Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨ મૂળથી આરંભીને આ સઘળી વર્ગણાઓમાં પરમાણુઓ અલ્પ હોવાથી તેઓનો સ્કૂલ પરિણામ થાય છે અને તેથી કરીને તે જીવને ગ્રહણ યોગ્ય થતી નથી. અનંતાનંત પરમાણુના સમુદાયરૂપ અનન્તાનન્ત પરમાણુની બનેલી પણ શરૂઆતની વર્ગણાઓ ગ્રહણ યોગ્ય થતી નથી.
જે વર્ગણાઓમાં અભવ્યથી અનંતગુણ અને સિદ્ધોના અનન્તમા ભાગ પ્રમાણ પરમાણુઓ હોય તે વર્ગણાઓ ઔદારિક શરીરના નિષ્પાદન માટે ગ્રહણ યોગ્ય થાય છે. એટલે કે જે સ્કન્ધોમાં અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ પરમાણુઓ હોય છે તેવા સ્કન્ધોને ગ્રહણ કરીને તેને ઔદારિકશરીરરૂપે પરિણમાવે છે. આ જઘન્ય વર્ગણા છે એટલે કે ઔદારિકશરીરને યોગ્ય જઘન્ય વર્ગણા થાય છે. તેમાં અભવ્યથી અનન્તગુણ અને સિદ્ધના અનન્તમાં ભાગપ્રમાણ પરમાણુઓ હોય છે. તે કરતાં એક અધિક પરમાણુવાળી બીજી ગ્રહણપ્રાયોગ્ય વર્ગણા છે, બે અધિક પરમાણુવાળી ત્રીજી ગ્રહણપ્રાયોગ્ય વર્ગણા છે, એમ એક એક પરમાણુ વધારતા વધારતા ત્યાં સુધી કહેવું યાવત્ ઔદારિક શરીરયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણા થાય.
જઘન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વર્ગણામાં પરમાણુઓ વિશેષાધિક હોય છે. કેટલા વધારે છે તો કહે છે કે–સ્વયોગ્ય જઘન્ય વર્ગણામાં જેટલા પરમાણુઓ હોય છે તે કરતાં તેના જ અનંતમાં ભાગપ્રમાણ અધિક પરમાણુઓ તેની ઉત્કૃષ્ટ વર્ગણામાં હોય છે. ગ્રહણ યોગ્ય વર્ગણાઓમાં સર્વત્ર એ પ્રમાણે સમજવું.
અહીં ચડતા ચડતા પરમાણુવાળી ઔદારિકશરીરયોગ્ય વર્ગણાઓ જઘન્ય સ્કન્દમાં જેટલા પરમાણુઓ હોય છે તેના અનન્તમાં ભાગપ્રમાણ થાય છે, અને સમાન પરમાણુવાળી સ્વજાતીય અનન્ત હોય છે. આ અનંતમો ભાગ ક્રમશઃ મોટો થતો જાય છે, કારણ કે પૂર્વપૂર્વ ગ્રહણપ્રાયોગ્ય વર્ગણાઓથી ઉત્તરોત્તર પ્રહણપ્રાયોગ્ય વર્ગણાઓ અનન્તગુણ પરમાણુઓવાળી હોય છે.
ઔદારિકશરીરયોગ્ય ઉત્કૃષ્ટવર્ગણાની અપેક્ષાએ એક અધિક પરમાણુ જે સ્કન્ધોમાં હોય છે તેવા સ્કન્ધો ઔદારિકશરીરને ગ્રહણયોગ્ય થતા નથી. તેવા સ્કન્ધો ગ્રહણ કરીને તેઓને ઔદારિકશરીરપણે પરિણમાવતો નથી. આ જઘન્ય અગ્રહણ પ્રાયોગ્યવર્ગણા છે. બે અધિક પરમાણુવાળી બીજી અગ્રહણપ્રાયોગ્ય વર્ગણા છે. ત્રણ અધિક પરમાણુવાળી ત્રીજી અગ્રહણપ્રાયોગ્ય વર્ગણા છે. એમ એક એક અધિક પરમાણુવાળી વર્ગણાઓ ત્યાં સુધી કહેવી થાવત્ ઉત્કૃષ્ટ અગ્રહણપ્રાયોગ્ય વર્ગણા થાય. જઘન્ય વર્ગણા કરતાં ઉત્કૃષ્ટ વર્ગણા અનંતગુણ છે.
૧, અહીં એ સમજવાનું છે કે સ્કંધમાં જેમ જેમ પરમાણુ વધતા જાય છે તેમ તેમ તેના પરિણામ સહ્મ સમ્ભ થતો જાય છે. જેમ ઓછા ઓછા પરમાણુ હોય છે તેમ તેમ તેના પરિણામ સ્થલ હોય છે. કારણ પુદગલોનો સ્વભાવ જ છે. શાનીદષ્ટ અમુક અમુક જાતના પરિણામવાળા સ્કંધો જ અમુક અમુક શરીરપણે પરિણમે છે અને તે પરિણામ ઓછામાં ઓછા અમુક સંખ્યાવાળા અને વધારેમાં વધારે અમુક સંખ્યાવાળા પરમાણુના બનેલા અધોમાં જ હોય છે. ઓછામાં ઓછા અને વધારેમાં વધારે જે સંખ્યાવાળા પરમાણુના બનેલા અધોમાં જે પરિણામ હોય છે તેમાં એક પણ પરમાણ વધે કે ઘટે તો તેનો પરિણામ કરી જાય છે. જે જે પરિણામવાળા અષો જે જે શરીરને યોગ્ય હોય છે તેને ગ્રહણ કરીને તે તે શરીરપણે- પરિણાવે છે. કેટલી કેટલી સંખ્યાવાળા પરમાણઓના બનેલા અધો કયા કયા શરીરને યોગ્ય છે તે આગળ ઉપર જ કહેવાશે.