________________
૪
પ્રબુદ્ધ જીવન
શાહ વચ્ચે સ્થાન ગ્રહણ કરી એક પુસ્તકમાંથી જિજ્ઞાસુઓને સ્વાધ્યાય કરાવતા હતા. અહીં એઓશ્રી પંડિતજી હતા – પછી ખબર પડી હતી કે એઓ પૂ. બહેનશ્રી બહેનના ભાઈ હતા અને જૈન તત્ત્વના પ્રખર પંડિત હતા. આ દૃશ્યથી મારા મસ્તિકમાં વિજ્ઞાન અને ધર્મ-તત્ત્વ પ્રત્યે સંઘર્ષ જાગ્યો. સ્વાધ્યાય પૂરો થયા પછી સમૂહમાં એક દીર્ધ સ્તોત્રનું ગાન ગુંજ્યું, 'આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના શબ્દો અને ધ્વનિનો મને આ પહેલો પરિચય. કાંઈ સમજાયું ન હતું, પણ ગમ્યું હતું. મન પ્રસન્ન જરૂર થયું હતું. અજાણપણે કોઈ બીજ આત્માના ઊંડાણમાં રોપાઈ ગયું હતું.
વરસો પસાર થતાં ગયાં. કોઈ જગ્યાએથી પસાર થાઉં અને એ પ્રવેશની ‘હા’ મળી. મારું મન તો નાચી ઊઠ્યું. ગાનનો ધ્વનિ સંભળાય, તો, ત્યારે પગ થંભી જતા.
એમ.એ.માં મારો વિષય સાહિત્ય સાથે લીંગવિસ્ટીક (Lingvistic) ભાષાશાસ્ત્ર. ડૉ. કલાર્બન અને હું અમે યુનિવર્સિટીના આ વિષયમાં પહેલાં બે જ વિદ્યાર્થીઓ. ડૉ. ગજેન્દ્ર ગડકર અમારા પ્રાધ્યાપક. આ વિષયમાં શબ્દ અને શબ્દના ધ્વનિની ચિરંજીવતા અને શરીર મન ઉપર થતી એની અસર વિશે ભણ્યા. અને ત્યારે વારે વારે ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો ધ્વનિ મન ઉપર ઉપસી આવે.
આ સ્તોત્રગાનની વિવિધ કેર્સટી અને સી.ડી. એકત્ર કરી, પણ ધ્યાનપૂર્વક સાંભળવાનો અવસર ન મળ્યો, પરમ મિત્ર પ્રા, પ્રતાપભાઈ ટોલિયાએ તો આ સ્તોત્રના થયેલા સાત ભાષાના અનુવાદનું પુસ્તક અને એમના કંઠે ગવાયેલ સી. ડી. પણ પ્રેમભાવે મોકલી હતી.
ઑક્ટોબર, ૨૦૧૧
એના દિવ્ય અર્થો ન સમજાય છતાં હૃદયમાં એક ભાવભર્યું મુગ્ધ વાતાવરણ સર્જાઈ જાય જ. આ ભાવમાં મન મગ્ન હતું ત્યારે એક વખત ભાવનગરથી કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી આશ્રમમાં પધાર્યા અને ગીતાંજલી, ટાગોર અને શાંતિ નિકેતનની પોતાની ભાવવાહી બાનીમાં વિગતે વાર્તા કરી અને મારી આંખમાં શાંતિનિકેતન ભણવા જવાનું અંજન અંજાયું.
મેં તો દૃઢ નિશ્ચય જ કરી લીધો અને જેવું એસ.એસ.સી.નું પરિણામ આવ્યું એટલે તરત જ શાંતિનિકેતનનું ફોર્મ ભર્યું. સદ્દનસીબે
અમારા પૂ. રમણભાઈ કહેતા કે આગમ ન વાંચી શકે એમણે આ સ્તોત્રના ઊંડાણમાં જવું અને આ સ્તોત્ર વિશે જ્યાં જ્યાં જે લખાયું હોય એનું અધ્યયન કરવું, એથી મન શુભભાવમાં રમણ કરતું રહેશે. શ્રીમદ્ભુ પોતે પણ પત્રમાં લખતા કે, ‘અમે આ કહ્યું છે તે આગમ છે. આગમમાંથી આ વાત મળી રહેશે. કદાચ ન મળે તો અમે કહ્યું તે આગમ છે.’
આ સ્તોત્ર વિશે સંત વિદ્વાનોએ લખેલા લગભગ દશ ગ્રંથો હમણાં ચાર માસ પહેલાં ભેગા કર્યા. દૃષ્ટિ સમક્ષ મૂકી રાખ્યા છે, પણ હજી એ વાંચી શકું એવો પુણ્યોદય નથી થયો! અફસોસ તો છે જ, પરંતુ આત્મા અને મન અભાનપણે આ સ્તોત્રમાં જડાઈ અને જોડાઈ ગયા છે એની આનંદ પ્રતીત થઈ રહી છે.
(૨)
શાળા જીવન દરમિયાન સાહિત્ય ક્ષેત્રે અમારા યુગ ઉપર ક. મા. મુનશી, રમણલાલ દેસાઈ વગેરે લેખકોનો પ્રભાવ તો ખરો જ, ઉપરાંત પરભાષી લેખકો, વી સ. ખાંડેકર, શરદબાબુ અને ટાગોરનો પ્રભાવ તો એટલી હદે કે એ સર્જકો ગુજરાતી જ લાગે એટલા આત્મસાત્ થયેલા.
ટાગોર મને વિશેષ ગર્મ. અમારા સુપ્રિન્ટેન્ડેન્ટ અને કચ્છના મેઘાણી જેવા કવિ સાહિત્યકાર પૂ. દુલેરાય કારાણી અમને એમના લહેકામાં ભાવવાહી ધ્વનિથી 'ગીતાંજલી'ના કાવ્યો સંભળાવે ત્યારે
પરંતુ બધાનાં બધાં સ્વપ્ના ક્યાં સાચા પડે છે ? ટાગોર જે ધરતી ઉપર વિહર્યા હતા, જ્યાં એમણે નર્તન કર્યું હતું, જ્યાં એમની કવિતા મ્હોરી હતી, એ ધરતીને ભેટવા મન તડપ્યું હતું. પણ પરિવારની સંમતિ ન મળી. ઘણી મથામણ અને દલીલો થઈ પણ આપણને કોણ સમજે ? વિરાક જનો તો ધન વેપારને જ મહત્ત્વ આપે ને!!
શાંતિનિકેતન ચિત્તમાંથી ખસતું ન હતું. ક્યારે એ ધરતીના દર્શન થશે ? જાણે ટાગોરનું ભૂત ભરાયું. આ નિષ્ફળતા દૂર કરવા કૉલેજના શિક્ષણ સાથે ટાગોરનું ફરી વાચન કર્યું. મુંબઈના બાબુલનાથ પાસે બંગાળી કલાસ ચાલતા હતાં ત્યાં એક મિત્ર સાથે બંગાળી શીખવાનું શરૂ કર્યું. રવીન્દ્ર સંગીત અને બંગાળી ‘બાઉલ’ ગીતો જ્યાં જ્યાં પ્રસ્તુત થાય, ત્યાં મન દોડી જતું. બેઝોન સ્ટેડિયમમાં ટાગોરની શતાબ્દી ઉજવાઈ ત્યારે ‘રક્તકરોબી’ અને ‘સુધિત પાષાણ' જેવા નાટકો જોયા. ટાગોરની નવલકથા ઉપરથી બનેલી ફિલ્મો જોઈ આત્માત કરી.
શાંતિનિકેતનના દર્શન કરવાની ઈચ્છા પ્રબળ થતી ગઈ પણ પચાસ વરસના સમયમાં અવસર ન જ મળ્યો. ઈચ્છા તો તીવ્રત૨ થતી જ ગઈ.
(e)
આ જુલાઈના બીજા અઠવાડિયાની એક મોડી રાત્રે આત્મબંધુ જેવા પરમ મિત્ર શ્રી બિપીનભાઈ જૈન અને એમની સુપુત્રી રેશ્માનો ફોન આવ્યો, અને પ્રેમ હુકમ કર્યો કે અઠવાડિયા પછી આપણે ત્રણે ભૂતાન જઈએ છીએ અને ત્યાંથી શાંતિનિકેતન જઈશું.
ઘણાં વરસોથી જે સ્થળે જવાની તીવ્ર ઈચ્છા હોય, એવી જગ્યાએ જવાનું આવા સહૃદયી સ્વજનનું આમંત્રણ મળે, એમાં મને તો મારી શાંતિનિકેતનના દર્શનની ફળતી શ્રદ્ધાનો અનુભવ થયો.
કોઈ પણ પ્રકારનો ઔપચારિક વાર્તાલાપ ન કરતો, ભૂતાન માટે મેં મારી અશક્તિ પ્રતિકૂળતા દર્શાવી, પણ સાથે શાંતિનિકેત્તન દર્શન માટે ત્વરિત હા પાડી.
શાંતિનિકેતન જેવું સ્થળ હોય, સાથે આત્મબંધુ જેવા સ્નેહાળ મિત્ર બિપીનભાઈ હોય અને એમની સરસ્વતી સ્વરૂપા તેજસ્વી અને ભાવુક પુત્રી રેશ્મા હોય, તો આ ત્રિવેણી સંગમમાં ડૂબકી મારવાનું
૦ ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65)
• ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150)