Book Title: Siddhantalesa Sangraha
Author(s): Esther A Solomon
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 605
________________ પ૭૪ सिद्धान्तलेशसहः નહિ. તેથી અહીં પણ મુક્તની ઈશ્વરભાવપત્તિનું જ સ્પષ્ટીકરણ સૂત્રકાર અને ભાગ્યકારે - આ ઉદાહરણનું પણ વિવેચન કરતાં વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ કહે છે:–અહીં આ વિચાર કરવામાં આવે છે કે પ્રતિબિંબત્વથી વિશિષ્ટ ચૈતન્યરૂપ જીવમાં રહેલાં સત્યસંક૯પત્યાદિના મુક્તિમાં શકય થતા આવિર્ભાવનું પ્રતિપાદન છે, કે બિંબcથા વિશિષ્ટ ચૈતન્યરૂપ ઈશ્વરના સત્યસંકઃપવાદિના અવિભવનું પ્રતિપાદન છે ? પહેલુ હોઈ શકે નહિ કારણ કે ઈશ્વરમાં રહેલાં સત્યસંકર પવ આદિની અપેક્ષાએ જીવમાં જુદાં સત્યસંક૫ત્વ આદિના અસ્તિત્વ માટે પ્રમાણુ નથી. ઈશ્વરનો જેમ જીવમાં પણ તેવું જુદુ એશ્વર્યા છે એવું પ્રતિપાદન કરનાર શાસ્ત્ર નથી. કવ ઈશ્વરથી અભિન્ન છે માટે તેમાં પણ ઈશ્વરની જેમ આ ધર્મ હવા જોઈએ એવું અનુમાન પણ કરી શકાય નહિ. લેકમાં બિબભૂત મુખથી અભિન્ન હોવા છતાં પણ પ્રતિબિંબ મુખમાં બિ બની જેમ સ્વછતા આદિ ધર્મ જોવામાં નથી આવતા માટે પ્રતિબિંબમા. બિંબના જેવા જ ધર્મો હોય એ નિયમ નથી વળી તવસાક્ષાત્કારથી અવિદ્યાની નિવૃત્તિ થતાં અવિદ્યાથી નિરૂપિત પ્રતિબિંબત્વની પણ નિવૃત્તિ થઈ જાય તેથી પ્રતિબિંબભૂત જીવમાં સયસંકઃપવાદિ વિદ્યમાન જ ન હોવાથી મુક્તિમાં તેમની અભિવ્યક્તિ સંભવે નહિ. અને બંધ-દશામાં તિરસ્કૃત સત્યસ ક૫ત્વ આદિને ઉપયોગ નથી તે સ્પષ્ટ રીતે છવમાં તેમની જુદી કલ્પના કરવી વ્યર્થ છે. એવી દલીલ ન કરી શકાય કે બંધદશામાં જ સગુણ વિદ્યાના ફલરૂપ અવાનર મુકિતમાં સત્ય કહ૫ત્વ આદિને ઉપયોગ છે તેથી એ વ્યર્થ નથી, આ દલીલ બરાબર નથી કારણ કે ત્યાં પણ ઈશ્વર સમાન સત્યસંકલ્પવ આદિની અભિવ્યકિત માનવામાં નથી આવતી, તેથી જીવમાં તેના સમાન એશ્વર્યા જે તિરહિત થયું છે તેની કલ્પના વ્યર્થ છે. તેથી પ્રતિબિંબભૂત ચૈતન્યરૂપ છવમાં પૃથફ સત્યસંકલ્પ– આદિની કલ્પના માટે કઈ પ્રમાણુ નથી તેમ તેનું પ્રયોજન નથી. ' તે જ પ્રમાણે બિંબભૂત ઈશ્વરમાં રહેલું સત્યસંક૯પ આદિ ઐશ્વર્ય બંધદશામાં જીવો પ્રતિ જીવોની અવિદ્યાએથી તિરહિત હે ઈશ્વર સાક્ષાત્કારથી મુકિતમાં તેમને એ અભિવ્યક્ત થાય છે એ બીજો પક્ષ પણ અનુપપન્ન છે, કારણ કે સત્યસંકલ્પ આદિથી વિશિષ્ટ ઈશ્વર અવિદ્યાથી આવૃત બને છે એમ માનવા માટે પ્રમાણ નથી “અત્યારે હું સત્યસંક૫ત્વ આદિ ગુણવાળા ઈશ્વર છું' એવો અનુભવ થતો ન હોવાથી સત્યસંકલ્પવ આદિથી વિશિષ્ટ ઈશ્વર આવૃત છે એમ કલ્પવામાં આવે છે... –એવી દલીલ કરી ન શકાય. તેનું કારણ એ કે પ્રતિબિંબભૂત જીને અને બિંબભત ઈશ્વરને કલ્પિત ભેદ માને છે તેથી જ જેમ એક જીવને બીજા જીવને સાક્ષાત્કાર થતો નથી તેમ જીવને ઈશ્વરને સાક્ષાત્કાર થઈ શકે નહિ તેથી સત્યસંકલ્પ– આદિથી વિશિષ્ટ ઈશ્વર આવૃત છે એવી કલ્પના વ્યર્થ છે. અને ઐશ્વર્યથી વિશિષ્ટ ઈશ્વર આવૃત છે એવી કલ્પના કરવામાં આવે તે આ વિશિષ્ટનું આવરણ કરનાર અવિદ્યાના નિવક જ્ઞાનને સંભવ ન હોવાથી તેની નિવૃત્તિ નહીં થાય એમ માનવું પડશે તરવમસિ આદિ વાકયથી જન્ય જ્ઞાન શુદ્ધચિત્માત્ર વિષયક છે, તે અસ્વર્યથી વિ શટ ઈશ્વરવિષયક નથી, તેથી તેનાથી અશ્વવિશિષ્ટ ઈશ્વરના આવરણની નિવૃત્તિ ન થઈ શકે. અને વિદ્યા શુદ્ધચિત્માત્રનું આવરણ કરે છે એમ માનવામાં આવે તે સત્ય. સંકલ્પ– આદિ ઐશ્વર્યાનું અવિદ્યાથી તિરોધાન સિદ્ધ જ થતું નથી. એવી દલીલ પણ ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624