________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૩
શું કીધું? આત્માની દશાને આનંદરૂપ કરતો થકો એ જીવ પ્રગટ થાય છે. આહા. હા! જે શક્તિરૂપે અતીન્દ્રિય આનંદરૂપ જેવું સામર્થ્ય હતું એવા સામર્થ્યને જ્યાં પર્યાયમાં પ્રગટપણે જાણ્યું, અનુભવ્યું ત્યારે તેને પર્યાયમાં અતીન્દ્રિય આનંદ પ્રગટરૂપે આવે છે. આહાહા ! આમ ધર્મની સાથે અતીન્દ્રિય આનંદનો સ્વાદ ગર્ભિત હોય છે.
જેમ સંસારમાં અજ્ઞાની પૈસા, આબરૂ, કીર્તિના વિકલ્પના સ્વાદમાં સુખ માને છે.. પણ એ દુઃખ છે. નિર્વિકલ્પ દૃષ્ટિનો અનુભવ થતાં જે આત્મા પર્યાયમાં આવે છે તે અનંત આનંદને લેતો આવે છે. આવો માર્ગ છે. બહારમાં ઘેરાય ગયો. તેને આ ઘેરાયા વિનાની અંતર ચીજ છે તે રુચતી નથી.
અહીંયા તો કહે છે-જે આત્મા વસ્તુ છે તેને અસ્તિથી વર્ણવી તેને હવે નાસ્તિથી વર્ણવીએ છીએ. કહે છે કે ધર્મ પ્રગટ થતાં તેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે, તેમાં હવે દુઃખ નથી. આનંદરૂપ કરતો થકો પ્રગટ થાય છે.
વળી કેવું થતું થયું? “વિશુદ્ધ” આઠ કર્મોથી રહિતપણે સ્વ-સ્વરૂપે પરિણમતું થકું”, આઠકર્મોથી રહિત તેવી વિશુદ્ધ પૂર્ણદશા લીધી. વિશેષે શુદ્ધ સ્વરૂપે પરિણમતું થકું આઠકર્મથી રહિત અને પોતાના શુદ્ધ સ્વરૂપના પરિણમનથી સહિત આવું થતું થયું પ્રગટ થાય છે.
“વળી કેવું થતું થયું? “પુરત” સ્વસંવેદનપ્રત્યક્ષ થતું થકું.” “પુરત' એટલે પ્રગટ-સ્પષ્ટ-સ્વસંવેદન પ્રત્યક્ષ પ્રગટ થતું થયું. એ આપણે બે દિવસ પહેલાં આવ્યું હતું કે-આનંદની અનુભૂતિ માત્ર જેનું લક્ષણ છે તેવું સ્વસંવેદન જ્ઞાન. સ્વ સંવેદનાન એને કહીએ કે જેમાં અનુભૂતિનો ભાવ અંદર સાથે છે, તેમજ અનુભૂતિમાં આનંદમાત્ર જેનું લક્ષણ છે તેવું સ્વસંવેદન એટલે સ્વને વેદવું. જ્ઞાનમાં જ્ઞાનનું પોતાથી જાણવું થયું તેવું લક્ષણ(તે સ્વસંવેદન). ‘સ્પરત’ એટલે સ્વસંવેદન પ્રત્યક્ષ વેદન. સ્વનું પ્રત્યક્ષ વેદનરૂપ જ્ઞાન પ્રગટ થાય છે. સમજાણું કાંઈ?
જેમ કળી ખીલીને બહાર ફૂલ થાય છે તેમ આ કળી ખીલી ગઈ છે. શક્તિમાં તો ભગવાન પૂર્ણ હતો પરંતુ પર્યાય જે સંકોચરૂપે હતી એ સંકોચ છૂટીને હવે વિકાસ કરતું ખીલે છે. | ગુજરાતમાં ચીખલી (ગામ) છે ત્યાં હજાર પાંખડીવાળું ગુલાબનું ફૂલ થાય છે. અમે જ્યારે જોવા ગયેલા ત્યારે ફૂલ ખીલેલું નહોતું. સુકાય ગયેલું હતું. વળી ત્યાં તો કોઈએ એમ કહ્યું કે બીજે ઠેકાણે તો લાખ પાંખડીનું ફૂલ થાય છે. ગુલાબની કળી ખીલે તો તેના અંદરથી લાખ પાંખડી નીકળે. તેમ આત્મામાં અનંત શક્તિઓ છે તે એની પર્યાયમાં અનંત અનંત વિકાસરૂપે પ્રગટ થાય છે. પેલા ગુલાબની તો પાંખડી લાખ જ હોય જ્યારે અહીં તો અનંતગુણોની પર્યાય ખીલે છે.
જગતને આવો માર્ગ સાંભળવા મળે નહીં તેથી તેની રીત અને પદ્ધતિ શું છે તેની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk