________________
૪
પ્રબુદ્ધ જીવન
‘પ્રેકટિકલ’ ન બને. અમને તો જે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન ન આપી પોતાનું કામ કરાવે એ અસીલ પણ ફી આપે અને જે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી પોતાનું કામ કઢાવી લે એ પણ સેટલ કરાવવા તગડી ફી આપે. વર મરો, કન્યા મરો, ગોરનું તરભાણું ભરો!!
આ રીતે નવી પેઢીને ભ્રષ્ટાચાર આપણે જીવનશૈલી અને એક શિષ્ટાચાર તરીકે સંસ્કારમાં ચામડીની જેમ આપ્યો છે, એ કેમ કરીને ઉતારીશું ? લોહી નીકળશે ?
મે ૨૦૧૧
કાયદા કે ભયથી જ નાથી શકાશે ? એવું કદાચ થાય તો એ અગ્નિ ઉપર રાખ હશે, પાણી નહિ હોય. જેને આવી ભ્રષ્ટ આવકની આદત પડી ગઈ હશે એ કાયદામાંથી પણ છટકબારી શોધી કાઢશે. ગાંધીજી કહેતા કે દેશ આઝાદ થશે પછી મને દેશના બૌદ્ધિકોની દાનત ઉપર શંકા છે, એ એમની બુદ્ધિનો સદ્ઉપયોગ નહિ કરે તો આ લોકો જ દેશને કરડી જશે, અને આ ૬૪ વરસમાં એ જ થયું છે. જેટલી પ્રગતિ થઈ છે એ સાચા અને પ્રમાણિક શ્રમિકોને કારણે થઈ છે, અને બૌદ્ધિકોનું તો ધન અને બુદ્ધિ પરદેશમાં જ છે. સાધુ સમાજ
મારા એક રાજકારણી કૉલેજ મિત્ર, જે ગુજરાત અને કેન્દ્ર સરકારમાં મંત્રી સ્થાને હતા, એમણે આ વહીવટી અમલદારો માટે મારી પાસે બળાપો કાઢો કે, ભલે મંત્રી તરીકે અમારી પાસે સત્તા હોય, પણ અમારે સહાય તો આ અમલદારોની જ લેવાની હોય છે, કારણ કે એઓ એ વિષયમાં તજજ્ઞ હોય છે, વધુ દબાણ કરીએ કે એમના ભ્રષ્ટાચારને પકડીએ તો રોકડું પરખાવી દે કે ‘સાહેબ તમે તો આ ખુરશી ઉપર થોડાં સમય માટે જ છો, અમે તો નિવૃત્તિધર્મવચન જ કરી શકશે.
સુધી અહીં અને અહીંથી પણ પ્રમોશન સાથે ‘ઊંચી’ જગ્યાએ જઈશું, ત્યારે ક્યારેક તમને અમારું કામ પડશે જ. ત્યારે તમારે અમારી સામેની ખુરશી ઉપર બેસવું પડશે, ત્યારે ?'
અંગ્રેજોએ ઘણાં વરસ આપણા ઉપર રાજ કર્યું, અને વારસામાં બે પદ્ધતિ એવી આપી ગયા કે આઝાદીના ૬૪ વરસમાં આપણે એમાં કોઈ ફેરફાર કરી ન શક્યા. એક શિક્ષણ પદ્ધતિ અને બીજું આ આઈએએસ, આઈપીએસ, વગેરેની વહીવટી પદ્ધતિ, આપણાં દેશ ઉપર નેતાઓ કરતા વિશેષ ‘રાજ' તો આવા ભ્રષ્ટ અધિકારીઓ જ કરે છે. ઈન્સ્પેક્ટરથી માંડી ‘ઉપ૨’ સુધી બધાંને ‘ખાવું’ છે. આ ઈન્સ્પેક્ટરરાજથી વેપાર-ઉદ્યોગ કેટલા ત્રસ્ત છે એ કોઈ વેપારીઉદ્યોગપતિને પૂછશો તો એમના ચહેરા ઉપર ક્રોધની રેખા ઉપસી આવતી દેખાશે.
લોકપાલ બીલ આજે ૪૨ વરસથી લટકે છે. કેમ? અને હજુ લટકવાનું જ. આ વહીવટકારો અને રાજકારણીઓ પોતાના પગ ઉપર કુહાડી મારશે ? હજુ તો થોડા વધુ અણ્ણા હજારે, બાબા રામદેવ અને ઉપવાસો જોઈશે.
ભયથી જે શાંત થશે તો રાખ જેવું ક્ષણિક હશે. જ્યારે હૃદય પરિવર્તનનું પાણી આ બધાં ‘મહાનુભાવ’ ઉપર છંટાશે ત્યારે જ
આ ભ્રષ્ટાચારનો અગ્નિ સમી જશે. અને આ કામ સમગ્ર ભારતનો પવિત્ર સાધુ સમાજ જ કરી શકશે. જે કાયદો નહિ કરી શકશે એ
વ્યક્તિ ધર્મ માટે જીવે અને ધર્મ માટે લડે છે, ધર્મથી જીવે છે. ધર્મ જ ક્રાંતિનું નિર્માણ કરે છે અને ધર્મ જ શાંતિનું સર્જન કરે છે. ધર્મ વચન ઝીલવું અને એ પ્રમાણે જીવવું એ એના સંસ્કારમાં વણાઈ ગયું છે. ધર્મનો આદેશ માનવામાં એ પોતાના જીવનની સાર્થકતા સમજે છે. આપણા ઋષિ મુનિઓના વચનો એમણે શિરોમાન્ય કર્યા હતા. એટલે વ્યક્તિને ધર્મની ભાષામાં જ આ ધર્માચાર્યો દ્વારા ભ્રષ્ટાચારને ઓગાળી દેવાનો આદેશ અપાશે તો ધાર્યું પરિણામ આવશે. આપણા ધર્મગુરુઓએ એમના અનુયાયીઓને ભ્રષ્ટાચારના નર્કાગારમાંથી ઉગારવાના છે. વર્તમાનમાં આ જ એમનો સાચો ધર્મ છે. એક સર્વેક્ષણ મુજબ આજના ૯૧% યુવાનોને ઈશ્વર અને ધર્મમાં શ્રદ્ધા છે.
અમે નાના હતા, ત્યારે ગામમાં કોઈ સાધુ પુરુષ કે સાધ્વી પધારે
મારો યુવાન પુત્ર મને ચોખ્ખું પરખાવી દે છે કે અમારે આત્યારે વડીલો એમની પાસે જઈ એમની સેવા કરવાનું અને ઉપદેશ ઈન્સ્પેક્ટરરાજના વિષચક્રમાં નથી ફસાવું, આની કરતા પરદેશ સારો અથવા મોટી નોકરી સારી. મારા ઘણાં મિત્રોએ દેશભાવનાથી આ દેશમાં આવી ઉદ્યોગો શરૂ કર્યા, અને અમલદારશાહીથી ત્રાસી પરદેશ જતાં રહ્યાં છે.
ગ્રહણ કરવાનું અમને કહે. એક વખત મારા મોટા ભાઈએ મારા પિતાશ્રીને કહ્યું, ‘હું એમને પગે લાગવા નહિ જાઉં.’ ‘કેમ ?’ ‘જ્યારે જ્યારે હું આ બધાં પાસે જાઉં છું ત્યારે ત્યારે બધાં મને કાંઈક ને કાંઈક બાધા લેવાનું કહે છે, મેં ઘણી વાર લીધી.' મારા પિતાજીએ કહ્યું કે, “મને તો નથી લાગતું કે તેં બધી બાધા લીધી હોય.' ભાઈએ કહ્યું, ‘ઘણી બાધાઓ નહિ, ઘણી બધી વાર એકની એક જ બાધા લીધી છે. હવે મારાથી ખોટું નહિ બોલાય, વારે વારે એક બાધા લીધી છે એ હું જીવનભર પાળીશ જ.'
તો શું નિરાશ થવાનું ?
સાધુ સમાજ અને ધર્મગુરુઓનો આ પ્રભાવ છે.
આપણી વર્તમાન જીવનશૈલી, સામાજિક વ્યવસ્થા અને સંસ્કાર તેમજ લોહીમાં રસાયણની જેમ એકરસ થયેલા આ ભ્રષ્ટાચારને
આપણો સાધુ સમાજ અને ધર્મગુરુઓ એમના ભક્તોને બસ એક જ બાધા લેવડાવે, 'હું ભ્રષ્ટાચાર કરીશ નહિ, અને ભ્રષ્ટાચારની
૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) - ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65)
• ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150)