________________
લાજેશ ननु स्वप्नेऽपि चक्षुरुन्मीलने गजाघनुभवः, तन्निमीलने नेति जागर इव गजाद्यनुभवस्य चक्षुरुन्मीलनाद्यनुविधानं प्रतीयते इति चेत्, 'चक्षुषा रजतादिकं पश्यामि' इत्यनुभववदयमपि कश्चित् स्वप्नभ्रमो भविष्यति यत् केवलसाक्षिरूपे स्वप्नगजाद्यनुभवे चक्षुराधनुविधानं तदनुविधायिनी वृत्तिाऽध्यस्यते । किमिव हि दुर्घटमपि भ्रम माया न करोति विशेषतो निद्रारूपेण परिणता, यस्या माहात्म्यात् स्वप्ने रथः प्रतीतः क्षणेन मनुष्यः प्रतीयते स च क्षणेन मार्जारः । स्वप्नद्रष्टुश्च न पूर्वापरविरोधानुपन्धानम् । तस्मादन्वयाद्यनुविधानप्रतीतितौल्येऽपि जापद्गजाद्यनुभव एव चक्षुरादिजन्यः, न स्वाप्नगजाद्यनुभवः ।।
શંકા થાય છે કે સ્વપ્નમાં પણ આંખ ખોલતાં હાથી અદિને અનુભવ થાય છે અને તે બંધ કરતાં થતો નથી તેથી જાગ્રસ્કાળની જેમ હાથી વગેરેને અનુભવ આંખના ખોલવા આદિને અનુસરતે તેની સાથે અન્વય-વ્યતિરેક સંબંધ ધરાવત, અનુવિધાથી) જ્ઞાત થાય છે. આ શંકાનો ઉત્તર છે કે “આંખથી રજત આદિ જોઉં છું” એ અનુભવની જેમ આ પણ કેઈક વનભ્રમ થશે કે કેવળ સાક્ષીરૂપ સ્વનગજ આદિના અનુભવમાં ચક્ષુ આદિનું અનુવિધાન, અથવા તેની અનુવિધાયી વૃત્તિ અધ્યસ્ત થાય છે. એ કયે દુઘટ પણ ભ્રમ છે જેને માયા કરતી નથી, ખાસ કરીને નિદ્રારૂપથી પરિણમેલી માયા, જેના માહાયથી સવમમાં પ્રતીત થયેલે (દેખાવેલ) રથ ક્ષણમાં મનુષ્ય દેખાય છે, અને તે ક્ષણમાં બિલાડો દેખાય છે, અને સ્વપ્ન જોનારને પૂર્વાપર વિરોધનું અનુસંધાન થતું નથી! તેથી અન્વયાદિ અનુવિધાનની પ્રતીતિ સમાન હોવા છતાં પણ જા તુ- હાથી આદિને અનુભવ જ ચક્ષુ આદિથી જ છે, સ્વનરાજ આદિનો અનુભવ ચક્ષુ આદિથી જન્ય નથી.
વિવરણ : સ્વાન અનુભવ જો સાક્ષિરૂપ હેય ને આંખ ખુલ્લી હેય તે સ્વપ્નગજને અનુભવ થાય, આંખ બંધ હેય તે ન થાય એ જે ચહ્ન આદિ સાથે અનુભવને અન્વયવ્યતિરેક સંબંધ જ્ઞાત થાય છે તેની સાથે વિરોધ છે–એવી શંકા થાય તેનું સમાધાન દષ્ટાંત રજૂ કરીને કર્યું છે. વ્યાખ્યાકાર સ્પષ્ટતા કરતાં કહે છે કે જામકાળમાં ચક્ષુ આદિનું અનુવિધાન કરતી વૃત્તિ જાણીતી છે તેને સ્વપ્ન સાક્ષી પર અધ્યાસ કરવામાં આવે છે એ જે કહેવામાં આવ્યું છે તેને યથામૃત (અક્ષરશ:) અર્થ લેવાને નથી, કારણ કે આમ માનતાં અન્યથાખ્યાતિ માનવી પડે (જે કેવલાદ્વૈત વેદાન્તીને માન્ય નથી); પણ “વત્ સર્વ ચેન થઇને વશ્યતિ' (આ તે અન્તઃકરણ છે જેનાથી સ્વપ્ન જુએ છે) એ શ્રુતિને અનુસરીને કહપતરુના કર્તાએ ગજ આદિને વિષય કરનારી માનસવૃનિ માની છે તેમાં ચક્ષુરાદિના અવિધાયિત્વને અધ્યાસ છે એવો અર્થ છે. આમ કેવળ સાક્ષરૂપ એવા સ્વપ્નગાદિના અનુભવમાં ચક્ષુ આદિના અનુવિધાનને અધ્યાસ કરવામાં આવે છે; અથવા તેનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org