________________
૧૪
પ્રબુદ્ધ જીવન
સરનામા વગરના માનવી-વિચરતા સમુદાયો
પ્રેમથુરાદાસ એમ. ટાંક
[ શ્રી મુંબઈ જૈન યુવક સંચે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન અત્યાર સુધી ગુજરાતની ૨૬ શૈક્ષક સંસ્થાઓને પોણા ચાર કરોડનું અનુદાન પહોંચાડ્યું છે. આ વર્ષે ૨૫ ઓગસ્ટના પ્રારંભા ૭૭ વ્યાખ્યાનમાળા સમયે આ સરનામા વગરન્ત ભટકી જાતિના બાળકોના શિક્ષણના મકાન માટે દાન એકત્રિત કરવાનો સંસ્થાએ નિર્ધાર કર્યો છે. અમને શ્રદ્ધા છે કે આ વિચરતા સમુદાય સમર્થન મંચ'ના બાળકોના શિક્ષણ માટે દાની શ્રોતાઓ ઝોળી છલકાવી દેશે.]
ભારતને આઝાદી મળ્યાને ૬૪ વર્ષ થયા પણ ભારતની કદાચ ૩ કરોડથી વધારે વસ્તી એવી છે કે જેની પાસે નથી ઘર, નથી રેશન કાર્ડ, નથી ભણતર અને નથી મતદાર યાદીમાં નામ. આ લોકો ભટકતા વિચરતા સમુદાયના કહેવાય. આ સમુદાય તે સરનામા વગરના માનવી. ગુજરાતમાં આશરે ૪૦ લાખ આવા લોકો રહે છે. વિચરતા સમુદાયની આશરે ચાલીસ જાતિઓ ગુજરાતમાં રહે છે.
આ વિચરતો અને ભટકતો સમુદાય એટલે નટ, બજાણિયા, ભવૈયા, મદારી, ભરથરી, ગારૂડી, કાથોડી, પારધી, વણઝારા, સરાણિયા, કાંગસિયા, વૈરાગી વગેરે. ગામેગામ ફરી. ઈતર પ્રજાને એમના કામમાં મદદ કરતા, ગામવાળાને મનોરંજન કરાવતા અને એ રીતે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા.
આ પ્રજાને આઝાદીનો ખાસ લાભ થયો નથી. તેમને પ્રસ્થાપિત કરવામાં વ્યક્તિગત, સામૂહિક કે સરકારી કક્ષાએ બહુ ઓછા પ્રયત્નો થયા છે.
જુલાઈ, ૨૦૧૧
ગુજરાતના સદ્દનસીબે આ કામ ગુજરાત રાજ્યની એક ખેડૂતને ત્યાં જન્મેલી પણ કૉલેજમાં ભણેલી અમદાવાદમાં રહેતી ૨૫ વર્ષની યુવતીએ આ ભગીરથ કામ કરવા માટે બીડું ઝડપ્યું છે. તેનું નામ મિત્તલ પટેલ, જેનો રોજનો કાર્યક્રમ સવારે ૭ વાગે નીકળી જવું અને રાતના ૧૨ વાગે આવવું, ૩૬૫ દિવસ કામ, કામ અને કામ. એને કોઈ ઋતુ રોકી શકતી નથી. કોઈ શક્તિ અટકાવી શકતી નથી એનામાં ગજબની હિંમત, નીડરતા અને આત્મવિશ્વાસ છે.
કઈ જાતિના કેટલા પરિવાર છે તો તેનો જવાબ તે એક સેકંડમાં જ આપી દેશે.
એક જમાનામાં ઈતર સમાજનો સમુદાય આ ભટકતી જાતી પાસેથી જરૂરી સેવાઓ લેતો જેમકે ઓડ જાતિ માટી કામમાં પાવરધા, કાંગસિયા લાકડામાંથી કાંસકી બનાવે, વાંસફોડ જાતીવાળા સૂંડલા, ટોપલા બનાવે, સરાણિયા છરી ચાકુની ધાર કાઢી આપે વગેરે. આજે નવી લાઈફ સ્ટાઈલમાં લોકોને આની સેવાઓની જરૂર નથી. બીજા સમુદાય પાસેથી એમને રોટલો રળવામાં મુશ્કેલી પડે છે. તેથી આવા સમુદાયના પરિવારો બેકાર બનતાં ગયાં. બેકારીને લીધે તેઓ આડા રસ્તે ફંટાણા અને સ્ત્રીઓ દેહ વ્યવસાયમાં પડી ૧૮૯૨માં બ્રિટીશ સરકારે આ પરિવારોને Notified Criminals તરીકે જાહેર કરેલા. આ પરિવારમાં જે જન્મ એ ગુનેગાર, એમને વારંવાર પોલીસ સ્ટેશનમાં જઈ હાજરી પુરાવવી પડતી હતી. ગામમાં ક્યાંય પણ લૂંટફાટ, ચોરી, દંગો થાય તો આ પરિવારના માણસને પોલીસ જેલમાં બેસાડી દેતી, તે ગુન્હેગાર હોય કે નહીં તેને જેલમાં જવું પડતું. આ કાયદો ભારત સરકારે ૧૯૫૨માં ૨૬ બાતલ કર્યો જેની રૂએ આ પરિવારના કોઈને પણ પોલીસ સ્ટેશનમાં હાજરી આપવામાંથી મુક્તિ મળી. Notified Ciminalsનું લેબલ નીકળી ગયું.
કે
આ બધા કામમાં નાણાંની સખત જરૂર પડે. એવા સમયે મિત્તલનો પરિચય કચ્છ રાજ્યના અધા તરીકે હુલામણા નામથી પ્રખ્યાત સમાજ સેવક લીલાધરભાઈ ગડા સાથે થયું. એમના
આ લોકોની પરિસ્થિતિ જોઈ મિત્તલને પારાવાર દુઃખ થયું.આગમનથી નાણાંની સ્થિતિ હળવી થઈ. લીલાધરભાઈના સહકારથી
પોતાની જાત ઉપર ધિક્કાર-તિરસ્કાર થશે, ભણી ગણીને મારું જ્ઞાન કામ ન આવે તો ભણતરનો અર્થ શો ? તે દિવસથી તેને ? IAS થવાનું માંડી વાળ્યું અને વિચરતી જાતિના પરિવાર માટે તેમના હક્કો માટે, તેમને ભોગવવી પડતી મુશ્કેલીઓમાંથી તેમને બહાર કાઢવાનું બીડું ઝડપ્યું,
આ ટ્રાઈબલ અને ભટકના સમુદાય માટે તે ગુજરાત રાજ્યના ગામડે ગામડે ફરી આવી. આ સમુદાયની રજેરજની માહિતી એકઠી કરી, તેનો રીપોર્ટ જાતે તૈયાર કર્યો. દિવસોના દિવસો સુધી ઘરની બહાર રહી ખાવા પીવાની દરકાર કર્યા વગર સતત કામ કર્યું. આજે એને ઉંઘમાંથી ઉઠાડીને પૂછો કે ફલાણા ગામ, ફલાણા તાલુકામાં
મિત્તલના કાર્યમાં વેગ આવ્યો. ૨૦૧૦માં મુંબઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રશ્મિનભાઈ સંઘવીને લીલાધરભાઈ મળ્યા. મિત્તલ પટેલના અભિયાન બાબત વાત કરી અને રશ્મિનભાઈને રસ પડ્યો. તેઓને માટુંગા-મુંબઈમાં ધરણાં સામાજિક કાર્યો કર્યા છે. તેવો પોતે જાતે અમદાવાદ જઈ મિત્તલને મળ્યા. એની વાર્તા સાંભળી અને એની સાથે પરિસ્થિતિનો ક્યાસ કાઢવા ગામડે ગામડે ફર્યાં. તેવો દિગ્મૂઢ થઈ ગયા કે ૨૦ વર્ષની યુવતી શું કરી શકે છે? પોતે જે સામાજિક સેવા કરે છે તે એમને મિત્તલની સેવા સામે વામણી તે લાગી. પળનો પણ વિચાર કર્યા વગર તેઓ તે દિવસથી મિત્તલ સાથે જોડાયા. મુંબઈના કોઈ પણ કામ માટે રશ્મિનભાઈએ