Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 333
________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ૭ વર્ષ ‘પ્રબુદ્ધ જીવન’ : ૫૮ અંક : ૧૧ નવેમ્બર ૨૦૧૧ ૭ વિક્રમ સંવત ૨૦૬૮ વીર સંવત ૨૫૩૮ ૭ કારતક વદ-તિથિ-૫ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા (૧૯૨૯ થી પ્રારંભ, ૮૨મા વર્ષમાં પ્રવેશ) પ્રભુટ્ટ જીવા વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/- ૦ ૦ ૭૦ છૂટક નકલ રૂા. ૧૦/- ૭ ૭ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ અમારા રસિકભાઈ રસિકભાઈ એટલે એક ફૂલ-ગુલાબી વ્યક્તિત્વ. પ્રત્યેક પાનખરે એ વંસત જેવા લાગે એવા નિરોગી અને સ્ફૂર્તિના ફુવારા જેવા. એમને મળો એટલે આપણી અંદર છૂપાયેલો વિશાદ ઓગળી જાય અને આપણને સ્મિત ઓઢાડી દે એવા એ ઉષ્માભર્યા. માત્ર જ્ઞાતિ અને સ્વધર્મીજનો જ નહિ પણ માનવ માત્ર માટે મદદ માટે તૈયાર, પોતાની પાસેથી આપવાનું ઓછું પડે તો ઝોળી લઈને અન્ય કાજે માગવા ઉત્સાહભેર નીકળી પડે. ‘પરકાજે માગવામાં શરમ શેની?’ એ એમનો સેવા મંત્ર, અને દાતા પણ હસતા હસતા એમની ઝોળી છલકાવી દે એવા આ સંસ્કાર મૂર્તિ. મસ્તકથી ચળકતા બૂટ સુધી જેટલા સુઘડ અને સ્વચ્છ એટલાં જ નહિ, એથી યે વિશેષ ‘અંદર’થી સ્વચ્છ, પારદર્શી વ્યક્તિત્વ. નામ પ્રમાણે રસિક અને રસજ્ઞ પણ એટલા જ, અને આ રસિકતામાંય એમનું આભિજાત્ય છલકે એવા એ ‘ઈસમ’. ખોટું કે અન્યાય સહન કરે નહિ, અને કોઈ હૃદય કે બુદ્ધિને ન સ્પર્શે એવું બોલે, એવી વાત કરે તો કોઈ પણ શેહશરમ રાખ્યા વગર પોતાને ‘સાચું’ લાગે એ ‘રોકડું’ પરખાવી દે એવા આ કાઠિયાવાડી મરદ માણસ. ક્રિયામાં ન માને પણ કર્મ અને પુરુષાર્થમાં જ માનવું એ જ એમનો ધર્મ. જન્મે જૈન પણ ‘સમજણ’થી પૂરા બુદ્ધિવાદી અને પાક્કા ‘રેશનાલિસ્ટ’. વાંચન વિશાળ પણ બુદ્ધિ સંમત થાય એ ‘વાત’ને જ માને. સંગીતના જાણતલ આ ઈન્સાનનું જીવન પણ સંવાદો અને તાલથી ભર્યુંભર્યું હતું, અને અતિથિ દેવો ભવઃ એ સૂત્ર તો એમની અને એમના પરિવારની નસેનસમાં ધબકતું હતું. અમારા ડૉ. રમણલાલ ચી. શાહ આ સંસ્થાના પ્રમુખ તરીકે ૧૪ વર્ષ રહ્યા અને ૭૦ની વય થતાં, એઓશ્રીએ પ્રતિજ્ઞા લીધેલ કે હવે દરેક હોદ્દા પરથી નિવૃત્તિ લેવી, એ સિદ્ધાંતે તા. ૭-૧૨-૧૯૯૬માં પોતાની દીર્ઘદ્રષ્ટિથી અને સર્વ સંમતિથી આ સંસ્થાનું પ્રમુખ પદ અમારા રસિકભાઈને સોંપ્યું. માનવ કલ્યાણ અને જ્ઞાનની વિવિધ પ્રવૃત્તિથી આ સંસ્થાને એક ઊંચી ઊંચાઈએ ડૉ. રમણભાઈએ પહોંચાડી અને એ ઊંચાઈની લગામ પ્રેમાગ્રહથી, રસિકભાઈની ઈચ્છા ન હોવા છતાં, રસિકભાઈને સોંપી અને શ્રી રસિકભાઈ આ અંકના સૌજન્યદાતા શ્રીમતી કેતકી રાજ વાધવા સ્મૃતિ : સ્વ. રાજ લાલચંદ વાધવા આ સંસ્થાના પ્રમુખસ્થાને જીવનના છેલ્લા શ્વાસ સુધી, ૧૫ વર્ષ રહી આ સંસ્થાને ડૉ. રમણભાઈએ યોજેલ પ્રવૃત્તિ યથાતથ રાખી નવી સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ ઊમેરી આ સંસ્થાને સર્વના સાથ સહકાર થકી એક વિશેષ ઊંચાઈએ રસિકભાઈ લઈ ગયા. રસિકભાઈની સેવા પ્રવૃત્તિનો વ્યાપ માત્ર આ સંસ્થા પૂરતો જ મર્યાદિત ન હતો. અનેક સામાજિક સંસ્થાની પ્રવૃત્તિઓ સાથે તન, મન અને ધનનું યોગદાન આપી એઓ સંકળાયેલ હતા. રાણપુર પ્રજા મંડળ, રાણપુર એજ્યુકેશન સોસાયટી, રાણપુર પાંજરાપોળ, રાણપુર હૉસ્પિટલ, વિકાસ વિદ્યાલય-વઢવાણ-જૈન સોશ્યલ ગ્રુપ • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિના૨, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપૉર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ • Website : www.mumbai_jainyuvaksangh.com e email : shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402