________________
૪૦૨
सिद्धान्तलेशसमहः હતાં. માથું છેદયા પછી મૂચ્છ કે મરણમાંથી એક અવશ્ય થવું જોઈએ તેથી પ્રત્યક્ષ જોવામાં આવે છે તેનાથી વિરુદ્ધ અથવાળું તેવું વચન કે મુતિક ન્યાયથી ચોદ્ધા એના ઉત્સાહતિશયની પ્રશંસા પરક છે (–તેને પ્રશંસાપરક માનવું જોઈએ). અને જે તેવા પ્રભાવથી યુક્ત પુરુષ વિશેષ વિષયક (આ વચન) હેય તે વાસ્તવિક હકીકતનું કથન કરતું હોવા છતાં જે નિયમ (ઉપર) સમ જન્મે છે (કે વિલિષ્ટ ઉપાધિને ભેદ અનનુસંધામાં પ્રાજક છે) તે સર્ગિક (લ, માન્ય નિયમ) હેવાથી (તેમાં આ અપવાદ છે તેથી) (વિકિaષ્ટ ઉપાધિનો ભેઢ) અનનુસંધાનમાં પ્રાજક છે તેમાં વિઘાત થતું નથી (બનનુસંધાન વિશિષ્ટ ઉપાધિના ભેદ પર આધારિત છે એ સામાન્ય નિયમને લેપ થ નથી). તે વી કડે છે અને કહેવામાં આવશે તે પક્ષેમાંયેગીઓને અને પૂજન્મને વાત કરનારા એને અન્ય શરીરના વૃત્તાન્તનું અનુસંધાન થતું હોય તે તેમાં દેષ પ્રસક્ત થતો નથી.
વિવરણ: પગમાં કાંટે લાગ્યો હોય તે તેને ખેંચી કાઢ માટે હાથ કામે લાગી જાય છે માટે એમ સ્વીકારવામાં આવે છે કે હાથથી અવનિ આત્માને ચરણથી અવછિન્ન આત્માની વેદનાનું અનુસંધાન થાય છે. શંકા થાય કે આમ છે તો પછી ભેગાયતનને (ભાગના આશ્રયને) ભેદ અનનુસંધાનમાં કારણભૂત બને છે એમ માની નહી શકાય કારણ કે ચરણું અને હાથ જુદાં હોવા છતાં અનુસંધાન જેવામાં આવે છે. આ શ કાને દૂર કરવા માટે કેટલાક વિચારકે બીજી ઉપાધિનું નિરૂપણ કરે છે કે વિલિષ્ટ અર્થાત નહીં જોડાયેલી એવી ઉપાધિઓને ભેગાયતનેન) ભેદ અનનુસંધાનને પ્રયોજક છે. હાથ અને પગ એ બે ભાગાયતન ભિન્ન હોવા છતાં વિષ્ટિ નથી માટે અનુસંધાન સંભવે છે. પણ ચૈત્રને મૈત્રના દુઃખ કે સુખનું અનુસંધાન થતું નથી. અહીં પણ શંકા થઈ શકે કે ગર્ભસ્થ જીવનું જે ભેગાયતન છે તેને માતાના શરીરથી વિશેષ નથી તેથી ત્યાં અનુસંધાન થવું જોઈએ. આ શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે એક જ અવયવીમાં તેના અવયવરૂપે જે દાખલ થયેલાં ન હોય તેને “વિષ્ટિ ' તરીકે સમજવાનાં છે. ગર્ભસ્થ જીવનું ગાયતન અને માતાનું શરીર આ રીતે વિલિષ્ટ છે, તે એક અવયવના અવયવ નથી તેથી અનુસંધાન નથી.
આ બાબતમાં પણ શંકા થાય કારણ કે મહાભારતમાં એવું કથન છે કે માથા કપાયેલાં ધક શસ્ત્ર ઉગામીને પિતાનાં નીચે પડેલાં માથાંની આંખેથી જેઈને યુદ્ધભૂમિ પર શત્રુઓને પાડતાં હતાં. અહીં ચૈત્ર અને મૈત્રના શરીરની જેમ ધડ અને માથું ભિન્ન હોવા છતાં માથાથી અવછિન્ન આત્માને ધડથી અવચ્છિન્ન આભાના યોદ્ધાપણાનું અનુસંધાન તું એમ સમજાય છે. આનું સમાધાન કરતાં કહ્યું છે કે ચૈત્ર અને મંત્રનાં શરીર તે હમેશાં જુદાં જ રહ્યાં છે જ્યારે માથું અને ધડ તે એક શરીરમાં પહેલાં અનુપવિષ્ટ હતાં. વળી માથું છેડાય તે મૂરછ થવી જોઈએ કે મૃત્યુ થવું જોઈએ માટે મહાભારતના ઉપર્યુક્ત વચનને મુખ્ય અર્થમાં સમજી ન શકાય તેને અર્થ તે એમ જ લેવો જોઈએ કે માથા વિનાનાં ધડ પણ શત્રુઓને પાડતાં હોય તો બીજાઓની તે વાત જ શી કરવી (જિબુત અર્થે). આમ કેતિક ન્યાયથી યોદ્ધાઓના ઉ સાહતિશયની આ વચન પ્રશંસા કરે છે. માટે ઉપયુક્ત નિયમને ભંગ થતો નથી. હવે ક્યારેક ગબળે કરીને કે વરદાનના મહિમાને લીધે માથું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org