીર્થો સંબંઘી ઝઘડા 37 427, 428 તીર્થોનો ઇતિહાસ 65 દેવપૂજા 48 “તૂટેલું હૃદય” 151 દેશી સંસ્થાન પરિષદ 545 તેજપાલ 255 દ્રવ્યગુણપર્યાયરાસ' 155 તેજવિજયજી 256 દ્રવ્યનું સ્વરૂપ 50 ત્રિયારાજ્ય ! 54 દ્વિવેદી, મહાવીરપ્રસાદ 410 ત્રિલોચંદજી કલ્યાણચંદજી 12 (કવિ) ધનપાલ 150. (ડૉ.) થોમસ, એફ. ડબલ્યુ. 112 ધનવિજય 263 (શ્રી) દક્ષિણ મહારાષ્ટ્ર જૈન શ્વે. પ્રાંતિક “ધનાની સઝાય” 330 પરિષદ 3, 541 ઘરમસી (ધર્મસિ) 234 દક્ષિણ હિંદના જૈનો 41 “ધર્મક્ષેત્રમાં જીવસૈનિકને પ્રોત્સાહન દક્ષિણમાં જૈન ધર્મ 393, 28 681 દક્ષિણમાં મળેલો જૈન સમાજ પર ઘર્મદાસ 353. દલાલ, ચીમનલાલ ડાહ્યાભાઈ 133, “ધર્મધ્વજ 30 443 ઘર્મનું વ્યાવહારિક સ્વરૂપ પર દશ બોલ' 315 “ધર્મપરીક્ષા 72
Page #275
--------------------------------------------------------------------------
________________ 262 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા ધર્મપરીક્ષાનો રાસ' 328 નવીન વર્ષ-મંગલ 684 ધર્મપ્રવર્તક તરીકે મહાવીર ઝં.૨, “નવીન વર્ષનું નિવેદન” 685 477 (બે) નળાખ્યાન' 35 ધર્મબહેનને 682 “નંદીષેણની સઝાય' 268 ધર્મસમુદ્ર 24, 350 (કવિ) નાનાલાલ 434, 47 ધર્મસાગર ઉપાધ્યાય રાસ' 265 નારીઓનું પ્રાચીન વર્ણન 262 ધારાસભામાં જૈન પ્રતિનિધિત્વ 76 નાહર, બાબુ પુરણચંદ 467, 557 ધાર્મિક અસહિષ્ણુતા પ૩ નિક્ષેપસ્વરૂપ 56 ધાર્મિક પરીક્ષા 31, ૩ર નિત્યલાભ ર૯૧ ધાર્મિક સંસ્થાઓ - આપણી 508 નિર્ણયસાગર પ્રેસ 158 ધ્રુવ, કેશવલાલ | ધ્રુવ કે. હ. કેશવ- “નેમરાજુલ બાર માસ” 283 લાલભાઈ 167, 192, 45 નેમવિજય 328 ધ્રુવ, હરિલાલ 504 નેમિચરિત 159 નગરશેઠ, ચમનભાઈ લાલભાઈ નેમિર્ચ 323 41, 483 નેમિનાથ તાત્રિશિકા' 269 નગીનદાસ અમુલખરાય 456 (શ્રી નેમિનાથ ફાગ સ્તવન” 303 નન્નસૂરિ 26 નેમિનાથ ફાગુ' ગ્રં.૧૦ “નયકર્ણિકા’ ગં.૧૫, 270 નેમિનાથફાગ (બારમાસ) 336 () નયકર્ણિકા' ગ્રં.૧૬, 487 “નેમિસાગર નિર્વાણ રાસ' ગ્રં.૧૨ નયચંદ્રસૂરિ 156 નેમિસ્તવન' 293 (કવિ) નયસુંદર 120, 157, 275 “નેમીશ્વર ચરિત - ફાગબંધ ર૯૨ નરનારાયણાનંદ કાવ્ય 133, 186 “ન્યાયકર્ણિકા' 270, 59 નરસિંહ 312 ન્યાય-તર્કનો અભ્યાસ પછી નરોત્તમદાસ ભાણજી 458 ન્યાયવિજય ગ્રં.૯ નલિનકાન્ત 126 ન્યાયાવતાર 342, 660 નવકાર મહામંત્ર ગીત” 336 “પઉમરિયમ' 187 નવકાર' સૂત્ર 683 પટેલ, નરસિંહભાઈ 83 નવજીવન પ્રિસ] પ૯૬ “પટ્ટાવલી” 271
Page #276
--------------------------------------------------------------------------
________________ વિષયસૂચિ 263 પટ્ટાવલી સઝાય” 318 પાટણની પ્રભુતા' વિશે જૈન સમાજના પડધરીપ્રાસાદબિંબ પ્રવેશાધિકાર પ્રતિભાવો 395 સ્તવન' 299 “પાટલીપુત્ર’ 413 પઢિયાર, અમૃતલાલ 146 “પાટીદાર” 83 પતંગ પતન” 686 પાર્થ અને વીર સ્તવનો 207 પત્રકારની ફરજો 60 પાર્શ્વનાથ 470 પદ્મવિજય ગ્રં.૧૨ પાલી વ્યાકરણ 39 પદ્મવિજયજી નિર્વાણ રાસ' ગ્રં.૧૨ પાલીતાણામાં જળપ્રકોપ 397 પદ્માનુકારી ગુજરાતી ગદ્યમય જૈન “પાહા-વાગરણ” 42 ગુર્નાવલી 335 પુસ્તકાલય પરિષદ 310 પર્યુષણ વ્યાખ્યાનમાળા (મુંબઈ) 29, “પૂર્ણિમા ગચ્છની ગુર્નાવલી” 274 ક૭, 101, 108, 117, પૂર્વ મંત્રીનું છેલ્લું નિવેદન - “હેરલ્ડ” 355, 383, 38, 470 છોડતાં 40 પર્યુષણ પર્વ 61, 62 પૂર્વજન્મની વાત 54 “પંચાંડવચરિતરાસ” ગ્રં.૧૦ પૌવંત્ય પરિષદ 504 પંજાબ હિંદુ સભા 23 પ્રતિભા' હિંદી માસિક] 410 “પાઈઅ સ૬ મહણવો' - “પ્રાકૃત “પ્રત્યેક બુદ્ધિનો રાસ' 172. શબ્દ મહાર્ણવ 162 પ્રબંધ ચિન્તામણિ” 16 પાક્ષિક ચાતુર્માસિક સાંવત્સરિક ગીત “પ્રબોધ ચિત્તામણિ' 17 30 “પ્રભાત-પ્રબોધ 688 પાચોરા સંયુક્ત જૈન પાઠશાળા 549 “પ્રભાવતી ર૭પ પાટણ અને સુરતની શાનયાત્રા “પ્રભુને આહ્વાન” 687 [મો.દ.દે ની] 38 “પ્રભુપ્રાર્થના' 89 પાટણથી નીકળેલો સંઘ સં.૧૯૨૨' “પ્રશ્નપદ્ધતિ' 412 273 પ્રશ્ન-વ્યાકરણ” 42 પાટણના જૈન ભંડારો 13, 55 “પ્રાકૃત પાઠાવલી” 168 પાટણની પ્રભુતા” 394, 395, પ્રાકૃત ભાષાની ઉપયોગિતા 65 394, 404 પ્રાકૃત ભાષાનો ઉદ્ધાર 169
Page #277
--------------------------------------------------------------------------
________________ 264 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 01 પ્રાકૃત સંસ્કૃત અંગ્રેજી ગુજરાતી કોશની બાર માસ' (જ્ઞાનચંદકૃત) 248 યોજના 644 “બાર વ્રત રાસ’ 317 પ્રાચીન ગુજરાતી ગદ્યના નમૂના 337 બાલાશ્રમ 550 પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ' ભા.૧ “બુદ્ધિપ્રકાશ' 173 170 બુદ્ધિસાગરજી 164, 176 પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન બોટાદના પ્રતિમાલેખો 368 276 બોરસદના વીસા શ્રીમાળી જૈનોમાં પ્રાચીન જૈન પરિષદ 399 સમાધાન 422 પ્રાચીન જૈન મહારાજા - ખારવેલ “બૌદ્ધ અને જૈન મતના સંક્ષેપમાં 400 ઇતિહાસ, સિદ્ધાંતો અને વૈદિક પ્રાચીન જૈન સાહિત્યમાં જીવનનો ધર્મ સાથે તુલના ગ્રં.૨ ઉલ્લાસ 171 ભણશાલી, દયાલજી ગંગાધર 468 પ્રાચીન થેરાવલી ર૭૭ “ભદ્રબાહુસંહિતા" 174 પ્રાચીન દ્વારકાપુરી 401 (ડૉ.) ભાઉ દાજી 435 પ્રાચીન પત્રો 278 ભાનચંદ્ર ઉપાધ્યાય 431, 492 પ્રિયદર્શનાબહેન 6 “ભાનુચંદ્રગણિચરિત' ગ્રં.૧૭ પ્રીતમવિજય રૂ૫૭ ભારત જૈન મહામંડળ 81 પ્રેમવિજય ઉપાધ્યાય 464 ભાલણ ૩પ પ્રેમવિજયગણિ 278 ‘ભાવના 204 પ્રોટેસ્ટ સભા 402 ભાવવિજય 293 ફાર્બસ ગુજરાતી સભા ગ્રં.ર ભાવસાર, વિકમસી 326 બગડેલું ઘડિયાળ' 690 ભાંડાગારિક, નેમિચંદ્ર ૪૭ર (કવિ) બનારસીદાસ 118, 179 ભાંડારકર, દેવદત્ત 387 બહાદુરસિંહજી પપપ (ડો.) ભાંડારકર, રામકૃષ્ણ 387 (બાબુ) બંકિમચંદ્ર 97 “ભૂદેવ પર સઝાય” 330 બાબુ પનાલાલ પુનમચંદ જૈન ભૂપાલવિજય 278 હાઈસ્કૂલ 560 ભોજ આનંદઘન 202 બાર બોલ સઝાય” 280 (સાક્ષરશ્રી) મનસુખભાઈ 59,
Page #278
--------------------------------------------------------------------------
________________ વિષયસૂચિ 265 sso 496 મહમદ પાતશાહનું પ્રાચીન વર્ણન 281 મહેતા, રણજિતરામ વાવાભાઈ મહાજનની 84 ન્યાતનાં કવિત 282 432, 51 મહાત્મા મોહનદાસ ગાંધી 91 “મંગલાચરણ દ૯૪ મહાનંદમુનિ 283 મંગલાચરણ (વરસ્તુતિ) દ૯૫ મહારાષ્ટ્રના પ્રાચીન ઇતિહાસમાંથી “મંડપાચલ (માંડવગઢ) ચૈત્ય થોડી પ્રખ્યાત વાતો' મિરાઠી પરિપાટી” 227 લેખ) 387 મંદસોરનગર 410 મહાવીર કેમ જગનાથ થયો?' 284 માગધી સંસ્કૃત અંગ્રેજી ગુજરાતી કોશ મહાવીર જયંતી 68 648, 49 મહાવીર જિન સ્તવન' 202 માણિક્યસુંદરસૂરિ 292 (શ્રી) મહાવીર જૈન વિદ્યાલય 79, માણેકજી 468 80, 558, 55 “માધવાનલ કામકંદલા ચોપાઈ 172 (શ્રી મહાવીર પ્રવચન 286, 287 માનવજિય 284, 293 “(શ્રી) મહાવીર સ્તુતિ” 288, 92 “મારી બહેનડી” 96 (શ્રી) મહાવીર સ્તોત્રમ્ 289 “માર ઢોલા ચોપાઈ 172 (શ્રી) મહાવીર સ્વામીના સત્તાવીશ “મારો વ્હાલો 697 ભવ” 290 માંડણ 312 (શ્રી) મહાવીર સ્વામીનાં પાંચ મીરાંબાઈ 312 કલ્યાણક” 291 મુનશી, ક. મા. 359, 385, 388, મહાવીરનો સમય ગ્રં 2, 477 36 (શ્રી) મહાવીરસ્મરણ” 93 મુનશી કમિટી 404, 405 મહિલા વિદ્યાલય (ભાવનગર) 99 મુનિસુંદરસૂરિ 177 (ડૉ.) મહેતા, નાનાલાલ મગનલાલ મુંબઈ-માંગરોળ જૈન સભા 27, 47 40 મુંબઈ યુનિ. લાયબ્રેરીમાં જૈન પુસ્તકો મહેતા, મકનજી જૂઠાભાઈ 429, 178 40, 459, 473, 634 મુંબઈ સરકાર અને જૈન તહેવારો 650 (સાક્ષર) મહેતા, મનસુખલાલ કિ. મૂર્તિપૂજા - ઈ.પૂ. ૪થા સૈકામાં 367
Page #279
--------------------------------------------------------------------------
________________ 266 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 218 મેઘજી-હીરજી સંવાદના સવૈયા' ર૯૭, ર૯૮, 323, 339, 222 451, 481, 698 મેઘમુનિ 157 (શ્રીમ) યશોવિજયજી' ગ્રં.૮ મેઘવિજય ઝં.૧૨, 175 યશોવિજયજી જૈન ગુરુકુળ 550 મેઘા 294 (શ્રીમદ્) યશોવિજયજીની સ્મૃતિમેરનંદન ઉપાધ્યાય 295 સ્તુતિ' 698 મેરુવિજય ર૧૯ યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ) 398 " મોદી, કેશવલાલ પ્રેમચંદ (વકીલ) રત્નચંદ્રગણિ 299 રત્નપ્રભસૂરિ 406 (ડ.) મોદી, નાનચંદ કસ્તુરચંદ 448 રત્નભૂષણગણિ 214 મોદી, બાબુલાલ મોતીલાલ 53 રત્નમંડનગણિ 312 મોદી, મધુસૂદન | મોદી, એમ. સી. રત્નવિજય 300 મૃ.૧૦, 41 (રાવસાહેબ) રવજી સોજપાલ 64, મોદી, રામલાલ 35 463, પપર મોહનલાલ પુંજાભાઈ 493 (સાક્ષર) રસિકલાલ છોટાલાલ 47 (મુનિ) મોહનલાલજી 461 “રહનેમિલ” 336 મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાયબ્રેરી | ‘રંગસાગર નેમિ ફાગ” 301 (શ્રીમન) મોહનલાલજી સેન્ટ્રલ રાગદ્વેષનો ક્ષય 72 લાયબ્રેરી તથા પાઠશાળા 507, “રાજકુમારી પ્રત્યે સખીઓ' 699 ક૫૬ રાજગૃહ સંબંધી માહિતી 407 મોહનવિજય 205 રાજવંશાવલિ 302 મહેપાણી, ગોવિંદજી મૂળજી 41, રાજસ્થાની ભાષા પર 459 રાજા કાલક્ષ્ય કારણમ્' 700 યતિઓનું સંગઠન 69 રાજીમતી સઝાય” 303 યશોભદ્રસૂરિરાસ” 133 રાજુલ અને રહનેમિ 653 યશોવિજયજી ઝં.૧૧, ગં.૧૮, J. રાજુરીકર, ચુનીલાલ સરૂપચંદ 1OO, 19, 70, 72, 108, 179, 499, પ૭પ 180, 181, 288, 29, રાજમતિ ગીતો 257
Page #280
--------------------------------------------------------------------------
________________ વિષયસૂચિ 27. 702 રામચંદ્રસૂરિ 183 રામવિજય ગ્રં.૧૨, 205 (સર) વસનજી ત્રીકમજી 441 રાવણ મંદોદરી સંવાદ' 307 વસ્તિગ ગ્રં.૧૦, 311, 312 રુચિરવિમલ 257 વસ્તુ-તેજયુગમાં સાહિત્યપ્રવૃત્તિ 185 રૂપચંદ 217 વસ્તુપાલ 133, 186 ‘રૂપચંદકુમાર રાસ” 184 વસ્તુપાલ તેજપાલનો રાસ” 219 રૂપવિજય ગ્રં.૧૨, 268 વિંથલી પ્રતિષ્ઠા મહોત્સવ અને (મિ.) રેડબ્રેવ 22 પ્રતિષ્ઠા-પરિષદ 65 રેંટિયાની સઝાય” 304 વાઈસરૉયને માનપત્ર 409 લક્ષ્મીસાગરસૂરિ નિર્વાણ રાસ' ગ્રં.૧૨ વાડીલાલ મોતીલાલ 485 લઘુપટ્ટાવલિ” 305 વિજયતિલકસૂરિ 313 લબ્ધિકીર્તિગણિ 309 વિજયતિલકસૂરિ રાસ” 133 લબ્લિવિજય 303 વિજયદાનસૂરિ 314 લાભવિજય ગ્રં.૧૨ વિજયદેવસૂરિ નિર્વાણ સ્વાધ્યાય લાલન, ફત્તેહચંદ કપૂરચંદ ગ્રં.૧૫ ગં.૧૨ લાલવિજય 304 વિજયધર્મસૂરિ 26 લાલા રામચંદ 450. વિજયરાજસૂરિ 486 લાલા લજપતરાય 2, 30, 104, વિજયલક્ષ્મી સૂરિ 278 457, 277 વિજયવલ્લભસૂરિ 482 લાવણ્યસમય 133, 307, 307, વિજયસિંહસૂરિ 215 308, 324, 408 વિજયસેનસૂરિ 315 લોગસ્સ” 701 વિજયાણંદસૂરિ 316 લોંકાશાહ કબ હુએ ?" 308, 408 “વિજયાનંદસૂરિની સઝાય” ગ્રં.૧૨ વખતચંદ શેઠ રાસ” ગ્રં.૧૨ વિદેશમાં જૈન વસતિ 78 વડનગરમંડન શ્રી યુગાદિ જિન- વિદ્યાર્થીઓની જ્ઞાનોપાસના 80, -નું સ્તવનમ્ 309 જીવનઘડતર 79 વલ્લભવિજયજી 478 વિદ્યાવિજયજી 133 વર્તમાન વીતરાગધર્મ વિમુખતા” “વિદ્યાવિલાસ પવાડG' ગ્રં.૧૦
Page #281
--------------------------------------------------------------------------
________________ 268 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા વિધવા બહેનને આશ્વાસન 703 વૉટસન 424 વિનતિ' 704 વોરેન, હર્બર્ટ ગ્રં.૨૦, 622 વિનયચંદ્ર 317 વૃદ્ધિસાગરસૂરિ 490 વિનયવિજય ઉપાધ્યાય ગ્રં.૧૫, વ્ર, વ્યાસ, મણિલાલ બકોરભાઈ 133 16, 205, 270, 318, “શકુન ચોપાઈ” 172 319, 487 શકુંતલારાસ” ર૬૪ વિનયસુંદર 253 શત્રુંજય પ્રકરણ 3, 414, 415, વિમલસૂરિ 187 416, 417, 418, 419, વિરાટપર્વ' ગ્રં.૧૦ 420, 424, પ૩૧, 53 વિવેકહર્ષ 320 શત્રુંજય-ચૈત્ય-પરિપાટી 325 (સ્વામી) વિવેકાનંદ 101 “શત્રુંજયભાસ” 336 વીકા 321 “શત્રુંજયમંડણ સ્તુતિ” 23 વિકાનેર સ્થાનકવાસી કૉન્ફરન્સ 30, “શત્રુંજયસ્તવન” 263 562 (રા.) શર્મા 393, 28 વીર સ્તુતિઓ 322, 323 શર્મા, ગોકુલચંદ્ર 486 (શ્રી) વીરચરિત્ર પરથી ઉદ્ભવતું “શારદાષ્ટક' 707 વિરત્વ' 705 શાલિભદ્ર 491 વીરચરિત્રનાં સાધનો 489 શાલિભદ્રસૂરિ ૐ.૧૦ વીરબાળની વિનતિ' 703 શાલિસૂરિ ગ્રં.૧૦ વીરભક્તિ (મો.દ.દેનું તખલ્લુસ (પ્રા.) શાહ, ખુશાલ તલકશી 81 435, 97, 99, 713 શાહ, ગોરધનભાઈ વીરચંદ 610 વીરવિજય 290, 433 શાહ, ચીમન 12 “વીશ વિહરમાન જિન રાસ” 311 શાહ, ચીમનલાલ જેચંદ 114, (પ્રો.) વેબર 21 611, 41 વેશવિડંબક 202 (ડૉ.) શાહ, ત્રિભોવનદાસ ઓઘડવૈરાગ્ય સ્વાધ્યાય 324 ભાઈ 448 . વૈરાગ્યકુલ 336 શાહ, મોતીલાલ મનસુખરામ 449 વૈરાગ્યગીતો” 308, 408 શાહ, વાડીલાલ મોહનલાલ પપ૯
Page #282
--------------------------------------------------------------------------
________________ વિષયસૂચિ 269 શાહ, હીરાલાલ મોતીલાલ 459 શેઠ, લાલભાઈ દલપતભાઈ 441 શાહી ફરમાનો 421 શેઠ, વખતચંદ 484 શાંતિકુશલ 327 શેઠી, અર્જુનલાલ 74, 26, 655 શાંતિદાસ શેઠ રાસ” ગ્રં.૧૨ શૃંગારશાસ્ત્ર 190 શાંતિદાસજી 495 “શ્રાવક વિધિ રાસ” 228 શાંતિસૂરિ 336 શ્રાવકવર્ગ 85 શિલ્પકલા (આપણી) વિશે વિદેશી “સતી સીતા અને સ્ત્રીલંપટ રાવણ” તજજ્ઞો 609 [કાવ્યાંશ] 328 “શુકબોત્તરી” 189 સત્તાશીઆ દુકાળનું વર્ણન' 198, “શુકસતતિ' 189 333 (પ્રો.) બિંગ 115 સત્યવિજય નિર્વાણ રાસ” ગ્રં.૧૨ શુભવિજય 290, 304, 433 સદ્ગુરુતત્ત્વ ગ્રં.૨, 44 શેઠ, અમરચંદ પ્રેમચંદ 469 સદેવતત્ત્વ ગ્રં.૨, 44 શેઠ, કુંવરજી આણંદજી 396 સધર્મતત્ત્વ ગ્રં.૨, 44 શેઠ, ખેતશી ખીઅશી ક૨૬ ‘સપ્તક્ષેત્રુ રાસુ” 91 શેઠ, છોટાલાલ પ્રેમજી 547 સમન્તભદ્રાશ્રમ 465, પપ૬, ૫૬પ શેઠ, જીવનલાલ પરતાપસી 403 સમયપ્રમોદ 329 શેઠ, દેવકરણ મૂલજી 454 (કવિ) સમયસુંદર 121, 122, શેઠ, નગીનદાસ કરમચંદ 515, 547 188, 198, 205, 223, શેઠ, પરશોતમ બિશરામ માવજી 385 237, 238, 241, 330, શેઠ, ભીમશી માણેક 19 331, 332, 333, 345 શેઠ, મગનલાલ કંકુચંદ 494 “સમરા સારંગનો કડખો' 221 શેઠ, મનસુખભાઈ ભગુભાઈ 474 “સમર્થબહેનને 708 શેઠ, મહાસુખભાઈ ચુનીલાલ 403 સમાજની ઉન્નતિ અને સાધુવર્ગ 90 શેઠ, માણેકચંદ પાનાચંદ 55 “સમ્યકત્વના 67 બોલની સઝાય” શેઠ, મોતીલાલ મૂળજી 480 ગ્રં.૧૮ શેઠ, રણછોડભાઈ રાયચંદ 547 સમ્યગ્દર્શન ગ્રં.૨, 84 શેઠ, લલ્લુભાઈ રાયચંદ 442 સસ્તા ભાડાની ચાલીઓ 58
Page #283
--------------------------------------------------------------------------
________________ 270 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા સહજસુંદર 291 સિદ્ધપુર ચૈત્ય પરિપાટી 341 સહસકૂટ સ્તવન' 261 સિદ્ધસેન દિવાકર 342 સંઘની મહત્તા 86 સિદ્ધાચલ મંડન ઋષભ સ્તવન' 343 સંઘપતિઓ 240 “સિદ્ધાંતચોપાઈ 308, 408 “સંપ” 709 “સિદ્ધાંતસારોદ્ધાર' 308, 408 સંપત્તિશાસ્ત્ર 87 સિદ્ધિચન્દ્ર ઉપાધ્યાય ગ્રં.૧૭, 492 સંમતિવય સમિતિ 88 “સીમંધર સ્વામી સ્તોત્રમ્ 201 (શ્રી) સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ પ૫૯, સીહા 336 567 (શ્રી) સુકૃત ભંડાર ફંડ પ૭૧ સંસ્કૃત પાઠશાળાઓ 7 સુકૃત સંકીર્તન 109 સંસ્તારકવિધિ’ 338 સુખ શામાં ? 54 સંસ્થાઓમાં સહકાર 89 “સુગુરુપચીસી' 239 સાગર 349 સુજસવેલી ભાસ” ગ્રં. 19 સાગરગચ્છ મુનિસંમેલન 90, 568 સુધનહર્ષ 344 સાગરાનંદસૂરિ 11 સુધાનંદસૂરિ 212 સાત ક્ષેત્રો 91 સુભાષિત ૩૪પ સાધુ સંઘ 81 સુભાષિત દુહા પંચોત્તરી” 346 “સાધુમર્યાદાપટ્ટક 339 સુમતિવિજય 205 સામાજિક કુરૂઢિઓનું ખંડન 19 “સુમિત્ર રાજર્ષિનો રાસ” 196 સામાયિક ક્રિયાનાં કેટલાંક સૂત્રો 710 સુરત અશક્તાશ્રમ પ૭ર “સામાયિક સમભાવ” 711 “સુરતની ગજ્જલ” 258 (શ્રી) સામાયિક સૂત્ર” ગ્રં.૩, 193 “સુવર્ણમાળા” [માસિક 385 સાહિત્યમાં જીવનનો ઉલ્લાસ 195 “સુવિહિત ગુર” 202 “સાંજવર્તમાન 403 “સેવિકાઓને વિનતિ” 713 સાંવત્સરિક પ્રતિક્રમણ 96 (કવિ) સોમ 222 સિદ્ધ મહાવીર' 340 સોમસુંદરસૂરિ 212, 301, 312 (શ્રી) સિદ્ધક્ષેત્ર 712 (શ્રી) સોમસુંદરસૂરિ સ્તુતિ ૨પર સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ પ૭૦ સ્ત્રીઓના હકો 97, -ના અધિકાર
Page #284
--------------------------------------------------------------------------
________________ વિષયસૂચિ 271 98 હંસરાજ ૩પર સ્ત્રીશિક્ષણ 99 હિંસવિજય પ૨૯ સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ 573, “હિતશિક્ષાનો રાસ” 219 પ૭૪ હિન્દુ મહાસભા 104, 577 સ્થાનકવાસી જૈનોની પ્રગતિસૂચક હિન્દુનું સંગઠન 104, 277 પ્રવૃત્તિઓ પપ૧ હિંદુ યુનિવર્સિટી અને જૈનોનું સ્થૂલભદ્ર 498 પ્રતિનિધિત્વ 661 “સ્થૂલિભદ્ર-કોશાના બાર માસ 230 હિંદુ યુનિવર્સિટીમાં જૈન ધર્મ પ૭૮ સ્નેહશાલિનીધેન ક હિંદુ સમાજમાં નારીનું સ્થાન” 83 “સ્નેહી નિમંત્રણ” 714 હીરવિજયસૂરિ 444 “સ્નેહીનાં સંભારણાં 715 હીરવિજયસૂરિ ચતુર્માસ લાભપ્રહણ (ડૉ.) સ્મિથ, હર્બર્ટ વેઅર 21 સઝાય” ૩પર સ્યાદ્વાદ 82 હીરવિજયસૂરિ (નિર્વાણ) રાસ” 320 યાદ્વાદ સઝાય” 349 “હીરવિહાર સ્તવન' 353 સ્વદેશી માલનો પ્રચાર 425 “હીરસૌભાગ્ય’ 444 સ્વયંસેવક સંસ્થા [મુંબઈની] 37 હીરાણંદસૂરિ ગં.૧૦, 312 સ્વરોદયજ્ઞાન” 232 “હૃદય-ઉલ્લાસ” 717 “સ્વાગત (WELCOME)" 716 “હૃદયની વાતો કોણ જાણે 718 “સ્વામી વિવેકાનંદના પત્રો' ગ્રં.૨૧ હેમચંદ અમરચંદ 442 હમ્મીર મહાકાવ્ય” 156 (સ્વ.શ્રીયુત) હેમચંદ અમરચંદ' 719 (પ્રો.) હરદયાલ 87 (શ્રીમ) હેમચંદ્ર સ્તુતિ' 720 હરિઆલીઓ” 344, 350 હેમચંદ્રસૂરિ હેમચંદ્રાચાર્ય | હેમાચાર્ય હરિચંદ્રગણિ 412 192, 354, 385, 500, હરિભદ્રસૂરિ 197, 288 36 હર્ટલ, જોહન્સ 127 હેરલ્ડ' 74, 581, 588, 592, હંસરત્નજીની સઝાય” ૩પ૧ 593, 595, 3, 604
Page #285
--------------------------------------------------------------------------
________________ 272 વિરલ વિશ્વભ્રતિભા અને મનુષ્યપ્રતિભા સંદર્ભ સાહિત્ય શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈનાં, જુદાંજુદાં સામયિકોમાં પ્રકાશિત થયેલાં લખાણોની લેખસૂચિ તૈયાર કરવા માટે નીચે દર્શાવેલાં સામયિકોના અંકો જોવાનું બન્યું છે. “શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ : .1/1-2, જાન્યુ ફેબ્રુ. ૧૯૦પથી પુ.૧૫/૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૯ સુધીના અંકો, જેમાંથી પુ.પ/૪, એપ્રિલ 1909 અને 5.6/7-8, જુલાઈ-ઑગસ્ટ ૧૯૧૦ના અંકો ખૂટે છે. જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૯ના સંયુક્ત અંક પછી “હેરલ્ડ' બંધ થયું. જૈનયુગ” : 5.1/1 ભાદરવો ૧૯૮૧થી પુ.પ/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986 સુધીના અંકો. આત્માનંદ પ્રકાશ': 5.2 (ઈ. ૧૯૦૫)થી પુ૨ (ઈ. ૧૯૪૬)ના અંકોજેમાંથી કેટલાંક વર્ષોની ફાઈલો ઉપલબ્ધ બની શકી નથી. જૈન ધર્મ પ્રકાશ': પુ.૧૯/૧, ચૈત્ર ૧૯૫૯થી 5.79 (સં.૨૦૧૮) સુધીના અંકો. જેમાંથી કેટલાંક વર્ષોની ફાઈલો ઉપલબ્ધ બની શકી નથી. જૈન': 5.4/1, 1 એપ્રિલ ૧૯૦૬થી 5.38 (ઈ.૧૯૩૯) સુધીના અંકો. ઉપલબ્ધ ફાઈલોમાંથી પણ ઠીકઠીક સંખ્યામાં અંકો ખૂટે છે. તે ઉપરાંત પુ.પ, 19, 30, 36 અને ૩થી ૪પની ફાઈલો મળી શકી નથી. “શ્રી જૈન સત્ય પ્રકાશ', જૈન રિટ્યૂ', “જૈન ધર્મ વિકાસ, જૈન હિતેચ્છુ, “રાજસ્થાન-ભારતી', “ભારતીય વિદ્યા', “જૈન સાહિત્ય સંશોધન', બુદ્ધિપ્રકાશ', સનાતન જૈન', અનેકાન્ત', બુદ્ધિપ્રભા', “જૈન પ્રકાશ', જૈન હિતૈષી વગેરેના છૂટક અંકો. કેટલાક સંગ્રહોમાંથી તેમજ કોઈ પુસ્તકની પ્રસ્તાવના રૂપે પણ લેખો પ્રાપ્ત થયા છે. આવું કેટલુંક નજર બહાર રહ્યું હોય જ.
Page #286
--------------------------------------------------------------------------
________________ WWWWWWWWWWWWWWwwwwwwwwww શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ જિ. 6-4-1885, લુણસર; અવ. 2-12-1945, રાજકોટ) એટલે જૈન ગૂર્જર કવિઓ” અને “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” એ વિરલ આકરગ્રંથોના નિર્માતા, સમર્થ | સર્વસંગ્રહકાર અને સૂચિકાર જ નહીં, પણ “જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ” અને “જૈનયુગ”ને સંસ્થાનાં વાજિંત્ર ન રહેવા દેતાં એમાં સાહિત્યિક, ઐતિહાસિક, સામાજિક વગેરે પ્રકારની માતબર સામગ્રી | પીરસનાર અત્યંત પરિશ્રમી પત્રકાર, લગભગ દશ ગ્રંથો થાય એટલાં, સામયિકોમાં દટાયેલાં વિચારાત્મક, ઐતિહાસિક, સાહિત્યિક વગેરે પ્રકારનાં લખાણોના તથા પ્રાચીન સાહિત્યકૃતિઓના લેખક-સંપાદક અને ખરા અર્થમાં એક વિદ્યાપુરુષ, અનેક જૈન સંસ્થાઓના વિનમ્ર કાર્યકર તરીકે જૈન સમાજની મૂલ્યવાન સેવા બજાવનાર અને એ સંસ્થાઓને નવા યુગનો પ્રાણ વહતી બનાવવાનો ઉજ્વળ ઉદ્યમ કરનાર, જૈનેતર સામાજિક-સાહિત્યિક પ્રવૃત્તિઓમાં પણ યથાશક્તિ યોગદાન કરનાર ને રાષ્ટ્રીય વિચારધારાના પુરસ્કર્તા - સરસપ્રહષ્કા અને ન સૂચિકાર આ ઉપર જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ’ વ્યવસ ત્યકારી, પંસ્થાનાં વાજિંત્ર ન રહેવા દેતાં એમ સ્પૃહ ભાવે કરવાના સિક, સામાજિક વગેરે પ્રકારની નષ્ટવક્તા, સત્યનિષ્ઠ, પીરસનાર અત્યંત પરિશ્રમી સાડા 3 નીતિનિષ્ઠ જીવ દ નદ- અનઃ નોનવવ્યક્તિત્વ.