SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ગયા દાયકાના વાડ્મય પર દષ્ટિપાત ૧૫ આ બધા વિવેચનસ'ગ્રહેામાં સાહિત્યવિચાર' અને દિગ્દર્શન ' તેના કર્તાની સ્વસ્થ તત્ત્વાન્વેષી અને સમતાલ વિચારસરણી તથા સત્ત્વગ્રાહી, રસદર્શી અને મધુર વિવેચનશૈલી વડે વિશેષે દીપે છે. તેમના લાક્ષણિક વ્યક્તિત્વથી અનેાખા બનેલા પ્રા, ઠાકારના ત્રણે વ્યાખ્યાનસંગ્રહેા નર્મદ, ગાવધનરામ, મણિલાલ, અને રમણભાઈ જેવા સાહિત્યકાશ તેમજ નવીન કવિતાના પ્રવાહે તથા લક્ષણા વિશેના તેમના તુલનાત્મક, તલસ્પર્શી, નીડર અને રહસ્યાદ્ઘાટક વિવેચનથી મનનીય બન્યા છે. ગૌ. ડાકારનુ' વિવેચન નર'િહરાવની જેમ ‘સમ' વિશેષણનુ અધિકારી સહેજે બની જાય છે. દી. બ. ધ્રુવના લેખા મુખ્યત્વે પ્રાચીન —મધ્યકાલીન ભાષા, સાહિત્ય અને છઠ્ઠા વિશેના છે. એ લેખા વ્યુત્પન્ન પંડિત, પ્રતિભાશાળી સ`શોધક, ભાષાના વિવિધ ચાના સૂક્ષ્મ નિરીક્ષક તથા ઝરણાં જેવી સ્વચ્છ પ્રવાહીને મધુર છતાં ગૌરવાન્વિત શૈલીના અભ્યાની સરજત છે. ‘વાગ્યાપાર’ જેવા લેખ તે ગુજરાતી ભાષા અને ઉચ્ચારશાસ્ત્રનું ઉત્તમ ધરેણું છે. શ્રી, મુનશી સાહિત્યના તાત્ત્વિક સિદ્ધાંતા ચતાં સાહિત્યની ચેાસ એકલક્ષિતા અને પરિભાષામાં ગૂ ́ચવાડા ઊભા કરે છે. તેમની રજૂઆતમાં અવિશદતાને ઉત્કટતાનું પ્રમાણુ વિશેષ છે. તેમની રસદૃષ્ટિ પાશ્ચાત્ય સાહિત્યથી ઘડાયેલી છે. આમ છતાં ગુજરાતભક્તિ અને સાહિત્યસર્જન પાછળને સ્વાનુભવભ્યાપાર તેમની પાસે અભ્યાસક્ષમ લેખા લખાવે છે. ધ્રો. પાઠકનાં ગ્રંથાવલાકના સમગ્ર પુસ્તકની સમીક્ષા કરવા કરતાં તેમાંના થાડાક ચર્ચાસ્પદ મુદ્દાઓની વિશદતા અને ઝીણવટથી છણાવટ. કરવા તરફ એક વધુ રાખે છે. તર્કશાસ્ત્રી અને તત્ત્વચિંતક પાઠકને વિવેચક પાઠકને ઉત્તમ લાભ મળેલા છે. નિકષરેખા’માંના ‘ સર્જનાત્મક આત્મકથા ' ‘'ડિતયુગનુ મહાકાવ્ય' અને મેધાણી વિશેના લેખા ઉત્તમ કક્ષાના છે. શ્રી. વિશ્વનાથની વિવેચનપદ્ધતિ અશેષ નિરૂપણુવાળી, પૃથક્કરણશીલ અને દીધ`સૂત્રી છે પણું તેથી તેમનું વિવેચન સ્વયંપૂર્ણ` અને સ`ગ્રાહી નીવડે છે. એમની શૈલીમાં ગૌરવ અને પ્રૌઢિની સાથે સરળતાની માત્રા પણ એટલી જ રહેલી છે. પ્રેા. વિષ્ણુપ્રસાદની વિવેચનશૈલી શ્રી. વિશ્વનાથથી તદ્દન જુદી પડી આવે છે. વિશ્વનાથ જો સ્વાભિપ્રાયેાતે અનેક પ્રમાણાથી સમર્થિત કરીને લંબાણથી રજૂ કરે છે તેા વિષ્ણુપ્રસાદ વેધક દૃષ્ટિથો વિવેચ્ચ પદાર્થના સત્ત્વને ઝડપથી ગ્રહી લઈ તે સુટિત લાધવથી મતદર્શન કરાવે છે. એમ કરતી વેળા તેઓ કૈંક રમતિયાળ અને સૌદર્ય રસિક બને છે; તેથી તેમની શૈલીમાં સર્જનાત્મક અંશા પ્રગટે છે. પણ એથી, સાહિત્યને તેમને અભ્યાસ *
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy