________________
હેક
દ્વિતીય પરિચ્છેદ 'कृष्णलं अपयेत्' इत्यादावपि प्रत्यक्षस्यात्यन्तनिर्विषयत्वप्रसक्तौ तत्परिहाराय श्रुतौ लक्षणा उष्णीकरणे । 'नेह नानाऽस्ति किञ्चन' इत्यत्र प्रत्यक्षस्य कथंचिद्विषयोपपादनसम्भवे तु न प्रबलायाः श्रुतेरन्यथानयनमिति न कश्चिदप्यव्यवस्थाप्रसङ्गः ।
અને અદંત-શ્રુતિ અને પ્રત્યક્ષની બાબતમાં બને છે તેમ અહીં શ્રુતિને પારમાર્થિક વિષય અને પ્રત્યક્ષનો વ્યાવહારિક વિષય માનીને પ્રત્યક્ષનું ઉપપાદન કરવું શક્ય નથી, કારણ કે બ્રહ્મથી અતિરિક્ત બધું મિથ્યા છે એવું પ્રતિપાદન કરનાર છે પ્રકારના તાત્પર્ય-લિંગથી ઉપપન એવી અનેક ઋતિથી વિરુદ્ધ એવા એક અથવાદથી પ્રસ્તરમાં યજમાનના તાત્વિક તાદાસ્યનું પ્રતિપાદન સંભવતું નથી. એ જ પ્રમાણે “તત્વમસિ” (તું તે છે) વાકયથી ઢમ પદથી વાસ્થ (જીવ) સર્વજ્ઞત્વ, અકતૃત્વ, અકતૃત્વાદિથી વિશિષ્ટ બ્રા વરૂપ છે એ બધા કરાવવામાં આવે છે, તેમાં ત્યાં (જીવમાં) અસર્વજ્ઞત્વ, ભકતૃત્વાદનું પ્રત્યક્ષ તદ્દન આલંબન વિનાનું બની જાય છે તેથી તેનો પરિહાર કરવાને માટે “ અહંકારથી શખલિત (અર્થાત અન્તઃકરણથી વિશિષ્ટ) (ચૈતન્યનું) ભકતૃત્યાદિ છે અને તેનાથી વિરહિત શદ્ધ તે ઉદાસીન બ્રહ્મસ્વરૂપ છે એવી વ્યવસ્થાનો આશ્રય લઈને ભાગત્યાગલક્ષણાનો આશ્રય લેવામાં આવે છે. એ જ પ્રમાણે “SUરું થાત” વગેરેમાં પણ પ્રત્યક્ષ તદ્દન નિવિષય બની જાય એ પ્રસંગ થતાં તેના પરિવારને માટે યુતિમાં ઉણુકરણ (ગરમ કરવું)ને વિષે લક્ષણનો આશ્રય લેવામાં આવે છે. જ્યારે “ને નાનાહિત વિશ્વન' (અહીં કશું અનેક કે ભિન્ન નથી) એમાં પ્રત્યક્ષના વિષયનું કેઈક રીતે ઉપપાદન સંભવે છે તેથી પ્રબલ એવી કૃતિને જુદી રીતે અર્થ કરવા માં નથી આવે; માટે કોઈ પણ અવ્યવસ્થા પ્રસક્ત નથી.
વિવરણ : શંકા થાય કે અંત વિષયક કૃતિ અને (દૈત) પ્રત્યક્ષમાં વિધિ હોય છે ત્યાં જેમ કલ્પના કરવામાં આવે છે કે પારમાર્થિક અદત કૃતિને વિષય છે અને વ્યાવહારિક ત પ્રત્યક્ષને વિષય છે તેમ યજ્ઞમાનઃ વ્રત: જેની ચર્ચા ચાલે છે તેમાં એવી વ્યવસ્થા કલ્પી શકાય કે યજમાન અને પ્રસ્તરને વાસ્તવિક અભેદ શ્રુતિનો વિષય છે અને તેમને કલ્પિત ભેદ પ્રત્યક્ષને વિષય છે. આને ઉત્તર આપતાં કહ્યું છે કે અહીં આ શક્ય નથી. “ચામાનઃ પ્રતરઃ' એ અર્થવાદવાક્ય છે અને તે યજમાન અને પ્રસ્તરના વાસ્તવિક તાદાભ્યનું પ્રતિપાદન કરી શકે નહિ કારણ કે બ્રહ્માવંતનું પ્રતિપાદન કરનાર શ્રુતિઓ સાથે વિરોધ થાય.
શંકા : અદંતશ્રુતિઓ પણ વિધિરૂપ નથી માટે અર્થવાદથી તેમાં કઈ વિશેષતા નથી, તેથી અતતિ વાસ્તવિક અભેદનું પ્રતિપાદન કરી શકે જ્યારે આ અર્થવાદવાર્થ યજમાન અને પ્રસ્તરના વાસ્તવિક અભેદનું પ્રતિપાદન ન કરી શકે એમ નક્કી કરવા માટે કેઈ નિર્ણાયક લિંગ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org