Page #1
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથ કાર
[પુસ્તક ૧૦ મું] ઈ. સ. ૧૯૪૨ થી ૧૯૫૦
સંપાદકે ધીરુભાઈ પ્રેમશંકર ઠાકર
ઇન્દ્રવદન કાશીનાથ દવે અધ્યાપકે, ગુજરાત કોલેજ, અમદાવાદ
ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ
Page #2
--------------------------------------------------------------------------
________________
જેઠાલાલ છવલાલ માળ,
સહાયક મંત્રી, ગુજરાત વિદ્યાસભા, ભદ્ર, અમદાવાદ
આવૃત્તિ ૧ લી • પ્રત ૨૨૫૦
ઈ. સ. ૧૫ર વિ. સં. ૨૦૦૮
રીત છે. ચાર
મણિલાલ પુ. મિસ્ત્રી આ દિ ત્ય મુદ્રણ લચ રાયખડ ...... અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
નિવેદન
સને ૧૯૩૦ સુધીમાં ગ્રંથ અને ગ્રંથકાર'ના આઠ ભાગ પ્રસિદ્ધ થયા પછી ૧૯૪૨માં નવમા ભાગ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. આ પછી દસમા ભાગનું કામ પણ હાથ ધરવામાં આવ્યું હતું, પણ એ તૈયાર થતાં કેટલાક વિલંબ થયા. આ કામ વ્યવસ્થિત રીતે હાથ ધરાઈ સમયસર પ્રસિદ્ધ થાય એ માટે ગ્રંથના સંપાદનનું કામ પ્રા. ધીરુભાઈ ઠાકરને સોંપવામાં આવ્યું. એમણે ભારે જહેમત ઉઠાવી કાર્યના આરંભ કર્યાં. વિગત તેમજ વિદેહ તથા વિદ્યમાન લેખકેાની ચરિત્રવિષયક માહિતી મેળવવાનું કામ આરંભ્યું, જેમાં કેટલાક સમય ગયા. તે છેલ્લાં ત્રણેક વર્ષથી મુદ્રણુકા પણ શરૂ કરી શકાયું. આ કામ વધુ ઝડપથી થાય એ માટે એમણે પ્રે. ઇન્દ્રવદન દવેની મદદ લીધી. એ બેઉ ભાઈઓએ સારા શ્રમ લઇ આ દસમા ગ્રંથ આ સ્વરૂપમાં તૈયાર કરી આપ્યા છે. એમણે એમની પ્રસ્તાવનામાં ગ્રંથ અને ગ્ર'થકાર'ના ભવિષ્યના ગ્રંથાની યાજના વિચારી છે તેમાંનાં એ અંગાના જ અમલ આ ગ્રંથમાં થઇ શકયા છે. આ કામ ઉત્તરાત્તર ચાલુ જ રહેવાનુ` હાઈ એ યાજનાનાં ચારે અંગાથી ભવિષ્યના ભાગ સમૃદ્ધ બની શકશે એવી અમને શ્રદ્ધા છે.
આ પ્રકારના ગ્રંથની ઉપયેાગિતા વિશે બે મત નથી. ગુજરાતી સાહિત્યના વિકાસમાં વિવિધ પ્રકારના ફાળા આપનારા લેખા—વિદેહ કે વિદ્યમાન—તું ગુજરાતી સાહિત્યના સર્વાંગીણ ઇતિહાસમાં કયા પ્રકારનું સ્થાન છે એ આવા ચરિત્રગ્રંથાથી જ સમજી શકાય. આવા શુભ ઉદ્દેશે આ સંસ્થાના ભૂતપૂર્વ સહાયક મંત્રી સ્વ. શ્રી. હીરાલાલ પારેખે આ ગ્રંથમાળાના આરંભ કરી દરેક વર્ષે એક એક ગ્રંથ પ્રસિદ્ધ કરી ઠ ગ્રંથ બહાર પાડયા હતા. આ પછી પંદર વર્ષના ગાળામાં એ નવા ભાગ બહાર પડે છે. ગાળા વધુ લાંમા છે, પણ તેથી નવમા ભાગમાં પાંચ
Page #4
--------------------------------------------------------------------------
________________
વર્ષની સાહિત્ય-સમીક્ષા આપી શકાઈ હતી તે આ દસમા ભાગમાં દસ વર્ષની સાહિત્ય–સમીક્ષા આપી શકાઈ છે. અને એ રીતે સ્વ. હીરાલાલના ઉદ્દેશની પણ પૂતિ થતી રહી છે.
આ ગ્રંથમાળાનું ભવિષ્ય માટે દિશા અને માર્ગનું સૂચન આ પુસ્તકના સંપાદકેએ કર્યું છે તે પ્રકાશક સંસ્થા એટલે ગુજરાત વિદ્યાસભાના સંચાલકે હવે પછીના ગ્રંથ બહાર પાડવા માટે લક્ષમાં રાખે એ ઈષ્ટ છે.
બંને વિદ્વાનોએ આ દસમા ભાગ પાછળ લીધેલા શ્રમને માટે આભારની લાગણી વ્યક્ત કરતાં આનંદ થાય છે.
વિદ્યાબહેન ૨. નીલકંઠ ભદ્ર, અમદાવાદ છે
માના મંત્રી, તા. ૨૧-૮-૫ર
ગુજરાત વિદ્યાસભા
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના ગ્રંથ અને ગ્રંથકાર'ના મૂળ યાજક સ્વ. હીરાલાલ ત્રિ. પારેખે એને દરેક ભાગ દર વર્ષે તૈયાર કરીને બહાર પાડવાનો નિયમ રાખે હતો. પણ તેમના અવસાન બાદ એ નિયમ જળવાઈ શક્યો નહિ. ઈ. સ. ૧૯૩૬માં આઠમો ભાગ બહાર પડવો તે પછી નવમો આઠ વર્ષે પ્રગટ થયો હતો. અને નવમા પછી સંજોગવશાત બીજાં આઠ વર્ષે આ દસમો ભાગ પ્રસિદ્ધ થવા પામે છે. પણ તેથી આ પુસ્તકમાળાના મૂળ ઉદેશને ભાગ્યે જ હાનિ પહોંચી છે. ખરું જોતાં, હવે “ગ્રંથ અને ગ્રંથકાર'ના વાર્ષિક પ્રકાશનને હેતુ રહ્યો નથી. કારણ, મોટા ભાગના ગ્રંથકારોની પરિચયરેખા પહેલા આઠ ભાગમાં અંકિત થઈ ચૂકી છે. અને વાર્ષિક સાહિત્ય-સમીક્ષાનું કામ તે ગુજરાત સાહિત્ય સભા દ્વારા ચાલે છે જ. એટલે આઠ દસ વર્ષે બહાર પડતા રહેતા “ગ્રંથ અને ગ્રંથકાર'માં બાકી રહેલા લેખકોને પરિચય અને દસેક વર્ષના ગાળાના સાહિત્યના પ્રવાહનું અવલોકન આવતાં રહે તે કામ બેવડાયા વિના ઉદિષ્ટ સાહિત્યોપકારતા તેનાથી સધાતી રહે.
ગ્રંથકાર-પરિચય અને સાહિત્ય–સમીક્ષા આ ગ્રંથમાળાનાં કાયમી અંગ છે. તે ઉપરાંત, એમાં વિતેલા વખત દરમ્યાન પ્રગટ થયેલાં પુસ્તકની વર્ગીકૃત યાદી, નવલકથા જેવા સાહિત્ય-સ્વરૂપ વિશે કે અમુક ગાળાની કવિતા વિશે વિવેચનલેખ, અથવા મુદ્રણકળા કે પ્રફરીડિંગ જેવા વિષય પર માહિતી આપતા લેખ જેવી પ્રકીર્ણ સામગ્રી વખતેવખત પ્રગટ થતી રહી છે. આ પ્રકારની સામગ્રીને કશી લેજના વગર યદક્યા રજૂ કરવાને બલે તેને અનુલક્ષીને “ગ્રંથ અને ગ્રંથકાર'નાં ચોક્કસ અંગે નક્કી કરી દેવાથી પુસ્તકની આકૃતિ બંધાય અને તેની અભ્યાસે પગિતા પણું વધે એ ખ્યાલથી અમે આ પુસ્તકનું કામ શરૂ કરતાં પહેલાં તેની નીચે મુજબ વિભાગ-રેજના વિચારી હતીઃ (૧) વહી ગયેલા ગાળાના વાડ્મયના પ્રવાહનું વિહંગાવલોકન; (૨) વિદેહ તથા વિદ્યમાન ગ્રંથકારોને સાહિત્યલક્ષી પરિચય: (૩) કઇ બે (કે ત્રણ) શિષ્ટ ગુજરાતી ગ્રંથકારેનું
Page #6
--------------------------------------------------------------------------
________________
સર્વગ્રાહી અધ્યયન; (૪) કોઈ એક સાહિત્યપ્રકારના વિકાસ ને સ્વરૂપવિધાનનું નિરૂપણ અને (૫) વીતેલાં વર્ષોની પ્રતિનિધિરૂપ સાહિત્યકૃતિઓનો ટૂંકે રસલક્ષી પરિચય. આ યોજનાનુસાર વિભાગ (૩) અને (૪) માટે અનુક્રમે નરસિંહ-ભાલ તથા ચરિત્રના સાહિત્યપ્રકાર વિશે વિસ્તૃત લેખે મૂકવાનું નક્કી કર્યું હતું અને તેનું મોટા ભાગનું લખાણ તૈયાર પણ થયું હતું. પણ પૃષ–સંખ્યાની મર્યાદાને કારણે તેનાં પહેલાં બે અંગે જે અગાઉની માફક અહીં સ્થાન પામી શકળ્યાં ને બાકીનું લખાણ લટકતું રહ્યું ! હવે પછીનાં પુસ્તકમાં સંથકાર-પરિચયને–ખાસ કરીને વિદેહન–વિભાગ ટ્રકે થશે. એટલે અહીં ઉલ્લેખેલ પેજનાનો તેમાં સમાવેશ કરવાનો પ્રયત્ન થશે તે ગુજરાતી સાહિત્યના આ અભ્યાસગ્રંથમાં બે મહત્ત્વનાં અંગ ઉમેર્યા ગણી.
વીતેલા દસકાના વાયુમય પર દષ્ટિપાત કરવામાં કૃતિ કે કર્તાના કરતાં સાહિત્યના પ્રવાહ અને પ્રકાર પર વિશેષ નજર રાખી છે. તેમાં ઉલ્લેખેલાં નામને કેવળ દૃષ્ટાન્ત કે નમૂના તરીકે જ ગણવાનાં છે. તેમને આપેલ પૂર્વાપર ક્રમ ગુણવત્તાસૂચક નથી. “કેળવણી” પછી આવતા વિષયોના અવલોકનમાં વિસ્તાર ભયે મુખ્ય મુખ્ય કૃતિઓને નિર્દેશ કરીને જ સંતોષ માનવો પડે છે; અને તેમાં ય અશેષ યાદી આપ્યાને દા નથી.
ગ્રંથકાર-ચરિતાવલિને અંગે વિદ્યમાન લેખકેની પસંદગી કરવામાં તેમની સાહિત્યકાર તરીકેની યેગ્યતા ઉપરાંત વયને પણ લક્ષમાં રાખેલ છે. આજ સુધીમાં સ્થાન ન પામેલા વયોવૃદ્ધ લેખકોને પહેલાં સમાવી લેવાની દૃષ્ટિ રાખી હોવાથી યોગ્યતા હોવા છતાં આજની જુવાન લેખક પેઢીમાંથી કેટલાકને પરિચય પછીના પુસ્તક માટે મુલતવી રાખ પડ્યો છે. એમાંના ઘણાની પ્રવૃત્તિ હજુ ચાલુ છે. તે કાળક્રમે મહેરીને ચક્કસ આકાર ધારણ કરે તે પછી આકરગ્રંથમાં નોંધાય તે અભ્યાસીઓને વિશેષ લાભ થાય એ દેખીતું છે. “ગ્રંથ અને ગ્રંથકાર'ના પહેલા આઠ ભાગમાં વિદ્યમાને પૈકી અનેક એવા લેખકે સ્થાન પામ્યા છે, જેમના પરિચય છપાયા બાદ જ એમની પ્રવૃત્તિ ખરેખરી વિકસી છે. એવા લેખકે હવે પછીના ગ્રંથમાં નવેસર પરિચય અપાય તે જ એ વિભાગની ઉપમિતા સધાય. નવમા ભાગ સુધીમાં સમાવેશ નહિ પામેલા બધા જ પ્રતિષ્ઠિત વિદેહ ગ્રંથકારોને આ ભાગમાં સમાવી લેવાને ઈરાદે હતો. પણ હજુ ય થોડાક બાકી રહી ગયા છે. -
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેક લેખક વિશે બને તેટલી શુદ્ધ ને સંપૂર્ણ માહિતી આપવાના 1 આશયથી તેમને વિશે લખાયેલાં પુસ્તકોમાંથી તેમજ જાણકાર વ્યક્તિઓ ર પાસેથી પ્રમાણભૂત વિગતો એકઠી કરીને અહીં ઉપયોગમાં લીધી છે. તેમ
છતાં કઈ સ્થળે માહિતીની અપૂર્ણતા કે હકીકતદોષ રહી જવા પામ્યાં હોય એ અસંભવિત નથી. વિદ્યમાન ગ્રંથકારો વિશેનું ઘણું ખરું લખાણ બે વર્ષ પહેલાં છપાઈ ગયેલું હોવાથી* ઘણુની ઈ. સ. ૧૯૫૦ પછીની પ્રવૃત્તિને અહેવાલ મૂકી શકાયો નથી.
આ કાર્યને અંગે કેટલાક લેખકેએ, વારંવાર યાદ દેવડાવ્યા છતાં, માહિતી પૂરી પાડી નથી; પણ મોટા ભાગનાએ વિગતે ભરીને માહિતીપત્ર વિના વિલંબે મોકલી આપ્યો તે બદલ તેમને આભાર માન જોઈએ. ૧૯૪૧ થી ૫૦ સુધીની વાડ્મય-પ્રવૃત્તિને ક્યાસ કાઢવા માટે જોઈતી વિગતો મેળવવામાં ગુજરાત સાહિત્ય સભા તરફથી છેલ્લાં દસ વર્ષમાં પ્રસિદ્ધ થયેલી કાર્યવાહીઓને ઉપયોગ કરવો પડયો છે. આને અંગે અમે અહીં જે તે સમીક્ષકેનું ઋણ કૃતજ્ઞભાવે સ્વીકારીએ છીએ. શ્રી. હિંમતલાલ ગણેશજી અંજારિયા, શ્રી. દુર્ગાશંકર કે. શાસ્ત્રી, પં. શ્રી. બેચરદાસ દેશી, શ્રી. શંકરલાલ ઠા. પરીખ, શ્રી. નટવરલાલ ઈ. દેસાઈ, શ્રી. બચુભાઈ રાવત, શ્રી. જયશંકર સુંદરી), શ્રી. ઠાકરલાલ શ્રીપતરાય ઠાકર અને શ્રી. મનુભાઈ જોધાણીએ પણ કેટલાક વિદ્યમાન તેમજ વિદેહ સાક્ષર વિશે જોઈતી માહિતી મેળવવામાં ઊલટપણે સહાય કરીને અમને તેમના ઋણી બનાવ્યા છે. અનેક ગુજરાતી સાક્ષને 'માનસિક સંપર્ક સાધવાની તક આપવા બદલ ગુજરાત વિદ્યાસભાને, અને
બમવાની અનુકૂળ વ્યવસ્થા કરી આપવા બદલ આદિત્ય મુદ્રણાલયના સંચાલક શ્રી. મણિલાલ મિસ્ત્રીને પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ગુજરાત કોલેજ, અમદાવાદ )
ધીરુભાઈ ઠાકર દીવાસ, સં. ૨૦૦૮ ઈ
ઈન્દ્રવદન હવે
* શ્રી. પુત્તમ જોગીભાઈ ભટ્ટને પરિચય પાયો તે પછી થેડે જ વખતે તેમનું અવસાન થયું છે, તેની અહીં સખેદ નેધ લેવી પડે છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
૫. ૧-૧૦૦
૨૭
४४
૪૫
૪૮
૫૧
૫૩
પA
અ નુ ક્રમ ણિ કા વિભાગ પહેલો , થયા દાયકાના વમય પર દષ્ટિપાત.
૧ કવિતા . ૨ નાટક ૩ નવલકથા ૪ નવલિકા ૫ ચરિત્ર
૬ પત્રસાહિત્ય ( ૭ નિબંધ અને વ્યાખ્યાને ૮ હાસ્યસાહિત્ય
પ્રવાસ ૧૦ વિવેચન ૧૧ સંશોધન-સંપાદન ૧૨ સંસ્કૃતિ-ચિંતન - ૧૩ ઈતિહાસ ૧૪ સમાજવિદ્યા ૧૫ કેળવણું ૧૬ શબ્દકોષ ૧૭ વિજ્ઞાન ૧૮ બાલસાહિત્ય ૧૯ પ્રકીર્ણ
૨૦ ભાષાંતર-રૂપાંતર વિરાગ બીજો
વિરહ ગ્રંથકારની પવિતાવલિ - ૧ ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
૨ ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી ૩ ઍલેકઝાંડર કિન્લોક ફોર્બ્સ ૪ કેશવલાલ મોતીલાલ પરીખ ૫ કેશવલાલ હરિરામ ભટ્ટ
૮૨
૮૫
૮૮
-૧૧૨
Page #9
--------------------------------------------------------------------------
________________
હું ખુશાલરાય સારાભાઈ છગાપાળરાવ હરિ દેશમુખ ૮ ઝવેરીલાલ ઉમિયાશકર યાનિક
J
૯ દલપતરામ ડાહ્યાભાઈ કવિ ૧૦. દુર્ગારામ મછારામ દવે ૧૧ નૃસિંહદાસ ભગવાનદાસ વિભાકર
૧૨ પ્રાણશંકર પ્રેમશ કર ભટ્ટ
૧૩
મગનલાલ નરાત્તમદાસ પટેલ
૧૪ મણિલાલ નભુભાઈ દ્વિવેદી ૧૫ મણિશંકર જટાશંકર કીકાણી
૧૬ વેણીલાલ છગનલાલ સૂચ ૧૭ વૈકુંઠલાલ શ્રીપતરાય ઠાકાર
૧૮
૧૯
૨૦
૨૧
વિભાગ ત્રીજો
૫. શ્યામજી કૃષ્ણે વર્મા સૌ. સુમતિ લલ્લુભાઈ
સુરસિ'હજી તખ્તસિંહજી ગાહેલ (કલાપી)
હરજીવન સામૈયા
.
વિધમાન ગ્રંથકારાની ચરિતાલિ
૧ અંબેલાલ કરશનજી વશી
ર
૩
૪ કનૈયાલાલ ભાઈશંકર વે
૫ કાન્તિલાલ બળદેવદાસ વ્યાસ
ગાપાળરાવ ગજાનન વિાંસ
ગાવિંદભાઈ રામભાઈ અમીન
ઈન્દ્રવદન ઉમિયાશકર વસાવડા
ઈશ્વરભાઈ મેાતીભાઈ પટેલ ( પેટલીકર )
હ
૮. ચિમનલાલ મગનલાલ``ડૉક્ટર
હું ચુનીલાસ કાળિદાસ મડિયા
૧૦. જટાશકર ઈશ્વરચંદ્ર નાન્દી
૧૧
૧૨ દુર્ગંČશ તુળજાશંકર શુકલ
જયંતીલાલ મફતલાલ આચાય
* * * *
૫૮
}}
૭૧
७३
st
८८
ર
૯૪
૯૦
૧૧
૧૦૩
૧૧૦
૧-૧૦૪
પ
૯
૧ર
૧૪
૧૭
૧૯
૧
૩.
૨૪
૨૩
ર
Page #10
--------------------------------------------------------------------------
________________
૩૪
૫૦
૫૩
૫૭
૧૩ ધનજીભાઈ ફકીરભાઈ ૧૪ નરભેશંકર પ્રાણજીવન દવે (કાઠિયાવાડી " ૧૫ નરસિંહભાઈ મૂળજીભાઈ શાહ ૧૬ નાથાલાલ ભાણજી દવે ૧૭ પન્નાલાલ ન્હાનાલાલ પટેલ ૧૮ પુરુષોત્તમ જોગીભાઈ ભટ્ટ ૧૯ પૂજાલાલ રણછોડદાસ દલવાડી ૨૦ પ્રહૂલાદ ચંદ્રશેખર દીવાન છે ૨૧ પ્રેમશંકર હરિલાલ ભટ્ટ ૨૨ ફિરોઝ કાવસજી દાવરી ૨૩ બાલાભાઈ વીરચંદ દેસાઈ (જયભિખુ)
મગનભાઈ ભૂધરભાઈ પટેલ (પતીલ) ૨૫ મગનલાલ લાલભાઈ દેસાઈ (કેલક) ૨૬ મનસુખલાલ મગનલાલ ઝવેરી ૨૭ મનુભાઈ રાજારામ પંચળી (દર્શક) ૨૮ માધવજી ભીમજીભાઈ મચ્છર ૨૯ યશવંતરાય ગુલાબભાઈ નાયક
રતિલાલ નાનાભાઈ તન્ના ( શારદાપ્રસાદ વર્મા) ૩૧ રવિશંકર મહાશંકર જોષી ૩૨ શાંતિલાલ સોમેશ્વર ઠાકર ૩૩ પંડિત શ્રી. સુખલાલજી સંઘજી સંઘવી
૩૪ હરિનારાયણ ગિરધરલાલ આચાઈ . પુરવણી
૩૫ કૃષ્ણપ્રસાદ લલ્લુભાઈ ભટ્ટ ૩૬ મુનિશ્રી પુણ્યવિજયજી
૩૭ શિવશંકર પ્રાણશંકર શુકલ સંથકારની સૂષિ
૭૪
•
;
૮૧
૮૯
૯૫-૧૦૪
૯૮ - ૧૦૨
Page #11
--------------------------------------------------------------------------
________________
વિભાગ પહેલા પૂણ પશિ અથ
૧
૧૫
ર
'
'
૧
૧૧
૨૭
૧૩ ૨૬
૨૫ ૨
૨૫
૨૭
૩૦ ૧૪
૩૧ ૨૯
૩૧ ૩૧
૪૪ ૧૦
૪૦ ૨૬
૪.
૧૩
૫૯
૬૩
૬૪
ot
७८
ર
re
૧
l}}
૭. જ ૢ
૧૨
૪
૨૩
૨૨
૧૩
વિભાગ જો
૭
૧૧
૨૨
ઘાતક
એકતાળીસ થી
ત્યારે
પરંતું
અર્થધટનાને
અવધનતાને
':આક્રમણ શારીરિક, સાહસે આક્રમણેા, શારીરિક સાહસા
ઊંચી કલાના અભાવને કારણે સાહિત્યપ્રકારોમાં. રહેવી જોઇ એ.
E
થયા કરે
આ કારણે સાહિત્યપ્રકારામાં રહેવું જે એ.
થયાં કરે
સાથી
સામ્ય
એમનું
મીમાંચકા
એમણ વિસ્તરલ
થયેલી
મુદ્રણમુદ્ધિ
તેન
અલે
R
ધોર એકતાલીસથી
ત્યારે,
થયેલું
તે તે
બદલે સામાભાઈ. બનાવી રહ્યાનું વિશાડ્મય બનાવી રહ્યાનુ જે જણાયું
સામભાઇ
તેનુ વિષાદમય ‘
૧૮૧૦માં
પરનું
મ્ય
એમની
મામાંસ્ક્રા
એમણે
વિસ્તરેલ
* F
પણ ૧૯૧૦માં
Page #12
--------------------------------------------------------------------------
________________
ર
૨૩ ૧૭ મુંબઈ પ્રાંતની ૧૮૪૩ના મુંબઈપ્રાંતની સનદીનેકરીમાં
જોડાવા સારુ ૧૮૪૩ ના ૨૫ ૮ ૧૮૧૦માં
૧૮૫૦ માં ' ૪૬ નીચેથી ૩ ચાલતી
ચાલતી. ૫૬ કૃતિ નં.૮ૌલિક
પ્રીક નાટક પરથી સૂચિત ઈગ્રીકનાટક પરથી સૂચિત ] મૌલિક ૧૦૬ ૯ કરવાને
કરવાની ૧૦૬ ૧૯ હયું.
હતું. ૧૧૧ ૨૩ ઘરમાં
થરમાં ૧૧૧ ૨૪ પામે
પામી ૧૧૨ નીચેથી ૫ કાર્યવાહીમાં ' , . કાર્યવાહીમાં વિભાગ ત્રીજો ૩૬ ૬ દીવાળીભાઈ દીવાળીબાઈ ૩૮ જેટલી સનમતશક
સનમશતક ૪૭ છેલેથી બીજી (શ્રી સુંદરમ) (શ્રી. મનસુખલાલ ઝવેરી) - ૭. પ્રેમભક્ત કવિ જયદેવ ૧૯૪૭ ૧૯૪૫ ૬૮ છેલ્લી સાહિત્યસભાનાં વાસ્મો સાહિત્યસભાનાં ગ્રંથસ્થ
વાક્યો ૮૨ ૧૧ જીવનદર્શન, “કાવ્યાંગના', “જીવન દર્શન' તથા
કાવ્યાંગના” પુરવણી ૯૩ ૧૬
પક્ષીપાલનનાં પક્ષી-પાલનમાં ૯૪ ૨૩ જ્ઞાનંડાર
જ્ઞાન ભંડાર ૧૦૪ ૧૦ મીમાંસા
મીમાંસા ૧૦૪ છે. ગુજરાતની નદીઓ નિંધિકાએ છે. ગુજરાતની લોક
માતાએ નિબંધિકાએ ૧૨૯ ગ્રંથકારની કમસંખ્યા ૪૫૩ પછી ઉમેરે ૪૫૩ જ શિવશંકર
પ્રાણશંકર શુકલ પુ. ૧૦, પૃ. ૧૦૨
૧•• ૧૪
Page #13
--------------------------------------------------------------------------
________________ ગયા દાયકાના વાલ્મય પર દષ્ટિપાત [ 1941 થી 1950 ] કાળને પ્રવાહ કદી થંભ્યો સાંભળ્યો છે? સર્જક કે વિવેચક, ઇતિહાસકાર કે રાજપુરુષ, વિજ્ઞાની કે સંત, કઈને કહ્યું એ અટકતો નથી. જીવનની માફક સાહિત્ય પણ કાળસાગરમાં અનિવાર્યપણે તણાઈને બુદ્દબુદ, તરંગ કે પ્રવાહરૂપ વિવિધ વિવર્તે ધારણ કરતાં કરતાં ઉપરતળે થયાં કરે છે. અનિત્ય, અસત્ય, ક્ષુદ્ર અને સત્ત્વહીન સઘળું એના વેગમાં ખેંચાઈને - હતું ન હતું થઈ જાય છે; સાચું સત્ત્વશીલ સાહિત્ય જ સમયના વહેણમાં ટકી શકે છે. કાળ ભગવાનને પરીક્ષકોને પરીક્ષક કહેવામાં આવે છે તે આને લીધે. પણ એને અર્થ એમ નહિ કે ઇતિહાસકાર યા વિવેચક કાળ ભગવાનને ચુકાદો આવે ત્યાં સુધી નિષ્ક્રિય બેસી રહે. મનુષ્ય જીવનના પુરુષાર્થની કીમત એક બાજુ સમય કાઢે છે તે બીજી બાજુએ મનુષ્ય પિતે પણ કાઢતે રહે છે. સમકાલીન સાહિત્યનું વિવેચન એ મનુષ્યસમાજની આવી આત્મનિરીક્ષણની પ્રવૃત્તિ પણ છે. એ કાર્ય બીજી રીતે ગમે તેટલું અપૂર્ણ યા ખામીભરેલું હોય, પણ વિકાસવાંછુ સમાજની આંતર જાગૃતિનું એ ઘાતક છે, તેમાં શંકા નથી. એક રીતે કાળની સાથે સાથે–અને કવચિત તેની સામે પણ-ટકી રહેવાની મનુષ્યની દોડનું માપ કાઢનાર જીવનવેગને જ એ એક પ્રકારનો આવિર્ભાવ છે. વર્તમાનનાં ચંચળ વહેણને અવલકવામાં અનેક અંતરાય રહેલા છે. તેનું સ્વરૂપ અવિકૃત નથી હોતું, ગતિ નિશ્ચિત નથી હોતી તેમ મૂલ્ય પણ ઘણીવાર પલટાતાં રહે છે. એટલે બે ચાર તે શું પણ દસેક વર્ષના ગાળાના સાહિત્યનું અતિ સાવધપણે કરેલું અવલોકન પણ પાછળથી પૂરેપૂરું યથાર્થ ન નીવડે એ પૂરો સંભવ છે. અવલોકનાથે સ્વીકારેલ સમયપટ પૂર્વાપર પટ્ટીઓથી છૂટૈ પડેલે નથી હોતો. ભૂતકાળના વિસ્તાર રૂપે જ વર્તમાન વહેતે હેય છે. એટલે વહેતાં પાણીથી ઠીક અંતરે ઊભા રહીને ભૂત અને ભાવિના અનુલક્ષમાં વર્તમાનને નિહાળવાને પ્રયત્ન ગ્રં. 1
Page #14
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ૦ ૧૦
કરવા તે ખરેખર દુટ કામ છે. વળી એકાદ દાયકામાં જીવન કે સાહિત્યના પ્રવાહ સાવ પલટાઇ જાય એવા નિયમ નથી; પ્રજાના જીવન પર મૂલગામી અસર કરનાર ઐતિહાસિક ખળાનું આવન એટલા ગાળામાં પૂરુ થઈ જાય એમ હુમેશ બનતું નથી; તેમ લેખાના સન–સમય એટલામાં સમાપ્ત થઈ જાય છે એમ પણ કહી શકાશે નહિ. તેમ છતાં દેશનાં રાજકીય અને આર્થિક સંચલનેા, સામાજિક પરિવર્તના અને સાહિત્યિક પરિબળાની સફળતા નિષ્ફળતાના ઝીણા આંક નહિ તે સ્પષ્ટ અડસટ્ટો કાઢી આપે એટલી સામગ્રી તેા એક દાયકાનાં જીવન-સાહિત્યમાંથી જરૂર મળી રહે. ઓગણીસસે એકતાળીસ થી પચાસ સુધીનેા દસકેા આગલા કાઇ પણ દસકા કરતાં આ બાબતમાં વિશેષ સમૃદ્ધ છે. આજના ‘ ક્ષણે ક્ષણે નવતા ધારણ કરતા આપણા ભરચક અને કરુણઘેરા પ્રજાજીવનના પટ પરથી એ સામગ્રી અને તેણે પાડેલા નાનામેટા સંસ્કાર ભુંસાઈ જવા પામે તે પહેલાં તેનુ' સાહિત્યક્ષેત્રે થયેલુ' સંચલન નેાંધી લેવું ઘણું જરૂરનું છે. સાહિત્યના કડીબદ્ધ ઇતિહાસ રચતી વખતે અને સાહિત્ય-વિવેચનનાં ધારણાને સ્થિર કરતી વખતે આ પ્રકારનાં અવલાકના પાયે! પૂરવાની ગરજ સારે છે એ સમજથી છેલ્લા દાયકાના ગુજરાતી વાડ્મય પર દષ્ટિપાત કરવાને અહીં પ્રયત્ન કર્યો છે.
ઐતિહાસિક ઘટનાઓઃ તેની સાહિત્ય પર અસર
આ દાયકાની શરૂઆતમાં બીજુ વિશ્વયુદ્ધ ધાર તાંડવ મચાવતું તેની પરાકાષ્ઠાએ પહોંચ્યું. સમગ્ર વિશ્વમાં યુદ્ધુસર જામના ઉત્પાદન અને યુદ્ધ માટેની પ્રવૃત્તિઓ ઉપર જ મુખ્ય લક્ષ અપાયું. ભય, થાક, નિરાશા, વિજયને કૈફ, સ્વાર્થી, ક્રૂરતા, સંહાર અને શાસનની વૃત્તિઓનું ઝેર લડતી સત્તામાં ઊંડુ ફેલાયું. ભારત તેનાથી અસ્પૃષ્ટ રહી શક્યુ' નહિ. તે ગુલામ હતું. તેના ઉપર રાજ્ય કરતી પ્રજા યુદ્ધ ખેલતી હતી એટલે યુદ્ધની સ` અસરો તેના રાંગણે યુદ્ધ નહિ ખેલાયું હાવા છતાં તેના પર પડી. તેને માનવ, અર્થ, ઉદ્યોગા અને જીવનેાપયેગી સામગ્રીને ભાગ શાસક પ્રા માટે અનિચ્છાએ પણ આપવા પડ્યો. પરિણામે રેશનિંગ, મેાંધવારી, ગાડીભીડ, નિયંત્રણા તેને જોવાં પડયાં. વળી યુદ્ધ બંગાળની પૂર્વ ક્ષિતિજે આવી પહોંચ્યું તેથી તેને વિમાની હુમલાની ચેતવણી, અંધારપટ વગેરે પણ અનુભવવાં પડવાં. એક ખાજૂથી આ ગરીબ પ્રજા મોંધવારી અને આર્થિક ભીંસમાં તેમજ ભણકારા આપતી યુદ્ધ-આફતના ભયમાં સપડાઈ ગઈ,
Page #15
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાડ્મય પર દષ્ટિપાત
ત્યારે બીજી બાજુથી નાણાંને ઝુગાવા વધતા જ ચાઢ્યા. મૂડીવાળાઓ, ઉદ્યોગપતિઓ, નાનામેાટા વેપારીએ અને અમલદારાએ આ તર્કના મેાટા લાભ ઉઠાવી કાળાં બજાર, નફાખોરી, લાંચરૂશ્વત અને વિલાસવૈભવે અનહદ વધારી મૂકયાં. પરિણામે, વિશ્વયુદ્ધની જેમ ભારતની પ્રજાને જીવનસંગ્રામ પણ કરુણ અને ભીષણ બન્યા.
નિયંત્રણને કારણે કાગળની અછત ઊભી થવાથી ગ્રંથપ્રકાશનની પ્રવૃત્તિમાં અવરેાધ આવ્યેા. મેધવારીએ પુસ્તકાનાં મૂલ્યા વધારી મૂકયાં; ખરીદનારા એછા થયા. કેટલાય ઉપયેાગી લેખા, મહત્ત્વની સનસ્કૃતિએ અને નોંધપાત્ર સ`શેાધનેા-સંપાદના તેના રચનારની પેટીમાં અપ્રગટ પડ્યાં રહ્યાં. ઇ. સ. ૧૯૪૫ સુધી પ્રકાશનમર્યાદાની આ સ્થિતિ ચાલુ રહી.
યુદ્ધની સંહારલીલા અને તેણે પલટાવેલી જીવનસ્થિતિને કેટલાક સકાએ પેાતાના કવનવિષય બનાવ્યેા. પ્રેા, ઠાકાર, કવિ ન્હાનાલાલ, ‘સ્નેહરશ્મિ', ‘ સુ’દરમ્', ઉમાશ'કર, મનસુખલાલ, માણેક, ‘ઉપવાસી', ‘સ્વસ્થ’ આદિ કવિઓએ અને રમણલાલ, મેઘાણી, ચુ. વ. શાહ, જયંતી દલાલ ગાવિદભાઈ અમીન, નીરુ દેસાઈ આદિ વાર્તાકારાએ કાઇ કાઇ કૃતિઓમાં તેના ઓળા પાડ્યા. પણ મરાઠી કે બંગાળી સાહિત્યમાં યુદ્ધના અને તેની જીવલેણુ અસરના જેટલા પડધા સંભળાય તેટલા આપણા સાહિત્યમાં સભળાતા જણાયા નથી.
વિશ્વયુદ્ધના છેલ્લા તબક્કામાં ’૪૨ની ‘હિંદ છેડા ’ની લડત ભારતના ઇતિહાસ માટે યુદ્ધથી ય વધુ પ્રભાવક આંદોલન બની રહી. હડતાલા, ભાંગફોડના બનાવા, આગ, હિંસા, ભૂગપ્રવ્રુત્તિ, અસહકાર, જેલગમન, શહીદી વગેરે, ગાંધીજી અને અન્ય નેતાએ જેલ જતાં, દેશમાં થેાડેાક સમય પ્રવતી રહ્યાં; મુક્તિસ ંગ્રામના અનેક સૈનિકા અપંગ થયા, રાવિહીન રહ્યા; રાત્રિફરમાતા, ધરપકડા અને ગાળીબારાની પરપરા ચાલી. સરકારની દમનનીતિ અને અસહકારીઓની સહનવૃત્તિએ માઝા મૂકી. પણ આમમ? '૨૦ અને ’૩૦નાં મુક્તિસ`ગ્રામ વેળા આપણી સમગ્ર પ્રજા અને સાહિત્યકારોમાં જે શ્રદ્ધા, નિષ્ઠા, ઉત્સાહ અને ભબ્યાદાત્ત ભાવનાએનાં પૂર ઊમટેલાં તે
આ વખતે ક્રમ જણાયાં નહિ? માત્ર ઘેાડાક જવાના, વિદ્યાથીએ અને કેટલાક પીઢ કાર્યકરેાએ જ એમાં કેમ સક્રિય રસ બતાવ્યેા ? બાકીના બીજા બધા–લેખક્રેા, વકીલા, મજૂરા, ખેડૂતા, કારીગરા, સરકારી અમલદારો, વેપારીઓ, શિક્ષકા વગેરે-મૂક સાક્ષી બનીને કેમ બેસી રહ્યા? શું એનું
Page #16
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર : ૧૦ કારણ આગલાં બે અદિલને માંથી સાંપડેલી નિરાશા હતું ? વિશ્વયુધ્ધ સજેલી આર્થિક ભીંસને કારણે પ્રજાનું જીવન વિષમ બન્યું તેથી એમ બનવા પામ્યું હશે? કે પછી આ લડતને જ લેખક અને લેકે સંશયભાવથી જતા હતા? કારણ ગમે તે હે, પણ આગલા સ્વાતંત્ર્યસંગ્રામે જેટલા પ્રમાણમાં પ્રજાના અંતરને સક્રિય ઉત્સાહ અને સાહિત્યકારોની શ્રદ્ધા અને પ્રેરકશક્તિ પ્રાપ્ત કર્યા હતાં તેટલાં 'કરના અદિલને મેળવ્યાં જ|તાં નથી. “આતિથ્ય અને પનઘટ' જેવા કાવ્યસંગ્રહએ અને “પાદરનાં તીરથ', “ઝંઝાવાત', “અણખૂટ ધારા', “ઘુવડ બોલ્યું, “પાવક જવાળા’, “કાલચક્ર, અને “ભભૂકતી જવાળા' જેવી નવલકથાઓએ 'કરના મુક્તિસંગ્રામનું વાતાવરણ આલેખ્યું છે, પણ આગલા દાયકાઓએ ઉપજાવેલ નવીન ક્રાતિકારક સાહિત્યપ્રવાહની જેમ વિશિષ્ટ છાપ પાડે તેવું સ્વતંત્ર વહેણ એ કૃતિઓમાંથી ફૂટતું દેખાતું નથી.
ઈ. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે અને ૧૯૪૯ના જાન્યુઆરિની ૨૬મીએ હિંદની પ્રજાને આત્મશાસનને પૂર્ણ અધિકાર સાંપડ્યો. વર્ષોની એની ઝંખના અને પુરુષાર્થ પાંગર્યા. પણ સાધના વખતે જે સ્કૂર્તિ અને રસ હતાં તે સિદ્ધિ પછી જાણે ઓસરી ગયાં. બીજા વિશ્વયુધે આ ગરીબ પ્રજાની કેડ ભાંગી નાખી હતી. ત્યાં તે બે કેમોની પરસ્પર કલેઆમ અને હિજરતે, દુકાળ, ધરતીકંપ અને રેલસંકટ, બેકારી અને હલકા જીવનધોરણે, ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારે અને વહીવટીતંત્રથી ભેગવવી પડતી યાતનાઓએ પ્રજાની જીવનશ્રદ્ધા ડગાવી દીધીઃ વિષાદ, કટુતા, નિર્બળતા, રેલ અને નાસ્તિકતા (cynicism)ની ઘેરી અમાસ સ્વતંત્ર ભારત પર છવાતી ચાલી. આવી મનેદશામાં મુક્તિને ઉલ્લાસ ઠરી ગયા. સાહિત્યકારોએ પણ સ્વાતંત્ર્યપ્રાપ્તિને વધાવવા જેટલે ઉમળકે બતાવ્યું નહિ. કેટલાંક સામયિકામાં તેમજ “સ્વાતંત્ર્યપ્રભાત” જેવી પુસ્તિકામાં મુક્તિદિનને બિરદાવતાં ગીતો મળે છે, પણ એ તો અપવાદરૂપ ગણાય એટલાં જ.
ભાષણે અને લેખમાં આપણું તત્વચિંતકે કે રાજપુરુષ અહિંસાનું ક્ષિતિજ હાથવેંતમાં છે એમ ભલે બતાવતા રહ્યા હોય; રાજકેટ અદિલનની નિષ્ફળતા પછી, બીજા વિશ્વયુદ્ધના જન્મ પછી અને ખાસ કરીને તે હિંદુ-મુસ્લિમ વચ્ચેનાં અમાનુષી કમી હુલ્લડો બાદ પ્રજાની અહિંસામાં શ્રદ્ધા રહી નહિ. નોઆખલી, પૂ. બંગાળ, ૫. પંજાબ, સિંધ અને અન્ય સરહદ ઉપરના બનાવોથી કોમી એકતા દૂર ને દૂર ધકેલાતી ગઈ. બે
Page #17
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વામય પર દષ્ટિપાત કેમેએ પશુતાને ય શરમાવે તેવી પ્રવૃત્તિ આરંભી; માદરે વતનને અને લાખોની સંપત્તિ, ઉદ્યોગ, વેપાર તથા સ્વજનેને સદા માટે તજીને વિપુલ સંખ્યામાં તેમને સામુદાયિક હિજરત કરવી પડી. તેના જ પ્રત્યાઘાત રૂપે સંવેદનાને થીજાવી દે તેવી ગાંધીજીની હત્યા થઈ. પરંતુ મહાકાવ્ય કે નવલકથાને વિષય બની શકે તેવી આ ઉમૂલક કલંકકથા પાંચ-પચીસ રડ્યાખડ્યાં ક કા કે દસ-બાર ટૂંકી વાર્તાઓ સિવાય આપણું સાહિત્યે ખાસ ઝિલાઈ નથી. એ જ પ્રમાણે પ્રજાજીવનને પોરસ ચડાવે તે આઝાદ હિંદ ફોજને આઝાદી માટેનો મરણિયા પ્રયત્ન પણ બે–ચાર ઉભડક વીરકથાઓ સિવાય સાહિત્યની સૃષ્ટિમાં સ્થિર પ્રકાશ આપે તેવી રીતે ઝિલાયો નથી.
પ્રજાના જીવન ઉપર મૂલગામી અસર કરનાર અનેક યાદગાર, રોમાંચક બનાવીને એક સાથે સાંકળી લેતે આ સભર દાયકે ભારતના ઈતિહાસમાં જવલ્લે જ જોવા મળશે રાજકીય, સામાજિક, આર્થિક અને નૈતિક-તમામ ક્ષેત્રોમાં પ્રજાનાં વૃત્તિ, વલણ, વિચાર અને વર્તનમાં તેણે અનેક મંથને જગાડવાં ; તેમાં ધરમૂળથી અનેક પરિવર્તન કીધાં છે. પ્રજાની જૂની શ્રદ્ધા અને તેનાં પરંપરિત જીવનમૂલ્યો આ દાયકામાં ત્વરાથી બદલાતાં જાય છે, પણ કેાઈએસ નવીન વિચારશ્રદ્ધા કે સ્થિર જીવનદર્શનનું હેકાયંત્ર જાણે કે આ ધૂંધળા વાતાવરણમાં તેને હાથ લાગતું નથી. તેનું મન અસ્થિર છે. એમાંથી સન્નિષ્ઠા અને ક્રિયાનું પ્રમાણુ ઉત્તરોત્તર ઘટતું જાય છે. તેનામાં હૃદયબળ કરતાં બુદ્ધિનું ચાપલ્ય વિશેષ પ્રસરતું જણાય છે. બુદ્ધિના આલંબનથી આંતરિક નિબળતાને છાવરવાના અને બાહ્ય જગતમાં સંસ્કારિતાને ડોળ કરવાના તેના પ્રયત્નો વધતા જાય છે. આવી છે આપણું આ દાયકાની જીવનસંપત્તિ.
એની અસર સાહિત્ય ઉપર જરૂર પડી છે. તેથી આપણું સાહિત્ય પણ જીવનના સત્વશાળી અંશને બદલે જીવનના અસ્થિર, ચબરાકિયા ભાનું ચિત્રણ જ કરે છે. સાહિત્યમાં આશા, માંગલ્ય અને શાંતિપૂર્ણ સૌન્દર્યની છાપને બદલે વિષાદ, ઈન્દ્રિત્તેજક ચાંચલ્ય અને બુદ્ધિ કે ઊર્મિના ક્ષણિક તરવરાટની છાપ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઓછામાં ૧ “Between two worlds, One dead : the other powerless to be born!”
-Mathew Arnold
Page #18
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫૦ ૧૦ ઓછી મૂડી રોકીને વધારેમાં વધારે નફો મારી લેવાનું વલણ કોઈને આધુનિક સાહિત્યસર્જનમાં ઉપયુંક્ત સ્થિતિને કારણે દેખાય તે નવાઈ નહિ. મને મંથનની તીવ્રતા, કલાના અન્તસ્તત્વની ઊંડી સાધના, પ્રજાસમસ્તના અંતર ઉપર પ્રબળ અસર કરે, તેમનાં વૃત્તિ-વિચાર પલટાવી નાંખે તેવી ભવ્ય જીવનશ્રદ્ધાને રણકો આજના સર્જન-સાહિત્યમાં ક્યાંય જણાતો નથી. - ગાંધીજીના આધ્યાત્મિક રાષ્ટ્રવાદને પ્રભાવ નવીન લેખકેમાંથી ઘટતે જાય છે. રશિયાની પરદેશનીતિથી તેમના પ્રિય સામ્યવાદની મૂર્તિઓ પણ ભાંગી પડી છે. ઈંગ્લેન્ડ અને અમેરિકાની લોકશાહી તેમને સંતોષી શકતી નથી. આમ સર્જકની પ્રિય ભાવનાઓ પત્તાંના મહેલની જેમ અસ્થિર છે. તેથી એમની કૃતિઓમાં પણ સ્થિર અને તાત્વિક જીવનદર્શનનો અભાવ માલૂમ પડે છે.
પ્રેરક બળો અને લક્ષણે તે પછી આ દાયકાનાં સાહિત્યસર્જનનું મુખ્ય ઉપાદાન શું? તેના ઘણાખરા સર્જન-પ્રવાહને ફોગમ તેની પહેલાંના દેઢ દાયકામાં જોવો પડે તેમ છે. ઈ. ૧૯૨૫ પછીના સાહિત્યનાં જે સ્થૂળ ઘડતરબળો અને લક્ષણો છે તેમાં આ દાયકે બહુ મોટો ફેરફાર થયો હોય એમ જણાતું નથી. (અલબત્ત તે વર્ષોનાં સાહિત્યલક્ષણો આજના લેખકેની તે તરફની કઈ ઊંડી . તત્ત્વનિષ્ઠાને કારણે નહિ, પણ તેમના પરંપરાપ્રાપ્ત ચલણથી જ આ દાયકે ચાલુ રહ્યાં છે.) તે પણ દેશવિદેશની અદ્યતન સાહિત્યકૃતિઓનું વાચન, માનસશાસ્ત્ર અને કામવિજ્ઞાન તરફ વધતું જતું કુતુહલ, આધુનિક પરદેશી કલામીમાંસકાની વિચારસરણી અને સર્જકની કલાનિરૂપણરીતિઓને પ્રભાવ, ભૂતકાળના ઇતિહાસમાં ગૌરવ જેવા શોધવાનું વધતું વલણ, ટાગોર અને અરવિંદના અગમ્યવાદ અને તેમના કાવ્યાદર્શીની લગની, નિર્ભેળ વાસ્તવવાદનો ઊંડો આગ્રહ, ભવ્યદાત્ત વ્યક્તિના જટિલ જીવનને બદલે પ્રાકૃત વ્યક્તિના જીવનની યાદગાર અને રસક્ષમ ક્ષણોને સાહિત્યવિષય બનાવવા તરફની દષ્ટિ, પ્રગભ પ્રયોગોમાં રાચતું લેખકમાનસ, વિષયવૈવિધ્યને ભારે મોહ–આ બધાં એક બીજાથી સાવ ભિન્ન ગણાય તેવાં લક્ષણો આ દુાયકાના લલિત સાહિત્યમાં સ્પષ્ટ જણાય છે. આ દાયકાની લેખનપ્રવૃત્તિમાં રેડિયો અને બોલપટમાં મળતાં વધુ ધનકીર્તિથી આકર્ષાઈને નવીન લેખકે તેમને અનુકૂળ બને તેવી રચનાઓ તરફ
Page #19
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાડમય પર દષ્ટિપાત વળ્યા છે. જોકપ્રિય જ તેમને મુદ્રાલેખ હોય એમ તેમની કૃતિઓ વાંચતાં શંકા જાય છે. એ જ વિદ્વદ્દગ્ય કરતાં લોકભોગ્ય સાહિત્યનું પ્રકાશન ગયા કરતાં આ દાયકે વધારે થતું રહ્યું છે એમ કહી શકાય.
ગયા દાયકા કરતાં આ દાયકે આપણું સાહિત્યમાં પશ્ચિમના વીસમી સદીના સાહિત્યની અસર પણ વધુ વરતાય છે. કૃતિના સ્વરૂપ અને રચનાવિધાન પરત્વે, વિષયની વિધવિધ નિરૂપણપદ્ધતિઓ અને રીતિઓ દાખવવામાં, વસ્તુનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ સાધી બતાવવામાં તથા જાતીય કામનાઓનું પૃથક્કરણ કરી તેમને રસવિષય બનાવવામાં આધુનિકે આ સદીના પશ્ચિમી લેખકોને સારી પેઠે અનુસરે છે.
આ દાયકાના કેટલાક લેખકે ગામડામાંથી આવ્યા છે. તેમનું લેખન સ્વાનુભૂત ગ્રામજીવનના જીવંત રસથી પોષાય છે. ચાહીને તેઓ માણેલી ગ્રામસૃષ્ટિની સુંદરતા-અસુંદરતાએાનું નિરૂપણ કરવા તરફ ઢળ્યા છે. આગલા દાયકાની “સેરઠ તારાં વહેતાં પાણી', “સાપના ભારા” કે “વળામણું' જેવી કૃતિઓએ મેળવેલી સફળતાથી ઉત્તેજાયા હોય તેમ, પન્નાલાલ, પિટલીકર, મડિયા, પીતાંબર પટેલ, દુર્ગેશ શુક્લ, ચંદરવાકર, પ્રેમશંકર ભટ્ટ, જશભાઈ પટેલ આદિ લેખકેએ આ દાયકે ગ્રામધરતી અને સમાજના તળપદા રંગોને તેમની કૃતિઓમાં વધુ પ્રમાણમાં ઉઠાવ આપે છે.
આ દાયકાના સાહિત્યમાં ઉલ્લાસ અને પ્રસન્નતા કરતાં દુઃખ, વિષાદ અને કટુતાનાં તો વધુ ગોચર અને પ્રતીતિકર બને છે. સર્જક-માનસ શ્રદ્ધા અને શ્રેયની ઝંખના વ્યક્ત નથી કરતું એમ નહિ, પણ એની અભિવ્યક્તિ બુદ્ધિપૂર્વક કે સભાનતાથી થતી હોય એમ જણાય છે; જયારે જિવાતા જીવનની વિષમતાની અને વર્તમાન પ્રતિકૂળ પરિસ્થિતિઓની તેની ઝાંખી સચોટ અને તીવ્ર હોવાથી તેમાં તેની ખરી વ્યાકુળતા અને સંવેદનાનાં દર્શન થાય છે. સમગ્ર પ્રજાના જીવનમાં લેખકને વેદનાના જ • સૂરે સંભળાતા હોવાથી આમ બનવું સ્વાભાવિક છે. ભારતીય પ્રજામાં આળસ, ગરીબી, વિલાસી વૃત્તિ, ઉપરના ચળકાટને મોહ, સ્વાર્થલાલુપતા દંભ અને નીતિભ્રંશ ગયા દાયકા દરમિયાન કૂલતાં ગયાં છે; બીજી તરફ, તેના સામુદાયિક જીવનમાંથી ઉત્સ, આનંદે અને જીવનપોષક અદલનને દેશવટો મળ્યો જણાય છે. પછી સાહિત્યમાં જીવનની પશુતા, મલિનતા, ઝંઝાવાત અને માનસિક યાતનાઓનાં ચિત્રો વિપુલ પ્રમાણમાં જોવા મળે એમાં કશું દુઃખ કે આશ્ચર્ય નથી; એમાં ખુદ જિવાતું જીવન જ કારણભૂત છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૩૦ ૧૦
ત્યારે સામાન્ય વિષયાને રસનું વાહન બનાવવા તરફની વધતી જતી રૂઢિ, ઊર્મિ ક કલ્પના કરતાં સ્થૂળ વિગતા અને વસ્તુનું ચિત્રણ કરવાના શાખ, કૃતિના અંતરંગ કરતાં તેની બાહ્ય આકૃતિ સાધવા તરફ વધુ લક્ષ, જીવનની સપાટી ઉપરનાજ ભાવાને તાકવાની વૃત્તિ, ભાષાની તે વાણીની છટા તથા શૈલીનું વૈવિધ્ય બતાવવામાં દેખાતા રસ, ષાત્રા અને પ્રસંગાનું મનેવૈજ્ઞાનિક પદ્ધતિથી થતુ આલેખન અને મનરંજન કરવાના જ મુખ્ય હેતુ આ દાયકાના સર્જનાત્મક સાહિત્યનાં વ્યાવક લક્ષણા છે. પ્રાચીન પરાક્રમશીલ સંસ્કૃતિની કથાઓના ગૌરવગાનથી વીર તે અદ્દભુત રસ પીરસવાના તેમજ ગુનેગારા, બહારવટિયાઓ અને ઉપેક્ષિતામાં માણસાઈના દીવા પ્રગટાવનારી ભાવનાના આલેખનના પ્રયત્ના કચિત્ તેમાં નજરે ચડે છે, તેમ છતાં મુખ્યત્વે કરીને
આ દાયકાના લેખકૈાએ જીવનની કાઈ સ્થિર અને ઉદાત્ત ભાવનાનું મંગલ દન કરાવવા કરતાં વતમાનનાં અનેકરંગી વાસ્તવચિત્રા આલેખવાનું જ ધાયુ” હોય એમ લાગે છે. આમ જીવનની ઊ'ડી ઝંખના અને નિરાશા— એમ પરસ્પર વિરેાધી ભાવાના પ્રબળ ધક્કા રૂપેજ આ દાયકાની સાહિત્ય
સરિતા વહી રહી છે.
પણ આ તા થઈ લિત સાહિત્યની વાત. લલિત સાહિત્ય તેના સંગીન સ્વરૂપમાં વિપુલ પ્રમાણમાં જન્મે તે પહેલાં પ્રજાની જીવનદૃષ્ટિને સારે, તેને શક્તિશાળી બનાવે, તેનામાં અમુક વિચારાનું સ્થાયી વાતાવરણ દૃઢ બનાવે તેવા ચિંતન-સાહિત્યની એટલે વિચારકાની વાણી અને પ્રવૃત્તિની ખાસ આવશ્યકતા રહે છે. સકાના ધડતરમાં તેના યુગવિચારા, તેના આધાત-પ્રત્યાધાત અને આંદોલનેાના તથા વાતાવરણુશક્તિના ઘણા મોટા ફાળા રહે છે. રવીન્દ્રનાથને ધડવામાં બ્રાહ્મ સમાજને પરાક્ષ ફાળા નાનેાસના ન કહેવાય. ગેાવનરામ કે ન્હાનાલાલના વ્યક્તિત્વને તેજસ્વી બનાવવામાં પશ્ચિમી સંસ્કૃતિને પ્રત્યાધાત ખુલંદ છે. એ જ પ્રમાણે હાલના ગુજરાતમાં પણ જ્યારે ચંચલ લેાલક જેવા વિચારાના ગડગડાટ શમી જશે, એક સ્થિર પ્રકાશવાળી દૃષ્ટિ, વિચાર અને વાતાવરણનું આકાશ જામશે, ત્યારે જ સર્જનાત્મક સાહિત્યચેતનવંતું અને ખરા અર્થમાં સમૃદ્ધ બનશે.
લલિતેતર સાહિત્યમાં આ દાયકે સારુ જોમ આવ્યું છે. ચરિત્રપુસ્તકા અને ચિંતનલેખેાના સંગ્રહા સારા પ્રમાણમાં પ્રકાશન પામ્યા છે. તેમાં
Page #21
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાડમય પર દષ્ટિપાત નિરૂપિત જીવન, વિચાર અને કલા દીતિમાન છે. પ્રાચીન-મધ્યકાલીન કાવ્યનાં વિદ્વત્તાપૂર્ણ સંશોધન-સંપાદનો આ દાયકે આપણને ઠીક ઠીક મળ્યાં છે. વિવેચનના સંગ્રહનું પ્રમાણુ સંતોષકારક છે. ડાયરીનું સાહિત્ય આ દાયકે જ પહેલવહેલું આપણને ગ્રંથાકારે સાંપડ્યું છે. આત્મકથાઓ લખવા-છપાવવાને વ્યવસાય પણ વધ્યો છે. આ સૌ ગ્રંથમાં તેમના લેખકનું અભ્યાસબળ, મનનપ્રિયતા, તેલનશક્તિ, શિલીની સચોટતા અને વિદ્વત્તા જોવા મળે છે. એકંદરે લલિત વિભાગ કરતાં લલિતેતર વિભાગનું બળ આ દાયકાને ગૌરવ અપાવે તેવું છે.
સાહિત્યના પ્રવાહો દશ વર્ષમાં જૂના પ્રવાહ બદલાઈ ન જાય, પણ તેમાં થોડીઘણી વધઘટ તો અવશ્ય થાય. કેઈ નવું ઝરણું તેમાં આવી ભળી જાય, તેની ગતિ અને દિશામાં કંઈક ફેરફાર થાય, તેનાં જળ ઊંડાં કે છીછરાં બને, કોઈ કોઈ પ્રવાહ લુપ્ત પણ થઈ જાય. કાળની ગતિ, વર્ષાની ધારા, મૂળનાં પાતાલ ને જમીનના થર પ્રમાણે બનતું રહે. ગયા દાયકામાં સાહિત્યનું એકાદ સ્વરૂપ વિપુલતાને પામ્યું હોય તે આ દાયકામાં તે ક્ષીણ બને અને પ્રવાહની કેટલીક નવી દિશા ચાલુ થયા બાદ પુનઃ તે જુની દિશા તરફ પણ વહેવા માંડે. આગલા દાયકામાં કોઈ સાહિત્યકાર ઉપેક્ષા પાયે હોય , તે નવા દાયકામાં ઉપાસનાને પાત્ર પણ બને.
એ પ્રમાણે તપાસીએ તે આગલા દાયકા કરતાં આ દાયકાને કાવ્યપ્રવાહ અત્યંત ક્ષીણ લાગે છે. નવલિકા, નાટક ને નવલકથાના પ્રવાહમાં ક્યાંક ક્યાંક તાણું નાંખે એવાં જલેનું જોસ જણાય છે, પણું
ડેક દૂર ગયા કે વળી પ્રવાહ છીછરે માલૂમ પડે છે; રેતીના સુક્કા પટ નજરે ચડે છે. લલિતેતર સાહિત્યમાં વિવેચન, સંપાદન, અનુવાદ, સંશોધન, ઇતિહાસ, પ્રવાસ અને વિજ્ઞાનના પ્રવાહ આગલા દાયકાની જ ગતિએ છે. પણ ચિંતન અને ચરિત્રને સાહિત્યપ્રવાહ તે આગલા બે દાયકાથી ય વધુ સમૃદ્ધિ પામે છે. પ્રત્યેક પ્રવાહને વિગતવાર વિસ્તારથી નિહાળીએ.
કવિતા ગઈ પેઢીના કવિઓમાંથી કવિ ન્હાનાલાલ, પ્રો. ઠાકોર અને રા. ખબરદારની સજનપ્રવૃત્તિ ચાલુ રહી છે. નવીન કવિઓની પ્રથમ પેઢીમાંથી ચંદ્રવદન મેઘાણી, સ્નેહરશ્મિ, ઉમાશંકર, પૂજાલાલ, મનસુખલાલ,
ચં. ૨
Page #22
--------------------------------------------------------------------------
________________
૦
ગ્રંથ અને ગ્રંથકાર ૩૦ ૧૦
માણેક, કેશવ શેઠ, જ્યાત્સ્નાબહેન શુકલ અને જુગતરામ દવેના નૂતન કાવ્યસંગ્રહા, બાદરાયણના પ્રથમ કાવ્યસંગ્રહ અને ડીલરરાય માંકડનુ એક લાંબુ' કથાકાવ્ય આ સમયમાં પ્રગટ થયેલ છે. કેાલક, મેાહનીચ', હરિશ્ચંદ્ર ભટ્ટ, પ્રોાધ, પારાશય, નાથાલાલ દવે, પ્રહ્લાદ પારેખ, પ્રારામ રાવળ, સ્વસ્થ, અરાલવાળા, ગાવિંદ સ્વામી, અનામી, ગાવિંદ પટેલ, દુર્ગેશ શુકલ, સ્વ. પ્રભુભાઈ પટેલ, પુષ્પા વકીલ, દેવશ ંકર જોષી, મિનુ દેસાઈ, નિરંજન ભગત, નંદકુમાર પાઠક, પ્રશાંત, જહાંગીર દેસાઈ, જશભાઈ પટેલ, આનંદ કવિ, અમીન આઝાદ, વગેરે ઉદય પામતા નવીન કવિએમાંથી કેટલાકના પહેલા તે કેટલાકના બીજા કે ત્રીજા કાવ્યસ ́ગ્રહે આ ગાળામાં પ્રકાશન પામ્યા છે. આપણી મુઝગ પેઢીના ભુલાઈ ગયેલા એક સારા કવિ હરગાવિંદ પ્રેમશ’કર ત્રિવેદીના એક કાવ્યસંગ્રહુ ઉમાશકર અને નાથાલાલ દવેની સયુક્ત મહેનતથી સંપાદિત થયા છે. આ ઉપરાંત રાજેન્દ્ર શાહ, રતિલાલ છાયા, ઉશનસ્, બાલમુકુંદ દવે, જયંત પાઠક, વેણીભાઈ પુરાહિત, હસિત ખૂચ, ઉપેન્દ્ર પડયા, પિનાકિન ઠાકાર, શેખાદમ આમુવાલા આદિ તરુણુ કવિએ પણ અવારનવાર માસિકામાં પેાતાની રચનાએ ચમકાવતા રહે છે. આમ સ`ખ્યાદષ્ટિએ આપણા કવિએ અને આપણાં કાવ્યેાના ફાલ આ દાયકે થાડા ઊતર્યાં નથી.
આગલા દાયકાની કવિતામાં વિશેષે જોવા મળતું દલિતા, કિચન ને ઉપેક્ષિતાનું ગાન આજની કવિતામાં ઘટવા લાગ્યું છે. ગાંધીજીએ છણેલા વિષયેા અને બતાવેલી નીતિએ અગાઉની કવિતાને જે પ્રેરણાજળ પાયું હતું તે અત્યારની કવિતામાં જણાતું નથી. તેને બદલે હાલનાં કાવ્યેામાં પ્રકૃતિ, પ્રણય અને ભક્તિના વિષય વધારે આવિષ્કાર પામ્યા છે. આ દાયકાના પ્રત્યેક કાવ્યસંગ્રહના અડધા અડધ ભાગ પ્રકૃતિ અને પ્રણયનાં ભાવચિત્રોથી ભરપૂર જણાય છે.
પ્રકૃતિનિરૂપણમાં કવિઓનું વલણ સૌન્દર્યલક્ષી તેમજ વાસ્તવદર્શી રહ્યું છે. સાદા અલંકારા, મુટ્ટાદાર તરંગા, કવિતાચિત પદાવલિ અને પ્રાદેશિક સૌન્દર્યશ્રી વડૅ પ્રકૃતિનાં સરલરમ્ય વિગતપ્રચુર વર્ણના કાવ્યામાં સભર ભર્યાં છે. સાથે સાથે ચિંતન, સ્વાનુભવકથન અને વૃત્તિમય–ભાવાભાસનું આલબન પણ પ્રકૃતિ બની છે. કુદરત પ્રત્યે પિયુભાવ, બાલભાવ, સખ્યભાવ ભક્તિભાવ-એમ જુદા જુદા કવિઓએ પેાતપાતાની નિરાળી દૃષ્ટિ વડે પ્રકૃતિને નિરખી અને પીધી છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાણમય પર દષ્ટિપાત
પ્રણય–આલેખનમાં સ્વછ દામ્પત્યની પ્રસન્નગંભીર પ્રૌઢિ કરતાં યૌવનની નિરકેશ મસ્તી, ચાંચલ્ય, અશાંતિ, પ્રેમનું વૈફલ્ય, દર્દ અને તેમાંથી ઉદ્દભવતા સ્વૈરવિહારી ચિંતનનું નિરૂપણ વિશેષ જોવા મળે છે.
આ દાયકાનાં કાવ્યોને કેટલાક ભાગ વિસરાઈ ગયેલ ભક્તિ અને ઈશ્વર-તત્ત્વ તરફ પુનઃ જાગતું વલણ બતાવે છે. કવિ પૂજાલાલ ભક્તિ, સ્તુતિ અને પ્રાર્થનાને જ ત્રણ–ચાર કાવ્યસંગ્રહના વિષય બનાવે છે. કોઈ અજ્ઞાત કવિની “શ્રી ગંગાચરણે” “તુજ ચરણે... ‘હૃદયપકાર” “મનને” “જીવન પગલે’ આદિ પુસ્તિકાઓમાંની ભક્તિપિષક કવિતા તેનું બીજું નિદર્શક દૃષ્ટાંત છે. શ્રો. સુંદરમસંપાદિત ‘દક્ષિણ” વૈમાસિકમાં રજૂ થતાં મૌલિક અને અનુવાદિત કાવ્યો તેમજ વિવિધ સામયિકોમાં પ્રગટ થતાં રહેતાં સુંદરમથી માંડીને શ્રીકાન્ત માહુલીકર સુધીના કવિઓનાં કાવ્યો આ દાયકાની કવિતાને આધ્યાત્મિક ઝક પણ આપે છે. “યાત્રા” “અભિસાર', “મંજૂષા', “ગોપીહદય', (અનુવાદ) “ભગવાનની લીલા” વગેરે કૃતિઓમાં પ્રતીત થતી પ્રભુશ્રદ્ધા અને અગમ્ય તત્ત્વની ઝંખના પણ આ વાતનું સમર્થન કરે છે. શ્રીમદ્દ ભગવદ્દગીતાના અનેક અનુવાદ અને “વેદાંતવિલાસ” કે “શંકરવિલાસ” જેવા જૂની પદ્ધતિના પદસંગ્રહોની બે ત્રણ વર્ષમાં જ થતી ચાર-ચાર આવૃત્તિઓ બતાવે છે કે આમજનતાને બહોળા વર્ગ પારંપરિક ધર્મપુસ્તકે માટે ઠીક રુચિ બતાવે છે.
હાસ્યરસનાં કાવ્યો પણ વીતેલા દાયકામાં ઠીક સંખ્યામાં મળેલાં છે. આગલા દાયકામાં શેષ, સુંદરમ આદિના સંગ્રહોમાં જોવાતાં તેમ આ દાયકાના સંગ્રહોમાં ય કયાંક કયાંક કટાક્ષપ્રધાન કે વિનોદપ્રધાન કાવ્યો મળી રહે છે. ઉપરાંત આ ગાળામાં “કટાક્ષકાવ્યો” “વૈશંપાયનની વાણી' અને “નારદવાણી” એ ત્રણ સંગ્રહો કેવળ હાસ્યરસનાં જ પ્રગટ થયેલાં છે એ નોંધપાત્ર બિના છે. તેમાંથી પહેલા બે સંગ્રહના કર્તા અનુક્રમે દેવકણું જોશી અને કરસનદાસ માણેકમાં હાસ્યની સ્વાભાવિક દષ્ટિ, દો અને ઢાળની સારી હથેટી, શિષ્ટ તેમજ તળપદા શબ્દો પરંનું એકસરખું પ્રભુત્વ, વાણની રમૂજ, ચાતુર્ય અને દૃષ્ટિની વેધકતા વરતાય છે. ત્રણે
૧. બીજી તરફ આ હકીકત ઉપરથી એમ કહી શકાય કે ભક્તિ અને તત્ત્વજ્ઞાનની ભૂમિકા ઉપર પણ આધુનિક કવિતાપ્રવાહને લકરુચિ ભાવે જ અપનાવી શકી છે,
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૩
ગ્રંથ અને ગ્રંથકાર પુ॰૧૦
સંગ્રહા મુખ્યતઃ એમાંના તીક્ષ્ણ કટાક્ષથી અને અંશત : તેમાંનાં ઠઠ્ઠાચિત્રોથી (caricatures) રેચક અન્યા છે. એમાંનાં ઘણાંખરાં કાવ્યા દૈનિકા દ્વારા લાકપ્રિય બન્યાં છે, જોકે તેમાં સાહિત્યિક ગુણવત્તાની માત્રા એકધારી સચવાઈ નથી.
જૂના વિષયે। ઉપરાંત પ્રત્યેક કાવ્યસંગ્રહમાં તેમના કવિએના નિજી મનેાભાવેા તે વિચારતર ંગાને વિષય બનાવવામાં આવ્યા છે. માનવ મનની, સમાજની અને રાષ્ટ્રના કે વિશ્વના ધડાતા ઇતિહાસની ‘ પરિસ્થિતિ પર કવિઓએ યથાશક્તિ ચિંતન ચલાવ્યુ` છે. સૌ ચિંતનકાવ્યેામાં વિશ્વનાં દુ:ખાના ઉકેલ શાધવાના પ્રયત્ન થયા છે, પરંતુ ચિંતનમાં નવીનતા અને ઊંડાણુની ઊણપ ધણુંખરું વરતાય છે. એવાં કાવ્યમાં કવિતા કરતાં મુદ્ધિયુક્ત વિચારની નિબંધિયા રજૂઆત અને ગદ્યાળુતાની છાપ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઉમાશંકર, સ્નેહરશ્મિ અને મનસુખલાલ જેવા આગલા દાયકાના સફળ ચિંતનશીલ કવિ પણ તેમનાં વિચારપ્રધાન કાવ્યેાની આ ઊણપ ભાગ્યે જ સુધારી શકયા છે.
પદ્મપ્રભુત્વ અને વાણીની છટાએ આ દાયકાની કવિતામાં વિશેષે સધાયાં જાય છે. સુદી કાવ્યા આ દાયકે ઠીક ઠીક ઊતર્યાં છે. ઉમાશ’કરનાં ‘પ્રાચીના 'માં પ્રગટ થયેલ કથાકાવ્યા તે સુવિદિત છે. તેમાં ઉપજાતિના, વૈદિક અનુષ્ટુપના અને આષ છટ્ઠાલ'ગીઓવાળી .વાણીના સરલ છતાં ગૌરવયુક્ત પ્રવાહના મધુર નિનાદ ગુજરાતી પદ્ય અનેવાણીના રૂપને અપૂર્વાંતાથી ભરી દે છે. પૃથ્વી છંદની ૧૦૩૮ ૫ક્તિઓમાં ‘ધરતીને’ સંખેાધતા ચિંતનપ્રધાન કાવ્યમાં સ્વાસ્થે પદ્યરચનાની સારી હથેાટી બતાવી છે. મહાકાવ્ય લખવાની આકાંક્ષામાં ગાવિંદભાઈ પટેલે ૧૭ સ અને ૩૪૫ પાનાંમાં ગુરુ ગોવિંદસિંહ 'નુ એક વિસ્તારવાળું ચરિતકાવ્ય વિવિધ વૃત્તોમાં સંવાદપ્રધાન ખેાધક આખ્યાનકાવ્યની શૈલીના ઢાળમાં ઉતાર્યુ છે. પ્રાચીન અનુષ્ટુપની લાંબાં કથાકાવ્યેા માટેની વાહનક્ષમતા સિદ્ધ કરતું ૧૨૩૭ પંક્તિ સુધી લખાતું ‘ ભગવાનની લીલા' જાણીતા વિવેચક ડાલરરાય માંકડે પ્રગટ કર્યુ છે. સ્નેહરશ્મિના ‘ વર્લીંગમને' કે ‘ પૂર્ણિમા ’ જેવાં છંદોબદ્ધ કાવ્યોમાં અવનવીન વાક્છટા અને મધુર લયકલ્લાલ જોવા મળે છે. વૈદિક રચનાઓથી માંડીને દાહરા-સારઠા સુધીના છંદો ભાવપ્રાકટય માટે આ દાયકે વપરાયા છે; તેમાં શ્રેણી ભાંગફેાડ થઈ છે, પણ કેટલીક વાર તે એમાં નવીન લય અને અસુલભ સંવાદિતા નવીનતર
'
.
Page #25
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાલ્મય પર દષ્ટિપાત
કવિઓને હાથે પણ જળવાયાં છે, એ તેની સિદ્ધિ તરફનું શુભ પ્રયાણ ગણાય. ઉમાશંકર, મનસુખલાલ, સ્નેહરશ્મિ આદિ અને કલક, પારાશર્ય,
સ્વમસ્થ આદિ કવિઓએ તેમની જુદી જુદી વાગ્નિદગ્ધતાને અનેક પ્રયોગો દ્વારા વિકાસ સાધી બતાવ્યું છે. એથી કાવ્યમાં રમતિયાળપણું, પ્રવાહિતા અને સ્વાભાવિકતા આવ્યાં છે. ' '૩૮–૪૦ના ગાળાની કવિતા મુખ્યત્વે અગેય, વિચારપ્રધાન, મૂર્તભાવી, અર્થે કલક્ષી અને સેનેટના કાવ્યસ્વરૂપમાં લેભાતી હારશૈલીની છાપવાળી હતી. હાલની કવિતા વાસ્તવલક્ષી, બુદ્ધિપ્રધાન અને પ્રવાહી પદ્યરચનાની હિમાયત કરતી મટી તો નથી ગઈ, પણ ઇતિહાસનું પુનરાવર્તન સાચું ઠરાવતી હોય તેમ, સ્વ. કવિ ન્હાનાલાલની કવિતાની ઉપેક્ષા પામેલી સિદ્ધિઓ– શબ્દતેજ, સુગેયતા, ભાવલાલિત્ય અને ધ્વનિમાધુર્ય-નું પ્રતિબિંબ ઝીલવાની કારીગરીમાં ઉત્સાહ બતાવતી થઈ છે. એને લીધે એમાં રંગવિલાસી લેલવિલોલ ભાવની સાથે જુના ગુજરાતી તથા બંગાળી ઢાળાની લઢણ વધતી દેખાય છે. “ આતિથ્ય', “પનઘટ', “અભિસાર” જેવા અગ્રણી કવિઓના કાવ્યસંગ્રહમાં ગીતનું વધેલું પ્રમાણ તેમજ “ લય', “પથિક' “કાલિંદી” આદિ નવીનતર કવિઓનાં પુસ્તકોમાં ગીતાએ રોકેલે મોટે ભાગ અને એ ગીતમાંની શૈલી ને રંગરૂપરચના આ હકીકતનું સમર્થન કરવા બસ છે. એકંદરે કવિઓ ઠાકોરશૈલીની
ક્ષતા કે અતિપરિચિતતાથી થાકયા કે ન્હાનાલાલ-દયારામે સાધેલું તત્ત્વ અવગણાયું છે એ કાવ્યસૌન્દર્ય માટે ઠીક નથી થયું એમ સમજ્યા હે, ગમે તેમ, પણ શૈલી પર ન્હાનાલાલ, બોટાદકર, મેઘાણથી અટકી ગયેલ રંગપ્રધાન કાવ્યપ્રવાહ આ દાયકે ઠાકરશૈલીની સાથે સમાન્તર વહેતે સ્પષ્ટ પ્રતીત થાય છે.
સંકુલતા અને અલોકપ્રિયતા અદ્યતન કવિતાનાં ગવાઈ ગયેલાં અપલક્ષણો છે. આ દાયકાની કવિતાએ તેમાંથી મુક્ત થવાના ઠીક પ્રયત્નો કર્યા જણાય છે. અર્થઘટનાને અંગે શૈલીમાં આવતી દુર્બોધતા, કશતા અને ટાઢાશને તજીને ગેયતાને અનુષંગે મધુરતા, લાલિત્ય અને વાગ્મિતાના શૈલીગુણો ખિલવવાનું વલણ તેણે બતાવ્યું છે.
અલોકપ્રિયતાને નિવારવા તે એથી યે વધુ સક્રિય પ્રયત્ન થયા દેખાય છે. ઉત્તર હિંદમાં થતા મુશાયરાઓ અને કવિસંમેલનની દેખાદેખીથી તેમજ સામાન્ય જનતાને કાવ્યાભિમુખ કરી તેમાં રસ લેતી કરાવવાના હેતુથી
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૪
ગ્રંથ અને ગ્રંથકાર પુ ૧૦
આપણે ત્યાં વારતહેવારે જાહેર ચેાગાનમાં અને રેડિયેના ઉપર કાવ્યગાનની પ્રવૃત્તિ આ દાયકામાં શરૂ થઈ છે. એમાં સ્થાનિક ગઝલમ`ડળેા, લેખકમિલ અને રેડિયેએ તેમજ ઉમાશંકર, મનસુખલાલ, જ્યોતીન્દ્ર, બાદરાયણ, કાલક, યાહ્ના શુકલ, જયમનગૌરી આદિ કવિ-કવયિત્રીઓએ સક્રિય રસ દાખવ્યો છે. જો કે પ્રેા. વિષ્ણુપ્રસાદ, શ્રી. વિશ્વનાથ આદિ વિવેચકાએ એમાંની કવિતાએને કરામતી, કઢંગી, સભાર ંજની, કૃત્રિમ જોડકણાં કહી એ ઉપરના એમના સ્પષ્ટ અણુગમા જાહેર કર્યાં છે, તેા પણ દલપતરામથી અટકી ગયેલા સભા સમક્ષ કાર્વ્યપઠનનો કે લલકારને રિવાજ ફરીને ગુજરાતમાં શરૂ થયેા છે. વહેંચાતી કવિતા ઉપર આની એ અસર થઈ કે ‘ક્લાન્ત' અને ‘ કલાપી 'ની ગઝલશૈલી પહેલાં મુસ્લિમ કવિએ કે પતીલની ગઝલમાં જ અટવાતી તેને બદલે હવે મુક્ત ખની સુંદરમ્, ઉમાશંકર, મનસુખલાલ, બાદરાયણુ, બેટાઈ આદિ કવિએનાં નવાં કાવ્યોમાં વિશિષ્ટ લઢણા તરીકે વિહરવા લાગી. છતાં આ શૈલીના સૌથી વધુ પુરસ્કર્તા કવિએ તે શયદા, અમીન આઝાદ, નસીમ, શૂન્ય, આણુવાલા આદિ મુસ્લિમ કવિએ અને પતીલ, માણેક, વેણીભાઈ, બાલમુકુ ંદ, નિરંજન ભગત આદિ હિંદુ કવિઓને ગાવી શકાય. એમની કાઇ કાઇ ગઝલામાં બુદ્ધિચાતુર્યંના ચમકારા ઉપરાંત કાવ્યનાં સાચાં તા પણ મળી રહે છે.
અલબત્ત, ગુજરાતી મુશાયરાઓથી કે રેડિયા ઉપર થતાં કાવ્યગાનાથી ગુજરાતી આમવગે` ઊંચી કાવ્યરુચિ કેળવી હેાય એવી સ્થિતિ ઉદ્દભવી નથી અને એમાં રજૂ થતાં કાવ્યેાના મોટા ભાગ તે જોડકણાંની જ પ્રતીતિ કરાવે છે. તેા પણ શાળા-કૉલેજોના વર્ગા કે પુસ્તકાલયા અને વિદ્વાનાના કબાટામાં ભરાઈ રહેતી કવિતાને જો આપણે જનતાના હૈયામાં ઘુમતી કરવી હાય તો આ પ્રથાને પાષવી પડશે. ગઝલા કે કાવ્યા વિષયાનું વૈવિધ્ય બતાવી ભાવનિરૂપણમાં ઊંચી સુરુચિ તે કલાસંયમ સાધે, લાગણીના સાચા વૈભવ લાવી તેના સકના વ્યક્તિત્વની ખરી ખુમારી દાખવે, શબ્દોના વિવેક તેમજ ભાષા-છંદની શુદ્ધિ માટે દરકાર રાખીને બુદ્ધિચાતુર્યંના તેજસ્વી ચમકાર ઝીલે અને લકઝુચિને વશ થવાના હિ પણ તેને કવિતા માટે કેળવવવાના નિમિત્તરૂપ મુશાયરાને ગણીને કાવ્યની રજૂઆત કરવાની પદ્ધતિ જો અખત્યાર કરવામાં આવે તે આ પ્રવૃત્તિ સાહિત્યનું અહિત સાધનારી ન નીવડે.
કાવ્યપ્રવાહની દિશા અને તેમાં થયેલા ફેરફારા તપાસ્યા બાદ હવે
Page #27
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાડમય પર દષ્ટિપાત આપણે કાવ્યત્વની દષ્ટિએ આ દાયકાની કવિતાને કસી જોઈએ.
આગલા દાયકાના નૂતન કવિઓએ કવિતાના ક્ષેત્ર પર જે આશાઓ ઉગાડી હતી તે હજી આશાઓ જ રહી છે. માણેક, પ્રફ્લાદ પારેખ, સ્વ. હરિશ્ચંદ્ર ભટ્ટ, નાથાલાલ દવે, નિરંજન ભગત જેવા નવીનતર પેઢીના આશાસ્પદ કવિઓ એમની કેટલીક નોંધપાત્ર લાક્ષણિકતાઓ સાથે સજ કબળ ખિલવતા માલૂમ પડ્યા છે એ શુભચિહ્યું છે, તે પણ એકંદરે કાવ્યના ક્ષેત્રમાં આ દાયકો જુના પીઢ કે નવીન ઊછરતા કવિઓ દ્વારા કશું ક્રાન્તિકારક, ઉત્સાહી અદેલન જન્માવી શક્યો નથી. સંખ્યાદષ્ટિએ દેઢાથી ય વધુ નાનાં મોટાં મૌલિક કાવ્યપુસ્તકે આ દાયકાને સાહિત્યચોપડે જમા થયા હોવા છતાં પૂરા દસને પણ કાવ્યભોગી વર્ગ ઉમળકાભેર વધાવશે કે કેમ એ શંકા છે.
હાલ તો કવિઓની સર્જન-પ્રતિભા થાક ખાતી હોય એમ જણાય છે. અર્વાચીન કવિતાનાં ઉત્તમ પુસ્તકોની હરોળમાં બેસી શકે તેવાં નાનાં મોટાં થઈને માત્ર ચાર જ કાવ્યપુસ્તકો આ દાયકામાં ગણાવી શકાય તેમ . છે. એક છે તેમના “અધ્ધ' કરતાં વધુ ઊંચી સર્જકતા, વૈવિધ્ય અને ચિંતનશીલતા બતાવતું સ્નેહરશ્મિનું “પનઘટ'; બીજુ છે પુરાણ પ્રસિદ્ધ પાત્રોને તથા પ્રસંગોને અર્વાચીન ભાવનાની દીપ્તિ વડે અપૂર્વ કૌશલથી આલેખતું ઉમાશંકરનું પ્રાચીના'; ત્રીજું છે ફારસી શાયરોની મસ્તીના પડઘા પાડતું માણેકનું રમણીય “મહેબતને માંડવે” અને ચોથું છે તેમની રંગદર્શી રીતિની સર્વ ઉત્તમતા સહિત દામ્પત્યભાવને તાજગીપૂર્વક આલેખતું હાનાલાલનું નાનકડું “પાનેતર'. બાકીનાં કાવ્યપુસ્તકોમાં તેમના કવિઓની કેટલીક વિશેષતાઓ હોવા છતાં એકંદરે સર્જનશક્તિ નિર્બળ જણાય છે. ભાષાની ચારુતા, પપ્રભુત્વ, વિવિધ વાછટાઓ, નિરૂપણરીતિનું કૌશલ, રસિકતા, મનભાવનું વૈવિધ્ય વગેરે કાવ્યનાં અન્યથા અનુપેક્ષણીય અંગો પર તેમણે સારી સિદ્ધિઓ બતાવી છે, પરંતુ કાવ્યના સમગ્ર કલ્પના વ્યાપાર અને રસચમત્કૃતિ પરત્વે મોટા ભાગના કાવ્યસંગ્રહે નિરાશા ઉપજાવે છે. એમાં સ્વાનુભૂત જીવનદર્શનની ગહનતાની, તીવ્ર ભાવકથનની મર્મસ્પશી ચટની અને વ્યંજનાવ્યાપારથી થતી રસનિષ્પત્તિની મોટી ઊણપ રહેલી છે. તેમનાં કાવ્યોમાં રૂપ, રંગ અને રીતિને રૂઆબ છે, પણ
૧. સ્વ. મેઘાણીએ 'રવીન્દ્રવીણ”માં તેમની સર્જકતા અને રૂપાંતરકલાને ઉત્કૃષ્ટ પરિચય કરાવ્યું છે; પણ “રવીન્દ્રવીણું” આખરે તે વિબાબુની જ ને ?
Page #28
--------------------------------------------------------------------------
________________
૧
ગ્રંથ અને ગ્રંથકાર પુ૦૧૦
6
"
(
<
'
તેમના વ્યક્તિત્વની—માત્માની-ખુશમે નહિ જેવી જ છે. ઉમાશંકરના ‘ગ’ગાત્રી’ અને ‘ નિશીથ'ની તુલનામાં તેમનું જ આતિથ્ય ' કેવું આયાસજન્ય અને ગદ્યાળુ લાગે છે ! મનસુખલાલના વ્યક્તિત્વની જે સારભ · આરાધના ’માં મળતી તે ‘અભિસાર 'માં જાય છે? કયાં · પરિજાત 'માંનાં પૂજાલાલનાં ભક્તિકાવ્યા અને કાં · મિમાળા', ‘ જપમાળા ', આદિમાંનાં તેમનાં સ્તોત્રા ! ગયે દાયકે · દર્શાનિકા', · કુરુક્ષેત્ર', મ્હારાં સૉનેટા ', ‘કલ્યાણિકા', આદિ મુઝગ કવિઓના અને કાવ્યમંગલા ', ‘ વસુધા', નિશીથ ’, ‘ યુગવંદના ’, ‘· ઈન્દ્રધનુ ’, ‘કાડિયાં ’, આદિ નવીન કવિએના ડઝનબંધ પ્રથમ પંક્તિના કાવ્યસંગ્રહે સાંપડવા હતા, જ્યારે આ દાયકૅ એવાં પકવ શૈલીવાળાં, નૂતન વિચારનું પ્રસ્થાન બનાવતાં, ભર્યાં' કાવ્યજળની છાલકા મારતાં પુસ્તકા કેટલાં વારુ? આગલા દાયકાની સરખામણીમાં આ દસકાના ‘ આતિથ્ય ’, · અભિસાર’, ‘ જપમાળા ’, ‘ પ્રતીક્ષા ’, ‘ સ્વાતિ ’, ‘સંસ્કૃતિ', ‘ કાલિ’દી ’, ‘ ધરતીને ’, ‘આકાશનાં ફૂલ ’, ‘મંજૂષા ’ ‘કેસૂડા અને સાનેરુ ‘પ્રતિપદા ’, ‘ ચક્રવાક્ ' છ ંદોલય ', ‘ પ્રત્યૂષ ', ' સંવેદના' આદિ સંગ્રહ સામાન્ય કાટિના નથી જણાતા ?
નાટક
આપણા સાહિત્યમાં નાટકના પ્રકાર ઉપર વાચક્રાનુ' તેમજ લેખકાનું ધ્યાન સદા ઓછું જ રહેતું આવ્યું છે. નવલકથાએ અને નવલિકાએ જેટલાં નાટકા ખરીદાતાં નથી તેમ વંચાતાં પશુ નથી, એટલે માં લખાતાં ય નથી. ધંધાદારી નાટકા અને સાહિત્યિક નાટયરચનાઓ વચ્ચે ખાપમાર્યા વેર હાય એવી પરિસ્થિતિ અનેક પ્રયોગા, અને પ્રયત્ન છતાં આજ સુધી પલટી શકાંઈ નથી. રરંગભૂમિ પર ભજવાતાં નાટકે ભાગ્યે જ પુસ્તકાકારે પ્રકાશન પામે છે અને સાહિત્યિક નાટકાના ધંધાદારી રંગભૂમિ જવલ્લે જ સ્વીકાર કરે છે. વળી નાટયકલા તેના સ`કનુ' અન્ય કલાઓ કરતાં વિશેષ એકાગ્ર ચિત્ત અને સૂક્ષ્મ કાશલ અપેક્ષતી હેાવાથી તેની આરાધના ધારીએ તેટલી સહેલી નથી.
આ બધાં કારણેાને લીધે આગલા દાયકાઓની જેમ આ દાયકા પણુ સાહિત્યના આ પ્રકાર પરત્વે કશું વધારે ખાટી ગયે। નથી. નાનાંમોટાં મળીને લગભગ પચાસ જેટલાં નાટકનાં મૈાલિક પુસ્તકા આ દાયકે પ્રકાશન પામ્યાં છે. ત્રિઅંકી તેમ જ એકાંકીનાં પુસ્તકાનું પ્રમાણુ લગભગ સરખુ રહ્યુ છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાલ્મય પર દષ્ટિપાતા
ત્રિઅંકી નાટકોમાં “અલ્લાબેલી, તથા “૧૮૫૭ અને જલિયાંવાલા' જેવાં રડવાંખડવાં એતિહાસિક વસ્તુવાળાં નાટકને બાદ કરતાં મોટા ભાગની કૃતિઓ સામાજિક છે. સૌ પ્રશ્નોના પ્રશ્ન રૂ૫ સ્ત્રી-પુરુષના સંબંધને આ નાટકોમાં ભિન્ન ભિન્ન રીતે સ્પર્શવામાં આવ્યો છે. શ્રી. ચંદ્રવદન જેવા લેખક કેવળ જાતીય વિકૃતિને જ કેન્દ્રમાં રાખે છે તે શ્રી. મુનશી જેવા સ્ત્રી અને પુરુષની આધુનિક સામાજિક સ્થિતિના વિપર્યાસને ઉપહાસ કરે છે; બાકીના પૈકી કેટલાક મનોવૈજ્ઞાનિક પદ્ધતિએ લગ્ન તથા સ્ત્રીસ્વાતંત્ર્યની સમસ્યાને ચર્ચવાનો પ્રયત્ન કરે છે તો કેટલાક જૂની સ્થિતિને જ નવાં પાત્ર અને પ્રસંગો દ્વારા આલેખે છે. “ધૂમ્રસેર', “છીએ તે જ ઠીક', પાંજરાપોળ', “અલ્લાબેલી', ધરા ગુર્જરી', “ડ. મધુરિકા, “અર્વાચીના', ‘શિખરિણી', “હું ને મારી વહુ', “પારકી જણી', “સરી જતું સૂરત', કુંવારાં જ સારાં ?” અને “ઈશ્વરનું ખૂન –એટલાં આ દાયકાનાં મુખ્ય લાંબાં નાટકે છે.
ધૂમ્રસેર' અને “અલ્લાબેલી” આ વર્ષોના પ્રતિનિધિરૂપ, કલામય કરણઃ નાટકે છે. “છીએ તે જ ઠીક, “ને મારી વહુ, પાંજરાપોળ', અને “અર્વાચીના' લાક્ષણિક મુક્ત પ્રહસન છે. ધરા ગુર્જરી, “સરી જતું સૂરત', “પારકી જણી” અને “કુંવારા જ સારાં ઓછેવત્તે અંશે અગંભીર ગણું શકાય તેવાં સામાજિક નાટકે છે.
'ધૂમ્રસેર', “અલ્લાબેલી' અને “છીએ તે જ ઠીક' નાટકના કલાવિધાન પરત્વે તેમજ તખ્તાલાયકીની દૃષ્ટિએ આ દાયકાનાં સર્વોચ્ચ નાટક ગણાય. ચંદ્રવદને આ ગાળામાં ત્રણ નાટક આપ્યાં છે, પણ તેમાં તેમની નાટયકલાનો કોઈ વિશેષ અંશ ખીલેલે દેખાતું નથી. ઊલટું, સંજનની એકાગ્રતા ઉવેખીને દશ્યતા અને અભિનય-પ્રયાગોને આરાધતાં વિશંખલતાને દોષ એમની કલા વહોરી લે છે. એ જ પ્રમાણે મુનશીનાં નાટકો પણ ભજવવામાં સફળતા પામ્યાં છતાં તેમની નાટયકલાને તેમનાથી વધુ બ મળ્યો છે એમ કહી શકાશે નહિ. એ બાબતમાં ચુનીલાલ મડિયા, ગુલાબદાસ બ્રિોકર અને ગુણવંતરાય આચાર્યની કૃતિઓ કંઈક વિશેષ આશા આપે છે. એમની રચનાઓ આપણા ગરીબ નાટ્યસાહિત્યમાં નોંધપાત્ર ઉમેરારૂપ છે. એ જોતાં આ ત્રણે ય નાટ્યસર્જકે નાટકનાં અંગ-ઉપાંગોની ખિલવણી પરત્વે વધુ સજાગ રહીને આથી ય ઉત્તમ રચનાઓ હવેના દાયકાને આપે તો નવાઈ નહિ.
ચં. ૩
Page #30
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫૦ ૧૦ એકાંકી નાટકોમાં પહેલી નજરે વિષય, સંવિધાન અને શૈલી એમ ત્રણે દષ્ટિએ વૈવિધ્ય આ દસ વર્ષોમાં જોવા મળે છે. ધૂમકેતુના “શ્રીદેવીમાં અને યશેધરના “હુ-એન-સંગ’માં ચિતિહાસિક દુર્ગેશ શુકલ, જયંતિ દલાલ, પન્નાલાલ, મડિયા, ઉમાશંકર, ચંદરવાકર આદિમાં ગામડાંનું નીચલા થરનું કે શહેરના મધ્યમ વર્ગનું લોકજીવન અને ગુલાબદાસ, ગોવિંદ અમીન, ઉમેશ કવિ, દલાલ આદિમાં પ્રતીત થતી સામાજિક સમસ્યાઓ, નુતન મનોવ્યાપારે કે સામાન્ય હાસ્યપર્યવસાયી વિષયો આ દાયકાના એકાંકીનું વિષયવૈવિધ્ય નક્કી કરે છે. સંવિધાનની અનોખી સિદ્ધિ બતાવતું યશોધરનું “રણછોડલાલ', પુરાણાં નાન્દી અને ભારતવાક્યને નૂતન પ્રયોગ દાખવતું શ્રીધરાણીનું “પીયે ગરી', સંયોજનના પ્રગ૯ભ પ્રયાગરૂપ દલાલનું “અંધારપટ' અને રંગભૂમિની નવીન રચના અપેક્ષતું તેમનું “સાયનું નાકું', રહસ્યમય વસ્તુનું સુશ્લિષ્ટ આયેાજને દાખવતું દુર્ગેશનું “હૈયે ભાર', એકસ્થલકી અકૃત્રિમ રચનાવાળું ઉમેશનું “ધરકડી', સંયોજન અને લાઘવના ઉત્તમ નમૂનારૂપ ઉમાશંકરનું “મારી શૈક્ય’ અને ચમત્કારક વળાંકબિંદુ તાકતું ચંદરવાકરનું “પિયરના પડોશી” આ દાયકાની સંવિધાનકલાનું વૈવિધ્ય દાખવતી એકાંકી કૃતિઓ છે. દુર્ગેશની રંગપ્રધાન તરંગલીલાવાળી “પૃથ્વીનાં આંસુ” જેવી રચનાઓની ભાષાશૈલી, કવચિત ન્હાનાલાલની આલંકારિકતા તરફ, કવચિત્ તીખા કટાક્ષો તરફ અને કવચિત તળપદી ચલણી લઢણે તરફ ઢળતી દલાલની તેમનાં જીવનદીપ',
અવિરામ” અને દ્રૌપદીને સહકાર'માં છે તેવી લાક્ષણિક સંવાદશૈલી, ઉમાશંકરથી માંડીને ચંદરવાકર સુધીની કેવળ તળપદી શિલી, ગોવિંદ અમીનની ઊર્મિલ છતાં વિવેદી શૈલી અને પન્નાલાલની વાસ્તવલક્ષી છતાં પ્રફુલ્લ શૈલી ઠીક વૈવિધ્ય જાળવે છે.
પરંતુ એકાંકીના કેટલાક લેખકેએ ઔચિત્યવિવેકનું ભાન રાખ્યા વિના કેવળ પશ્ચિમી નાટયકૃતિઓની નકલ કરવાનું જ ચાલુ રાખ્યું છે તે ઠીક નથી થયું. ઝીણી ઝીણી વિગતોથી ભરેલી તેના માટેની દીર્ઘસૂત્રી નાટથસૂચીઓમાં,-સંવાદમાં રેજના વ્યવહારની ઘરાળું પ્રાદેશિક બેલીઓનું વધુ પડતું પ્રદર્શન કરાવવામાં અને ઉદંડ મને વ્યાપારાનું નિબંધની કક્ષાએ પહોંચે ત્યાં સુધી આલેખન કરવામાં એકાંકીને કર્યો હેતુ સરતો હશે તે સમજાતું નથી. ઘણીવાર તે પ્રયોગશીલતા કે નવીનતાના શંખમાં વસ્તુની નાટોચિતતાની સૂઝ પણ રહેતી નથી.
Page #31
--------------------------------------------------------------------------
________________
થયા દાયકાના વાય પર દષ્ટિપાત : સંવાદો દ્વારા અમુક સ્થળ-સમયનું વાતાવરણ–ચિત્ર આલેખ્યું એટલે કે એકકી થઈ ગયું એ કશાક ખ્યાલ તેમના મનમાં હશે કે શું, પણ ગોવિંદ, ચંદરવાકર આદિ કેટલાક લેખકો તેમની અનેક રચનાઓમાં તેમના અનુભવો, તળપદા જીવનના પ્રસંગો અને નિરીક્ષણની વિગતનું સંવાદમાં યથાતથ રૂપાંતર કરીને જ એકાંકીમાં અટકી જાય છે. કેવળ પાત્રોના સંવાદ, પ્રસંગનું ચિત્રણ, પ્રશ્નની ચર્ચા, અને એકાદ નવી ઘટનાથી તેને વળાંક એટલે નાટક નહિ, પણ એકાંકીના લઘુસ્વરૂપની મર્યાદામાં રહીને હેતુને ક્રમશઃ સ્પષ્ટ કરે તેવી પાત્રક્રિયાઓ દ્વારા તેના સ્વાભાવિક ક્રમમાં વસ્તુમાંથી અકૃત્રિમપણે ફુટ થતી ઊર્મિ કે અનુભૂતિ એકાંકી નાટકનું પ્રાણતત્ત્વ છે એ ભાવના આપણા સારા ગણાય તેવા નાટયલેખકોની કૃતિઓ પણ ભાગ્યે જન્માવી શકી છે. એકાંકીનું, કઈ કઈ અંગ તેમની કૃતિઓમાં સરસતાથી ઊતર્યું હોય, પણ સમગ્ર નાટયકૃતિ તેનાથી સંપૂર્ણ કલાકૃતિનું સ્વરૂપ પામી શકતી નથી. કદીક નાટકનો મૂળ વિચાર કે હેતુ જ શિથિલ, અસ્પષ્ટ અને નિર્બળ હોય છે; કદીક ચબરાકિયા સંવાદોમાંથી આકર્ષણ જમાવી નાટક વિરમી જાય છે; કદીક નાટકનો ઉપાડ કુશળતાથી થાય છે તો તેને અંત ઢીલેપિચો કે અસ્વાભાવિક બની જાય છે; કદીક સંઘર્ષનું તત્ત્વ જરૂરી જમાવટ કરી શકતું નથી; કદીક, રમણલાલ, મેઘાણું, ધૂમકેતુમાં બને છે તેમ, અનેકાંકીનું વસ્તુ એકાંકીમાં પ્રવેશી જાય છે, તો કદીક “પારકી જણી'માં બન્યું છે તેમ, એકાંકીનું વસ્તુ ત્રિઅંકીમાં પુલાવીને રજૂ થતું હોય છે.
વળી આપણું નાટયકારનું ધ્યાન પણ શલી, આયોજન અને સ્વરૂપના અખતરાઓમાં જેટલું રેકાય છે તેટલું નાટકના અંતર્ગત સૌન્દર્યસ્વરૂપ ઉપર મંડાતું નથી. તેથી જ અત્યારનાં નાટકોમાં જીવનસામગ્રી હોવા છતાં તેમાંથી કોઈ વિશિષ્ટ, તીવ્ર, જીવનદર્શન માલૂમ પડતું નથી.
આજે વીસમી સદીના મધ્યાન્ત સુધી ગુજરાત પ્રહસને, સામાજિક બેધપ્રધાન અને ઐતિહાસિક તેમજ ધાર્મિક ચમત્કારવાળાં જ નાટકે ઉમળકાભેર વધાવવાની રુચિ બતાવી છે. આથી ગંભીર પ્રકારનાં વિચારપ્રધાન કે વનિપ્રધાન નાટકને હરખભેર આવકાર મળતો નથી. રંગભૂમિ ઉપર
ધૂમ્રસેર' કરતાં “છીએ તે જ ઠીક” અને “બારણે ટકેરા” કરતાં એળે નહિ તે બે લોકાદરને પાત્ર વધુ ઠરે છે. પણ તેમાં પ્રજાચિનું પ્રાકૃત વલણ એકલું જ જવાબદાર નથી; ગંભીર નાટકોમાં જીવન અને કલા વચ્ચે
Page #32
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫૦ ૧૦ - રહી જતું અંતર પણ તેમાં કારણભૂત છે. કેટલીક વાર આ પ્રકારની શિથિલતા, જયંતિ દલાલના ઓછાયામાં છે તેમ, નાટકના તંતુની અખુટતા રહ્યાથી આવે છે અને કેટલીક વાર તે પાત્રોની ઉક્તિઓની વધુ પડતી મઘમતાથી, વસ્તુવિકાસના ઉતાવળિયા અંતથી કે તેની અતિશય ધ્વનિમયતાથી અને વસ્તુનિરૂપણમાં રસની જમાવટ નહિ કરી શકાયાને લીધે આવતી હોય છે. વળી એ પણ ખરું છે કે કુશલ અને ઉચ્ચ દિગ્દર્શન–અભિનયને સહકાર તથા સમૃદ્ધ તખ્તાને સાથ ગંભીર અને ધ્વનિપ્રધાન નાટકોને તો અત્યંત અનિવાર્ય છે. કેમકે તો નાટયકારના દર્શનને જીવતું અને દસ્યાત્મક બનાવે છે અને પ્રેક્ષકોની સામાન્ય રુચિ વૃત્તિને સંસ્કારીને ધીરે ધીરે સૂક્ષ્મ અને વિશાળ બનાવે છે. જે આ સુમેળ બને તે આ દાયકાનાં ધૂમ્રસેર', “રણછોડલાલ', “ઘરકૂકડી', હૈયે ભાર', જીવનદીપ' જેવાં નાટક જરૂર કાકર્ષણ પામે.
આગલા દાયકામાં “ઈન્દુકુમાર અંક-૩' જેવું ભાવપ્રધાન નાટક, “વડલો' જેવું સરલ સુંદર પ્રકૃતિનાટક, અભિનવ દષ્ટિના સંયોજનવાળાં મેરનાં ઈંડા” અને “આગગાડી', “સાપના ભારા', મુનશીનાં “સામાજિક નાટક” અને “બ્રહ્મચર્યાશ્રમ', તથા “પદ્મિની', “નાગા બાવા', “અખો', “સંધ્યાકાળ”, “અ. સૌ. કુમારી', “અંજની, ઈત્યાદિ વૈવિધ્ય અને દશ્યતા પૂરાં પાડે તેવાં નાટકે પ્રકાશન પામ્યાં હતાં. એની સરખામણીમાં એમની જોડાજોડ બેસી શકે તેવાં ઉપર કહેલાં ડઝનેક નાટકે આ દાયકે આપણને સાંપડ્યાં છે. એ જોતાં આ દાયકાના નાટયસાહિત્ય જથ્થો અને ગુણ ઉભય દૃષ્ટિએ ગયા દાયકાની સાથે કદમ મિલાવ્યા છે એમ કહી શકાય.
નવલકથા - હવે આપણે લલિત સાહિત્યના એક અત્યંત લોકપ્રિય અંગ નવલકથા તરફ વળીએ. - એના ઊગમકાળથી જ નવલકથાની જીવનકુંડળીમાં ચંદ્ર સ્વગૃહીશુભસ્થાને પડો જણાય છે. એથી એના સર્જનારને પ્રકાશનમાં, ધનપ્રાપ્તિમાં કે કાદર મેળવવામાં કદી મૂંઝવણ નડી જાણ નથી. દરેક દાયકે એની આરાધના કરનાર લેખક-પ્રકાશક-વાચકવર્ગ વધતો રહે એમાં નવાઈ પણ નથી; કારણ કે પરલક્ષા સાહિત્યપ્રકારને તેના વિસ્તૃત પટમાં વિહરવા માટેનું હાલના યુગનું ઉચિત ક્ષેત્ર સર્વત્ર નવલકથા જ બન્યું છે. ગુજરાતી તેમાં અપવાદરૂપ શા માટે હોય?
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૧
ગયા દાયકાના વાળમય પર દષ્ટિપાત
નવલકથાને સામાન્યતઃ આપણે બે વર્ગમાં વહેંચીએ છીએઃ ૧. ઐતિહાસિક ૨. સામાજિક. જો કે બીજી રીતે વૈજ્ઞાનિક નવલ, હાસ્યરસિક નવલ, કૌતુકરાગી નવલ (Romances) એમ પણ વિભાગો પડી શકે; તે પણ વિષય પરત્વે આ બે વિભાગોમાં નવલકથાની ગણત્રી સરલતાથી થઈ શકે. - ઐતિહાસિક અને સામાજિક નવલેના વારાફેરા દાયકે બે દાયકે આપણું સાહિત્યમાં બદલાતા રહ્યા જણાય છે. ઈ. સ. ૧૮૬૬માં નવલકથાનાં કેટલાંક લક્ષણોથી વિભૂષિત કરણઘેલો' પ્રકાશન પામ્યું ત્યારથી ગુજરાતી ભાષામાં ઐતિહાસિક નવલેને શક પ્રવર્યો. ઈ. સ. ૧૮૮૭માં “સરસ્વતીચંદ્રને પ્રથમ ભાગ પ્રસિદ્ધ થયો ત્યાંસુધી ગુજરાતી લેખકો અને વાચકોએ ઐતિહાસિક વાર્તા પ્રત્યે પક્ષપાત બતાવ્યો હતો. “સરસ્વતીચંદ્રના પ્રકાશન બાદ સામાજિક નવલકથાને પ્રાધાન્ય મળ્યું, તે એટલે સુધી કે ઐતિહાસિક નવલોના અજોડ સ્ત્રષ્ટા રા. મુનશીએ પણ તેમની આરંભદશામાં સામાજિક નવલે લખી હતી. ઈ. સ. ૧૯૧૫માં રા. મુનશીની “પાટણની પ્રભુતા'થી પુનઃ ઐતિહાસિક નવલે યુગ શરૂ થયો અને રમણલાલના આગમન પછી ઈ. સ. ૧૯૨૫-૩૦ થી સામાજિક નવલે મોટી સંખ્યામાં બહાર પડવા લાગી. આમ પરિસ્થિતિ આજ સુધી ચાલુ છે એમ બન્ને પ્રકારની નવલની સંખ્યા જોતાં કહી શકાય.
એતિહાસિક નવલકથા આ દાયકામાં લગભગ પચાસ જેટલી ઐતિહાસિક નવલો પ્રસિદ્ધ થઈ છે. એક તરફ ગુજરાત, કાઠિયાવાડ, મેવાડ, માળવાની ભૂમિ પરની ઐતિહાસિક ઘટનાઓને કે વ્યક્તિવિશેષોને તે બીજી તરફ ભારતને વેદકાળ, નાગલકે અને બુદ્ધિને સમય, ગુપ્તયુગ, મેગલ સમય, ૧૮૫૭ના બળવાનું વાતાવરણ, છેલ્લાં પચીસ વર્ષનાં રાજકીય અદિલને એમ વિવિધ યુગબળને ભૂમિકા રૂપે રાખીને આ દસકાની ઐતિહાસિક નવલ રચાઈ છે. ગુજરાતમાં તેની પરંપરા દાયકાઓ જૂની છે; પણ આ દાયકે લેવાયેલું પ્રમાણમાં વિસ્તૃત એવી સ્થળ-કાળની પટ્ટીનું આલંબન ધ્યાન ખેંચે છે. | મુનશી, રમણલાલ, ચુનીલાલ શાહ, ધૂમકેતુ, મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, દર્શક, જયભિખ્ખું આદિની પ્રવૃત્તિ આ ક્ષેત્રે આ દાયકે પણ જારી રહી છે. સ્વ. હરજીવન સોમૈયા, મંજુલાલ દેસાઈ, રામચંદ્ર ઠાકુર, ચંદ્રભાઈ કા. ભટ્ટ આદિ નવીન લેખકોએ પણ તેમાં પિતાને ફાળો નોંધાવ્યો છે.'
Page #34
--------------------------------------------------------------------------
________________
થશે અને ગ્રંથકાર પુ. ૧૦ | મુનશીએ એમની સમર્થ શૈલીમાં લોપામુદ્રા' નાટકના અનુસંધાન રૂપે વેદકાલની બે રસિક કથાઓ જોમહર્ષિણ” અને “ભગવાન પરશુરામ’ સજી છે, જેમાં બીજી તો “રાજાધિરાજ' પછીની ગુજરાતી સાહિત્યની તેમ મુનશીની શ્રેષ્ઠ ઐતિહાસિક નવલકથા છે. પાત્રનું વ્યક્તિત્વ અને વૈવિધ્ય, કથાનું ઘટ્ટ-મનહર પત, વાતાવરણને આકર્ષક ઉઠાવ, ભાવનાસંઘર્ષ અને જીવનદર્શન અને સમગ્ર કૃતિની ઊંચા કલાવિધાનવાળી નાટયાત્મકતા ભગવાન પરશુરામને એતિહાસિક નવલોમાં ઊંચું સ્થાન અપાવે છે.
બીજાઓમાંથી રમણલાલે ઈ. સ નાં પ્રથમ પચાસ વર્ષોના સમયનું ઈરાનથી માળવા અને છેક ગુજરાતના તાપી પ્રદેશ સુધીની ભૂમિનું ક્ષિતિજ'ના ઉત્તરાર્ધમાં ચિત્રણ કર્યું છે; આઠમી સદીના મેવાડના વીર બાપા રાવળનાં ઈતિહાસ અને લેકકથાને કાલભેજ'માં આલેખ્યાં છે; અને પહાડનાં પુષ્પો'માં મેવાડના સુપ્રસિદ્ધ વીર રાણું પ્રતાપના પિતા ઉદયસિંહની ઘડતરકથા નિરૂપી છે. ચુનીલાલ શાહે પૂરતા એતિહાસિક સંશોધન બાદ અકબરના સમયના રૂપમતી અને બાજબહાદુરના જાણીતા પ્રણયકિસ્સાને ‘રૂપમતી'માં નિરૂપો છે; સેલંકીના અસ્તકાળની અંધાધૂંધીની પીઠિકા ઉપર એક મહત્ત્વાકાંક્ષી, રાષ્ટ્રભક્ત અને પરાક્રમી યુવાનની પ્રણયકથા એકલવીર'માં આત્મકથાની ઢબે આલેખી છે; અને મૂળરાજપુત્ર ચામુંડના ગાદીત્યાગ અને તેણે લીધેલી સમાધિના બે એતિહાસિક પ્રસંગોને પ્રકાશમાં લાવવા “નીલકંઠનું બાણુ” નામની કલ્પનાપ્રધાન ઐતિહાસિક નવલ રચી છે. સ્વ. મેઘાણીએ તેરમી સદીના વસ્તુપાળ-તેજપાળને ગુજરાતને પુનરુદ્ધાર સર્જતા “ગુજરાતને જય” ખંડ-૨ માં બતાવ્યા છે. ચૌલાદેવીથી શરૂ થયેલી ધૂમકેતુની સોલંકી યુગની યશગાથા “રાજસંન્યાસિની' “કર્ણાવતી' વાચિનીદેવી', “જયસિંહ સિદ્ધરાજ', “સિદ્ધરાજ જયસિંહ', ‘અવંતીનાથ આદિ નવલો દ્વારા આ દાયકે આગળ વિસ્તરી છે. ગુણવંતરાય આચાર્યો સોરઠે મહમદ તઘલખને આપેલે પરાજય આલેખતી “વતનને સાદ', અને અર્ધ ઈતિહાસ અને લેકકથાનું મિશ્રણ કરતી “ગિરનારને ખોળે' રચી છે તથા ઈ. સ. ૧૭૦૭ થી આરંભાયેલા હિન્દુ રાજ્યનું પુનરુત્થાન અને હિંદુ પ્રજાના ઘડતરમાં ગુજરાતને હિસ્સો બતાવવાના આશયથી “સેનાપતિ” નવલથી એક નવલમાળા પણ શરૂ કરી છે. બે હજાર વર્ષ પહેલાંનાં સિંધુતીરનાં ગણરાજ્યના સમયમાં ડૂબકી મારતી અને તત્કાલીન પ્રજાસત્તાની ગૌરવકથા
Page #35
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાડ્મય પર દષ્ટિપાત આલેખતી 'દીપનિર્વાણ દશક આપી છે. ધાર્મિક કથાવસ્તુને નવલસ્વરૂપમાં વણતી ઋષભદેવ', “મહર્ષિ મેતારજ', “મસ્યગલાગલ આદિ તેમજ વિક્રમાદિત્ય હેમૂ', “ભાગ્યનિર્માણ “પ્રેમભક્ત કવિ જયદેવ” આદિ કથાઓ જયભિખ્ખએ ચટકદાર સંસ્કૃતમય શૈલીમાં નિરૂપી છે. રામચંદ્ર ઠાકુરે આમ્રપાલી” અને “મીરાં પ્રેમદીવાની'માં પ્રસિદ્ધ નાયિકાઓનો જીવનઝંઝાવાત અને પ્રેમશ્રદ્ધા આલેખ્યાં છે. મંજુલાલ દેસાઈએ “ભગવાન ચાણક્યનું પિતાની દષ્ટિએ દર્શન કરાવ્યું છે. ચંદ્રભાઈ કા. ભટ્ટે 'પ૭ને દાવાનળમાં બળવાનું રોમાંચક વાતાવરણ આલેખ્યું છે. આ ઉપરાંત ધનશંકર ત્રિપાઠીએ અને નૌતમ સાહિત્યવિલાસીએ પણ ઐતિહાસિક નવલે લખી છે.
છેલ્લાં પચીસ વર્ષની ઐતિહાસિક ઘટનાઓને વિષય બનાવતી કે તેનું વાતાવરણ આલેખતી “બંદીઘર (દર્શક)', “અણખૂટ ધારા '(અશ્વિનીકુમાર), પ્રભુ પધાર્યા’ અને ‘કાળચક્ર” (મેઘાણી), “ઝંઝાવાત’ ભા. ૧-૨ (રમણલાલ), “કાજળ કોટડી” (ઈશ્વર પેટલીકર), પાદરનાં તીરથ” ધીમુ અને વિભા(જયંતી દલાલ), ‘ઘુવડ બેલ્યું” (નિરુ દેસાઈ), “દેશદ્રોહી' (સ્વ. “પ્ર.'), “ભભૂકતી જવાળા' (રામુ અમીન) આદિ કલ્પનાપ્રધાન નવલકથાઓ આ દાયકે પ્રસિદ્ધ થઈ છે. એમાં આઝાદ હિંદ ફોજના બહાદુરીભર્યા મરણિયા રણુજગે જન્માવેલી “કદમ કદમ બઢાયે જા” અને “અધૂરા ફેરા’ જેવી નવલે પણ સમાવેશ પામી શકે.
આગલા દાયકાની ઊંચી કક્ષાની ઐતિહાસિક નવલે “જય સોમનાથ', કર્મયોગી રાજેશ્વર ', “રાજહત્યા', “અવંતીનાથ', “દરિયાલાલ', 'જગતના મંદિરમાં', “જળસમાધિ”, “ભારેલો અગ્નિ', “ક્ષિતિજ' (પૂર્વાર્ધ), “સોરઠ તારાં વહેતાં પાણી', “ચૌલાદેવી” ને “બંધન અને મુકિત –ની હરોળમાં આ દાયકાની “રૂપમતી' “ એકલવીર” “ગુજરાતને જય” ખંડ-૨, કર્ણાવતી ” “અવંતીનાથ” (ધૂમકેતુ), “મહર્ષિણ” “વતનને સાદ ” “દીપનિર્વાણુ” “જીવનનું ઝેર” “ભગવાન ચાણકય” “આમ્રપાલી' “મસ્યગલાગલ' આદિ નવલકથાઓ ગુણદષ્ટિએ સ્થાન પામે. “પ્રભુ પધાર્યા” બંદીઘર' અને “અણખૂટ ધારા” ને ગુજરાતની કલ્પનાપ્રધાન ઐતિહાસિક નવલેમાં ગૌરવભર્યું સ્થાન મળે. આમ સંખ્યા કે ગુણવત્તામાં ઐતિહાસિક નવલ પરત્વે આ દાયકે ગયા દાયકાથી જરા પણ ઊતરે તે નથી.
આ એતિહાસિક નવલેમાં પ્રણય, વીર, અદ્દભુત કે કરૂણ જેવા રસોનું તેમજ સ્થળ કાળ અને પાત્રોનું વૈવિધ્ય મુગ્ધ કરે તેવું છે. પરિચિત કે -
Page #36
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પર ૧૦ અજાણ્યા ઈતિહાસ-પ્રદેશમાંથી ઈષત વસ્તુ કે નાનકડો પાત્રસમૂહ ઉપાડી લઈને તેની આસપાસ પિતાની પ્રિય ભાવના ફલિત કરે તેવી અદ્દભુત અને રોમાંચક ઘટનાઓની ગૂંથણી કરવી તથા પિતાની કલ્પનાને ગમતાં પાત્રો ચીતરી કંઈક જાસૂસકથાને, કંઈક યુદ્ધકથાને, કંઈક પ્રણયકથાને અને કંઈક રાષ્ટ્રભક્તિની ભાવનાને રસ ચખાડવો એ આપણું ઐતિહાસિક નવલકથાકારાની સામાન્ય આદત થઈ પડી છે. મુનશી એ પરંપરામાં અગ્રજ છે અને ધૂમકેતુ અનુજ છે. સર્વ ઐતિહાસિક નવલકારે જાયેઅજાણ્ય પણ મુનશીના ઘણાખરા કસબોને અપનાવે છે. ક્રિયાશીલ, ચતુર અને સંજોગોના સ્વામી જેવાં તેજદાર પાત્રો, જિજ્ઞાસાપષક અને વર્ધક ઘટનાઓ તથા ક્રિયાઓ, રસિક કાવ્યમય વર્ણને, સમકાલીન ભાતીગળ વાતાવરણ, અને એ બધાંની વચમાં રાષ્ટ્રપ્રેમ, કર્તવ્યનિષ્ઠા, પ્રતિજ્ઞાપાલન, • સ્વાર્પણ અને અન્ય ગૌરવશીલ ભાવનાઓનાં ચમકતાં બિન્દુઓ મૂકવાં– એમ નવલકથાને આકર્ષકતા અર્પવામાં આપણું નવલકારો ઘણુંખરું મુનશીની કથાઓને આદર્શ સ્થાને રાખતા જણાય છે.
અલબત્ત લેખકોને પિતાને વ્યક્તિત્વ, તેમની કૃતિઓને મુનશીનીનાથી નિરાળી બતાવે છે. ચુનીલાલ શાહની કૃતિઓમાં રોમાંચક અને અદ્દભુત પ્રસંગે પણ ગંભીર અને સ્વસ્થ રેલીમાં જ આલેખાય છે. વાર્તા માટે ઈતિહાસની ભૂમિકા નક્કર હકીકતોના લંબાણથી અને કવચિત તે શુષ્ક લાગે તેટલી પ્રચુરતાથી પણ તેઓ નિરૂપે છે. ક્રિયાને આવેગ તેમની કથાઓમાં હમેશાં મંદ હોય છે. ગુણવંતરાય આચાર્ય લખાવટમાં મુનશીની અસરકારકતા લાવવા મથે છે પણ પત્રકારની આદત તેમને છેડતી નહિ હોવાથી તેમની શૈલી ઘણીવાર છાપાંળવી કોટિની, ઉપરછલી અને અકારણ ઊર્મિલ બની બેસે છે. તેમનાં પાત્રોની ઊર્મિઓ, ભાવનાઓ તથા ક્રિયાઓ ઘણી વાર નાટકી લાગે છે. ધૂમકેતુ ભાવનાશીલ વાતાવરણને સોલંકી યુગની કથાઓમાં છાવરવાને સફળ પ્રયત્ન કરે છે. વાતાવરણ જમાવતી વર્ણનકલા અને ચંચળ, ઉસ્તાદ પાત્રોને સર્જન મુનશીની જેમ તેમને હાથ બેસી ગયેલ છે. પણ તેમની કથાઓમાં સંધર્ષનું તત્ત્વ તેના સ્વાભાવિક ક્રમમાં નહિ પ્રગટતાં જાસુસકથાઓની જેમ પૂર્વયોજિત કસબ અનુસાર બુદ્ધિના દાવપેચ દેખાડવા જ હાજર થતું હોય એમ જણાય છે. રમણલાલ અને મેઘાણી આ દાયકે પિતાની રૂઢ વાર્તાપદ્ધતિથી આગળ વધ્યા જણાયા નથી.
Page #37
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાડ્મય પર દૃષ્ટિપાત
આપણા ઐતિહાસિક નવલકારા રાજખટપટા, ભેદનાં તત્ત્વા, મ`ત્રીઓની મુત્સદ્દીગીરી અને પરાક્રમા, રાજ્યાનાં આક્રમણા શારીરિક, સાહસા અને સુંદરીને વરવા-વરાવવા માટેનાં રાજસી ને તામસી ધ ́ણાથી આગળ વધીને સૂક્ષ્મ, આંતર સંધ'નું નિરૂપણ કેમ નહિ કરતા હોય ? ઐતિહાસિક નવલકથામાં આંતરિક સંધ રસવત્તાની કૈાટિએ ન પહોંચી શકે એવું તેમનું ધારવું હશે? ઇતિહાસ માત્ર આવાં ખાદ્ય રાજસી તાનાં જ ધ ણાથી ભરેલે છે એવા કેાઈ ખ્યાલમાં તેઓ અટવાતા હશે ? એકાદ સાલ’કી અને ગુપ્તયુગના શૌર્યની 'સાતૂસી, પ્રતિજ્ઞાપાલન, બુદ્ધિની ચતુરાઈ, દેશભક્તિ, વફાદારી કે એવા અન્ય ચુણા ખતાવવા સિવાય ઐતિહાસિક ધટનાઓનુ અન્યથા કશું મહત્ત્વ નહિ હેાય? જો આમ હાય તેા ઇતિહાસને ખ્યાલ અને ઐતિહાસિક નવલકથાની શક્તિની સભાવના વિશે આપણે સેા વ. પાછળ છીએ.
૫
આ તેા થઈ આપણા સકાની દૃષ્ટિ વિશેની ફરિયાદ. ઇતિહાસના ક્યાતંતુના વણાટ વિશે બીજી ફરિયાદ છે. જેમ જેમ કૃતિની કલામાં યાંત્રિકતા અને કસબ પ્રવેશતાં જાય તેમ તેમ કૃતિઓમાં ગેાડવાતાં વિવિધ રસાનાં કૃત્રિમ ચાકડાં તે પ્રાત્રપ્રસંગેાની મુદ્ધિયેાજિત હારમાળા અનાક ક જ લાગતાં રહેવાનાં. વનામાં રેશમાંચનું તત્ત્વ ભેળવવાથી રસજમાવટ થતી નથી. વીર્ કે અદ્ભુત રસ પૂયૅાજિત અકસ્માતાની પરપરાવાળી પ્રસ`ગધટનાઓમાં બુદ્ધિબળયુક્ત સંવાદો કે ભેદી ચમત્કાર આલેખવાથી જ નિષ્પન્ન થતા નથી. ઊલટું, આવા બુદ્ધિથી ઉપજાવેલા કસમે કૃતિના બીજા-ત્રીજા વાચને ખુલ્લા પડી જતાં મુટ્ટા પડી જાય છેઃ સિહતુ` ચામડું એઢીને શિયાળ વનનેા રાજા બનવાના પ્રયત્ના કરતું હાય, એવી તેમાંની અનાવટી રચના લાગે છે. રસકલા સમગ્ર આત્માની કલા હાવાથી એમાંથી જીવંત પ્રાણતત્ત્વના સવ અંકુરો એકીસાથે ફૂટી નીકળી ભીતરમાં એક મનેાહર સવાદી સંગીત ઉપાવે છે. ઉત્તમ કલા વધુ ને વધુ પરામશે કારીગરીનું ગેાપન કરી ઉત્તરાત્તર વિશેષ રસાનંદ આપે છે. ઘણીખરી ઐતિહાર્સિક નવલા સામાન્ય સ્ટંટ ફિલ્મા'ના ભાસ આપે છે તે આ કારણે.
સાહિત્યસર્જનમાં ઇતિહાસ તા એક નિમિત્ત માત્ર છે: સનનું તે ખાદ્ય કારણ છે. સર્જનનુ` આંતર કારણ તે। કલામાત્રના સર્જનનું જે અંતર કારણ હાય તે જ છે. આપણી ઐતિહાસિક નવલામાં ઇતિહાસ સજ્જૈનનું આંતર કારણુ ખની ખેઠા છે. એથી નવલકથામાં કાં તે ઇતિહાસની
ગ્ન. ૪
Page #38
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ૧૦
વિકૃતિ થાય છે કે કાં તે ઈતિહાસની સ્થળ વિગતોને જ વળગી રહેવાનું વલણ દાખલ થાય છે. પરિણામે ઐતિહાસિક નવલે જાસૂસથાઓ કે પ્રાચીન સ્થળસમયના પટ ઉપર રચાતી કેવળ પ્રણયકથાઓ જ બની રહે છે. એમાં કુતૂહલપેષણ કે મનોરંજન સિવાય ભાગ્યે જ બીજું કોઈ તત્ત્વ જણાય છે. જીવનનું કાઈ વ્યાપક સત્ય કે ઊંડું રહસ્ય તેમાંથી નીકળી આવતું નથી. ઇતિહાસને ઉપરછલી દષ્ટિએ જોઈ જઈ તેને પિતાની પ્રિય કંઈષ્ટ ભાવનાએનું વાહન બનાવ્યા કરતાં તત્કાલીન માનવજીવનને, તેનાં વૃત્તિ-વલણ અને પ્રવૃત્તિને તેમજ તેનાં રહસ્યો ઉકેલતી ઘટનાઓને ઊંડે, તુલનાત્મક, તટસ્થ અભ્યાસ કર્યા બાદ તેમાંથી પ્રેરણું લઈ પિતાની સર્જકતાને સ્વતંત્રપણે વિહરવા દેવી જોઈએ.
| સામાજિક નવલકથા આ દાયકામાં લગભગ ૧૨૫ જેટલી મૌલિક સામાજિક નવલકથાઓ પ્રકાશન પામી. છે, જે બતાવે છે કે સામાજિક નવલકથા ઐતિહાસિક કરતાં વિશેષ કપ્રિય છે. - એમાંની કેટલીક ગ્રામસમાજને સ્પર્શે છેઃ (“મળેલા જીવ', “જનમ ટીપ', “માનવીની ભવાઈ', વગેરે); કેટલીક આધુનિક શહેરી સમાજ અને શિક્ષણનું પ્રતિબિંબ પાડે છે (બે મિત્રો', “કળિયુગ', “વનવાસ', “ફૂટેલાં સુવર્ણપાત્રો', “વિષચક્ર', “છાયાનટ', “પરિવર્તન”, “ભાઈબીજ ',
અધૂરું જીવન' વગેરે); થેડીક નારીત્વના ઉજજવલ અંશને લક્ષનારી છે ( “વિકાસ', “ચંદા', “મારી હૈયાસગડી” “ધરતીને અવતાર, “નિવેદિતા” વગેરે); અને ઘણી બધી દામ્પત્યપ્રણયત્રિકોણના વિષયમાં રાચે છે. આ ઉપરાંત સંયુક્ત કુટુંબજીવનને પ્રશ્ન “તપોવનમાં, હરિજનેનો પ્રશ્ન માનવતાનાં મૂલ'માં, મવાલી જીવનને ચિતાર “પુનરાગમન'માં, વેશ્યાનું છેવને “ચિત્રાંગદા” અને “મારા વિના નહિ ચાલેમાં, બહારવટિયાઓની માનવતા અને ખમીર “પાતાળ કુવો' વગેરેમાં, પિોલીસ તંત્રની પિકળતાનું ચિત્રણ બીજલ'માં, રજવાડી ખટપટનું આલેખન પાછલે બારણેમાં, અને શહેરના શ્રીમંત ભદ્ર સમાજનું “કદલીવનમાં જોવા મળે છે. “સરી જતી રેતી' જેવી કઈ કઈ નવલ કેવળ જિન્સી ભાવચેષ્ટાઓની છબીઓ પાડવા જ જાણે આલેખાઈ છે, તે “કાજળ કોટડી” જેવી કેટલીક ૧૯૪૭થી લગભગ આજ સુધીની સમયપટ્ટી પર લેકજીવનનું પ્રતિબિંબ ઝીલે છે. ઉપરાંત “શોધમાં (સ્વ. રમણભાઈ), લંબોદર શર્મા
Page #39
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વમય પર દષ્ટિપાત અને “આશાવરી જેવી હાસ્યરસિક કથાઓ, “અધૂરું સ્વપ્ન” ને “સુવાસિની' જેવી વિજ્ઞાનવિષયક નવલે અને થોડીક જાસૂસકથાઓ પણ આ દાયકે પ્રગટ થઈ છે.
“વ્યાજને વારસ', “યૌવન', “કદલીવન', “જિગર અને અમી' અને સને ૨૦૦૫ સુધીના વિશ્વજીવનની કલ્પના કરતી “પ્રલય જેવી કૌતુકરંગી નવલે, “તપવન” “લખ્યા લેખ” “ત્રણ પાંખડી ” “સહાગ' “વિલોચના' જેવી પ્રશ્નપ્રધાન નવલે, “માનવીની ભવાઈ” ને “જનમટીપ' જેવી પાત્રપ્રધાન નવલે, “પાછલે બારણે” “કળિયુગ' જેવી વાતાવરણપ્રધાન નવલે નવલ પ્રકારનું વૈવિધ્ય દેખાડી આપે છે.
શૈલીની બાબતમાં પન્નાલાલમાં મુનશી-મેઘાણી-સેલીનાં સફળતા સમર્થતાથી પ્રગતિ કરતાં માલૂમ પડે છે, તે પેટલીકરની નવલોમાં રમણલાલશૈલી વિકસતી જોવા મળે છે. ચુનીલાલ શાહ તેમની સ્વસ્થ અને હજુ શૈલીમાં પણ સારું રસતત્ત્વ લાવી શક્યા છે, જ્યારે વર્મા–પરમારે
ખંડિત કલેવરે”માં, લાક્ષણિક કટાક્ષશૈલીનો સફળ પ્રયોગ કરી બતાવ્યો છે. મડિયા, પીતાંબર પટેલ, અશ્વિનીકુમાર, યશોધર મહેતા, વિનોદિની નીલકંઠ આદિની શૈલીમાં રંગદર્શિતા ધ્યાન ખેંચે છે.
આમ વિષય, પ્રકાર અને શૈલી પરત્વે આ દાયકાનું સામાજિક નવલકથાનું સાહિત્ય ઠીક ઠીક માતબર છે. તેમાંથી મળેલા જીવ', “જનમટીપ', “ખંડિત કલેવરો', “અણખૂટ ધારા” “તપોવન' એ પાંચ નવલે સર્જકતા અને હેતુની દષ્ટિએ છેલ્લી પચીસીની પ્રથમ પંક્તિની નવલમાં સ્થાન પામે તેમ છે. અને “માનવીની ભવાઈ' તો સમગ્ર ગુજરાતી નવલસાહિત્યનું એક પ્રાણવાન પુપ છે.
ગયા દાયકાના સામાજિક નવલકારો પૈકી રમણલાલ, મેઘાણી, ચુનીલાલ શાહ, ગુણવંતરાય આચાર્ય, ઈદ્ર વસાવડા, હરજીવન સમૈયા, સોપાન, રામનારાયણ ના. પાઠક, જયંતી દલાલ, નીરુ દેસાઈ, સૌજન્ય, મસ્તફકીર, અંબાલાલ શાહ, રમણીક દલાલ આ દાયકે નવાં પ્રકાશને લઈને આવે છે. પણ નવીન લેખકોની સંખ્યા તેમનાથી ઝાઝી જણાય છે. પન્નાલાલ, પેટલીકર, બચુભાઈ શુકલ, ગોવિંદભાઈ અમીન, મડિયા, અશ્વિનીકુમાર, જયમલ્લ પરમાર-નિરંજન વર્મા, વિનોદિની નીલકંઠ, પીતાંબર પટેલ, યશોધર મહેતા, ધીરજલાલ શાહ, ચંદુલાલ દલાલ, પ્રેમશંકર ભટ્ટ, પ્રાણલાલ મુનશી, રધુનાથ કદમ, રમણ વકીલ, ચંદરવાકર, નંદકુમાર પાઠક, .
Page #40
--------------------------------------------------------------------------
________________
શથ અને ગ્રંથકાર પુ૧૦ રાજહંસ, કૃષ્ણલાલ શાહ, ઉછરંગરાય ઓઝા, દિવ્યાનંદ, પ્રબંધ મહેતા, જટુભાઈ મહેતા આદિ પચીસથી ય વધુ લેખકેએ આ દાયકે નવલકથાના ક્ષેત્રમાં રીતસર પ્રથમ પ્રવેશ કર્યો છે. આ બધામાંથી સર્જક તરીકે કાળના પ્રવાહમાં કેટલા તરતા રહેશે અને નિર્ણય તે ભવિષ્ય કરશે, પણ ખરી સર્જનશક્તિ અને અનુભવસમૃદ્ધિ બતાવનારા પન્નાલાલ અને પેટલીકરનું ભવિષ્ય ઊજળું છે એ તો એમની નવલસંખ્યા અને તેમાંની ગુણસંપત્તિએ ક્યારનું ય બતાવી દીધું છે.
પન્નાલાલ અને પેટલીકર આ દાયકાના શ્રેષ્ઠ નવલકારે છે. બેઉ લેખકો ગામડામાંથી આવે છે અને ગ્રામજીવનના અપક્ષ અનુભવના નિચેડરૂપે વિવિધરંગી નવલે અને નવલિકાઓ રચે જાય છે. બંનેની કૃતિઓ ગુજરાતના ગ્રામવાતાવરણને નવલકથામાં તાદશ કરે છે. ગ્રામવાસી માનનાં હૈયાંને બને અપૂર્વ કૌશલથી ખુલ્લાં કરી બતાવે છે. અને ગામડાના લેકની રહેણીકરણી, રીતિનીતિ, વટવહેવાર, ઈર્ષ્યાદ્વેષ, કલહ-કલેશ, આનંદપ્રમોદ ઇત્યાદિનું નકસદાર ચિત્ર ઉપસાવી શકે છે અને ધરતીની સુગંધવાળી ગ્રામબોલી દ્વારા ધારી અસર ઉપજાવી શકે છે. પેટલીકરની વિશિષ્ટતા રેજ-બ-રોજના જિવાતા જીવનના પ્રશ્નોની સુધારક દષ્ટિએ ચર્ચા કરવામાં અને કથનપદ્ધતિના વિવિધ આકર્ષક પ્રયોગો કરવામાં રહેલી છે, તે પન્નાલાલની વિશેષતા વાસ્તવ જીવનના નિરૂપણ દ્વારા વ્યાપક માનવતા ફલિત કરી બતાવવામાં રહેલી છે. બન્ને લેખકે પાત્રનું ઊંડું મનોવિશ્લેષણ સફળ પણે કરી શકે છે. પરંતુ પન્નાલાલનું કલાફલક પેટલીકરના કરતાં વધારે વિશાળ અને ઉદાત્ત છે. બન્ને હજુ પ્રગતિ કરી રહ્યા છે. ગોવર્ધનરામ, મુનશી અને રમણલાલે પાડેલી ગુજરાતી નવલકથાની ઉચ્ચ પ્રણાલિકાને આ બે લેખકે પિતાની કલાસાધના દ્વારા ટકાવી રાખશે એમ કહીએ તે ખોટું નથી.
જૂનાઓમાંથી રમણલાલની સર્જકતાનાં હવે વળતાં પાણી જણાય છે. મેઘાણે આ દુનિયામાં હવે રહ્યા નથી. મુનશી સામાજિક વિજ્યોને સ્પર્શતા નથી. ગુણવંતરાય આચાર્ય એમની મર્યાદાઓને વટાવી શકતા નથી. પણ ચુનીલાલ શાહ, દર્શક અને જયંતિ દલાલ–એ આગલા જૂથમાંથી, અને ચુનીલાલ મડિયા, અશ્વિનીકુમાર, જયમલ્લ પરમાર, ગેવિંદ અમીન, પીતાંબર પટેલ, યશોધર મહેતા અને વિદિની નીલકંઠ એ પછીના જથમાંથી, નવલકથાની કલાની જરા વધુ કડક ઉપાસના કરે તે આ ક્ષેત્રે • ફાવી શકે તેમ છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વમય પર દષ્ટિપાત
ગુણવંતરાય આચાર્યની ઘણીખરી અને વ્યાજનો વારસ”, “સુરભિ', યૌવન”, “કળિયુગ', “છાયાનટ ', પાવકજ્વાળા' જેવી અન્ય નવલેમાં સીનેમાનાં કથાનકેની શૈલીની છાયા વધુ જોવામાં આવે છે. એમાં જીવનની સ્વાભાવિકતાનું પ્રમાણ ઓછું અને નાટકીપણનું પ્રમાણ હદથી જ્યાદે એવું આ અસરે જ બન્યું છે.
સુધારાના માર્ગોનું સૂચન કરીને વાચકને એ વિષે વિચાર કરતા કરવાના હેતુથી લખાયેલી ધ્યેયલક્ષી સાંસારિક કથાઓની સંખ્યા આ દાયકે ઘટી નથી. પાત્રોના મને વિશ્લેષણ, ચમકદાર કથનરીતિ અને ઘટનાઓની સુવ્યવસ્થિત આનુપૂર્વી દ્વારા જીવનના અનુભ કે અવલોકનોને રજૂ કરવાની હિકમત ગયા દાયકા કરતાં આ દાયકાના નવલકાએ એકંદરે સવિશેષ દાખવી છે, પણ બીજી તરફ વાસ્તવલક્ષિતાને નામે કામલેલુપતાનાં, વ્યભિચારનાં અને સ્ત્રીપુરુષ વચ્ચેના માંદલા જાતીય ભાવોનાં અમર્યાદિત ચિત્રો પણ આ ગાળાની નવલેમાં ઉભરાયાં છે. જ્યાં જુઓ ત્યાં પ્રેમ જ પ્રેમ! એ સિવાય નથી તે લેખકોને કંઈ લખવું સૂઝતું ......... સુરભિ'ની નાયિકા પાસે પન્નાલાલે બોલાવેલું આ વાક્ય આપણું ઘણાખરા લેખકે માટે સાચું ઠર્યું છે.
આને અર્થ એ નથી કે નવલકથામાં પ્રણયનાં, શંગારચેષ્ટાનાં કે સ્ત્રીપુરુષનાં જાતીય આકર્ષણેનાં ચિત્રો ન આવે. પણ આવે તો સાભિપ્રાય, અનિવાર્ય હોય ત્યાં જ આવે : કામચેષ્ટામાં રસ લેવાની વૃત્તિથી નહિ, જીવનના કેઈ સર્વવ્યાપી વિચાર કે ભાવને મૂત કરવાના હેતુથી તે આવે; આવે તે સર્જકના કલાસંયમમાં કસાઈને આવે, એટલું જ સૂચવવાને હેતુ છે. અલકકિશોરી અને સરસ્વતીચંદ્રવાળા પ્રસંગમાં જાતીય વિકારનું ચિત્રણ કેટલી નાજુકાઈથી થયું છે. ગુજરાતનો નાથ'માં “ઉષાએ શું જોયું?” એ પ્રકરણમાં રસસમાધિ ચડે તેવું ચિત્રપટ નથી રચાયું?
આ દાયકાની નવલેમાં આલેખાયેલા જીવન અને ગુંથાયેલા પ્રશ્નોની બારીક તપાસ કરીએ તો તેમાં આગલા દાયકાથી ખાસ કાઈ નવીન ત માલુમ પડશે નહિ. પશ્ચિમના સાહિત્ય, વર્તમાન કેળવણીએ, જગતમાં ઊઠેલા નવવિચારનાં મોજાએ આપણું વૈયક્તિક અને સામાજિક જીવનમાં જે ઝંઝા ઉત્પન્ન કરી છે તેનું સાક્ષાત પ્રતિબિંબ આપણું સાંસારિક નવલોમાં આગલા દાયકાની જેમ પડે છે. પ્રેમીઓ, દંપતીઓ, સાથે રહેતાં
Page #42
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦
કુટુંબી જનો, ખેડૂતે, મજુરો, બહારવટિયાઓ, વેશ્યાઓ, અછૂતે આદિનાં જીવનઘર્ષણનાં ચિત્રો તે બે દાયકાઓ જૂનાં છે.
પરંતુ એ સર્વમાં મધ્યબિંદુએ રહેતી આધુનિક જીવનની વિષમતા, યુદ્ધોતર પરિસ્થિતિએ પલટાવેલ વ્યક્તિનાં સામાજિક અને નૈતિક જીવનધોરણ તેમજ લોકમાનસ અને દૃષ્ટિ એમાં ખાસ ધ્યાન ખેંચે છે. ભાવનામય દષ્ટિકોણથી આલેખાયેલાં સંસારચિત્રો એમાં નથી મળતાં એમ નહિ, પણ લેખકોને સ્ત્રી-પુરુષ સંબંધને સમજવાને નૂતન દૃષ્ટિકેણ, સામાજિક રીતરસમો પરત્વે ઝડપથી બદલાયેલી વિચારશ્રેણી, વૈજ્ઞાનિક દ્રષ્ટિને નામે જાતીય આકર્ષણને પુરસ્કાર અને ગુના–પાપ-વિકૃતિનું કારણ સમાજની નાગચૂડ, આર્થિક ભીંસ, શાસન પદ્ધતિ, પરંપરિત વારસ, બચપણના સંસ્કાર કે અજ્ઞાન છે એવું વિચારવલણ સંસારનું ભાવનામય કરતાં વાસ્તવિક દર્શન જ વધારે કરાવે છે. આ દાયકાના સાહિત્યમાં સમકાલીન જીવનનું સૌથી વધુ ઘેરું અને પૂર્ણ પ્રતિબિંબ ઝિલાયું હોય તો તે કાવ્ય કે નાટકમાં નહિ પણ નવલકથા અને નવલિકાના સાહિત્યપ્રકારોમાં નવલકથાના કલાવિધાનને વિકાસ આ દાયકામાં ઠીક થયો ગણાય. વસ્તુની આકર્ષક માંડણ, વાર્તાના મધ્ય ભાગ સુધી વધતે રહેતે કથારસ, પ્રસંગોના પ્રકાશમાં પાત્રોના ચારિત્ર્યનું ક્રમશઃ થતું સ્ફટીકરણ, યોગ્ય વાતાવરણને ઉડાવ, નાટયાત્મક પ્રસંગેનું ઘડતર, સ્થળ-પાત્રને અનુરૂપ રસાળ ગદ્યશૈલી ભાવપષક ચબરાકિયા સંવાદ અને સંઘર્ષ તને આ સંભાર આ દાયકાની સારી ગણાય તેવી પચીસેક નવલકથાઓમાં પ્રતીત થાય છે. તેમ છતાં “માનવીની ભવાઈ', મળેલા જીવ', “જનમટીપ', “ખંડિત કલેવરો” અને “અણખૂટ ધારા” જેવી પાંચેક નવલકથાઓ સિવાયનીના અંત ઉતાવળિયા અને શિથિલ માલૂમ પડે છે. પાત્રોનું વર્તન, ભાવસંધર્ષણ કે પ્રસંગયોજના અન્યથા સારી નવલેના ઉત્તરાર્ધમાં પણ અસંબદ્ધ કે બનાવટથી દાખલ કર્યા હોય તેવાં કૃત્રિમ જણાય છે.
આ દાયકાના કેટલાક નવલકથાકારેનું ઘડતર ગામડામાં થયું હોવાથી ગ્રામજીવનનું ભાતું તેમણે સારી પેઠે બાંધ્યું છે. તેથી ગ્રામધરતીનાં વસ્તુ અને પાત્રો સાથે તેમનાં પહેરવેશ, બોલી, રીતરસમ, સ્વભાવ અને જીવનપ્રશ્નોનું નિરૂપણ વાતાવરણને વફાદાર રહીને તેમણે કરી બતાવ્યું છે. પ્રાદેશિક બોલીઓની શક્તિ, માર્મિકતા અને રસવત્તા તેમણે તેમની કૃતિઓ દ્વારા સિદ્ધ કરી બતાવ્યાં છે અને ગુજરાતી સાહિત્યને ઘણુ નવા
Page #43
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વમય પર દષ્ટિપાત અપરિચિત છતાં વિશિષ્ટ બળવાળા, અર્થસુંદર સચેટ શબ્દપ્રયોગોની તેની વિવિધ લઢણો સમેત લહાણ કરી છે. ગુજરાતી ગદ્યને આ શબ્દોએ નવી છટા ને બળ આપ્યાં છે. ' પણ વિવિધ જિલ્લાઓની તળપદી બેલીઓને કલાકૃતિઓમાં ઉપયોગ તેમનું ઔચિત્ય ને સૌન્દર્યક્ષમતા જાળવીને જ થાય અને કેવળ પ્રાદેશિક બોલીના લહેકા કે શબ્દની નવીનતાના મોહથી લલચાઈ લેખક સાધનને સાધ્ય બનાવી દેવાની પાયાની ભૂલના ભોગ ન થઈ પડે તે સારું, એટલે તે અતિરેક પ્રત્યે અંગુલિનિર્દેશ કરવો જોઈએ.
વિષયને માટે નવાં નવાં જીવનક્ષેત્રો તરફ નવીન લેખકોનું ધ્યાન ખેંચાતું ગયું છે. પણ આલેખ્ય વિષયને એકસાઈવાળે, ઊંડે અને સર્વાગી અભ્યાસ બધા નવલલેખકોને હોય એમ જણાતું નથી. વાસ્તવલક્ષી નવલમાં વસ્તુની રજૂઆતમાં જે ચીવટ, હેતુ ને આમૂલ પકડ ફેન્ચ કે રશિયન નવલ બતાવે છે, પાત્રમાનસ પરિવર્તન કે પ્રસંગઘટનાની યોજનામાં જે સ્વાભાવિકતા ને સટતા અંગ્રેજી કે અમેરિકન નવલમાં જોવા મળે છે તે ગુજરાતીમાં જજ જ જોવા મળે છે. વિષયની બાબતમાં પણ હજી ઘણુ બધા અક્ષુણું પ્રદેશ પડેલા છે. અસાધ્ય રોગોથી ખવાતા જતા રેગીઓને જીવનપ્રદેશ, પૂરતું જીવનપષણ નહિ મેળવી શકવાને લીધે અકાળે કરમાતા કે વિકૃત વૃત્તિઓવાળા બની બેસતાં બાળકોને પ્રદેશ, નારીનાં સ્વમાન, તેજ ને પરસ્પર આંતરિક વિરોધી લાગણીઓથી ઘડાતા સ્વતંત્ર વ્યક્તિત્વને પ્રદેશ, ગૂઢ રહસ્યવાદી ફિલસૂફીનાં પડ (Mystic) ઉકેલતો અધ્યાત્મ જીવનને પ્રદેશ, કવિઓ-કલાકારોનાં ઊંડાં મંથન સંવેદને અને જીવનવ્યાપારોને આલેખત પ્રદેશ, જન્મથી મૂંગાં આંધળાં પાગલ ગુનેગાર અને અનીતિના ધંધા ચલાવનારાંની વાસ્તવિક મનોવ્યથાઓ, માનસપ્રવૃત્તિઓ અને જીવનસંઘર્ષને પ્રદેશ, અને આવા તે અનેક વિષયો સર્જકની ક૯૫ના પાંખે બેસીને અવતરણ પામવાના હજી બાકી છે. ભાતભાતના લેકના જીવનમાં રહેલું વૈવિધ્ય ને વિશિષ્ટત્વ અને તેને અથડાતાં હવાપાણી અને ખડખેતરનું અવલોકનમનન સતત કરતા રહી તે ઉપર સર્જકશક્તિ અને ક૯૫ના પાંખના બળ વડે મનોહર શિલ્પરચના આપણું લેખકોએ કરતા રહેવું જોઈએ. મૌલિક સર્જકતા જ્યાં સુધી એવું ઉત્તમ બળ પ્રાપ્ત ન કરે ત્યાંસુધી જગતની મહાન શિષ્ટ નવલકથાઓના અનુવાદ આપણી ભાષામાં થયાં. કરે એ ઈચ્છવા જેવું છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫૦ ૧૦
નવલિકા નવલકથા કરતાં નવલિકાનું કળાસ્વરૂપ આપણે ત્યાં મોડું ઘડાયું હોવા છતાં ટૂંકા ગાળામાં તેની પ્રગતિ ઝડપથી થઈ છે. નવલિકાની લોકપ્રિયતાનાં વિવિધ કારણે આગળ ધરવામાં આવે છે અને પ્રત્યેક ન લેખક ટૂંકી વાર્તા ઉપર તે હાથ અજમાવવાનો તથા પ્રત્યેક દૈનિક કે સામયિકને વાર્તા વિના તે ચાલે નહિ જ એવી રસમ પડેલી છે. તેમ છતાં નવલિકાસંગ્રહોની સંખ્યા નવલકથાનાં પુસ્તકે કરતાં આ દાયકે વધવા પામી નથી તેનું શું કારણ હશે ? શ્રી. ધૂમકેતુ જેવા સિદ્ધહસ્ત નવલિકાકાર પણ નવલકથાના ક્ષેત્રમાં જ ઘૂમતા રહ્યા છે અને જની વાર્તાઓને એકત્રિત. કરી તેના ચારેક સંગ્રહો છપાવવા સિવાય બીજી રીતે નવલિકાને તેમણે ઓછી રીઝવી છે. શું સામાન્ય જનસમૂહને માત્ર બે ઘડીના વિચારવિનોદ ખાતર જ નવલિકા પાસે જવું નહિ ગમતું હોય ? તેને જીવનના મોટા પટ ઉપર વિહરતાં પાત્રોની સૃષ્ટિ વિશેષ પ્રિય હશે ? અનેક ઘટનાઓ, પાત્ર, વર્ણને, સંધર્ષોની ફૂલગૂંથણીનું સાહિત્ય જાળવતા રસપ્રવાહમાં તેને ચિરકાલ સુધી તણવું હશે ? વિચાર કે લાગણીના લગીર ઝબકારાથી એનાં રસતરસ્યાં હૃદય પરિતૃપ્ત નહિ થતાં હોય? કે પછી નવલકથા કરતાં નવલિકા તેની સમજશક્તિ અને રસેન્દ્રિયની સૂક્ષ્મતાની વધુ અપેક્ષા રાખતી હશે તેથી? ગમે તેમ, નવલિકા કરતાં નવલકથા આ દાયકે વિશેષ લોકપ્રિય અંગ કર્યું છે. વારંવાર આગળ કરવામાં આવતાં કપ્રિયતાનાં કારણે આ પરિસ્થિતિમાં વાજબી ઠરતાં નથી. આમ કહેવાને હેતુ નવલિકાની કલા નવલકથાની કરતાં સરલ છે કે ઊતરતી છે એવો નથી; પણ લોકોની રુચિ દાયકે દાયકે કેમ પલટાતી રહે છે તે તરફ માત્ર ધ્યાન દેરવાને છે.
આ દાયકે લગભગ સો જેટલા વાર્તાસંગ્રહ પ્રગટ થયા છે, જે સંખ્યા ગયા દાયકા કરતાં આ દાયકે નવલિકાને પ્રવાહ ધીમે વહે છે એમ સૂચવે છે. છેલ્લાં દસ વર્ષ દરમ્યાન પ્રતિવર્ષે, નવલિકાઓને ફાલ, વાતાવણ અનુકૂળ હોવા છતાં, પ્રમાણમાં ઊતરત જ તે જણાવે છે.
સિદ્ધહસ્ત નવલિકાનવેશના કેટલાક સંગ્રહ મળ્યા છે; પણ લેખકોએ અગાઉ રળેલી કીર્તિમાં તે કશે વધારે કરતા નથી. ઊલટાનું ‘આકાશદીપ, “અંતરાય” “રસબિંદુ', ‘દિરેકની વાત–ભાગ ', “ઉન્નયન' અને સૂર્યા' જેવા વાર્તાસંગ્રહે તેમના લેખકેના અગાઉના સંગ્રહોની અપેક્ષાએ
Page #45
--------------------------------------------------------------------------
________________
થયા દાયકાના વાય પર દષ્ટિપાત સામાન્ય જણાય છે. જૂના અને પીઢ વાર્તાલેખકોએ કઈ કઈ સરસ વાર્તાઓ આપી નથી એવું નથી; પણ એકંદરે એ પેઢીએ આ દાયમના નવલિકાસાહિત્યમાં કશું નવીન પ્રસ્થાન કર્યું દેખાતું નથી.
શ્રી. ધૂમકેતુકૃત “આકાશદીપ', “પરિશેષ ', “વનયા” અને. મેઘબિંદુ'; દ્વિરેફકૃત “દ્વિરેફની વાતો” ભા. ૩; રમણલાલકૃત “રસબિંદુ' તથા, “કાંચન અને ગેરુ'; સુંદરમકૃત “ઉન્નયન', ઉમાશંકરકૃત “અંતરાય; મેઘાણીકૃત “વિલેપન” “માણસાઈના દીવા” અને “રંગ છે બારોટ'; ગુલાબદાસ બ્રોકરના “વસુંધરા', “સૂર્યા” “અને ઊભી વાટે'; ચુનીલાલ: શાહને “રૂપાને ઘંટ'; ગુ. આચાર્યને “તરંગ'; સોપાનને ત્રણ પગલાં'; વિનોદરાય ભટ્ટકૃત “મેઘધનુષ’ અને ‘એને પરણવું હતું, રસિકલાલ છો. પરીખકૃત “જીવનનાં વહેણે '; “ચાઘરના લેખકમંડળે પ્રગટ કરેલ તેને બીજો ભાગ —આ છે જુના નવલિકાકારો પાસેથી આ દાયકે મળેલા નવા નવલિકાસંગ્રહે. આમાંથી “પરિશેષ', “માણસાઈના દીવા', 'વિલોપન', “ઊભી વાટે', તથા “કાંચન અને ગેરુ' જેવા વાર્તાસંગ્રહ આ દાયકાનાં નોંધપાત્ર પ્રકાશનો ગણાય.
આ દસ વર્ષમાં કેટલાક નવીન આશાસ્પદ વાર્તાલેખકે આ ક્ષેત્રને સાંપડ્યા તે પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ચુનીલાલ મડિયા, જયંતી દલાલ, સ્ના ખંડેરિયા, બાબુભાઈ વૈદ્ય, ઉમેદભાઈ મણિયાર, મુરલી. ઠાકુર, ચંદુલાલ પટેલ, દર્શક, સ્વ. હરજીવન સોમૈયા, રમણલાલ સોની,. હરિકૃષ્ણ વ્યાસ, જયભિખુ, સત્યમ, ઈન્દ્ર વસાવડા, અશોક હર્ષ, ડો. જયંત ખત્રી, બકુલેશ, નિરુ દેસાઈ, પ્રશાન્ત, પૂર્ણાનંદ ભટ્ટ, દેવશંકર મહેતા, પ્રહલાદ બ્રહ્મભટ્ટ, મકનજી પરમાર, કાન્તિલાલ પરીખ, અરવિંદ શાસ્ત્રી, રણજિત શેઠ, વર્મા-પરમાર, વ્રજલાલ મેઘાણી, નાથાલાલ દવે, સ્વમસ્થ, સુરેન્દ્ર ત્રિપાઠી અને ઉમેશ કવિ. આ પાંત્રીસથી ય વધુ. નવા લેખકો તરફથી એકંદરે લગભગ ૬૦ જેટલા વાર્તાસંગ્રહ મળ્યા છે.. વાર્તાલા, જીવનતત્વની પકડ, શબ્દ-સામર્થ્ય, રસનિષ્પત્તિ અને પ્રયોગવિધ્યની દષ્ટિએ ઉપરના નવીન લેખકોમાંથી પનાલાલ, પેટલીકર, મડિયા અને જયંતી દલાલ વિશેષ શક્તિવાળા જણાયા છે.
સ્ના ખંડેરિયા, મણિયાર, મુરલી ઠાકુર, બાબુભાઇ, રણજિત શેઠ આદિ જાણે અજાણે ધૂમકેતુ --- મેઘાણીની વાર્તાશૈલીને અનુસરે છે. પણ નવીન લેખકોને માટે ભાગ બહુધા દ્વિરેફ-ઉમાશંકર-સુંદરમની શૈલી
ચં. ૫
Page #46
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦ તરફ ખેંચાયા હોય એમ લાગે છે. આ દાયકાના સ્વતંત્ર શૈલીના જુવાન લેખકે પૈકી જનાઓમાંથી ઉમાશંકર, સુંદરમ, બ્રોકર, માણેક, જિતુભાઈ મહેતા અને કિશનસિંહ તથા નવાઓમાંથી પન્નાલાલ, પેટલીકર, મડિયા અને દલાલ હવે પછીના દાયકામાં નવલિકાના સાહિત્યપ્રકારને સર કરી જાય તે નવાઈ નહિ. ધૂમકેતુ અને તેમનું અનુકરણ કરનારાઓ ઉપર કેન્ચ વાર્તાકાર મપાસાને, તે દિરેફ-ઉમાશંકર અને તેમને અનુસરનારાઓ ઉપર રશિયન વાર્તાકાર ચેખાવને પ્રભાવ પડ્યો હતો. પણ હવે, જુવાન ઊગતા લેખમાં અમેરિકન વાર્તાકાર સારેયોન વિશેષ પ્રિય થતો જાય છે.
આ દાયકે મળેલા વાર્તાસંગ્રહમાંની કેટલીક વાર્તાઓ આગલા દાયકામાં લખાયેલી છે. કેટલીક પૌરાણિક કથાઓ, બેધકથાઓ કે કિશોરકથાઓ છે. કેટલાક લેખકોએ કલાદ્રષ્ટિથી નહિ-સમાજહિતૈષી, શૈક્ષણિક કે નીતિ ધર્મ અને સદાચાર ફેલાવવાના હેતુથી વાર્તાઓ લખી છે.
આ દાયકાની કલાત્મક નવલિકાઓ જીવનની વિચિત્રતાઓ અને વિષમતાઓને વધુ સ્પર્શતી રહી છે. “સુંદરમ'ની “ખેલકી” અને “માને ખોળે” અને નિર દેસાઈની “ભલે માણસ” જેવી કૃતિઓ નગ્ન વાસ્તવવાદની લાક્ષણિક વાર્તાઓનું પૂરું પ્રતિનિધિત્વ ધરાવે છે. નક્કર વાસ્તવદર્શન આજની ઘણીખરી વાર્તાઓના પ્રાણરૂપ બની ચૂક્યું છે. તેને પરિણામે જીવન પ્રત્યેની વૈજ્ઞાનિક દૃષ્ટિ, જીવનના સર્વ વ્યાપારોને માનસશાસ્ત્રીય દષ્ટિએ જોવાનું વલણ, મધ્યમ અને નીચલા વર્ગો તેમજ ગ્રામસમાજનું ઝીણવટવાળું નિરૂપણ, જીવનના પ્રાકૃત અને જિન્સી ભાવનું પૃથક્કરણ, ધીંગા વિગતપ્રચુર વાતાવરણનું આલેખન અને જિવાતા જીવનને વિષય બનાવવાનું વલણ આ દાયકાની મોટા ભાગની નવલિકાઓમાં જોવા મળે છે. સાથે સાથે સંવિધાન અને નિરૂપણની પ્રયોગશીલતા, અંતસ્તત્વ કરતાં રચનાકલા ઉપર અપાતું વધુ લક્ષ અને રસનો આસ્વાદ કરતાં વિચાર કે લાગણીનાં ઝબૂકિયાં કરાવવા તરફ રહેતો વધુ ઝોક આધુનિક નવલિકાને વિશેષ ટૂંકી, સ્વરૂપસુઘટિત અને બુદ્ધિજન્ય ચમત્કારની રેખા જેવી બનાવે છે. આમ, બુદ્ધિજીવી અને પ્રયોગપૂજક યુગવાતાવરણ, વિષમતા અને યાતના તથા સ્વાર્થ દંભ અને વિલાસથી ભર્યું આધુનિક જીવન અને ચેવ. સારેયાન આદિ પરદેશી વાર્તાકારોને કલાકસબ એ આ નવલિકાકારોનાં પ્રેરણ-સ્થાને છે.
આ વાર્તાઓમાં વીરકથાઓ, આધ્યાત્મિક પ્રેમની મંગલ ગાથાઓ, જના યુગનું દર્શન કરાવતી ઐતિહાસિક વાર્તાઓ, કાવ્યકલ્પનાના ફુવારા
Page #47
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાણમય પર દષ્ટિપાત ઉડાડતી રંગદશી ભાવનામય વાતાવરણપ્રધાન કથાઓ અને માનવહૃદયની ઉદાત્ત-મનહર લાગણીનું ઉત્કટતાથી આલેખન કરતી રોમાંચક કહાણુઓ નથી મળતી એમ નહિ, પણ તે કૃતિઓ જેટલું વાસ્તવચિત્રણ કરાવવા તરફ લક્ષ રાખે છે, તેટલું ભાવનાનું ઉદ્દબોધન કરવા તરફ રાખતી નથી. એકંદરે તેમાં કાવ્યનું માધુર્ય કે કલ્પનાનાં ઉયન નથી. તેમાં છે વિવિધ માનસ, વૃત્તિ, કક્ષા, સંસ્કાર અને રુચિનું છબીરાગી આલેખન. એમાં ક્યાંક મર્મવેધી કટાક્ષ છે, ક્યાંક સહાનુભૂતિભર્યો દષ્ટિકોણ છે, ક્યાંક ઉગ્રતા અને તીખાશ છે; ક્યાંક રસિકતા અને નવી રીતિની ચાંપલાશ છે. પણ એ બધામાં ય વ્યક્ત થતા સૂર જીવનના વિષાદ અને નિરાશાને છે. હોકાયંત્ર વિનાનું જીવનનાવ જાણે કે સંસાર સાગરમાં વિચારમાંથી અથડાતું કુટાતું કોઈ અનિશ્ચિત દિશા તરફ ધકેલાઈ રહ્યું હોય એ આ દાયકાની વાર્તાઓમાંથી જીવનને સૂર સંભળાય છે.
જે રહસ્યને વાર્તા દ્વારા લેખક અભિવ્યક્તિ આપવા ઇચ્છે છે તેની યેગ્યાયેગ્યતા કે બલબલ તપાસવાને ઉચિત અને સ્થિર દૃષ્ટિકોણ આપણું ઘણું વાર્તાકારમાં જ નથી. કેટલીક વાર્તાઓમાં તે તેમના લેખકને દૃષ્ટિકોણ તંદુરસ્ત પણ લાગતો નથી, ટૂંકમાં કહીએ તો નવી નવલિકા જેટલી ચિત્તને ચમકાવતી જાય છે તેટલી ચિત્તને ખેંચી જતી નથી; જેટલી ભાવકને બુદ્ધિપ્રધાન પૃથક્કરણ કરવા પ્રેરે છે તેટલી તેની સંવેદનાને જાગ્રત કરતી નથી. છતાં સંવિધાનનું કૌશલ નિરૂપણની સ્વસ્થતા, વિષય ને રીતિનું વૈવિધ્ય અને વર્ણન ને કથનની ચેટ સાધવામાં ગયા દાયકા કરતાં તેણે સારી પ્રગતિ બતાવી છે. ઈશ્વર પેટલીકરની “દુઃખનાં પિટલાં” અને લોહીની સગાઈ', ચુનીલાલ મડિયાની “ કમાઉ દીકરે” અને દ્વિરેફની કેશવરામ' આ દાયકાની સર્વશ્રેષ્ઠ નવલિકાઓ છે.
ઉપસંહારઃ વીતેલા દાયકાના ગુજરાતના સમગ્ર સર્જનાત્મક સાહિત્ય તરફ છેલ્લી દષ્ટિ ફેંકીએ તો તેમાં “આપણી સર્જકશક્તિએ અનુભવેલી એટ’નાં દર્શન થાય છે. ગયા દાયકાના આપણું સમર્થ સર્જકે રમણલાલ, રામનારાયણ, ધૂમકેતુ, સુંદરમ, ઉમાશંકર, ધનસુખલાલ, ગુણવંતરાય, ચંદ્રવદન, મનસુખલાલ આદિ ઉત્તરોત્તર ચઢિયાતી કૃતિઓ આપવાને બદલે એમની આગલી કૃતિઓથી ઊતરતી કક્ષાની–કઈ વાર તે એમને સાહિત્યવ્યવસાય ચાલુ છે એટલું જ બતાવતી કૃતિઓ પ્રગટ કરે છે તે શું બતાવે છે ?
Page #48
--------------------------------------------------------------------------
________________
થશે અને ગ્રંથકાર પુ. ૧૦ * બીજા વિશ્વયુદ્ધને પરિણામે કે આધુનિક જીવનભસને કારણે આમ બન્યું હોય એમ ઘડીભર લાગે, પણ તે કારણે સંગીન નથી. કેમકે સાચા . સર્જકને પ્રાણ તે હમેશાં સંવેદનશીલ હોય છે. સર્જક મનુષ્ય છે; મનુષ્યસહજ સર્વ મર્યાદાઓથી એ બંધાયેલું છે એ સાચું. પણ ઉપાધિઓ, યાતનાઓ કે ભયથી ગભરાઈને એ સામાન્યની જેમ પ્રલોભનો, સ્વાર્થો અને અસત્યને વશ થઈ જાય એવું એને વિશે કેમ માની શકાય ? એની સંવેદના ઊલટી આવા ગજગ્રાહથી વધુ તીવ્ર બને; બુટ્ટી ન બની જાય. કારણ કે સાચે સજક સર્વસાધારણ શુદ્ધ માનવને ભક્ત છે અને તે માનવ જ તેનું રસકેન્દ્ર છે. એનું હૃદય કરુણાથી માતબર છે. એનું ચિત્ત સંસારસાગરનાં અનેક મુંજાથી ભિજાય તો પણ કમલપત્રના જેવું ઊર્ધ્વસ્થ અને પ્રફુલ્લ જ સદા રહે. ફ્રાન્સ, ઈટલી અને રશિયાએ બીજા વિશ્વયુદ્ધની પારાવાર ભયંકર અસર અનુભવી છતાં યુદ્ધ દરમિયાન એ દેશોની સર્જનપ્રવૃત્તિ વધુ ચેતનવંતી શાથી બની ? સર્જનશક્તિમાં આવેલી ઓટનું કારણ આ દાયકાની બાહ્ય વિષમ પરિસ્થિતિઓમાં નહિ, પણ સર્જકમાં પિતામાં જ શોધવું ઘટે.
જીવન જીવવા, જીવનને મૂલવવા, જીવનનું ખરું ને તાત્ત્વિક રહસ્ય પ્રીછવવા કેવળ તેનું અવલોકન કે પૃથક્કરણ કરવું બસ થશે નહિ. જેમ કેવળ લાગણીથી નહિ તેમ કેવળ બુદ્ધિથી પણ જીવનનું સત્ય દર્શન થશે નહિ. એ દર્શને આવે છે સર્જકના ઘટ સાથે ઘડાઈ ગયેલી તેની ઉમેષશાલિની જીવનશ્રદ્ધાના તેણે કલામાં અનુભવેલ આત્મસાક્ષાત્કારમાંથી.
પ્રાચીન સર્જકોમાં જીવનના વ્યવહાર પરત્વે, જીવનના હેતુ અને સ્વરૂપ પરત્વે જેવી દઢ શ્રદ્ધા હતી; પંડિતયુગના સર્જકોમાં લગ્ન, નીતિ, સમાજજીવન અને મનુષ્યની ઊર્ધ્વગામી પ્રવૃત્તિઓ વિશે જે અપાર અનુરાગ હતો; ગાંધીજીએ આત્મમંથન અને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા જે વિશિષ્ટ દર્શન તત્કાલીન સજ'કામાં ઉગાડ્યું હતું એમાંનું કશુંક કે એવું કશુંક આ દાયકાના સજની શ્રદ્ધા–લગનીનું અધિકારી ભાગ્યે જ બની શકયું છે. એથી આ દાયકાના ઘણાખરા સર્જકે કાં તે ફેશન પ્રમાણે આગલા દાયકાની જીવનદષ્ટિનાં ઉચ્ચારણો માત્ર કર્યા કરે છે, અથવા પશ્ચિમનાં વિચારવલણને તૈયાર “ગાઉન' જ પહેરી લે છે. એકંદરે આ દાયકાના સર્જનાત્મક સાહિત્યમાંથી ચિરંજીવ જીવનદર્શનને સ્થિર પ્રકાશ ભાગ્યે જ જોવા મળે છે. સાહિત્યકાર જીવનથી મુક્ત બની સાહિત્યસેગઠાં ખેલી નહિ શકે. લોકપ્રિયતા કે રંજનના કુવામાં ડૂબકિયાં ખાતાં ખાતાં વિશાળ ને જટિલ
Page #49
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાડ્મય પર દષ્ટિપાત
જીવનનું તલગામી દર્શન તે કરી શકશે નહિ. અને કાઈ પણ કલાસનમાં જીવન-દર્શોનની તૂટી ચલાવી ન લેવાય. બધાઈ ગયેલા ચીલાઓની બહાર સ`શક્તિએ સ્વતંત્ર વિહાર કર્યે જ છૂટકા. સર્જક–પ્રતિભાને જીવનક્રમ અને તેના સૌન્દર્ય પ્રેરક અંશે સિવાય ખીજા કશાનુ` બંધન નથી.
ચરિત્ર
૩૭
હવે વળીએ 'કલા અને શાસ્ત્ર બંનેનાં તત્ત્વાના સુમેળવાળા સાહિત્યપ્રકાર ચરિત્ર તરફ.
'
વીતેલા દાયકાના ચરિત્ર-વિભાગ સૌથી વધુ માત્બર છે. એમાં નાની માટી મળીને લગભગ ૧૫૦ કૃતિએ પ્રગટ થઈ છે. એમાં સરદાર વલ્લભભાઇનું વિસ્તૃત જીવનચરિત્ર છે તે ‘શુક્રતારક' જેવું રસાળ જીવનચિત્ર પણ છે; ‘ અડધે રસ્તે ’ જેવી સર્જનાત્મક આત્મકથા છે તે - મહાદેવભાઈની ડાયરી' જેવી અપૂર્વ રાજનીશી પણ છે; આચાય આનંદશ’કરભાઇ' જેવી પૂજયભાવથી નીતરતી સંસ્મરણુ-પુસ્તિકા છે તા ‘લિ. સ્નેહાધીન મેધાણી ' જેવું મુલાયમ પત્રસાહિત્ય પણ છે; સાંદિપનીનાં (? સાંદીપનિનાં ) રેખાચિત્રો અને ‘ગ્રામચિત્રો' જેવાં વિવિધ વર્ગોનાં પ્રતિનિધિઓનાં રેખાચિત્રા છે તે ‘આચાય પ્રફુલ્લચંદ્ર રૉય' જેવી ટૂંકી અને ખેાધક જીવનકથા છે.
*
એના ચરિત્રનાયકેાની સૃષ્ટિ વિવિધ કાળ, દેશ અને ક્ષેત્રમાં વ્યાપ્ત છે. સ્વતેજે ઘૂમી વળી પેાતાના વ્યક્તિત્વને ચિરસ્મરણીય બનાવી જનાર શકરાચાય થી માંડીને ભીમજી હાડવૈદ્ય સુધીના વિખ્યાત-અવિખ્યાત જીવનની અનેકદેશીય સામગ્રી આ દાયકાના ચરિત્રસાહિત્યમાં સાંપડે છે.
કશ્મીર, મીરાં અને શ્રીમનૃસિંહાચાર્યજી જેવા સતા-ભકતા, શકરાચા, મહાવીર જેવા ધ`સંસ્થાપકેા, લૂઈ-પાશ્ચર અને મૅડમ કયૂરી જેવા વૈજ્ઞાનિકા, રવિશંકર મહારાજ અને મેાતીભાઈ અમીન જેવા મૂક પ્રજાસેવકા, કસ્તુરબા જેવી આત્મસંપત્તિ વાળી આદર્શ નારીએ, ઝાંશીની રાણી લક્ષ્મીબાઈ, ફ્રાન્સની રણુચ'ડી જોન આવુ આર્ક અને વીર સુભાષ જેવાં ક્રાન્તિ–સેનાપતિએ, સરદાર વલ્લભભાઈ જેવા લેાખંડી રાજ–પુરુષ, ૫. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા પુરાતત્ત્વવિદ, કલાપી અને સાગર જેવા મસ્ત કવિએ, નવલરામ જેવા ધીર વિવેચકઃ આમ યાદી કરીએ તેા પાર ન આવે એટલી બધી વ્યક્તિઓનાં જીવનચરિત્ર લખાયેલાં છે. આ સૌમાં
Page #50
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકા૫ ૫૦ ૧૦ ગાંધીજી વિશે તે પાંત્રીસથી ય વધુ ચરિત્ર-પુસ્તકે મળે છે. આ દાયકાનું કઈ વર્ષ એવું કોરું નહિ ગયું હોય, જેમાં ગાંધીજીના ચરિત્ર વિશેનું કોઈ ને કોઈ પુસ્તક પ્રગટ થયું નહિ હોય. સર્વમુખી વ્યક્તિત્વ ધરાવનાર આવા મહાન પુરુષના જીવનનું પ્રતિબિંબ અનેક ગ્રંથોમાં ઝિલાતું રહે એમાં કશું આશ્ચર્ય પણ નથી.
પરંતુ ચરિત્રગ્રંથનું પ્રમાણ અને ચરિત્રનાયકની સૃષ્ટિનું વૈવિધ્ય જેટલું સંતોષપ્રદ છે તેટલું ચરિતાલેખન નથી. અણુશુદ્ધ, સર્વાગ સંપૂર્ણ જીવનચરિત્રો કરતાં નાયક વિશેની ચરિત્રસામગ્રીનો સંગ્રહ કરનારાં કે તારવણી દ્વારા તૈયાર કરેલાં પુસ્તકે અહીં વિશેષ જોવા મળે છે. સર્જનાત્મક શૈલીમાં ચરિત્રનાયકના અંતર અને બાહ્ય, અંગત અને જાહેર જીવનનાં તમામ પાસાંને આલેખીને તેને સમગ્ર જીવનનું તેમજ તેની સમકાલીન જમાના ઉપર પડેલી અને ભાવિ યુગ ઉપર પડનારી અસરો બતાવતું એક પણ ચરિત્રપુસ્તક આ દાયકે મળ્યું નથી. પૂજ્યભાવ, ગુણપૂજક બુદ્ધિ અને વ્યક્તિની જાહેર જીવનની સિદ્ધિઓથી પ્રેરાઈને તથા વાચકમાં નાયકના ગુણની પ્રતિષ્ઠા સ્થાપવાના આશયથી જ હજી ઘણુંખરાં ચરિત્રો લખાતાં માલૂમ પડે છે. માનવી સામાન્ય વિશેનું શાસ્ત્રીય અને શુદ્ધ જ્ઞાન : એમાંથી મેળવવા ઈચ્છતો વાચક ઘણુંખરું નિરાશ થતો હોય છે.
આમ છતાં હકીકતોની ઈતિહાસશુદ્ધ સામગ્રીને વ્યવસ્થિત સંગ્રહ કરતાં અને ચરિત્રનાયકના વ્યક્તિત્વનાં મહત્વનાં પાસાં સ્પષ્ટ કરતાં થોડાંક દળદાર ચરિત્રપુસ્તકો આ દાયકે મળ્યાં છે. એમાંથી આત્મલક્ષી બે ગાંધીજીની વિકાસકથા " આલેખતું પ્રભુદાસ ગાંધીકૃત “જીવનનું પરોઢ” તેમાંની હકીકતોની પ્રમાણભૂતતા, મનોવિશ્લેપણની સૂચકતા, નિરૂપણ કલાની રમ્યતા અને નાયકના આંતર સ્વરૂપનું વિકાસદર્શન કરાવતી તેના કર્તાની કાવ્યમય તેમજ સંયમપૂત દૃષ્ટિને કારણે આ દાયકાનાં ઉત્કૃષ્ટ ચરિત્રપુસ્તકોમાંનું એક છે.. એવો જ બીજો સમર્થ પ્રયત્ન “સરદાર વલ્લભભાઈ-ભાગ પહેલે માં શ્રી. નરહરિ પરીખે કર્યો છે. ૧૯૧૭ની ગોધરાની પહેલી ગુજ. રાજકીય પરિષદથી માંડીને ૧૯૨૯ની લાહેર કોંગ્રેસ સુધી તેમણે ભજવેલા મહત્ત્વપૂર્ણ રાજકીય ભાગને નિમિત્ત બનાવીને ગુજરાતના રાજકીય ઘડતરને કડીબંધ ઈતિહાસ વિસ્તારથી આ પુસ્તકમાં આલેખાય છે. મહાદેવભાઈની “વીર વલ્લભભાઈ અને “એક ધર્મયુદ્ધ” એ પુસ્તિકાઓમાંથી, “બારડોલી સત્યાગ્રહને
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૯
ઈતિહાસ” એ પુસ્તકમાંથી, “નવજીવન'માંના કેટલાક લેખમાંથી, મણિબહેને એકઠી કરી રાખેલી સામગ્રી અને અન્ય નિકટના સંગીઓ તરફથી લેખકે ચીવટ, ખંત અને નિષ્ઠાથી વલ્લભભાઈની ચરિતસામગ્રી ભેગી કરીને તેને ઉચિત ઉપયોગ કર્યો છે. તેમના નિરૂપણમાં વ્યવસ્થા, સરલતા, ચોકસાઈ અને સાદાઈ છે. સરદારના જટિલ વ્યક્તિત્વનાં અનેક પાસાં ગ્ય પ્રસંગો દ્વારા ઊકેલીને, તેમના વિશે તરેહતરેહના ગપગોળા વહેતા મૂકનાર સૌને શ્રી નરહરિભાઈએ આ ચરિત્ર દ્વારા ચૂપ કર્યા છે. એમના કુટુંબજીવન ઉપરાંત સામાજિક અને મુખ્યતઃ રાષ્ટ્રીય જીવનનું તથા તેમનાં સ્વભાવ, વિચાર, વલણ અને શ્રદ્ધાનું વિગતવાર દર્શન આ પુસ્તકમાં થાય છે. કે પુસ્તકમાં સરદારના જાહેર જીવનનું અને શક્તિઓનું જેટલું ઝીણવટભર્યું વર્ણન છે તેટલું તેમના અંગત જીવનનું અને સ્વભાવનું નિરૂપણ થયું નથી. સરદારના સમયનું સામાજિક વાતાવરણ પણ એટલી સચોટતાથી ચિત્રિત થયું નથી. તેને બદલે રાજકીય વાતાવરણ અતિ લંબાણથી આલેખાયું છે. સાહિત્યિક રજુઆત અને મહાદેવભાઈના જેવી શિલી કે પ્રમાણુદષ્ટિ આ ચરિત્રને સાંપડી નથી. વિગતો અને રાજકીય વૃત્તતિની કેટલીક પુનરાવૃત્તિઓ તથા કેટલાંક અનાવશ્યક વિષયાંતરો પણ તેમાંથી ટાળી શકાય છે. તે પણ સરદારના મહાન વ્યક્તિત્વને સમજવા અને તેમની શક્તિઓ અને સિદ્ધિઓને પિછાનવા માટે આ એક જ વિસ્તૃત અને પ્રમાણભૂત પુસ્તક હાલ તો ઉપલબ્ધ છે.
આ ઉપરાંત “મહારાજ થયા પહેલાં', “રવિશંકર મહારાજ', “અમારાં બા', “બાપુની પ્રસાદી', “મહાદેવભાઈનું પૂર્વચરિત'
મોતીભાઈ અમીન : જીવન અને કાર્ય”, “મહાવીરકથા ”, “વડોદરાનરેશ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ, ભાગ ૧-૨', “કલાપી”, “પં. ભગવાનલાલ ઈન્દ્રજી', “બાપુની ઝાંખી', “સાગર-જીવન ને કવન', “દી. બ. અંબાલાલભાઈ', “કલ્યાણરાય બક્ષીનું જીવનવૃત્તાંત', “સરદાર પૃથ્વીસિંહનું જીવનચરિત”, “ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ', “તર્પણ” (શ્રી. વિઠ્ઠલરાય મ. મહેતાનાં સ્મરણચિત્રો), “શ્રી. શારદાદેવી', “ચલ દિલ્હી', “દેશભક્ત ભુલાભાઈ', “ગાંધીજીના સાનિધ્યમાં” “મહારાજની સાથે', “શ્રીમન્નસિંહાચાર્યજી', “કવિવર રવીન્દ્રનાથ ઠાકુર', “કાઠિયાવાડના ઘડવૈયા', આદિ છોટાંમોટાં નોંધપાત્ર જીવનવૃત્તાંતોમાં તેમના લેખકનાં અભ્યાસ, વિભૂતિપૂજા, અનુભવસંસ્મરણોની ઉષ્મા અને આકર્ષક શિલો વરતાય છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫૦ ૧૦ સર્જનાત્મક અંશે દાખવતી, આન્દ્ર મોર્વાને અનુસરીને લખાણમાં કલ્પના અને ચિત્રશૈલીને રસ લાવતી સ્વ. નવલરામ પંડયાની જીવનકથા
શુક્રતારક' રા. વિજયરાયે આ દાયકે આપી છે. પરંતુ એ કૃતિ ટૂંકું જીવનચિત્ર છે. ચરિત્રની પ્રમાણભૂતતા જોખમાય એટલા પ્રમાણમાં એમાં કલ્પનાને રંગ છે. વળી ચરિત્રનાયકની સળંગ શંખલિત સર્વગ્રાહી આકૃતિ પણ એમાંથી ઊપસતી નથી એ એની મોટી મર્યાદા છે.
આદરપાત્ર વ્યક્તિ વિશેનાં સ્વાનુભવજન્ય સંસ્મરણો આલેખતાં, તેમના જીવન અને પ્રવૃત્તિને ઘાતક, સમભાવી તથા રસદાયો પરિચય કરાવતાં કે તેમના વિસ્તૃત જીવનચરિત્ર માટેની બહુવિધ સામગ્રી મેળવી આપતાં મધ્યમ બરનાં ચરિત્રો આ દાયકે ઠીક ઠીક સંખ્યામાં મળ્યાં છે.
અમારાં બા', “બાપુની પ્રસાદી', “રવિશંકર મહારાજ'. “મહાદેવભાઈનું પૂર્વચરિત” જેવી કૃતિઓ તે દાયકાઓ સુધી ગુજરાતનાં કિશેરકિશોરીઓને પ્રેરણા આપશે. “કલાપી” અને “બાપુની ઝાંખી” ચરિત્રસ્વાધ્યાયના વર્ગમાં આવે.
ગુજરાતને વાચકવર્ગ ચરિત્રપુસ્તકને નવલકથાના જેટલે શેખ ધરાવતું નથી. જીવનચરિત નવલકથાના જેટલું જ લોકપ્રિય અંગ થઈ શકે. વળી ચરિત્રો કેવળ ખ્યાતિ પામેલા મહાન પુરુષોનાં જ લખાય એ ખ્યાલ પણ પ્રવર્તત લાગે છે. પરંતુ વિખ્યાત મહાન પુરુષની ગણતરી કરીએ તે પણ હજી કયાં બધી વિભૂતિઓનાં ચરિત્ર લખાયાં છે? દયારામ, કાન્ત, નરસિંહરાવ, રમણભાઈ, આનંદશંકર, ન્હાનાલાલ, મુનશી, બ. ક. ઠાકર આદિ સાહિત્યકારે; સર પ્રભાશંકર પટ્ટણી, સર મનુભાઈ, વિઠ્ઠલભાઈ પટેલ, સર ફિરોજશાહ મહેતા આદિ રાજપુરુષ; ઠક્કર બાપા, મુનિશ્રી. સંતબાલજી આદિ મૂક પ્રજાસેવકો; સર જમશેદજી ટાટા, રણછોડલાલ છોટાલાલ આદિ ઉદ્યોગપતિઓ અને પ્રો. ગજજર આદિ વૈજ્ઞાનિકનાં વિસ્તૃત, પ્રમાણભૂત ચરિત્રો હવેના દાયકે લખાશે ખરા?
આત્મકથા આત્મકથા ચરિત્રને જ એક પ્રકાર છે. એ પ્રકાર પરત્વે આ દાયક જાણે આગલા બધા દાયકાનું સાટું વાળી નાખવાને પ્રવૃત્ત થયો હોય એમ આત્મચરિત્રોની સંખ્યા અને સમૃદ્ધિ જોતાં જણાય છે.
ભાવનાશાળી જુવાન તનસુખ ભદથી માંડીને ઉચ્ચ કોટિના સર્જક અને રાજપુરુષ રા. મુનશી સુધીના લેખાએ આ દાયકે આપવીતીઓ .
Page #53
--------------------------------------------------------------------------
________________
૪
ગયા દાયકાના વાડ્મય પર દષ્ટિપાત પ્રસિદ્ધ કરી છે. “અડધે રસ્તે” અને “સીધાં ચઢાણ ભા. ૧-૨” (મુનશી), “આથમતે અજવાળે” (ધનસુખલાલ મહેતા), ‘જીવનનાં ઝરણું” (રાવજીભાઈ પટેલ). “જીવનપંથ' (ધૂમકેતુ), “ગઈ કાલ' (રમણલાલ), પંચોતેરમે' (બળવંતરાય ક. ઠાકોર), “મેં પાંખ ફફડાવી ” (તનસુખ ભટ્ટ), એમ મળીને આઠેક આત્મકથાઓ આ દાયકે પ્રકાશન પામી છે. એ ઉપરાંત દુર્ગાશંકર શાસ્ત્રી અને દી. બ. કૃષ્ણલાલ ઝવેરીએ પિતાના અક્ષર જીવનનાં સંસ્મરણો છૂટક લેખે રૂપે સામયિકોમાં પ્રગટ કર્યો છે. ચંદ્રવદન મહેતાની આપવીતી પણ “કુમાર”માં હતે હપતે છપાય છે.
આમાંથી “જીવનનાં ઝરણાં' સિવાયની બધી જ આત્મકથાઓ સાહિત્યકારોની છે એ બિના ખાસ ધ્યાન ખેંચે છે. આપણી ભાષામાં ગાંધીજી અને નારાયણ હેમચંદ્રને બાદ કરીએ તે આપવીતીઓ માત્ર સાહિત્યકારોએ જ કેમ લખી હશે ? સાહસિક વેપારીઓ, ધારાશાસ્ત્રીઓ, ડોકટરો, અખબારના તંત્રીઓ, ઉચ્ચ કોટિના અમલદારે, શિક્ષિકાઓ કે મિડવાઈફનાં વીતક કે અનુભવો તેમને જ હાથે લખાઈને મળે તો આપણું આત્મકથાસાહિત્ય અને માનવી સામાન્ય વિશેનું જ્ઞાન કેવું વિપુલ, શુદ્ધ અને વૈવિધ્યયુક્ત બને! શૈલી અને દૃષ્ટિ પરત્વે “જીવનનાં ઝરણું' ગાંધીજીની સત્યના પ્રયોગો'ને અનુસરે છે, તે અન્ય આત્મકથાઓ મુનશીની “અડધે રસ્તે 'ની જેમ કથારસને વિશેષ મહત્ત્વ આપે છે; જ્યારે “મેં પાંખો ફફડાવી” “સ્મરણયાત્રા'ની ઢબે આલેખાઈ છે.
ગુજરાતી આત્મકથાને સ્વરૂપવિકાસમાં મુનશીની આત્મકથાને ફાળે સૌથી વિશેષ મૂલ્યવાન ગણાશે. આત્મકથાને શુદ્ધ સર્જનને એક પ્રકાર નિમ બતાવવાને મુનશીને એ પ્રગ૯ભ પણ સફળ પ્રયત્ન છે. તેમની આત્મકથા “અડધે રસ્તે' નવલકથાના જેવી સાવંત રસપૂર્ણ છે. તેમની રસૈકલક્ષી કલમે સર્જનાત્મક કલ્પનાનું સિંચન તેમની આ વિસ્તૃત આત્મકથામાં પણ કરેલું છે. પોતે અનુભવેલી ઊર્મિઓ અને ભાવનાઓને સીધે સીધી વાચકના અંતરમાં સંક્રમિત કરીને આત્મકથાને લેખક સર્જકની ધન્યતા અનુભવી શકે એ વાતની પ્રતીતિ સૌથી મોટા પ્રમાણમાં મુનશીની આત્મકથા કરાવે છે. પરંતુ સત્ય કરતાં પ્રતિષ્ઠા અને અહમને લેખક વધુ મહત્વ આપતા હોવાથી તેમના જીવનની વિકૃત બાજુનું વર્ણન કે નિખાલસ આત્મચિંતન જોઈએ તેટલી તટસ્થતાથી આવશ્યક પ્રમાણમાં એમાં થઈ શક્યું નથી. આ દષ્ટિએ નર્મદ: મણિલાલ અને ગાંધીજીની ગ્ર.
Page #54
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦
આત્મસ્થાઓની સરખામણીમાં મુનશીની આત્મકથા ઊતરતી જણાય છે. તેમ છતાં તેની સરસતા અને કલામયતાને કારણે તેમજ તેની ચિત્રાત્મક રસમધુર ગદ્યશૈલીને કારણે ગુજરાતી આત્મચરિત્રના ઇતિહાસમાં “અડધે રસ્તે' એક અવિસ્મરણીય સીમાસ્તંભ તરીકે ચિરંજીવ રહેશે એમાં શંકાને સ્થાન નથી.
“આથમતે અજવાળે', “જીવનપંથ', “ગઈ કાલ' આદિ આત્મવૃત્તાંતે તેમના નાયકેનો અંગત તેમજ તેમના કુટુંબીઓ, બાલમિત્રો, સહાધ્યાયીઓ, શિક્ષકે, શુભેચ્છકે ઈત્યાદિને રસળતી શૈલીમાં પરિચય આપવા સાથે પિતાનાં બાળપણ અને કિશેર-તરુણ-અવસ્થાનાં ખટમધુરાં સ્પંદનોને તાજાં કરી આજથી અધી સદી પર વીતી ગયેલા જમાનાનાં ચિત્રોને ખડાં કરી દે છે. પણ આમ બનવાથી પાર્શ્વવતી ભૂમિકાને કેન્દ્રસ્થ નાયકનું મહત્વ મળતાં લેખકની જીવનકથા ગૌણ બની બેસે છે; આપવીતી માત્ર સંસ્મરણોનાં વિશૃંખલ ચિત્રનું રૂપ ધારણ કરે છે. રા. દુર્ગાશંકર શાસ્ત્રી, પ્રો. બ. ક. ઠાકોર અને દી. બ. ઝવેરીનાં સંસ્મરણોમાં આમ બને છે એ તો એમની વિશિષ્ટ દષ્ટિ ને હેતુને લઈને. પિતા કરતાં પિતાના જમાનાને સ્મરણમાં સંધરેલે અહેવાલ આલેખી પિતાના સમયના ઇતિહાસની અભ્યાસ સામગ્રી પૂરી પાડવી તથા પિતાના સમકાલીન મિત્રો, પંડિતે, આગેવાન અને લેકાંસ્થાઓ વિશે નવીન માહિતી આપી તેમને પ્રકાશમાં આણવાં, એવું પ્રયોજન તેમના સ્મરણલેખ પાછળ રહેલું છે. પણ અન્ય આપવીતીઓમાં તો પિતાના જમાનાના સંદર્ભમાં સ્વવ્યક્તિત્વનું જ નિરૂપણ એ મુખ્ય લક્ષ્ય હોવાથી આ મર્યાદા ખૂંચે છે.
વળી તેથી ય મેટી મર્યાદા આત્મચરિત્રકારમાં અંતર્મુખતાના અભાવની છે. આત્મકથા એટલે ઊંડી આત્મનિરીક્ષામાં તવાઈને આકાર પામતું વ્યક્તિનું સ્વલિખિત સત્યપૂર્ણ આંતરચિત્ર. અંતર્મુખ બન્યા વિના આત્મકથાને લેખક પિતાનું વ્યક્તિત્વ યથાર્થ નિરૂપી શકે નહિ. આ દાયકાના આત્મકથાકારો ઊંધ સહદય આત્મમંથન કે પરીક્ષણમાં ઊતરવાને બદલે ગંભીર, અગંભીર કે અર્ધગંભીર દષ્ટિએ પિતાના જીવનપ્રસંગે તથા સમકાલીન સમાજ ને સમયના રંગો આલેખવાનું પસંદ કરતા જણાય છે. આથી આત્મચરિત્રમાં કથારસ આવે છે, પણ તેમાં આંતર સંઘર્ષ ગોચર થત નથી. કથાનાયક વિશેની કેટલીક રસિક વિગતે તેના વ્યક્તિત્વનું ઘડતર વગેરે કુતૂહલપષક બાબતે વિશે જાણવા મળે છે, પણ આંતર સંવિતને સમૃદ્ધ કરે તેવું માનવજીવનનું અકળ નિર્ભેળ રહસ્ય તેમાંથી લાધતું નથી.
Page #55
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાડમય પર દષ્ટિપાત
રજનીશી રજનીશી આત્મચરિત્રને જ ઉપપ્રકાર છે. આપણી ભાષામાં રોજનીશીના સાહિત્યપ્રકારને પ્રદેશ “મહાદેવભાઈની ડાયરી-ભા. ૧” પ્રગટ થઈ ત્યાંસુધી કલામયતાથી ખેડાયેલો ન હતે. અલબત્ત, નેધપોથી લખવાના પ્રયત્ન આપણે ત્યાં દુર્ગારામ મહેતાજીથી ભોળાનાથ, ભાઈશંકર ભટ્ટ અને નરસિંહરાવ સુધી થતા આવ્યા છે, પણ સાહિત્યપ્રકાર તરીકે ખીલવે અને તેને ગૌરવભર્યું સ્થાન અપાવે તેવી એક પણ રજનીશી ઈ. ૧૯૩૭ સુધી પ્રગટ થઈ જાણી નથી એટલે “મહાદેવભાઈની ડાયરી"નાં ચાર પુસ્તકનું પ્રકાશન ગુજરાતી સાહિત્યના ઈતિહાસને એક અપૂર્વ બનાવ ગણાય.
ગાંધીજીના સમગ્ર વ્યક્તિત્વને બહુરંગી ખ્યાલ અન્ય કોઈ ગ્રંથ કરતાં આ રોજનીશીમાં વિશેષ મળે છે. આ ડાયરીઓના લેખક મહાદેવભાઈ સવાયા બોઝવેલનાં શ્રમ, ખંત, ચીવટ, ઉત્સાહ, સંયમ, ભક્તિ, કલા અને સત્યમંડિત નિરૂપણશક્તિ બતાવી જાય છે. એમાં જીવનના સર્વ પ્રશ્નો-રાજકારણ, સાહિત્ય, ઉપવાસ, બ્રહ્મચર્ય, રાક, બાલઉછેર આદિ તમામ-ની મીમાંસા અને ચર્ચા તાત્ત્વિક ભૂમિકા ઉપર સરલતાથી વ્યવહારુ પણે થતી માલૂમ પડે છે. એમાં ગાંધીજીને કેન્દ્રસ્થાને રાખીને લેખકે પિતાના, સરદારના તથા અન્ય અંતેવાસીઓના વ્યક્તિત્વનું મિતદર્શન કરાવ્યું છે; અનેક જાણીતી, અજાણું મહત્ત્વની વ્યક્તિઓનાં સુરેખ, જીવંત રેખાચિત્રો દોર્યા છે અને અનેક યાદગાર ઘટનાઓ, પુસ્તકો, પ્રવૃત્તિઓ, અને સંસ્થાને રસદાયી બોધપ્રદ યથાર્થ પરિચય કરાવ્યો છે. એક રીતે કહીએ તો આ ડાયરીઓ ગાંધીજીના જીવન-વિચારના સર્વસંગ્રહ (Encyclopaedia) જેવી છે. શુદ્ધ અને સંયમપૂત વાણીમાં ગાંધીજીના પત્રો, લખાણના એગ્ય ઉતારાઓ, લેખોભાષણોના અનુવાદ, સૂચને, નેધ વગેરેને અક્ષરશ: સંગ્રહ આ રોજનીશીમાં થયા છે. મહાન વ્યક્તિ સાથેના પોતાના સહવાસની એક એક પળ, તેને એકેએક બોલ, કે વિચાર, અંગત નહિ પણ જગતની સંપત્તિ છે એમ સમજીને મહાદેવભાઈએ તૈધે લખવામાં અદ્દભુત જાગરુકતા, તાટધ્ય અને નિષ્ઠા બતાવ્યાં છે. એમાંની દષ્ટિ અને સામગ્રી ઉપરાંત મોહક, સુશ્લિષ્ટ, સવગુણી, પારદર્શક શૈલી તથા જીવનને અવલકવાને ઉદાર સમભાવી દૃષ્ટિકોણ આ રોજનીશીઓને તથા તેના લેખકને આપણું સાહિત્યમાં ઉચ્ચ પદ અપાવે છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦ એ પ્રમાણે “દિલ્હી ડાયરી” પણ તેમાંના વિષયની ઉદારતા અને ગાંધીજીના વેધક દૃષ્ટિકોણને લીધે પ્રેરક બની છે. એમાં ગાંધીજીની જિંદગીના છેલ્લા મહિનાઓનાં ૧૩૯ પ્રાર્થનાપ્રવચને સંગ્રહાયાં છે. સર્વ પ્રવચનમાંથી હિંસા અને દ્વેષના ભયાનક દાવાનળને પ્રેમ અને શાંતિની શીતળ અમૃતવર્ષાથી ઠારવાને એક માત્ર સૂર ઘોષણા કરતે સંભળાય છે. એમાં રજૂ થયેલા પ્રસંગોની કઈ વ્યવસ્થિત સાંકળ નથી, તેમ છતાં પ્રજા અને રાજ્યસત્તા વચ્ચે જીવંત કડી રૂપ બનતા શહીદ સંત ગાંધીજીનું વ્યક્તિત્વ અને આત્મમંથન પ્રત્યેક પ્રવચનમાંથી ઉપસતું દેખાય છે.
આ પાંચે રોજનીશીઓ ગાંધીજીના ચરિત્રકારને કે ભાવિ ઇતિહાસકારને સાથી વિશેષ પ્રમાણભૂત હકીકત પૂરી પાડનાર દસ્તાવેજ તરીકે અમર રહેશે. પ્રત્યેક સંસ્કારવાંચ્છુ જનને એમાંથી નવી દષ્ટિ અને ચેતના પ્રાપ્ત થશે અને સાહિત્યના અભ્યાસીને રોજનીશીનું સુઘડ કલાત્મક સ્વરૂપ જોવા મળશે.
પત્રસાહિત્ય પત્રોના સાહિત્યને ચરિત્રવિભાગમાં આવરી લેવામાં આવે છે માત્ર એક જ કારણે. અને તે એ કે લેખકના ચરિત્ર માટેની કેટલીક પ્રમાણભૂત સામગ્રી તેના પત્રો પૂરી પાડે છે. બાકી ચરિત્ર કે આત્મકથાના આલેખન માટે શ્રમ, અભ્યાસ, સ્મરણશક્તિ કે દીર્થ ચિંતનની જે અપેક્ષા રહે છે તેની પત્રના સ્વરૂપસર્જન માટે જરૂર નથી. પત્રમાં લેખકહૃદયના ઊંડા ભાવે વિચારે અને સ્વયંભૂ સંવેદને નિખાલસપણે છતાં વેધકતાથી આવિષ્કાર પામેલ હોય તે તે પત્રના સાહિત્ય પૂરતું બસ ગણાશે. એ રીતે પત્રને સાહિત્યપ્રકાર કંઈક સરલ અને વિચાર, ઊર્મિ કે મનોભાવના સીધા કથનને વેગ આપતો હોવાથી ખટમધુરી લીલી દ્રાક્ષના જેવો છે.
આ દાયકામાં પત્રસંગ્રહનાં ચાર પુસ્તકો પ્રગટ થયાં છે. “આશ્રમની બહેનોને” (ગાંધીજી); “શ્રી. નેત્રમણિભાઈને (કાલેલકર); “અખંડાનંદજીના પત્રો અને “લિ. નેહાધીન મેઘાણી'.
આમાંનું પહેલું તેના પત્રલેખક ગાંધીજીની સાફ, સીધી અને પ્રેરક વિચારણા તથા સાદી સરલ લાઘવયુક્ત પારદર્શક ગદ્યશૈલીને કારણે મનનીય છે, તે બીજુ તેના લેખક કાલેલકરની કમગની, રસોગની, સંગીતપ્રેમની, ધાર્મિકતાની અને રાષ્ટ્રસેવાની ભાવનાઓને સ્પષ્ટ રજૂ કરતું હેવાથી વિચારપ્રેરક છે. ત્રીજું વર્ષો સુધી આમ પ્રજાને ધર્મ અને
Page #57
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાડ્મય પર છુિપાત
સાહિત્યાભિમુખ કરવાના હેતુથી જેમણે વિવિધ પ્રવૃત્તિએ આરંભેલી તે શ્રી. અખંડાનંદની શ્વિરનિષ્ઠા, દૃઢ મનેાબળ, વ્યવહારદક્ષતા, લાકસેવાની ભાવના અને સાધુતાનું નિર્દેશન કરે છે, ત્રણે 'પુસ્તકમાં સધરાયેલા પા તેમના કર્તાઓની ધાર્મિકતા, સ્વદેશપ્રીતિ અને સાત્ત્વિક જીવનદૃષ્ટિની છાપ પાડે છે.
પણ એ પત્રસંગ્રહાથી વધુ ઉષ્માવાન, હૃદયના આગળા ખુલ્લા મૂકીને મનેાલાવાને મુક્તપણે વહેવા દેતા સ્વ. મેધાણીના પત્રો છે. સાહિત્ય તેમ જ ઇતર ક્ષેત્રોમાંની જુદી જુદી ૩૮ વ્યક્તિએ ઉપર મેઘાણીએ લખેલા કુલ્લે ૧૭૬ પત્રોને આ સંગ્રહ તેના લેખકની નિર્વ્યાજ, ઉષ્માભરી, અનૌપચારિક, ઉત્કટ લાગણીયુક્ત શૈલીને કારણે મનેાહર બન્યા છે. ઉપરના પત્રસંગ્રહોમાં વિચારાનાં ફેારાં ફરફરે છે, તે આ સંગ્રહમાં ઊર્મિઓના, મનેાલાવાના ધેાધ વહે છે. બધા પત્રો પૈકી ઉમાશંકર અને ધનસુખલાલ ઉપરના મેઘાણીના પત્રો શ્રેષ્ઠ કાટિના છે. એમાં તેમના ગૃહજીવનની વિષમતાની કરુણ છાયા અને સઅેક મેધાણીના સુ¥ામળ દિલની આતા પ્રગટે છે. એ પત્રોમાં આત્મદર્શનનેા તલસાટ, અંગત નિ`ળતાના નિખાલસ એકરાર,સૌજન્યનીતરતા મધુર સમભાવ, તેમ જ નમ્રતા અને ઉદારતા સમેત મેધાણીનું સંસ્કારસંપન્ન વ્યક્તિત્વ · ઝગારા મારે છે. આ પત્રા મેધાણીના સાહિત્યિક વ્યક્તિત્વના અભ્યાસીને તેમ તેના ભાવિ *ચરિત્રકારને અવશ્ય ઉપયેાગી નીવડશે. કલાપી, કાન્ત, બાલાશંકર અને સાગરના પત્રોની જેમ મેધાણીના પત્રો પણ તેમાંના સુઢ્ઢામળ અને રસાત્મક નિરૂપણને લીધે ગુજરાતી પત્રસાહિત્યમાં અનેાખી ભાત પાડે છે. આમ એકદરે, આ દાયકાના ચરિત્રવિભાગ તેના ઉપ-પ્રકારાના વિવિધ સફળ પ્રયાગા, પ્રેરક ચિંતન-સામગ્રી અને રસાળ શૈલીને કારણે અગાઉના કાઈ પણુ દાયકાથી સમૃદ્ધ છે. · મહાદેવસાઇની ડાયરી ’ ભા. ૧, આધે રસ્તે, ' ‘ જીવનનું ‘પાઢ ’, સરદાર વલ્લભભાઈ' અને ‘ લિ. સ્નેહાધીન મેઘાણી' જેવી વિશિષ્ટ કૃતિ ગયા દાયકાના ગુજરાતી ચરિતસાહિત્યના ભૂષણુરૂપ ગણાય તેવી કૃતિઓ છે. નિબંધેા અને વ્યાખ્યાના
:
6
.
નિબંધના સાહિત્યને જે સ્વરૂપવિકાસ અંગ્રેજી સાહિત્યમાં થયેલા જોવા મળે છે તે કદાચ જગતની બીજી કાઈ ભાષામાં નહિ મળે. આપણે ત્યાં નિબંધને સાહિત્યના ગંભીર અને શાસ્ત્રીય વિષયેાની ચર્ચાના વાહન
Page #58
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુત્ર ૧૦ તરીકે જ ઉપયોગમાં લેવામાં આવે છે. અને વિષયની ગંભીરપણે મુદ્દાસર ચર્ચા કરતા સુશ્લિષ્ટ લેખે તે નિબંધ અને અગંભીર પણે સ્વૈરવિહારી રજૂઆત કરનાર હળવા લેખે તે નિબંધિકા એવો ખ્યાલ સામાન્યતઃ પ્રવર્તે છે.
સગવડને ખાતર નિબંધિકાનું સાહિત્ય હાસ્યસાહિત્યના વિભાગમાં અવકાશે. નિબંધસાહિત્યને અત્ર તપાસીશું. એમ તે વિવેચનના અને ચિંતનસાહિત્યના લેખસંગ્રહોને અહીં જ સ્થાન મળવું જોઈએ, કારણકે એ સર્વ લેનું સ્વરૂપ નિબંધાત્મક છે, પણ વિષયદષ્ટિએ એ બધા તે તે વિભાગોમાં ઉલ્લેખાતા હોવાથી અહીં તે અન્ય કોઈ વિભાગોમાં સ્થાન પામી ન શકે તેવા જ લેખસંગ્રહને નિર્દેશીશું.
એવો પુસ્તકમાં “વાતાયન' (ધૂમકેતુ); “ ઊર્મિ અને વિચાર” તથા “ ગુલાબ અને કંટક' (રમણલાલ દેસાઈ); “કલાચિંતન' (રવિશંકર રાવળ; “કુટિંલગ” મંડળ ૧-૨ ( શાન્તિલાલ ઠાકર ) આદિ ખાસ ઉલ્લેખપાત્ર છે. આનંદશંકરનું “વિચારમાધુરી ” તે સૌમાં શ્રેષ્ઠ છે.
વિચારમાધુરી 'ના નિબંધ મુખ્યત્વે સાહિત્ય કેળવણી, સમાજ અને રાષ્ટ્રચિંતનના છે. એ સૌમાં મનુષ્યહિતચિંતક, શિક્ષણપ્રેમી, વિચારશીલ પંડિત આનંદશંકરના ઉદાત્ત વ્યક્તિત્વને એકધારે પરિચય થાય છે. એનું સ્વરૂપ વિચારબદ્ધ, સુસંકલિત અને સઘન છે. એની વિચારધારા, તેજોમય, સુસ્પષ્ટ અને વિષયના ઊંડા અભિનિવેશવાળી છે. એનું ગદ્ય સૌમ્યમધુર,
ક્યાંક મલમલની ઝીણી ફરફરવાળું, ક્યાંક કિનખાબના રેશમની સુઘટ્ટતાવાળું પણ સર્વત્ર એકસરખું પ્રસન્નગંભીર છે. “વાતાયન'ના નિબંધ જેટલા સુશ્લિષ્ટ નથી તેટલા પ્રેરક વિચારતણખાની માળા જેવા છે. એમાં ક્યાંક લાગણીનાં સ્પંદને છે, ક્યાંક તરંગના કે અપક્વ વિચારોના બુટ્ટા છે, ક્યાંક આકર્ષક શબ્દરમત છે. ધૂમકેતુનું ગદ્ય ઘણુંખરું સૂત્રાત્મક શૈલીનું સચોટ લાઘવ બતાવે છે. રમણલાલના નિબંધોમાં આકર્ષક વિચારે, મીઠા કટાક્ષ અને મનનીષ ચિંતનકણિકાઓ આમ તેમ વેરાયેલ મળી
હે છે. તેમના નિબંધેનું સ્વરૂપ વિશખલ અને પિત પાતળું છે, પણ તેમાં રમણલાલની લાક્ષણિકતાનાં ભારેભાર દર્શન થાય છે. પ્રસાદ, રસિકતા, નાગરી સુઘડતા અને મીઠાશ જેમ રમશુલાલની ગદ્યશૈલીનાં લક્ષણ છે તેમ હમણાં હમણુમાં સારી પેઠે ધારદાર બનેલા કટાક્ષપ્રયોગો પણ તેમની આગળ પડતી ખાસિયત બનેલ છે. રા. રવિશંકર રાવળના નિબંધો
Page #59
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાડ્મય પર દષ્ટિપાત
શિક્ષણ અને કલાવિષયક છે. કલાનુ રહસ્ય, તેનુ' મહત્ત્વ, શિક્ષણમાં અને જીવનમાં તેનું સ્થાન, વગેરે ખાખતા વિશે તેમણે સરલતાથી સાફ શબ્દોમાં પેાતાની વિચારણા વ્યક્ત કરી છે. એમાંના ઘણા મુદ્દાએ મનનીય છે. રવિભાઈનું ગદ્ય આદશ કલાશિક્ષકનુ હાવાથી તેમાં કલાકારની કુમાશ અને શિક્ષકની પ્રેરકતાનેા સરસ સમન્વય થયેલા છે. · સ્ફુલિંગ ’ના કર્તા શ્રી. શાન્તિલાલ ઠાકર ફિલ્મ્સફીના અભ્યાસી, શ્રી અરવિંદના પૂજક અને છટાદાર વ્યાખ્યાતા છે. તેમના નિબંધામાં એ ત્રણે લક્ષા સારા પ્રમાણમાં વરતાય છે. ધર્મ, ભક્તિ અને તત્ત્વજ્ઞાનવિષયક ચિંતન, સુશ્લિષ્ટ નિબંધાત્મક આલેખન અને સંસ્કૃતમય છતાં વ્યાખ્યાતાની છટાવાળું ગદ્ય શ્રી. શાન્તિલાલનાં બને પુસ્તકાને શેાભાવે છે.
"
એક જ વ્યાખ્યાતાનાં ભાષણાનાં પુસ્તકા લેખે આ દાયકાનાં ખે પુસ્તકા ખાસ ધ્યાન ખેંચે છે. ૧. સરદાર વલ્લભભાઈનાં ભાષા ' તથા ૨. ‘ શિક્ષણ અને સંસ્કૃતિ ( રવિશંકર મહારાજ ). તે વક્તાએ લાકનેતા દેશભક્ત અને ત્યાગી છે. અગાધ વિદ્વત્તાએ કે ઊંડા શાસ્ત્રજ્ઞાને નહિ, પણ લેાકાની યાતનાએ તે દુઃખેા જાણીને લેાકેાના અંતરમાં સ્થાન પામવાની તેમની અદ્દભુત શક્તિને લીધે, અન્યાયેા અને જુમેા સામે ઝઝૂમવાની એમની અપાર હિંમતને લીધે તથા એમના વિપુલ અનુભવબળને લીધે બન્નેનાં વ્યાખ્યાતામાં તેજના તણખા વેરતી સીધી સાદી હૃદય સોંસરી ઊતરી જાય તેવી વિચારશ્રેણી રહેલી છે. આમવર્ગના જ એક માણસ તરીકે ઊભા રહી તેમની જ ભાષા ખેાલતા, તેમની જ ધરગથ્થુ છતાં સમ` ખેાલીમાં ગહન રાજકીય અને સામાજિક પ્રશ્નો સરલતાથી ઊકેલી બતાવતા, તેમને યેાગ્ય માર્ગોંદન કરાવતા અને અમુક આવશ્યક કર્તવ્ય માટે તેમને ઉત્તેજતા આ વ્યાખ્યાતાએ તેમના મૃદુલેાખડી વ્યક્તિત્વથી, વક્તવ્ય રજૂ કરવાની તેમની સરલ છતાં વિશિષ્ટ પદ્ધતિથી અને જનતા તરફ ઊભરાતા અપાર પ્રેમથી સૌનેા તત્કાળ આદર મેળવી લે છે. સૌમ્ય અને પ્રેમાળ લેાકશિક્ષક તરીકે રવિશ કર મહારાજનું તે ગુલામી, અન્યાય, જૂઠ અને સીતમ સામે સૂતા લાકને જગાડી તૈયાર કરનાર સેનાપતિ તરીકે સરદારનું વ્યક્તિત્વ તેમનાં ભાષણાને પાને પાને નીતરે છે. એમાંય સરદારની ઠંડી તાકાત, તેમના તીખા કટાક્ષ, તેમનુ વેધક હાસ્ય, તેમના સ`મિત ઉત્સાહ ને બલિષ્ટ આવેશ તે ગુજરાતી ભાષાનુ ખરેખરું જોમ પ્રગટ કરે છે.
વ્યાખ્યાતાના અન્ય ગ્રંથા— વાર્ષિક વ્યાખ્યાને ' ( ગુજ. વિદ્યાસભા ), ‘ સાહિત્ય પરિષદ પ્રમુખાનાં ભાષણા, ( ભારતીય વિદ્યાભવન,
४७
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૮
•
ગ્રંથ અને ગ્રંથકાર પુ૧૦ મુંબઈ), “શતાબ્દી વ્યાખ્યાનમાળા' (ગુ. વિદ્યાસભા ), “ગ્રંથકાર સંમેલન વ્યાખ્યાનમાળા (પ્રાગ્ય વિદ્યામંદિર, વડોદરા) અને વસનજી માધવજી ઠક્કર વ્યાખ્યાનસંગ્રહ (મુંબઈ યુનિવર્સિટી) તેમના વિવિધ વ્યાખ્યાતાઓની વિદ્વત્તા અને વિષયના ઊંડા શાસ્ત્રજ્ઞાને અભ્યાસગ્ય બન્યા છે.
હાસ્યસાહિત્ય
નિબંધિકા બીજા પ્રતિની સરખામણીમાં ઊભો રહી શકે તેટલો હાસ્યરસિક સાહિત્યને ફાલ આ દાયકે આપણે ત્યાં ઊતર્યો છે. દેશહીન, કટાક્ષથી મુક્ત એવા નિર્દોષ હાસ્યની શરૂઆત આગલા દાયકાથી થઈ છે, જેમાં શ્રી.
તીન્દ્ર દવે, શ્રી. ધનસુખલાલ મહેતા તથા કાકા કાલેલકરને ફાળે મટે છે. અગાઉના વખતમાં પાત્ર કે પ્રસંગને અનુલક્ષીને વિનોદ કરવામાં આવતા અને તેમાં અમુક વ્યક્તિને કે વર્ગને લક્ષ્ય બનાવવામાં આવતો. હવે હાસ્ય વૃત્તિનિષ્ઠ બન્યું છે, અર્થાત્ એનું સ્વરૂપ વિશાળ બન્યું છે. મનુષ્યને ઉતારી પાડ્યા વિના, તેના પ્રત્યે સહાનુભૂતિ બતાવીને આધુનિક હાસ્યકાર તેની વૃત્તિને જ દોષ બતાવે છે. આમ થતાં હાસ્યમાંથી અતિશયોક્તિનું તત્ત્વ ઘણે અંશે નાબૂદ થવા લાગ્યું છે. કૃત્રિમતા કે અસ્વાભાવિક્તા પણ એમાંથી ઓસરવા લાગી છે અને શુદ્ધ જીવનલક્ષી હાસ્યને ઉદ્દભવ થયો છે. શ્રી જ્યોતીન્દ્ર અને કાકાસાહેબનાં લખાણોમાં આ શુદ્ધ જીવનલક્ષી હાસ્યતત્ત્વ મોટા પ્રમાણમાં માલુમ પડે છે. એમની રસિક ચાર્ટુક્તિઓ અને વિદપ્રધાન પ્રસંગે વાંચતાં આપણને તે સંભવિત લાગશે એટલું જ નહિ, આપણું સ્વાભાવિક વર્તનમાંથી કે જિંદા જીવનમાંથી જ એ પ્રસંગ ઉપાડ્યા હેય એમ જણાશે. નિખાલસ અને વિશાળ માનવભાવથી ભરપૂર આવું અહિંસક વિદિનું તત્ત્વ આ દાયકે એકંદરે સારા પ્રમાણમાં જોવા મળે છે, તેથી કહી શકાય કે આપણે ત્યાં હાસ્યલેખનનું ધોરણ ઉત્તરોત્તર ઊંચું ચડતું જાય છે.
હાસ્યરસિક કવિતા તથા નવલકથા વિશે તે તે વિભાગોમાં કહેવાઈ ગયું છે તેથી હવે વિધલક્ષી નિબંધસાહિત્યની જ સમીક્ષા અત્ર લક્ષ્ય છે.
ગયા દાયકાના જાણીતા હાસ્યલેખકો ધનસુખલાલ, રામનારાયણ, ગગનવિહારી મહેતા, ઓલિયા જોષી, જાગીરદાર, જદુરાય અંધેડિયા, પ્ર. દૂરકાળ આદિની કૃતિઓ આ દાયકે આપણને મળી નથી, પણ જતીન્દ્ર, મસ્તફકીર, નવલરામ ત્રિવેદી, વિજયરાય, બેકાર આદિએ
Page #61
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વામય પર દષ્ટિપાત
મૂળરાજ
પેાતાના ફાળા આ દાયકે એ વિભાગમાં ઠીક નોંધાવ્યા છે. અંજારિયા, મુનિકુમાર ભટ્ટ, ચિનુભાઈ પટવા, નકાર, વર્મા-પરમાર, અગ્નિકુમાર વગેરે નવા લેખકા પણ તેમાં સામેલ થયા છે.
LE
"
.
(
એ સૌમાં હાસ્યના રધર લેખક યાતીન્દ્ર દવે છે. એમણે ‘ર’ગતરંગ' ભાગ ૨-૩-૪, · પાનનાં ખીડાં', ‘ અલ્પાત્માનું આત્મપુરાણુ ' અને ‘બીરબલ અને ખીજાં' મળીને કુલ છ પુસ્તકા આપ્યાં છે. પ્રથમ પાંચ મૌલિક છે, છઠ્ઠુ સપાદન છે. એ પાંચેમાં રંગતરંગ ’ને ચેાથેા ભાગ મુંબઈ વિષયક હાસ્યસામગ્રીથી ભરપૂર છે અને બાકીના ચારેમાં ‘સાચા ધમ 'થી માંડીને ‘ગ`ભ ' સુધીના, ‘ જીભ ’થી માંડીને · માંગી ' સુધીનાને ‘ ચૂંટણી 'થી માંડીને ‘ હું ’ના જગદ્વ્યાપી પ્રસ્તાર સુધીના ભિન્ન ભિન્ન કાટિના વિષયે લેખકની રમુજના વિષય બન્યા છે. જ્યાતીન્દ્રના લેખા નિબંધાકારી છે અને મૌલિક અણીશુદ્ધ નિબંધિકાનું સ્વરૂપ કલાત્મકપણે જાળવી રાખે છે. એમનું તર્કશાસ્ત્ર, સાહિત્ય, વેદાન્ત વગેરેની જાણકારી અને માનવસ્વભાવ તથા જગતમાં અન્યે જતી રાજિંદી ઘટનાઓનું વિશેષ જ્ઞાન તેમના હાસ્યને સક્ષ્મ સચેટ, સ્વાભાવિક તે મધુર બનાવે છે. પ્રચલિત માન્યતા કરતાં તેથી અવળીને જ પ્રમાણવું, વસ્તુમાં રહેલા હાસ્યાસ્પદ અંશને ઉપાડી તેને અતિરેકથી વિનેાદ કરવા, એમ કરતાં જાણી જોઈ ને વિષયાંતર થવા દેવું, પેાતાની જાતનેા પણ વ્યાજસ્તુતિ વગેરે દ્વારા ઉપહાસ કરવા, ભગ્ય ગંભીર વિષયેાના માને કે મનુષ્યનો વૃત્તિવનમાં રહેલી સામાન્ય નબળાઈના મધુર વિનેદ કરવા એ શ્રી. જ્યાતીન્દ્રના હાસ્યની કેટલીક ખાસ તરી આવે તેવી ખાસિયતા છે. તેમનું હાસ્ય મલક્ષી અને બુદ્ધિલક્ષી છે; તેમાં સ્થૂળ અને સૂક્ષ્મ બંને તત્ત્વા રહેલાં છે. સ્થૂળ સતે ખડખડાટ હસાવે છે તે સૂક્ષ્મ અધિકારીગમ્ય રહે છે. હાજરમુદ્ધિ, શબ્દપ્રભુત્વ અને ચતુરાઈમાં દીપતી નિસ દત્ત હાસ્યશક્તિ તેમને સદાય વરેલી છે. હાસ્યની આટલી સમથ શક્તિ ગુજરાતના અન્ય કાઈ લેખકમાં હાલ જોવા નહિ મળતી હાવાથી આ દાયકાના શ્રેષ્ઠ હાસ્યકાર તરીકે શ્રી. ન્યાતીન્દ્ર સહેજે માન પામે છે.
મસ્તફકીરે એક પુસ્તક ‘ મસ્તફકીરનાં હાસ્યરત્ના 'ને નામે આ દાયકે આપ્યું છે, પણ તેમનાં શરૂઆતનાં પુસ્તકામાં જે અનાયાસસિદ્ધ હાસ્ય જોવા મળે છે તે આ પુસ્તકમાં જણાતું નથી. તેમનાં લખાણનાં હેતુ
ગ્રં. ૭
Page #62
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦ અને યુક્તિ તેમાં ઉઘાડાં પડી જતાં હોવાથી તેમાંનું હાસ્ય ધારી અસર ઉપજાવતું નથી.
રા. વિજયરાયની બાબતમાં એમ કહી શકાશે નહિ, “નાજુક સવારી માં તેમણે જે શક્તિ બતાવી હતી તે “ઊડતાં પાન'માં ટકાવી રાખી છે. જો કે સંગ્રહની બધી નિબંધિકાઓ એકસરખી અગંભીર કે અસરકારક નથી, પણ લેખકના બહુધા આત્મલક્ષી નૈસર્ગિક વિનોદથી ઘણીખરી નિબંધિકાઓ રચક અને હળવી બની છે. નિબંધિકારમાં તેના લેખકના સમદશી વિનોદી વ્યક્તિત્વનું પ્રતિબિંબ ઝિલાવું જોઈએ એની પ્રતીતિ “ઊડતાં પાન કરાવે છે. એ વિનોદ જીવનલક્ષી હોવા કરતાં સાહિત્યલક્ષી વધુ છે; મર્માળા છે પણ આત્મલીન હોવાથી તે સર્વપશ બનતું નથી.
સ્વ. નવલરામકૃત “પરિહાસ'નું લખાણ પણ નિબંધકારી છે. તેમના આગલા સંગ્રહ “કેતકીનાં પુષ્પો'ની જેમ અહીં પણ કેળવણી, લગ્ન, સાહિત્ય, ધર્મ, રાજકારણ આદિ ક્ષેત્રોના વિવિધ પ્રશ્નો ઉપર કર્તાએ રમુજને, ઉપહાસને, કટાક્ષને પાર્થપ્રકાશ ફેંકે છે. એ બાબતમાં એમનું સ્થાન “વૈરવિહારી'ની સાથે ગણાશે. * નવીન લેખમાં સૌથી આગળ તરી આવે છે બે—એક તે કવિ કાન્તના પુત્ર મુનિ કુમાર અને બીજા તેમનાથી વધુ જાણીતા બનેલા મૂળરાજ અંજારિયા. મુનિ કુમારના “ઠંડે પહેરેમાં પાંચ સિવાયના બાકીના લેખે નિબંધિકાના સ્વરૂપના છે. એમાં રમુજી ટૂચકા છે, હાસ્યક્ષમ પ્રસંગે છે, શબ્દની રમત છે અને કટાક્ષાત્મક લખાણો છે. પરંતુ તેમનું હાસ્ય આયાસસિદ્ધ અને સસ્તું છે. તેમાં સ્વાભાવિકતા અને લક્ષ્યધિત્વના ગુણ ઓછા છે. શ્રી. મૂળરાજ અંજારિયાના ‘ટૂંકું ને ટચ” અને “લાકડાના લાડુ'માં નર્મમર્મયુક્ત ટૂચકાઓ અને કૌતુકપ્રેરક રમુજી વાતને સંગ્રહ મળે છે. જીવનના સર્વ પ્રદેશમાંથી લેખકે હાસ્યપોષક વિગતે માહિતી અને ચતુરાઈભરી રમત એકઠી કરી છે. તેમનું હાસ્ય એકધારું પ્રવાહી નથી. ક્યાંક તેનું નિશાન ખાલી જાય છે, ક્યાંક તે પ્રાકૃત બની જાય છે, કયાંક ઉછીનું લીધેલું લાગે છે તે ક્યાંક દંશદોષથી ખરડાય છે. તેમની શક્તિને ખરો કયાસ તે તેઓ જ્યારે લાંબી નિબંધિકાઓ લખે ત્યારે જ નીકળે.
એક ઉત્સાહી જુવાન હાસ્યકાર “નકીર'નું નામ આ દાયકે તેમણે આપેલા ચાર સંગ્રહો-“હાસ્યવિલ્હેલ,” “જીવનહાસ્ય,' “અફલાતૂન ભેજ”
Page #63
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાય પર દષ્ટિપાત અને “નવરાની નેધ ને લીધે ગણાવવું જોઈએ. એ ચારે સંગ્રહમાં કેટલીક વાર્તાઓ છે, કેટલાક સ્કેચે છે અને કેટલાક લેખ છે. નકીરમાં હાસ્યક્ષમ પ્રસંગોને પારખવાની અને મનુષ્યસ્વભાવને અવલોકવાની દૃષ્ટિ છે; પણ તેમાંના મર્મને ખીલવવાની શક્તિ ઓછી જણાય છે. ચિનુભાઈ પટવાએ “નવોઢા માં હાસ્યરસિક વાર્તાઓને સંગ્રહ આપ્યો છે. આ લેખકમાં નિસર્ગદત્ત વિનોદશક્તિનાં બીજ દેખાય છે. તેમની હાસ્યદૃષ્ટિ વૃત્તિલક્ષી અને પ્રફુલ છે. પ્રસંગના મર્મને તે સચોટતાથી ખીલવી જાણે છે.
આ ઉપરાંત દૈનિક પત્રોમાં અઠવાડિયે એક વાર નાનામોટા બનાવો ઉપર કરેલાં કટાક્ષલખાણોના સંગ્રહ “શાણો’ નામધારી મેધાણીએ “સાંબેલાના સૂરમાં, ફિલસૂફ' તખલ્લુસધારી ચિનુભાઈ પટવાએ “પાનસોપારી માં અને વર્મા-પરમારે “અમથી ડોશીની અવળવાણુ માં આવ્યા છે. તેમાંથી પહેલા ને છેલ્લામાં ટાઢી કટાક્ષકલાનું અને બીજામાં સક્ષમ હાસ્યવૃત્તિનું દર્શન થાય છે.
પ્રવાસ જે ગુજરાતમાં સેંકડો માણસે વેપાર, ધર્મયાત્રા કે સહેલગાહ નિમિત્તે હજાર ગાઉના પ્રવાસે વારંવાર ખેડે છે, તે પ્રાન્તમાં પ્રવાસનું સાહિત્ય કેમ અલ્પ લખાતું હશે? પ્રવાસછવનના વિધવિધ રોમાંચક અનુભવો કે સૃષ્ટિના રમ્ય પ્રદેશ ગુજરાતી ભાઈબહેનની ચેતનાને ધુણાવી નહિ શકતા હોય કે તેમની પાસે તેને અવલકવાની સૌન્દર્યદષ્ટિ કે આલેખવાની શક્તિ નહિ હોય ? આપણું લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકારમાંથી પણ કાકાસાહેબ કે સુંદરમ સિવાયના અન્ય પ્રવાસખીને તરફથી આ ક્ષેત્રમાં કેટલું લગીર મળ્યું છે !
આ દાયકાના પ્રવાસસાહિત્યમાં શ્રી. સુંદરમનું “દક્ષિણાયન ', રા. મુનશીનું “મારી બિનજવાબદાર કહાણી, શ્રી. રવિશંકર રાવળનું “કલાકારની સંસ્કારયાત્રા અને ડો. હરિપ્રસાદ દેસાઈનું “રસદર્શન’ ખાસ નોંધપાત્ર છે. - “દક્ષિણાયન માં સુંદરમની સૌન્દર્યદૃષ્ટિ, સંવેદનશીલતા અને ચિંતનપરાયણતાને આવિષ્કાર જોવા મળે છે, તે મારી બિનજવાબદાર કહાણી'માં મુનશીની ઉત્કટ કલ્પનાશીલતા, જીવનરસ માણતી અનુભવતાઝગી અને રસળતી શૈલી પ્રતીત થાય છે. દક્ષિણાયન માં દક્ષિણની ધાર્મિકતા, સંસ્કારિતા અને શિલ્પકલાને પરિચય કરાવાયો છે, તે “બિનજવાબદાર
Page #64
--------------------------------------------------------------------------
________________
પર
ગ્રંથ અને ગ્રંથકાર પુ॰૧૦
કહાણી 'માં ગ્રીસ અને રામના ઇતિહાસપ્રસંગાનુ, જાતજાતની વ્યક્તિએાનુ` અને વિવિધ ભૌગાલિક પ્રદેશાનુ` સજીવ ચિત્ર આલેખાયેલ છે. ‘ દક્ષિણાયન ’ સળંગ શૃંખલાબદ્ધ પ્રવાસપુસ્તક છે, તે ‘મારી બિનજવાબદાર કહાણી ’ રમતિયાળ શૈલીમાં છૂટાં છૂટાં સ્મરણચિત્રો આલેખતું પુસ્તક છે. એક ચિંતનશીલ ગંભીર પ્રકૃતિના કવિનું પુસ્તક છે તેા ખીજુ ર'ગદી' નવલકથાકારનુ' છે. અને આ દાયકાનાં ઉત્તમ પ્રવાસપુસ્તકા છે.
બાકીનાં એમાંથી પહેલું એક કલાકારે કરેલા જાપાન અને ઉત્તર હિંદના પ્રવાસ આલેખે છે. લેખકે જોયેલાં સ્થળાનાં અને તેમને ભેટેલી વ્યક્તિનાં તેમાં સુરેખ ચિત્રો છે. એમાં સ્ટીમરની સગવડે અને પાસપોટ મેળવવાના વિધિ વિશે માહિતી પણ છે. એ પુસ્તકનુ માટું આકષ ણુ તેમાં મૂકેલા ચિત્રો, સ્કેચેા તે ફોટોગ્રાફા છે. પ્રવાસ દરમિયાન તેના લેખકની દષ્ટ અને વૃત્તિ કલાકારની રહી છે તે તેના આલેખનમાં તેમને હેતુ શિક્ષણ અને સંસ્કારના રહ્યો છે. શ્રી રવિશંકર રાવળની માફક મનુષ્ય અને કુદરતની કલાઓએ ‘રસદન 'ના લેખકને પણ્ડક્ષાવ્યા છે. આ પુસ્તકમાં ભારતીય પ્રકૃતિશ્રી અને કલાસમૃદ્ધિ ઉપરાંત સૌન્દરસિક, દેશભકત, શ્રદ્ધાળુ, નિખાલસ, વિનાદી અને સુબ્રડ નારિક ડૉ. હરિપ્રસાદના વ્યક્તિત્વને પરિચય પણ મળે છે. આ વિભાગનાં અન્ય પુસ્તામાં કાકાસાહેબનું ‘ લેાકમાતા ' દરોક નવીન પ્રકરણેાના ઉમેશ પામ્યું છે તેથી ઉલ્લેખપાત્ર છે. દેશની નદીએનાં સૌન્દર્યું–માહાત્મ્ય અને તેને અનુષ ંગે લેખકે પુરસ્કારેલી ધર્મ-સસ્કૃતિની ભાવના તાઝગીદાર નવીન કલ્પનાઓથી મંડિત કવિની વાળુીમાં તેમાં અભિવ્યક્તિ પામ્યાં છે. એવું ખીજું પુસ્તક એમની જ પાસેથી દીક્ષા લઈ ને શિવશંકર પ્રા. શુકલે ગુજરાતની લોકમાતાઓ-૧ ' લખ્યું છે. ગુજરાતની નદીઓ વિશેના તેમના ભાગેલિક અને સામાજિક દૃષ્ટિક રસિક કલ્પનાચારુ શૈલીમાં પ્રગટ થયા છે. એ જ લેખકે સિરતાથી સાગર'માં ગાંધીજીએ કરેલી ઐતિહાસિક દાંડીકૂચની રેશમાંચક કથા જીવત અને પ્રમાણભૂત પ્રસંગચિત્રો દ્વારા સરસ શૈલીમાં આલેખી છે.
'
આ ઉપરાંત શ્રી. શાન્તિલાલ જી. ગાંધીએ દક્ષિણ ભારતનાં તીર્થં ધામેા 'થી, શ્રી. રમેશનાથ ગૈતમે ‘ ભ્રમણ ’થી, શ્રી. ચુનીલાલ મડિયાએ · જય ગિરનાર ’થી, શ્રી. મૂળશ'કર ભટ્ટે ધરતીને મથાળે 'થી, હિંમતલાલ તુનારાએ ‘ હિમાલયનુ પટન 'થી અને સારાભાઇ ચેાકસીએ ‘ભારતદુન 'થી આપણા પ્રવાસસાહિત્યનું જમાખાતું વધાર્યુ છે.
'
Page #65
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાડ્મય પર દષ્ટિપાત
વિવેચન આ દાયકાને વિવેચનકાલ આગલા દાયકાની અપેક્ષાએ વિશેષ સત્વપૂર્ણ છે. ગુજરાતમાં વિવેચનનું સાહિત્ય છેલ્લાં પચીસ વરસોમાં ઠીક ઠીક ફાલ્યું ગણાય. ગ્રંથપ્રકાશનની દષ્ટિએ જોઈએ તો આપણું ઉચ્ચ કોટિના ઘણા ખરા વિવેચનગ્રંથે આ ગાળામાં જ પ્રકાશન પામ્યા છે. એમાંના કેટલાકની બે બે કે ત્રણ ત્રણ આવૃત્તિઓ થવા પામી છે એ બિના જ્યાં કાવ્ય, નાટક કે ચરિત્રની જ માંડ માંડ એટલી આવૃત્તિઓ થવા જાય છે એવા ગુજરાતમાં ઓછી આનંદદાયક નથી–જો કે તેને ઘણોખરો યશ બી. એ. અને એમ. એ. માં ગુજરાતી મુખ્ય વિષય લેનાર વિદ્યાર્થીઆલમને જવો ઘટે.
આ દાયકે આનંદશંકરથી ઉમાશંકર સુધીના વિદ્વાનોનો આ વિભાગમાં ફાળો નોંધાયો છે. તેમાં માત્ર ગ્રંથાવલોકનનું જ સાહિત્ય નથી. ઊંચી શિષ્ટ કૃતિઓ અને ગ્રંથકારો વિશે અભ્યાસલેખ, સાહિત્ય અને વિવેચનના તાવિક સિદ્ધાંતોની વિચારણા તથા તેના કૂટ પ્રશ્નોની છણાવટ, સાહિત્યનાં ઘડતરબળે ને તેની શાખાઓના વિકાસની સમીક્ષા–એ સર્વને પણ એમાં સમાવેશ થાય છે. વિવેચનનું અગત્યનું કાર્ય સહદને સાહિત્યમાં રહેલાં સૌન્દર્યતો પ્રત્યક્ષ કરી આપી તેનું આસ્વાદન કરાવવાનું છે અને તે કર્તવ્ય આ દાયકાના આપણું ઘણુંખરા વિવેચકેએ નિષ્ઠાથી અને કુશળતાથી બજાવ્યું છે.
વિવેચનદષ્ટિ અને શૈલી પરત્વે પંડિતયુગના વિવેચકાથી નવીન યુગના વિવેચકે જુદા તરી આવે છે. પંડિતયુગના વિવેચકાની દૃષ્ટિ તેમના બધમતથી મર્યાદિત છતાં શાસ્ત્રીયતાને જાળવવામાં રાચતી. તેમની આલોચનાની પદ્ધતિ ઘણે અંશે પૃથક્કરણાત્મક હતી અને ઘણુંખરું વિષયાંતરમાં સરી જતી. સાહિત્યનાં પરંપરાપ્રાપ્ત અને રૂઢ બની ચૂકેલાં સ્વરૂપ, અંગ, તેમજ શૈલી, સાહિત્યિક ભાવનાઓ આદિમાં તેમને વિશેષ રસ હતો. તેમની વિવેચનશક્તિ પાંડિત્યપ્રેરિત અને દીર્ઘસૂત્રી હતી. પરંતુ નવીન વિવેચકેની દષ્ટિ શાસ્ત્રીયતાને તેડવામાં નહિ, છતાં અરૂઢ સૌન્દર્યરીતિઓને સમભાવથી અપનાવવામાં કૃતકૃત્ય થાય છે, કેટલાક બદ્ધમતો તે તેમને પણ નડતા હશે, પણ તે તેમના દર્શન આડે બહુ આવતા જણાતા નથી. તેમની વિવેચનપદ્ધતિ પૃથક્કરણાત્મક તેટલી જ સંજનાત્મક (synthetic), સારગ્રાહી, મુખ્ય તત્ત્વને લક્ષનારી અને સુશ્લિષ્ટ નિબંધનું સ્વરૂપ જાળવનારી
Page #66
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પૂ. ૧૦ છે. નવી-ની નિરૂપણરીતિ રસળતી, આવેશવિહેણી ને પ્રસાદ અને વિવેકના ગુણોથી યુક્ત છે. આમ છતાં પંડિતેનું વિવેચન વિષયની સર્વાગી છણાવટ કરી તેના હાર્દમાં ઊંડું ખેંચી જતું; નવીનમાં એટલું તલગામી બળ કવચિત જ જોવા મળે છે.
આ ગાળામાં પ્રકાશન પામેલા વિવેચનસંગ્રહોમાંના ઘણાખરા લેખે આગલા દાયકામાં કે કદાચ એથી ય વહેલા લખાયા હશે. પણ સુવિધાને ખાતર અહીં જે દાયકામાં પુસ્તક પ્રકાશન પામ્યું એ દાયકાની સંપત્તિ તરીકે તેને આવકારવામાં આવેલ છે.
એ દષ્ટિએ જોતાં આચાર્ય આનંદશંકર ધ્રુવ ( “સાહિત્યવિચાર', દિગ્દર્શન ” ), દી. બ. કેશવલાલ ધ્રુવ ( “સાહિત્ય અને વિવેચન ભા. ૨”), પ્ર. બળવંતરાય ઠાકર (“નવીન કવિતા વિશે વ્યાખ્યાનો', " વિવિધ વ્યાખ્યાન-ગુચ્છ ૧-૨), શ્રી. કનૈયાલાલ મુનશી ( “આદિવચને '), પ્રે. મોહનલાલ દવે ( “વિવેચન', “રસપાન”), પૃ. અતિસુખશંકર ત્રિવેદી (“આત્મવિનોદ”), પૃ. રામનારાયણ પાઠક ( “આલોચના'), શ્રી. વિશ્વનાથ ભટ્ટ (દૈનિકષરેખા), ઝે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (પરિશીલન', “અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય' ), સ્વ. નવલરામ ત્રિવેદી (“નવાં વિવેચને', શેષ વિવેચન', “શામળનું વાર્તાસાહિત્ય'), પ્રે. ડેલરરાય માંકડ (“કાવ્યવિવેચન'), સ્વ. ઝવેરચંદ મેઘાણી (“ પરિભ્રમણ” ભા. ૧-૨-૩, લેકસાહિત્યનું સમાલોચન', “ધરતીનું ધાવણ”), પ્રે. અનંતરાય રાવળ ( “સાહિત્યવિહાર', “ગંધાક્ષત'), પ્રે. મનસુખલાલ ઝવેરી (“ડા વિવેચનલેખે'), શ્રી. ઉમાશંકર જોષી (“સમસંવેદન', અખે-એક અધ્યયન), શ્રી. ધનસુખલાલ મહેતા (“આરામ ખુરશીએથી) સ્વ. શંકરલાલ શાસ્ત્રી (“સાહિત્યદ્રષ્ટાને'), ઠે. પ્રેમશંકર ભટ્ટ (“મધુપર્ક') વગેરેનાં અઢાર પુસ્તકે આ દાયકે પ્રસિદ્ધ થયાં છે. એ ઉપરાંત ગુજરાત સાહિત્ય સભા તરફથી ઈ. સ. ૧૯૪૧ થી ૪૮ સુધીના ગાળાની વાર્ષિક સમાલોચનાઓનાં આઠ પુસ્તક પ્રગટ થયાં છે તથા “સાહિત્યપરામર્શ' ( વિલેપાલે સાહિત્યસભા, મુંબઈ), ગ્રંથકાર સંમેલન વ્યાખ્યાનમાળા' (પ્રાચ વિદ્યામંદિર, વડોદરા), “વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા ( ગુજ. વિદ્યાસભા, અમદાવાદ), તેમજ “સાહિત્ય અને સંસ્કાર' (ભારતી સાહિત્ય સંધ, મુંબઈ-અમદાવાદ.) જેવાં પુસ્તકમાં વિવિધ વિવેચકેના લેખે સંઘરાયા છે. આમ આ દસકાનું વિવેચનસાહિત્ય વિપુલ છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાડ્મય પર દષ્ટિપાત
૧૫
આ બધા વિવેચનસ'ગ્રહેામાં સાહિત્યવિચાર' અને દિગ્દર્શન ' તેના કર્તાની સ્વસ્થ તત્ત્વાન્વેષી અને સમતાલ વિચારસરણી તથા સત્ત્વગ્રાહી, રસદર્શી અને મધુર વિવેચનશૈલી વડે વિશેષે દીપે છે. તેમના લાક્ષણિક વ્યક્તિત્વથી અનેાખા બનેલા પ્રા, ઠાકારના ત્રણે વ્યાખ્યાનસંગ્રહેા નર્મદ, ગાવધનરામ, મણિલાલ, અને રમણભાઈ જેવા સાહિત્યકાશ તેમજ નવીન કવિતાના પ્રવાહે તથા લક્ષણા વિશેના તેમના તુલનાત્મક, તલસ્પર્શી, નીડર અને રહસ્યાદ્ઘાટક વિવેચનથી મનનીય બન્યા છે. ગૌ. ડાકારનુ' વિવેચન નર'િહરાવની જેમ ‘સમ' વિશેષણનુ અધિકારી સહેજે બની જાય છે. દી. બ. ધ્રુવના લેખા મુખ્યત્વે પ્રાચીન —મધ્યકાલીન ભાષા, સાહિત્ય અને છઠ્ઠા વિશેના છે. એ લેખા વ્યુત્પન્ન પંડિત, પ્રતિભાશાળી સ`શોધક, ભાષાના વિવિધ ચાના સૂક્ષ્મ નિરીક્ષક તથા ઝરણાં જેવી સ્વચ્છ પ્રવાહીને મધુર છતાં ગૌરવાન્વિત શૈલીના અભ્યાની સરજત છે. ‘વાગ્યાપાર’ જેવા લેખ તે ગુજરાતી ભાષા અને ઉચ્ચારશાસ્ત્રનું ઉત્તમ ધરેણું છે. શ્રી, મુનશી સાહિત્યના તાત્ત્વિક સિદ્ધાંતા ચતાં સાહિત્યની ચેાસ એકલક્ષિતા અને પરિભાષામાં ગૂ ́ચવાડા ઊભા કરે છે. તેમની રજૂઆતમાં અવિશદતાને ઉત્કટતાનું પ્રમાણુ વિશેષ છે. તેમની રસદૃષ્ટિ પાશ્ચાત્ય સાહિત્યથી ઘડાયેલી છે. આમ છતાં ગુજરાતભક્તિ અને સાહિત્યસર્જન પાછળને સ્વાનુભવભ્યાપાર તેમની પાસે અભ્યાસક્ષમ લેખા લખાવે છે. ધ્રો. પાઠકનાં ગ્રંથાવલાકના સમગ્ર પુસ્તકની સમીક્ષા કરવા કરતાં તેમાંના થાડાક ચર્ચાસ્પદ મુદ્દાઓની વિશદતા અને ઝીણવટથી છણાવટ. કરવા તરફ એક વધુ રાખે છે. તર્કશાસ્ત્રી અને તત્ત્વચિંતક પાઠકને વિવેચક પાઠકને ઉત્તમ લાભ મળેલા છે. નિકષરેખા’માંના ‘ સર્જનાત્મક આત્મકથા ' ‘'ડિતયુગનુ મહાકાવ્ય' અને મેધાણી વિશેના લેખા ઉત્તમ કક્ષાના છે. શ્રી. વિશ્વનાથની વિવેચનપદ્ધતિ અશેષ નિરૂપણુવાળી, પૃથક્કરણશીલ અને દીધ`સૂત્રી છે પણું તેથી તેમનું વિવેચન સ્વયંપૂર્ણ` અને સ`ગ્રાહી નીવડે છે. એમની શૈલીમાં ગૌરવ અને પ્રૌઢિની સાથે સરળતાની માત્રા પણ એટલી જ રહેલી છે. પ્રેા. વિષ્ણુપ્રસાદની વિવેચનશૈલી શ્રી. વિશ્વનાથથી તદ્દન જુદી પડી આવે છે. વિશ્વનાથ જો સ્વાભિપ્રાયેાતે અનેક પ્રમાણાથી સમર્થિત કરીને લંબાણથી રજૂ કરે છે તેા વિષ્ણુપ્રસાદ વેધક દૃષ્ટિથો વિવેચ્ચ પદાર્થના સત્ત્વને ઝડપથી ગ્રહી લઈ તે સુટિત લાધવથી મતદર્શન કરાવે છે. એમ કરતી વેળા તેઓ કૈંક રમતિયાળ અને સૌદર્ય રસિક બને છે; તેથી તેમની શૈલીમાં સર્જનાત્મક અંશા પ્રગટે છે. પણ એથી, સાહિત્યને તેમને અભ્યાસ
*
Page #68
--------------------------------------------------------------------------
________________
દ
ગ્રંથ અને થથકાર પુ૦ ૧૦
તાત્ત્વિક અને ઊંડે હોવા છતાં, ભ્રમરની જેમ વિવિધ પુષ્પામાંથી ઘેાડાંક રસબિંદુઓનુ` આસ્વાદન લેતા મધુકરની રસ–ચાખણી જેટલે જ લાભ આપે છે. તેમણે ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય'માં આપણાં ધાર્મિ`ક, સાંસારિક અને સાહિત્યિક આંદોલનેાની ઐતિહાસિક દિગ્દર્શન સહિત તાત્ત્વિક આલેાચના કરેલી છે. નવલરામ ત્રિવેદીનુ` વિવેચન સપાટીની સહેલમાં રાચે છે. આછે વિનાદ, કુતૂહલવધ ક વિગતોની રજૂઆત અને સમાજસુધારાનુ વલણુ તેમનાં વિવેચનાને આસ્વાદ્ય બનાવે છે. સ્વ. મેધાણીના વિવેચનલેખેા જનતા અને સાહિત્યની સંયોગી કડી ખની રહે છે. એમનું વિવેચન કવિ ન્હાનાલાલની જેમ રસદર્શી તેમ સારગ્રાહી છે. સૌન્દર્ય ઝ ખુ કવિની વેદનશીલતાથી વિષયની તપાસ અને તેના નિરૂપણમાં આત્મલક્ષી દૃષ્ટિકાણુ એ સ્વ. મેધાણીના વિવેચનની વિશિષ્ટતા તથા મર્યાદા છે. લોકસાહિત્યમાં રહેલા ખલવત્તર સૌન્દર્ય-અંશાતે છતા કરી ડૅસ્થ સાહિત્યની સુપ્રતિષ્ઠા સ્થાપતું, લેાકવાણીના પ્રવાહની જીવંતતાનાં અનેક પ્રમાણા દર્શાવતું અને ફાÖસ-દલપતથી માંડી આજ સુધીને આપણા લેાકસાહિત્યના સંશોધન-પ્રકાશનનેા કડીબદ્ધ ઇતિહાસ આલેખતું તેમનુ' લેાકસાહિત્યનું સમાલેચન' આપણા સાહિત્યમાં એ વિષયનું અપૂર્વ પુસ્તક છે. ‘કાવ્યવિવેચન'ના કર્તા પ્રા. માંકડના સંસ્કૃત રસ અને અલકારશાસ્ત્રને અભિનિવેશ ખૂબ ઊંડા છે. કાવ્યેાના વિવેચનમાં રસ, તાપ, કાવ્યસ્વરૂપ, અલ‘કાર, છંદ વગેરેની તાત્ત્વિક ચર્ચા શાઔયતાથી કરીને તે કાવ્યનું રસદન કરાવે છે. સ્વત ંત્ર મતદર્શન, વિવેચનની ચોક્કસ પરિભાષા તથા વિશદતા માટેની તેમની ચીવટ તેમના વિવેચનના ખાસ તરી આવતાં લક્ષણા છે. પ્રા. રાવળની વિવેચનપદ્ધતિ ખરેખરા અધ્યાપકની છે. વિષયનું અશેષ નિરૂપણુ, એકે એક મુદ્દાની વ્યવસ્થિત રજૂઆત અને તેમાંની ચર્ચાપાત્રબાબતોનું ક્રમિક પૃથક્કરણ તેમના વિવેચનનું એક મહત્ત્વનું અંગ બની ગયેલ છે. પદ્ધતિ પરત્વે વિશ્વનાથ અને વિષ્ણુપ્રસાદના મધ્યાન્તરે તેમનું સ્થાન છે. દીપીંજણ કર્યા વિના વિષયનું સ ંપૂર્ણ નિરૂપણ તે આપે છે. શૈલીને એમને જ્ઞાખ નથી છતાં વિશદ, પ્રવાહી, સ ંમાર્જિત, શૈલી તેમના નિબંધેાતે લાક્ષણિક છટા આપે છે. સ્પષ્ટતાથી છતાં નમ્રતા અને મીઠાશથી સ્વમત રજૂ કરવાની તેમની ફાવટ પ્રશસ્ય છે. પ્રા. મનસુખલાલ અને શ્રી. ઉમાશંકરનાં વિવેચનેા કવિ અભ્યાસીની સરજતરૂપ ગણાય. વક્તવ્યનું સામંજસ્ય, શૈલીની મધુરરસિકતા અને અભિપ્રાયદર્શનમાં સ્પષ્ટતા એ બંને કવિ વિવેચક્રાના સમાન ગુણ છે. પણ સર્જક અને ભાવકના
Page #69
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાટકમય પર દષ્ટિપાત તાત્વિક સંબંધ અને વ્યાવર્તક લક્ષણોની ચર્ચામાં મનસુખલાલના કરતાં ઉમાશંકરને અભિનિવેશ વધુ મૂલગામી છે. વ્યવસ્થિત વિચારધારા અને વિવેચનશક્તિનો સળંગ આવિર્ભાવ ઉભયના સાહિત્ય-નિબંધને શોભાવે છે, પણ ઉમાશંકરમાં દૃષ્ટિની વેધકતા, ચિકિત્સકની ચકરતા અને રહસ્યોદ્દઘાટનની સૂક્ષમતા વિશેષ જોવા મળે છે. “અખે– એક અધ્યયન’ સત્તરમી સદીની પ્રધાલૂ સમેત વેદાન્તી કવિ અખાના સમગ્ર જીવન અને કવન ઉપરના ઊંડા અને તુલનાત્મક સંશોધનવિવેચનના પરિપાકરૂપ ઉત્તમ પ્રબંધ (Thesis) છે. શ્રી. ધનસુખલાલ મહેતાનાં ગ્રંથાવલેકને અને ચર્ચાલે પરદેશી સાહિત્યના સારા જાણકાર, કલાભક્ત અને સારા વાર્તાકારનાં મતદર્શને છે. બાકીના વિવેચકોમાંથી પ્રે. મોહનલાલ દવે, પ્રા. શાસ્ત્રી અને પ્રે. અતિસુખશંકરના . વિવેચનલેખ સાહિત્યને અભ્યાસ આરંભનાર વિદ્યાર્થીઓ અને પૃથકજનને સારું માર્ગદર્શન અને માહિતી આપે તેવા છે.
વિવેચનની કેડી આમ રાજમાર્ગ બનતી જતી હોવાથી જ એક બે વિનંતી કરવી ઘષ્ટતા નહિ ગણાય. વિવેચકોએ સાહિત્યની વિવિધ કૃતિઓ કે કર્તાઓ ઉપર છૂટક નિબંધ લખવાની સાથે મહત્ત્વના સાહિત્યસ્વામી કે તેની અગત્યની કૃતિઓ વિશે સંપૂર્ણ સ્વાધ્યાય પણ તૈયાર કરવો જોઈએ. પ્રેમાનંદ, ગવર્ધનરામ, ન્હાનાલાલ અને મુનશી વર્ષોથી અધિકારી વિવેચકોની રાહ જુએ છે. એમ જ વિવિધ સાહિત્યપ્રકારના સ્વરૂપ અને વિકાસ ઉપર પણ તેમની પાસેથી નિદાન એક એક પુસ્તક મળવું ઘટે. ગુજરાતી ભાષાના ઉત્તમ શિષ્ય ગ્રંથ ઉપર પણ સર્વગ્રાહી અધ્યયન-વિવેચનની અપેક્ષા રહે છે. હવેના દાયકામાં એ સંતોષાશે ?
સાહિત્યને ઇતિહાસ આ દાયકે સાહિત્ય કે સાહિત્યપ્રકારને ઈતિહાસ આપતાં છ પુસ્તકે પ્રગટ થયાં છે. તેમાંનાં ચાર ગુજરાતી સાહિત્ય વિશે છે, એક સંસ્કૃત નાટથશાસ્ત્ર સંબંધી છે અને એક ફારસી સાહિત્ય વિશે છે.
છેલ્લાં સો વરસના સાડાત્રણસો જેટલા ગુજરાતી કવિઓ અને તેમની નાની મોટી બારથી વધુ કૃતિઓને પોતાના ફલકમાં સમાવી તાત્વિક તેમજ ઐતિહાસિક દષ્ટિએ તેમનું વિવેચન કરતે શ્રી. સુંદરમને “અર્વાચીન કવિતા” ઉપરને બ્રહદ્દ ગ્રંથ આ દાયકાના ગુજરાતી સાહિત્યનું એક
ગ્ર. ૮
Page #70
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ૦૧૦
અમૂલ્ય પ્રકાશન છે. અર્વાચીન કવિતાના ત્રણ સ્તબ¥ા પાડી તે તે ગાળાની કવિતાનાં પ્રેરક બળેા અને મુખ્ય લક્ષણાની સવિસ્તર નોંધ લીધા પછી આધુનિક કવિતાપ્રવાહતી સમીક્ષા કરીને અર્વાચીન કાવ્યપ્રવૃત્તિની સ`પૂર્ણ વિકાસશૃંખલા શ્રી. સુંદરમે આ પુસ્તકમાં કુશળપણે યેાજી છે. ‘ઓછા જાણીતા રહેલા કવિ અને કૃતિઓમાંથી બને ત્યાં લગી તેમના ગુણુતે છતા કરી આપે તેવાં અવતરણા જરા છુટ્ટા હાથે' તેમણે વેર્યાં છે; તે નરસિંહરાવ, કલાપી, ખબરદાર, ન્હાનાલાલ આદિની કડક દૃષ્ટિએ સમીક્ષા કરી છે. અભ્યાસ, શ્રમ, નિષ્ઠા, ગુણાનુરાગિતા, સકતાને પારખવાની આમૂલ પકડ, સ્પષ્ટવક્તૃત્વ અને અરવિંદની કાવ્યભાવનાને રંગ શ્રી. સુંદરમની વિવેચકતાના મુખ્ય ગુણેા છે.
૧૩
‘ગુજરાતી સાહિત્યની રૂપરેખા 'માં શ્રી. વિજયરાય વૈદ્યે સાહિત્યથી પરિચિત અભ્યાસપ્રેમીએને લક્ષમાં રાખીને ઈ. સ. ૯૯૦ થી આધુનિક સમય સુધીને લેખકવાર તે યુગવાર મધ્યમ ખરને રેખાત્મક ઇતિહાસ આપ્યા છે. શ્રી. મુનશીના ‘ Gujarāta and its literature' પછી એ વિષયના અધિકારી લેખક પાસેથી મળતું આ પહેલું જ પ્રમાણભૂત પુસ્તક છે. અનેક સ્થળે તાલન અને વિવેચન પરત્વે અપૂરતું હેવા છતાં તે વિજયરાયના જ્ઞાનકાશના સમૃદ્ધ અને મ`ગ્રાહી પરિપાકરૂપ છે. તેમની સારગ્રાહી દષ્ટિ અને સધન શૈલી જ માત્ર ૩૫૦ જેટલાં પૃષ્ઠોમાં ૧૦૦૦ વર્ષોંના 'ગુજરાતી સાહિત્યના ઇતિહાસ સમેટી શકે. આપણા સાહિત્યને એક બુહત્ સ'પૂ ઇતિહાસ તેમની પાસેથી મળે, તે એક મેાટી ઊણપ પુરાય એવી અપેક્ષા આ પુસ્તક જગાડે છે.
ડૉ. રતનજી રૂસ્તમજી મા'લે પીએચ. ડી . ની ડીગ્રી માટે પ્રો. વિષ્ણુપ્રસાદની રાહબરી નીચે તૈયાર કરેલા મહાનિબંધ ‘ગુજરાતી પત્રકારિત્વને ઇતિહાસ' છેલ્લાં સે। વરસના અખખારી સાહિત્યના વિકાસક્રમ આલેખે છે. સૌથી જૂના વમાનપત્ર ‘મુંબઈ સમાચાર'થી માંડીને આજ દિન સુધીના તમામ દૈનિકા, સાપ્તાહિકા અને પાક્ષિકાની યેાગ્ય નોંધા તેમાં લેવાઈ છે. ‘ ગુજરાતી', ‘નવજીવન', · સૌરાષ્ટ્ર ' અને ‘· પ્રજાબ'' જેવાં કેટલાંક વિશિષ્ટ પત્રોએ ગુજરાતનું અખખારી સાહિત્ય વિકસાવવામાં, તેમાં નવીન રૂપરંગ, શૈલી, ભાષા અને સામગ્રી પૂરવામાં અને ગુજરાતી ગાતે નવા એપ આપવામાં આપેલા ફાળાનુ` સ`ક્ષિપ્ત વિવેચન પણ લેખકે તેમાં કયુ છે. ગુજરાતી પત્રકારિત્વને કડીબદ્ધ ઇતિહાસ સૌથી પહેલા
.
Page #71
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાડ્મય પર દ્રષ્ટિપાત
આ પુસ્તકમાં મળતા હેાવાથી એ આપણા સાહિત્યમાં નોંધપાત્ર ઉમેરારૂપ ગણાશે, ગુજરાતી માસિક પત્રોના ઇતિહાસ પણ લખાવાની જરૂર છે. નાનકડી ‘સાહિત્યપ્રવેશિકા' આપ્યા બાદ તેની ય લઘુ આવૃત્તિ જેવી સાહિત્યપ્રારંભિકા ' શ્રી. હિંમતલાલ અંજારિયાએ આ દાયકામાં પ્રગટ કરી છે, જે સાહિત્યના અભ્યાસની શરૂઆત કરનાર વિદ્યાર્થીઓને ઉપયાગી થઈ પડશે.
"
ભારતીય નાટ્યશાસ્ત્રના વિકાસનુ દર્શન કરાવતું ‘સંસ્કૃત નાટ્યશાસ્ત્રના વિકાસની રૂપરેખા' ગુજરાતી ભાષામાં એ વિષયનું એક અગત્યનું પુસ્તક છે. નાટ્યશાસ્ત્રના ચાળીસથી ય વધુ મીમાંમકા, તેમની કૃતિઓની વિશેષતાઓ અને નાટ્યશાસ્ત્રના જુદા જુદા વિષયાના ક્રમિક વિકાસ તેમણે તેમાં ઝીણવટથી આલેખી બતાન્યેા છે. રૂપકપ્રકાર, રસ, નાયક આદિનું પણ તેમના ઐતિહાસિક ક્રમ સહિત તાત્ત્વિક નિરૂપણુ આ લ પુસ્તકમાં મળે છે. પુસ્તકમાં પ્રો. માંકડની તેાલનશક્તિ, ઇતિહાસદૃષ્ટિ અને નાટ્યશાસ્ત્રના ઊડે અભિનિવેશ પ્રતીત થાય છે.
ફારસી સાહિત્યને ઇતિહાસ'માં શ્રી. એફ. એમ. લેખંડવાળાએ યુગવાર વિભાગેા પાડીને ફ્રારસી સાહિત્યનાં લગભગ ૧૧૦૦ વર્ષોંના માહિતીપૂર્ણ ઇતિહાસ સ ંક્ષેપમાં રજૂ કર્યાં છે. ફારસી સાહિત્યકારા વિશે આમાંથી સારી માહિતી મળી રહે છે; તેના વિવિધ સાહિત્યપ્રકાશ અને પ્રવાહાના સળંગસૂત્રિત વિકાસ આપવાનુ લેખકને ઉદ્દિષ્ટ નહિ હોય એમ પુસ્તક વાંચતાં સમજાય છે.
સંશાધન – સંપાદન
-
છેલ્લાં દસ વરસમાં ગુજરાતનાં પ્રાચીન-મધ્યકાલીન ઇતિહાસ-પુરાતત્ત્વ, ભાષાસાહિત્ય તથા પિંગળ, વ્યાકરણ અને લલિતકલાએ વિશે સ`શાધનપ્રવૃત્તિ કરનારા વિદ્વાનામાં મુનિશ્રી જિનવિજયજી, પ્રા. રામનારાયણ પાઠક, ડૉ. ભોગીલાલ સાંડેસરા, શ્રી. મધુસૂદન મેાદી, પ્રા. કાન્તિલાલ વ્યાસ, ડૅૉ. હરિવલ્લભ ભાયાણી, ડૉ. મંજુલાલ મજમુદાર, શ્રી. કેશવરામ શાસ્ત્રી ને શ્રી, ઉમાશ'કર જોષી પહેલી નજરે આગળ તરી આવે છે.
પ્રા. પાઠકકૃત ‘પ્રાચીન ગુજરાતી છટ્ઠા—એક ઐતિહાસિક સમાલાચના' આ દાયકાના સ`શાધન—વિવેચનના ગ્રંથામાં અગ્રગણ્ય છે. દલપતરામ, રણુઠ્ઠાભાઈ અને કેશવ હદ ધ્રુવે પદ્યરચનાઓના સ્વરૂપ
Page #72
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫૦ ૧૦
બંધારણુ અને લક્ષણેનું જે જ્ઞાન મેળવી આપ્યું હતું, તેમાં છે. પાઠક અપભ્રંશકાળના દહાથી માંડીને દયારામની દેશીઓ સુધી પ્રવર્તતા પિંગળના સૂક્ષ્મ નિયમેની શાસ્ત્રીય તપાસ કરી વધારો કર્યો છે. દી. બ. ધવે સમજાવેલ વૈદિક કાલથી માંડીને અપભ્રંશકાલ સુધીની પદ્યરચનાઓને ઐતિહાસિક વિકાસક્રમ આ પુસ્તક દ્વારા અદ્યતન બને છે.
મધ્યકાલીન સાહિત્યમાં વૃત્તોને પ્રયોગ થયે જ નહોતે, એ માન્યતાને જુઠી ઠરાવતે ગુજરાતી ભાષાના લગભગ આરંભથી માંડી દયારામ સુધીના સાહિત્યમાં થયેલી અક્ષરમેળ વૃત્તરચનાઓને ઐતિહાસિક દૃષ્ટિએ પરિચય ડે. સાંડેસરાએ પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના” નામની પુસ્તિકામાં કરાવ્યો છે.
- “આપણા કવિઓ'—નં. ૧ માં શ્રી. કે. કા. શાસ્ત્રીએ નરસિંહયુગ પહેલાંની પ્રાપ્ય એટલી તમામ સાહિત્યકૃતિઓને તપાસી આપણી ભાષાનો વિકાસકોટિઓ, તેનું વ્યાકરણ તથા પબંધ અને સાહિત્યસ્વરૂપ વિસ્તૃત અવતરણે આપીને શાસ્ત્રીયતાથી સમજાવવાને સમર્થ પ્રયત્ન કર્યો છે. લેખકે “કવિચરિત'–ભા. રમાં સં. ૧૬૨૪ થી સં. ૧૭૧૬ સુધીના નાના મોટા બધા જ ગુજરાતી કવિઓ અને તેમની કૃતિઓ વિશે સંશોધન કરી સારી માહિતી પૂરી પાડી છે. તેમના સંશોધનવિષયક લેખસંગ્રહો અક્ષર અને શબ્દ, “અનુશીલન” અને “સંશોધનને માગે'—એ ત્રણેમાં મળીને ભાષા-છંદ-વ્યાકરણના, લિપિ-જોડણીના, સાહિત્યિક-સાંસ્કૃતિક ઇતિહાસના અને પુરાતત્ત્વને કુલ ૭૬ લેખો સંઘરાયા છે. વિષયની રજૂઆત, ચર્ચા અને સ્વતંત્ર વિધાનનાં ઉમેરોમાં તેમના અભ્યાસની વ્યાપકતા અને તેમની પ્રગભ વિચારકતા દેખાય છે.
અખે-એક અધ્યયન'ની જેમ તેમના બીજા સંશોધનાત્મક ગ્રંથ “પુરાણમાં ગુજરાત માં પણ શ્રી. ઉમાશંકરનો વિષયને ઊંડે. અભિનિવેશ ધ્યાન ખેંચે છે. “કંદપુરાણ” અને “મહાભારત'ને મુખ્ય આધાર તરીકે રાખીને સંસ્કૃત, જૈન અને બૌદ્ધ ભાષાસાહિત્ય તથા પરદેશી મુસાફરોનાં વર્ણને, પ્રાચીન શિલાલેખે, તામ્રપત્રો, સિકકાઓ ઇત્યાદિની સહાય લઈને ગુજરાતની પ્રાચીન ભૌગોલિક સામગ્રીને આ ગ્રંથ તેમણે તૈયાર કર્યો છે. એમાં દેખાતી શ્રી. ઉમાશંકરની શાસ્ત્રપૂત દષ્ટિ અને નિર્ણાયકશક્તિ તેમને ઉચ્ચ કોટિના સંશોધક અને પુરાતત્ત્વશીન ઠરાવે છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
બધા દાયકાના વાય ૫૨ દષ્ટિપાત
શ્રી. પ્રસન્ન વકીલે પીએચ. ડી.ની ડીગ્રી માટે તૈયાર કરેલ પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ” વિશેને મહાનિબંધ પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓ ઉપર નરસિંહરાવથી ચાલેલી સાઠમારીને અંત આણે છે. એમાં લેખકને તેમના સર્વ પુરોગામીઓની ચર્ચાઓ ને સંશોધનોને લાભ મળ્યો છે. અનેક પ્રમાણે આપીને, બંને પક્ષનાં સબળ-દુર્બળ વિધાને યથાતથ રજુ કરી ગ્ય દલીલેથી તેમનું પુરસ્કરણ કે નિરસન કરી શ્રી. વકીલે પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ તારવી આપી છે. તર્કશુદ્ધિ, શાસ્ત્રીય તટસ્થતા, સુવ્યવસ્થા અને વિશદ છણાવટ આ પુસ્તકના મુખ્ય ગુણો છે.
શ્રી વિજયરાય વૈદ્યક્ત “લીલાં સૂકાં પાન” “કૌમુદીસેવકગણના ઠીંગરાયેલ સ્વપ્નના તેજસ્વી અવશેષરૂપ છે. નર્મદયુગનાં પ્રેરક બળ અને પ્રવાહને અભ્યાસ કરનારને વિરલ અને પ્રમાણભૂત સામગ્રી ઉપરાંત તે જમાનાની સિદ્ધિઓને માપવાનું સ્થિર, નીતરેલું ધોરણ એમ મળી રહે તેમ છે. - સ્વ. મેઘાણીએ દટાઈ જતા કંઠસ્થ ચારણી સાહિત્યને પ્રકાશમાં આણવાના હેતુથી ચારણુ પ્રજા અને તેણે સર્જેલા લોકસાહિત્યને વિસ્તૃત પરિચય તેની સ્પષ્ટ મૂલવણી સહિત “ચારણો અને ચારણી સાહિત્યમાં કરાવ્યો છે.
સ્વ. રામલાલ મોદીની “ભાલણ, ઉદ્ધવ અને ભીમ' તથા દી. બ. કૃષ્ણલાલ ઝવેરીની “ગુજરાતીઓએ લખેલા ફારસી 2 થે' એ બંને પુસ્તિકાઓ તેના કર્તાઓના પ્રિય વિષયોનું મહત્વનું સંશોધન પૂરું પાડે છે.
વિવિધ વાચનાઓ અને પ્રચલિત પાઠોની ઐતિહાસિક તેમજ તાવિક તુલના દ્વારા કરેલું હસ્તપ્રતોનું શાસ્ત્રીય સંપાદન, વિસ્તૃત અભ્યાસપૂર્ણ ઉપોદઘાત અને ટિપણો વગેરેથી મંડિત શ્રી. સાંડેસરાસંપાદિત “કપૂરમંજરી,” “વસુદેવહિન્દી,” “પંચતંત્ર” અને “સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્યો.' શાસ્ત્રીજી-સંપાદિત “મહાભારત-ગ્રંથ ૪ અને ૭,’ ‘હંસાઉલી, પ્રે. કાન્તિલાલ વ્યાસસંપાદિત “વસંતવિલાસ” અને શ્રી ઉમાશંકરસંપાદિત “કુલાત કવિ' આ દાયકાનાં ગણનાપાત્ર સંપાદનો છે.
એમાંથી કપૂરમંજરી” સં. ૧૬૦૫માં મતિસાર નામના કવિએ દુહા અને ચોપાઈમાં રચેલું ૪૧૧ પંકિતનું સામાન્ય કથાકાવ્ય છે. પણ તેની ખરી ઉપયોગિતા તેમાં સચવાઈ રહેલી ગુજરાતીની બીજી ભૂમિકાના અંતિમકાળની ભાષાને લીધે છે. જૈન પુરાણકથા તથા શુદ્ધ લોકવાર્તાની
Page #74
--------------------------------------------------------------------------
________________
દર
-
થ અને ગ્રંથકાર પત્ર ૧૦ ભારેભાર સામગ્રી રજુ કરતી, તત્કાલીન સમાજ-સંસ્કૃતિના અભ્યાસ માટે ઘણી માહિતી પૂરી પાડતી, અલંકારમય અને સમાસપ્રચુર વર્ણનથી ખચિત “વસુદેવહિંડી-ભા. ૧'ની પદ્યકથા આર્ષપ્રાકૃતમાં લખાયેલ જૈન કથાગ્રંથના. પ્રથમ ખંડને ગુજરાતી અનુવાદ છે. મૂળ ગ્રંથ વચ્ચે વચ્ચે તૂટક હોવાને લીધે તેમાં સંપાદકની નિર્ણાયક અનુમાનબુદ્ધિને સારી પેઠે શ્રમ લે પડે છે.
શાસ્ત્રીય પદ્ધતિએ “પંચતંત્ર'ની સર્વ પાઠપરંપરાઓને તુલનાત્મક અભ્યાસ કરીને તેનું સાંગોપાંગ પ્રમાણભૂત સંસ્કરણ તૈયાર કરવાને અને તેની સાથે મુખ્ય તેમજ વધારાની સઘળી નાની મોટી કથાઓને શિષ્ટ અને પ્રૌઢ ગુજરાતી ભાષામાં યથાર્થ અનુવાદ આપવાને પુરુર્ષાર્થ કરનાર સાંડેસરા પહેલા જ વિદ્વાન છે. “પંચતંત્રની આટલી સંપૂર્ણ અને સર્વ ગ્રાહી સંપાદના હિંદભરમાં થઈ નથી; એટલું જ નહિ જગતભરમાં પણ પંચતંત્ર'નું પુનર્વસન કરનાર ડે. એગટન અને “તંત્રાખ્યાયિકા ના સંપાદક ડૉ. હર્ટલના તે પ્રકારના પ્રયાસો સિવાય ભાગ્યે જ અન્ય કોઈ કૃતિ આ સંપાદનની તોલે આવી શકે. શ્રી. સાંડેસરાએ આ સમર્થ કૃતિને અંગ્રેજીને બદલે ગુજરાતમાં ઉતારીને ગુજરાતી ભાષા અને પ્રજા ઉભયનું ગૌરવ વધાર્યું છે. ' “સત્તરમાં શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય'નું સંપાદન પણ શ્રી. સાંડેસરાએ જ કર્યું છે. આ શતક દરમિયાન રચાયેલાં વિવિધ વિષય, પ્રકાર અને શૈલીનાં આઠ ગુજરાતી કાવ્યોનો આ સંગ્રહ “પ્રેમપચીશી', ‘માધવાનલકથા', “હરિલીલામૃત”, “કપિલ મુનિનું આખ્યાન' આદિ આઠ મધ્યકાલીન કૃતિઓને સમાવે છે. ઉપદ્દઘાતમાંની વિવિધ પ્રતિ, કવિઓ ને કૃતિવિષયક માહિતી અને અંતે “શબ્દકોશ'માં આપેલ વ્યુત્પત્તિ સહિત શબ્દાર્થો .કાવ્યના અભ્યાસ પૂરતું કીમતી માર્ગદર્શન આપે છે.
શ્રી. કેશવરામ શાસ્ત્રીએ મહાભારતનાં જુદાં જુદાં પર્વોને આધારે વિવિધ ગુજરાતી કવિઓએ રચેલાં પદબંધ આખ્યાનોને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવીને “મહાભારત'ની ગ્રંથમાળાનો ચોથો અને સાતમો ભાગ આ દાયકામાં પ્રગટ કર્યો છે. આ પ્રકારનાં સંશોધન-સંપાદનકાર્ય માત્ર બે જ રીતે લાભકારી. એક તો મધ્યકાલીન કવિઓએ મહાભારતના ભવ્ય વસ્તુને ગુજરાતી ભાષામાં ઝીલતાં કેવીક કવિત્વશક્તિ બતાવી છે તેને તુલનાત્મક તેમ સમગ્ર ખ્યાલ મળે છે અને બીજું ભાષાશાસ્ત્રની દષ્ટિએ તે કેટલાક
Page #75
--------------------------------------------------------------------------
________________
થયા દાયકાના વાય પર દષ્ટિપાત ખૂટતા અકોડ પૂરા પાડે છે. અસાઈતના “હંસાઉલી' કાવ્યનું સંપાદન પણ એમણ જ કર્યું છે. એને અંગે તેમના તરફથી ઉદ્દઘાત, ટિપ્પણ આદિ સામગ્રી હજી મળવી બાકી છે. શ્રી. શાસ્ત્રીએ દલપતરામના બહત કાવ્યસંગ્રહમાંથી રસદષ્ટિએ ચૂંટણી કરીને એક નાનો સંગ્રહ પણ સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય દ્વારા આ અરસામાં પ્રગટ કર્યો છે.
સિંધી જેન ગ્રંથમાલાનાં બે સંપાદને “પઉમસિરીચરિઉ અને “જ્ઞાનપંચમી કથા” પ્રધાન સંપાદક-સંચાલક મુનિશ્રી જિનવિજયજીની પ્રેરણાથી ભારતીય વિદ્યાભવન અંતર્ગત સિંઘી જેનશાસ્ત્રશિક્ષાપીઠ તરફથી આ દાયકે પ્રકાશન પામેલ છે. બંને ગ્રંથને મુનિજની વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવનાને લાભ મળ્યો છે. એમાંનું પહેલું કવિ ધાહિલનું રચેલું અપભ્રંશ ભાષાનું મહાકાવ્ય છે અને બીજુ મહેશ્વરસૂરિકૃતિ પ્રાકૃતભાષાનું કાવ્ય છે.
પઉમસિરીચરિઉ” ચાર સંધિનું, કુલ ૬૬ કડવકનું બનેલું અદ્દભુતરસિક કથાનકવાળું મહાકાવ્ય છે. એના સંપાદકો અધ્યા. મધુસૂદન મોદી અને અધ્યા. હરિવલ્લભ ભાયાણી અપભ્રંશ ભાષાના જાણકાર પંડિત છે. તાડપત્રની ઘણી અશુદ્ધિવાળી અને લહિયાની સમકાલીન ભાષાની છાપવાળી એક જ પિોથી ઉપરથી આ ગ્રંથનું સંપાદન તૈયાર થયાથી તેમાં ઘણે સ્થળે દુર્બોધતા રહી છે. પરંતુ એકંદરે સંપાદકનો પરિશ્રમ તેમાં સફળ થયો છે. કાવ્યનું વ્યાકરણ, છેદની શાસ્ત્રીય છણાવટ, ઉત્તમ અભ્યાસની પારાશીશીરૂપ ટિપ્પણ, ભાષા પર કેટલીક પ્રચલિત માન્યતાઓનું શાસ્ત્રીયપણે થયેલું ખંડન આ ગ્રંથના સંપાદનની વિશિષ્ટતાઓ છે. બીજુ જ્ઞાનપંચમી કથા” જૈન ધર્મના લાક્ષણિક રંગ દાખવતી દશ સ્થાઓનું અધ્યા. અમૃતલાલ ગોપાણીએ ત્રણ હાથપ્રતે પરથી કરેલું સંપાદન છે. એમાં પ્રાકૃત ભાષાની લગભગ ૨૦૦૦ ગાથાઓ ગૂંથવામાં આવી છે. કાવ્ય મુખ્યતઃ બેધપ્રધાન છે અને એમાં રસનું તત્ત્વ ઘણું ઓછું છે, છતાં તેના કવિને અલંકાર, નીતિશૃંગાર અને વ્યવહારચાતુરીને સારો અભ્યાસ હવે જોઈએ. સંપાદકની ગ્રંથારંભે મૂકેલી ૪૪ પાનાંની પ્રસ્તાવના કથાસાહિત્યના અભ્યાસ માટે અગત્યની છે.
વિવિધ સંતોની પરંપરાપ્રાપ્ત વાણુને ગામેગામ ફરીને સ્વ. મેઘાણીએ લેકમુખેથી સાંભળીને તેમનાં ભજનોને મોટે જ એકઠી કરેલ, તેમાંથી નાનામોટા પચીસેક ભજનિકોની કુલ્લે ૧૦૩ કૃતિઓને “સોરઠી સંતવાણી માં પ્રથમ વાર ગ્રંથસ્થ કરવામાં આવી છે. સ્વ. મેવાણીએ પ્રત્યેક ભજનના : શબ્દપાઠને ખૂબ કાળજીપૂર્વક પસંદ કરીને-મઠારીને દરેકના અર્થ
Page #76
--------------------------------------------------------------------------
________________
થથ અને ગ્રંથકાર પુ. ૧૦ બેસાડવાને સફળ પ્રયાસ કરેલ છે. આ સાથે ભારતીય ભક્તિપ્રવાહનું અવલોકન કરીને તેમાં સોરઠી સંતનાં આ ભજનોનું સ્થાન સમજાવત અને સતકબીરિયા પંથના પ્રવર્તક ગણાતા ભાણસાહેબથી માંડીને “દાસી જીવણ” તરીકે જાણીતા થએલ જીવણદાસજી પયત વિસ્તરલ સંતપરંપરાનાં જીવન અને કવન વિશે અતિ મૂલ્યવાન માહિતી આપતે પ્રવેશક જોડવામાં આવ્યો છે, જે ગુજરાતી ભજનસાહિત્યના ઇતિહાસની પુરવણીની ગરજ સારે તેમ છે. આ જ સંપાદકે ૧૬૪ દુહા, દીન દરવેશના ૯ કુંડલિયા અને “બાજદા'ની ૯ કડીઓ સમાવતી “સોરઠિયા દુહા” નામની પુસ્તિકાનું પણ સંપાદન આ અરસામાં પ્રગટ કર્યું છે. માત્ર બે જ લીટીમાં વીર, શૃંગાર ને કરુણ જેવા રસને વેધકતાથી વહાવતા અને નીતિબેધ, વ્યવહાર-શીખ કે અનુભવવેણુ સચોટતાથી રજુ કરતા દુહાની શંક્તિ વિશે ઊંચે ખ્યાલ એ વાંચતાં સહજપણે બંધાઈ જાય છે.
આ ઉપરાંત સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય તરફથી “છોટમની વાણી', “ભક્ત સુરદાસનાં પદો', “ધીરા ભગતનાં પદો', “ભોજા ભગતના ચાબખા', “નરસિંહ અને મીરાંનાં પદો', ઈ. પુસ્તિકાઓ પ્રાચીન કવિઓની વાણી સુલભ થાય અને જનભાગ્ય બને એ હેતુથી દાયકા દરમિયાન પ્રગટ થઈ છે.
છે. કાન્તિલાલ વ્યાસનું “વસંતવિલાસ'નું અંગ્રેજી સંપાદન તેમની મૂલ્યવાન પ્રસ્તાવનાએ અને ટિપણોની ઉપયોગિતાએ નોંધપાત્ર છે. તેમાંની કેટલીક વાચનાઓ અશુદ્ધ અને અસંગત રહી હોવા છતાં વ્યાકરણ, ભાષા અને રસદષ્ટિએ તેમણે કાવ્યનું સુંદર વિવેચન કર્યું છે. સત્તરમી સદીની ગુજરાતી ચિત્રકલા ઉપર પ્રકાશ પાડતા “દશાવતારચિત્ર’ વિષયક સંશેધન-પુસ્તિકા અને “ગુજરાતી ભાષા-શાસ્ત્રના વિકાસની રૂપરેખા’ વિશેને શાસ્ત્રીય નિબંધ પણ આ દાયકામાં જ તેમના તરફથી મળેલ છે.
મધ્યકાલીન કવિતાનાં અન્ય સંપાદનમાં કુ. ચિંતન્યબાલા દીવાનજીનું નરસિંહ મહેતાકત ચાતુરી', પૃ. મનસુખલાલનું ‘દશમસ્કંધ' અ. ૧-૨૫ સસ્તું સાહિત્ય પ્રકાશિત “નરસિંહ અને મીરાં' અને શ્રી. જેઠાલાલ ત્રિવેદીનું “ભાલણનાં પદો” ઉલેખપાત્ર છે. | ‘કાન્ત’નાં કાવ્યોને પ્રકાશમાં લાવવાનું કામ જેમ પ્રેમ. પાઠકે કર્યું તેમ “કૂલાન્ત'નાં કાવ્યોને પ્રસિદ્ધિમાં લાવવાનું કાર્ય શ્રી. ઉમાશંકરે બનાવ્યું છે. બાલાશંકરની કેટલીક ઉત્તમ કૃતિઓ, જે ગ્રંથાકારે અપ્રાપ્ય હતી, તેનું આસ્વાદન આ પુસ્તકથી સુલભ બન્યું છે. “અધ
Page #77
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાણમય પર દષ્ટિપાત સદીને દેશવટ' નામે તેને ઉપેદ્દઘાત ઉમાશંકરને કવિ “બાલ” પ્રત્યેને પ્રમાદર બતાવે છે. કાવ્યોને સમજવા સંપાદકે “બાલમંદિની” નામે આપેલી ટીકા તેમની બુદ્ધિચાતુરી અને રસદષ્ટિને ઠીક ખ્યાલ આપે છે.
આ ઉપરાંત શ્રી. ચંદ્રશંકર પ્રા. શુકલસંપાદિત “પીરામીડની છાયામાં, પ્રો. ઠાકરસંપાદિત “આપણું કવિતાસમૃદ્ધિ', પૃ. રાવળ અને સ્વ. નવલરામ ત્રિવેદી સંપાદિત બુદ્ધિપ્રકાશ : લેખસંગ્રહ : ભા. ૧-૨', . ધીરુભાઈ ઠાકરસંપાદિત “મણિલાલની વિચારધારા” અને “મણિલાલના ત્રણ લેખો', ચુનીલાલ શાહ, બચુભાઈ રાવત અને કે. કા. શાસ્ત્રીસંપાદિત ગ્રંથ અને ગ્રંથકાર-પુ. ૯', દી. બ. ઝવેરીસંપાદિત “ગુજરાતની ગઝલે', શ્રી. અંજારિયા સંપાદિત “કાવ્યસૌરભ', શ્રી. ગુલાબદાસ બ્રોકરસંપાદિત “આપણું શ્રેષ્ઠ વાર્તાઓ.” મધુભાઈ પટેલ સંપાદિત “ગુજરાતનાં લોકગીતો',
કવિતા” માસિકમાં પ્રગટ થયેલાં કાવ્યોમાંથી ચૂંટેલ કાવ્યસંગ્રહ “ચયનિકા” આદિ વિવિધ દૃષ્ટિ, રુચિ અને પ્રયોજનને અવલંબીને આ દાયકે પ્રસિદ્ધ થયાં છે. “સાહિત્ય પરિષદ પ્રમુખનાં ભાષણે', “ગુ. સા. પન્ના તેરમા સંમેલનને અહેવાલ તથા નિબંધસંગ્રહ', “ઈતિહાસ સંમેલનઃ નિબંધસંગ્રહ”, “રંગભૂમિ પરિષદ”, “રવિવંદના', “શ્રી. હૈમ સારરવતસત્રને અહેવાલ', “શ્રી. ગુરુમુખવાણી વગેરે પુસ્તક વિશિષ્ટ સમારંભ નિમિત્તે અધિકારી સંસ્થાઓ અને વ્યક્તિઓની અક્ષરપ્રવૃત્તિના હેવાલ કે પ્રતીકરૂપ છે એમ કહી શકાય.
આ સૌમાં “પીરામીડની છાયામાં મિસરની પ્રાચીન સંસ્કૃતિ અને સાહિત્યની ભરપૂર સામગ્રીએ, સંપાદકની વ્યવસ્થિત યોજના, સંકલન અને અનુવાદકલાએ તથા તેના મૂલ્યવાન વિવરણ કરીને વિશેષે શોભે છે. “આપણી કવિતાસમૃદ્ધિ” તેમાંના કાવ્યપસંદગીના ધોરણે નહિ તેટલી તેના ઉદ્દઘાત-વિવરણ અને આયોજન પરત્વે મહત્વની કરે છે. “બુદ્ધિપ્રકાશ ; લેખસંગ્રહ’ ગુજરાતના જુના શિષ્ટ સામયિકમાંના વિધવિધ કોટિનાં વિષય અને શૈલીના સત્ત્વશીલ લેખોને ગ્રંથસ્થ કરી આપે છે. “મણિલાલની વિચારધારા” અને “મણિલાલના ત્રણ લેખોગુજરાતના ઉપેક્ષા પામેલા એક સમર્થ ચિંતકના અભ્યાસપાત્ર છતાં અપ્રાપ્ય બનતા જતા નિબંધને, અભ્યાસોપગી માહિતી અને દૃષ્ટિ સમેત, સુલભ કરી આપે છે.
આ રીતે આ દાયકાના વાડ્મયને સંશોધન-સંપાદન વિભાગ ઠીક માતબર બને છે એમ કહી શકાય.
Page #78
--------------------------------------------------------------------------
________________
ઘથ અને ગ્રંથકાર પુ. ૧૦
ધર્મ અને તત્વજ્ઞાન વિચારેની કશી નવીનતા કે અસાધારણતા વિનાનાં, પરંપરિત ધર્મ અને તત્ત્વજ્ઞાનને શ્રદ્ધાથી સ્વીકારી તેનું સમર્થન કરનારાં કે તેમાંથી બોધ પ્રગટાવનારાં કુડીબંધ પુસ્તકે હરકેઈ દાયકાની જેમ આ દાયકે પણ આપણને મળ્યાં છે. એમાંનાં ઘણુંખરાં પુસ્તકે જીવ-જગત-ઈશ્વરના સંબંધ વિશે, સંતચરિત્ર કે તપ, દાન, ભક્તિના આચાર વિશે કે ઈશ્વરશ્રદ્ધા અને પ્રેમના માહામ્ય રૂપે સાંપ્રદાયિક દૃષ્ટિએ ધર્મતત્વજ્ઞાનની ચર્ચા કરતાં રહે છે. એમાં ઉપનિષદોથી માંડીને બૌદ્ધ, જૈન અને વૈષ્ણવ સંપ્રદાય સુધીની વિચારણાનું પ્રતિબિંબ પડેલું છે.
આવાં પુસ્તકોમાં “દિવ્યપ્રેમદર્શન” (પ્રાણલાલ બક્ષી), “દિવ્યદર્શન' (શ્રી. વિજયદાનસૂરીશ્વરજી), “વેદાંત અને યોગ', “શ્રીમદ્ ભાગવત માર્ગદર્શિકા', “શ્રી. રમણ મહર્ષિ', ‘વિચારસૂર્યોદય', (ચારેના કર્તા સ્વામી માધવતીર્થ), “જ્ઞાન અને કર્મ” (સ્વામી અદ્વૈતાનંદ), વિભૂતિ ' (વિષ્ણુપ્રસાદ બક્ષી), “પરમ પુરુષાર્થ ' (સ્વામી અદ્વૈતાનંદ) અને “દાનધર્મ– પંચાચાર' (સ્વ. મનસુખભાઈ ડી. મહેતા) જેવાં કેટલાંક ઉલ્લેખ પાત્ર છે. શ્રીમદ્દભગવદ્દગીતાનું રહસ્ય તારવી આપતાં ડઝનેક સારાં પુસ્તકો આ દાયકે પ્રગટ થયાં છે, એ ગીતા પ્રત્યેની ધર્મપ્રેમી સમાજની ચાલુ રહેલી
અભિમુખતાનું નિદર્શન કરે છે. સંતચરિત્રો અને સરળ વેદાંતનાં પુસ્તકો ઠીક સંખ્યામાં વંચાતાં જણાય છે. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ભક્તિમાર્ગ કાર્યાલય અને નવજીવન કાર્યાલય આ ક્ષેત્રમાં સૌથી વધુ સેવા બજાવી રહેલ છે. - ધાર્મિક સાહિત્ય મોટા પ્રમાણમાં પ્રગટતું રહે છે, પરંતુ ધર્મતત્ત્વના -ભંડાણમાં જઈને વૈજ્ઞાનિક બુદ્ધિવાળા મનનશીલ વાચકને ધર્મનું અવગાહન કરાવે તેવાં પુસ્તકે બહુ ઓછાં મળે છે. ઘણામાં ઘણું તે આવાં પુસ્તકેથી આસ્થાળુ અને ધાર્મિક વૃત્તિ કે સંસ્કારવાળાં સરલ માણસને ધર્મવાચનને ખોરાક મળે છે એટલું જ.
આ વિભાગનાં ખરેખર સમૃદ્ધ ગણાય તેવાં પુસ્તકે ચાર છે. સંસાર અને ધર્મ' (મશરૂવાળા), “મોત પર મનન’ (દાવર), “જીવનસંગ્રામ' (સં. નંદલાલ ભ. શાહ) અને “જ્ઞાનગી ચંદુભાઈ સાથે વાર્તાલાપ” (સં. નારૂશંકર ભટ્ટ).
“સંસાર અને ધર્મ": આ પુસ્તકમાં શ્રી. મશરૂવાળાના ત્રીસ અને એમના ગુરુ શ્રી નાથજીના ત્રણ એમ કુલ તેત્રીસ દાર્શનિક લેબેને સંગ્રહ
Page #79
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાડ્મય પર દષ્ટિપાત થયેલું છે. એને પંડિત સુખલાલજીની વિચારપ્રેરક પ્રસ્તાવનાને સુયોગ પ્રાપ્ત થયેલ છે. લેખકેના વક્તવ્યને ઝોક જીવનના સ્વલક્ષી નહિ પણ વિધલક્ષી બેય તરફ, સ્વતંત્ર વૈયક્તિક સત્યજની પ્રવૃત્તિ તરફ અને વ્યક્તિગત તેમજ સામાજિક સદાચાર તરફ વિશેષ વળે છે. લેખમાં આપણું ઘણું ઈશ્વર-વિષયક ભ્રમોનું, અવતારવાદ કે ગુરુપૂજાવાદનું અને દાર્શનિક તત્ત્વજ્ઞાનની પરંપરા ચાલુ રહેલી કેવળ ભાષ્યો જ રચવાની પ્રવૃત્તિને પોષવાના વલણનું સચોટ દલીલેપૂર્વક ખંડન થયેલું છે. આપણે ત્યાં તત્ત્વવિચાર કેવળ પરંપરિત દર્શનના પડછાયામાં જ મોટે ભાગે રજુ થતો હોય છે. શ્રી. મશરૂવાળાએ ધર્મ અને તત્વજ્ઞાનના વિવિધ પ્રશ્નોની મૌલિક દૃષ્ટિએ છણાવટ કરી પ્રાચીન રહસ્યને આત્મસાત કર્યા બાદ “આતમની સુઝ' વડે તેના ઉપર અને પ્રકાશ નાખે છે. એમની મનનશીલતા, સત્યનિષ્ઠા અને તર્કશકિત ગમે તેવા ગહન વિષયની આમૂલ પકડ દ્વારા વિશદ આલેચના કરી બતાવે છે. પંડિત સુખલાલજીએ ગ્રંથની પ્રસ્તાવનામાં યોગ્ય જ કહ્યું છે કે “કોઈ અંતઃપ્રજ્ઞાની અખંડ સેર લેખકના મનમાં નિરંતર વહ્યા કરે છે આ દૃષ્ટિએ “સંસાર અને ધર્મ' આ વિભાગનું ઉત્તમ પુસ્તક છે.
મોત પર મનન' આપણું એક શ્રદ્ધાળુ ધર્મચિંતક અને સંમાન્ય અધ્યાપક શ્રી. રાવરને મૃત્યુની અનિવાર્યતા અને મહત્તા સમજાવતે ચિંતનગ્રંથ છે. અનેક ઉદાહરણો અને અનુભવ પ્રસંગો દ્વારા તેમણે મૃત્યુનું ઈશ્વરની યોજનામાં શું સ્થાન છે તે બતાવ્યું છે. મૃત્યુની મંગલતા, મૃત્યુ પછીની સ્થિતિ, કર્મ અને પુનર્જન્મના સિદ્ધતિ, વિવિધ ધર્મોને મૃત્યુ અને મરણોત્તર જીવનવિષયક ખ્યાલ વગેરે બાબતો વિશે ચોકસાઈથી અનેક દલીલ અને દુનિયાની કેટલી ય ભાષાઓનાં સાહિત્યમાંથી વીણેલાં અઢળક અવતરણો દ્વારા પ્રે. દાવરે વિષય પર અપૂર્વ પ્રકાશ પાડયો છે. ગ્રંથમાં લેખકની બહુશ્રુતતા, તુલનાત્મક દૃષ્ટિ, ધાર્મિકતા અને સનિષ્ઠા વરતાઈ આવે છે.
અન્ય બે પુસ્તકમાં “જ્ઞાનગી ચંદુભાઈ સાથેને અધ્યાત્મ વાર્તાલાપ' રાંદેરના બ્રહ્મનિષ્ઠ સંસારગી ચંદુભાઈની ધર્મ, તત્ત્વજ્ઞાન, સાધના, એગ અને વ્યવહારને લગતા અનેક પ્રશ્નો પરની આંતર સૂઝથી પ્રગટેલી જ્ઞાનવાણીનું પુસ્તક છે. તેમના આધ્યાત્મિક અનુભવો અને સરલ સૌમ્ય વ્યક્તિત્વ તેમની ભાષા અને વિચારણામાં બળ પૂરે છે. એવું જ
Page #80
--------------------------------------------------------------------------
________________
૧૮
ગ્રંથ અને ગ્રંથકાર પુ૦૧૦
બીજું પુસ્તક જ્ઞાન-વૈરાગ્ય—ભક્તિની કવિતાના સંપાદક શ્રી. નંદલાલ ભા. શાહે આપ્યું છે. એનું નામ ‘ જીવનસંગ્રામ '. જીવનમાં આવી પડતી આફતો પ્રભુપ્રેરિત અને આવશ્યક છે એમ સિદ્ધ કરીને ખાદ્ય અને આંતર ધણુ વેળા ધીર સાધકે કેવાં મન, પ્રકૃતિ અને વન રાખવાં તે સરળ વાણીમાં વિશદતાથી તેમણે સમજાવ્યું છે. યેાગના સમન્વય એમના સંદેશ છે.
ક
યાગ અને ભક્તિ
સંસ્કૃતિ–ચિંતન
આધુનિક જીવનસ્થિતિને લક્ષમાં રાખીને આપણી હાલની સ ંસ્કૃતિ વિશે સ્વતંત્ર મૌલિક ચિંતન રજૂ કરતું સમથ પુસ્તક આ દાયકે એક મળ્યું છે તે ‘સમૂળી ક્રાન્તિ, '
પ્રવર્તમાન સંસારના જીવનનાવની ડામાડેાળ સ્થિતિ અને ગતિ બતાવી, તેનાં મૂળ કારણેા શેાધી જીવનસમૃદ્ધિ વધે તે અર્થે દિશાસૂચના કરાવતું આ પુસ્તક આ દાયકાનું ઉત્કૃષ્ટ ચિંતનપુસ્તક છે. આપણી ભાષાને ‘હિંદ સ્વરાજ' પછી કેટલેય વર્ષે આવું ક્રાન્તિકારી વિચારસરણીવાંળુ પુસ્તક પ્રાપ્ત થયું છે. પ્રજાજીવનની નાડની ખરી પારખ અને તેનું યથાશક્તિ નિદાન તેમાં મળે છે. સાચા તત્ત્વજ્ઞની જેમ બધા પૂર્વગ્રહો, દૃઢ માન્યતાઓ અને સંકુચિત મમતાથી પાર જઈને જોવાના તેના લેખક શ્રી. મશરૂવાળાને હેતુ તેમાં પૂરેપૂરા ચરિતા થયેલા છે. ધમ અને સમાજ, આર્થિક ક્રાન્તિ, રાજ કીય ક્રાન્તિ અને કેળવણી એ ચારે વિભાગામાં નવી બળવાન જીવનવ્યવસ્થાને સર્જવા માટે અને અવરોધક, સડી ગયેલી અત્યારની સંસ્કૃતિ (?)તે તત્કાળ ફેંકી દેવા માટે શાની સાધના કરવી જોઈએ એનું મા - દન લેખકે તેમાં કરાવ્યું છે. વૈજ્ઞાનિક સત્યશેાધક અને નિર્ભીય વિચારાચારક શ્રી. મશરૂવાળાએ પેાતે સમજેલ કે અનુભવેલ સત્યને કશી જાતની બાંધાડ વિના નીડરપણે સચોટતાથી અનેક શુદ્ધ પ્રમાણેા અને તર્ક પૂત દલીલોથી મડિત કરીને ‘ સમૂળી ક્રાન્તિ 'માં રજૂ કરેલ છે. એમાંનાં કેટલાંક વિધાના ચિંત્ય છે. પણ લેખકની સત્યપ્રીતિ, નિષ્ઠા, મનનશીલતા, અનુભવ, અવલાકનખળ અને લેાકસ ગ્રહની ભાવના ગમે તેવા વિધી વિચારવાળા વાચક ઉપર પણ પ્રભાવ પાડવા વિના રહે તેમ નથી.
શ્રી. રતિલાલ મે.ત્રિવેદીકૃત ‘ થાડાંક અર્થ દશ ના 'પ્રાચીન સાહિત્ય, પુરાણુ અને સંસ્કૃતિનાં કેટલાંક રહસ્યોને નવીન જ્ઞાનમૂલક દૃષ્ટિએ મૂલવવાના પ્રયાસનું પરિણામ છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાડ્મય પર દંષ્ટિપાત
ઈતિહાસ
ગયાં દસ વરસામાં ઇતિહાસવિભાગને ચોપડે વિશિષ્ટ યુગ અને પ્રશ્નજીવન ઉપર વેધક પ્રકાશ નાખતી એક જ સળંગ મૌલિક અણીશુદ્ધ ઇતિહાસ-કૃતિ જમા થઈ છે. બાકીનાં આપણા ઇતિહાસ વિશેના
લેખસંગ્રહેારૂપ કે પરભાષામાંથી તારવણીરૂપ પુસ્તકા છે.
‹ ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ ઃ ઇસ્લામ યુગ ખંડ ૧ ';
.
અમદાવાદ' અને ‘ખંભાત ' જેવા પ્રમાણભૂત ગ્રંથા આપનાર શ્રી. રત્નમણિરાવ જોટેતા આ ત્રીજો સમ ગ્રંથ છે. ઇસ્લામની પૂર્વ ભૂમિકાથી માંડીને ગુજરાતની મુસ્લિમ સલ્તનતનાં પ્રારભ સુધીના સમયપટને તેમાં આવરેલ છે. ગુજરાતનાં સ્થાપત્ય, સાહિત્ય, સંતા અને સમાજજીવન વિશે ભરપૂર માહિતી અને તિહાસદૃષ્ટિ તેમાંથી મળે છે. ‘ગુજરાતી સમાજનું બંધારણુ ' એ તેનું પોંદરમું પ્રકરણ પુસ્તકના શીકને ખરેખર સાથ કરે છે. પુસ્તકમાં સ'પાદિત, સ`કલિત અને સંશોધિત સામગ્રી પુષ્કળ છે. પાટીમાં ઉલ્લેખાયેલા સંખ્યાબંધ ગ્રંથા અને ગ્રંથકારો તથા તેમના ઉપરની લેખકની સ્વત ંત્ર ટીકાએ શ્રી. રત્નમણિરાવ સ્વતંત્ર દૃષ્ટિના અભ્યાસક અને શાસ્ત્રીય ઇતિહાસકાર છે એમ બતાવે છે.
"
*
ગુજરાતના ઇતિહાસ-સંશેાધકામાં શ્રી. દુર્ગારામ શાસ્ત્રોનું નામ અગ્રગણ્ય છે. આ દાયકાના ‘ઐતિહાસિક સાધના’માં એમના એ વિષયના વિદ્વત્તાપૂર્ણ લેખાના સ ંગ્રહ થયા છે. લેખાને તેમણે ‘સ શેાધનનું સ્વારસ્ય', ‘વ્યક્તિવિષયક સંશોધન', ‘ધાર્મિ ક પ્રવાહ', ‘દેશાન્તČત જાતિવિષયક સ ંશોધન', સામાજિક અને પ્રકી સંશોધન ' અને ‘ ગુજરાતનાં તૌ સ્નાના ’ એમ છ ખંડામાં વહેંચી નાખ્યા છે. શાસ્ત્રીય સંશાધકને આવશ્યક સત્યનિષ્ઠા, તાલનશક્તિ, વિવેક, પરિશ્રમવૃત્તિ, ધૈર્ય, ચિકિત્સકતા અને કૌશલ શ્રી. શાસ્ત્રીમાં છે એની પ્રતીતિ આમાંના ઘણા લેખા કરાવે છે. રુદ્ર-કન્યાન દાના વનમાં, રાધાના અન્વેષણમાં અને હજામતના સંશેાધનમાં એમની ગંભીર પયેષક શૈલી હળવી રસિકતા પણ ધારણ કરે છે.
'
• સત્યાગ્રહાશ્રમના ઇતિહાસ ' એટલે ઇ. સ. ૧૯૧૫ માં અમદાવાદમાં સ્થાપેલ સાબરમતી સત્યાગ્રહાશ્રમમાં આદર્શ આશ્રમજીવન ધડવાના હેતુએ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય ઇત્યાદિ અગિયાર તેને સામુદાયિક રીતે અમલમાં મૂકવાના પેાતે કરેલ પ્રયાગાનેા ગાંધીજીએ પેાતે અવલેાકનાત્મક પદ્ધતિએ આલેખેલા ઇતિહાસ. તેમાં તેમણે તપ અને સંયમ માટે
Page #82
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ૦ ૧૦
સ્વીકારેલ જીવનત્રતાનું તત્ત્વ અને વ્યવહાર બેઉની ભૂમિકા ઉપર રહીને મૌલિક મ`દન કરાવેલું છે. ગુજરાતમાં ન`દના ઉત્તર જીવનથી શરૂ થયેલી રચનાત્મક ધ`વિચારની પ્રવૃત્તિને સર્વાંગસંપૂર્ણ વિકાસ આપણને ગાંધીજીનાં આવાં લખાણેામાં વિસ્તાર પામતા જણાય છે. પુસ્તક ગુજરાતમાં ઉત્ક્રાંત થયેલ ઉદાર અને સર્વાંગ્રાહી, જગદ્દાપી ધર્મભાવનાને તિહાસ પણ આપે છે. આપણા ચિંતનસાહિત્યમાં આ કૃતિ અધૂરી હોવા છતાં પણ અગત્યના ઉમેરારૂપ છે.
>
<
"
'
<
:
પ્રા. વિજયરાય વૈદ્યરચિત ઋગ્વેદકાલનાં જીવન અને સ ંસ્કૃતિ ' નામના ઇતિહાસ -પુસ્તકમાં પ્રાચીન તિહાસનાં તૈયાર અન્વેષણાને આધારે વૈદિક સમયનું દર્શન કરાવતા કથાત્મક. વૃત્તાંત છે. લેખકની ઘણી માન્યતાએ અને વિધાને ઇતિહાસપૂત હાવા વિશે શંકા છે. લેખકમાં સ્વસ્થતાવાળી શેાધનત્તિ કરતાં મહત્ત્વાકાંક્ષી પ્રયોગા કરવાનું વલણ વધુ જણાય છે. પુસ્તકનાં ધર્મભાવના ', સમાજરચના ', રાજભાવના ’, ‘ શાસનપદ્ધતિ' અને ‘ યુદ્ધવિદ્યા ' એટલાં પ્રકરણા રા. વૈદ્યની ચિત્રાત્મક શૈલી અને કુતૂહલવ`ક હકીકતા વડે સભર બન્યાં છે. આ એક ઇતિહાસપ્રયાગ ' જ હોવાથી એમાં નિરૂપણુની નવીનતા, શૈલી અને ભાષાનું વૈચિત્ર્ય અને ઈતિહાસકથાના રસ ખાસ ધ્યાન ખેંચે છે. આપણા ધ્યાન શેાધક રા. ભોગીલાલ સાંડેસરાનાં આ દાયકે ત્રણ ઇતિહાસ-પુસ્તકા પ્રાપ્ત થયાં છેઃ • ઇતિહાસની કેડી ', વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા લેખેા ' તથા જ્યેષ્ઠીમલ જ્ઞાતિ અને મલ્લપુરાણુ’. પહેલામાં ઇતિહાસ-પુરાતત્ત્વના અભ્યાસની કેડીએ વિચરતાં પ્રાચીન ભારતનાં સમાજ, સંસ્કૃતિ ને વિદ્યાકલા ઉપર પ્રકાશ પાથરે એવું જે કાંઇ લેખકને મળ્યું. તે છૂટા ચૌદ લેખા દ્વારા રજૂ થયેલું છે. સાંસ્કૃતિક ઇતિહાસ લેખકતે અભિપ્રેત હેાવાથી ‘આપણું લેાકવાર્તાવિષયક સાહિત્ય ', · આયુવેદની સમાલાચના ', દેવદેિશનાં ભેગાસનાનાં શિલ્પ ', · પ્રાચીન ભારતની વિમાનવિદ્યા' તે કામદેવની મૂછ ' જેવા વિવિધ પ્રકારના વિષયા તેમાં સમાવેશ પામ્યા છે. · પ્રશ્ન'ધ ચિંતામણિ' અને ‘ ગુજરાતનાં સંસ્કૃત નાટક ' જેવા લેખા રા. સાંડેસરાની શાસ્ત્રીય દૃષ્ટિ, સ્વસ્થ લખાવટ અને તાલનશક્તિનાં દર્શન કરાવે છે. રા. સાંડેસરાની ખીજી અને ત્રીજી કૃતિ નાનકડી પુસ્તિકા છે. એકમાં વસ્તુપાલ અને તેના વિદ્યામ`ડળની સાહિત્યરસિકતા • તથા પાટણનેા જૈન ઇતિહાસ, કેટલાક ઐતિહાસિક શિલાલેખા, નૈષધકાવ્યના પ્રસાર અને
:
.
k
'
Page #83
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાભય પર દષ્ટિપાત સંડેર નામના ઉત્તર ગુજરાતના એક ગામડા વિશે નવી સામગ્રી પૂરી પાડી છે, તે બીછમાં મલ્લવિદ્યા તથા ધનુર્વેદને ધંધે સ્વીકારનાર એક વાર બ્રાહ્મણ જ્ઞાતિના પુરાણુ-ઇતિહાસને પરિચય કરાવ્યો છે.
શ્રી. રામલાલ મોદીએ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યને સંસ્કૃત “યાશ્રય” મહાકાવ્યમાંથી મધ્યકાલીન ગુજરાતના સામાજિક ઇતિહાસની ઉપલબ્ધ એટલી બધી સામગ્રીને ઉ૫યોગ “મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ એ પુસ્તકમાં કર્યો છે. પુસ્તકમાં સામાજિક તત્તની ઠીકઠીક તારવણી છે. એમાંની ઘણી હકીકતે નક્કર અને કુતૂહલપેષક હોવાથી પુસ્તક રસપ્રદ બન્યું છે.
હિંદની અંગ્રેજ વેપારશાહી'માં ઈતિહાસનું નવું સંશાધન નથી, પણ સ્વતંત્ર રાષ્ટ્રીય દષ્ટિ છે. ફિરંગી, વલંદા, અંગ્રેજ ને ફેન્ય વેપારીએના હિંદપ્રવેશ અને વેપારરીતિના હેવાલથી માંડીને નાના ફડનવીસના મૃત્યુ સુધીને ઈતિહાસ બાર ખંડમાં શ્રી. મગનભાઈ પ્ર. દેસાઈએ તેમાં આલેખ્યો છે. એમાં નિરૂપિત ભારતીય દષ્ટિ, સ્વતંત્ર રાષ્ટ્રચિંતન અને ઈતિહાસ-પૃથકકરણ ઈતિહાસના અભ્યાસીઓને મદદગાર બનશે એમાં શંકા નથી.
શ્રી. ચંદ્રભાઈ ભટ્ટનાં “ક્રાતિનાં પરિબળો” અને “લોકક્રાન્તિ” જગતકાન્તિના ઈતિહાસનું રેખાદર્શન કરાવવાના હેતુથી લખાયેલાં છે. ઈ. સ. પૂર્વે ૧૨૦૦-૧૩૦૦ વર્ષથી શરૂ કરીને રૂસી લોકક્રાતિ સુધીની ઘટનાઓને આ બંને પુસ્તકમાં સમાવેશ છે. લેખકની દષ્ટિ ચેખા સામ્યવાદથી રંગાયેલી હોવાથી ક્રાન્તિને કારણરૂપે તેઓ અનિષ્ટ વર્ગભેદ અને આર્થિક શોષણનીતિને જ આગળ કરે છે અને ઘણે સ્થળે ચારણિયા શૈલી અને અતિશયોક્તિમાં ઊતરી પડે છે.
આ ઉપરાંત આ વિભાગમાં આવતાં “બ્રહ્મદેશ' (૨મેશનાથ રંગનાથ ગૌતમ), “આપણું બાંધવરાષ્ટ્ર ચીન” (જીવણલાલ ચાંપાનેરીઆ), “રાતું રૂસ’ અને ‘જય સોવિયેટ” (ચંદ્રભાઈ કા. ભટ્ટ), “જય ઈડોનેશિયા' અને
આપણે સાગરસૈનિક' (મહેન્દ્ર મેઘાણી ) વગેરે માહિતી પૂર્ણ પુસ્તકે ઉલ્લેખવાં જોઈએ. ગુજરાત સાહિત્ય સભાના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલા પ્રથમ ઈતિહાસ સંમેલન પ્રસંગે રજૂ થયેલા નિબંધમાંથી ચુંટેલા ૨૦ નિબંધના સંગ્રહ “ઈતિહાસ સંમેલન-નિબંધસંગ્રહ’ને મુખ્યત્વે તેમના “પશ્ચિમી ક્ષત્રપો' ( માંકડ ), “ઈતિહાસલેખન' (રામલાલ
Page #84
--------------------------------------------------------------------------
________________
७२
ગ્રંથ અને ગ્રંથકાર પુ॰૧૦
"
મેાદી ), · કેટલાક હસ્તલિખિત ફારસી ગ્રંથ ’ ( દી. ખ. ઝવેરી ), ‘ ગુજ. રાતના ઇતિહાસમાં કચ્છનું સ્થાન ' ( રામસિહજી રાઠોડ ) અને ડૉ. સાલેતારના બે અંગ્રેજી લેખાને લીધે મહત્ત્વના ગણુવા જોઇએ.
સમાજિવદ્યા
(અર્થકારણ, રાજકારણ ઇત્યાદિ)
દાહેાદ તે ઝાલાદ તાલુકામાં સવા લાખની સંખ્યામાં વસતા ભીલેાનાં રૂપ, ગુણ, સ્વભાવ, રહેઠાણુ, ભાષા, ધધા, પહેરવેંશ, અલ'કાર, જન્મ મરણ ને લગ્નની વિધિઓ, ખારાક, રહેણીકરણી, જમણવાર, ધમ, વહેમા, તહેવારો તે ઉત્સવા વિશે જાતઅનુભવ અને અવલેાકનને આધારે ભીલ સેવામ`ડળના આજીવન સભ્ય રા. પાંડુરંગ વણીકરે સમાજશાસ્ત્રના અભ્યાસીએને ઉપયાગની પુષ્કળ સામગ્રી ‘ગુજરાતના પ'ચમહાલ જિલ્લાના ભીલેા 'માં રજૂ કરી છે. તેનાં છેલ્લાં પાણાસે પાનાંમાં ભોલેનાં લગ્નગીતા, શૌય ગીતા, ગરખાલ ડાળ, કહેવતા, અટકા ને ભિલાડી રામાયણ આપ્યાં છે. ગુજરાતના પૂર્વી સીમાડા ઉપર વસતી આ આદિ પ્રજાની તપાસ નૃવ વિદ્યાની અને માનવિજ્ઞાનની દૃષ્ટિએ પણ થઈ હાત તેા પુસ્તકની ઉપયેાગિતા ઍર વધત. પણુ સમાજશાસ્ત્ર અને ભાષાશાસ્ત્રના રસિયાઓની પુસ્તક દ્વારા સેવા થઈ છે, તે અલ્પ નથી. ગુજરાતી સાહિત્યના પ્રદેશમાં સ. ૧૯૭૧માં પ્રગટ થયેલ * ભીન્નેનાં ગીત ' પછીના એ પ્રજા સબંધી આ ખીજો નોંધપાત્ર ગ્રંથ છે.
શ્રી. રમણલાલ વ. દેસાઇએ ગણિકાવૃત્તિ અને તેની સંસ્થાઓ વિશેને ગૃહન્નિબંધ ‘અપ્સરા’ ચાર ખ`ડમાં પ્રગટ કર્યાં છે. માનવજાતિને માથે કલ`કરૂપ ગણાય તેવી હજી એ પ્રવૃત્તિએ વિશ્વમાં ચાલુ છે: યુદ્ધ અને ગણિકા. વૈજ્ઞાનિક દૃષ્ટિએ નહિ તેટલી ઐતિહાસિક અને સામાજિક દૃષ્ટિએ વેશ્યાસસ્થાને ઊગમ, ગણિકાવૃત્તિના ફેલાવા, તેનાથી ઉપજતાં ગુહ્ય દર્દી, સ્ત્રીની ગુલામી અને તેની દલાલી, યુદ્ધની તેના પર પડતી અસર, ગણિકાવૃત્તિનું કાયદા દ્વારા નિયંત્રણ અને રશિયા, અમેરિકા, હિંદ, યુરેાપ અને એશિયાની ગણિકાસંસ્થાઓ સબધી વિસ્તારથી, અકડાએ સહિત, તેમણે માહિતી આપી છે તે ચિકિત્સા કરી છે. ઇતિહાસ અને સાહિત્યમાંથી અનેક દૃષ્ટાંતા આપીતે તેમણે વિષયચર્ચાને રસિક બનાવી છે. લેખકની કૌતુલિક પયે - ણકતા, કથનની સરસતા, દૃષ્ટિની સગ્રાહિતા અને સુરુચિના ધારણની
+
Page #85
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વામય પર દષ્ટિપાત સાચવણી આ હદબહાર લાંબા થઈ ગયેલા નિબંધના વાચનને સહ્ય બનાવે તેમ છે.
શ્રી. વિમલ શાહ અને શ્રી. સરલા શાહમૃત “ભુવેલની તપાસ” ખંભાત પાસેના ભુવેલ ગામની સામાજિક અને આર્થિક તપાસનો અહેવાલ ' છે. તંદુરસ્તી, સ્વચ્છતા, સામાજિક અને ધાર્મિક જીવન, રાજ્યવહીવટની
વ્યવસ્થા ઉપરાંત આર્થિક જીવન વગેરે લોકજીવનનાં સર્વ પાસાંને ચિતાર તેમાં મળે છે. ખેતીવાડી, જમીનની વહેંચણીની પ્રથાઓ, ગામડાના ધંધારોજગાર, લોકોની સામાજિક અને ધાર્મિક રૂઢિઓ, તેમની આવક -જાવક અને દેવું, સહકારી તંત્ર અને ગામને લગતી સામાન્ય માહિતી આદિ અનેક બાબતોની વ્યવસ્થિત રજુઆત એમાં થઈ છે. પરિશિષ્ટો, અપરિચિત શબ્દોની સમજુતી, અનેક કેઠાઓ, આકૃતિઓ, નકશાઓ તથા ફોટોગ્રાફોથી પુસ્તક શાસ્ત્રીય અભ્યાસ અને નિરીક્ષણના નિચેડરૂપ બનવા ઉપરાંત સમાજવિદ્યાની વ્યાવહારિક તાલીમની દિશામાં નવું પગલું પાડે છે.
આચાર્ય ધ્રુવ, મહામહોપાધ્યાય શ્રીધર શાસ્ત્રી, પાઠક અને પાંડુરંગ વામન કાણે તથા બીજા વિદ્વાનોનાં સંશોધન-વિવેચનો લાભ લેવા ઉપરાંત અનેક ધર્મગ્રંથમાંથી પુષ્કળ સામગ્રી તારવીને તે દ્વારા શ્રી. ચંદ્રશંકર શુકલે “મંદિર પ્રવેશ અને શાસ્ત્રો માં પ્રતિપાદિત કર્યું છે કે વેદકાળમાં અસ્પૃશ્યતા નહેતી; પુરાણમાં ચાંડાલ, ગુહને ભીલ અસ્પૃશ્ય નથી ગણાયાઃ ગીતા, ભાગવત અને ભાગવતધર્મમાં ચાંડાલદ્વેષને અવકાશ જ નથીઃ શંકરાચાર્ય આદિ ધર્માચાર્યો અને એકનાથ આદિ સંતોએ અસ્પૃશ્યતાનો વિરોધ કર્યો છે. જૈન, બૌદ્ધ, પુષ્ટિમાર્ગ અને સ્વામીનારાયણ સંપ્રદાયના મૂળ સંસ્થાપકોનાં વચનોને અસ્પૃશ્યતાને કોઈ રીતે ટકે નથી – અસ્પૃશ્યતાને શાસ્ત્રસંમત ધર્મ માની બેઠેલી હિંદુ જનતાને ભ્રમ દૂર કરવા વેદકાળથી માંડીને આજ સુધીના ત્રષિમુનિઓ, ધર્માચાર્યો અને સાધુસંતોનાં વચને તે તે પ્રસંગોની કથાઓ સાથે પુસ્તકમાં ટાંકવામાં આવ્યાં છે. એકંદરે આજના સવર્ણોનું હરિજનો પ્રત્યેનું વલણ-વર્તન કેટલું વિચારમૂઢતાવાળું અને અધાર્મિક છે એનું સચોટ ભાન પુસ્તક કરાવે છે.
ગામડાંની ઉત્પત્તિ કેમ થઈ એ વર્ણવી પચાસ વર્ષ પહેલાંનાં ગામડાંનાં તંત્ર, સમાજજીવન, શિક્ષણ, તહેવારો, લોકોના આચારવિચાર, શ્રમવ્યવસ્થા અને દિનચર્યાનું યથાર્થ નિરૂપણ શ્રી. રવિશંકર મહારાજે બેચાસણના વલ્લભવિદ્યાલયમાં આપેલાં વ્યાખ્યાનના સંગ્રહ “ગ્રામરચનામાં
Page #86
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫૦ ૧૦
મળે છે. ગામડાંનાં અજ્ઞાન, વ્યસને, સંગઠનને અભાવ, અસ્વચ્છતા અને રૂઢિમમત્વ પણ તેમાં વ્યાખ્યાતાએ ચીંધ્યાં છે. આપણી સંસ્કૃતિ કેમ તૂટી, આજની કેળવણીએ આપણને કેવા કરી મૂકયા, ગાંધીજીએ તેમાં કેવું પરિવર્તન આણ્યું વગેરે મુદ્દાઓ મહારાજે પોતાની સીધી, સરળ, સ્પષ્ટ અને લેગમ્ય ભાષામાં સાહજિકતાથી છણ્યા છે. ગ્રામીણ લેકસમાજનાં ઉપાદેય અને હેય તને પૂરેપૂરા પિછાણી મહારાજે તેનું સાચું , નિદાન કરીને શ્રમસેવારૂપી ઔષધની પુસ્તકમાં હિમાયત કરી છે.
સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયે શ્રો. વિદ્યાબહેન નીલકંઠ અને શ્રી પ્રભુદાસ પટવારી પાસે સંપાદન કરાવેલ “સ્ત્રીઓના વિવિધ પ્રશ્નો' સ્ત્રીઓની વર્તમાન સામાજિક, આર્થિક, શિક્ષણવિષયક અને શારીરિક સ્થિતિનો સમગ્ર ખ્યાલ આપતા સાત ઈનામી નિબ ધન સંગ્રહ છે. સાતમાંથી માહિતીની દૃષ્ટિએ પહેલા ત્રણ નિબંધ ધપાત્ર ઠરે તેમ છે. સાતે લેખકની વિચારણા આવેશ ને ઊમિલતારહિત સ્વસ્થતાવાળી છે, સંપાદકો અને પ્રકાશકનાં નિવેદને તથા ગ્રંથાજો છાપેલા સમાજમાં સ્ત્રીઓના સ્થાન વિશેને ગાંધીજીના વિચારે મનનપ્રેરક છે.
આ ઉપરાંત સમાજની તથા નારીજીવનની વિચારપ્રેરક સામગ્રી માટે “સબળભૂમિ ગુજરાત' (રાયચુરા ), “કાઠિયાવાડના મૂમના” (ભગવાનલાલ માંકડ), ગુજરાતની શરીરસંપત્તિ' (અનામી), “પ્રસુતિ' (ડો. રતિલાલ ભટ્ટ), “હળપતિમુક્તિ” (જુગતરામ દવે), વગેરે પુસ્તકે આ વિભાગમાં ઉલ્લેખી શકાય. સંસારશાસ્ત્રની કેટલીક સમસ્યાઓ છણીને તે દ્વારા માર્ગદર્શન કરાવવાને આ દાયકે રા. સોપાને ઠીક પ્રયત્ન કર્યો છે. “લગ્નસાધનામાં તેમણે આજનાં કુમાર-કુમારિકાઓનાં જીવન અને લગ્ન સંબંધી સ્વસ્થ ને વિશદ ચર્ચા કરી છે. રા. મંજુલાલ દેસાઈએ “હસ્તમેળાપ'માં વિવાહ સંસ્કાર, લગ્નસંસ્થા અને લગ્નજીવનના આદર્શો વિશે સારી સામગ્રીનો સંચય કર્યો છે. શ્રી. સોપાનની જેમ શ્રી. મનુમતી અને શ્રી દેવશંકર મહેતાએ “મૂંઝવતા પ્રશ્નો માં પણ એ જ પ્રકારના પ્રશ્નો છેડયા છે.
અર્થશાસ્ત્રમાં સૌથી વધુ ધ્યાન ખેંચે એવું પુસ્તક શ્રી. નરહરિભાઈ પરીખનું માનવ અર્થશાસ્ત્ર’ છે. અર્થશાસ્ત્રના સ્વતંત્ર મૌલિક ગ્રંથ ગુજરાતીમાં છે જ નહિ, એવી પરિસ્થિતિમાં આ ગ્રન્થ ખૂબ મહત્વને ઠરે છે. “પ્રાસ્તાવિક “ઉત્પાદન,” “વિનિમય,' “વહેંચણી,' “વ્યય,” “નવીન અર્થરચના' અને “મૂળ ઉદ્યોગે ' એ સાત ભાગમાં અર્થશાસ્ત્રનાં મૂળતની અને એને
Page #87
--------------------------------------------------------------------------
________________
6
ગયા દાયકાના વાણમય પર દષ્ટિપાત લગતા લગભગ તમામ પ્રશ્નોની ચર્ચા ગ્રંથમાં સાંકળવામાં આવી છે. લેખકનું દષ્ટિબિદ સર્વોદયને લક્ષત અને ગાંધીવાદી વિચારસરણીને પુરસ્કાર હોવાથી બહુજનસમાજના હિત અને આબાદીની દષ્ટિએ અત્યારની અર્થવ્યવસ્થાનાં દૂષણો અને તેના નિવારણની, મૂડીપતિઓના ટ્રસ્ટીપણાની ભાવનાની, જરૂરિયાત ઘટાડવાના ઉપાયોની, સંખ્યાવૃતિના નિયમનમાં સંયમના જ આગ્રહની, ગાંધીજીના આર્થિક કાર્યક્રમને નવી અર્થરચના તરીકે સમજાવવાની વિચારણું અને હિમાયત સમગ્ર ગ્રંથમાંથી ફલિત થાય છે. એ દષ્ટિએ અર્થશાસ્ત્રના ઘણા ધુરંધર પરદેશી લેખકેથી નરહરિભાઈ જુદા પડે છે. એથી એ વિષયના અભ્યાસીઓને કદાચ આ પુસ્તક જનવાણી ને નીતિવાદી લાગવા પણ સંભવ છે. તેમ છતાં વિસ્તારથી શાસ્ત્રીય રીતે સરળ અને સ્વચ્છ ભાષામાં શ્રમ અને ખંતપૂર્વક વિશિષ્ટ દૃષ્ટિથી લખાયેલો આ ગ્રંથ અર્થશાસ્ત્રના વિભાગમાં આ દાયકાનું અપૂર્વ અર્પણ છે અને કોલેજમાં અર્થશાસ્ત્રનું પાઠયપુસ્તક બનવાની યોગ્યતા ધરાવે છે. - હિંદનાં ખેતી, ઉદ્યોગો, બેંક ને શરાફી, નાણચલણ, રેલ્વે, નહેર, પરદેશને વેપાર, લશ્કરી ખર્ચ સરકારી પગારનીતિ, વહાણવટું, સહકારી પ્રવૃત્તિ અને સરકારી દેવા જેવા વિષયો પર આંકડા ને વિગતો સાથે ભારતીય અર્થશાસ્ત્રના વિદ્યાર્થીને ઉપયોગી થાય એવી વિપુલ માહિતી રજુ કરતે રા. વિઠ્ઠલદાસ કેડારીને “હિંદનું પ્રજાકીય અર્થશાસ્ત્ર’ સામાન્ય વાચકને માટે પણ યોગ્ય પ્રવેશગ્રંથ બની શકે તેમ છે. નહેરો કરતાં રેલ્વેને પ્રાધાન્ય આપવાની તથા આબકારી આવક, મહેસૂલ, મીઠાવેરો, પગાર ને હૂંડિયામણની સરકારી નીતિની પુસ્તકમાં ઉચિત પ્રસંગે ટીકા કરવામાં આવી છે. છેલ્લા પ્રકરણમાં સર વિશ્વેશ્વરૈયાની, મુંબઈ-પેજના નામે ઓળખાતી ઉદ્યોગપતિઓની, શ્રી. અગ્રવાલની અને શ્રી. એમ. એન. રૉયની તેમજ હિંદી અને મુંબઈ સરકારની યુદ્ધોતર આર્થિક વિકાસની
જનાઓને પરિચય કરાવ્યો છે. લેખકનું વલણ રચનાત્મક કાર્યની હિમાયત કરનારું અને સર્વોદયને ભજનારું છે. એથી “માનવ અર્થશાસ્ત્રીની જેમ આ પુસ્તક પણ નવી પરિસ્થિતિમાં સાવ બિનવ્યવહારુને આક્ષેપ આ શાસ્ત્રના અભ્યાસીઓ તરફથી મેળવે તે નવાઈ નહિ. ' “સે ટકા સ્વદેશી’ના પહેલા વિભાગમાં ગાંધીજી “સ્વદેશીને અર્થવિસ્તાર કરીને ભાવનાને વ્યવહારમાં ઉતારવાની ગુરુચાવીઓ બતાવે છે. એમાં “સ્વદેશી’ વિશેનાં ગાંધીજીનાં ભાષણે અને લેખને સંગ્રહ થયે છે,
Page #88
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકા પુ. ૧૦ એમાં તેમની રજેરજને ખંખેળતી, અભ્યાસ અને અનુભવપૂર્ણ, વ્યવહાર ક્ષમ છતાં આધ્યાત્મિક દૃષ્ટિને સાક્ષાત્કાર થાય છે. પુસ્તકના બીજા વિભાગમાં સ્વ. મહાદેવ દેસાઈ, શ્રી. પ્યારેલાલ, સ્વામી આનંદ, શ્રી. વૈકુંઠ મહેતા, શ્રો. ચંદ્રશંકર શુકલ, પ્રો. કુમારપા, ને છે. પુરણના લેખો
સ્વદેશીની ભાવના અને વ્યવહારક્ષમતા વિશે ઉપયોગી આંકડા અને મનન રજૂ કરે છે. “સ્વદેશીને સંપૂર્ણ ને વ્યાપક અર્થ, ખાદી અને ગ્રામઘોગની ઉપયોગિતા, એમને નડતા અંતરાયો ને અંતરાયો ટાળવાના ઉપાય, એ બધું વ્યવસ્થિત રૂપે અહીં નિરૂપણ પામ્યું છે.
‘હિંદનું નાણતંત્ર' એ શ્રી. જયંતીલાલ હ. મહેતાનું અર્થશાસ્ત્રના મહત્ત્વના અને વ્યવહારુ અંગરૂપ નાણુના વિષયનું દાયકાનું આવકારલાયક પુસ્તક છે. (જો કે આ જ દાયકામાં, અગાઉ “આપણું નાણાવટું” એ નામે તે પ્રગટ થયેલું.) હિંદી નાણાવટને વિકાસક્રમ આલેખી ખેડૂતોની આર્થિક સ્થિતિ, શાહુકારે, શરાફ અને વેપારી બેંકોની કાર્યપદ્ધતિનાં બલાબલ બતાવી, સહકારી પ્રવૃત્તિ, સરકારી બેંક અને ઉદ્યોગવિષયક અર્થ પ્રમાણ વિશે વ્યવસ્થિત રૂપમાં પ્રમાણભૂત માહિતી આપીને હિંદી નાણવટાની વિશિષ્ટતાઓ અને ખામીઓ એમાં તારવી બતાવવામાં આવી છે. વિષયનું નિરૂપણ સરલ રીતિમાં અને આવશ્યક વિગતોની સ્પષ્ટ ચર્ચા સહિત તેમાં થયેલો છે. પરદેશી મૂડી અને તેનાં પરિણામો, ફુગા અને તેની નાણતંત્ર પર થતી અસર, બ્રેટનવુડ્ઝ એજના વગેરે મહત્વની બાબતો વિશે આંકડા અને પ્રમાણે સાથે તેમાં સમજુતી આપવામાં આવી છે. ગુજરાતીમાં નાણાવિષયક પૂસ્તકની ખોટ આનાથી કેક પૂરી પડી ગણાશે.
સમાજવાદ અથવા સહકાર દ્વારા સર્વોદય’ એ શ્રી. જગન્નાથ દેસાઈએ લખેલું પુસ્તક આ વિષયના સાહિત્યમાં મહત્વના ઉમેરારૂપ છે. સમાજવાદને માત્ર અર્થકારણ ઉકેલ તરીકે નહિ પણ જીવનની ફિલ્મફી તરીકે જોવાની લેખકની દષ્ટિ છે. તેથી તેમણે સ્ત્રીપુરુષને સંબંધ, ધર્મ, કેળવણી વગેરે પ્રશ્નને સમાજવાદી પાર્શ્વભૂમાં નિહાળ્યા છે. સમાજવાદની ઐતિહાસિક ભૂમિકાથી માંડીને તેની વિરોધી તેમ અનુકૂળ વિચારસરણીઓની તુલના પર્યંત તેમણે એને અર્થવિસ્તાર સાધી બતાવ્યો છે. ગાંધીજીની અહિંસાને તેમાં સ્વીકાર થયો છે, પણ યંત્રનિષેધનું ખંડન કરવામાં આવ્યું છે. ઉદાહરણો આપીને સમજાવવાની એમની પદ્ધતિ, સ્વસ્થ પ્રવાહી શૈલી અને પુસ્તકની પ્રકરણબદ્ધતા ગમી જાય તેવાં છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાડમય પર દષ્ટિપાત
ધરા. ડુંગરશી સંપટનું “વેપાર અને વાણિજ્ય' માહિતી પૂર્ણ પુસ્તક છે. એમાં મોહેદારોના સમયથી શરૂ કરી છેક અંગ્રેજોના સમય સુધીનાં ભારતીય વેપારવાણિજ્ય સંબંધી માહિતી જુદા જુદા ગ્રંથકારોને આધારે સંક્ષેપમાં રજુ કરવામાં આવી છે. પુસ્તકના પહેલા ભાગમાં છેલ્લા વિશ્વ યુદ્ધ સુધીને વેપારી ઈતિહાસ, તે બીજા ભાગમાં યુદ્ધ પછીના હિંદના ઉદ્યોગો વિશે આંકડા અને અનુમાને તારવી આપેલાં છે. કપાસ, કાપડ, કાલસો, શણ, ખાંડ, વહાણવટું, રેલવે, લોઢું, પિલાદ, કાગળ, રાસાયણિક પદાર્થો, બનાવટી રેશમ, જળવિદ્યુતશક્તિ વગેરેના ઉદ્યોગો વિશે તેમણે ભરપૂર સામગ્રી એકઠી કરી આપી છે. આ દાયકામાં અગાઉ પ્રગટ થયેલા તેમના સ્વતંત્ર ભારત ”નો જ આ પુસ્તક પુનરાવતાર હોય એમ જણાય છે.
આ ઉપરાંત “ગામડાં અને સહકાર' (કેશવલાલ અંબાલાલ ઠક્કર), હિંદની આર્થિક દુર્દશા' (ડુંગરશી સંપટ ), વ્યાપારી સર્વજ્ઞાનસંગ્રહ” (ડુંગરશી સંપટ), “પાક કેમ વેચશે?” (હરિવદન પરીખ) (અનાજને સવાલ' (શ્રીનિવાસ સદેશાઈ) “ઋણમુક્તિ અને રચનાકાર્ય” (નટવરલાલ મા. સૂરતી ), “વસ્ત્રસ્વાવલંબન ” (દામોદર છે. ત્રિવેદી ) આદિ અર્થકારણને લગતાં બીજો ઉલેખપાત્ર પુસ્તકે આ દાયકામાં પ્રગટ થયેલાં છે.
રાજકારણનાં મૌલિક પુસ્તકમાં આગળ તરી આવે તેવાં પાંચ છે: “સરદાર વલ્લભભાઈનાં ભાષણો', “ રાજય અને રાજકારણ” ( હરકાન્ત શુકલ) “સોવિયેત રશિયા” (ભોગીલાલ ગાંધી), “પાસિફિક (ભાસ્કરરાવ વિકાસ) અને “દક્ષિણ આફ્રિકાની રંગભૂમિ.' (પ્રાણશંકર સોમેશ્વર જોષી ). બાકીના પૈકી “હિંદનો કોમી ત્રિકોણ', “અખંડ હિંદુસ્તાન ', “ રચનાત્મક કાર્યક્રમ ', “ગાંધીજીનો સરકાર સાથે પત્ર વ્યવહાર’ વગેરે આ વિભાગનાં કીમતી પુસ્તકે ગણી શકાય, પણ તે મૌલિક ગુજરાતી લખાણ નથી, અનુવાદો છે.
સરદાર વલ્લભભાઈનાં ભાષણ' નવજીવન કાર્યાલય તરફથી રા. નરહરિ પરીખને હાથે સંપાદન પામીને પ્રગટ થયેલ છે. સરદારશ્રીની વક્તત્વલાની નેધ આગળ લેવાઈ ગઈ હોવાથી અહીં તે એટલું જ કહેવું બસ થશે કે સાંપ્રત રાજકારણના ફૂટમાં કૂટ પ્રશ્નો એમાં સરળતાથી સમજાવાયા છે. અસહકારનાં આંદોલને, અંગ્રેજોની ચૂસણનીતિ, અમલદારશાહીને જુલમ, જનતાને કર્તવ્યધર્મ વગેરે એમાં સરદારની અસરકારક
Page #90
--------------------------------------------------------------------------
________________
ન થશે અને ગ્રંથકાર ૫૦ ૧૦ વાણીમાં વ્યક્ત થયાં છે. બારડોલી, ખેડા અને રાસના સત્યાગ્રહ વેળાનાં ભાષણે ખાસ નોંધવા જેવાં છે. ઈ. સ. ૧૯૨૦ થી ૪૫ સુધીને દેશના રાજકારણનો વ્યવસ્થિત ઈતિહાસ પણ એ પુસ્તકમાંથી મળી રહે છે.
રાજય અને રાજકારણ” રાજકારણના વિષય પર વિસ્તૃત શાસ્ત્રીય ચર્ચા કરતે, તુલનાત્મક અભ્યાસના ફળરૂપ અને ગુજરાતી વાડમયનું આ દિશાનું દારિદ્રય ઘટાડવાને પ્રયાસ કરતા આવકારદાયક ગ્રંથ છે. ગ્રંથના વિષયનિરૂપણમાં સમગ્રતા જળવાઈ છે; દષ્ટિની એકાગ્રતા અને અદ્યતનતા પણ એમાં જોવા મળે છે. હિંદુ રાજત્વની ભૂતકાલીન ભૂમિકા, રાજકારણ સંરયાઓ અને મતસરણી ઓને એતિહાસિક વિકાસ, રાજકારણ આદર્શોની ચર્ચા તથા તુલના વગેરે એમાં વ્યવસ્થિત રજૂઆત પામ્યાં છે. વિષયનું સ્વતંત્ર સંશોધન, ચિંતન કે દર્શન પુસ્તકમાં કયાં ય જણાતું નથી. પશ્ચિમી વિચારસરણીઓને લેખકે જેમ છે તેમ સ્વીકારી લીધી હોવાથી તેમની વિચારસરણીમાં પરાવલંબનની મર્યાદા ખટકે છે. પુસ્તકની ભાષા પણ કેટલેક અંશે રાજકારણના વિષયને માટે પાંગળી અને અનુચિત અર્થાવાળી છે. આમ છતાં શ્રી. હરકાન્ત શુકલનો આ પ્રયાસ ઉપકારક છે. અંગ્રેજી નહિ જાણનાર વર્ગની તેમજ રાજકારણના વિષથમાં પવેશ કરનાર વિદ્યાર્થીઓની દષ્ટિએ પુસ્તક ઉપયોગી ગણાય.
શ્રો. ભેગીલાલ ગાંધીકૃત “સોવિયેત રશિયા' ઈ. સ. ૧૯૧૭ની ક્રાન્તિ પછી શ્રમજીવી સરમુખત્યારીએ રશિયાની ધરતી પર વર્ગવિહીન સમાજરચના સ્થાપવા જે ભગીરથ પ્રયોગો કર્યા તેની સિદ્ધિઓને વિવરણત્મક પરિચય આપે છે. લેખક સામ્યવાદ અને રશિયાના રાજકારણના જબરા અભ્યાસી અને પ્રશંસક હોવાથી વિષયનું નિરૂપણ ઉત્સાહપૂર્ણ અને હેતુલક્ષી બન્યું છે. રશિયાની નવરચનામાંથી આપણી ધરતી અને સ્થિતિસંજોગોને માફક આવે એવું કેટલુંક બતાવવા પૂરતાં આવાં પુસ્તકે સાધનરૂપ બને છે. સોવિયેત બંધારણ તથા શાસનપદ્ધતિનું વિવરણ તથા રશિયાના કલાકાર, વૈજ્ઞાનિક અને ધાર્મિક સ્વાતંત્ર્ય વિશે પ્રવર્તતા કેટલાક પૂર્વગ્રહનું નિરસન કરવાને આ ગ્રંથના લેખકે સમર્થ પ્રયત્ન કર્યો છે.
શ્રી. ભાસ્કરરાવ વિકાસનું “પાસિફિક” છે તે નાનકડું પુસ્તક. પારકી પ્રજાઓને લૂંટવાની કલામાં પ્રવીણ અને લૂંટીને તેમને મૂછમાં નાખવાની નીતિમાં પાવરધી સામ્રાજ્યશાહીના અંદરના વિષસ્વરૂપનું તેમાં યથાર્થ દર્શન કરાવાયું છે. વિષયને લેખકે સરલતાથી ચચી બતાવ્યો છે
Page #91
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાડ્મય પર દષ્ટિપાત
.6
અને સામાન્ય વર્ષાંતે ઝટ ગળે ઊતરી જાય એ રીતે નિરૂપ્યા છે. વર્તમાન જગતના રાજકારણના વિવિધ વિષયો અને પ્રશ્નો માટે આવાં લઘુ પુસ્તકા ઠીક માહિતીપ્રદ નીવડે. એ જ પ્રમાણે રા. પ્રાણશંકર સે. જોષીએ દક્ષિણ આફ્રિકાની રંગભૂમિ 'માં વસાહતોને પ્રશ્ન ણ્યા છે. દક્ષિણ આફ્રિકાની વસાહતમાં મેાટા ભાગ ગુજરાતીઓને હાવાથી, ગુજરાતીઓની ત્યાંના રાજકારણમાં સ્થિતિ, પ્રવૃત્તિ તેમજ ત્યાંના તેમના સામાજિક પ્રશ્નો વગેરેનું માહિતીપૂર્ણ નિરૂપણ તેમાં મળે છે. પુસ્તકની શરૂઆતનાં ૪૮ પાનાંમાં લેખકે પેાતાને પરિચય આપ્યા છે!
કાળ
આ ઉપરાંત રા. મગનભાઈ દેસાઇએ ‘રાષ્ટ્રીય મહાસભા અને વિદ્યાર્થીપ્રવૃત્તિ'માં ગાંધીજીએ વિદ્યાથી એ અંગે કરેલી સૂચનાએના ભાષ્યવિસ્તાર કરી વિદ્યાથી સંગઠન અને વિદ્યાર્થી કાર્યક્ષેત્ર પરત્વે કૉન્ગ્રેસે કરેલી અસરાનું બયાન કર્યું છે. શ્રી. ભાગીલાલ ગાંધીએ ‘સામ્યવાદ’ એ ૬૦ પાનાંની પુસ્તિકામાં માસ અને લેનિન-સ્તાલિને રચેલું સામાજિક ક્રાન્તિનુ વિજ્ઞાન તથા પ્રાચીન સામ્યવાદથી રશિયાની મજૂર ક્રાન્તિ સુધીનાં વિકાસસેાપાના સમજાવેલ છે. ‘મહાસભાના ઠરાવા' ( વિઠ્ઠલદાસ કાઠારી ), ‘આપણી ધ્રાંગ્રેસ' ( રમણીકલાલ શાહ ), ગામડાંનું સ્વરાજય ’( ઈન્દુલાલ યાજ્ઞિક ), યુદ્ધ અને ગામડાં ' ( રામરાય મુનશી ), ‘ આઝાદીની યજ્ઞજવાળા (કરસનદાસ માણેક ), ‘૧૯૪૩નાં પગરણુ ’ ( રતિલાલ મહેતા ), ‘ હિંદ વિશ્વયુદ્ધના વમળમાં ' ( ડુંગરશી સંપટ ), ‘હિંદુસ્તાનનેા રાજકારભાર ( ચિમનલાલ ડૉકટર ) આદિ નાનાં મોટાં પુસ્તકો પણ આ દાયકાનાં જ પ્રકાશને છે.
6
"
*
સમાજશાસ્ત્ર, અર્થકારણ અને રાજકારણ એ ત્રણે વિષયેાનું સાહિત્ય આપણી ભાષામાં પ્રમાણુમાં અલ્પ અને શક્તિમાં પાંગળું છે. તેને વિષયનાં પલટાતાં સ્વરૂપોને,તથા પ્રશ્નોને,સ્પષ્ટ અને શુદ્ધ રીતે શાસ્ત્રીય દૃષ્ટિએ સમજાવે એવાં પ્રમાણભૂત ગ્રંથાની, ગુજરાત યુનિવર્સિ`ટી ઉચ્ચ શિક્ષણનુ* માધ્યમ ગુજરાતી બનાવવાની હાંશ રાખે છે ત્યારે તે, ખાસ જરૂર છે. આપણા ધણાખરા લેખામાં અભ્યાસ અને અવલેાકનત્તિ હશે, પણ તેની ચિકિત્સા માટે આવશ્યક પરિશુદ્ધ, સમતોલ, શાસ્ત્રીય દષ્ટિ તથા ચિંતનશીલતા હજુ ધણે અંશે કેળવવાની જરૂર છે. આ વિભાગનુ' લગભગ પચાશી ટકા સાહિત્ય પ્રયાર-દષ્ટિનુ કે પ્રાસંગિક ખપતું જ હોવાથી તેની લખાવટ પણ વમાનપત્રશૈલીની જ રહી છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
આ
ગ્રંથ અને ગ્રંથકાર ૫૦ ૧૦
કેળવણી ઇતિહાસ, રાજકારણ આદિ વિષયના સાહિત્ય કરતાં આ દાયકે શિક્ષણના સાહિત્યનો ફાલ ઠીક ઠીક હે જણાય છે. એમાં “કેળવણીવિકાસ” અને “કેળવણીવિવેક” (રા. મશરૂવાળા), “કેળવણીની પગદંડી' (શ્રી. નાનાભાઈ ભટ્ટ), “આત્મરચના અથવા આશ્રમી કેળવણી” (રાજુગતરામ દવે ), “શિક્ષણ અને સંસ્કૃતિ' (શ્રી. રવિશંકર મહારાજ ),
જીવન દ્વારા શિક્ષણ” (શ્રી. શિવાભાઈ ગે. પટેલ), “ચાર મોરચાની કેળવણી' (દામુભાઈ શુકલ), “નવી કેળવણીના દાર્શનિક પાઠની વિચારણા (રા. પુરુષોત્તમદાસ શાહ), “ભીંતપત્ર દ્વારા લેકશિક્ષણ' (શ્રી. બબલભાઈ મહેતા), “સાર્જન્ટ પેજના' (હરભાઈ ત્રિવેદી), ‘હિંદી સરકારની શિક્ષણજના (વિઠ્ઠલદાસ કોઠારી) “ઘરશાળા અને શેરી' (ગિરીશભાઈ ભટ્ટ ), “સેવિયેટ શિક્ષણ' (પ્રસન્નવદન વકીલ), “સહ-શિક્ષણ' (અનામી) ગ્રામસેવાના દસ કાર્યક્રમો (જુગતરામ દવે) વગેરે સંખ્યાબંધ પુસ્તકોને સમાવેશ થાય છે. “શિક્ષણ સાધના' (આચાર્ય ક્ષિતિમોહન સેન), સમર્થ શિક્ષણશાસ્ત્રી એલ. પી. જેફસનાં પુસ્તકોના અનુવાદો તથા “આત્મશિલ્પની કેળવણી” (રા. મુનશી) આ જ દાયકામાં પ્રગટ થયાં છે, પણ અનુવાદ હેવાથી તેમને માત્ર નિર્દેશ જ કર્યો છે.
કેળવણીવિવેક” અને “કેળવણીવિકાસ' બંને પુસ્તકે આપણું સમર્થ લોકહિતચિંતક શ્રી. કિશોરલાલ મશરૂવાળાના કેળવણીવિષયક લેખોના સંગ્રહો છે. ગાંધીજીએ રાષ્ટ્રીય શિક્ષણને પ્રયોગ સાબરમતી આશ્રમમાં કરેલે. તેની ભાવના, વ્યવહારક્ષમતા અને ઉપયોગિતા વિશે ચર્ચા કરતા કાકાસાહેબ નરહરિભાઈ અને કિશોરલાલભાઈએ સંખ્યાબંધ લેખે લખેલા. તેમાંથી “નયી તાલીમ'નું ધ્યેય, સાધન ઈત્યાદિ સમજાવતા કિશોરલાલભાઈના લેખે તેમની વ્યાપક, સૂક્ષ્મ અને મૌલિક પરીક્ષકબુદ્ધિની તથા શિક્ષણસૂઝની પ્રતીતિ કરાવે છે. ઉદ્યોગ દ્વારા કેળવણીની હિમાયત, શ્રમજીવી સંસ્કૃતિનું ગૌરવ, ઈતિહાસના શિક્ષણ વિશેને તેમને વિલક્ષણ મત, મનુષ્યની જીવનવ્યાપી, સર્વાગી કેળવણીની અગત્ય, માનવજીવન અને વિશ્વજીવનનો સમન્વય, ઉચ્ચશિક્ષણ અને પ્રાથમિક શિક્ષણ, માણસાઈની, પ્રતિષ્ઠાની અને નિર્વાહની કેળવણી, વિલાસ અને ભગવૃત્તિને ઉશ્કેરનારા શાળા-કૅલેજોના મેળવડાઓ આ બધા મુદ્દાઓ આ બંને લેખસંગ્રહોમાં સ્પષ્ટતાથી ચર્ચાયા છે. જીવનમાં કેળવણીને યોગ્ય વિનિયોગ નહિ કરી
Page #93
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાયુમય પર દષ્ટિપાત શકતા, અત્યારની વંધ્ય કેળવણમાંથી ઊગરવા માગતા અને માણસાઈની તથા નિર્વાહની કેળવણીને માટે યોગ્ય પદ્ધતિ શેધતા અનેકેની મૂંઝવણ ટાળીને સ્પષ્ટ માર્ગદર્શન કરાવે તેવી આ પુસ્તકમાંની લેખકની વિચારશ્રેણી છે.
શ્રી. મશરૂવાળા મૌલિક વિચારક અને આજન્મ કેળવણીકાર છે. ગાંધીજીએ સ્થાપેલ વિદ્યાપીઠના તેઓ મહામાત્ર હતા. ગાંધીજીએ પ્રબોધેલા રાષ્ટ્રીય શિક્ષણના વિતરણ અને વિચારમાં તેમને અને કાકાસાહેબને ફાળો અવિસ્મરણીય છે. અનુભવ અને બુદ્ધિના નીચેડરૂપે તેમણે અહીં કેળવણુનું દર્શન અને શાસ્ત્ર, તેનાં વિવિધ પાસાં, કક્ષાઓ ને અખતરાઓ, તેને ધર્મ સમાજ અને રાજય સાથે સંબંધ વગેરે બાબતોને સૂક્ષ્મ પરામર્શ કરી બતાવ્યો છે.
જાણીતા કેળવણીકાર શ્રી. નાનાભાઈ ભટ્ટના બે દાયકાના શિક્ષણક્ષેત્રના પ્રયોગો અને અનુભવો વ્યક્ત કરતા ૬૪ લેખોનો સંગ્રહ “કેળવણીની પગદંડીમાં થયો છે. લેખેને સિદ્ધાંતચર્ચા અને વ્યવહારચર્ચા એવા બે ખંડોમાં વહેંચવામાં આવ્યા છે. આદર્શને વ્યવહારની ભૂમિકા પર કેમ ઉતારાય એની જ વિચારણા લગભગ બધા લેખમાં થયેલી છે. એમાં ઈતિહાસનાં પાઠ્યપુસ્તકો વિશે, વિદ્યાથી કેળવણીમાં પ્રવાસના મહત્ત્વ વિશે, ચારિત્ર્યની કેળવણી વિશે, ઔદ્યોગિક તથા ધાર્મિક કેળવણી વિશે ગુજરાતી સાહિત્યના શિક્ષણ વિશે અને ખાસ કરીને શિક્ષણસંસ્થાઓ ને છાત્રાલયના આદર્શ સંચાલન વિશે સમૃદ્ધ ચર્ચા થઈ છે.
શ્રી. નાનાભાઈ અધિકારી, અનુભવી કેળવણીવિચારક છે. તેમની દૃષ્ટિ કેળવણીને જીવનના વ્યાપક અર્થમાં જેનારી છે. કેળવણી સંસ્થાઓને તેમને બહોળો અને ઊંડે અનુભવ પુસ્તકની ઉપયોગિતાનું ખાસ અંગ છે.
શ્રી. જુગતરામ દવેએ સાબરમતી જેલમાં આશ્રમજીવન પરત્વે રોજ બ્રાહ્મમુહૂર્તમાં ચિંતન કરેલું તેના ફળ રૂપે તેમની પાસેથી ૭૬ પ્રવચનને સંગ્રહ “આત્મરચના અથવા આશ્રમી કેળવણી’ આ દાયકે પ્રગટ થયો છે. એમાં સ્વચ્છતા, શરીરશ્રમ, સૂત્રયજ્ઞ, આહાર, સમયપત્રક, ભંગીકાર્ય, સ્વયંપાક, ખાદી, સ્વદેશી પિશાક, પ્રાર્થના, ગ્રામવાસીઓને સંપર્ક અને સેવા-એવા આશ્રમજીવનના નિત્યના આચારધર્મની સૈદ્ધાતિક તેમ વ્યવહારુ ચર્ચા સરળતાથી થઈ છે. આશ્રમવાસીઓનું ખાનગી જીવન, સાંસારિક જીવન, રાષ્ટ્રજીવન અને ધર્મજીવન પણ તેમાં ચર્ચવામાં આવ્યું ચં. ૧૧
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રેથ અને ગ્રંથકાર ૫૦ ૧૦ છે. લગભગ બધા જ લેખે ગાંધીજીની આશ્રમભાવનાનાં ભાષ્ય જેવા છે. તેમને વેડછી સ્વરાજ-આશ્રમના સંચાલનને અનુભવ અને સત્યાગ્રહાશ્રમને અનુભવ દરેક લેખ પાછળ ઊભો છે. આશ્રમી કેળવણી જીવનઘડતર અને સ્વરાજરચનાની પ્રવૃત્તિ માટે મહત્ત્વનું સાધન છે એવી લેખકની શ્રદ્ધા અહીં પ્રત્યેક લેખનો બીજરૂપે દેખાય છે. બાળશિક્ષણ અને ઉચ્ચશિક્ષણ વિશેનાં તેમનાં મંતવ્યો ચિંત્ય છે. વિચારોની રજૂઆત વ્યવસ્થિત પણ કંઈક વધુ પડતી વિસ્તારી અને લખાવટ સરળ પ્રવાહી અને ઋજુતાભરી છે. ટૂંકમાં આ ય ગ્રંથ આશ્રમિક કેળવણીની મીમાંસા પરત્વે પ્રમાણભૂત સામગ્રી પૂરી પાડે છે. આ જ લેખકનું બીજું પુસ્તક “ગ્રામસેવાના દસ કાર્યક્રમો' ગામડાંમાં કામ કરનારને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે. શિક્ષણશાસ્ત્રની અનેક નાનીમોટી ગૂંચો એમણે પુસ્તકમાં ઊકેલી બતાવી છે. ગોવાળિયાઓનું શિક્ષણ, નિરક્ષરતાનિવારણ, ગ્રામજનોને વિજ્ઞાન શીખવવાની હિમાયત વગેરે પ્રશ્નોને સરળ તડ તેમણે કાઢી આપે છે. એમનાં કેટલાંક વિધાન શિક્ષણવિષયક ક્રાન્તિની દષ્ટિ બતાવે છે. બંને પુસ્તક બતાવે છે કે જુગતરામભાઈ સમર્થ કેળવણીકાર અને નમ્ર લેકસેવક છે.
શિક્ષણ અને સંસ્કૃતિ' જાણીતા લેકસેવક અને લેકશિક્ષક શ્રી. રવિશંકર મહારાજનાં અઢારેક વ્યાખ્યાનને સંગ્રહ છે. “પાયાની કેળવણી” એટલે શારીરિક વૈતરાને આગ્રહ કરતી કેળવણની યોજના એવી પ્રચલિત ગેરસમજત આ વ્યાખ્યાને દૂર કરે છે. શિક્ષણ એટલે માનવસંસ્કૃતિને પાયામાંથી ચણવાનું સાધન એ ખ્યાલ અનેક ઉદાહરણો દ્વારા તે જન્માવે છે. શિક્ષણશાસ્ત્ર કે અમુક શિક્ષણ પદ્ધતિની ચર્ચામાં ઊતરવાને બલે મહારાજે ગાંધીજીએ પ્રબોધેલ ઉન્નત શિક્ષણદૃષ્ટિને લક્ષમાં રાખીને સંસ્કૃતિની ભાવના સમજાવવા પર જ લક્ષ કેન્દ્રિત કર્યું છે. પરિણામે વ્યાખ્યામાં મહારાજની ઊંડી, તત્ત્વનિષ્ઠ ને વ્યવહારશીલ જ્ઞાનદષ્ટિનો પરિચય થાય છે. એ દૃષ્ટિએ “વિચારમય જીવન” તથા “શિક્ષણવિષયક દષ્ટિ' બંને પ્રકરણ નોંધપાત્ર છે. સર્વભોગ્ય શૈલીમાં લખાયેલાં આવાં પુસ્તકેની ગુજરાતને ખાસ જરૂર છે.
: શબ્દકોષ
આ દાયકે પારિભાષિક શબ્દોના અને સાર્થ જોડણીના કેશનાં કેટલાંક મહતવનાં પુસ્તકો પ્રગટ થયાં છે. જો કે હજી પારિભાષિક શબ્દોની રચનામાં છેવટને નિર્ણય તદ્વિદા તરફથી મળ્યું નથી તેમજ વહેતા
Page #95
--------------------------------------------------------------------------
________________
થયા દાયકાના વમય પર દષ્ટિપાત મુકાએલા શબ્દ સર્વમાન્ય કે ચલણી બનશે જ એવું કહી શકાય તેમ પણ નથી, તેમ છતાં લગભગ તમામ શબ્દપ્રયોગ પાછળ તેના જકની કઈ ને કઈ સિદ્ધાંતિક વિચારશ્રેણિ તે કામ કરતી થઈ ગઈ છે.
“ભગવદ્ ગોમંડળ': ગોંડલનરેશ શ્રી. ભગવતસિંહની અવિરત શ્રમસાધનાના અને વિદ્વત્તાના ફળરૂપ આ બૃહત શબ્દકોશ અત્યાર સુધીમાં લગભગ દોઢેક હજાર પાનાંના પ્રત્યેક એવા પાંચ ગ્રંથમાં “અ” થી “નિ' સુધીના વર્ષોથી શરૂ થતા શબ્દોને સમાવે છે. એમાં બધા મળીને લગભગ દોઢેક લાખ શબ્દને અને દસેક હજાર રૂઢિપ્રયોગોને સમાવેશ થયેલ છે. શબ્દોનાં મૂળ અને તેમના શક્ય તેટલા બધા જ અર્થો તેમાં ઠાંસી ઠાંસીને ભરવાનો પ્રયત્ન થયો છે. એકંદરે આજ સુધીમાં શબ્દકોશ જવાના થયેલા અખતરાઓમાં આને ભગીરથ પ્રયત્ન કહી શકાય. એમાં તદ્વિદેને કદાચ અર્થશુદ્ધિ, શાસ્ત્રીયતા કે ચક્કસતાની ખામી કાઢવી હશે તે નીકળશે, પણ એમનું સમૃદ્ધ શબ્દભંડોળ ભાવી કેશકારને વિપુલ કાચા માલ તરીકે તો સારી પેઠે ખપ લાગશે, એમાં સંશય નથી.
“સાર્થ જોડણીકોશ ': ગાંધીજીની પ્રેરણાથી વિદ્યાપીઠે તૈયાર કરેલા આ ગ્રંથની આ ચોથી સુધારેલી વધારેલી આવૃત્તિ છે. અગાઉની આવૃત્તિઓમાં શબ્દોની કેવળ જોડણી, તેના અર્થ, તેના ઉચ્ચાર અને કુલ શબ્દસંખ્યાના બેતાળીસ ટકા જેટલા તત્સમ શબ્દોની વ્યુત્પત્તિ મુકાઈ હતી. પ્રેસ્તુત નવીન સંસ્કરણમાં શબ્દભંડળ આશરે પણ લાખની સંખ્યાએ પહોંચ્યું છે; એમાં લગભગ તમામ શબ્દની વ્યુત્પત્તિ ઉપરાંત શબ્દપ્રયોગો અને વિવૃત્ત એ-એ, હકાર તથા ય–કાર શ્રતિ, બે અનુસ્વાર ને અલ્પપ્રયત્ન ય-કારનાં વિશિષ્ટ ઉચ્ચારણ પણ બતાવ્યાં છે. બાહ્ય કદ તેમજ અંતરંગની દૃષ્ટિએ આ આવૃત્તિમાં ગુજરાતી શબ્દકેશને શક્ય તેટલે સંપૂર્ણ બનાવવાનો પ્રયત્ન થયે છે.
જોડણીની શુદ્ધ અને શાસ્ત્રીય વ્યવસ્થા કરવામાં, અર્થની બાબતમાં, ઉચ્ચારણની વિશિષ્ટતા તથા શબ્દપ્રયોગોના નિદર્શનમાં આ કેશ આજ લગી પ્રગટ થયેલા કેશોમાં સૌથી વિશેષ શુદ્ધ અને પ્રમાણભૂત છે, પણ વ્યુત્પત્તિમાં કેશને છાજે તેવી શાસ્ત્રીયતા તેમાં સચવાઈ નથી. એમાં અનેક શબ્દની વ્યુત્પત્તિ કેવળ તર્ક અને અનુમાનથી દેરાઈને આપવામાં આવી છે ને ઘણે સ્થળે શંકાસૂચક પ્રશ્નચિહ્ન મૂકીને ચલાવી લેવું પડયું છે. પરિણામે, કેશનું આ મહત્વનું અંગ વિકૃત બની ગયું હેઈ જુદી જુદી દિશામાંથી તેની આ આવૃત્તિ ટીકાપાત્ર બની છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકારે પુ૧૬ - વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ': શ્રી. પિપટલાલ ગ. શાહે તૈયાર કરેલ વૈજ્ઞાનિક પરિભાષાના પુસ્તકની આ સુધારેલી વધારેલી બીજી આવૃત્તિ છે. નાગરી લિપિમાં આ કેશ છાપ્યો છે. વિજ્ઞાનની ૨૫ જુદી જુદી શાખાઓના પારિભાષિક શબ્દના અહીં ગુજરાતી પર્યાય આપ્યા છે. વિદ્યાથીઓ, કારખાનામાં કામ કરતા કારીગરો અને આમવર્ગને લક્ષમાં રાખીને આ કોશ તૈયાર કરવામાં આવ્યો છે. આરંભમાં સંયોજકે મૂકેલી અંગ્રેજી તથા ગુજરાતી પ્રસ્તાવનામાં વૈજ્ઞાનિક પરિભાષા નક્કી કરવાની પિતાની પદ્ધતિ તથા તષિયક સિદ્ધાંતને વિશદતાથી સમજાવેલ છે.
અર્થશાસ્ત્રની પરિભાષા” એમાં અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઉપયોગી પારિભાષિક અંગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાયો જાણીતા અર્થશાસ્ત્રી શ્રી. વિઠ્ઠલદાસ કોઠારીએ તૈયાર કર્યા છે. વિષયનો અભ્યાસ, શિક્ષણને અનુભવ અને શાસ્ત્રીય પદ્ધતિ ત્રણેનો ઉપયોગ લેખકે પરિભાષાને સંગીન બનાવવામાં કર્યો છે. પ્રત્યેક શબ્દના પર્યાયને તે શબ્દને લગતી યોગ્ય અર્થ સમજૂતી સંક્ષેપ આપીને બંધ બેસાડવો છે. બેંક, બોનસ ઈત્યાદિ અત્યંત રૂઢ થઈ ગયેલાં અંગ્રેજી શબ્દોના કૃત્રિમ ગુજરાતી પર્યાયો યોજવાની રૂઢિચુસ્તતાથી તે મુક્ત રહ્યા છે. અર્થશાસ્ત્રનાં ગુજરાતી પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આ પુસ્તિકા અવશ્ય પ્રાથમિક ભૂમિકાની ગરજ સારશે.
શ્રી. અરવિંદ કાર્યાલય તરફથી “દાર્શનિક શબ્દાવલિ' આ દાયકામાં પ્રગટ થયેલ છે. શ્રી. અરવિંદે પોતાની તત્વચર્ચામાં જે પારિભાષિક શબ્દો અંગ્રેજીમાં નિજ્યા હતા તેના હિંદી, ગુજરાતી, બંગાળી અને મરાઠી પર્યાને આ કેશ છે. પુસ્તકને અંતે જોડેલી “શબ્દાર્થરેખામાં મુખ્ય અંગ્રેજી શબ્દપ્રયોગોની અંગ્રેજીમાં સમજુતી આપી છે. અરવિંદ-તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને આ ગ્રંથ અવશ્ય ઉપયોગી થઈ પડશે.
“જન્મભૂમિ' પારિભાષિક જ્ઞાનકેશ૧ઃ રાજકારણુ” મૂળ હિંદીમાં પ્રગટ થયેલ શ્રી. સુખસંપત્તિરાય ભંડારીના “અંગ્રેજી-હિંદી શબ્દકોશના રાજકારણ વિભાગને શ્રી. કાન્તિલાલ શાહે કરેલો અનુવાદ છે. એમાં રાજકારણના લગભગ બધા જ મહત્ત્વના વિષયોને અને પારિભાષિક શબ્દપ્રયોગો અને તેના ગુજરાતી પર્યાયવાચી શબ્દોને સમાવેશ થયો છે. રાજકારણના અભ્યાસના આકરગ્રંથ જેવું આ પુસ્તક છે.
ડે. યશવંત ગુ. નાયકે ફાર્બસ સભા તથા ગુજરાત વિદ્યાપીઠ તરફથી
Page #97
--------------------------------------------------------------------------
________________
ઊંચા દાયકાના વાડ્મય પર દ્રષ્ટિપાત
કાશા તૈયાર કરવામાં સંગીન સહાય આપી છે. - પદાર્થોવિજ્ઞાન અને રસાયણના પારિભાકિ શબ્દકોશ ' મુંબઇ વિદ્યાપીઠને આશ્રયે તેમણે તૈયાર કરેલ એક નાના કાશ છે. એ જ પ્રમાણે નવજીવન કાર્યાલયે વિદ્યાપીઠ પરિભાષા સમિતિ ’એ તૈયાર કરેલ ‘ વિજ્ઞાનની પરિભાષા ’માં પદાર્થવિજ્ઞાનના ૧૦૨૪ અને રસાયણવિજ્ઞાનના ૬૧૫ પારિભાષિક શબ્દો પ્રસિદ્ધ કર્યાં છે.
આ ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠ તરફથી ‘હિંદી-ગુજરાતી કાશ' તથા વિદ્યાથી ઓને ઉપયોગી થઈ પડે તેવા ગુજરાતી, અંગ્રેજી, હિંદી શબ્દકોશ, અને રૂઢિપ્રયાગા તથા કહેવતનાં પુસ્તકા · કેટલાક લેખા પાસેથી આ દાયકે મળ્યાં છે, જે એક ંદરે તેના સંયેાજનના હેતુને સફળ બનાવે છે.
દેશની તમામ ભાષામેમાં વિવિધ વિષયેાની પરિભાષાનું એકસરખુ ધેારણુ જળવાય અને પ્રાંતપ્રાંતમાં વિચારવ્યવહારની સરલતા થાય સારુ એક બૃહત્કાશ તૈયાર કરવાની યેાજના લાહેાર ઇંટરનેશનલ એકેડેમી આફ ઇન્ડિયન કલ્ચરે દેશના અગ્રણી વૈજ્ઞાનિકાની મદદથી આ દાયકાની શરૂઆતમાં જ તૈયાર કરેલી; પર ંતુ તેનું હજી સુધી કંઈ પરિણામ આવ્યું જણાતું નથી. કદાચ વચગાળામાં અકસ્માત ઉદ્ભવેલી પ્રતિકૂળ રાજકીય પરિસ્થિતિ તેનું કારણ હશે. દિલ્હીમાં એવી જ પ્રવૃત્તિની શરૂઆત છેલ્લાં કેટલાંક વર્ષોથી થઈ છે. એ પ્રવૃત્તિ તા મ્હારે ત્યારે ખરી, પણ તેની સાથે સાથે દરેક ભાષામાં જ્ઞાનની પ્રત્યેક શાખાના યથાર્થ અધ્યયન-અધ્યાપન સારુ સ ́પૂર્ણ પારિભાષિક કાશ યેાજવાની આવશ્યક્તા ઊભી જ છે.
વિજ્ઞાન શાસ્ત્રીય ગ્રંથા
આ દાયકે વિજ્ઞાનની જુદીજુદી શાખાઓના વિશિષ્ટ જ્ઞાનનાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકા પ્રગટ થયાં છે તે નીચે મુજબ :
*
*
માનસરેાગ વિજ્ઞાન ' (ડૉ. બાલકૃષ્ણે અ. પાઠક), · નૂતન માનસવિજ્ઞાન ' (ચંદ્રભાઇ કા. ભટ્ટ, જીવવિજ્ઞાન ' ( ડૅના, માધવજી મચ્છર ), વનસ્પતિ સૃષ્ટિ ખંડ ૧’ (ગાકળભાઇ ખી. ખાડાઈ), ‘રસાયણુ વિજ્ઞાન' (ધનજીભાઈ ફકીરભાઈ), ‘શરીરરચનાનું રહસ્ય' (ધનવંત ઓઝા), ‘માનવ જીવનના ઉષઃકાળ ' (અશાક હર્ષ), ‘ભારતીય પ્રત્યક્ષ પંચાંગ' (અવ્યા. હરિહર પ્રા. ભટ્ટ), - કાલાત્પત્તિ-જ્ઞાન-રહસ્ય' (ધીરજલાલ મ. પરીખ),
,
.
‘ શારીરવિજ્ઞાન' (સ્વામી પ્રકાશાનંદ), ‘· કાળની ગતિ ' (સ્વામી માધવતી), ‘ ખગેાળ પ્રવેશ ' (છેટુભાઈ સુથાર), ‘ભૂવિદ્યાનાં મૂળતત્ત્વા અને
"
*
Page #98
--------------------------------------------------------------------------
________________
વર્ક
ગ્રંથ અને ગ્રંથકાર પુ૦ ૧૦
:
ગુજરાતની ભૂમિરચના' (ડૉ. રતન ના. સુખેશવાળા), ખેતીનાં મૂળતત્ત્વા’ ભાગ ૧-૨-૩-૪ (માત ́ડ શિ. પડષા), · ખેડૂતોથી ' (ગુજ. વિદ્યાપીઠ), શિલ્પ રત્નાકર ' ( ન`દાશ કર સેામપુરા ), ‘ ઉચ્ચારશાસ્ત્રપ્રવેશિકા ’ ( અંબાલાલ જે. ૫'ચાલ) અને ‘ મણિપુરી નન' (ગાવĆન પંચાલ), એમાં મનેવિજ્ઞાન અને ઉચ્ચારશાસ્ત્ર જેવા ભાવાત્મક વિષયેાની તાત્ત્વિક સમજ, શિલ્પ અને નૃત્ય જેવી કલાઓનુ શાસ્ત્રીય પૃથક્કરણ, સૃષ્ટિ, કાળ, વનસ્પતિ, ભૂમિ તે ખેતીનું વિજ્ઞાન અને જીવસૃષ્ટિ, શરીરરચના રસાયણશાસ્ત્ર તથા ગ્રહેા-નક્ષત્રે-ખગાળ સંબંધી વિદ્યાર્થી-ઉપયોગી માહિતી આપવામાં આવેલ છે. ઉપર્યુČક્ત પુસ્તકે ઉપરાંત ગતિ, પદાશાસ્ત્ર અને રસાયણવિજ્ઞાન તથા સૃષ્ટિરચના વિશેનાં શાળાપયોગી પુસ્તકા પણ અમુક અધિકારી લેખકને હાથે લખાઈ પ્રગટ થયું છે.
સામાન્ય વિજ્ઞાન-વિચાર
'
વિજ્ઞાનની તાત્ત્વિક આલેાચના અને સામાન્ય સમજ આપતાં આ દાયકાનાં પુસ્તકામાં ‘સ્વાધ્યાય ' ( ડૅ।. હરિપ્રસાદ દેસાઈ), 'શેાધ અને સિદ્ધિ’ તથા ‘માનવ જીવનમાં વિજ્ઞાન' (ર્ડા. નરસિંહ મૂ. શાહ), ‘વિજ્ઞાનની વાટે', (રેવાશ’કર સામપુરા), ‘વિજ્ઞાનનાં વ્યાપક સ્વરૂપેા’, (પદ્મકાન્ત શાહ) ‘ચંદ્રમા’ અને ‘વિશ્વદર્શીન’ (હાટુભાઇ સુથાર), ‘ગગનને ગેાખે’ (નિરંજન વર્મા, જયમા પરમાર), ‘ ખેતીની જમીન ' (ગુજરાત વર્નાકયુલર સેાસાયટી), · ખનિજ તેલ સંબધે ' (બર્મા-શેલ ક`પની પ્રકાશન વિભાગ, મુંબઈ ), કામ્પોઝીટર’ (જયંતકુમાર યાજ્ઞિક), ‘જગતમાં જાણવા જેવું' (છેટાલાલ કામદાર), ‘ આધુનિક આકાશવાણી ' ( રાજેન્દ્ર ઝવેરી), નૂતન કામવિજ્ઞાન ’ (ભદ્રકુમાર યાજ્ઞિક), ‘આધુનિક વ્યાપારી મિત્ર ' (પૂર્ણાનંદ ભટ્ટ), ‘માતૃપદ’ (હરરાય દેસાઈ), યાગપ્રવેશિકા ' ( શ્રીવિષ્ણુપ્રસાદજી ) ઇત્યાદિ ખાસ ધ્યાનપાત્ર છે. એ સૌમાં ‘સ્વાધ્યાય ' અને ‘વિશ્વદર્શન શ્રેષ્ઠ છે. હુન્નર-ઉદ્યોગ અને હસ્તકળા
6
"
>
દ
‘નફાકારક હુન્નર। ભાગ-૩ (મૂળજી કાનજી ચાવડા), કાગળ (જય તકુમાર યાજ્ઞિક), કાપડની કહાણી ' (કા. મ. ગાંધી), એક દિવસમાં દરજણ ' (‘શશન મહેર'), ‘ ભાતભાતનું' ભરતકામ-ગૂ'થણકામ ' (લીલાવતી ચુ. પટેલ), ‘પાકશાસ્ત્ર' (ગજરાબહેન દેસાઈ ), ‘ વીસમાં સદીનું પાકશાસ્ત્ર ' (શ્રી. સુમતિ ના. પટેલ), સુરતી રસથાળ ' (સગુણાબહેન મહેતા), ‘ રસાઈનુ રસાયણ્ ' (વંદનાગારી દેસાઈ) વગેરે પુસ્તકૈા વ્યવહાર– જીવનમાં ઉપયાગી નીવડે તેવાં છે.
'
.
3
Page #99
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાડ્મય પર દાિત
"
વૈક અને આરોગ્ય
'
:
વિજ્ઞાનના આ પેટાવિભાગ આ દાયકામાં ઠીકઠીક ખેડાયેા છે. એમાં નાનાં મેટાં મળીને લગભગ ૭૫ પુસ્તકા જમા થયાં છે. તેમાંથી ખાસ નોંધપાત્ર રા. દુર્ગાશંકર શાસ્ત્રીકૃત આયુર્વેદના ઇતિહાસ' છે. આપણી ભાષામાં વૈદકના એ અપૂર્વ ગ્રંથ છે. ખાકીનાઓમાંથી વિજ્ઞાન' અને જિંદગીમા આનંદ' (ડૉ. કે. દા.લા), ‘દૂધ (ડેા. ન. મૂ. શાહ), ‘પશુચિકિત્સા ’ (લક્ષ્મીપ્રસાદ ઋષિ), ‘ ક્ષય અને ક્રમમાં નૈસર્ગિક ઉપચાર’ (ભૂપતરાય મા. દવે), આરેાગ્ય : તનનું મનનું. અને દેશનું ’(ડૉ. હરિપ્રસાદ દેસાઈ), ‘ઉગ્ર રાગેામાં નિસર્ગાપચાર' (રમણલાલ એન્જીનિયર), ખારાકના ગુણદેષ—આરાગ્યની દૃષ્ટિએ ' ( ડૉ. રસિકલાલ પરીખ ), ધરમાખી ' (બંસીધર ગાંધી), · આહાર અને પેાષણ' (ઝવેરભાઇ પટેલ), · બ્રહ્મચર્ય અને કાયાકલ્પ ' ( સ્વામી જીવનતી ), સૂર્યનમસ્કાર અને મનુષ્યજીવન ' (શ્રી. છ. શ્રીમાળી), બાળકા અને માતાની સંભાળ (ગુજ. સંશાધન મ`ડળ), ‘જનતાનાં દર્દી' (જટુભાઇ ભટ્ટ), ‘જાતીય રોગા' (સત્યકામ), ‘ આંખની સંભાળ ’(ડૉ. ગાવિંદભાઈ પટેલ) · વીજળીના આંચકા અને તેના કૃત્રિમ શ્વાસેાચ્છવાસના ઉપચાર' (હરિલાલ મંગળદાસ ત્રિવેદી), * ઉપવાસ કેમ અને કયારે' (સ્વ. સામૈયા), ‘ગુજરાતી સ્ત્રીએની શારીરિક સ'પત્તિ ' (ર. મ દેસાઈ ), ‘ગૃહિણીમિત્ર ’ (ડા. રા. મહેતા), ‘આરોગ્યસાધના ' (ડુંગરશી સંપટ), ‘જીવનચર્યાં’ ( વિ. ધ. મુનશી ) ઉલ્લેખપાત્ર છે. એમાંની ઘણી ખરી ત્રણ-ચાર ફરમાની નાની પુસ્તિકાઓ છે.
'
.
"
૭
"
પ્રજાની સંસ્કારિતાના ચિહ્ન તરીકે તેનાં વિજ્ઞાન, હુન્નર, ઉદ્યોગ, વેપાર, ખેતીવાડી, કારીગરી આદિની વૃદ્ધિની પણ ગણના કરવામાં આવે છે. આપણે ત્યાં છેલ્લાં દસેક વર્ષોથી વિદ્યાર્થીઓ વિજ્ઞાનના અભ્યાસ તરફ વધારે વળ્યા છે અને વિજ્ઞાનની વિવિધ શાખાઓમાં ઠીક પ્રમાણમાં ઉપાધિઓ મેળવતા જાય છે. વૈજ્ઞાનિક સસ્થાએ, પ્રયોગશાળાઓ અને કારખાનાંઓ પણ ધીમે ધીમે પ્રગતિ સાધતાં જાય છે અને તત્ત્વવિદા તરફથી સ`શાધન પણ ચાલુ હાય છે. પરંતુ ઇજનેરા, દાક્તરો, યંત્રકારીગરા, કૃષકા, હુન્નરશાખીના અને વેપારીઓને ઉપયેગી સાહિત્ય હજી આપણી ભાષામાં અયપ છે. પદાર્થવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, જીવવિદ્યા, ખંગાળશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, કીટકશાસ્ત્ર અને વૈદકશાસ્ર સંબંધી પ્રવેશિકારૂપ ગણાય તેવાં પુસ્તકા પણ કેટલાં? તે પછી તે
Page #100
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને થકા૨ ૫૦ ૧૦ વિષયોની અદ્યતન શોધોની માહિતી આપતાં પુસ્તકે તે હોય જ ક્યાંથી ? નવા સિદ્ધાંત અને સંશોધનને શાસ્ત્રીયતાથી ને સરલતાથી સમજાવે તેવાં પુસ્તકોની હાલને તબક્કે ખાસ આવશ્યક્તા છે. કંઈ નહિ તે અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ અને રશિયન ભાષામાં લખાયેલા ઉત્તમ વિજ્ઞાન-ગ્રંથોના સારા અનુવાદો તે આપણી ભાષામાં હોવા જ જોઈ એ. વળી વિજ્ઞાન કેવળ પંડિત વર્ગને જ ઈજારે બની ન રહે પણ આમ વર્ગ સુધી તેને ફેલાવો થાય તે માટે લેકભોગ્ય વિજ્ઞાન-ગ્રંથમાળાઓનાં પ્રકાશને પણ જરૂરી ગણાય વિજ્ઞાનનાં પુસ્તકોમાં સાદી ભાષા અને સામાન્ય વાચકોની જિજ્ઞાસા તથા રસવૃત્તિને ઉદ્દીપ્ત કરે તેવી સાહિત્યકલાની સરસતા ભેળવવાથી આમજનતાને વિજ્ઞાન શુષ્ક લાગતું મટી જશે.
બાલસાહિત્ય બાલભોગ્ય સાહિત્યનાં પ્રકાશનને કોઈ પણ દાયકામાં તે હેત નથી, કારણ કે પચાસ-સાઠ પાનાંની દસ-બાર આનાની ચોપડીઓની સામાન્યતઃ ખપત વધારે થતી હોવાથી પ્રકાશન-સંસ્થાઓ તે પ્રગટ કરવાને કાગળની મેઘવારીમાં પણ ઘણે ઉત્સાહ બતાવે છે. પણ બાલસાહિત્ય રચનારાઓ અને પ્રસિદ્ધ કરનારાઓ જેટલી ધંધાદારી ને ધનની દૃષ્ટિ પિતાની સમક્ષ રાખે છે, તેટલી બાલમાનસના વિકાસની દૃષ્ટિ રાખતા જણાતા નથી. સલામણી, લાડ કરતી, ઘેલાં કાઢતી, સુંવાળી ભાષા અને રંગબેરંગી ચિત્રો આવ્યો એટલે બાલસાહિત્ય રચાઈ ગયું એ ખ્યાલ જ મેટે ભાગે પ્રવર્તતે હેય છે. તેમાંની વાનગીઓ ઉપરછલ્લી, અધક્યરી અને કવચિત તે ઉટંગ પણ હોય છે. એમાં બાળમાનસને ખીલવે તેવા વસ્તુને અને શુદ્ધ સરલ તળપદી ભાષાને અભાવ હોય છે. લેખકોમાં બાલ- - માનસની પકડ કે બાલવિકાસની શાસ્ત્રીય દષ્ટિ બહુ જોવા મળતી નથી; વિષય-વસ્તુની આદિથી અંત સુધી કલામય રચના તેમાં જળવાઈ હતી નથી. પ્રકાશને પણ બાલકોના અભ્યાસી-અનુભવી એવા શક્તિશાળી લેખકે- પાસે જ પુસ્તક લખાવવાને આગ્રહ નથી. બાળકોનાં પુસ્તકો એવાં હોવાં જોઈએ કે જે તેમનામાં જીવનને નવો રસ પેદા કરે, તેમનામાં નવી નવી આકાંક્ષાઓ જગાડે અને જીવનયુદ્ધની તૈયારી માટે તેમનું મન મજબૂત અને દઢાગ્રહી બનાવે. | દાયકાના બાલસાહિત્યમાં ગીત, વાર્તા અને ચરિત્રનાં, સામાન્ય જ્ઞાન –બેધન અને વિજ્ઞાનની શોધખોળ કે સગવડ તથા નવા પશુ-પક્ષીઓના
Page #101
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વામય પર દષ્ટિપાત પરિચય વિશેનાં પુસ્તકો સારી સંખ્યામાં જોવા મળે છે. એમાંથી બાળવિજ્ઞાનનાં પુસ્તક ઠીક ધ્યાન ખેંચે છે.
ગીત, વાર્તા અને ચરિત્ર બાલગીતનાં પુસ્તકોમાં શ્રી. રમણીક અરાલવાળાનાં નગીના વાડી" અને રસપળી', શ્રી. જયમનગૌરી પાઠકજીનું “બાલરંજના', શ્રી. ચંદ્રિકા પાઠકજીનું “રાતરાણું', ત્રિભુવન વ્યાસનું “ગુંજારવ', શ્રી. મોહન વ. ઠક્કરનું “છીપલાં', રા. પૂજાલાલ દલવાડીનું: “કાવ્યકિશોરી', રમેશ કોઠારીનું “બુલબુલ' હરિલાલ ગો. પંડવાનું “સુરજમુખી', અને ચંદ્રકાન્ત મંગળજી ઓઝાનું ફૂલદાની” એટલાં આગળ તરી આવે છે.
વાર્તા–બોધકથાઓમાં રમણલાલ સોની, શારદાપ્રસાદ વર્મા, રમણલાલ, ના. શાહ, ધૂમકેતુ, જીવરામ જોષી, નાગરદાસ ઈ. પટેલ, વિનોદિની નીલકંઠ, સુમતિ પટેલ, દિનેશ ઠાકોર આદિ લેખકોને ખરે મૂકી શકાય. સંતો, રાજપુરુષ, વૈજ્ઞાનિકે આદિનાં ચરિત્રના લેખક તરીકે શ્રી. રસૂલભાઈ વહેરા, શારદાપ્રસાદ વર્મા, જયભિખુ, રમણલાલ સોની અને સામભાઈ પટેલના નામ આગળ આવે. હાસ્યવાર્તાઓમાં મસ્તફકીર, રમણલાલ શાહ, જીવરામ જોષી અને રમણલાલ સોનીની રચનાઓ ઠીક ઠીક બાલપ્રિય નીવડી છે.
સામાન્ય જ્ઞાનનાં પુસ્તક સૃષ્ટિનું સામાન્ય જ્ઞાન આપતાં બાલપુસ્તકમાં “કમલની પીંછીથી” (સ્વ. ગિજુભાઈ), “હરતાં ફરતાં” (માભાઈ પટેલ), વિદ્યાથી વાચનમાળા' શ્રેણી ૮-૯ (ગુજર ગ્રંથરત્ન કાર્યાલય), “ચાલે. ગામડાંમાં અને બાળકના આચાર” (માભાઈ ભાવસાર), “અછત કેણું (પુરાતન બૂચ), “ધરતીને ખોળે' (ચુનીલાલ વ. શાહ), “બાળકેનું હિંદુસ્તાન' (પિપટલાલ અંબાણ), “સારોદ્ધાર” ખંડ ૧-૨ ( શિવપ્રસાદ ત્રિવેદી), “જંગલમાં મંગલ' (હરજીવન સોમૈયા), “કેમ અને ક્યારે (ડુંગરજી સંપટ), “ધરતીને બાળમેળા”, (ઇન્દ્રપ્રસાદ ભટ્ટ અને મણિલાલ ઠાકર), “મહારાષ્ટ્રનું નંદનવન માથેરાન' (રમણલાલ શાહ) ઈત્યાદિ ધ્યાનપાત્ર છે.
બાલવિજ્ઞાનનાં પુસ્તકમાં પશુપંખીઓના રસિક બાલભોગ્ય પરિચય અને વિજ્ઞાનવિષયક કેટલીક માહિતી મુખ્ય હોય છે. એમાં “વિજ્ઞાનના ગ્રં. ૧૨
Page #102
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫૦ ૧૦ પ્રાથમિક પાઠ” (હરરાય દેસાઈ અને તારાબેન ત્રિવેદી), “હીરામોતી” અને “ચોપગની દુનિયા” ખંડ ૨-૩ (રમણલાલ ના. શાહ), “સાગરની રાણી” (સોમાભાઈ પટેલ), “લાલાનો ભેળ” (નાગરદાસ પટેલ) “આપણે આંગણે ઊડનારાં', 'આંગણાંના શણગાર', “ઊડતાં ભંગી', “વગડામાં વસનારાં', “રૂપરૂપના અંબાર ', “કંઠે સોહામણ', “પ્રેમી પંખીડાં” (નિરંજન વર્મા–જયમલ્લ પરમાર) “બાલવિજ્ઞાન વાચનમાળા' પુ. ૧ થી ૫ (ન. શાહ અને ઠા. શ્રી, ઠાકર) “દિ-સૂરજ’ (રમણલાલ સોની), વિજ્ઞાન વિનોદ' (નવલકાન્ત ભાવસાર ), ઇત્યાદિ ખાસ ઉલ્લેખપાત્ર છે.
બાલભોગ્ય પુસ્તકોનું પ્રકાશન કરનારી સંસ્થાઓની સંખ્યા પણ આ દાયકામાં ઠીક ઠીક જણાય છે. શ્રી. દક્ષિણામૂતિ બાલસાહિત્યમાળા, . ભાવનગર; શ્રી. ગાંડીવ સાહિત્યમંદિર અને શ્રી. યુગાન્તર કાર્યાલય, સૂરત; નવચેતન સાહિત્ય મંદિર, ભારતી સાહિત્ય સંધ, સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય; બાલજીવન કાર્યાલય અને સયાજી બાલજ્ઞાનમાળા, વડોદરા, બાલવિદા કાર્યાલય, મલાડ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, કમલ પ્રકાશન મંદિર, સંદેશ પ્રકાશનમંદિર, અમદાવાદ; આર. આર. શેઠ, એન. એમ. ત્રિપાઠી, એન. એમ. ઠક્કર, મુંબઈ; આપણું બાલગ્રંથમાળા, ભરૂચ, નવયુગ પુસ્તક ભંડાર, રાજકેટ; ગ્રામદક્ષિણામૂર્તિ પ્રકાશન, આંબલા અને અન્ય પ્રકાશન સંસ્થાઓએ વિધવિધ પ્રકારની બાલગ્રંથમાળાઓ આ | દાયકે પ્રગટ કરી છે.
પુસ્તકોની સજાવટ અને સંખ્યાદષ્ટિએ બાલસાહિત્યનાં પુસ્તક અને તેને પ્રગટ કરનાર સંસ્થાઓ અન્ય કોઈ વિભાગના કરતાં વધુ તેજી બતાવે છે. ફક્ત ઊછરતી પેઢીનાં હૃદયબુદ્ધિ અને જીવનરસને પ્રફુલ્લા અને તેમનામાં ઊંચા સંસ્કાર રોપે એવી સત્વશીલ સામગ્રી સાચી બાલભોગ્ય શૈલીમાં વધુ વધુ પિરસાતી જાય, એ અપેક્ષા હજુ રહે છે.
પ્રકીર્ણ - જે નોંધપાત્ર પુસ્તકે આગળના કાઈ વિભાગમાં સમાઈ શક્યાં નથી, તેની ગણના કરવા માટે આ નવો વિભાગ પાડ પડે છે. એવાં પુસ્તકો નીચે મુજબ ઃ
આત્મનિરીક્ષણ અને સંક૯૫”: શ્રી. રમણલાલ દેસાઈના દેશપ્રેમી લાગણીશીલ મનને આજુબાજુ નજર કરતાં વ્યક્તિગત આચારો સામાજિક
Page #103
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાય પર દષ્ટિપાત કે રાજકીય જીવનને કલુષિત બનાવી રહ્યાનું વિશાદમય ચિંતન તેમણે આ પુસ્તકમાં ઠાલવ્યું છે.
આપની સેવામાં’: કલાશોખીન અને ગુલાબી સ્વભાવવાળા શ્રી. જિતુભાઈ પ્ર. મહેતાના ફક્કડ શૈલીમાં લખાયેલા મનનપ્રેરક નિબંધિકા જેવા લઘુ લેખે છે. પુસ્તકની મહકતા વિચારે અને દૃષ્ટિમાં છે તેટલી જ છે તેની નખરાળી શૈલીમાં પણ છે.
“જીવનની કલા : શ્રી જિતુભાઈ મહેતાના જેવા જ ઉદ્દેશથી પ્રેરાઈને આરોગ્ય, માનસિક સ્વસ્થતા અને જીવનની સફળતા માટે વ્યવહારુ માર્ગ દર્શન શ્રી. રવિશંકર મહેતાએ એમાં કરાવ્યું છે.
નિત્ય આચાર': પ્રાતઃકાળથી આરંભી દૈનંદિની જીવનચર્યા તેમજ શોભા, અલંકાર અને જાહેરમાં વર્તાવ સંબંધી વિધિનિષેધાત્મક વ્યવહાર સૂચનાઓ શ્રી. રામનારાયણ વિ. પાઠકે તેમાં સૌને માટે રજૂ કરી છે. - “સ્ત્રીપુરુષમર્યાદા': બ્રહ્મચર્ય, સહશિક્ષણ, સ્ત્રીપુરુષસંબંધ, વિજાતિને સ્પર્શ, કામવિચાર અને લગ્ન જેવી વ્યક્તિ તેમજ સમાજનાં શરીર, મન અને ચારિત્ર્ય ઉપર જબરી અસર કરતી બાબતોને શ્રી. કિશોરલાલ મશરૂવાળાએ નીતિશુદ્ધ (Puritan) દષ્ટિકોણથી એમાં ચચી છે.
વૃત્તવિવેચન' વૃત્તવિવેચનની શાસ્ત્રીય તથા દેશદેશમાં થયેલા તેના વિકાસની માહિતી આપતું રા. રમેશનાથ ગૌતમનું આ પુસ્તક એ વિષય પર લખાયેલું પહેલું જ પુસ્તક છે. પત્રકાર બનવાના આરંભ કરનારને તે ઉપયોગી છે.
વક્તા કેમ થવાય?': રા. સતીશચંદ્ર દેસાઈનું વક્તત્વકળા સંબંધી પહેલું જ પુસ્તક છે. લેખકે ડેઈલ કાર્નેગીના “પબ્લિક સ્પીકિંગ' નામના પુસ્તકમાંથી પ્રેરણા મેળવીને તે લખ્યું છે.
“હાથની ભાષા”: રા. મણિલાલ ભૂ.પટેલ અને જ્યોતિષી કૃષ્ણશંકર કે. રૈક લખેલું આ ૫૧૨ પાનાંનું પુસ્તક હસ્તરેખા, અંકશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર સંબંધી પુષ્કળ માહિતી આપે છે. એવું જ બીજુ પુસ્તક “મહારું ભવિષ્ય' શ્રી. મણિલાલ પંડયાએ પ્રગટ કર્યું છે.
“શહેરની શેરી': શ્રી. જયંતી દલાલના આ જુદી જ ઢબના પુસ્તકમાં શહેરની પિળે અને શેરીઓમાં બનતા વાસ્તવિક પ્રસંગે તેમજ તેના પ્રતિનિધિરૂપ વિવિધ વ્યક્તિઓનાં તાદશ અને ચટકદાર ચિત્રો રજુ થયા
Page #104
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથમર ૧૦ છે. ગુજરાતી જનસ્વભાવનાં વિવિધ પાસાંઓ અને શેરીના જીવનના સ્થિર અંશે એમાં યથાર્થપણે ઝિલાયાં છે. '
“ગાંધી સાહિત્ય સૂચિ' શ્રી. પાંડુરંગ દેશપાંડેએ યોજેલ આ પુસ્તકમાં ગાંધીજીરચિત તથા એમનાં જીવન, કાર્ય અને તત્ત્વજ્ઞાન સંબંધી રચાયેલાં પુસ્તક ઉપરાંત એમનું વ્યક્તિત્વ સમજવામાં ઘાતક બને એવાં ટઢય, રસ્કિન, ચૅરે, શ્રીમદ્ રાજચંદ્ર વગેરે લેખકેનાં મળીને કુલ ૨૮૦૦ પુસ્તકોની યાદી આપવામાં આવી છે, જે ગાંધીસાહિત્યની સંદર્ભ સૂચિ તરીકે અત્યંત ઉપયોગી છે.
, “પરકમ્મા' સોરઠી લોકસાહિત્યના સંપાદક અને સવિવેચક તરીકે મેઘાણીનું ઘડતર કેવી રીતે થયું તેની ઈતિહાસકથા અને લેકસાહિત્યની શોધનકથા રૂપે સ્વ. મેઘાણ તરફથી આ પુસ્તક મળ્યું છે. એમાં ટાંચણો વાર્તાપ્રસંગના અણવપરાયેલા છૂટાછવાયા ટુકડાઓ, દુહાઓ અને ભાષાપ્રયોગોની ગોઠવણી કુશલતાથી કરવામાં આવી છે. લેખકની રસાળ શૈલી અને કલાપારખુ દષ્ટિ વિના આમ ભાગ્યે જ બની શક્યું હોત.
લેખલહરી': શ્રી. સરલાબહેન સુ. શાહના આ પુસ્તકમાં જૈન દષ્ટિથી સંસારના પ્રશ્નો છેડાયેલા છે. એમણે એમાં કરેલાં નિરાકરણોમાં સંકુચિત સાંપ્રદાયિકતા નથી. “મહાકવિ ચંદ અને પૃથ્વીરાજ રાસો'માં પંડિત ગોવર્ધન શર્માએ રાસાની અતિહાસિકતા સિદ્ધ કરવાને શ્રમ લીધો છે.
ભાષાંતરે–રૂપાંતરો અનુવાદ ગુજરાતનું પોતાનું ધન ન કહેવાય; પણ મૌલિક ફલ ઓછો કે સત્વહીન ઊતરતો હોય તે વેળા અન્ય ભાષાઓનાં સુંદર અને સત્વશીલ પુસ્તકોના અનુવાદોની આવશ્યકતા ઊભી રહે છે. એક બીજી દૃષ્ટિએ પણ તેની જરૂર છે. પિતાનું વાડ્મય ગમે તેટલું ખીલેલું હોય, પણ અન્ય ભાષાઓના ઉત્તમ વાત્મયથી પિતાના બાંધવોને પરિચિત કરવા અને અન્ય ભાષાભાષીઓના નૂતન પ્રવાહ, દષ્ટિબિંદુઓ અને શક્તિસામર્થ્યને તેમને ચેપ લગાડવા એ પણ સાહિત્ય અને સમાજની પ્રગતિશીલતાની નિશાની છે. જગતની તમામ ભાષાઓના શિષ્ટસુંદર ગ્રંથે પિતાની ભાષામાં પણ વાંચવા મળે, એ ગુજરાતી અનુવાદકેનું ધ્યેય હેવું જોઈએ.
આ દાયકે એવા કેટલાક ઉત્તમ અનુવાદ–રૂપાંતરે આપણને સાંપડયા
Page #105
--------------------------------------------------------------------------
________________
યા દાયકાના વમય પર દષ્ટિપાત છે. અહીં તેના ગુણદોષ ચર્ચવાને અવકાશ નથી, એટલે તેમને નિર્દેશકરીને જ સંતોષ લઈશું.
કવિતા શ્રીમતી રેહાના તૈયબજીના “The Heart of a Gopiને છે. બ. ક. ઠાકરે કરેલ ગોપીહદય' નામે અનુવાદ; રવિબાબુનાં ગીતકાવ્યોમાંથી ચૂંટણી કરીને સ્વ. મેઘાણીએ આપેલું “રવીન્દ્રવીણા” નામે રૂપાંતરિત પુસ્તક; “We are seven', “ Hermit ', “The Deserted Village' 242 ' An elegy written in a country church-yard” એ ચાર કાવ્યનું શ્રી. કુલસુમ પારેખ અને ડો. સુરૈયાએ કરેલું ભાષાંતર; કીટ્સના “Isabella ને “અશ્રુમતી' નામે થયેલ અનુવાદ; ભગવદગીતાનું શ્રી. મશરૂવાળાએ કરેલું સમલેકી ભાષાંતર; જગન્નાથ પંડિતનું “કરુણાલહરિ', શંકરાચાર્યનાં ગંગાષ્ટક” અને
અર્ધનારીનટેશ્વર' તથા કુરેશસ્વામી રચિત “નારાયણાષ્ટક'નું રા. લાલજી વિરેશ્વર જાનીએ કરેલું ભાષાંતર અને અવારનવાર “માનસી” ને “દક્ષિણું” મૈમાસિકમાં પ્રગટ થતાં રહેતાં શ્રી અરવિંદની કવિતાનાં સુંદરમ તથા પૂજાલાલે કરેલાં ભાષાંતરે આ દાયકાના કાવ્યવિભાગમાં નોંધપાત્ર ઉમેરારૂપ ગણાય. ,
નાટક હેમ્લેટ” અને “મર્ચન્ટ ઓફ વેનિસ માં શ્રીમતી હંસાબહેન મહેતાએ નિબંધ અનટુપમાં કરેલાં ભાષાંતર; શરદબાબુના પલ્લી સમાજ ને “રમા’ નાટકમાં પુનર્જન્મ (હિંદી પરથી); મરાઠી નાટયકાર પ્રિ. અત્રેનાં લગ્નની બેડી”, “આવતી કાલ, વગેરે નાટકનાં ભાષાંતર; ટેસ્ટોયની “પાવર ઓફ ડાર્કનેસ’ એ નાટયકૃતિનું શ્રી. મૂળશંકર ભટ્ટે કરેલું ભાષાંતર; પી. જી. વુડહાઉસની ‘ઈફ આઈ વેર યુ' નામની વાર્તાનું રા. ધનંજય ઠાકરે જે હું તું હેત” નામે કરેલું રૂપાંતર; રવિબાબુનાં નાટકે અને સંવાદ-કાવ્યોને લક્ષ્મીની પરીક્ષા” અને “સતી” નામે રા. નગીનદાસ પારેખે કરેલ અનુવાદ; મેકિસમ શૈકીના “લોઅર ડેગ્સ” નાટકનું શ્રી. ગિરીશ ભચેચે, કરેલું ઊંડા અંધારેમાં રૂપાંતર; શ્રી. કે. કા. શાસ્ત્રીએ ઉતારેલ “કવિ કાલિદાસનાં ત્રણ નાટકે'; રશ્મિબહેન પાળીએ “૧૯૪૨’ નાટકમાં મરાઠી નાટયકાર મધુસૂદન કાલેલકરરચિત “ઉઘાંચે જગ'નું કરેલું વેશાંતર; આટલી આ દાયકાના નાટયવિભાગમાં મળેલી સુવાચ્ય અનુવાદકૃતિઓ છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
૪
ગ્રંથ અને ગ્રંથકાર ૦-૧૦
નવલકથા
આજકાલ બંગાળી નવલનવેશોની કૃતિઓના અનુવાદેાના ગુજરાતીમાં તેાટા નથી. એક જ કૃતિના એકથી વધુ અનુવાદો વિવિધ પ્રકાશકા તરફથી પ્રસિદ્ધ થવા માંડ્યા છે. શરખાયુ, રવિભાજી, બંકિમચંદ્ર, શ્રી. પ્રભાવતી દેવી સરસ્વતી, શ્રી. અનુપમાદેવી; શ્રી. સૌરીન્દ્રમાહન, નારાયણ ભટ્ટાચાર્ય, નરેશ દ્ર સેનગુપ્ત, તારાશકર બંદોપાધ્યાય, પ્રોાધ સાન્યાલ, નવગેાપાલદાસ, ભૂપેન્દ્રનાથ રાયચૈાધરી, સુમનનાથ ઘોષ, ખલાઈચંદ્ર મુખોપાધ્યાય, ઇત્યાદિ બંગાળી લેખકેાની નવલકથાએ ગુજરાતીમાં ભાષાંતરત થઈ છે. બંગાળી નવલકથાઓની અનુવાદો રૂપે ધૂમ આયાત ગુજરાતમાં કેમ થતી રહેતી હશે ? ગુજરાતીઓને બંગાળની લાગણીમયતા આકી ગઈ છે એને કશો વાંધા નથી, પણ બંગાળની પ્રતિભાશીલ નવલેાની સાથે તેની સત્ત્વહીન કૃતિએ પણ ગુજરાતી ભાષાને માથે અનુવાદકા-પ્રકાશ માટે, એમાં તેમની શોભા કે વાડ્મયની સેવા નથી.
હિંદી નવલકથાઓમાંથી શ્રી. સિયારામશરણની કૃતિ ‘ગાદ’તુ, શ્રી. રાહુલ સાંકૃત્યાયનની કૃતિ ‘ વેગાસે ગ ંગા'નુ', શ્રી. જૈતેન્દ્રકુમારની કૃતિએ ‘પરખ’ અને ‘ત્યાગપત્ર'નુ' અને સ્વ. પ્રેમચછની કૃતિ ‘કાયાકલ્પ’તું : આટલાં ભાષાંતરે આવકારને પાત્ર છે.
"
મરાઠી નવલકથાઓના અનુવાદો પણ ઠીક ઠીક થતા જાય છે. ‘દાઝેલાં હૈયાં’, ‘સુલભા', ‘સૂનાં મંદિર', ઉકા'. અને · વર-વહુ અમે ' ખાંડેકરની વાર્તાઓનાં ભાષાંતર છે; ‘ક્રાન્તિ’ અને ‘સન્ધ્યા' સાતે ગુરુજીના અને ‘પ્રવાસી' ભા. ૧-૨ પ્રે, ફડકેની વાર્તાના અનુવાદ છે.
ઉર્દૂના વિખ્યાત લેખક કાઝી મુહમ્મદ અબ્દુલ ગફ્ફ્ફારના મશહૂર પુસ્તકના ‘લયલાના પત્રા'માં અનુવાદ મળે છે. સિંધી સાહિત્યની પહેલી મૌલિક નવલકથાના અનુવાદ ‘આશીર્વાદ' નામે પ્રગટ થયા છે. તેના મૂળ લેખક છે સેવક ભાજરાજ.
હવે પરદેશી કૃતિઓના અનુવાદો :
વાન્દા વાસિલેન્સ્કાની ૧૯૪૩નું સ્તાલિન-ઇનામ જીતનાર કથા ‘રેઇન્મે’નું ‘મેઘધનુષ’ નામે રમણલાલ સેાનીએ ભાષાંતર કર્યુ છે. જાન સ્ટાઇનમેકની ધ મૂન ઇઝ ડાઉન' નવલકથાને અનુવાદ ‘શશી જતાં' એ નામે જયંતકુમાર ભટ્ટે કર્યાં છે. વિકટર હ્યુગાની નવલ ‘નાઈન્ટી થ્રી'ના સારાનુવાદ
Page #107
--------------------------------------------------------------------------
________________
ગયા દાયકાના વાલ્મય પર દષ્ટિપાત ,
વાલા'માં મહેન્દ્ર મેઘાણીએ આપે છે. જર્મન લેખક એરિમોરિયા રેમાકની “એલ કુવાયેટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટને અનુવાદ પશ્ચિમના સમરાંગણમાં સ્વ. સોમૈયાએ અને તેના અનુસંધાનમાં બરડ બેંકને અનુવાદ ધરને મારગે'માં મકરન્દ દવેએ પ્રગટ કર્યો છે. ઉપરની પાંચે યુદ્ધ સમયની નવલકથા છે. '
પેરી બરજેસની કૃતિ ઉવી વૈક એલેનનું કાકા કાલેલકર અને રા. મશરૂવાળાએ કરેલું સુવાચ્ય ભાષાંતર “માનવી ખંડિયો' છે. ટૉલ્સ્ટોયની
જીવનવન” અને “શેઠ અને ચાકર તથા મેરી કરેલીત પ્રભુનું ધન શ્રી. ચંદ્રશંકર શુકલે આપેલા સુંદર અનુવાદે છે. જે જ ઓરવેલકૃત એનિમલ ફાર્મનો અનુવાદ “પશુરાજ્ય' નામથી, જોન સ્ટાઇનબેકલિખિત પલ ને ભાવવાહી અનુવાદ મેતી’ને નામથી અને પેટ ફેન્કની ‘મિસ્ટર આદમ' કૃતિને સંક્ષિપ્ત અનુવાદ તે જ નામથી શ્રી જયંતી દલાલે આપેલ છે. અમેરિકન પત્રપ્રતિનિધિ જેન હસની વાર્તાને અનુવાદ 'હિરોશિમા” નામથી નિ દેસાઈ એ કર્યો છે. વૈજ્ઞાનિક કલ્પનાકથાઓના વિખ્યાત ફેન્ચ લેખક જુલે વર્નકૃત ‘ક્લિપર ઓફ ધ કલાઉઝને. “ગગનરાજ" નામે અનુવાદ રા. મૂ. મે. ભટ્ટે પ્રગટ કર્યો છે. મશહૂર અંગ્રેજી જંગલકથા ‘સરઝન ઓફ ધ એસીને રા. મકરન્દ દવેએ જંગલને રાજા ટારઝન' નામે અનુવાદ આપે છે.
આ દાયકે નવલકથા વિભાગમાં ભાષાંતર–રૂપાંતરોની સંખ્યા લગભગ ૧૦૦ ઉપરની થવા જાય છે. આ ઉપરથી એમ કહી શકાય કે ગયા દાયકા કરતાં આ દાયકે પરદેશી નવલકથાઓએ આપણ અનુવાદકોનું ધ્યાન ઠીક ઠીક ખેંચ્યું છે.
નવલિકા બંગાળી વાર્તાસાહિત્યમાંથી આ દાયકે “તીન સંગી” અને હૈમંતી' એ રવિબાબુના નવલિકા સંગ્રહ ગુજરાતીમાં ઊતર્યા છે. અવનીન્દ્રનાથ ઠાકુરકત “રાજકાહિની ભા૦૧'ની વાર્તાઓના અને શ્રી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરકતા “સીતાવનવાસ” અને “શકુંતલા'ની વાર્તાઓના અનુવાદ પણ આ દાયકે પ્રગટ થયા છે. હિંદી વાર્તાસાહિત્યમાંથી વિવિધ નવલિકાકારોની વાર્તાઓના અનુવાદ હિંદીની શ્રેષ્ઠ વાર્તાઓ” તથા “રેણું અને બીજી વાત” રૂપે થયા છે.
મરાઠી નવલિકાસાહિત્યમાંથી દેવદૂત” અને “છે. ફડકેની વાત' એમ બે વાર્તાસંગ્રહો પણ આ વિભાગના નેધપાત્ર ઉમેરા છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ॰ ૧૦
પરદેશી નલિકાઓના પાંચ ઉત્કૃષ્ટ સંગ્રહો આ દાયર્ક મળ્યા છે. ‘નિઃસંતાન'માં યુાપના જુદા જુદા લેખકાની ઉત્તમ વાર્તાઓના સચય છે, ‘પ્રથમ પત્ની’માં પલ’બંતુ કીમતી વાર્તાધન મળે છે. ‘વામા’ અને ‘ પ્રલાલન ' ફ્રાન્સ, રશિયા, જ'ની, ચીન, જાપાન, ડૈન્માર્ક, પેાલેન્ડ, હંગેરી, આસ્ટ્રિયા, સ્વીડન, ઇટલી આદિ દેશેાની ભાષાઓની વેધક વાર્તાઓના અનુવાદ સંગ્રહા છે. ટૉલ્સ્કાયની પાંચ ઉત્કૃષ્ટ ટૂંકી વાર્તાઓના અનુવાદ “કાની બહેન ? ” નામથી શ્રી. ચંદ્રશંકરે આપ્યા છે.
લલિતેતર વાડ્મય
પરભાષાઓની સર્જનાત્મક કૃતિઓ સિવાયનાં ઉત્તમ પુસ્તકાના આ દાયકે થયેલા અનુવાદોની યાદી નીચે આપવામાં આવે છે. ૧. શ્રી. ધનસ્યામદાસ બિરલાકૃત ‘બાપુ;
૨. પંડિત સુંદરલાલકૃત ‘હજરત મહંમદ અને ઇસ્લામ'; ૩. યુસુફ મહેરઅલીકૃત ‘આપણા નેતા. ભા. ૧-૨'; ૪. શ્રી દિલિપકુમાર રૉયરચિત તીથ સલિલ';
૫. શ્રી. વિનાબા ભાવેષ્કૃત ‘મધુકર’;
૬-૭, ટૉલ્સ્ટૉયકૃત ‘કળા એટલે શું ?' અને ‘ચૂપ નહિ રહેવાય’; ૮. સર રાધાકૃષ્ણનકૃત ‘ધર્માનું મિલન';
૯. કે. જદુનાથ સરકારષ્કૃત ‘મુધલ રાજ્યવહીવટ';
૧૦-૧૧. રવીન્દ્રનાથ ટાગ।રકૃત પૂર્વ અને પશ્ચિમ ' અને ‘ સાહિત્ય ’.
૧૨. શ્રી. સદાશિવશાસ્ત્રી ભીડેકૃત કેનેપનિષદ ’. ૧૩-૧૪–૧૫. ‘શ્રી, અરવિંદનું યાગદશન ', ‘ જગન્નાથને રથ', · ચાગ અને તેનાં લક્ષ્ય ', એ અરવિંદવિષયક પુસ્તકા.
"
"
૧૬-૧૭. શ્રીપદ્ દામેાદર સાતવળેકરકૃત વેદામૃત’ અને શ્રીમદ્ભગવદ્ગીતા ’.
૧૮. - પીરામીડની છાયામાં’-અનુ. ચદ્રશંકર શુકલ. ૧૯. ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન '–પંડિત જવાહરલાલ. ૨૦. એચ. જી. વેસકૃત ‘ઇતિહાસની રૂપરેખા ’.
૨૧. ૫. જવાહરલાલ નહેરુકૃત ‘ઇન્દુને પત્રા’. ૨૨. સર રાધાકૃષ્ણન્સ'પાદિત ‘ગાંધીજીને જગવ'દના ’. ૨૩. ‘ઉપનિષદો ’ ભા. ૧-૨ ; સસ્તું સાહિત્યવધક કાર્યાલય.
Page #109
--------------------------------------------------------------------------
________________
ા ા ા સ દષ્ટિપાત
૨૪. શ્રી. બધાશર ગૂલકુલ શિe૫૫રિજાય ૨૫. બન્ટ સેલકૃત “સુખની શોધ'. *
૨૬. “મહર્ષિ અરૂણાસાહેબનું ચરિત્ર અને તેની સુલભ ઔષધ પદ્ધતિ -અનુ. અનંત ગેવિંદ ભાગવત. .
ર૭-ર૮. મીનુ મસાણીકત “આપણું હિંદુસ્તાન' અને “આપણે ખોરાક'.
૨૦. રિચર્ડ ગત “અહિંસાની તાલીમ'. ૩૦. અશોક મહેતા-અશ્રુત પટવર્ધનત હિંદન કેમી ત્રિકોણ.' ૧. કનૈયાલાલ મુનશીકૃત “અખંડ હિંદુસ્તાન'. ૨. ધર્માનંદ કોસંબીકૃત “અભિધર્મ'. . ૩૨ શ્રી. યોગવાસિષ્ઠ': સારાનુવાદ-ગોપાળદાસ પટેલ. તે ૩૦-૩૪. “ગીતાસંકલન ”-રમણ મહર્ષિ; “ગીતાધર્મ કાલેલકર ૩૫-૩૬. “ગીતાëદય-સાને ગુરુજી; “કેળવણુ” : સ્વામી વિવેકાનંદ ૩૭. શ્રી. જાવડેકરકૃત “આધુનિક ભારત-ઇતિહાસ, ૩૮. શ્રીમતી સોફિયા વાડિયાકૃત “સ્વરાજશિક્ષણ. ૩૯. રવીન્દ્રનાથ ટાગોરકૃત “પંચભૂત', ૪. આચાર્ય ક્ષિતિમોહન સેનત “શિક્ષણ સાધના'.
૪૧. જે. સી. કુમારપાકૃત “હિંદ-બ્રિટનને નાણાંવ્યવહાર’. - ૪૨. રઘુનાથશાસ્ત્રી કેકજેત “ભારતીય તર્કશાસ્ત્ર'
૪-૪૪. મરાઠીમાંથી “એશિયાના ધર્મદીપકે' અને અમારી અને શિક્ષણ'.
૪૫. “ગાંધીજીને સરકાર સાથે પત્રવ્યવહાર.' ૪૬. “ખેરામાં ઝેર': મૂળ લેખક-પ્રિ. મેઝીઝ દઝિશિયલ,
0 થી પર.સધાકૃષ્ણનકૃત “ગીતાણાન”, “દિને ચિત્રકાર ધારા", “યહાભારત', “હિંદુ ધર્મ', “ભારતને વારસે. “યુવાનોની સારા સાધw.
૫૩. આય કલાની ‘હિંદી સાષ્ટ્રીય મહારાજ”. M૪. મહાદેવ દેસાઈકૃત “મૌલાના અબુલ કલામ આઝાદ'. ૫૫., જવાહરલાલ નહેરુકૃત “ભારતની એકતા'. ૫. લુઈ ફીશરકૃત “ગાંધીજી સાથે અઠવાડિયું '. ૫૭. “વાંધીવાદી આર્થિક યોજના – આચાર્ય આમવાલ, ગ્રં. ૧૩
.
Page #110
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને થયા ૫૦
મ્યુરીએલ લેસ્ટર ઃ - ગાંધીજીની યુરેાપયાત્રા'.
૫૮. શ્રીમતી ૫૯. મિસિસ પેાલાક : ગાંધીજીના જીવનપ્રસંગ ’. ૬. કનૈયાલાલ મુનશી : ‘ આશિષની કેળવણી '.
"
આ
દાયકાના સિદ્ધહસ્ત અનુવાદકા તરીકે શ્રી. ચદ્રશ કર શુકલ, શ્રી. નગીનદાસ પારેખ, શ્રી. મશરૂવાળા, શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. રમણલાલ સેાની, શ્રી. ગેાપાળદાસ પટેલ, શ્રી. નરહરભાઇ પરીખ, શ્રી. વિાંસ, શ્રી. જયંતીલાલ આચાર્ય', શ્રી. બચુભાઇ શુકલ, રા. પાંડુર’ગ દેશપાંડે વગેરે વિદ્વાનને ગણાવી શકાય. પણ એ સૌમાં અવિરત અનુવાદસેવાથી મા ગુર્જરીની વિશેષ સેવા બજાવનાર શ્રી. ચદ્રશ'કર છે. અનુવાદ માટેનાં પુસ્તક્રાની તેમની પસંદગી, અંગ્રેજી અને ગુજરાતી ઉભય ભાષા પરનું તેમનું પ્રભુત્વ, તેમની પ્રવાહી, સરલ, સુવાચ્ય અનુવાદરીતિ, સત્ત્વગુણી દૃષ્ટિ અને બહુશ્રુતતા અનુવાદક તરીકે સ્વ. મહાદેવભાઇનું ખાલી પડેલું સ્થાન તેમને સહજપણે અપાવે છે. આપણે ઇચ્છીએ કે પરદેશની ઉત્તમાત્તમ કૃતિના શ્રેષ્ઠ અનુવાદો તેમની પાસેથી વધુ ને વધુ મળતા રહે
પ્રકાશન—પ્રવૃત્તિ
C
ગુજરાતી પુસ્તકા છપાઈમાં આકર્ષીક અને કલામય બનતાં જાય છે એવું દાયકાનાં ઘણુંખરાં પુસ્તકા જોતાં લાગે છે. પુસ્ત`માં ઉપરનાં જૅકેટ, રંગભેરંગી ચિત્રા અને કલાયુક્ત રેખાએ વડે સુશોભિત બનવા પામ્યાં છે. ‘ પારકી જણી ’ અને ‘મમે જ મા’ જેવાં પુસ્તામાં કટાક્ષચિત્રા આપવાને આરંભ થયા છે, તેમ છતાં એકંદરે પહેલાં પ્રસંગા કે પાત્રચેષ્ટાઓનુ નિર્દેશન કરતાં ચિત્રા જોવા મળતાં તે હવે મોંધવારીને કારણે અથવા તેા કલારુચિ બદલાતાં અદશ્ય થયાં છે. પુસ્તક્રના આકાર, બાંધણી તથા છપાઇમાં સાદાઇને વિશેષ મહત્ત્વ મળ્યું છે. દાયકાના કાઈ કાઈ કાવ્યસંગ્રહામાં અખતરા દાખન્ન કાલેકરી ગુજરાતી લિપિતા અને નાગરીમાં કાવ્યશી છાપવાની પ્રથા પડી છે. દાયકાનાં ણાંખરાં પુસ્તકાના આકાર સુજ્જુ, રૂપરંગ મનાહર અને બાંધણી પાકી પણ મજબૂતાઈ ઓછી જણાય છે.
આ દાયકાની મુખ્ય પ્રકાશન સંસ્થા ‘નવજીવન', ' ભારતી સાહિત્ય સબ લિ. ', ' આર. આર. શેઠની કુ. ', ‘ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય ', એન. એમ. ત્રિપાઠીની કુાં.', 'ગુજરાત વિદ્યાસભા ', ‘સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાં,’, ‘ગતિ પ્રકા. લિ.’ અને ‘વેરા એન્ડ કું.' છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
થયા તાર્યાંના થાપ પર દષ્ટિપાત
"
.
'
લલિત સાહિત્યમાં ‘ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય', ‘ ભારતી સાહિત્ય સંધ' તે ‘આર. આર. શેઠ અને લલિતેતર સાહિત્યમાં ‘નવજીવન' અને ‘સસ્તું સાહિત્ય વર્ષાંક ' માખરે આવે. અલબત્ત, કીમત, કાગળ અને પુસ્તક્રની આંધણીની ખાખતમાં ભારતી સાહિત્ય સધ' અને · આર. આર. શેઠ' વિશે કૅરિયાદ કરી શકાય. એ માટે ‘ નવજીવન’, ‘ગુજરાત વિદ્યાસભા ' તે ‘ગુર્જર ગ્રંથરત્ન' પ્રાત્સાહનને પાત્ર ઠરે તેમ છે. કીમતની ખુાબતમાં સૌથી વિશેષ ધન્યવાદને પાત્ર ‘ સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય ’જ ગણાશે. ધાર્મિ ક પુસ્તકા જેટલૈા સાહિત્યમાં અને શાસ્ત્રનાં પ્રકાશના માટે વેચાણુને અવકાશ કદાચ નહિ હોય; તે પણ · નવજીવન ', ભારતીય વિદ્યાભવન’, ‘ ગુજરાત વિદ્યાસભા ’, ‘ સયાજી સાહિત્યમાળા ' અને ફા’સ સાહિત્ય સભા' જેવી નફાની દૃષ્ટિને ન લક્ષનારી સંસ્થાઓએ આ સંસ્થાને કીમતની બાબતમાં અનુસરવું ટે. અંગ્રેજીમાં બે-અઢી રૂપિયામાં સેામરસેટ મોમની નવલકથા કે રિચાર્ડઝનાં વિવેચન-પુસ્તકા મળી શકે અને ગુજરાતી નવલકથા કે વિવેચનનું પુસ્તક વાંચવા માટે પાંચ રૂપિયા ખ`વા પડે એ બાબત શું પુસ્તક-ખરીદીની આડે નથી માવતી
<
પ્રકાશના સંબધે બીજી એક ગંભીર ફરિયાદ કરવાની છે તેમાંની અશુદ્ધ જોડણી માટે. સામાન્ય પ્રકાશન સંસ્થાએ તે જાણે તે તરફ દુર્લક્ષ સેવે તે સમજી શકાય, પણ ભારતી સાહિત્ય સંધ', ‘ગુજર ગ્રંથરત્ન”, “ આર. આર. શેઠ' કે એન. એમ. ત્રિપાઠી ' જેવી પહેલી હરાળની સંસ્થાએ પણ તેમનાં પ્રકાશનમાં જોડણીની સખ્યાબંધ ભૂલા તરફ આખમી'ચામાં કરે એ કેટલું દુ:ખદ છે! અરે, ભાષા-જોડણીની શુદ્ધિ માટે ઠીક સાવચેતી બતાવનારી ‘ નવજીવન ’ અને ‘ ગુજ. વિદ્યાસભા ’ જેવી સંસ્થાઓનાં પ્રકાશનામાં ય હવે તે જોડણીદોષો ડેાકાવા લાગ્યા છે.
આ બાબતમાં લેખકા કરતાં પ્રકાશન સંસ્થાએ વધુ જવાબદાર છે. સંસ્થાઓ જોડણીકાશ ખરીદીને ઇતિકર્તવ્ય માનવા કરતાં ભણેલા પ્રૂફ સુધારનારાઓ રાખીને પૂરું કન્યપાલન કરે તે ઇચ્છવાજોગ છે.
દાયકા દરમિયાન કેટલીય વિવિધ પ્રકારની લાકહિતાર્થ (?) ગ્રંથમાળાએ એ કે ચાર પુસ્તકા બહાર પાડી મરણશરણુ થઈ ગઈ છે. એની પાછળ રહેલી કેવળ નફાખાર દૃષ્ટિ અને પ્રવૃત્તિએ ભાષા અને સાહિત્યને શરમાવે તથા ગ્રાહકેાને છેતરે તેવાં પુસ્તકા માથે માર્યા છે. આના ખલે બે-ચાર સારી સમૃદ્ધ સંસ્થાઓ ભેગી મળી આા મૂલ્યે આમ જનતા માટે
Page #112
--------------------------------------------------------------------------
________________
સાહિત્યક્ષેણીઓ કે કરે અને મેટા મા ૫ર ગુજરાવી સાહિત્યને દલા ફરે તે ગુજરાતી જનતા અને ભાષાનું હિત વધુ સહાય.
- કાસ સંજોગોમાં એ માપણી પ્રકાશન સંસ્થાઓએ જુદા જુદા વિષમ પ્રકાર અને શૌલીના પુસ્તક આપવાં ચાલુ રાખીને બા દાયકાના સાહિત્યપ્રવાહને સંખ્યા અને વિવિધતામાં પાતા પાવા દીધો નથી. સર્જકતાને ધારણે આ લાયક કેક મોમ જણાય છે, તે લલિતેતર વાસ્મમતા બેઠાણમાં એની શિહિ આગલા hઈ પણ દશકા કરતાં વિશિષ્ટ છે. એમ લલિતની બ્રેટ જાણે કે લલિતેત૨માં પુરાઈ જાય છે. પણ, દાયકે ઘમકે, સરિવાના પ્રવાહની જેમ સાહિત્યને પ્રવાહ ખા રીતે દિશા બદલે વળાંક છે, પઢને વિસ્તાર-સ કેમ અનુભવે એ સ્વાભાવિક છે. વિસ્તૃત બનતા જતા પટમાં વહેતી ગુજરાતી વામમની રિતાનાં જળ આ ગાળામાં નીતરેલાં પણ કૈક છીછરાં બન્યા જણાય છે અને તેને પ્રવાહ પણ કવચિત મંદ દેખાય છે. પણ તેથી કાંઈ નિરાશ સવાની જરૂર નથી. પછી-દાયક બે કાકે–આવનાર પૂરની પૂર્વ તેયારી થતી હશે તે દેને ખબર છે
Page #113
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર–ચરિતાવલિ
વિદેહ ગ્રંથકારોનો પરિચય
Page #114
--------------------------------------------------------------------------
Page #115
--------------------------------------------------------------------------
________________
ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ સ્વ. ઈચ્છારામ જન્મ ઈ. સ. ૧૮૫૩ના ઓગસ્ટની ૧૦મી તારીખે (વિ. સં. ૧૯૦૯ ના શ્રાવણ સુદ ૬ને બુધવાર) તેમના વતન સૂરતમાં થયો હતો. જ્ઞાતિએ તેઓ સૂરતી તળપદા દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક હતા. તેમના પિતાનું નામ સૂર્યરામ (સૂરજરામ) દારામ દેસાઈ અને માતાનું નામ પ્રાણુકુંવર હતું. તેમના એક પૂર્વજ નારણદાસ તાપીદાસે અકબર પાદશાહની ખેરખાહી બજાવેલી અને રાજા ટોડરમલને જમાબંદીના કામમાં મદદ કરેલી તેથી ઉત્તર વયમાં જ્યારે નારણદાસ પિતાના વતન સૂરત પાછા ફર્યા ત્યારે અકબરશાહે તેમને સૂરત અને ભરૂચ જિલ્લાનાં મુખ્ય અગરસ્થાને–પાળી , મરોલી, ગણદેવી, ઓરપાડ હાંસોટ, ચોરાશી અને મહાબળેશ્વર–એ ગામના મીઠાના અગર પર વેરે ઉઘરાવવાને વંશપરંપરાને હક આપ્યો હતો. આથી તેમની અટક નિમકસારી” પણ કહેવાતી. આ હક વંશપરંપરાગત આજે પણ તેમને વંશજો ભેગવે છે. ને એ વતનગીરીમાંથી આજે પણ આશરે રૂા. ૪૪૬ની વાર્ષિક આવક મેળવે છે.
૧. શ્રી નટવરલાલ ઈ. દેસાઈએ સૂરતમાં આપેલ વ્યાખ્યાનમાં ઈ. સ. ૧૮૫૪ ના ઓગસ્ટની ૨૩ મી તારીખ (વિ. સ. ૧૯૧૦) જન્મદિવસ તરીકે આપી હતી; પણ તેમાં તેઓએ સુધારો કરીને ખરી તારીખ અમને જણાવી છે તે આ છે.
૨. તે જમાનાની ભાષાના નમૂના તરીકે એ ફરમાન જોવા જેવું છે –“નારણદાશ તાપીદાશ–પાદશાની કચેરીમાં મલા–તે ઉપર જે હુકમ થઓ જે-પરગણાઓના નીમકશારની કાનુગેઈનું નીચાંની વીગત પરમાણે એ શખસ ને ઘણીઆણી ત્યાં ભાઈઓ ત્યા ફરજ દે સાથે મુકરર કરી શપુ-વણજારા તથા રઈએત માહાલની– એ શખસને પોતાને જાણે–એના ઈનફક શવાએ–ખરીદ-વેચાણ ન કરે–ને ખાંડી ૧-એક બેહ લુલી તેમાં--અડધી રઈએત ખરીદદાર નહડધી પોચાડે કે એ ઘણું ખર્ચ કરીને પોતાની ખીજમત ઉપર કાએમ રહી કામકાજ કરા જાએ સરકારે મજકુરનાં–કચેરી ત્યા જાગીરદાર હાલના તયા આએદના-નીમકશાનું કામ હાએ તે એની રજી જાણે–બીજા કોઈને ભાગીઓ પતીઆળ ન જાણેન કશી તરફથી મુજાહેમ નહી થાએ—એ બાબમો ફરમાન નવુ ન માને–આ વાતની તાકીદ જણને ઉલટુ ન કર. ઈ. સ. ૧૬૦૦” (અંગ્રેજ અમલ દરમિયાન સ્વ, ઇચ્છારામના દાદા દયારામે પોતાની વતનદારીના હક બદલ દાવો કરેલ તે અરજીમાં સામેલ કરેલું મૂળ ફારસી પરથી અનુવાદ કરતું-ફરમાન -જુઓ “એકસો ને એક વર્ષ પૂર્વેને ચોપડા - ગુજરાતીનો દીપોત્સવી અંક, તા. ૮-૧૧-૧૯૪૨)
Page #116
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦ આમ વંશપરંપરાને તેમને વ્યવસાય સૂરત–ભરૂચ જિલ્લાના સમુદ્રકિનારે મીઠાના અગર રાખીને મીઠું પકવવાને–દેસાઈગીરીને હતે; પણ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ તે ધંધે લઈ લેતાં દેસાઈ કુટુંબના માણસો જુદા જુદા ધંધામાં પડ્યા.
સ્વ. ઇચછારામના પિતા સૂર્યરામને તેમનાં ફેઈ– કૂવાએ દત્તક લીધેલા. પણ તેમનાં ફૂવાનું નામ ચ દયારામ હોવાથી તેમને પિતાનું નામ ફેરવવું પડયું નહોતું. અંગ્રેજોનું રાજ્ય સ્થપાયા બાદ સુરતના વેપારઉદ્યોગ ભાંગી પડતાં સૂરજરામને જીવનનિર્વાહ અર્થે અંગ્રેજ સરકારના લશ્કરમાં રૂ. ૭ ના માસિક પગારે સિપાઈની નોકરી સ્વીકારવી પડી હતી. સાધારણ સિપાઈગીરીમાંથી તેઓ રિસાલદાર હોદ્દા સુધી પહોંચ્યા હતા, નોકરી દરમિયાન ઘણી લડાઈઓમાં તેમણે ભાગ લીધેલો. પહેલી અફઘાન લડાઈમાં અહમદશા દુરાની સામે લડવા સારુ તેઓ કાબૂલ સુધી ગયા હતા. તેમના શરીર પર ૧૫-૧૬ ઘા પડવ્યા હતા. તેઓ સારા નિશાનબાજ હતા. લશ્કરી નોકરીમાંથી નિવૃત્ત થયા ત્યારે રૂ. ૪૬ નું માસિક પેન્શન તેમને બંધાયું હતું. તેઓ શરીરે ઊંચા, પાતળા અને મજબૂત સ્નાયુઓવાળા હતા તેઓ ફારસી-ઉર્દૂ સારી પેઠે જાણતા; અંગ્રેજી સારું બેલી શકતા પણ લખી જાણતા નહિ. તેમનું પ્રથમ લગ્ન ૩૧ વર્ષની ઉંમરે અને વિધુર થતાં બીજું લગ્ન ૫૧ વર્ષની ઉમરે થયેલું. ગરીબાઈને લીધે પલ્લું પાછું ન આપી શકાવાને લીધે તેમને સસરાએ પિતાની બીજી ૧૧ વર્ષની પુત્રી પ્રાણકુંવરને સૂર્યરામની વેરે પરણાવી! પ્રથમ વારનાં પત્નીથી સૂરજરામને એક પુત્ર નામે મંછારામ અને બે પુત્રીઓ, તથા બીજી વારનાં. પત્નીથી ઈચ્છારામ, આત્મારામ અને મગનલાલ એમ ત્રણ પુત્રો થયા હતા. તેમાં સૌથી મોટા ઈચ્છારામ.
- ઈચ્છારામ નવ વરસ સુધીમાં સૂરતના તુળજારામ અને ત્રિપુરાશંકરની ગામઠી શાળાઓમાં ભણીને અંગ્રેજી નિશાળ-મિશન હાઈસ્કૂલમાં દાખલ થયા. આ સમયે તેમનું લગ્ન મહીધરપુરાના મપારા મોતીરામ લલ્લુભાઈની દીકરી નાની ઉર્ફે દીવાળી (ઉ. વ. ૧૧)ની સાથે થયું. તે વખતે મિશન હાઈસ્કૂલના હેડમાસ્તર સ્વ. લલ્લુભાઈ કરસનદાસ હેવા છતાં ઈચ્છારામનું મન ગ્ય દેખરેખના અભાવથી અભ્યાસમાં એંટયું નહિ. યુક્લીડને એમને કંટાળે આવતા; એ સમય દરમિયાન શાળામાંથી નાસી જઈને તેઓ તાપી કિનારે રખડતા કે
Page #117
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચપિતાવલિ લાલ દરવાજે અથવા બાલાજીના મંદિરમાં જઈને કથાવાર્તા સાંભળતા, જેના સંસ્કાર તેમના સમગ્ર જીવન ઉપર તેમ જ તેમના “ચંદ્રકાંત” જેવા પુસ્તક ઉપર પડેલા જણાય છે.
અંગ્રેજી છ ધોરણ પૂરાં કરીને ઈ. સ. ૧૮૭૨ --૦૩ માં તેઓ કેન્ડિડેટ વર્ગમાં આવ્યા પણ નરમ તબિયતને કારણે અભ્યાસ પૂરે નહિ થઈ શકવાથી તેમને શાળા છોડવી પડી. એ જ અરસામાં પિતા મૃત્યુ પામતાં કુટુંબનિર્વાહની જવાબદારી તેમને માથે આવી, એટલે ઈ. સ. ૧૮૭૫ માં સરકારી ખાતાની પરીક્ષા પાસ કરીને તેઓ ડિસ્ટ્રિકટ લીડરની પરીક્ષામાં બેઠા પણ તેમાં નાપાસ થયા.
ઇચ્છારામને શાળામાંના પરીક્ષાલક્ષી વિદ્યાભ્યાસમાં પૂરતી સફળતા મળી નહિ, પણ તેથી તેમને શાળાજીવનમાંથી જ લાગેલી વાંચવા લખવાની ભૂખ કાંઈ ઘટી ન હતી. હસ્તલિખિત ગ્રંથે વાંચવાનો શોખ તેમણે નાનપણથી કળવ્યો હોવાથી માત્ર સત્તર વર્ષની વયે પ્રેમાનંદ, વલ્લભ અને મુંદર મેવાડાકૃત પદબંધ ભાગવત છાપવાનાં હસ્તપત્ર કઢાવીને તેમણે જાહેરમાં વહેંચ્યાં હતાં. તેમની ઓગણીસ કે એકવીસની ઉમરે તેમણે તેમના બાળસખા માણેકલાલ જમનાદાસ મહારજી સાથે મળીને પુરુષોત્તમ માસની કથા વ્યાસજી પાસેથી સાંભળીને પાવી હતી. આ પુસ્તક તેમનું પહેલું સંપાદન. તેમની આ પહેલી કૃતિમાં ભાવિ લેખક, સંશોધક, સંપાદક ઈચ્છારામની વિશાળ સાહિત્યપ્રવૃત્તિનાં બીજ પડેલાં જણાશે.
તેમને પુસ્તકો વાંચવાનો ઘણો જ શોખ હતો પણ તેમની સામે ગુજરાનો પ્રશ્ન પણ ઘૂરકી રહ્યો હતો. માતાએ ઈચછારામને વાંચવા પાછળ બધે જ સમય વ્યતીત કરવા બદલ ઠપકે આપે ને કૈક ઉદ્યોગ શેધી કાઢવા શિખામણ આપી. આથી તેમણે દેશમિત્ર' છાપખાનામાં જવા માંડ્યું ત્યાં વાંચવા લખવા સાથે અક્ષરે ગોઠવવાનું કામ તેમણે હાથ પર લીધું દેશીમિત્રના અધિપતિ મંછારામ ઘેલાભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના હોવાથી તેમના સંસર્ગે જુવાન ઈચ્છારામ પર એ ધર્મના સંસ્કારની એવી દઢ છાપ પાડી કે તે. સત્સંગની સાંભળેલી કથાને તેમણે પાછળથી
૩. જુઓ તા. ૯-૧૨-૧૯૨૮ના રોજ સૂરતના ગુજરાતી સાહિત્ય મંડળના ઉપક્રમથી યોજાયેલ ઇચ્છારામજયંતી નિમિત્ત છે. બ. ક. ઠાકોરના પ્રમુખપદે વિ. ઈચ્છારામના પુત્ર શ્રી નટવરલાલે આપેલું. “વ. ઇ. સૂ. દેસાઈના સાક્ષરજીવનની રૂપરેખા'-એ વિષય પર વ્યાખ્યાન, પૂ. ૭
Page #118
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧
· ચદ્રકાંત 'માં ઉપયાગ કરેલા. વળી એ અસર તળે જ તેમણે ‘બ્રહ્માન’દ કાવ્ય' તથા ‘પ્રેમાનંદ કાવ્ય ' પણ પ્રગટ કરાવ્યાં હતાં.
'
ઇ. સ. ૧૮૭૬ માં ઇચ્છારામ નાકરી શેાધવા મુંબઈ ગયા. ત્યાં તેમણે • આ'મિત્ર' નામનું સાપ્તાહિક પત્ર તેના માલિકની નાદુરસ્ત તબિયતને લીધે ચારેક મહિના ચલાવ્યુ. પછી એક અંગ્રેજ વેપારીતે ત્યાં ગાડાઉનકીપર તરીકે તેમે રહ્યા, પણ ત્યાં એક લુચ્ચા વેપારીએ રૂના કાપડની ગાંસડી કાઢી લઈ ઇચ્છારામને ક્રોષિત ડરાવવા પ્રયાસ કર્યાં, પણ તપાસ ચાલતાં ઇચ્છારામ નિર્દોષ ઠર્યાં. ત્યાં સાત મહિનાં- નોકરી કર્યા બાદ · મુંબઇ સમાચાર 'માં રોડ માણેકજીના હાથ નીચે પ્રૂફરીડર તરીકે ૧૧ મહિના તેમણે નેાકરી કરી.
ઈ. સ. ૧૮૭૬ માં તે પાછા સૂરત આવ્યા. તેમના ધરની નબળી સ્થિતિ અને તેમને ાકરી માટે અહીં તહીં ફાંફાં મારતા જોઈ ને તેમના સસરાએ સુરતમાં વાડીફળીએ રહેવા ધર ને માસિક રૂ. ૫૦) આપવાનું જણાવ્યું, જે તેમણે સ્વીકાયું. આથી ઇચ્છારામ કૈંક નિશ્ચિતપણે પેાતાની પ્રિય લેખનવાચનપ્રવૃત્તિમાં હવે ગુંથાતા થયા. આ વખતે તેમણે મછારામ ઘેલાભાઈ, કીકાભાઈ પરભુદાસ, જેવચરામ કેશવરામ, ભાનુશંકર નારણશંકર અને ખીજાએ સાથે મળીને સૂરતમાં એક, ‘શારદાપૂજક મંડળી ' સ્થાપી. તેમણે ઈ. સ. ૧૮૭૮ના જાન્યુઆરી માસથી ‘સ્વતંત્રતા નામનું એક માસિક પત્ર કાઢયું. “ જેમાં રાજ્યદ્દારી, સંસારી, ભાષાજ્ઞાન, વેપાર, હુન્નરાદિ પરચુરણ વિષય પર જુદી જુદી કલમથી જુદા જુદા વિષયેા લખવામાં આવશે' એવી જાહેરાત કરવામાં આવી હતી.૪
3
• સ્વતંત્રતા' માસિકથી ચ્છારામની પત્રકાર તરીકેની કારકિદી શરૂ થાય છે. એ માસિકના પહેલા 'કમાં તેમણે સનસનાટી ફેલાવે તેવા રાજકીય વિચારા વ્યક્ત કરતા એક લેખ લખ્યાઃ ખીજા અંકમાં સૂરતમાં ન'ખાયેલા લાઈસન્સ ટૅક્સ' વિરુદ્ધ ઉડાપેાહ કર્યાં. આ લખાણાને સરકારે તે અરસામાં થયેલા હુલ્લડો માટે જવાબદાર ગણવાના પ્રયત્ન કર્યાં, પણ તેમાં તે નિષ્ફળ ગઈ. આથી ડરી જઈને ‘સ્વત ંત્રતા'ના અંકા જ્યાં છપાયા હતા તે છાપખાનાના માલિકે પછીનાં અા છાપવાની ના પાડી. જુવાન અને નીડર ઇચ્છારામે ‘સ્વતંત્રતા 'ના ત્રીજો અંક સૂરત સીટી સેન્ટ્સ પ્રેસ'માં પેાતાની જોખમદારી પર છપાવ્યા; તેમાં અમને
'
૪. ‘ સ્વ. ઇ. સૂ, દેસાઈના સાક્ષરજીવનની રૂપરેખા.' પૃ. ૧૦
Page #119
--------------------------------------------------------------------------
________________
ચથકાર-સરિતાવલિ
રાજકીય સ્વતંત્રતા આપા' એ નામના જોરદાર અપૂર્ણ લેખ તેમણે લખેલા. રાજદ્રોહના ગુન્હા માટે તેમને પકડવામાં આવ્યા. તેમના કેસ ચાલ્યેા, એ કેસમાં તેમને બચાવ મરહૂમ સર ફિરાજશાહ મહેતાએ કર્યાં અને સ્વ. ઇચ્છારામ નિર્દોષ છૂટી ગયા. આ બનાવથી સર ક્રિાજશાહ તેમના રાજકીય વિષયમાં ગુરુ બન્યા.
'
હુલ્લડ કેસ પત્યા પછી ૧૮૭૯ માં ફરી પાછું ઇચ્છારામે ‘ સ્વતંત્રતા ’તે સજીવન કર્યું. ૧૮૭૯ ના માર્ચ-એપ્રિલના અકામાં તેમણે સુપ્રસિદ્ધ હિંદ અને બિટાનિયા ' નામની રાજકીય નવલને આરંભ કર્યાં. એ વખતે તેનું શીર્ષીક તેમણે પહાડ પર ભરતખંડના હેતસ્વી ’ એવું રાખેલું. આ અરસામાં ‘શારદાપૂજક મંડળી'નું કામકાજ બંધ પડ્યું. ‘ સ્વતંત્રતા ’ પર ઇચ્છારામે ‘ માયાળુ વાંચનારને છેલ્લી મુલાકાતની છેલ્લી સલામ ’કરીને ‘ગુજરાત—મિત્ર ’વાળા કીકાભાઈ પરભુદાસને સેોંપ્યું, પણ થોડા જ વખતમાં તે બંધ પડ્યુ.
આ બધી પ્રવૃત્તિ સસરાના ખર્ચે નિભાવ કરતાં કરતાં ચતી હતી. ‘સ્વતંત્રતા ’ બંધ પડતાં હવે શું કરવું તેની વિમાસણમાં ઇચ્છારામ પડ્યા. ૧૮૮૦માં મુંબઈમાં સર મંગળદાસ નથ્થુભાઇને એકાદ પત્ર કાઢવાની ઇચ્છા થતાં તેમણે એમને ત્યાં શિક્ષક તરીકે આવતા ઈચ્છારામ ભગવાનદાસ દલાલને એ વિશે વાત કહી. દલાલે એ પત્ર માટે ઇચ્છારામની ભલામણુ કરી, ઇચ્છારામને ખાલાવવાના નિય થતાં તેમના પરમમિત્ર મગનલાલ ઢાકેારદાસ મેાદી (જેમના નામ પરથી સૂરતમાં કાલેજ સ્થપાઇ છે.) તેમને તેડવા સૂરત આવ્યા. ઇચ્છારામ આ વખતે માંદા હતા. છતાં મગનલાલ
અહી સસરાનું ખાઈને પડ્યો રહે તેના કરતાં મુંબઈમાં મરે તે સારુ ' એ મતલબનું ટીકાવચન માં હોવા છતાં કહીને ઈચ્છારામને મુંબઈ લઈ ગયા. મુંબઈમાં ઇચ્છારામ કવિ ન`દ, રતિરામ દુર્ગારામ દવે, મણિલાલ નભુભાઇ, વૈકુંઠરાય મન્મથરાય વગેરે અન્ય ગુજરાતીઓને પણ મળ્યા. એ સર્વે સાક્ષરાએ તેમના પત્રમાં લેખ લખવાનું ખૂલ્યું. નદે પત્રનું નામ ‘ગુજરાતી ' સૂચવ્યું. અને ‘ગુજરાતી' સાપ્તાહિકને પહેલા અંક તા. ૬ ઠ્ઠી જૂન ૧૮૦૦ તે દિવસે ક્યુસરે હિંદ: પ્રેસ 'માં છપાઈને બહાર પડ્યો.
6
6
*
‘ ગુજરાતી 'ની સ્થાપના થઇ તે વખતે મુંબઈમાં તમામ વર્તમાનપત્રા પારસી ભાઇઓને હાથે ચાલતાં હતાં. હિંદુ માલિકીનું અને હિંદુ વિચાર
Page #120
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫, ૧૦ દર્શાવતું આ પત્ર આથી સારો આવકાર પામ્યું. આ પત્ર દ્વારા ઇચ્છારામે ચક્કસ પ્રજામત કેળવવા પ્રયાસ કર્યો અને ૧૪૫ ગ્રાહકોથી શરૂ થયેલું પત્ર ૧૮૮૩ની આખરે ૮૫૦ ની ગ્રાહક સંખ્યા સુધી પહોંચી ગયું. ત્યારબાદ તે તેને ફેલાવો સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્રમાં થયો. નર્મદના “ધર્મવિચાર 'માં ગ્રંથસ્થ થયેલા ઘણાખરા લેખે મૂળે “ગુજરાતી માં છપાએલા. સ્વ. મણિલાલ દ્વિવેદીને સુપ્રસિદ્ધ લેખ “નારી પ્રતિષ્ઠા’ પણ સૌથી પ્રથમ આ જ પત્રમાં આઠ હપતે પ્રકટ થએલે. એ જ વર્ષે “ગુજરાતી' પ્રેસની સ્થાપના થઈ. પહેલાં માત્ર 2 પાનાનું નીકળતું “ગુજરાતી” હવે સોળ પાનાનું થયું. ત્યારબાદ ઇ.સ. ૧૮૮૫માં હિન્દી રાષ્ટ્રિય મહાસભાની સ્થાપના થઈ ઈચ્છારામ ફિરોજશાહના શિષ્ય હતા તેથી તેમણે “કાંગ્રેસનું મંતવ્ય એ જ “ગુજરાતી 'નું મંતવ્ય ” એવી નીતિ રાખીને મહાસભાને પક્ષે સારો લોકમત કેળવ્યા.
ગુજરાતી” પત્ર અને પ્રેસ સ્થિર થતાં ગયાં તેમ ઈચ્છારામની પત્રકાર તરીકેની કારકિદીને ઉત્કર્ષ થવા લાગ્યો. પણ પત્રકાર થવા ઉપરાંત ગ્રંથકાર થવાની ઇચ્છારામની મહત્ત્વાકાંક્ષા હતી. મુંબઈમાં પગભર થતાં વેંત જ એ દિશામાં તેમણે પ્રયત્ન શરૂ પણ કરી દીધા હતા. ઈ. ૧૮૮૧-૮૨ માં “આર્યજ્ઞાનવર્ધક' નામનું માસિક પત્ર ચલાવતા તે સમયના જાણીતા કવિ સવિતા નારાયણ સાથે તેમને પરિચય થયો. એમના પત્રમાં ઈચ્છારામે “ગંગા-એક ગુર્જર વાર્તા' નામની સામાજિક વાર્તા કકડે કકડે પ્રકટ કરી. આ વાર્તામાં સુરતના નાગર વાણિયાની ન્યાતને અને આત્મારામ ભૂખણવાળાના નામને તેમણે અમર કર્યું છે. એ જ પુસ્તકમાં આડકથા તરીકે તેમણે સૂરતની શિવાજીની લૂંટ' નામની ઐતિહાસિક વાર્તા લખી છે. ઈચ્છારામના સાહિત્યકાર તરીકેના આ બે પ્રાથમિક યત્નો છે. ઈસ. ૧૮૮૮માં આ બે કૃતિઓ સંયુક્ત પુસ્તકાકારે પ્રગટ થયેલી. સ્વ. મણિલાલ દ્વિવેદીએ તેમના વિચારેને આવકારીને ગુજરાતી ભાષાના ૧૦ શિષ્ટ ગ્રંથમાં “ગંગા ને પણ સ્થાન આપ્યું છે.
૧૮૭૮ માં “સ્વતંત્રતા' માસિકમાં લખવા માંડેલી “હિંદ અને બ્રિટાનિયા” નામની વાર્તા ઈચ્છારામે ૧૮૮૩ થી '૮૫ સુધીમાં પૂરેપૂરી લખીને ૧૮૮૬માં પ્રકટ કરી. આ પુસ્તકે ઈરછારામને જાહેરમાં સારી પ્રસિદ્ધિ અપાવી. એ પુસ્તક તેમણે તે વખતના હિન્દન વાઇસરોય લેડ રિપનને અર્પણ કર્યું હતું. એમાં તેમણે હિંદ તથા ઈંગ્લાંડના ઇતિહાસની
Page #121
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચારતા લ
ભૂમિકા પર ભરતખંડની પ્રજાનું અને તેના રાજ્યવહીવટનું સાધકબાધક દૃષ્ટિએ વાસ્તવરૂપ આલેખવાને સમર્થ પ્રયાસ કર્યાં છે. આ પુસ્તકમાં હિંદનાં દેશી રાજ્ગ્યા તથા બ્રિટિશ હકૂમતની રાજ્યનીતિની ચર્ચા થયેલી છે. એ કારણે એ સમયમાં કેટલાક એગ્લા-ઇન્ડિયન પત્રકારોએ ઇચ્છારામ પર રાજદ્રોહને આરેાપ મૂકીને તેમને પકડાવવાને પ્રયત્ન કરેલેા; પણ હિંદનું ખરુ હિત હૈડે ધરાવનાર એ અંગ્રેજ ગૃહસ્થાએ આ પુસ્તક વાંચી તેમાં રાજદ્રોહ જેવું કશું લખાણ નથી એવા ખાનગી અભિપ્રાય સરકારને આપવાથી ઇચ્છારામ પર કામ ચલાવવાનું માંડી વાળ્યું. આ પુસ્તકની ખ્યાતિ ઇંગ્લાંડ, અમેરિકા અને રશિયા સુધી પહોંચી.પ. ૧૮૭૫ માં તે પુસ્તકને ‘ગુજરાતી' પત્રની ભેટ તરીકે આપવાનુ` જાહેર થતાં ગ્રાહકસંખ્યા ૮૫-૯૦ની હતી તે વધીને ૨૫૦૦ની થઈ.
'
"
સ્વ. ઇચ્છારામની સૌથી વિશેષ મહત્ત્વની સાહિત્યપકારક પ્રવૃત્તિ તે જૂનાં ગુજરાતી કાવ્યાનું સ'પાદન છે. ૧૮૮૫ માં તેમણે ’પ્રેમાન’દકૃત એખાહરણ ’એક જાણીતા સંગીતશાસ્ત્રી અને વ્યાસ પાસેથી જૂની પ્રતા મેળવી સુધરાવીને બહાર પાડયું. આ કાર્યથી તેમને પ્રાચીન ગુજરાતી કાવ્યા .છાપવાના મનેારથ જાગ્યા. દલપતરામે તૈયાર કરેલા કાવ્યદોહન ના બે ભાગ મળતા નહોતા. વળી સરકારી ફરમાન અનુસાર એમાંથી પ્રેમાનંદનાં ‘ઓખાહરણ' ને ‘નળાખ્યાન’ જેવાં કાવ્યેામાંથી શૃંગારના ભાગે કાઢી નાખ્યા હતા. આથી આ કવિએનાં આખાં કાવ્યેાને તેમજ બીજા અપ્રસિદ્ધ કવિનાં કાવ્યાને સ’પાદિત કરવાની ખાસ આવશ્યકતા હતી. ઇચ્છારામે આ ભગીરથ કાર્ય ઉપાડ્યુ', તેમણે જી. કા. દા.ના ૧૦ ભાગેા પ્રગટ કરવાની યેાજના તૈયાર કરી. દરેક ગ્રંથમાં એકાદ એ કવિએનાં ચરિત્રે સંશોધન કરીને મૂકવાં તેમજ તેમનાં આખાં સળંગ મોટાં કાવ્યે મુખ્ય વિભાગમાં છાપીને ખીજા વિભાગમાં પરચૂરણ કવિઓનાં પદો પણ છાપવાં, એવી તેમની યેાજના હતી. એ યેાજના પ્રમાણે ૧૮૮૬ થી ૧૯૧૩ સુધીમાં કાવ્યઢાહનના આઠ ભાગા તેમણે પ્રકટ કર્યાં. તેમની આ પ્રવૃત્તિ ઇચ્છારામે મરણુ પર્યંત નિષ્ઠાપૂર્વક ચાલુ રાખી હતી. માહિતી અને કાવ્યપ્રતા એક્રેડી કરવા માટે તેમણે પત્રાદિ લખીને તેમજ ગુજરાત-કાડિયાવાડમાં જાતે ફરીતે પુષ્કળ શોધખેાળ તે પૂછપરછ કરી હતી. ગ્રંથૈાની ટીપ સહિત કવિઓનાં નામની
6
૫. સ્વ. ૪. સૂ. દેસાઈના સાક્ષરજીવનની રૂપરેખા', પૃ. ૧૭,
२
Page #122
--------------------------------------------------------------------------
________________
ચથ અને થકાર પુ. ૧૦ કક્કાવાર યાદી કરીને તેમણે ૧૮૮૭ના જુલાઈના “આર્ય જ્ઞાનવર્ધક' માસિકના અંકમાં તે છપાવી હતી. આ દિશામાં થયેલાં કાર્યોમાં ઇચ્છારામે આમ પહેલ કરેલી. આ યાદીમાં પ્રેમાનંદ, તેના કહેવાતા પુત્ર વલ્લભ અને તેના શિષ્ય વલ્લભનાં નામ તેમજ કાવ્યોનો ઉલ્લેખ છે. પ્રેમાનંદનાં ત્રણ નાટકે વિશે પણ તેમાં ઉલ્લેખ છે. બુ. કા..ના બીજા ભાગમાં નરસિંહ મહેતાનું ને ત્રીજામાં અખાનું જીવનચરિત્ર તેમણે મૂક્યું છે. અખાનાં પદે, છપાઈ. લખાણ તેમણે કવિ હીરાચંદ કાનજીની સહાયથી એકઠું કર્યું હતું. બ. ક. દેના ચોથા ભાગમાં પ્રીતમ તથા. વસ્તાનાં ચરિત્રે, પાંચમામાં કવિ દયારામનું ચરિત્ર, સાતમા માં તનસુખરામ મનસુખરામ પાસે લખાવીને મૂકેલું મીરાંબાઈનું ચરિત્ર અને આઠમામાં સ્વ. અંબાલાલ બુ. જાની પાસે લખાવીને મૂકેલું કવિ નાકરનું ચરિત્ર-આમ અનેક મધ્યકાલીન કવિઓનાં જીવન તથા કાવ્યનો ઈતિહાસ ગુજરાતી સાહિત્યને સૌથી પ્રથમ ઇચ્છારામે પૂરે પાડ્યો છે. પોતે લખેલાં ચરિત્રોને પ્રમાણભૂત બનાવવા સારુ પણ તેમણે યથાશક્તિમતિ સારા પ્રયત્ન કર્યા છે.
ગ્રંથકાર તરીકે સ્વ. ઈચ્છારામની બીજી મોટી સેવા તે તેમણે ધાર્મિક સાહિત્ય લેકગમ્ય કરવાને પુરુષાર્થ કર્યો તે છે. સૌથી પહેલાં તેમણે ૧૮૮૬માં પદબંધ ભાગવતના સંશોધનનું કામ આરંવ્યું. પ્રેમાનંદ અને સુંદરના “દશમસ્કંધ ઉપરાંત ગણદેવીના વ્યાસ વલ્લભનું ૧૧ સ્કંધનું ભાગવત-કાવ્ય તેમણે સંપાવું અને મૂળ ભાગવત સાથે સરખાવીને કવિએ તજી દીધેલ પાઠેને ટીકામાં મૂકીને, જૂની હસ્તપ્રતો. પરથી તેમણે તેનું સંશોધન કર્યું. એની પાછળના ભાગમાં નર્મદે કરેલું ગીતાનું સરળ ગુજરાતી સટીક ગદ્ય-ભાષાંતર તેમજ ઠક્કર પ્રાગજીકૃત ગીતાનું ગુજરાતી પદ્ય ભાષાંતર અને તુલસીદાસજીના સમલૈકી હિન્દી દુહા પણ છાપેલા છે. ૧૮૮૯માં આ દળદાર ગ્રંથ પ્રકટ થયે. તે જ સાલમાં તેમણે ચંદ્રકાન્ત' ભા. ૧લે લખવા માંડ્યો. એમાં તેમણે વેદાંતના વિષે સહેલી ભાષામાં સરળ દષ્ટાંત વડે સમજાવ્યા છે. આ ગ્રંથ લેખકના ધાર્યા કરતાં વિશેષ કપ્રિય બન્યા. તેમાં ઈચ્છારામે જિંદગીભર કરેલ શ્રવણમનનને ઉત્તમ ઉપયોગ કર્યો છે ૧૮૮૫-૧૮૯૨ના ગાળા દરમિયાન ગુજરાતી પ્રેસની આર્થિક સ્થિતિ ઘણી ચિંતાજનક હતી. આથી ઈછારામનું મન
૬. એજન ૫, ૨૦-૨૪,
Page #123
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિતાવલિ બહુ જ અસ્વસ્થ રહેતું હતું. પિતાના મનની શાંતિ અર્થે તેઓ સુપ્રસિદ્ધ પ્રજ્ઞાચક્ષુ પં. ગલાલજી પાસે જતા. તેમના સત્સંગથી લેખક ઉપર વલ્લભ મતની છાયા પડી તેમ તેમને “ચંદ્રકાન્ત' લખવાની પ્રેરણા પણ મળી
ચંદ્રકાન્ત ના સાત ખંડ કરવાની તેમની ઈચ્છા હતી, પણ ચોથે ભાગ લખતાં તે મૃત્યુ આવ્યું. આ ઉપરાંત સંસ્કૃત ભાષાના સુપ્રસિદ્ધ ગ્રંથો જેવા કે “વાલ્મીકિ રામાયણ“પંચદશી' “કાદંબરી' ઇત્યાદિને ગુજરાતીમાં ઉતારવાનો તેમણે જાતે પ્રયત્ન કર્યો છે, તેમજ શાસ્ત્રીઓ રાખીને તેમની પાસે અનુવાદો પણ કરાવ્યા છે.
આ સિવાય તેમણે ક્ષેમેન્દ્રકૃત “ચારુચર્યાને બાલભોગ્ય અનુવાદ અને તે જ લેખકના કળાવિલાસને સરળ અનુવાદ કર્યો છે. તેમની મૌલિક કૃતિઓમાં “સવિતા સુંદરી' નામની વૃદ્ધ વિવાહની ઠેકડી કરતી એક સામાજિક નવલકથા, “રાજભક્તિવિડંબણ” નામનું ભાણ અને “ટીપુ સુલતાન' જેવી અધૂરી અતિહાસિક કથા ધ્યાનપાત્ર છે. “વિદુરનીતિ” અને “કામંદકીય નીતિસાર' નામના રાજનીતિના ગ્રંથ તેમજ “અરેબિયન નાઈટ્સ', “મહારાણી વિકટેરિયાનું જીવનચરિત્ર” વગેરે સંસ્કૃત-અંગ્રેજી ભાષાની કૃતિઓમાંથી તેમને હાથે થયેલાં ભાષાંતર, સંજનો પણ બતાવે છે કે સ્વ. ઈચ્છારામને સાહિત્યશેખ પૂરતા વૈવિધ્યવાળે હતે. રાસેલાસ” નામની ડો. જેન્સને લખેલી એક વાર્તા સ્વ. ગી. દ. કોઠારી સાથે મળીને તેમણે અનુવાદિત કરેલી.
ઈ. સ. ૧૮૯૧માં ગુજરાતી હિંદુઓએ ઈચ્છારામ પાસે શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રકટ કરવાની માગણી કરેલી. કેમકે પારસીઓનાં પંચાંગ અશુદ્ધ હતાં. આથી ઇચ્છારામે વડોદરાના રાજ્યોતિષી પં. અમૃતરામને એ કામ સોંપ્યું. પં. શ્રી. ગદુલાલજીએ આ પંચાંગમાં વ્રતઉત્સવ ઈત્યાદિને નિર્ણય કરી આપ્યો હતો. સને ૧૮૯૨માં સં. ૧૯૪૮નું પ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ “ગુજરાતી' પ્રેસ તરફથી ઈચ્છારામે પ્રકટ કર્યું, જેણે સ્થાપેલી પ્રણાલિકા આજ પર્યત ચાલુ છે.
આમ અર્વાચીન ગુજરાતી સાહિત્યને તેની શરૂઆતના કાળમાં વિવિધ પ્રકારની કૃતિઓ આપીને સમૃદ્ધ કરવામાં સ્વ. ઈચ્છારામને મોટે ફાળો છે. એમણે “વિદ્યાકળાનિધિ' નામની ગ્રંથમાળા પ્રકટ કરવાની
જના કરેલી; તેમાં ચંદ્રની સેળ કળાઓની પેઠે ૧૬ પુસ્તક પ્રકટ કરવાની તેમની અભિલાષા હતી. પણ તેમાંથી માત્ર છ કળાઓ જ પ્રકટ
Page #124
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને સંથકાર પુ. ૧૦ થઈ શકી. આ ઉપરાંત ભરતખંડના રાજવીઓનાં ચરિત્રોની એક માળા તૈયાર કરવાની પણ તેમની ઉમેદ હતી, જે પૂરતા આશ્રયને અભાવે વણમહેરી રહી.
નીડર અને નિષ્ઠાવાન પત્રકાર તરીકે સ્વ. ઈછારામે ઈ. સ. ૧૯૧૦ સુધી ગુજરાતની એકધારી સેવા બજાવી છે. ગુજરાતી” પત્ર આ સમય દરમિયાન ઘણી મોટી કટોકટીમાંથી પસાર થયું હતું. ૧૮૮૫-૧૮૯૨ ના ગાળામાં પ્રકટ કરેલા ગ્રંથોને પરિણામે મોટું દેવું ઇચ્છારામને માથે થયેલું. છતાં હિંમત હાર્યા વિના સુનીતિ અને સન્નિષ્ઠાથી તેમણે પોતાનું કર્તવ્ય બજાવ્યાં કર્યું. એ કર્તવ્ય બજાવતાં તેમણે કદી નિરાશા કે અસંતોષ રમનુભવ્યો નથી. છાપખાનાનાં રાક્ષસી યંત્રો પાસે અધી જિંદગીની પ્રત્યેક રાત ઉજાગરે મહેનત કરી ગાળીને પણ તેમણે “ગુજરાતી'ની કૂચ આગળ ધપાવ્યે રાખી; બુ. કા. હે.નાં સંપાદનપ્રકાશને કીધાં; “ચંદ્રકાન્ત 'ના ચાર ભાગ લખ્યો; વાર્તાઓ, ચરિત્રો, ઇતિહાસો, નીતિગ્રંથ તૈયાર કર્યા ને બીજી ભાષામાંથી ગુજરાતીમાં અવતાર્યા. દિવસે જે બે-ચાર કલાકનો સમય મળતો તેમાં હીંચકા પર બેસીને સંતને, સાહિત્યશેખીને, રાજ્યગુરુષોને અને ધર્મપ્રેમીઓને તેઓ સત્કારતા; તેમની સાથે નિરાંતે બેસીને રસથી ચર્ચાઓ કરતા પિતાના પુત્ર મણિલાલ સાથે ધર્મ-તત્ત્વજ્ઞાનના અનેક પ્રશ્નો વિશે ક્યારેક સંવાદ કે વિવાદ કરતા તે ક્યારેક વાર્તા-કથા-આખ્યાન કહેનાર કોઈ પુરાણી કે નવી ખબરે આપનાર ખબરપત્રોની વાત સાંભળતા.
- ઈ. સ. ૧૮૧૦માં પ્રેસ એકટ પસાર થયો. સરકારને ઇચ્છારામની રાજકીય વિષયો પરત્વે બેધડક સ્વતંત્રપણે વિચારે જાહેર કરવાની પદ્ધતિ ગમી નહિ. સરકારે તેમની પાસે રૂ. ૨૫૦૦)ની જામીનગીરી લીધી. ઈચ્છારામને તેને સખત આઘાત લાગ્યા; કોર્ટમાંથી ઓફિસમાં આવીને ઈચ્છારામે કહ્યું કે, “મેં મારું વર્તમાનપત્રકારનું જીવન હવે પૂરું કર્યું. મારો ઉત્સાહ મરી ગયો છે. આ પછી તેમણે “ગુજરાતી' પત્રમાં ન. છૂટકે જ લખ્યું છે. ૧૯૧૨ના દિવાળી અંકમાં વર્તમાનપત્રોના ઈતિહાસ સંબંધી તેમણે લખેલો લેખ તેમને છેલ્લે લેખ છે. તેમને છાતીના જમણા
૭. એજન, તા. ૨૦-૧૧-૧૦ ના સા. ઇચ્છારામના પત્રના આધારે. ૮. એજન, પૃ. ૩૭
Page #125
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકા-પિતાવલિ ભાગમાં કઈ કઈ વાર દુઃખા થઈ આવ. ગુરુવાર તા. ૫ મી ડિસેમ્બર ૧૯૧૨ના રોજ રાત્રે ઇચ્છારામે હૃદય બંધ પડી જતાં દેહત્યાગ કર્યો.
- સ્વ. ઈચ્છારામની સાહિત્યિક અને સાંસ્કારિક પ્રવૃત્તિનું ઊડતું અવલોકન કરનારને પણ જણાશે કે એકનિષ્ઠ અને અણનમ પત્રકાર ઉપરાંત પ્રાચીન કાવ્યસાહિત્યના સંશોધન-સંપાદનને આરંભ કરનાર, સરળ ગુજરાતીમાં ભાગવત ગીતા અને વેદાન્તશાસ્ત્રનું રહસ્ય સરળ દૃષ્ટાંત વડે સૌથી પ્રથમ સુલભ કરાવી આપનાર ગ્રંથકાર તરીકે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં તેઓ ચિરકાલીન સ્થાન પામ્યા છે. આપબળથી આગળ વધનાર, ખંતપૂર્વક ઇષ્ટ પ્રવૃત્તિમાં મંડ્યા રહેનાર, ધાર્મિક મનોવૃત્તિવાળા, ઉચ્ચ સંસ્કારવાળા ગુજરાતીઓની હારમાળામાં ઈચ્છારામનું સ્થાન નિશ્ચિત છે. ચંદ્રકાન્ત’ તેમની કીતિને અમર કરનાર ગ્રંથમણિ છે. તેમાં રજૂ થયેલા વિચારોની ઉદાત્તતા જોઈને તે વિશે કેવળ સ્તુતિવચનો ઉચ્ચારનાર સ્વ. મણિલાલ દ્વિવેદીને એ ગ્રંથ સંસ્કૃતને તરજ હોવાની બ્રાંતિ થએલી અને કેટલાકને એ ગ્રંથ ઇચ્છારામે કઈ વેદાન્તી પાસે પૈસા આપીને લખાવ્યો હોય એવી પણ શંકાઓ થયેલી. - આને જવાબ આપતાં શ્રી નટવરલાલ દેસાઈએ કહ્યું છે કે ચંદ્રકાંત' લખતી વખતે ઈચ્છારામને માથે એવડું મોટું દેવું હતું કે કોઈને પૈસા આપીને ગ્રંથ લખાવી શકે એવી તેમની સ્થિતિ નહોતી. વળી ઈચ્છારામે જ્યાં જ્યાં શાસ્ત્રીઓ પાસે અનુવાદ કરાવ્યા છે ત્યાં ત્યાં તે તે શાસ્ત્રીનાં નામ અનુવાદક તરીકે મૂક્યાં છે જ. “ચંદ્રકાન્ત”ની રચના કઈ સંસ્કૃત ગ્રંથના અનુવાદરૂપે નહિ, પણ ઈચ્છારામે અનેક સાધુસંતો અને કથાકાર પાસેથી શ્રવણ કરેલ આખ્યાને અને દૃષ્ટાંતના યથાર્થ સંયોજનના ફળરૂપે હતી એમ કહી શકાય.
૯. એજન, પૃ. ૨૯-૩૦.
Page #126
--------------------------------------------------------------------------
________________
કૃતિનું નામ
૧. પુરુષોત્તમ માસની કથા
૨. ઓખાહરણ
૩. નળાવ્યાન
૪, હિં અને બ્રિટાનિયા
૫. રસેલાસ
ે પ્રકાર કે વિષય
(ગી. દ. કાઢારી સાથે)
૬. બુ. કા. દેહન શા. ૧
૭. બુ. કા. દોહન ભા. ૨ ૮. યમસ્મૃતિ
૯. મહારાણી વિકટારિયાનુ જીવનચરિત્ર
૧૦. ગગા-એક ગુજરવાર્તા તથા શિવાજીની લૂટ
૧૧, પૃ. હા, દોહન બ્રા. ૩ ૧૨. ચા ુચર્યા અથવા
શુભાચાર
૧૩. અરેબિયન નાઈટ્સ
સા. ૧૩
કા
આખ્યાન
19
નવલયા
વાર્તા
કાવ્યસ મહ
99
ધર્મા ચિંતન
ચરિત્ર
વાર્તા
ક્રાષસ ગ્રહ
શ્રમશાસ્ત્ર
ખાલસાહિત્ય
વાર્તા
સમાસાલ
૧૮૭૨
૧૮૮૫
૧૮૯૬
19
૧૮૮૩ થી ૧૮૮૫ ૧૮૮૬, ૮૭, '૮૯, ૧૯૨૫
૧૮૮
૧૮૮૭
૧૮૮૭
૧૮૮૭
૧૮૯૧ થી ૧૯૯૨
૧૮૮૯
કૃતિમા :
પ્રકાશન-સાલ
૧૮૯
૧૮૭૨, ૧૯૨૧
૧૮૫
૧૮૮૬, '૯૦, ૧૯૦૧, ૧૯૧૫
૧૮૮૭, ’૯૭, ૧૯૩
૧૯૮૭
૧૮૮૭, ૧૯૦૭
૧૯૯૯
૧૮૮૯, ૧૯૦૮ ૧૮૮૯, '૯૩
૧૮૯૮, ૧૯૧૪
૧૮૮૯, '૯૧ ૧૯૧૫,’૨૮,’૨૯
પ્રકાશક
શકે
ગુજરાતી પ્રેસ
19
!!
"
99
10
"
..
31
13
મૌલિક, સ પાદન કે અનુવાદ સંપાદન
"9
મૌલિક
અનુવાદ
સોંપાદન
19
અનુવાદ
36
મૌલિક
સપાદન
ભાષાંતર
અનુવાદ
મૂળભાષા, કર્તા કે કૃતિનુ નામ શાસ્ત્રી પાસેથી સાંભળેટી
પ્રેમાન કૃતિ
19
ડૉ. જાન્સનની એ
નામની વાર્તા વિવિધ કવિઓની કૃતિ એ
19
સંસ્કૃત પરથી અંગ્રેજી’પરી
વિવિધ કવિઓની કૃતિપ્રે ક્ષેમેન્દ્ર કૃત
અંગ્રેજી પરથી
થથ અને શકાર પુ. ૧૦
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૪. ૫બધ ભાગવત
૧૫. યાસરિત્સાગર
શા. ૧૧
૧૬. ટીપુ સુલતાન ભા. ૧ ૧૭, રાજભક્તિવિડંબણુ ૧૮. કળાવિલાસ
૧૯. વિદુરનોતિ -
૨૦. કામાંકીય નીતિસાર
૨૧. બુ. કા. દ. ભા. ૪ ૨૨. સવિતાસુંદી
૬૩. સરળ હાઈબરી ૨૪. શ્રીધરી ગીતા
.
૨૫. ચંદ્રકાન્ત ભા, ૧
સાન્ય
વાર્તા
વાર્તા
ભાણ
કળાપ્રેમનું વન
રાજકારણ
નીતિચર્ચા કાવ્ય-સગ્રહ સામાજિક નવલકથા
કા
ધર્મચર્ચા
ધર્મોતત્ત્વચર્ચા
૨૬. ગુજ, સચિત્ર વાચનમાળા પાઠપુસ્તક
(પડેલી ચાપડી) ૨૭. શુકનીતિ
૨૮. વાલ્મીકિ રામાયણું
રાજ્યનીતિ
મહામત્ર
૧૮૮૯
૧૮૯૧
૧૮૮
૧૮૮૯
૧૮૮૨
૧૮૯૦
""
31
""
95
૧૮૯૦
૧૮૯
૧૮૯૨
•
૧૮૯૩
૧૯૩
૧૮૮૯, '૯૯
૧૯૧૭, ૧૯૧૭
૧૮૯૧, ૧૯૦૯,
૧૯૧૬
૧૮*
૧૮૮૯, ૧૯૨૫
૧૮૮૯, '૯૧,
૧૯૧૫
ગુજરાતી પ્રેસ સ’શાધનસપાદન પ્રેમાનન્દ્વ, સુંદર, વધેલ
માહિ કૃત
સંસ્કૃત પરથી
૧૮૯૦, '૯૨, '૯૬ ૧૯૦૩, ’૧૧, ’૨૦,’૨૫
૧૮૯૧, ૯૪ ૧૮૯૭, '૯૯, ૧૯૦૪
39
૧૮૯૨, ૧૯૧૨
૧૯૧૨, ૧૯૨૪
૧૮૯૩, ૧૯૧૨
૧૯૧૨, ૧૯૨૪ ૧૯૪૧
99
".
"
19
"
૧૮૯૨, ૧૯૧૫ (ચાસ્ત્રી પ્રાણજીવનના સુધારા સહિત)
૧૮૯૦, ૧૯૨૪
· સપાદન
મૌલિક
૧૮૯°, 'Y ૧૯૧૩, ૨૪
૧૮૯૦, ૧૯૧૩
૧૮૯૨, ૧૯૨૪
',
19
31
"9
""
"0
અનુષાદ
મૌલિક
99
અનુવાદ
99
સહિત ) અનુવાદ મૌલિક
મૌલિક
ક્ષેમેન્દ્રકૃત ‘વિરાપ' પરથી
સસ્કૃત પચી
અનુવાદ
( શાસ્ત્રી પ્રાણજીવનના સુધારા
ભાષાંતર
''
વિવિધ કવિઓની કૃતિએ
સંસ્કૃત પરથી સંસ્કૃત પરથી
સંસ્કૃત પરથી
39
ગ્રંથકાર-ચ તાવાલ
Page #128
--------------------------------------------------------------------------
________________
.
૨૯. બ. કા. હે. ભા. ૫ કાવ્યસંગ્રહ ૧૮૫ ૧૮૫, ૧૯૦૬, ૧૯૨૬ ગુજરાતી પ્રસ સંપાદન વિવિધ કવિઓની કૃતિઓ ૩૦. દિહી પર હલ્લો અથવા અિ. નવલકથા ૧૮૯૫ ૧૮૯૫, ૧૯૦૯,
સંજન હિંદી પરથી ભારતના પરવાપણુને પ્રારંભ
૧૯૨૬ ૩૧. કૃષ્ણચરિત્ર
૧ ૧૮૯૫ ૧૮૯૫
સંપાદન બિધિકૃત ૩૨. બાળકોને આનંદ બાળવાર્તાઓ ૧૮૯૫ ૧૮૯૫, ૧૯૦૫,
ભાષાંતર
અંગ્રેજી પરથી ભા. ૧-૨
૧૯૧૩, ૧૯૨૨ : ૩૩. રાજતરંગિણું અથવા ઇતિહાસ ૧૮૯૮ ૧૮૯૮
ભાષાંતર
સંસ્કૃત પરથી કાશમીરને ઇતિહાસ ભા. ૧ ૩૮. ઔરંગજેબ ચરિત્ર ૧૮૯૮), ૧૮૯૮
- અગ્રેજી પરથી ૩૫ પંચદશી (ચંદ્રકાન્ત વેદાંતચર્ચા ૧૯૦૦ ૧૯૦૦, ૧૯૧૭
સંસ્કૃત પરથી વિવરણ સહિત) ૩૬. બકા, દ. ભા. ૧ કાવ્યસંગ્રહ ૧૯૦૦ ૧૯૦૦, ૧૯૧૭
સંપાદન વિવિધ કવિઓની કૃતિઓ ૩૭. ચંદ્રકાન્ત ભા, ૨ ધર્મ-તત્વચર્ચા ૧૯૦૧ ૧૯૦૧, ૧૯૦૨, '૦૯,
મૌલિક
- ૧૯૦૧, ૧૩, ૨૦, ૨૪ ૩૮. લેખનપદ્ધતિ નિબંધ ૧૯૦૪ ૩૯. ચંદ્રકાન્ત ભા. ૩ ધર્મતત્ત્વચર્ચા ૧૯૦૭ ૧૯૭૨, ૧૯૦૮, માં
૧૯૧૪, ૨૪ / ૪૦. બુ. કા. દ. ભા. ૭ કાવ્યસ ગ્રહ ૧૯૧૨, ૧૯૧૨
સંપાદન વિવિધ કવિઓની કૃતિઓ ૪૧, બ. કા, દ. ભા. ૮ ,,
૧૯૧૩
૧૯૧૩, ૪૨. નરસિંહ મહેતા કૃત ,
કાવ્યસંગ્રહ
(ઉપરનાં પુસ્તકો પિકી ચંદ્રકાન્ત ભા. ૧-૨-૩ નાં મરાઠી તથા હિંદી તેમજ 'હિન્દ અને બ્રિટાનિયા” તથા “ગંગા-એક ગુર્જર વાતનું મરાઠી ભાષાંતર થયું છે.)
,
નરસિંહની કવિતા છે
થશે અને વિકાર પુ. ૧૦
Page #129
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ
સ્વ. ઇચ્છારામે કામ કરતાં કરતાં જ દેહ છેડેલો હોવાથી એમનાં કેટલાંક પુસ્તકે અધૂરાં રહેલાં તે નીચે મુજબ:–
(૧) બહકાવ્યદોહન ભાગ ૯-૧૦ (૨) ટીપુ સુલતાન ભા. ૨ (૩) ટોડકૃત રાજસ્થાન'નું ગુજરાતી ભાષાંતર (૫) તરવસાર (મિશ્ર) (૬) ભારત સર્વસંગ્રહ (ભરતખંડન શાસ્ત્રીય કેસ) (૭) ભરતપુરને ઘેરે (૮) રેશન આરા (૯) ભાષા સંસ્કાર (૧૦) હુમાયુની ગુજરાત ઉપર ચડાઈ (૧૧) કઠોપનિષદ ઉ૫ર ટીકા.
અભ્યાસ-સામગ્રી છે, “સ્વ. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના સાક્ષરજીવનની રૂપરેખા :- શ્રી. નટવરલાલ
છે. દેસાઈએ તા. ૯-૧૨-૧૯૨૮ ના રોજ પ્રો. બ. ક. ઠાકરના પ્રમુખપદે સૂરત “ગુજરાતી સાહિત્યમંડળને આશ્રયે સ્વ. ની જયંતી નિમિત્તે આપેલું
વ્યાખ્યાન, ૨. “એ સો ને એક વર્ષ પૂર્વેને ચોપડો યાને સ્વ. ઇચ્છારામ સૂર્યરામની દેસાઈ
ગિરિનો ઇતિહાસ અને મોગલ બાદશાહનાં ફરમાને : “ગુજરાતીને તા. ૮ મી
નવેમ્બર ૧૯૪૧, દીપઅંક. ૩. “ચંદ્રકાન્ત' ભા. ૧ની ૧૯૨૪ માં પ્રકટ થયેલી ૯ મી આવૃત્તિની પ્રસ્તાવના. ૪. મણિલાલ નભુભાઈ દ્વિવેદીકૃત "સુદર્શન ગદ્યાવલિ'–પૃ. ૮૧૭, ૮૧૬, ૮૩૬,
૮૫૫, ૮૬૧, ૮૬૩, ૮૬૯, ૮૭૫, ૮૮૮-૮૮૯,
Page #130
--------------------------------------------------------------------------
________________
ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી સ્વ. ઉત્તમલાલ ત્રિવેદીને જન્મ તેમના મૂળ વતન અમદાવાદમાં ઈ. સ. ૧૮૭૨ના ફેબ્રુઆરિની ૧૬મી તારીખે વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ કેશવલાલ નાનાભાઈ ત્રિવેદી અને માતાનું નામ સદાલક્ષ્મી. તેમના પિતા સૌરાષ્ટ્રમાં લીંબડી રાજ્યમાં દિવાન હતા. ઈ. સ. ૧૮૮૫માં ઉત્તમલાલનું લગ્ન નટવરલાલ નર્મદાશંકર પંડયાનાં પુત્રી સ્વ. ગુણવંતબા સાથે થયાં હતાં. •
ઉત્તમલાલે પ્રાથમિક શિક્ષણ લખતરમાં લીધું હતું, અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. ઈ. સ. ૧૮૮૭માં મેટ્રિકની પરીક્ષા પાસ કરીને તેઓ ગુજરાત કોલેજમાં દાખલ થયા. ત્યાંથી ૧૮૯૧માં ઘણું કરીને બીજા વર્ગમાં બી. એ.ની પરીક્ષા પાસ કરીને ફેલોશિપ મેળવી. બીજે વર્ષે
કાયદાને અભ્યાસ કરવા તેઓ મુંબઈ ગયા અને મુંબઈની લે કોલેજમાંથી - ઈ. સ. ૧૮૯૩માં એલએલ. બી. થયા.
ઈ. સ. ૧૮૯૬માં ઉત્તમલાલે રાજકોટ ખાતે રીતસર વકીલાત કરવા માંડી. ઈ. સ. ૧૯૦૩ સુધી તેઓ રાજકેટ રહ્યા. વચ્ચે ૧૯૦૧-૧૯૦૨માં તે વખતના ગુજરાત કોલેજના સંસ્કૃતના પ્રોફેસર આનંદશંકર ધ્રુવ રજા ઉપર જવાથી ઉત્તમલાલે સંસ્કૃતના અધ્યાપકનું કામ કર્યું હતું. કોલેજમાં ભણાવવાનું હોય તે દિવસે તેઓ રાજકોટથી આવતા. ઉત્તમલાલે વકીલ તરીકે રાજકોટમાં સારી નામના મેળવી હતી. આ સમયગાળામાં એક બહારવટાના કેસમાં માંગરોળ બંદર માં સ્પેશિયલ જજ તરીકે પણ તેમણે કામ કર્યું હતું.
ઈ. સ. ૧૯૦૪માં ઉત્તમલાલ રાજકોટથી મુંબઈ આવીને વસ્યા. અને ત્યાં વકીલાતની શરૂઆત કરી. પરંતુ બુદ્ધિશાળી, શુભ આશયોવાળા વિદ્વાનોએ વેપારમાં જોડાવું જોઈએ એવા કાંઈક ખ્યાલથી તેમણે ઈ. સ. ૧૯૦૮માં વેપારમાં ઝંપલાવ્યું. સીધા રસ્તા પર ચાલનાર, બધાને પિતાના જેવા પ્રામાણિક માનનાર, વેપારમાં ફાવી શકતા નથી, બલકે છેતરાઈ જાય છે. દુનિયાના વ્યવહારદક્ષ ગણાતા લેકે આવા સરળ દિલના માણસની સાથે જોડાઈ, તેને વિશ્વાસ મેળવી, પછી લાભ લઈ ખસી જાય છે. એ. કાંઈક અનુભવ સ્વ. ઉત્તમલાલને થે. તેને પરિણામે વકીલાતમાં કરેલી કમાણી વેપારમાં તણાઈ ગઈ. મિલ, બેંક, ઈન્ટરનેશનલ ટ્રેડિંગ કંપની, ગોવામાં મેંગેનિઝની ખાણ કાઢવાની પ્રવૃત્તિ વગેરેમાં પોતે કરેલી કમાણી
Page #131
--------------------------------------------------------------------------
________________
પંથકાશપિતાવલિ તથા પિતાના વારસામાં મળેલી સંપત્તિ એમ સઘળું ગુમાવવાનો વખત આવ્યું.
પરંતુ આ તો તેમના જીવનનું સ્થૂલ, વ્યવહારનું પાસું હતું. એની વિષમતાની અસર સાહિત્યકાર. સેવાભાવી કે ધર્મપરાયણું ઉત્તમલાલના વ્યક્તિત્વ પર ભાગ્યે જ થઈ હશે. વિદ્યાર્થીકાળથી જ તેમને સાહિત્યને શોખ હતે. અન્ય વ્યવસાય સાથે સાહિત્યના ક્ષેત્રને સંપર્ક તેમણે સતત રાખ્યાં કર્યો હતો, એટલું જ નહિ, પણ તે વખતના “સમાલોચક” “વસંત” “ગુજરાત” “યુગધર્મ” અને “રંગભૂમિ' જેવાં સામયિમાં લેખ લખીને તેમણે લેખક તરીકે નોંધપાત્ર ફાળો પણ આપ્યો હતો. નરસિંહરાવ, આનંદશંકર અને કેશવલાલ ધ્રુવ સાથે તેમને નિકટનો સંબંધ હતો. ઉત્તમલાલમાં નરસિંહરાવ અને આનંદશંકર સાથે ઉચ્ચ કક્ષાની સાહિત્યચર્ચા કરવા જેટલી વ્યુત્પન્ન અને પરિપકવ બુદ્ધિ હતી. નરસિંહરાવ કે આનંદશંકરના જેટલો સમૃદ્ધ અક્ષરવાર ઉત્તમલાલે આપ્યો નથી, તેનું મુખ્ય કારણ એ કે વેપાર ઉપરાંત રાજકારણમાં પણ તેમણે ઝંપલાવ્યું હતું.
સમકાલીન જાહેર પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવાની ધગશ અને શક્તિ ઉત્તમલાલ ધરાવતા હતા. સાહિત્ય પરિષદ, કેળવણી પરિષદ, નાગર પરિષદ જેવી સંસ્થાઓમાં અધિકાર પદે ચૂંટાઈને તેઓ દરેકનું સફળ સંચાલન કરતા. મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાના મંત્રી તરીકે તેમણે થડે વખત કામ કર્યું હતું. તેમની કારકિર્દી દરમ્યાન ઉત્તમલાલે એ સંસ્થાની પ્રવૃત્તિને સારી પેઠે વેગ આપીને મનસુખરામભાઈની ભાવનાને ઘણે અંશે ફલિત કરી બતાવી હતી. વળી “સમાચક'ના તંત્રી તરીકે પણ તેમણે અમુક વખત કામ કર્યું હતું. તે સમયના દેશનેતાઓ સાથે ઉત્તમલાલને સાથે પરિચય હતે. લેકમાન્ય ટિળક સાથે ઈ. સ. ૧૯૧૫માં તેમને પહેલે મેળાપ થયો ત્યારથી જ લેકમાન્યને ઉત્તમલાલભાઈ . માટે સદ્દભાવ ઉત્પન્ન થયે હતા. લેકમાન્યના “ગીતારહસ્ય'નું તેમણે કરેલું ભાષાંતર ટિળકને ખૂબ ગમ્યું હતું.
ઈ. સ. ૧૯૧૯માં લાહેર ખાતે કેગ્રેસનું અધિવેશન ભરાયું ત્યારે ગાંધીજી અને માલવીયજીના સમાગમમાં તેઓ આવ્યા હતા. સ્વભાવે શાંત
અને વિચારપ્રધાન હોવા છતાં તેઓ કર્મમાં, સીધા કામમાં માનનારા હતા. કેસની કાર્યપદ્ધતિ જેમ જેમ તેઓ જોતા ગયા તેમ તેમ તેઓ કેગ્રેસ તરફ વળતા ગયા અને ગીરગામ કેગ્રેસ કમિટીમાં જોડાયા પણ હતા. શ્રી
Page #132
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦
હિંમતલાલ અંજારિયા કહે છે તેમ, “કુનેહથી, માયાભરી કડક નિષ્ઠાથી અને પેાતાના દાખલાથી હાથમાં લીધેલું કામ સુંદર રીતે પાર પાડવાની તેમનામાં શક્તિ હતી.’ જનસમૂહને વિચાર અને આચારને પ્રવાહ કઈ ખાજૂ વળે છે એ જાણી લેવાની તેમનામાં અજખ દિષ્ટ હતી. તેમણે ‘વસ’ત' માં લખેલા કેંગ્રેસ વિશેના તેમજ અશાસ્ત્ર વિશેના લેખે તેમની આ દૃષ્ટિના સચોટ પુરાવારૂપ છે. ગુજરાત વિદ્યાસભા (તે વખતની ૩. વ. સા.) માટે તેમણે ‘અકબરનુ‘ ચરિત’ તથા ‘હિન્દના આર્થિક ઇતિહાસ' એ બે મહત્ત્વના ગ્રંથા અંગ્રેજીને આધારે તૈયાર કરી આપ્યા હતા.
२०
ગુજરાતી ઉપરાંત અંગ્રેજી ભાષા પર પણ સ્વ. ઉત્તમલાલને સાર કા” હતા. તેમણે થોડે વખત ‘Daily Mail' ના તંત્રી તરીકે પણ કામ કર્યું હતું, અને ‘Indian Review'માં તેઓ લેખા પણ લખતા હતા. 'Constitutional Theory of Hindu Law" 'National Education' નામના એ અંગ્રેજી ગ્રંથા પણ તેમણે લખ્યા હતા.
ગુજરાતીમાં સ્વ. ઉત્તમલાલે કેાઈ સળ'ગ મૌલિક ગ્રંથ લખ્યો નથી. પરંતુ તેમની પરિપકવ વિચારશક્તિ અને સ્વસ્થ, પયેષક શૈલીના ફળરૂપ અનેક ઉત્તમ સાહિત્ય-ગુણાવાળા મૌલિક લેખા ‘વસંત' અને ‘સમાલાચક’ની ફાઇલામાં અદ્યાપિ પ‘ત ટાઈ રહેલ છે. શ્રી વિશ્વનાથ ભટ્ટ કહે છે તેમ, એક રીતે એ ‘વસંત'કારના સાથી જેવા જ હતા. વિચાર શૈલી આદિની દૃષ્ટિએ ‘વસ'ત' સપ્રદાય સાથે ઉત્તમલાલને નિકટના સંબંધ હતા. પંડિતયુગને નિઃશેષતાને શાખ એમનામાં કઈક વિશેષ હાવાથી એમના નિબંધો મોટે ભાગે પ્રબંધ જેટલા બહુ લાંબા હેાય છે. * સાક્ષરયુગના આ સન્માન્ય વિચારકના લેખાને સહેજે એક દળદાર સંગ્રહ થઈ શકે, સાહિત્ય તેમજ સમાજના અભ્યાસમાં ઉપયોગી નીવડે તેવી સામગ્રી પૂરી પાડતી તેમની એ કૃતિઓને સ ંગ્રહ શ્રી હિંમતલાલ અંજારિયા જેવા વિદ્વાન અધિકારી પાસે કાઈ સંસ્થાએ તૈયાર કરાવવા ઘટે.
ઈ. સ. ૧૯૨૨ના આર્ભમાં ઉત્તમલાલને એક સામાન્ય છતાં જીવલેણુ અસ્માત નડયો. તે એક વાર પૂજા કરતા હતા તે વખતે છાજલી પરથી કાંઇક વાસણ" તેમનાં પત્ની લેવા જતાં હતાં ત્યાં તપેલી પડી ગઇ અને ઉત્તમલાલના માથામાં જખમ થયા. આને પરિણામે તેમના મગજના જ્ઞાનતંતુએ એવા શિથિલ થઇ ગયા કે તેમને માથાની બિમારી કાયમને
* જુએ ‘નિબ ંધમાલા', ઉપેાધાત પુ૦ ૩૧-૩૨
Page #133
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિતાવલિ માટે લાગુ પડી. પછી વારંવાર તેમની તબિયત લથડવા લાગી; ધણું ઉપચાર કર્યા પણ વ્યર્થ. અંતે ૧૯૨૩ના ડિસેમ્બરની ૨૬ મી તારીખે આ ઉદાર અને શુદ્ધ વૃત્તિના, ધર્મચુસ્ત રૂઢિવાદના ગુણો જોઈ શકનાર, જ્ઞાતિ વગેરેના રિવાજોને સમાજવાદની દષ્ટિથી તપાસનાર અને તેવા રિવાજોના સદશેને અપનાવનાર વિશુદ્ધ વિચારક અને ઊંચા તત્ત્વશોધક તરીકે પ્રતિષ્ઠા પામેલા', સૌજન્યમૂર્તિ ગૃહસ્થનું અવસાન થયું.
વેરવિખેર માસિકમાં દટાઈ રહેલા ઉત્તમલાલના લેખે તેમની શિષ્ટ શૈલી, ઉચ્ચ વાકુપ્રભાવ અને ઊંડી વિચારશક્તિનું નિદર્શન કરે છે, એટલું જ નહિ પણ સામાજિક, રાજકીય તથા બીજા સાર્વજનિક પ્રશ્નો વિશેના તેમના સિદ્ધાતો, તેમની ભાવનાઓ, અને તેમના આદર્શોને પણ તાદશ
ખ્યાલ આપે છે. એમના પ્રત્યેક લેખમાં. ઉત્તમલાલની જવલંત છતાં ડહાપણુ ભરેલી દેશભક્તિ પ્રતીત થાય છે. સ્વ સર રમણભાઈ પિતાના
આ સમકાલીન પુરુષાર્થીને અંજલિ આપતા કહે છે કે “રાઉત્તમલાલના છે હદયની ઉદારતા, વિચારોની ઉદારતા, વિદ્વત્તાની ગહનતા, વિવેકબુદ્ધિની ,
તીવ્રતા, જીવનની શુદ્ધતા, વ્યવહારના વિષયેની તુલનાની યથાર્થતા, મનની ગંભીરતા, સંકલ્પની સ્થિરતા અને દઢતા, વિચારના કોલાહલ વચ્ચેની તેમની સ્વસ્થતા એ સર્વ અનુભવથી જાણનાર કહી શકશે કે દેશને એમની હજી ઘણી જરૂર હતી.” *
" કતિઓ : કૃતિનું નામ પ્રકાર કે પ્રકાસન-સાલ પકાશક મૌલિક, સંપાદન મૂળ ભાષા, વિષય
કે અનુવાદ કર્તા કે કૃતિનું
નામ ૧. બ્રિટિશ ઇતિહાસ ૧૯૦૯ ગુજરાત વિદ્યાસભા અનુવાદ રમેશચંદ્ર દત્તનું કિસ્તાનને
અંગ્રેજી પુસ્તક આર્થિક ઇતિહાસ ૨. , ભા-૨ ,, ૧૯૧૨ છે, અકબર જીવન
"Rulers of ચરિત્ર
India" on
ગ્રંથમાળામાં ૪, Constitu કાયદો
એન. એમ. મૌલિક અંગ્રેજી ગ્રંથ tional Theory of Hindu Law
મુંબઈ 4. National fine
Edlucation * “સ્વ. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી” (રમણભાઈ નીલકંઠ) “વસંત’ વર્ષ ૨૨ અં, ૧૧
ઍમદાવા
૧૯૧૩
૧ ૯૧૬
ત્રિપાઠીની મું.
.
Page #134
--------------------------------------------------------------------------
________________
- ગ્રંથ અને બહાર ૫ ૧૦ ૬. શ્રીમદ્ ભગવદ્ તત્ત્વજ્ઞાન ૧૯૧૩ બાળ ગંગાધર અનુવાદ બા. ગં.ટિળકને ગીતારહસ્ય.
ટિળક .
મરાઠી વંશ અથવા કર્મયોગ -રહસ્ય
કેટલાક મહત્વના લેખે ૧. અકબર અને તેની “સમાચક પુ. ૫, સં. ૨-૩
રાજ્યવ્યવસ્થા ૨. કોંગ્રેસના બે પક્ષે
પુ. ૧૨, અં. ૧ ૩. આપણું રાજકીય
પુ. ૧૨, અં. ૨ સમુદ્રમંથન ૪. ગો. મા. ત્રિ, નાં - આચારસૂત્રો ૫. ધ નેશનલ કોંગ્રેસ:
પુ. ૨૦, . ૧૨ તેનું સ્વરૂપ અને સાથ ૬. સ્વાતંત્ર્ય સમાજ-દીક્ષિત
પુ. ૨૫, . ૮ - બાળ ગંગાધર ટિળક ૭. સરકાર અને અસહકાર
પુ. ૨૭, અં. ૨ ૮. આપણા દેશની ઉદ્યોગ ‘વસંત” વર્ષ ૪, પૃ. ૩૫, ૩૮૬
સંબંધી સ્થિતિ ૯. પશ્ચિમના સુધારાનો
વર્ષ ૪, પૃ. ૫, ૭, | દાવો
૧૩૦, ૧૮૪, ૨૨૩, ૨૭ ૧૦. સરસ્વતીચંદ્ર' અને
‘વસંત'
વર્ષ ૫, પૃ. ૨૦૫, ૩૬૯ આપણે ગૃહસંસાર ૧૧. ગોવર્ધનભાઇ-એક
વર્ષ ૧, પૃ. ૨૨૧ નિરીક્ષણ ૧૨. મણિલાલ અને
વર્ષ ૧, પૃ. ૭૨ - બાળાશંકર ૧૩. હિન્દની આર્થિક
વર્ષ ૧, પૃ. ૧૭૦. સ્થિતિ ૧૪. પ્રાથમિક શિક્ષણ અને
વર્ષ ૧૧, ૫. ૪૬ પ્રાથમિક શિક્ષક ૧૫. યુગાન્તરનો ઉષ:કાળ
વર્ષ ૧, પૃ. ૮૯ અયાસ-સામગ્રી ૧. ‘સ્મરણમુકર” (ન, જે દી.)
પૃ. ૨૨૪-૨૩૨ ૨. ‘વસંત' વર્ષ ૨૨, અં. ૧૧, “૫. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી
(લે. રમણભાઈ નીલકંઠ) ૩, નિબંધમાલા” (સં. વિ. મ. ભટ્ટ), ઉપધાત,
5. ૩૧-૩૨
Page #135
--------------------------------------------------------------------------
________________
એલેકઝાંડર કિન્લોક ફોર્બ્સ ગુજરાતી ભાષા અને પ્રજાને સાચા હિતૈષી તરીકે આજથી એક સદી પહેલાં સારી પેઠે પંકાયેલા આ અંગ્રેજ અમલદારને જન્મ ઈ. સ. ૧૮૨૧ ના જુલાઈ માસની ૭ મી તારીખે લંડનમાં થયું હતું. તેમના પિતાનું નામ મિ. જહોન ફેન્સ મિશલ હતું. વતન સ્કોટલેંડમાં આબરડીન પરગણું. ફોર્બ્સને પિતા તરફથી ઉમરાવ દિલ અને માતા તરફથી વિદ્યાપ્રીતિને વારસો મળ્યો હતો. તેમના પ્રારંભિક વિદ્યાભ્યાસની ખાસ માહિતી મળતી નથી, પરંતુ પહેલેથી તેમને ઉચ્ચ કલા અને વિદ્યા વિશે અનુરાગ હતું. આરંભમાં તેમને શિલ્પી બનવાની આકાંક્ષા હતી. તદનુસાર ઈંગ્લેડના પ્રખ્યાત શિલ્પશાસ્ત્રી મિ. જ્યૉજ બાસ્કેવિની પાસે તેમણે આઠ માસ અભ્યાસ કર્યો હતો.
વીસ વર્ષની ઉમર થતાં ફેન્સે હિન્દી સનદી નેકરીમાં દાખલ થવાનું નક્કી કર્યું. તેને માટે તેમણે હેલીબરી પાઠશાળામાં અભ્યાસ કરવા માંડયો. આ વખતે કાં તો મિત્રવર્ગ તરફથી કે પછી પાઠશાળા તરફથી ફેબ્સને સર વિલિયમ જેન્સના બધા ગ્રંથે ભેટ મળ્યા હતા. ફેબ્સને એ ગ્રંથસમૂહ અત્યંત પ્રિય હતો. શેકસપિયર તેમને પ્રિય કવિ હતો. પિતાના લેખમાં શેકસપિયરનાં વચને ટાંકવાને તેમને શૈખ હતા.
મુંબઈ પ્રાંતની ૧૮૪૩ ના નવેમ્બરની ૧૫ મી તારીખે ફેન્સે સનદી નોકરીમાં જોડાવા સારુ મુંબઈ આવ્યા. આરંભમાં તેમને અહમદનગરમાં મૂક્યા. પછી બે જ માસમાં તેઓ હિન્દુસ્તાની ભાષાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. એટલે અહમદનગરમાં જ ત્રીજા આસિ. કલેકટર તરીકે તેઓ નિમાયા. તા. ૮ મી નવેમ્બર ૧૮૪૪ ના રોજ તેઓ ખાનદેશના બીજા આસિ. કલેકટર તરીકે નિમાયા. તા. ૬ ઠ્ઠી એપ્રિલ ૧૮૪૬ ના રોજ તેઓ મુંબઈની હાઈકોર્ટના એકિંટગ ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત થયા. તેને ત્રીજે જ દિવસે અમદાવાદના આસિ. જજને હોદ્દો ફોર્બ્સને મળ્યો.
ફેબ્સ વિદ્યા કલા ઉભયમાં કુશલ હતા. તેમને શિપને ખાસ શેખ હતું. ગુજરાતની સુંદર શિલ્પકૃતિઓ જોઈને ફોર્બ્સને લાગ્યું કે કોઈ પૂર્વે થઈ ગયેલા પ્રતાપી લેકના મહિમાનાં એ અવાચિક ચિહ્ન છે. આ ઉપરથી
૧. ગુ. વ. સો. ને ઇતિહાસ, વિ. 1, પૃ.
Page #136
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર. ૧૦ ગુજરાતનાં પ્રાચીન સ્થળે અને શિલાલેખો જોઈને ગુજરાતનો ઇતિહાસ ઊકેલવાની તેમને ઈચ્છા થઈ આવી. મનઃસુખરામ ત્રિપાઠી કહે છે તેમ, કલા ઉપર વિદ્યાને પ્રકાશ પાડી તેને વાશ્મિની કરવાને તેમણે નિશ્ચય કર્યો.” એમણે ગુજરાતી ભાષા શીખવા માંડી. અમદાવાદની અંગ્રેજી શાળાના હેડમાસ્તર ભોગીલાલ પ્રાણવલ્લભદાસ પાસે તેઓ આરંભમાં ગુજરાતી શીખ્યા. પછી તે ગુજરાતી સાહિત્યના અભ્યાસની અભિરુચિ જાગી. એટલે ભોળાનાથ સારાભાઈની ભલામણથી ફોર્બ્સ કવિ દલપતરામને સને ૧૮૪૮ના નવેમ્બરમાં વઢવાણથી અમદાવાદ તેડાવ્યા. દલપતરામે તેમને - ગુજરાતી સાહિત્યની લગની લગાડી. ફોર્બ્સ ને દલપતરામ વચ્ચે જિંદગીભરની મિત્રતા બંધાઈ દલપતરામની સહાયથી ફેન્સે ગુજરાતકાઠિયાવાડને પ્રવાસ ખેડીને હસ્તલિખિત ગ્રંથની શોધ કરવા માંડી. ખૂણે ખાંચરે પડી રહેલા કવિઓને તેણે ઉત્તેજન આપવા માંડયું. એટલે ફેબ્સને ભજની ઉપમા મળી. ફેન્સને ગ્રંથસંગ્રહ કરવાનો પ્રયત્ન એ વખતે ગુજરાતમાં એટલે આગળ વધ્યો હતો કે દલપતરામે ઉધઈને ઉદ્દેશીને કવિતા કરી કે
કુઠા પુસ્તક કાપિને, એનો ન કરીશ અસ્ત;
ફરતો ફરતે ફારબસ, ગ્રાહક મળે ગૃહસ્થ.” ઈ. સ. ૧૮૪૮ના ડિસેંબરની ૨૬ મી તારીખે ફેન્સે ગુજરાત વર્નાકયુલર સોસાયટી (હવે ગુજરાત વિદ્યાસભાની સ્થાપના કરી. તે . ઉદ્દેશ “ગુજરાતી ભાષા સાહિત્યને ઉત્કર્ષ કરે, ઉપયોગી જ્ઞાનને પ્રચાર કરો અને સામાન્ય રીતે કેળવણીની વૃદ્ધિ કરવી.” આ ઉદ્દેશ અનુસાર ગુજરાતનું પહેલું સામયિક “વર્તમાનપત્ર’ ફેબ્સ શરૂ કર્યું. ગુજરાતની પહેલી લાઈબ્રેરી નેટિવ લાઈબ્રેરી પણ તેણે સ્થાપી અને જુના ગુજરાતી પુસ્તકની હાથપ્રતને સંગ્રહ કરવા માંડ્યો; શાળાઓની સ્થાપના કરી અને શાળપયોગી પુસ્તકનું પ્રકાશન કર્યું; ઈનામ આપીને નવાં પુસ્તકે લખાવ્યાં અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપીને અભ્યાસમાં ઉત્તેજન આપ્યું. ગુ. વ. સે. ની સ્થાપનામાં ફેન્સની સાથે કર્નલ કુલજેમ્સ, કર્નલ વોલેસ, વિલિયમ ફોસ્ટર, જે શીવર્ડ અને રેવરંડ પીટર આદિ યુરોપિયન ગૃહસ્થ જ હતા. છેક ૧૮૫૨ માં પહેલા દેશી ગૃહસ્થ આ મંડળમાં જોડાયા તે ભોગીલાલ પ્રાણવલ્લભદાસ.
૧. ગુ. વ. સો. ને ઇ., વિ. ૧, ૫. ૯
Page #137
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર સરિતાવિલ
પ
ઈ. સ. ૧૮૪૯ ના એપ્રિલની ૪થીએ ફોર્બ્સે વમાન' નામનુ ગુજરાતનું પહેલું અઠવાડિક પત્ર શરૂ કર્યું. તે દર બુધવારે પ્રગટ થતું હાવાથી લાકા તેને અને પછી તા દરેક વમાનપત્રને બુધવારિયું કહેવા લાગ્યા. ઈ. સ. ૧૮૫૦ ના એપ્રિલની ૧૫મી તારીખે ફોર્બ્સની બદલી સૂરતના આસિ. જજ તથા સેશન્સ જજ તરીકે થઈ. ત્યાં તેમણે ‘સૂરત સમાચાર' કઢાવ્યું. ઉપરાંત એક ‘સૂરત અષ્ટાવિ'શી સેાસાયટી' ઊભી કરીને ફૉર્બ્સે પોતે તેના મ ંત્રી થયા. એમના પ્રયત્નથી ૧૮૧૦ માં ત્યાં એન્ડ્રુસ લાઇબ્રેરી'ની પણ સ્થાપના થઈ. આ વખતે શહેર સુધરાઈના ધારા સૂરતમાં દાખલ કરવાના હતા. તે ધારા અંગે લેાકમત કેળવવાનું કામ ફ્રૉબ્સતે સરકારે સાંપ્યું. કવિ દલપતરામ તથા દુર્ગારામ મહેતાજીની સહાયથી ફૅ।સે સૂરતમાં મહેલે મહેલે ફરીને લાકાને એ ધારાની એવી સુંદર સમજૂતી આપી કે સરકારે તેમની કુનેહ અને નિર્ણયષુદ્ધિનાં વખાણ કરીને તેમને ખાસ આભાર માન્યો.
તા. ૧લી મે ૧૮૫૧ના રાજ ફ્રાન્સ અમદાવાદના પહેલા આસિ. કલેકટર અને માજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત થયા. ૧૮૫૨ ના ઑગસ્ટમાં તેમને મહીકાંઠાના પોલિટિકલ એજન્ટનું સ્થાન મળ્યુ. આ વખતે સાદરામાં તેમણે રાજકુમારેાને શિક્ષણ આપવાની શાળા સ્થાપી. પછી પાછા તે ૧૮૫૩ ના જૂનમાં અમદાવાદના અકિટંગ જજ અને સેશન્સ જજ તરીકે આવ્યા. અમદાવાદ આવ્યા પછી પાછી તેમણે હસ્તલિખિત ગ્ર ંથાની શોધ શરૂ કરી. ચંદ કવિતા પૃથુરાજ રાસ' મેળવવા સારુ ફ્રૉબ્સે બહુ જહેમત ઉઠાવી. ગુજરાતના ગામેગામ માણસ મેાકલીને જૂની હાથત્રતાની તેમણે તપાસ કરવા માંડી, પણ વ્ય. રોયલ એશિયાટિક સાસાયટીમાં પણ એ પુસ્તકની અધૂરી પ્રત જ મળે છે. છેવટે મુદીક્રાટાના રાજા પાસે એ પુસ્તક છે એવું સમજાતાં ત્યાંના રેસિડેન્ટની વગ લગાડીને મહાપ્રયત્ને એ પુસ્તક ફ્રાન્સે મંગાવ્યુ`. તેના ૮૦,૦૦૦ જેટલા શ્લેાકાની નકલ કરાવીને તેમણે એ પુસ્તક પેાતાની પાસે રખાવ્યું. તેમના મૃત્યુ બાદ, આ પુસ્તક મુંબઈની ‘ફાÖસ ગુજરાતી સભા'ના પુસ્તકાલયમાં રાખવામાં આવ્યુ' હતું. પાટણના જૈન ભંડારાની મુલાકાતે પશુ ફાર્મ્સ ગયા હતા. જૈન મુનિઓને નમ્ર અને મધુર વચના તથા માનવસ્ત્ર વડે પ્રસન્ન કરીને તેમણે અમદાવાદના ઈતિહાસ ” માં પૃ. ૧૮૭ પર ૧. મગનલાલ વખતચંદ્નકૃત તા. ૨ જી મે આપી છે; પણ દલપતકાવ્ય' ભાગ ૧-માં આ તારીખ આપી છે તે વધુ પ્રમાણભૂત છે.
?
.
Page #138
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને થથકાર : ૧૦ એ ભંડારમાંના ગ્રંથે જોયા. તે પૈકી “દયાશ્રયની ફેન્સે નકલ કરાવી લીધી. ઉપરાંત વડેદરા, અમદાવાદ અને ખંભાતના ગ્રંથભંડારો પણ તેમણે જોયા હતા. તેમાંથી મુખ્યત્વે ઈતિહાસ-ગ્રંથને તેમણે સંચય કર્યો હતો, જેમાં પ્રબંધચિંતામણિ', “ભેજપ્રબંધ', દયાશ્રય”, “પૃથુરાજ રાસ' “કુમારપાલ રાસ”, “રત્નમાલા, પ્રવીણસાગર', જગદેવ પરમાર', બાબીવિલાસ, શ્રી પાલ રાસ', કેસર રાસ” અને “હમીરપ્રબંધ' મુખ્ય હતા.
પગે ચાલીને પ્રવાસ કરવાને ફર્મ્સને ઘણો શોખ હતો. પ્રવાસમાં તેઓ લાકડી, પિસ્તોલ, નકશે અને નાણાંની કોથળી સાથે રાખતા. માર્ગમાં મળતા વટેમાર્ગુઓને ઊભા રાખીને તેઓ તેમનાં સુખદુઃખની વાતે પૂછતા તથા સરકાર વિશેને લોકોને અભિપ્રાય જાણતા; કઈ અનાથ દરિદ્રી હેય તે તેને પૈસા આપીને સહાય પણ કરતા.૨ ઈ. સ. ૧૮૫૨ માં ફેબ્સની પ્રેરણાથી ઈડરના રાણુ યુવતસિંહજીએ ઈડરમાં કવિસંમેલન ભર્યું. કવિતા સાંભળીને યોગ્યતા પ્રમાણે દરેક કવિને ફોર્બ્સ માનવસ્ત્ર આપ્યો અને કહ્યું કે “ હું તમને તમારા ગુણ પ્રમાણે આપી શકતો નથી.” વિદ્યા અને કલાના ઉત્તેજન અર્થે ફર્સ એટલી છૂટથી પાર્જિત ધન વાપરતા કે મેટે પગાર હોવા છતાં તેમને વિલાયતથી પૈસા મંગાવવા પડતા.
ઈ. સ. ૧૮૫૪ના માર્ચ માસની ૨૮ મીએ ફોર્મ્સ સ્વદેશ ગયા. ત્યાં રહીને તેમણે રાસમાળાની રચના કરી. લંડનના “ઇન્ડિયા હાઉસમાં ગુજરાતને લગતાં જે જે ખતપત્રો ઈત્યાદિ હતાં તે અતિશ્રમપૂર્વક વાંચી જઈને ફોર્બ્સ “રાસમાળા’નું પુસ્તક તૈયાર કર્યું. “રાસમાળા'ની પ્રથમ
૧. ફાર્બસ જીવન ચરિત્ર', પૃ. ૧૭
૨. પ્રવાસ દરમિયાન કોઈવાર હાસ્યવિનેદના પ્રસંગ પણ બનતા. તેવો એક બનાવ ફાચરિત્રકાર મ. સૂ. ત્રિપાઠીએ નોંધ્યો છે. એક વખત પંચાસર પાશ્વ નાથમાં ફોર્મ્સ વનરાજની મૂર્તિ જેવા ગયા હતા. ત્યાં કઈ ભાટ તેમની કીતિ સાંભળીને એક પુસ્તક ભેટ કરવા આવ્યો અને બોલ્યો કેઃ “એ વાર ગાયકવાડને અમારા વધે એક જ સરસ પુસ્તક દેખાયું હતું તેથી સરકારે ખુશી થઈ એક ગામ બક્ષિસ આપ્યું છે. તે અંગ્રેજ તો મેહોટે રાજા છે, માટે અમને કોઈ વધારે આવ્યા છે.” સાહેબને આ વાત સાંભળી બહુ હસવું આવ્યું. તેમણે દલપતરામને હનુમાન નાટકમાંની હનુમાન અને ભક્તિ વચ્ચેની આ પ્રકારની વાતચીત સમાAવવાનું કહ્યું અને તે બોલ્યા કે “ સાઈ! તમને ગામ આપવાની મારી શક્તિ હેત તે હું જ ચાકરી શા વાસ્તે કરત!”
Page #139
--------------------------------------------------------------------------
________________
થથકા-ચરિતાવિલ
અંગ્રેજી આવૃત્તિ ઈ: સ. ૧૮૫૬માં લં'ડન ખાતે રિચર્ડસન બ્રધસ' તરફથી બહાર પડી. આમ ગુજરાતને ઇતિહાસ સૌથી પ્રથમ એક અગ્રેજ પાસેથી મળે છે. જેમ ગ્રાંટ ડફે મહારાષ્ટ્રને ઇતિહાસ લખ્યા અને કર્નલ ટોડે રાજસ્થાનને લખ્યા તેમ ફૅમ્સે ગુજરાતને ઇતિહાસ લખ્યા છે. ગુજરાતની ભૂતકાલીન મહત્તાનેા પુનરુદ્ધાર કરવાના સ્તુત્ય ઇરાદાથી પ્રેરાઈને આ પુસ્તક તૈયાર કરવામાં ઑબ્સતે કવિ દલપતરામતી માટી સહાય હતી.
ઈ. સ. ૧૮૫૬ ના નવેમ્બરમાં ફૅમ્સ` પાછા હિ'દ આવ્યા. ૧૮૫૭ની ક્રાન્તિ વિશે અનેક વિદેશી લેખકા અને અમલદારાએ હિન્દી પ્રજા પર એ વખતે ઝનૂનમાં આવીને સખત ટીકાપ્રહારેા કર્યા હતા, ત્યારે ફોર્બ્સ ન્યાયપક્ષ પકડીને તે વિશે લખતા હતા. સર જ્હૉન માલકેામના જીવનચરિત્ર પર વિવેચન કરતાં તેમણે બ્રિટિશ સરકારની એકપક્ષી નીતિની ટીકા કરતાં નીચે પ્રમાણે કહ્યું હતું: ન્યાય કરવામાં કિંચિત્ પણ પક્ષપાત કર્યાંથી આપણા વિશ્વાસ ઉપર જેટલા ધક્કો, અને તેને જે પરિણામ થાય, તે પચાશેક આખા પ્રાન્તા હાથમાંથી જાય, તેના કરતાં પણ વિશેષ હાનિકારક છે એવું માલ્કામ માનતા. અરે ! આપણી જ પ્રજા સાથેના અને બીજા માંડલિક રાજા સાથેના, આપણા કરારના અર્થ કરવામાં, બ્રિટિશ સરકાર અને તેના કાર્યભારીએ કેટલેા બધા પક્ષ કરે છે. ” ‘આઉડ’ (અયેાજ્યા) નામના ખીજા અંગ્રેજી લેખમાં તેમણે રાજાપ્રજાને હિતકારક ઉત્તમ વિચારા આપેલા છે. આ બન્ને લેખા ૧૮૫૭-૧૮૫૮માં ‘ાએ ક્વાલી રિવ્યૂ'માં પ્રસિદ્ધ થયા હતા. મહારાણીના ઢંઢેરા મુજબ વચન પાળવામાં આવે તે બ્રિટિશ સરકારની સામે હિંદી પ્રજાને મળવા કરવાનું કાઇ કારણ ન રહે એમ ફૉર્બ્સ'નું દૃઢ મતવ્ય હતું.
kr
ઈ. સ. ૧૮૬૨ ના એપ્રિલની ૧૨ મી તારીખે ફોર્બ્સની મુંબઈની હાઈ ક્રાટના ન્યાયમૂર્તિ તરીકે કામચલાઉ નિમણૂક થઈ. અહીં તેમણે મુદ્ધિબળ તથા ઊડી ન્યાયષ્ટિને સારા પરિચય કરાવ્યા. ૧૮૬૪ માં તે મુંબઈની રોયલ એશિયાટિક સેાસાયટીના ઉપપ્રમુખ તરીકે ચુંટાયા. તે જ વર્ષમાં મુંબઈ યુનિવર્સિટીના કુલનાયક ( Vice-chancellor) તરીકે પણુ સરકારે ફોર્બ્સને નીમ્યા હતા. મુબઈની સર જે. જે. સ્કૂલ આફ્ આના અધ્યક્ષ (Dean) તરીકે પણ તે આ વખતે કામ કરતા હતા.
૧. મનઃસુખરામ ત્રિપાઠીએ મૂળ અંગ્રેજીનું આ પ્રમાણે ભાષાંતર કર્યું છે. (જુઓ 'ફાસ જીવન ચરિત્ર', બીજી આવૃત્તિ, ૫૦ ૨૭)
Page #140
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર રૂ. ૧૦ આ અરસામાં ફેન્સે “રત્નમાલા' નામે વ્રજભાષાના ગ્રંથને જેટલો મળ્યો તેટલો ભાગ અંગ્રેજીમાં ઉતાર્યો હતો. વળી, તા. ૧૪ એપ્રિલ ૧૮૬૪ ના રોજ “સોમનાથ' વિશે એક નિબંધ મુંબઈની રૉયલ એશિયાટિક સોસાયટીમાં તેમણે વાંચ્યા હતા, જે ૧૮૬૫ માં તે જ સભાના મુખપત્રમાં પ્રગટ થયા હતા.
આ વખતે મુંબઈમાં શેરસટ્ટાને જુવાળ ચાલતો હતો. તેને લાભ લઈને નાણું એકઠાં કરી ફેબ્સના નામની એક ગુજરાતી સભા મુંબઈમાં સ્થાપવાને વિચાર સ્વ. મનઃસુખરામ ત્રિપાઠીને આવ્યા. એ સભા માટે એક લાખ રૂપિયાનું ફંડ એકઠું કરવાનું નક્કી થયું. મનઃસુખરામની વગથી સૌરાષ્ટ્રના રાજાઓ તથા મુંબઈના શેઠિયાઓ પાસેથી મોટી મોટી રકમ ભરવામાં આવી. તા. ૨૫ માર્ચ ૧૮૬૫ના રોજ ફોર્બ્સને બંગલે મુંબઈના સુપ્રસિદ્ધ ગુજરાતીઓની સભા મળી, અને ગુજરાતી સભા'ની સ્થાપના કરી. ફેબ્સની તે સભાના પ્રમુખ તરીકે અને મનઃસુખરામ ત્રિપાઠીની તેના મંત્રી તરીકે વરણી થઈ. ફેબ્સને ગુજરાતી સભા માટે એટલી બધી મમતા હતી કે માંદગીને કારણે બધાં કામો છોડવાં છતાં ગુજરાતી સભાની જવાબદારી તો છેવટ લગી તેમણે પિતાને શિરે જ રાખી. તા. ૩૧મી ઓગસ્ટ ૧૮૬૫ના રેજ પૂનામાં ફેબ્સ સાહેબનું મગજના રોગને કારણે અકાળ અવસાન થયું. દયાળુ અને મિલનસાર સ્વભાવવાળા ફેબ્સના મૃત્યુએ ગુજરાતને સ્વજન ગુમાવ્યા એટલે આઘાત આપો. કવિ દલપતરામે “ફાર્બસવિરહ નામની કરુણપ્રશસ્તિ રચીને સ્વમિત્રને શ્રદ્ધાંજલિ અર્પી છે. ફેબ્સની રાસમાલા” આજ સુધી ગુજરાતના ઇતિહાસની સામગ્રી પૂરી પાડતા આકર ગ્રંથ તરીકે મહત્ત્વ પામેલ છે. તેના કરતાં વધુ સુસંકલિત અને પ્રમાણભૂત ઇતિહાસગ્રંથા સુલભ થતાં આજે એનું મૂલ્ય પહેલાં જેટલું રહ્યું નથી. પણ મુંબઈમાં ગુજરાતી ભાષા-સાહિત્યનું સંશોધન કરી રહેલી ફાર્બસ ગુજરાતી સભા' અને છેલ્લાં સે વર્ષથી સમયના પ્રવાહ સાથે આગળ વધતી રહીને ગુજરાતમાં વિદ્યાવૃદ્ધિનું સુંદર કાર્ય કરતી રહેલી ગુજરાત વિદ્યા સભા (ગુ. વ. સ.) ફેબ્સના યશસ્વી જીવનકાર્યના ચિરંજીવ સ્મારકરૂપ છે.
કતિએ કૃતિનું નામ ભાષા વિષય પ્રકાશનસાલ પ્રકાશક અનુવાદક રાસમાળા ભા. ૧ અંગ્રેજી ઇતિહાસ ૧૮૫૬ રિચાર્ડસન –
બ્રધર્સ, લંડન -
ઓકસફર્ડ યુનિ. – " (બીજી આ.) ૧૯૨૪ પ્રેસ, આફસફર્ડ
તા. ૨
Page #141
--------------------------------------------------------------------------
________________
થથકાર-ચરિતાણિ
રાસમાલા ભા. ૧ ગુજરાતી ઈતિહાસ ૧૮૬૯ ફાસ
૧.
૨.
3.
४
22
..
ભા. ૨
ભા. ૧-૨
ભા. ૧-૨
""
,,
22
૧૮૦૦
""
(બીજી આ.) ૧૮૯૯
(ત્રીજી આ.)
રણુખાડભાઇ
ગુજરાતી સભા, ઉયરામ
મુંબઈ
ગુજરાત વર્ના. સા. અમદાવાદ
૧૯૨૭ ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ
""
મહાજન મ`ડળ : મગનલાલ નરાતમદાસ પટેલ: પ્રકરણ ૨૦,
""
૨૯
""
અભ્યાસ-સામગ્રી
ફાસ જીવન ચરિત્ર : સ્વ. મનઃસુખરામ સૂ. ત્રિપાઠી
‘ ફાÖસ વિરહ ' : કવિ દલપતરામ (ઉપર્યુકત “ ચરિત્રની ખીજી આવૃત્તિની સાથે બધાયેલું )
ગુજરાત વર્નાકયુલર સેાસાયટીના ઇતિહાસ, વિભાગ ૧ : હીરાલાલ
ત્રિ. પારેખ
પૃ ૧૨૫૦
Page #142
--------------------------------------------------------------------------
________________
કેશવલાલ મોતીલાલ પરીખ સ્વ. કેશવલાલ પરીખને જન્મ વિ. સં. ૧૯૦૯ ના શ્રાવણ સુદ ૭ બુધવારના રોજ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલ તેમના વતન કઠલાલમાં વિશા ખડાયતા વણિક જ્ઞાતિમાં થયો હતો. પિતાનું નામ મોતીલાલ મૂળજીભાઈ અને માતાનું નામ નવલબહેન. મોતીલાલ પરીખે અમદાવાદ જિલ્લામાં તેમની જ્ઞાતિમાં સૌથી પ્રથમ (૧૮૫ર ના એપ્રિલની ૭ મી તારીખે વકીલાત કરવાની સનદ મેળવી હતી, તેમના સૌથી નાના ભાઈ ઈશ્વરદાસ પણ વકીલ થયા અને તેમના ત્રણે દીકરા–કેશવલાલ, દ્વારકાંદાસ અને જેઠાલાલ–વકીલ થયા એટલે તેમનું કુટુંબ વકીલની અટક પણુ પામ્યું હતું. કેશવલાલનું લગ્ન સં. ૧૯૨૧ ની સાલમાં ફક્ત બાર વર્ષની ઉમરે જડાવબહેન સાથે થયું હતું. બે વર્ષના બાળકના મૃત્યુના આઘાતથી તેમનાં પત્નીનું અવસાન થયું. તેમનાં બીજાં પત્નીનું નામ દીવાળીબહેન હતું.
ધૂળી નિશાળથી શરૂ કરીને કેશવલાલે કઠલાલમાં જ સાત ગુજરાતી અને અંગ્રેજી બીજા ધોરણ સુધી અભ્યાસ કર્યો. પછી આગળ ભણવા સારુ અમદાવાદમાં પિતાનાં ફેઈને ત્યાં રહ્યા. પણ ફેઈ સાથે એકવાર ચડભડવાનું થતાં કેશવલાલે ભૂંગળીની પિળમાં જુદુ મકાન રાખ્યું. હાથે રસોઈ કરીને તેઓ ખાડિયા મિલ્ક સ્કૂલમાં નિયમિત ભણવા જતા. ત્રણ ચાર વર્ષ આમ ચાલ્યું હશે. એટલામાં તેમના પિતરાઈ ભાઈ ચૂનીલાલને તથા કેશવલાલને લેખકનો સ્વતંત્ર ધંધે આદરી આપબળથી નામના કાઢવાની લાલસા થઈ આવી. એટલે સં. ૧૯૨૮ ના કારતક શુદ ૮ ના રોજ બન્ને ભાઈઓ અને એક ત્રીજા મિત્ર (મોહનલાલ દલપતરામ કવિ) અમદાવાદથી મુંબઈ ગયા. પણ ત્યાં તબિયત બગડવાથી કેશવલાલ તથા ચૂનીલાલને તરત અમદાવાદ પાછા આવવું પડયું. આ સાહસની સજારૂપે વડીલેએ બન્નેને ઘેર બેલાવી લીધા. કેશવલાલ ઘેર કાયદાનાં પુસ્તક વાંચીને વકીલની પરીક્ષામાં બેઠા પણ નાપાસ થયા. એટલે ફરીથી અમદાવાદની સરકારી હાઈસ્કૂલમાં દાખલ થઈને તેમણે અભ્યાસમાં ચિત્ત પરેવ્યું. ઈ. સ. ૧૮૭૭માં તેઓ મેટ્રિક્યુલેશન પરીક્ષામાં બેઠા. પણ તેમાં યે નિષ્ફળ ગયા. વર્ગમાં પહેલો નંબર રાખનાર કેશવલાલ નાપાસ થયા તેથી તેમના શિક્ષકને ખૂબ દુઃખ થયું. આ અંગે તેમણે યુનિવર્સિટી સાથે પત્રવ્યવહાર કર્યો. તેમના પ્રયાસને પરિણામે બીજા વર્ષથી યુનિવર્સિટીએ દરેક વિદ્યાર્થીના વિષયવાર ગુણ
Page #143
--------------------------------------------------------------------------
________________
શથકારચરિતાવલિ જાહેર કરવાની પદ્ધતિ રવીકારી. ૧૮૭૮ માં કેશવલાલે મેટ્રિકની પરીક્ષા પસાર કરી અને ત્યાર પછી ત્રીજે જ મહિને વકીલની પરીક્ષામાં પણ તેઓ ઉત્તીર્ણ થયા. તરત જ (૧૮૭૮ ના માર્ચની ૧૨ મી તારીખે) તેમણે અમદાવાદ અને ખેડા જિલ્લામાં વકીલાત કરવાની સનદ મેળવી.
કેશવલાલે અમદાવાદમાં વકીલાતની શરૂઆત કરી ત્યારે તેમના પિતાની હારના કેટલાક અગ્રગણ્ય વકીલો એ ધંધામાં પ્રતિષ્ઠા જમાવીને બેઠા હતા. નાની ઉંમર, દૂબળું શરીર, અને ઠીંગણ કદને કારણે છોકરા જેવા લાગતા કેશવલાલે હિંમત અને શ્રદ્ધાપૂર્વક ધંધાની શરૂઆત કરી. વખત જતાં કેશવલાલ બાહોશ, પ્રમાણિક અને ખંતીલા વકીલ તરીકે દેશી તેમજ પરદેશી ન્યાયાધીશે આગળ પ્રતિષ્ઠા પામ્યા. અમદાવાદના વકીલમંડળમાં પણ તેઓ થોડા વખતમાં જ સૌનાં માન અને પ્રીતિને પાત્ર બન્યા.
કેશવલાલભાઈને સાહિત્યને શેખ નાનપણથી હતું. વિદ્યાર્થીકાળ દરમ્યાન લેખક તરીકે સ્વતંત્ર ધંધો કરવાને તરંગ તેમને આવેલે તેને ઉલ્લેખ પાછળ આવી ગયો. એ વખતે મિત્રોને ઉદ્દેશીને તેમજ અન્ય નિમિત્તે અને છૂટક લેખે, કવિતા અને ગદ્ય-પદ્યાત્મક પત્ર તેમણે લખ્યાં હતાં. મેટ્રિક્યુલેશન સુધીમાં તેમણે રચેલી કૃતિઓ પૈકી ત્રણ ખાસ ધ્યાનપાત્ર છેઃ (૧) “કેઘડાસંગ્રહ' (સં. ૧૯૨૬): જેમાં ગૂંચવણ ભરેલા, સલમબુદ્ધિએ વિચાર કરતાં રમૂજ ઉપજાવે તેવા ગણિતના મૌખિક દાખલા અને સગાઈના અટપટા પ્રશ્નોવાળા ઉખાણ છે. (૨) ટૂંટિયું” નામે નાનકડું ગુજરાતમાં તે વખતે ફેલાયેલા ટૂંટિયાના રોગથી થયેલ હાનિનું વર્ણન કરતું દલપતશૈલીનું કાવ્ય (સં. ૧૯૨૮). (૩) “કજોડા-દુઃખદર્શક નાટક” તેમાં બાળલગ્ન અને કજોડાથી નીવડતા દુઃખદાયી સંસારજીવનનું ચિત્ર છે.
વકીલાતના ધંધામાં પડ્યા પછી પણ તેમની લેખન-પ્રવૃત્તિ ચાલું રહી હતી. સને ૧૮૮૨ માં સંસારસુધારાની ભાવનાથી પ્રેરાઈને તેમણે બુદ્ધિ અને રૂઢિની કથા” રચી. તેમાં યોજેલ રૂપકગ્રંથિ, વર્ણને અને અત્યન્ત રૂઢ, સરળ અને બહુધા શુદ્ધ અને રસભરી ભાષાની સ્વનવલરામ પંડ્યાએ સારી પ્રશંસા કરી હતી.
ઈ. સ. ૧૮૮૨ના મે માસમાં ભારતને સ્થાનિક સ્વરાજ્યને અધિકાર મજે તે પ્રસંગે ગુજરાત વિદ્યાસભાએ (ગુ. વ. સે.) “સ્થાનિક સ્વરાજ્ય વિશે ઈનામી નિબંધ લખાવેલા તેમાં કેશવલાલને નિબંધ સર્વશ્રેષ્ઠ જાહેર થતાં રૂ. ૨૦૦) નું ઈનામ તેમને મળ્યું હતું. એ નિબંધ ગુ. વિ. સ.
Page #144
--------------------------------------------------------------------------
________________
૨
શકે અને થથકાર ૫. ૧૦ તરફથી પુસ્તકાકારે પ્રકટ પણ થયું હતું. ૧૮૯૩ માં તેમણે વિદ્યાસભાને ભજનવ્યવહાર ત્યાં બેટીવ્યવહાર’ નામે નિબંધ લખી આપે, જેમાં તેમણે ભજનવ્યવહાર હોય ત્યાં કન્યાવ્યવહાર કરવાથી સમાજની અભિવૃદ્ધિ થાય છે એમ સિદ્ધ કર્યું છે. ૧૯૦૭ માં તેમણે ગ્લીન બાર્લોકૃત “ઇન્ડસ્ટ્રિયલ ઈન્ડિયા’ નામના અંગ્રેજી પુસ્તકનું હિન્દની ઉદ્યોગસ્થિતિ” એ નામે ગુજરાતી ભાષાંતર પણ વિદ્યાસભાને કરી આપ્યું હતું. આ કૃતિ તેમની સ્વદેશી ઉદ્યોગની ખિલવણી માટેની ધગશના પુરાવારૂપ છે.
ઈ. સ. ૧૮૯૨ ના જાન્યુઆરિમાં કેશવલાલે “પ્રભા” નામે માસિક કાઢેલું. તેના બીજા વર્ષના પાંચ અંક શ્રી શંકરલાલ દ્વારકાંદાસ પરીખ પાસે જોવા મળે છે. તેમાં અંગ્રેજ સંસારની કાદંબરી” “રાજ્ય-પદ્ધતિ “સાતમી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ' “સ્ત્રીઓની સ્વતંત્રતા', ધારાસભાના બંધારણમાં ફેરફાર” “સાંસારિક સ્થિતિનું અવલોકન' વગેરે લેખે તેમણે લખેલા માલુમ પડે છે. એ સામયિકમાં ઈંગ્લડ બેરિસ્ટર થવા ગયેલા (અને પછી ત્યાં જ વર્ષો સુધી પ્રીવી કાઉન્સિલમાં વકીલાત કરીને ૧૯૪૬ માં “કીંઝ કાઉન્સિલની પદ્ધી જેમણે પ્રાપ્ત કરી હતી તે) જેઠાલાલ પરીખના પત્ર—“ઈંગ્લાંડમાં ગયેલા એક તરુણના પત્રો,' એ શીર્ષક નીચે છપાયા હતા. ઈ. સ. ૧૯૦૭ માં “સ્વદેશી ઉદ્યોગને સંદેશ' ગુજરાતભરમાં ફેલાવવાના હેતુએ તેમણે એક બીજું માસિક શરૂ કરેલું, તેમાં તેઓ દેશી કારીગરી, દેશી ઉદ્યોગ, ઔદ્યોગિક સાહસ, ઉદ્યોગી પુરુષોની નરરત્નાવલી, ઉદ્યમભવન, ઉદ્યમસાહસનો સિદ્ધાંતમાળા વગેરે વિશે દેશદાઝની ઊંડી લાગણીથી પ્રેરાયેલું ઉપગી સાહિત્ય મૂકતા ગયા છે.
સંસારસુધારો સ્વ. કેશવલાલના જીવનનું મુખ્ય લક્ષ્ય હતું. તેમનાં લખાણોને પણ એ જ મુખ્ય સૂર છે. નાનપણથી જ તેઓ સુધારક વિચારતા હતા. અમદાવાદના બાળલગ્નનિષેધક મંડળની સ્થાપના તથા સંચાલનમાં સ્વ. કેશવલાલને અગ્રગણ્ય હિસ્સો હતા. સ્વ. કેશવલાલ કૃવની સાથે એ મંડળના તેઓ મંત્રી હતા. આ મંડળના દરેક સભ્ય પિતાના દીકરાને સોળ વર્ષ પહેલાં નહિ પરણાવવાની અને વરકન્યાના વય વચ્ચે પાંચ વર્ષને તફાવત રાખવાની પ્રતિજ્ઞા લેવી પડતી. આ મંડળ પછીથી “ગુજરાત હિંદુ સંસારસુધારા સમાજ' રૂપે ફેરવાઈ ગયું. બાળલગ્નનિષેધ, સ્ત્રીકેળવણી અને નાતવરા તથા વરડાના ખર્ચ ઘટાડવા અંગે લેકમત કેળવવાને કાર્યક્રમ એ મંડળ તરફથી યોજાતે. તદનુસાર
Page #145
--------------------------------------------------------------------------
________________
થકા-ચરિતાલ સ્વ. ગોવર્ધનરામ ત્રિપાઠીના પ્રમુખપદે કેશવલાલે બાળલગ્ન વિશે તા. ૨૬ મી મે ૧૮૮૮ ના રોજ ભાષણ આપ્યું હતું. સ્વજ્ઞાતિસુધારણ અર્થે પણ તેમણે અનેક પ્રયાસો કર્યા હતા. પિતાના નાનાભાઈ જેઠાલાલને ૧૮૯૨ માં વિલાયત બેરિસ્ટર થવા મોકલવાની અને જ્ઞાતિના એકડા બહાર કન્યા આપવાની પહેલ કરીને ખડાયતા જ્ઞાતિમાં સુધારાને જાતે અમલ કરીને તેમણે અન્યને અનુસરવાને માર્ગ ખુલ્લે કરી આપ્યો હતો. કન્યાઓને ઉચ્ચ કેળવણી આપવાની અને કુટુંબની પ્રૌઢ સ્ત્રીઓને ઘેર શિક્ષણ આપવાની ગોઠવણ પણ તેમણે કરી હતી.
અમદાવાદ શહેરની અનેક સંસ્થાઓ સાથે સ્વ. કેશવલાલ સંકળાયેલા હતા. એમના જમાનામાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના જનામાં જૂના સભ્ય તરીકે તેઓ માન પામ્યા હતા. ૧૮૮૫ થી ૧૯૦૭ સુધી તેઓ મ્યુનિ. પાલિટીના ઉપપ્રમુખ હતા. સ્કૂલકમિટિના અધ્યક્ષ તરીકે પણ ઘણાં વર્ષ સુધી તેમણે કામ કર્યું હતું. શહેરમાં પાણીના નળ અને ગટર દાખલ કરવામાં કેશવલાલ રા. બ. રણછોડલાલના જમણા હાથરૂપ હતા. ગુજરાત વૈશ્ય સભા'ની સ્થાપના તથા તેના સંચાલનમાં પણ તેમને મુખ્ય હિસ્સે હતા. ઉપરાંત, ગુજરાત સંભા, ગુજરાત સાહિત્ય સભા, ગુજરાત વિદ્યાસભા, પ્રાણીઓ ઉપર ઘાતકીપણું અટકાવનારી મંડળી, જે. એલ. ન્યુ ઇંગ્લિશ સ્કૂલ ઈત્યાદિ સંસ્થાઓના સક્રિય કાર્યવાહક સભ્ય તરીકે પણ તેમણે - અમદાવાદ શહેરની નોંધપાત્ર સેવા બજાવી હતી.
દેશની ઉન્નતિ સારુ સ્વદેશી ઉદ્યોગની ખિલવણીના સ્વ. કેશવલાલ ખાસ હિમાયતી હતા. અમદાવાદમાં એક નવીન ઉદ્યોગ દાખલ કરવાના ઉદ્દેશથી “અમદાવાદ મેટલ ફેકટરી' નામનું એક કારખાનું સને ૧૮૯૩ માં તેમણે સ્થાપ્યું. એમાં યંત્રથી તાંબાપિત્તળનાં વાસણ બનતાં. ૧૮૯૭ સુધી કારખાનાનું કામ ધમધોકાર ચાલ્યું પણ ૧૮૯૮ માં મરકી ફાટી નીકળી અને ૧૮૯૯ માં દુષ્કાળ પડ્યો, તેની અસર કારખાના પર થઈ. તાંબાપિત્તળના ભાવ ગગડી જતાં કારખાનું બંધ કરવાની ફરજ પડી. લગભગ ૧૯૦૨ સુધી આ સ્થિતિ રહી. દરમ્યાન, કારખાનું પ્રયોગશાળા બની ગયું. કઈ ધાતુને ઉદ્યોગ નફાકારક છે એને ખંતપૂર્વક પ્રયોગ કર્યા પછી તેમણે લોખંડને ઉદ્યોગ ખિલવવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે “સ્વદેશી શાળ કંપની' કાઢી. પણ સંજોગવશાત એ કંપનીનું કામ આગળ ચાલી શકયું નહિ. કંપની આપે તે પહેલાં તો સાત જ દિવસની તાવની ટૂંકી બિમારી ભેળવીને કેશવલાલ તા. ૨૬-૧૨-૧૯૦૭ ના રોજ અવસાન
Page #146
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ચાર પુ. ૧૦ અત્યંત નબળી હતી; છતાં મિલકતની જે કાંઇ વસૂલ કરેલાં નાણાં
પામ્યા. મૃત્યુ વખતે તેમની આર્થિક સ્થિતિ વીલમાં તેમણે એવી સૂચના કરી હતી કે પેાતાની ઊપજ આવે તેમાંથી કંપનીના શૅરહેાલ્ડા પાસેથી કાંઈ પણ ખ'ની રકમ બાદ ર્યો સિવાય પાછાં ભરપાઈ કરી દેવાં. સ્વ॰ કેશવલાલની સાફ વ્યવહારનીતિ અને પ્રમાણિકતાનું આ ઉચ્ચ દૃષ્ટાંત છે. તેમના વારસદારેાએ એમની આ અંતિમ ઇચ્છા અમલમાં મૂકી હતી.
૪
કૃતિનું નામ
૧. કાલડાસ ગ્રહ
કૃતિ
પ્રકાર કે પ્રકાશન-સાલ
વિષય
૧૮૭૦
ગણિતઉખાણા (બી. આ.
૧૮૮૯)
૬. અમદાવાદની
આરાગ્રતા
નાટક
૪. બુદ્ધિ અને રૂઢિની રૂપ'ધિ ૧૮૮૩ . (વાર્તા) ૫. સ્થાનિક સ્વરાજ નિબધ
કા
માન્ય
૧૯૨
૨. હૂંટિયું. ૭. કીડા-દુ:ખદ નાટક ૧૮૭૭ બાળલગ્નનિષેધ
આાગ્ય
વિષચક્ર
પત્રિકા
.
:
૧૮૯૩
૧૮૮૬
૧
૭. ‘અપકૃત્યશાસ’ કારા ૮. ‘હિસ્ટ્રેટ મ્યુનિસિપલ એટ’
૯. ભાજન વ્યવહાર સમાજ
સામ
ત્યાં ત્યા– વ્યવહાર
૧૦. હં'ની ઉદ્યોગ- યોગ ૧૯૦૭ સ્થિતિ
૧૯૯૮
59
પ્રકાશક
૧૮૯૩
યુનિયન પ્રિ॰
પ્રેસ, અમદાવાદ.
19
મૌલિક કે મૂળનું નામ
ભાષાંતર
પત્રિકા’, અમદાવાદ આર્ચાય પ્રેસ,
અમદાવાદ
યુ. વિ. સભા,
અમદાવદ. પેાતે
99
19
મૌલિક
99
99
17
ગુ. વિ. સભા, મૌલિક
અમદાવાદ
ગુ. વિ. સભા, અંગ્રેજી Indstrial અમદાવાદ પથી India
ભાષાંતર
આ ઉપરાંત તેમણે વામનલેાકમાં પ્રવાસ' નામની અગ્રેજી ‘ચુલિવસ ટ્રાવેલ્સ'ની ઢમે કલ્પિત વાર્તા લખવા માંડી હતી. તેનાં છ પ્રકરણો
Page #147
--------------------------------------------------------------------------
________________
મથકાર પિતાવલિ
* શા છપાયેલાં છે. જરદાસની જાન' નામની અપ્રકટ વાર્તાની જાહેરાત પણ જોવામાં આવે છે. એમના ભત્રીજા શ્રી શંકરલાલ દ્વારકાંદાસને ઉદ્દેશીને તેમણે લખેલા છ બોધપત્રો વૈશ્યસભાની પત્રિકામાં પ્રગટ થયા હતા. આ સિવાય રામાયણનું બેધકતત્વ” તથા “આત્મારામની સંસારયાત્રા” નામના બે અધૂરા લેખે પણ જોવા મળે છે. ફાર્બસ સાહેબની સહાયથી દલપતરામે બહાર પાડેલ “ગુજરાત અને કાઠિયાવાડ દેશની વાર્તાઓ' નામના પુસ્તકમાં કેશવલાલે પણ કેટલીક વાર્તાઓ લખી છે. આ ગ્રંથમાં ફરામજી બમનજી નામના ફારસી ગૃહસ્થ અંગ્રેજી ઢબે વાર્તાઓનું સંજન કર્યું છે. એમાં પ્રતીત થતી શુદ્ધ ગુજરાતી ભાષા અને લખનારની વિદ્વત્તા અને રસિકતાનું કારણ સ્વ. ડાહ્યાભાઈ દેરાસરીએ “સાઠીના સાહિત્યમાં એમ કહીને બતાવ્યું છે કે “એમાંની કેટલીક વાત જાણુતા ગુજરાતી લખનાર સ્વ. કેશવલાલ મોતીલાલ વકીલની છે.”
અભ્યાસ-સામગ્રી ૧. જુલાઈ, ૧૯૨૦ના બુદ્ધિપ્રકાશ'માં પ્રકટ થયેલા શ્રી શંકરલાલ દ્વારકાદાસ પરીખને લેખ,
૨. ગુજરાત વર્નાકયુલર સોસાયટીને ઈતિહાસ” વિભાગ બીજો ૩. ડાહ્યાભાઈ દેરાસરી કૃત “સાઠીના સાહિત્યનું દિગદર્શન', ૪. મ. ન. દ્વિવેદી કૃત ‘સુદન ગવાવલિ' પૃ. ૮૯૫, ૯૧૦
Page #148
--------------------------------------------------------------------------
________________
કેશવલાલ હરિરામ ભટ્ટ “કેશવકૃતિ'ના કર્તા તરીકે જાણીતા સ્વ. કેશવલાલ હરિરામને જન્મ વિ. સં. ૧૯૦૭માં તેમના વતન મોરબીમાં થયો હતો. પિતાનું નામ હરિરામ વ્રજનાથ અને માતાનું નામ ઝવેરકુંવર હતું. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર. તેમનાં લગ્ન સં. ૧૯૨૬માં મેંઘીકુંવર વેરે થયાં હતાં. સં. ૧૯૪૭ માં મેંઘીકુંવરનું અવસાન થતાં સં. ૧૯૪૫માં તેઓ ફરી પરણ્યા. તેમનાં બીજાં પત્નીનું નામ મણિકુંવર હતું. તે કેશવલાલના મૃત્યુના થોડા માસ અગાઉ ગુજરી ગયાં હતાં.
કેશવલાલભાઈએ આરંભનાં અગિયાર વર્ષ મોરબીમાં કેવળ બાળરમતમાં જ પસાર કર્યા હતાં. સં. ૧૯૧૮ માં તેઓ તેમના મોસાળ પોરબંદરમાં આવ્યા. ત્યાંના વિખ્યાત પંડિત જયકૃષ્ણ વ્યાસ તેમના મામા થાય. અહીં તેમણે સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો. સં. ૧૯૨૪માં તેઓ મામા શ્રી જયકૃષ્ણ વ્યાસ સાથે મુંબઈ ગયા ત્યારે “શ્રીમદ્દ ભાગવત'ના અભ્યાસ સુધી પહોંચ્યા હતા. મુંબઈના વિશાળ પ્રદેશના અવલોકન અને જનસંસર્ગથી કેશવલાલભાઈનાં બુદ્ધિ અને હૃદયને વિકાસ થયો, એટલે તેમનામાં ઊંડું મનન અને નિરીક્ષણ કરવાની શક્તિ ખીલી.
એક વર્ષ મુંબઈમાં ગાળીને મોરબી આવ્યા ત્યારે તેમને ગુજરાતીને અભ્યાસ કરવાની ઈચ્છા થઈ. સં. ૧૯૨૫ માં ૧૮ વર્ષની ઉંમરે કેશવલાલ ગુજરાતી ત્રીજા ધોરણમાં દાખલ થયા. સ્વેચ્છાએ શરૂ કરેલા આ અભ્યાસમાં કેશવલાલે “પિતાની બુદ્ધિનો ખરો ચળકાટ” બતાવ્યું. ચાર જ માસમાં તેમણે ત્રીજા ધોરણથી માંડીને એકાદ બે અંગ્રેજી ધોરણ ઉપરાંત ટ્રેનિંગ કૅલેજના પ્રવેશક સુધીનો અભ્યાસ તૈયાર કરી લીધે ! કેશવલાલની ઈચ્છા ટ્રેનિંગ કોલેજમાં જવાની હતી, પણ પિતાની નામરજી હેવાથી તેમ નહિ કરતાં તેમણે મેરી મહાલના એક ગામડામાં મહેતાજીની ૧૨ કે ૧૩ રૂપિયાના માસિક દરમાયાની નોકરી સ્વીકારી, પણ તબિયત બગડતાં એક માસમાં જ તે નોકરી તેમને છોડવી પડી. તબિયત સુધર્યા પછી સરકારી નેકરી કરવાનો વિચાર હમેશ માટે માંડી વાળીને કેશવલાલ પુનઃ સંસ્કૃત ભાષા-સાહિત્યને અભ્યાસ શરૂ કર્યો. તે વખતમાં શીઘ્ર કવિ તરીકે જાણીતા શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરના સહવાસથી બે વર્ષમાં જ કેશવલાલની કવિત્વશક્તિ ઉત્તેજાઈ. એટલામાં માતાપિતાનું અવસાન થતાં કેઈ નિશ્ચિત વ્યવસાય શેધવામાં તેમને ધ્યાન પરોવવું પડ્યું. આ અરસામાં મુંબઈમાં
Page #149
--------------------------------------------------------------------------
________________
પ્રથા-ચરિતાવવિભ
તેમના મામા વૈદરાજ પ્રભુરામ જીવનરામના હાથ નીચે સ્થપાયેલી દ્વેદધર્માંસલા'માં એક સારા પ્રમાણિક માણસની જરૂર પડી. સ. ૧૯૨૯ માં કેશવલાલને મામાએ એ જગ્યા પર નિયુક્ત કર્યાં. કેશવલાલને જીવનકાર્ય મળી ગયું. યશ કે ધનની લાલસા વિના નિઃસ્પૃહપણે જીવનભર—એટલે કે લગભગ ૨૩ વર્ષ સુધી સતત—કેશવલાલે વેધમ સભાની ઉન્નતિ માટે એકધારું નિષ્ઠાપૂર્વક કામ કર્યુ.
80
"
વિ. સં. ૧૯૨૬ (ઈ. સ. ૧૮૭૦)ના અરસામાં સમગ્ર પશ્ચિમ ભારતમાં પ્રાચીન સંસ્કારનું ઉચ્છેદન કરવા ઇચ્છતા પાશ્ચાત્ય સુધારે ચોમેર પેાતાનું વસ્ત્ર પાડી રહ્યો હતો. તે વખતે કેટલાક સ્વધર્મ પ્રેમી અને સ્વદેશહિતૈષો સજ્જનેાએ તેને ખાળીને પ્રાચીન આ ધમ અને સંસ્કૃતિના પુનરુજ્જીવન સારુ પ્રયાસે કર્યાં હતા તે હકીકત સુપ્રસિદ્ધ છે. આ પ્રયાસેામાં સ્વામી દયાનંદ સરસ્વતીને ‘આ`સમાજ' સૌથી વિશેષ નોંધપાત્ર છે. મુંબઈમાં ‘આ સમાજ'ની સ્થાપના થઇ તે પહેલાં ઘેાડાક સ્વધર્મોભિમાની ગૃહસ્થાના પ્રયાસથી · વેક્તશ્રવણુ ' નામની એક સભા સ્થપાઇ હતી. તેમાં દર રવિવારે પંડિત જયકૃષ્ણ જીવનરામ વ્યાસ વેદાન્તનુ પ્રવચન કરતા. સભા તરફથી, આ ધર્મોનું મહત્ત્વ લેાકામાં પ્રચલિત થાય તે હેતુએ, ‘હૃદયચક્ષુ' નામે માસિક પત્ર નીકળતું હતું. ઘેાડા વખત પછી સભાને મૂર્તિપૂજા સંબંધે સ્વામી ધ્યાન સાથે મતભેદ પડયા. તેથી તેને મળતું પાષણુ અનેક રીતે ઓછું થઇ ગયું. આ વખતે કેશવલાલભાઈના મામા વૈદ્યરાજ પ્રભુરામના ઉદાર આશ્રયથી એ સભા ટકી રહી, અને કાયમ દેખરેખ રાખીને સભાની પ્રવૃત્તિઓને બરાબર ચલાવે તેવા નિષ્ઠાવાન મણુસ તરીકે કેશવલાલની પસંદગી થઈ. સલાનું નામ વેધ સભા' પડયુ. અને તેનું મુખ્ય પત્ર 'આર્યધર્મ પ્રકાશ' થયું. કેશવલાલ આર્યધર્મપ્રકાશ'ના તંત્રી થયા.
વેધમ અને વેધ સભાના ઉત્કૃષ્ટ એ કેશવલાલભાઈએ ઈશ્વરપ્રીત્ય સ્વીકારેલું કામ હતું. 'આધપ્રકાશ'માં તેમણે વ્યવહારના અવલાકન અને આધ્યાત્મિક ચિંતનના પરિપાક રૂપે અનેક લેખા લખ્યા હતા. તે ઉપરાંત ‘શ્રીમદ્ ભાગવત', દેવી ભાગવત', ભગવદ્ ગીતા', યેાગવાસિષ્ઠ, આદિ સૌંસ્કૃત ધર્માંત્ર ંથેના અનુવાદ પાતે કરીને આય ધપ્રકાશ' માં હપ્તે હપ્તે છાપતા હતા. શંકરાચાય`પ્રણીત ‘ચપટ૫રિકા' તથા ' મણિરત્નમાળા' 'ઉપર પાતે ગુજરાતીમાં ટીકા કરીને બન્નેને
Page #150
--------------------------------------------------------------------------
________________
૧ અને ગ્રંથકાર : ૧૦ તેમણે “આર્યધર્મપ્રકાશ માં પ્રકટ કર્યા હતાં. સ્ત્રીશિક્ષણ અર્થે “અનસયાભ્યદય ભગવતીભાગ્યોદય “સાવિત્રીચરિત્ર' અને “ચંદ્રપ્રભાચરિત્રનાં ભાષાંતરો પણ તેમણે ક્યાં હતાં. આ બધાં ભાષાંતરે પાછળથી ગ્રંથાકારે પ્રગટ થયાનું તેમના ચરિત્રકાર સ્વ. પ્રભાશંકર પટ્ટણી કહે છે, પરંતુ તેમાનું એકે અત્યારે પ્રાપ્ય નથી.
આમ, વેદધર્મસભા” તથા “આર્યધર્મપ્રકાશ દ્વારા કેશવલાલભાઈએ ગુજરાતી સમાજને ધર્મશિક્ષણ આપવાનું કાર્ય નિષ્ઠાપૂર્વક બજાવ્યું હતું. પરંતુ તેમની સૌથી મોટી સેવા તે ગુજરાતી સમાજને ઉપર્યુક્ત નિમિત્તે આપેલી કવિતા છે. અર્વાચીન યુગની પ્રથમ પેઢીના ગુજરાતી કવિઓમાં તેમનું સ્થાન છે. ઈશ્વરભક્તિ તેમના વ્યક્તિત્વને સૌથી આગળ પડતું અંશ છે. તેથી તેમની કવિતાને પ્રાણ પણ ભક્તિ જ છે. ઈશ્વરપરાયણ દષ્ટિએ જગતનું બાહ્ય તેમજ આધ્યાત્મિક અવલોકન કરીને તેમાંથી મળતા અનુભવ ઘણીવાર બોધરૂપે પિતાને તેમજ પોતાના મનુષ્યબંધુને ઉદ્દેશીને તેઓ ગાય છે.
કેશવલાલભાઈનાં કાવ્યો મુખ્યત્વે વૈરાગ્ય, ઈશ્વરસ્તુતિ, આધ્યાત્મિક વિચાર, વ્યવહારબોધક અને સ્ત્રીઓનો પગી એમ પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યાં છે. લગભગ ૫૦૦ પાનાંના એમના દળદાર કાવ્યસંગ્રહમાં કવિહૃદયની આદ્રતા, સહૃદયતા અને ઉચ્ચગામિતા પ્રતીત થયા વિના રહેતી નથી. “દલપતરીતિની સફાઈ તથા અર્થચાતુર્ય એમનાં કાવ્યોમાં સર્વત્ર જોવા મળે છે.” વર્ણમાધુર્ય અને અર્થસૌન્દર્યને મેળ તેમની કવિતામાં અનાયાસે સધાયેલો જોવા મળે છે. સાદી અને તળપદી ભાષાને ઉપયોગ કાવ્યને સચોટ અને સુગ્રાહ્ય બનાવે છે. અર્વાચીન ગુજરાતી કવિતાને સુંદર પદસ્વરૂપનાં ભજને આપનાર ભોળાનાથ સારાભાઈ, હરિ હર્ષદ ધ્રુવ આદિ કવિઓ સાથે કેશવલાલ હરિરામનું સ્થાન નિશ્ચિત છે.
તિઓ પ્રકાર પ્રકાશન સાવ પ્રકાશક મૌશિકે અનુવાદ કેશવકૃતિ
પ્રભાશંકર મૌલિક (બીજી આવૃત્તિ) ૪. પટ્ટણી
અભ્યાસ-સામગ્રી ૧. “કેશવકૃતિનો પુરાલેખઃ સ્વ. પ્રભાશંકર પટ્ટણીલિખિત કેશવલાલનું જીવનચરિત્ર.
(બીજી આવૃત્તિ) ૨. “સુંદરમ' : "અર્વાચીન કવિતા', પૃ. ૬૯-૭૦
૧ જુઓ શિવકતિ : (બી. આઇ.), પુરાલેખ, ૫૦ ૨૭
કાયસંગ્રહ
૧૯૭૯
Page #151
--------------------------------------------------------------------------
________________
ખુશાલરાય સારાભાઈ
અમદાવાદના વતની અને જ્ઞાતિએ સાઠેદરા નાગર એવા આ લેખકની જન્મ તારીખ પ્રાપ્ય નથી. અમદાવાદમાં એમના વખતમાં તાછ સ્થપાયેલી ગુજરાત વિદ્યાસભા (એ વખતની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી) એ તે જમાનામાં વિદ્યાબંધનું કાર્ય એક તરફ જેમ શાળાઓ સ્થાપીને કર્યું હતું તેમ બીજી તરફ ઈનામો આપીને, પુસ્તક રચાવીને, સાહિત્ય પ્રત્યે લેકચિ કેળવવાનું કામ કર્યું હતું. વિદ્યાસભાની બીજા પ્રકારની પ્રવૃત્તિઓ અનેક લૅખકને પિતાના લેક સુધારણાના વિચારે પ્રદર્શિત કરવાની તક આપી હતી. ખુશાલરાય સારાભાઈ એમાંના એક હતા.
ર. સા. ભેગીલાલ પ્રાણવલ્લભદાસને તેઓ ગુરુ તરીકે માનતા. સર્વેયર તરીકે તેઓ પંચમહાલ જિલ્લામાં નોકરી કરતા હતા. “ડાકણુ” વિશે તેમણે ઈનામી નિબંધ લખ્યો હતો. ગોધરાની ડાકણે પ્રસિહ હોવાનું મનાય છે. તેમણે જાતે ફરીને તપાસ કરીને ગોધરા વિશેની આ માન્યતાનું કારણ શોધી કાઢીને તેના ખુલાસા પ્રસ્તુત નિબંધમાં આપ્યા છે. વહેમી લોકસમાજમાં ડાકણ વિશે પ્રચલિત બ્રાન્તિ દૂર કરવાને તેમણે સારે પ્રયત્ન કર્યો છે. પિતાના લેખન પાછળને સુધારાને ઉદ્દેશ સમજાવતાં ખુશાલરાય કહે છે કે,
કાકણપણું એ પણ એ વહેમની શાખા છે, એવું મારા શુભેચ્છક ગુએ (રા. સા. ભોગીલાલભાઈએ) મને કહેલું, તે વચન ઉપર મને સંપૂર્ણ આસ્તા હતી; માટે મેં હિંમત રાખીને તપાસ કરવા માંડયો. ત્યારે તો જૂઠું ચાલ્યું છે, એમ માલુમ પડવા માંડયું. તેથી અધિક શોધ કરવા મને હિંમત વધી, ને શોધ કરતાં મારા ગુરુએ કહેલું તે પ્રમાણે મારી ખાતરી થઈ, ત્યારે મારા મનમાં ઘણી દયા ઉત્પન્ન થઈ કે, અરેરે ! બિચારી નિરઅપરાધી અને માથે નાદાન લોકેએ પ્રાચીન કાળથી " કે અઘટિત દોષ લાગુ કર્યો છે, ને તેથી તેમને તથા બીજા લેકોને કેટલું બધું દુઃખ છે? ને તે દુ:ખ દુર કરવા મારી શક્તિ તે પહોંચી નથી; પણ જેવું હું સમજ્યો તેવું ઘણું લેકેના સમજ્યામાં આવે તો, એ વહેમ ધીરે ધીરે કમી થતો જાય ને આગળ ઊપર કઈ વખતે પણ
૧ રુ, વ. સે.
ઈતિહાસ, વિ. ૧, પૃ. ૬૩,
Page #152
--------------------------------------------------------------------------
________________
થશે અને પ્રકાર ૫. ૧૦ .
એ દુઃખ દૂર થાય, ને મારા સ્વદેશિને સુધારે થાય એમ સમજીને જેવું મને માલુમ પડેલું તેવું આ ગ્રંથ દ્વારે વિદિત કર્યું છે.”
કવિ દલપતરામના ભૂતનિબંધ' એટલે આ નિબંધ પ્રખ્યાત થયે નથી, છતાં ગુજરાતી હિંદુ સમાજમાંથી દંભને વહેમને પ્રતીકાર : કરનારા શરૂઆતના સુધારામાં આ લેખકનું નામ ગણના પામે તેવી એના લખાણની ગુણવત્તા છે.
૧. ડાકણ વિશે નિબંધ નિબંધ ૧૮૫૪ રા. વિ. સ. અમદાવાદ
અભ્યાસ-સામગ્રી ગુજરાત વર્નાકયુલર સોસાયટીને ઈતિહાસ, વિ. ૧, પૃ. ૬ - ૬૩.
૧ “ડાણ વિશે નિબંધ પૂ. ૪૬
Page #153
--------------------------------------------------------------------------
________________
ગોપાળરાવ હરિ દેશમુખ અમદાવાદમાં બાર વર્ષ રહીને ગુજરાત અને ગુજરાતી ભાષાને પિતાનાં કરી લેનાર આ દક્ષિણ સજજનને જન્મ સને ૧૮૨૩ના ફેબ્રુઆરિની ૧૮ મી તારીખે થયો હતો. તેઓ પૂનાના ચિત્તપાવન બ્રાહ્મણ હતા. પ્રાથમિક અભ્યાસ પૂરો કરીને ૧૮૪૧માં તેઓ અંગ્રેજી શાળામાં દાખલ થયા. શાળામાં અંગ્રેજીના ઉત્તમ વિદ્યાર્થી તરીકે તેમને સારી નામના મળી હતી. ઈ. સ. ૧૮૪૬માં તેમણે મુનસફની પરીક્ષા પસાર કરી. દક્ષિણના સરદારના એજ ટની ઓફિસમાં સામાન્ય કારકૂનના પદેથી તેઓ પોતાની બુદ્ધિચાલાકીને બળે ૧૮૫રમાં શિરસ્તેદારની પદ્ધી પામ્યા હતા. પછી તેઓ સમરી સેટલમેન્ટ ઓફિસરના હોદા પર નિમાયેલા. સને ૧૮૬૨માં “ઈનામ કમિશન'માં તેમણે સરકારની ઉત્તમ સેવા બજાવી હતી; પણ પૂના તથા દક્ષિણના બીજા ભાગના ઈનામદારો-ખાસ કરીને બ્રાહ્મણોતેમનાથી અસંતુષ્ટ થયા હતા. ઈ. સ. ૧૮૬૩માં તેમને સરકારે સિવિલ સર્વિસમાં દાખલ કરીને અમદાવાદના આસિ. જજને હેદો આપો. પણ તે નિમણૂંક સામે ગોરા સિવિલયનેએ વિરોધ ઉઠાવતાં તેમને મુંબઈની સ્પેલ કોઝ કોર્ટના જજજની જગ્યા મળી. ૧૮૬૭માં તેઓ અમદાવાદની સ્પેલ કોઝ કોર્ટના ન્યાયાધીશ તરીકે આવ્યા અને ત્યાં લાંબે સમય રહ્યા.
એકંદર બાર વરસના અમદાવાદનિવાસ દરમ્યાન ગોપાળરાવે સરકારી કામ કરવા ઉપરાંત શહેરની અનેક સંસ્કાર-પ્રવૃત્તિઓમાં રસ લીધે હતે. ૧૮૭રમાં તેમને ગુ. વ. સે.ના ઓનરરી સેક્રેટરી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ઉપરાંત હિમાભાઈ ઈન્સ્ટિટ્યુટના પ્રમુખ, શેઠાણી કન્યાશાળાના સેક્રેટરી, બાળલગ્નનિષેધક મંડળીના પ્રમુખ, દેશી ઉદ્યમવર્ધક મંડળના સ્થાપક, પ્રાર્થનાસમાજના ઉપાધ્યક્ષ, ને બંગાળા દુકાળ અને અમદાવાદ રેલ રીલીફ ફંડ કમિટિના સેક્રેટરી તરીકે–એમ વિવિધ રીતે તેમણે સુંદર સમાજસેવા બજાવી હતી.
વિદ્યાવૃદ્ધિનું કાર્ય પણ ગોપાળરાવે એટલી જ ઊલટથી બજાવ્યું હતું. તેમને પ્રાચીન લેખ અને સિક્કાઓને ઘણો શોખ હતો. તેને અંગે મરાઠી અને અંગ્રેજી ઉપરાંત ફારસી, ઉર્દી અને ગુજરાતી ભાષાઓને તેમણે સારો પરિચય કેળવ્યો હતો. ગુજરાતી ભાષા તેઓ માતૃભાષાના
Page #154
--------------------------------------------------------------------------
________________
જર
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦
જેટલી સરળતાથી ખેાલી શકતા હતા એમ સ્વ॰ નરસિંહરાવના અભિપ્રાય છે. ‘ બુદ્ધિપ્રકાશ ’માં તેમણે ગુજરાતના ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ વગેરે વિષયેા પર પુષ્કળ લેખેા લખેલા છે, જે એમની બહુશ્રુતતાના પુરાવારૂપ છે. ‘ ઈંદુપ્રકાશ ’ અને ‘ જ્ઞાનપ્રકાશ ’ નામે મરાઠી વૃત્તપત્રો અને હિતેચ્છુ ' નામના ગુજરાતી પત્રને તેમની સારી ઑથ હતી. · લેાક
·
›
?
.
હિતવાદી ' ઉપનામથી તેઓ લખતા. ‘ આગમપ્રકાશ ' અને નિગમપ્રકાશ' નામનાં એ પુસ્તકા પ્રથમ તેમણે ગુજરાતીમાં લખ્યાં હતાં, જેનું પાછળથી તેમણે મરાઠી ભાષાંતર કર્યુ` હતું. ઐતિહાસિક ગષ્ટિ' એ નામથી તેમણે મહારાષ્ટ્ર તથા ગુજરાતના ઇતિહાસને લગતાં એ પુસ્તકા મરાઠીમાં રચ્યાં હતાં, જેની હળવી કથાત્મક શૈલી આજે પણ માહિતી સાથે રસ અને રમૂજ પીરસે તેવી છે.
ગેાપાળરાવતી વિદ્યાપ્રીતિ એવી હતી કે એકવાર તેમણે પેાતાના તરફથી ૫૦૦૦ પુસ્તકેાની લહાણી કરી હતી. એ કહેતાઃ “એક વાર લાકામાં વાચનની રુચિ ઉત્પન્ન કરેા, એટલે પછી તે સારા કે નરસા ગ્રંથાની ક`મત સમજશે. ” આમ, વિદ્યાવૃદ્ધિ અને દેશેાન્નતિના હરેક કામમાં અમદાવાદના તત્કાલીન અગ્રણીઓની સાથે રહીને ગેાપાળરાવે નોંધપાત્ર કાર્ય કર્યું હતું. સ્વ॰ નરસિંહરાવે તેમનું સ્મૃતિચિત્ર દ્વારતાં સાચું જ કહ્યું છે. “ તે સમયમાં અમદાવાદના નગરજીવન, સમાજજીવન, ઇત્યાદિમાં ચેતનાનું અસાધારણ બળ હતું; એ ખળને પ્રેરનાર, વધારનાર મ`ડળમાં અગ્રસ્થાન ગેાપાળરાવનુ હતુ. ''૧ દેશી કારીગરીને ઉત્તેજન આપવાનું કામ પણ એમને ધણું પ્રિય હતું; અમદાવાદથી તેમણે વિદાય લીધી ત્યારે તેમનુ સ્મારક ફંડ એકઠું કરવામાં આવ્યું હતું. દેશી કારીગરી કે હુન્નરને ઉત્તેજન આપવામાં તેનું વ્યાજ ખર્ચાય તે ઉદ્દેશથી ગુ. વ. સે.ને એ ફ્રેંડ સાંપવામાં આવ્યું હતું. સરકારે પણ તેમના કામની કદર રાવબહાદુર' ‘ સરદાર ' અને ‘ જસ્ટીસ ઑફ પીસ'ના લકામા આપીને કરી હતી. મરાઠી સાહિત્યમાં ‘લાકહિતવાદી ' પ્રતિષ્ઠિત સ્થાન પામ્યા છે. પૂનાની ડેક્કન વર્નાકયુલર ટ્રાન્સ્લેશન સેાસાયટી 'એ ઇ. સ. ૧૯૨૩માં તેમની શતાબ્દી નિમિત્તે ગેાપાળરાવના જીવન અને સાહિત્ય વિશે. ઇનામી નિબંધ લખાવીને પ્રસિદ્ધ કર્યાં હતા. ઇ. સ. ૧૮૯૨ના આકટોબરની ૯મી તારીખે આ નિરભિમાની લેાકહિતૈષી વિદ્વાન તાવની સહેજ બિમારી ભોગવીને અવસાન પામ્યા.
:
'
૧ ‘સ્મરણમુકુર' પૂ. પર
Page #155
--------------------------------------------------------------------------
________________
થચાર-સરિતાલિ
કૃતિનુ નામ ૧. આગમપ્રકાશ
૨. નિગમપ્રકારા
૩.-૪. ઐતિહાસિક મરાઠી
ગાષ્ટિ ભાગ ૧-૨
૫. લેા હિતવાદીકૃત નિમ ધસ ગ્રહ
ભાષા
વિષય
પ્રકાશનસાલ
ગુજરાતી તત્ર ચમલ આદિ ૧૮૭૪
વામમાર્ગોનાં રહસ્યાની
સમજૂતી
વેદ, સૂત્ર, સ્મૃતિ,પુરાણ ૧૮૭૪
ઇ, પર સમજૂતી
ઇતિહાસની
99
કૃતિ
39
અભ્યાસ-સામગ્રી
( ગુજરાતી )
૧૮૦૦
વાર્તાએ
વિવિધ સામાજિક અને ૧૮૮૬ ધાર્મિક વિષયા
૧. મહાજમ’ડળ; પૃ. ૯૭-૯૮૨.
૨. ગુ. વ. સા.ના ઇતિહાસ; વિભાગ ૧, પૃ. ૨૩૭–૨૪,
૩. સ્મરણુમુકુર, પૃ. ૪૭—૫૫.
૪. ‘ બુદ્ધિપ્રકાશ’ એપ્રિલ ૧૮૭૭, પૃ. ૮૧-૯૩.
(મરાઠી )
પ્રકાશક સમશેર બહાર પ્રેસ–અમદાવાદ
39
નાશિક વૃત્ત
નાશિક
"
વૃત્તવૈભવ
છાપખાનું, અહમદનગર
૫. લેાકહિતવાદી સરદાર ગેાપાળરાવ હરિ દેશમુખ; લે. ગણેશ હરિ કેળકર. ૬. લેાકહિતવાદીચી શતપત્રે; સ. શ્રીપાદ રામચદ્ર ટિક્રેકર.
Page #156
--------------------------------------------------------------------------
________________
ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક સ્વ. ઝવેરીલાલભાઈને જન્મ તેમના વતન નડિયાદમાં વડનગર નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં ઈ. સ. ૧૮૩૬ ના એપ્રિલ માસમાં થયો હતે. તેમના પિતા ઉમિયાશંકર સરકારી નોકરીમાં સ્વબુદ્ધિબળથી કારકૂનની પાયરીથી મામલતદારની પદવી સુધી પહોંચ્યા હતા.
ઝવેરીલાલે અભ્યાસની શરૂઆત તેમના મોસાળ અમદાવાદમાં ગામઠી નિશાળમાં કરી હતી. પ્રાથમિક શિક્ષણ ત્યાં પૂરું કરીને પછી તેઓ અમદાવાદની અંગ્રેજી શાળામાં દાખલ થયા, જ્યાં તે વખતના સુપ્રસિદ્ધ - શિક્ષક ભોગીલાલ પ્રાણવલ્લભદાસની પાસે ભણવાને તેમને લાભ મળે હતે. સત્તર વર્ષની ઉંમરે તેઓ ઉચ્ચ અભ્યાસ સારુ મુંબઈ ગયા અને ત્યાં એલિફન્સ્ટન ઇન્સ્ટિટ્યુશનમાં દાખલ થયા. અંકગણિત, બીજગણિત, ભૂમિતિ વગેરે વિષયે તેમણે અગાઉથી જ તૈયાર કરેલા હોવાથી તેમને કેન્ટિડેટ કલાસમાં પ્રવેશ મળ્યો. અહીં પણ અભ્યાસમાં તેમણે એવી સુંદર શક્તિ બતાવી કે એ સંસ્થાની વેસ્ટ અને નોર્મલ ઑલરશીપ તેમને મળી. એ વખતે તેમના સહાધ્યાયીઓમાં ઍ. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર, દાદાભાઈ નવરોજજી અને બાળ મંગેશ વાગલે જેવી સુપ્રસિદ્ધ વ્યક્તિઓ હતી.
ઈ. સ. ૧૮૫૬માં ઝવેરીલાલને એલિફ ઇન્સ્ટિન માં શિક્ષકની જગા મળી, પણ શિક્ષકને ધંધે તેમને રુચ નહિ હોવાથી મુંબઈની ગ્રોફિકલ સોસાયટીના સેક્રેટરી અને “બોમ્બે ટાઈમ્સ” પત્રના અધિપતિ ડોકટર
બ્યુસટ પરને તેમના શિક્ષક અરદેશર ફરામજી મૂસના ભલામણપત્ર દ્વારા તેને ત્યાં તેઓ ચાળીસ રૂપિયાના માસિક પગારથી કારકૂન તરીકે રહ્યા. એટલામાં એલિફ ઈન્સ્ટિ૦ માં દેશી ભાષાઓમાંથી અંગ્રેજીનો તરજૂ કરવાનું શિક્ષણ બરાબર અપાતું નથી એમ સરકારને લાગવાથી એ સંસ્થામાં ગુજરાતી માંથી અંગ્રેજીમાં તરજૂ કરવાનું શીખવવા સારુ ઝવેરીલાલભાઈની અને મરાઠી સારુ ડૉ. ભાંડારકરની સરકારે નિમણુંક કરી. પછી ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ. તેની પહેલી જ મૅટ્રિક્યુલેશન પરીક્ષામાં ઝવેરીલાલ બેઠા અને તેમાં પાસ થયા.
થોડે વખત શિક્ષકની નોકરી કર્યા પછી ઝવેરીલાલે કાપડ તથા રૂને વેપાર કર્યો, તેમાં તેમને સારી કમાણી થઈ પછી સટ્ટામાં નુકસાન પણ વેઠવું પડયું. પછી ઘણોખરો વખત તેમણે જુદાં જુદાં દેશી રાજ્યના એજન્ટ તરીકે મુંબઈમાં કામ કર્યું હતું.
Page #157
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-શરિતાવલિ
એ જમાનામાં મુંબઈ શહેરના શેરીફ તરીકે, યુનિવર્સિટીના ફેલો તરીકે, મુંબઈ સરકારની કાઉન્સિલના સભ્ય તરીકે અને મહેસૂલી ખાતાના નિષ્ણાત તરીકે ઝવેરીલાલભાઈએ ધપાત્ર લોકસેવા બજાવી હતી.
સાહિત્યક્ષેત્રે તેમણે “મનુસ્મૃતિ' તથા “શાકુંતલ'ના પ્રથમ પહેલા ગુજરાતી અનુવાદ આપીને પિતાને ફાળો નોંધાવ્યો છે. મનઃસુખરામ ત્રિપાઠી અને તેમની સંસ્કૃતમય શૈલીના ઝવેરીલાલ વિરોધી હતા. તેમણે કરેલું “અભિજ્ઞાન શાકુંતલ'નું ભાષાંતર અનેક ભૂલવાળું હોવા છતાં એકંદરે સરળ અને રસગ્રાહી છે, તરજુમાની સાથે છંદની સમજુતી, રસાદિવિષયક ટીકા અને અઘરા શબ્દોના અર્થ જોડીને તેમણે સામાન્ય વાચકને માટે ભાષાંતરને ઉપયોગી બનાવવાનો હેતુ ઠીક પાર પાડ્યો છે. પં. ભગવાનલાલ ઈન્દ્રજી તથા તે વખતે સંન્યસ્તાશ્રમમાં રહેલા ભાવનગરના બાહોશ દિવાન ગૌરીશંકર ઉદયશંકર ઓઝાનાં જીવન-ચરિત્ર તેમણે અંગ્રેજીમાં લખ્યાં છે. તેમણે એમાં આપેલી માહિતીને ઉપગ પાછળથી ગૌરીશંકર ઓઝાનું મોટું ચરિત્ર લખવામાં થયો હતો, એટલું જ નહિ, પિતે ઉપયોગ નહિ કરી શકેલ જીવનસામગ્રીને વ્યવસ્થિત કરવામાં તેમણે એમના પુત્રોને પણ કીમતી મદદ કરી હતી.
કૃતિઓ કૃતિનું નામ પ્રકાશનસાલ પ્રકાશક અનુવાદ કે મૌલિક ૧. અભિજ્ઞાન શાકુંતલ ૧૮૧૭ નાનાભાઈ રુસ્તમજી સંસ્કૃતનો અનુવાદ
રાણીનાઃ યુનિયન
પ્રસ, મુંબઈ ૨. મનુસ્મૃતિ 9. Gaorishanker : ૧૮૯૯ એજ્યુકેશન સેસાયટી મૌલિક Udayashanker C. S. I.
પ્રેસ, મુંબઈ ૪. Pandit Bhagawanlal ?
Indraji ઉપરાંત, નાનાભાઈ રુસ્તમજી રાણીના તથા અરદેશર ફરામજી મૂસે તૈયાર કરેલા અંગ્રેજી-ગુજરાતી દેશની બીજી આવૃત્તિ તૈયાર કરવામાં તેમણે મદદ કરી હતી..
અભ્યાસ૧. મહાજન-મંડળ; પૃ. ૯૭૦-૯૭૨. ૨. “સત્યવક્તાની ગુર્જર અગ્રેસર ચિત્રાવલિ, ક્રમાંક ૧૨ ૩. મરણમુકર ( ન. . દીવેટિયા ); પૃ. ૧૪૩–૧૪૭ ૪. કાવ્યતત્વવિચાર' (આ. બા, મુવ); ૫. ૧૬–૧૭૭.
મ
જે
Page #158
--------------------------------------------------------------------------
________________
દલપતરામ ડાહ્યાભાઈ કવિ - દલપતરામને જન્મ ઈ. સ. ૧૮૨૦ ના જાન્યુઆરિની ૨૪મી તારીખે તેમના વતન વઢવાણ શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ ડાહ્યાભાઈ અને માતાનું નામ અમૃતબા હતું. દલપતરામની મૂળ અટક ત્રિવેદી; પણ જેમ કવિના ધંધાને કારણે દલપતરામ “કવીશ્વર' કહેવાયા હતા તેમ તેમના પિતા કર્મકાંડના વ્યવસાયને લીધે “ડાહ્યા વેદિયા' તરીકે વઢવાણમાં જાણીતા હતા.
બાળ દલપતે ભણવાની શરૂઆત પિતાની યજ્ઞશાળામાં કરી હતી. એક પાટલા પર છાણ-માટી લીપીને ડાહ્યાભાઈએ મૂળાક્ષરો કેતરી આપ્યા અને અગ્નિહોત્રના સાન્નિધ્યમાં જ આઠ વર્ષના દલપતરામે દેવનાગરી મૂળાક્ષર ને બારાખડી શીખીને સંસ્કૃત શ્લેક મુખે કરી લીધા.
નવ વર્ષની વયે દલપતરામને માવજી પંડયાની ધૂળી નિશાળે મૂકવામાં આવ્યા. ત્યાં બે અઢી વરસના ગાળામાં “કક્કો કેવડિય ને ખખે. ખારકિયો” જેવી પદ્યાત્મક શિલીમાં કક્કા ઉપરાંત આંક, પલાખાં અને કાગળ લખવાની રીત શીખ્યા.
ડાહ્યા વેદિયા'ના ઘર સામેના ચોકઠામાં ચાંદની રાતે શેરીની દેશીઓ રેંટિયો કાંતતી બેસતી હતી. તેમની આસપાસ શેરીનાં છોકરાં વાર્તા સાંભળવા એકઠાં થતાં. એમાં દસેક વરસને કિશોર દલપત પણ બેસતે. વાર્તા ઉપરાંત એકબીજાને વરત–ઉખાણાં પૂછવાને પણ રિવાજ હતું. એક જણ વરત નાખેઃ “આવડી શી દડી, દિવસે વાણી ને રાતે જડી!” ને એનો તરત ઉત્તર મળેઃ “તારા”. બીજુ કઈ પૂછેઃ “હાથી પાટે બાંધી આપે.' લાગલે જ જવાબ મળેઃ “રાજા બેઠે ખાટે ને હાથી બાંધ્યા પાટે.' દલપતરામને આ રમતમાં બહુ મજા પડતી. કોઈને ન આવડે એના ઉત્તર એ આપતા. એટલું જ નહિ, નવાં ઉખાણું જાતે રચીને પણ એ પૂછતા.
બાર વરસને દલપત ઉખાણું પરથી હડૂલા જેડવા તરફ વળે. એ જમાનામાં જોડકણાં જોડવાની રમત ચાલતી ધડમાથા વગરની, પણ પ્રાસવાળી પાદપૂતિ એટલે હડૂલા.૪ દલપતરામે આવા કાવ્યગોળા એક પછી એક બનાવીને ફેંકવા માંડ્યા. દા. ત. એણે જેડ્યું કે 1 x કવિશ્રી ન્હાનાલાલ દલપતચરિતમાં આ હડૂલાની વ્યાખ્યા “હહુડુડુ ગેળાની માફક છૂટે એટલે હલા” એમ બાંધી છે તે કેટલી યથાર્થ છે!
Page #159
--------------------------------------------------------------------------
________________
ધર;
છાયાં એટલાં છાપરાં ને માળ્યાં એટલાં ઘર;
ભોજો ભગત તો એમ ભણે જે વાંઢા એટલા વર. પછી તે એમને પ્રસંગ પરથી પ્રાસયુક્ત રચના જેડી કાઢવાની જાણે કે ટેવ પડી ગઈ! એકવાર દલપતરામનાં પત્ની દળતાં હતાં. બહાર લોક પાણી ખૂંદતાં હતાં. સામે છાપરે કાગડે બેઠે હતો ને કવિ પિતે માંચી પર બેઠા હતા. તેના પરથી તેમણે જેડી કાઢયું :
સાગ ઉપર કાગ બેઠે, રથે બેઠાં રાણી;
બંદા બેઠા માંચીએ ને દુનિયા ડોળે પાણી. આમ કરતાં કરતાં આ ઉછરતા કવિને શામળની વાર્તાઓ વાંચવા મળી. તેર વર્ષના દલપતરામ પર શામળની સ્ત્રી ચાતુર્યની વાર્તાઓએ એવા દઢ સંસ્કાર પાડવા કે “હીરાદંતી અને “કમળલોચની' નામની બે પદ્યવાર્તાઓ તેમણે દેહરા-ચોપાઈમાં તત્કાળ રચી કાઢી. વઢવાણમાં હાનાભાઈ નામને વાણીઓ દલપતરામને પોતાની દુકાને બોલાવીને તેમની પાસે વાર્તા કહેવડાવતે ત્યારે દુકાન આગળ તાજનેનું ટેળું એકઠું થતું.
પણ દલપતરામ શામળને ચીલે ચાલે તે પહેલાં તેમને સુનીતિ અને સદાચારનાં અમિશ્ર પ્રેરણુજળ પાનાર સ્વામીનારાયણને સત્સંગ થઈ. ગયો! સહજાનંદ-દર્શન એ કદાચ દલપત-જીવનને સૌથી મહાન પ્રસંગ ગણાય. જમણવાર પ્રસંગે મોસાળ ગઢડામાં આવેલા દલપતરામને સહજાનંદ સ્વામીનાં પ્રત્યક્ષ દર્શન થયાં. ચૌદેક વર્ષના એ મુગ્ધ બ્રાહ્મણપુત્ર ઉપર સ્વામીની મૂર્તિ એવો અદ્દભુત પ્રભાવ પાડે છે કે સં. ૧૮૯૦ ની વસંત પંચમી ઉપર “મારે સ્વામી પંથી થવું નથી” એવા નિશ્ચય સાથે મામાની જોડે મૂળી ગયેલા દલપતરામ સ્વામીનારાયણ પંથની દીક્ષા લઈને ત્યાંથી પાછા ફરે છે! ઈશ્વરના અવતારની આવશ્યકતા તથા પ્રાચીન ધર્મશાસ્ત્રની ઉપયોગિતા પરત્વે દલપતરામના મનનું સમાધાન કરીને સ્વામી ભૂમાનંદ તેમને ગૃહસ્થીના પંચ વર્તમાનની દીક્ષા આપી.
ભૂમાનંદ સ્વામીએ દલપતરામને ધર્મ-દીક્ષા આપી તે દેવાનંદ સ્વામીએ તેમને કાવ્ય-શિક્ષા આપી હતી. આજ સુધી દલપતરામ મેજને ખાતર જોડકણ જોડતા હતા. તેની પાછળ ઊંડે અભ્યાસ કે ગંભીર વિચારણું નહતી. સં. ૧૮૯૦ અને ૧૮૯૭ના ગાળામાં કકડે કકડે મૂળીમાં રહીને તેમણે સ્વામી દેવાનંદ પાસે છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર અને ભાષાના ગ્રંથોને સંગીન અભ્યાસ કર્યો. એ વખતે દેશભરની મુખ્ય
Page #160
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ૦ ૧૦
સાહિત્ય—ભાષા વ્રજ ભાષા હતી. ગુજરાતીમાં ઘેાડાંક જોડકણાં અને કીતના લખ્યા બાદ દલપતરામને વ્રજ ભાષામાં કવિતા લખવાના કાડ જાગ્યા. ગુરુકૃપાથી તેમજ જાતમહેનતને બળે તેમણે ‘ જ્ઞાનચાતુરી ' અને કાવ્યચાતુરી ' નામના એ ગ્ર ંથા વ્રજ ભાષામાં રચ્યા હતા. સ્વામીનારાયણ પંથના તે વખતના આચાય શ્રી અયેાધ્યાપ્રસાદની આજ્ઞાથી વીસ વંના જુવાન દલપતરામે શ્રીજી મહારાજની જુદી જુદી ચેષ્ટાઓ પર વ્રજ ભાષામાં ચમત્કૃતિજનક ઘ્ર કવિતા પણ રચી હતી.
'
પણ હજુ દલપતરામની કવિતાની ખરી પરખ થઈ નહોતી. તેની ખરી કસાટી તેા મૂળીના સમૈયામાં એક ફૂલજી ગઢવી ઉર્ફે કુસુમ કવિની સામે તેમને સોંપ્રદાયવાળા સ્પર્ધામાં ઉતારે છે ત્યારે થાય છે. ફૂલજી કવિને પોતાની કવિત્વશક્તિ વિશે અભિમાન હતું. એક વાર સ્વામીનારાયણના મદિરમાં આવીને તેણે કટાક્ષ કર્યો કે સત્સંગ વિસૂના છે. તેના જવા:રૂપે જન્માષ્ટમીના સમૈયામાં આચાય અયેાધ્યાપ્રસાદના અધ્યક્ષપદે ભરાયેલી બે હજાર સાધુઓની મેદની વચ્ચે દલપતરામને ગઢવીની સામે સંપ્રદાયના કવિ તરીકે ઊભા કરવામાં આવ્યા. ગઢવીએ દલપતરામને અભ્યાસ, ગુરુ આદિ વિશે પૂછ્યા બાદ પ્રશ્ન કર્યાં કૈં આચાર્યજીની કવિતા કરી છે? દલપતરામે કહ્યું: ‘ના; શ્રીજી મહારાજ વિશે કરી છે. ' ત્યારે, ગઢવીએ આચાય. અયેાધ્યાપ્રસાદ વિશે તત્કાળ છપ્પા જોડીને લલકાર્યાં : ઉદધિ ઉર્જાકભર અમિત, અમિત મતિ અવધ ઉદધમે, તિદ્ધિનિધિ મધિ જલતરોંગ, તરંગ મતિતર્ગ અવધમેં; સિન્ધુ મહીં શીશ મેાતી, અનુ અવધ ખચન મુખ, નદી સંગમ નિધિ મિક્ષત, મિલત મુનિમતિ અતિ કરસુખ; નવ પ્રભુત બનત નવરત્નસમ રત્ન રહત જલધિ જ મુર્ત્તિ; કરજોરી કુસુમ કવિ યું કહે, અષ્ટમ ઉદ્ધિ અવધ ! તું હી. છપ્પા એ વાર લલકારીને ગઢવીએ અયે ધ્યાપ્રસાદને કહ્યું : · બાપ, તું તે આઠમા દરિયાવ છે. ' આખી સભા ગઢવીની કવિતાથી પ્રસન્ન થઈ ગઈ. સૌને એમ થયું કે દલપતરામ આની સામે શી રીતે ટકી શકશે ? દલપતરામે શાંતિથી ગઢવીને પૂછ્યું: · આ ક્રિયા અલંકાર, ગઢવી ? ' ગઢવી કરડાકીમાં મેલ્યા : યેા સાંભળેા, ભાઈ એ. આ કહે છે કે હું ‘ભાષાભૂષણ' શીખ્યા છું તે અલ'કારનું તે મને પૂછે છે! એ રૂપકાલ કાર રૂપા. દલપતરામે કહ્યું: ‘ ગઢવી, એ રૂપકાલ’કાર ન હોય, ત્યારે?’ • એ તે વ્યાજસ્તુતિ છે. તમે આચાયજીને આઠમા દરિયાવ કહીને સ્તુતિને
'
*
૪૮
""
Page #161
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકા-પિતાવલિ બહાને તેમની નિંદા કરી છે.” ગઢવીને મિજાજ ગયો. એ તાડૂક્યાઃ “શી રીતે ?” ઉત્તરમાં દલપતરામે નીચેના છ ફેંકેઃ .
ઉદધિ ઉદક અતિ ક્ષાર સાત મતિ મધુરી અવધમેં, અવધ સુધામય અમલ, સમલ વિખ વસત ઉદધિમેં; જડ જલધિ જગવન, પવનવશ, પ્રતિત ન લાયક, અવધમતિ પ્રતિત ધરત, સકલવિધિ જનસુખદાયક. લહિ અંજલિ ઉદધિ અગત્ય મુનિ પાન કરી પીંડ મેં લહે;
મતિ અકલ અવધ ! દલપતિ તુંહી, કે કવિ નિધિ સમ કહે ? આખા છપ્પાનો અર્થ સમજાવીને દલપતરામે ગઢવીને ઠાવકી રીતે કહ્યું ગઢવી, સાગર તમારે મન મોટે. મુનિઓને મન નહિ. અગત્ય મુનિ અંજલિ ભરી સાગર પી ગયા હતા. પણ આચાર્યજીની બુદ્ધિનો કોઈ તાગ લઈ શકે તેમ નથી. એટલે કે કવિ તેને ખારા ખાબોચિયાની ઉપમા આપી શકે?” ગઢવીને ગર્વ ભરી સભામાં ઊતર્યો અને તે દિવસથી દલપતરામ સંપ્રદાયમાં કવિ તરીકે સ્વીકાર પામ્યા. આ વખતે તેમની ઉંમર એકવીસ વર્ષની હતી.*
દલપતરામને વ્યાપક લોકપ્રિયતા અપાવવામાં ફેબ્સને હિસ્સો નેધપાત્ર છે. ફેબ્સને ગુજરાતી ભાષા-સાહિત્યને અભ્યાસ કરાવે તેવા શિક્ષકની જરૂર હતી. સંવત ૧૯૦૪ ના નવરાત્રમાં ભેળાનાથ સારાભાઈની ભલામણથી ભેળાનાથની જ મારફતે તેમણે દલપતરામને વઢવાણથી તેડાવ્યા. ભોળાનાથની ચિઠ્ઠી વાંચીને દલપત વેદિયા ચંદની પડવાને દિવસે મનમાં અનેક તર્કવિતર્ક કરતા વઢવાણથી અમદાવાદ જવા પગપાળા નીકળ્યા. આ વખતે તેમની સ્થિતિ સુદામા જેવી હતી. પાસે વાટખર્ચા માટે એક પાઈ પણ નહોતી. રસ્તામાં એક ઓળખીતા કનેથી થોડાક આના ઉછીના લઈને, લીંબડી ધોળકા-ધંધુકા થઈને અથડાતા કૂટાતા એ અમદાવાદ આવ્યા અને શિષ્ય ભોળાનાથને ત્યાં ઊતર્યા.
ભદ્રના કિલ્લામાં ચાંદા સૂરજના મહેલમાં ફેન્સે રહેતા હતા. જ્ઞાનપંચમીને દિવસે ભેળાનાથ દલપતરામને ફેમ્સની મુલાકાતે લાવ્યા. ફસે દલપતરામનું પ્રેમથી સન્માન કર્યું. શિષ્ટાચાર પત્યા બાદ ફોર્બ્સ ચીપી ચીપીને હિન્દીમાં કહ્યું: “ભોળાનાથભાઈ કહે છે, તમે કવિતા સારી . • કવિશ્રી ન્હાનાલાલરચિત “કવીશ્વર દલપતરામને આધારે.
Page #162
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦ કરે છે. કાંઈક સંભળાવશે?' દલપતરામે તરત જ નારદજીના ટીંપળની વાત કહી અને મુગ્ધ વિદેશી ગૃહસ્થને રીઝવ્યા. પછી ફ કવિને નાણવા માટે તૈયાર કરેલી પ્રશ્નાવલિ પૂછી. દલપતરામે તેના એવા સરસ જવાબ આપ્યો કે ફોર્સે પ્રસન્ન થઈને એ જ વખતે તેમને “કવીશ્વર'નું બિરુદ આપ્યું અને તેમને માસિક વીસ રૂપિયાના પગારથી પિતાની પાસે રાખ્યા. દલપતરામના–તેમ ગુજરાતી ભાષા-સાહિત્યના–ઉદયનો એ શુભ દિવસ હતો.
દલપતરામે ગુજરાત-સૌરાષ્ટ્રમાં ફરી ફરીને ફોર્બ્સને માટે ઈતિહાસ કથાઓ, લેખ, હસ્તપ્રતો દસ્તાવેજો ઈ એકઠાં કરીને 'રાસમાળા'ની રચનામાં સક્રિય મદદ કરી હતી. વળી દલપતરામની સહાયથી ફેબ્સ અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુર સોસાયટી (હવે ગુજરાત વિદ્યા સંભા)ની સ્થાપના કરી હતી.
ફેબ્સની પ્રેરણાથી દલપતરામે ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું. ઈ. સ. ૧૮૪૯ના જૂન માસમાં ગુ. વ. સે.એ ભૂત વિશે ઈનામી નિબંધની જાહેરાત કરી. ફેન્સે દલપતરામને મહેનત કરીને નિબંધ તૈયાર કરવાની સલાહ આપી. દલપતરામના નિબંધને, હરીફાઈમાં સર્વશ્રેષ્ઠ ઠરતાં, દેહસો રૂપિયાનું ઇનામ મળ્યું. દલપતરામને એ પહેલે ગદ્ય લેખ. ઈ. સ. ૧૮૫૦માં ફેબ્સની સાથે દલપતરામ સૂરત ગયા. ત્યાં તેમણે મિ. કર્ટિસના પ્રમુખપદે એસ લાઈબ્રેરીમાં “હુન્નરખાનની ચઢાઈ' વિશે કવિતામાં ભાષણ આપ્યું. “હુન્નરખાનની ચઢાઈ' અર્વાચીન ગુજરાતનું પહેલું દેશભકિતનું કાવ્ય છે. નવીન દેશકાળને ઝીલીને ગુજરાતી કવિતાને ન વળાંક આપવાની શરૂઆત એનાથી થઈ છે. મહીપતરામ અને દુર્ગારામની સાથે નર્મદ એ પદ્ય વ્યાખ્યાન સાંભળવા ગયો હતો, પણ હજુ તેણે કવિતા લખવાની શરૂઆત કરી નહોતી. સૂરતની પ્રજા દલપતરામના વ્યાખ્યાન પર વારી ગઈ. ત્યાં ને ત્યાં પછી તેમણે મદ્યપાનનિષેધનું ‘જાદવાસ્થળી' નામનું ભાષણ કવિતામાં કર્યું, જે આજે દારૂબંધીના પ્રચાર સારુ કામ લાગે તેવું છે. સૂરતવાસીઓએ દલપતરામને માનપત્ર આપ્યું. તેના જવાબમાં તેમણે “સંપલમી સંવાદગાઈ સંભળાવ્યો. આમ, ગુજરાતમાં કવિ તરીકે દલપતરામની પ્રતિષ્ઠા બંધાતી જતી હતી.
ફેબ્સની બદલી ઘેઘે થતાં દલપતરામ સૌરાષ્ટ્રમાં ગયા. ત્યાં ભાવનગરના મહારાજા વજેસંગને કવિએ પિતાની કવિતા-ચાતુરીથી એવા
Page #163
--------------------------------------------------------------------------
________________
થકાર-સરિતાવાલિ પ્રસન્ન કરી દીધા કે તેમણે દલપતરામને ભાવનગરના રાજ-કવિ તરીકે સ્વીકારીને શાલ-પાઘને શિરપાવ આપે અને વર્ષાસન બાંધી આપ્યું. ભાવનગરથી ઈડર અને સૂરતથી દાંતા સુધી પ્રવાસ કરીને દલપતરામે ગુજરાત-સૌરાષ્ટ્રની પ્રજાને પિતાની સરળ, ઠાવકી ને વિનોદી કાવ્યવાણમાં સુધારાને, શિક્ષણને, ધર્મને, નીતિને, ઉદ્યમને અને દેશભક્તિને બોધ કર્યો. ફેન્સે આપેલો “કવીશ્વર'ને ઈલકાબ જનતાએ વજલેપ કરીને કવિને પિતાના હૃદયમાં સ્થાન આપ્યું. અનેક રાજવીઓએ વર્ષાસને તથા - શિરપાવ આપીને કવિનું બહુમાન કર્યું.
ઈ. સ. ૧૮૫૪ના માર્ચ મહિનામાં ફેર્સ સ્વદેશ ગયા ત્યારે દલપતરામને સાદરામાં રેવન્યુ ખાતામાં ગોઠવતા ગયા. વખત જતાં દલપતરામ મામલતદાર સુધી પહોંચે એવી આ ન કરી હતી. નોકરીની સ્થિર આવક ને શાંતિમય જીવન તેમને ગમી ગયાં. પણ તેમને માટે સરકારી
કરી નિર્મિત નહોતી. ઈ. સ. ૧૮૫૫માં ગુ. વ. સો.નું નાવ અસ્થિર હતું. તેના મંત્રી મિ. કટિસે દલપતરામને સરકારી નોકરી છોડી દઈને સોસાયટીમાં જોડાવા કહેણ મોકલ્યું. પહેલાં તે તેમણે જવાબ આપ્યો કે
દિલમાં હેત સ્વદેશ પર, પણ તૃષ્ણ ન જાય!
સરકારી અધિકાર તે એમ કેમ મૂકાય? પણ તેમના દિલમાં મંથન ચાલતું હતું. દરમિયાનમાં મિત્ર કટિસે ફેન્સને કવિ પર દબાણ કરવા લખ્યું. ફોર્બ્સ કવિને છેક આ મતલબનું લખ્યું :
ફિકર તમારી આખી ઉંમરની હું ધરીશ, ધીરજ તે માટે તમે અંતરમાં ધારજો. સ્વદેશનું હિત જે સદા હૃદય ધરે દિનરાત,
તે આ વચને વાંચીને કબુલ કરજો વાત. તેની પિતાના પર થયેલી અસર વર્ણવતાં કવિ કહે છે ?
વચને એવાં વાંચીને ના કહી કેમ શકાય ?
પાકું બંધન પ્રેમનું તે નવ તેડ્યું જાય. લક્ષ્મી અને અધિકારની તૃષ્ણા તજીને. આખરે દલપતરામે વિદ્યાવૃદ્ધિ અથે સોસાયટીનું મંત્રીપદ સ્વીકાર્યું. તેમણે “બુદ્ધિપ્રકાશ અને વ્યવસ્થિત કર્યું. પછી સોસાયટીના વિદ્યાવૃદ્ધિના કાર્ય અંગે ભંડોળ એકઠું કરવા કવિ ધનિક અને રાજાઓને મળવા લાગ્યા. કવિતા વડે તેમનું મનોરંજન કરીને તેમણે પરમાર્થ કાજે શ્રીમંતે પાસેથી સારી રકમ એકઠી કરી,
Page #164
--------------------------------------------------------------------------
________________
N૨
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦ ગુજરાત અને ગુજરાતી ભાષાના ઉદ્ધારની એમને પછી તે એવી લગની લાગી કે રાત અને દિવસ તેઓ એ જ કામમાં મગ્ન રહેવા લાગ્યા. દલપતરામના આ શુભ પ્રયાસથી સોસાયટીની સ્થિતિ છેડા વખતમાં જ એવી સદ્ધર થઈ ગઈ કે આજે પણ એનું કાર્ય એકધારું સુંદર ચાલી રહ્યું છે.
દલપતરામને ગુજરાત ઉપર બીજે મોટો ઉપકાર તે એમણે હેપ વાચનમાળા માટે કાવ્ય રચીને ગુજરાતની બેત્રણ પેઢીઓને રમતાં રમતાં સાંસ્કારિક ઉછેર સાધ્યો તે છે. ગઈ પેઢીનાં વૃદ્ધજન આજે પણ હોંશે હોંશે દલપતરામનાં મીઠાં સુબોધક પદ્યવચને યાદ કરીને ગાઈ સંભળાવે છે..
દલપતરામ શાંત, સરળ, વિવેદી, સૌમ્ય પ્રકૃતિના સજન હતા. “સૌને સાળો, સૌને સસરો છે દ્વિજ દલપતરામ' કહેવા જેટલી નમ્રતા અને સાત્વિકતા તેમનામાં હતી. તેમના અણીશુદ્ધ ચારિત્રયની અસર તેમના સંપર્કમાં આવનાર સૌ કઈ પર થયા વિના રહેતી નહીં. તેઓ પ્રજાનું હિત હૈયે રાખનાર સ્વદેશભક્ત હતા, તેમ “ઝેર ગયાં ને વેર ગયાં વળી કાળો કેર ગયા કરનાર ” ગાનાર રાજભક્ત પણ હતા. તેમનું આ વલણ ટીકાપાત્ર ગણાયું છે. પરંતુ તેમને ન્યાય આપવા ખાતર કહેવું પડશે કે તેમનામાં આંધળી રાજભક્તિ નહોતી. તેમના “ફાર્બસ વિલાસ” કાવ્યમાં આગળનાં રાજ કરતાં આ રાજય સારું છે, પણ કેટલીક બાબતમાં તેમાં અધેર છે એમ કહીને દેશળ ગઢવી નામના પાત્ર દ્વારા એ પિતાના મનની વાત બેધડક કહે છે?
લાંચીયાનું ગયું રાજ તેય નથી ગઈ લાંચ; જુલમી રાજા ગયા ને જુલમ જાહેર છે. લાકડાંનાં ગાડાં ભૂલ થેડું આપી લુંટી લે છે; કેર કરનારું રાજ્ય જતાં કાળો કેર છે. નિરખનું નામ લઈ દામ નથી દેતા પુરા; લુંટારા પીંઢારા જતાં લૂંટ ઠેર ઠેર છે. કહે દલપત દીનાનાથ! તેં આ દેશમાંથી જ
આંધળો અમલ કાઢયે તથાપિ અધેર છે. આટલી સ્પષ્ટ ભાષામાં રાજય–અમલની ટીકા કરનાર દલપતને મહારાણી વિકટેરિયાના દરબારમાં શાલ-પાઘને શિરપાવ મળે છે, સી. આઈ. ઈ. ને ઈલકાબ મળે છે અને સોસાયટીની ત્રીસ-બત્રીસ વર્ષ સુધી સેવા કર્યા
Page #165
--------------------------------------------------------------------------
________________
થથકાર-ચરિતાવલિ બાદ નિવૃત્તિ લેતાં પ્રજા તરફથી રૂપિયા બાર હજારની થેલી ભેટ મળે છે તે તેમના રાજા અને પ્રજા તરફના એકસરખા સનિષ્ઠ સદ્દભાવનું જ ફળ છે. ઇ. સ. ૧૮૯૮માં કવિ દલપતરામ અક્ષરધામ ગયા ત્યારે તેમના જુવાન પુત્ર નેહાનાલાલે ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ કરીને પિતાના જીવનકાર્યને પિતાની રીતે ઉપાડી લઈને ચાલુ રાખ્યું હતું.
અઠ્ઠોતેર વર્ષના આયુષમાં છેલ્લા બે દાયકા કવિને આંખે અંધાપ હતો. છતાં તેમને લેખન-વ્યવસાય તે ચાલું હતું જ. છેલ્લાં વરસોમાં તેમણે વડતાલમાં રહીને સ્વામીનારાયણનું જીવનચરિત્ર પદ્યમાં ઉતારવાનું કામ કર્યું હતું. સંપ્રદાયના આચાર્ય વિહારીદાસે એકઠી કરેલી સામગ્રીને ચમત્કારિક પ્રાસ અને છબંધમાં વહેતી કરનાર દલપતરામની પ્રૌઢ પદ્યશૈલી એ દળદાર ગ્રંથને થોડોક ભાગ વાંચનારને પણ પ્રતીત થાય તેમ છે. ઈ. સ. ૧૮૯૦ અને ૧૮૯૭ ની વચમાં આ મહાગ્રંથ રચાયો હેવાને સંભવ છે. વડતાલના સ્વામીનારાયણ મંદિર તરફથી આ “હરિલીલામૃત' ગ્રંથ ઈ. સ. ૧૯૦૭ માં બે ભાગમાં પ્રગટ થયો હતો. સંપ્રદાયની રીત મુજબ રચનાર તરીકે તેના પર નામ આચાર્ય શ્રી વિહારીદાસજીનું - છે અને દલપતરામને આખા ગ્રંથમાં કોઈ સ્થળે ઉલ્લેખ નથી. પણ સંપ્રદાયની પરંપરા અને ગ્રંથની અંદરની પદ્યરચના આજે પણ દલપતરામના કર્તુત્વના સબળ પુરાવારૂપે ઉપલબ્ધ છે. .
દલપતરામની કવિતા જૂની પદ્ધતિની ગણાઈ છે. વ્રજ ભાષાની કવિતાના પરિશીલનથી દલપતરામને કાવ્યાદર્શ ઘડાયો હતો, એટલે ભાષાની ઝડઝમક અને કથનની ચતુરાઈ પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો. વળી, નીતિશુદ્ધ (Puritan) વિચારશ્રેણી એ દલપત-કાવ્યનું બીજું લક્ષણ છે. ધર્મ, નીતિ, સ્વદેશદ્ધાર અને વ્યવહાર-ચાતુર્યની ઠાવકી વાત એ તેમની કવિતાનો પ્રધાન વિષય બને છે. નર્મદની માફક –બલકે નર્મદના કરતાં વિશેષ સફળતાપૂર્વક દલપતરામે સુધારા, શિક્ષણ અને પ્રગતિની વાત કહી છે. નર્મદના કરતાં દલપતરામનું સમાજદર્શન ને વિવેચન વિવિધ ને સંગીન હતું. પણ તેમના સ્વભાવમાં આવેશ કરતાં ઠાવકાઈ અને પ્રણાલિકા-ભંજનના કરતાં નીતિ અને સદાચારની મર્યાદામાં રહીને
• આના સમર્થનમાં શ્રી જેહાંગીર એર સંજાનાએ પોતાના studies in Gujarati Literature”ના ત્રીજા વ્યાખ્યાનમાં દલપતરામ વિશે આપેલી ગુણગ્રાહક દલીલો લક્ષમાં રાખવા જેવી છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫. ૧૦ ધીમે ધીમે સુધારાને સાર સમજાવવાનું વલણ હતું. તેથી એ જુનવાણી ગણાયા ને નર્મદની ઉદ્ધતાઈ અને સાહસિકતા પ્રાગતિકતામાં ખપી !
ગારરસ દલપતરામને વજર્યું હતું તે એટલે સુધી કે ઊગતી વયમાં લખેલી શામળશૈલીની સ્ત્રી-ચતુરાઈની વાતને તેમણે “સત્સંગ'માં ભળ્યા પછી બાળી નાંખી હતી. આમ, સભારંજની ચતુરાઈ અને બોધપરાયણતાએ દલપતરામને તેમના જમાનામાં સર્વોપરિ પ્રસિદ્ધિ અપાવી છે તે જ . ગુણો સાહિત્યના ઇતિહાસમાં તેમની ઉપેક્ષાના નિમિત્તરૂપ પણ બન્યા. - દલપતરામની કવિતાને માટે ગુણ તેનું આકાર-સૌષ્ઠવ છે. ભાષાની સફાઈ અને છંદની શુદ્ધિ તેમના જેટલી બીજા કોઈ કવિમાં જવલ્લે જ જોવા મળશે. પિંગળ અને અલંકારશાસ્ત્ર તેમને હસ્તામલકત હતાં. દલપતપિંગળ' ૧૮૫૫માં “બુદ્ધિપ્રકાશ'માં પ્રગટ થયું ત્યારથી આજ સુધી કાવ્યલેખન અને કાવ્યશાસ્ત્રને અભ્યાસ ઈચછનારની પ્રવેશ–પોથી બની રહેલ છે.* છંદ અને પ્રાસની ચતુરાઈભરી રમત એ દલપતરામની કવિતાને બહુ જાણીતે ચમત્કાર છે. તેમણે છ ઉપરાંત ગરબીના ઢાળમાં પણ સૌથી વધારે સુગેય પદ્યો રચ્યાં છે. લગ્નનાં ધોળ અને ગરબીની તેમની રચનાઓ ખૂબ જોકપ્રિય નીવડી હતી. (તેની ટીકારૂપે “ગરબીભટ્ટ'નું ઉપનામ પણ તેમને મળ્યું હતું.) આમ, દલપતરામની કવિતાનું પદ્ય સ્વરૂપ-પછી તે છંદોબદ્ધ હોય કે દેશી ઢાળમાં હેય-હમેશાં સ્વચ્છ અને સુઘડ આકૃતિવાળું રહ્યું છે.
તેમની મોટા ભાગની કવિતા બાહ્ય પ્રસંગ કે સંગને અનુલક્ષીને રચાયેલી હોવાથી તેમાં સમકાલીન જમાનાનું પ્રતિબિબ ઝિલાયું છે. “વેનચરિત્ર' અને “હુન્નરખાનની ચઢાઈ” તેનાં ઉત્તમ ઉદાહરણો છે. આ બેધલક્ષી કવિતા આજના કાવ્યધોરણે કલાતત્ત્વ વિનાની લાગે; પણ તેમાં શુષ્કતા નથી. કવિએ તેમાં જનસ્વભાવનું ઊંડું અવલોકન કરીને મીઠી અને મર્માળી કાવ્યબાનીમાં વાચકના હૃદયને સ્પર્શ કરવાને કીમિયે અખત્યાર કરી બતાવ્યું. છે. વીરનો ગાયક નર્મદ છે તે હાસ્યનો દલપત છે. વીરમાં નર્મદ જેટલી વિવિધતા ને રસવત્તા સાધી શકે નથી તેટલી દલપત હાસ્યમાં સાધી શક્યો છે તે એને વિપુલ કાવ્યજ બારીકીથી વાંચનારને સમજાયા વગર નહિ રહે. વર્ણનાત્મક કાવ્યોમાં નર્મદના કરતાં દલપત પ્રસંગચિત્ર, પાત્રાલેખન
• આજ સુધીમાં એની ૯૧૦૦૦ નકલે ખપી છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકા-પિતાવલિ અને કથનરીતિ પર વિશેષ સિદ્ધિ દાખવી શકે છે. બાળકોના કવિ તરીકે પણ દલપતરામનું સ્થાન ઊંચું છે. નિર્દોષ, ઠાવકું હાસ્ય ને સરળ અને પ્રાસાદિક શૈલી દલપતરામને સહજસિદ્ધ હતી. બાળકોની ઊઘડતી સ્મરણશક્તિને ખીલવે અને રંજન સાથે નિર્મળ સંસ્કાર-વિતરણ કરે તેવાં બાલભોગ્ય કાવ્યો દલપતરામના જેટલી સંખ્યામાં ભાગ્યે જ બીજા કોઈ ગુજરાતી કવિએ આપ્યાં હશે. તેમને શિષ્ય- સમુદાય વિશાળ હતો. ' તેમની પછી પણ તેમના શિષ્યએ દલપતકવિતાને તેની શૈલીના પ્રયોગ દ્વારા જીવતી રાખવાના પ્રયત્ન કર્યા છે. છેક ગઈ પેઢી સુધીના ગુજરાતી કવિઓમાં જેણે દલપતશૈલીના પ્રયોગથી કાવ્ય-રચનાની શરૂઆત ન કરી હોય એ કઈ મળ વિરલ જ. કાન, મણિલાલ, નરસિંહરાવ, બાળાશંકર, બેટાદકર, ખબરદાર, વગેરેએ કવિતા લખવાના શ્રીગણેશ દલપતશૈલીના પ્રયોગથી માંડયા હતા. ગુજરાતી કવિતા- સાહિત્યના ઈતિહાસનું અવલોકન કરનારને અર્વાચીન યુગમાં લાંબામાં લાંબા સમયપટ પર દલપતશૈલીની અસર વિસ્તરેલી માલુમ પડશે. આજે ભુલાઈ ગયેલ હોવા છતાં ગુજરાતી કવિતાના ખેડાણમાં આમ અનેક રીતે દલપતરામને ફાળો સ્મરણીય ઠરે છે.
દલપતરામે ફર્સ સિવાય પણ અનેક શ્રીમંતે રાજવીઓ અને મિત્રની ફરમાશથી કાવ્ય લખ્યાં હતાં. કેટલાંક તેમણે અમુક ગૃહસ્થ કે સંસ્થાઓ તરફથી બહાર પડેલી ઈનામી જાહેરખબરેના જવાબ રૂપે લખ્યાં હતાં, તો કેટલાંક અમુક પ્રસંગે તત્કાળ ફરમાશથી રચી કાઢેલાં હતાં.* આ બધી રચનાઓ બદલ તેમને જે તે વ્યક્તિ કે સંસ્થા તરફથી પુરસ્કાર પણ મળ્યો હતો. દલપતકાવ્ય” ભા. ૧-૨ ના દળદાર ગ્રંથમાં આ કૂટકળ રચનાઓને સંગૃહીત કરેલી છે એટલે અહીં દરેકને છૂટો ઉલ્લેખ કરે જરૂરી નથી. વેનચરિત્ર', “અવળાથાન', “ફાર્બસવિલાસ', “ફાર્બસ વિરહ', “હુન્નરખાનની ચઢાઈ', “શેરસટ્ટાની ગરબીઓ ', “વિજયક્ષમા', “હંસકાવ્યશતક' તેમજ વાચનમાળામાંની કવિતા ને માંગલિક ગીતાવળીને ‘દલપતકાવ્ય'માં સમાવેશ થયેલ છે.
• આ બધી કૃતિઓ કોણે કેટલો પુરસ્કાર આપીને ક્યારે લખાવી તેની યાદી કાશીશંકર મુ. દવેકૃત ‘દલપતરામ” (શ્રી સયાજી સાહિત્યમાળા) ના પૃ. ૪૪ -૪૭ પર છે અને ‘દલપતકાવ્ય” ભાગ ૧લા ને પૃ. ૮-૯ પર પણ છે. સ્થળ-સંકચને લીધે એ ચાદી અહીં ઉતારી નથી.
Page #168
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦
કૃતિઓ . કૃતિનું નામ વિષય કે પ્રકાશન– પ્રકાશક મૌલિક, સંપાદન મળ ભાષા, પ્રકાર સાલ
કે અનુવાદ કર્તા કે કૃતિનું
નામ, ૧. દલપતકાવ્ય ભા.૧ કવિતા આ૦ ૧:૧૮૭૯ ગુજરાત મૌલિક કાવ્ય –
આ૦ ૧૮૮૫ વિદ્યાસભા, કૃતિઓનો આ૦ ૫: ૧૯૨૬ અમદાવાદ સંગ્રહ
૨. દલપતકાવ્ય ભા.૨
,
,
આ ૦૧:૧૮૮૫ ગુજરાત આ૦૪:૧૯૨૪ વિદ્યાસભા.
અમદાવાદ
૩. દલપત–પિગળ છંદ- આ છે; ૧૮૬૨ પોતે – – શાસ્ત્ર આ૦ ૯. થી ૨૨- ગુજરાત
– – ૧૮૯૩ થી ૧૯૨૨વિધાસ.
અમદાવાદ ૪. કાવ્ય-દેહન પુળ કવિતા ૧૮૬૦ મુંબઈ જૂની અને મધ્યકાલીન
સરકાર ગુજરાતી કાવ્યકૃતિઓના
સંચયનું સંપાદન ૫. કાવ્ય-દેહન પુ૨ , ૧૮૬૩ , ૬. શામળ-સતસઈ , આ. ૧૯૨૨ ગુજરાત શામળના ૬૮ ગ્રે શેમાંથી
વિદ્યાસભા પસંદ કરેલા ૭૦૦ નીતિ
અમદાવાદ બેધક દેહાનું સંપાદન. ૭. કથન-સપ્તશતી , ૧૮૫૨ , ૭૦૦ નીતિવચનોનો
સંગ્રહ ૮. લક્ષ્મી-નાટક નાટક ૧૯૫૧ , મૌલિક ૯. મિથ્યાભિમાન , આ. ૧૮ળ , ગ્રીક નાટક પરથી સૂચિત
-નાટક આ.૧૯૧૯૩૫ ૧૦. ભૂત-નિબંધ નિબંધ ૧૮૪૯
મૌલિક - ૧૫. જ્ઞાતિ-નિબંધ , ૧૮૫૧ , ૧૨. બાળવિવાહ નિબંધ ૧૮૫૪ છે
- નિબંધ ૧૩-૧૪ હરિલીલામૃત પધાત્મક આ૦૧ ૧૯૦૭)સ્વામીનારાયણ ભા. ૧-૨ ચરિત્ર આ૦૨ ૧૯૨૮; મંદિર વડતાલ
૧૯૩૫ ?
Page #169
--------------------------------------------------------------------------
________________
થથકાર-ગરિતાવધ
૫૭
અભ્યાસ-સામગ્રી
૧. કવીશ્વર દલપતરામ: ભાગ પહેલા અને બીજો ( પૂર્વાધ-ઉત્તરા સહિત): (ન્હાના
લાલ દલપતરામ કવિ.)
૧. અર્વાચીન કવિતા; પૃ૦૪-૧૯ ( સુંદરમ્ )
3. Studies in Gujarati Literature, Lecture III, (J. E, Sanjana)
૪. દલપતરામ (શ્રી સયાજી સાહિત્યમાળા; કાશીશાંકર મૂળશંકર દવે)
૫. ગુજરાતી સાહિત્યની રૂપરેખા, પ્રકરણ ૧૭ મું. (વિજયરાય ક. વૈદ્ય)
૬. સાહિત્ય-સમીક્ષા: ‘દલપતની છબી’ (વિશ્વનાથ મ. ભટ્ટ)
૭. વિવેચના : ક. ઇં. ડા.' (વિ. ૨. ત્રિવેદી)
૮, ગુજરાત વર્નાક્યુલર સેસાઇટીને ઇતિહાસ, વિભાગ પહેલા, પ્રકરણ ૨૦; (હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ)
૯, નવલગ્રંથાવલિઃ ‘ત’કવિતાની પ્રસ્તાવના.' (તારણ—સ'. નરહિર દ્વા. પરીખ)
Page #170
--------------------------------------------------------------------------
________________
દુર્ગારામ મંછારામ દવે
નવીન શિક્ષણના પ્રકાશમાં ગુજરાત ખાતે સુધારા-પ્રવૃત્તિની પહેલ કરનાર દુર્ગારામ મહેતાજીના જન્મ ઇ. સ. ૧૮૦૯ના ડિસે`બરની ૨૫ મી તારીખે તેમના વતન સુરતમાં થયેા હતેા. તેમના પિતાનું નામ મછારામ અને માતાનું નામ નાનીગવરી હતું. જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ. મારામ દવે જકાત ઉધરાવવાના ઈરા ધરાવતા હતા. આર્ટ વરસની ઉંમરે દુર્ગારામ વીસા સુધીના અંક શીખ્યા; પછી તે એક પેઢી પર નામું શીખવા રહ્યા. બાર વરસની વયે એ જ પેઢીમાં મામુલી પગારથી દુર્ગારામ મુનીમ તરીકે રહ્યા. પણ તેમના ઉમંગી અને સાહસિક મનને વાણાતરીમાં ચેન પડતું નહિ. જ્યાંથી મળે ત્યાંથી પુસ્તકા વાંચીને કિશાર દુર્ગારામ પેાતાની જ્ઞાન–તૃષા સંતાષવાના પ્રયત્ન કરતા હતા. માતા નાકરી લીધા પહેલાં એકાદ વરસે મૃત્યુ પામી હતી. માસી રેવાકુ વર દુર્ગારામની સંભાળ રાખતાં હતાં. ચારેક વરસ અણુગમતી નોકરીનું વૈતરું ખેંચ્યા પછી તે માસીને લઈને · મુંબઈ ગયા. એ જ વરસે પિતા મૃત્યુ પામ્યા. માસીએ એક શાહુકારને ત્યાં મૂકેલી થાપણ પેઢી ડૂબતાં હૂખી તેથી દુર્ગારામને ગુજરાનની મુશ્કેલી ઊભી થઇ. મુંબઈમાં પૂછપરછ કરતાં તેમને ખબર મળી કે સરકારી નિશાળમાં મફત ભણાવે છે. માસીના પ્રાત્સાહનથી દુર્ગારામે ત્યાં દોઢેક વરસ રહીને . અભ્યાસ કર્યાં તે ગુજરાતી નિશાળના શિક્ષકની યેાગ્યતા મેળવી. પછી એ સૂરત આવ્યા અને ૧૮૨૬ના સપ્ટેંબરની ૧૩ મી તારીખે હિરપરામાં નિશાળ કાઢીને ‘ મહેતાજી' થયા. ૧૮૩૧માં તેમનાં લગ્ન કુંદનગૌરી સાથે થયાં. ૧૮૭૮માં કુંદનગૌરી મૃત્યું પામતાં મહેતાજી વિધુર થયા.
૧૮૪૦માં સરકારી નિશાળાના મહેતાજીને મુંબઈ ખેાલાવી પરીક્ષા લેવામાં આવી. દુર્ગારામ તેમાં શ્રેષ્ઠ ઠર્યાં. ગણિતમાં પહેલે નંબરે પાસ થઇને તેમણે સાતસે રૂપિયાનું ઇનામ લીધું. ત્રણ ચાર વરસ એલપાડમાં બદલી થઇ હતી તે ગાળા બાદ કરતાં, છેક ૧૯૫૨ માં તેમની બલી રાજકોટ થઈ ત્યાં સુધી, બધે વખત દુર્ગારામ સુરતમાં રહ્યા હતા.
શિક્ષક તરીકે દુર્ગારામ મહેતાજી સૂરતમાં સારી પ્રતિષ્ઠા પામ્યા હતા. ‘દુર્ગારામના કાઇ નિશાળિયા મુખ`નહિ ને પ્રાણશંકરના ભાગ્યહીન નહિ ' એવી કહેવત સુરતમાં એ વખતે પ્રચલિત હતી. વિચક્ષણ બુદ્ધિના દુર્ગારામ
Page #171
--------------------------------------------------------------------------
________________
ચકાર-પશ્તિાવલિ
નવીન વિજ્ઞાનના સિદ્ધાંતાને માનતા હતા. તે ખગેાળવિદ્યા વિદ્યાથી ઓને ખરાખર સમજણુ પાડીને શીખવતા ત્યારે પ્રાણશ કર વિદ્યાથી ઓને કહેતાઃ સાહેબ પરીક્ષા લેવા આવે તે પૂછે ત્યારે કહેવું કે પૃથ્વી ગાળ છે તે ફરે છે, પણ તે તમે માના નહિ, કેમકે પૃથ્વી ગેાળ હોય ને ફરે તા આપણાં ધર પડી જાય. તે પડતાં નથી માટે એ વાત ખોટી છે.'
દુર્ગારામનું નિશાળના મહેતાજીના કરતાં વધુ મહત્ત્વનું કામ સમાજસુધારા અને ધર્માવિચારણાનુ` છે. તેમણે ઉચ્ચનીચના ભેદ, ફરજિયાત વૈધન્ય, ભૂતપ્રેત જાદુમંતર આદિના વહેમ, અંધશ્રદ્ધા અને મૂર્તિપૂજા જેવી રૂઢિએ અને માન્યતાઓ સામે પેતાનેસૂઝી તેવી સ્વતંત્ર બુદ્ધિ-પ્રમાણિત વિચારશ્રેણી પ્રચલિત કરવાના ઠીક પુરુષાર્થ કર્યાં છે. લાકનિંદાથી ડર્યા વિના, વિધુર થયેલ દુર્ગારામે ‘ વિચારવ’ત ગંભીર પુરુષા પણ તેના દલીલ દાખલાથી માત થઈ શકામાં પડે' એવી સમ રીતે સૂરતમાં ઠેરઠેર વિધવાવિવાહના ક્રાન્તિકારક સુધારાના પ્રચાર કર્યાં હતા. તેએ જાતે મથુરી નામની ડુંગરપુરી વિધવાને પરણવા તૈયાર થયા હતા; પણ કેટલાક વિચક્ષણુ નાગરાના પ્રયાસથી, તેમને એક જ્ઞાતિજન તેમને પેાતાની કુંવારી કન્યા આપવા આગળ આવ્યા એટલે દુર્ગારામે તેને પરણીને વિધવાવિવાહના પ્રચાર કરવા હમેશને માટે છેડી દીધા, ૧૯૪૪ના નવેખરમાં મહેતાજીએ જાદુમ'તર ઉપર આક્રમણ કરતુ' ચોપાનિયું પ્રગટ કરીને ભૂવાઓને જાદુમાંતર સાચા ઠરાવવા આહ્વાન ફેંકયું હતું. એક વજેરામ નામના ભૂવાએ થાડા વખત દમદાટી અજમાવી જોઈ, પણ છેવટે મહેતાજીની જીત થઈ.
૧૮૪૨માં સૂરતમાં અંગ્રેજી નિશાળ સ્થપાઇ. તેના મુખ્ય શિક્ષક દાદાખા પાંડુરંગ જોડે દુર્ગારામને મિત્રતા બંધા. પાંચ દુદ્દાની ટાળીએ મુંબઇથી શિલાછાપ યત્ર મંગાવીને સુરતમાં સૌથી પહેલું છાપખાનું કાઢયું અને પુસ્તક પ્રસારક મડળ સ્થાપી. તા. ૨૨ જૂન ૧૮૪૪ના રાજ એ જ મડળીએ માનવધમ સભા ' સ્થાપી. એ સભા સ્થાપવાનુ` પ્રયેાજન • અજ્ઞાનને લીધે લેાકાની બુદ્ધિ બગડી ગયેલી હોવાથી તેમને સત્ય ધનુ' સ્વરૂપ બતાવવું’ એવું હતુ. ‘ અહી’આ માણસને જીવતે તે મેક્ષ મળે છે, તે જે કાઇ મૂઆ પછી મેાક્ષની આશા બતાવે છે તેના વાયદા ઉપર ભરાસેા નથી ' એમ કહીને દુર્ગારામ લેાકાને મા. ધ. સભામાં ખેલાવતા. દુર્ગારામ એ સભાના દફતરદાર હતા. દર શનિવારે નાણુાવઢમાં નવલશાના કાઠામાં સભા મળતી, તેમાં પડેલાં દુર્ગારામ- પ્રવચન કરતા, તે પછી સવાલજવાબ
.
Page #172
--------------------------------------------------------------------------
________________
થથ અને ગ્રંથકાર પુ૧૦ થતા. દરેક સભાના કાર્યને હેવાલ દુર્ગારામ પિતાની રોજનીશીમાં ટપકાવતા હતા. મા. ધ. સભાના કાર્ય વિશે તે વખતે કેટલાક અજ્ઞાની હિન્દુઓને એવો સંદેહ હતો કે “એ મંડળીવાળા લેકોને અંગ્રેજને ધર્મ વધારવાને વિચાર છે.” ખ્રિસ્તી ધર્મની અસરથી હિન્દુ ધર્મનાં છિદ્ર ઉઘાડાં થયાં હતાં, તેથી દુર્ગારામને સ્વધર્મને ત્યાગ કરવો નહોતે પણ તેને સુધારા હતા. આથી જ બામણિયા ધરમની ટીકા કરનાર દાદબાના દષ્ટિબિન્દુને આશ્ચર્યચકિત શિક્ષકે સમક્ષ સમજાવતાં દુર્ગારામે કહ્યું હતું: “તમે એમ ન સમજશો કે કોઈ બીજા અભિમાની ધરમમાં જવું એ મારું મત છે, પણ એટલું તે ખરું કે આપણું ધરમની સ્થિતિ બદલવી જોઈએ.'દુર્ગારામે આ ધર્મ-સુધારણાનું કાર્ય કોઈ પણ પરંપરાને અનુસર્યા વગર, સ્વતંત્ર બુદ્ધિએ વિચાર કરીને કર્યું હતું. તેમણે પોતાના ધર્મને માનવ ધર્મ કહ્યો છે. “મનુષ્ય જાતિનું એક કુટુંબ છે,' “માણસ માત્ર ઉપર પ્રીતિ રાખે', “સર્વ ધર્મના સાક્ષી થઈ વર્તે,” “જ્ઞાતિભેદ જઠે છે અને હરાઈ માણસનું પાણી પીવામાં ને રાંધેલું ખાવામાં વટાળ નથી તથા કોઈને અડકવાથી અભડાતા નથી” એ તેમનાં મુખ્ય ઉપદેશવચને છે. કર્મકાંડ, મૂર્તિપૂજા, અવતાર અને જડવાદના તેઓ કટ્ટર વિરોધી હતા. જીવ, જગત અને બ્રહ્મ વિશેને તેમને તસિદ્ધાંત ઘણે અંશે શંકરાચાર્યના કેવલાદ્વૈતને અનુસરે છે.
સને ૧૮૫રમાં દુર્ગારામની બદલી સૂરતથી રાજકોટ સબ-ડેપ્યુટી એજયુકેશનલ ઇન્સ્પેકટર તરીકે થઈ એટલે માનવ ધર્મ સભા વિખેરાઈ ગઈ. દુર્ગારામે સૌરાષ્ટ્રમાં પણ શિક્ષણકાર્ય ઉપરાંત જ્ઞાન અને સુધારાનો બોધ આપીને ખ્યાતિ મેળવી હતી. ચાર વર્ષ પછી સૌરાષ્ટ્રના કેળવણી ખાતાના ઈન્સ્પેકટર તરીકે તેમની નિમણૂંક થઈ. ઈ. સ. ૧૮૬૦માં તેઓ સાડીસાડત્રીસ રૂપિયાનું નિવૃત્તિ-વેતન લઈને સૂરત આવ્યા. નિવૃત્તિ-કાળ દરમિયાન તેઓ સુરતમાં ન્યાય કચેરીના એસેસર તરીકે, સુધરાઈના સભ્ય તરીકેને અનેક ઝઘડાઓમાં લવાદ તરીકે કામ કરીને સમાજસેવા કરતા હતા. વિલાયત જઈ આવેલા મહીપતરામને તેમણે ઘેર જમવા તેડાવ્યા હતા તેને લીધે તેમના કુટુંબને બાર વરસ ન્યાત બહાર રહેવું પડ્યું હતું, પણ તેથી દુર્ગારામ હિંમત હાર્યા નહતા. વળી પ્રજાને અવાજ પૂરતા વજન સાથે સરકારને સંભળાવવા માટે તેમણે “સૂરત પ્રજા સમાજ” નામની મંડળીની સ્થાપના કરાવી હતી. તેનું દફતર પણ દુર્ગારામ રાખતા
Page #173
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ભવિતાવલિ હતા. સુરતના અઠવાડિક પત્ર “ગુજરાતમિત્ર'માં છેલ્લાં વર્ષોમાં તેઓ નિયમિત લેખ લખતા હતા. નરસિંહરાવે તેમને “રસિકતાના અમીઝરણું વિનાની શુષ્ક ભૂમિમાનું ઘાસ ચરનાર પ્રાણીને આભાસ ઉત્પન્ન કરનાર તરીકે વર્ણવ્યા છે. પણ દુર્ગારામ છેક શુષ્ક નહોતા. સંગીતશાસ્ત્રનો તેમને ઘણો શૈખ હતે. ૧૮૭૬ માં મંદવાડ વધે તે પછી તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો ને ત્રણેક દિવસમાં દેહ છોડે હતે. | દુર્ગારામની દૃષ્ટિ પિતાના જમાનાથી કેટલી આગળ વધેલી અને ક્રાન્તિકારી હતી અને તેમની બુદ્ધિ એ જમાનાના વિદ્વાન ગણાતા લેકના કરતાં પ કેટલી વિચક્ષણ હતી તે તેમણે કરેલી મા. ૭. સભાના કાર્યની નોંધ પરથી સ્પષ્ટ સમજાય છે. રાજા-પ્રજાને સંબંધ કેવો હવે જોઈએ તે વિશે દુર્ગારામ કહે છે :
“સાંભળે રાજાનું રાજ્ય પ્રજાના કલ્યાણને અર્થે છે. પણ તેમ ન કરે ને ઉલટી પ્રજાને પીડા કરે, દરિદ્રી કરે, એક દેશની પ્રજા ઉપર કૃપા રાખીને તેને ધનવાન થવાને ઉદ્યોગ કરે. ને બીજા દેશની પ્રજાને નિર્ધન કરવા ઈચ્છે તો, તેવા રાજાના સામું લડીને ધર્મબુદ્ધિના ચાલનાર રાજાને રાજ્ય સેંપવું જોઈએ. હમારું બોલવું કેવળ અંગ્રેજોને જ વાતે નથી, પૃથ્વી ઉપરના સર્વ રાજાઓને વાસ્તે છે.. ને જે રાજા પોતે જ પ્રજાને દુ:ખ કરવા ઈચ્છે તે પ્રજાએ પોતાના હાથનું બળ રાજાને બતાવવું ને પરમેશ્વરની સહાયતા માગવી."* | દુર્ગારામના આ શબ્દોથી મિતવાદી મહીપતરામ આઘાત અનુભવે છે અને કહે છે કે એ ભાષણ ઈ. સ. ૧૮૪૪ ને બદલે ઈ. સ. ૧૮૭૮ માં દાદુબાએ અને દુર્ગારામે કર્યું હોત તો તેમને તેમના જીવતરને બાકીને ભાગ કાળે પાણીએ ચડી આન્દામાન બેટમાં કાઢ પડત ! એક પરપ્રાન્તીય શાસ્ત્રી સાથે પોતે કરેલી ચર્ચાની નોંધ દુર્ગારામની બુદ્ધિની વિચક્ષણતાને સુંદર દાખલ પૂરો પાડે છે:
વળી મેં પૂછ્યું કે સંસ્કૃત અને પ્રાકૃત એ ભાષામાં શું શું અંતર છે ? ઉત્તર કે સંસ્કૃત ભાષા સર્વ પૃથ્વીમાં પસિદ્ધ છે અને સ્વર્ગ મૃત્યુ પાતાળમાં એ એક જ છે. મેં કહ્યું મૃત્યુ લોકમાં તે શતાંશ સ્થળમાં પણ એ ભાષા નથી પછી સ્વર્ગમાં તો કેણ જાણે, તે સાંભળીને તે વિસ્મય થયો અને તેનું કાંઈક અભિમાન ઓછું થયું એવું મને લાગ્યું”+
* જુઓ “દુર્ગારામચરિત્ર” પૃ. ૧૦૩. + એજન, ૫. ૨૬,
Page #174
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને પંથકાર ૫૦ ૧૦
- ઈ. સ. ૧૮૪૭ ના જાન્યુઆરિની ૨૭ મી તારીખથી દુર્ગારામે પિતાની જાહેર પ્રવૃત્તિઓની દૈનંદિની નોંધ લેવી શરૂ કરી હતી. આમ કરવા પાછળ આત્મનિરીક્ષણ કરતાં પરોપકારને હેત વિશેષ હતું એમ તેમના નીચેના ખુલાસા પરથી સમજાય છે .
આજ સુધી ઘણીએક્વાર મારા મનમાં આવતું હતું કે જે અર્થે આ જગતમાં મારે ઉદ્યોગ જારી છે, અને જે જે વિચાર મારા મનમાં ઉઠેલા છે, ને ઉઠશે તે સર્વ લખી રાખવા જોઈએ. જો એમ નહિ કરું તે આગળ જે સૃષ્ટિમાં લોકો થશે તેને કંઈ મારા વિચારથી ફળ થશે નહિ તથા હવાડાંના કાળની બિનાને તે જાણશે નહિ. એ હેતુ જણને પોપકાથે જે કાંઈ થાય તે સર્વ લખી રાખવું જોઈએ.”
માનવ ધર્મ સભાના કામકાજને અહેવાલ મહેતાજી પિતાની રોજનીશીમાં ઉતારતા હતા. આ રીતે તેમણે ૧૮૫૨ સુધી મા. ધ. સભાની પ્રવૃત્તિની ક્રમબદ્ધ ોંધ કરી હતી. પણ 'દુર્ભાગ્યે એ ધનાં કાગળિયાંને ઘણો ભાગ મહેતાજીની ચૌટાની નિશાળ બળી તેમાં બળી ગયા હતા. ૧૮૪૫ ના જાન્યુઆરિની ૧લી તારીખ સુધીને અહેવાલ મહેતાજી પાસે બએ હતો તેને આધારે મહીપતરામ રૂપરામ નીલકંઠે દુર્ગારામચરિત્ર' રચીને ૧૮૯૩ માં પ્રસિદ્ધ કર્યું હતું. ૧૬૮ પાનાંના એ પુસ્તકમાં મહીપતરામનું પિતાનું લખાણ ભાગ્યે જ વીસ પાનાંથી વિશેષ હશે. એમાં લગભગ ૧૪૮ પાનાં જેટલું લખાણ મહેતાજીનું પિતાનું જ છે અને મહીપતરામે દુર્ગારામની નેંધને કશા ફેરફાર વગર યથાતથ એમાં ઉતારી છે એટલે “દુર્ગારામચરિત્ર'ને મહીપતરામરચિત દુર્ગારામનું જીવનચરિત્ર કહેવા કરતાં દુર્ગારામની આત્મકથા તરીકે ઓળખાવીએ તે ટું નથી.
પદ્યક્ષેત્રે આત્મકથનની પ્રણાલિકા સ્થાપનાર નર્મદે ગદ્યમાં પણ આત્મકથનની પહેલ કરી હતી એ સાચું છે? અલબત્ત પિતે ગુજરાતીમાં નવું પ્રસ્થાન કરે છે એવા ભાવ સાથે “મારી હકીકત' લખીને નર્મદે ગુજરાતી ગદ્યમાં શુદ્ધ આત્મકથનને પ્રથમ પ્રયોગ કર્યો એ સાચું; પણ એતિહાસિક દૃષ્ટિએ જોઈએ તે શિષ્ટ ગુજરાતી ગદ્યનું પ્રથમ ખેડાણ કરવાનું, તેમજ ગુજરાતીમાં અભાનપણે પણ પહેલી આત્મકથા લખવાનું માન દુર્ગારામને મળે છે તેઓ પિતે અંગ્રેજી જાણતા નહતા તેમ
• “ર્ગારામચરિત્ર, પૃ. ૧૩.
Page #175
--------------------------------------------------------------------------
________________
થથકાર-થાપિતાવલિ. સાહિત્યકાર તરીકે ખ્યાતિ પામ્યા નહતા, એટલે સાહિત્યક્ષેત્રે કઈ નવી પહેલ કરવાને ઈરાદે તેમણે આ લખાણ કર્યું નથી. તેમ છતાં, મહીપતરામે
દુર્ગારામચરિત્ર'માં ઉતારેલે દુર્ગારામને આ આત્મકથાત્મક અહેવાલ વાંચતાં એમાં આત્મકથાની કેટલીક ઉત્તમ ખાસિયત અને શિષ્ટ ગુજરાતી ગદ્યની પ્રારંભ-કેટીની કેટલીક વિશિષ્ટતાઓ નજરે પડયા વિના રહેતી નથી.
આત્મકથા તરીકે દુર્ગારામની. આ રોજનીશીને પહેલે ગુણ તે તેમની સત્યનિષ્ઠા છે. દુર્ગારામ નીડર, નિખાલસ, પ્રમાણિક અને સાચુકલા પુરુષ હતા. તેમના લખાણમાં નહિ મળે અતિશયોક્તિ કે નહિ મળે દંભ. પિતે કરેલી ભૂલને, સ્તુતિનિદાની પરવા કર્યા વિના, તેઓ રોજનીશીમાં નિખાલસપણે નોધે છે. તેમ કરતાં પિતાની એબ ઢાંકવાને કે નબળાઇનો બચાવ કરવાને તેમણે કઈ સ્થળે પ્રયત્ન કર્યો નથી. વિધવાવિવાહના સુધારા અંગે તેમણે લીધેલા પાછા પગલાની હકીકતને કેવળ હકીકત તરીકે તે તટસ્થભાવે રજૂ કરે છે. આમાં મા. ઇ. સભાના તેમ જ સ્વજીવનના અહેવાલને દુર્ગારામ દઢ સત્યપરાયણતાના ગુણને લીધે પૂરેપૂરે પ્રમાણભૂત બનાવે છે. દુર્ગારામે મા. ધ. સભામાં આપેલાં અઠવાડિક વ્યાખ્યાનેને આ શબ્દશઃ અહેવાલ, એકંદરે, શાંત અને સાત્વિક પ્રકૃતિના છતાં ઉદ્દામવાદી વિચારશ્રેણી ધરાવતા, દુર્ગારામની માનસ મૂર્તિને યથાર્થ ઉઠાવ આપે છે. આ અધૂરા અહેવાલ પરથી દુર્ગારામના બાહ્ય જીવનની ઘણું
ડી માહિતી મળે છે. પણ તેમાં નેધ પામેલી સુધારક પ્રવૃત્તિઓ અને ચર્ચાઓ દુર્ગારામના આંતરજીવનને એટલે સ્પષ્ટ પરિચય કરાવે છે કે તેની અપૂર્ણતાની ખોટ તરત વરતાઈ આવતી નથી.
કાળકમે નર્મદ, દલપતરામ કે રણછોડલાલ ગીરધરલાલના કરતાં દુર્ગારામનું ગદ્ય પહેલું આવે છે. એટલું જ નહિ, અર્વાચીન યુગમાં શિષ્ટ ગુજરાતી ગદ્યનું પ્રથમ પહેલું ખેડાણ કરીને તેને સાહિત્યિક છટા પણ સૌથી પહેલી દુર્ગારામે જ આપી ગણાય. કથન, વર્ણન અને મનન એ ત્રણ પિકી પહેલાં બે તવાળું ગદ્ય પ્રાચીન કે મધ્યકાલીન યુગમાંથી જડી આવે, પરંતુ વિચાર-નિરૂપણ કરીને નિબંધ-સ્વરૂપને જન્મ આપનારું ગદ્ય અર્વાચીન યુગમાં શરૂ થયું. એની તેમનો સમય અને તેમનું ગજું જોતાં પ્રશસ્ય ગણાય તેવી પહેલ દુર્ગારામે કરેલી છે. દુર્ગારામની ભાષા તેમના વ્યક્તિત્વના જેવી ખડબચડી છતાં, સરળ, તળપદી અને પારદર્શક
Page #176
--------------------------------------------------------------------------
________________
૪
ગ્રંથ અને ચાર પુ૦ ૧૦
પ્રૌઢિવાળી છે.. અહેવાલમાં તેમણે સંવાદાત્મક તેમ જ પત્રાત્મક શૈલીનેા સહજપણે ઉપયાગ કરેલા છે. દયારામ ભૂખણની માન પામેલી પેઢીવાળા શેઠ પુરુષાત્તમદાસ ઉપર લખેલા સાત પત્રામાં સદ્ગુરુનાં લક્ષણા, પ્રભુભક્તિના મહિમા અને તેની રીત, બ્રહ્માંડની અખંડ અનંતશક્તિ વગેરે ધામિ'ક તેમ જ વિધવાવિવાહ, મૃત્યુ સમયે ચાકા કરવાના રિવાજ અને તે પછી રેાવા–કૂટવાના રિવાજ વગેરે સામાજિક બાબતે સંબંધી લંબાથી ચર્ચા કરેલી છે. તેમાં મહેતાજીનુ તત્ત્વચિંતન અને આત્મજ્ઞાન વરતાઈ આવે છે. એમાં નઈની માફક ટૂંકાં પણ સચેટ વાકયો દ્વારા પેાતાના વક્તવ્યને સામાના મન પર ઢસાવવાની દુર્ગારામની કુશળતા પણ પ્રતીત થાય છે. ઉદાહરણ તરીકે તેમના નીચેના ઉદૂંગારા જુએ :
હવે અભિમાનનું ઉદાહરણ તમને લખી જણાવું છો. તે એ જે પ્રથમ તા . માણસે વના અભિમાન માની લીધા છે. તે એમ કહે કે હુ' જાતે બ્રાહ્મણ છો હું જાતે ક્ષત્રી છૌં, હું જાતે મુસલમાન છૌ, હું ખ્રિસ્તી છો, હું જૈન છો, હું શૈવ છો, હું વૈષ્ણવ છૌ, એવી રીતે અનેક જાતિનાં તથા પ થનાં, તથા જ્ઞાતિના કુલનાં અભિમાન માણસાએ માની લીધેલાં છે.”×
.
સિદ્ધાંતનિરૂપણમાં પ્રસંગેાપાત્ત શિષ્ટતા અને ગૌરવ ધારણ કરવા જતા આ ગદ્યની ભાષા અભ્યાસ કરવા યેાગ્ય છે. એમાં ન`દના ‘છઉ’ શબ્દપ્રયાગનુ છો. 'રૂપે દર્શન થાય છે; ' જે' અને ‘ૐ ’ ઉભયાન્વયી અવ્યયેાના વિકલ્પે ઉપયાગ થાય છે. વળી, નરસિંહરાવભાઇના ‘હુમતે ' ‘હમાર્’ ‘હાવા’ ‘ હેવું ’ ‘ સકે ' જેવા પ્રયાગા પણુ દુર્ગારામના
ગદ્યમાં ધ્યાન ખેંચે છે:
નવીન પ્રગતિસાધક વિચારશ્રેણી દ્વારા સુધારાના ક્ષેત્રમાં ગુજરાતી પ્રજાને દુર્ગારામે પા પા પગલી ભરાવી હતી તેા સાહિત્યક્ષેત્રે પહેલી ‘દુર્ગારામચરિત્ર’ પૃ. ૧૨૭ + એના સમનમાં નીચેનાં
X
અવતરણા ધ્યાનમાં રાખવા જેવાં છેઃ
(૧) “આ ઉત્તમ વર્તમાન સંપૂ કરતી વખતે હું ઇશ્વરની પ્રાર્થના કરૂં છી... જે દીનાનાથ તમે આ વિચારને સહાય આપો. અમરકથી કંઈ થઈ શકે હેવું નથી. જેમ ઉલેચવા સમુદ્ર અને ટીંટોડીના જેટલું ખળ.” (. ચ. પૃ. ૨૫).
(૨) “ પણ હમને એ રીત સારી લાગતી નથી. પછી હું પ્રસન્ન થઇને ખેલ્યા કે તમે હાવી સારી વાત જાણતા હસે હેવું. હું ાણતા નહાતા.” (૬. ચ. પૃ. ૨૮.)
Page #177
--------------------------------------------------------------------------
________________
થયાર-થાપિતાવલિ રજનીશી લખીને ગુજરાતી ગદ્યને, ઉપર જોયું તેમ, તેમણે ભાંખોડિયાં ભરતું કર્યું એમ કહી શકાય. દુર્ગારામે નિવૃત્તિકાળમાં લખેલું સાહિત્ય સંધરાયું નથી. પણ ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં તેમનું સ્થાન નિશ્ચિત કરવામાં આ એક જ વિશિષ્ટ કૃતિx બસ છે.
* અભ્યાસ-સામગ્રી
૧. મહીપતરામકૃત “દુર્ગારામચરિત્ર” ૨. “મહાજનમંડલ, પૃ. ૧૧૩૨-૧૧૩૮ ૩. “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન', વિભાગ બીજો ૪. “મરણમુકર'(ન. ભ. દી.) ૫. અર્વાચીન ચિન્તનાત્મક ગદ્ય', (વિ. ૨. ત્રિવેદી) વ્યાખ્યાન પહેલું ૬. “ દુર્ગારામ મહેતાજી” (ઉમાશંકર જોષી); “સંસ્કૃતિ': માર્ચ, ૧૫૦
અને જૂન, ૧૯૫૦ ૭. “ગુજરાતી આત્મકથાસાહિત્યની રૂપરેખા' (ધીરુભાઈ ઠાકર ):, “રેખા,
એકબર ૧૯૪૭ ૮. ' દુર્ગારામ મહેતાજી” (દલપતરામ): “બુદ્ધિપ્રકાશ', મે, ૧૮૭૭
- x દુર્ગારામચરિત્ર” રૂપે સચવાઈ રહેલી આ સામગ્રી અભ્યાસીઓને આજે એકાદ બે જનાં પુસ્તકાલયે સિવાય અન્યત્ર જોવા મળવી પણ મુશ્કેલ છે. એટલે અહીં તેને કંઈક વિસ્તારથી પરિચય આપ્યો છે. ગુજરાતની કઇ સાહિત્ય કે વિદ્યોત્તેજક સંસ્થા મહીપતરામકૃત કરસનદાસ ચરિત્ર” તેમજ આ કૃતિને વહેલી તકે પુનર્મુદ્રિત કરીને પ્રકાશમાં લાવે એ જરૂરી છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
નૃસિંહદાસ ભગવાનદાસ વિભાકર યૌવનમતિ વિભાકરને જન્મ તેમના વતન જૂનાગઢમાં તા. ૨૫-૨-૧૮૮૮ ના રોજ થયું હતું. તેઓ જ્ઞાતિએ સોરઠી વણિક હતા. પ્રાથમિક તેમજ માધ્યમિક અભ્યાસ વતનમાં જ પૂરે કરીને ત્યાંની શાળામાંથી તેઓ ૧૯૦૩ માં પહેલે નંબરે મેટ્રિક પાસ થયા અને બહાઉદિન કૅલેજમાં દાખલ થયા. ત્યાંથી એકાદ વર્ષ બાદ મુંબઈ જઈને સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી ૧૯૦૮ માં તેઓ બી. એ. પાસ થયા અને ૧૯૧૦ માં એલએલ. બી. થયા. ૧૯૧૧ માં વિભાકર બેરિસ્ટર થવા વિલાયત ગયા. ત્યાં તેમણે કાયદાની સાથે અર્થશાસ્ત્રને પણ અભ્યાસ કર્યો હતો. ૧૯૧૩માં વિલાયતથી પાછા આવીને તેઓ મુંબઈની સિડનહામ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. પછી એકાદ વરસે તેમણે વકીલાત શરૂ કરી હતી.
વિભાકર બી. એ. માં હતા ત્યારથી જ. તેઓ દેશની રાજકીય પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લેતા થયા હતા. ઈ. સ. ૧૯૦૭માં સુરતમાં કાંગ્રેસનું અતિહાસિક અધિવેશન ભરાયું તે વેળા તેમણે ટીળક મહારાજ, અરવિંદ છેષ, સરદાર અજીતસિંહ અને ખાપડે જેવા ક્રાન્તિકારીઓની પડખે ઊભા રહીને બાલાજીને ટેકરે ગજાવી મૂક્યું હતું. હેમરૂલ લીગની હીલચાલને ગુજરાતમાં વેગ આપવામાં વિભાકર મોખરે હતા. વિભાકરના વ્યક્તિત્વ-વિકાસમાં તેમના વિદ્યાગુરુ કૌશિકરામ વિશ્નહરરામ મહેતા અને તેમના વડીલ બંધુ ડૉ. કાલિદાસ વિભાકરને નોંધપાત્ર ફાળો હતો. | ગુજરાતી રંગભૂમિને સર્વાગીણ ઉત્કર્ષ સાધવ એ વિભાકરના જીવનની મુખ્ય નેમ હતી. નાટકશાળાઓને વિલાસ-સ્થાને ગણવાને બદલે જાહેર શિક્ષણ-કેન્દ્રો તરીકે પ્રતિષ્ઠા અપાવવાની તેમની અભિલાષા હતી. એટલે સાહિત્ય અને કલાની દષ્ટિએ ગુજરાતી રંગભૂમિમાં સુધારા કરવાની હિમાયત તેમણે જોરશોરથી શરૂ કરી. ઈ. સ. ૧૯૦૯ માં રાજકોટ ખાતે ભરાયેલી ત્રીજી સાહિત્ય પરિષદમાં તેમણે “નૂતન ગુજરાતને હવે કેવા સાહિત્યની અપેક્ષા છે?” એ વિષય પર છટાદાર શૈલીમાં નિબંધ વાંઓ હતા. તેમાં તેમણે ગુજરાતી નાટકસાહિત્યની દરિદ્રતા અને ગુજરાતી રંગભૂમિની અધોગતિ વિશે કડક ટીકા કરી હતી. “સૃષ્ટિલીલાનાં આબેદૂબ ચિત્ર, હૃદયના અકૃત્રિમ ભાવનો ચિત્તાકર્ષક વિલાસ તથા સંપત્તિની
તિમાં, આપત્તિનો અંધકારમાં અને બન્નેની મિશ્ર છાયામાં અથડાતાં
Page #179
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-પરિતા મનુષ્યોની આશાઓ અને નિરાશાઓ તથા એમનાં અધઃપતન અને ઉગમનનું હદયહારક આલેખન” ગુજરાતી નાટકમાં જોવા મળતાં નથી એવી તેમણે ફરિયાદ કરી હતી. ટૂંકમાં, ગુજરાતી નાટકમાં સાહિત્યિક ગુણવત્તા અને તખ્તાલાયકી બન્નેના સુમેળની ખોટ જે આજ સુધી સાલી રહી છે તેને તરફ શ્રી વિભાકરે સાહિત્યકારનું ધ્યાન ખેંચ્યું હતું. નાટક અને રંગભૂમિના ઉત્કર્ષની જવાબદારી બિનકેળવાયેલા લોકો પર છોડવાને બદલે સાહિત્યકારોએ પોતે ઉપાડવી જોઈએ એમ તેમણે એ વખતે ભારપૂર્વક કહ્યું હતું..
પછી એ દિશામાં સક્રિય કાર્ય કરવા સારુ વિભાકરે ગુજરાતી રંગભૂમિના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. તેમણે પિતે ભજવવા લાયક નાટક લખવા માંડવાં. ઈ. સ. ૧૯૧૨-૧૩ ના અરસામાં તેમણે “સિદ્ધાર્થ બુદ્ધ’ નામનું નાટક રચ્યું. ૧૯૧૪ ની આસપાસ મુંબઈની આર્ય નાટક મંડળીઓ તે નાટક ભજવ્યું હતું. ૧૯૧૭ માં તે પુસ્તકાકારે પ્રગટ થયું હતું. સ્વ. રણજિતરામ મહેતાએ તેને ગુજરાતી સાહિત્યમાં આવકાર આ હતો.+ પછીનાં ચાર વર્ષમાં વિભાકરે નવયુગની સામાજિક મહત્વાકાંક્ષાઓ અને સ્વદેશભાવનાને મૂર્ત કરતાં ચાર નાટકો આપ્યાં. સ્ત્રીને અધિકારને પ્રશ્ન ચર્ચતા “સ્નેહ-સરિતા ' નાટકે એ વખતે મુંબઈના સંસ્કારી સમાજને સારી પેઠે આકર્યો હતો. “વીસમી સદી', મુંબઈ સમાચાર', “જામે જમશેદ', “હિંદુસ્થાન ', “સમાલોચક' આદિ સામયિકમાં એના વિવેચને પ્રસિદ્ધ થયાં હતાં. વિભાકરને તેમજ તેના નાટકને
• મૂળ આર્યનીતિ નાટક મંડળી નકુભાઈ શાહ અને મોતીરામ બેચર ચલાવતા હતા. તે બન્ને ટા પડતાં નકુભાઈએ આર્યનૈતિક નાટક મંડળી અને તીસમ બેચરે આર્ય નાટક મંડળી કાઢી હતી.
+ એ નાટક વિશે તેમને આ અભિપ્રાય વિભાકરની નાટયક્લાનું યથાર્થ મૂલ્યાંકન કરે છે: “બુદ્ધના જન્મ અને જીવનથી ઇતિહાસ અને અધ્યાત્મની લાગણીઓ ભવ્ય સ્વરૂપમાં પ્રજ્વલિત થવી જોઇએ તેવી લેખકમાં થઇ નથી છતાં સુસંસ્કારી બુદ્ધિ જેવા ભાવ અનુભવી શકે તેનું આમાં સચોટ અને હૃદયસ્પર્શી આલેખન છે. બુદ્ધના મહાભિનિષ્ક્રમણ પછી કરણ સ એ જામે છે કે સહૃદયો અશુબદ્ધ થયા વિના રહેતા નથી. શૃંગારની મસ્તી નથી પણ મર્યાદામાં રહેતે વિશુદ્ધ આનંદી મર્માળે સુખી શૃંગાર છે. પ્રગાઢ હૃદયમંથન નથી, અનેહના ઊંડા ભાવ નથી, પણ જે છે તે સંસ્કાર અને રસથી એવું પૂર્ણ છે કે સચોટ છાપ પાડયા વિના રહેતું નથી.” *
Page #180
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને થકાર પુ. ૧૦ "તખ્તા-પ્રયોગ કરનાર મુંબઈ ગુજરાતી નાટક મંડળીને એનાથી સારી
પ્રસિદ્ધિ મળી. બાકીનાં ત્રણ તે સ્વરાજ્યની ભાવનાને રજૂ કરતું નાટક “સુધાચંદ્ર', હેમરૂલ લીગની ચળવળને અનુલક્ષતું “મધુબંસરી' અને મજુરેની જાગૃતિને વિષય બનાવતું “મેઘમાલિની.' .
આ અરસામાં વિભાકર ગુજરાતી રંગભૂમિના ઉત્તમ અદાકાર શ્રી, જયશંકર (સુંદરી), શ્રી. બાપુભાઈ નાયક અને શ્રી. મૂળચંદ (મામા)ના સંપર્કમાં આવ્યા હતા. શ્રી જયશંકર “મુંબઈ ગુજરાતી 'માંથી છૂટા થઈને ૧૯૨૨ માં લક્ષ્મીકાંત નાટક સમાજમાં જોડાયા હતા. મૂળચંદ (મામા) તેમાં દિગ્દર્શક તરીકે નિમાયા હતા. શ્રી જયશંકરને વિભાકર માટે અતુલ માન અને અનુરાગ. એટલે નવી નાટક કંપનીમાં જોડાતાં જ તેમણે સંકલ્પ કરેલે કે વિભાકરની જ કૃતિ દ્વારા આ નવી રંગભૂમિ ઉપરથી શ્રોતાગણને વંદન કરવું. પરિણામે, વિભાકરે શ્રી જયશંકરના પાત્રને લક્ષમાં રાખીને “અબજોનાં બંધન' નામનું નવું નાટક લખ્યું. એમાં
મહાદેવી લક્ષ્મીની મર્યાદાઓને નિર્દેશ કરીને ” ભારતમુક્તિની ભાવના સમજાવેલી છે. તા. ૨-૧૨-૨૨ ના રોજ વિકટેરિયા થિયેટરમાં આ નોટક ભજવાયું હતું.
વિભાકરનાં આ છ નાટમાંથી પાંચ નાટક કંપનીને ભજવવા સારુ આપી દીધેલાં એટલે એમાંથી એકે પ્રસિદ્ધ થઈ શકેલ નહિ. એથી આજે એ નાટકે પ્રાપ્ય નથી એ દુર્ભાગ્યની વાત છે. એ કૃતિઓ અપ્રાગતિક દશામાં સબડતી ગુજરાતી રંગભૂમિને નવી ચેતનદાયી હવામાં / લાવી મૂકવાના તેના લેખકના સમર્થ પ્રયત્નરૂપ હતી. નવીન દેશભાવનાના ઉદયને એ યુગ હતું. ગુજરાતી રંગભૂમિ ઉપર નવીન પ્રગતિશીલ વિચારશ્રેણવાળાં નાટકે સૌથી પ્રથમ વિભાકરે આપ્યાં છે અને એ પ્રકારનાં નાટકોને સૌથી પ્રથમ ભજવવાનું માન મુંબઈ ગુજરાતી નાટક મંડળીને મળે છે એમ કહીએ તે નથી. નવીન વિષયને નાટકમાં વણવા ઉપરાંત, સંસ્કારી ભાષામાં જેસીલા સંવાદો રચીને શ્રી વિભાકર ધારી અસર ઉપજાવી શકતા હતાં.
રંગભૂમિના ઉદ્ધારના ઉત્સાહમાં તેમણે “રંગભૂમિ' નામનું સૈમાસિક સંવત ૧૯૭૯ના કારતક મહિનામાં કાઢયું હતું. પણ કેવળ રંગભૂમિના પ્રશ્નોની વિચારણું અને તખ્તાલાયક નાટકને ફાલ આપવાને
Page #181
--------------------------------------------------------------------------
________________
અંધકા-પિતા બદલે તેનું ક્ષેત્ર વ્યાપક બનાવવા જતાં મૂળ ઉદ્દેશ સધાયો નહિ. એક વર્ષ બાદ એ “નવચેતન' સાથે જોડાઈને લુપ્ત થઈ ગયું.
ઈ. સ. ૧૯૦૯ થી ૧૯૦૪ ના ગાળામાં વિભાકરે સાહિત્ય, સમાજ, અર્થશાસ્ત્ર અને રાજકારણને લગતા હળવા તેમજ ગંભીર લેખે મુંબઈના જુદાં જુદાં સમયિકમાં લખ્યા હતા. તેને “આત્મનિવેદન ” નામે દળદાર સંગ્રહ પાછળથી તેમણે પ્રસિદ્ધ કર્યો હતે.
નૃસિંહ વિભાકરનું વ્યક્તિત્વ ઉલ્લાસ અને અતિથી તરવરતું હતું. અભિમાનની હદે પહોંચે તેટલી સ્વગૌરવ અને સ્વમાનની વૃત્તિ તેમનામાં હતી. આત્મશ્લાઘાની ગંધ આપે એટલે આત્મવિશ્વાસ તેમનાં ભાષણ અને લેખોમાં પ્રતીત થાય છે. “મહત્ત્વાકાંક્ષા તેમની રગેરગમાં રક્ત સાથે મળેલી હતી.' સાહિત્યપ્રેમ, રાષ્ટ્રભાવના અને રંગભૂમિના ઉત્કર્ષની ઝંખના. તેમની પ્રવૃત્તિનાં મુખ્ય ચાલક બળ હતાં. વિભાકર સારા વક્તા પણ હતા “બાયગ્રાના ધોધ જેવી વેગવંત તેમની વાણી હતી. તેમનાં લખાણો તેમના સ્કૂર્તિમંત વ્યક્તિત્વની વિશિષ્ટ છાપ પાડે તેવી તેજસ્વી શૈલીથી અંકિત છે. અનેક ઉચ્ચ અભિલાષનું ઉચ્ચારણ કરનાર આ આશાસ્પદ લેખક તેમને સિદ્ધ કરી બતાવે તે પહેલાં તો–૩૭ વર્ષની ભરજુવાન વયે પાંડુરોગનો ભોગ બનીને તા. ૨૮-૫-૧૯૨૫ ના રોજ આ દુનિયા તછને ચાલ્યો ગયો.
કૃતિઓ
૧૯૭
પતે
૧૯૨૪
કૃતિનું નામ પ્રકાર પ્રકાશન
પ્રકાશક
સાલ ૧. સિદ્ધાર્થ બુદ્ધ
નાટક ૨. આત્મનિવેદન
લેખસંગ્રહ ૩. નિપુણચંદ્ર
• કવિ ન્હાનાલાલનું નીચેનું વાકય સંભારે:
ગુજરાતી વક્તત્વકલાને જેe ( %) પુત્ર મણિશંકર રત્નજી ભટ્ટ ને બીજો પુત્ર સિંહ વિભાકર.” (“આપણાં સાક્ષરરત્ન' ભા. ૧, પૃ. ૫૯),
નવલકથા
Page #182
--------------------------------------------------------------------------
________________
નામ,
૧૯૧૬
૧૯૧૭
થથ અને થાપ અપ્રગટ નાટક રયા સાલ ભજવ્યા
ભજવનાર . તારીખ
કંપની ૧. સ્નેહ-સરિતા ૧૯૧૫ ૧૫ -૯-૧૫ મુંબઈ ગુજરાતી નાટક
મંડળી ૨. સુધાચંદ્ર
૫-૮-'૧૬. ૩. મધુબંસરી
૧૮-૭-'૧૭ ૪. મેધમાલિની ૧૯૧૮ ૨૩-૧૧-૧૮ ૫. અોનાં બંધન ૧૯૨૨ , ૨-૧૨-૨૨ લક્ષ્મીકાંત નાટક સમાજ
અભ્યાસ-સામગ્રી ૧. “આત્મનિવેદનની પ્રસ્તાવના (કૌ. વિ. મહેતા) ૨. “નવચેતન અને રંગભૂમિ, સપ્ટેમ્બર ૧૯૨૫; “સ્વ. વિભાકર : રંગભૂમિની - દષ્ટિએ” (વજતરવાળા મનહર) અને અધિપતિની નેધ ૩. “જઈ અને કેતકી” (વિ. ક. વૈદ્ય)ઃ “પત્રકારનું નિવેદન : ૪. આપણું સાક્ષરરત્ન (ન્હાનાલાલ કવિ): ભાગ ૨, પૃ. ૫૪
Page #183
--------------------------------------------------------------------------
________________
પ્રાણશંકર પ્રેમશંકર ભટ્ટ
શ્રી પ્રાણશંકર શાસ્ત્રીને જન્મ વિ. સં. ૧૯૧૭ માં તેમના વતન જામનગરમાં થયો હતો. તેઓ જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર હતા. આપણું પ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ્દ શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી તેમના ભાણેજ થાય. પ્રાણશંકરભાઈએ ગુજરાતી છ ધોરણો પૂરાં કરીને સંસ્કૃતને પદ્ધતિસર અભ્યાસ જામનગરમાં કેશવજી શાસ્ત્રી પાસે કર્યો હતો. તેમનામાં “સંસ્કૃત ગ્રંથને મર્મ સમજવાની” “સારી શક્તિ” હતી. તેમ છતાં તેમણે લેખન-કાર્ય ગુજરાતીમાં જ કર્યું છે. તેમના ગુજરાતી અક્ષરો સ્વચ્છ અને સુવાચ હતા. શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી મામાના અક્ષરોનો મરડ પોતાના અક્ષરોમાં ઉંમર વધતાં ઊતર્યો હોવાનું પિતાના “અક્ષરજીવનનાં સ્મરણો'માં નધેિ છે.
પ્રાણશંકરભાઈ સત્તર-અઢાર વર્ષના હતા ત્યારથી તેમને પદ્યરચનાને શોખ લાગ્યો હતો. તેમના તરુણ વયના કાવ્યપ્રયોગના સાથી ‘કાન્ત’, પ્રભાશંકર પટ્ટણી અને કવિ દુર્લભ શ્યામ ધ્રુવ વગેરે તેમના જ્ઞાતિબંધુઓ હતા. તેમના કાવ્યસંગ્રહ “કાવ્યકુસુમ'માં તેમના આ સાહિત્ય -મિત્રાની પાદપૂર્તિઓ પણ સંઘરાયેલી છે. આ સંગ્રહમાં સંસ્કૃત સુક્તકેના અનુવાદ ને તે પદ્ધતિનાં ગુજરાતી મુક્તકે તેમજ બોધક ને સ્તુતિરૂ૫ રચનાઓને સમાવેશ થાય છે. એમાંનાં કેટલાંક કાવ્યો સારા સંસ્કારવાળાં અને પ્રાસાદિક છે, જે ઉપરથી કર્તામાં સારી કાવ્યપ્રતિભાનાં બીજ છે” એમ મણિલાલ નભુભાઈએ તેનું અવલોકન કરતાં અભિપ્રાય આ હતા. પદ્યરચનાને શેખ પ્રાણશંકરભાઈએ છેવટ લગી જાળવી રાખ્યા હતા.
તેમણે ગદ્ય પણ ઠીક પ્રમાણમાં લખ્યું છે. સંપ, બ્રહ્મચર્ય અને બ્રાહ્મણવર્ગની ઉન્નતિ દ્વારા સામાજિક ઉન્નતિ એ તેમના બેધક નિબંધોના મુખ્ય વિષયે છે. તેઓ શ્રી ઝંડુ ભટ્ટજીના સંસર્ગમાં હતા. વૈદ્યક તેમના અભ્યાસને પ્રિય વિષય હતો. “વૈદ્ય કહપતરુ' અને “આયુર્વેદ વિજ્ઞાન'માં તેઓ વૈદ્યક વિશે છૂટક લેખ લખતા. વિ. સં. ૧૯૭૪ માં પ૭ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.'
Page #184
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને થથકાર ૫. ૧૦
કૃતિઓ
-
કૃતિનું નામ પ્રકાર પ્રકાશન-સાત પ્રકાશક ભાષાંતર હોય તે કે વિષય
મૂળ કૃતિનું નામ. ૧. કાવ્યકુસુમ કાવ્યસંગ્રહ ઈ. સ. ૧૮૯૪ પિતે ૨. અદ્વૈત-સિદ્ધિ નિબંધ ? ૩. બ્રહ્મચર્યને ઉપદેશ , ? ૪. આપણે ઉદય
કેમ થાય ? , ૧૮૯૬ પ. વૈદ્ય-વિદ્યાનું તાત્પર્ય
૧૯૯૭
શંકરપ્રસાદ વિ.
કરુણાશંકર, જામનગર ૬. અષ્ટાંગહૃદય વૈદ્યકવિષયક ૧૯૧૩ ભાવનગરના મહારાજા સંસ્કૃતનું ગ્રંથ •
ભાવસિંહજી
ભાષાંતર અભ્યાસ-સામગ્રી ૧. “એક સરસ્વતીભક્તના અક્ષરજીવનનાં સ્મરણે” (૬. કે. શાસ્ત્રી) માનસી,”
સબર, ૧૯૪૪; ૫. ૨૭૧૨૭૩ ૨ સુદર્શન ગદ્યાવલિ (મ. ન. દ્વિવેદી): પૂ. ૮૫, ૯૪૯ ૯૭૫
Page #185
--------------------------------------------------------------------------
________________
મગનલાલ નરોત્તમદાસ પટેલ “મહાજન-મંડળ'ના કર્તા શ્રી મગનલાલ પટેલને જન્મ વિ. સં. ૧૯૧૫ (સને ૧૮૫૯) ના ફાગણ માસમાં મહીકાંઠા જિલ્લામાં આંબલીરા ગામે થયો હતો. તેમના પિતાનું નામ નરોત્તમદાસ અને માતાનું નામ સખબાઈ હતું. જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. ગામડા ગામમાં ખેતીને ધંધે કરતી આજથી આશરે ૯૦ વરસ પહેલાંની પ્રજા કેળવણીના ફાયદા છે. ક્યાંથી સમજે ? પણ ૧૮૬૮ માં પહેલવહેલી સરકારી ગુજરાતી શાળા તેમના ગામમાં ખૂલી એટલે કૌતુકને ખાતર આંબલી આરાના ખેડૂતોએ પોતાનાં બાળકને નિશાળે ભણવા મોકલ્યાં હતાં. દસ વર્ષના મગનલાલ પણ એ વખતે નિશાળે બેઠા હતા. ઇ. સ. ૧૮૭૬ માં ગુજરાતી છઠ્ઠા ધોરણની પરીક્ષા તેમણે પસાર કરી હતી.
એથી વિશેષ અભ્યાસની ગામડામાં સગવડ નહોતી અને પુત્રને શહેરમાં ભણવા મોકલવા જેટલી મગનલાલના પિતાની શક્તિ નહોતી. તેથી અંગ્રેજી ભણવાની ઘણી હોંશ હોવા છતાં તેમને અભ્યાસ છોડ પડે. તેમણે ગામની શાળામાં મૅનિટર તરીકે માસિક એક રૂપિયાના પગારથી નોકરી શરૂ કરી. આ વખતમાં તેમના વિદ્યાગુરુ સદાશિવરાવ અનંતરાવ અને તેમના સહાધ્યાયી પીતાંબરદાસ શંભુરામના સંસર્ગથી મગનલાલને વાચનને શૈખ લાગે. પુનઃ તેમને અંગ્રેજી ભણવાની ઈચ્છા જાગી અને પિતાની અનુમતિ મેળવીને તેઓ ૧૮૭૮ માં અમદાવાદ આવીને અંગ્રેજી શાળામાં દાખલ થયા. પણ થોડા જ વખતમાં માંદા પડતાં ઘેર પાછા આવવું પડયું. ફરીથી તેઓ સરકારી કેળવણી ખાતામાં શિક્ષક થયા. મહીકાંઠા અને બાવીશી જિલ્લાનાં જુદાં જુદાં ગામોમાં બે વરસ કરી કર્યા બાદ તેમણે માલપુર દરબારમાં કારકૂનની જગ્યા મેળવી.
આ બધો વખત મગનલાલના મનમાં અંગ્રેજી ભણવાની લગની હતી જ. આખરે એક દિવસ એ હેતુ બર આણવા માટે તેઓ છાનામાના પૂના ન્યાસી ગયા અને ત્યાં ખૂબ કષ્ટ વેઠીને અંગ્રેજીનો કામ પૂરતે અભ્યાસ કર્યો.
શ્રી મગનલાલને મૂળથી જ મહાપુરુષોનાં જીવનચરિત્ર વાંચવાનો શોખ હતો. પૂનાથી મુંબઈ આવીને તેઓ તેમના મિત્ર દોલતચંદ પુરુષોત્તમદાસ બરડીયાને ત્યાં રહ્યા હતા ત્યાં તેઓ તે વખતના લોકપ્રસિદ્ધ કરો
૧૦
Page #186
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૩૦ ૧૦
સ્વામી દયાનંદ સરસ્વતી, ૫. ગટ્ટુલાલજી, દાદાભાઈ નવરેાજી વગેરેને રૂબરૂ મળ્યા હતા અને તેમનાં વ્યાખ્યાન સાંભળ્યાં હતાં.
ગ
૧૮૮૬ માં માલપુર દરબારની નેકરીમાં તેઓ ફરી જોડાયા. ત્યાંથી મહીકાંઠાના પેાલીટીકલ એજન્ટની મારફત સામેરામાં ઓપિયમ ઑફિસરની સરકારી નાકરી મળી. ત્યાં એ વ નાકરી કરી એટલામાં એક અમલદાર પર લાંચ લેવાના આરેાપના સુકમામાં તેમની જુબાની સરકારી ખાતાને પસંદ નહિ પડતાં મગનલાલને છૂટા કરવામાં આવ્યા. પછી માલપુરમાં ફાજદાર તરીકે થોડા વખત રહીને ૧૮૮૯ ના આગસ્ટમાં તે મુંબઇ ગયા અને ત્યાંની જ્યુબિલી મીલમાં કોટન કારકૂન તરીકે રહ્યા.
આ અરસામાં મગનલાલે લેખન-કાર્યાં શરૂ કર્યું.'. ૧૮૮૯ના ડિસેમ્બર મહિનામાં કૅગ્રિસનુ` પાંચમું અધિવેશન મુંબઈમાં ભરાયું હતું. તે વખતે તેમણે ‘ઇન્ડિયન નેશનલ કૅૉંગ્રેસ' નામની એક ન્હાની પુસ્તિકા લખીને બહાર પાડી હતી. તેમાં કૉંગ્રેસના ચાર વર્ષના ટૂંકા ઇતિહાસ અને તે નાંહેતુ ને ઉપયેાગિતાનુ' વાર્તારૂપે બયાન કરવામાં આવ્યુ હતું. આ પુસ્તિકા લેાકાને પસંદ પડતાં એ જ વખતે તેની હજારો નકલ ખપી ગઈ અને મગનલાલને પણ ખ્યાતિ મળી. પછી તેમણે મુંબઇની પારસી કામની સાંસારિક સ્થિતિની હિંદુ સમાજના રિવાજ સાથે તુલના દર્શાવતી · સંસારચિત્ર કા'ખરી ’ નામની વાર્તા લખી, જે તેમના સમયમાં ઠીક વખણાઈ હશે એમ ગુજ રાતના કેટલાક અગ્રગણ્ય સાક્ષરાના તેમણે ટાંકેલા અભિપ્રાય પરથી સમજાય છે. પછી તેમણે ‘ મુંબઇ શહેરનું વણુ ન ' તથા ‘ ખેતીવાડીનાં મૂળતત્ત્વની પાઠમાળા ભા. ૧ ' લખ્યાં હતાં. આ ઉપરાંત ‘ બુદ્ધિપ્રકાશ ’, ‘ સત્યમિત્ર ’ વગેરે પત્રમાં તેઓ ખેતી, આરેાગ્ય આદિ વિષયા પર છૂટક લેખા પણુ લખતા હતા.
આમ, લેખનકામાં આત્મશ્રદ્ધા ઉત્પન્ન થયા પછી મગનલાલે - મહાજન–મંડળ 'નુ' મહાભારત કાર્ય' ૧૮૯૨ માં ઉપાડ્યું. રાયલ સાઇઝના ૧૪૨૦ પાનાંના આ બૃહદ્ ગ્રંથ મગનલાલના પુરુષાર્થના સ્મારકરૂપ છે. આ ગ્રંથમાં તેમણે ભારતવર્ષોંના પ્રાચીન તેમજ અર્વાચીન યુગના નૃપતિઓ, રાજપુરુષા, સતા, ધમ'પ્રવા, પ'ડિતા, કવિઓ, દેશભક્તો, ધમાઁચિંતા, વૈદ્ય-દાતા, સંગીતકારી તેમજ સતીએ, વીરાંગના અને વિદુષી વગેરેના પરિચયા આપેલા છે. આ લેખાની લખાવટમાં કાઇ
Page #187
--------------------------------------------------------------------------
________________
થકાર-ચરિતાવલિ વિશિષ્ટતા નથી. પણ તેને અંગે માહિતી મેળવવા પાછળ લેખકે ઉઠાવેલો શ્રમ પ્રશસ્ય છે. આજે પણ એ ગ્રંથ એ જમાનાના અનેક લેખકે અને પ્રસિદ્ધ પુરુષો વિશે માહિતી પૂરી પાડનાર ગુજરાતી “આકર-ગ્રંથની ગરજ સારે છે.
કૃતિઓ કૃતિનું નામ પ્રકાર
પ્રકારાન-શાલ ૧. ઇન્ડિયન નેશનલ વાર્તા ૧૮૮૯
પ્રકારાક
કેંગ્રેસ
૨. સંસારચિત્ર કાદંબરી ,
૧૮૯૧ ૩. મુંબઇ શહેરનું વર્ણન નિબંધ ૪. ખેતીવાડીનાં મૂળતત્ત્વ ,
૧૮૯૨ ની પાઠમાળા ભા.૧ ૫. મહાજનમંડળ ચરિત્ર-લેખો ૧૮૯૬
અભ્યાસ-સામગ્રી મહાજન-મંડળ', પૃ. ૧૨૯૬–૧૩૦૬
Page #188
--------------------------------------------------------------------------
________________
મણિલાલ નભુભાઈ દ્વિવેદી - “અભેદમાર્ગપ્રવાસી' મણિલાલને જન્મ વિ. સ. ૧૯૧૪ના ભાદરવા વદ ચોથ-ઈ. સ. ૧૮૫૮ ના સપ્ટેમ્બરની ૧૯મી તારીખે પ્રાતઃકાળે નડિયાદમાં થયો હતો. એ નડિયાદના સાઠેદરા નાગર બ્રાહ્મણ હતા. પિતાનું નામ નભુભાઈ ભાઈલાલ દવે અને માતાનું નામ નિરધાર હતું. સાત વર્ષની વયે તેમને ઉપનયન-સંસ્કાર થયા હતા. તેર-ચૌદ વર્ષની વયે તેમનાં લગ્ન ચારેક વર્ષની બાળકી મહાલક્ષ્મી સાથે થયાં હતાં.
આશરે ચાર વર્ષની ઉંમરે મણિલાલે દયાશંકર પંડ્યાની ગામઠી નિશાળે ભણતરની શરૂઆત કરી. સાધારણ આંક અને વાચન સિવાય ગામઠી નિશાળમાં તેઓ ઝાઝું ભણી શક્યા નહિ. ધીરધાર અને ક્રિયાકાંડને ધંધે કરનાર નભુભાઈની ગણતરી દીકરાને થોડુંક લખતાં વાંચતાં આવડે એટલે કોઈને ત્યાં મુનીમ તરીક છેડે વખત રાખીને પિતાના ધંધામાં જોડી દેવાની હતી. એટલે ગુજરાતી પાંચ ધારણું પૂરાં કરીને અંગ્રેજી નિશાળમાં દાખલ થવાનું આવ્યું, ત્યારે કિશોર મણિલાલને પિતા પાસેથી અભ્યાસ આગળ વધારવાની રજા મહાપરાણે-“રડી કકળીને મેળવવી પડી.
અંગ્રેજી બીજા ધોરણમાં ઝવેરલાલ લલુભાઈ નામના શિક્ષકે મણિલાલને અભ્યાસમાં રસ લગાડે–જેને પરિણામે એ બીજા ધોરણમાં પહેલે નંબરે પાસ થયા. તેમને ઈનામ મળ્યું; તેમના અભ્યાસથી ખુશ થઈને મુખ્ય શિક્ષકે તેમને ત્રીજું ધોરણ કુદાવીને ચોથામાં મૂક્યા. આથી રાજી થવાને બદલે વિદ્યાથી મણિલાલ નિરાશ થયા ! બીજે દિવસે વર્ગ-શિક્ષક દ્વારા મુખ્ય શિક્ષક પાસે જઈને તેમણે વિનંતી કરી: “મને ઉતારી પાડે.” મુખ્ય શિક્ષકે “તું વિચિત્ર છોકરો છે' એમ સાશ્ચય ઉદ્દગાર કાઢીને મણિલાલને ત્રીજા ધોરણમાં બેસવાની રજા આપી. ત્રીજામાં અભ્યાસ સારે ચાલ્યો, પણ ચોથા ધોરણની અંદર સંસ્કૃત, ગણિત અને ભૂમિતિ પર તેમને એ કંટાળો ઉપજવા લાગ્યો કે એમાંથી કોઈ વિષયને સમય ભરવાનું મન થતું નહિ. બીજા વિષયો સારા આવડતા. એટલે છઠ્ઠા ધોરણ સુધી વર્ગમાં તેમને નંબર ખાસ ઊતર્યો નહિ. છઠ્ઠા રણમાં વળી તેમને હાથ ઝાલનાર ' શિક્ષક છબીલરામ દોલતરામ મળી ગયા. સંસ્કૃત વ્યાકરણના નિયમે ગોખવાને મણિલાલને કંટાળે હતે. તે ટાળવા સાર છબીલારામ માસ્તર તેમને રવિશંકર શાસ્ત્રી પાસે “લઘુકૌમુદી' શીખવા લઈ જવા લાગ્યા.
Page #189
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-પરિતાવલ ટૂંકા સૂત્ર રૂપે સંસ્કૃત વ્યાકરણ શીખવામાં તેમને રસ પડ્યો ને “જાણે તેમની જ મદદથી ભૂમિતિમાં પણ રસ પડયો!' મેટ્રિકમાં તેમને મુખ્ય શિક્ષક દેરાબજી એદલજી ગીમીએ ઉત્તમ માર્ગદર્શન આપ્યું હતું. ગીમી સાહેબની સૂચનાથી મણિલાલે ઘણું અંગ્રેજી પુસ્તક હાઈસ્કૂલના અભ્યાસ કાળમાં વાંચ્યાં હતાં. ટોડકત “ટુડન્ટસ ગાઈડ' એ વખતે તેમનું પ્રિય પાઠ્યપુસ્તક હતું. એ અને એમના સહાધ્યાયી છગનલાલ હરિલાલ પંડયા ઈ. સ. ૧૮૭૫ માં મેટ્રિકની પરીક્ષામાં બેઠા. તેમણે શિક્ષકના આગ્રહથી મેટ્રિકમાં સંસ્કૃત અછિક વિષય લીધો હતો. પરંતુ, પાછળથી દેશવિદેશમાં સંસ્કૃતના પંડિત તરીકે ખ્યાતિ પામનાર મણિલાલ અને “કાદંબરી'ના સમર્થ અનુવાદક છગનલાલ પંડયા સંસ્કૃતના જ વિષયમાં નાપાસ થવાથી, મેટ્રિકમાં પહેલે વર્ષે નિષ્ફળ ગયા.
પછીને વર્ષે ગીમી સાહેબ બદલાઈ ગયા. વળી તેમને બે માસ સખત . માંદગી આવી, પણ હવે તેમને અભ્યાસની બરાબર લગની લાગી હતી. લઘુકૌમુદી” અને “અમરકોશ' રાત્રે બે વાગે ઊઠીને ગોખીને તેમણે પાકાં કર્યો. અને એમ જાતમહેનત કરીને ૧૮૭૬ ની મેટ્રિકની પરીક્ષામાં તેઓ આખી યુનિવર્સિટીમાં બીજે નંબરે પાસ થયા. તે જ વર્ષે યુનિવર્સિટીમાં શરૂ થયેલી કહાનદાસ મંછારામ શિષ્યવૃત્તિ (માસિક વસ રૂપિયાની) તેમને મળ્યાની સરકારી ગેઝેટમાં જાહેરાત થઈ
: નભુભાઈની ઈચ્છા દીકરાને હવે આગળ ભણાવવાની નહોતી, પણ મણિલાલની મુંબઈની એલિફન્સ્ટન કોલેજમાં દાખલ થવાની ઉત્કટ અભિલાષા હતી. એને માટે શિષ્યવૃત્તિના લાભ આગળ કરીને માંડ માંડ પિતાની અનુમતિ મેળવીને ૧૮૭૭ ના આરંભમાં તેઓ ૧૮ વર્ષની વયે એલિફન્સ્ટન કોલેજમાં દાખલ થયા અને તેના છાત્રાલયમાં રહેવા લાગ્યા.
સમયપત્રક બનાવીને દરરોજ લગભગ તેર-ચૌદ કલાક વાંચવાને નિયમ મણિલાલે કૅલેજનાં ત્રણ વર્ષ ચીવટપૂર્વક પાળ્યો હતો. તેમની અભ્યાસ-પદ્ધતિ વિશિષ્ટ હતી. તેઓ કોઈ પણ વિષયને હસ્તામલકવત કર્યા વગર છોડતા નહિ. અમુક વિષયનું જ્ઞાન કેઈ એક પુસ્તકમાંથી યંત્રવત ગોખીને મેળવવાને બદલે તેઓ એ વિષયનાં ઘણાં પુસ્તક વાંચીને તે વિષયનું સંપૂર્ણ જ્ઞાન મેળવવાને આગ્રહ હમેશાં રાખતા. આથી, અન્ય વિદ્યાથીઓ કરતાં તેમને શ્રમ ઘણે કરે પડતે, પણ બદલામાં ઊંડા અને સંગીન જ્ઞાનનો લાભ મળતું. બી. એ. માં બુદ્ધિ અને તર્કશક્તિ
Page #190
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર : ૧૦ ખીલવે તેવા ઇતિહાસ અને રાજનીતિશાસ્ત્ર (Political Economy)ને તેમણે ઐચ્છિક વિષય તરીકે પસંદ કર્યા હતા. એ પરીક્ષા માટે તેમણે ભારે મોટી તૈયારી કરી હતી. બી. એ. માં તેઓ બીજા વર્ગમાં પાસ થયા હતા, પણ આખી પરીક્ષામાં તેમને નંબર બીજો હતે. ઈતિહાસ–રાજનીતિશાસ્ત્રમાં તેમને જેમ્સ ટેલર પારિતોષિક મળ્યું હતું.
આમ મણિલાલની કોલેજ-કારકિર્દી તેજસ્વી હતી. ડો. ભાંડારકર અને પ્રિ. વર્ડઝવર્થની ઉત્તમ પ્રીતિ અને શિક્ષણ પદ્ધતિને તેઓ લાભ પામ્યા હતા. પ્રિ. વર્ડઝવર્થની કૃપાથી તેઓ બી. એ. પાસ થયા પછી ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં માનાઈ “ફેલે' તરીકે નિમાયા હતા. “ફેલ” તરીકે તેમણે પિતાને અણગમતા વિષયે “ ટ્રીગેનોમેટી ” અને “યુકિલડ' ખૂબ મહેનત લઈને એક વર્ષ શીખવાડીને કેલેજના વિદ્યાર્થીઓમાં ઉત્તમ છાપ પાડી હતી. | ગમે ત્યાં નોકરી સ્વીકારી લેવાનું હવે અનિવાર્ય હતું. એટલે પિતાની ઘણી ઈચ્છા હોવા છતાં મણિલાલથી એમ. એ. ને અભ્યાસ થઈ શકે તેમ નહોતું. પણ તેમની અભ્યાસતૃષા અદમ્ય હતી; એમ. એ. ની પરીક્ષામાં અઘરા ગણાતા વિષે ઇતિહાસ અને ફિલસૂફી પૂરેપૂરા પાક કરી લેવાના ઈરાદે અધ્યાપકો પાસેથી તેમણે એ વિષયના પાઠ્યગ્રંથની પૂરી યાદી મેળવી લીધી અને પિતાના શેખના વિષયનું ઊંડું જ્ઞાન સંપાદન કરીને સંતોષ લીધે. •
૧૮૮૦ ના એપ્રિલ સુધી તેમણે ફેલો'ની કામગીરી બજાવી. પછીના જુલાઈમાં નડિયાદની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે રૂપિયા સાઠના દરમાયાથી તેઓ જોડાયા. ત્યાં તેમણે થોડો વખત કામ કર્યું એટલામાં ૧૮૮૧ ના એપ્રિલમાં તેમને મુંબઈની સરકારી ગુજરાતી નિશાળના ડેપ્યુટી એજ્યકેશનલ ઈન્સ્પેકટરની જગ્યા મળી. મુંબઈ-નિવાસ દરમ્યાન તેમણે કેળવણી ખાતામાં નિષ્ઠાવાન અને કાર્યદક્ષ અધિકારી તરીકે અને શિક્ષિત સમાજમાં બુદ્ધિશાળી ચિન્તક અને લેખક તરીકે, દઢ છાપ પાડી હતી. ૧૮૮૫ ના જાન્યુઆરિમાં નવી નીકળેલી ભાવનગરની શામળદાસ કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે તેમની નિમણુંક થતાં તેઓ મુંબઈથી ભાવનગર ગયા. ૧૮૮૮ ના એપ્રિલ સુધી ત્યાં તેમણે ઉત્તમ અધ્યાપન-કાર્ય કરીને કે અને વિદ્યાથીઓની પ્રીતિ સંપાદન કરી હતી. પછી માંદગીને કારણે તેમને એ નોકરી છોડવી પડી અને નડિયાદમાં ફરજિયાત નિવૃત્તિ સ્વીકારવી પડી. પાછળથી દોઢેક વર્ષ (૧૮૯૩ના ડિસેમ્બરથી ૧૮૯૫ના જૂન સુધી)
Page #191
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-સરિતાવલિ વડોદરા રાજ્યના ભાષાંતર ખાતાના અધિકારી તરીકે તેમણે કામ કર્યું હતું; બાકીને બધે વખત મણિલાલે કચ્છ અને વડોદરા જેવાં રાજ્યો, થિયેસેફિકલ સોસાયટી જેવી સંસ્થાઓ અને કેટલીક વ્યક્તિઓ દ્વારા સોંપાયેલ ગ્રંથ તેમજ પિતાની યોજનાના ગ્રંથ તૈયાર કરવામાં ગાળ્યો હતે. ૧૮૯૮ ના ઓકટોબરની પહેલી તારીખે તેમનું અવસાન થયું તે પળ સુધી તેમણે પિતાનું ઈષ્ટ લેખનકાર્ય છોડયું નહોતું.
ચાળીસ વર્ષમાં જીવન-લીલા સંકેલી લેનાર મણિલાલનું લેખનકાર્ય વિપુલ અને બહુવિધ છે. તેમને કવિતા રચવાનો છંદ બાળાશંકરે લગાવ્યો હતો. દલપતરામ અને નર્મદાશંકર એ બેમાં કે કવિ મોટો એ આ પંદર સત્તર વર્ષના કિશોરની સાહિત્ય-ચર્ચાને વિષય બનતે. મણિલાલે દલપતશૈલીમાં કાવ્ય લખવાની શરૂઆત કરી હતી. ૧૮૭૫માં તેમણે “શિક્ષાશતક' નામને પિતાની આરંભની કૃતિઓનો સંગ્રહ પ્રગટ કરીને બાળાશંકરને અર્પણ કર્યો હતો. કૅલેજ-કાળ દરમ્યાન ભાષા અને છંદ ઉપર તેમણે સરસ હથોટી જમાવી લીધી હતી. કવિતા અને સાહિત્યતવ પરત્વે તેમના વિચારો. મિત્રોમાં વિવેચકના અભિપ્રાય જેટલા વજનદાર લેખાતા. મસ્ત કવિ બાળાશંકરના સંસર્ગો તેમ કેવલાદ્વૈતના મનને તેમને મસ્ત રંગની ગઝલ લખવા પ્રેર્યા હતા. પ્રેમ અને ભક્તિના આત્મલક્ષી અનુભવો પણ તેમનાં અમુક ઉત્કૃષ્ટ ઊર્મિકાવ્યોની પીઠિકા પર રહેલા છે.
તેમણે બે નાટકો લખેલાં છે: “ કાન્તા” અને “નૃસિંહાવતાર.” પહેલું નાટક ૧૮૮૯ના સપ્ટેમ્બરમાં મુંબઈમાં મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ ભજવ્યું હતું. બીજું તે તેમણે એ મંડળીને માટે જ ૧૮૯૭માં લખ્યું હતું, જે તેમના અવસાન બાદ ૧૮૯૦ માં મુંબઈમાં ભજવાયું હતું. તે અદ્યાપિ અપ્રગટ છે. ૧૮૮૦ માં તેમણે સંસ્કૃત નાટક “માલતી માધવ'નું અને ૧૮૮૨ માં “ઉત્તરરામચરિત'નું ભાષાંતર કર્યું હતું. “ઉત્તરરામચરિતના ભાષાંતરને ગુજરાતી વિવેચકોએ ઉમળકાભેર સત્કાયું હતું. તે
કવિ નાટકકાર કે વિવેચકના કરતાં ધર્મ-તત્ત્વ-ચિંતક તરીકે મણિલાલ વિશેષ જાણીતા છે. તેમનું કુટુંબ ની પરંપરાના સંસ્કારવાળું હતું. તેમાં ઉછરેલા મણિલાલ પિતાના આગ્રહથી અને શિક્ષકના ઉપદેશથી મેટ્રિક પાસ થયા ત્યાં લગી, ત્રિકાલ સંધ્યા કરતા હતા. કોલેજમાં ગયા પછી તેમને ત્રિકાલ–સંધ્યા છોડવી પડી હતી. પણ કેલેજ છેડયા બાદ,
Page #192
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને કાર પુ૦૧૦
‘કૅલેજમાં રહેવાથી આવેલ નાસ્તિકપણું' દૂર થતાં પુનઃ સન્ધ્યાવન્દનાદિ ક્રમ તેમણે શરૂ કર્યાં હતા. કૉલેજ છેાડી તે વખતે મણિલાલ પાશ્ચાત્ય ફિલસૂફીની તુલનાએ પ્રાચીન આ ધમ ભાવનાના વિચાર કરીને એમાંથી તથ્ય તારવી કાઢવાની મથામણમાં પડયા હતા. સાથે સાથે જીવનના ઉદ્દેશનું ચિંતવન પણ ચાલતું હતુ, તે આખરે ધમ અને પ્રેમ એ એ લક્ષ્ય ઉપર આવીને સ્થિર થયું'. ધણા મનનને અંતે ધમ અને પ્રેમની એકતા તેમને પ્રતીત થઈ અને પરમ પ્રેમ-અર્થાત્ વિશાળ જગ ફ્વ્યાપી પ્રેમ એ જ મેાક્ષ એવા નિણૅય લેવાતાં શાંકર વેદાન્ત ઉપર તેમની શ્રદ્ધા દૃઢ થઈ. આ અદ્વૈતનિષ્ઠા મણિલાલની સમગ્ર વિચારશ્રેણીના
પાયારૂપ છે.
ક
આ અદ્વૈતના કીમિયા વડૅ તેમણે જીવનની અનેક વિસંવાદિતાનુ સમાધાન કરી બતાવ્યું છે. તેમના પુરેાગામી નદે ‘સતશુદ્ધ' ધર્મનુ ઝાંખું' દન કરાવવાના પ્રયત્ન કર્યો છે. પણ તેના એ પ્રયત્ને મહારે તે પહેલાં તે પાતાનું અધૂરું મૂકેલું કા ૨૮ વષઁના જુવાન સમાનધમાં મણિલાલને સોંપીને તેને ચાલી નીકળવું પડયું હતું. ધર્માંતે કેન્દ્રમાં રાખીને જીવનના ખ્યાલ કરવાનું સૌથી પ્રથમ મણિલાલે જ ગુજરાતને શીખવાડયું. ધની બાબતમાં અભેદાનુભવને જ તે બ્રહ્મસાક્ષાત્કાર કહે છે; ગૃહમાં અભેદ વગર સાચું સુખ કે શાંતિ મળે નહિ; રાજયનું એ ઉત્તમાંગ છે અને સાહિત્યના સર્જન માટે એનાઉત્કટ અને વિશાળ અનુભવની અનિવાર્ય આવશ્યકતા એવું એમનુ' સામાન્ય પ્રતિપાદન છે. વેદાન્તની પરિપાટી ઉપર હિન્દુ ધર્મ તથા સાંસ્કૃતિના મુખ્ય સિદ્ધાંતોને તર્કશુદ્ધ શૈલીમાં સમજાવીને અન્ય ધર્મોની અપેક્ષાએ સ્વધર્માંની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવાના તેમણે જિંદગીભર પુરુષા કર્યા કર્યાં છે. ‘સિદ્ધાંતસાર’ અને ‘પ્રાણવિનિમય’ તેમની આ પ્રવૃત્તિનાં ઉત્તમ ફળ છે. મણુિલાલને મન સ્વધર્મ'ની શ્રેષ્ઠતા એટલે અભેદની જ શ્રેષ્ઠતા છે, જેને તે પ્રાચીન ધર્મભાવના કહે છે. એગણીસમી સદીના છેલ્લા ચરણમાં ગુજરાત ખાતે પશ્ચિમી સંસ્કૃતિના જોસભેર ધસારા થઈ ચૂકયા હતા અને નવીન શિક્ષણ પામેલ જુવાન વ` સ્વસંસ્કારની ઉપેક્ષા કરીને પાશ્ચાત્ય રંગે રંગાવામાં કૃતકૃત્યના માનતા હતા ત્યારે પશ્ચિમની વ્યક્તિપ્રધાન સંસ્કૃતિ ઉપર પૂર્વાંની સમષ્ટિપ્રધાન સ ́સ્કૃતિની સરસાઈ સાબિત કરી બતાવીને પૂર્વ તે પશ્ચિમના સંસ્કારોના ગજગ્રાહની એ કટોકટીની પળે
Page #193
--------------------------------------------------------------------------
________________
થાકાર-શાપિતાવલિ તેમણે ગુર્જર પ્રજાને સ્વસંસકારનું રક્ષણ કરવાનું ઉદ્દબોધન કરીને જે સેવા બજાવી છે તે ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસમાં સદાકાળ સંભારાશે. - ધર્મ-તત્વની ચર્ચા કરતી વખતે તેમની સમક્ષ (૧) સામાન્ય ગુજરાતી પ્રજાજને, (૨) સુધરેલા ગણતો શિક્ષિત સમુદાય અને (૩) પશ્ચિમની પ્રજા એમ ત્રણ વર્ગના લોકો હતા. આરંભનાં પાંચ વર્ષ (૧૮૮૫-૧૮૯૦) પ્રિયંવદા' દ્વારા અને પછીનાં આઠ “સુદર્શન' (૧૮૯૦-૧૮૯૮) દ્વારા તેમણે પિતાના વિચારો પ્રથમ બે વર્ગને પહોંચાડયા હતા. તેને અંગે સુધારક વર્ગની સાથે વાદયુદ્ધમાં પણ તેમને ઊતરવું પડયું હતું. ત્રીજા વર્ગને માટે તેમણે અંગ્રેજીમાં લેખ લખ્યા હતા. ૧૮૮૯ના માર્ગમાં તેમને “Monism or Advaitism?” નામને અંગ્રેજી ગ્રંથ પ્રસિદ્ધ થયેલ હતું. તેનાથી તેમને યુરોપ-અમેરિકામાં સારી ખ્યાતિ મળી હતી. એ અરસામાં તેમને સ્વીડનની
આઠમી ઓરિયેન્ટલ કિગ્રસંગમાં હાજરી આપવાનું નિમંત્રણ મળ્યું હતું. પછી ૧૮૯૩ માં શીકાગોમાં ભરાયેલ વિશ્વધર્મ પરિષદની સલાહકારક સમિતિમાં તેમની નિમણૂંક થઈ હતી. એ વખતે પણ તેમને શીકાગો આવવાનું આગ્રહભર્યું નિમંત્રણ મળ્યું હતું. પરદેશમાં સ્વધર્મને પ્રચાર કરવાના આશયથી પ્રેરાઈને મણિલાલે અમેરિકા જવા માટે પ્રયત્ન પણ કર્યો હતો. પરંતુ આર્થિક તંગી અને નાદુરસ્ત તબિયતને કારણે તેમની મનની મનમાં જ રહી ગઈ હતી.
મણિલાલ પ્રાણવિનિમય (mesmerism)ના પ્રયોગ કરતા હતા. થિયેસોફિકલ સોસાયટીના તેઓ અગ્રણી સભ્ય હતા અને તેના ગસાધનાદિ પ્રયાગમાં પૂર્ણ રસ ધરાવતા હતા. તેઓ અઠંગ વેદાન્તી હતા. તેમ છતાં મૂર્તિપૂજા, યજ્ઞયાગ, ભક્તિ વગેરેને અધિકારક્રમ અનુસાર સ્વીકારતા હતા. મણિલાલ શકુન વગેરેને તેમજ મંત્રજંત્રને પણ નિરર્થક ગણતા નહતા, એટલે તેમને કેટલાક સુધાણ્યા “વહેમી' કહેતા. વળી વિધવાના પુનર્લગ્ન વિશે તેમ જ સંમતિ વયના ધારા પરત્વે સુધારક વર્ગ સાથે તેમને ગંભીર વિવાદ ચાલ્યો હતો. તેમ છતાં, “નારી પ્રતિષ્ઠામાં તેમણે સ્નેહલગ્ન અને સ્ત્રીશિક્ષણને આજ સુધારકેના કરતાં પણું ઉચ્ચ ભાવનાની ભૂમિકા પરથી સમજાવ્યું છે.
સુધારાની માફક સાહિત્યના ક્ષેત્રમાં પણ વિવિધ પ્રશ્નો પરત્વે મણિલાલને અનેક વિદ્વાને જોડે વિવાદમાં ઊતરવાનું થયું હતું. તેમની “ગુજરાતના લેખકો' વિશેની લાંબી લેખમાળા તેના ઐતિહાસિક પુરાવારૂપ છે. આ પ્રકારના
૧૧
Page #194
--------------------------------------------------------------------------
________________
થથ અને થથકાર ૫, ૧૦ વિવાદોથી ગુજરાતી ભાષા તેમજ પ્રજાને સરવાળે ફાયદો થયો છે. તેનાથી ગુજરાતી ભાષા સારી રીતે ખેડાવા પામી. વસ્તુતઃ શાસ્ત્રીય ચર્ચા અને તત્ત્વવિચાર સારુ ગુજરાતી ભાષાને મણિલાલે સૌથી પ્રથમ પળેટી છે અને પિતાની અપૂર્વ વિવાદબુદ્ધિ વડે ભાષાની ધાર કાઢી કાઢીને તેમણે તેને ઉત્તરોત્તર તીણ બનાવી છે. તેઓ પિતાને “યથાર્થ” પક્ષના લેખક ગણાવે છે તે સૂચક છે. સંસ્કૃત અને તળપદી, શિષ્ટ અને ઉત્કટ, ગંભીર અને આવેશવાળી એમ પરસ્પર વિરુદ્ધ લાગતી ભાષાશૈલીને અદ્દભુત સમન્વય સાધીને તેઓ તાક્યું તીર મારી શકે છે. તેમની ગદ્યશૈલીમાં જડતા, એકવિધતા કે નીરસતા ક્યાં ય જોવા નહિ મળે. તાજગી, સ્વયંસ્કૃતિ અને એજિસના ગુણો તેમાં કુદરતી રીતે જ પ્રગટ થાય છે. ગુજરાતી ભાષાને સૌથી પ્રથમ સચેતન અને સુગ્રથિત સ્વરૂપવાળા સંખ્યાબંધ નિબંધ આપીને મણિલાલે આદર્શ નિબંધસ્વરૂપના વિધાયક તરીકે ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં અમર સ્થાન પ્રાપ્ત કર્યું છે.
પ્રામાણિક મતભેદને કારણે મણિલાલને અનેક પ્રતિપક્ષીઓ હતા. તેમાં જિંદગીભર સુદર્શન'ની સામે “જ્ઞાનસુધા'માં ધર્મ, સમાજ અને સાહિત્યમાં વિવાદની પરંપરા ચલાવનાર સ્વ૦ સર રમણભાઈ મુખ્ય હતા. બીજે નંબરે હરગોવિંદદાસ કાંટાવાળા આવે. કાન્ત અને નરસિંહરાવ રમણભાઈની પ્રાર્થનાસમાજી વિચારશ્રેણીના ટેકેદાર અને વેદાન્તના વિરોધી હતા. પાછળથી–૧૮૯૫ માં કાન્ત મણિલાલને રૂબરૂ મળ્યા ત્યારપછી તેમને મતભેદ પાતળો પડી જઈને નહિવત થઈ ગયો હત; એટલું જ નહિ, મણિલાલને તેમણે પિતાના ગુરુ તરીકે પણ સ્વીકાર્યા હતા. કલાપીને ગાદી મળી ત્યારથી છેવટ લગી તેમના પૂજ્ય ગુરુનું સ્થાન મણિલાલ ભેગવતા હતા. આનંદશંકર એમને પોતાના “જયેષ્ઠ વિદ્યાબંધુ' ગણતા. માનશંકર પી. મહેતા અને પ્રે. બળવંતરાય ઠાકર તેમના શિષ્ય હતા. પ્રો. ગજ્જર અને બાળાશંકર સાથે તેમને નિકટ મત્રી હતી. આમ મણિલાલના વિરોધી ઓનું તેમ જ મિત્રો શિષ્ય ને અનુયાયીઓનું જૂથ મોટું હતું.
' એમના જમાનાના સંસ્કૃતના પ્રથમ પંક્તિના વિદ્વાન તરીકે મણિલાલને ભારતમાં તેમજ યુરોપ-અમેરિકામાં નામના મળી હતી. મુંબઈ યુનિવર્સિટીમાં સંસ્કૃતના પરીક્ષક તરીકે નિમાનાર તેઓ પહેલા જ ગુજરાતી હતા. પંજાબ યુનિવર્સિટીની બી. એ. તથા એમ. એ. ની પરીક્ષામાં પણ તેઓ સંસ્કૃતના પરીક્ષક તરીકે વર્ષો સુધી નિમાયેલા. પાટણના જૈન
Page #195
--------------------------------------------------------------------------
________________
થથકાર-ચરિતાવહ ભંડારાના ગ્રંથોની યાદી સૌથી પ્રથમ તેમણે તૈયાર કરી હતી. અને સંસ્કૃત ગ્રંથેનાં ભાષાંતર-સંપાદન કરીને એ ક્ષેત્રમાં પણ તેમણે નધિપાત્ર ફાળે આડે હતો. નિવૃત્તિકાળ દરમ્યાન લેખન ઉપરાંત નડિયાદમાં ઓનરરી મેજિસ્ટ્રેટ, મ્યુનિસિપાલિટીની શાળા-સમિતિના પ્રમુખ અને કોંગ્રેસના અગ્રગણ્ય કાર્યકર્તા તરીકે તેમણે જાહેર સેવાકાર્ય પણ કર્યું હતું.
ટૂંકું આયુષ, લાંબી. ગંભીર માંદગી અને વિપરીત સંજોગે વચ્ચે જીવનયુદ્ધ ખેલતાં ખેલતાં આટલી સમૃદ્ધ દેશસેવા કરી જનાર આ સરસ્વતીભક્તનું ગુજરાત સદાય ઋણી રહેશે.
કૃતિઓ
ગુજરાતી
પતે
(૧) મૌલિક કતિનું નામ પ્રકાર પ્રકાશનસાલ
પ્રકારતક ૧. શિક્ષાશતક
કવિતા
૧૮૭૬ ૨. પૂર્વદર્શન
ઇતિહાસ
૧૮૮૨ ૩. કાન્તા
નાટક
૧૮૮૨ ૪. નારી-પ્રતિષ્ઠા
નિબંધ
૧૮૮૫ ૫. પ્રેમજીવન
કવિતા
૧૮૮૭ ૬, પ્રાણુવિનિમય
મહાનિબંધ ૧૮૮૮ ૭. સિદ્ધાંતસાર
૧૮૮૯ ૮. ગુજરાતના બ્રાહ્મણે
નિબંધ
૧૮૯૩ ૯. બાળવિલાસ
નિબંધો ૧૦. પરમાર્ગદર્શન
બા. વિ.માંથી તારવેલા
ધર્મવિષયક પાઠ ૧૧. આત્મનિમજજન બધાં કાવ્યોને સંપૂર્ણ
સંગ્રહ
૧૮૫ ૨. નૃસિંહાવતાર
નાટક રચાયું ૧૮૯૭ અપ્રગટ ૧૩. સુદર્શન ગદ્યાવલી
નિબંધ ૧૯૦૯ હિંમતલાલ છો.
પંડયા, પ્રાણશંકર ગે. જોશી (૨) ભાષાંતર– રૂપાંતર - કુતિ ,
મૂળ ભાષા પ્રકાશન પ્રકાશક મૂળ કર્તા કે
સાલ ૧. માલતીમાધવ સંસ્કૃત ૧૮૮૦ પોતે ભવભૂતિછે. ઉત્તરરામરચિત ' " ૧૮૮૨ - કૃત નાટક
Page #196
--------------------------------------------------------------------------
________________
થથ અને ગ્રંથકાર પુ. ૧૦
» ચેસ્ટટનને પુત્ર પ્રતિ - ઉપદેશ તથા સંક્ષિપ્ત સુવાક્ય અંગ્રેજી ૧૮૯૦ દેસાઈ હરિદાસ વિહા, કેલ્ટન(ગોપાળદાસ હરિદાસ
રીદાસ તથા ગેપાળ કૃત દેસાઈ સાથે)
હરિદાસ $ “લેકેન”. ૪. શ્રીમદ્ ભગવદ્ ગીતા સંસ્કૃત ૧૮૯૪ પતે વ્યાસકૃત 'મહા(મૂલ, અક્ષરાર્થ, વિવેચન
ભારતમાંથી તથા રહસ્ય સહિત) ૫. ચારિત્ર
* અંગ્રેજી ૧૮૯૫ , સ્માઈલ્સકૃત કેરેકટર ૬. પંચશતી અંગ્રેજી ૧૮૫ , સ્વયોજિત ઈમિટેશન
ઓફ શંકર” ૭. ચેતનશાસ્ત્ર
અંગ્રેજી ૧૮૯૬ જ્ઞાનમંજૂષા વિવિધ ગ્ર
વડોદરા ૮, વાકપાટવ
૧૮૯૭ (૨) કચ્છ રાજ્ય “હેટરીકસ ૯. ગુલાબસિંહ :
૧૮૯૭ પોતે વિટનકૃત ઝેનોની ૧૦. શિક્ષણ અને સ્વશિક્ષણ , ૧૮૯૭ (૩) કચ્છ રાજ્ય સેમ્યુઅલ નીલકૃત
કલ્ચર એન્ડ
સેફ કચર” ૧૧. ન્યાયશાસ્ત્ર-પરામર્શ ખંડ , ૧૮૯૭ ગુ. વ. સે. વિવિધ ગ્રંથ
અમદાવાદ ૧૨. શ્રી વૃત્તિ પ્રભાકર હિન્દી ૧૯૦૫ માધવલાલ ન. શ્રી નિલ
દ્વિવેદી દાસ રચિત ૧૩. ચતુઃસ્ત્રી સંસ્કૃત ૧૯૦૯ (3) , “બ્રહ્મસૂત્રોનાં
પહેલાં ચાર સૂત્ર ૧૪, વિવાદતાંડવ
અંગ્રેજી ૧૮૯૮ (2) લો કમિટી, વિવિધ ગ્રંથે
વડોદરા ૧૫. હનુમન્નાટક
સંસ્કૃત ૧૯૧૦ (3) (૩) વડોદરા રાજ્યના આશ્રયે તૈયાર કરેલાં ભાષાંતર–સંપાદનો
મૂળ ભાષા તૈયાર થયા સાલ પ્રકાશન-સાલ ૧. બુદ્ધિસાગર
સંસ્કૃત
૧૮૯૧ ૨ અનુભવ-પ્રદીપિકા ૩. ગેરક્ષશતક
૧૮૯૦.
૧૮૯૨ ૪ ભોજપ્રબંધ
૧૮૯૦
૧૮૯૨ ૫. તપરિભાષા
૧૮૯૨ ૧૮૯૨ ૬. વિક્રમચરિત્ર ૭. શ્રુતિસારસમુદ્ધરણ
કાત
Page #197
--------------------------------------------------------------------------
________________
ܘܘܐ
કાર-પિતાવલિ ૮. બી કચાશ્રય મહાકાવ્ય સંરકૃત
૧૯૯૩ ૯. બદર્શનસમુચ્ચય
૧૮૯૧
૧૮૯૩ () ૧૦. વસ્તુપાલચરિત્ર ૧૧. ગબિંદુ ૧૨. ચતુર્વિશતિપ્રબંધ ૧૩. સમાધિશતક
૧૮૯૧
૧૮૯૪ ૧૪. સારસંગ્રહ-૧) ૧૫. સારસંગ્રહ-૨J ૧૬. કુમારપાલચરિત
૧૮૯૯ ૧૭. અનેકાન્તવાદપ્રવેશ ૧૮, પંચેપાખ્યાન
જૂની ગુજરાતી (૪) અપ્રગટ અનુવાદો
મણિલાલે કરેલા નીચેના અનુવાદની હાથપ્રતે અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના ગ્રંથાલયમાં જોવા મળે છે. ૧. મહાવીરચર્તિ
સંસ્કૃત ૨. કીર્તિ કૌમુદી ૩. કુવલયવતી - ૪. રામગીતા ५. मुलाकातो
અંગ્રેજી (સ્વામી વિવેકાનંદની અમેરિકાની
મુલાકાતો)
(૫) અપૂણ
થે
ચરિત્રઃ ૧. મણિલાલે ગૌરીશંકર ઉદયરામ ઓઝાનું જીવનચરિત્ર પાંચ પ્રકરણ લખીને છોડી દેવું તે.
ભાષાંતર-પાદન ૧. અલંકાર-ચૂડામણિ
૬. છાનુશાસન ૨. જયોતિષ કરંડ
૭. નૈષધીય ટીકા ૩. વૃત્તરત્નાકરવૃત્તિ
૮. રત્નાકરાવતારિકા ૪. કાંગારતિલક
૯. અભિનંદન કાવ્ય પ. રસમંજરી-ટીકા
૧૦. કાવ્યમયુખ
અંગ્રેજી (૧) મૌલિક . તેખ પ્રકારાન–સાલ
પ્રારા Suggestions for the revi. ૧૮૮૪
પોતે sion of Gujarati Reading Series
Page #198
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫૦ ૧૦
. neeve
16CK: cake. et
Spectator": 'Advocate of India'
Did 'Lucifer', (London)
2. Letters on Widow-
remarriage 3.
Avoitism Mopism or Advaitism? x. The Purānas ( Lecture
read at the International Congress of Orientalists at Stockholm, 1890 ) Essays on Idol-worship, Samskāras etc.
૧૮૮૧
'Oriental · Department',
New York.
Cet
Jainism and Brāhmanism (A paper read before the Interpational Congress of Orientalists at Lon' don, 1891) The Advaita Philosophy of Shankara Hinduism
4.
C.
૧૮૯૧
Oriental Journal,
Vienna World's Parlia ment of Reiigions,
Vol. I પોતે
icey
4. The Necessity of Spiri-
tual Culture 20. The Doctrine of Māyā () Quiviax-'MITAS I 1. Rāja-yoga 8. Tarka-Kaumudi
..
૧૮૮૫
પોતે
3.
Yoga-Sūtra
1cex
X. 4. $.
Mandukyopadişad Jivan-mukti-Viveka Samādhi-S'ataka
Bombay Sanskrit
Series. Tookaram Tatya, Theosophical Society,
Bombay.
Do
Ꭰo , . Sbab Girdharlal Dayaldas, Bombay.
d. Bombay Sanskrit
Series.
U. Imitation of Shapkara
Syādvada-Mapjari (completed by Anandsbanker Dhruva )
164 1633
Page #199
--------------------------------------------------------------------------
________________
થાકાર-થાપિતાવલિ
અભ્યાસ-સામગ્રી 1. “ સ્વ. મણિલાલ નભુભાઇની આત્મકથા'; “વસંત વર્ષ ર૯, અંક ૪, ૭;
વર્ષ ૩૦, અંક ૧, ૮; વર્ષ ૩૧, અંક ૧, ૩. • 3. મણિલાલચરિત્રની સામગ્રી (અંબાલાલ બા. પુરાણું) ; “કૌમુદી”
(ત્રમાસિક) પુ. ૫, અંક ૩; (માસિક) ૫૦ ૨, ૩, ૪. ૩. મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું જીવનચરિત્ર (અંબાલાલ બા. પુરાણું);
ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ ૪. મણિલાલ-યંતી વ્યાખ્યાન (આનંદશંકર બા છુવ) : ગુર્જર સાક્ષર
નંતીઓ, બીજી આવૃત્તિ, પૃ. ૧૮૦. ૫. “સુદર્શનના આઘ દ્રષ્ટા અને પ્રવર્તક ”(આનંદશંકર બા. ધ્રુવ) : સાહિત્ય
વિચાર’, બીજી આવૃત્તિ, પૃ૦ ૪૯૫. ૬. મણિલાલ અને બાલાશંકર (ઉત્તમલાલ કે. ત્રિવેદી) : “વસંત' વર્ષ ૬,
અંક ૨. ૭. “મરણમુકુર' (ન. ભ. દી.) ૮. “મણિલાલ નભુભાઈની સાહિત્યસેવા’ : “ વસંત’ વર્ષ ૨૫, અ૦ ૬, ૭. ૯. “કલાપીની પત્રધારા” : મ. ન. દ્રિ. પરના પત્રો. ૧૦. “મહાજનમંડળ ” અને “સત્યવક્તાની ચિત્રાવલિ'માંના પરિચય-લેખે. ૧૧. સિદ્ધાંતસારનું અવલોકન' (કાન); (૧૯૨૦). ૧૨. “અર્વાચીન ચિન્તનાત્મક ગદ્ય' (વિ. ૨. ત્રિવેદી); વ્યાખ્યાન છું,
૫૦ ૧૧૦. ૧૩. “મણિલાલ દ્વિવેદીની કવિતા”; “સાહિત્ય-વિહાર' (પ્રે. અનંતરાય મ.
રાવળ), પૃ૦ ૪૩. ૧૪. “ઉત્તરરામચરિત” અને “કાન્તા'; “ઉત્તરરામચરિત” અને “ગુલાબસિંહ નાં
અનુક્રમે “નવલગ્રંથાવલી', “મને મુકર-૧” તથા “કેટલાંક વિવેચનોમાં
મૂકેલાં વિવેચને. 24. Studies in Gujarati Literature (J. E. Sanjana ) Lecture V. ૧૬. “આપણે ધર્મ” (બી. આ.)ને છે. રા. વિ. પાઠકે લખેલો ઉપઘાત. ૧૭ “મણિલાલની વિચારધારા” (ગુ. વિ. સભા), ઉપોદઘાત. ૧૮. 'મણિલાલના ત્રણ લેખે” (ગુ. વિ. સભા), ઉપધાત.
Page #200
--------------------------------------------------------------------------
________________
મણિશંકર જટાશંકર કીકાણી
સૌરાષ્ટ્રની સાંસ્કારિક જાગૃતિના આ પ્રસિદ્ધ પ્રવકતા જન્મ જૂનાગઢની વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં ૧૮૨૨ ના ઓકટોબરની ૨૨ મી તારીખે થયા હતા. તેમના પિતાનું નામ જટાશંકર નંદલાલ અને માતાનું નામ ચંદ્રકુવર હતું. ચૌદ વર્ષની વયે તેમનાં બીજી વાર લગ્ન થયાં હતાં. તેમનાં પત્નીનું નામ નર્મદાદેવી.
બાળપણમાં જ માબાપતે ગુમાવનાર મણિશંકર મામાની દેખરેખ નીચે ઉછર્યાં હતા. છ વર્ષે તેમને જૂનાગઢના ‘ અધ્યારૂ'ની ગામઠી નિશાળે બેસાડવામાં આવ્યા હતા. એકાદ બે વરસમાં ત્યાં આંક, સરવાળા, ‘- એકાત્તરી ' તથા કાગળ લખવા જેટલું ભાષા-જ્ઞાન લીધા પછી પિતાની મજમુંદારીના ભાર ઉપાડવા સારુ રાજકેટના એક નાગર ગૃહસ્થ કરસનજી અમરજી પાસે તેમજ ત્યાંની ‘ બ્રિટિશ કાઠી 'ના દફ્તરદાર પાસે ૧૮૩૭ સુધી એ કામની તાલીમ લઈને તે અંગ્રેજ સરકારના મજમુંદાર તરીકે કાઠિયાવાડ એજન્સી 'માં દાખલ થયા હતા. ૧૮૪૦માં જૂનાગઢની ગાદી સંબંધી તકરાર ઊઠતાં અંગ્રેજ સરકાર તરફથી કેપ્ટન જેકબને લશ્કર લઇને જૂનાગઢ મેકલવામાં આવ્યા હતા તેમની સાથે અઢાર વર્ષના મણિશ કરને પણ જવાના હુકમ થયા હતા. તે વખતે કુનેહથી તકરારનું સમાધાન કરાવીને મણિશ ંકરે નામના મેળવી હતી. ‘ એજન્સી ' માં ાષાધ્યક્ષના હૈ।દ્દા સુધી પહોંચીને ૧૮૭૪ના સપ્ટેમ્બરની ૨૩મી તારીખે તે એ પદ પરથી નિવૃત્ત થયા હતા.
દુર્ગારામ મહેતાજી ગુજરાતના આદિ સુધારક હતા તા મણિશંકર કીકાણી સેરઠના પહેલા સુધારક હતા. જ્ઞાનપ્રચાર અને સમાજસુધારો તેમની બહુવિધ સંસ્કાર-પ્રવૃત્તિનાં મુખ્ય અગા હતાં. ચૌદ વર્ષની ઊગતી વયમાં જ, પોતાના લગ્ન વખતે જ્ઞાતિના ‘ચાચરિયા 'ના રિવાજને હિંમતપૂર્ણાંક ત્યાગ કરીને મણિશ કરે પેાતાની ઉદ્દામ વિચારકતા બતાવી આપી હતી. ૧૮૫૪માં તેમણે જૂનાગઢમાં ‘સુપથપ્રવ`કમ`ડળી' કાઢી હતી. તે મંડળી દ્વારા, તેમણે નાગર જ્ઞાતિમાં ‘શય્યાધીન વરવધૂને હાળીને દિવસે ભીંજવવાની ' રૂઢિ પ્રચલિત હતી તેને ઉખેડી નાખી હતી. એ મ`ડળી પછી • સૌરાષ્ટ્ર નાગર મંડળી ' રૂપે ફેરવાઇ જઇને નાગર જ્ઞાતિમાં મણિશંકરની પ્રેરણાથી વ્યસનનિષેધ, કેળવણીપ્રસાર અને સાચા ભ્રાહ્મણધમઁના આચારાને
Page #201
--------------------------------------------------------------------------
________________
થા-પિતાવલિ આગ્રહ–એટલા સુધારા કરી શકી હતી. મરણ પામેલ વ્યક્તિની પાછળ આખી ન્યાત જમાડવાને બદલે બાવન બ્રાહ્મણ જમાડવાની રૂઢિ મણિશંકરે પાડી હતી તેથી એમને “મણિશંકર બાવનિયા'નું ઉપનામ લેક તરફથી મળ્યું હતું. મહીપતરામના વિદેશગમનના પગલાને તેમણે ટકે આ હતે. આમ, અનેક બાબતોમાં ગુજરાતી સુધારકેની સાથે મણિશંકરે કદમ મિલાવ્યા હતા. નર્મદ, કરસનદાસ, નવલરામ, ભેળાનાથ સારાભાઈ વગેરે તેમને સૌરાષ્ટ્રના અગ્રિમ સુધારક અને કેળવણીકાર તરીકે માન આપતા હતા. સૂરત-મુંબઈના સુધારકોની માફક તેમણે “દેશસુધારા” વિશે ભાષણ પણ આપ્યાં હતાં.
તેમ છતાં તેમના સમકાલીન ગુજરાતી “સુધારાના કરતાં મણિશંકરને “સુધારો' જુદા તરી આવે છે. ગુજરાતને સુધારો મુખ્યત્વે ઉછેદક હોવાથી લેકેની શંકાને વિષય થઈ પડ્યો હતે. મણિશંકરે પ્રધેલ સુધારે આરંભથી જ સંરક્ષક હતો. લોકશ્રદ્ધાની અવગણના કર્યા વિના સમાજસુધારાને ઉપદેશ કરવામાં તેઓ માનતા હતા. તેમણે ધર્મના પાયા પર સુધારાની માંગણી કરી હતી. કોઈ પણ રૂઢિ તેડતાં પહેલાં તેઓ તેના ઉદ્દેશને ધર્મ શાસ્ત્રની કસોટીએ કસી જતા હતા. મંત્રજંત્ર તેમજ વિવિધ સામાજિક પ્રણાલિકાઓની શાસ્ત્રાદેશ દ્વારા કરોટી કરવાનો તેમણે પ્રયત્ન કર્યો હતે. વેદધર્મને તે પ્રમાણભૂત ગણતા હતા, પરંતુ મૂર્તિપૂજાને નિષેધ તેમને માન્ય નહે. આને અંગે તેમને સ્વામી દયાનંદ સરસ્વતી સાથે પત્રવ્યવહાર દ્વારા લાંબે વિવાદ થયો હતો. તેવી જ ચર્ચા ભેળાનાથ સારાભાઈ સાથે તેમને વિધવાવિવાહ વિશે થઈ હતી. ટૂંકમાં, મણિલાલ નભુભાઈની . માફક મણિશંકરની સુધારક દષ્ટિ સંરક્ષક અને ધર્મમૂલક હતી એમ કહી શકાય.
- નવલરામ લક્ષ્મીરામ, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, પ્રાણલાલ મથુરાંદાસ અને હરગોવિંદદાસ કાંટાવાળાની પડખે રહીને મણિશંકરે સૌરાષ્ટ્રમાં શિક્ષણ-પ્રસારનું કાર્ય કર્યું હતું. ધાર્મિક, માનસિક અને શારીરિક એમ ત્રણે પ્રકારની કેળવણીની તેઓ હિમાયત કરતા. ધર્મજ્ઞાન અર્થે સંસ્કૃત, વ્યવહાર અર્થે ગુજરાતી અને ઉન્નતિ માટે અંગ્રેજી ભાષા-સાહિત્યના અભ્યાસની જરૂર તેઓ બતાવતા.
અમદાવાદમાં “બુદ્ધિપ્રકાશ'' રીતસર ચાલતું થયું તે પછી થોડે વખતે-ઈ. સ ૧૮૬૪ માં–મણિશંકરે જૂનાગઢમાં “જ્ઞાનગ્રાહક સભા'.
૧૨
Page #202
--------------------------------------------------------------------------
________________
થ્રશ અને થથકાર ૩૦-૧૦
:
'
સ્થાપીને તેના તરફથી · સૌરાષ્ટ્ર દ` ' નામનું માસિક પત્ર પ્રગટ કર્યું. હતું.હરગેાવિંદદાસ કાંટાવાળાસચાલિત વિજ્ઞાનવિલાસ ’ની સ્થાપનામાં પણ તેમના મુખ્ય હિસ્સા હતા. દંતકથાઓ ને પુરાણુવાર્તાઓ ઉપરાંત ધર્મ, તત્ત્વજ્ઞાન, સમાજસુધારા, ઇતિહાસ, ભૂંગાળ, ખગાળશાસ્ત્ર, જ્યાતિષ, કાવ્યશાસ્ત્ર, ભાષા અને વ્યાકરણુ એમ વિવિધ વિષયો પર લેખા લખીને એ બે પત્રો ચલાવવામાં તેમણે સક્રિય ફાળા આપ્યા હતા. ‘બુદ્ધિપ્રકાશ ‘ તત્ત્વપ્રકાશ,’ ‘ કાઠિયાવાડ સમાચાર,' અમદાવાદ સમાચાર,’ ‘ ચાબૂક વગેરે ખીજાં સામયિકામાં પણ તેઓ અવારનવાર લખતા. ઇતિહાસ અને પુરાતત્ત્વ તેમના અભ્યાસના ખાસ વિષયા હતા. નાગર જ્ઞાતિ, સૌરાષ્ટ્ર પ્રાન્ત તેમજ હિન્દુસ્તાનના ઇતિહાસ લખવા માટેની સાધન-સામગ્રી તેમણે ફરીફરીને એકઠી કરી હતી તે તે વિશે છૂટક લેખા પણુ લખ્યા હતા. સૌરાષ્ટ્રના ઇતિહાસ ' લખવામાં ભગવાનલાલ છત્રપતિને મણિશંકરે પુષ્કળ સામગ્રી પૂરી પાડીને મદદ કરી હતી. તેમણે સ્વદેશપ્રીતિ અને સ્વદેશીવ્રત વિશે કાવ્યેા લખ્યાં હતાં. ઉપરાંત, ધમ અને સમાજસુધારાની સાદી પણ યથા અને ઊ'ડી સમજ આપે તેવાં લખાણાના ધમમાળા' નામના એક ગદ્યપદ્યાત્મક સ'ગ્રહ તેમણે તૈયાર કર્યાં હતા. સુધારાના ઉપદેશના હેતુથી રચાયેલી એમની કવિતામાં સર્જકતા નહિ જેવી છે; પણ પદ્યરચનાના નિયમેનું તે યથા પાલન કરે છે. સ'ગીતશાસ્ત્રને તેમને સારે। અભ્યાસ હતા. એટલે એમનાં બધાં જ ગીતા તાલબદ્ધ રાગમાં ગાઈ શકાય એવાં છે. ૧૮૭૦ માં ‘ વિજ્ઞાનવિલાસ 'માં પ્રગટ થયેલ · માનવી ભાષા નામના લાંબા નિબંધે મણિશંકરને ‘પ્રમાણભૂત ભાષાવિદ્ ' તરીકે ખ્યાતિ અપાવી હતી. તેમણે કરેલા ‘ કાઠિયાવાડી શબ્દોના સંગ્રહ ' સારડી તળપદી ખેાલીના અભ્યાસમાં આજે પણ ઉપયાગી ઠરે તેમ છે.
'
to
આમ, સાહિત્ય અને શિક્ષણુપ્રસારની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સૌરાષ્ટ્રની સંસ્કાર–સેવા · બજાવીને મણિશંકર ૧૮૮૪ના નવેબરની ૧૦ મી તારીખે અવસાન પામ્યા હતા.
કૃતિનું નામ
૧. સૂતક નિચ
૨. ધ
માળા
કૃતિઓ
પ્રકાર કે વિષય
નિષ ધ
ગદ્યપદ્યાત્મક
લેખાના સગ્રહ
'
પ્રકાશન સાથ ?
૧૯૭૧
,
"
પ્રકાશક પેાતે
વિજયશંકર મણિરા કર મજમુદાર
Page #203
--------------------------------------------------------------------------
________________
શથકા-પિતાવલિ
૩. ગાયનાવલિ
ગીતોને સંગ્રહ)
૪. છોટી બહેનની પાઠા- ગદ્યપદ્યાત્મક વલિ ભા-૧
પાઠાનો સંગ્રહ ૫. , ભાર ૬. બાળકોને નિત્યપાઠ ન્હાના, પાઠે . ૭. કાયિક, વાચિક,
માનસિક પૂજા ૮. મણિશંકરના લેખોને સંગ્રહ –
? વિજયશંકર મણિ(સં. ચમનરાય શિવશંકર
શંકર મજમુદાર વૈષ્ણવ) આ ઉપરાંત તેમના પચાસથી વધુ લેખે અપ્રગટ સ્થિતિમાં છે.
અભ્યાસ-સામથી ૧. શ્રી જયસુખરામ પુ. જોષીપુરાકૃત “મણિશંકર કીકાણું”
. (શ્રી સયાજી સાહિત્યમાળા) ૨. નર્મદત “ધર્મવિચાર” ૩. નવલગ્રંથાવલી (તારણ સં. નરહરિ દ્વા. પરીખ)
Page #204
--------------------------------------------------------------------------
________________
વેણીલાલ છગનલાલ બૂચ સ્વ. વેણીભાઈ જામનગરના નાગર કુટુંબમાં ઈસ. ૧૮૯૯માં જમ્યા હતા. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ વતનમાં લીધા પછી ૧૯૧૬ ના અરસામાં તેઓ મુંબઈની વિલ્સન કેલેજમાં દાખલ થયા હતા. ત્યાંથી ૧૯૨૦ના અરસામાં તેઓ રસાયણશાસ્ત્ર વિષય લઈને બી. એ. પાસ થયા.
બરાબર એ જ વખતે ગાંધીજીએ દેશમાં અસહકારની લડત શરૂ કરી હતી. સ્વામી આનંદના સંસર્ગમાં આવતાં વેણુભાઈને પણ દેશસેવાની લગની લાગી. તેમણે તરત જ અસહકારની લડતમાં ઝંપલાવ્યું. સેવા અને સ્વાર્પણના રંગે તેમનું જીવન રંગાવા લાગ્યું.
ગાંધીવાદી લેકસેવકને માટે પહેલી શરત બ્રહ્મચર્યની હતી. “સ્વજનવિહેણું વેણીભાઈએ સારે ઠેકાણે થયેલ સગપણનું એક માત્ર જાળું તેડી નાખીને સમસ્ત દેશને સ્વજન બનાવી નિર્વ્યાજ સેવાકાર્ય સ્વીકાર્યું. તેઓ આજીવન બ્રહ્મચારી રહ્યા. ઓછામાં ઓછું વેતન લઈને વધુમાં વધુ કામ આપવાની તેમની ભાવના હતી. આથી તેમનું જીવન “અણીશુદ્ધ અપરિગ્રહી ” રહ્યું હતું.
૧૯૨૦-૨૧ નાં વર્ષોમાં “નવજીવન' સંસ્થાનાં મંડાણ થતાં હતાં તે વખતે સ્વામી આનંદે મુંબઈ યુનિવર્સિટીના આ ભાવનાશાળી ગ્રેજ્યુએટને પત્ર પ્રકાશનની તાલીમ આપીને ‘નવજીવન'ના મુદ્રક-પ્રકાશક અને સંચાલકની જવાબદારી સોંપી હતી. એકાદ વર્ષ એ કામ કર્યા પછી વેણીભાઈ ભાવનગરની દક્ષિણમૂર્તિ સંસ્થામાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાર પછી તેમણે સૌરાષ્ટ્રના જાહેર સેવાક્ષેત્રમાં પ્રવેશ કર્યો. કાઠ્યિાવાડ યુવક પરિષદ, રાજકીય પરિષદ અને સૌરાષ્ટ્ર સેવા સમિતિમાં સન્નિઈ, મૂક સેવક તરીકે તેમણે અનેખી ભાત પાડી હતી. ૧૯૩૦ ની લડત પછી તેઓ વિરમગામને પિતાના સેવાક્ષેત્ર તરીકે સ્વીકારીને ત્યાં જ સ્થાયી થયા. વિરમગામ તાલુકા સમિતિના મંત્રી તરીકે તેમણે સતત પંદર વર્ષ સુધી ઊંચી ધ્યેયનિષ્ઠા ને નિઃસ્વાર્થ ભાવનાથી લોકસેવા બજાવીને ઉત્તમ છાપ પાડી હતી.
તેમણે શ્રી જવાહરલાલ નેહરુના “Glimpses of the world History'ના મોટા ભાગનું તવારીખની તેજછાયા' નામે ભાષાંતર કર્યું હતું, જે પહેલાં સૈારાષ્ટ્ર કાર્યાલય દ્વારા ચાર નાની નાની પુસ્તિકાઓ
Page #205
--------------------------------------------------------------------------
________________
થકા-પિતાવહ રૂપે પ્રસિદ્ધ થયું હતું. અંગ્રેજી સાહસકથા “Tarzan Twin નું ભાષાંતર
બીજીવન' માસિકમાં તેમણે હપ્તે હપતે પ્રસિદ્ધ કર્યું હતું. આ ઉપરાંત “કુમાર'માં તેઓ અવારનવાર કિશોરકથાઓ, ચરિત્ર-લેખો અને પ્રકીર્ણ વિષયોના માહિતી દર્શક નિબંધે આપતા હતા. ઉપર્યુક્ત અનુવાદ તેમજ લેખે હજુ પુસ્તકાકારે પ્રસિદ્ધ થવા બાકી છે.
કેસની પ્રત્યેક હાકલને માન આપીને વેણીભાઈએ એક વાર કારાવાસ સેવ્યો હતો. તેને લીધે ક્ષીણ થઈ ગયેલ દેહને સેવાકાર્યમાં છેવટ લગી ઘસી નાખીને આ આદર્શ લોકસેવકે ૧૯૪૪ના ડિસેંબરની ૨૩ મી તારીખે આત્મવિલેપન સાધ્યું હતું.
કૃતિઓ કૃતિનું નામ પ્રકાર પ્રકાશન-વ્હાલ પ્રકાશક મૂળ કૃતિ ૧-૪ તવારીખની તેજ- પત્રે ૧૯૩૫-૩૭ સારાષ્ટ્ર કાર્યા- શ્રી જવાહરલાલ છાયા ભા. ૩-૪-૫-૬
લય, રાણપુર નેહરુ કૃત (આના પહેલા બે ભાગ શ્રી ગુણવંતરાય આચાર્યો “Glimpses of the અનુવાદિત કર્યા છે. તેથી આખી માળા સળંગ ગ્રંથાકારે World Histroy પ્રસિદ્ધ થતાં બંનેનાં નામ અનુવાદક તરીકે મૂકેલાં છે.)
અનુવાદ ૫ આપવીતી આત્મકથા ૧૯૪૦ નવજીવન પ્રકાશન ધર્માનંદ
મંદિર, અમદાવાદ કોસંબીની
મરાઠી આત્મકથાને
અgવાદ અભ્યાસ-સામગ્રી ૧૯૪૫ ના જાન્યુઆરિ માસના “કુમાર”માં શ્રી બચુભાઈ રાવતે લીધેલી અવસાન-નોંધ,
*
Page #206
--------------------------------------------------------------------------
________________
વૈકુંઠલાલ શ્રીપતરાય ઠાકોર શ્રી વૈકુંઠલાલ ઠાકરને જન્મ તેમના વતન ભરૂચમાં તા. ૨૦ સપ્ટેબર ૧૮૮૫ના રોજ થયો હતો. પિતાનું નામ શ્રીપતરાય હકુમતરાય ઠાકોર અને માતાનું નામ શિવગૌરીબહેન. જ્ઞાતિએ બ્રહ્મક્ષત્રિય. ૧૯૦૬માં સ્વ. બળવંતરાય પરમાદરાય ઠાકરનાં પુત્રી કુસુમગૌરી સાથે તેમનું લગ્ન થયું હતું.
વૈકુંઠભાઈએ પ્રાથમિક તેમજ માધ્યમિક કેળવણી સુરતમાં લીધી હતી. તેઓ ૧૯૦૦ની સાલમાં મેટ્રિક થઈને અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા હતા. ૧૯૦૪ માં ત્યાંથી તેઓ બી. એ. થયા હતા. શાળા તેમજ કોલેજમાં વિદ્યાર્થી તરીકે તેમની કારકિદી સામાન્ય હતી. અમદાવાદમાં તેઓ પિતાનાં કાકી મણીબહેનને ત્યાં રહીને અભ્યાસ કરતા હતા તે દરમ્યાન રૂક્ષ્મણીબહેનના પિતાશ્રી દી. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈના સંપર્કમાં તેઓ આવ્યા હતા. વૈકુઠભાઈના ચારિત્રવિકાસમાં અંબાલાલ ભાઈ તથા રૂક્ષ્મણીબહેનના વ્યક્તિત્વની ઊંડી અસર પડી હતી. તેમને માનસિક એક મૂળથી જ આધ્યાત્મિક દિશામાં વિશેષ. એટલે સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, શ્રો. અરવિંદ, રાધાકૃષ્ણન વગેરેનાં તેમજ સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયનાં પુસ્તકે જુવાન વયમાં તેમણે હશે હશે વાંચ્યાં હતાં. જેમ્સ એલનનાં “From Poverty to Power” અને “Life sublime” જેવાં પુસ્તક તેમના નિત્યના સાથી હતા. પાછલી વયમાં રાંદેરના સાધુ પુરુષ ચંદુભાઈના સત્સંગે પણ તેમના પર દઢ છાપ પાડી હતી. - ગ્રેજ્યુએટ થઈને તરત વૈકુંઠલાલ દી. બ. અંબાલાલની નડિયાદની મિલમાં (હાલની શેરક મિલ) સેક્રેટરી તરીકે જોડાયા હતા. ત્યાં ૧૯૧૧ સુધી કામ કર્યા બાદ તેમણે મુંબઈની મોરારજી મિલમાં સેક્રેટરી અને મેનેજર તરીકે ૧૯૨૧ સુધી કામ કર્યું. પછી ૧૯૩૮ સુધી શલાપૂરની મિલમાં મેનેજર તરીકે યશસ્વી કારકિદી ભોગવીને તેઓ એ ધંધામાંથી નિવૃત્ત થયા હતા. બાહેશ, કર્તવ્યનિષ્ઠ, સાચુકલા, સ્વમાની અને મિલ તેમજ મજુર વચ્ચે સેતુની ગરજ સારે તેવા સદ્દભાવશાળી મેનેજર તરીકે શોલાપૂર અને મુંબઈના ઉદ્યોગપતિઓ ને મજરોમાં વૈકુંઠલાલની પ્રતિષ્ઠા બંધાઈ હતી. પિતાની કમાણીને દસમો ભાગ જાહેર હિતના કામમાં વાપરવાને તેમને સંક૯પ હતે. ગ્રામવિસ્તારમાં ઝણાલય
Page #207
--------------------------------------------------------------------------
________________
હા
પ્રચકાર- ચરિતાલિ
આદિની વ્યવસ્થાને અંગે તેમણે કુલ્લે ૪૦,૦૦૦ રૂપિયા જેટલું જાહેર દાન કર્યું હતું. ઉપરાંત વિદ્યાર્થી, અનાથ વિધવાઓ વગેરેને ગુપ્ત દાન પણુ તેમણે લગભગ એટલી જ રકમનુ કર્યું` હતું. પેાતાનું કુટુંબ, વિદ્યાર્થી એ, નિરાધાર સ્ત્રીએ, ઊગતા લેખા અને સામાજિક તેમજ ધાર્મિક સેવા કરતી નહેર સંસ્થાને મદદ કરવા તેએ હંમેશાં તત્પર રહેતા હત્તા.
અંતમુ ખ પ્રકૃતિના વૈકુંઠભાઇએ પેાતાના બાહ્ય તેમજ આંતર જીવનના મહત્ત્વના બનાવેાની નોંધ કરતી રાજનીશી લખી છે. તેની શરૂઆત તે તેમણે ૧૯૧૭ ના જાન્યુઆરની પહેલી તારીખથી કરી હતી; પણ ૧૯૨૨ સુધી તેમાં ખાસ કશું નેાંધાવા પામ્યું નહોતું ૧૯૨૨ થી ૧૯૩૭ સુધીને ગાળા તેમના જીવનને મથનકાળ હતા. આ રાજનીશી તેમના એ વખતના આંતર સ્વરૂપનું પ્રતિબિંબ પૂરેપૂરું ઝીલે છે એમ તેમના ચરિત્રકાર શ્રી ઠાકારલાલ ઠાકારે તેમાંથી ટાંકેલા ઉતારાએ પરથી સમાય છે. વૈકુઠલાલના મૃદુ અને તેજસ્વી વ્યક્તિત્વનું તેમાં યથા દન થાય છે. સાચદિલ્લી, સરળતા, નીડરતા, નિખાલસતા, આધ્યાત્મિક તૃષા, ઇશ્વરશ્રદ્ધા કુટુંબ-વત્સલતા, પ્રાણી-પ્રેમ અને કર્તવ્યનિષ્ઠા એટલા તેમના ચારિત્રગુણા રાજનીશીમાંની તેમની નોંધામાંથી ફલિત થાય છે. તેમાં પેાતાના એ પ્રિય કૂતરા ‘ટીપુ ' અને મીઠું 'ના અવસાનની તેમણે આ કલમે કરેલી નાંધ વૈકુંઠભાઈના હૃદયની ઉચ્ચ અને સુકુમાર માનવતાનું હૃદયસ્પર્શી ચિત્ર ખડુ' કરે છે. ગુજરાતી ડાયરી-સાહિત્યમાં તેમની રાજનીશી આ રીતે તેાંધપાત્ર ઉમેરારૂપ ગણાવી જોઇએ.
'
?
મિલના શુષ્ક વ્યવસાયમાંથી છૂટીને બે ઘડી આનંદ લેવા અને આધ્યાત્મિક પ્રગતિ સાધવા સારુ તેમણે સાહિત્યનેા આશ્રય લેવાનું રાખ્યું હતું. તેઓ મુંબઈમાં મેારાજી મિલમાં હતા ત્યારે મિલમાં એક સ્ત્રીમંડળ ચાલતું અને તેના તરફથી સ્ત્રીહિતાપદેશ ' માસિક ચાલતું તેમાં તે યથાશક્તિ સહકાર આપતા. ૧૯૧૫માં તેમણે દી. બ. અંબાલાલ સાકરલાલનાં ભાષા તે લેખાતા દળદાર ગ્રંથ સંપાદિત કર્યાં હતા. પેાતાના પ્રિય લેખક જેમ્સ એલનનાં બે પુસ્તકા ‘ Meditations ' અને ‘Life's turmoil'નાં તેમણે ભાષાંતર કર્યાં હતાં. તે કા'માં તેમને એમના કાકાશ્રી જાદવરાય હ. ઠાકારે મદદ કરી હતી. નિવૃત્તિકાળ દરમ્યાન તે ખારમાં રહેતા હતા. રામકૃષ્ણ સેવા સમિતિ સાથે તેમને ગાઢ સંબંધ હતા.
Page #208
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ઘર પુ• • વાચન અને મનન ઉપરાંત, નિવૃત્તિકાળમાં પણ જાહેર હિતનાં કાર્યો કરવાની ધગશ તેમને હૈયે છેવટ લગી રહી હતી. ૧૯૪૪માં બંગાળાના દુષ્કાળ અંગે ખૂબ જહેમત ઉઠાવીને મુંબઈમાંથી તેમણે ત્રણ લાખ રૂપિયાને ફાળે એકઠા કર્યો હતે. પણ હમેશાં દુર્બળ રહેતું તેમનું શરીર આ શ્રમ સહન કરી શકયું નહિ. ગ્રામોદ્ધાર અંગે એક “આહીરવાડીની યોજના” પડીને તેને અંગે તેઓ શ્રી કિશોરલાલ મશરૂવાળા અને શ્રી નરહરિભાઈ પરીખ સાથે પત્રવ્યવહાર ચલાવતા હતા. પણ તે પેજના નક્કર સ્વરૂપ પામે તે પહેલાં તે શરીર તદ્દન ભાંગી પડતાં ૧૯૪૬ ના અંતભાગમાં હવાફેર માટે તેમને પંચગની જવું પડયું, જ્યાં તા. ૫ ફેબ્રુઆરી ૧૯૪૭ ના રોજ તેમનું અવસાન થયું હતું. *
કતિઓ કતિનું નામ પ્રકાર પ્રકાશન-સાલ પ્રકાશક મુળ કૃતિનું નામ ૧. . અંબાલાલ સાકરલાલનાં સંપાદન ૧૯૧૫ આ. ૧: જીવનલાલ – ભાષણો અને લેખે
અમરશી મહેતા
આ ૨: પિતે આ. ૩: નવજીવન પ્રકાશન મંદિર,
અમદાવાદ, ૨. તત્વચિંતન અંગ્રેજીનું ૧૧૫ રામકૃષ્ણ સેવા જેમ્સ એલનકત * ":" ભાષાંતર
સમિતિ, અમદાવાદ. “મેડિટેશન’ છે. દુનિયાની શ્વાથી અંગ્રેજીનું ૧૯૩૪-૩૫ પોતે જેમ્સ એલનકૃત દૂર ભાષાંતર
લાફિક્સ ઈલ ૪. ચંદુભાઈના પ પ ૧૯૪૨-૪૩ રામકૃષ્ણ સેવા
સમિતિ, અમદાવાદ, ૫. જ્ઞાનયોગી ચંદભાઇ ચરિત્ર ૧૯૪૪-૪૬ , (સં. નાણશંકર ભટ્ટ)
અભ્યાસ-સામગ્રી સુરતમાં જ પ્રગટ થનાર શ્રી હરલાલ શ્રીપતરાય ઠાકોરકત વૈકુંઠલાલનું જીવનચરિત્ર,
Page #209
--------------------------------------------------------------------------
________________
(પં.) શ્યામજી કૃષ્ણ વર્મા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા આ ક્રાન્તિકારી પંડિતને જન્મ કચ્છ પ્રદેશના માંડવી ગામના ગરીબ ભણસાળી કુટુંબમાં તા. ૪થી ઑક્ટોબર ૧૮૫૭ના રોજ થયું હતું. તેમના પિતા કૃષ્ણ વર્મા મુંબઈમાં , નાનકડી દુકાન ચલાવીને કુટુંબના ગુજરાન પૂરતું કમાતા હતા, ત્યારે શ્યામજી તેમની માતા સાથે વતનમાં રહીને ભણતા હતા. પ્રાથમિક શિક્ષણ માંડવીમાં લઈને શ્યામજી ભૂજની અંગ્રેજી શાળામાં દાખલ થયા ત્યારે અસાધારણ બુદ્ધિપ્રભાવાળા વિદ્યાર્થી તરીકે શાળામાં તેમજ પરિચિત મંડળમાં તેમની દઢ છાપ પડી હતી. મુંબઈના જાણીતા સુધારક મથુરાંદાસ લવજીએ શ્યામજીના અભ્યાસમાં રસ લેવા માંડ્યો. તેમના આગ્રહથી આ તેજસ્વી વિદ્યાર્થીને મુંબઈની વિલસન હાઈસ્કૂલમાં દાખલ કરવામાં આવ્ય; ત્યાં અનેક મરાઠી, કોંકણી ને ખ્રિસ્તી વિદ્યાર્થીઓને તેણે વિદ્યાભ્યાસમાં હંફાવ્યા હતા. .
હાઈસ્કૂલના અભ્યાસ દરમ્યાન શ્યામજીને મથુરાદાસે પ્રખ્યાત વાસુદેવ શાસ્ત્રીની સંસ્કૃત પાઠશાળામાં દાખલ કરાવ્યા હતા. ત્યાં શ્યામજીએ સંસ્કૃત કાવ્ય, વ્યાકરણ અને ન્યાયશાસ્ત્ર ભણુને અઢાર વર્ષની ઉંમરે તે પંડિતના જેટલી વિદ્વત્તા કેળવી હતી. શાળાની તેજસ્વી કારકિર્દીએ એક તરફ તેમને ગોકળદાસ કહાનદાસ શિષ્યવૃત્તિને, અને બીજી તરફ મુંબઈના એક ધનપતિ શેઠ છબીલદાસ લલ્લુભાઈનાં પુત્રી ભાનુમતી સાથે લગ્નને એમ બેવડ લાભ કરાવ્યો હતે. ૧૮૭૫માં ઓકસફર્ડના સંસ્કૃત ભાષાના વિદ્વાન પ્રોફેસર મોનિયર વિલિયમ્સ હિંદુસ્તાનમાં આવ્યા હતા. તેમણે સંસ્કૃતમાં અખલિત વાગ્ધારા ચલાવતા આ અઢાર વર્ષના વિચક્ષણ જુવાનની વિદ્વત્તાની પ્રશંસા કરી હતી, જેને પરિણામે એના હૃદયમાં વિલાયત જઈને ઉચ્ચ અભ્યાસ કરવાની મહત્વાકાંક્ષા જાગી હતી. ૧૮૭૬માં આવી ઉચ્ચ પ્રતિષ્ઠા પામેલે વિદ્યાર્થી મેટ્રિકની પરીક્ષામાં બેસે છે, પણ આંખોની . અસહ્ય પીડાને કારણે તે નાપાસ થાય છે..
એ જ અરસામાં શ્યામજી સ્વામી દયાનંદ સરસ્વતીના સંપર્કમાં આવ્યા હતા, અને તાજા સ્થપાયેલ આર્યસમાજની તેમણે દીક્ષા પણ લીધી હતી. સ્વામીજીની વેદધર્મ પ્રવર્તક વિચારણને ઝડપથી ગ્રહી લઈને તેને સ્વામીજીની માફક સંસ્કૃતમાં વ્યાખ્યાનો આપીને પ્રચાર કરવાને
૧૩.
Page #210
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ૦ ૧૦
મનારથ શ્યામજીને જાગ્યા હતા. મથુરાંદાસ લવજીને લીધે અત્યાર સુધીમાં એ તે વખતના અગ્રણી સુધારાના સંસર્ગમાં આવ્યાં હતા. નવીન સુધારાઓને પ્રાચીન હિન્દુ શાઓના અનુલક્ષમાં સમજાવવાની શ્યામજીએ સુંદર કુનેહ કેળવી હતી. તેમણે નાસિક, પૂના, કાશી, અમદાવાદ, સુરત વગેરે મુખ્ય મુખ્ય શહેરામાં આ*સમાજી વિચારશ્રેણી રજૂ કરતાં, સુંદર છઠ્ઠા અને ઉત્કૃષ્ટ ભાવનાથી ભરેલાં વ્યાખ્યાને સસ્કૃત ભાષામાં આપ્યાં. તેની તત્કાલીન સુધારકા, વિદ્વાનેા અને વગદાર અધિકારીઓ ઉપર સુંદર છાપ પડી હતી. પ્રવાસ દરમ્યાન અનેક અભિનદનાત્મક પ્રમાણપત્રા એકઠાં કરીને ત્રેવીસ વર્ષોંના આ મહત્ત્વાકાંક્ષી જુવાને વિલાયત જવાનું ભાતું તૈયાર કરી રાખ્યું.
૯૮
પ્રેમાનિયર વિલિયમ્સે શ્યામને પેાતાના સહાયક તરીકે અઠેવાડિયાના દોઢ પાઉંડના પગારથી નિમવાની તૈયારી બતાવી હતી. શ્યામજીની આસ જઈને અભ્યાસ કરવાની તીવ્ર આકાંક્ષા હતી. તેમણે કચ્છ રાજ્યમાંથી શિષ્યવૃત્તિ મેળવવાને પ્રયત્ન કર્યો પણ તેનું કશું ફળ આવ્યું નહિ. તેથી નિરાશ થયા વગર પત્ની તેમજ મિત્રોની મદદથી શ્યામજી ૧૮૬૯ના માર્ચ'માં વિલાયત ગયા.
આ કુશાગ્ર મુદ્ઘિના જુવાન પંડિતે પરદેશના વિદ્વાનાને પેાતાના સંસ્કૃતના જ્ઞાનથી આંજી દીધા. ૧૮૮૩માં એ આંક્સફર્ડની ખેલિયલ કૉલેજના ગ્રેજ્યુએટ થયા. શ્યામજી આકસફર્ડના ગ્રેજ્યુએટ થનાર પહેલા જ હિંદી હતા. આ ઉપરાંત આ અરસામાં તેમણે ગ્રીક અને લેટિન 'ભાષાને પણ સારા અભ્યાસ કર્યાં હતા. મેક્ષમૂલર આદિ પિતાએ શ્યામજીની વિદ્વત્તા અને બુદ્ધિપ્રભાથી પ્રસન્ન થઈ તે અનેક ગુણુદી પ્રમાણપત્રો આપ્યાં હતાં. ૧૮૮૩ ના અંતભાગમાં એ સ્વદેશ પાછા આવ્યા. ત્યાંથી ત્રણેક મહિના બાદ પત્નીને લઇને ફરીથી તે વિલાયત ગયા. પછી, ૧૮૮૫ના જાન્યુઆરમાં બેરિસ્ટર થઈને એ હિંદુસ્તાન પાછા ફર્યાં હતા.
વિલાયતના પાંચેક વરસના વસવાટ દરમ્યાન ભારતીય સંસ્કૃતિના ભાષ્યકાર અને સ ંસ્કૃતના વિદ્વાન પંડિત તરીકે શ્યામજી ત્યાં સારી પ્રસિદ્ધિ પામ્યા હતા. ૧૮૮૧માં લંડનની રૉયલ એશિયાટિક સેાસાયટીના ઉપક્રમથી તેમણે ભારતમાં લેખનકળાના ઉદય ' એ વિષય પર ભાષણ આપ્યું હતું. એ જ વર્ષોંમાં (તેમજ ત્રણ વર્ષાં બાદ, બીજી વાર) ભારતમંત્રી તરફથી ભારતના પ્રતિનિધિ તરીકે શ્યામજીને ‘ એરિયેન્ટલ કાંગ્રેસ'ની
"
Page #211
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-સરિતાવલિ બર્લિન ખાતેની પરિષદમાં હાજરી આપવા મોકલ્યા હતા, જ્યાં તેમણે “ભારતની જીવંત ભાષા-સંસ્કૃત ' એ વિષય પર છટાદાર શૈલીમાં વ્યાખ્યાન આપ્યું હતું.' આ સિવાય ઇંગ્લંડની એમ્પાયર કલબ' જેવી જુદી જુદી સંસ્થાઓના માના સભ્યનું પદ મેળવવાનું માન પણ તેમને સહજ પ્રાપ્ત થયું હતું.
સ્વદેશ પાછા ફર્યા બાદ ત્રણ વર્ષ (૧૮૮૫૧૮૮૮) તેમણે રતલામમાં દીવાનગીરી કરી; પછી અજમેરમાં ચાર વર્ષ (૧૮૮૮–૧૮૯૨) વકિલાત કરી; અને પછી જુનાગઢની દીવાનગીરીના આઠ મહિના બાદ કરતાં ૧૮૯૭ સુધીને બધો વખત ઉદેપુર રાજ્યના કાઉન્સીલર તરીકે તેમણે કામ કર્યું હતું. ૧૮૯૧ સુધી પરોપકારિણી સભાના ટ્રસ્ટી તરીકે આર્ય સમાજની સાથે શ્યામજીને સંબંધ ટકી રહ્યો હતો. આ નવેક વરસ દરમ્યાન તેમને દેશી રાજ્યોની ખટખટને સારી પેઠે અનુભવ થયો હતો. બીજી તરફ દેશના રાજકીય વાતાવરણમાં આંધી ચડતી જતી હતી. લોકમાન્ય તિલકને દેશદ્રોહના આરોપસર દેઢ વર્ષની કેદની સજા થઈ હતી. શ્યામજી ૧૮૯૭ માં દેશના ગુંગળાવી નાખે તેવા કલુષિત વાતાવરણમાંથી મુક્ત થવાના ઉદ્દેશે કાયમને માટે વસવાટ કરવા સારું વિલાયત ગયાં. - ત્યાં જઈને તેમણે પહેલાં તે એસફર્ડની એમ.એ.ની ઉપાધિ મેળવી અને આર્યસમાજ તેમજ ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન વિશે સંખ્યાબંધ ભાષણ આપ્યાં. વિખ્યાત અંગ્રેજ ફિલસૂફ હર્બર્ટ સ્પેન્સરના શ્યામજી અનન્ય ભક્ત હતા. સ્પેન્સરના અવસાન નિમિત્ત “હર્બર્ટ સ્પેન્સર વ્યાખ્યાન–પીઠ'ની સ્થાપના સારુ ઈગ્લેંડમાં તેમણે એવી ઝુંબેશ ઉઠાવી કે તેને લીધે જોતજોતામાં સમસ્ત દેશમાં એ હિન્દી જુવાન જાણીતો થઈ ગયો.
૧૯૦૫ માં બંગભંગને કારણે ભારતમાં સ્વદેશીની હીલચાલ શરૂ થઈ હતી. તિલક અને લજપતરાયની “જહાલ નીતિ’ના પક્ષકાર શ્યામજીએ આ અરસામાં “ઈન્ડિયન સેશિયોલોજિસ્ટ” નામનું માસિક પત્ર શરૂ કર્યું અને તેમાં ઉદ્દામ રાષ્ટ્રવાદી વિચારીને નિર્ભયપણે પ્રચાર કરીને ઈગ્લેંડમાં ભારતની આઝાદી માટે લેકમત કેળવવાને પુરુષાર્થ શરૂ કર્યો હતા. ભારતને ગુલામ બનાવનાર અંગ્રેજ રાજ્યસત્તા અને તેની સમક્ષ વફાદારી પ્રગટ કરીને થોડા હકની ભીખ માગતો કાંગ્રેસને “મવાળ પક્ષ
Page #212
--------------------------------------------------------------------------
________________
થશે અને ગ્રંથકાર ૫ ૧૦
શ્યામજીની તેજીલી કલમના હુમલાને વારંવાર ભોગ બનતાં હતાં. બંગાળના તેમજ મહારાષ્ટ્રના “અરાજકતાવાદી ક્રાન્તિવીરો'ની પ્રવૃત્તિને તેમણે ખુલે ખુલે પુરસ્કાર કર્યો હતો. તેમનાં આ પ્રકારનાં લખાણોએ શ્યામજીને લંડનથી પેરિસ અને છેવટે ત્યાંથી જીનીવા નાસી જવાની ફરજ પાડી હતી. ભારતની આઝાદીના શહીદની યાદમાં શ્યામજીએ ભારતીય વિદ્યાર્થીઓને ઇંગ્લંડમાં અભ્યાસ કરવાની તક પૂરી પાડતી અનેક શિષ્યવૃત્તિઓ ઉદાર હાથે આપી હતી. ઈંગ્લંડમાં હિંદની આઝાદી માટે સૌથી પહેલી વ્યવસ્થિત અને બળશાળી પ્રવૃત્તિ કરનાર શ્યામજી કૃષ્ણ વર્મા હતા. તેમણે ત્યાં હેમ રૂલ સોસાયટી” તથા “ઈન્ડિયા હાઉસ'ની સ્થાપના કરીને ભારતના વિદ્યાર્થીઓ અને મિત્ર-ચાહકોની શક્તિઓને સંગઠિત કરી હતી–જેને લાભ પછીથી સાવરકર જેવા તે વખતના બંડખોર જુવાનોએ સારી પેઠે ઉઠાવ્યો હતે.
સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના આ પ્રખર વિદ્વાનનાં લખાણ અને વ્યાખ્યાનનો મોટો ભાગ ભારતીય પ્રજાના સ્વતંત્ર્ય અને તેને લગતા રાજકારણ વિશે છે. તેમાં રહેલી શ્યામજીની તીક્ષ્ણ બુદ્ધિશક્તિ, અપાર બહુશ્રુતતા અને તેજસ્વી ભાષાશૈલી એ દેશભક્તને સમર્થ લેખક અને ચિંતક તરીકે પણ કીર્તિ અપાવે તેમ છે. શ્યામજીનાં લખાણો “ઈન્ડિયન સેશિયોલોજિસ્ટ” અને તેમના વખતનાં બીજા સામયિકોમાં દટાયેલાં પડેલાં છે. છેલ્લાં પચાસ વર્ષ દરમ્યાન જાગેલી ભારતની રાષ્ટ્રીય અસ્મિતાને વિસ્તૃત અને સુસંકલિત ઈતિહાસ લખનારને દુનિયાભરમાં ભારતના સ્વાતંત્ર્ય-હક્કનો ઉદ્દઘોષ કરનાર આ મહાન ગુજરાતીનાં એ લખાણો જોયા વિના ચાલશે નહિ. - ઈ. સ. ૧૯૩૦માં જીનીવા ખાતે શ્યામજીનું અવસાન થયું હતું.
અભ્યાસ-સામગ્રી 9. Shyamji Krishna Varma : Life and Times of an Indian Revolutionary : by Shri Indulal Yajnik (1950).
૨. “મહાજન-મંડળ', પૃ૦ ૧૯૭. ૩. સત્યવક્તાની ચિત્રાવલિ.
Page #213
--------------------------------------------------------------------------
________________
(સા.) સુમતિ લલ્લુભાઈ શામળદાસ
ગુજરાતી સાહિત્યના આકાશમાં ઉદય પામીને તરત અસ્ત પામી જનાર્ આ લેખિકા બહેનના જન્મ ઈ. સ. ૧૮૯૦ માં ભાવનગરના સુપ્રસિદ્ધ વણિક ગૃહસ્થ લલ્લુભાઈ શામળદાસને ત્યાં થયેા હતા. સરદાર ભોળાનાથ સારાભાઈના પુત્ર સ્વ॰ ભીમરાવનાં એ દૈાહિત્રી થાય.
>
તેમણે શાળામાં રીતસર અભ્યાસ બહુ થાડા કરેલા, પણ બુદ્ધિની તીવ્રતા, જ્ઞાનની જિજ્ઞાસા અને પિતાના ધનુ પુસ્તકમય વાતાવરણ એ સ'ને પરિણામે' સુમતિને ‘વાંચવાના શાખ બેહદ થયા ' હતા. માંગરેાળવાળા વૈષ્ણવ અન`તપ્રસાદની પાસે તેમણે સ`સ્કૃતના અભ્યાસ ધેર કર્યો હતા. અગ્રેજી સાહિત્યને પણ તેમને ઠીક પરિચય હતા. અંગ્રેજ કવિ રોબર્ટ બ્રાઉનિંગ તથા મિસિસ બ્રાઉનિંગની કાવ્યકૃતિઓના શોખ તેમને તેમના પિતાના મિત્ર મિ૰ ખરોજી પાદશાહે લગાડયો હતા. આમ, ઊગતી વયથી જ સાહિત્યરસિકતાનાં ખીજ સુમતિના હૃદયમાં પડથાં હતાં.
અગ્રેજી અને સ ંસ્કૃત સાહિત્યના અભ્યાસ સાથે તેમની સશક્તિ લળતાં સુમતિએ સત્તર અઢાર વર્ષની વયે લેખન-કાય શરૂ કર્યું હતું. તેમણે ભાષાંતર, પછી અનુકરણ, સ યેાજન-રૂપાન્તર અને છેવટે સ્વતઃકલ્પિત રચના—એ ક્રમ અનુસાર કાવ્યરચના કરી જણાય છે. દક્ષિણની મુસાફરી કરતાં ડાળીમાં એઠાં બેઠાં પેાતે ઇશ્વરભક્તિનાં કેટલાંક કાવ્યેા લખ્યાં હતાં તેને ‘પ્રભુપ્રસાદી ' નામે પહેલા કાવ્યસંગ્રહ તેમણે અઢાર વર્ષની વયે બહાર પાડયો હતા. પછી કુદરત, સમાજ, ઈશ્વરભક્તિ અને અંગત અનુભવને આલેખતી ૫૮ કૃતિઓના ખીજો સંગ્રહ ‘કાવ્યઝરણાં’ નામે તેમના મૃત્યુ ખાદ પ્રગટ થયા હતા. તેમાં માટા ભાગની (૪૦) સ્વત:કપિત રચનાઓ હતી. સુમતિની કવિતામાં, અલકાર, છંદ, ભાષા, પદ્યરૂપ આદિ પરત્વે કાઈ વિશેષતા જોવા નહિ મળે, પણ સુકુમાર રસયુક્ત કલ્પના અને ‘ સરલગામિની શૈલી' તેમની નિસસિદ્ધ કવિત્વશક્તિની પ્રતીતિ કરાવે છે. તેમણે અ'ગ્રેજીમાંથી આધારરૂપ વસ્તુ લઈને સ્વતંત્ર કલાવિધાનવાળી કેટલીક ટૂંકી નવલકથાના કદની વાર્તા લખી હતી, જેનાં નિર્દોષ અને સાત્ત્વિક છતાં વાસ્તવદર્શી પાત્રચિત્રણા ઠીક આકર્ષીક નીવડાં હતાં. વાર્તાનું નાટકરૂપે કે કાવ્યરૂપે અથવા કાવ્યનું વાર્તારૂપે પુનટન કરવાની કુશળતા પણ તેમનામાં હતી. સમર્થ સર્જકની આગાહી આપતી તેમની
Page #214
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક
૧૨
છૂથ અને ગ્રંથકાર રૂ૧૦ આ કૃતિઓ પરિપકવ કલાસ્વરૂપે પરિણત થાય તે પહેલાં તે, સુમતિ માત્ર ૨૧ વર્ષની વયે, તા. ૯ જુલાઈ ૧૯૧૧ના રેજ, લાંબી બિમારીને અંતે પ્રભુશરણ પામ્યાં.
. કૃતિઓ કૃતિનું નામ
પ્રકાર પ્રકાશન સાલ ૧. પ્રભુપ્રસાદી કાવ્યસંગ્રહ ૧૯૦૮ પોતે ૨. કાવ્યઝરણું ૩. કેટલીક નવલ- ચાર ટૂંકી નવેલ-.'
વૈકુંઠ લલ્લુભાઈ ક કથાઓ કથાઓ ૧૯૧૨
શામળદાસ અભ્યાસ-સામગ્રી ૧. મને મુકર, ગ્રન્થ ૨ (ન. જે. દી) પૃ. ૧. ૨. કેટલીક નવલકથાઓ'ની પ્રસ્તાવના (શ્રી વિદ્યાગૌરી નીલકંઠ) ૩. “સ્ત્રીબોધ' (માસિક), મહિલા પરિષદ અંક; જાન્યુઆરિ ૧૯૩૭, પૃ. ૧૭-૧૮
૧૯૧૨
Page #215
--------------------------------------------------------------------------
________________
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કવિ કલાપી તરીકે બૃહદ્ ગુજરાતમાં પ્રસિદ્ધિ પામેલ સુરસિંહજી ગોહિલ સૈરાષ્ટ્રના હાલાર પ્રાન્તના ચોથા વર્ગના હાનકડા સંસ્થાન લાઠીના ઠાકર હતા. તેમનો જન્મ ઈ. સ. ૧૮૭૪ના ફેબ્રુઆરિની ૨૬ મી તારીખે (વિ. સં. ૧૯૩૦ ના માઘ શુદ નવમી) થયો હતો. તેમના પિતાશ્રી તખ્તસિંહજીને ત્રણ કુમારો હતા : ભાવસિંહજી, સુરસિંહજી અને વિજયસિંહજી. ભાવસિંહજી રાજકોટ રાજકુમાર કોલેજમાં ભણતા હતા તે વખતમાં જ અવસાન પામ્યા હતા તેથી સુરસિંહજી રાજ્યના વારસ ઠર્યા હતા. સુરસિંહજીને બાર વર્ષના મૂકીને તખ્તસિંહજી સ્વર્ગવાસી થયા એટલે એજન્સી તરફથી લાઠી રાજ્ય ઉપર મેનેજમેંટ મૂકવામાં આવ્યું હતું. બે વર્ષ પછી રાજમાતા રાયબા મૃત્યુ પામતાં ચૌદ વર્ષના સુરસિંહજીને ઉછેરવાની જવાબદારી એજન્સી તરફથી નિમાયેલ મેનેજર આશારામ શાહને માથે આવી હતી. માતાપિતાના અવસાનને કારણે રાજખટપટને અનુભવ કલાપીને નાનપણથી જ થયો હતો. તેમના સ્વભાવમાં રહેલી વૈરાગ્યવૃત્તિને આરંભથી જ આ વાતાવરણે પિષણ આપ્યું હશે. ૧૮૮૮ ના ડિસેમ્બરની પહેલી તારીખે કલાપીનાં લગ્ન ક૭ રેહાનાં રાજકુમારી રાજબા અને સિરાષ્ટ્રના કેટડા સાંગાણીનાં રાજકુમારી આનંદીબા એમ બે કુંવરીઓ સાથે એક જ વખતે થયાં હતાં. તેમના લગ્નેત્સવમાં મૂળચંદ આશારામ શાહના મિત્ર તરીકે કવિ કાન્ત હાજરી આપી હતી, પણ તે વખતે કાન્ત સાથે કલાપીને ખાસ પરિચય નહતો.
- ૧૮૮૨ ના જનની બાવીસમી તારીખે કલાપીને રાજકેટની રાજકુમાર કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજકુમાર કોલેજમાં પ્રાથમિક પહેલાથી માંડીને વધુમાં વધુ માધ્યમિક છઠ્ઠા ધોરણ સુધીનું ગણાય તેટલું શિક્ષણ અપાતું હતું. એ કોલેજનું વાતાવરણ ઉછુંખલ અને વિલાસી હતું. કલાપી સવારમાં કસરત કરતા ને આખો દિવસ અભ્યાસમાં મગ્ન રહેતા. એટલે પ્રિ. મૅકનોટન પર સારા વિદ્યાર્થી તરીકે તેમની છાપ હતી. લગ્ન થયા પછી ૧૮૯૦ માં તેમણે બન્ને રાણીઓ સાથે રાજકોટમાં ઘર લઈને રહેવાની અનુમતિ પ્રિન્સિપાલ પાસેથી મેળવી હતી. કૅલેજકાળ દરમ્યાન તેમને ખાનગી અભ્યાસ કરાવવા સારુ શ્રી ત્રિભુવન જગજીવન જાનીને શિક્ષક તરીકે રાખ્યા હતા. અંગ્રેજી, ગુજરાતી અને ફારસીનું સારું જ્ઞાન ધરાવતા, “સ્વતંત્ર ને વાજબી સલાહ આપનાર’ આ ઉપયોગી અને
Page #216
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને થકાર ૫. ૧૦ હેશિયાર શિક્ષકની ઊગતા તરણ કલાપી પર સારી છાપ પડી હતી. ૧૮૯૧ માં જાની છૂટા થયા તે પછી શ્રી એન. બી. જેશી કલાપીના ખાનગી શિક્ષક હતા. તેમણે કલાપીને શૈલી, વર્ડઝવર્થ, બાયરન, કીટ્સ વગેરે અંગ્રેજી કવિઓનાં કાવ્યને સારો અભ્યાસ કરાવ્યા હતા, જેનું પરિણામ કલાપીની કવિતામાં સ્પષ્ટ વરતાય છે. “કાશ્મીરને પ્રવાસનું વર્ણન કરતે પત્ર કલાપીએ તેમના આ શિક્ષકને ઉદ્દેશીને તા. ૨૨-૧-૧૮૯૨ ના રોજ લખેલો.
- કલાપીની ઇચ્છા મેટ્રિક પાસ થઈને આટ્સ કૉલેજમાં દાખલ થવાની હતી, પણ આંખની પીડાને લીધે અંગ્રેજી ચાર પાંચ ધોરણથી વિશેષ અભ્યાસ તેમનાથી થઈ શક્યો નહિ. ૧૮૯૧ ના ઓગસ્ટની ૧૪મી તારીખે તેમણે કોલેજ હમેશને માટે છોડી. પણ તેને બદલે તેમણે ખાનગી અભ્યાસ વધારીને વાળી લીધે. “૧૮૯૨ સુધી તેમણે માત્ર ગુજરાતી પુસ્તકે જ વાંચ્યાં હતાં. છગનલાલ પંડયાકૃત કાદંબરીનું ભાષાંતર, સરસ્વતીચંદ્ર, નવલગ્રંથાવલી, ઉત્તરરામચરિત, મણિલાલ અને મનસુખરામના સર્વ ગ્રંથ, નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, શામળ વગેરે પ્રાચીન, અને નર્મદ, દલપત, કાન્ત વગેરે અર્વાચીન કવિઓનાં કાવ્ય, રામાયણ, મહાભારત, પુરાણ વગેરેના સાર અને ભાષાન્તર એમ ગુજરાતી ભાષામાં લખાયેલ જે કાંઈ મળી શક્યું તે સર્વ તેમણે વાંચવા માંડ્યું.” “સુદર્શન', “ચંદ્ર',
ભારતીભૂષણ વગેરે તે વખતનાં સામયિકે પણ તે ધ્યાનપૂર્વક વાંચતા હતા. ૧૮૯૨ થી તેમણે અંગ્રેજી સાહિત્યને અભ્યાસ શરૂ કર્યો હતો. પાંચ સાત વરસના ગાળામાં તેમણે શેકસપીયર, મિલ્ટન, બાયરન, મસ મૂર, વર્ડ્ઝવર્થ, શૈલી, કીટ્સ, ટેનિસન, બ્રાઉનિંગ, મેથ્ય આરઠ વગેરે અંગ્રેજી કવિઓ તથા ડેન્ટ અને ગેટેની કૃતિઓનાં અંગ્રેજી ભાષાંતરે વાંચી નાખ્યાં. સાથે સાથે લેટે, મેસોડે, શોપનહેર, એમર્સન, મિલ, સ્વીડનબર્ગ વગેરે તત્ત્વચિન્તકોને અભ્યાસ પણ ચાલતો હતો. ઉત્તરોત્તર વધતા જતા આ સ્વાધ્યાયે કલાપીનાં લખાણોમાં “દૃષ્ટિની વિશાળતા અને ચિતનની તલસ્પર્શિતા' આપ્યાં હતાં.
કોલેજ છોડ્યા બાદ, એજન્સીના નિયમ અનુસાર, સુરસિંહજીને હિંદના પ્રવાસે મોકલવામાં આવ્યા હતા. પ્રવાસમાં તેમની સાથે તેમના પરમ મિત્ર હડાળાના દરબાર વાજસૂરવાળા, જાણીતા દેશભક્ત એસ. આર. રાણાના પિતાશ્રી “મામા’ રતનસિંહ અને “સંચિત 'ના તખલ્લુસથી
Page #217
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-પરિતાવહ કવિતા લખનાર શ્રી રૂપશંકર ઉદયશંકર ઓઝા હતા. ૧૮૯૨ ના માર્ચની ૧૧ મી તારીખે તેમને આ પ્રવાસ રહાવાળાં રાણીની માંદગીને કારણે પંદર દિવસ વહેલો પૂરે થયો હતો. આ આર્યાવર્તના પ્રવાસે કલાપીની સૌન્દર્યદષ્ટિને વિકસાવવામાં અને ગદ્યકાર કલાપીની ભાષાશૈલીને પ્રાથમિક ઘાટઘૂટ આપવામાં મહત્ત્વનો ફાળો આપે એમ કહી શકાય. પ્રવાસ દરમ્યાન મળેલ અનુભવ અને અવકનની પ્રસાદી રૂપે તેમણે પત્નીઓ, મિત્રો અને સ્નેહી-સંબંધીઓને સંખ્યાબંધ પત્રો લખ્યા હતા. તે પૈકી ૧૮૯૨ ના જનમાં “ કાશ્મીરને પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વમ” એ મથાળા નીચે તેમના શિક્ષક શ્રી જોષીને ઉદ્દેશીને લખેલા પત્ર કલાપીની પહેલી સાહિત્યકૃતિ છે. - કલાપીનું સાહિત્યજીવન તેમના આંતરજીવન સાથે દઢ ગૂંથાયેલું હતું. રહાવાળાં રાણી-જેમને તેઓ “રમા’ કહેતા-સાથે તેમને ગાઢ પ્રેમસંબંધ હતા. કોલેજમાંથી તેમજ પ્રવાસમાંથી રમા પર તેમણે પોની ઝડી વરસાવી હતી. તેઓ પત્રમાં રમાને ગમે તે રાગમાં કવિતા લખીને મોકલતા ને રમાને પણ કવિતા લખવા પ્રેરતા. ‘અભ્યાસ અને રમા વચ્ચે વહેંચાઈ ગયેલે ” કલાપીનો પ્રેમ, પછીથી, રમાની સાથે આવેલી છસાત વર્ષની બાલિકા મેંદી પર ઢળતાં કલાપીનું પ્રણયજીવન અને સાહિત્યજીવન ન જ રંગ ધારણ કરે છે. વખત જતાં “વત્સા મેથી”
સ્નેહરાની શોભના” બને છે. શોભનાને મેળવવા જતાં રમાને દૂભવવાનું આ કેમળ દિલના પ્રેમીને ગમતું નથી. નવા પ્રેમથી આકર્ષાયા છતાં જના પ્રેમને તે વીસરી શકતા નથી. બન્નેને ચાહી શકાય એમ કલાપી અંતરથી માનતા હતા પણ રમાને તે સ્વીકાર્યું નહોતું, શોભનાને માટે મૂરતા છતાં ઉચ્ચ કર્તવ્યભાવનાવાળા કલાપીએ પહેલાં તે તેને તેની જ નાતના એક માણસ સાથે પરણાવી; પણ તેથી તે ઊલટી તેમની તેમજ શેભનાની વ્યથા અનેકગણું વધી ગઈ. છેવટે “પ્રેમમાં જ બધી નીતિ સમાઈ જાય છે” એમ માનીને કલાપીએ તા. ૧૧-૭–૧૮૯૮ ના રોજ શોભના સાથે રીતસર લગ્ન કર્યા. તે પછી બે વર્ષે-ઈ. સ. ૧૯૦૦ ના જનની દસમી તારીખે- ફક્ત એક રાતની માંદગી ભોગવીને તેઓ વિદેહ થયા.
આમ પ્રેમ એ કલાપીના વ્યક્તિત્વને પ્રથમ ગુણ હતો તે વૈરાગ્યની વૃત્તિ પણ તેમના સ્વભાવમાં એટલી જ પ્રબળ હતી. તેમની પહેલી કાવ્યકૃતિ “ફકીરી હાલ' અને છેલ્લી “આપની યાદી' વૈરાગ્ય વિશે છે. ભરત
તે
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૦
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦
માટે તેમણે ઉચ્ચારેલી પક્તિ--~-- રાગ તે ત્યાગની. વચ્ચે હૈયું એ ઝૂલતું હતું '—ખુદ કલાપીને પણ લાગુ પડે છે.
કલાપીનું મિત્રમંડળ બહેળું હતું. મણિલાલ નભુભાઈ તેમના ‘સ્નેહી ગુરુ ' હતા. રાજ્ય, ગૃહ, ધર્મ, વાચન અને સાહિત્યસર્જન – બધી બાબતમાં તેઓ તેમના પરમ માદક હતા. રાજ્ય તજીને ચાલ્યા જવા તૈયાર થયેલા કલાપીને પ્રજાની ફરિયાદ સાંભળવામાં કવિતા જેટલા રસ લગાડનાર મણિલાલ હતા. ગીતા-ભાગવતાદિ ધર્મગ્ર ંથાના વાચન, પ્રવાપાસના અને પ્રાણવિનિમયના પ્રયોગ ભણી મણિલાલે તેમને વાળ્યા હતા. રમા-શાભના --પ્રકરણમાં પહેલાં રમાને વફાદાર રહીને ચિત્તને સયત કરવાના, અને પછી પરિસ્થિતિ અનિર્વાદ્ય બનતાં દુનિયાની પરવા કર્યાં વગર, પેાતાને ઇષ્ટ પગલું બહાદુરીથી ભરવાની સલાડુ પણ તેમણે જ કલાપીને આપી હતી. કલાપીનાં ‘કાશ્મીરને પ્રવાસ' આદિલખાણા મણિલાલ સુધારતા. કલાપીને તેમના આ ગુરુ માટે અપાર ભક્તિ હતી. ૧૮૯૮ માં મણિલાલનું મૃત્યુ થયું તે પછી ગાવ`નરામને કલાપીએ ગુરુસ્થાને સ્થાપ્યા હતા. પણ મણિલાલના જેટલા ગાઢ પ્રેમ-સંબંધ તેમની સાથે જામી શક્યો નહિ. વિ ક્રાન્ત કલાપીના અતિ નિકટના મિત્ર હતા. બન્ને મિત્રો વચ્ચે કાવ્યેાના વિનિમય છૂટથી ચાલતા. કાન્તે તેમને સ્વીડનમાની લગની લગાડી હતી. કલાપીના મૃત્યુ પછી તેમની કૃતિઓ પ્રગટ કરીને કાન્તે મિત્ર-ઋણુ અદા કર્યું' યું. કવિ ‘જટિલ' કલાપીનાં કાવ્યા સુધારી આપતા અને તે પર વિવેચન પણુ લખતા.. ‘સંચિત્' પણ તેમના આપ્તમડળમાં હતા.
અર્વાચીન યુગના સૌધી વિશેષ લેાકપ્રિય કવિ કલાપી છે. તેમના રોમાંચક પ્રણયત્રિકાણની આસપાસ કલાપીની કવિતા રચાયેલી છે. · હૃદય ત્રિપુટી' અને બીજા અનેક નાનાં મોટાં કાવ્યા કલાપીના સ્વાનુભવમાંથી પ્રગટેલાં છે. એ નિતાંત સ્વાનુભવરસિક કવિ છે. કેામળ સવેદનવાળાં ઊર્મિકા અને કથાકાવ્યામાંથી તેમના તાજો અને મીઠા પ્રણયરસ ટકી રહે છે. કવિતા કલાપીને મન ‘નિઃશ્વાસરૂપ ' હતી, તેમાંથી નીકળતા સ્નેહ અને દર્દના સૂર સીધેસીધા વિના હૃદયમાંથી નીકળતા હાય એવી સચોટ અસર કરે છે. લાગણીની ઋજુતા અને ઉત્કટતા એ કલાપીની કવિતાના પ્રધાન ગુણ છે. તેની પાછળ રહેલ સચ્ચાઇના રણુકા અને સરલ, પ્રસાદમય વેગવંતી ભાષાના પ્રવાહ હરકાઇ વાચકને મુગ્ધ કરી દે છે. તેમની કવિતાની બીજી વિશેષતા એ કે તે જીવનનાં પરમ સત્યાને સાદાં ચમકદાર
Page #219
--------------------------------------------------------------------------
________________
થકાર-ચરિતાવલિ
૧૦૭ સૂત્રોમાં રમતાં કરી દે છે. આને લીધે એની પંક્તિઓની પંક્તિઓ સહેલાઈથી યાદ રહી જાય છે. સૂફીવાદી મસ્તીભરી ગઝલેનું પદ્યસ્વરૂપ પણ તેનું એક આકર્ષણ ગણાય. ભાષાની માફક સંસ્કૃત અક્ષરમેળ વૃત્તો પર પણ એમને સહજસિદ્ધ કાબૂ હતા. આથી એમની કવિતામાં ક્યાંય આયાસ કે કૃત્રિમતા નહિ જણાય. .
કલાપી ઉપર અંગ્રેજી કવિતાની ઘણી અસર હતી. વર્ડઝવર્થ, શૈલી, કીટ્સ, અને બાયરન જેવા રંગદશી કવિઓની કૃતિઓના અનુકરણ, અનુરણન કે અનુવાદરૂપે તેમણે અનેક કૃતિઓ રચી છે. તેમનાં કાવ્યો પ્રગટ થયાં ત્યારે કલાપી હયાત નહેતા, તેથી કેટલાંક કાવ્યોનાં મૂળ વિશે તેમના કાવ્યસંગ્રહમાં માહિતી મૂકી શકાઈ નહોતી. આને લીધે કલાપીને માથે અપહરણને દોષ મુકાયો હતો. પણ કલાપી સ્વભાવે એટલા સરળ, નમ્ર અને નિખાલસ હતા કે નાનામાં નાનો ઋણસ્વીકાર કરવો પણ એ ચૂકતા નહિ. તેમને કવિની કીર્તિની ખેવના નહોતી. કાવ્યરચના તેમને માટે સર્જન કરતાં હૃદયના ઊમિભારના વિસર્જનરૂપે વિશેષ હતી. આથી તો, તેમાં કળાની સફાઈ ઓછી છે. વળી રૂદનપ્રેમ, વિશાદને અતિરેક અને પિચટ ઊર્મિલતાના દેશોથી પણ કલાપીની કવિતા મુક્ત નથી. તેમ છતાં, અર્વાચીન ગુજરાતી કવિતાને રંગદર્શી ઝેક આપવામાં ન્હાનાલાલ સિવાય બીજે કઈ કવિ કલાપીથી ચડે તેમ નથી. સંકુચિત આત્મલક્ષી સંવેદનમાં વિહરતે હેવા છતાં “ કલાપીનો કેકારવ : છેલ્લાં પચાસ વર્ષથી જુવાન વાચકસમુદાયને પ્રિય ગ્રંથ બની રહેલ છે.
કલાપી પ્રાસાદિક ગદ્યકાર પણ હતા. કવિતાની માફક તેમને વિપુલ પત્રસમૂહ પણ કલાપીના વ્યક્તિત્વને સુંદર રીતે ઝીલે છે. તેમણે પત્રોમાં હૃદય રેડીને કાવ્યસહજ ઉત્કટતા આણી છે. મિત્રો, સ્નેહીઓ, કારભારીઓ, પત્નીઓ, અને સામાન્ય પરિચિત-સૌના તરફ સહજભાવે સ્નેહ અને સૌજન્યને એકધારો પ્રવાહ તેમણે પત્રોમાં વહાવ્યો છે. કલાપીની અપ્રાપ્ત આત્મકથાની ખોટ પૂરતા આ પત્રો તેમની સામગ્રી તેમજ શૈલીને કારણે ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ સ્થાન પામ્યા છે.
* કલાપીની જુદી જુદી કૃતિઓનાં મૂળ વિશે વિગતવાર માહિતી માટે જુઓ શ્રી નવલરામ જ. ત્રિવેદીકૃત “કલાપી”, પ્રકરણ ૮.
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૦૮
અને થકાર : ૧૦
કૃતિઓ કૃતિનું નામ પ્રકાર કે વિષય પ્રકાશન-સાલ પ્રકાશક ૧. કાશ્મીરનો પ્રવાસ પત્રરૂપે
આ૦૧ : ૧૮૯૨
પોતે અથવા સ્વર્ગનું પ્રવાસવર્ણન આ૦૨૧ ૧૯૦૯
સ્વપ્ન ૨. કાશ્મીરનો પ્રવાસ, પત્ર, સંવાદ ને * ૧૯૧૨ સસ્તું સાહિત્ય કલાપીના સંવાદો નિબંધ
વર્ધક કાર્યાલય, તથા સ્વીડનબોર્ગના
અમદાવાદ, ધર્મવિચાર ૩. કલાપીનો કેકારવ કાવ્યસંગ્રહ આ૦૧: ૧૯૦૩ ) મણિશંકર
આ૦૩ : ૧૯૧૬ - રત્નજી ભટ્ટ આ૦૪ : ૧૯૨૦ આ૦૬ : ૧૯૨૨ આ૦૬ : ૧૯૩૧ કલાપી સ્મારક
આ૦૭: ૧૯૪૬ ના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ૪. માલા અને મુદ્રિકા નવલકથા
૧૯૧૨ મણિશંકર રત્નજી
ભટ્ટ
૧૯૧૩
જીવનલાલ અ. મહેતા, અમદાવાદ,
૧૯૧૩
મણિશંકર રત્નજી
૫. દુખમાંથી સુખ ટૂંકી વાર્તા
(કથામંજરી ભા.
૨માં મૂકેલી) ૬. હમીરજી ગોહિલ મહાકાવ્ય
(અપૂર્ણ) - ૭. કલાપીના પત્રો પત્રો
(હાજી મહમદ
સ્મારક ગ્રંથમાં) ૮. કેકારવની પુરવણું કાવ્યસંગ્રહ
૧૯૨૨
૧૯૨૨
રમણુક કીશનલાલ
મહેતા મુનિ કુમાર મ. ભટ્ટ
૧૯૨૫
૯ કલાપીના ૧૪૪ પત્ર ' પત્રો ૧૦. શ્રી કલાપીની પત્રો
૫ત્રધાર ૧૧. નારીહદય નવલકથા
૧૯૩૧
શ્રી જોરાવરસિંહજી
ગોહિલ આર. આર. શેઠની કં, મુંબઈ
૧૯૩૨
Page #221
--------------------------------------------------------------------------
________________
થથકાર-ચરિતાલ
૧૨. ગ્રામમાતા અને કાવ્યસંગ્રહ
૧૯૩૮
જીવનલાલ અ, બીજ કાવ્યો
મહેતા (સં. નવલરામ
જ. ત્રિવેદી) ૧૩, હૃદયત્રિપુટી અને ,
૧૯૩૯ બીજાં કાવ્યો (સં. નવલરામ જ. ત્રિવેદી)
અભ્યાસ-સામગ્રી ૧. નવલરામ જ, ત્રિવેદી: “કલાપી” (ગુજ. વિદ્યાસભા) ૨. સુંદરમઃ “કલાપીનું આંતરજીવન': “વિધાવિસ્તાર-વ્યાખ્યાનમાલા” (ગુજ.
વિદ્યાસભા). ૩. નવલરામ જ. ત્રિવેદી : “કેટલાંક વિવેચને ', પૃ૦ ૧૪૫-૧૬ ૪. રમણલાલ વ. દેસાઈ: “જીવન અને સાહિત્ય', ભા. ૧ : “કલાપી અને
તેની ગઝલો.’ પ. કાન્તઃ “કલાપીનું જીવન”. ૬. કનૈયાલાલ મા. મુનશી : Gujarata and its Literature; હૃદયત્રિપુટી
અને બીજાં કાવ્યોની પ્રસ્તાવના. ૭. રૂપશંકર ઉદયશંકર ઓઝા : “કલાપીનું અક્ષરજીવન” (ત્રીજી સાહિત્ય પરિ
ષદને અહેવાલ). ૮. ઇનલાલ સવલાલ દવેઃ ' કલાપી સંબંધી ટૂંક વિવેચન' (ચોથી સાહિ.
પરિને અહેવાલ). ૯. મૂળચંદ આશારામ શાહ : “ઠાકોર કી સુરસિંહજી કેટલાંક સ્મરણે”?
(અગિયારમા સાહિ. સંમેલનને અહેવાલ) ૧૦. ન્હાનાલાલ કવિ : “કલાપીને સાહિત્યદરબાર,” “સ્ત્રીબેધ,” માર્ચ ૧૯૩૮ ૧૧. ત્રિભુવન પ્રેમશંકરે: “કલાપીને વિરહ'.
Page #222
--------------------------------------------------------------------------
________________
હરજીવન સામૈયા
સ્વ. હરજીવન સામૈયાનેા જન્મ ઇ. સ. ૧૯૦૮માં જોડિયાના ગરીબ લાહાણા કુટુંબમાં કરાંચી ખાતે થયા હતા. નાનપણમાં જ પિતાને ગુમાવનાર હરજીવનને માતાએ મહેનત-મજૂરી કરીને ઉછેર્યાં હતા. ઈ. સ. ૧૯૩૬માં શ્રી કાન્તાબહેન સાથે તેમનાં લગ્ન થયાં હતાં.
માતાની દેખરેખ નીચે પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને માધ્યમિક શિક્ષણ તેમણે તે વખતની કરાંચીની અગ્રગણ્ય શિક્ષણુ–સંસ્થા શારદામદિર ’માં લીધું હતું. કૉલેજમાં જાય તે પહેલાં તે તેમણે ત્રીસની સ્વાતંત્ર્ય-લડતમાં ઝંપલાવ્યું. કરાંચીની ટુકડીમાં સામેલ થઈ તે તેઓ સંગ્રામમાં જોડાયા. ૧૯૩૪માં લડત પૂરી થઈ ત્યાં તેમને કારાવાસ ભાગવવા પડયા હતા.
(
ધાલેરા સત્યાગ્રહ સુધીમાં અનેક વાર
જેલમાંથી બહાર આવીને હરજીવનભાઇ એ શિક્ષણ-ક્ષેત્રમાં પ્રવેશ કર્યા. તેમણે રાણપુરમાં હરિજન-શાળા શરૂ કરી. ખૂબ મમતા અને કાળજીથી તેઓ શાળાનાં રિજન બાળકાને ભણાવતા અને સ્વચ્છ રાખતા. એકાદ વર્ષ પછી કૌટુંબિક સ ંજોગેાને કારણે તેમને કરાંચી જવું પડયું. ત્યાં તેઓ શારદા મદિરમાં શિક્ષક તરીકે જોડાયા. બે-ત્રણ વરસમાં જ આદર્શ શિક્ષક તરીકે તેમની ખ્યાતિ થઈ; પણ સતત પરિશ્રમ કરવાને કારણે કરાંચીમાં તેમનું શરીર ક્ષીણ થઈ ગયું.
વિદ્યાથી’વસ્થામાંથી જ હરજીવનભાઇને લખવાનેા શાખ હતા. ‘દરિયાના મામલા' નામની કિશારભાગ્ય સાહસ-કથા તેમણે ૧૯૩૬માં સૌપ્રથમ રચી, જે ભારતી સાહિત્ય સધ તરફથી એ જ વર્ષોંમાં પ્રગટ થઈ હતી ભારતી સા. સંધ તેમના મિત્રા ચલાવતા હતા. ૧૯૩૭ માં લેખન -વ્યવસર્યાંયને અપનાવવાના નિશ્ચય કરીને હરજીવનભાઈ પણ એ સંસ્થામાં જોડાયા. સંધ તરફથી પ્રગટ થતાં માસિકે! · ઊર્મિ ' અને ‘નવરચના ’ના સંપાદનનું કામ તેમણે ભારે ખત અને નિષ્ઠાથી કર્યું હતુ..
"
જુદી જુદી ભાષાઓ શીખવાતા તેમને રાખ હતા. ગુજરાતી ઉપરાંત મરાઠી, બંગાળી, હિંદી અને અ'ગ્રેજી ભાષાની તેમને સારી જાણકારી હતી. ઉર્દૂ અને તેલુગુ ભાષા શીખવાના પણ તેમણે પ્રયત્ના કર્યા હતા. હિં'દી ભાષા–શિક્ષણના પાઠ તેગ્મા ‘ ઊર્મિ ’માં લખતા હતા. તેમના આ અનેક-ભાષા-નાને તેમને કેટલાંક સુંદર મરાઠી અને અંગ્રેજી પુસ્તકાના ગુજરાતી અનુવાદ કરવાની તક આપી હતી.
હાલ કેઇન, આનાતાલ ક્રાંસ અને વિકટર હ્યુગે તેમના પ્રિય લેખક હતા. ભૂંગાળ, ઇતિહાસ, વિજ્ઞાન અને દેશદેશના લેાકાના સામાજિક રિવાજો તેમના અભ્યાસના ખાસ વિષયા હતા. વાર્તામાં નવા જ વિષયાનું ખેડાણુ
Page #223
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-પરિતાવલિ કરીને સમૈયાએ ગુજરાતી સાહિત્યમાં અને ખી ભાત પાડી છે. દેશવિદેશના લેકેના જીવનને વણી લેતી, તેમની “ઊર્મિ માં પ્રગટ થતી વાર્તાઓ પ્રત્યે શ્રી કિશોરલાલ મશરૂવાળાએ અનુરાગ વ્યક્ત કર્યો હતો; ભૂગોળ અને ઈતિહાસના લાંબા તેમજ વિવિધરંગી પટ પર વિસ્તરતી નવલકથાઓ તેમણે રચી છે. તેમની પહેલી નવલકથા “પૃથ્વીને પહેલો પુત્ર” કલાદષ્ટિએ ખામીવાળી હોવા છતાં વિષયના નાવીન્યને કારણે વિવિધ દિશામાંથી આવકાર પામી હતી. “સમાજના ત્રીજા અંગરૂપ મવાલીને જીવનનું તાદશ ચિત્ર આપતી ઉદેશપ્રધાન નવલડી “પુનરાગમન ”મૈયાની વાર્તાકલાનો સ્પષ્ટ વિકાસ સૂચવે છે. “છોકરાંઓને નમાલાં બનાવી મૂકે તેવું સાહિત્ય પ્રકટ થાય છે તે મારાથી નથી સહન થતું ” એમ ફરિયાદ કરતા સામૈયાએ બાળકો અને કિશોરોને સાચા પુરુષાથી બનાવે તેવું સત્ત્વશાલી બોલ– સાહિત્ય પણ પીરસ્યું છે. ટૂંકમાં નવીન વિષયો અને જીવનના વિવિધ અનુભવનું પોતાની રીતે વાર્તામાં વિતરણ કરીને સોમૈયાએ ગુજરાતી સાહિત્યમાં પોતાના વ્યક્તિત્વની વિશિષ્ટ છાપ પાડી છે.
૧૯૪૧ માં “સંધમાંથી છૂટા થઈને તેઓ ફરીથી કરાંચી ગયા અને શિક્ષણ-કાર્યમાં ડૂબી ગયા. પણું શરીર કથળતાં રાણપુર પાછા આવવું પડ્યું. ૧૯૪૨માં હદયરોગનો હુમલો થતાં તેઓ અમદાવાદ સારવાર અર્થે આવ્યા અને જુલાઈની ૧૮મી તારીખે ચોત્રીસ વર્ષની ભરજુવાન વયે અવસાન પામ્યા. | સ્વ. સામૈયાએ છેલ્લી પળ સુધી લેખન-કાર્ય ચાલુ રાખ્યું હતું. તેમણે લેખકના વ્યવસાયને અર્થોત્પાદક સાધન તરીકે નહિ, પણ સાધના તરીકે અપનાવ્યું હતું. પોતાના લખાણ દ્વારા શુદ્ધ ભાવનાનું ઉદ્દબોધન કરવાની તેમની નેમ તેમનામાં રહેલી શિક્ષકની દૃષ્ટિનું નિદર્શન કરે છે. ચોખૂટ ધરતી પર વસતી માનવપ્રજાના પ્રત્યેક ઘરમાં–પછી તે ભલેને જંગલી, અણઘડ કે ગુનેગારની છાપ પામ્યો હેય-માનવતાનું ઝરણું વહી રહ્યું છે એ બતાવવાને તેમને મુખ્ય ઉદ્દેશ હતો. જોડણીની શુદ્ધિ માટે તેમની ચીવટ એટલી હતી કે એક વાર “હરિજનબંધુ'માં આવેલી કેટલીક છાપભૂલે તરફ ગાંધીજીનું ધ્યાન દોરીને તેમાં યોગ્ય સુધારા કરાવ્યા ત્યારે જ તે જગ્યા હતા. તેમની કથનરીતિ સરલ, રસવાહી અને ચોકસાઈવાળી હતી. વાચકના મનમાં રમ્યાં કરે એવાં પાત્રો સર્જાવાની હથોટી પણ તેમને આવી ગઈ હતી. તેમની વાર્તાઓ પ્રૌઢ કલાસ્વરૂપ ધારણ કરે તે પહેલાં તે એમની પ્રવૃત્તિને કાળે અટકાવી દીધી. તેમ છતાં પાંચેક વર્ષના ગાળામાં બધી મળીને વીસેક કૃતિઓ આપનાર હરજીવન સામૈયાનું નામ સાહિત્યને
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૨
ગ્રંથ અને ગ્રંથકાર પુ૦૧૦
ચાપડે નોંધપાત્ર રહેશે એમાં શ'કાં નથી. ત્રણ નવલકથાઓ, ત્રણેક વાર્તાસ'ગ્રહે, ચારેક બાલસાહિત્યનાં પુસ્તક અને એક હિંદી પાડપુસ્તક-એટલું તેમનુ' સાહિત્ય અપ્રગટ છે.
કૃતિનું નામ
પ્રકાર
૧. દરિયાના મામલા ક્રિોારકથા
૨. ભરરિય
૩. શંકરાચાય
૪. નાનાં છેાકરાં
૫-૬ જંગલમાં મ ંગળ
ભા. ૧-૨
નિખ ધ
3.
ોિભાગ્ય ચરિત્ર
બાળવાર્તા
પ્રાણીકથા
નવલકથા
""
19
નવલકયા
""
કૃતિ
પ્રકાશન-સાલ
૭. ઉપવાસ કેમ
અને કયારે
૮. જીવનનું ઝેર
૯. પૃથ્વીના પહેલા પુત્ર,, ૧૦. દાન ધ્રુવ
૧૧. પશ્ચિમને સમરાંગણે
૧૨. અહંકાર
૧૩. ક્રાંટાની વાડ
૧૪-૧૫. પુનરાગમન
૧૯૪૩
ખ. ૧-૨ ૧૬, પામી અને બીજી નવલિકાઓ ૧૯૪૪
વાતા
19
૧૯૩૬ ભારતી "સાં. સ,
અમદાવાદ
૧૯૩૭
18
""
૧૯૩૮
૧૯૩૮ ?
૧૯૩૮
૧૯૩૯
પ્રકાશક મૂળ કૃતિનું નામ
99
19
91
.
""
21
29
.
૧૯૪૦
વિ. સ. ખાંડેકરની મરાઠી નવલથાને અનુવાદ એચિશ મેરિયા રેમા કૃત All quiet on the Western frontના અનુવાદ આનાતાલ ફ્રાંસકૃત થાઇ’ના અનુવાદ હાલકેઈનકૃત ખાટું વાયર ’ના અનુવાદ
૧૯૪૨
91
""
""
""
""
1111
અભ્યાસ—સામથી
૧. ગુજરાત સાહિત્ય સભાની ૧૯૪૧-૪૨ ની કાય વાહીમાં - પૃથ્વીને પહેલા
.
પુત્ર ’ તથા ‘ જીવનનું ઝેર 'ની સુંદરમે કરેલી સમીક્ષા,
૨. ‘પુનરાગમન’ ભાગ ૧ માં મૂકેલ પ્રકાશકાનું નિવેદન ‘ અમારા હરજીવનભાઈ ’ તથા શ્રી વિશ્વનાથ ભટ્ટની પ્રસ્તાવના ‘વાર્તાની વિચારસરણી ’
પશ્ચિમને સમરાંગણે ' તથા ‘ કાંટાની વાડ' ની પ્રે. અન’તરાય રાવળે લખેલી પ્રસ્તાવના.
Page #225
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલી
વિદ્યમાન ગ્રંથકારોને પરિચય
Page #226
--------------------------------------------------------------------------
Page #227
--------------------------------------------------------------------------
________________
અમલાલ કશનજી વશી
કે. વશીના નામે ઓળખાતા આ લેખકને જન્મ તા. ૨૩-૧૧-૧૯૦૪ના રાજ સુરત જિલ્લામાં તેમના વતન તલંગપુરમાં થયેલા. તે જ્ઞાતિએ અનાવિલ બ્રાહ્મણ છે. તેમના પિતાનું નામ કશનજી મેાહનભાઈ વશી અને માતાનું નામ ઈચ્છાબેન છે. તેમનું લગ્ન ઈ. સ. ૧૯૩૨માં સૌ. શાન્તાબેન સાથે થયું છે.
તેમણે પ્રાથમિક કેળવણી વતનની શાળામાં, માધ્યમિક સુરતની સરકારી હાઈસ્કૂલમાં અને ઉચ્ચ કેળવણી મુંબઈની ખેતીવાડી, કૉલેજમાં લીધી હતી. મેટ્રિકમાં ગુજરાતીના વિષયમાં તેમણે વિશિષ્ટ ગુણવત્તા પ્રાપ્ત કરી હતી. કૉલેજમાં ત્રણ વર્ષ લગી સરકારી છાત્રવૃત્તિ પણ મેળવી હતી. ત્યારબાદ ઈ. સ. ૧૯૨૮માં બી. એજી.ની પદવી ખીજા વર્ગમાં પ્રાપ્ત કરીને કેટલાક સમય તેમણે ‘ ખેતીવાડી' તેમજ ‘ ખેતી, ખેડૂત અને સહકાર ' એ સામયિકાનું સંચાલન કરેલું. હાલમાં તે પૂનાની વાડિયા કૉલેજમાં ગુજરાતી સાહિત્યના માના` અધ્યાપકનું અને લેડી ઠાકરશીના ખાનગી મંત્રી તરીકેનું કામ બજાવી રહ્યા છે.
કવિ ન્હાનાલાલે અને નવલકથાકાર મુનશીએ તેમના સાહિત્યિક વ્યક્તિત્વને ઘડયું છે. શરૂઆતમાં ‘વિપ્રદાસ ' અને ‘ઉષા ' જેવી રસિકમનેાહર કૃતિઓના સંસ્કારથી પ્રેરાઇને સ્વતંત્ર વાર્તાલેખનની પ્રવૃત્તિ તેમણે આર ભેલી; પરંતુ જ્ઞાતિ અને સામાજિક વિષયેા પરનાં ચર્ચાત્મક લખાણા અને પરપ્રાંતીય ભાષાનાં વાર્તા-નાટકાના અનુવાદો જ આજ લગી એમની પ્રિય લેખનપ્રવૃત્તિ બની રહેલ છે. એમની પ્રથમ મૌલિક વાર્તા ‘ ઉષા ’· અનાવિલ હિતેચ્છુ' નામના સામયિકમાં ઇ. સ. ૧૯૨૧માં પ્રગટ થયેલી. મરાઠી લેખક શ્રી. ખાંડેકરની વાર્તાઓનું સૌથી પ્રથમ ગુજરાતી ભાષાંતર કરનાર શ્રી. વશી છે.
'
<
સાહિત્યમાં એમને નવલિકાનું સ્વરૂપ પ્રિય છે. એમના જીવનઉદ્દેશ શક્ય તેટલી સમાજસેવા અને પૂનામાં વસતા ગુજરાતી બંધુઓની કેળવણી માટે પ્રયત્ન કરી છૂટવાના' છે. હાલ પૂનાના · બંધુસમાજ 'ના તેઓ અગ્રગણ્ય કાર્યકર છે અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિએ દ્વારા ત્યાંના ગુજરાતી સમાજની સારી સેવા બજાવી રહ્યા છે.
Page #228
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦
એમના અનુવાદો સરળ અને શુદ્ધ ગુજરાતી ભાષામાં થયેલા છે. સુપ્રસિદ્ધ મરાઠી લેખક અત્રેના ‘ત્યાંના લંકાર' નાટકને આવતી કાલ નામના અનુવાદ રંગભૂમિ ઉપર સફળતાથી ભજવી શકાય તેવા બન્યા છે. આને યશ એક તરફ જેમ મૂળ લેખક આચાર્ય અત્રેની નાટયકલાને ફાળે જાય છે, તેમ ખીજી તરફ શ્રી. વશીની તખ્તાને અનુકૂળ ગુજરાતી ભાષા– શૈલીને પણ મળે છે. તેમની મૌલિક વાર્તાએ ખાધપ્રધાન છે અને તે વસ્તુને રસ ઠીક જાળવી રાખે છે. ‘ પુસ્તકાલય-૧૯૩૦ 'માં તેમણે લખેલા • બાલસાહિત્ય ' વિશેના લેખે રા. · સાહિત્યપ્રિય ' અને રા. બચુભાઇ રાવત જેવા વિચારકાને ચર્ચા માટે પ્રેર્યાં હતા.
કૃતિ
"
કૃતિનું નામ પ્રકાર
૧. માલિકા
રચના સાલ
માલિા બીજી આવૃત્તિ)
પ્રકાશન સાલ
નવલિકા- ૧૯૨૫થી’૧૯૩૦
સંગ્રહ ૧૯૧૮
૧૯૩૨
૨. આરોગ્ય નિમ‘ધ પઢિય– ૧૯૩૬ વિજ્ઞાનશાસ્ત્ર
પુસ્તક
૩. આવતી કાલ નાટક ૧૯૩૬ ૧૯૪૪
૧૯૩૩
પ્રકાશ મૌલિક, સ’પાન
કે અનુવાદ ? અનાવિલ– કેટલીક મૌલિક, બધુ પ્રિ. પ્રેસ, બાકીની અનુવા સુરત દિત વાર્તાઓ
સી. જમના
દાસની. મુંબઇ
શ્રી. ખવે
ત્રિશક્તિ
કાર્યાલય
અભ્યાસ-સામગ્રી
• માલિકા ' માટે:-પ્રા. મે
પા વેની સમાર્ટોચના
• આવતી કાલ ’. માટેઃ—૪. સ. ૧૯૪૫ નું ગ્રંથસ્થ વામચ.
મરાઠીમાંથી
અનુવાદ
મરાઠીમાંથી
અનુવાદ
• વિવેચન ' પુસ્તકમાં.
.
Page #229
--------------------------------------------------------------------------
________________
ઈન્દ્રવદન ઉમિયાશંકર વસાવડો રાષ્ટ્રભાષા અને માતૃભાષાની એકી સાથે સેવા કરનાર આ વાર્તાલેખકને જન્મ ઈ. સ૧૯૧૨ ની ૨૩ મી નવેમ્બરે જૂનાગઢમાં થયેલો. તેમના પિતાનું નામ ઉમિયાશંકર મૂળશંકર વસાવડા અને માતાનું નામ સવિતાદેવી છે. જ્ઞાતિએ તેઓ નાગર છે. તેમનું લગ્ન ઈ. સ૧૯૩૪ માં શ્રી. સુકીર્તિદેવી સાથે થયેલું છે.
પિતાની કરી કોટા સ્ટેટ (રજપૂતાના)માં હોવાથી તેમનું બાલપણું હિંદી ભાષાં બેલતા પ્રદેશમાં વીતેલું. પ્રાથમિક પૂરી અને માધ્યમિક ત્રણ ધોરણ સુધીની કેળવણું તેમણે ત્યાં લીધી હતી. માધ્યમિક ઉપલાં ધોરણેને અભ્યાસ તેમણે અનુક્રમે વડોદરા, મુંબઈ અને જૂનાગઢમાં કર્યો હતા. તેમણે . સ. ૧૯૨૮ માં જૂનાગઢમાંથી મેટ્રિકની પરીક્ષા હાઈસ્કૂલમાં પ્રથમ નંબરે પાસ કરીને રાણા શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી હતી. ઇ. સ. ૧૯૭૨માં જૂનાગઢની બહાઉદિન કોલેજમાંથી બી. એ. (ઓનર્સ)ની પરીક્ષામાં તેઓ પ્રથમ નંબરે આવ્યા હતા. ઈ. સ. ૧૯૩૫ માં મુંબઈની એલિફન્સ્ટન કોલેજમાંથી વેદાન્ત મુખ્ય વિષય લઈને તેઓ એમ. એ. થયા હતા અને તે જ વિષયમાં પ્રથમ આવતાં ભાંડારકર પારિતોષિક તેમને મળ્યું હતું. ત્યારબાદ તેમણે મુંબઈની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં થોડેક વખત શિક્ષકગીરી બજાવી હતી. હાલમાં તેઓ વાંસદાની શ્રી. પ્રતાપ હાઈસ્કૂલમાં શિક્ષકનું કામ કરે છે. તેમના પ્રિય અભ્યાસવિષયે વેદાંત અને માનસશાસ્ત્ર છે.
પિતાની ઉદારતા, માતાની વ્યાવહારિકતા, ડિકન્સની નવલકથાઓ અને તેની કચડાયેલાં પ્રત્યેની અનુકંપાવૃત્તિ, ટાગોરની બાલવાર્તાઓ, મેઘાણીની સામાજિક વાર્તાઓ, ગાંધીજીના ૨૧ દિવસોના હરિજન-ઉદ્ધાર માટેના ઉપવાસ, ગામડાં અને લેકજીવનને રખડી રખડીને મેળવેલ અનુભવ અને ઉત્તર હિંદુસ્તાનનું વિશિષ્ટ વાતાવરણ તેમના જીવન તેમજ સાહિત્યને ઘડનારાં મુખ્ય તત્ત્વ છે. આ સર્વ તોએ તેમના જીવનને લાગણી, વિચાર અને દૃષ્ટિ આપ્યાં છે અને તેમના સાહિત્યને વિષય, વર્ણન અને પાત્રોની ભેટ કરી છે.
‘ચિતાના અંગારા” વાંચીને તેમાંની “સદાશિવ ટપાલી' નામની સ્વ. મેઘાણીની નવલિકાનો તેમણે હિંદી ભાષામાં અનુવાદ કરવાને અખતરે કરી જોયે પણ તેમાં એમને સફળતા મળી નહિ. એમની પહેલી મૌલિક
Page #230
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦
વાર્તા “નામુ મની” તેમણે હિંદીમાં લખી અને હિંદી નવલસમ્રાટ પ્રેમચંદજીએ તેને સત્કાર આપ્યો; તેને “હૃક્ષ' માસિકમાં સ્થાન મળ્યું; તેથી ઉત્તેજાઈને તેમણે વધુ આત્મશ્રદ્ધાથી ઘણો દાઢ નામની લાંબી નવલકથા હિંદીમાં લખી. પણ સૌ પ્રકાશકેએ આ ઊગતા લેખકને જાકારો આપ્યો. છેવટે પ્રેમચંદજીએ તેને છાપવાનું બીડું ઝડપ્યું અને છાપી. પછી તે પુસ્તકનાં ચારે બાજુથી હિંદી સાહિત્યજગતમાં વખાણ થયાં. સ્વ. મેઘાણીની પ્રેરણાથી તેમણે ગુજરાતી સાહિત્યના પ્રદેશમાં ય ઝૂકાવ્યું અને ઘર વાર ને ઘર ભણી નામે ગુજરાતી અનુવાદ તૈયાર કર્યો. “જન્મભૂમિ'ના “કલમક્તિાબ' વિભાગમાં હિંદી સાહિત્યક્ષેત્રે પ્રથમ ગુજરાતી તરુણ-એ મથાળા નીચે સ્વ. મેઘાણીએ તેની ગુજરાતી આવૃત્તિની પેટ ભરીને પ્રશંસા કરી.
“ઘજી રા' નવલકથાનું વસ્તુ તેમને કેવી રીતે સાંપડયું અને તેમાંથી તેમને અંતઃક્ષોભ કેવી રીતે ઉદ્દભવ્યો એ જણાવતાં લેખક કહે છેઃ “૧૯૩૧-૩૨ માં શ્રી. મેઘાણીકૃત ‘ચિતાના અંગારા'માંની વાર્તાઓએ છાપ પાડી હતી અને તે જ અરસામાં પ્રેમચંદજીની નવલકથાઓ તરફ મનની લવાની લાગી હતી. વળી ટાગોર આદિની વાર્તાઓથી મુગ્ધ બનીને ભાવની ઉત્કટતાવાળી વાર્તાઓ લખવાનું મન થયા જ કરતું. ત્યાં તે હરિજનઉદ્ધાર માટેના ગાંધીજીના ૨૧ દિવસના ઉપવાસોએ હિંદનું વાતાવરણ ગમગીન બનાવી દીધું. મારા ગામની ઝૂંપડીમાં બેસી હું એક વખત માનસિક યાત્રા કરી રહ્યો હતો. ત્યાં એક ગરીબ બાળક જેને મારા પિતાએ પાળ્યું હતું અને જે કેટલાક વખતથી નાસતો ફરતો હતો, તે એકાએક આવ્યો. તેની કરુણ વીતકકથા મેં સાંભળી. હરિજન–પ્રશ્ન, ગામની સ્મૃતિઓ અને એ બાળકના જીવનના વિવિધ રસથી મિશ્રિત પ્રસંગો – એ ત્રણેય વાનાં મળીને મારા મનમાં વાર્તાનું રૂપ ઘડાયું અને તે જ મારી પ્રથમ લાંબી કૃતિ શ્રી રાø.” એ જ પ્રમાણે તેમની પહેલી ટૂંકી વાર્તા પાકુ મંદીના વસ્તુનું મૂળ જણાવતાં તે કહે છે: “પિતાજીને બગીચાને શેખ. ભંગી તેને પાણી પાય. એક વખત બગીચામાં ડુક્કરો ઘૂસી ગયાં. બગીચાનું નિકંદન કર્યું. પિતાજી અત્યંત કૃદ્ધ થયા ને ભંગીને માર્યો. મારા હૃદયમાં અત્યંત પીડા થઈ અને તેના આઘાતરૂપે 15 મી વાર્તા જન્મી.”
એમના જીવનને મુખ્ય ઉદ્દેશ ‘જગતનાં સર્વ પ્રાણીઓમાં સ્નેહને સંચાર કરવાનું છે. એ ઉદ્દેશને શક્ય રીતે સાહિત્ય દ્વારા સિદ્ધ કરવાને પ્રયત્ન તેમણે કરેલો છે. ડિકન્સ, ટાગોર, શરદચંદ્ર, મેઘાણી, પ્રેમચંદજી વગેરે
Page #231
--------------------------------------------------------------------------
________________
થથકાર-સરિતાવવધ
<
નવલકથાકારો તેમના પ્રિય લેખકા છે; · Old Curiosity Shop ' તે ં શ્રીકાન્ત' તેમની પ્રિય નવલકથાઓ છે.
જે જીવનમાં જણાય અને હૃદય ઉપર ઊંડી અસર જમાવે તેને શબ્દો આપવા એ તેમના લેખન હેતુ છે. એમની નવલકથાઓ ગુજરાતમાં ખૂબ લોકપ્રિય બની છે. તેમનુ મુખ્ય આકર્ષીણુ એમાંની વિષયપસંદગી, વર્ણન-ચમત્કૃતિ, સંવાદકળા અને વસ્તુને સરસ ઉઠાવ છે. સમાજના જુદા જુદા વર્ગો અને પ્રશ્નને કેન્દ્રમાં રાખીને તે પાત્રોનું ધડતર કરે છે. ઉત્તર હિંદના તાદશ વાતાવરણનાં અને લાગણીભર્યાં પાત્રોનાં ચિત્રો સ ંતે લેખક્રે ઊર્મિલ પ્રકૃતિવાળાં વાચકાને આદર જીતી લીધા છે. ભાવનગરના પ્રેા.રવિશ કર`જોષી તેમની ગંગાનાં નીર' નવલકથા ઉપર મુગ્ધ બની ગયા હતા અને તેમાંનાં વ તેને ‘અદ્ભુત' કહી તેમણે લેખકને ધન્યવાદ આપ્યા હતા.
કૃતિઓ
કૃતિનું નામ પ્રકાર રચના પ્રકાશન પ્રકાશક
સાક્ષ
સાથે
૧. ઘરી રાઢ નવલકથા ૧૯૩૧ ૧૩૫
૨. ધર ભણી
3. शोभा
૪. પાં
૫. ચાલા
'
१. संजीवनी
૭. ગાંગાનાં નીર
66
99
નાટક
99
૧૯૩૬ ૧૯૩૬
""
૧૯૩૦ ૧૯૩૮
૧૯૩૮
૧૯૩૮
૧૯૩૯
નવલકથા ૧૯૩૮
૧૯૪૦
૮. હિંદીના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ ૧૯૪૧
સરસ્વતી પ્રેસ, બનાસ
ભારતી સા. સંઘ,
અમદાવાદ
૧૯૪૧
99
સરસ્વતી પ્રેસ,
બનારસ
૧૯૩૯(૧) નવચેતન સા.
મૌલિક, સપાદન
કે અનુવાદ ? મૌલિક
મંદિર, અમદાવાદ
53
નવચેતન સા. મંદિર, અમદાવાદ
19
29
૧૯૩૮ ભારતી સા. સંધ, ગુજરાતી નવલના
અમદાવાદ
ara
99
અનુવાદ
મૌલિક
ભારતી સા. સંધ, હિદી વાર્તાઓના અમદાવાદ અનુવાદ અને સપાદન
Page #232
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથાર પુ. ૧૦ ૯, ચંદા નવલકથા ૧૯૪૨ ૧૯૪૭ નવચેતન સા. મૌલિક
મંદિર, અમદાવાદ ૧૦. જાંબુની ડાળે બાલવાર્તા ૧ ? મહેન્દ્ર નાણાવટી, ,
- વિલેપાલે ૧૧. પ્રયાણ નવલકથા ૧૯૪૩ ૧૯૪૪ નવચેતન સા.
મંદિર, અમદાવાદ ૧૨. ઇતિહાસને એતિહાસિક ૧૯૪૫ ૧૯૪૫ સસ્તું સાહિત્યઅજવાળે વાર્તાઓ
વર્મક કાર્યાલય,
અમદાવાદ, ૧૩. નવનીતા વાર્તાસંગ્રહ ૧૯૩૫થી ૧૯૪૮ નવચેતન સા. .
૧૯૪૮
મંદિર, અમદાવાદ
અભ્યાસ-સામગ્રી 'ઘર શણુ” માટે: “પરિભ્રમણ ભા. ૧- સ્વ. મેઘાણી. ગંગાનાં નીર” માટે “હમિ, જાન્યુ. ૧૯૪૧. શેલા” માટે: “ઊર્મિ', ન ૧૯૩૯, ચંદા' માટે : “ઊર્મિ” એપ્રિલ ૧૯૪૩
આ ઉપરાંત દરેક કુતિની પ્રકાશન–સાલનાં ગ્રંથસ્થ વામી,
Page #233
--------------------------------------------------------------------------
________________
ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ સાહિત્યના ક્ષેત્રમાં જાણીતું નામ ઈશ્વર પેટલીકર જાતે લેઉઆ પાટીદાર. વતન પલાદ તાલુકાનું પેટલી ગામ. જન્મ વતનમાં તા. ૯-૫૧૯૧૬ના રેજ. પિતાનું નામ મોતીભાઈ જીજીભાઈ માતાનું નામ બાબહેને. પત્નીનું નામ કાશીબહેન. લગ્નસાલ ૧૯૩૩.
પ્રાથમિક કેળવણી પેટલી અને મલાતજ ગામોની શાળામાં લીધી. માધ્યમિક શિક્ષણ મલાતજની એ. વી. સલમાં તેમજ સોજિત્રા હાઈસ્કૂલમાં પ્રાપ્ત કરીને ઈ. સ. ૧૯૩૫ માં તેઓ મેટ્રિક પાસ થયા. ત્યારબાદ તેઓ વડોદરાની પુરુષ–અધ્યાપન-પાઠશાળાના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરીને ઈ. સ. ૧૯૩૮માં “ઉત્તમ પદ' (સિનિયર) થયા.
: કુટુંબ, ગામ કે નિશાળનું વાતાવરણ તેમને સાહિત્યક્ષેત્રે ખેંચે તેવું , ન હતું. તેમની પોતાની પણ અભ્યાસકાળ દરમિયાન સાહિત્ય તરફ અભિરુચિ ન હતી. ઊલટું, વાચનની શરૂઆત “કાળરાત્રિનું ખૂની ખંજર’ અને “તરણ તપસ્વિની' જેવાં ઉટંગ પુસ્તકથી તેમણે કરી હતી. પરંતુ સદ્દભાગ્યે હાઈસ્કૂલનાં ઉપલાં ધોરણના અભ્યાસકાળે શ્રી. રમણલાલ દેસાઈની નવલકથાઓના વાચનથી તેમના જેવી વાર્તાઓ લખવાની લેખકને વૃત્તિ જન્મી. અભ્યાસ પૂરો કર્યા બાદ પાદરા અને કરજણ તાલુકાનાં અઠવાડિયામાં બે જ દિવસ ટપાલ આવી શકે તેવાં નાનાં ગામડાંમાં તેમણે શિક્ષકજીવન શરૂ કર્યું. એવાં પ્રતિકૂળ સ્થળો ને સંજોગોમાં પણ લેખક થવાની વૃત્તિ તેમનામાં વધતી જતી હતી. '
એ વૃત્તિને સંતોષવા શરૂઆતમાં તેમણે “પાટીદાર' માસિકમાં ટૂંકી નવલિકાઓ લખવાના અખતરા શરૂ કર્યા. ત્યારબાદ બીજાં સામયિકોએ પણ તેમની વાર્તાઓ સ્વીકારી. એ નિમિત્તે “પ્રજાબંધુ' દ્વારા શ્રી. ચુનીલાલ શાહને પરિચય થતાં તેમના પ્રોત્સાહનથી લેખકને આત્મશ્રદ્ધા જન્મી. પહેલવહેલી નવલકથા “જનમટીપ' તેમણે પ્રજાબંધુ'માં કકડે કકડે આપી, " જે છપાતાં જ ખૂબ વખણાઈ. આની અગાઉ ૧૨૮ પાનાંની એક લાંબી વાર્તા “કપટીનાં કારસ્તાન” તેમણે એકી બેઠકે લખી રાખેલી: પણ એ વાર્તા “કઈ જાતના સત્ત્વ વગરની હોવાથી' શરૂઆતમાં તેને છપાવતાં તેમની હિંમત ચાલેલી નહિ. “જનમટીપ' છપાતી જતી હતી તે અરસામાં જ લેખકનું પહેલું પુસ્તક “ગ્રામચિત્રો' શ્રી રા. વિ. પાકની પ્રસ્તાવના - ૨
Page #234
--------------------------------------------------------------------------
________________
અથ અને ચંપાર ૫.૧૦ સહિત પ્રગટ થયું. ઈ. સ. ૧૯૪૪માં “જનમટીપ'ની બીજી આવૃત્તિ સ્વ. મેધાણીની જોરદાર પ્રશંસા સાથે બહાર પડી.
ઈ. સ. ૧૯૪૪માં લેખક છ વરસનું શિક્ષકજીવન છોડી આણંદના આર્યપ્રકાશ' સાપ્તાહિકમાં જોડાયા. ત્યારબાદ “પાટીદાર' માસિકના તંત્રી સ્વ. નરસિંહભાઈ પટેલ નિવૃત્ત થતાં તેનું તંત્રીપદ તેમણે સંભાળ્યું. તાજેતરમાં “રેખા' માસિકનું સંપાદન પણ તેમણે શ્રી. જયંતી દલાલ પાસેથી સંભાળી લીધું છે.
તેમને સામાજિક વિષયમાં અને ગામડાંની જનતામાં ઊંડે રસ છે. સમાજનાં સર્વ પાસાને જાતે અવલોકી ગામડાના વિવિધ જીવનપ્રવાહનું નિરીક્ષણ કરી તેમાં વસતાં માનવીઓનું યથાર્થ દર્શન નવલકથાઓ ને નવલિકાઓ દ્વારા તેઓ કરાવે છે. કેમકે આખરે માનવીએ માનવીને જ ઓળખવાને છે અને માનવનું જીવન સમાજ સાથે જડાએલું છે. તેમના પ્રિય વાર્તાલેખકે શરદચંદ્ર અને રમણલાલ છે. વાર્તા તેમને મનગમતે સાહિત્યપ્રકાર છે.
૨. પિટલીકર પાસે ગ્રામજીવનની અનોખી શૈલી અને દૃષ્ટિ છે. ચરોતરમાં ઉછેર અને કાનમ તથા વાકળમાં નેકરી, એમ ગામડાંની ધૂળમાં તે રખડેલા છે તેથી તેમનાં પુસ્તકમાં રામધરતી અને તેની ઉપર ખેલતાં, આથડતાં, સરળ અને ભેળું તેમજ લાગણીધેલું અને શુદ્ર જીવન જીવતાં ખેડૂત, પાટીદાર, શાહુકાર, અને વિવિધ વસવાયા કેમેન લેકેના સ્વભાવ, રિવાજ ને વૃત્તિઓનું અછું નિરૂપણ ચિત્ર જોવા મળે છે. વિશેષ કરીને તેમની “જનમટીપ' નવલકથા કુશળ પાત્રચિત્રણ, સુદઢ વસ્તુગૂંફન, ગ્રામજીવનની સચોટ બેલી અને વાતાવરણનાં તાદશ ચિત્રણે વડે છેલ્લાં પાંચ વર્ષની નવલેમાં ઊંચું સ્થાન મેળવી લે છે. તાજેતરમાં બહાર પડેલ કાશીનું કરવત’ તેમની વાર્તાકળાનો સ્પષ્ટ વિકાસ સૂચવે છે. લેખક શહેરી જીવન કરતાં ગ્રામજીવનના ઊંડા ભાવે અને રહસ્યોને પ્રગટ કરતી વાર્તાઓ વ્યા૫ક ભૂમિકા ઉપર જરા કડક કલાધોરણે વધુ ને વધુ પ્રમાણમાં રચતા રહીને ગુજરાતના પ્રથમ પંક્તિના વાર્તાકારોમાં નિશ્ચિત સ્થાન પ્રાપ્ત કરશે, એવી આશા હાલ તેમની સર્જનપ્રવૃત્તિ જતાં અવશ્ય બંધાય છે.
કૃતિઓ કૃતિનું નામ પ્રકાર રચના- પ્રકાશન – પ્રકાશક મૌલિક, સંપાદન સાલ સાલ
કે અનુવાદ છે ૧.ગ્રામચિત્રો ખાચિત્ર ૧૯૪૩ ૧૯૪૪ ગોરધનભાઈ મુ. મલિક
પટેલ, આણંદ
Page #235
--------------------------------------------------------------------------
________________
▸
ગ્રહાયરિયાણ
ર. જનમટીપ
29
૩. મુખ્યા લેખ
73
(બીજી આ॰)
(બીજી આ॰)
૬. પટલાઇના
પંચ ભા. ૧-૨
૧. માનતા
નાયા
૯, ૫ ખીને મેળે
-. પાતાળકૂવા ૧૦. કળિયુગ
#
19
..
39
૪. ધરતીના
નવલકથા ૧૯૪૫ ૧૯૪
અવતાર
૫. તાણાવાણા નલિકાએ ૧૯૩૯થી ૧૯૪૬
""
23
..
૧૯૪૭ ૧૯૪૪
૧૯૪૪
નવલિકાઓ ૧૯૪૫થી
૧૯૪૬
નવલકયા ૧૪૬
।
૧૯૪૬
નવલિકા ૧૯૪૧થી ૧૯૪૬
૧૯૪૬
ભા. ૧-૨
૧૧. પારસમણિ નવલિકાએ ૧૯૪૮
૧૨. કાશીનું
29
૧૯૪૭
૧૯૪૭
exe
કરવત ૧૩, કાળ કોટડી નવલકથા ૧૯૪૮
૧૯૪૫
૧૯૬૬
૧૯૪૭
૧૯૪૭
૧૯૪૭
૧૯૪૮
૧૯૪૯
33
૧૫૦
લોકપ્રકાશન લિ.,
અમદાવાદ
ભારતી સાહિત્ય
સંધ, અમદાવાદ લેપ્રકાશન લિ.,
અમદાવાદ
ભારતી સાહિત્ય
સંધ, અમદાવાદ
'
ગાંડિવ સાહિત્ય મદિર, સૂરત સસ્તું સાહિત્યવર્ષ કાર્યાલય,
અમદાવા
પ્રકાશન લિ.
અમદાવાદ ભારતી સાહિત્ય
સધ, અમદાવાદ
29
મૌલિક
'કાશીના કરવત' માટે-'ઊર્મિ જાન્યુ. ૧૯૫૦,
આ ઉપરાંત દરેક કૃતિની પ્રકાશનસાલનાં ગ્રંથસ્થ વાડ્મયા,
29
19
,,
19
માલિક
અભ્યાસ-સામગ્રી
‘જનમટીપ’ માટે રેખા,’ ૧૯૪૪. ; ધરતીના અવતાર' માટે-'ઊર્મિ', નવે. ૧૯૪૬, ‘પટલાઇના પેચ' માટે—‘ઊર્મિ,’ જૂન ૧૯૪૭; શ્રી રા. વિ. પાઠકની પ્રસ્તાવના. ‘પાંખીના મેળે’ માટે-‘ઊર્મિ' નવે. ૧૯૪૭ ; 'પાતાળ કૂવે’ માટે--રેખા’ ફેબ્રુ.૧૯૪૯,
>
કળિયુગ ૧-૨ માટે રેખા * આકટેમ્બર ૧૯૪૮. ‘પારસમણિ’ માટે—'રેખા' આકžામર ૧૯૪૯માં પ્રે. રાવળના લેખ.
‘ગ્રામચિત્રા’ માટે—'માનસી' જૂન ૧૯૪૪
"
Page #236
--------------------------------------------------------------------------
________________
-
*,
કનૈયાલાલ ભાઈશંકર દવે આ પુરાતત્ત્વવિદને જન્મ તેમના મૂળ વતન પાટણ તાલુકાના રણુંજ ગામમાં સંવત ૧૯૬૩ માં મહા સુદ ૧૧ ના રોજ થયેલ. તેઓ જ્ઞાતિએ મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ છે. તેમના પિતાનું નામ ભાઈશંકર, માતાનું નામ અમથીબહેન અને પત્નીનું નામ સમજુબહેન છે. તેમની લગ્નસંવત છે ૧૯૭૯.
પ્રાથમિક અને માધ્યમિક છ ધોરણ સુધી તેમને અભ્યાસ પાટણની હાઈસ્કૂલમાં. ત્યારબાદ કાશી સરકારી કોલેજની “સાહિત્યની મધ્યમાં પરીક્ષા તેમણે પસાર કરી હતી. વડોદરાની શ્રાવણ માસ દક્ષિણ પરીક્ષામાં
સ્માર્તયાજ્ઞિક ની ઉપાધિ અને દ્વારકા શારદાપીઠના શ્રી. શંકરાચાર્ય તરફથી “કર્મકાર્ડ વિશારદ ની ઉપાધિ પણ તેમણે પ્રાપ્ત કરી છે. તેમને વ્યવસાય યજ્ઞ, હમ, પ્રતિષ્ઠા, લગ્ન, ઉપવીત વગેરે સંસ્કારે કરાવવાનું છે.
સશેધન, ઈતિહાસ, પુરાતત્ત્વ અને વિવિધ કળા તથા શાસ્ત્રોના અભ્યાસમાં ઊંડે રસ તેમજ સાહિત્ય પરિષદ, ઈતિહાસ સંમેલન વગેરે જ્ઞાનસત્રોની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવાની વૃત્તિ તેમને આ વિષમાં સતત લખતા. રહેવાની પ્રેરણા આપે છે. તેમની લેખન-પ્રવૃતિની શરૂઆત પાટણ વિદ્યાથી મંડળ તરફથી પ્રગટ થતી “અભ્યાસગૃહ-પત્રિકા' (દૈમાસિક) દ્વારા થઈ. તેમને પ્રથમ લેખ “સેવામાર્ગનાં સૂત્રો છે. ત્યારબાદ તેમણે પાટણને લગતા ચિતિહાસિક તેમજ કળાવિવેચનના લેખો લખ્યા. તેમાં શ્રી. પુણ્યવિજયજી મહારાજ, સ્વ. મણિલાલ માધવલાલ ભટ્ટ અને શ્રી. નટુભાઈ રાવળ તરફથી તેમને પુષ્કળ પ્રેરણા અને ઉત્સાહ મળ્યાં. તેમનું પ્રથમ પુસ્તક સિદ્ધસર સહસ્ત્રલિંગને ઇતિહાસ' ઈ. સ. ૧૯૩૫માં પ્રગટ થયું હતું.
તેમના જીવનને ઉદ્દેશ સંશોધક દૃષ્ટિએ શક્ય તેટલું સાહિત્યકાર્ય કરી ગુજરાતની સેવા કરવાનું છે. મુનિશ્રી જિનવિજયજીની સંશાધનદષ્ટિ તેમનો આદર્શ બની છે. રામાયણ અને મહાભારત તેમના પ્રિય ગ્રંથ છે. તેમને પ્રિય લેખનવિલય સંશોધન અને ખાસ કરીને સ્થાપત્ય અને મૂર્તિ કળા છે. ઈતિહાસ, કળા અને ધર્મનાં પ્રાચીન–અર્વાચીન સ્વરૂપો તેમજ પુરાતત્ત્વ તેમને અભ્યાસ-વિષય છે.
ગુજરાતની કલામીમાંસા અને પુરાતત્ત્વચર્ચામાં તેમને નોંધપાત્ર હિસ્સો છે. “મહાકવિ રામચંદ્ર.” “આચાર્ય હેમચંકને વૈદિક સાહિત્ય પર
Page #237
--------------------------------------------------------------------------
________________
થથકાર-પરિતાવાસ, દષ્ટિપાત ” “ સરસ્વતી–પુરાણમાં ગુજરાતનાં અતિહાસિક ત.” “ કર્ણદેવ સોલંકીના જીવન ઉપર પ્રકાશ,” ચાલુક્યભૂપાળ બાળ મૂળરાજનું એક તામ્રપત્ર.” “રાજશેખર,' “કવિ સોમેશ્વરદેવ', “અશ્વમેધ', “ગુજરાતમાં કતિર્થંભ,” “ગુજરાતમાં સંયુક્ત પ્રતિમાઓ.” “ભારતીય ચિત્રકળાની પરિભાષા,” “ગુજરાતમાં નાગપ્રજાતંત્રો,* * * ગુજ રેશ્વરનું પાટનગર અણહિલપુર, વગેરે તેમના લગભગ ૧૦૦ જેટલા અભ્યાસ-લેખે હજી વેરવિખેર પડેલા છે. એ જે ગ્રંથસ્થ સ્વરૂપે પ્રગટ થાય તો ગુજરાતને તેમની સંશોધન-પ્રવૃત્તિને વ્યવસ્થિત લાભ સાંપડે તેમ છે. વાસ્તુકળા, મૂર્તિકળા અને જીવનચરિત્રના વિષય ઉપરના તેમના લેખો ગુજરાતનાં અગ્રગણ્ય માસિકમાં પ્રકટ થયા બાદ ધ્યાનપાત્ર બન્યા છે.
કૃતિઓ કૃતિનું નામ પ્રકાર રચના- પ્રકાશન– પ્રકાશક મિલિક, સંપાદક સાલ સાલ
કે અનુવાદ ? ૧. સિદ્ધસર સહસ્ત્ર- ઈતિહાસનું ૧૯૩૫ ૧૯૩૫ “ગુજરાતી પ્રેસ, મલિક લિંગનો ઈતિહાસ સંશોધન *
* મુંબઈ , ૨. વડનગર , ૧૯૩૫ ૧૯૩૭ ભાષાંતર શાખા,
પુરાત-મંદિર,
વડોદ 3. સરસ્વતીપુરાણ , ૧૯૩૯ ૧૯૪૭ ફોર્બસ સભા સંપાદન અને
• મુંબઈ
અનુવાદ
ગુજરાતનું મતિવિધાન”—એ વિષય ઉપર શાસ્ત્રીય ગ્રંથ તૈયાર કરવાનું કામ ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ તરફથી તેમને સોંપવામાં આવેલ છે. “માને પારે” અને “ક મહાલય” એ પુસ્તકે તેમણે તૈયાર કર્યા છે, પણ હજી સુધી અપ્રસિદ્ધ છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
કાન્તિલાલ ખળદેવરામ વ્યાસ
આ યુવાન ભાષાશાસ્ત્રીનું મૂળ વતન વિરમગામ. તેમને જન્મ . ધ્રાંગધ્રા તાલુકાના હામપુર ગામમાં તા. ૨૧-૧૧-૧૯૧૦ ના રાજ થયા હતા. તે જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ છે. તેમના પિતાનું નામ બળદેવરામ મોતીરામ વ્યાસ, માતાનું નામ મણિબહેન, અને પત્નીનુ નામ શ્રી. વિદ્યાગૌરી છે. તેમની લગ્નસાલ ઇ. સ. ૧૯૨૭ છે.
પિતા કેળવણી ખાતાના ડેપ્યુટી ઇન્સ્પેકટર હોવાથી તેમને પ્રાથમિક અને માધ્યમિક કેળવણી અનુક્રમે ડાકાર, કપડવંજ, નડિયાદ અને વિરમગામની જુદી જુદી શાળાઓમાં મળેલી. ઈ. સ. ૧૯૬૬ માં મેટ્રિક થયા બાદ ઉચ્ચ શિક્ષણનાં પહેલાં એ વર્ષાના અભ્યાસ તેમણે ગુજરાત કૅૉલેજમાં, ખી. એ. ને એલ્ફિન્સ્ટનમાં અને એમ. એ. ને સુરતની એમ. ટી. બી. કૅલેજમાં કરેલે. અભ્યાસકાળ દરમિયાન તેમની કારકિર્દી એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે ગણાઈ હતી, એમ તેમને વિદ્યાર્થીકાળ દરમિયાન મળેલ અનેક ઇનામેા અને શિષ્યવૃત્તિએ ઉપરથી સમજાય છે.
ઇન્ટરમાં હતા ત્યારે ગુજરાતીમાં ‘અસ્પૃશ્યતા’ ઉપર મુંબઈ યુનિવર્સિટીમાં સર્વોત્તમ નિબંધ લખવા માટે એમને એન. એમ. પરમાનંદ પારિતાષિક મળેલું. ઈ. સ. ૧૯૩૩ માં એમ. એમાં ગુજરાતીના વિષયમાં યુનિવર્સિટીમાં તે પ્રથમ આવેલા. ઇ. સ. ૧૯૩૧ માં મધ્યમ વર્ગમાં એકારી ’ એ વિષય ઉપર શ્રેષ્ઠ નિબંધ લખીને પુનઃ તેમણે એન. એમ. પરમાનદ પારિતોષિક પ્રાપ્ત કર્યું. ઇ. સ. ૧૯૩૮ માં સમાજશાસ્ત્ર વિષે મહાનિબંધ લખીને તેમણે એમ. એ. ની પરીક્ષા બીજી વખત પસાર કરી. ઇ. સ. ૧૯૩૯ માં ‘Life in Harsh's India' એ વિષય ઉપર ઉત્તમ નિબંધ લખીને યુનિવર્સિટીના વિશ્વનાથ માંડલિક સુવર્ણ ચંદ્રક તેમણે જીતેલા. ઇ. સ. ૧૯૪૪ માં ‘Vikramaditya: A Historical Study'—એ વિષય ઉપર ઉત્તમ નિબંધ લખ્યા બદલ તેમને મુંબઈ યુનિવર્સિટી તરફથી પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી સુવર્ણ ચંદ્રક એનાયત થયેલેા. ઇ. સ. ૧૯૪૫ માં *Asoka: A Historical Study’~એ વિષય ઉપર ગ્રંથ તૈયાર કરવા માટે ભારતીય વિદ્યાભવન તરફથી પણ સુવર્ણ ચંદ્રક તેમને પ્રાપ્ત થયા હતા. ઇ. સ. ૧૯૪૮ માં લડનની રૉયલ એશિયાટિક મેસાયટી ' નામની સંસ્થાના ફેલો તરીકે તેમની વરણી થઈ છે, અને તેમની વિદ્વત્તાની સુયોગ્ય કદર કરવામાં આવી છે. એ વિશિષ્ટ બહુમાન મેળવનાર કે. વ્યાસ પહેલા જ ગુજરાતી છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
મથકાર-પરિતાવલિ
આવી વિદ્યાવ્યાસંગી પ્રકૃતિને અધ્યયન અધ્યાપન અને સંશોધનમાં રસ હેય તે સ્વાભાવિક છે. નિબંધ–હરીફાઈઓમાં વિજેતા બનવાથી અને સ્વ. નરસિંહરાવ તેમજ સ્વ. કે. હ. ધ્રુવના પ્રોત્સાહનથી પિતાના લેખનકાર્યમાં તેમને વિશ્વાસ બેઠો. વળી વ્યવસાય પણ શરૂઆતમાં અમદાવાદની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં અને આર. સી. હાઈસ્કૂલમાં શિક્ષકો તેમજ ઈ. સ. ૧૯૩૭ થી મુંબઈની એલિફન્સ્ટન કૉલેજમાં ગુજરાતી ભાષા-સાહિત્યના મુખ્ય અધ્યાપક –તેમની પ્રકૃતિ ને પ્રવૃત્તિને અનુકૂળ હોવાથી તથા પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને સાહિત્ય, પ્રાચીન ગુજરાતી ભાષા અને સાહિત્ય તેમજ સંસ્કૃત કાવ્યવિવેચન–અલંકારશાસ્ત્ર તરફ શરૂઆતથી જ તેમની ઊંડી અભિરુચિ હેવાથી ઉત્તરોત્તર તેમની લેખનપ્રવૃત્તિ વિકસતી ગઈ છે; ઈ. સ. ૧૯૪૨માં વસંતવિલાસ: એક પ્રાચીન ગુજરાતી ફાગુ' એ કાવ્યની સંશોધનાત્મક અંગ્રેજી સંપાદના તૈયાર કરીને ભાષાશાસ્ત્રી તરીકે ગુજરાતમાં તેઓ પ્રસિદ્ધિ પામ્યા છે.
ગુજરાતી ભાષાના લેખકેમાં ગોવર્ધનરામ અને કાન તેમને ખૂબ ગમે છે. વૈજ્ઞાનિક સાહિત્યના અભ્યાસમાં તેઓ સારો રસ ધરાવે છે. કવિ કાલિદાસનાં મહાકાવ્ય સ્વ. નરસિંહરાવ, મુનિ જિનવિજયજ અને સંસ્કૃતના વિવેચન-અલંકાર-સાહિત્યે તેમના સાક્ષરી વ્યક્તિત્વને ઘડયું છે. સર્જનાત્મક લખાણ એ ખપજેગું જ વાંચે છે પણ શાસ્ત્રીય ચિંતનાત્મક વિષયોમાં અને નવાં નવાં સંશોધનમાં તેમને અભિનિવેશ ઊડે છે.
તેમનાં પુસ્તકમાં “વસંતવિલાસ'નું સંપાદન તેમાંની મૂલ્યવાન પ્રસ્તાવનાએ અને ટિપ્પણની ઉપયોગિતાએ એવું આકર્ષક બન્યું છે કે કોઈ પણ ભાષાશાસ્ત્રીને ગૌરવ અપાવે તેવું કહી શકાય. તેમનાં શાળપયોગી ગુજરાતી ભાષાનું વ્યાકરણ અને શુદ્ધ લેખન અને “ભાષા, વૃત્ત અને કાવ્યાલંકાર' અનુક્રમે માધ્યમિક અને ઉચ્ચ અભ્યાસક્રમ માટેનાં ઉપયોગી પાઠય પુસ્તક છે.
કૃતિઓ તિનું નામ પ્રકાર રચના- પ્રકારન– પ્રકાશક મૌલિક સાલ સાલ
સંપાદન કે
અનુવાદ ? ૧. તિબંધગુચ્છ નિબંધસંગ્રહ ૧૯૩૫ ૧૯૩૬ એસ.બી. શાહની મૌલિક (પાઠયપુસ્તકો
કું., અમદાવાદ બીજી આવૃતિ
૧૯૩૮ ૨. “ ગુજરાતી વ્યાકરણ (પાડય ૧૩૯ ૧૯૩૯ કરસનદાસ નારણ- , ,
ભાષાનું વ્યાકરણ પુસ્તક) (આઠ આવૃ- દાસ એન્ડ સન્સ, અને શુદ્ધ લેખન
ત્તિઓ થઇ છે) સૂરત
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૧'
3. Vasanta Vi· પ્રા. ગુ. કાવ્ય ૧૯૪૧ lasa': An old નું સોંપાદન Gujarati Phagu
-૪૨
૪. ભાષા, વૃત્ત અને પાચપુસ્તક કાવ્યાલ કાર્
૫. Vasanta Vi- સશાત્રન; lasa': A Fur
વિવેચન
ther: Study
૬. 'Vasanta Vil- સ’પાદન asa' : The
revised, cll. ated Text
૭. ગુજરાતી ભાષા- શાસ્ત્રીય શાસ્ત્રના વિકાસની નિબંધ રૂપરેખા
3
૮. The Vikram- ઇતિહાસ
aditya Problem: A Fresh Study
૯. 'Dasavatara chitra': Gujarati
Painting in the
નિખ ધ
૧૯૪૪
૧૯૪૫
(બે આવૃત્તિ
આ થઈ છે)
૧૯૪૬
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦
૧૯૪૨ : એન. એમ. ત્રિપા· સંપાદન ઢીની કાં. મુ`બઈ-૨ :
મૌલિક
૧૯૪૬
૧૯૪૬ ૧૯૪૭ Bharatiya Vidyaમાંથી પુનર્મુદ્રિત
૧૯૪૬ ૧૯૪૬
૧૯૪૪ ૧૨૯૪૬
૧૯૪૭ ૧૯૪૮
Journal of the Uni. of Bom
bayમાંથી પુનમુર્મુદ્રિત સંપાદન
17th century
૧૦. આપણા ભારતના પાઠયપુસ્તક ૧૯૪૨ ૧૯૫
સરળ ઇતિહાસ
(પ્રા. કુ. પાં કુલ
શ્રેણી` સાથે)
Journal of the
Guj. Research Society-માંથી પુનર્મુદ્રિત
Annal of the Bhandarkar.
મૌલિક
Oriental Research Instituteમાથી પુનઃમુ`દ્રિત મૌલિક
Journal of the
Bomb. University-Hial
મૌલિક
પુનર્મુદ્રિત મેકમિલન, મૌલિક
મુંબઈ
'Vikramaditya: A Historical Study' અને ‘કાન્હડદે પ્રબંધ'નું
સ'પાદન બંને તેમણે તૈયાર થયાં છે, પણ અપ્રસિદ્ધ છે.
અભ્યાસ-સામગ્રી
‘વસંત વિલાસ’ માટે-૧. ‘બુદ્ધિપ્રકાશ’માં શ્રી. સાંડેસરાનુ અવલેાકન ર. ‘New Indian Antiquary' ૩. ‘Vishwa Bharati' ૪. ‘પ્રામ’ધુ’ ૫, ‘Annals of Bhandarkar Research Institute'. 'ભાષા, વૃત્ત, કાવ્યાલંકાર’માટે ૧૯૪૫ના નવેમ્બર ડીસેમ્બરમાં-‘પ્રજાખ’માં શ્રી. સંજાણાએ ચલાવેલી ચર્ચામાળા.
Page #241
--------------------------------------------------------------------------
________________
ગાપાળરાવ ગાનન વિદ્યાંસ
તેમના જન્મ રત્નાગિરિ જિલ્લાના આંજાઁ ગામમાં ઈ. સ. ૧૮૯૬માં ૨૬ મી નવેમ્બરે થયેલા. તેમનું મૂળ વતન તે કાંકણુ પ્રાંત પણ છેલ્લાં ૭૫ વર્ષોથી વિાંસ કુટુંબ સૌરાષ્ટ્રમાં આવીને વસેલું છે. તેમના પિતાનું નામ ગજાનન કાશીનાથ વિદ્વાંસ; માતાનું નામ સરસ્વતીબાઇ; જ્ઞાતિએ તેઓ ચિાવન મહારાષ્ટ્રી બ્રાહ્મણ છે. તેમનું લગ્ન ઇ. સ. ૧૯૨૨ માં શ્રી. સુમતિબાઈ સાથે થયેલું છે.
પ્રાથમિક તેમજ અંગ્રેજી ત્રણ ધારણાનુ શિક્ષણ તેમણે વલ્લભીપુરમાં ( વળામાં ) અને ત્યારબાદ મેટ્રિક સુધી અભ્યાસ શ્રી. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના ખાસ વમાં કર્યાં હતા. ઇ. સ. ૧૯૧૭ માં ભાવનગરની સનાતન ધર્મી હાઇસ્કૂલમાંથી બહારના વિદ્યાર્થી તરીકે મેટ્રિકની પરીક્ષા પસાર કરી ત્યાંની શામળદાસ કૉલેજમાં તે દાખલ થયા. ત્યાં પ્રથમ વર્ષામાં ગણિતમાં પ્રથમ આવવા બદલ પ્રિ॰ સંજાણા પારિતોષિક તેમને મળ્યું હતું. ઈ. સ. ૧૯૨૧ માં પૂનાની ફર્ગ્યુÖસન કૉલેજમાંથી મુખ્ય વિષય ગણિત લઈ ને ખી. એ. ની ઉપાધિ માનસહિત તેમણે પ્રાપ્ત કરી હતી. પછી તરત જ શ્રી. દક્ષિણામૂર્તિ ભવનમાં શિક્ષણકાર્યમાં જોડાવા તે સંસ્થાના તે આજીવન સભ્ય બન્યા. તેમને મુખ્ય વ્યવસાય શિક્ષકનેા તેએ ગણાવે છેઃ કેટલાંક વર્ષો સુધી સંસ્થાની જરૂરતાને અંગે પ્રકાશન વિભાગનું સ ંચાલન તેમણે કર્યું હતું. સૌરાષ્ટ્રનું સંયુક્ત રાજ્ય સ્થપાયું તે અરસામાં થાડા વખત સૌરાષ્ટ્રના કેળવણી ખાતાના મુખ્ય અધિકારી તરીકે પણ તેમણે કામ કર્યું હતું. હાલ તેઓ મુંબઇની આર. આર. શેઠની કંપનીનાં પ્રકાશતાનુ વ્યવસ્થાકાર્ય સભાળી રહ્યા છે.
તેમણે લેખનપ્રવૃત્તિની શરૂઆત ઇ. સ. ૧૯૩૭ માં શિક્ષણવિષયક સાહિત્ય ગુજરાતીમાં તૈયાર કરવાના હેતુથી કરી અને ડૉ. ગજાનન શ્રીપત ખેરના ‘ પાશ્ચિમાય શિક્ષણપ્રણાલી' નામના મરાઠી પુસ્તકને ગુજરાતી ભાવાનુવાદ એ ભાગમાં પ્રકટ કર્યાં. છેક નાનપણથી સ્વ. ગિજુભાઈ, શ્રી. નાનાભાઈ ભટ્ટ, ગાખલેજી તેમજ ગાંધીજીનાં જીવનની અસર તેમણે ઝીલેલી છે. ઇ. સ. ૧૯૨૧ બાદ ગાંધીજીના હિંદુ આગમન પછી તે ગાંધીજીની વિચારસરણી અને દક્ષિણામૂર્તિના શિક્ષણ ને સંસ્કારવિષયક વાતાવરણ વડે તેમનું સમગ્ર જીવન રંગાઈ ગયેલુ છે. શ્રી. દક્ષિણામૂર્તિમાં
३
Page #242
--------------------------------------------------------------------------
________________
થ અને શપકાર રુ. ૧૦ તેઓ શિક્ષક હતા. ત્યાં સુધી લેખનકાર્યમાં ઝુકાવવાની વૃત્તિ તેમને થયેલી નહિ. પણ ઈ. સ. ૧૯૨૮ માં શ્રી. દક્ષિણામૂર્તિ સંસ્થાને અંગે પ્રકાશન અંગેનું કાર્ય સંભાળવાની જે જવાબદારી આવી પડી તેને અંગે જીવનનિર્વાહમાં સહાયક થઈ શકે તેવા ઉદ્દેશથી અને તે દ્વારા મરાઠી ભાષાનાં ઉત્તમ ગણાય તે પુસ્તક પરિચય ગુજરાતને થાય એ હેતુથી સમાજને તંદુરસ્ત રાખે તેવાં પુસ્તકોને અનુવાદ કરવાનું કાર્ય તેમણે ઉપાડયું.મૂળ પુસ્તકના ભાવ, વક્તવ્ય કે નિરૂપણશૈલીને જરા પણ કલુષિત કર્યા વિના તેમને સરળ ને પ્રવાહી ગુજરાતીમાં શિષ્ટ અનુવાદ કરવામાં તેમણે સફળતા મેળવી. - સારા શહેરી તરીકે પ્રામાણિક જીવનનિર્વાહ કરવાને તેમજ ઉચ્ચ ચારિત્રયથી સમાજને ઉપકારક પ્રવૃત્તિ ચલાવવાને તેમને જીવનહેતુ છે. તેમના પ્રિય લેખક મરાઠી નવલકથાકાર શ્રી. ખાંડેકર છે. ટિળકનું ગીતારહસ્ય' અને કાકાસાહેબનાં પુસ્તકે તેમના પ્રિય ગ્રંથ છે. બાલ-કિશોર સાહિત્ય પણ તેમને પ્રિય છે. ઇતિહાસ, સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્રને અભ્યાસ કરે તેમને ખૂબ ગમે છે.
મરાઠી લેખક શ્રી. વિ. સ. ખાંડેકરે તેમનાં તમામ પુસ્તકોના ગુજરાતી અનુવાદ કરવાની કુલમુખત્યારી તેમને સોંપી છે.
કૃતિઓ કૃતિનું નામ પ્રકાર રચના પ્રકાશન પ્રકાશક મૌલિક, સંપાદન સાલ સાલ
કે અનુવાદ ૧ પશ્ચિમના દેશની
. બી. દક્ષિણામૂર્તિ કેળવણું પ્રબંધ ૧૯૩૮ ૧૯૩૮ પ્રકાશન મંદિર મરાઠીમાંથી અનુખંડ ૧-૨
ભાવનગર
વાદ ' ૨ કૌજોવધ નવલકથા ૧૯૪૪ ૧૯૪૪ આર. આર. શેઠની
કંપની, મુંબઈ ૩ ઉલ્કા
૧૯૪૫ ૧૯૪૫ ૪ સુલભા
૧૯૪૭ ૧૯૪૭ દાઝેલાં હૈયાં
૧૯૪૭ ૧૯૪૭ સૂનાં મંદિર
૧૯૪૭ ૧૯૪૭
Page #243
--------------------------------------------------------------------------
________________
ગાવિંદભાઇ રામભાઈ અમીન
મુંબઈના શેરબજારના ધાંધલિયા વાતાવરણમાં પણ લેખનશેાખતે અદ્યાપિ પર્યંત ટકાવી રાખનાર ચરોતરનાં આ પાટીદાર' લેખકને જન્મ ઇ. સ. ૧૯૦૯ માં ૭ મી જુલાઇએ સ્વ. મેાતીભાઈ અમીન અને દરબાર શ્રી. ગેાપાલદાસે સંસ્કારેલા સુંદર ગામ વસેામાં થયેલા. તેમના પિતાનું નામ રામભાઇ વાઘજીભાઈ અમીન અને માતાનું નામ કાશીબહેન. તેમનું લગ્ન ઇ. સ. ૧૯૨૮ માં શ્રી. શાન્તાબહેન સાથે થયેલું છે.
બાળપણથી જ તબિયત નાજુક હોવાને લીધે કેળવણીમાં વચ્ચે વચ્ચે તેમને અનેક અંતરાયા આવેલા. પ્રાથમિક શિક્ષણુ તેમણે વસેામાં સ્વ. મેાતીભાઇ અમીને પ્રથમ શરૂ કરેલ મેન્ટેસરી નવી ગુજરાતી શાળામાં લીધું હતું. ત્યારબાદ વસેામાંથી ઇ. સ. ૧૯૨૮ માં તેમણે મેટ્રિક પાસ કરી ઈ. સ. ૧૯૩૬ માં મુંબઈ સીડનહામ કૉલેજમાંથી બી. કામ. ની ઉપાધિ પ્રાપ્ત કરી. ત્યારથી તે શૅરલાલના ધંધામાં પ્રવૃત્ત થયા છે.
જીવનના પ્રારંભમાં નબળી તબિયતને લીધે જે માનસિક તે શારીરિક કષ્ટ તેમને સહન કરવું પડયું તેના પરિણામે સાંપડેલી નિરાશામાંથી આશ્વાસન રૂપે તેમણે લેખકજીવન શરૂ કર્યું. અને પછી તે તેને વ્યવસ્થિત બનાવતાં રાજના અનિવાર્ય શાખ રૂપે તે બની ગયું.
'
"
એમની પ્રથમ કૃતિ ‘રેડિયમ ’ કૅાલેજમાં એક ડૉકટરને હાથે તેમને અન્યાય થતાં ઈ. સ. ૧૯૩૧ માં લખાયેલી. ખીજે વર્ષે તે ‘ કૌમુદી ’ માં પ્રકટ થઈ. ઈ. સ. ૧૯૩૮ માં પ્રથમ પ્રકાશન · રેડિયમ ' માં તેમણે તેમની નાટિકાએના સંગ્રહ કર્યાં. પ્રકાશન બાબતમાં ગુજરાતી લેખક બિચારા દુઃખી હાય છે, એ અનુભવ ત્યારથી તેમને થયેલા, જે તેમના છેવટના પ્રકાશન સુધી ચાલુ છે.
તેમનો મનગમતા લેખનવિષય નાટક છે. પરતુ એમના પ્રિય અભ્યાસવિષય છે તત્ત્વજ્ઞાન, જન્મથી જ આાત્મિક વિષયા તરફ કુતૂહલ હોવાથી તેમનું ચિંતન તેમને નવી શ્રદ્ધા અને નવું બળ આપે છે. એથી જ એમને ઉદ્દેશ પણ શાંતિથી મરવાના ' તેમણે દર્શાવેલા છે.
<
તેમનાં નાટકા અને નવલેને ગુજરાતના સાક્ષરવમાંથી ઠીક ઠીક આવકાર મળ્યો છે. સાદી, નાનકડી અને સામાન્ય લાગતી એવી કેટલી ય ઘટનાઓને તે નાટવિષય બનાવે છે. એકાંકી નાટકા લખવાની એમની
.
Page #244
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦ હથોટી પણ કૌશલવાળી છે. નવલેમાં ગુજરાતી જીવનના સાંપ્રત પ્રસંગો કે પ્રશ્નને તે સરળ રીતે ગૂંથી લે છે અને વસ્તુસંકલન, જીવનભાવના, સંવાદ–આલેખન વગેરે નવલ-અંગમાં તેમની શક્તિને અચ્છે પરિચય કરાવે છે. છેલ્લી ત્રણ પેઢીઓના પલટાતા ગુજરાતી જીવનને આલેખવાના પ્રયાસ તરીકે તેમની છેલ્લી નવલત્રિપુટી અંગ્રેજી “ટ્રીલજી' ના પ્રયોગરૂપ છે.
કૃતિનું નામ પ્રકાર રચના પ્રકાશન પ્રકાશક મૌલિક, સંપા. સાલ સાલ
દન કે અનુવાદ? ૧. રેડિયમ નાટિકાઓ ૧૯૩૨ ૧૯૩૮
પિત ૨. કાળચક્ર નાટિકા ૧૯૩૪ ૧૯૪૦ ૩. વેણુનાદ નાટિકાઓ ૧૯૩૮ ૧૯૪૧ ૪. રંગના ચટકા વાતોએ ૧૯૩૨ ૧૯૪૨
(બે આવૃત્તિઓ) થી ૪૦ ૫. બે મિત્રો નવલકથા ૧૯૪૨ ૧૯૪૩ આર. આર. શેઠની બે આવૃત્તિ).
. મુંબઈ ૬. ત્રિપુટી વાર્તાઓ ૧૯૪૨ ૧૯૪૬ ૭. હૃદયપલટે નાટક ૧૯૩૨ ૧૯૪૭ ૮, માડી જાય નવલકથા ૧૯૪૬ ૧૯૪૭ આર. આર. શેઠની
કુ. મુંબઈ ૯. જનું અમે નવું , ૧૯૪૭ ૧૯૪૮ ૨૦. ત્રિવિધ તાપ છે
”
અભયાસ-સામગ્રી ૧. કે. રાવળકૃત સાહિત્યવિહાર' માં “ઉત્સાહી નાટકકાર ” એ લેખ. ૨. “પશ્વિમણ ભા. ૧' –વ. ઝવેરચંદ મેઘાણું. ૩. “બે મિત્ર ' કૃતિની . રાવળની પ્રસ્તાવના. ૪. “ગના ચટકા' કૃતિની છે. રા. વિ. પાઠકની પ્રસ્તાવના.
૫. “માડી જાય ' “જનું અને નવું, ” “ત્રિવિધ તાપ “ એ ત્રણે કૃતિએ મને પ્રો. રા. વિ. પાઠકને આમુખ.
ઉપરાંત સાહિત્ય સભાનાં ગ્રંથસ્થ વાયો.
Page #245
--------------------------------------------------------------------------
________________
ચિમનલાલ મગનલાલ ડોકટર શ્રી. ચિમનલાલ ડોકટરને જન્મ તેમના મૂળ વતન વડોદરામાં તા. ૨૪-૧૦-૧૮૮૪ ના રોજ વણિક જ્ઞાતિમાં થયેલું. તેમના પિતાનું નામ મગનલાલ નરોત્તમદાસ અને માતાનું નામ જમનાબહેન. તેમનું પ્રથમ લગ્ન ઇ. સ. ૧૯૦૨ માં શ્રી. મણિગૌરી સાથે થયું હતું. શ્રી. મણિગૌરીને સ્વર્ગવાસ થતાં તેમનું બીજું લગ્ન શ્રી. ગુણવંતગૌરી સાથે થયેલું છે.
એમની અભ્યાસકારર્કિદી જવલંત હતી. તેમણે એમ. એ. એલ એલ. બી. ની ઉપાધિ ઊંચા દરજજે પાસ થઈ મેળવી છે. તેઓ બી. એ. થયા ત્યાં સુધીમાં તો સરકારી ગુણ-શિષ્યવૃત્તિ, કાઝી શાહબુદીન મેમોરિયલ શિષ્યવૃત્તિ, દી. બ. અંબાલાલ દેસાઈ મેમોરિયલ પારિતોષિક, કે. ટી. તેલંગ ચંદ્રક અને પારિતોષિક જેવાં વિજય પ્રતીકે પ્રાપ્ત કરવાને તેઓ ભાગ્યશાળી બન્યા હતા. એમ. એ.માં યુનિવર્સિટીમાં સૌપ્રથમ આવવા બદલ ચોન્સેલર ચંદ્રક મેળવીને વિદ્યાર્થી તરીકે તેમણે વિરલ માન પ્રાપ્ત કર્યું છે. ઈ. સ. ૧૯૦૭ માં અભ્યાસ પૂરો કરી તેઓ ન્યાયાધીશ થયા. ઈ. સ. ૧૯૨૨ સુધી વડોદરાના ન્યાયાધીશ તરીકે તેમણે કામ બજાવ્યું.
ઈ.સ.૧૯૨૩ માં વડોદરામાં “નવગુજરાત' સાપ્તાહિકની સ્થાપના કરીને તિના તંત્રી તરીકે તેમણે સૌપ્રથમ પિતાની લેખિનીને પરિચય કરાવ્યો. ત્યાં નિયમિત લખવાની જવાબદારીને લીધે, કોલેજ જીવન તેમજ રાજ્યની નોકરીના કાળ દરમિયાન અંગ્રેજી વર્તમાનપત્રો અને સામયિકમાં કેટલીકવાર અવારનવાર જે લખાણ તેમણે કરેલું, તેમાં ઉત્તરોત્તર વિકાસ થતો ગયો. એ કાળના ગાળામાં ઈ. સ.૧૯૧૬ માં “વી. પી. માધવરાવનું સંક્ષિપ્ત જીવનચરિત્ર” તેમણે લખેલું, અને પત્રકાર થયા પછી તેમણે એક પછી એક અભ્યાસશીલ પુસ્તકે પ્રકટ કરવા માંડયાં.
શ્રી. રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામતીર્થના જીવન તેમ જ વિચારે, લેકમાન્ય ટિળક અને ગાંધીજીના રાજકીય આદર્શોએ તથા રાજકારણની પ્રવૃત્તિઓએ, રોટરી કલબના અને થીઓસૈફીના સંસ્કાર-કાર્ચ, શ્રી. અરવિંદનાં નૂતન યુગવિષયક પુસ્તકોએ અને છેલ્લે છેલ્લે કૈલાસ (હિમાલય) નજીક આવેલા નારાયણ આશ્રમવાળા નારાયણ સ્વામીએ અંગત સંપર્ક દ્વારા તેમના માનસને ઘડયું છે. ગીતા અને ન્યુ ટેસ્ટામેન્ટની અસર તેમના ઉપર જીવનભર સૌથી વિશેષ રહી છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર છે એમના જીવનને મુખ્ય ઉદ્દેશ છે દેશોન્નતિ માટે જનસેવા–પ્રભુસેવા.” હિંદમાં રામરાજ્ય સ્થપાય અને અંતિમ ઘડીએ પ્રભુના પરમતત્વમાં તેમને આત્મા વિલીન બને એ એમની ઈચ્છા છે. તે ઈચ્છાને મૂળમાં નિર્ધારીને નવગુજરાત' પત્ર તેમણે પ્રકટ કર્યું, અને ત્યારથી સતત ૨૧ વર્ષો સુધી પત્રકાર તરીકે ગુજરાતની યથાશક્તિ સેવા બજાવવા પ્રયત્ન કર્યો. એમના પ્રિય લેખકો શંકર, ટિળક, ગાંધી, એની બિસંટ અરવિંદ, અને જ્ઞાનેશ્વર છે. એમને ઇતિહાસ અને રાજકારણ વિશે લખવું ગમે છે. તેમના અભ્યાસવિષય તત્ત્વજ્ઞાન, રાજબંધારણ અને અર્થશાસ્ત્ર છે.
કતિઓ કૃતિનું નામ પ્રકાર રચના પ્રકાશન પ્રકાશક મૌલિક સંપાદન સાલ સાલ
કે અનુવાદ ? ૧. વડોદરાને નિબંધ ૧૯૨૫ ૯૨૫ પોતે અંગ્રેજી નાના દાવા સંબં
ટીકાઓના ધી નિબંધ (ટીક)
આધારે ૨. અમેરિકાનાં સંયુ- ઇતિહાસ ૧૯૨૮ ૧૯૩૨ શ્રી. સયાજી સાહિત્ય મૌલિક કત રાજ્યો
માળા, ભાષાંતર શાખા,
- વડેદરા. છે. કેનેડાનું જવાબ ઇતિહાસ ૧૯૨૮ ૧૯૩૩ | દાર રાજતંત્ર * ૪. સિદ્ધપુર ભાગોલિક ? ૧૯૩૫ શ્રી. સયાજી બાલજ્ઞાનમાળા , ઈતિહાસ
ભાષાતરશાખા, વડોદરા ૫. હીરા વડોદરા પ્રાસંગિક ૧૯૩૫ ૧૯૩૬ પિતે
સ પાદન ઈતિહાસ ૬. ભારતીય સમાજ, સમાજ. ૧૯૩૬ ૧૯૩૮ શ્રી. સયાજી સાહિત્ય મૌલિક શાસ્ત્ર શાસ્ત્ર
માળા, વડોદરા ૭. ભારતીય અર્થશાસ્ત્ર અર્થ. ૧૯૩૭- ૧૯૩૯ ગુજરાત વિધાસભા, ,
શાસ્ત્ર ૧૯૩૮ ૮. હિંદુસ્તાનના રાજ. ૧૯૩૭ ૧૯૪૦
શારભાર બંધારણ ૯. માજા સયા જીવન- ૧૦૪- ૧૯૪૩ શ્રી સયાજી સાહિત્ય રાવ ત્રીજાનું જીવન ચરિત્ર ૧૯૪૨ માલા, ભાષાંતરશાખા, ચરિત્ર ભા. ૧-૨
વડેદરા
અભ્યાસ-સામગ્રી “પુસ્તકાલય' (૧૯૪૩-૪૪)માં ચીફ જસ્ટીસ ઝાલાએ તેમની કૃતિ “મહારાજા સયાજીરાવ ત્રીજાનું જીવન ચરિત્ર ભા. ૧-૨’–ઉપર વિસ્તારથી અવલોકન કર્યું છે. ઉપરાંત તેમની કૃતિઓ માટે જુદાં જુદાં ગ્રંથસ્થ મો જોવાં.
અમદાવાદ
Page #247
--------------------------------------------------------------------------
________________
ચુનીલાલ કાલિદાસ મડિયા
પેાતાના પ્રથમ ગ્રંથ ‘ઘૂઘવતાં પૂર'ને પ્રકટ કરતાંની સાથે જ ગુજરાતના સાંપ્રત વાર્તાલેખકોમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરનાર આ લેખકને જન્મ ઇ. સ. ૧૯૨૨ ની ૧૨ મી આગસ્ટે સૌરાષ્ટ્રમાં આવેલા તેમના મૂળ વતન ધારાળમાં થયેલા. તેએ જ્ઞાતિએ દશા શ્રીમાળી જૈન વણિક છે. તેમના પિતાનું નામ કાલિદાસ નદવજી અને માતાનું નામ કસુંબા ઉર્ફે પ્રાણ વર છે.
તેમણે પ્રાથમિક શિક્ષણુ ધેારાજીમાં લીધેલું; માધ્યમિક પણ ત્યાંની જ શ્રી ભગવતસિંહજી હાઇસ્કૂલમાં મેળવેલું. ઇ. સ. ૧૯૩૯ માં મેટ્રિક પાસ થઈ તેઓ અમદાવાદની એચ. એલ. કોલેજ આફ કામમાં દાખલ થયા અને ઇ. સ. ૧૯૪૫ માં બી. કોમ.ની ઉપાધિ તેમણે મેળવી. ત્યારબાદ તરત જ ‘જન્મભૂમિ’ના તંત્રીમડળમાં તેઓ જોડાયા અને હાલ ‘નૂતન ગુજરાત’ દૈનિક પત્રના તંત્રીવિભાગમાં તે કામ કરી રહ્યા છે.
હાઈસ્કૂલમાં મેટ્રિકમાં અભ્યાસ કરતા હતા, ત્યારે જ તેમના ગુજરાતીના શિક્ષક શ્રી. જન્મશંકર દોલતરાય મારૂએ સહુપ્રથમ સાહિત્યરસ અને ટૂંકી વાર્તાની મેાહની તેમને લગાડી. અમદાવાદ કૉલેજમાં આવતાં શ્રી. ઉમાશંકર જોષીના ગાઢ સંપર્કમાં આવ્યા. શ્રી. બચુભાઈ રાવતે તેમને વાર્તાઓ લખવા ઢઢાળ્યા. કાલેજના આચાર્ય શ્રો. સુરેન્દ્ર દેસાઈ એ પણ તેમની વાર્તાલેખનની પ્રવૃત્તિમાં ઊંડા રસ લીધેા. ઇ. સ. ૧૯૩૯ માં તેમણે કોલેજ મેગેઝીનમાં પ્રકટ કરેલી મદ્યપાન અને ખેડૂત કામદારના જીવનને લગતી · સેાનાજી ' નામની વાર્તાથી સાહિત્યજીવનની શરૂઆત કરી. ઇ.સ. ૧૯૪૧ માં ઈન્ટરની પરીક્ષામાં નપાસ થતાં ભણતર પ્રત્યે તેમને કંટાળા ઉપજ્યા અને ગામડાંના અને શ્રમજીવીઓના અનુભવાતે ગૂ થતી વાર્તાઓ રચવાના અખતરા કર્યાં. મિત્રા ને મુરબ્બી તરફથી તેમને અવારનવાર પ્રાત્સાહન મળતું રહ્યું. અભ્યાસકાળ દરમિયાન જ ટૂંકી વાર્તાઓનું વાચન તેમણે વિશાળ કર્યું અને ́ કૌતુકમાળા ' તે ‘ટચુકડી સેા વાતા’ થી માંડીને શ્રાવણી મેળેા ' જેવી સુંદર વાર્તાઓની ભાષા અને કળાની અસર તેમની આલેખનરીતિ તેમજ કલ્પનાવ્યાપાર ઉપર થઈ. એ સ` પ્રેરક બળાને કારણે ‘કમાઉ દીકરા’ જેવી શ્રેષ્ડ વાર્તા તે આપી શકયા.
"
'
Page #248
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથાર પુ. ૧૦
લેખકના જીવનના મુખ્ય ઉદ્દેશ વિશાળ માનવજીવન જોવા જાણુવા અને માણવાને છેઃ એ માણેલા અનુભવેાને શબ્દદેહ આપી પેાતાનેા • ઉદ્દેશ સિદ્ધ કરવાની તેમ તેઓ રાખે છે. એમના પ્રિય લેખક્રાઈમ્સન અને ચેખાવ છે. તેમાં રહેલી કટુતામુક્ત નિર્દેશ માનવતા તેમને ગમી ગઈ છે. નાખેલ પારિતોષિક મેળવનાર વિખ્યાત અંગ્રેજ નાટયકાર યૂજિન એ'નિલ કૃત માનીંગ બીકમ્સ ઇલેકટ્રા' ની નાટયત્રયી તેમને પ્રિય ગ્રંથ બનેલ છે. તેવી જ રીતે વિવિધ વિષયેા ઉપર અખબારી ધા લખવાના એમને શાખ છે. પત્રકારિત્વ એમના લેખનકાને સારા વેગ આપે છે. એ પ્રવૃત્તિના પરિણામે જીવાતા જીવન સાથે ગાઢ સપ` તેએ રાખી શકે છે; એટલુ જ નહિ, સામાજિક જાગરુકતા પણ તે દ્વારા જાળવી શકાય છે, એમ તેમનું માનવું છે. સમાજશાસ્ત્ર અને પત્રકારિત્વ તેમના પ્રિય અભ્યાસવિષયેા છે. ઇ. સ. ૧૯૪૭ થી મુંબઇ લેખક–મિલનના મત્રી તરીકે તેઓ કામ કરે છે.
r
એમની વાર્તાઓ મુખ્યત્વે ગ્રામજીવનનાં વિવિધ પાસાંઓને નિરૂપે છે. ગ્રામજનતા, પશુપંખી અને કુદરતનાં સ્વભાવ, લાગણી, વર્તનનાં ચિત્રા ગામડાની સમ અને ઉચિત ખેલીમાં નિરૂપી ધરતીનું નક્કર વાતાવરણ તેઓ ઉપસાવે છે અને તે દ્વારા એ ભાળી, અબુધ, વહેમી અને પ્રેમાળ પ્રજાના જીવનમાં રહેલાં ઊ'ડાં અણદીઠ રહસ્યા તારવી બતાવે છે. છતાં એક વાત નોંધવી પડશે કે એમની જીવનદૃષ્ટિ મનુષ્યના સ્વભાવમાં જડાયેલી જાતીય વૃત્તિના વિવિધ વળાંકા ઉપર જ સતત મ`ડાયેલી હોય એમ એમની કૃતિ વાંચતાં જણાય છે.
.
કૃતિનું નામ પ્રકાર
૧. ધૂંધવતાં પૂર વાર્તાસંગ્રહ ૧૯૪૧થી
૧૯૪૪ ૧૯૪૨’-૪૩
૧. પાવક જ્વાલા
નવલકથા
બીજી આવૃત્તિ
',
કૃતિ
૩. ગામડુ' ખેલે છે- વાર્તા,
રચના
સાલ સાક્ષ
૧૯૪૧થી પ્રસંગચિત્રે, ૧૯૪૫ વ્યક્તિચિત્રો
પ્રકાશન
પ્રકાશક
91
મૌલિક
કે અનુવાદ ?
મૌલિક
૧૯૪૫ એન. એમ. ત્રિપાઠી,
મુંબઇ
ભારતી સા. સધ મૌલિક
એન. એમ. ત્રિપાઠી,
મુંબઇ
૧૯૪૫ સસ્તુ સાહિત્યવર્ધક મૌલિક કાર્યાલય, અમદાવાદ
Page #249
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-તાવવિભ
૪. વ્યાજના વારસ નવલકથા ૧૯૪૬
૫. પદ્મા
૬. જય ગિરનાર
વાર્તાસંગ્રહ ૧૯૪૫થી
૧૨૪૭
પ્રવાસ
વણું ન
૭. હું' ને મારી વહુ ત્રિઅંકી
નાટક
૧૯૪૧
rese
૧૨૪૬
૧૯૪૭
જીવન સાહિત્ય મંદિર, મુંબઈ
૧૯૪૯
૧૯૪૮ એન. એમ. ત્રિપાઠી ની ફાં. મુંબઈ
11
19
૧
મૌલિક
29
"9
અભ્યાસ—સામગ્રી
‘ધૂધવતાં પૂર' માટે,−૧. આમુખ ( શ્રી. ર. છે. પરીખ ) ૨. ‘પ્રામ’ (તા. ૨૩-૭–૪૫) ૩. ‘માનસી' (જૂન ૧૯૪૮) ૪, ૧૯૪૫' નું ગ્રંથસ્થ વાઙમય ૫. ‘કુમાર’ ૨૦૦ મા અક, ૬. ગુ. સા. પરિષદ પત્રિકા, (જુલાઙ, આગ. ૧૯૪૬) ૭. ‘ફૂલછાબ’ (૧૪–૯–૪૫) ૮. ‘`િ’( ઓકટોબર '૪૫) ૯. Bharat Jyoti (૨૨-૭-૪૫) ૧૦. મેઘાણીના પત્રો,
પાવક જ્વાળા માટે—૧. ‘પ્રજાબંધુ’ (૧-૯-૪૬) ૨. ‘પ્રતિમા' (જૂન ૧૯૪૬) ૩. ૧૯૪૫ નું ગ્રંથસ્થ વાઙમય.
‘ગૂમડુ' એટલે છે’ માર્કે—૧. ‘પ્રજામ’’ (૨૩-૧૧-૪૫)
‘વ્યાજને વારસ' માટે—૧. 'સંસ્કૃતિ' ( જુલાઇ '૪૭) ૨. ‘પ્રજાબંધુ’ (૯-૩-૪૭) ૩. 'પ્રવાસી'માં પ્રેૉ. બ, ક, ઠ!, તું અવલેાકન (૪-૫-૪૭) ૪. ‘પ્રતિમા’ (જૂન '૪૭), ૫ ગ્ર'ચસ્થ વા′મય (૧૯૪૬)
‘પદ્મા' માટે—૧. ‘માની’ (જૂન ’૪૮ ), ૨. ‘પ્રાઋ’ (૨૬-૧૨-૪૮ ), ૩. ‘રેખા’ (જૂન ૧૯૪૬) ૪. ‘ગુજરાતી’( ૨૩-૧૧-૪૭) ૫. Bharat Jyoti (૫-૧૨-૪૮)
Page #250
--------------------------------------------------------------------------
________________
જટાશંકર ઈશ્વરચંદ્ર નાન્દી તેમને જન્મ પાલીતાણામાં તા. ૫-૮-૧૮૭૫ ના રોજ વડનગર નાગર ગૃહસ્થ જ્ઞાતિમાં થયે હતો. પિતાનું નામ ઈશ્વરચંદ્ર અને માતાનું નામ દુર્ગાદેવી. મૂળ વતન પાટણ. ઈ. સ. ૧૯૦૨ માં સૌ. રમણલક્ષ્મી સાથે તેમનું લગ્ન થએલું છે.
તેમણે પ્રાથમિક પાંચ ધોરણે ઈ. સ. ૧૮૮૬ માં પૂરાં કર્યો. ઈ. સ. ૧૮૯૨ માં પાટણ હાઈસ્કૂલમાંથી તેઓ મેટ્રિક પાસ થયા. ત્યાર બાદ ડિસ્ટ્રિકટ કોર્ટ લીડરની પરીક્ષા પસાર કરી, પણ વકિલાતના ધંધા પ્રત્યે પ્રેમ નહિ હોવાથી ઈ. સ. ૧૯૧૨ માં “અમેરિકન કૅલેજ ઓફ નેચરોપથીની ડોકટર ઑફ નેચરોપથીની ઉપાધિ માનસહિત મેળવી. શરૂઆતમાં તેમણે વકિલાત કરેલી પણ તે ધંધા પ્રત્યે તેમને ગાંધીજીની “આત્મકથાની અસરને લીધે નફરત થઈ અને કુદરતી રોગોપચારને જનહિતાર્થે પુસ્તિકાઓ, લેખ, સલાહ, શિખામણ દ્વારા પ્રચાર કરવાની પ્રવૃત્તિ સ્વેચ્છાએ સ્વીકારી.
- ઈ. સ. ૧૯૦૮ માં ગાંધીજીના નિસર્ગોપચારના વિચારોએ તેમના ચિત્ત ઉપર ભારે અસર કરી. ગાંધીજીની સાદાઈ, કરકસર, ત્યાગવૃત્તિ, સંયમ અને સેવાભાવનાએ તેમના ચિત્તને સતેજ કર્યું ત્યારથી તેમણે
જીવનને ઉદ્દેશ જનસમાજમાં બ્રહ્મચર્ય પાલનને, આરોગ્યરક્ષણશાસ્ત્રને, સંયમને અને કુદરતમય જીવન જીવવાની રીતે પ્રચાર કરવાને રાખે છે. એ ઉદ્દેશને લેખે તથા પુસ્તકે દ્વારા તેઓ સિદ્ધ કરવા માગે છે. એમના પ્રિય લેખક ગાંધીજી છે. ગાંધીજીના ઉપદેશક સાહિત્યે તેમને લખવા પ્રેર્યા છે. એમને પ્રિય ગ્રંથ “સત્યના પ્રયોગો’ છે. એમને પ્રિય લેખનવિષય તેમજ અભ્યાસવિષય કુદરતી રોગોપચાર અને આરોગ્યરક્ષણનું શાસ્ત્ર છે.
શ્રી. નાન્દીને હિંદની પ્રજામાં રહેલું અજ્ઞાન સાલે છે. પ્રજા શિસ્ત, સંયમ ને સદાચારનાં બંધનની ઉપેક્ષા કરી વિલાસને પંથે ચડી રહી છે અને શરીરસંપત્તિ તેમજ મનની સ્વસ્થતા ખોઈ બેઠી છે, એ હકીક્ત તેમને બેચેન બનાવે છે. પ્રજામાં આરોગ્યવિષયક સાચું જ્ઞાન ફેલાય તે અર્થે તેમણે ત્રીસ જેટલાં પુસ્તક–પુસ્તિકાઓ શરીર-મનના રક્ષણ સંબંધે લખ્યાં છે. પ્રજા એ શાસ્ત્રના જ્ઞાન દ્વારા તંદુરસ્ત જીવન જીવે એ એમની લેખનપ્રવૃત્તિને મુખ્ય હેતુ છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકા-પિતાવલિ
લેખક અમેરિકાની નેચરોપથિકસેસાયટીના આજીવન સભ્ય છે. બેઝવાડાની ઈન્ડિયન નેચરપથિક એકેડેમીના ઉપપ્રમુખ છે. તેમના લેખ માત્ર ગુજરાતી સામયિકોમાં જ નહિ, પરંતુ હિંદી સામયિકોમાં પણ અવારનવાર દેખાય છે. મરાઠી-હિંદીમાં તેમનાં પુસ્તક પૈકી કેટલાંકના તરજુમા પણ થયા છે.
કૃતિઓ કુતિનું નામ વિષય રચના પ્રકાશન પ્રકાશક મૌલિક સંપાદન સાલ સાલ
કે અનુવાદ ? ૧, બ્રહ્મચર્ય- આરોગ્યવિદ્યા ૧૯૩૭ ૧૯૩૯ નવયુગ પુસ્તક મૌલિક | મીમાંસા
ભંડાર-રાજકેટ ૨. સો વર્ષ
૧૯૩૯ ૧૯૪૦ ભારતી સાહિત્ય જીવવાની કલા
સંઘ, અમદાવાદ બીજી આવૃત્તિ ૧૯૪૪ 3. Genus આરોગ્યવિધા ૧૯૩૮ ૧૯૩૯
of Health ૪. તમાકુત્યાગ
૧૯૪૧ ૧૯૪૩ ૫. આહાર અને
૧૯૪૪ ૧૯૪૪ આરોગ્ય ૬. દંતરક્ષણ ને
દીર્ધાયુષ્ય ૭. બ્રહ્મચર્ય—- .
બોધસંગ્રહ ૮. જીવનનું ઝેર , ૧૯૩૯ ૧૯૪૦ ૯, બ્રહ્મચર્ય
૧૯૩૯ ૧૦. સારવારની સૌથી,
સારી રીત ૧૧, બંધકોશ કેમ માટે, ૧૨. ફળાહારના ફાયદા ૧૩. દંતરક્ષક– ,
- જ્ઞાનશિક્ષિકા ૧૪. હવા અને હયાતી, ૧૫. ત્વચા ને તંદુરસ્તી, ૧૬. વો ને વ્યાધિઓ ,
. . . . . . '
Page #252
--------------------------------------------------------------------------
________________
૧૯૨૯
,
૧૯૩૯
,
થશે અને ગ્રંથકાર પુ. ૧૦ પોતે ,
૧૭. તમાકુ દેવદર્શિકા, ૧૮. હસ્ત – ,
નાચવિપિકા ૧૯. મંદાગ્નિ ર૦. મંદવાડ કેમ મટે , ૨૧, બંધકોશની બલા , ૨૨. નિદ્રા ને નીરેગિતા , ૨૩. સૂર્યપ્રકાશ ને ,
સ્વાશ્ચ
૨૪. કુદરતી રંગો.' ,
પચારમહિમા ૨૫. જળ અને જીવન ,, ૨૦. મિતાહામહિમ , , , ૨૭. આરોગ્યરક્ષક ,
અભુત ક્રિયા ૨૮. માણસ માં ,
કેમ પડે છે ? રહ. ગાયત્રી અને , ૧૯૪૭ ૧૯૪૭ કુપણવમહિમા
આમાંની ઘણીખરી કૃતિઓ નાની નાની પુસ્તિકાઓ હોઈ તેમની કીમત આન, બે આના હોય છે. !
Page #253
--------------------------------------------------------------------------
________________
જયંતીલાલ મફતલાલ આચાર્ય શ્રી. જયંતીલાલ આચાર્યને જન્મ ઈ. સ. ૧૯૦૬ માં તા. ૧૮ મી આકાબરના રોજ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં ઉત્તર ગુજરાતના કડી ગામમાં થયો હતો. તેમનું મૂળ વતન અમદાવાદ. પિતાનું નામ મફતલાલ મોતીલાલ; માતાનું નામ વસંતબા. તેમનું લગ્ન ઈસ. ૧૯૨૪ માં. શ્રી. હીરાબહેન સાથે થયેલું છે.
તેમણે માધ્યમિક શિક્ષણ અમદાવાદની નેટિવ સ્કૂલ તથા સીટી હાઈસ્કૂલમાં લીધું હતું. મેટ્રિકની પરીક્ષા ગણિતના વિષયમાં ૭૦ ટકા જેટલા ગુણ મેળવી તેમણે પસાર કરેલી. ઈ. સ. ૧૯૨૮ માં તેઓ સંસ્કૃત અને ગુજરાતી વિષયો લઈને ગુજરાત કોલેજમાંથી બી. એ. થયા હતા.
પણ આ તે તેમની સામાન્ય કેળવણી. તેમને મળેલી કેળવણીની ખરી વિશેષતા તો તેઓએ શાંતિનિકેતનના વિદ્યાભવનમાં મધ્યકાલીન સંતસાહિત્ય અને ગસાધનાનો અભ્યાસ કર્યો તેમાં, તેમજ આચાર્ય ક્ષિતિમોહન સેનની પાસે રહીને ઈ. સ. ૧૯૩૧-૩૪ ના ગાળા દરમિયાન વિદ્યા, સંસ્કાર અને ભાવનાની તેમને પ્રાપ્તિ થઈ તેમાં રહેલી છે. હાલ તેઓ અમદાવાદની ભારતી વિદ્યાલયના આચાર્ય છે અને શેઠ ભે. જે. વિદ્યાભવન (ગુજરાત વિદ્યાસભા સંચાલિત )માં બંગાળી ભાષાસાહિત્યના માનાર્હ અધ્યાપક છે.
વિદ્યાર્થીકાળ દરમિયાન શ્રી. પ્રભાસચંદ્ર બેનરજી નામના બંગાળી શિક્ષકે તેમના વ્યક્તિત્વ પર સારી અસર પાડી હતી. વ્યાયામની પ્રવૃત્તિ અને ઈતર કાર્યોમાં શ્રી અંબાલાલ પુરાણુની અને કેસિન્ધાના આશ્રમમાં તેઓ હતા ત્યારે શ્રી. કરુણાશંકર ભટ્ટની છાપ તેમના ઉપર પડી છે. પિતાના મૂક ઉદાર અભિજાત સંસ્કારલક્ષી આતિથ્ય અને સદ્દભાવથી આચાર્ય સેને અને શ્રી. નંદલાલ બસુએ તેમનામાં ભાવનાસિચન કર્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી શ્રી. અરવિંદનાં સાહિત્ય, યોગસાધના અને વ્યક્તિત્વની અસર તેમના ઉપર થતી જાય છે.
તેમણે લેખનપ્રવૃત્તિની શરૂઆત સારંગપુર સાર્વજનિક વ્યાયામ મંદિર (અમદાવાદ) તરફથી પ્રગટતા હસ્તલિખિત માસિક “વિદ્યાર્થી માં લેખ લખીને કરી હતી. એ લેખે ઉપર પુરાણી ભાઈએાની પ્રવૃત્તિના દઢ
Page #254
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦ સંસ્કાર હતા. ત્યારબાદ શાંતિનિકેતનના સંસ્કારલક્ષી વાતાવરણ અને રવિબાબુના પ્રત્યક્ષ પ્રેરણાદાયી પરિચયને લીધે તેમનું લેખનકાર્ય મહારતું ગયું.
પરમતત્ત્વની શોધને અંગે થતી સાધના અને તે પ્રસંગે થતું મનોમંથન રજૂ કરવાનો તેમનાં કાવ્ય-લેખને પ્રયાસ છે. મુખ્યત્વે રહસ્યવાદને અનુલક્ષીને તેમની લેખનપ્રવૃત્તિ ચાલે છે. રવિબાબુ એમના પ્રિય સાહિત્યકાર છે. એમના પ્રિય સાહિત્યપ્રકારે કાવ્ય, આત્મચરિત્ર અને પત્ર છે. સમગ્ર જીવનને સ્પર્શતા બહુવિધ વિષયોને અભ્યાસ કરવામાં તેમને રસ છે.
તેમની પ્રથમ કૃતિ “મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ', બંગાળીના અનુવાદ રૂપે ઈ. સ. ૧૯૩૩ માં પ્રગટ થઈ. તેમણે રહસ્યવાદ ઉપર ખૂબ લખ્યું છે. “તપસને વિકાસક્રમ', બુદ્ધિપ્રકાશ, ઓકટે. ૧૯૩૬); “બંગાળાના બાઉલ” (“પ્રસ્થાન'); “સહજિયા સંપ્રદાય” (“પ્રસ્થાન” માગશર સં. ૧૯૯૧) મહારાષ્ટ્રને રહસ્યવાદ' ('કૌમુદી', ૧૯૩૪ એપ્રિલ): બાહ્યાંતર અનુભૂતિ (બુ. પ્ર.” જુલાઈ ૧૯૩૭); * Mysticism': (Kalyan Kalpataru Vol. 1 No. 4); “મૃત્યુની નિબિડ ઉપલબ્ધિ ' (પ્રસ્થાન, જેઠ સં. ૨૦૦૦); આચાર્ય ક્ષિતિમોહન સેન” (“ભારતી' દીપોત્સવી અંક ૨૦૯ ૨); “મારું મંતવ્ય” (“પ્રસ્થાન ૧૯૪૫) મંત્રપ્રાપ્તિ (“પ્રસ્થાને” ચિત્ર ૨૦૦૨); “આંતર પલટ' (“પ્રસ્થાનવૈશાખ ૨૦૦૨); “મૌન':( પ્રસ્થાન, વૈશાખ ૨૦ ૦૨); “અગમ્યવાદની કાંઈક ઝાંખી' (ભારતી' દીપોત્સવી અંક ૨૦૦૩)–વગેરે મનનીય લેખે એમના તત્ત્વનિષ્ઠ અભ્યાસની સાક્ષી પૂરે છે અને લેખકનું વિશિષ્ટ દૃષ્ટિબિંદુ સમજાવી જાય છે. તેઓ બંગાળી ભાષા-સાહિત્યના સારા અભ્યાસી હોઈ સુંદર ને શિષ્ટ બંગાળી કૃતિઓ ગુજરાતીમાં પીરસતા રહ્યા છે.
કૃતિનું નામ
પ્રકાર
કૃતિઓ રચના પ્રકાશન– પ્રકાશક મૌલિક સાલ સાલ
સંપાદન કે
અનુવાદ છે ૧૯૩૩ ગુજરાત વિદ્યા- બંગાળીમાંથી
સજા, અમદાવાદ અનુવાદ
૧. મધ્યકાલીન ઈતિહાસ
ભારતીય સંસ્કૃતિ
Page #255
--------------------------------------------------------------------------
________________
અથા-ચરિતાલિ
૨. માનવ પ્રમ
૩. દીવડા
૪. પુંડરિકનાં બાલકાવ્યા
૫. તાનસેન
૬. ઠાકુરદાની વાતે
૭. ગારસ
૮. સાહિત્ય
૯. શ્રી. શારદાદેવી
૧૦. શિક્ષણસાધના
૧૧. તંત્રની સાધના
૧૨. બ્રહ્મચર્ચા
નિમ ધ
બાલગીતા
માલકાવ્યા
વિવેચન
ચિત્ર
જીવનચરિત્ર ?
વાર્તા
?
કાવ્યસંગ્રહ
.
}
""
?
?
?
?
?
?
૧૯૩૮
?
પ
ગુ. વિ. સભા 'માનુષેર ધમ’ મા અનુવાદ મૌલિક
અમદાવાદ
૧૯૩૪ જેચ'દ તલકશી
૧૯૩૯
એન્ડ સન્સ રાજકોટ
૧૯૪૦
૧૯૪૦
"9
વિસ, ગેરિ દ્રભાઇ ઠાકર
૧૯૯૫ ખાલકુંજ, અમદાવાદ
૧૯૪૦
"
19
૧૯૪૩ ગુ. વિધા સભા
૧૯૪૦ આદર્શ પુસ્તક ભંડાર, અમદાવાદ
? વિ.સ. ૨૦૦૩ સસ્તું સાહિત્યવર્ધક
કાર્યાલય
૧૯૪૭ સંદેશ લિમિટેડ અમદાવાક
:9
અભ્યાસ-સામગ્રી
•
‘માનવધર્મી' માટે, ઇ. સ. ૧૯૩૮ નું ગ્રંથસ્ય વાઙમય. ગારસ' માટે, તેને સ્ત્ર. ગિજુભાઇએ કરાવેલેા પરિચય ‘શિક્ષણસાધના' માટે ઇ. સ. ૧૯૪૭ નું વાડ્મય. ‘સાહિત્ય’ માટે પરિભ્રમણ ભા, ૧ (સ્વ, મેધાણી),
90
પેાતે :વિષાશ્રુની કૃતિઆને અનુવાદ મૌલિક
સંપાદન
અનુવાદ મૌલિક
..
Page #256
--------------------------------------------------------------------------
________________
દુર્ગેશ તુળજાશંકર શુકલ
શ્રી. દુર્ગેશનો જન્મ તા. ૯-૯-૧૯૧૧ ના રોજ રાણપુરમાં ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં થયેલા. તેમનું મૂળ વતન વઢવાણુ. તેમના પિતાનું નામ તુળજાશ ંકર શિવશ ંકર શુકલ. માતાનું નામ મોંઘીબહેન.
પિતા પાલણપુર સ્ટેટની હાઈસ્કૂલમાં ચિત્રશિક્ષક હોવાથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમને ત્યાં મળેલું. ઇ. સ. ૧૯૭૫ માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી તે ખી. એ. થયા અને એમ. એ. તે અભ્યાસ શરૂ કર્યાં; પણ પ્રતિકૂળ સંજોગાને લીધે તે પરીક્ષામાં બેસી શકયા નહિ. મુંબઇની શ્રી. ગેાકળીબાઈ હાઈસ્કૂલમાં તેમજ હંસરાજ મેારારજી પબ્લિક સ્કૂલમાં દશેક વર્ષી શિક્ષકગીરી કર્યા બાદ હાલ તેઓ રાજકાટમાં એક મેાટર વેચનારી પેઢીમાં કામ કરે છે.
એમના માનસ તેમજ સાહિત્ય ઉપર વત્તીઓછી અસર કરનારાઓમાં ગ્રીક નાટકકારો અને ઈંગ્લાંડના બે મેટા કવિએ-કીટ્સ અને બ્રાઉનિંગ-મુખ્ય છે. તે ઉપરાંત તેમના વ્યક્તિત્વના ઘડતરમાં સંસ્કૃત સાહિત્યના અભ્યાસના પણ ગણનાપાત્ર ફાળા છે.
એમની પ્રથમ કૃતિ ‘ પૂજાનાં ફૂલ' ઇ. સ. ૧૯૭૪ માં પ્રગટ થઈ. તેમાંની વાર્તાઓએ આશાસ્પદ લેખક તરીકે તેમને બહાર આણ્યા. ત્યારથી આજલગી રચાતી જતી કૃતિઓ દ્વારા કવિ અને વાર્તાકાર તરીકે શ્રી. દુર્ગેશની શક્તિ ઉત્તરાત્તર વિકસતી રહી છે.
તેમને પ્રિય સાહિત્યપ્રકાર નાટક છે, છતાં સૌથી વિશેષ પ્રમાણમાં તેમણે ટૂંકી વાર્તા લખી છે. જીવન પ્રત્યેની વિશિષ્ટ મયુક્ત વક્રદષ્ટિને લઈને બર્નાર્ડ શાં અને સમરસેટ સામ તેમના પ્રિય લેખક અન્યા છે. એમનાં લખાણા વિશેષતઃ મનેવિશ્લેષણાત્મક બન્યાં છે. તેમના મનગમતા અભ્યાસવિષય પણ મનોવિજ્ઞાન છે.
શ્રી. દુગે શની વાર્તાઓ અને એકાંકી નાટકા સમાજના ઉપલા વર્ગના અધિકારીએ કે શહેરના વાતાવરણને નિરૂપવા કરતાં હલકા ગણાતા વર્ષોંનું કે ગ્રામજીવનનું રહસ્ય બતાવવા તરફ વધુ વળેલાં છે. લેખકની ઊર્મિલ પ્રકૃતિ, સૌન્દર્યાનુભવ અને તરગલીલા તેમનાં લખાણોને ઘણુંખરું ભાવનાપ્રધાન બનાવે છે. છતાં તેમને વાસ્તવજીવનને પ્રત્યક્ષ વિશાળ અનુભવ છે. તેમની પાસે ધરતીનાં દુ:ખી માનવીને અવલાકવાની દૃષ્ટિ છે અને જિવાતા જીવનને સાકાર કરવાની કલા પણુ છે. તેમની ઘણી કૃતિઓને
Page #257
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ
મુખ્ય રસ કરુણ હોય છે. તેમના “પૃથ્વીનાં આંસુ', એ નાટકસંગ્રહમાં સંજ્ઞાત્મક (Symbolic) અને વાસ્તવલક્ષી-એમ બે પ્રકારનાં નાટકે સંગ્રહાયેલાં છે. સંસાત્મક નાટક વિશેષે ઊર્મિપ્રધાન છે અને વાસ્તવલક્ષી નાટકે મોટે ભાગે દશ્યાત્મક છે. તેમનાં “પંડનાં પતીકાં', “હૈયે ભાર” અને “મેઘલી રાતે', જેવાં એકાંકી નાટકે એ આપણા ગરીબ નાટયસાહિત્યમાં સારે ઉમેરે કર્યો છે. તાજેતરમાં એમના મિત્ર ડૉ. વસંત અવસરેનાં ત્રીસેક મરાઠી કાવ્યોના અનુવાદ સાથે ઝંકૃતિ' નામે એક કાવ્યસંગ્રહ નાગરી લિપિમાં એમણે પ્રકટ કર્યો છે. તેમને “ઉત્સવિકા” નામને નાટિકા સંગ્રહ કિશોપયોગી દશ્ય નાટકે પૂરાં પાડે છે.
| કૃતિઓ કૃતિનું નામ પ્રકાર રચના પ્રકાશન પ્રકાશક મૌલિક સાલ સાલ
કે અનુવાદ? ૧. પૂજાનાં ફૂલ વાર્તાસંગ્રહ ૧૯૩૪ ૧૯૩૪ દીવેટિયા એન્ડ સન્સ મૌલિક
અમદાવાદ ૨, છાયા
૧૯૩૫-૩૬ ૧૯૩૭ “નવચેતન” કલકત્તા ૩. પલ્લવ
૧૯૩૮ ૧૯૪૦ ગતિ ગ્રંથમાળા
અમદાવાદ ૪. વિસંગ કલા નવલકથા ૧૯૩૬ ૧૯૩૭ નવયુગ ગ્રંથમાળા,
રાજકેટ, ૫. પૃથ્વીનાં આંસુ નાટિકા સંગ્રહ ૧૯૪૦-૪૧ ૧૯૪ર પોતે ૬. ઉર્વશી અને યાત્રી કાવ્યસંગ્રહ , ૧૯૪૪ પોતે ૭. ઉત્સવિક નાટયસંગ્રહ ૧૯૪૫-૧૯૪૯ ૧૯૪૯ ડો. વસંત અવસરે ત્રણ સિવાય
શાંતાક્રુઝ સઘળાં મૌલિક ૮. ઝંકૃતિ કાવ્યસંગ્રહ ૧૯૪૯ ૧૯૪૯ પિતે અનુવાદ અને (ડો. અવસરેની સાથે)
અભ્યાસ-સામગ્રી ' પૂજાનાં ફૂલમાટે–૧. ઈ. સ. ૧૯૩૪ નું ગ્રંથસ્થ વામય. ૨. “કૌમુદી', ડિસેમ્બર, ૧૯૩૪
છાયા” અને “પલ્લવ માટે–પરિભ્રમણ ભા. ૩–સ્વ. મેઘાણું પલવ” માટે–ઈ. ૧૯૪૯નું ગ્રંથસ્થ વાડમય “પૃથ્વીનાં આંસુ” માટે–૧. ઇ. સ. ૧૯૪૨નું ગ્રંથસ્થ વામચ
૨. રેખા” ઓકટોબર, ૧૯૪૨ ઉર્વશી અને યાત્રી માટે, શ્રી. હીરાબહેન પાઠ: “ઊર્મિ, ડીસેમ્બર, ૧૯૪૫ ઉત્સરિકા' માટે રેખા માર્ચ ૧૯૫૦ 'અંકતિ' માટે–રેખા” મે ૧૯૫૦
મૌલિક
૫
Page #258
--------------------------------------------------------------------------
________________
ધનજીભાઈ ફકીરભાઈ
શ્રી ધનજીભાઈ ફકીરભાઈને જન્મ તેમના મૂળ વતન વડેદરામાં ઈ. ૧૮૯૫ ના માર્ચ માસની ૨૩ મી તારીખે થએલે. તેમના પિતાનું નામ ફકીરભાઈ માવજીભાઈ; માતાનું નામ લક્ષ્મીબાઈ જ્ઞાતિ હિંદી ખ્રિસ્તી. ઈ. ૧૯૨૦ માં શ્રી. એલન સાથે તેમનું પ્રથમ લગ્ન થયું હતું. તેઓ ગુજરી જતાં તેમનું દ્વિતીય લગ્ન ઈ ૧૯૩૭ માં શ્રી. ફ્લેરા સાથે થયું છે.
વડોદરાની મેડિસ્ટ' મિશન સ્કૂલમાં તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધેલું. ત્યારપછી વડોદરા કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરી તેઓ ઈ. ૧૯૧૯ માં બી. એસસી. થયા અને ઈ. ૧૯૨૮માં કલકત્તાની શ્રીરામપુર કોલેજમાંથી બી. ડી. { બેચલર ઓફ ડિવિનિટી')ની ઉપાધિ તેમણે મેળવી. ગુજરાત કોલેજમાં ભૌતિકશાસ્ત્રના વિભાગમાં ત્રીસેક વર્ષ સુધી અધ્યાપનકાર્ય બજાવીને તાજેતરમાં તેઓ નિવૃત્ત થયા છે.
સાધુ સુંદરસિંગ અને કવિ ન્હાનાલાલના પ્રત્યક્ષ સંસગે તેમજ તેમનાં પુસ્તક – વ્યાખ્યાનેએ તેમના વ્યક્તિત્વને ઘડયું છે. બાઈબલે અને એ મરેનાં પુસ્તકએ પણ તેમની ભાવના વિકસાવવામાં ઓછો ફાળો આયો નથી.
વિદ્યાર્થી–અવસ્થામાં તેમને કવિતા લખવાનો શોખ હતું, પણ સમય જતાં ધર્મવિષયક અને વિજ્ઞાનવિષયક નિબંધકારી લખાણ લખવા તરફ વલણવધતાં કાવ્યરચના બંધ પડી અને નિબંધ લખવાની પ્રવૃત્તિ વિકસવા. લાગી. ઈ. ૧૯૨૩ માં ગુજરાત વિદ્યા સભા તરફથી ગુજરાતીમાં ‘પદાર્થ વિજ્ઞાનનું પુસ્તક રચવાનું તેમને સોંપાતાં લેખક તરીકેની આત્મશ્રદ્ધા તેમનામાં દઢ બની.
તેમના જીવનને મુખ્ય ઉદેશ પોતે સમજેલા વિષયોને જનતા માટે સરળ અને સુલભ બનાવી જ્ઞાનને પ્રસાર કરવાને છે.
એમને પ્રિય ગ્રંથ બાઈબલ છે. નિબંધ એમને પ્રિય સાહિત્યપ્રકાર છે. વિજ્ઞાન, ઉત્ક્રાંતિક્રમ અને ધર્મ તેમના અભ્યાસ તેમજ લેખનને મુખ્ય વિષય છે. અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા' અને “ગુજરાત પ્રકૃતિ મંડળ” માં તેઓ સક્રિય રસ લે છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ
સ`ગ્રાહી વિષય લઈ જુદા જુદા દૃષ્ટિબિંદુથી તેની ચર્ચા કરવાની તેમની નિધપદ્ધતિ ખાસ ધપાત્ર છે. વિષયના મૂળમાં ઊતરી સરળ તેમજ તયુક્ત વ્યવસ્થાથી તેને સમજાવવાની અને વિવિધ રીતે વિકસાવવાની ફાવટ તેમણે વિજ્ઞાનવિષયક પાચપુસ્તકાના લેખનમાં સફળપણે તાવી છે. ગુજરાત વિદ્યાપીઠની ‘પારિભાષિક શબ્દાષ સમિતિ'ના સભ્ય તરીકે તેમણે ઉત્સાહપૂર્વક કામ કર્યું છે અને સાહિત્યપરિષદોના વિજ્ઞાન વિભાગમાં તેમણે વિદ્વતાપૂર્ણ નિબધા લખેલા છે.
કૃતિનું નામ
ૐ વિષય
૧. હૃદા વિજ્ઞાન વિજ્ઞાન
૪. ઇ (માડી)
14. 13 (હિંદી)
૬. Intermediate
ભા. ૧
૨. વિજ્ઞાન-વ્યાખ્યાન ભાષા ?
માળા
૩. વિદ્યુત માદક હુન્નર ૧૯૩૪ ૧૯૩૬
(હાઇસ્કૂલ માટે)
૯. રસાયણ વિજ્ઞાન (હાઇસ્કૂલ માટે)
૧૦. સુષ્ઠિ પરિચય
શા. ૧-૨-૩
કારે રચના
સાથ
૧૯૨૪ ૧૯૩૪
,
વિજ્ઞાનનું ?
Practical Phy· પાઠેચ પુસ્તક
sics.
૭. College practical ·, ? physics F. Y. Sc. ૮. પટ્ટા વિજ્ઞાન
૧. આધ્યાત્મિક
19
39
.
..
""
""
કૃતિઓ.
પ્રકાશન
સાલ
?
?
?
૧૯૩૭
૧૯૪૯
૧૯૩૫
? ૧૩૭
૧૯૩૭
૧૯૪૧
૧૯૩૮થી
૧૯૪૦
૧૯૪૨
પ્રકાશક
ગુજ. વિદ્યા.
સભા, અમદાદ
મૌલિ, સંપાદન
કે અનુવાદ
અનુવા
મૌલિ
એસ. બી. શાહની
કાં. અમદાવાદ
09
તે
એસ. ખી. શાહની કુાં.
""
"1
ાડે
ધર્મવિષ- ? વન ભા. ૧ યક લખાણા
૧૨. વિજ્ઞાન સાહિત્યની વિવેચન ઈ. ૧૯૪૧ ઈ. ૧૯૪૨ ગુ. સા. સભા, ૧૭. વાર્ષિક સમીક્ષા 1*૪૫-૪૬-૪૭ ૧૯૪૭, ૧૯૫૦
અમદાવાદ ·
19
સપાદન
મૌલિક
"1
Page #260
--------------------------------------------------------------------------
________________
નરભેશંકર પ્રાણજીવન દવે
આજથી ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાં કાઠિયાવાડી’ને નામે સાહિત્યજગતમાં છે. નરભેશંકર દવે જાણીતા હતા. એમને જન્મ ઈ. ૧૮૭૦માં ૧૨ મી જૂનના દિવસે સૌરાષ્ટ્રમાં રાણપુર પાસે આવેલ ચુડા ગામમાં શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ પ્રાણજીવન રણછોડ દવે, માતાનું નામ રતનબાઈ ત્રિકમજી દવે અને પત્નીનું નામ દીવાળીભાઈ જયાનંદ દવે. લગ્નસાલ ઈ. સ. ૧૮૯૦. '
લીંબડી, મોરબી, વઢવાણ---એમ જુદે જુદે સ્થળે રહીને ગુજરાતી અને અંગ્રેજીને તેમણે અભ્યાસ કર્યો. ૧૫ વર્ષની ઉંમરે તેમણે મેટ્રિકની પરીક્ષા આપી પણ તેમાં તેઓ નાપાસ થયા અને તરત જ તેમનું લગ્ન થયું. આગળ અભ્યાસ કરવા ઈચ્છતા શ્રી. નરભેશંકરને લગ્ન કરીને પંથ લેવાની ફરજ પાડી. શરૂઆતમાં વેરાવળ-જેતલસર લાઈનમાં રેલવે
ફીસની નોકરીમાં તેઓ દાખલ થયા. ત્યારબાદ એક પારસીની કેઓપરેટીવ સોસાયટીમાં કારકૂન થયા. ત્યાં ન ફાવતાં તેઓ માદન કંપનીમાં દાખલ થયા. ત્યાંથી વળી જયપુર ગયા. આમ આઠેક વર્ષ લગી જુદે જુદે સ્થળે રહી તેમણે કુટુંબનિર્વાહ માટે પ્રયત્નો કર્યા. છેવટે તેઓ પિતાના વતન સૌરાષ્ટ્રમાં પાછા આવ્યા અને પિતાને પ્રિય શિક્ષણ તેમજ સાહિત્યના ક્ષેત્રમાં તેમણે ઝંપલાવ્યું.
એક તરફ લખવાની અને બીજી તરફ અભ્યાસ આગળ વધારવાની –એમ બે પ્રવૃત્તિઓ તેમણે ઉપાડી. “સુંદર અને વિદ્યાનંદ' નામની એક નવલકથા તેમણે લખવી શરૂ કરી અને સાથે સાથે મેટ્રિકને અભ્યાસ ફરી શરૂ કર્યો. મેટ્રિકમાં પાસ થઈને તેમણે હાઈટ પ્લીડરની પરીક્ષાની તૈયારી કરવા માંડી. એ માટે તેઓ મુંબઈ ગયા; પણ કમનસીબે બે વાર તે પરીક્ષામાં તેઓ નાપાસ થયા. એ જ અરસામાં વિખ્યાત તત્વજ્ઞાની ઈમર્સનના નિબંધને ગુજરાતી અનુવાદ તેમણે પ્રગટ કર્યો. પછી ઉચ્ચ અભ્યાસ માટે એ કૅલેજમાં દાખલ થયા. ભાવનગરની શામળદાસ કોલેજમાંથી પ્રીવિયસ અને ઈન્ટરની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરીને તેમણે કૅલેજની ઊંચી શિષ્યવૃત્તિઓ મેળવી. બી. એ. માં પૂનાની ડેક્કન કોલેજમાં તેઓ અભ્યાસ કરવા ગયા અને ત્યાંથી તત્ત્વજ્ઞાનને વિષય લઈ મુંબઈ યુનિવર્સિટીમાં તે
Page #261
--------------------------------------------------------------------------
________________
,
'થકા-ચરિતાલિ
વિષયમાં પ્રથમ નંબરે પાસ થયા. ત્યારબાદ પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાંથી ઇ. ૧૯૦૪ માં તેએ એમ. એ. થયા.
એમ. એ. થયા પછી મે માસ તેમણે મુંબઈમાં શેઠ ચુનીલાલ નગીનદાસ શ્રોફને ત્યાં રૂા. ૧૩૦ ના પગારથી તેમના અંગત મંત્રી તરીકે કામ કર્યું. એટલામાં શામળદાસ કૉલેજમાં તર્કશાસ્ત્ર અને ફિલસૂફ઼ીના અધ્યાપકની જગા મળતાં તે જગાએથી ઈ. ૧૯૨૯માં તેઓ નિવૃત થયા ત્યાં લગીએકધારાં પચીસ વર્ષ સુધી ત્યાં જ તર્કશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક તરીકે તેમણે સુંદર કામગીરી બજાવી.
શૅકસપિયરનાં જાણીતાં નાટકોના ગુજરાતી અનુવાદો કરવાના પ્રથમ · પ્રયત્ન કદાચ પ્રે. કાર્ડિયાવાડીનેા ગણાશે. ઈમર્સનના નિધાના, સંસ્કૃત વેદાંતનાં પુસ્તકાના અને યુરોપની પ્રજાના પ્રતિહાસના અનુવાદો પણ તેમણે કરેલા છે. કેટલીક સામાજિક નવલકથાઓ અને આધ્યાત્મિક તરસ વ્યક્ત કરતી સે! જેટલી ગઝલા પણ તેમને નામે ચઢી છે.
તેમના જીવનને મુખ્ય ઉદ્દેશ આત્મતત્ત્વની ઝાંખી કરીને પરમસત્યને સાક્ષાત્કાર કરવાને છે. વેદાંતનું શ્રવણુ—મનન અને નિદિધ્યાસન તેમના જીવનને પરમ પુરુષાર્થ બનેલ છે. તેમણે ઇ સ. ૧૯૪૦ માં સંન્યાસ લીધા હતા. હાલમાં તે સ્વામી નિયતીના નામે પરમહંસ સંન્યાસી તરીકે સૌરાષ્ટ્રમાં આવેલ મેટાદ ગામમાં પેાતાનું ઉત્તર જીવન વ્યતીત કરી રહ્યા છે.
કૃતિનું નામ
૧. ઈમનના
નિબંધ!
૨. જુલિચસ સીઝર
૩. આથેલા
પ્રકાર અથવા રચના
સાક્ષ
૧૮૯૮
૪, મેઝર ફૉરમેઝર અથવા થાય તેવા
એ તા. ગામ વચ્ચે રહીએ
વિષય
નિખ ધ
નાટ
કૃતિ :
12
''
2
પ્રાચન
સામ્ર
૧૮૯૮
"
?
પ્રકાશક મૌલિક સંપાદન
કે અનુવાદક ?
અનુવાદ
પેાતે
5.
39
33
!
..
Page #262
--------------------------------------------------------------------------
________________
ચી અને થથકાર પુ૧૦ પતે અનુવાદ
૮ . ૫. વેનિસને વેપારી નાટક ૬. ચંદા અથવા દુઃખદ વાદળું નવલકથા ? અને વચ્ચે રૂપેરી દોરે ૭. ચંદ્રરમણ અથવા નાટક, ૧૯૦૩
પ્રેમની આંટીઘૂંટી
?
.
મૌલિક
૮. અદ્વૈત મુક્તાવલિ વેદાંત વિ ૧૯૧૨
ષયક ગ્રંથ ૯. સુંદર અને નવલકથા ૧૯૧૭
વિદ્યાનંદ
૧૯૦૬ ,, "All's well that
eods wellhall
અનુવાદ , ૧૦૨ , સિદ્ધાંત મુક્તાવલિ,
પરથી ૧૯૭ મહાદેવ મૌલિક
રામચંદ્ર જાગુટે,
અમદાવાદ ૧૯૭ પોતે
૧૦. An Epetome પાઠયપુસ્તક ૧૯૧૭
of students' Deductive
Logic ૧૧. હેમલેટ . નાટક ૧૯૧૭ ૧૨. યુપીયન પ્રજાના ઇતિહાસ ,,
આચરણને ઇતિહાસ
૯૭ , અનુવાદ ,, ગુ.વિ. સભા લકીકૃત “Hisઅમદાવાદ tory of Euro
pean Morals”
નો અનુવાદ ૧૯૨૫ પોતે મૌલિક
૧૩. સનમ_તશક
કાચ
૧૯૨૫
Page #263
--------------------------------------------------------------------------
________________
નરસિંહભાઈ મૂળજીભાઈ શાહ શ્રી. નરસિંહભાઈ શાહનો જન્મ જૈન પોરવાડ જ્ઞાતિમાં ઈ. સ. ૧૮૯૯ ની ૧૮ મી ડિસેમ્બરે તેમના વતન લીંબડીમાં થયેલ. તેમના પિતાનું નામ મૂળજીભાઈ કાળીદાસ શાહ અને માતાનું નામ વીજીબાઈ તેમનું લગ્ન ઈ. સ. ૧૯૨૧ માં શ્રી ચંપાબહેન સાથે થયું છે.
પ્રાથમિક અને માધ્યમિક કેળવણી તેમણે લીંબડીમાં લીધેલી. ત્યારેબાદ ઉચ્ચ અભ્યાસક્રમમાં રસાયનશાસ્ત્રને મુખ્ય વિષય લઈ તેમણે ઈ. સ. ૧૯૨૪માં બી. એસસી. અને ઈ. સ. ૧૯૩૦ માં એમ. એસસી. અને ઈ. સ. ૧૯૩૮ માં પીએચ. ડી. ની ઉપાધિઓ મુંબઈની રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં અભ્યાસ કરીને મેળવી. શરૂઆતમાં કેટલાંક વર્ષ ધારવાડની કર્ણાટક કોલેજમાં ગાળ્યા બાદ હાલ અમદાવાદની ગુજરાત કોલેજમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે તેઓ કામ કરે છે.
કરીને અંગે લાંબા સમય સુધી કર્ણાટકમાં રહેવાનું થતાં ત્યાં વાંચવાની તક તેમને ખૂબ મળી. ત્યારબાદ અમદાવાદ બદલી થતાં ગુજરાત વિદ્યાસભાના મંત્રી સ્વ. હીરાલાલ પારેખના સમાગમમાં આવતાં તેમના તરફથી વિજ્ઞાન વિશે લખવાને તેમને પ્રોત્સાહન મળ્યું. ત્યારથી તેઓ ગુજરાતી સામયિકો અને પુસ્તક દ્વારા વિજ્ઞાન વિષયક લેખો પ્રગટ કરીને તે પ્રકારના સાહિત્યમાં પ્રશસ્ય ફાળો આપી રહ્યા છે. .
તેમનું પ્રથમ પુસ્તક 'દૂધ' ગુજરાત વિદ્યાસભાએ ઈ. સ. ૧૯૪૦ માં પ્રગટ કર્યું હતું. તેઓ ઇન્ડિયન કેમીકલ સાયટી (કલકત્તાના સભ્ય છે અને ગુજરાત વિદ્યાસભાના આજીવન સભ્ય છે.
તેમને મુખ્ય ઉદ્દેશ રાસાયણિક સંશોધનમાં આગળ વધી વિજ્ઞાનનું જ્ઞાન જનતામાં વિસ્તારવાનું છે. તે સારુ જીવનના ઉપયોગી વિષયે વિશે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી લકભોગ્ય ભાષામાં લેખ ને પુસ્તક લખવાની પ્રવૃત્તિ તેઓ સતત કરતા રહ્યા છે.
કૃતિઓ કૃતિનું નામ પ્રકાર રચના પ્રકાશન પ્રકાશક સંપાદક, અનુવાદ સાલ સાલ
- કે મૌલિક ૧. દૂધ– વૈજ્ઞાનિક ૧૯૪૦ ૧૯૪૦ ગુજરાત વિદ્યાસભા મૌલિક-સંપાદન; સર્વસંપૂર્ણ નિબંધ બીજી આવૃત્તિ અમદાવાદ (મિશ્ર ) ખેરાક
Page #264
--------------------------------------------------------------------------
________________
४०
૨. મેડમ કયૂરી જીવનચરિત્ર ૧૯૪૬
૩. મહાન વૈજ્ઞાનિકા
ખંડ -ખંડ ૨
19
(šૉ. સુરેશ શેઠના સાથે)
૪. લૂઈ પાશ્ચર ..
૫. માલવિજ્ઞાન–
11
""
૧૯૪૩
૧૯૪૩
૧૯૪૭
૧૯૪૮ ૧૯૪૮
પાઠયપુસ્તક
વાચનમાળા,(વર્ષા શિક્ષણ
પુ. ૧ થી૬. યાજના અનુસાર)
થંગ અને થથાર પુ. ૧૦
મૌલિક
ગૂર્જર ગ્રંથરત્ન
કાર્યાલય, અમદાવાદ
૧૯૪૭
ભારતી~~
૧૯૪૮ સાહિત્ય સંધ લિ.
ગુર્જર ગ્રંથરત્ન
કાર્યાલય
ખાલગાવિ
કુબેરદાસની
કુાં.
,,
19
૧૯૪૪
થી
૧૯૪૮
આ ઉપરાંત અંગ્રેજી ભાષામાં રસાયણશાસ્ત્રના વિષયમાં તેમણે ૪૫ સશોધનલેખા પ્રગટ કર્યા છે, અને ત્રણ પાઠયપુસ્તક લખ્યાં છે.
,,
Page #265
--------------------------------------------------------------------------
________________
નાથાલાલ ભાણજી દવે શ્રી. નાથાલાલ દવેને જન્મ સૌરાષ્ટ્રમાં આવેલ ભુવા ગામમાં ઈ. સ. ૧૯૧૨ ની ત્રીજી જૂને થયેલ. તેમના પિતાનું નામ ભાણજી કાનજી દવે અને માતાનું નામ કસ્તુરબા. તેમનું લગ્ન ઈ. સ. ૧૯૨૪ માં શ્રી. નર્મદાબહેન સાથે થયેલું છે.
તેમણે પ્રાથમિક કેળવણી વતનમાં અને માધ્યમિક કંડલા તથા ભાવનગરમાં લીધી હતી. ઈ. સ. ૧૯૩૪ માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી અંગ્રેજી મુખ્ય વિષય સાથે તેઓ બી. એ. માં બીજા વર્ગમાં પાસ થયા. એમ. એ. માં ગુજરાતી મુખ્ય વિષય લઈને ઈ સ. ૧૯૩૬ માં તેઓ વડેદરા કૉલેજમાંથી પાસ થયા. ઇ. સ. ૧૯૪૩ માં તેમણે બી. ટી. ની પરીક્ષા પણ વડેદરાની બી. ટી. કોલેજમાંથી પાસ કરી. ઈ. સ. ૧૯૪૪ માં તેમણે અમદાવાદમાં મોન્ટેસોરી સંચાલિત બાલશિક્ષણક્રમની તાલીમ પણ લીધી હતી. એમને મુખ્ય વ્યવસાય શિક્ષકનો છે. અમદાવાદનું સી. એન. વિદ્યાલય, ભાવનગરની આફ્રેડ હાઈસ્કૂલ, સોનગઢની ગુરુકુળ હાઈસ્કૂલ– એમ વિવિધ શાળાઓમાં તેમણે શિક્ષક તરીકે કામ કર્યું છે. તે પછી થોડે વખત સૌરાષ્ટ્ર સરકારના કેળવણી ખાતામાં કામ કરીને હાલ તેઓ રાજકોટની બાર્ટન ટ્રેનિંગ કોલેજના મુખ્ય શિક્ષક તરીકે કામ કરે છે.
સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, સર રાધાકૃષ્ણન, રોમે રેલાં, કાકા કાલેલકર, કાલિદાસ, ભવભૂતિ વગેરે પ્રતિભાશાળી વિભૂતિઓની ઉત્તમ કૃતિઓએ તેમના વ્યક્તિત્વ ઉપર ચિરસ્થાયી છાપ પાડી છે. એમના જીવનનો ઉદ્દેશ પૂર્ણતાની પ્રાપ્તિ છે. એમની અક્ષરપ્રવૃત્તિના મૂળમાં તેમને હેતુ જીવનની તમામ શુભ શક્તિઓને વિકાસ સાધીને પરમતત્વને સાક્ષાત્કાર કરવાનો છે, એમ તેઓ જણાવે છે.
કોલેજમાં હતા ત્યારથી જ તેમણે દાંડીકૂચ વખતે આવેલા રાષ્ટ્રીય જુવાળના ઉત્સાહમાં રાષ્ટ્રગીતે રચેલાં. ત્યારથી કાવ્ય તેમને પ્રિય સાહિત્યપ્રકાર બને છે. સાથે સાથે નવલિકા, નાટક અને વિવેચનનાં ક્ષેત્રોમાં પણ તેઓ યથાપ્રસંગ ફળ આપતા રહે છે.
એમના પ્રિય લેખક રવિબાબુ છે. એમના પ્રિય ગ્રંથે રવિબાબુને કાવ્યસંગ્રહ “સંચયિતા” અને રમે રેલાંકૃત જીન ક્રિસ્તોફ' છે. એમના
Page #266
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫, ૧૦ પ્રિય અભ્યાસવિષયે બંગાળી કાવ્યસાહિત્ય, ભારતીય તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન અને માનસશાસ્ત્ર છે. આ સર્વનાં મનન, પરિશીલનના પરિણામે તેમને સર્જનને ઉદ્દેશ સતત ઊંચે રહ્યો છે.
તેમને પ્રથમ કાવ્યસંગ્રહ “ કાલિંદી 'પિતે છપાવીને બહાર પાડેલ. તે સંગ્રહ ઈ. સ. ૧૯૪૨ના સર્વોત્તમ કાવ્યસંગ્રહ તરીકે માન્ય વિવેચકે તરફથી સ્વીકાર પામ્યો હતો.
તેમનાં કાવ્યનું મુખ્ય આકર્ષણ ગેયતા, પ્રસાદ અને હૃદયસ્પર્શતામાં છે. રવીન્દ્રનાથને રહસ્યવાદ તેમનાં કાવ્યોમાં પ્રતીત થતો જણાય છે. વણેનું સામંજસ્ય અને સરળ ભાવની લહરીઓ તેમનાં કાલિંદી” જેવાં કાવ્યોમાં અનેખું લાવણ્ય પીરસે છે, અને ઘણી વાર તે વાચક કાવ્યમાંની અર્થચમત્કૃતિ કરતાં શબ્દસૌષ્ઠવની મહારિતાથી જ મુગ્ધ બની જાય છે. વૃદ્ધ કવિ હરગોવિંદ પ્રેમશંકરના કાવ્યસંગ્રહોના સંપાદનમાં તેમને કવિ પ્રત્યે આદરભાવ, તેમને ન્યાય અપાવવાની ધગશ અને કુશળ કાવ્યભોક્તા તેમજ વિવરણકારની તેમની શક્તિ સમજાય છે.
મૌલિક
કતિઓ કૃતિનું નામ પ્રકાર રચના પ્રકાશન પ્રકાશક મૌલિક, સંપા સાલ સાલ
દન કે અનુવાદ ૧. કાલિંદી કવિતા ૧૯૩૬ થી ૧૯૪૨ પતે ૨. મી. અરવિંદ ચિંતના- ૧૯૪૨ ૧૯૪૨ શ્રી. અરવિંદ અનુવાદ યોગદર્શન ત્મક લેખ
કાર્યાલય, આણંદ ૩. ભદ્રા નવલિકાઓ ૯૪૦ થી ૧૯૪૫ આર. આર. શેઠની ૧૯૪૫
કુ. મુંબઈ ૪. નવું જીવતા , , , ભારતી સાહિત્ય
સંઘ લિ. અમદાવાદ ૫. સ્વાતંત્ર્ય- કવિતા ૧૯૪૭ ૧૯૪૭ સંસાર સાહિત્ય પ્રભાત
મંદિર, વઢવાણ ૬. રૂબાઈયાત ને ,, ૧૯૪૬ પોતે
સંપાદન બીજાં કાવ્યો
Page #267
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ક્ષતિાવતિ
૭, વેનવ
નાટક
૮. ચંદ્રગુપ્ત મૌર્ય કવિતા
અને ખીજા' કાવ્યેા
૯. સાહિત્ય
પરાગ
૧૦. સાહિત્ય
પાઠમાલા
ગદ્યપદ્ય
સંગ્રહ
39
ભા. ૧-૨-૩
(શ્રી. અ ભાણી સાથે)
૧૧. વિરાટ જાગે નાટક
૧૯૪૭
૧૯૪૮
શ્રી. મુકુંદ
પારારા, ભાવનગર પેાતે
૧૯૩૮ સાકરલાલ વહેારા, ભાવનગર
૧૯૩૮ એચર મેઘજી એન્ડ
સન્મ, રાજકાઢ
૧૯૪૮ ૧૯૪૮
સપાન
પાને
મોલિક
અભ્યાસ-સામગ્રી
‘કાલિંદી માટે—૧. ‘પ્રસ્થાનમાં’ પ્રેા. અ. મ. રાવળના લેખ, ૨. શ્રી. સુંદરજી એટાઇને મુંબઈ રેડિયા પરનેા વાર્તાલાપ. ૩. ‘પ્રજાબંધુ'. ૪. ‘ફૂલછાબ'માં શ્રી. મેધાણીનેા લેખ. ૫. ઈ. ૧૯૪૨નું ગ્રંથસ્ય વામચ (શ્રી, સુંદરમ્).
‘ભદ્રા' અને 'નવું જીવતર' માટે— ઇ. સ. ૧૯૪૫નું ગ્રંથસ્થ વાય.'
Page #268
--------------------------------------------------------------------------
________________
પન્નાલાલ ન્હાનાલાલ પટેલ લેખક થવાને ઈજારે માત્ર ડીગ્રીધારીઓને જ નથી લેખક બનવાને અમુક પ્રકારની તાલીમ, સગવડ અનુકૂળતાઓ કે સંપત્તિ જોઈએ જ છે એવો દાવો કરનારાઓને રા. પન્નાલાલ અને રા. પેટલીકર જેવા ગામડાને છાને ખૂણે બેસી લખનારા સામાન્ય માણસે સચોટ જવાબ આપે છે.
રા પન્નાલાલને જન્મ ગુજરાતની પૂર્વ સરહદ પર આવેલા ડુંગરપુર રાજ્યના નાના ગામડા માંડલીમાં ઈ. સ. ૧૯૧૨ની ૭ મી મે ના રોજ આંજણ નામની પાટીદારની લગભગ નિરક્ષર જેવી ખેડૂત જ્ઞાતિમાં થયેલે. તેમના પિતાનું નામ ન્હાનાલાલ ખુશાલભાઈ પટેલ અને માતાનું નામ હીરાબા. ૧૪-૧૫ વર્ષની કાચી ઉમરે ૬-૭ વર્ષની કન્યા વાલીબેન સાથે તેમનું લગ્ન થયું હતું,
અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ ઈડર સ્ટેટની એ. વી. સ્કૂલમાં આશરે ઈ. સ. ૧૯૨૦-૨૧ સુધીમાં તેમણે કરેલું. ત્યાં તેમને માસિક રૂા. ૩ની શિષ્યવૃત્તિ મળતી, પરંતુ આર્થિક મુશ્કેલીઓ ખૂબ નડવાથી આગળ અભ્યાસ કરવાનું તેમને છોડી દેવું પડેલું. આટલું પણ તે જયશંકરાનંદ નામના એક સાધુના પ્રયાસથી ભણી શકયા હતા.
વેપાર-નોકરી અંગે તેમને સારી પેઠે અથડાવું પડયું છે. દારૂની ભઠ્ઠી ઉપર, શણવાળાના ગોદામ ઉપર, પાણીની ટાંકી ઉપર, ઘરખાતાના કારકુન તરીકે, ઇલેકિટ્રક કંપનીમાં આઈલમેન તરીકે–જુદે જુદે સ્થળે અને સમયે આમ વિવિધ પ્રકારની નોકરીઓ કરીને તેમણે જીવનના વિવિધરંગી અનુભવો મેળવ્યા છે. કૌટુંબિક વિટંબણા અને જીવલેણ માંદગીઓએ તેમને સતત શારીરિક તેમ માનસિક યંત્રણાઓને અનુભવ કરાવ્યો છે. તેમને પુસ્તક દ્વારા કેળવણી મળી નથી. પણ નક્કર વાસ્તવજીવનને સાક્ષાત પરિચય કરીને તેમણે સર્જનક્ષમ અનુભવસમૃદ્ધિ પ્રાપ્ત કરી છે.
ગુજરાતી ચોથી ચોપડીમાંથી જ કવિ ઉમાશંકરને પ્રેરણાદાયી સાથ તેમને સાંપડયું હતું. શ્રી. ઉમાશંકરે રા. પન્નાલાલની નિસર્ગદત્ત સૌન્દર્યદષ્ટિને સતેજ કરી અને તેમને સાહિત્યને શેખ લગાડે. કુદરત અને ગામડાના પ્રેરક વાતાવરણમાં તેમનું બાલજીવન પોષાયું. આ અનુભવમાં નવી દષ્ટિ, વિચાર અને સાહિત્યિક વાતાવરણ ભળતાં તેમની સર્જકતા ખીલી.
Page #269
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ
માણસાઈની ઉપાસના એ આ સાહિત્યકારના જીવનને મુખ્ય ઉદ્દેશ છે. મહાભારત તેમને પ્રિય ગ્રંથ છે. તેમને મન મહાભારત માત્ર ઈતિહાસ નથી, કેવળ ધાર્મિક ગ્રંથ નથી, પણ સાચાં અનેકરંગી ભવ્ય અભવ્ય પાત્રોના જીવનખેલ માટેની રંગભૂમિ છે. તેમનો પ્રિય સાહિત્યપ્રકાર નવલકથા છે. નવલના વિશાળ પટ પર યદગ્યા વિહરવામાં તેઓ સર્જકનો આનંદ અનુભવે છે. ગ્રામજીવન એમનાં લખાણોનો મુખ્ય વિષય છે. મજુરો, શ્રમજીવીઓ, ગુમાસ્તાઓ, કારીગરે આદિ શેષિતોનાં જીવન એમને લેખન વિષય બને છે. એમને રશિયન લેખકે ખૂબ ગમે છે. ટરગેનોવનાં વાસ્તવદર્શી પાત્રો અને તેની કૃતિઓમાં પ્રતીત થતી જીવનની સચ્ચાઈએ રા. પન્નાલાલના સાહિત્યિક આદર્શને વિકસાવવામાં ગણનાપાત્ર ફાળે આવે છે. રા. મુનશીની નવલેએ પણ વાર્તાકાર પન્નાલાલના રુચિતંત્ર પર આછી પાતળી છાપ પાડી છે.
તેમની પહેલી લાંબી વાર્તા “વળામણ ગતિ ગ્રંથમાળા તરફથી ઈસ. ૧૯૪૦ માં પ્રસિદ્ધ થઈ હતી. તેમાંની બલિષ્ઠ લોકબોલી, તાદશ સમાજચિત્ર અને જીવંત પાત્રદર્શનને કારણે સ્વ. મેઘાણીએ તેને હોંશભેર સત્કારી હતી. પછી તો તેમણે સંખ્યામાં તેમજ ગુણવત્તા ઉભયમાં ઉત્તરોત્તર આગળ વધતી વારતાઓ આપીને અદ્યતન ગુજરાતી વાર્તાકારોમાં અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની “મળેલા જીવ” અને “માનવીની ભવાઈ' શ્રેષ્ઠ પ્રતિની નવલે તરીકે વિવિધ વિવેચકો તરફથી આદર પામી છે.
ગામડાંની પાટીદાર, વાળંદ ને ગરાસિયા કેમોની વિશિષ્ટ રીતિનીતિઓ પ્રણાલિઓ ને ખાસિયતનું દર્શન કરાવતાં માનવીઓનાં હૈયા તેમણે ખુલ્લા કર્યા છે. દિલદિલની પ્રેમભરી વાત કહેતાં તેમણે મનુષ્યસ્વભાવની વિવિધ વૃત્તિઓ અને સંસ્કારને ઉકેલી બતાવ્યાં છે. ગદ્યશૈલીની સુરેખતા, અને અનુભવની સચ્ચાઈ વડે તેઓ શેષિત જનતાનું હમદર્દીભર્યું ચિત્ર ઉપસાવીને માણસાઈની આરાધનાને ઈષ્ટ હેતુ ફલિત કરી બતાવે છે. રા. પન્નાલાલની સર્જકતા, સંવેદનશક્તિ, સૌન્દર્યદષ્ટિ અને જીવનની અનુભૂતિ એટલી તે તીર્ણ ને વિશાળ છે કે જે તેઓ પિતાની કેટલીક સ્વભાગવત ને રુચિગત લાક્ષણિક મર્યાદાઓને વટાવી જાય અને વાર્તાકલાને જરા કડક કસોટીથી ઘૂટે તે ગુજરાતના ગણતર શ્રેષ્ઠ નવલકથાકારમાં તેમનું સ્થાન નિશ્ચિત બને.
Page #270
--------------------------------------------------------------------------
________________
કો.
ગ્રંથ અને થકાર પુ. ૧૦
કતિઓ કૃતિનું નામ પ્રકાર રચ- પ્રકાશન પ્રકાશક મૈ લિક, સંપાદક ૨લ સેલ
કે અનુવાદ ૧. સુખદુઃખનાં ટૂંકી વાર્તાઓ ૧૯૩૬ થી ૧૯૪૦ આર. આર. મૌલિક સાથી. ૧૯૩૯
શેઠની કુ. ૨. ભીરુ સાથી નવલકથા ૧૯૩૮-૩૯ ૧૯૪૨-૪૩ ,
ખંડ ૧- ૨ . વળામણાં લાંબી વાર્તા ૧૯૩૯ ૧૯૪૦ ગતિ પ્રકાશન,
અમદાવાદ, ૪. મળેલા જીવ નવલકથા ૧૯૪૦ ૧૯૪૧ ‘ફૂલછાબ' કાર્યાલય,
રાણપુર ૫. જિંદગીના કી, વાર્તાઓ ૧૯૩૮-૧૯૪૧ યુગધર્મ કાર્યાલય,
-
મુંબઈ ૬. જીવો દાંડ , ૧૯૪૦ ૧૯૪ ગતિ પ્રકાશન
–અમદાવાદ | નવલકથા ૧૯૪૨-૪૨ ૧૯૪૫ આર. આર. શેઠની ભા. ૧-૨ ૮. પાનેતરના રંગ ટૂંકી વાર્તાઓ ૧૯૪૦-૪૬ ૧૯૪૬ ૯. સુરભિ નવલકથા ૧૯૪૩ ૧૯૪૫ ભારતી સાહિત્ય
સંધ લિ, અમદાવાદ ૧૦. લખ ચોરાસી ટૂંકી વાર્તાઓ ૧૯૪-૪૪ ૧૮૪૪ » ૧૧. અજબ
. ૧૯૪૪-૪૬ ૧૯૪૭ એન. આઈ. પી. માનવી ૧૨. માનવીની નવલકથા ૧૯૪૪-૪૬ ૧૯૪૭ આર. આર. શેઠની ભવાઈ ભા. ૧
કુ. ૧૩. પાછલે બારણે લાંબી વાર્તા ૧૯૪૭ ૧૯૪૭ ગતિ પ્રકાશન
અમદાવાદ ૧૪, સાચાં શમણાં ટૂંકી વાર્તાઓ ૧૯૪૯ ૧૯૪૯ ભારતી સાહિત્ય
સંઘ લિ. અભયાસ – સામગ્રી વળામણાં' માટે–૧. “ઊમિ', એપ્રિલ ૧૯૪૦.
૨. પરિભ્રમણ ભા. ૧, "મળેલા ” માટે—- ઈ. સ. ૧૯૪૧નું ગ્રંથરથ વા મય (સુંદમ્ પાનેતરના રંગ' માટે – 'મિ', જાન્યુ ૧૯૪૭, “પાછલે બારણે માટે – , નવેમ્બર ૧૯૪૭. માનવીની ભવાઈ' માટે- “સંસ્કૃતિ' હર્ષ ૨.
( શ્રી. ઉમાશંકર અને સુંદરમુ” નાં અવકને 'લખ ચોરાસી' માટે-- 'મિ', મે ૧૯૪૫, સાચાં શમણાં માટે– રેખા” જાન્યુ ૧૫૦
-
મુંબઈ
Page #271
--------------------------------------------------------------------------
________________
પુરુષોત્તમ જોગીભાઈ ભટ્ટ શ્રી. પુરુષોત્તમ ભટ્ટને જન્મ તેમના મૂળ વતન રાંદેરમાં ઈ. સ. ૧૮૭૭ના સપ્ટેમ્બરની ૯ મી તારીખે ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં થયેલ. તેમના પિતાનું નામ જોગીભાઈ અને માતાનું નામ ધનકર. તેમનું પ્રથમ લગ્ન . સ. ૧૮૮૬ માં શ્રી. મહાલક્ષ્મી સાથે થએલું. દ્વિતીય લગ્ન શ્રી. તારાગૌરી સાથે ઈ. સ. ૧૯૦૩ માં અને તૃતીય લગ્ન ઈ. સ. ૧૯૧૬ માં શ્રી. નિર્મળાગૌરી વેરે થયેલું, પરંતુ ઈ. સ. ૧૯૩૮ માં તેમનો પણ સ્વર્ગવાસ થતાં હાલ તેઓ વિધુરાવસ્થા ભોગવે છે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે રાંદેરમાં લીધેલું. ધોરણ ૧ થી ૪ ત્યાંની ખાનગી અંગ્રેજી શાળામાં અને પ થી ૭ સુરતની મિશન હાઈસ્કૂલમાં તેઓ ભણ્યા હતા. ઇ. સ. ૧૮૯૫ માં તે જ હાઈસ્કૂલમાંથી તેઓ મૅટ્રિક પાસ થયા અને શાળામાં પ્રથમ નંબરે આવવાથી પારિતોષિક પ્રાપ્ત કર્યું. ત્યારબાદ ઈ. સ. ૧૮૯૮ માં અંગ્રેજી અને સંસ્કૃત ઐસિક વિષયો લઈ તેમણે બી. એ. ની પરીક્ષા વડોદરા કોલેજમાંથી બીજા વર્ગમાં પસાર કરી હતી. તે જ કોલેજમાં તેઓ ફેલે નિમાયેલા. કોલેજ છોડ્યા પછી સરકારી મહેસૂલી ખાતામાં તેમણે નોકરી લીધી હતી. નોકરી અંગે તેઓ ગોધરામાં હતા ત્યારે કાયદાને અભ્યાસ શરૂ કર્યો. નોકરી કરતાં કરતાં ઈ. સ. ૧૯૧૫ માં તેઓ એલએલ. બી. થયા. નોકરી દરમિયાન મામલતદાર, પ્રથમ વર્ગના ન્યાયાધીશ અને કલેકટરના ચિટનીસ તરીકે સારી કામગીરી બજાવ્યા બદલ ઈ સ. ૧૯૩૦ માં તેઓ નિવૃત્ત થયા ત્યારે સરકારે તેમને રાવસાહેબને ખિતાબ એનાયત કર્યો હતે. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ ખંભાત રાજ્યમાં સાત વર્ષ સુધી ચીફ રેવન્યુ ઓફિસર અને નાયબ દિવાન તરીકે તેમણે કામ કર્યું હતું. ઈ. સ. ૧૯૩૯માં ત્યાંથી નિવૃત્ત થયા ત્યારથી અમદાવાદમાં કાયમના નિવાસ કરીને તેઓ શાંતિમય જીવન ગાળી રહ્યા છે.
સરકારી નોકરી લેખનપ્રવૃત્તિને અનુકૂળ નહિ હોવાથી સાહિત્ય તરફની અભિરુચિ કૅલેજકાળથી હોવા છતાં તેમની લેખનપ્રવૃતિને પૂરે વિકાસ થઈ શક્યું નહિ. લેખનની શરૂઆત તેમણે કોલેજ મેગેઝીનમાં ગુજરાતી તથા અંગ્રેજી ગદ્યપદ્ય લેખે લખીને કરેલી. સંસ્કૃત અને અંગ્રેજી કાવ્યવાચનને ખાસ શેખ હોઈ તેમણે વિવિધ સંસ્કૃત . તેમજ અંગ્રેજી કૃતિઓના અનુવાદ પણ કરવા માંડયા. “સરસ્વતીચંદ્રનું પૂર્વાસ્વાદન',
Page #272
--------------------------------------------------------------------------
________________
A
*
ગ્રંથ અને ગ્રંથાર ૫, ૧૦ ‘નર્મદાદર્શન' વગેરે ગદ્યલેખે એમની ઊગતી સાક્ષરતાના નમૂના છે. ઈ. સ. ૧૯૧૫ માં “ભામિનીવિલાસને સમલૈકી અનુવાદ તેમણે કર્યો હતો.
યથાશક્તિ જ્ઞાતિસેવા કરવી અને વિદ્યોત્તેજક પ્રવૃત્તિઓ ચલાવવી એ તેમનું મુખ્ય ધ્યેય રહ્યું છે. તેમના જીવન ઉપર તેમના પિતા તેમજ મોટાભાઈ શ્રી. હરિકૃષ્ણના ધાર્મિક વિચારો અને આધ્યાત્મિક સંસ્કારની પ્રબળ અસર પડી છે. કૅલેજ સમય દરમિયાન પ્રો. મનુભાઈ નંદશંકર મહેતા અને શ્રી. અરવિંદ ઘોષે પણ તેમના વ્યક્તિત્વ ઉપર છાપ પાડેલી. | સર્વોત્તમ નવલકથાકાર તરીકે ગોવર્ધનરામ, વેદાંત સંબંધી લેખ માટે મણિલાલ, વિવેચને માટે આનંદશંકર, નીતિ-બેધ માટે દલપતરામ અને તત્વજ્ઞાનની કવિતા માટે નરસિંહ અને અને તેમના પ્રિય લેખકે રહ્યા છે. ‘ભાગવત', ‘સરસ્વતીચંદ્ર, અને શંકરાચાર્યના ગ્રંથ તેમને મનનના મુખ્ય વિષય રહ્યા છે. કાવ્યો અને નિબંધ લખવા તરફ તેમનું ખાસ વલણ છે. ધર્મ અને તત્ત્વજ્ઞાન તેમના લેખનના મુખ્ય વિષયો છે.
દલપતરીતિના કવિ તરીકે ગયા જમાનામાં જે કેટલાક કવિઓ લોકપ્રિયતા પામેલા તેમાંના એક શ્રી. ભટ્ટ પણ છે. શિષ્ટ અને સરળ ભાષા, સુગેય ઢાળ અને શુદ્ધ સંસ્કૃત વૃત્તોને ઉપયોગ કરીને એમણે સહૃદયને કાવ્યો દ્વારા ધર્મોપદેશ આપવાને નોંધપાત્ર પ્રયત્ન કર્યો છે. આજ સુધીમાં પ્રગટ થયેલી એમની વિવિધ કૃતિઓ અને અનેક અપ્રગટ લેખે તેમની લેખનનિષ્ઠા અને ઉત્સાહના સચોટ પુરાવારૂપ છે.
કૃતિઓ કતિનું નામ પ્રકાર રચના- પ્રકાશન– પ્રકાશક મૌલિક સંપાદન સાલ સાલ
કે અનુવાદ ? ૧. ભામિની – કવિતા ૧૯૦૨– ૧૯૧૫ મગનલાલ નભે- અનુવાદ વિલાસ ૧૯૦૧
રામ પાઠક ૨. મયૂરધ્વજ કવિતા ૧૯૦૯ ૧૯૨૩ પતે મૌલિક
આખ્યાન ૩. ભીમ ચાતુર્ય એકાંકી ૧૯૧૨-૧૩ ૧૯૨૩
નાટિકા ૪. ગુખેશ્વર સ્તોત્ર કાવ્ય ૧૯૨૩ ૧૯૨૩
અનુવાદ ૫, કાવ્યગંગ
૧૯૧૫ થી ૧૯૨૫ ભા, ૧-૨-૩
મૌલિક
૧૯૨૪
Page #273
--------------------------------------------------------------------------
________________
૧૯૨૫-૨૬ ૧૯૨૯
પિતે
ગ્રંથા-ચરિતાવલિ ૧. વેદમાધુર્ય મંત્રી
ખંડ ૧-૨ ૭. પુરુષસૂક્ત ગદ્ય-પદ્ય
અને યાજ્ઞવલ્કય ૮. કરંભા કાવ્ય
માખ્યાન
વેદની બચાઓનો ગદ્ય અનુવાદ
અનુવાદ
૧૯૨૬-૨૭ ૧૨૯
૧૯૦૮
૧૯૩૬
મૌલિક
૧૯૪૭
૧૯૪૭
૧૯૪૭
૧૯૪૯
૯. કુમછાયા કાવ્ય ૧૦. ડાબા હાથને પ્રહસન
બળ નાટિકા ૧૧, ગાંધીજીની કવિતા
પ્રશસ્તિ
૧૯૪૮
અપ્રગટ
અભ્યાસ-સામગ્રી
૧. “દમાધુર્ય માટે, દી. બ. નર્મદાશંકર મહેતાને તે જ પુસ્તકમાં
મૂકેલ “પુરસ્કાર. ૨. મછાયા' માટે, ઇ. સ. ૧૯૪૭નું ગ્રંથસ્થ વામય.
Page #274
--------------------------------------------------------------------------
________________
પૂજાલાલ રણછોડદાસ દલવાડી હાલ પંડીચેરીના અરવિંદાશ્રમમાં સાધકનું જીવન ગાળતા અરવિંદભક્ત કવિ પૂજાલાલને જન્મ ઈ. સ. ૧૯૦૧ માં ૨૭મી જૂને પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરામાં પ્રજાપતિ જ્ઞાતિમાં થયેલું. તેમનું મૂળ વતન બેરસદ તાલુકાનું ગામ નાપા. તેમના પિતાનું નામ રણછોડદાસ લક્ષ્મીદાસ અને માતાનું નામ ધૂળીબાઈતેમનાં લગ્ન તેમની ૮-૧૦ વર્ષની વયે શ્રી. ડાહીબહેન વેરે થયાં હતાં.
પ્રાથમિક અને માધ્યમિક કેળવણી તેમણે ગોધરામાં લીધેલી. ઇ. સ. ૧૯૧૮ માં નડિયાદની સરકારી હાઈસ્કૂલમાંથી તેમણે મેટ્રિક પાસ કરી; પછી તેમણે ગુજરાત કોલેજમાં ઇન્ટર સાયન્સ સુધી અભ્યાસ કર્યો, પણ ઈ. સ. ૧૯૨૨ માં, નાપાસ થવાથી, અભ્યાસ છોડી દીધો. ત્યારબાદ તેમના જીવને ન જ રંગ ધારણ કર્યો અને હાલ તે તેમની કાર્યદિશા ગસાધના અને તેને આનુષંગિક લેખનપ્રવૃત્તિ છે.
તેમના જીવન ઉપર સ્વામી વિવેકાનંદે અને શ્રી રામકૃષ્ણ પરમહંસે પ્રબળ છાપ પાડી છે. તેમના અંતરની ઈશ્વરાભિમુખતા કેળવવામાં આ બે તેજસ્વી વિભૂતિઓએ અગત્યને ફાળો આપ્યો છે. તેમના મન પર શ્રી. અંબાલાલ પુરાણીએ દેશભક્તિ, ચારિત્રશુદ્ધિ અને વ્યાયામવ્યાસંગના ઊંડા સંસ્કારો પાડયા છે.
શ્રી. પુરાણીની વ્યાયામશાળાના હસ્તલિખિત માસિક ને દર રવિવારે ભરાતી સભાએ તેમની લેખન ને ચિંતનપ્રવૃત્તિને પિષી હતી. શ્રી. અરવિંદ અને શ્રી. માતાજીના આશ્રમમાં એમની આધ્યાત્મિક અસરોથી અને ગૂઢ સહાયભૂત બનેલ કૃપાશક્તિ વડે કાવ્યકલા વિકસી હોવાનું તેમનું દૃઢ મંતવ્ય છે. સાધના તેમની કવિતાનું મહાન પ્રેરક બળ છે. સાચી લેખનકલા આશ્રમજીવનને પરિણામે જ તેમને હસ્તગત થઈ હોવાનું તેઓ માને છે. હું પણ આવું તે લખી શકું” એવા આત્મવિશ્વાસમાંથી પ્રારંભાયેલી તેમની કાવ્યકલા આજે ગુજરાતની નવી કવિતામાં અનોખી ભાત પાડે છે.
તેમના જીવનને પરમ ઉદ્દેશ પૃથ્વીલોકમાં પરમાત્મજીવનની સિદ્ધિ મેળવવાનો છે. લેખનપ્રવૃત્તિમાં સહજ શક્ય હોય તેટલે અંશે અંતરાત્માની દિવ્ય યાત્રામાં થતી અનુભૂતિઓની અભિવ્યક્તિ કરી, આંતરદષ્ટિએ જોયેલું,
Page #275
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-પરિતાવિલ
૧
અનુભવેલુ' સ`ગમ્ય બને એ ઉમેદ રૂપે આ સાધક કવિની કૃતિએ પ્રગટ
થતી જાય છે.
શ્રી. અરવિંદ તેમના પ્રિય સાહિત્યકાર હોય એ સ્વાભાવિક છે. આ લાક ને પરલેાકનાં ગૂઢ સત્યાની ‹ Life Divine ' માં અપૂર્વ સૃષ્ટિ અનુભવવા મળતી હોવાથી શ્રી, અરવિંદને એ ગ્ર ંથ તેમને પ્રિય છે. પરમાત્મ તરફ વળેલા આત્માના સાહજિક ભાવા—માનવતાની સિદ્ધિ શબ્દોમાં ઉતારવાની તેમને ચિરવાંછના છે. તેમના અભ્યાસના વિષય પણ તે જ છે.
તેમના પ્રથમ કાવ્યગ્રંથ ‘પારિન્નત’ ઈ. સ. ૧૯૩૭ માં પ્રગટ થયેલા. તેમાં પ્રતીત થતી કવિની ભાવનામયંતા, કલ્પનાસમૃદ્ધિ અને ભક્તિના એક જ ભાવની વિવિધ રીતે પણ એકાગ્રતાપૂર્વક થયેલી ગૂથણીને લીધે પ્રા. ડાકાર, પ્રેા. વિજયરાય, પ્રેા. વિષ્ણુપ્રસાદ અને પ્રેા. ડોલરરાય જેવા પ્રતિષ્ઠિત વિવેચકે એ" તેને ખૂબ આદર આપ્યા છે. ગુજરાતી કવિતાસાહિત્યમાં આજે પણ તેમની કવિતાને સ્થિર અને સાત્ત્વિક પ્રકાશ તેની સતત
વિકાસમાન
સ્થિતિની સાક્ષી પૂરે છે.
કૃતિનું નામ
૧, પારિન્નત
૨. Lotus
Petals
૩. માતાજીનાં
માતી
૪, ગીતિકા
૫. પરમ શેાધ
૬. દુર્ગાસ્તાત્ર
૭. માતાજીની
રાસુધા
પ્રકાર
કવિતા
અંગ્રેજી કાવ્યા
કવિતા
કવિતા
ગધ
39
..
રચના
સાલ
?
૧૯૪૩
૧૯૪૩
૧૯૪૫
કૃતિ
"1
૧૨૯૪૪-૪૫ ૧૯૪૫
૧૯૪૬
પ્રકાશન- પ્રકાશક
સાક્ષ
૧૯૩૭
પેાતે
૧૯૪૩ શ્રી. અરવિદ્ર
૧૯૪૪
૧૯૪૫
33
૧૯૪૬
આશ્રમ, પેાંડીચેરી
મેાતે
જગન્નાય પૂનલાલ ડૉકટર
મે તે
નરેન દાસગુપ્ત
મૌલિક સપાકન
કે અનુયાદ? મૌલિક
23
33
અનુવાદ
મૌલિક
અનુવાદ
99
37
Page #276
--------------------------------------------------------------------------
________________
- થથ અને ચાર પુ. ૧ ૮. શુભાક્ષરી કવિતા ૧૯૪૫ ૧૬ નરેન દાસગુપ્ત મૌલિક ૯, જપમાળા
૧૯૪૪ ૧૯૫ પોતે ૧૦. ઊર્મિમાળા , ૧૯૪૫ ૧૯૪૫ પિતે ૧. બાલગુંજાર , ? ૧૯૪૫ જીવન સાહિત્ય
મંદિર, અમદાવાદ ૧૨. કાવ્યકિચેરી ,, ૧૯૪૫-૪૬ ૧૯૪૬ યુગાંતર કાર્યાલય, સુરત , ૧૩. નવવર્ષીય ગદ્ય ૧૯૪૬ ૧૯૪૬ શ્રી. અરવિંદ આશ્રમ પ્રસ અનુવાદ
પ્રાર્થનાવલિ ૧૪. Rosary અંગ્રેજી કવિતા ૧૯૪૫-૪૬ ૧૯૪૬ , મૌલિક ૧૫. પ્રભાત ગીત કાવ્ય ૧૯૪૬-૪૭ ૧૯૪૭ " " ૧૬. આરાધિકા , ૧૯૪૭-૪૮ ૧૯૪૮
અભ્યાસ-સામગ્રી પારિજાત' માટે, . . ઠાકોરની તે પુસ્તકની પ્રસ્તાવના. ૨. “વિવેચના –
પ્રા. વિ. ૨. ત્રિ. ૩. “કુલિંગ –ભા. ૧-૨. બી. શાતિલાલ ઠાકર. * “પ્રસ્થાન વૈશાખ ૧૯લ્પ, ૫. પરિભ્રમણ' ભા. ૨. શ્રી. ઝવેરચંદ મેઘાણી.
Page #277
--------------------------------------------------------------------------
________________
મલાદ ચંદ્રશેખર દીવાનજી . શ્રી. દીવાનજીને જન્મ વડનગરા નાગર ગૃહસ્થ જ્ઞાતિમાં ઈ. સ. ૧૮૫૧ની ૨૮મી જૂનના દિવસે તેમના મૂળ વતન સુરતમાં થયેલો. તેમના પિતાનું નામ શ્રી. ચંદ્રશેખર અને માતાનું નામ શ્રી. ઈશાનગૌરી. તેમનું લગ્ન ઈ. સ. ૧૯૧૦માં શ્રી. ઊર્મિલાદેવી સાથે થયું છે.
તેમણે પ્રાથમિક શિક્ષણ ભરૂચની મ્યુનિસિપલ શાળામાં, માધ્યમિક ભરૂચ, નડિયાદ અને સુરતની હાઈસ્કૂલમાં, અને ઉચ્ચ શિક્ષણ મુંબઈની વિલ્સન કોલેજ તથા વડોદરા કૉલેજમાં લીધું હતું. તેઓ ઈ. સ. ૧૯૦૫માં બી. એ., ૧૯૦૭માં એમ. એ. અને ૧૯૦૮માં મુંબઈની લે સ્કૂલમાંથી એલએલ. બી. થયા. ૧૯૧૨માં તે જ સંસ્થામાંથી તેઓ એલએલ. એમ. પણ થયા. તેમણે ૧૯ ૦૯થી૧૦ સુરતમાં વકીલાત કરી; ૧૯૧૦–૧૫ મુંબઈ હાઈકોર્ટમાં ટ્રાન્સલેટર અને ઈન્ટરપ્રીટર તરીકે કામ કર્યું અને ૧૯૧૫થી'૪૦ સુધી ન્યાયખાતામાં ઉચ્ચ અધિકારી તરીકે કામગીરી બજાવેલી. તેમાંથી નિવૃત્ત થતાં ૧૯૪૦થી ઍડવોકેટ તરીકે તેમને વ્યવસાય ચાલુ છે અને તેમાંથી મળતા નવરાશના સમયમાં તેઓ શક્ય તેટલી સાહિત્યસેવા કરે છે.
લેખનપ્રવૃત્તિની શરૂઆત તેમણે ઈ. સ. ૧૯૧૫માં ‘નવજીવન'માં નવજીવન અને સત્ય' નામને લેખ આપીને અને “ Indian Review'માં Judicial administration in antimohomedan times' નામને અંગ્રેજી લેખ લખીને કરી. ત્યારબાદ અંગ્રેજી-ગુજરાતી સામાયિકમાં લેખ લખીને અને ગુજરાતી સાહિત્ય પરિષદો કે નડીઆદ, બોરસદ, અમદાવાદ, વલસાડનાં સાહિત્યમંડળો જેવી સંસ્થાઓમાં અભ્યાસલેખ વાંચીને કે વ્યાખ્યાન આપીને પોતાની લેખનપ્રવૃત્તિને આજ સુધી તેમણે સજીવ રાખી છે. તેમનું પ્રથમ પુસ્તક 'Guide to the Bombay Presidency: ઈ. સ. ૧૯૨૦માં પ્રસિદ્ધ થયેલું.
શ્રી. હંસસ્વરૂપ, શ્રી. સચ્ચિદાનંદ, શ્રી. અરવિંદ આદિ યોગીઓએ તેમજ સ્વ. મણિલાલત ગીતાનું ભાષાંતર, નરસિંહ મહેતાનાં અદ્વૈત વેદાંતનાં પદો, શ્રીમદ્દ ભગવદ્દગીતા ને ઉપનિષદો, બ્રહ્મસૂત્ર શાંકરભાષ્ય, યોગસૂત્ર, હઠગ પ્રદીપિકા, મધુસૂદન સરસ્વતીની ગીતા ઉપરની ટીકા, અદ્વૈતસિદ્ધિ, સિદ્ધાન્તબિન્દુ અને પ્રસ્થાનભેદ આદિ ધર્મ-તત્વજ્ઞાનના
Page #278
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦ પુસ્તકોએ તેમના વ્યક્તિત્વનું ઘડતર કર્યું છે. ધર્મ-તત્ત્વજ્ઞાન એમના અભ્યાસ તથા લેખનના મુખ્ય વિષયો છે. તેમને પ્રિય ગ્રંથ ગીતા છે. શ્રી. રમણ મહર્ષિ તેમના આરાધ્ય ગુરુ છે. ઇતિહાસ, ન્યાય, રાજબંધારણ, સમાજશાસ્ત્ર ઈત્યાદિને પણ સંગીન અભ્યાસ તેમણે કર્યો છે, જેના ફળરૂપે તે તે વિષયના મનનીય લેખે તેમણે લખ્યા છે. .
વિશાળ અનુભવને કારણે નિવૃત્તિ બાદ પ્રાપ્ત થતી ઉચ્ચ અધિકાર કે પગારની નોકરી નહિ સ્વીકારતાં મુખ્યતયા લેખનપ્રવૃત્તિ દ્વારા જનહિત સાધવાનું અને ગરીબેને યથાશક્ય મદદ કરવાનું લક્ષ્ય તેમણે રાખ્યું છે.
તેઓ અનેક સાહિત્યિક તથા સાંસ્કારિક પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થાના આજીવન સભ્ય છે. તેમાં રોયલ એશિયાટિક સોસાયટી, ભાંડારકર રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઈન્ડિયન ફિલેસેફિકલ કોંગ્રેસ, ઓલ ઇન્ડિયા ઓરીએન્ટલ કોન્ફરન્સ, ગુજરાત રીચર્સ સેસાયટી, ફાર્બસ ગુજરાતી સભા મુખ્ય છે. ઈ. સ. ૧૯૪૫માં ત્રિવેન્દ્રમ ખાતે ભરાયેલ ઈન્ડિયન ફિલોસોફિકલ કોંગ્રેસમાં હિંદી તવજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકે તેઓ ચુંટાયા હતા.
કૃતિઓ
પ્રકાશન-સ્થળ
પ્રકારાન-સાલ
તઝગાંવ (તારા)
૧૯૨૦
કૃતિનું નામ પ્રકાર કે ભાષા
વિષય ૧. Guide to પ્રવાસ અંગ્રેજી
the Bombay
Presidency ૨. સિદ્ધાંતબિંદુ વેદાંત સંસકૃત
વડેદરા
-
અંગ્રેજી
જલગાંવ, (પૂર્વ ખાનદેશ)
૧૯૩૫
૩. પ્રસ્થાનભેદ તત્વજ્ઞાન સંસ્કૃત
ગુજરાતી 8. Charitable size 24'
& Religious Trusts Act,
1920 પ. વૈશાલીની નાટક ગુજરાતી
વનિતા
અમદાવાદ
Page #279
--------------------------------------------------------------------------
________________
મુંબઈ
શપકા-પિતાવલિ ૬. રમિલાપ નિબંધ, ગુજરાતી
ભા. ૧ વ્યાખ્યાન ૭. Bombay કાયદો અંગ્રેજી Agricultural Debtor's
૧૯૪૨
૧૯૪૨
એન. એમ. ત્રિપાઠીની
કં. મુંબઈ
Relief Act,
1939
ન્યુ બુક કુ. મુંબઈ
૧૯૪૨
૧૯૪૨
૮. Indian હિંદી રાજય-અંગ્રેજી
Political 0441729
Riddle
મુંબઈ
૯. critical હિંદી સંસ્કૃત
word- તત્વજ્ઞાન અને Index to
અંગ્રેજી the Bhaga
vadgita with an introduction
૧૦.The Bom- કાયદા અંગ્રેજી એન. એમ. ત્રિપાઠીની કુ. ૧૯૪૭ bay Agricul
મુંબઈ tural Debtor's Relief legislation, 1939-'17.
આ સિવાય ગ્રંથસ્થ નહિ થયેલા ૫૦ જેટલા તેમના અભ્યાસ–લેખમાંથી કેટલાક અંગ્રેજી લેખે નીચે આપવામાં આવે છે, જે તેમની વિશાળ વિદ્વત્તાના સમર્થ પુરાવા રૂ૫ છે. તેમની કૃતિઓ ને અભ્યાસ--લેખે બતાવે છે કે વિવાવ્યાસંગ એમના સ્વભાવને ખાસ ગુણ છે.
કેટલાક અભ્યાસ 1. Judicial Administration in Ancient India'. 2. Law of Evidence in Ancient India.
Page #280
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫. ૧૦
3. Madhusūdana Saraswati : His life and works. 8. Date and Place of origin of the Yoga-Vasstiba. 4. Nāgara Apabbrams'a and Nāgari Script.' $. Influence of the Vedant Philosophy on Gujarati Literature. 4. Practical side of the Advaita Doctrine. <. Problem of Freedom in Indian Philosophy. 4. Further Light on the Date of the Yogavāsistha. 10. Lankavatārasūtra on Non-vegetarian Diet. 11. Text of the Laghu Yogavāsistha. 27. Aspars'a Yoga of Gaudapáda & S'ackar's $114816. 13. Three Gujarati Legal Documents of the Mogul Period. 18. Source of Legal obligation (Hindu Law ). 14. Origin of the Bhagavata :&: Jaipa Religions. 14. Analytical and Applied Psychology. 10. Pre-Historic Aryan settlements on the soil of Gujarat. વગેરે વગેરે,
BH24121–2414212 1. 4244 As’_HIE, 'siyel' - DIST1047 1284.
( 81. bila salle deg 24qite).
Page #281
--------------------------------------------------------------------------
________________
પ્રેમશંકર હરિલાલ ભટ્ટ શ્રી. પ્રેમશંકર ભટ્ટને જન્મ સંવત ૧૯૭૧ના ભાદરવા સુદ એકમે સૌરાષ્ટ્રના પ્રાંગધ્રા રાજ્યમાં આવેલા તેમના વતન રાજસીતાપુર ગામમાં ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં થયેલો. તેમના પિતાનું નામ હરિલાલ મોતીરામ ભટ્ટ અને માતાનું નામ ગોદાવરીબહેન. ઇ. સ. ૧૯૩૮માં શ્રી. સવિતાગૌરી સાથે તેમનું લગ્ન થયેલું છે.
તેમણે પ્રાથમિક કેળવણી ધ્રાંગધ્રા રાજ્યની જુદી જુદી ગામઠી શાળાઓમાં અને માધ્યમિક ધ્રાંગધ્રાની સર અજીતસિંહજી હાઈસ્કૂલમાં લીધી હતી. ઇ. સ. ૧૯૩૮માં મુખ્ય વિષય ગુજરાતી લઈને ભાવનગરની શામળદાસ કોલેજમાંથી તેઓ બીજા વર્ગમાં બી. એ. પાસ થયા અને તે વિષયમાં પ્રથમ આવવા બદલ ભાવનગર સાહિત્ય સંમેલન તરફથી તેમને ચંદ્રક મળ્યો હતો. એ જ કૉલેજમાંથી તેઓ ઈ. સ. ૧૯૪૦માં એમ. એ. પણ બીજા વર્ગમાં પાસ થયેલા અને મુખ્ય વિષય ગુજરાતીમાં પ્રથમ વર્ગના ગુણ મેળવેલા.
એમ. એ. થયા પછી એક વર્ષ તેમણે મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં અધ્યાપક તરીકે, પાંચ વર્ષ બર્મા શેલ કંપનીમાં પ્રકાશનઅધિકારી તરીકે અને કેટલાક સમય ખાલસા કૉલેજમાં ગુજરાતીના, અધ્યાપક તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ મુંબઈમાં સિદ્ધાર્થ કોલેજની
સ્થાપના થઈ ત્યારથી તેઓ તે કોલેજમાં ગુજરાતીના મુખ્ય અધ્યાપકનું કાર્ય કરી રહ્યા છે.
કિશોર વયમાં તેમના મિત્ર શ્રી. લાભશંકર શુકલ સાથે હાથે ચડયું તે તમામ સાહિત્ય તેમણે વાંચી કાઢેલું. મેટ્રિક થયા પછી શામળદાસ કોલેજના ગુજરાતીના અધ્યાપક શ્રી. રવિશંકર જોષીએ તેમના વાચનને વ્યવસ્થિત કર્યું અને લેખનકાર્ય માટે તેમને પ્રોત્સાહન આપીને સાહિત્યસેવાની લગની લગાડી. એ સાહિત્યપ્રીતિ અને નિષ્ઠાને વશ થઈને જ આર્થિક દૃષ્ટિએ સારી ગણાય તેવી બર્મા શેલ કંપનીની નોકરી છોડી દઈને અધ્યાપનનું કાર્ય તેમણે સ્વીકાર્યું છે.
કૅલેજની કારકિદી દરમિયાન કાવ્યરચના અને વિવેચનકાર્યમાં તેમને છે. જોષીનું ઉત્તમ માર્ગદર્શન સાંપડયું હોવાથી કવિ અને વિવેચક તરીકે
Page #282
--------------------------------------------------------------------------
________________
૫૮ .
ગ્રંથ અને ગ્રંથકાર ૫. ૨૦ તેમણે પ્રગતિ કરેલી છે. કવિ તરીકે હૃદયની સંવેદનાઓને મધુર વાણીમાં વ્યક્ત કરવાની કુશળતા તેમણે સિદ્ધ કરી બતાવી છે. કલ્પનાતરંગે, ભાષાની કુમાશ, અને ગેય ઢાળ તરફ તેમનું વલણ વધુ છે. તેમનાં વિવેચને મનહર ભાષામાં, શિલીને રંગીન બનાવવાની સતત કાળજી રાખીને લખાયેલા કર્તા કે કૃતિ પરના અભ્યાસ–લેખે છે.
કૃતિઓ કુતિનું નામ પ્રકાર પ્રકાશન પ્રકાશક મૌલિક છે "
સંપાદન ૧. ચયનિકા કાવ્યસંગ્રહ ૧૯૪૨ કવિતા કાર્યાલય, મુંબઈ સંપાદન ૨. ધરિત્રી , ૧૯૪૩ સી. શાંતિલાલ એન્ડ કુ. મૌલિક
મુંબઈ ૩. મધુપર્ક વિવેચનસંગ્રહ ૧૯૪૭ ૪. જીવતરની નવલકથા ૧૯૪૮
»
સાલ
અભ્યાસ-સામગ્રી ધરિત્રી – 'મિ માર્ચ ૧૯૩૪. ' મણુપ–સંસ્કૃતિ’ વર્ષ-૨, , ; એપ્રિલ, ૧૯૪૮,
Page #283
--------------------------------------------------------------------------
________________
ફિરોઝ કાવસજી દાવર
શાંતપણે વર્ષોથી અંગ્રેજીના અધ્યાપકનું કા બજાવતા પ્રા. હાવરા જન્મ ઈ. સ. ૧૮૯૨માં અહમદનગરમાં પારસી જથાશ્તી કામમાં થયેલા. તેમનુ મૂળ વતન તે સુરત પણ લગભગ આખુ જીવન તેમણે અમદાવાદમાં પસાર કયું છે. તેમના પિતાનું નામ કાવસજી ડાસાભાઈ દાવર અને માતાનું નામ દીનખાઈ. ઈ. સ. ૧૯૩૩માં તેમણે શ્રી. સુનાબાઇ સાથે લગ્ન કરેલું છે.
અધ્યયન જેમનું આજીવન ધ્યેય રહ્યું છે તેવા આ વિદ્વાન અધ્યાપકનું વિદ્યાર્થી જીવન તેજસ્વી હતું. ગુજરાત કોલેજમાંથી ઈ. સ. ૧૯૧૨માં તેમણે બી.એ.ની પરીક્ષા બીજા વર્ગામાં પસાર કરી અને કૉલેજમાં પ્રથમ નંબરે આવતાં તે તેના દક્ષિણા લેા નિમાયા, એમ. એ. પણ તે જ કૉલેજમાંથી ઈ સ. ૧૯૧૩માં ખીન્ન વર્ગોમાં પસાર કરી. મુખ્ય વિષય અંગ્રેજીમાં આખી યુનિવર્સિટીમાં સૌથી વધુ ગુણ મેળવ્યા હાઇ સર લૉરેન્સ જેન્કીન્સ શિષ્યવૃત્તિના ખરા અધિકારી તે હતા પણ તે માટે અરજી ન કરતાં તે શિષ્યવૃત્તિ તેમને મળી નહિ. ગેમ, એ સુધીની તમામ પરીક્ષામાં ફારસીમાં પણ પ્રથમ વના ગુણ તેમણે મેળવેલા. ત્યારબાદ ઇ. સ. ૧૯૧૬માં તેમણે એલએલ, ખીની પરીક્ષા મુબઈની સરકારી લો કોલેજમાંથી બીજા વર્ગમાં પસાર કરી હતી અને એમ. એમ. અનાજી પારિતોષિક મેળવ્યું હતું.
અધ્યયન ને અધ્યાપનની પ્રવૃત્તિમાં ખૂબ રસ હાવાથી વિદ્યાથી તરીકેની કારકિદી સમાપ્ત કરી કે તરત જ ઈ. સ. ૧૯૧૬-૧૮માં અમદાવાદની નેટિવ ઇન્સ્ટિટ્યૂશન નામની શાળાના હેડમાસ્તર તરીકે તેઓ નિયુક્ત થયા. ત્યારબાદ ઇ. સ.૧૯૧૮થી’ર૦ સુધી પૂનાની ડેકકન કૅૉલેજમાં, અને ઇ. સ. ૧૯૨૦થી’૪૭ સુધી સતત . અમદાવાદની ગુજરાત કૉલેજમાં તેમણે અંગ્રેજી ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકે પ્રશસ્ત કાં કર્યું`. ઈ. સ.૧૯૪૭માં સરકારી નેકરીમાંથી નિવૃત્ત થતાં તેએ અમદાવાદની શેડ લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૅલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાઇને આજે પણ પેાતાનું ઇષ્ટ શિક્ષણકાર્ય નિષ્ઠાપૂર્ણાંક બજાવી રહ્યા છે.
એમના જીવનને ધડનારી પ્રેરક વ્યક્તિએ મિસિસ એની બીસેન્ટ અને સ્વામી વિવેકાનંદ જેવી ધાર્મિક વિભૂતિ છે. વિદ્યાથીકાળ દરમ્યાન
-
Page #284
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦
એમની જ્ઞાનપિપાસા એટલી તે જાગ્રત હતી કે તે કાળ પૂરો થતાં તેમને બુદ્ધિકોષ વિરલ ખંત અને નિષ્ઠાથી કરેલા વિવિધ વિષયોના વાચનમનનથી સમૃદ્ધ બને.
થિયોસોફી અને ગીતાના પરિશીલને તેમના જીવન-ઉદ્દેશને ઘડો છે. તેમને જીવન- ઉદ્દેશ અધ્યાપન દ્વારા ઉચ્ચ વિચારો રજૂ કરી સંસ્કાર, સંયમ, ચારિત્ર અને જ્ઞાનને વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં ફેલા કરવાનો છે. સાહિત્યને હેતુ માત્ર જીવન-ઉલાસ નથી પરંતુ જીવન-ઉત્કર્ષ પણ છે, એ એમની માન્યતા છે. વિદ્યાર્થીઓને પરીક્ષા પસાર કરવામાં મદદ કરવી તેના કરતાં તેમને ઉચ્ચ જીવન જીવતાં શીખવાડવું એ વધુ ઇષ્ટ છે; જ્ઞાન આપવું છતાં વિદ્યાથીઓનાં વૃત્તિ વલણ ને ચારિત્ર પ્રત્યે દુર્લક્ષ સેવવું એ તેમની કુસેવા કરવા બરાબર છે; પ્રભુ અને ધર્મમાં ઊંડી શ્રદ્ધા રાખ્યા વિના નીતિન પાયો દઢ રહેતો નથી; નીતિ અને ચારિત્ર વિનાના વિદ્વાને તેલ વિનાના દીવા જેવા છે. આ અને આવા સિદ્ધાંતો દ્વારા ફલિત થતે અધ્યાપનનો આદર્શ અમલમાં મૂકવાના તેમણે જીવનભર સમર્થ પ્રયત્ન કર્યા છે.
યુવાનીમાં શેકસપિયર, મેકોલે અને ટેનિસને અને ત્યારબાદ અદ્યાપિ પર્યત એમર્સન, ડૉ. રાધાકૃષ્ણન અને આચાર્ય ધ્રુવે તેમના પ્રિય લેખકેનું સ્થાન લીધું છે. ડો. રાધાકૃષ્ણનની પ્રતિભા અને શૈલીના ચમકારે, એમર્સનની વિચારગહનતાએ અને આચાર્ય ધ્રુવની તુલનાત્મક અભ્યાસ અને શાંત માધુર્યયુક્ત વિદ્વત્તાએ એમના માનસ પર સચોટ છાપ પાડી છે. કિશોરાવસ્થામાં “અરેબિયન નાઈટ્સ', “ગુલીવર્સ ટ્રાવેલ્સ', “ડેન કવીટ' જેવાં પુસ્તકે-તે પછીના કાળમાં ફિરદૌસીનું “શાહનામે' અને ટેનિસનનાં કાવ્ય તેમને પ્રિય બન્યાં છે. ટેનિસનનું “ઈન મેમેરિયમ' તેમનું માનીતું પુસ્તક છે. એમાંની ઊંડી ધાર્મિકતા અને સુંદર શલી પ્રત્યે તેમને ખૂબ પક્ષપાત છે. એમના પ્રિય સાહિત્યપ્રકારો ઇતિહાસ, જીવનચરિત્ર અને આત્મચરિત્ર છે. પ્રજાઓ અને મહાપુરુષોએ કઈ રીતે મુસીબતને સામનો કર્યો અને મહત્તા પ્રાપ્ત કરી તેના અભ્યાસમાં તેમને ઊંડે રસ છે. ઈરાનને ઈતિહાસ, તેને પ્રાચીન ધર્મ, ફિલસૂફી, સંસ્કૃતિને અભ્યાસ, તુલનાત્મક ધર્માભ્યાસ અને રહસ્યવાદ તરફ તેમને સ્વાભાવિક આકર્ષણ છે.
તેમણે લેખનપ્રવૃત્તિની શરૂઆત ઈ. સ. ૧૯૨૫માં “સાંજ વર્તમાન'ના પતેતી ખાસ અંકમાં લેખ આપીને કરી. ત્યારથી દર વર્ષે એ પત્રના
Page #285
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-થાપિતાવલિ પતેતી અંકમાં તેઓ નિયમિત લેખ આપ્યા કરતા હતા. તેમનું પ્રથમ પુસ્તક-“આર્ટ એન્ડ મોરેલીટી એન્ડ અધર એસેઝ'-અંગ્રેજી ભાષામાં ઈ. સ. ૧૯૩૫માં પ્રગટ થયું. એમનું લેખક થવાનું મુખ્ય કારણ આનંદપ્રાપ્તિ ઉપરાંત સ્વવિચારેને વ્યક્ત કરી યથાશક્તિ વિચારસાહિત્યમાં ફાળો આપ અને તે દ્વારા સમાજને વિચારતો કર એ છે. તેઓ અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા 'ને અને “ગુજરાત વિદ્યાસભા ના આજીવન સભ્ય છે.
તેમનાં પુસ્તકો મુખ્યત્વે ધર્મ, તત્વચિંતન અને જરથોસ્તી સંસ્કૃતિ ઉપરનાં છે. ચિંતન અને બેધના ઉચ્ચ સાહિત્યમાં તેમણે અમૂલ્ય ફાળે આપ્યો છે. સ્વસ્થ, શાંત છતાં ય પ્રેરક વિચારણા અને અંતરને ઉજજવલ પ્રકાશ આપણને તેમના નિબંધોમાંથી મળે છે. તાજેતરમાં ગુજરાત વિદ્યાસભા તરફથી પ્રગટ થયેલ “મોત પર મનન ' નામનો તેમને મૌલિક ચિંતન અને વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ આના સમર્થ પુરાવારૂપ છે. પ્રો. દાવરને આ ગ્રંથ ગુજરાતી ભાષાના મૃત્યુવિષયક સાહિત્યને સમૃદ્ધ કરે તેવો છે. આ એક જ ગ્રંથ ગુજરાતી સાહિત્યમાં તેમને સ્થાન અપાવવા બસ છે.
કૃતિઓ કૃતિનું નામ પ્રકાર રચના સાલ પ્રકાશન પ્રકાશક મોલિક, કે
સલ
સંપાદન ? ૧. Art & અભ્યાસલેખ ૧૯૨૮ થી ૧૯૩૫ ડી. બી. તાપોર- મૌલિક Morality ૧૯૩૫
વાલા એન્ડ સન્સ મુ બઈ & otber Essays ૨. જરથોસ્તી નિબંધ ૧૯૪૩ ૧૯૪૩ “બઝમે-જરને રૂઝે સંપાદન અને બહાઈ ધર્મો
બહેરામ’ અમદાવાદ : ઉપર પ્રકાશ પાડતા
લેખ ૩. મેત પર પ્રબંધ ૧૯૪૪ ૧૯૪૭ ગુજરાત વિદ્યાસભા મૌલિક
મનન
અમદાવાદ
અભ્યાસ-સામગ્રી મેત પર મનન' માટે-૧. ઈ. સ. ૧૯૪૭નું ગ્રંથસ્થ વામય.
૧. “પ્રજાબંધુ'નું અવલોકન. ૩. 'રેખા' એપ્રિલ, ૧૯૪૮.
Page #286
--------------------------------------------------------------------------
________________
માંલાભાઇ વીરચંદ દેસાઇ
‘જયભિખ્ખુ’ના તખલ્લુસથી વાર્તા લખતા શ્રી. બાલાભાઈ દેસાઈ ના જન્મ સૌરાષ્ટ્રમાં આવેલા જસદણ તાલુકાના વીંછિયા ગામમાં વિ. સં. ૧૯૬૪ના જેડ વદી ૧૩ તે દિવસે વીશા શ્રીમાળી જૈન જ્ઞાતિમાં થયેલા. તેમના પિતાનું નામ વીરચંદ હેમચંદ દેસાઈ અને માતાનું નામ પાĆતીબહેન. તેમનું મૂળ વતન સાયલા. તેમનાં લગ્ન શ્રી, જયાબહેન સાથે ઈ.સ. ૧૯૩૦માં થયેલાં છે.
પ્રાથમિક શિક્ષણ ઉત્તર ગુજરાતમાં આવેલા વીજાપુર ગામમાં લઇ તેમણે ત્રણ અગ્રેજી સુધીને! અભ્યાસ અમદાવાદમાં શેઠ લલ્લુભાઈ રાયજીની ઍડિંગમાં રહીને કર્યા. ત્યારબાદ મુંબઇ જઇ શ્રી. વીરતત્ત્વ પ્રકારાક મડળ નામની જૈન સંસ્થામાં અંગ્રેજી તેમજ સ ંસ્કૃત સાહિત્યના તેમણે અભ્યાસ કર્યા. ત્યાંથી કાશી અને આગ્રામાં કેટલાક વખત રહ્યા બાદ તેમણે ગ્વાલિયરમાં આવેલા શિવપુરીના ગુરુકુળમાં સંસ્કૃત ન્યાયશાસ્ત્ર અને જૈન આગમાના અભ્યાસ કર્યાં અને કલકત્તા સંસ્કૃત એસસીએશનની ઉપાધિ ‘ન્યાયતી' અને ગુરુ કુળની ઉપાધિ ‘ત ભૂષણ’ તેમણે પ્રાપ્ત કરી. આ વખતે દર્શનશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રને પણ તેમણે ઊંડા અભ્યાસ કર્યાં. હાલ તે અમદાવાદના શારદા મુદ્રણાલયનું સંચાલન કરે છે
• ગ્વાલિયરના ગુરુકુળનું વાતાવરણ, ત્યાં પ્રાપ્ત કરેલ. જૈન ધર્મના ઉપદેશક તરીકેના શિક્ષણાનુભવ, યુરોપીય વિદ્વાન ડૉ. ક્રાઉઝ સાથેને સપ અને અંગ્રેજી, બંગાળી, મરાઠી, ઉર્દૂ અને સંસ્કૃત સાહિત્ય પરિથય તેમના વ્યક્તિત્વને ઘડનારાં પ્રેરક મળે છે. એ ઉપરાંત તેમના વ્યક્તિત્વ ઉપર સ્વ. શૈવ નરામે તેમની કૃતિ ‘સરસ્વતીચંદ્ર' દ્વારા સારી અસર કરી છે. તેમને ગ્રંથકાર તરીકે બહાર લાવવાનો યશ ‘રવિવાર’ સાપ્તાહિકને ફાળે
જાય છે.
પ...તુના ધંધો નહિ રુચવાથી અને અંતરની આકસ્મિક પ્રેરણાથી પાતાનાં મંતવ્યોને રજૂ કરવાના સુંદર વાહન તરીકે લેખન ઇષ્ટપ્રવૃત્તિ હાવાથી તે પ્રવૃત્તિને તેમણે બધા તરીકે અપનાવી છે.
તેમના લેખનનો મુખ્ય આશય સાંપ્રદાયિક તત્ત્વાને વિશાળ માનવતામાં લઇ જઈને ચવાને હાય છે; તેમણે વિક્રમાદિત્ય હૈમૂ'માં મુસ્લિમ ધર્મ, ‘પ્રેમભક્ત કવિ જયદેવ'માં વૈષ્ણવ ધર્મ, ‘ઋષભદેવ' માં માનવધર્મ
Page #287
--------------------------------------------------------------------------
________________
થા-ચરિતાવલિ અને “કામવિજેતા સ્થૂલિભદ્ર જૈનધર્મ અંગેની ચર્ચાઓમાં આ હેતુને તેમણે સુંદર રીતે ચરિતાર્થ કરી બતાવ્યો છે.
જીવનમાં મળેલ વિશિષ્ટ ખાસિયતવાળાં માનવને સાહિત્યમાં સાકાર કરવાનું તેમને બહુ ગમે છે. જીવનમાં એમને થયેલ નેકી, વફાદારી અને પારદર્શક સહૃદયતાના અનુભવને ચીતરતાં તેમનું સર્જક માનસ સળે કળાએ ખીલી ઊઠે છે. જુવાનને મસ્ત જીવનરસ પાય અને કિશોરોને સાહસિક પરાક્રમો કરવા પ્રેરે તેવી સત્ત્વપૂર્ણ વાર્તાઓ રચીને પ્રેરક નવલકથાકાર તરીકેનું કર્તવ્ય તેમણે પ્રશસ્ય રીતે બજાવ્યું છે.
કૃતિઓ કૃતિનું નામ પ્રકાર પ્રકાશન-- પ્રકાશક મૌલિ સંપાદન
સાલ
કે અનુવાદ? ૧. વિદ્યાર્થી વાચન- બાલ- ૧૯૩૩ થી ૧૯૩૯ ધીરજલાલ ટે. ૭૦ પુસ્તિકાઓ માળા-૨૦૦ સાહિત્ય
શાહ, વડોદરા મૌલિક પુસ્તિકાઓ
બાકીનીનું સંપાદન ૨. ભાગ્યવિધાતા નવલકથા ૧૯૩૬ “રવિવાર કાર્યાલય મૌલિક
મુંબઇ . . . . ૩. મી. ચારિત્રવિજય ચરિત્ર ૧૯૩૬ ચરિત્ર મારક ગ્રંથમાળા ,
વિરમગામ ૪. કામવિજેતા નવલકથા ૧૯૪૨ - સારાભાઈ નવાબ યૂલિભદ્ર બી.આ. ૧૯૪૭
અમદાવાદ ૫ મહર્ષિ મેતારજ
૧૯૪૨
બી.આ. ૧૯૪૭ ૬. ભગવાન રાષભદેવ
૧૯૪૭ 'યશોવિજય જેના
ગ્રંથમાળા, અમદાવાદ ૭. પ્રમભક્ત કવિ નવલકથા ૧૯૪૭ ગુર્જર ગ્રંથરત્ન કા. જયદેવ
અમદાવાદ ૮. ઉપવન નવલિકાઓ ૧૯૪૪ ગુર્જર ગ્રંથરત્ન કા.
અમદાવાદ ૨. પારકા ઘરની લક્ષ્મી , ૧૯૪૬ , , ૧, બેઠે બળ
બી.આ. ૧૯૪૬
૧૯૮
Page #288
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫, ૧૦ ૧૫. મગધરાજ નવલકથા ૧૯૭૮ ગુર્જર ગ્રં. ૨. કા, મૌલિક બી. આ. ૧૯૪૪
અમદાવાદ ૧૨. ઝાંસીની રાણી ચરિત્ર ૧૯૪૬ ૧૩. કસ્તુરબા , ૧૯૪૬ ૧૪. વીરધર્મની વાત જૈન કથાઓ ૧૯૪૭-૧૯૪૯ ૧૫. ભાગ ૧-૨ ૧૬. જવાંમર્દ સાહસ કથા ૧૯૩૯
બી.આ. ૧૯૪૬ ૧૭. એક કદમ આગે ,,
૧૯૪૬ ૧૮. હિંમતે મર્દા , ૧૯૪૮ ૧૯. ગઈ કરી , ૧૯૪૯ ૨૦. વિક્રમાદિત્ય હેમ નવલકથા ૧૯૪૮ :
બી.આ. ૧૯૪૮ ૨૧. ભાગ્યનિર્માણ . ૧૯૪૯ ૨૨. મત્સ્ય-ગલાગલ , ૧૯૫૦ ૨૩. માદરે વતન નવલિકાઓ , ૨૪ બુદ્ધિસાગર ચરિત્ર છે.
અભ્યાસ-સામગ્રી તેમની હરે કૃતિના અવકન માટે તે તે સાલનાં પ્રગટ થયેલાં ગુજત સાહિત્ય સભાનાં ગ્રંથસ્થ વાક્ય જેવાં.
Page #289
--------------------------------------------------------------------------
________________
મગનભાઈ
ભૂધરભાઇ પટેલ
<
પતીલ ' અને ઇલેસરી 'ને નામે મસ્ત શૈલીના કાવ્યો રચનાર શ્રી. મગનભાઈ પટેલના જન્મ ઈ. સ. ૧૯૦૬માં લેઉઆ પાટીદાર જ્ઞાતિમાં તેમના મૂળ વતન અ`કલેશ્વરમાં થયેલા. તેમના પિતાનું નામ ભૂધરભાઇ જયરામભાઇ અને માતાનું નામ ભૂરીબહેન. તેમનું લગ્ન માત્ર છ વર્ષોંની ઉમરે ઈ. સ. ૧૯૧૨માં શ્રી. ચંચળલક્ષ્મી વેરે થયેલું, પણ તેમને સ્વર્ગવાસ થતાં હાલ તે વિધુરાવસ્થા ગાળે છે.
•
પ્રાથમિક પાંચ ધારણા સુધીનું શિક્ષણ અંકલેશ્વરની મુખ્ય સ્કૂલમાં તેમણે લીધેલું. ઈ. સ. ૧૯૨૪માં ત્યાંની મ્યુનિસિપલ હાઈસ્કૂલ (હાલની છે. એન. જીનવાલા હાઇસ્કૂલ) માંથી તેઓ મેટ્રિક પાસ થયેલા. પછીથી તે આગળ અભ્યાસ કરી શકયા નહિ. ત્યારબાદ ઉદરનિર્વાહ અર્થે તેમણે નાકરી સ્વીકારી;—જે લેખનકા'માં અંતરાયરૂપ હોવાની તેમની સતત ફરિયાદ છે.
ઈ. સ. ૧૯૩૦માં પ્રે. રામનારાયણ વિ. પાડ઼ક સાથે તેમને પ્રથમ પરિચય થયેા. પ્રેા. પાઠક દ્વારા - પ્રેા. બળવંતરાય ઠાકાર વગેરે સાક્ષરોએ તેમની કવિતાઓને સત્કારીને ઉત્તેજન આપ્યું. ગુજરાતીમાં કવિતારચનાના પ્રયાગ તેમણે પ્રથમ તે અંગ્રેજીમાં અંગ્રેજી પદ્ધતિનાં કાવ્યો લખવાની રમત કરતાં કરતાં કરેલા; પણ જેમ જેમ તેમની કાવ્યમસ્તી ગુજરાતી ભાષામાં : ઊછળતી ચાલી અને માન્ય વિવેચકાએ તેમની કવિતાને આદર આપ્યા તેમ તેમ કાવ્યકલાની હથેાટી તેમને સિદ્ધ થતી ગઇ.
તેમના જીવનને મુખ્ય ઉદ્દેશ છે સંસારનાં ત્રિવિધ સુખાના અનુભવ કરવાનો. કાવ્યપ્રવૃત્તિ દ્વારા તે ઉદ્દેશને પાર પાડવાના અખતરા તેઓ કરી
રહ્યા છે.
તેમના પ્રિય કવિ ખાયરન છે. માયરનના જેવાં પરિતાપ પાતે પણ અનુભવતા હોવાથી તેની મસ્તી અને રંગીનતા તરફ પોતાને ખૂબ આકણુ હોવાનું તેઓ કહે છે. તેમને સૌથી પ્રિય ગ્રંથ છે ચાઈલ્ડહેરાલ્ડની યાત્રા'. એમને પ્રિય કાવ્યપ્રકાર ગઝલ છે—જો કે ખીજા કાવ્યપ્રકારાના પ્રયાગા પણ તેઓ કરે છે. તેમને મનગમતા લેખનવિષય પ્રેમ છે, કેમ એના નિરૂપણમાં યથાક્રમે જ્ઞાનનાં બધાં અગા મેછેવત્તે અંશે સમાઇ જાય છે એમ તેમનું દૃઢ મતવ્ય છે. દેશદેશની કવિતા માટે તેમને લિચશ્પી
ટ્
Page #290
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫. ૧૦ છે. જગતભરની કવિતાના અભ્યાસ દ્વારા વિવિધ પ્રયોગો કરી ગુજરાતી કવિતાને ઉન્નત બનાનવાના ઉત્કટ અભિલાષ તેઓ ધરાવી રહ્યા છે.
તેમણે સૌપ્રથમ “નર્મદાને નામનું કાવ્ય “પ્રસ્થાન'માં ઈ. સ. ૧૯૩૧ની સાલમાં પ્રગટ કર્યું હતું. ત્યારથી અવારનવાર ગુજરાતનાં ઘણું ખરાં સામયિકોમાં તેમનાં કાવ્ય પ્રગટ થતાં રહ્યાં છે અને જુવાન વાચક વર્ષના આકર્ષણનો વિષય બન્યાં છે. કેટલાક સમય તેમણે સુરતના દૈનિક પત્ર “ગુજરાતના સાહિત્યવિભાગનું સંપાદન કર્યું હતું. આ પત્રમાં “યશેબાલા', “સ્નેહનૈયા', “જયસેના’ અને ‘નીલપદ્મ' જેવાં તખલુસોથી હળવા લેખ, વિવેચને અને પ્રાસંગિક ટીકાઓ તેમણે લખેલાં.
છે. ઠાકરે “આપણી કવિતાસમૃદ્ધિની બીજી આવૃત્તિમાં અને નવીન કવિતા વિશે વ્યાખ્યાને–માં અદ્યતન કાવ્યપ્રકારો અને શિલીનું અવલોકન કરતાં શ્રી. પતલની કેટલીક કૃતિઓને દષ્ટાંત તરીકે લઈને તેની લાક્ષણિક્તાઓ બતાવી છે.
તેમની કવિતા અદ્યતન કવિતાપ્રવાહમાં નવી જ ભાત પાડે છે. ગઝલના ઢાળમાં તેમની રોમેન્ટિક પ્રકૃતિ નવા નવા આસમાની રંગે પકડી લાવે છે અને દિલની વેદનાઓ, ખુમારી, ફકીરી અને મહેબતના કડવા મીઠા જામ તેમની કવિતા બેપરવાઈથી ઢળતી રહે છે. તેમની કાવ્યભાવના ફારસી અને મધ્યકાલીન કવિતાને બુલંદ પડઘો પાડે છે.
* કૃતિઓ '. કૃતિનું નામ પ્રકાર રચના- પ્રકાશન– પ્રકાશક મૌલિક કે
અનુવાદ 1. પ્રભાતનર્મદા કા ઈ. ૧૯૩૧ થી ઈ. સ. ૧૯૪૦ પતે મૌલિક
- ૧૯૪૦ પ્રગટ થયેલાં કામ કરતાં ઘણી મોટી સંખ્યામાં અપ્રગટ કાવ્ય તેમની પાસે પડેલાં છે,
અભ્યાસ-સામગ્રી પ્રભાતનર્મદા' માટે–ઈ. સ. ૧૯૪૦નું ગ્રંથસ્થ વાલ્મય.
સાલ
સાલ
Page #291
--------------------------------------------------------------------------
________________
મગનલાલ લાલભાઈ દેસાઈ
કોલક'ના નામથી કાવ્યેાને પ્રવાહ વહાવતા આ કવિને જન્મ સુરત જિલ્લાના પારડી તાલુકાના સેાનવાડા ગામમાં અનાવિલ બ્રાહ્મણ જ્ઞાતિમાં ઈ. સ. ૧૯૧૪ના મે માસની ૩૦મી તારીખે થયેલા. તેમના પિતાનું નામ લાલભાઈ ભગવાનજી દેસાઈ અને માતાનું નામ તાપીબહેન. તેમનુ મૂળ વતન સુરત જિલ્લાનું ગામ ચૂકવાડા. તેમનું લગ્ન ઈ. સ. ૧૯૨૯ માં શ્રી. મણિબહેન સાથે થયેલું છે.
તેમના અભ્યાસ પ્રીવિયસ સુધીના છે. મેટ્રિકની પરીક્ષા તેમણે મુંબઈની બાઇ કખીબાઇ હાઇસ્કૂલમાંથી ઇ. સ. ૧૯૩૩માં પસાર કરી હતી. એ પરીક્ષામાં તેમની શાળાના ૭૦ વિદ્યાર્થીઓમાં તે પ્રથમ આવેલા. તેઓ હાલમાં વેન્ગા સ્ટુડીઝના જાહેરખબર વિભાગમાં કામ કરે છે અને કવિતા’ માસિકનું તંત્રીપદ સંભાળે છે. ' પહેલાં થેાડાક વખત માધુરી' નામનુ ત્રૈમાસિક પણ તેમણે ચલાવેલું.
તે મેટ્રિકમાં હતા ત્યારથી કવિતાઓ-ગીતા વગેરે રચતા., કવિ ખબરદારનાં કાવ્યાના વાચનમનને તેમ કવિશ્રીના નિકટ પરિચયે તેમની લેખનપ્રવૃત્તિને વિશેષતઃ ઉત્તેજી છે.
3
તેમનાં પ્રિય પુસ્તકામાં ટેનિસનનું ‘ ઇન મેમેરિયમ ’, કવિ ખબરદારનું દર્શનિકા ', એંનું · એલિજી રીટન ઇન એ કન્ટ્રી ચયાડ' કાલિદાસનું મેદૂત ' અને ગાંધીજીની આત્મકથા મુખ્ય છે. કાવ્યવાચન જીવનની વિષમતાને ઘડીભર ભુલાવી શકે છે એટલે કવિતા માટે પેાતાને પક્ષપાત છે એમ તે કહે છે. તેમના પ્રિય અભ્યાસવિષયેા આત્મકથા, ઇતિહાસ અને કાવ્યશાસ્ત્ર છે.
.
(
•
તેમનું પ્રથમ પુસ્તક પ્રિયા~~~આગમન નામે એક ખંડકાવ્ય, ઈ. સ. ૧૯૩૭માં પ્રગટ થયેલું. ઈ. સ. ૧૯૪૬માં રા. મ્ કમળાશંકર ત્રિવેદી વ્યાખ્યાનમાળાના ઉપક્રમથી સુરતમાં ‘કવિતા' ઉપર વ્યાખ્યાન આપવાનું વિશિષ્ટ માન તેમને મળ્યું હતું. તેઓ વિલેપાર્લેની સાહિત્ય સભા, મુંબઈ લેખકમિલન વગેરે સંસ્થાએની કા વહી સમિતિના સભ્ય છે.
<
તેમની કવિતામાં ભગ્નહૃદયના પ્રલાપ સંભળાય છે. કવિના ચિત્ત ઉપર ખબરદારની તરગલીલા અને ભાષાલાલિત્યના પ્રભાવ પડેલા છે. કવિના વિવિધ છઠ્ઠા પરના કાબૂ, પ્રશસ્ય છે.
Page #292
--------------------------------------------------------------------------
________________
સાલ
૧૯૭૭
પિતે
ગ્રંથ અને ગ્રંથકાર રૂ. ૧૦
• કૃતિઓ • • કૃતિનું નામ પ્રકાર પ્રકાશન
પ્રકાશક મૌલિક કે
અનુવાદ? ૧. પ્રિયા-આગમન ખંડકાવ્ય
સી. જમનાદાસ મૌલિક
એન્ડ કું. મુંબઈ ૨. સાધ્યગીત કાવ્યો ૧૯૩૮ ૩. સ્વાતિ , ૪. પ્રેમ-ધનુષ્ય સળંગ કાવ્ય ૧૯૪૨
- અભ્યાસ-સામગ્રી તેમના જીવન તેમજ સાહિત્ય માટે–૧. “ચયનિકા ને ઉપદઘાત.
૨. સાચગીની પ્રસ્તાવના. સાધ્યગી” માટે– ઊર્મિ, માર્ચ ૧૯૩૯. પ્રેમ ધનુષ્ય માટે–મિ એપ્રિલ ૧૯ ૫. આ ઉપરાંત ગુજરાત સાહિત્યસભાનાં વામ.
Page #293
--------------------------------------------------------------------------
________________
મનસુખલાલ મગનલાલ ઝવેરી
કાવ્યો, વિવેચનલેખ અને અધ્યાપનકાર્યથી ગુજરાતમાં જાણીતા થયેલા શ્રી. મનસુખલાલનો જન્મ ઈ. સ. ૧૯૦૭ના ઓકટોબર માસની ત્રીજી તારીખે જામનગરમાં થયેલા. તેમના પિતાનું નામ મગનલાલ ઝવેરી અને માતાનું નામ જડાવબહેન. તેમની જ્ઞાતિ નાગોરી વણિકની. ઈ. સ. ૧૯ર૭માં શ્રી. હસમુખગૌરી સાથે તેમનું લગ્ન થયેલું છે.
જામનગરની તાલુકા હાઈસ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ લઈ ત્યાંની વિભાજી ઇંગ્લિશ સ્કૂલ અને નવાનગરની હાઈસ્કૂલમાં તેમણે માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. ૧૯૩૧ માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી ભાવનગરની શામળદાસ કેલેજમાં તેમણે ઉચ્ચ અભ્યાસ કર્યો. ત્યાંથી ૧૯૩૫માં ગુજરાતી અને સંસ્કૃત અંચ્છિક વિષય લઈને બી. એ.માં પ્રથમ વર્ગમાં પસાર થવાથી તેમને પીતાંબરદાસ પારિતોષિક, તથા લોર્ડ નોર્થકેટ, ગૌરીશંકર અને ભાવનગર સાહિત્ય પરિષદના ચંદ્રક એનાયત થયા તેમજ બે વર્ષ માટેની કેલેજની ફલેશિપ પણ પ્રાપ્ત થઈ ત્યારબાદ ઈ. સ. ૧૯૩૭માં એમ. એ.માં ગુજરાતી મુખ્ય વિષય લઈને તેઓ બીજા વર્ગમાં ઉત્તીર્ણ થયા. પછીથી થોડાંક વર્ષો મુંબઈની રૂઈઆ કોલેજમાં અને રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કરીને હાલ તેઓ મુંબઈની સેન્ટ ઝેવીઅર્સ કોલેજમાં તે જ વિષયના અધ્યાપક તરીકે કામગીરી બજાવી રહ્યા છે.
તેમના જીવન ઉપર સૌથી વધુ પ્રબળ અસર પાડનાર તેમના મમતાળ અને બુદ્ધિશાળી દાદાજી શ્રી. હરજીવનદાસ રતનશી ઝવેરી અને તેમના ગુરુ શ્રી. રામેશ્વરદત્ત શર્મા–એ બે વ્યક્તિવિશેષો અને “શ્રીમદ્ ભગવદ્દગીતા” તથા “સરસ્વતીચંદ્ર' એ બે ગ્રંથમણિઓ છેઃ તેમના જીવનને ઉદ્દેશ તેમની કાવ્યભાવના દ્વારા તે કહી જાય છે. “સામાન્યના રાગ ને ઠેષ વચ્ચે રાખી . હૈયાપાંખડીને અડેલ, આત્મા કરી વર્ષથી સત્કલાને.” તેમનો પ્રિય લેખક મલિદાસ, માની ગ્રંથ “ભગવદ્દગીતા', મનગમતે સાહિત્યપ્રકાર કાવ્ય, અને પ્રિય અભ્યાસવિષય કલામીમાંસા છે.
હાઈસ્કૂલના છઠ્ઠા ધોરણ પછી છ વર્ષ લગી તેમણે અભ્યાસ તજી
Page #294
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦ દીધેલ હોવા છતાં તેમનું વલણ હમેશાં અભ્યાસશીલ રહ્યું હતું. બાર-તેર વર્ષના તેઓ હતા ત્યારથી છાને ખૂણે નાનાં મોટાં માસિકમાં ગદ્યપદ્ય લખાણે આપવાનું શરૂ કરેલું. તેમણે રચેલા પહેલા પદ્યની પંક્તિ કરી છે બેલ પર સવારી, અરે ભૂતનાથ ભિખારી!'-મહાદેવની સ્તુતિ માટેની હતી. પંદર વર્ષની ઉમરે જામનગરમાંથી પ્રગટતા “અંકુશ’ નામના સામયિકમાં વિવિધ લેખકનાં પુસ્તકમાંથી વીણેલા સુવિચારે સુજ્ઞાનમાળા” શીર્ષક હેઠળ તેઓ આપતા હતા. ત્યારબાદ “રંગરાગ’ નામના એક સાપ્તાહિકમાં કેટલીક વાર્તાઓ પણ તેમણે છપાવેલી હતી. એમનું પ્રથમ કાવ્ય “સતીને શાપ” “હિંદુસ્તાન પ્રજામિત્ર'ના. દીપોત્સવી અંકમાં પ્રગટ થયું હતું. આમ ઉત્તરોત્તર શિષ્ટ માસિકોમાં તેમને સ્થાન મળવા લાગ્યું, તેવામાં જ તેમના ગુરુ શ્રી. રામેશ્વરદત્ત શર્માએ સંસ્કૃત સાહિત્યને તેમને રસ ચખાડવાને પરિણામે તેઓ કાલિદાસ અને ભવભૂતિનાં કાવ્યનાટકોના રસિક અભ્યાસી બન્યા. આના ફળરૂપે તેમની પ્રથમ ગ્રંથાકારે છપાયેલી કૃતિ “રામસંહિતા'માં ધર્મગ્રંથ ને પુરાણોમાંથી વીણેલા
કેનાં શિષ્ટ ને પ્રવાહી ભાષાંતરે, “સમજ્ઞાન રાવત ને “શાપિત શકુંતલા 'ના નામે અનુવાદ અને “મેઘતૂતની અનુકૃતિ રૂપે “ચંદ્રદત ” નામનું કાવ્ય ગુજરાતી સાહિત્યને મળ્યાં. તેમનાં કાવ્યોની શુદ્ધિ તરફ તેમનું પ્રથમ વાર ધ્યાન દોરનાર શ્રી. રામનારાયણ વિ. પાઠક હતા. '
તેમની વિદ્વત્તા અને ક્લાપ્રિયતાથી હાલ તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત લેખક મિલન, મુંબઈ લેખક મિલન, P. H. N. ગુજરાતીના અધ્યાપકોને સંધ આદિ સંસ્થાઓ સાથે સક્રિય સભ્ય તરીકે સંકળાયેલા છે. તેમની મોટા ભાગની કૃતિઓના પ્રકાશક તેઓ જાતે જ બન્યા છે; કેમકે તેમની અગાઉની કૃતિ “શાપિત શકુંતલા' પ્રગટ કરતાં પ્રકાશાની વેપારી વૃત્તિને પિતાને કડવો અનુભવ થયો હતો એમ તેઓ
રંગીન અને વાસ્તવલક્ષી કરતાં વિશેષે કરીને શિષ્ટ અને ભાવનાપ્રધાન કાવ્યકતિઓને પ્રૌઢ અને પ્રાસાદિક સંસ્કૃત ભાષા-સાહિત્યના સંસ્કારવાળા સ્વસ્થ અને બાજુ ભાષા-શૈલીમાં નિરૂપીને શ્રી. મનસુખલાલે નવીન ગુજરાતી કવિસમુદાયની પ્રથમ પંક્તિમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમનાં વિવેચને રસિક અને કુશળ અભ્યાસના, લલિત અને સંમાજિત રેલીમાં લખાયેલા, કર્તા, કૃતિ કે વાદચર્ચા ઉપરના મનનીય અભ્યાસલેખે છે.
Page #295
--------------------------------------------------------------------------
________________
પ્રથા-ચરિતાલિ
કૃતિનું નામ
૧. રામસંહિતા પ્રકી` શ્લાક ૧૯૨૬
(પ્રથમ વિભાગ) સંગ્રહ
નાટક
૨. શાપિત
શકુંતલા
૮. દામસ્કન્ય
પ્રકાર
૩. ચંદ્રત
૪. અભિમન્યુ
..
૫. રામસ'હિતા પ્રકીર્ણ (દ્વિતીય વિભાગ) ૬ ફૂલદોલ
૭. મારાધના
(અ. ૧થી ૨૫)
ખડાવ્ય
èાસ ગ્રહ
કાગસ ગ્રહ
'9
કાવ્ય
૯. ઘેાડા વિવેચન- વિવેચન ગુખા
૫૦. ગુજરાતી ભાષાનું પાય
વ્યાકરણ અને પુસ્તક
લેખન
૧૧. અભિસાર
કાવ્ય
સંગ્રહ
રચના
સાક્ષ
૧૯૨૭
૧૯૨૯
૧૯૨૯
૧૯૨૬
?
?
?
?
?
૧૯૪૨
તિ
પ્રકાશન
સાલ
૧૯૨૬
૧૯૨૭
૧૯૨૯
૧૯૨૯
૧૯૨૯
૧૨૯૩૩
૧૯૩૯
પ્રકાશક મૌલિક સપાદન
કે અનુવાદ
તે
અનુવાદ
આર. આર. શેડની અનુવાદ
કંપની, મુંબઇ
તે
પેાતે
૧૯૪૭
".
આર. આર. શેઠની
કુાં. મુંબઈ
૧૯૪૨ ક્રિતાબધર, રાજકેટ
૧૯૪૪ પાતે
૧૯૪૬ વેરા એન્ડ કંપની,
મુંબઇ
પેાતે
અનુકૃતિ
મૌલિક
અનુવાદ
મૌલિક
સંપાદન
માલિક
32
અભ્યાસ-સામગ્રી
તેમના જીવન ને વન માટે‘નવચેતન’—મે ૧૯૪૫, ‘'વ્રત' માટે—તેના પ્રવેશક (શ્રી, રા. વિ. પાઠક).
‘ફૂલદોલ' માટે—૧. ‘કાવ્યની શક્રિત’ (શ્રી. રા. વિ. પા.) ૨. કૌમુટ્ટી' સપ્ટેમ્બર ૧૯૩૪, ૩, ૪. ૧૯૩૩નું ગ્રંથસ્થ વાઙમય,
‘આરાધના' માટે—૧. ‘ઊર્મિ’’, સપ્ટે. આકટા, ૧૯૪૦, ૨, 'રેખા' ઈ. સ. ૧૯૪૦, ૭. ́. સ. ૧૯૩૯ નું ગ્રંથસ્થ વાઙમય, ‘અભિસાર' માટે-૧. રેખા' મા ૧૯૪૮ ૨ ઈ. સ. ૧૯૪૭નું ગ્રંથસ્થ
હેમચં.
Page #296
--------------------------------------------------------------------------
________________
મનુભાઈ રાજારામ
પંચાળી
‘દર્શોક' તખલ્લુસથી સાહિત્યમાં સુપ્રસિદ્ધ રા. મનુભાઇના જન્મ વાંકાનેર તાલુકાના પંચાશીઆ ગામમાં સં. ૧૯૭૦ ના આસો વદી ૧૧ ના રાજ થએલા. તેમનુ મૂળ વતન વઢવાણુ. પિતાનુ નામ રાજારામ હરજીવનભાઈ અને માતાનું નામ શ્રી, મેાતીબાઇ, તેમનું લગ્ન ઇ. ૧૯૩૭ ના અરસામાં શ્રી. વિજયાબહેન પટેલ સાથે થયેલું છે.
તેમના શાળાના અભ્યાસ માત્ર અંગ્રેજી પાંચ ધારણ સુધીને છે. વાંકાનેર હાઈસ્કૂલમાં થાડુ ધણું શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ અનુભવની શાળા તેમની શિક્ષણસંસ્થા બની છે. હાલ સૌરાષ્ટ્રમાં આંબલા ગામમાં ગ્રામ દક્ષિણામૂર્તિ શાળામાં તે શિક્ષક છે.
તેમની જીવનભાવનાતે ગાંધીજી, સ્વામી આનંદ, નાનાભાઇ, રવિશ કર મહારાજ અને સ્વ. મેધાણી વગેરે સંસ્કારસેવકાઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘડી છે. વિકટર હ્યુગાની ‘ લા મિઝરેબ્લ’; ટૉલ્સટાયની · વૉર એન્ડ પીસ ' અને વૉટ શેલ વી ડુ ધેન'; રામે રાલાંની ‘જૈન ક્રિસ્ટોફ’; મુનશીની ‘ ગુજરાતના નાથ’; શરદબાબુની · સ્વામીનાથ ' અને ટાગોરની · ઘરે બાહિરે' ——નવલકથાઓએ તેમની વાર્તાકલા તેમજ જીવનદૃષ્ટિને સ`સ્કારી છે.
,
નાનપણથી લખવાનો શોખ હોવાથી લેખક થવાની હોંશ તેમને હતી. તેવામાં . ૧૯૩૦ ના સત્યાગ્રહના આંદોલનમાં પ્રત્યક્ષ ભાગ લેવાથી કેટલાક જીવન-અનુભવેા તેમને થયા. તે અરસામાં પ્રખર કેળવણીકાર શ્રી. નાનાભાઇના સમાગમમાં લેખક આવ્યા; ‘ધરે બાહિરે' ની નવલકથાનુ અનેકવાર મનન-પરિશીલન કર્યું; એ સર્વાંતે પરિણામે પોતે પણ અનુભવામાંથી વાર્તા આપવી એવા દૃઢ નિશ્ચય સાંથે તેમણે વાર્તાલેખનની પ્રવૃત્તિ આદરી.
તેમના જીવનના મુખ્ય ઉદ્દેશ . આત્માના ઉત્કષઈ અને જગતના સુખને માટે જીવવાના છે. એ ઉદ્દેશ સપૂર્ણ સિદ્ધ તા જીવાતા જીવન દ્વારા જ કરી શકાય; તે પણ લેખનપ્રવૃત્તિ એ પ્રકારના જીવનની અતૃપ્ત ઝંખનાના કૈફ રૂપે હાવાથી તેને પાતે ઉપાસી રહ્યા હાવાનું તેઓ કહે છે.
એમના પ્રિય સાહિત્યપ્રકારા નવલકથા, નાટક અને મહાકાવ્ય છે. તેમના પ્રિય અભ્યાસવિષયેા ઇતિહાસ ને ખેતીવાડી છે.
Page #297
--------------------------------------------------------------------------
________________
ધકાર-સરિતાતિ
·
તેમની પ્રથમ કૃતિ ‘જલિયાંવાલા ’ સારાષ્ટ્ર ' પ્રકાશન દ્વારા પ્રસિદ્ધ થયેલી; તેની બીજી આવૃત્તિ તાજેતરમાં પ્રગટ થઈ છે.
મુખ્યત્વે સત્યાગ્રહનાં આંદોલને અને ગ્રામસેવામાંથી તેમની નવલાની વિષયપસંદગી થએલી છે. ભાવનાશીલ યુવક-યુવતી દેશસેવાના કાર્યમાં શા ભોગ આપે છે અને કૈવી વૃત્તિએ સેવે છે તે બતાવી સજા'તા ઇતિહાસનું સુરેખ નિરૂપણ કરવાનો તેમના પ્રયત્ન છે.
કૃતિઓ
કૃતિનું નામ પ્રકાર
૧, જલિયાંવાલા નાટક
૨. ૧૮૫૭
૩. ખદીર
૪. ધન અને મુક્તિ
,,
નવલકથા
૧૦. ઇતિહાસ-કથા
ગ્રીસ
99
29
૫. કલ્યાણયાત્રા
૬. પ્રેમ અને પૂજા કા
૭. દીપનિર્વાણુ
૮. એ વિચારધારા
નિષધ
૯. ઇતિહાસ-કથાઓ કથા
રામ
99
૧૯૩૫
બી.આ. ૧૯૪૭
પ્રાશન
સાક્ષ
૧૯૩૫
બી.આ. ૧૯૪૭
99
૧૨૪૬
૧૯૩૯
૧૯૩૯
૧૯૪૪
૧૯૪૪
બી.આ. ૧૯૪૬
૧૯૪૫
૧૯૪૬
૧૯૪૭
પ્રકાશક
‘ફૂલછાખ’ રાણપુર ભારતી સા. સ.
અમદાવાદ
‘ફૂલછામ’ રાણપુર ભારતી સા. સ.
અમદાવાદ
99
91
આદર્શ પુસ્તક ભંડાર,
અમદાવાદ
ગ્રામ દક્ષિણામૂર્તિ,
આંખલા
19
99
103
અભ્યાસ—સામગ્રી
જલિયાંવાલા' માટે:-- કૌમુદી’ સપ્ટ, ૧૯૩૪ તેમની અન્ય કૃતિએ માટે:--તે તે સાલનાં ગ્રંથસ્થ વાડ્મયા
૧૦
મૌલિક સંપાદન
કે અનુવાદ ? મૌલિક
""
99
. . . .
..
Page #298
--------------------------------------------------------------------------
________________
માધવજી ભીમજીભાઈ મચ્છર શ્રી. માધવજીભાઈ મચ્છરનો જન્મ મોરબીમાં ઈ. ૧૮૯૦ ના સપ્ટેમ્બરની ૯ મી તારીખે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં થયેલું. તેમનું મૂળ વતન કચ્છ (ભૂજ). પિતાનું નામ ભીમજી ગોકળદાસ. માતાનું નામ હીરાબહેન. તેમનું લગ્ન ઈ. સ. ૧૯૧૩ માં શ્રી. નર્મદારી સાથે થયેલું છે. '
પ્રાથમિક કેળવણી કચછની અંજાર સ્ટેટ સ્કૂલમાં લીધા બાદ અંગ્રેજી બીજા ધોરણમાં તેમને સંજોગવશાત્ અમદાવાદ આવવાનું થયું અને અભ્યાસ તરફ રુચિ ન જણાતાં એક ડોકટરને ત્યાં કમ્પાઉન્ડરી અને થોડુંક અંગ્રેજી શીખવાની શરતે માસિક રૂ. ના પગારે તેઓ નોકર રહ્યા. પરંતુ ત્યાં કડવા અનુભવો થતાં ફરીને પિતાની ઇચ્છાથી ધી જે. એલ. ન્યૂ ઇંગ્લીશ સ્કૂલમાં તેમણે અભ્યાસ ચાલુ કર્યો. મેટ્રિકમાં હતા ત્યારે અમદાવાદની બી. જે. મેડીકલ સ્કૂલમાં મેડીકલ યુપીલ તરીકે મેટ્રિકના વિદ્યાર્થીઓમાંથી પસંદ કરવા પ્રાવેશિક પરીક્ષા થઈ. તેમાં તેઓ પ્રથમ નંબરે પાસ થવાથી રાજકેટની “વેસ્ટ હોસ્પીટલમાં માસિક રૂ. ૭ ના વેતનથી “યુપીલ' તરીકે તેમની નિમણુંક થઈ. કુટુંબની ગરીબાઈને લીધે કોલેજમાં તેઓ જઈ શકે એમ ન હતું. ત્યારબાદ સરકાર તરફથી રાજકોટની આફ્રેડ હાઈસ્કૂલમાં અંગ્રેજીના અભ્યાસની સગવડ તેમને કરી આપવામાં આવી હતી. બે વર્ષ બાદ અમદાવાદની મેડીકલ સ્કૂલમાં સરકાર તરફથી તેમને મોકલવામાં આવ્યા અને ઈ. ૧૯૧૨ માં ડૉકટરી પરીક્ષાઓ પસાર કરી તેઓ ત્યાં જ સબ એસિ. સર્જન તરીકે જોડાઈ ગયા. નવ વર્ષ સુધી આ કરી તેમણે બજાવી અને ઈ. ૧૯૨૧ માં અસહકારની ચળવળે અને સરકારી નોકરીમાં પ્રવર્તતી અંધેર રીતિ-નીતિએ તેમને રાષ્ટ્રપ્રેમનાં કાર્યો તરફ વાળ્યા. તેમણે સરકારી નોકરીનું રાજીનામું આપ્યું ત્યારથી અદ્યાપિ પર્યત તેઓ સ્વતંત્ર દવાખાનું ચલાવી રહ્યા છે. હાલ તેઓ દવાખાનું ચલાવવા ઉપરાંત અમદાવાદની ગુજરાત મહિલા પાઠશાળા' માં છવવિદા, ઇન્દ્રિયવિજ્ઞાન અને આરોગ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે પણ કામ કરે છે.
'હાઈસ્કૂલમાં ભણતા ત્યારે વિદ્યાર્થીમિત્રો સાથે મળીને “Friends' Literary Union' નામનું એક મંડળ તેમણે કાઢેલું. તેમાં તેમને સાંસ્કારિક પ્રકૃત્તિઓ ચલાવવાની સારી તાલીમ મળી હતી. એ અરસામાં
Page #299
--------------------------------------------------------------------------
________________
ચકાર-રિતાશ
નાટકા જોવાનો શાખ ખૂબ હોવાથી નાટક ઢાળનાં ગીતા લખવા તે પ્રેરાએલા, જે ‘સમાલેચક' વગેરે સામયિકાના દીપેત્સવી અંકામાં પ્રગટ થયા હતા. ઈ. ૧૯૨૧ થી ઇ. ૧૯૨૩ સુધી તેમની જ્ઞાતિનું મુખપત્ર ‘બ્રહ્મક્ષત્રિય શુભેચ્છક’ તેએ ચલાવતા. આમ તેમની લખવાની રાત તા વહેલી થઈ ચૂકેલી; પણ એ વૃત્તિને ખરું પ્રોત્સાહન તેા અધ્યાપનકાને અંગે વિવજ્ઞાન વિષયનું જે વિશેષ વાચનમનન તેમને કરવુ પડયું અને તેને અંગે વનેાંધા તૈયાર કરવી પડી, તેને લીધે મળ્યું. એથી તા ‘જીવવિજ્ઞાન' વિષય ઉપર તે એક શાસ્ત્રીય પુસ્તક આપી શકયા. ઈ. સ, ૧૯૨૨ થી’૩૫ સુધી નાટક જોવાવાંચવાના શોખ ખૂબ હોવાથી રીંગભૂમિ અને નાટકરચનાના અભ્યાસ તેમણે કરેલા અને પ્રસંગાપાત્ત એ વિષય ઉપર કેટલાક લેખા પણ લખેલા.
તેમના જીવનને ઘડનાર બળામાં મુખ્યત્વે ‘સરસ્વતીચંદ્ર' અને તેના - કર્યાં, ' Life Divine ' અને શ્રી. અરવિંદ, તેમના રસાળાજીવનમાં કસરત શિક્ષક તરીકે કામ કરતા ડૉ. હરિપ્રસાદ દેસાઇ અને એક શિક્ષક શ્રી. પ્રાણશંકર લલ્લુભાઈ દેસાઈ છે. ચેયઃસાધક અધિકારી વર્ગના લેખકાએ પણ તેમના ઉપર સારી અસર પાડી છે.
અમદાવાદની સાહિત્યપ્રવૃત્તિમાં ડૉ. મચ્છર વર્ષથી જીવતં રસ ધરાવે છે એટલું જ નહિ, પરંતુ સક્રિયપણે એમાં ભાગ પણ લેતા રહ્યા છે. ૪, ૧૯૨૨ થી ઈ. ૧૯૩૫ સુધી તેએ ગુજરાત સાહિત્ય સભાના માનામિત્રી હતા. અમદાવાદ મેડીકલ સેાસાયટીના માના`મત્રી તરીકે પણ તેમણે ઈ. ૧૯૨૧ થી ૪, ૧૯૩૨ સુધી કામ કર્યું. હતું.
કૃતિ
કૃતિનું નામ વિષય
"
‘જીવવિજ્ઞાન ’
વિજ્ઞાન
રચના-
સાક્ષ
૧૯૬૦
પ્રકાશન
સાલ
પ્રકારાક મૌલિક કે
અનુવાદ ?
૧૯૪૧ ગુજરાત વિદ્યાસભા, મૌલિક ૧૯૪૮ (દ્વિતીય આવૃત્તિ)
અમદાવાદ
અભ્યાસ-સામથી
‘જીવવિજ્ઞાન’ માટે: ૧, ગૂજરાત સાહિત્ય સભાની ઇ. ૧૯૪૧ની કાવહી, ૨. ‘પ્રકૃતિ’ ત્રૈમાસિક ચૈત્ર, ૧૯૯૯,
Page #300
--------------------------------------------------------------------------
________________
યશવંતરાય ગુલાબભાઈ નાયક
- શ્રી. નાયકને જન્મ તેમના મૂળ વતન સુરત જિલ્લાના ગામ ગામમાં
અનાવિલ જ્ઞાતિમાં તા. ૬-૭-૧૯૦૯ના રોજ થયેલ. તેમના પિતાનું નામ ગુલાબભાઈ ફકીરભાઈ નાયક અને માતાનું નામ જમનાબહેન છે. તેમનું લગ્ન ઈ. ૧૯૨૩ માં શ્રી. મણિબહેન સાથે થયેલું છે.
પ્રાથમિક અભ્યાસ સુરત જિલ્લાના ગામ, દાંડી અને નાગધરા ગામમાં કર્યા બાદ તેમણે માધ્યમિક કેળવણું અનુક્રમે વેગામ, મંદિર અને નવસારીમાં લીધી હતી. ત્યારબાદ ઈ. ૧૯૨૮ માં વડોદરા કૉલેજમાંથી બી. એસસી. ની પરીક્ષા પહેલા વર્ગમાં માનસહિત પસાર કરીને તેઓ યુનિવર્સિટીમાં બીજે નંબરે આવ્યા અને વડોદરા કોલેજના ફેલે નિમાયા. તે પછી ઈ. ૧૯૩૨ માં એમ. એસસી. અને ઈ. ૧૯૩૭ માં પીએચ. ડી. ની ઉપાધિઓ મુંબઈની રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં નોકરી કરતાં કરતાં તેમણે મેળવી હતી. હાલમાં તેઓ અમદાવાદની ગુજરાત કોલેજમાં ભૌતિકશાસ્ત્રના મુખ્ય અધ્યાપક તરીકે કામ કરે છે.
. તેમના જીવન ઉપર ઊંડી અસર કરનાર “રામાયણ”, “મહાભારત',
લા મિઝરાબ્લે, “વિકાર ઑફ વેકફિલ્ડ', રેઝર્સ એજ' વગેરે જગવિખ્યાત, ગ્રંથ છે. તેમને જીવન-ઉદેશ વિજ્ઞાનની સેવા કરવાને છે. તેમના પ્રિય લેખકે વિકટર હ્યુગો અને થોમસ હાર્ડી છે. તેમને પ્રિય લેખનવિષય ભૌતિકશાસ્ત્ર છે. વિજ્ઞાનની અનેક સંસ્થાઓ જેવી કે ગુજરાત પ્રકૃતિ મંડળ', ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસ', “તારક મંડળ, વગેરે સાથે તેઓ જોડાએલા છે. તેમને મનપસંદ સાહિત્યપ્રકાર નવલિકા છે.
શ્રી. પિોપટલાલ ગ. શાહ સાથેના ગાઢ પરિચયે વિજ્ઞાનનાં પુસ્તક લખવામાં તેમને પ્રોત્સાહન આપ્યું હતું. ઈ. ૧૯૩૯માં મળેલી વિજ્ઞાન પરિષદ પણ તેમની લેખનપ્રવૃત્તિનું ઉત્તેજક બળ બની હતી. તેમણે વિજ્ઞાનની શોધખોળના બાર-તેર જેટલા મૌલિક લેખો અંગ્રેજીમાં પ્રગટ કર્યા છે. પારિભાષિક શબ્દોની રચનામાં ફાર્બસ ગુજરાતી સભામાં તેમણે સક્રિય ફાળે આવ્યો છે. શાળાઓ અને કોલેજોમાં ઉપયોગી થાય તેવાં વિજ્ઞાનનાં ગુજરાતી પાઠ્ય પુસ્તકો પણ તેમણે રચ્યાં છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
થથકા-પિતાવહ
કતિનું નામ
વિષય
રચના- સાવ
૧. પૃથ્વીને ઇતિહાસ વિજ્ઞાન ૧૯૩૫
પાચન- પ્રકાશક મૌલિક સ
સંપાદન કે
અનુવાદ ? ૧૨૩૬
ફાર્બસ સભા મૌલિક
મુંબઈ - ૧૦૩૭ એજ્યુકેશનલ ઇ -
બુકસ કાં. મુંબઈ ૧૯૩૮ જનરલ બુક
ડીપો, મુંબઈ
૨. પદાર્થ વિજ્ઞાન વિજ્ઞાન ૧૯૩૧
અને રસાયણ ૩. સુષ્ટિવિજ્ઞાન
૧૯૩૭ ભા. ૧-૨-૩ ૪. સરળ મારોગ્ય
૧૯૩૮ વિજ્ઞાન ૫. બાળકનું વિજ્ઞાન બાલવિજ્ઞાન ૧૯૪૩
ભા. ૧ થી ૭
૧૯૨૮
૧૯૪૫
એજયુકેશનલ બુકસ કુ. તથા બબાભાઈ સે.શાહ મુંબઈ યુનિવર્સિટી ,
૧૯૪૨
૧૯૪૭
૧૯૩૯
૧૯૩૯
છે. પદાર્થ વિજ્ઞાન વિજ્ઞાન
અને રસાયણની
પરિભાષા ૭. Text book વિજ્ઞાન
of F. Y.
Sc. Physics. 6. Text book
of I. Sc. Physics
ysics.
Educational Publishing Co. Bombay Kbadyata Book Depot, Abmedabad
૯૪૩
૧૯૪૩
Page #302
--------------------------------------------------------------------------
________________
રતિલાલ નાનાભાઈ તન્ના
‘શારદાપ્રસાદ વર્મા'ને નામે નાટકા, વાર્તાઓ અને ચરિત્ર લખતા શ્રી. રતિલાલ તન્નાના જન્મ ઈ. ૧૯૦૧ ના સપ્ટેમ્બરની ૧૮ મી તારીખે તેમના મૂળ વતન સુરતમાં લહાણા જ્ઞાતિમાં થયેલો. તેમના પિતાનું નામ નાનાભાઈ માળીરામ અને માતાનું નામ મણિબહેન. પત્નીનું નામ શાન્તાગીરી.
સુરતની ચંદુ મહેતાની ગામઠી નિશાળ, મુંબઇની મ્યુનિસિપલ શાળા અને સુરતની મ્યુનિ. શાળા ન. ૬-એ ત્રણ નિશાળામાં થઈને માત્ર દોઢ વર્ષમાં તેમણે પ્રાથમિક અભ્યાસ પૂરો કર્યો હતો. પછી મુંબની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને સુરતની યુનિયન હાઇસ્કૂલમાં તેમણે માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ સુરતની એમ. ટી. બી. કૉલેજમાં એફ. વાય. ની પરીક્ષા પાસ કરી, પણ દસ વર્ષની વયે માતાનું અને તે પછી એ જ વર્ષમાં પિતાનું અવસાન થયેલું હાવાથી દુન્યવી જવાબદારીએ માથે આવી પડવાથી અભ્યાસમાં ચિત્ત કેન્દ્રિત ન થઈ શકયું. વળી તેવામાં જે અસહકારનાં માંદલને શરૂ થયેલાં, તેથી લેખકે અભ્યાસ છોડી સત્યાગ્રહમાં ઝુકાવવાની હાંશ કરી. પણ પોતે કાટ ઓફ વૉર્ડ્ઝના આશ્રયે હાવાથી હિલચાલમાં સક્રિય ભાગ ન લઈ શકયા, ને તેમની ઇચ્છા મુજબ વિદ્યાપીઠમાં પણ ન જડાઇ શકયા. પછી સાહિત્ય દ્વારા દેશસેવા કરવાની ભાવનાથી યુગાંતર કાર્યાલય’નામની પ્રકાશન સંસ્થા તેમણે સુરતમાં સ્થાપી. હાલ એ પ્રકાશન સંસ્થા ચલાવવા ઉપરાંત લેખનને વ્યવસાય પણ તેઓ કરી રહેલ છે.
શ્રી, તન્ના માધ્યમિક શાળામાં હતા ત્યારથી નાટકો અને સવા લખતા હતા, જે પ્રસંગેાપાંત્ત શાળાએમાં ભજવાતા પણ ખરા. ઇ. ૧૯૨૪ માં ગીતાની વ્યાખ્યા' નામના પુસ્તકમાં કેટલાક ઞીતા ઉપરના નિબંધાને અનુવાદ પ્રગટ કરીને તેઓ પ્રસિદ્ધિમાં આવ્યા.
તેમના જીવનના મુખ્ય ઉદ્દેશ સાહિત્ય દ્વારા માનવતાની સેવા અને સાધના કરવાના છે. તેમના જીવન તેમ જ સાહિત્ય ઉપર સ્વામી શ્રી. રામતીનાં અધ્યાત્મવિષયક પુસ્તકોએ અને ગાંધીજીએ શરૂ કરેલાં સાંસ્કારિક આંદોલનાએ ઊંડી અસર પાડી છે. એમના પ્રિય લેખકો શ્રી. અરવિંદ અને સ્વામી રામતીર્થ છે. એ યેગીએાનાં પુસ્તકા તેમજ
Page #303
--------------------------------------------------------------------------
________________
શથકા-પિતાવલિ ગીતાપનિષદના પરિશીલનમાંથી તેમને જીવનનાં સત્તા સાંપડયાં છે. તેમના મનગમતા લેખનપ્રકારે નાટક અને જીવનચરિત્ર છે. ઈતિહાસ અને તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરી તેમને ખૂબ ગમે છે.
- તેમનું ઘણુંખરું સર્જન ઉદેશલક્ષી હોય છે. કેઈક ભાવના કે વિચારને પિતાનાં નાટકોમાં કેન્દ્રવતી સ્થાને રાખીને તેઓ વસ્તુ, પાત્ર ને વાતાવરણની સંકલના કરે છે. શ્રી. બટુભાઈ ઉમરવાડિયાની સંવાદશૈલી અને નવીન વિચારેને તેજસ્વી રીતે ચમકાવવાની તેમની રીતિની અસર તેમનાં નાટકોમાં જણાય છે. એકંદરે તખ્તાલાયકી જાળવી રાખે તેવાં તેમનાં નાટકે છે. બાલસાહિત્યમાં પણ તેમની દષ્ટિ સંસ્કાર, કેળવણી અને સુધારણાની છે. તેમની બે નાટકો', “દુર્ગારામ મહેતાજી', “નવા યુગની સ્ત્રી' વગેરે કૃતિઓને જાણીતા વિદ્વાન લેખક રમણલાલ, ઉમરવાડિયા આદિની પ્રસ્તાવનાઓને લાભ મળ્યો છે. ફોરમ'ની અનેક લહરીઓમાં પથરાયેલા તેમના બાલસાહિત્યને શ્રી. જ્યોતીન્દ્ર દવે, સ્વ. ગિજુભાઈ અને સ્વ. મોતીભાઈ અમીનનાં પ્રોત્સાહક પુરોવચને પ્રાપ્ત થયાં છે.
તિએ કતિનું નામ બદાર રચના- પ્રકાશન- પ્રકાશક મૌલિક, સંપાદન સાલ સાલ
કે અનુવાદ૧. ગીતાની વ્યાખ્યા નિબંધ ૧૯૨૪ ૧૨૪ યુગાન્તર કાર્યાલય અનુવાદ
સુરત ૨. બે નાત ના ૧૯૨૮
મૌલિક ૧૯૨૯ ૧૯૩૦ . ૩. ફેમ લહરી બાલ- ૧૭૫ -
૧ થી ૧૨ સાહિત્ય ૧૩૬ ૧૯૪૬ ૪. નવા યુગની સ્ત્રો નાટક ૧૯૩૨
- ૧૯૩૪. ૫. વન વનની વેલ વાર્તાઓ ? ૧૯૩૯
ને એક નાટક ૧. મુસલિની ચરિત્ર ૭. કમાલ આતા તુર્ક , ૮. વર્તમાન યુગના , વિધાય
Page #304
--------------------------------------------------------------------------
________________
૧૯૪૩ ૧૯૪૦
છે અને બાકાર જ છે માતર કાર્યાલય મૌલિક
-
૯૪૪
",
અનુવાદ
૯. મંદિર પગથિયે નિબંધિએ ? ૧૦. રામ મહેતાજી નાટકે ?
અને બીજાં નાટક ૧. આયા અથવા નવલકથા ૧
એ શબ. ૧૧. પુરાણનાં પાત્ર બાલસાહિત્ય ૧. ઉપનિષદની વાત છે ? ૧૪. કથાનકે ,, ૧
મૌલિક
૧૯૪૪ ૧૯૪૪ ૧૯૪૮
સંપાદન
gવાદ
-
હવાસ-સામગ્રી -
. 'ફિરમ' બાલસાહિત્ય માટે –રવ. મોતીભાઈ અમીનના પત્રો તેમજ શ્રી.
'જ્યોતીન્દ્ર દવે અને સ્વ. ગિજુભાઈની પ્રસ્તાવના બે નાટકે માટે– હવ, બટુભાઈ ઉમરવાડિયાની પ્રસ્તાવના. નવા યુગની શી' માટે – શ્રી. રમણલાલ દેસાઇની પ્રસ્તાવના.
રમ મહેતાજી' માટે -- . વ્રજરાય મ. દેસાઇનું વિવેચન
Page #305
--------------------------------------------------------------------------
________________
રવિશંકર મહાશંકર જોષી
પ્રા. રવિશંકર જોષીને જન્મ ઇ. ૧૮૯૯ ના સપ્ટેમ્બર માસની ૧ લી તારીખે ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં રાજુલા ગામમાં થયેલા. તેમનું મૂળ વતન ખાટાદ; તેમના પિતાનું નામ મહાશ'કર બહેચરભાઈ અને માતાનું નામ શ્રી. અંબાબહેન. તેમનુ` લગ્ન ઈ. ૧૯૧૪ માં શ્રી. નમ દાબહેન સાથે થયેલુ છે.
શિહાર પ્રાંતમાં આવેલા રાજુલા ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરી શિહેાર મિડલ સ્કૂલમાંથી તેએ મેટ્રિક પાસ થયા. ત્યારબાદ ભાવનગરની શામળદાસ કૅૉલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવી ઈ. ૧૯૨૪ માં તેઓ એમ. એ. પાસ થયા અને મુખ્ય વિષય ગુજરાતીમાં યુનિવર્સિટીમાં પ્રથમ નબર તેમણે મેળવ્યા. ત્યારથી તેએ શામળદાસ કૉલેજમાં ગુજરાતીના પ્રાફેસર તરીકે કામ કરી રહ્યા છે.
<
જીવનના જુદા જુદા તબક્કે વિષ્ણુવધ પ્રકારનાં પુસ્તકા અને પુરુષાએ તેમના વ્યક્તિત્વનું ઘડતર કર્યુ છે. તેમની બાલ્યાવસ્થામાં 'સરસ્વતીચંદ્ર' અને ચંદ્રકાન્ત ’-એ એ પુસ્તાની, તેમના કૉલેજજીવનમાં ‘લા' મિઝરેબ્સ ', ‘ બ્રધર્સ કારમાસ્રોવ ' અને ૧૯ મા સૈકાના અંગ્રેજી કવિએનાં કાવ્યપુસ્તકાની, અને ઉત્તરાવસ્થામાં લીડ ખીટર ', ગીતા ' અને ‘ ઉપનિષદો 'ની તેમજ પ્રિન્સિપાલ શાહાણી, સર પ્રભાશંકર પટ્ટણી અને શ્રી. ઈશ્વરલાલ મહેતાના વ્યક્તિત્વની અસર તેમણે ઝીલી છે. તેમના પ્રિય લેખા પણ એ જ પ્રમાણે બદલાતા રહ્યા છે. ૧૨ થી ૨૫ વર્ષની વય સુધી કાલિદાસ અને શેકસપિયર, ૨૫ થી ૩૩ સુધી વિકટર હ્યુગા, ડૉસ્ટેવસ્કી અને ટાગાર, ૩૩ થી ૪૦ સુધી 'ગીતા’ થીએસેાપી તેમજ રહસ્યવાદને લગતાં પુસ્તકા, ૪૦ થી ૪૮ સુધી - ‘ ઉપનિષદો ’ અને પછીથી યાગવાસિષ્ઠ' અનુક્રમે તેમના પ્રિય ગ્રંથકાર અને ગ્રંથ બનેલ છે.
.
તેમના જીવનના મુખ્ય ઉદ્દેશ પરમાત્માના અનુભવ તે તે દ્વારા તેની પ્રાપ્તિ કરવાના છે. સાહિત્યને તેમના આ લક્ષ્યના એક સાધનરૂપ તે માને છે. કૅલેજમાં અધ્યાપક તરીકેના શાંત જીવનથી અને તે દરમિયાન તેમને થયેલા કેટલાક આધ્યાત્મિક અનુભવાથી તેમને જીવનવકાસ થયે હાવાનુ' તેઓ કહે છે.
૧૧
Page #306
--------------------------------------------------------------------------
________________
થય અને ગ્રંથાર ૫. ૧૦ તેમણે જીવનમાં લખવાની શરૂઆત પંદરમા વર્ષથી કરેલી અને કેટલાંક કાવ્ય, નવલિકાઓ અને લેખે તેમણે સામયિકોમાં છપાવેલાં; પણ તે દિશામાં તેમણે ઝાઝી પ્રવૃત્તિ પછીથી ચાલુ રાખી હોય એમ જણાતું નથી. ગુજરાતી ભાષા અને સાહિત્યના એક સમર્થ અધ્યાપક તરીકે, ગુજરાતના એક બહુકૃત વિદ્વાન તરીકે અને શાંત જીવન છવનાર એક સહૃદયી સરળ માનવ તરીકે તેઓ પ્રસિદ્ધિ પામ્યા છે. વિવેચનસાહિત્યમાં તેમને ફાળે ઘણો ઓછો છે તે પણ તેમાં જેટલું તેમણે લખ્યું છે તેટલું તેમની સમર્થ શક્તિને પરિચય કરાવે છે. તેમણે લખેલા “કાન્તની કાવ્યકલા ', “વલ્લભનાં આખ્યાનની કૃત્રિમતાને પ્રશ્ન',
શામળ : એક સમસ્યા', “શ્રી મુનશીની સ્ત્રીત્વની ભાવના,' “સાહિત્યમાં જીવનદર્શન, “કાવ્યાંગના', “રસિકનાં કાવ્યો' વગેરે પુસ્તકની પ્રસ્તાવના ઈત્યાદિ લેખે તેમની કેમળ ભાષા, મધુર વિવેચનશૈલી અને કૃતિનું સાંગોપાંગ રસદર્શન કરાવવાની તેમની કુશળતાના પરિપાકરૂપ છે.
• કૃતિઓ કતિનું નામ પાકાર રચના– પ્રકાશન– પ્રકાશક મૌલિ સંપાદન
કે અનુવાદ? ૧. અનુભવબિન કાવ્ય ૧૯૩૩ ૧૯૪૬ પિોતે સંપાદન ૨. ગુ. સા. સભાની સમીક્ષા ૧૯૪૦ ૧૯૪૧ ગુ. સા. સભા, મૌલિક ઈ. ૧૯૪૦-૪૧ ની કાર્યવાહી
અમદાવાદ
સાલ
સાલ
Page #307
--------------------------------------------------------------------------
________________
શાંતિલાલ સોમેશ્વર ઠાકર શ્રી. શાંતિલાલ ઠાકરને જન્મ ઈ ૧૯૦૪ ના સપ્ટેમ્બર માસની ૧૫ મી તારીખે બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિમાં તેમના મૂળ વતન નડિયાદમાં થયેલું. તેમના પિતાનું નામ સોમેશ્વર અચરતલાલ અને માતાનું નામ રેવાબહેન. તેમનું લગ્ન ઈ. ૧૯૧૬ માં શ્રી. સવિતાબહેન વેરે થયેલું છે.
- થરાદની ગુજરાતી શાળામાં પ્રાથમિક ત્રણ ધોરણનું શિક્ષણ લઈ તેમણે માધ્યમિક શિક્ષણ નડિયાદની સરકારી હાઈસ્કૂલમાં પ્રાપ્ત કર્યું હતું. ઈ. ૧૯૨૨ માં મેટ્રિક થયા બાદ ગુજરાત કોલેજમાંથી ઇ. ૧૯૨૪માં ઈન્ટરની પરીક્ષા બીજા વર્ગમાં પાસ કરી કોલેજની શિષ્યવૃત્તિ તેમજ યુનિવર્સિટીની પાટિલ સંત શિષ્યવૃત્તિ તેમણે મેળવી હતી. ઈ. ૧૯૨૬માં સંસ્કૃત-અર્ધમાગધી એછિક વિષયો લઈ બી. એ. ની પરીક્ષા બીજા વર્ગમાં પણ કોલેજમાં પ્રથમ નંબરે પાસ કરતાં તેમને ગુજરાત કેલેજની દક્ષિણ ફેલોશિપ મળી હતી. ઈ. ૧૯૨૮ માં સંસ્કૃત અર્ધમાગધી ઐચ્છિક વિષયો લઈ તેઓ એમ. એ. થયા. ત્યારબાદ ઇ. ૧૯૩૮ માં તેઓ મુંબઈની એસ. ટી. ટી. કોલેજમાંથી બી. ટી. પણ પાસ થયા હતા. તેમનો વ્યવસાય શિક્ષકને છે. કેટલાક સમય ખેડાની અને નડિયાદની હાઈસ્કૂલમાં આચાર્યનું કામ કરીને હાલ તેઓ બોરસદની હાઈસ્કૂલમાં આચાર્યપદે છે.
કેલેજકાળ દરમિયાન સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ, શ્રી. રામકૃષ્ણ પરમહંસ અને શ્રી. અરવિંદ ઘોષ જેવા યોગીઓનાં ચરિત્ર અને લખાણોએ તેમજ સાધનાકાળ દરમિયાન સ્વામી શ્રી. પ્રકાશાનંદ ગોદડિયા મહારાજ) અને અરવિંદાશ્રમવાળાં શ્રી. માતાજીના પ્રત્યક્ષ પરિચય તેમના વ્યક્તિત્વ ઉપર ઘણી મોટી છાપ પાડી છે. ગીતા” અને “ઉપનિષદ જેવા તત્વદર્શનના ગ્રંથાએ તેમના જીવનને ઘડયું છે.
પ્રભુ નિમિતે કાર્ય કરી આંતરવિકાસ સાધવાને તેમને જીવન-ઉદ્દેશ છે. રવિબાબુ તેમના પ્રિય સાહિત્યકાર છે. “ગીતા” તેમને પ્રિય ગ્રંથ છે; નિબંધ તેમને માનીતે સાહિત્યપ્રકાર છે. તેમના મનગમતા લેખન ને અભ્યાસવિષયે ધર્મ, સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન છે,
Page #308
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર યુ. ૧૦
ઇ, ૧૯૨૭ થી કૉલેજ સામયિકામાં અને નડિયાદની સાર્વજનિક વ્યાયામશાળા તરફથી ચાલતા - નારાયણ ' માસિકમાં તેમણે લેખા લખવાની શરૂઆત કરી હતી. પછી તો અનેક સામયિકાના પ્રાત્સાહનથી તેમનું લેખનકાર્યાં ઉત્તરાત્તર મહારતું ગયું. તેમનું પ્રથમ પુસ્તક ‘સંવાદમાલા ', યુનિવર્સીલ પ્રેસ, નડિયાદ તરફથી ઈ. સ. ૧૯૩૪ માં પ્રગટ થયું હતું. તેએ ગુજરાતના એક કુશળ વક્તા તરીકે જાણીતા છે. ઇ. સ. ૧૯૩૮ માં મુંબઇ ઇલાકાની આંતર કૅાલેજ વકતૃત્વકળાની હરીફાઇ જીતીને તેમણે સુવ`ચંદ્રક મેળવ્યા હતા. નિબંધલેખક તરીકે પણ તેમણે સારી ગુણવત્તા બતાવી છે. મહાત્મા ગાંધીજીનું રાજકારણ અને
હિંદી તત્ત્વજ્ઞાન' એ વિષય પર શ્રેષ્ઠ નિબંધ લખવા બદલ અમદાવાદની હિંદી તત્ત્વજ્ઞાન સમિતિ તરફથી ઇ. સ ૧૯૪૭ માં તેમને સુવ†ચંદ્રક એનાયત થયા હતા. પુસ્તકાલય ' પર શ્રેષ્ઠ નિબંધ લખવા બદલ કપડવંજની સાČજનિક પુસ્તકાલય રજતમહોત્સવ સમિતિ તરફથી તેમને શ્રી. વિતાબા ભાવેને હાથે પારિતાષિક આપવામાં આવેલુ. તે ઉપરાંત ‘ શ્રી કૃષ્ણતત્ત્વ' અને ‘ લગ્નની લાયકાત ' એ બે નિબંધેા લખીને તેમણે પ્રથમ પારિતાષિક મેળવેલાં.
૪
શ્રી. ઠાકર એક સારા વિચારક પણ છે. તેમના વિચારો પર શ્રી. અરવિંદની અને ચિંતનપદ્ધતિ ઉપર શ્રી. અંબાલાલ પુરાણીની સારી અસર પડેલી છે. તેમના નિબંધેાના વિષયો પણ ઘણુંખરું ભક્તિ, તત્ત્વજ્ઞાન કે અગમ્યવાદને લગતા જ હાય છે.
કૃતિઓ
કૃતિનું નામ
૧. સવાદમાલા સંવાદો
૨. સાધન સૂક્તાવલ ગદ્ય
.રૂ. સ્ફુલ્ડિંગ ભા. ૧ નિબંધ
પ્રકાર રચના
સાલ
૧૯૩૩
૧૯૩૫
૧૯૪૨
પ્રકાશક- મૌલિક સંપાદન
કે અનુવાદક ? અનુવાદ
પ્રકાશન
સાલ
૧૯૩૪ યુનિવર્સલ પ્રેસ,
નડિયાદ
૧૯૩૬ હિંદુ અનાથાશ્રમ પ્રેસ, નડિયાદ ૧૯૪૪ ભક્તિમાર્ગી કાર્યો- મૌલિ
લય, અમદાવાદ
19
Page #309
--------------------------------------------------------------------------
________________
થકાર-ચરિતાવલિ ૪. ભક્ત મારો નિબંધ
૧૯૪૪
૧૯૪૫ ભક્તિમાર્ગ કાર્યાલય મૌલિક
- અમદાવાદ
૧૯૪૬
૫. કુહિંલગ ભા. ૨ નિબંધ ૬. નીતિશતક ગધ
૧૯૪૮
અનુવાદ
સતું સાહિત્ય વક કાર્યાલય અમદાવાદ
,
૭. વૈરાગ્યશતક ' ૮. તુલસીદાસની
સાખીઓ ૯. કહેવત ૧૦. મૃત્યુંજય
છે ,
કે ,
સંપાદન અનુવાદ
,
મહાગુજરાત પબ્લિશિંગ કું. મુંબઈ
૧૧. દશકુમારચરિત ગધ ૧૨. નડિયાદને ઇતિહાસ ,
૧૯૪૯
,
ભક્તિમાર્ગ કાર્યા. મોલિક લય અમદાવાદ
Page #310
--------------------------------------------------------------------------
________________
પંડિત શ્રી. સુખલાલજી સંઘજી સંઘવી ભારતવર્ષના મહાન દાર્શનિકોમાંના એક પંડિત શ્રી. સુખલાલજીને જન્મ સૌરાષ્ટ્રમાં વઢવાણ પાસે આવેલા લીમલી નામના નાના ગામડામાં ઈ. ૧૮૮૦ માં જેન વેપારી પિતાને ત્યાં શ્રીમાળી વૈશ્ય જ્ઞાતિમાં થયેલો. તેમના પિતાનું નામ શ્રી. સંઘ અને માતાનું નામ શ્રી. સંતકબહેન છે.
પંડિતજીએ તેમના વતનમાં જ સાત ગુજરાતી સુધીનું શિક્ષણ લીધું, તેમનું બાલજીવન પણ ત્યાં જ વ્યતીત થયું. સોળ વર્ષની ઉંમરે શીતળાના ભયંકર દર્દના તેઓ ભોગ બન્યા. આ દદે તેમની આંખોનું તેજ હરી લીધું. પણ તેથી જરાયે નાસીપાસ થયા વિના ઉત્કટ જ્ઞાનપિપાસાને તૃપ્ત કરવાના પ્રયત્ન સાથે તેઓ આગળ વધ્યા. - પ્રજ્ઞાચક્ષુ બનેલા પંડિતજીએ સંસ્કૃત સાહિત્ય ને તત્ત્વજ્ઞાનને શોખ કેળવ્યો. એ શેખને સંતોષવા ઠેઠ બનારસ જેટલે દૂર દેશ તેઓ ગયા અને ત્યાંની શ્રી. યશોવિજય જેને સંસ્કૃત પાઠશાળામાં મહામહોપાધ્યાય પંડિતરત્ન શ્રી. વામાચરણ ભટ્ટાચાર્ય પાસે રહી ન્યાયશાસ્ત્રમાં તેઓ પારંગત થયા. વર્ષો સુધી તેમણે ત્યાં વિદ્યોપાસના કરી અને તત્કાલીન અનેક વિશિષ્ટ પંડિતના સંસ્કાર ગ્રહણ કર્યા. ત્યારબાદ ત્યાંથી તેઓ મિથિલા ગયા અને મહામહોપાધ્યાય શ્રી. બાલકૃષ્ણ મિત્ર પાસે રહીને વિશેષ અધ્યયન કર્યું.
અહીં તેમની ગુરુભક્તિ અને આર્થિક સંકડામણ માટે તેમના જીવનમાં બનેલે એક પ્રસંગ સંભાર ઘટે છે. પંડિતજીની આર્થિક મુશ્કેલી ઘણી હતી; સંસ્કૃત પાઠશાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ તેમના ગુરુ પાસે કેવી દશામાં રહીને ભણે છે એ તે કોઈથી અજાણ્યું નથી. એક વખત પંડિતજીએ પહેરેલું ગરમ સ્વેટર તેમના ગુરુએ જોયું અને તે તેમને ખૂબ પસંદ પડ્યું. બીજે જ દિવસે મિથિલાના શિયાળાની કડકડતી ઠંડીને જરા પણ વિચાર કર્યા સિવાય પંડિતજીએ તે તેમના ગુરુજીને આપી દીધું. ' સૂતી વખતે ઠંડીથી બચવા સારુ પિતાના શરીરને ઘાસથી ઢાંકી દઈને, કઈ ન જુએ તે માટે ફાટેલે કામળે તે ઉપર તેઓ ઓઢી લેતા. વિદ્યાથી અવસ્થામાં માસિક બે કે ત્રણ રૂપિયાથી વધુ ખર્ચ તેમના ભજન માટે કદી તેમણે કર્યો ન હતો. આ તેમનું વ્રત હતું.
મિથિલાથી ફરી પાછા તેઓ બનારસ આવ્યા અને ત્યાં કેટલાંક વર્ષો રહી સંસ્કૃત વેદાંત તેમજ અન્ય સાહિત્યને તલસ્પર્શી અભ્યાસ કર્યો અને તે વિષયમાં નિપુણતા મેળવી.
Page #311
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-પશિતાવલિ
લેખનને પ્રારંભ આગ્રા શહેરથી થયો. ત્યાં પંડિતજીએ પંચપ્રતિક્રમણ ', “ચાર કર્મગ્રંથ', “ગદર્શન', અને ગર્વિશિકા નું સંપાદન કર્યું. આ સંપાદનોએ તેમની વિદ્વત્તાને પંડિતવર્ગમાં પ્રતિષ્ઠિત કરી. આ પછી મહાત્માજીએ અમદાવાદમાં સ્થાપેલ “ગૂજરાત વિદ્યાપીઠ'ના પુરાતત્ત્વ વિભાગમાં તેમની ભારતીય દર્શનશાસ્ત્રના અધ્યાપક તરીકે નિમણૂંક થઈ. અહીં તેમણે પંડિત શ્રી. બહેચરદાસજીના સહકારથી મહાન જેન દાર્શનિક શ્રી. સિદ્ધસેન દિવાકરરચિત “શ્રી સમેતિતર્ક'નું સંપાદન કર્યું. આ સટીક મૂળ ગ્રંથના પૂરા પાંચ ભાગોના સંપાદન અને છઠ્ઠા ભાગમાં તેના વિવેચને પૂરાં દસ વર્ષ જેટલે તેમને સમય લીધો. આ દરમિયાન તેમણે ઉમાસ્વાતિના તત્ત્વાર્થસૂત્રનું તથા “ન્યાયાવતારનું ગુજરાતીમાં તેના અનુવાદ સહિત સંપાદન કર્યું. ત્યારબાદ ઇ. સ. ૧૯૩૩માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જૈન દર્શનના અધ્યાપક તરીકે તેઓ જોડાયા. ત્યાં રહી શ્રી. યશવિજયજીકૃત જેન તકભાષા” અને “જ્ઞાનબિંદુ', તેમજ શ્રી. હેમચંદ્રાચાર્યકૃત “પ્રમાણુમીમાંસા'નું સંપાદન ટિપ્પણ. તેમજ વિસ્તૃત પ્રસ્તાવના સહિત તેમણે પ્રગટ કર્યું. સંસ્કૃત ગ્રંથનાસંપાદન-સંશોધનની પદ્ધતિમાં આ કૃતિએ ન જ ચીલે પાડો. પં. જયરાશિત “તો પપ્લવ' ગ્રંથના સંશોધને એમની જૈનેતર દર્શને વિષેની પ્રતિષ્ઠાને ગૌરવ અપાવ્યું. તાજેતરમાં બદ્ધ ન્યાયશાસ્ત્રોના સુપ્રસિદ્ધ ગ્રંથકાર પં. ધર્મકીરિચિત હેતુબિંદુ'ની અર્ચટકૃત ટીકા અને દુર્વેકકૃત અનુટીકાના સંપાદન દ્વારા તેમણે બદ્ધ દર્શનના ઈતિહાસ પર નવો પ્રકાશ ફેંકયા છે.
વિદ્યા માટેનાં તેમનાં તપ, ત્યાગ ને તિતિક્ષા અપૂર્વ છે. હૃદય અને બુદ્ધિની સમતુલા, જ્ઞાન અને સંસ્કારને પ્રકાશ અને ચિંતનશીલ પ્રતિભાએ તેમને માલિક વિચારક અને તત્ત્વચિંતક બનાવ્યા છે. સર્વ દર્શનનો તુલનાત્મક સમન્વય સાધવાનું કૈશલ એ પંડિતજીની ખાસ વિશેષતા છે. સામાન્યતઃ જૈન ધર્મનાં મૂલ તો પ્રતિ તેમનું વલણ હોવા છતાં તેમની દૃષ્ટિ હમેશાં અસાંપ્રદાયિક રહી છે.
તેમના જીવન ઉપર સમર્થ ભારતીય ચિંતકે અને સંતોના જીવન તેમ જ ગ્રંથાએ પ્રાથમિક અસર કરી છે; મહાત્માજીના જીવને તેમની સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓને વિકસાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ગાંધીજીના દક્ષિણ આફ્રિકાથી હિંદમાં આવ્યા બાદ તેમની લેખનપ્રવૃત્તિમાં વેગ આવ્યો.
પંડિતજીને ભારતીય પ્રાચીન સાહિત્ય, વ્યાકરણ, દર્શન, અલંકાર પુરાણ, અર્થશાસ્ત્ર આદિ વિષયે તરફ સહજ પક્ષપાત છે. તેમના પ્રિય લેખનવિષયો તત્ત્વજ્ઞાન, સાહિત્ય, સમાજ અને ઇતિહાસ રહ્યાં છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર : ૧૦ તેઓ અત્યારે મુંબઈનું “ભારતીય વિદ્યાભવન' અમદાવાદની ગુજરાત વિદ્યા સભા' બનારસનું જૈન સંસ્કૃતિ મંડળ” અને આગ્રાનું “આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ' વગેરે જાણીતી શિક્ષણસંસ્થાઓ સાથે સંસ્કાર-પ્રચારના હેતુથી સંકળાએલા છે.
કૃતિઓ : કૃતિનું નામ રથના- , , પ્રકાશક
સંપાદન, અનુવાદ સાલ
કે મૌલિક? ૧. યોગાન ૧૧૬ ૧૨૧ આત્માનંદ જૈન પુસ્તક પ્રચાર હિન્દીમાં
સભા, આગ્રા, અનુવાદ-સંપાદન २. चार कर्मग्रंथ 8. વંન્નપ્રસનળ ४. दंडक ૫-૧૦. કન્નતિત ૧૯૨૨-૧૯૩૦ ગુજરાત વિદ્યાપીઠ, પ્રથમ પાંચ ભાગ | (છ મા)
અમદાવાદ
મલનું સંપાદન (पं. बेचरदास
છઠ્ઠા ભાગને ગુજરાતીમાં સાથે)
અનુવાદ, ૧૧. જૈન દષ્ટિએ
" "
મૌલિક બ્રહ્મચર્ય-વિચાર ૧૨. તવાધિગમ સૂત્ર ,
ગુજરાતી તથા હિન્દી વિવેચન ૧૩, ચાવાયતાર
જન સાહિત્ય સશે. ગુજરાતી ભાષાંતર સહિત
ધક, અમદાવાદ સંપાદન ૧૯૭૫-૧૯૪૦ સિંધી જૈન સિરીઝ હેમચંદ્રના ગ્રંથનું
હિંદીમાં સંપાદન ૧૫. રૈનત્તમાશા ૧૬. વિવું ૧૯૩૫-૧૯૪૦ ૧૭. તવોવઢવ ૧૯૪૫-૧૯૪૭ ગાયકવાડ ઓરિએન્ટલ સંપાદન.
સીરીઝ વડોદરા ૧૮. રેવાર રિા
ભારતીય વિદ્યા ભવન,મુંબઈ ગુજરાતી અનુવાદ ૧૦. દેવ ૧૫૦ ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ સંપાદન
આ ઉપરાંત તેમણે આધ્યાત્મિક વિકાસક્રમ તથા ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ”—એ બે પુસ્તિકાઓ ગુજરાતીમાં અને “મ. મારી जीवनः एक ऐतिहासिक दष्टिपात', 'निर्ग्रन्थ सम्प्रदाय', 'जैन संस्कृतिका हृदय' “મૈનધર્મના ગાળ', રીર્ષ તપસ્વી માવીએ પાંચ પુસ્તિકાઓ હિંદીમાં લખી છે,
"
Page #313
--------------------------------------------------------------------------
________________
હરિનારાયણ ગિરધરલાલ આચાર્ય એમને જન્મ વિક્રમ સંવત ૧૯૫૩ ના શ્રાવણ વદિ ૧૧ને બુધવાર, તા. ૨૫ ઓગસ્ટ ૧૮૯૭ના રેજ, ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં, એમના મોસાળ વીરમગામમાં થયો હતે. ઉત્તર ગુજરાતમાં આવેલું ઊંઝા એમનું વતન. એમના પિતાનું નામ ગિરધરલાલ ત્રિભુવનછ આચાર્ય અને માતાનું નામ રેવાબાઈ. તેમણે બે વાર લગ્ન કર્યા છે. પહેલી વાર તેમનાં લગ્ન તેમની દસ વર્ષની ઉંમરે વીરમગામમાં સૈ. ગોદાવરીબહેન સાથે થયેલાં. બીજુ લગ્ન પણ વીરમગામમાં જ સૌ. વિજ્યાબહેન સાથે થયેલું.
વતનમાં જ ઊગરા મહેતાની ગામઠી શાળામાં પ્રાથમિક અભ્યાસને આરંભ કરીને ગાયકવાડી સરકારી નિશાળમાં ગુજરાતી છ ધોરણ પૂરું કરી એ વધુ અભ્યાસ માટે સિદ્ધપુર ગયા; ત્યાં અંગ્લે-વર્નાક્યુલર સ્કૂલમાં તથા પછીથી પાટણની હાઈસ્કૂલમાં અંગ્રેજીને અભ્યાસ કરીને ઈ. સ. ૧૯૧૪માં તેઓ મેટ્રિક પાસ થયા. ત્યાર પછી ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ જઈ ગુજરાત કોલેજમાંથી સંસ્કૃતનો વિષય લઈ બી. એ. (ઓનર્સ) થયા. કૌટુંબિક પરંપરાગત સંસ્કાર, ઊગતા અભ્યાસકાળથી જ કેળવાયેલ વાચ, નને શોખ અને શરૂઆતનાં વર્ષોમાં શ્રેય સાધક અધિકારી વર્ગનાં પ્રકાશનોની અસરથી એમનું સંસ્કૃતનું તથા વેદાંત આદિ તત્ત્વજ્ઞાનના વિષયેનું જ્ઞાન એટલું સારું હતું કે કેલેજના અભ્યાસ દરમિયાન, સંસ્કૃતના તે સમયના અધ્યાપક સ્વ. આનંદશંકર ધ્રુવના અગ્રણી શિષ્ય પૈકી તે એક ગણુતા. વીસમી સદીના પ્રારંભના એ દાયકાઓમાં પશ્ચિમી પિશાકાંદિ આકર્ષણથી વ્યાપ્ત વાતાવરણ વચ્ચે પણું એમણે વતનને તળપદો ગ્રામશાક કાયમ રાખેલે, એ હકીકત એમના સ્વદેશી પ્રેમ અને મજબૂત મનની દ્યોતક છે. ઈ. સ. ૧૯૧૯ માં બી. એ. પસાર કરી એ કાયદાના અભ્યાસ માટે મુંબાઈ ગયા અને ત્યાં ગોકલદાસ તેજપાલ હાઈસ્કૂલમાં શિક્ષકને વ્યવસાય સ્વીકારી તેમાંથી ગુજરાન ચલાવતા જઈને સરકારી લે કૉલેજમાં પહેલી એલ એલ. બી. ને અભ્યાસ શરૂ કર્યો. પણ તેની પરીક્ષા આપવાને સમય આવતાં જ ગાંધીજીએ અસહકારની લડત આરંભી એટલે તેની અસરથી અભ્યાસને તિલાંજલી આપી મુંબઈની ચંદારામજી ગર્લ્સ હાઈસ્કૂલમાં તથા ટિળક રાષ્ટ્રીય કન્યાશાળામાં કેટલાક સમય અધ્યાપનકાર્ય કર્યું. પછી તે મહાત્માજીએ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી એટલે તેઓ
૧૨
Page #314
--------------------------------------------------------------------------
________________
.
ગ્રંથ અને ગ્રંથકાર ૩૦ ૧૦
ગુજરાત મહાવિદ્યાલયના ગુજરાતી, સ`સ્કૃત અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક તરીકે
અમદાવાદ આવ્યા.
પેાતાના અધ્યાપનના વિષયેામાં મેળવેલી પાર ગતતા તેમજ વિશાળ વાચનને લીધે કેળવાયેલી બહુશ્રુતતાને લીધે તેઓ વિદ્યાપીઠમાં એટલા વિદ્યાર્થીપ્રિય થઈ પડયા કે પટના, વ્યાયામા, નાટ્યપ્રયાગા, ઉત્સવા, સાહિત્યચર્ચા અને અધારી રાતના લાંબા સાઈકલપ્રવાસે જેવી ખડતલ પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાથી ઓ તેમને કેન્દ્રસ્થાને રાખી ટાળે વળતા.
ઇ. સ. ૧૯૨૮ માં આવું વિદ્યા, વ્યાયામ, જ્ઞાન અને અભ્યાસનું નિરાળું વાતાવરણ છેાડી એમણે અમદાવાદની ભરતખંડ ટેક્સ્ટાઈલ મિલમાં મૅનેજરની નાકરી લીધી. એ તદ્દન અજાણ્યા ક્ષેત્રમાં પણ ટૂંક સમયમાં જ તેમણે એવી કુશળતા બતાવી, કે ઈ. સ. ૧૯૪૫ માં એ સ્થાન છેાડ્યુ. ત્યારે અમદાવાદની આટલી વિપુલ સ ંખ્યાવાળી મિલાના મૅનેજરામાં સૌથી કામેલ અધિકારીએ પૈકીના એક તરીકે તેમની ગણના થયેલી. તેથી જ, ત્યારબાદ તરત અમદાવાદુના મિલ એનસ એસેાસીએશનના સહાયક મ`ત્રી તરીકેના જવાબદારીભર્યા સ્થાને સારા પગારે એમની નિમણૂક થઈ. આજે તેઓ મિલ એનસ એસેાસીએશનના મંત્રીપદે છે.
ઈ. સ. ૧૯૨૦ ની શરૂઆતમાં એમને દમના વ્યાધિ લાગુ પડયા હતા. એ વ્યાધિએ લીધેલા ગભીર રૂપને અ તે એમનુ પડછંદ શરીર તદ્દન કૃશ થઈ ગયું અને તેનાથી તે એવા તેા કટાળી ગયા કે આપધાત કરવા સુધીને વિચાર પણ આવી ગયેલા. પરંતુ નિળતા અને રાગ સામે ઝઝૂમવાને તેમના મૂળથી જ સ્વભાવ હાવાથી દેહને ખડતલ અને સુષ્ઠુ બનાવવાતા તેમણે દૃઢ નિર્ધાર. કર્યાં. પેાતાના રોગના નિદાન માટે અસંખ્ય પુસ્તકે તેમણે વાચવા માંડ્યાં. એમાં અમેરિકાના વિખ્યાત શરીરવિજ્ઞાની તથા વ્યાયામવીર બર્નાર મૅકડનનાં લખાણાએ એમનામાં શ્રદ્ધા પ્રેરી. મૅરૅડન સાથેના પત્રવ્યવહાર તથા શરીરશાસ્ત્રના પેાતાના જ્ઞાન પરથી કરેલી અનેક વિચારણાને અ'તે તેઓ એવા નિર્ણય પર આવ્યા કે એ વ્યાધિનુ મૂળ નબળી હાજરી તે આંતરડામાં હતું, એટલે તેને માટે દોડવું, લાકડાં ફાડવાં, જમીન ખાદ્દવી વગેરે પેટ તથા પેઢુને વલાવી નાંખનારો વ્યાયામ જરૂરી હતા. તરત એમને પાસા વર્ષથી અવાવરુ પડી રહેલું ઊંઝા પાસેનું પેાતાનું ખેતર યાદ આવ્યું, અને એમાંજ એ ઉપચાર અજમાવવાના નિશ્ચય કરીને ઉનાળાની રજામેમાં ઊંઝા ગયા. તે ઢેઢેક માસમાં તે એક શેઢાથી ખીન્ન શેઢા સુધીનું આખું ખેતર તેમણે એવું તે ખાદી કાઢ્યું.
Page #315
--------------------------------------------------------------------------
________________
થથકાર-ચરિતાવલિ કે ફરી એ પાક આપતું થઈ ગયું અને એમના શરીરમાંથી દમને જીવલેણ વ્યાધિ પણ સદાને માટે અદશ્ય થઈ ગયે.
આ સફળતા પછી તે શરીરસૌષ્ઠવ અને વ્યાયામવિજ્ઞાનમાં એમને રસ પાર વગરનો રેલાયે. અનેક વ્યાયામ પ્રકારો વડે શરીરને પલોટ આપી આપીને તેમણે તેને સમપ્રમાણ અને બલિષ્ઠ બનાવ્યું. દુનિયામાં જેટલા વ્યાયામ પ્રકારે ખેડાયેલા છે તે સર્વનું તેમણે એટલું ઊંડું અને શાસ્ત્રીય જ્ઞાન મેળવ્યું કે સ્વ. . રામમૂર્તિ પણ તેમના શરીરસૌષ્ઠવ તેમજ તદ્વિષયક જ્ઞાન પર મુગ્ધ થયેલા. સ્વ. રામમૂર્તિ ગુજરાતમાં સ્થાયી થઈને એક આદર્શ વ્યાયામ વિદ્યાલય કાઢવાને મનસૂબો કરતા હતા. તેમને આખા વિદ્યાલયની રૂપરેખા, અભ્યાસક્રમ આદિ શ્રી. આચાર્યો ગોઠવી આપેલાં. ગુજરાતભરની વ્યાયામ-હરીફાઈઓમાં નિષ્ણાત અને તજજ્ઞ પંચ (અમ્પાયર) તરીકે શ્રી. આચાર્યની જ નિમણૂક થતી. વજન ઉપાડવાના (વેઈટ લિફટિંગ). વ્યાયામમાં પણ તેમણે એટલું પ્રભુત્વ મેળવ્યું કે માથા ઉપર બે હાથે ૨૧૦ રતલથી ય વધુ અને પગની પેશીઓના ઘડતર માટે ૨૫૦ થી ૪૦૦ રતલ સુધીનું વજન તેઓ ઊંચકી શકતા. આમ છતાં તેઓ બેટી હરીફાઈમાં પડ્યા નથી. એમનું સમગ્ર લક્ષ વજન ઊંચકવાના વ્યાયામ દ્વારા શરીરને દઢ અને બળવાન બનાવવા પર જ કેન્દ્રિત રહેતું. પરિણામે, ૨૭ ઈંચ સાથળ, ૪૬ ઈંચ છાતી, ૧૮ ઈંચ ગરદન અને ૧૪ ઈંચ પ્રકોષ્ઠ કેળવવા એ શક્તિમાન થયા હતા. એ વખતને એમને શરીરવિકાસ અતિ ઉચ્ચ કક્ષાએ પહોંચેલે. એમનું પોતાનું વજન ૨૧૦ રતલ હતું.
વ્યાયામના સર્વાગીણ જ્ઞાન સાથે શરીર અને આરોગ્યના શાસ્ત્રનું પણ તેઓ સારું જ્ઞાન ધરાવે છે.
મનના નિર્વ્યાજ આનંદને ખાતર વિવિધ વિષયનું તલસ્પર્શી જ્ઞાન મેળવવાની ઝંખના એમનામાં છેક હાઈસ્કૂલના દિવસોથી ઊગેલી. ગામની લાઈબ્રેરીને બારણે, સાંજે છેક અક્ષરે ન ઊકલે ત્યાંસુધી સંધ્યાનાં અંધારાં પથરાતાં લગી વાંચતા એ બેસતા. કવાર્તાઓ, જીવનચરિત્રો ને કવિતા– સાહિત્યથી થયેલી શરૂઆત ધીમે ધીમે ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયો ઉપરાંત પુરાતત્ત્વ, સિક્કાશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર આદિ અનેકવિધ ક્ષેત્રોમાં વિસ્તરી. લોકસાહિત્યના આદિ પુરસ્કર્તા સ્વ. રણજિતરામ પછી, પણ ગિજુભાઈ ને મેઘાણીની પહેલાં શ્રી. આચાર્યે ગામડે ગામડે ફરી લોકગીતે ભેગાં કરેલાં; કવિતાના ક્ષેત્રમાં પણ એમની કલમ ચાલેલી. છેક ઇ. સ.
Page #316
--------------------------------------------------------------------------
________________
થશે અને પ્રથકાર પુ. ૧૦
૧૯૨૩ માં “સમાલોચકમાં “વનફૂલની સહીથી લખેલા “સીતા-વિવાસન નામે લાંબા કાવ્યમાંથી માત્ર વાનગી તરીકે થોડીક પંક્તિઓ અહીં ઉતારીએ.
ઊગે શશાંક, રજની રમણી ધીરેથી આલિંગને ભુજ ભીડી નિજ કંઠ બાંધે; તારાવલિ ચમકતી કહિં વ્યોમભાગે.
મંદાકિની જલ–પડયાં કુમુદાવલિ શી. આ અરસામાં કવિ ન્હાનાલાલના નિકટ પરિચયમાં તેઓ આવેલા. એમની લેખનપ્રવૃત્તિ શરૂઆતમાં “કુમાર” અને પછી “પ્રકૃતિ' પૂરતી જ મર્યાદિત રહી છે, પણ એમાં વહેવડાવેલ સમૃદ્ધ જ્ઞાનરાશિથી તેઓ ગુજરાતના અનન્ય પ્રકૃતિવિદ્દ તરીકે ખ્યાતિ પામ્યા છે. એ સૌથી વધુ પ્રસિદ્ધિ પામ્યા, કદાચ “કુમારમાં “વનેચરની સહીથી લખેલી એમની લેખમાળા વનવગડાનાં વાસી'માં અપાયેલાં પક્ષી-પ્રાણીઓના અભ્યાસ અને નિરીક્ષણભર્યા રસપ્રદ પરિચયોથી; એમનાં બીજાં લખાણ પણ ઉચ્ચ કક્ષાનાં છે. રામમૂર્તિ, ગામા અને ઝિબિશ્કે જેવા મલ્લશિરોમણિઓનાં ચરિત્રો, છેડી પક્ષી-પ્રાણીકથાઓ તથા “સ્વાધ્ય–શક્તિ સૌન્દર્ય'ના વિભાગમાં આવતી શરીરસૌષ્ઠવ પરની નધિ ઉપરાંત “અખાડ” ને
ખભે ખડિ” નામના તેમણે સંભાળેલા “કુમાર'ના વિભાગો પણ એટલા જ લોકપ્રિય નીવડેલા.
પ્રકૃતિવિજ્ઞાનના અભ્યાસમાં પોતે કેમ પ્રવેશ કર્યો એની તેમણે નીચે આપેલી હકીકત લક્ષમાં રાખવા જેવી છેઃ “પ્રકૃતિ-અવકનના અભ્યાસને મારા જીવનમાં પ્રવેશ થયો છે કેવળ અકસ્માત રૂપે જ. સને ૧૯૨૯ ને ડિસેમ્બર માસ હતા. એક દિવસે બપોરે હું કુમાર કાર્યાલયમાં બેઠે હતા. એ વખતે શ્રી. બચુભાઈ ટપાલમાં આવેલા કાગળ વાંચતા હતા, મને નિરામી બેસી રહેલ જોઈ એમણે ટપાલમાં આવેલ “ઈડિયન સ્ટેટ રેલ્વેઝ મેગેઝીન નો નાતાલ નિમિતે પ્રસિદ્ધ થયેલ ખાસ અંક કાળ વ્યતીત કરવા આપે, અલસપણે એનાં પાનાં ફેરવવા માંડતાં “ભારતવર્ષની દિવાચર પતંગિકાઓ (Butterflies)” વિષયને લેખ એમાં મારા જોવામાં આવ્યું. એના લેખક મુંબાઈની “નૈશનલ હિસ્ટરી સોસાયટીના ક્યુરેટર શ્રી. એસ. એચ. પ્રેટર હતા. લેખની સાથે પતંગિકાઓની સુંદર દેહછટા ને વર્ણ શેભાની પ્રતીતિ આપતું રમણીય ચિત્ર પણ હતું. ચિત્રથી આકપંઈ હું એ લેખ વાંચી ગયે. અને એ વિશેનું વિશેષ જ્ઞાન મેળવવાની
Page #317
--------------------------------------------------------------------------
________________
કાર-સરિતાશિ
ય
ઉત્કંઠા મારા મનમાં જાગ્રત થઈ. અંગ્રેજી સાહિત્યના, વાચન દ્વારા પતંગિયાનાં એ લેાકાનાં અભ્યાસ અને રસવૃત્તિથી હું પરિચિત હતા, પરંતુ આપણા દેશમાં આવાં રૂપાળાં પતંગિયાં થાય છે તે એને અભ્યાસ સામાન્ય જન પણ સરળતાથી કરી શકે છે તેનું તેા મતે એ ઘડીએ જ ભાન થયું. એ થતાં જ મે, લેખકે પ્રમાણુરૂપ ગણાવેલા એવન્સપ્રણીત ‘ભારતવર્ષનાં પત'ગિયાં' ગ્રંથ ખરીદ્યો. પ્રકૃતિ-અવલાકનના ક્ષેત્રમાં મારું એ પ્રથમ પાદા'ણુ. એ સમયે ઉત્પન્ન થયેલું કુતૂહલ સામાન્ય જનસુત્રભ કુતૂહલ જ માત્ર હતું. એ સમયે મેં કલ્પેલું નહિ કે આવી એક અતિ સામાન્ય જિજ્ઞાસા દ્વારા મારું અભ્યાસક્ષેત્ર પલટાઈ જશે તે યદચ્છા રાપાયેલા એક બીજમાંથી આટલે વિશાળ વૃક્ષાધિરાજ ફાલશે ફૂલશે......... ...એક સેશન્સ જજ કલાપ્રેમી અને પક્ષીએના ભારે અભ્યાસી હતા. એમની સાથે મારે પિરચય વધતાં એમણે મને પક્ષીએમાં રસ લેતા કર્યાં. સવિશેષ પક્ષીએ પાળવાનેા ચેપ તે એમણે જ મને લગાડેલા. એ વખતે મારું સમગ્ર ધ્યાન કીટકસષ્ટિનાં અભ્યાસ-અવલાકનમાં સ્થિર થયું હતું. એટલે પક્ષી-અવલાકનમાં મને વધુ ઉત્સાહ થયા ન હતે. પરંતુ એ સજ્જનના સબંધના ચેાગે પક્ષીપાલનનાં તે હું ગાંડા બનેલે.
એ વાતને વીસ વર્ષ થઈ ગયાં. આરંભની પતંગિયાંની સૃષ્ટિના પરિચયમાંથી અન્ય કીટકસૃષ્ટિના પરિચય, પક્ષીપાલનમાંથી પક્ષીપરિચય, પછી સાપ, ધેા આદિ સરિસૃપો તથા મીઠા જળની મામ્બ્લીની સૃષ્ટિ, પછી કરેાળિયા,——એમ ઉત્તરાત્તર મારી જિજ્ઞાસા ધધતાં હું પ્રકૃતિનાં અન્યોન્ય અગેાનાં પરિચય, અવલાકન અને અભ્યાસમાં પરાવાયા. એ પળથી આજ સુધીનાં અશેષ વર્ષમાં આહારાદિ શરીર-વ્યવહારો અને વિત્તોપાર્જનના વ્યવસાય કરવામાંથી બચેલા સમગ્ર સમયના ઉપયેાગ મે મારા આ નવા વ્યુાસંગમાં કરેલા છે. એ સાટે મેં ભારે પુરુષા પણુ કર્યા છે. અરધી રાતે એકાદ અજાણ્યા પક્ષીને મેલતું સાંભળીને સફાળા જાગીને એના પિરચય કરવા દાડૌં છું. વષઁ સુધી, પ્રત્યેક રજાએ, બ્રાહ્મ મુ`થી રાત્રિ પંત, આખા દિવસ અમદાવાદના પરિસરામાં ખભે ડિયા ભરાવીને હું આથડયો છું. એ જ વિષયના વધુ દઢીકરણ અર્થે અવકાશ મળ્યે મે' પગપાળા અનેક પરિભ્રમણા કર્યા છે. પરિણામે પ્રાણીજીવનનાં વિવિધ પાસાંઓનું જે જ્ઞાન મને રણભૂમિ, અરણ્યા અને પહાડી પ્રદેશેામાં થયું છે એ અનેક ગ્રંથૈાના વાચનથી પણ હુ` ભાગ્યે જ મેળવી શક્યો હોત.
છતાં મારા અભ્યાસ કેવળ પ્રાણીજીવનમાં જ પરિમિત રહેલા નથી. પ્રાણીજીવનની કાલિક ઉત્ક્રાન્તિના પ્રશ્નના વિચાર અંગે મારે ભૂવિદ્યાના,
Page #318
--------------------------------------------------------------------------
________________
થશે અને ગ્રંથકાર પુ. ૧૦ સવિશેષ પુરાણુ જીવવિદ્યાના અંગ સમા ઉત્પાત અશ્મીભૂત અવશેષોને અભ્યાસ પણ કરે પડે છે. વનસ્પતિઓને પણ હું ભૂલ્યો નથી, એ કે એમને સંગ્રહ કરવાની મારી પ્રવૃત્તિ સાધનોના અભાવે વેગવતી થઈ શકી નથી.”
આમ કેવળ પક્ષી પરિચય જ નહિ પણ સમસ્ત પ્રકૃતિના અભ્યાસઅવલોકનનો શોખ જાગે ત્યારે એ પ્રવૃત્તિએ એમના મન ને સમયને કબજે લઈ લીધેલ. પછી તો ઘેર પણ પંખીઓ પાળ્યાં અને ભાડાના નાના ઘરની સાંકડી પરસાળમાં પણ પાંજરાંઓની ભીડ જામવા માંડી.
માત્ર સાહિત્ય અને વિજ્ઞાનના જ નહિ, પરંતુ ધંધા-વ્યવસાય કે અન્ય નિમિત્તે હાથ ચડતા કોઈ પણ ક્ષેત્રના વિષયનું બને તેટલું બારીક જ્ઞાન મેળવવાની એમની ખાસિયત જ થઈ પડી છે.
ટૂંકમાં શ્રી. આચાર્ય વિદ્વાન “હોબીઈસ્ટ' છે. વિવિધ પક્ષીઓ તથા સર્પ, મત્સ્ય, કીટકે, કળિયા આદિનું તેમને ઊંડું જ્ઞાન છે. મુંબઈના પ્રકૃતિ વિજ્ઞાન-મંડળ', તથા “બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી'ના તેઓ અગ્રગણ્ય સભ્ય છે. એ સોસાયટીના મુખપત્ર કીટકજ્ઞાન વિશે આવેલી એમનાં અમુક વિધાનોની નધેિ તદ્વિદમાં માન્ય થઈ છે. જાત-જાહેરાત પ્રત્યે ઉદાસીન હોવાથી તેઓ પ્રમાણમાં જાહેરમાં ઘણું જ ઓછા જાણીતા છે. એમણે કદિ ભાષણો આપ્યાં નથી; “કુમાર” અને “પ્રકૃતિ” સિવાય ક્યાં ય લેખ લખ્યા નથી.'
ઈ. ૧૯૩૮માં એમણે મિત્રો તથા એ વિષયમાં રસ લેનારાઓને પ્રેરી પ્રેરીને ગુજરાત પ્રકૃતિ મંડળની સ્થાપના કરી; ને એ સંસ્થા તરફથી ગુજરાતીમાં વિજ્ઞાનનું પ્રથમ ત્રિમાસિક “પ્રકૃતિ' શરૂ કર્યું. તેના તંત્રી તરીકે તેમણે અભ્યાસપ્રચુર અને વિઠનમાન્ય લેખે, નેધ તથા સંપાદન વડે ગુજરાતના નામને હિંદભરમાં ઊજળું કર્યું છે. ગુજરાતના પ્રકૃતિવિજ્ઞાનના ક્ષેત્રમાં સ્વ. જયકૃષ્ણ ઈન્દ્રજી પછી તેમનું નામ મોખરે આવે છે. તેમના પ્રકૃતિવિજ્ઞાનના ઊંડા અભિનિવેશને માટે શ્રી આચાર્યને ગુજરાત સાહિત્ય સભા તરફથી ઈ. સ. ૧૯૪૭ને રણજિતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયેલે. માસિકમાં દટાઈ રહેલાં તેમનાં લખાણો વહેલી તકે પુસ્તકાકારે પ્રગટ થાય તે ઈચ્છવાજોગ છે.
અભ્યાસ-સામગ્રી ૧. ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહી ૧૯૪૭-૪૮,
_* ચંદ્રકપદાન સમારંભ નિમિત્તે શ્રી બચુભાઈ રાવતે લખેલો તેમની પરિચય-પત્રિકા પરથી
Page #319
--------------------------------------------------------------------------
________________
પુરવણી
કૃષ્ણપ્રસાદ લલ્લુભાઈ ભટ્ટ
સાહિત્યની દુનિયામાં લગભગ અપ્રસિદ્ધ છતાં છેલ્લાં ૨૦–૨૨ વર્ષોંથી એકધારી લેખન-પ્રવૃત્તિ ચલાવી રહેલ શ્રી. કૃષ્ણપ્રસાદ ભદ્રં કપડવંજના વતની અને વીસનગરા નાગર બ્રાહ્મણુ છે. તેમના જન્મ તા. ૧૨-૯-૧૯૧૧ ના રાજ પંચમહાલ જિલ્લામાં આવેલા દાહેાદ શહેરમાં થયેલેા. તેમના ।પતાનું નામ લલ્લુભાઈ રામશંકર ભટ્ટ તથા માતાનું નામ આનંદીબહેન છે. તેમણે બે વાર લગ્ન કરેલાં છે. પહેલું ઈ. સ. ૧૯૪૨માં શ્રી. વીરબાળા સાથે અને ખીજુ ઈ. સ. ૧૯૫૧માં શ્રી. ઊર્મિલા સાથે.
દાહેાદમાં પ્રાથમિક તેમ જ માધ્યમિક શિક્ષણ મેળવી ત્યાંની ન્યુ હાઈસ્કૂલમાંથી તેએ ઇ. સ. ૧૯૨૫માં મેટ્રિક અને ઘેર બેઠે અભ્યાસ કરીને ઇ. સ. ૧૯૨૯માં અલીગઢ વિશ્વવિદ્યાલયના બી. એ. થયા છે. તેમના મુખ્ય વ્યવસાય છાપખાનું ચલાવવા સાથે ગ્રંથ-લેખનને છે. ઇ. સ. ૧૯૩૦માં ટ્વાદ ગૅઝેટ' નામનુ' વમાનપત્ર અગ્રેજી, ગુજરાતી અને હિંદી એમ ત્રણ ભાષામાં તે પ્રગટ કરતા. એ અરસામાં સ્વ. પૂ. ઠક્કરબાપાના સંપર્કમાં આવતાં ભીલ જેવી આદિવાસી · અને ગરીબ કામની સેવા કરવાની ભાવના તેમનામાં જાગી. ત્યારથી સેવા અને કત વ્યપાલનની દૃષ્ટિથી તેમણે લેખનકા ચલાવ્યું છે. તેમણે દરિદ્રસ્થિતિની યાતનાઓના સારી પેઠે અનુભવ કર્યાં છે. એટલે દરિદ્ર-શ્રીમતની વિરોધ– સ્થિતિ તેમનાં લખાણાના પ્રધાન વિષય બને છે.
વિદ્યાર્થી-અવસ્થામાં હતા ત્યારથી જ તેમણે લેખનપ્રવૃત્તિ આરંભેલી. સેાળ વર્ષાં જેવડી, નાની ઉંમરે તેમણે પેાતાની પ્રથમ મૌલિક નવલકથા · પ્રતિજ્ઞાની પૂર્ણાંતિ' પ્રગટ કરેલી. ત્યારબાદ ઉર્દૂ, હિંદી, બંગાળી અને મરાઠી ભાષાને તેમણે અભ્યાસ કર્યાં. નાલ્ડઝ, શરદખામુ વગેરે લેખકાંવી વાર્તારચના અને તેમના સામાજિક વિચારાથી આકર્ષાતાં નવલકથાને તેમણે પેાતાના પ્રિય સાહિત્યપ્રકાર બનાવ્યેા. ગીતાએ બતાવેલા કયાગ અને સેવા તથા ત્યાગના વિચારેને રજૂ કરવાના હેતુથી પાતે નવલકથાઓ લખી છે એમ તેમનું વક્તવ્ય છે. નવલકથાના કલાસ્વરૂપ કે તેની આલેખન શૈલીની દૃષ્ટિએ નહિ તેટલી તેમાં વ્યક્ત થતા જીવનના પ્રશ્નો, વિચારા કે આદર્શોની ષ્ટિએ તેમની નવલા ધ્યાનપાત્ર છે. સરળતા, મેધકતા અને ઊમિ`લતા તેમનાં લખાણામાં મુખ્યત્વે વરતાય છે.
Page #320
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને થાર ૩૦૧૦
તેમણે અંગ્રેજી, સ ંસ્કૃત, ઉર્દૂ, હિંદી એમ જુદી જુદી ભાષાઓમાંથી અનુવાદકૃતિએ આપી છે એ પણ તેમની વિશિષ્ટતા ગણાય. મૂળ ફારસીમાંથી ગુજરાતીમાં ઉતારેલું ખલિલ જિબ્રાનનું ‘ રુદનઅને હાસ્ય ' શિષાનના ગુજરાતમાં થયેલા અનુવાદોમાં સૌથી વિશેષ પ્રમાણભૂત છે. એક પુરુષની આસપાસ ગૂંથાયેલા એક વેશ્યા, વિધવા અને તેની નાની બહેનના પ્રણયકિસ્સાને અવલબીને સમાજોતિ, ગ્રામસુધારણા, બેકારી, હરિજનેાની સેવા વગેરે પ્રશ્નોની મીમાંસા કરતી સામાજિક નવલકથા · પ્રણયયજ્ઞ ' તેમની સર્વોત્તમ મૌલિક કૃતિ છે. એનુ' પછીથી નાટકમાં રૂપાંતર કરવામાં આવેલું અને ફ્રીલેન્ડગંજના રેલ્વે ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટે તે નાટકને ભજવી તેને ચક્રને પાત્ર ઠરાવેલું. છેલ્લાં ચારેક વર્ષથી તે અમદાવાદમાં સ્થિર થયા છે તે છાપખાનું ચલાવે છે.
કૃતિઓ રચના પ્રકાશન પ્રકાશક મૌલિક, સંપાદન મૂળ કૃતિ કે કર્તાનું નામ
સાથે સાથે
કે અનુવાદ મૌલિક
કૃતિનું નામ પ્રકાર
૧. પ્રતિજ્ઞાની નવલકથા ૧૯૨૭ ૧૯૨૭ પૂર્ણાહૂતિ
૨. પ્રતાપી ઐતિહાસિક ૧૯૨૮ ૧૯૨૮ રણજીતસિ ંહજી
મૃત્યુ નવલકથા
પ્રેસ
પ્રભાત કાર્યાલય
૭. પ્રપ`ચપ્રતિમા ,,
૪. ચંદ્રવીણા ૫. સ્નેહજ઼્યાતિ
૬. બળવંત પ્રભા
""
૭. ઝેરી નાગણ ૮. વૈરી કે પ્રેમી ?,,
""
19
..
29
"2
..
.
..
"2
39
..
""
૯. પ્રેમી યુગલ કથાકાવ્ય
30
૧૦. ચદ્રમેાહિની નવલકથા ૧૧. કીર્તનમાળા ભજના ૧૯૩૧ ૧૯૩૧
ભટ્ટ બ્રધર્સ
ઍન્ડ કાં.
""
39
59
મદદગાર, નડિયાદ
99
૧૯૩૦ ૧૯૩૦ રાડલાલ મેાતીલાલ,,
પ્રકાશ કાર્યાલય
"2
.
39
ભટ્ટ પ્રધ
99
93
..
""
99
"9
91
99
39
99
95
""
એન્ડ કાં.
૧૨. અદ્ભુત યાગી નવલકથા ૧૯૩૫ ૧૯૩૫ કૃષ્ણ નારાયણ પ્રેસ,, ૧૩. પ્રણયજવાળ
૧૯૩૧ ૧૯૩૫
અનુવાદ રૅનાલ્ડઅમૃત ‘વેસર્ ધ વેરવુલ્ફ’
Page #321
--------------------------------------------------------------------------
________________
થકા-પિતાવલિ ૧૪. પ્રણયયજ્ઞ ,, ૫૭૬ ૧૯૪૦ દેહદ ગેસ્ટ ઓફિસ મૌલિક ૧૫. સમાજને શ૩ , ૧૯૪ ૧૯૪૧ કૃષ્ણનારાયણ પ્રેસ , ૧૧. સરસપુર રાસ-કાવ્યો » અ » " ૧૭. ભગવાન જીવનચરિત્ર ૧૦૪૩ ૧૯૩ સાગરમલ મુળચંદ , મહાવીર
તલાટી ૧૮. રત્નાકર પચીસી કવિતા » છે
જ અનુવાદ સંસ્કૃત .
रत्नाकरपञ्चविंशति ૧૯. ભેદી માનવ નવલકથા ૧૯૪૯ ૧૯૪૯ આદર્શ પુ. ભંડાર મૌલિક ૨૦. યુગપુરૂષનું ગઘમુક્તકે ૧૯૫૦ ૧૫૦ , અનુવાદ ખલિલ જિબ્રાન * ઉપવન
કૃત ‘ધ ગાર્ડન
ઓફ ધ પ્રોફેટ” ૨૧. રુદન અને હાસ્ય , , , ”
જિબ્રાનકૃત “અશ્ક
વત વરસુમમાંથી ૨૨. વસ્તીના દેવ
•
, જિબ્રાનકૃત “ધ
અથ ગોડઝ” ૨૩. સિંહ સેનાપતિ નવલકથા ૫૧ ૧૫૧ , , હુલજીકૃત
(હિંદીમાંથી) ૨૪. રાજ શ્રીપાલ , , , નવચેતન સા. મંદિર મૌલિક ૨૫. શિવપુરાણ કાવ્ય એ છે મહાદેવ રા, જાગુટ્ટે અનુવાદ સંસ્કૃત
शिवपुराण ૨૬. ગરુડપુરાણ
. ”
સંસ્કૃત
गरुडपुराण ર. જંગલ સમ્રાટ નવલકથા ૧૫૨ ૧૯૫ર આદર્શ પુ. ભંડાર મૌલિક
Page #322
--------------------------------------------------------------------------
________________
(મુનિશ્રી) પુણ્યવિજયજી પ્રાચ્યવિદ્યાના મહાન પંડિત અને પ્રાકૃત ભાષાના ઊંડા અભ્યાસી તથા સંશોધક મુનિશ્રી પુણ્યવિજયજીનું સંસારી નામ મણિલાલ હતું. તેમને જન્મ વિક્રમ સંવત ૧૯પરના કારતક સુદિ ૯ના રોજ થયેલે. તેમના પિતાનું નામ ડાહ્યાભાઈ દોશી, માતાનું નામ માણેકબહેન (દીક્ષિત થયા પછી શ્રી રતનશ્રીજી) અને વતન કપડવંજ,
કપડવંજમાં ચિંતામણિ પાર્શ્વનાથની ખડકીમાં મણિલાલનું ઘર હતું. તેઓ જ્યારે બે ત્રણ મહિનાના હતા, ત્યારે એક વખત તેમના મહેલ્લામાં કુદરતી કોપથી આગ લાગી. આખો ય મહેલે બળીને ખાખ થઈ ગયા. મણિલાલનું ઘર પણ ભડકે બળવા લાગ્યું. બાળક મણિલાલ આ સમયે ઘરમાં ઘડિયામાં સૂતા હતા. તેમનાં માતા નદીએ કપડાં ધોવા ' ગયેલ. ઘરમાં બીજું કોઈ હતું નહિ, કેમકે પિતા ધંધાર્થે મુંબઈ રહેતા. અંદરથી બાળકની ચીસે સાંભળીને કઈ સાહસિક વહોરા સને બળતા ઘરમાં પેસી બાળકને બચાવી લીધે. બળતા નિભાડામાંથી ઈશ્વરકૃપાએ સલામત નીકળેલાં બિલાડીનાં બચ્ચાંની જેમ જ જાણે મણિલાલ જીવતા રહેવા પામ્યા.
આ આગના પ્રસંગ પછી પિતાછ કપડવંજ આવીને કુટુંબને મુંબઈ તેડી ગયા. આથી મણિલાલને નાનપણથી જ મુંબઈ રહેવાને પ્રસંગ બને. તેઓ લગભગ આઠેક વર્ષ મુંબઈ રહ્યા અને ત્યાં તેમણે ગુજરાતી છ ધોરણ સુધી અભ્યાસ પૂરો કર્યો. એટલામાં તેમના પિતાજી અવસાન પામ્યા. વિધવા થયેલાં માતાને જૈન દીક્ષા લેવાને વિચાર થયા, પણ દસ વર્ષના અનાથ બાળકને ટળવળતી સ્થિતિમાં છોડી કેમ દેવાય? તેથી તેમણે મણિલાલને પ્રથમ દીક્ષિત બનાવવા વિચાર્યું. બાળકને લઈ પાલિતાણા તીર્થસ્થાનમાં ચોમાસું કરી, ત્યાંની નવાણું યાત્રા વિધિપૂર્વક પતાવી તેઓ છાણી (વડોદરા) ગામમાં તે સમયે બિરાજમાન શ્રી કાનિવિજ્યજીના મુનિમંડળના ચરણે પહોંચ્યાં. ત્યાં તેર વર્ષની ઉમરના મણિલાલને તેમણે વિ. સં. ૧૯૬૫ના મહા વદિ પાંચમને દિવસે દીક્ષા અપાવી અને ગુરુશ્રી ચતુરવિજયજીએ બાળકનું ધર્મનામ પુણ્યવિજયજી રાખ્યું. બીજે જ દિવસે તેમનાં માતાજીએ પણ દીક્ષા લીધી.
Page #323
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ
પ્રગુરુ શ્રી કાન્તિવિજયજીની મમતા અને કાળજીએ શ્રીપુણ્યવિજયજીના વિદ્યા જીવનનું ઊંચું ઘડતર કર્યું. તેમના અભ્યાસ માટે જે બે ચાર અધ્યાપકોને ઉપયોગ થયેલે તેમાં પંડિત શ્રી. સુખલાલજીનું નામ મોખરે છે. વળી ગુરુશ્રી ચતુરવિજયજી શાસ્ત્રના સંપાદન તથા સંશોધનના ભારે રસિક હોવાથી તેને શૈખ શ્રી પુણ્યવિજયજીને પણ લાગ્યો, તે એટલે સુધી કે શારીરિક કષ્ટો વેઠીને પણ સન્નિષ્ઠાપૂર્વક સંશોધનકાર્ય કરવાનું આજ સુધી તેમણે ચાલુ રાખ્યું છે. આઠ માસ ગામપ્રતિગામ ફરતાં ફરતાં તેમ ચોમાસાના સ્થિરવાસમાં પણ તેમની જ્ઞાનસાધના ચાલુ જ રહી છે.
પ્રગુરુ વૃદ્ધાવસ્થામાં હોવાથી મુનિજને પાટણમાં લાગલાગ2 અઢાર વરસ રહેવાનું થયું; તે દરમિયાન પાટણના એકેએક ભંડારનું અવલોકન તેમણે કર્યું અને જુદા જુદા તમામ ભંડારોને તેમના ગુરુ અને પ્રગુરુની પ્રેરણાથી એક વ્યવસ્થિત જ્ઞાનમંદિરના રૂપમાં ફેરવી નાખવાને વિચાર મૂર્ત બન્યો. એને પરિણામે પાટણમાં હેમચંદ્રાચાર્ય જેન જ્ઞાનમંદિરની સ્થાપના થઈ. ભંડારનાં પુસ્તકોનું વર્ગીકરણ કરીને જે સરસ ગોઠવણી તેમાં થઈ છે, એની પાછળ મુનિશ્રીને ભારે શ્રમ રહેલે છે. ભંડારોનાં તમામ પુસ્તકોનું એક મોટું લખેલું સચિપત્ર પણ તેમણે તૈયાર કરેલું છે. એ જ્ઞાનમંદિરના પ્રવેશઘર પાસે જે શિલાલેખ છે તેમાં મુનિશ્રી પુણ્યવિજયજીનું નામ પણ અંક્તિ થયેલું છે. ભંડારોની વ્યવસ્થા અને તેમાંનાં પુસ્તકોના વર્ગીકરણની સાથે સાથે જ સંપાદન -સંશોધનનું કાર્ય અને ઉચ્ચ અભ્યાસના વિદ્યાથીઓને તથા વિદ્વાનોને સંશોધનમાં મદદ કરવાનું કાર્ય પણ ચાલુ હતું.
તેમને હાથે અનેક શાસ્ત્રીઓ અને સંશોધકે ઘડાયા છે. ડે. ભોગીલાલ સાંડેસરા, શ્રી જગદીશચંદ્ર જન, મૂર્તિશાસ્ત્રના અભ્યાસી અને વિકટેરિયા મ્યુઝિયમના કયુરેટર શ્રી. શાંતિલાલ છગનલાલ ઉપાધ્યાય ઇત્યાદિ તેમના શિષ્યો છે. ડે. બેંડર, ડે. આલ્લડોફ, શ્રી. મધુસૂદન મોદી, પ્રો. કાન્તિલાલ વ્યાસ, શ્રી. જિતેન્દ્ર જેટલી ઇત્યાદિ વિદ્વાને પણ પોતાના સંપાદન-સંશોધન -કાર્યમાં તેમની પાસેથી કીમતી માર્ગદર્શન પામતા રહ્યા છે.
તેમની સાહિત્યપ્રવૃત્તિમાં લીંબડી (સૌરાષ્ટ્ર)ના જ્ઞાનભંડારનું સંશોધન તથા તેના મોટા સૂચિપત્રનું પ્રકાશન નોંધપાત્ર છે. જૈન આગમોના સંપાદન તથા સંશોધનનું ભગીરથ કાર્ય તેમણે આરંવ્યું છે અને તે કાર્ય અદ્યતન ઢબે કરવાને તેમને મનસૂબો છે. તેમની સમગ્ર સંશોધન પ્રવૃત્તિનું પ્રેરક બળ મુખ્યત્વે આ કાર્યમાં રહેલું છે એમ કહી શકાય. એ પ્રવૃત્તિ માટે પ્રાચીનમાં
Page #324
--------------------------------------------------------------------------
________________
૧૦૦
વથ અને વધારા પ્રાચીન પ્રતની શૈધ સારુ તેમણે ભર ઉનાળામાં જેસલમીરને વિકટ પ્રવાસ ખેડયો છે અને ત્યાં અસહ્ય યાતનાઓ અને પરિશ્રમ વેઠીને પણ દેઢ વર્ષ લગી રહ્યા છે. જેસલમીરના ગ્રંથભંડારે ઉથલાવવામાં અને સૂકા રણ જેવા, કશી જાતની સગવડ–સુવિધા વિનાના પ્રદેશમાં રહી અવિરત શ્રમ કરવામાં કેટલી સનિષ્ઠા. અને તિતિક્ષાવૃત્તિ જોઈએ છે તે અનુભવીઓ સારી પેઠે જાણે છે. મુનિએ એ બધું વેઠીને જેસલમીરના મૃતપ્રાય ભંડારાને સંજીવની છાંટી છે એમ કહીએ તે કશું બેટું નથી. ભંડારોની સુવ્યવસ્થા કરવા ઉપરાંત ૨૧૪ જેટલી અત્યંત દુલભ પ્રતોની તેમણે ફેટે-ફિલ્મ લેવરાવી લીધી છે. એ માઈક્રોફિલ્મમાં જૈન સાહિત્ય ઉપરાંત બ્રાહ્મણ સાહિત્ય, બૌદ્ધ સાહિત્ય વગેરેના પણ અનેક અમૂલ્ય ગ્રંથ છે. જૈન આગમો અને બીજાં મળીને કુલ ૪૯ પુસ્તકના પાઠને ત્યાંની પ્રતિઓ સાથે મેળવીને તેનાં પાઠાંતરે તેમણે ઉતરાવી લીધાં છે. લગભગ ૧૬ જેટલાં જૈન આગમ અને અન્ય જૈન પુસ્તકની પૂરી નકલે તેમણે કરાવી છે. જેસલમીર ઉપરાંત જોધપુર, બિકાનેર અને નાગારના જ્ઞાનંડાર તથા રાજસ્થાનના મુખ્ય મુખ્ય રાજકીય જ્ઞાનસંગ્રહે પણ તેમણે જાતે તપાસી લીધા છે. જેસલમીરના જ્ઞાન ભંડારે તેમણે તૈયાર કરેલ વૃત્તાંત તથા ત્યાંનાં પુસ્તકનું સૂચિપત્ર ટૂંક સમયમાં પ્રસિદ્ધ થવાનાં છે. ડૉ. આસડે પણ જર્મન ભાષામાં મુનિશ્રીના જેસલમીરના વસવાટ વિશે એક લેખ પ્રસિદ્ધ કીધે છે.
મુનિશ્રી લિપિશાસ્ત્ર (Peliography)માં નાગરી લિપિના અસાધારણ નિષ્ણાત છે. લિપિ ઉપરથી તેઓ હસ્તપ્રત કઈ શતાબ્દિમાં લખાઈ છે તેને ચોક્કસ નિર્ણય કરી શકે છે. વળી, પોતે જે લિપિને એકવાર પરિચય કરે છે તે અનશુદ્ધપણે લખી પણ શકે છે. મુનિશ્રીની આ વિરલ શક્તિ ખાસ નોંધપાત્ર છે.
પ્રાચીન સાહિત્યના સંપાદન અને સંશોધનમાં સતત રચ્યાપચ્યા રહેતા મુનિ શ્રી જિનવિજયજી, પંડિત સુખલાલજી અને પં. બેચરદાસજી વગેરે વિદ્વાનોને સંપાદન-સંશોધન કાર્યમાં તેમણે ઘણું સહાય કરેલી છે ને હજુ પણ કરતા રહે છે. તેમની સાથે કામ કરવામાં ઘણુંખરું અમદાવાદના વતની મુનિશ્રી રમણિકવિજયજી હોય છે. મુનિશ્રી પુણ્યવિજયજીએ સંસ્કૃતપ્રાકૃતનાં તમામ સંપાદને તેમના ગુરુશ્રી ચતુરવિજયજી સાથે કરેલાં છે.*
પંડિતશ્રી બેચરદાસ દેશના સૌજન્યથી
Page #325
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ
| મુખ્ય કૃતિઓ કૃતિનું નામ વિષય પ્રકાશન પ્રકાશન મૌલિક સંપાદન
સાલ સંસ્થા કે અનુવાદ ૧. કુમિત્રાનંદ્ર નાટક સં. ૧૯૭૩ આત્માનંદ સભા, સંપાદન
ભાવનગર
સંશોધન २. प्रेबुद्धराहिणेय નાટક સં. ૧૯૭૪ . નાનપ્રાણ તત્ત્વજ્ઞાન ૪. ગુહારવવિતિય તત્વજ્ઞાન ૫. સ્તુતિરવિંદાતિ સ્તુતિ ૬. વસુદેવદિકરી મા. ૧-૨ કથા સં. ૧૯૮૬-૮૭ છે. વર્ષથ મા. ૧ થી ૬ તત્વજ્ઞાન સં. ૧૯૯૦-૯૬ , ૮. વૃૉઝ ભા. ૧-૬ આચારવિધાન સં. ૧૯૦૯ ,,
-२००८ ૯. કથાનો
કથા સં. ૨૦૦૦ ,, ૧૦. ધર્માસ્યુલહાઅબ્ધ કાવ્યું. ભારતીય વિદ્યાભવન , | (સંવતરિત)
મુંબઈ ૧૧. ભારતીય જૈન પ્રમાણુ-નિબંધ સાસભાઈ નવાબ, મૌલિક સંસ્કૃતિ અને લેખનકલા
અમદાવાદ ૧૨. જેસલમેરની ચિત્રસમૃદ્ધિ સં. ૨૦૦૮- , ૧૩. વાવપૂર
આગમ સં. ૨૦૦૮ , . *
અભ્યાસ-સામગ્રી ૧. “એક સાહિત્યયાત્રા : ડો. ભેગીલાલ સાંડેસરા, બુદ્ધિપ્રકાશ' (જાન્યુઆરિ, ૧૫) ૨. જેસલમેર : પ્રાચીન અને અર્વાચીન : પ્રા. જિતેન્દ્ર જેટલી, “બુદ્ધિપ્રકાશ”
(ઓગસ્ટ-આટે. ૧૯૫૧) ૩. કોણ / બિનમ શાનદાર–. વાસુદેવશરમા. અગ્રવાલ (નાગરી
ગારિણી પત્રિકા, વર્ષ , અંક છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
શિવશંકર પ્રાણશંકર શુકલ શ્રી. શિવશંકર શુકલને જન્મ તેમના વતન ગોધરા ખાતે શ્રીગેડ બ્રાહ્મણ જ્ઞાતિમાં ઇ. સ. ૧૯૦૮ માં થયે હતો. તેમના પિતાનું નામ પ્રાણશંકર દુર્ગાશંકર અને માતાનું નામ રેવાબહેન. પત્નીનું નામ શારદાબહેન. લગ્નસાલ ઈ. સ. ૧૯૩૪.
પ્રાથમિક અભ્યાસ ગોધરામાં પૂરો કરીને શ્રી. શુકલે માધ્યમિક પહેલાં ત્રણ ધોરણો અમદાવાદની સરકારી મિડલ સ્કૂલમાં અને પછીનાં બે આર. સી. હાઈસ્કૂલમાં પૂરાં કર્યા હતાં. એટલામાં અસહકારની લડત શરૂ થતાં, તેઓ પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં દાખલ થયા અને ત્યાં જ મેટ્રિક સુધી ભણ્યા. ઇ. સ. ૧૯૨૪ માં તેઓ એ વખતે ગાંધીજીની દોરવણી નીચે રાષ્ટ્રિય શિક્ષણ આપતા ગુજરાત વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં દાખલ થયા અને ૧૯૨૭માં એ જ સંસ્થામાંથી પ્રાચ્યવિદ્યાના સ્નાતક થઈને બહાર આવ્યા. આયુર્વેદ તેમને પ્રિય અભ્યાસવિષય હતો. એમને તે વિષયને અભ્યાસ એટલે સંગીન હતા કે પૂનાની આયુર્વેદ કૉલેજમાં એક વર્ષ અધ્યાપક તરીકે કામ કરવાની તક તેમને સાંપડી હતી. પછી તો તેમણે રીતસર વૈદ્યને ધંધો શરૂ કર્યો. અમદાવાદ, ગોધરા અને શહેરામાં કેટલાંક વરસ તેમણે સ્વતંત્ર દવાખાનું ચલાવ્યું હતું. ઈ. સ. ૧૯૪૬ માં વિષમ કૌટુંબિક પરિસ્થિતિને કારણે તેમનું ચિત્ત થોડે વખત અસ્વસ્થ રહ્યું હતું. પછી સ્વસ્થતા પ્રાપ્ત થતાં તેઓ ગુજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં સહાયક ગ્રંથપાલ તરીકે જોડાયા હતા. હાલ તેઓ અમદાવાદના મજુર મહાજનના પુસ્તકાલયના ગ્રંથપાલ તરીકે કામ કરે છે.
શ્રી શિવશંકરે લેખન-પ્રવૃત્તિને આરંભ ભદ્ર-વ્યાયામશાળાના હસ્તલિખિત માસિકથી કર્યો હતો. વિદ્યાપીઠમાં જોડાયા બાદ સાબરમતી' માસિકનું તંત્ર સંભાળવાની ફરજ આવી પડતાં તેમની સાહિત્ય-પ્રવૃત્તિને સારે વેગ" મળે. ગ્રંથપાલના વ્યવસાયે તેમના વાચનને બહુવિધ બનાવ્યું. કાલિદાસ, જિબ્રાન, ચેખાવ, ટેલિસ્ટોય, ટાગોર, ગાંધીજી અને કાલેલકર તેમના પ્રિય ગ્રંથકાર છે. ભૂગોળ, વૈદક, વનસ્પતિઓ, પ્રકૃતિસૌન્દર્ય અને મજુરજીવન એમ વિવિધ વિષયે માટે શોખ તેમનું રચિવૈવિધ્ય બતાવે છે. ભિન્ન ભિન્ન વિષય પર તેમણે છૂટક લેખે રૂપે તેમજ ગ્રંથસ્વરૂપે રસાળ અને સત્વશીલ લખાણ ઠીક પ્રમાણમાં કરેલું છે.
Page #327
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકા-પિતાવલિ
૧૦૩ લેખનકાર્યમાં આત્મશ્રદ્ધા બેસતાં શ્રી શુકલે સૌથી પ્રથમ ચેખાવની વાર્તાઓને અનુવાદ કર્યો અને તેના બે સંગ્રહ પ્રસિદ્ધ કર્યા. પછી તે કાકાસાહેબની છત્રછાયામાં તેમની પ્રવૃત્તિ મહેરતી ગઈ અને શૈલી પણ ખીલતી ગઈ–જે કે કાલેલકર ઉપરાંત તેમના ભાઈ શ્રી. ચંદ્રશંકર શુકલ, ગાંધીજી અને અમુક અંશે મુનશીની શિલીની અસર તેમનાં લખાણોમાં વરતાયા વિના રહેતી નથી.
- “સરિતાથી સાગર' શ્રી શુકલની શ્રેષ્ઠ કૃતિ છે. એમાં તેમણે ગાંધીજીની અતિહાસિક દાંડીકૂચનું જીવંત અને પ્રમાણભૂત વર્ણનચિત્ર આપેલું છે. પારસમણિના સ્પર્શથી લેહનું સુવર્ણ થઈ જાય એવી ગાંધીજીના એ વીસ દિવસના અંત પ્રેરિત યુદ્ધપ્રવાસની ચમત્કારિક અસર તેમણે વર્ણવી બતાવી છે. મહાત્માજી અને તેમના સૈનિકોને કેન્દ્રમાં રાખીને ગુજરાતનાં ગામડાંમાં આવેલ ચેતન, દેશભરમાં જાગેલ આન્દોલન અને રાજ્યસત્તાને થયેલ સંભનું એકી સાથે યથાર્થ દર્શન તેમાં તેમણે કરાવ્યું છે. વળી દાંડીકૂચના બનાવને ઈતિહાસની હકીકત તરીકે કેવળ વર્ણનાત્મક કે કથનાત્મક શૈલીમાં કહી જવાને બદલે તેમણે તેની સાથે
ડોક કલ્પનાનો સંભાર પણ ભર્યો છે. બીજા અનેકેની જેમ ત્રણ જુવાન વિદ્યાર્થીઓને સત્યાગ્રહીઓની સાથે પ્રવાસ કરતા કલપીને લેખકે દાંડીકુચના પ્રત્યેક દયે પાડેલી છાપને આત્મલક્ષી રંગે રંગવાની ઠીક અનુકૂળતા કરી લીધી છે. તેમાં નિરૂપાયેલી પ્રકૃતિની પ્રસન્નગંભીર ભૂમિકા અને લેખકની સ્મૃતિમાંથી સ્વયમેવ સરી પડતા કાવ્યદ્દગારે પુસ્તકમાંના ભવ્ય ને સઘન ઈતિહાસ-ચિત્રને સુંદર ઉઠાવ આપે છે. ગાંધીજીએ પ્રજાને કરાવેલી સ્વરાજ્ય-યાત્રાના અદ્દભુત ને અમર પ્રસંગ દાંડીકૂચ પર મહાકાવ્ય તે રચાય ત્યારે ખરું; પણ તેની ઈતિહાસશુદ્ધ હકીકતને સુંદર ચિત્રરૂપે સાકાર કરીને શ્રી શુકલે એને ચિરકાળ પર્યત-નિદાન મહાકાવ્યને લખનાર આવે ત્યાં લગી-લોકકલ્પનામાં મઢી લેવાનું ઈષ્ટ કાર્ય કર્યું છે એ તેમની નહાનીસૂની સાહિત્યસેવા નથી.
કાકાસાહેબની હળવી અને પ્રસન્નગંભીર શૈલીનું સફળ અનુસરણ કરતું “ગુજરાતની લોકમાતાઓ નામનું પુસ્તક શ્રી શુકલનું બીજું વિશિષ્ટ અર્પણ છે. એમની આ પ્રકારની ગદ્યકૃતિઓ આ દાયકાના એક આશાસ્પદ નિબંધિકાકાર તરીકે શ્રી. શિવશંકરને પરિચય: કરાવે છે. તેમની પાસે વાચન, અવકન, અનુભવ, કલ્પના અને વર્ણનશક્તિનું સારું એવું ભાતું છે.
Page #328
--------------------------------------------------------------------------
________________
તેમની શૈલીમાં વૈયક્તિક વિશિષ્ટતા અને ચિંતનમાં પાવતા આવતાં શુજન્સીના સમર્થ નિબંધકારમાં તેમને અવશ્ય સ્થાન મળશે.
‘માધવનિધાન' નાનું તેમનું વૈવ-વિષયક પુસ્તક વર્ષોથી આર્વેદ કેમેજેમાં પાઠ્ય પુસ્તક તરીકે વપરાય છે. .
કતિશય કતિનું નામ પ્રકાર મિશન પ્રકાશ મૌલિક. મૂળતિનું
અનુવાદ નામ ૧ હદયમંથન ભા. ૧ શર્માએ
અનુવાદ ચેવની વાર્તાઓ
સાલ
૩. ટેકને ખાતર નવલકથા
* પ્રેમચંદજી કૃત ૪. યુગાંતર * *
મૌલિક ૫. માધવનિદાન આયુવેદ
સંસ્કૃત ગ્રંથનું મીમાંસ
ભાષાંતર-સંપાદન ૧. સરિતાથી સાર એતિહાસિક ૧૯૪૯ ગુર્જર મૌલિક
કથાનક ગ્રંથરત્ન
કા. અમદાવાદ ૭. ગુજરાતની નદીઓ નિધિામા ૧૯૪૯ કમલ
* પ્રકાશન ચંદિર, અમદાવાદ
જયા-મી
ખ” ફેષઆરિ ૧૫૦.
Page #329
--------------------------------------------------------------------------
________________
૩.
ક.
-
ગ્રંથકારોની સૂચિ ( શ્રેથ અને ગ્રંથકાર', પુસ્તક-એકથી દસે)
ગ્રંથકારનું નામ ૧. અકબરઅલી નુરાની ૨. ભિક્ષુ અખંડાનંદ છે. ઠે. અતિસુખકર કમળાશંકર ત્રિવેદ ૪. કાજી અનવરમિયાં ૫. અનંતપ્રસાદ ત્રિકમલાલ વૈષ્ણવ ૬. પ્રો. અનંતરાય મણિશંકર રાવળ ૭. સૈયદ અબુઝફર બિનસૈયદ હકીમ અબુહબીબ નદવી ૯ ૮. અબ્દુલ સત્તારખાન પઠાણ (ભા સત્તારશાહ) શ ૯. અમૃતલાલ નાનકેશ્વર ભટ્ટ ૧૦. અમૃતલાલ પઢિયાર ૧૧. અમૃતલાલ મોતીલાલ શાહ, ૧૨. અમૃતલાલ રતનજી ત્રિવેદી (દિજકુમાર) ૧૩. અરદેશર ફરામજી ખબરદાર ૧૪. અંબાલાલ સિંહલાલ શાહ ૧૫. અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી ૧૬. અંબાલાલ બુલાખીરામ જાની ૧૭. દી. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈ ૧૮. અંબેલાલ કશનજી વશી ૧૯. આત્મારામ મોતીરામ દીવાનજી ૨૦. આનંદશંકર બાપુભાઇ ધ્રુવ
આશારામ દલીચંદ શાહ ૨૨. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ ૨૨. ઇન્દિરાનંદ લલિતાનંદ પંડિત ૨૪. ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક ૨૫. ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી ૨૬. ઈન્દ્રવદન ઉમિયાશંકર વસાવડા ૨૭. ઈબ્રાહીમ દાદાભાઈ બેકાર (બેકાર) ૨૮. ઈબ્રાહીમ લાખાણું
૧૪
Page #330
--------------------------------------------------------------------------
________________
૪
?
GM
ગ્રંથ અને થથકાર શ૦ ૧૦ ગ્રંથકારનું નામ
પુસ્તક પૃષ્ઠ ૨૯. ઈમામખાન કયરિપન
૧૫૦ ૩૦. ઇમામશાહ, લુશાહ બાનવા ૩૧. ઈમામુદ્દીન દરગાહવાલા
૧૧૭ કર. ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ (પેટલીકર) ૩૩. ઈશ્વરલાલ પ્રાણલાલ ખાનસાહેબ ૪. ઈશ્વરલાલ મૂળચંદ વીમાવાળા
૧૦૩ - ૫. ઉછરંગરાય કેશવલાલ ઓઝ ૩૪. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી ૩૭. ઉમાશંકર જેઠાલાલ જોષી * ૮. એચ જેહાંગીર તારાપોરવાલા - ૩૮. એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
૪૦. કનુભાઈ હકુમતરાયે દેસાઈ દા. કનૈયાલાલ ભાઈશંકર દવે ૪૨. કનૈયાલાલ માણેકલાલ મુનશી 38. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી ૪૪. કરસનદાસ નરસિંહ માણેક ૪૫. કરસનદાસ મૂળજી ૪૬. કરીમમહમદ માસ્તર ૪૭. કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા ૪૮. કલ્યાણરાય નથુભાઈ જોષી,
'૧૬ ૪૯. કાન્તિલાલ બળદેવરામ વ્યાસ ૫૦. કાલિદાસ ભગવાનદાસ કવિ
૧૫૮ ૫૧. કાશીબહેને બહેચરદાસ જડિયા પર. કાશીરામ ભાઈશંકર ઓઝા (પ્રેમી) પ્રક. કિલાભાઈ ઘનશ્યામ ભટ્ટ ૫૪. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા અપ. કિસનસિંહ ગોવિંદસિંહ ચાવડા " કુંવર આણંદજી શાહ
૧૦૫ ૫૭. કુણુપ્રસાદ લલ્લુભાઈ ભટ્ટ ૫૮. કૃષ્ણરાવ ભોળાનાથ દિવેટિયા ૫૯. કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણ ૬૦. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
૧ ૨૮
૧૧
૧૦.
Page #331
--------------------------------------------------------------------------
________________
૧૫૧
કા-સૂચિ ' ગ્રંથકારનું નામ ૬૧. કૃષ્ણલાલ સૂરજરામ વકીલ આર. કેખુશરે નવરોજજી કાબરાજી
8. કેશવજી વિશ્વનાથ ત્રિવેદી ૬૪. કેશવપ્રસાદ છોટાલાલ દેસાઈ ૬૫. કેશવરામ કાશીરામ શાસ્ત્રી ૬૬. કેશવેલાલ મોતીલાલ પરીખ
૭. કેશવંલાલ હરગોવિંદદાસ શેઠ ૬૮. કેશર્વલાલ હરિરામ ભેટું છે ૮. દી. બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ છે. કેશવલાલ હિંમતલાલ કામદાર
કૌશિકરામ વિઘહરરામ મહેતા ૨. ખુશવદન ચંદુલાલ ઠાકર ઉ૩. ખુશાલરાય સારાભાઈ
ગગનવિહારી લલ્લુભાઈ મહેતા ગજેન્દ્રરાય ગુલાબરાય જૂથ
ગજેન્દ્રશંકર લાલશંકર પંડયા g૭. ગટુલાલ ગોપીલાલ ધ્રુ . ૫. ગટુલાલજી
ગણપતરામ અનુપમરામ ત્રવાડી
- ગણપતરામ રાજારામ ભટ્ટ ૪૧ ગણેશજી જેઠાભાઈ દુબળ ૮૨. ગંગાશંકર મણિશંકર વૈષ્ણવ ૮૩. ગિજુભાઈ ભગવાનજી બધેકા ૮૪. ગિરિજાશંકર મયારામ ભટ્ટ (બિરીશ) ૮૫. ગિરિજાશંકર વલ્લભજી આચાર્ય ૮૬. શ્રી ગિરિધરશર્માજી.
ગુણવંતરાય આચાર્ય ૮૮. ગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર ૮. હાજી ગુલામઅલી હાજી ઈસ્માઈલ (રહીમની) ૨. ગોકુળદાસ કુબેરદાસ મહેતા ૮. ગોકુળદાસ દ્વારકાદાસ રાયચુરા હિર. ગોપાલજી કલ્યાણજી દેલવાડાકર
છે.
૮૦.
:
૧૫૫
૧૯
(
૧૨૧
Page #332
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
૮
૧૯
૦ ૦
૧૦૮
ર:
૦ ૦
"
પ
૨૧
૦ ૦
૦
૦
૦
૧૫
૨૧
થથ અને ગ્રંથકાર પ. ૧૬ ગ્રંથકારનું નામ.
પુસ્તક ૯. ગોપાળરાવ ગજાનન વિકાસ
૧૦ ૧૭ ૯૪. ગોપાળરાવ હરિ દેશમુખ
૧૦ ૪૧ ૯૫. ગોપાળરાવ ડાહ્યાભાઈ એજીનિયર
૫ ૧૫૮ ૯૬. ગોવર્ધનદાસ કહાનદાસ અમીન
૧૫૬ ૯૭. ગોવિંદભાઈ રામભાઈ અમીન ૯૮. ગોવિંદભાઈ હરિભાઈ પટેલ ૯૮. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ ૧૦૦. ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી (ધૂમકેતુ) ૧૧. ચતુરભાઈ શંકરભાઈ પટેલ ૧૦૨. ચતુર્ભુજ માણકેશ્વર ભટ્ટ
૫૧ ૧૦૩, ચંદુલાલ જેઠાલાલ વ્યાસ
૧૨૪ ૧૦૪. ચંદુલાલ મણિલાલ દેસાઈ
૧૪૧ ૧૫. ચંદ્રવદન ચીમનલાલ મહેતા ૧૦. ચંદ્રવદન ચુનીલાલ શાહ ૧૦૭. ચંદ્રવિદ્યાનંદ શ્રીકૃષ્ણાનંદ પંડયા,
૧૨૩ . ૧૯૮. ચંદ્રશંકર અમૃતલાલ બૂચ
૫૮ ૧૦૯. ચંદ્રશંકર નર્મદાશંકર પંડળ્યા ૧૧૦. ચંદ્રશંકર પ્રાણશંકર શુકલ ૧૩. ચંદ્રશંકર મણિશંકર ભટ્ટ ૧૧૨. ચંપકલાલ લાલભાઈ મહેતા ૧૧૩. શ્રીમતી ચાલેંટે ૧૧૪. ચાંપશી વિઠ્ઠલદાસ ઉદ્દેશી ૧૧૫. ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ ૧૧૬ ચીમનલાલ દામોદરદાસ પિાઠી ૧૧. ચીમનલાલ મગનલાલ ડોકટર ૧૧૮. ચુનીલાલ વર્ધમાન શાહ ૧૨૯. છગનલાલ ઠાકોરદાસ મોદી ૧રક છગનલાલ વિદ્યારામ રાવળ ૧૨૧. છગનલાલ હરિલાલ પંડયા ૧રર. છોટાલાલ ચંદ્રશંકર શાસ્ત્રી ૧૩. છોટાલાલ ડાહ્યાભાઈ જાગીરદાર ૧૨૪. છોટાલાલ નરભેરામ ભટ્ટ
- - - ૪
૫૩.
- - -
૫૮
- - -
૧૦૫
૨૧
-
ર
-
-
=
૧૮
- અ
Page #333
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-સૂચિ
ગ્રંથકારનું નામ
૧૨૫. છેોટાલાલ ખાલકૃષ્ણુ પુરાણી ૧૨૬, ટાલાલ માનસિંહુ કામદાર ૧૨૭. જગજીવન કાલિદાસ પાઠક
૧૨૮. · જગજીવનદાસ ત્રિકમજી કાઠારી (એલિયા જોષી)
૧૨૯. જગજીવનદાસ દયાળજી મેાદી જગજીવનદાસ માવજીભાઈ કપાસી
૧૩.
૧૩૧. જગન્નાથ દામેાદર ત્રિપાઠી (સાગર) ૧૩૨. જટાશંકર ઇશ્વરચંદ્ર નાન્દી
૧૩૭,
૧૩૩. જટાશંકર જયચંદભાઈ આદીલશાહ ૧૩૪. જટાશંકર લીલાધર ત્રિવેદી ૧૩૫. જદુરાય દુ`ભજી ખડિયા ૧૩૬. જનાર્દન નાનાભાઈ પ્રભાસ્કર જનુભાઈ અચરતલાલ સૈયઢ ૧૩૮. જન્મશ ંકર મહાશંકર બૂચ (લલિત) ૧૩૯. જમિયતરામ ગૌરીશ'કર શાસ્ત્રી ૧૪૦, જયકૃષ્ણે નાગરદાસ વર્મા ૧૪૧. જયંતકુમાર મણિશ કર ભટ્ટ ૧૪ર. મુનિશ્રી જયંતવિજયજી ૧૪. જયંતિ ઘેલાભાઈ દલાલ ૧૪૪. જયંતિલાલ નરાત્તમ ધ્યાની ૧૪૫. જયંતિલાલ મફતલાલ આચાય જયમનગૌરી બેામેશચંદ્ર પાઠકજી જયરામ જેઠાભાઈ નયગાંધી જયસુખરામ પુરુષાત્તમ જોષીપુરા ૧૪૯. જયસુખલાલ કૃલાલ મહેતા ૧૫૦. જયેન્દ્રરાય ભગવાનલાલ દૂરકાળ ૧૫૧. જાંગીર અરદેશર તાલિયારખાન ૧૫૨. જહાંગીરજી નસરવાનજી પટેલ (ગુલ્ફ્રામ) ૧૫૩. જાફરઅલી મિસ્ત્રી (અસીર) ૧૫૪, મુનિશ્રી જિનવિજયજી
૧૪.
૧૪૦.
૧૪૮.
૧૫૫. જીવનજી જમશેદજી મેાદી ૧૫૬. જીવનલાલ અમરશી મહેતા
પુસ્તક.
હું
ટ્
२
૧૦
૫
७
૩.
૧
d
૪
૪
૨
૯
૯
૧૦
3
ર
૧૦૯
પૃષ્ઠ
૨૪
૧૯૨
૧૯;
૨૫:૧૦૯
Ap
૧૧૨
૧૨૦
૨૬
૧૫૯
૨૦૯
RE
૭૩
RE
કર
*
૧૨૨
1૧૩
૩.
૧૪
પ
હ
૨૮
ર૧.
સ
83
૭૪
૮૫
૨૦
૧૬૦
૭૯
७७
i
Page #334
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકારનું નામ ૧૫. જીવાભાઈ રેવાભાઈ પટેલ ૧૨. જુગતરામ ચિમનલાલ દવે ૫. જેઠાલાલ ગેાવનદાસ શાહ ૧૬. જેઠાલાલ ચિમનલાલ શાહ ૧૬-૧. જેઠાલાલ જીવણલાલ ગાંધી ૧૬૨. જેઠાલાલ નારાયણ ત્રિવેદી ૧૬૩. જેાંગીર બહેરામજી મર્ઝબાન ૧૬૪. રેવર્ન્ડ જોસેફ ટેલર ૧૬૫. યેતીન્દ્ર હરિહરશંકર વે
૧૬૬. જ્યાહ્ના શુકલ
૧૬૪. ઝવેરચંદ કાલિદાસ મેધાણી ૧૬૮, ઝવેરીલાલ ઉમિયાશકર યાજ્ઞિક
ગ્રંથ અને શથકારે
પુસ્તક
૧૬૯. ઝીણાભાઈ રતનજી દેસાઇ (સ્નેહરશ્મિ) ૧૭. ડાર્યાભાઈ ધેાળશાજી
૧૯૧. ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી (સ્કુલબુલ)
૧૭૨. ડાહ્યાભાઇ લક્ષ્મણભાઇ પટેલ ૧૩. હુ ગરશી ધરમશી સંપટ ૧૭૪. ડૉલરરાય રંગીલદાસ માંકડ ૧૦૫ તારાચંદ પાપટલાલ અડાલજા ૧૭૬. તારાબહેન મેડિક
૧૯૭. ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ
૧૭૮. ત્રિભુવન જમનાદાસ શેઠ
૧૯. ત્રિભુવન પુરુષેત્તમદાસ લુહાર (સુંદરમ) ૧૮૦. ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદી ૧૮૧. ત્રિભુવનદાસ કલ્યાણુદાસ ગજ્જર ૧૮૨. ડૉ. ત્રિભુવનદાસ મેાતીચંદ શાહ ૧૮૩. દત્તાત્રેય બાલકૃષ્ણુ કાલેલકર ૧૮૪. દત્તાત્રેય બાલકૃષ્ણ ડીસકળકર ૧૮૫ દલપતરામ ડાહ્યાભાઈ કવિ ૧૮. દલપતરામ પ્રાણજીવન ખખ્ખર ૧૮૭. દામેાંદર ખુશાલદાસ ખેાટાદકર ૧૮૮. દીપક્ખા દેસાઈ
૯
'
હું
૫
૩
હું
૧
૯
ર
૧૦
૯
t
૯
૧
ર
૧
૧
૪
૯
પૃષ્ઠ
૨૫
૧૫
૨૫
૨૩
16
૩૫
२४
૧૨૦
ot
૧૧૬
૨૬
૪૪
૧૧૯
૧૨૩
G
૨૬
}}
૯.
૨૯
૯૧
૩૧
૩૬
૧૨૭
૨૮
૩૦
ફર
33
૧૯૩
૪
33
પ
૩૫
Page #335
--------------------------------------------------------------------------
________________
યથામયિ
પ્રચારનું નામ ૧૮૯. દુર્ગારામ મછારામ દવે (મહેતાજી) ૧૯૦. દુર્ગાશ'કર કેવળરામ શાસ્ત્રી ૧૯. દુર્ગેશ, તુળજાશંકર શુકલ ૧૯૨. દુર્લભ શ્યામ ધ્રુવ ૧૯૩. દુલ`ભજી ત્રિભુવન ઝવેરી ૧૯૪. દુલેરાય છે.ટાલાલ અંજારિયા ૧૯૫. દુલાભાઈ ભાયાભાઈ કાર્ ૯૬. દેવકૃષ્ણ પીતાંબર જોષી ૧૯૭. દેવચંદભાઈ શેઠ ૧૯૮. દેવશ’કર વૈકુંઠજી ભટ્ટ ૧૯૯. દેશળજી હાનજી પરમાર ૨૦૦. દોલતરામ કૃપારામ પંડયા ૨૦૧. ધનજીભાઇ ફકીરભાઈ ૨૦૨. ધનપ્રસાદ ચંદાલાલ મુનશી ૨૩. ધનશંકર હીરાશ કર ત્રિપાઠી ૨૪. ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા ૨૦૫: ધીરજલાલ અમૃતલાલ ભટ્ટ ૨૦૬ ધીરજલુાલ ટાકરશી શાહ ૨૦૧. ધીરસિદ્ધ વહેરાભાઈ ગાહિલ ૨૦૮. નગીનદાસ નારણદાસ પારેખ ૨૯. નટવરલાલ ઇચ્છારામ દેસાઈ ૨૧. નટવરલાલ કનૈયાલાલ વૈષ્ણવ ૨૧. નટવરલાલ મૂળચંદ વીમાવાળા ૨૧૨, નટવરલાલ રણછેાડદાસ શાહ 23. નત્યુસિંહ . ચાવડા ૨૧૪. મહારાજશ્રી નથુરામ શર્મા
'
૨૧૫. નથુરામ સુંદરજી શુકલ
૨૩૬. નરભેશ્ કર પ્રાણુજીવન દવે (કાઠ્યિાવાડી) ૨૧. નરસિંહુભાઈ ઈશ્વરભાઈ પટેલ ૧૮. નરિસ’ભાઈ મૂળજીભાઈ શાહ નરિસંહરાવ ભોળાનાથ દીવેટિયા
૨૧૯. ૨૨૦. નરહિર દ્વારકાદાસ પરીખ
પુસ્તક
:૨૦
'
૧૦
૧
م
وید
પૃષ્ઠ
y&
૯૩
}
Re
३८
૧૨૦
૧૨-૧
૧૧
.૩૯
૪
૪.
HULE
૧૮૦
દ
૧૨૯
૧૩૧.
૧
૪
X
૧૩૪
te
૧૯૪
૪૨
ઢ
૧૨
૩૯
૧૧૪
३७
Page #336
--------------------------------------------------------------------------
________________
કાર
૧૦
પુસ્તક
પૃષ્ઠ
૧૦૮ ૧૧૨
૨૧૩ ૧૧૪
.' ૪૧
૧૧૫
૮૭
૨૧૯
૧૫
૧૦૧ ૪૪
૨
ગ્રંથ અને : - ગ્રંથકારનું નામ ર૪૧. નરહરિ બી. શર્મા ૨૨૨. નર્મદાશંકર દેવશંકર મહેતા રર૩. નર્મદશંકર બાળાશંકર પંડયા ૨૨૪. નર્મદાશંકર ભોગીલાલ પુરોહિત ૨૫. નર્મદાશંકર લાલશંકર કવિ ૨૨૬. નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદી * - ૨૨૭. નલિનકાન્ત નરસિંહરાવ દીવેટિયા ૨૨૮. નવલરામ જગન્નાથ ત્રિવેદી ૨૯. નવલરામ લક્ષ્મીરામ પંડયા ૨૦. નંદશંકર તુળજારામ મહેતા ૨૩૧. નાગરદાસ અમરજી પંડયા ૨૩૨. નાગરદાસ ઈશ્વરભાઈ પટેલ ૨૩. નાગરદાસ રેવાશંકર પંડયા ૨૩૪. નાગેશ્વર કવિ ૨૫. નાજુકલાલ નંદલાલ ચોકસી ૨૩૬. નાથાલાલ ભાણજી દવે ૨૭. નારાયણ મેરેશ્વર ખરે ૨૩૮. નારાયણ વિસનજી ઠકકુર ૨૩. નારાયણ હેમચંદ્ર ૨૪. નારાયણશંકર દેવશંકર વૈદ્યશાસ્ત્રી ૨૪૧. નૃસિંહપ્રસાદ ભગવાનદાસ વિભાકર ૨૪૨. નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ : ૨૪૩. શ્રી. નૃસિંહાચાર્યજી ૨૪૪. મુનિશ્રી ન્યાયવિજયજી ૨૪૫. ન્હાનાલાલ ચમનલાલ મહેતા ૨૪૬. ન્હાનાલાલ દલપતરામ કવિ ૨૪૭. પન્નાલાલ નાનાલાલ પટેલ ૨૪૮. પાલનજી બરજોરજી દેસાઈ ૨૪૮. પીરોજશા જહાંગીર મર્ઝબાન (પીજામ) ૨૫૦. પીંગળશી પાતાભાઈ નરેલા ૨૫૧. મુનિશ્રી પુણ્યવિજયજી : ર૫ર. પુરુષોત્તમ જોગીભાઈ ભટ્ટ
૪૧
૪૨
૧૨૫ ૪૫
૧૨૦ ૧૦૪
૧૯૬
૧૭ ૧૧૬
૪૪ ૧૨૨
૪૬
હ૮ -
૪૭,
Page #337
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
૧૨૭ ૭૧
V
૫
જ.
છે.
*
૧૩૮
૫૭
ગ્રંથકારનું નામ ૨૫૭. પુરુષોત્તમ વિશ્રામ માવજી ૨૫૪. પુરુષોત્તમ શીવરામ ભટ્ટ ૨૫૫. પૂજાલાલ રણછોડદાસ દલવાડી ૨૫૬. પૃથુલાલ હરિકૃષ્ણ શુકલ ૨૫૭. પિચાઇ નસરવાનજી પાલીવાલા ૨૫૮. પોપટલાલ ગોવિંદલાલ શાહ ૨૫૯. પિપટલાલ જેચંદ અંબાણું ૨૦. પિપટલાલ પુંજાભાઈ શાહ . ૨૬. પ્રભુદાસ લાધાભાઈ મોદી ૨૨. પ્રસન્નવદન છબીલરામ દીક્ષિત ૨૬૩. પ્રહૂલાદ ચંદ્રશેખર દીવાનજી . ૨૬૪. પ્રત્ લાદ જેઠાલાલ પારેખ
૫. પ્રાણલાલ કીરપારામ દેસાઈ ૨૬. પ્રાણશંકર પ્રેમશંકર ભટ્ટ !
પ્રીતમરાય વ્રજરાય દેસાઈ પ્રેમશંકર હરિલાલ ભટ્ટ ફતેહચંદ લાલન,
ફિરોઝ કાવસજી દાવર ૨૭૩. ફૂલચંદ ઝવેરદાસ શાહ ૨૭ર. બચુભાઈ પિપટભાઈ રાવત ૩૭૩. બચુભાઈ પ્રભાશંકર શુકલ ર૭૪. બટુભાઈ લાલભાઈ ઉમરવાડિયા ૨૭૫. બહેચરલાલ ત્રિકમજી પટેલ વિહારી) ૨૭૬. બહેરામજી મલબારી ર૭. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ૨૭૮. બાપાલાલ ગરબડદાસ શાહ ૨૭૯ બાળકૃષ્ણ ચુનીલાલ જોષી (જાતિ) ૨૮૦. બાલાભાઈ વીરચંદ દેસાઈ (જયભિખુ) ૨૮૧. બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા ૨૮૨. શ્રીમદ્ બુદ્ધિસાગરજી ૨૮૩. કવિ બુલાખીરામ ચકુભાઈ ૨૮૪. પં. બેચરદાસ જીવરાજ દેશી
૧૬૮
,
39.
પર
૧૨૧
૧૨૯
૫ર
૫૪ ૧૩૧
8
૫૪
૧૨૯ ૫૫
Page #338
--------------------------------------------------------------------------
________________
ધ અને કથાર ૧૦
દે
છે -
૧૩૧
" જ
-૫૮
જ જ
છે
૧૫
» S
૧૩૬ ૧૩૪
૧૦૮ ,
૫૭
ગ્રંથકારનું નામ ૨૮૫. . ભગવાલાલ ઈદ્રજી ૨૮૬. ભગવાનલાલ લક્ષ્મીશંકર માંકડ ૨૮૭. ભગુભાઈ ફત્તેચંદ કારભારી ૨૮૮. ભરતરામ ભાનુસુખરામ મહેતા ૨૮૯. કવિ ભવાનીશંકર નરસિંહરામ ' ' ૨૯૦. ભાઈચંદ પૂજાલાલ શાહ ૨૦૧. ભાઈશંકર કુબેરજી શુકલ ૨૯૨. ભાઈશંકર નાનાભાઈ ભટ્ટ ૨૯૩. ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા
ભાસ્કરરાવ ગજાનન વિકાસ ૨૫. ભીખાભાઈ પરષોત્તમ વ્યાસ ૨૯. ભીમરાવ ભોળાનાથ દિવેટિયા ૨૭. ભૂલાભાઈ જીવણજી દેસાઈ ૨૯૮. ભેગીન્દ્રરાવ રતનલાલ દીવેટિયા ૨૯૯. બેંગ્રીલાલ કેશવલાલ પટવા ૩૦૦. ભોગીલાલ જયચંદ સાંડેસરા “૩૦૧. ભેળાનાથ સારાભાઈ ૩૨. ભોળાશંકર પ્રેમજી વ્યાસ ૩૦૩. મમતભાઈ ચતુરભાઈ પટેલ ૦૪. મળનભાઈ ભૂધરભાઈ પટેલ (પતીલ) ૩૦૫. મગનલાલ ગણપતિરામ ૩૦૬. મગનલાલ દલપતરામ ખyખર
મગનલાલ નરોત્તમદાસ પટેલ ૩૦૮. મગનલાલ લાલભાઈ દેસાઈ (કેલક) ૩૦૯. મગનલાલ લીલાધર દ્વિવેદી ૩૧૦. મગનલાલ વખતચંદ શેઠ ૧૧. મગનલાલ શંકરભાઈ પટેલ ૩૧૨. મટુભાઈ હરગોવિંદદાસ કાંટાવાળા
૧૦. મણિભાઈ હરિભાઈ દેસાઈ ૩૧૪. મણિલાલ ઈચ્છારામ દેસાઈ ૩૧૫. મણિલાલ છબારામ ભટ્ટ ૧૬. મણિલાલ છોટાલાલ પારેખ
, ૦ ૪ ૦ ૪
૧૩૮ ૧૬૮
૧૩
૦ ૦
૦ ૪ ૦
૧૪૦ ૧૨૪
૭૩
૦
૧૧૩
× જ
ન
૧૪
» જ
- ૦
૧ ૭
૧૪ ૨૦૦
Page #339
--------------------------------------------------------------------------
________________
પુસ્તક
પૃષ્ઠ
૭૫
૭૪
૧૪૫
પટ
૮૮
૧૪૪.
ગ્રંથકાવ્યષિ
ગ્રંથકારનું નામ ૩૧૭. મણિલાલ જાદવરાય ત્રિવેદી ૧૮. મણિલાલ જીવાભાઈ દ્વિવેદી ૩૧૯. મણિલાલ દલપતરામ પટેલ ૩૨૦. મણિલાલ નભુભાઈ દોશી ૩૨૧. મણિલાલ નભુભાઈ દ્વિવેદી ૩૨૨, મણિલાલ મોહનલાલ ઝવેરી ૩૨૩. મણિલાલ મોહનલાલ પાદરાકર ૩૨૪. મણિશંકર ગોવિંદજી વૈદ્યશાસ્ત્રી ૨૫. મણિશંકર જટાશંકર કીકાણી ૩૨૬. મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત) ૩૨૭. મધુવચરામ બળવચરમ હોરા ૩૨૮. મનમોહનભાઈ પુરુષોત્તમ ગાંધી ૩૨૯, મનસુખલાલ મગનલાલ ઝવેરી ૩૩૦. મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી ૩૩૧. મનહરરામ હરિહરરાય મહેતા ૩૩૨. મનુ હ. દવે ૩૩૩. મનુભાઈ નંદશંકર મહેતા ૩૩૪. મનુભાઈ રાજારામ પંચોળી (દર્શક) ૩૩૫. મનુભાઈ લલ્લુભાઈ જોધાણી ૩૩૬. મયારામ શંભુરામ ૩૩૭. મલહાર ભીખાજી બેસરે ૩૩૮. મહમદ સાદીકા ૩૩૯. મહમદઅલી ભેજાણી ૩૪૦. મહાદેવ હરિભાઈ દેસાઈ ૩૪૧. ડે. મહાદેવપ્રસાદ ભોગીલાલ કંથારિયા ૩૪૨. મહાશંકર ઈન્દ્રજી દવે ૩૪૪. મહાસુખભાઈ ચુનીલાલ શેઠ
૪૪. મહીપતરામ રૂપરામ નીલકંઠ ૩૪૫. મહેરજીભાઈ માણેકજી રતુરા ૩૪૬. મંગળજી હરજીવન ઓઝા ૩૪૭. મુનિશ્રી મંગળવિજયજી ૩૪૮. મંજુલાલ જમનારામ દવે
૧૪૨ ૧૨૫
૧૪૪
૬૨
૧૪s.
૧૪
૧૨૬
૧ ૧૪૬
૧૨૪ ૧૭૧
૧૫ર
Page #340
--------------------------------------------------------------------------
________________
t
ગ્રંથ અને થથકા પુર્વ ૧
પુસ્તક
પૃષ્ઠ
ગ્રંથકારનું નામ ૪૯. મજુલાલ રણછેાડલાલ મજમુંદાર ૩૫. માણેકલાલ ગાવિ દલાલ જોષી ૩૫. માધવજી ભીમજીભાઈ મચ્છર્ રૂપર. માધવરાવ બાબારાવ દીવેટિયા ૩૫૩. માધવલાલ ત્રિભુવન રાવળ ૩૫૪. માનશંકર પીમાંબરદાસ મહેતા ૩૫૫. માવજીભાઈ દામજી શાહ ૩૫૬. મુકુન્દરાય વિજયશંકર પટ્ટણી (પારાશય†)
૩૫૭. મુરલીધર રામશંકર ઠાકુર ૩૫૮. મૂલચંદ્ર તુલસીદાસ તેલીવાલા ૩૫૯. મૂળજી દુ’ભજી વેદ ૩૦. મૂળજીભાઈ પી. શાહ ૩૬૧. મૂળશ'કર પ્રેમજી બ્યાસ ૩૬૨. મૂળશંકર માણેકલાલ યાજ્ઞિક ૩૬૩. મૂળશંકર હરિનંદ મૂલાણી ૩૬૪. સર મેહેમુમિયાં ઈમામબક્ષ કાદરી ૩૬૫. માતીલાલ રવિશંકર ઘેાડા ૩૬ર્યું. મહાત્મા માહનદાસ કરર્મચંદ ગાંધી ૩૬૭. માહનલાલ તુળસીદાસ મહેતા (સૈાપાન) હું૮. મેાહનલાલ પાવ તીશકર દવે ૩૬૯. યજ્ઞેશ હરિહર શુકલ ૩. યશવંત સવાઈલાલ પડયા ૩૭૧. યશવંતરાય ગુલાખભાઈ નાયક ૩૭૨. યુસુફ અબદુલગની માંડવિયા ૩૭૪, રણછેાડ” અમરજી દીવાન ૩૪. રણુડદાસ ગીરધરદાસ ૩૭૫: રણછેાડદાસ વૃંદાવનદાસ પટવારી ૩૭૬. રણછેાડભાઈ ઉદયરામ દવે
૩૭. રણુજીતરામ વાવાભાઈ મહેતા
૩૮. રતિપતિરામ ઉદ્યમરામ પંડયા
૧૦
૯
૨
૨
૯
R
૯
८
}
૫
ટ્
૪
ર
૯
૫
ર
૧૦
૯
ટ
૪
८
♦
૩૯. રતિલાલ નાનાભાઈ તન્ના (શારદાપ્રસાદ વર્મા) ૧૦ ૩૮૦. રતિલાલ માહનલાલ ત્રિવેદી
૧૫
૧૦૦
By
×
પ
G†
૧૨૦
૧૨૦
૧૨૮
૦૪
૧૨૯
૧૪૯
७८
}છ
૧૩૦
૧૪૮
i૪
૭૯
૧૩૨
૧૫૧
૧૫૯
e
૭૬
૧૩
७७
૧
૧૩૫
૧૫૯
૧૧૭
S
st
st
હે
Page #341
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ ૨૦૨
૮૫ ૧૫૦ ૧૭૪ ૧૭૮
૮૯
૧૨
૦ ૦
કારિરી
ગ્રંથકારનું નામ ૩૧. રતિલાલ વિઠ્ઠલદાસ દલાલ ૩૪૨. મુનિશ્રી રત્નચંદ્ર સ્વામી ૩૮. રમણભાઈ મહીપતરામ નીલકંઠ ૩૮૪. રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક ૩૮૫. રમણલાલ ન. વકીલ ૩૮૬. રમણલાલ નાનાલાલ શાહ ૩૮૭. રમણલાલ પી. સેની ૩૮૮. રમણલાલ વસંતલાલ દેસાઈ ૩૮૯, રમણીકરાય અમૃતલાલ મહેતા ૧૩૯૦. રમણીકલાલ જયચંદભાઈ દલાલ ૩૮૧. રમેશ રંગનાથ ઘારેખાન ૩૯૨. રવિશંકર ગણેશજી અંજારિયા ૩૯૩. રવિશંકર મહાશંકર જોષી ૩૮૪. રવિશંકર મહાશંકર રાવળ ૩૫. રંગનાથ શંભુનાથ ઘારેખાન ૩૯૬. રંગીલદાસ લક્ષ્મીદાસ સુતરિયા ૩૯૭. રંજીતલાલ હરિલાલ પંડયા ૩૯૮. શ્રી રાજચંદ્ર પંચાણુ ૩૯. રાજેન્દ્ર સોમનારાયણ દલાલ ૪૦૦. રામચંદ્ર દામોદર શુકલ ૪૧. રામનારાયણ નાગરદાસ પાઠક ૪૦૨. રામનારાયણ વિશ્વનાથ પાઠક ૪૦૩, રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ ૪૦. રામપ્રસાદ મોહનલાલ શુકલ ૪૦૫. રામમોહનરાય જસવંતરાય દેસાઈ ૪૦૬. રામલાલ ચુનીલાલ મેદી ૪છે. રામચંદ્ર મનજી ભટ્ટ ૪૮. રૂપશંકર ઉદયશંકર ઓઝા (સંચિત)
રૂસ્તમજી બરજોરજી પમાસ્તર ૪૦. રેવાશંકર ઓઘડભાઈ સોમપુરા ૪૧૧. લક્ષ્મણભાઈ કાશીભાઈ રામી ૪૧૨. લક્ષ્મીનારાયણ રણછોડભાઈ વ્યાસ (સ્વપ્નસ્થ) ૪૧૩. લક્ષ્મીબેને ગોકળદાસ ડાસાણી
- ૯૩ ૨૦૩ ૧૫૦ ૧૭૫
૦ ૦
૧૬૬
૦ ૦ ૦ ૦ ૦ ૦
૭૦ ૧૩૬
:
• = = • =
૧૭૦
૭૧ ૧૫૨ ૧૭૩ ૧૬૮
..
૧૬૩
જ છે. ભ
.
www : 6
જી
Page #342
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથાલય પુ. ૧૦
- પુસ્તક
98
+
૦
૧૭૦
૧ ૨ ૦
૧૦૦ ૧૦૨ ૨૧૬
૦
૦ ૦ ૦
૧૫૫
૮૨ ૧૩૧
૦
૭૫
૮૪
૦ ૦
૧૭૬
ગ્રંથકારનું નામ ૪૧૪, લતીફ ઈબ્રાહીમ ૪૧૫. લલિતમોહન ચુનીલાલ ગાંધી ૪૧૬. લાલશંકર ઉમિયાશંકર દવે ૪૭. લીલાવતી કનૈયાલાલ મુનશી ૪૧૮. વલ્લભજી ભાણજી મહેતા ૪૧૯. વલ્લભજી હરિદત્ત આચાર્ય કરે. વલભદાસ પોપટલાલ શેઠ ૪૨૧. વલીમહમદ મામીન ૪૨૨. વસંતરામ હરિકૃષ્ણ શાસ્ત્રી ૪૨૩. વાધજી આશારામ ઓઝા ૪૨૪. વાડીલાલ મોતીલાલ શાહ ૪૨૫. વાસુદેવ રામચંદ્ર શેલત ૪૨૬. શ્રી વિજયકેસરસૂરિ ૪૨૭. વિજયરાય કલ્યાણરાય વૈજ્ઞ ૪૨૮. વિજયલાલ કનૈયાલાલ ધ્રુવ ૪૨૯. વિજયાલક્ષ્મી ત્રિવેદી ૪૩૦. મુનિશ્રી વિજયેન્દ્રસૂરિ ૪૩૧. વિઠ્ઠલરાય ગોરધનપ્રસાદ વ્યાસ ૪૩૨. લેડી વિદ્યાબહેન રમણભાઈ નીલકંઠ ૪૩. મુનિશ્રી વિદ્યાવિજયજી ૪૩૪. વિદ્યાશંકર કરુણાશંકર આચાર્ય ૪૩૫. વિનાયક નંદશંકર મહેતા ૪૩૬. વિનેદિની રમણભાઈ નીલકંઠ ૪૩૭. વિમળાગૌરી મેતીલાલ સેતલવાડ ૪૩૮. વિષ્ણુપ્રસાદ રણછોઠલાલ ત્રિવેદી ૪૩૯. વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય ૪૪૦. વિશ્વનાથ મગનલાલ ભટ્ટ ૪૪૧. વિશ્વનાથ સદારામ પાઠક ૪૪. વીરચંદ ગાંધી ૪૪૩. વેણલાલ છગનલાલ બૂચ ૪૪૪. વૈકુંઠલાલ શ્રીપતરાય ઠાકર ૪૪૫. વ્રજલાલ કાળીદાસ શાસ્ત્રી
- ૮ -
૧૮૦ ૧૭૯
૧૦૪
- -
૧૮૨ ૧૮૨
-
૧૦૩
૮૫
૦ * -
૧૮૪
૦
૮૦
૧૭૮
૦
૧૮૦
૦
૮૭.
૧૮૬
૦ ૦
૦ ૦
Page #343
--------------------------------------------------------------------------
________________
ગ્રંથાર-સૂચિ
ગ્રંથકારનું નામ
જ. શકરપ્રસાદ છગનલાલ રાવળ ૪૭. શકરલાલ ગંગાશંકર શાસ્ત્રી ૪૮. શ’કરલાલ મગનલાલ કવિ ૪૪. શંકરલાલ મગનલાલ પંડયા ( મણિકાન્ત )
૪૫૦ શ’ભુપ્રસાદ છેલશકર જોષીપુરા ૪૫૧. શાંતિલાલ ગુલાબદાસ તાલાટ ૪૫ર. શાંતિલાલ સેામેશ્વર ઠાકર ૪૫૩. શારદાબહેન સુમન્તભાઇ મહેતા ૪૫૪. ૫. શ્યામજી કૃષ્ણ વર્મા ૪૫૫. સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતા ૪૫૬, સત્યેન્દરાવ ભીમરાવ દીવેટિયા ૪૫૭ સરેાજિની મહેતા
૪૫. સાકરચંદ માણેકચંદ ઘડિયાળી ૪૫. સાકરલાલ અમૃતલાલ વે
૪. સાકરલાલ મગનલાલ કાપડિયા (મધુકર ) ૪૬૧. સારાભાઇ મણિલાલ નવાખ ૪}ર... સાંકળેશ્વર આશારામ
૪૩. સીતારામ જેશીંગભાઈ શર્મા
૪૪. પંડિત શ્રી સુખલાલજી સંધ∞ સંધવી ૪૫. (સા.) સુમતિ લલ્લુભાઈ શામળદાસ ૪૬૬ - સુરસિંહજી તખ્તસિંહજી ગાહિલ (કલાપી)
૪૬. સુરેશ ચતુરલાલ દીક્ષિત
•
>
૪૮. સુશીલ
૪૬૯. સુંદરજી ગાકળદાસ મેટાઈ
૪૭૦. સુંદરલાલ નાથાલાલ જોષી ૪૦૧. સૂર્ય રામ સામેશ્વર દેવાશ્રયી ૪૭ર. સેમ્યુઅલ સેાલી
૪૭૩, સૈયદ ઇમામુદ્દીન દરગાહવાલા ૪૭૪. સૈયદ મેટામિયાં ૪૫. સોરાબજી મ. દેસાઈ
૪૬, સોરાબજી શાપુરજી બંગાળી,
પુસ્તક
૫
૯
૨
૫
૫
૧૦
1
૧
૫
દ
૨
૪
૧
૧૦
૧૦
૧૦
૩
८
૫
૫
ર
૧
૯
૧૦
પૃષ્ઠ
૧૮૭
૧૩૦
૧૦૬
re
૧૯૩
૧૮૧
૮૩
૧૮૫
૯૭
૧૮૨
૯.
૧૦૦
૧૩૮
૧૯૪
૧૩૯
૧૪૦
૭૨
૧૯૫
L
૧૦૧.
૧૦૩
૮૪
૧૦૦
૧૮૫
૧૮૫
ટી
૮૫
૧૧૦
૧૦૯
૧૯૭
Page #344
--------------------------------------------------------------------------
________________ 141 , - 5. ન >> 0 0 0 2 201 શથ અને થાપા ગ્રંથકારનું નામ પુસ્તક પૃષ્ઠ 47. હરગોવિન્દ પ્રેમશંકર ત્રિવેદી 478. હરગોવિંદદાસ ઈશ્વરદાસ પારેખ 4. હરગોવિંદદાસ દ્વારકાંદાસ કાંટાવાળા 480. હરજીવન સોમૈયા 41. હરદાન પીંપળશી નરેલા 144 482. હરભાઈ દુર્લભજી ત્રિવેદી 205. 483. હરસિદ્ધભાઈ વજુભાઈ દીવેટિયા 156 484. હરિનારાયણ ગિરધરલાલ આચાર્ય 485. હરિપ્રસાદ બૈરીશંકર ભટ્ટ (મસ્તફકીર) 486. ડે. હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ 48. હરિરાય ભગવન્તરાય બૂચ 488. હરિલાલ નરસિંહરામ વ્યાસ જ૮૯. હરિલાલ માધવજી ભટ્ટ 49. હરિલાલ મૂળશંકર મૂલાણી 4. હરિલાલ હર્ષદરાય ધ્રુવ 492. હરિશંકર ઓઘડભાઈ ઠાકર 493. હરિશંકર માધવજી ભટ્ટ 494. હરિશ્ચંદ્ર ભગવતી શંકર ભટ્ટ 145 45. હરિહર પ્રાણશંકર ભટ્ટ 146 49. હસમુખલાલ મણિલાલ કાજી 89 497. હંસાબહેન મહેતા 115 498. હાજીમહમદ અલારખિયા શિવજી 499. હામીદમિયાં સામિયાં સૈયદ 500. હાશીમ યુસુફ ભરૂચા (ઝાર રાંદેરી) 501, હિંમતલાલ ગણેશજી અંજારિયા 502. હિંમતલાલ ચુનીલાલ શાહ - 111 53. હીરાચંદ કસ્તુરચંદ ઝવેરી 148 504. હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ 505. હીરાલાલ રસિકદાસ કાપડિયા 56. હીરાલાલ વ્રજભૂખણદાસ શ્રોફ 507. મુનિશ્રી હેમાંશુવિજયજી 5 188 0 0 0 0 4 1 (7 0 0 0 જ. 3. 4 5 - જે છ જ છે ? 210 12