Book Title: Angabahya Agam Jain History Series 2
Author(s): Jagdishchandra Jain, Mohanlal Mehta
Publisher: 108 jain Tirth Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/001312/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જેના સાહિત્યનો બૃહદ ઈતિહાણા ભJ - ૨ તિય 3][+[ વધતી છે ? છે થGહા આ0) : પ્રકાશક: શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ પાલીતાણા-અમદાવાદ-મુંબઈ WWW.jainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ अशाखमापश्यदणामवनासिकाशिकानरपनिखसादिवासवर्मिमावकार्दामा मारवसुधागपशाचरमाच्यसारिवमानाचानसमाधनाामाकायदवहामि। सामधामपिवावमाधिकारवसनाचापिनाविशाखाउमापनाविलमकावला पिसायाविनाशिमातवयायामासयकसुमाशायकहरशास्विमतान दायकानयानश्वमायापिविकाशनोपविछानधायिकाचावयरिसमा एकवि इटीमालाकणयालयादवउमीनमपिपंचवीविनानियमावर्षाका कनिर्मचावलावालयनवालाशलानीयाध्यवासयाबादसवालसनेयमवमानात झंगनाधवनिर्मदजालुवाजनिसिछानाहानमनपत्तिाकाटोरखसवाई लालाटावकालिकावासामिधाकसमाधवनारायमाविसुविधाला पावल गाधनाबननायनाधिराजमंगमाविष्धात्यवाघोटनामसवमीयानगाउमा लिविवद्यामपटोवाडाइनामिराजर्दमावनिविविनावबलिछवियतयायविधा मापिानामगन्यासिनितायामयानानालकमावयाचमगावापारात मानवाइकागनाज्ञानसमापवाचिजनासदिन प्रयत्कासिवानचे वंगमानन्धविण्यायामासाहीशागवझणयन्नधिानिदचासुस्वामानासन क्षयमानाकिनानाडिमानानानादरमानासयमकामामिपयनदया निका४ायागिनायोनान्मानपशिनायनामापदानिार्थवसानिखिवधायनामन माधासुजननन्द्यानशालदरियाणसचिवांनाघनद्याविनावनादवानवान न्यन्नमनिलामन्चपनिासवानदिनविटमिययवासघनायायनामयन्तात्र gane समयानश्यामयामपाकमनवकमानावमानिकविमानशामादाय यसर अन्य मेशिकायनाचगाछदेनशानलायझमकलयविकतानाला सिमणिदाजालाहलाकलापमविवादायावयमपञ्चानुर्मासविधान नादावनामयणमेलाबखानामाविकचियासिनसनखधामक पावर पापदावायसमंजमसवासनिाविधीयमानलवणावतारामपिलानगीशिवका माताइन्यपरावावासमासदतावासिमावधिमादामविकासकाधिनमड किरागरूवामिनिभातानाज्ञपनियोतियाविीजावानारायवाखालण्यतमा सायनामचानाईचामाद्यानिवासामिवखसानोजियानिमणिशणिमयानाम mataमाजानवानखानसाशवदीशानियोसइसकिणयामालकाचावालक साथमायाmami Page #3 -------------------------------------------------------------------------- ________________ नाअन्तकमानाडकमा निमायागिनावानवान्माने मावासबननचद्यानशनिवेश न्यन्नमनिलामजपतिाकतवानदि झियमजसायमताजनघुनाथ आराधसाधु मदिखानागासा. दिखेछापखालंगानुकाकाक्षर सेकस्यिसअनामपियानामनकि बासुवासंतापसपनायम ममयातनामयाच्याकमा प्रत्याधिगाकार्यनाराज किनमणिदीपमालामाल नादावहानवमलाबसान पापदालायसनममस्वाज लायवधागनामासमबंद बादया वादवमाछिया शनिवनसिकभिवश्वस पानालियानास्मृदावर रसा संक्रमाल्यापरवावासमामदार किनावामवामितिमाशयविनाचा सायनामिवानाईखानदिद्यानिवासा माननाइलिवनयानहनावसुमायवाहनावमाकाद्यावार्षि मनाबमानधिमाधवाना समयान उलाननयमवातामयानानिमवविधावनमा लिकामानिमालयियनसनबसाझाग्राम शाचयागिधिनाथकानयनयामधार मासनकाऊयाmusनिनिमायगाकर मसsalimवामानामानाडा: केसम्मानबाजनानकादयन मुझगाइसवाट्वानोनचममा नविदनारक्षिबमनासच्या भिडायशियानावाकपमिनिमा बनधियययुगमावालकालिकमा यघाधिचिलययनncfarmusनि नरखनात्मकनावात क्वचिवनमामिमाााडि वभिश्वपरिडिनाव स्यकशाणमिडियायनाने भिकमेडलाउडयाशि PIC नासुमपावधियावउम॥४॥ मनावशास्वामिनाकतनीBE नामायावदिनताकचामायाडि नलगाराचनानिकिता कैराननासमिधानकर मावयवावेटरमधिया।इसनिः साकसमामाटmauवीनानाव दामादीनारणानलछाम निकाजारिवमानारनच्छा Lindain Educationाईमुगलसन्मधुवनयविनानsorarusam नाममयमालमडमयाद मामा Page #4 -------------------------------------------------------------------------- ________________ लिलावाचाmadhedabad P adप्रियमामामामिदवदव पदनिर्थिवसनानिावधानामुम शानायनवादिवशावनादवानवधानि यवाश्यासुखनाायायनामया बनधियाययुग्मगावालगानिकमा याशिविलयनानिmcfarmguनि मानिकविमानशामादा-प्रसार तलायीकलणविकताईसामसति विवादायाममपाडानमधामक्षिापय ययाशिमिशनधामकं पावर सानलणावतावासापलाराम कुल नासुप्रचाबघियावतमम॥३४७ मनावशास्वामिनाकननं373 नामायावदिननाकयानादार नलाबारावनानिमकिनक्षिशा काननासमिनमुनिक दि विनादानविधाका कातिमैड विधवानावस्यवायुवेलियतमा ज्ञानिमणिणिमयानिमावि सदकिणयामासकाशायासह मालिमाजालनणसावरान पराजासुजातासन्यवादविवाद युटीरामभकतापश्रमावमइमरपाय, सानियापसावरमायावालिमंज्याद सुखसयाद्याशदक्षिणकानुसयर प्पटा अपदिनीनवामिवाचवकणार सीवानानटनटन्नदीपावणकोनानकमा मिक्षकारयामामाताहादरूश्दा भक्तिमातिनायकवाणामचिना मचायनामावकाममा शिविराति एक अविमर्यगयामाकमान ३०१यंत्रनिवालाननाराबासावर चिमनविसास्वापाजियानिसमान अमाद्यमिकलक अर्थ सरमापक्षिमिवायपकासनिरवाओमटि देणारममालिनकिलकाअधिमऊग दावबामसेवमास जाननलिका खमावाड्युनामदनंददामटेनगंख्या गावापनाकिकामदयमफालाबनयानर मान सानामिवाध्याकालिनानामित मिसमियनेदनशानासने किंवझालाकिकमस्याहामाया नपानमवाटाण्यामविक म्यागामातिाकायदाणगाव स्या मिमा "इलिपिछवनवाला मानायतार्थपाना। यसितवासबछावालयंदाजामामा अझनाशनायाशावादावनिवा जिवानिवजाधिविश्वात्मयाडि यचारापकराणाम जारशाला समपदाहिनाकाबामासान मिहायामशानातानमार नयानिगयावानाब D ucatinternational LOEERNarespersghaluse only MOwialnelibrary.org Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ-વિજ્ઞાન-કસૂરસૂરિ ગ્રંથશ્રેણી નં. ૧૮ -- - -- જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસઃ ભાગ - ૨ - ------ અંગબાહ્ય આગમો – શુભાશિષ પ. પૂ. આચાર્યશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રતોપાસના પૂ. આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરિજી મહારાજ સહયોગ પાર્થ ચિંતામણી મેરો મેરો” શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુ જિનાલયની અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવની સ્મૃતિમાં શ્રી વિલેપાર્લા શ્વેતાંબરમૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચેરીટીઝ વિલેપાર્લા(પૂર્વ), મુંબઈ. પ્રકાશક શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ (શ્રી સમવસરણ મહામંદિર) પાલીતાણા-અમદાવાદ-મુંબઈ Page #6 -------------------------------------------------------------------------- ________________ -- - - तवो जोई जीवो जोईठाणं, जोगा सुया सरीरं कारिसंगं । कम्मेहा संजम जोगसंती, . होमं हुणामि इसिणं पसत्यं ॥ __ - उत्तराध्ययनसूत्र - - - તપરૂપી અગ્નિ, જીવરૂપી અગ્નિકુંડ અને મન, વચન, કાયાના યોગરૂપી શરીર છાણાં છે, આઠ કર્મ લાકડાંરૂપ છે, સંયમચર્યા શાંતિપાઠ છે – હું ઋષિઓ દ્વારા પ્રશસિત આવો યજ્ઞ કરું છું. - ઉત્તરાધ્યયનસૂત્ર -- - -- IT - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૨ અંગબાહ્ય આગમો લેખકો ડૉ. જગદીશ ચન્દ્ર જૈન ડૉ. મોહન લાલ મેહતા અનુવાદક ડૉ. રમણીક શાહ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ પાલીતાણા-અમદાવાદ-મુંબઈ Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ'ની ગુજરાતી આવૃત્તિના માનદ સંપાદકો ડૉ. નગીન શાહ ડૉ. રમણીક શાહ પ્રકાશક : શ્રી૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ, ૧૧૦, મહાકાન્ત, વી.એસ.હોસ્પીટલ પાસે, અમદાવાદ-૬. પ્રકાશન વર્ષ : ગુજરાતી આવૃત્તિ : પ્રથમ સંસ્કરણ ઈ.સ.૨૦૦૪ વિ. સં. ૨૦૬૦, નકલ : ૨૦૦૦ મૂલ્ય ઃ રૂા. ૨૪૦| લેસર ટાઈપ સેટીંગ : મયંક શાહ, લેસર ઈમ્પ્રેશન્સ ૨૧૫, ગોલ્ડ સૌક કોમ્પ્લેક્ષ, ઑફ સી. જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-૯. મુદ્રક : કે. ભીખાલાલ ભાવસાર માણિભદ્ર પ્રિન્ટર્સ ૩, વિજયહાઉસ, પાર્થ ટાવર, નવા વાડજ, અમદાવાદ-૧૩, Page #9 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ बन श्रुत नभोमंऽणना छन्द्रधनुषी सप्तरंगोनी ज्ञान दुनियाभा... सुटर माला प्रसरावता, प्रभु वयनो मने प्रलु उपटेशोना प्रभाशभूत सप्त ग्रंथोना पावन प्रेरठ सूरिमांधव.. પ. પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ पर माया શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ श्री १०८ बैन तीर्थदर्शन लवन ट्रस्ट Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પાર્શ્વનાથાય નમઃ घनघोर आ ठलिहाभां, साया सहारा छो तमे, निर्धन-धनि उत्तभ-अधभ सौने उगारो छो तभे, भुल्ने उगारी लो, पुआडी टो सशानां शाभां, हे यिंताभासी पार्श्वप्रभु, रहे सटा भुरस्भराभां पार्श्व श्री यिंताभाशी भेरो भेरो सहयोग पार्श्व थिंताभाशीपार्श्वनाथ प्रभु शिनालयनी अंग्नशताडा _प्रतिष्ठा महोत्सवनी स्मृतिभा श्री विलेपारो श्वेतांजरभूतिधूठ न संघ सेन येरीटी विलेपारो (पूर्व), मुंजछ. Page #12 -------------------------------------------------------------------------- ________________ Page #13 -------------------------------------------------------------------------- ________________ शाशिष न साहित्यमा समास Fuci रायसा Runwantinuman BM1 304 46HI FREE HIN२ विधानामत भोनिन५३५#HIMIRisinikRH "साहित्य2gesUMER" नामां Ramai #NE __YI पायपास मा nrtin ५ ५१.८ जनशन | हिंसात Mgy RAMU NE AN IMPOUNC पास "नाEिACE. SNETH"M-991Iinा नायियों RAMA HURन in win ahariya najnat R FARI AyuruRemen ५५. R EAD विधयाना authen HIRGINIan५१५ Ram Raut nasa M• मेयर 60- शा वा वि-२०FORE-Y-394t sigimylit yjore Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ । શ્રી વિમલનાથાય નમઃ । શ્રી મુનિસુવ્રતસ્વામિને નમઃ । મુંબઈ-વિલેપાર્લા પૂર્વ-મંડન . શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય પ્રતિષ્ઠા સ્મૃતિ મુંબઈ-વિલેપાર્લા-પૂર્વના આંગણે રાધનપુર-નિવાસી શ્રાવકરત્ન શ્રેષ્ઠિવર્ય શ્રી હીરાલાલ બકોરદાસ પરિવારે ગૃહ-જિનાલય બનાવી, તેમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ દાદાની વિ.સં. ૧૯૮૫ મહા.સુ. ૧૩ના પ્રતિષ્ઠા કરાવી. તે જિનાલય તથા તેની સાથેની મિલકતો વિ. સં. ૨૦૧૪માં શ્રીસંઘને સુપ્રત કરી. દયાળુ દાદાની અમીદ્રષ્ટિથી વન જેવું પાર્લા ઉપવન, નંદનવન જેવું બની ગયું. શ્રીસંઘના તે તે સમયના ટ્રસ્ટીઓ પૂજ્ય આચાર્ય ભગવંતોના માર્ગદર્શનાનુસાર યથોચિત સુધારા-વધારા કરતા રહ્યા. વિ. સં. ૨૦૨૧માં મહા સુ. ૭ના પાર્લા-પશ્ચિમમાં શ્રી ચંદ્રપ્રભસ્વામિજીનું જિનાલય કરાવ્યું. વિ. સં. ૨૦૪૨માં વૈશાખ સુ. ૬ના પાર્લા-પૂર્વ-નરીમાન રોડ ઉપર શ્રી વિમલનાથજીનું ગૃહ-જિનાલય કરાવ્યું. સકલશ્રીસંઘના સભ્યોની ભાવનાનુસાર દયાળુ દાદા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયનો આમૂલચૂલ જીર્ણોદ્ધાર કરી ત્રિશિખરીય, મેઘનાદમંડપ-ભૂષિત ત્રિમજલીય સંગેમરમરનું દેવવિમાન જેવું ભવ્ય જિનાલય તૈયાર કરાવ્યું. તેમાં મૂળનાયકજી શ્રીચિંતામણિ પાર્શ્વનાથજી, ભોંયરામાં નૂતન ભવ્ય શ્રીમુનિસુવ્રતસ્વામિજી, ઉપર નૂતન નવગ્રહ-જિનાલયમાં શ્રી વિમલનાથજી આદિ જિનબિંબોની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા પૂજ્યપાદ શાસનસમ્રાટ્ શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર Page #15 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનશણગાર પ. પૂ. આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ના ગુરુબંધુ, પાર્લા શ્રીસંઘના પરમોપકારી પ.પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા., પૂ. આચાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરિજી મ.સા. આદિ તથા પ.પૂ. આચાર્ય શ્રી વિજય ૐકારસૂરીશ્વરજી મ.સા.ના કૃપાપાત્ર શાંતમૂર્તિ પ. પૂ. આચાર્યશ્રી વિજય અરવિંદસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્ય શ્રી વિજય મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા. આદિ તેમજ પૂ. પં. શ્રી પુષ્પચંદ્ર વિ., ૫. શ્રી કૈલાસચંદ્ર વિ., ગણિ શ્રમણચંદ્ર-શ્રીચંદ્રપ્રશમચંદ્ર વિ., પ્ર. શ્રી કુશલચંદ્ર વિ., મુનિશ્રી શશી-પ્રિય-સંઘ-સિદ્ધશ્રેય-શ્રુત-સંવેગ-નિર્વેદ-નિરાગ-સુયશ-સંયમ-સત્ય-સુજશ-સુનયચંદ્ર આદિ પૂજ્ય સાધુ-સાધ્વીજી મ. ની પાવન નિશ્રામાં પાંચેકલ્યાણકની ભવ્ય ઉજવણી, સાધર્મિક ભક્તિ, જીવદયા- અનુકંપાદિ કાર્યો સહિત ચતુર્દશાહ્નિક જિનેન્દ્રભક્તિ-મહોત્સવપૂર્વક શ્રી સંઘના અનેરા ઉત્સાહઉમંગથી થઈ. પ્રભુ પ્રવેશઃ વિ.સં. ૨૦૫૯, પોષ વદ ૧૦, સોમવાર, તા. ૨૭-૧-૨૦૦૩. કલાકો સુધી અમીઝરણા અંજનશલાકા: વિ. સં. ૨૦૫૯, મહા સુદ ૬, શુક્રવાર, તા. ૭-૨-૨૦૦૩. પ્રભુપ્રતિષ્ઠા વિ. સં. ૨૦૫૯, મહા સુદ ૭, શનિવાર, તા. ૮-૨-૨૦૦૩. શ્રી વિલેપાર્લા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચેરીટીઝ વિલેપાર્લા(પૂર્વ)-મુંબઈ Page #16 -------------------------------------------------------------------------- ________________ આગમ દરિયો, અમૃત ભરિયો.... દૂર દૂર દેખાઈ રહ્યો છે દરિયો ... કેવો છે તેનો ઘૂઘવાટ ? ? ? કેવા ઉછળી રહ્યા છે, આકાશને આંબી જતા પાણીના તરંગો ?! કેવી અગાધ-ગંભીર છે તેની ઊંડાઈ ? ? ? લાગતું નથી તેનો પાર પામી શકાય ? લાગતું નથી તેનું માપ માપી શકાય ? લાગતું નથી તેનું પૂર્ણ પાન કરી શકાય ? લાગતું નથી તેના પેટાળમાંથી અમૂલ્ય રત્નો મેળવી શકાય ? છતાં ય લાગે છે... અવલોકનથી આનંદ અનુભવી શકાય, દિલથી દિલજાન દોસ્તી કરી શકાય, મનથી મઝા માણી શકાય, તે જ રીતે જિનાગમ અને જૈન સાહિત્યના સાગરનો પાર, અલ્પબુદ્ધિ આપણે ક્યાંથી પામી શકવાના? શ્રુતસાગરમાં ડૂબકી માર્યા વગર, તેનું મંથન કર્યા વિના, આગમ-સાહિત્યના અમૃતને, રત્નોને, રહસ્યોને ક્યાંથી જાણી શકવાના? છતાં ય તેના આછા આછા અવલોકનથી, સમુદ્રકિનારે લટાર લગાવતા રહેવાથી, કંઈક જાણકારીની અનુભૂતિનો અહેસાસ તો અવશ્ય થશે જ થશે... ભારતીય વાયને પૂર્વના પ્રાજ્ઞ જૈનાચાર્યોએ સમયે સમયે પોતાની પ્રતિભાના વૈભવથી સમૃદ્ધ બનાવવા અપૂર્વ યોગદાન આપેલ છે. આગમ, જૈનદર્શન કે પ્રકરણો જ નહિ પરંતુ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, કોશ, જ્યોતિષ, વૈદ્યક આદિ એવો કોઈ વિષય બાકી નહિ હોય કે જેને તે મહાપુરુષોએ પોતાની અનોખી કલમથી કંડાર્યો નહીં હોય... આવા અણમોલ ગ્રંથોની નામાવલિની, તેમાં નિરૂપિત વિષયોની, તેના કર્તા, તેનો રચનાકાળ, તે ગ્રંથોનું શ્લોકપ્રમાણ વગેરેની સંપૂર્ણ કહી શકાય તેવી નોંધ તૈયાર કરી આજથી ૩૮ વર્ષ પૂર્વે કેટલાક સાક્ષરોએ “જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ''ના નામે સાત ભાગમાં પ્રકાશિત કરી. Page #17 -------------------------------------------------------------------------- ________________ (૯) પરમ પૂજય મોટા મહારાજશ્રી (પ.પૂ.આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા.) તથા પરમ પૂજય ગુરુદેવશ્રી (પ. પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.) એ વિચાર્યું કે આ સાતે ભાગ જો ગુજરાતી ભાષામાં પ્રકાશિત થાય તો ખૂબ જ ઉપયોગી થશે. . તેથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પ્રેરણા કરી ~ મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ ગાંધીએ પ્રો. શ્રી રમણીકભાઈ શાહ તથા પ્રો. શ્રી નગીનભાઈ શાહ પાસે ગુજરાતી કરાવ્યું. જુદાજુદા શ્રી સંઘોએ પૂજ્યશ્રીની વાતને સ્વીકારી સંપૂર્ણ સહયોગ આપ્યો. તેની ફળશ્રુતિરૂપે આ સાતે ભાગ ગુજરાતીમાં પ્રકાશિત થઈ રહ્યા છે. જિનાગમ તથા જૈન સાહિત્યથી સુપરિચિત વિર્ય પૂજય સૂરિભગવંતો, પૂજ્ય પદસ્થો, પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો, સાક્ષર વિદ્વાનો તેમજ સુપ્રસિદ્ધ ગ્રંથાગાર-જ્ઞાનભંડારના સંચાલકો વગેરેને અમે અંતરથી વિનંતી કરીએ છીએ કે આપ સૌ તરફથી સલાહ-સૂચન-માર્ગદર્શન મળે તો પરિશિષ્ટમાં નીચેની હકીકતો સમાવી શકાય : (૧) આ સાતે ભાગોમાં કોઈ ગ્રંથનો ઉલ્લેખ કદાચ રહી ગયો હોય તો તેનું લિસ્ટ મૂકવું. (૨) છેલ્લા કેટલાક વર્ષોમાં જે કંઈ પ્રાકૃત-સંસ્કૃત જૈન સાહિત્યનું નવસર્જન થયું હોય તે બધું લેવું. (૩) આજ દિન સુધી જે કોઈ ગ્રંથોના સંશોધન-સંપાદન-પ્રકાશન ન થયાં હોય તેની નોંધ ઉમેરવી. (૪) જે કોઈ વિદ્વાનો અપ્રકટ ગ્રંથોના સંશોધન-સંપાદન કરી રહ્યા હોય તે ઉમેરવું. આ કાર્ય સહુના સાથ-સહકારથી જ સંભવી શકે તેમ છે. એનાથી અનેક જિજ્ઞાસુઓને સાચું માર્ગદર્શન મળશે.. કેટલાય અપ્રકાશિત ગ્રંથોના સંપાદન માટે નવી દિશાસૂઝ મળશે... પ્રાંતે, અમારી એવી અંતરની અભિલાષા ખરી... પોતાનું સંપૂર્ણ જીવન સમર્પણ કરી આપણા પૂર્વપુરુષો આરાધનાસાધનાના સારસ્વરૂપ જે જ્ઞાન-ખજાનો મૂકી ગયા છે, તે ખજાનાની માત્ર નોંધસ્વરૂપ આ સાતે ભાગ હાથમાં આવતાં એવો શુભ સંકલ્પ કરીએ કે રોજ આખા દિવસમાંથી માત્ર ૧૦ મિનિટ આ રત્નનિધિનું અવશ્ય વાંચન કરવું... Page #18 -------------------------------------------------------------------------- ________________ (૧૦) id કલાક મામા નાના નાના નાના . જેના નિરીક્ષણથી નિતનિત નવલી જ્ઞાનનિધિ નીરખી નીરખી નિજાનંદની અનુભૂતિ કરીએ. એ જ વિ.સં. ૨૦૬૦, મહા.સુ.૧૩, બુધવાર પ.પૂ.આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી | (સંસારીબેન મહારાજ સાધ્વીજી મ. ના ગુરુબંધુ પૂ.ગુરુદેવ(પ.પૂ.આ.શ્રી શ્રીયશસ્વિનીશ્રીજી જન્મદિન - સુવર્ણ વર્ષ) વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.)ના ગોવાલિયાટેક, મુંબઈ ચરણકિંકર સોમચંદ્ર વિ. Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય (ગુજરાતી આવૃત્તિ) શાસન સમ્રા શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ.આચાર્ય ભગવંત શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી સ્થપાયેલી પ્રસિદ્ધ જૈન સંસ્થા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ દ્વારા જૈન ધર્મ, સંસ્કૃતિ અને સાહિત્યના સંરક્ષણ અને સંવર્ધનની અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સંસ્થાએ આ પહેલાં ગ્લોરી ઓફ જૈનીઝમ, ૧૦૮ તીર્થદર્શનાવલી, એસેન્સ ઓફ જૈનીઝમ જેવા વિવિધ મહત્ત્વપૂર્ણ ગ્રંથોનું પ્રકાશન કરેલ છે. સંસ્થાએ સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી જેવી મહત્ત્વની ભાષાઓમાં અનેક પ્રકારના જૈન સાહિત્યના જે ગ્રંથો પ્રકાશિત કરેલ છે તેની સૂચિ આ ગ્રંથના અંતે આપેલ છે. તે જોતાં જ સંસ્થાની પ્રકાશન પ્રવૃત્તિનું મહત્ત્વ જણાઈ આવશે. ભગવાન મહાવીરની ૨૬મી જન્મ-શતાબ્દી પ્રસંગે પૂજ્ય આચાર્ય ભગવંતોએ જૈન ધર્મના વિશ્વકોશ જેવા કોઈ અત્યંત મહત્ત્વપૂર્ણ સાહિત્યના પ્રકાશનની અભિલાષા વ્યક્ત કરી. તે સમયે જૈન વિશ્વકોશના પ્રકાશન અંગે ભારતમાં અને ભારત બહાર કેટલીક યોજનાઓ બની, અમે તેમાં સહકાર આપવા નિર્ણય કર્યો. પરંતુ વાત આગળ વધી નહીં. જૈન વિશ્વકોશની આવી જ એક મિટીંગ વખતે જાણીતા જૈન વિદ્વાન ડૉ. નગીનભાઈ શાહે સૂચન કર્યું કે જૈન વિશ્વકોશ હાલ કરી શકાય કે નહીં પરંતુ એક મોટું કાર્ય– જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસનું–કરવા જેવું છે. શ્રી પાર્શ્વનાથ જૈન શોધ સંસ્થાન, વારાણસી દ્વારા ઇ.સ. ૧૯૬૬ થી ૧૯૮૧ દરમ્યાન હિન્દી ભાષામાં ૭ ભાગમાં લખાયેલ “જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ” ના ગુજરાતી અનુવાદનું પ્રકાશન કરવાની તેમણે સૂચના કરી. મિટીંગમાં હાજર રહેલા શ્રી પાર્શ્વનાથ જૈન શોધ સંસ્થાનના પૂર્વનિયામક ડૉ. સાગરમલજી જૈને તરત જ આ કાર્ય કરવાની અનુમતિ આપી. પૂજ્ય આચાર્ય ભગવંતો સાથે આ અંગે વાત કરતાં તેઓએ અત્યંત પ્રસન્નતાપૂર્વક આ કાર્યતત્કાળ હાથ ધરવા આજ્ઞા કરી. સંસ્થાએ અનુવાદની યોજના બનાવી, ગુજરાતી આવૃત્તિના સંપાદન-અનુવાદનનું કાર્ય દર્શનશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન અને લા.દ.ભારતીય વિદ્યામંદિરના પૂર્વનિયામક ડૉ. નગીનભાઈ શાહ તથા પ્રાકૃત ભાષા-સાહિત્યના Page #20 -------------------------------------------------------------------------- ________________ (૧૨) જાણીતા વિદ્વાન અને ગુજરાત યુનિવર્સિટીના પ્રાકૃત-પાલિ વિભાગના પૂર્વ-અધ્યક્ષ ડૉ. રમણીકભાઈ શાહને સોંપ્યુ. આ રીતે પૂજ્ય આચાર્ય ભગવંતોના આશીર્વાદથી જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસના ૭ ભાગોના અનુવાદનું કાર્ય ચાલુ થયું. ભાગ ૧, ૨ અને ૪ના ગુજરાતી અનુવાદ-ગ્રંથો આ સાથે પ્રસિદ્ધ થઈ રહ્યા છે. બાકીના ભાગો પણ ટૂંક સમયમાં જ પ્રકાશિત થશે. વળી આ બધા ભાગોનો અંગ્રેજી અનુવાદ પણ પ્રકાશિત કરવાની અમારી ભાવના છે. આ પ્રસંગે અમો પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરિજી મહારાજ તથા અન્ય મુનિ ભગવંતોનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. ગુજરાતી આવૃત્તિના માનદ્ સંપાદકો ડૉ. નગીનભાઈ શાહ અને ડૉ. રમણીકભાઈ શાહનો આ અનુવાદ કાર્ય હાથ ધરવા માટે આભાર માનીએ છીએ. શ્રી પાર્શ્વનાથ શોધ સંસ્થાન, વારાણસી તથા તેના પૂર્વનિયામક ડૉ. સાગરમલજી જૈનનો અનુવાદનું પ્રકાશન કરવાની પરવાનગી આપવા માટે આભાર માનીએ છીએ. ભાગ-૨ના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપવા બદલ શ્રી વિલેપાર્લા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચેરીટીઝ, વિલેપાર્લા(પૂર્વ), મુંબઈનો આભાર માનીએ છીએ. ઉત્તમ છાપકામ માટે લેસર ઇમ્પ્રેશન્સવાળા શ્રી મયંક શાહ તથા માણિભદ્ર પ્રિન્ટર્સવાળા શ્રી કનુભાઈ ભાવસાર અને સુંદર સચિત્ર ટાઈટલ ડિઝાઈન માટે કીંગ ઇમેજ પ્રા. લી.ના ડાયરેક્ટર શ્રી જીવણભાઈ વડોદરિયાનો આભાર માનીએ છીએ. તા. ૯-૩-૨૦૦૪ અમદાવાદ -અનિલભાઈ ગાંધી, મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ Page #21 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય (ગુજરાતી આવૃત્તિ) ભગવાન મહાવીરની ૨૬મી જન્મશતાબ્દી પ્રસંગે શાસન સમ્રાટુ શ્રીનેમિવિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ આચાર્ય ભગવંતશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., ૫.પૂ. આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી સ્થપાયેલી પ્રસિદ્ધ જૈન સંસ્થા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ દ્વારા જૈન સાહિત્ય વિષયક કોઈ વિશિષ્ટ પ્રકાશન કાર્ય હાથ ધરવાની ઇચ્છા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ ગાંધીએ વ્યક્ત કરી ત્યારે અમે તેમને શ્રી પાર્શ્વનાથ જૈન શોધ સંસ્થાન, વારાણસી દ્વારા ઈ.સ. ૧૯૬૬ થી ૧૯૮૧ દરમ્યાન હિન્દી ભાષામાં ૭ ભાગમાં લખાયેલ “જૈન સાહિત્ય કાબૃહ ઇતિહાસ” ના ગુજરાતી અનુવાદનું પ્રકાશન કરવાની સૂચના કરી. તેમણે પૂજય આચાર્યશ્રી સાથે મંત્રણા કરી અનુવાદની યોજના બનાવી, ગુજરાતી આવૃત્તિના સંપાદન-અનુવાદનનું કાર્ય અમને સોંપ્યું. પાર્શ્વનાથ વિધાશ્રમ ગ્રંથમાલા (ક્રમાંક ૬, ૭, ૧૧, ૧૨, ૧૪, ૨૦, ૨૪)માં સાત ભાગમાં પ્રકાશિત થયેલ “જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ”ના માનદ્ સંપાદકો પં. દલસુખભાઈ માલવણિયા અને ડૉ. મોહનલાલ મેહતા હતા. તેની બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૮૯ થી ૧૯૯૮ દરમ્યાન પ્રકાશિત થઈ હતી. તેના સંપાદક ડૉ. સાગરમલ જૈન હતા. આ સાતે ભાગોની વિગતો નીચે પ્રમાણે હતી :ભાગ ૧ – અંગ આગમ લે. પં. બેચરદાસ દોશી આ.૧, ૧૯૬૬, આ.૨, ૧૯૮૯ ભાગ ૨ – અંગબાહ્ય આગમ લે.ડૉ.જગદીશ ચંદ્ર જૈન આ.૧, ૧૯૬૬ ડૉ. મોહન લાલ મેહતા આ.૨, ૧૯૮૯ ભાગ ૩- આગમિક વ્યાખ્યાએ લે. ડૉ. મોહન લાલ મેહતા આ.૧, ૧૯૬૭, આ. ૨, ૧૯૮૯ ભાગ ૪ - કર્મ-સાહિત્ય વ લે.ડૉ. મોહન લાલ મેહતા આ.૧ ૧૯૬૮, આગમિક પ્રકરણ પ્રો. હીરાલાલ ૨. કાપડિયા આ.૨, ૧૯૯૧ ભાગ ૫ - લાક્ષણિક સાહિત્ય લે. પં. અંબાલાલ પ્ર. શાહ આ.૧, ૧૯૬૯, આ.૨, ૧૯૯૩ Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ભાગ ૬ - કાવ્ય-સાહિત્ય લે, ડે. ગુલાબચંદ ચૌધરી આ.૧, ૧૯૭૬, આ.૨, ૧૯૯૮ ભાગ ૭ – કન્નડ, તમિલ એવં લે, ૫.કે. ભુજબલી શાસ્ત્રી, આ.૧, ૧૯૮૧ મરાઠી જૈન સાહિત્ય શ્રી ટી.પી. મીનાક્ષીસુન્દરમ્ પિલ્લે, ડૉ. વિદ્યાધર જોહરાપુરકર ઉપરોક્ત ૭ ભાગોમાંથી ભાગ-૧, ૨ તથા ૪ના ગુજરાતી અનુવાદ- ગ્રંથો આ સાથે પ્રસિદ્ધ થઈ રહ્યા છે. બાકીના ભાગોનો અનુવાદ પણ નિર્ધારિત સમયમાં આપવા અમે પ્રતિબદ્ધ છીએ. પ્રસ્તુત ભાગ ૨ “અંગબાહ્ય આગમો”નો અનુવાદ ડૉ. રમણીક શાહે કરેલ છે. આ ભાગના મૂળ લેખકો ડૉ. જગદીશ ચન્દ્ર જૈન અને ડૉ. મોહન લાલ મેહતા હતા. આ બંને મહાનુભાવોનું ઋણ સ્વીકારી તેમના પ્રત્યે સાદર કૃતજ્ઞતા જ્ઞાપિત કરીએ છીએ. આધુનિક ભારતીય સાહિત્યમાં સન્માનપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરનાર પ્રસ્તુત ગ્રંથરાજનો ગુજરાતી અનુવાદ ગુજરાતના વિશાળ જૈન અને જૈનેતર સમાજને જૈન સાહિત્યનો સર્વાગપૂર્ણ પરિચય આપવા સમર્થ છે. આવા મહત્ત્વપૂર્ણ અને બૃહત્કાય ગ્રંથનું પ્રકાશન હાથ ધરવા માટે પ્રેરક આચાર્ય ભગવંત શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરિજી મ.સા.નો જૈન સમાજ સદાકાળ ઋણી રહેશે. શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીગણનો અને પ્રકાશન કાર્ય અંગેની સઘળી વ્યવસ્થા કાળજીપૂર્વક ગોઠવી આપનાર મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અનિલભાઈ ગાંધીનો અમે આ તકે આભાર માનીએ છીએ. અમદાવાદ તા. ૯-૩-૨૦૦૪ નગીન શાહ રમણીક શાહ (ગુજરાતી આવૃત્તિના માનદ સંપાદકો) Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રાકકથન (પ્રથમ હિંદી સંસ્કરણ) જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ'નો દ્વિતીય ભાગ-“અંગબાહ્ય આગમ' વાચકોની સેવામાં પ્રસ્તુત કરતાં અત્યંત આલાદનો અનુભવ થઈ રહ્યો છે. આ ભાગ પ્રકાશિત કરતાં વિશેષ પ્રસન્નતા એટલા માટે છે કે આનું પ્રકાશન પણ પ્રથમ ભાગની સાથે જ થઈ રહ્યું છે. પ્રથમ ભાગમાં અંગ-આગમોનો સાંગોપાંગ પરિચય આપવામાં આવ્યો છે જ્યારે પ્રસ્તુત ભાગમાં અંગબાહ્ય આગમોનો સર્વાગીણ પરિચય પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ રીતે આરંભના આ બે ભાગોમાં સમસ્ત મૂળ આગમોનો પરિચય પ્રાપ્ત થઈ શકશે. ટૂંકમાં જ પ્રકાશિત થનાર તૃતીય ભાગમાં આગમોના વ્યાખ્યાત્મક સાહિત્યનો સર્વાગપૂર્ણ પરિચય આપવામાં આવશે. પ્રસ્તુત ભાગનો ઉપાંગ તથા મૂલસૂત્ર વિભાગ યશસ્વી વિદ્વાન ડૉ. જગદીશ ચન્દ્ર જૈને લખ્યો છે અને બાકીનો અંશ મેં લખ્યો છે. અંગબાહ્ય આગમો પાંચ વર્ગોમાં વિભક્ત છે : ૧. ઉપાંગ, ૨. મૂલસૂત્ર, ૩. છેદસૂત્ર, ૪. ચૂલિકાસૂત્ર, ૫. પ્રકીર્ણક. અંગ-આગમોની રચના શ્રમણ ભગવાન મહાવીરના ગણધરો અર્થાત મુખ્ય શિષ્યોએ કરી છે જ્યારે અંગબાહ્ય આગમોનું નિર્માણ જુદા જુદા સમયમાં અન્ય ગીતાર્થ સ્થવિરોએ કરેલ છે. દિગંબર પરંપરામાં પણ શ્રુતનો અર્થાધિકાર બે પ્રકારનો બતાવવામાં આવ્યો છે અર્થાત્ આગમોના બે ભેદ કરવામાં આવ્યા છે. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય. અંગપ્રવિષ્ટમાં આચારાંગ વગેરે બાર ગ્રંથોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અંગબાહ્યમાં નીચેના ચૌદ ગ્રંથો સમાવિષ્ટ છે : ૧. સામાયિક, ૨. ચતુર્વિશતિસ્તવ, ૩. વંદના, ૪. પ્રતિક્રમણ, પ.વૈનાયિક, ૬. કૃતિકર્મ, ૭. દશવૈકાલિક, ૮. ઉત્તરાધ્યયન, ૯. કલ્પવ્યવહાર, ૧૦. કલ્પાકલ્પિક, ૧૧. મહાકલ્પિક, ૧૨. પુંડરીક, ૧૩. મહાપુંડરીક, ૧૪. નિશીથિકા. દિગંબરોની માન્યતા એવી છે કે ઉપર્યુક્ત અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય બંને પ્રકારના આગમો વિચ્છિન્ન થઈ ગયાં છે. શ્વેતાંબરો માત્ર બારમા અંગ દષ્ટિવાદનો જ વિચ્છેદ થયાનું માને છે, આચારાંગ વગેરે અગિયાર અંગોનો નહિ. આ જ રીતે ઔપપાતિક વગેરે અનેક અંગબાહ્ય ગ્રંથો પણ અવિચ્છિન્ન છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ અંગબાહ્ય આગમોના પ્રથમ વર્ગ ઉપાંગમાં નિમ્નલિખિત બાર ગ્રંથો સમાવિષ્ટ છે : ૧. ઔપપાતિક, ૨. રાજપ્રશ્નીય, ૩. જીવાજીવાભિગમ, ૪. પ્રજ્ઞાપના, ૫. સૂર્યપ્રજ્ઞપ્તિ, ૬. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, ૭. ચંદ્રપ્રજ્ઞપ્તિ, ૮. નિરયાવલિકા અથવા કલ્પિકા, ૯, કલ્પાવતંસિકા, ૧૦. પુષ્પિકા, ૧૧. પુષ્પચૂલિકા, ૧૨. વૃષ્ણિદશા. આમાંથી પ્રજ્ઞાપનાનો રચનાકાળ નિશ્ચિત છે. તેની રચના શ્યામાર્યો વિ. પૂ. ૧૩૫થી ૯૪ની વચ્ચે કોઈ સમયે કરેલી. શ્યામાર્યનું બીજું નામ કાલકાચાર્ય (નિગોદ વ્યાખ્યાતા) છે. તેમને વીરનિર્વાણ સંવત ૩૩૫માં યુગપ્રધાનપદ મળ્યું હતું અને વી.સં. ૩૭૬ સુધી તે પદ પર તેઓ રહ્યા હતા. બાકીના ઉપાંગોના રચયિતાઓના નામો વગેરેની કોઈ જાણ નથી. સામાન્યપણે તેમનો રચનાકાળ વિક્રમ સંવત પછીનો હોઈ શકે નહિ. મૂલસૂત્રો ચાર છે : ૧. ઉત્તરાધ્યયન, ૨. આવશ્યક, ૩. દશવૈકાલિક, ૪. પિંડનિર્યુક્તિ અથવા ઓઘનિર્યુક્તિ. આમાંથી દશવૈકાલિક આચાર્ય શય્યભવની કૃતિ છે. તેઓને યુગપ્રધાનપદ વી.સં. ૭૫માં મળ્યું હતું અને વી.સં.૯૮ સુધી તે પદ પર તેઓ રહ્યા. આથી દશવૈકાલિકની રચના વિ. પૂ. ૩૭૫ અને ૩૭૨ની વચ્ચે કોઈ સમયે થયેલી. ઉત્તરાધ્યયન કોઈ એક આચાર્ય અથવા એક કાળની કૃતિ નથી. છતાં પણ તેને વિ.પૂ. બીજી-ત્રીજી શતાબ્દીનો ગ્રંથ માનવામાં કોઈ વાંધો નથી. આવશ્યક સાધુઓના નિત્ય ઉપયોગમાં આવનારું સૂત્ર છે આથી તેની રચના ઘણી પ્રાચીન હોવી જોઈએ. પિંડનિર્યુક્તિ અને ઓઘનિર્યુક્તિના રચયિતા આચાર્ય ભદ્રબાહુ (દ્વિતીય) છે. તેમનો સમય વિક્રમની પાંચમી-છઠ્ઠી શતાબ્દી છે. છેદસૂત્રો છ છે: ૧. દશાશ્રુતસ્કંધ, ૨. બૃહત્કલ્પ, ૩. વ્યવહાર, ૪, નિશીથ, ૫. મહાનિશીથ, ૬, જીતકલ્પ અથવા પંચકલ્પ. આમાંથી દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ અને વ્યવહાર ચતુર્દશપૂર્વધર આર્ય ભદ્રબાહુ (પ્રથમ)ની કૃતિઓ છે. તેમનો રચના સમય વી.સં. ૧૭૦ અર્થાત વિ.પૂ. ૩૦૨ આસપાસનો છે. નિશીથના પ્રણેતા આર્ય ભદ્રબાહુ અથવા વિશાખગણિ મહત્તર છે. આ સૂત્ર વાસ્તવમાં આચારાંગની પંચમ ચૂલિકા છે જેને કોઈ કાળે આચારાંગમાંથી છૂટી પાડી દેવામાં આવેલ. મહાનિશીથના ઉપલબ્ધ સંકલનનું શ્રેય આચાર્ય હરિભદ્રને છે. જીતકલ્પ આચાર્ય જિનભદ્રની કૃતિ છે. તેઓનો સમય વિક્રમની સાતમી શતાબ્દી છે. પંચકલ્પ અનુપલબ્ધ છે. નંદી અને અનુયોગદ્વાર ચૂલિકાસૂત્રો કહેવાય છે. નંદીસૂત્રના પ્રણેતા દેવવાચક છે. તેમનો સમય વિક્રમની છઠ્ઠી શતાબ્દી પૂર્વેનો છે. અનુયોગદ્વારસૂત્રના નિર્માતા આર્ય રક્ષિત છે. તેઓ વી.સં. ૫૮૪માં દિવંગત થયેલ. Page #25 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પ્રકીર્ણ કોમાં દશ ગ્રંથો વિશેષ રૂપે માન્ય છે: ૧. ચતુ:શરણ, ૨. આતુરપ્રત્યાખ્યાન, ૩. મહાપ્રત્યાખ્યાન, ૪, ભક્તપરિજ્ઞા, ૫. તંદુલવૈચારિક, ૬, સંસ્કારક, ૭. ગચ્છાચાર, ૮. ગણિવિદ્યા, ૯. દેવેન્દ્રસ્તવ, ૧૦. મરણસમાધિ. આમાંથી ચતુ શરણ તથા ભક્તપરિજ્ઞાના રચયિતા વીરભદ્ર ગણિ છે. તેમનો સમય વિક્રમની અગિયારમી શતાબ્દી છે. અન્ય પ્રકીર્ણકોની રચનાનો સમય, રચયિતાઓના નામ વગેરે વિષયમાં નિશ્ચિતપણે કંઈ કહી શકાતું નથી.' પ્રસ્તુત ભાગના લેખક આદરણીય ડૉ. જગદીશચન્દ્રજીનો તથા સંપાદક પૂજ્ય દલસુખભાઈનો હું અત્યંત આભારી છું. પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન મોહન લાલ મેહતા વારાણસી-પ અધ્યક્ષ ૯-૧૧-૬૬ .આ. - ૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧. .. ઔપાતિક ઉપાંગો અને અંગોનો સંબંધ પ્રથમ ઉપાંગ દંડના પ્રકારો મૃત્યુના પ્રકારો વિધવા સ્ત્રીઓ વ્રતી અને સાધુ ગંગાતટવાસી વાનપ્રસ્થ તાપસો પ્રવ્રુજિત શ્રમણો બ્રાહ્મણ પરિવ્રાજકો ક્ષત્રિય પરિવ્રાજકો અમ્મડ પરિવ્રાજકના સાત શિષ્યો અમ્મડ પરિવ્રાજક આજીવિકો અન્ય શ્રમણો સાત નિર્ણવો વિષય-સૂચી ઉપાંગ રાજપ્રનીય આમલકપ્પા સૂર્યાભદેવ વિમાનરચના પ્રેક્ષામંડપ વાઘો નાટ્યવિધિ સૂર્યાભદેવનું વિમાન રાજા પએસીની કથા જીવ અને શરીરની ભિન્નતા - પહેલી યુક્તિ ૧-૨૬ ૧ m ૧૩ ૧૩ ૧૩ ૧૪ ૧૫ ૧૭ ૧૭ ૧૭ ૧૮ ૧૯ ૨૪ ૨૪ ૨૫ ૨૭૫૩ ૨૮ 30 ૩૨ ૩૫ ૩૫ ૩૬ ૩૯ ૪૨ ૪૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ (૨૦) ४८ પ0 ૫૦ ૩. ૫૪-૬૬ ૫૫ ૫૫ બીજી યુક્તિ ત્રીજી યુક્તિ ચોથી યુક્તિ જીવાજીવાભિગમ પહેલી પ્રતિપત્તિ બીજી પ્રતિપત્તિ ત્રીજી પ્રતિપત્તિ ચોથી પ્રતિપત્તિ પાંચમી પ્રતિપત્તિ છઠ્ઠી પ્રતિપત્તિ સાતમી પ્રતિપત્તિ આઠમી પ્રતિપત્તિ નવમી પ્રતિપત્તિ ? = * = * = * * • * • * • પ્રજ્ઞાપના ૬૭-૮૪ m 5 ૨૪ ૨૬ ૪ ૪ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૦ ૦ ૦ ૦ ૦ ૪ 5 \ 0 \ 0 \ પ્રજ્ઞાપના પદ સ્થાન પદ અલ્પબદુત્વ પદ સ્થિતિ પદ વિશેષ અથવા પર્યાય પદ વ્યુત્કાન્તિ પદ ઉચ્છવાસ પદ સંજ્ઞી પદ યોનિ પદ ચરમાચરમ પદ ભાષા પદ શરીર પદ પરિણામ પદ કષાય પદ ઇન્દ્રિય પદ પ્રયોગ પદ લેશ્યા પદ કાયસ્થિતિ પદ 0 0 Page #29 -------------------------------------------------------------------------- ________________ (૨૧) ૦ ૦ ૦ ૦ U o us w w w = = = = = સમ્યકત્વ પદ અંતક્રિયા પદ શરીર પદ ક્રિયા પદ કર્મ પ્રકૃતિ પદ કર્મબંધ પદ કર્મવેદ પદ કર્મવેદબંધ પદ કર્મવેદવેદ પદ આહાર પદ ઉપયોગ પદ પશ્યત્તા પદ સંજ્ઞી પદ સંયત પદ અવધિ પદ પરિચારણા પદ વેદના પદ સમુદ્દાત પદ સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ પ્રથમ પ્રાભૃત દ્વિતીય પ્રાભૃત તૃતીયાદિ પ્રાભૃત દશમ પ્રાભૃત એકાદશાદિ પ્રાભૃત ઉપલબ્ધ ચંદ્રપ્રજ્ઞપ્તિ જંબૂઢીપપ્રજ્ઞા પહેલો વક્ષસ્કાર બીજો વક્ષસ્કાર ત્રીજો વક્ષસ્કાર ચોથો વક્ષસ્કાર પાંચમો વક્ષસ્કાર છઠ્ઠો વક્ષસ્કાર ૮૫-૯O ૯૧-૧૦૩ ૯૭ ૧૦૧ ૧૦૨ ૧૦૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨૨) ૭. સાતમો વક્ષસ્કાર નિરયાવલિકા નિરયાવલિયા કમ્પવડિસિયા પુફિયા પુફચૂલા વહિદસા ૧૦૩ ૧૦૪-૧૧૩ ૧૦૪ ૧૦૯ ૧૦૯ ૧૧ ર ૧૧ ર મૂલસૂત્રો ઉત્તરાધ્યયન મૂલસૂત્રોની સંખ્યા મૂલસૂત્રોનો ક્રમ પ્રથમ મૂલસૂત્ર વિનય પરીષહ ચતુરંગીય અસંસ્કૃત અકામમરણીય ક્ષુલ્લકનિર્ઝન્થીય ઔરબ્રીય કપિલીય નમિપ્રવ્રયા દ્રુમપત્રક બિહુશ્રુતપૂજા હરિકેશીય ચિત્ત-સંભૂતીય ઇષકારીય સભિક્ષુ બ્રહ્મચર્ય-સમાધિ પાપશ્રમણીય સંયતીય મૃગાપુત્રીય ૧ ૧૪-૧૪૧ ૧૧૪ ૧૧૫ ૧૧૫ ૧૧૯ ૧૧૯ ૧૨૧ ૧ ૨૧ ૧૨ ૨ ૧૨૨ ૧૨૨ ૧ ૨ ૨ P P P P ૧ ૨૮ ૧૨૯ ૧૩૧ ૧૩૧ ૧૩૧ ૧૩૧ ૧ ૩ ૨ Page #31 -------------------------------------------------------------------------- ________________ (૨૩) ૧ ૩૩ છે છે ઈ છે ૧ ૩૭ મહાનિર્ઝન્થીય સમુદ્રપાલીય રથનેમીય કેશિ-ગૌતમીય પ્રવચનમાતા યજ્ઞીય સામાચારી ખલુંકીય મોક્ષમાર્ગીય સમ્યક્ત પરાક્રમ તપોમાર્ગગતિ ચરણવિધિ પ્રમાદસ્થાન કર્મપ્રકૃતિ લેશ્યા અનગાર જીવાજીવવિભક્તિ આવશ્યક સામાયિક ચતુર્વિશતિસ્તવ વંદન પ્રતિક્રમણ કાયોત્સર્ગ પ્રત્યાખ્યાન દશવૈકાલિક દુમપુષ્મિત શ્રામસ્યપૂર્વિક ફુલ્લિકાચાર-કથા ષડૂજીવનિકાય પિડેષણા-પહેલો ઉદ્દેશ પિંડેષણા-બીજો ઉદેશ મહાચાર-કથા ૧ ૩૮ ૧ ૩૯ ૧ ૩૯ ૧૩૯ ૧૪) ૧૪૦ ૧૪) ૧૪૦ ૧૪૦ ૧૪૧ ૧૪૧ ૧૪૧ ૧૪ર-૧૪૫ ૧૪૩ ૧૪૩ ૧૪૩ ૧૪૪ ૧ ૪૪ ૧૪૫ ૧૪૬-૧૫૮ ૧૪૮ ૧૪૮ ૧ ૪૯ ૧૪૯ ૧પ૦ ૧ પર ૧ ૫૩ Page #32 -------------------------------------------------------------------------- ________________ (૨૪) વાક્યશુદ્ધિ આચારપ્રસિધિ વિનય સમાધિ - પહેલો ઉદ્દેશ વિનય સમાધિ - બીજો ઉદ્દેશ વિનય સમાધિ - ત્રીજો ઉદ્દેશ વિનય સમાધિ - ચોથો ઉદેશ સભિક્ષુ પહેલી ચૂલિકા – રતિવાક્ય બીજી ચૂલિકા – વિવિક્તચર્યા પિંડનિર્યુક્તિ આઠ અધિકારો ઉદ્ગમ દોષ ઉત્પાદન દોષ એષણા દોષ ઓઘનિર્યુક્તિ પ્રતિલેખના ૧૫૪ ૧૫૫ ૧પ૬ ૧પ૬ ૧૫૬ ૧૫૭ ૧૫૭ ૧૫૭ ૧૫૮ ૧૫૯-૧૬૨ ૧૫૯ ૧૬૦ ૧૬૦ ૧૬ ૧ ૧૬૩-૧૭૨ ૧૬૩ ૧૬૯ ૧૭૦ ૧૭૨ ય પિંડ ઉપધિ અનાયતન વગેરે - ૧૭૩-૧૯૧ છેદસૂત્રો દશાશ્રુતસ્કંધ છેદસૂત્રોનું મહત્ત્વ દશાશ્રુતસ્કંધ અથવા આચારદશા અસમાધિ-સ્થાનો શબલ-દોષો આશાતનાઓ ગણિ-સંપદા ચિત્તસમાધિ-સ્થાનો ઉપાસક-પ્રતિમાઓ ભિક્ષુ-પ્રતિમાઓ પર્યુષણા-કલ્પ (કલ્પસૂત્ર) ૧૭૩ ૧૭૪ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૮ ૧૮૦ ૧૮૦ . ૧૮૨ १८४ Page #33 -------------------------------------------------------------------------- ________________ (૨૫) ૧ ૮૭ ૧૮૯ ૨. મોહનીય-સ્થાનો આયતિ-સ્થાનો બૃહત્કલ્પ પ્રથમ ઉદેશ દ્વિતીય ઉદ્દેશ તૃતીય ઉદ્દેશ ચતુર્થ ઉદ્દેશ પંચમ ઉદ્દેશ ષષ્ઠ ઉદ્દેશ ૧૯૨-૨૦૭ ૧૯ ૨ ૧૯૭ ૨૦૦ ૨૦૨ વ્યવહાર - ૨૦૪ ૨૦૬ ૨૦૮-૨૨૦ ૨૦૯ ૨ ૧૧ ૨ ૧ ૨ ૨ ૧૩ ૨ ૧૪ ૨૧૫ ૨૧૬ ૨૧૬ ૨ ૧૭ ૨૧૮ પ્રથમ ઉદેશ દ્વિતીય ઉદ્દેશ તૃતીય ઉદ્દેશ ચતુર્થ ઉદ્દેશ પંચમ ઉદેશ ષષ્ઠ ઉદેશ સપ્તમ ઉદ્દેશ અષ્ટમ ઉદ્દેશ નવમ ઉદ્દેશ દશમ ઉદેશ નિશીથ પહેલો ઉદેશ બીજો ઉદેશ ત્રીજો ઉદ્દેશ ચોથો ઉદેશ પાંચમો ઉદેશ છો ઉદ્દેશ સાતમો ઉદેશ આઠમો ઉદેશ નવમો ઉદ્દેશ દશમો ઉદેશ ૨ ૨૧-૨૩૫ ૨ ૨ ૧ ૨ ૨ ૨ ૨ ૨૪ ૨ ૨૪ ૨ ૨૭ ૨ ૨૭ ૨ ૨૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ૨ ૨૯ ૨૩ ૦ U ) ૦ » U Ll U ૨-૩૪ ૨ ૩૪ અગિયારમો ઉદ્દેશ બારમો ઉદ્દેશ તેરમો ઉદ્દેશ ચૌદમો ઉદ્દેશ પંદરમો ઉદેશ સોળમો ઉદેશ સત્તરમો ઉદ્દેશ અઢારમો ઉદ્દેશ ઓગણીસમો ઉદ્દેશ વીશમો ઉદ્દેશ મહાનિશીથ અધ્યયનો ચૂલાઓ હરિભદ્રકૃત ઉદ્ધાર જીતકલ્પ આલોચના પ્રતિક્રમણ ઉભય વિવેક સુત્સર્ગ તપ ૨૩૬-૨૩૭ ૨ ૩૬ ૨૩૬ ૨૩૭ ૨૩૮-૨૪૦ ૨૩૯ ૨૩૯ ૨૩૯ ૨૩૯ ૨૩૯ ૨૩૯ છેદ મૂલ અનવસ્થાપ્ય પારાંચિક ૨૪૦ ૨૪૦ ૨૪૦ ૨૪૦ ચૂલિકાસૂત્રો નંદી મંગલાચરણ શ્રોતા અને સભા જ્ઞાનવાદ અવધિજ્ઞાન ૨૪૧-૨૫૯ ૨૪૩ ૨૪૩ ૨૪૪ ર૪૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ (૨૭) ૨૪૭ ૨૪૯ ૨૪૯ ૨૫૦ ૨૫૩ ૨ ૫૩ ૨૫૪ ૨૫૬ ૨૬૦-૨૭૫ * છે જ * ૨ ૧ * મન:પર્યવજ્ઞાન કેવલજ્ઞાન આભિનિબોધિક જ્ઞાન ત્પત્તિકી બુદ્ધિ વિનયિકી બુદ્ધિ કર્મા બુદ્ધિ પરિણામિકી બુદ્ધિ શ્રુતજ્ઞાન અનુયોગદ્વાર આવશ્યકાનુયોગ ઉપક્રમદ્ધાર આનુપૂર્વી નામ પ્રમાણ-માન દ્રવ્યપ્રમાણ ક્ષેત્રપ્રમાણ કાલ પ્રમાણ ભાવ પ્રમાણ પ્રત્યક્ષ અનુમાન ઉપમાન આગમ વક્તવ્યતા અર્થાધિકાર સમવતાર નિક્ષેપઢાર અનુગદ્વાર યદ્વા૨ ૧ ૧ ૧ x w 6 6 w 0 ) ૨૭૧ ર૭૩ ૨૭૩ ૨૭૩ ૨૭૫ ૨ ૭૫ પ્રકીર્ણકો ૧. ચતુ:શરણ આતુરપ્રત્યાખ્યાન મહાપ્રત્યાખ્યાન ૨૭૬ ૨૭૮ ૨૭૯ Page #36 -------------------------------------------------------------------------- ________________ (૨૮) » ૪ v $ $ ભક્તપરિજ્ઞા તંદુલવૈચારિક સંસ્તારક ગચ્છાચાર ગણિવિદ્યા દેવેન્દ્રસ્તવ મરણસમાધિ ચન્દ્રધ્યક અને વીરસ્તવ ૨૮૧ ૨૮૨ ૨૮૬ ૨૮૭ ૨૯૦ ૨૯૧ ૯. ૨૯૨ ૧૦. ૧૧. ૨૯૪ શબ્દાનુક્રમણિકા ૨૯૫-૩૬૪ સહાયક ગ્રંથોની સૂચી ૩૬૫-૩૬૮ Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉપાંગો પ્રથમ પ્રકરણ ઓપપાતિક વૈદિક ગ્રંથોમાં પુરાણ, ન્યાય, મીમાંસા અને ધર્મશાસ્ત્રને ઉપાંગ કહેવામાં આવેલ છે. વેદોનાં પણ અંગો અને ઉપાંગો હોય છે; જેમ કે–શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત અને જ્યોતિષ–આ છ અંગો છે, તથા તેમના વ્યાખ્યાગ્રંથો ઉપાંગો છે." ઉપાંગો અને અંગોનો સંબંધ: બાર અંગોની માફક બાર ઉપાંગોનો ઉલ્લેખ પ્રાચીન આગમગ્રંથોમાં મળતો નથી. માત્ર નિરયાવલિયાના પ્રારંભમાં નિરયાવલિયા વગેરે પાંચ આગમોને ઉપાંગની સંજ્ઞા આપવામાં આવી છે. સમવાયાંગસૂત્રમાં બાર વસ્તુઓની ગણના કરતાં દ્વાદશ અંગોનું વર્ણન કરવામાં આવ્યું છે, પરંતુ ત્યાં દ્વાદશ ઉપાંગોનો નામોલ્લેખ સુદ્ધાં નથી. નંદિસૂત્રમાં પણ કાલિક અને ઉત્કાલિક રૂપમાં જ ઉપાંગોનો ઉલ્લેખ છે, દ્વાદશ ઉપાંગના રૂપમાં નહિ. એ પ્રશ્ન વિચારણીય છે કે દ્વાદશ ઉપાંગ સંબંધી ઉલ્લેખ ૧૨મી શતાબ્દી પહેલાના ગ્રંથોમાં મળતો નથી. અંગોની રચના ગણધરોએ કરી છે અને ઉપાંગોની સ્થવિરોએ, એટલા માટે અંગો અને ઉપાંગોનો કોઈ સંબંધવિશેષ સિદ્ધ થતો નથી. બંનેનો ક્રમિક ઉલ્લેખ પણ કોઈ પ્રાચીન ગ્રંથમાં મળતો નથી. પરંતુ પાછળના આચાર્યોએ અંગો અને ઉપાંગોનો સંબંધ જોડવાનો પ્રયત્ન કર્યો છે. ઉદાહરણ રૂપે શ્રીચંદ્રસૂરિ (વિક્રમની ૧૨મી શતાબ્દી)એ પોતાની સુહબોહામાયારી (અણુટ્ટાણવિહિ, પૃ. ૩૧ બ-૩૨ અ)માં વિવાદય ઉપાંગને આચારાંગનું, રાયપસેણદયને સૂયગડંગનું, જીવાભિગમને ઠાણાંગનું, પન્નવણાને १. चत्वारश्च वेदाः सामवेद-ऋग्वेद-यजुर्वेद--अथर्वणवेदलक्षणाः सांगोपांगाः; तत्रांगानि शिक्षा-कल्प__ व्याकरण-श्छन्दो-निरुक्त-ज्योतिष्कायनलक्षणानि षट्; उपांगानि तद्व्याख्यानरूपाणि तैः सह वर्तन्ते તિ સોપાં T:-અનુયોગદ્વારવૃત્તિ, હેમચન્દ્રસૂરિ, પૃ. ૩૬ અ. ૨. નિરયાવલિયા, પૃ. ૩-૪. Page #38 -------------------------------------------------------------------------- ________________ અંગબાહ્ય આગમો સમવાયાંગનું, " સૂરપન્નત્તિને ભગવતીનું, જંબુદ્દીવપન્નત્તિને નાયાધમ્મકહાઓનું, ચંદપન્નત્તિને ઉવાસગદસાઓનું, નિરયાવલિયાને અંતગડદસાઓનું, કપ્પવર્ડસિઆઓને અણુત્તરોવવાયદસાઓનું, પુષ્કિઆઓને પણહવાગરણાઇનું, પુફચૂલિઆઓને વિવાગસુયનું તથા વહિદસાઓને દિક્ટિવાય અંગનું ઉપાંગ માનેલ છે. સ્વયં ઉવવાઇયના ટીકાકાર અભયદેવસૂરિ (૧૧મી શતાબ્દી) ઉવવાઇયને આયારાંગનું ઉપાંગ માને છે. રાયપાસેણઈયના ટીકાકાર મલયગિરિ (૧૨મી શતાબ્દી)એ પણ રાયપાસણયને સૂયગડંગનું ઉપાંગ પ્રતિપાદિત કરતાં કહ્યું છે કે અક્રિયાવાદી મત સ્વીકાર કરીને જ રાયપાસેણદયમાં ઉલ્લિખિત રાજા પ્રદેશીએ જીવવિષયક પ્રશ્ન કર્યો છે, એટલા માટે રાયપાસેણદયને સૂયગડંગનું ઉપાંગ માનવું યોગ્ય છે. પરંતુ જોવામાં આવે તો જેવી રીતે જીવાભિગમ અને ઠાણાંગનો, સૂરપન્નત્તિ અને ભગવતીનો, ચંદપન્નત્તિ અને ઉવાસગદસાઓનો તથા વહિદસાઓ અને દિદ્ધિવાયનો પારસ્પરિક સંબંધ સિદ્ધ થતો નથી, તેવી જ રીતે રાયપાસેણદય અને સૂયગડંગ વચ્ચે પણ કોઈ સંબંધ નથી. દ્વાદશ ઉપાંગોનો ઉવવાય વગેરે ક્રમ પણ ઐતિહાસિક દષ્ટિએ યોગ્ય જણાતો નથી. ઉદાહરણ રૂપે, પન્નવણા નામક ચતુર્થ ઉપાંગના કર્તા આર્ય શ્યામને ગણવામાં આવે છે જેઓ મહાવીર-નિર્વાણના ૩૭૬ (અથવા ૩૮૬) વર્ષ પછી જીવંત હતા છતાં પણ તેને પહેલું ઉપાંગ ન માનતાં ચોથું ઉપાંગ માનવામાં આવ્યું છે. ઉપાંગ-સાહિત્યમાં જ નહિ, અંગ-સાહિત્યંમાં પણ વાચના-ભેદ તથા દુષ્કાળ વગેરે અસાધારણ પરિસ્થિતિઓના કારણે અનેક સૂત્રોનું સ્નલન થઈ જવાથી જૈન આગમ-સાહિત્યમાં અનેક સ્થળે વિશૃંખલતા ઉત્પન્ન થઈ ગઈ છે જેનો ઉલ્લેખ આગમગ્રંથોના ટીકાકારોએ કર્યો છે. ઉદાહરણ રૂપે સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિનો વિષય એક હોવા છતાં પણ તેમને ૧. યશોદેવસૂરિએ પમ્બિયસુત્તમાં પ્રજ્ઞાપના અને બૃહત્વજ્ઞાપના બંનેને સમવાયાંગનાં ઉપાંગો કહ્યાં છે. જુઓ–એચ.આર.કાપડિયા, હિસ્ટ્રી ઓફ ધી કેનનિલ લિટરેચર ઑફ ધી જૈન્સ, પૃ. ૩૧. ૨. જુઓસ્થાનાંગ-ટીકા, પૃ. ૪૯૯ અ વગેરે– सत्संप्रदायहीनत्वात् सदूहस्य वियोगतः । सर्वस्वपरशास्त्राणामदृष्टेरस्मृतेश्च मे ॥ वाचनानामनेकत्वात् पुस्तकानामशुद्धितः । सूत्राणामतिगांभीर्यान्मतभेदाच्च कुत्रचित् ॥ क्षूणानि संभवन्तीह केवलं सुविवेकिभिः । सिद्धान्तानुगतो योऽर्थः सोऽस्माद् ग्राह्यो न चेतरः ।। Page #39 -------------------------------------------------------------------------- ________________ ઔપપાતિક જુદાં જુદાં ઉપાંગો માનવામાં આવ્યાં છે. ભગવતીસૂત્ર કાળક્રમની દષ્ટિએ ઉપાંગોની અપેક્ષાએ પ્રાચીન છે, છતાં તેમાં કોઈ વિષયને વિસ્તારથી જાણવા માટે ઉવવાય, રાયપાસેણદય, જીવાભિગમ, પન્નવણા વગેરે ઉપાંગોનો નામોલ્લેખ કરવામાં આવ્યો છે. સૂયગડંગ અને અણુત્તરવવાઇયદસાઓ નામક અંગોમાં ઉવવાઇય ઉપાંગનો ઉલ્લેખ મળે છે. તે ઉપરાંત દિક્ટિવાય, દોઝિદ્ધિદસા તથા નંદિસૂત્રની ટીકામાં ઉલ્લિખિત કાલિક અને ઉત્કાલિક અંતર્ગત દીવસાગરપન્નત્તિ, અંગચૂલિકા, કપ્પાકપ્રિય, વિજ્જાચરણ, મહાપણવણા વગેરે અનેક આગમગ્રંથો કાળના પ્રભાવથી નાશ પામ્યા છે. આગમગ્રંથોની નામાવલિ અને સંખ્યામાં મતભેદ હોવાનું કારણ આગમોની આ જ વિશૃંખલતા છે, જેનાથી જૈન આગમોની અનેક પરંપરાઓ કાળના ગર્ભમાં વિલીન થઈ ગઈ.' આવી હાલતમાં જે કંઈ બચ્યું છે તેનાથી જ સંતોષ માનવો પડે છે. બાર ઉપાંગોના નિમ્નલિખિત પરિચય દ્વારા તેમના મહત્ત્વનું અનુમાન કરી શકાય છે. પ્રથમ ઉપાંગ : ઉવવાઈય-પપાતિક જૈન આગમોનું પહેલું ઉપાંગ છે. તેમાં ૪૩ સૂત્રો છે. ગ્રંથનો પ્રારંભ ચંપા નગરી (આધુનિક ચંપાનાલા, ભાગલપુરથી લગભગ ૩ માઇલ દૂર)ના વર્ણનથી થાય છે. ૧. જુઓ–-જગદીશચન્દ્ર જૈન, જૈન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ, પૃ. ૩૨-૩૪, ૩૬ . ૨. (અ) અભયદેવકૃત સંસ્કૃત વૃત્તિ અને અમૃતચન્દ્ર કૃત હિન્દી બાલાવબોધ સહિતબાબૂ ધનપતસિહ, મુર્શિદાબાદ, ૧૮૮૦. (આ) પ્રસ્તાવના વગેરે સાથે-૬, Leumann, Leipzig, 1883. (ઇ) અભયદેવકૃત સંસ્કૃત વૃત્તિ સહિત–આગમોદય સમિતિ, ઈ.સ. ૧૯૧૬ . (ઈ) હિન્દી અનુવાદ સહિત-અમોલક ઋષિ, લાલા સુખદેવ સહાય જવાલા પ્રસાદ, હૈદરાબાદ, ૧૯૨૦. (૬) (મૂળ) એન. જી. શુબિંગ (ઉ) (મૂળ) છોટેલાલ યતિ, જીવન કાર્યાલય, અજમેર, ૧૯૩૬. (એ) સંસ્કૃત વૃત્તિ સહિત, પં. દયાનંદ વિમલ ગ્રંથમાલા, ૧૯૩૮. (એ) સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે, મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ૧૯૫૯. (ઓ) ઉમેશચન્દ્ર જી કૃત હિન્દી અનુવાદ સહિત, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, સૈલાના, ૧૯૬૪. Page #40 -------------------------------------------------------------------------- ________________ અંગબાહ્ય આગમો ચંપા નગરી ધન-ધાન્યાદિ વડે સમૃદ્ધ અને મનુષ્યોથી ઘેરાયેલી હતી. સેંકડોહજારો હળ દ્વારા ત્યાં ખેતી કરવામાં આવતી હતી, ખેડૂતો પોતાના ખેતરોમાં શેરડી, જવ અને ચોખા વાવતા તથા ગાયો, ભેંસો અને બકરીઓ પાળતા. અહીંના લોકો આનંદ-પ્રમોદ માટે કૂકડા અને સાંઢ રાખતા. અહીં સુંદર આકારના ચૈત્યો તથા ગણિકા યુવતીઓના મહોલ્લાઓ હતા. લાંચ લેનારા, ખિસ્સાકાતરુઓ, ચોરો અને કોટવાળો (ખંડરખિ–દંડપાશિક)નો અહીં અભાવ હતો. શ્રમણોને યથેચ્છ ભિક્ષા મળી રહેતી. નટ, નર્તક, જલ્લ (દોરડા પર ખેલ કરનારા) મલ્લ, મૌષ્ટિક (મુષ્ટિથી લડનારા), વિદૂષક, કથાવાચક, પ્લવક (તરવૈયા), રાસગાયક, શુભાશુભ વર્તારા કરનારા, શંખ (વાંસ ઉપર ચડી ખેલ કરનારા), મંખ (ચિત્રો બતાવી ભિક્ષા માગનારા), તૂર વગાડનારા, તુંબવીણા વગાડનારા અને તાલ દઈ દઈ ખેલ કરનારા અહીં રહેતા હતા. આ નગરી બાગબગીચા, કૂવા, તળાવ, દીર્થિકા (વાવ) અને પાણીની પરબો વડે શોભતી હતી. નગરની ચારે તરફ ખાઈ અને કોટથી મંડિત હતી તથા ચક્ર, ગદા, મુસુંઢિ૧, ઉરોહ (છાતી પર ઘા કરવાનું હથિયાર), શતની તથા છિદ્રરહિત દરવાજાઓને કારણે તેમાં (ઔ) (મૂળ) જિનેન્દ્રવિજયગણિ, હર્ષપુષ્યામૃત જૈનગ્રંથમાળા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ૧૯૭૭. (અં) (મૂળ) રતનલાલ જોશી, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, સૈલાના, ૧૯૮૦. (અ) હિંદી અનુવાદ સહિત–મધુકર મુનિ, છગનલાલ શાસ્ત્રી, આગમ પ્રકાશન સમિતિ, બાવર, ૧૯૮૨. "उपपतनं उपपातो-देवनारकजन्मसिद्धिगमनं च, अतस्तमधिकृत्य कृतमध्ययनमौपपातिकम्" (અભયદેવ, ઔપપાતિક-ટીકા)–અર્થાત દેવનારકજન્મ અને સિદ્ધિગમન વિશે લખવામાં આવેલું શાસ્ત્ર. આના પર જિનેશ્વરસૂરિના શિષ્ય ચન્દ્રકુલોત્પન્ન નવ અંગો પર વૃત્તિ લખનારા અભયદેવસૂરિએ પ્રાચીન ટીકાઓના આધારે ટીકા લખી છે, જેનું સંશોધન ગુજરાતની પ્રાચીન રાજધાની અણહિલપુર પાટણના નિવાસી દ્રોણાચાર્યે કરેલ. ૧. તેનો આકાર શતક્ની જેવો જ હોય છે. પાયદળ સૈનિકો તેના વડે યુદ્ધ કરે છે. ૨. તેનો આકાર લાઠી જેવો હોય છે. તેમાં લોઢાના કાંટા જેવા ખીલા જડેલા હોય છે. તેના વડે એક જ વખતે સો મનુષ્યોને મારી શકાય છે. મહાભારતમાં તેનો ઉલ્લેખ છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ઔપપાતિક પ્રવેશ કરવો મુશ્કેલ હતો. આ નગરી વક્ર પ્રાકાર (કિલ્લા) વડે ધેરાયેલ, કપિશીર્ષકો (કાંગરાં) વડે શોભતી તથા અટ્ટાલિકા (અટારી), ચિરકા (ઘર અને પ્રાકારની વચ્ચે હાથી વગેરેને જવાનો માર્ગ), દ્વાર, ગોપુર અને તોરણોથી મંડિત હતી. ગોપુરના અર્ગલ (આગળા) અને ઇન્દ્રકીલ (એક પ્રકારના ખીલા) કુશળ શિલ્પીઓ દ્વારા બનાવવામાં આવેલ હતા. અહીંની બજારોમાં વ્યાપારીઓ અને કારીગરો પોતપોતાનો માલ વેચતા. ચંપા નગરીના રાજમાર્ગો સુંદર હતા અને હાથી, ઘોડા, રથ અને પાલખીઓની અવરજવરથી ભરેલા રહેતા (સૂત્ર ૧). ચંપાની ઉત્તર-પૂર્વ દિશામાં (ઇશાન ખૂણામાં) પુરાતન અને પ્રસિદ્ધ પૂર્ણભદ્ર નામે એક ચૈત્ય હતું. આ ચૈત્ય વેદી, છત્ર, ધ્વજા અને ઘંટાઓ વડે સુશોભિત હતું. રુંવાટીમાંથી બનાવેલી સાવરણી વડે તેને વાળવામાં આવતું, ભોંય છાણથી લીંપવામાં આવતી અને દીવાલો ખડી માટીથી ધોળવામાં આવતી. ગોશીર્ષ અને રક્તચંદનના પાંચેય આંગળીઓના થાપા ત્યાં પાડવામાં આવેલા. દ્વાર પર ચંદનકળશ રાખવામાં આવેલા હતા, તોરણો બાંધવામાં આવેલા હતા અને પુષ્પમાળાઓ લટકી રહી હતી. આ ચૈત્ય વિવિધ રંગોના પુષ્પો, ગુંદુક્ક (સુગંધી પદાર્થો), તુરુ (લોબાન) અને ગંધગુટિકાઓની સુગંધથી મહેકતું હતું. નટો, નર્તકો વગેરે અહીં પોતાનો ખેલ બતાવતા અને ભક્ત લોકો પોતાની મનોકામનાની સિદ્ધિ માટે ચંદન વગેરેથી પૂજા-અર્ચના કર્યા કરતા(૨). આ ચૈત્ય એક વનખંડ વડે ઘેરાયેલ હતું, જેમાં અનેક પ્રકારનાં વૃક્ષો ઉગેલાં હતાં. વૃક્ષો પત્ર, પુષ્પ અને ફળો વડે આચ્છાદિત હતાં, તેમના પર વિવિધ પક્ષીઓ ક્રીડા કરતા હતા. આ વૃક્ષો જાતજાતની વેલીઓ વડે ઘેરાયેલા હતાં. અહીં રથ વગેરે વાહનો ઊભા રાખવામાં આવતાં (૩). ચંપા નગરીમાં ભંભસાર નો પુત્ર રાજા કૂણિક રાજ્ય કરતો હતો. તે રાજા કુલીન, રાજલક્ષણોથી સંપન્ન, રાજ્યાભિષિક્ત, વિપુલ ભવનો, શયનો, આસનો, યાનો, વાહનો, સોનું, ચાંદી, દાસીઓ, કોષ, કોષાગાર અને આયુધાગારનો અધિપતિ હતો (૬). ૧. તુરુબ્જો યવનરેશન:-હેમચન્દ્ર, અભિધાનચિંતામણિ (૩-૩૧૨). ૨. ભંભસાર અથવા ભિભિસાર (બિંબિસાર) શ્રેણિકનું જ બીજું નામ છે. એક દંતકથા અનુસાર એક વાર કુશાગ્રપુર (રાજગૃહ)માં આગ લાગી ત્યારે રાજા પ્રસેનજિત અને તેના બધા રાજકુમારો મહેલ છોડી ભાગી છૂટ્યા. ભાગતી વખતે કોઈએ ઘોડો લઈ લીધો, કોઈએ રત્નો અને કોઈએ મણિ-માણેક, પરંતુ શ્રેણિક એક ભંભા (ઢોલ) ઉપાડીને ભાગ્યો. પ્રસેનજિતે પૂછ્યું તો શ્રેણિકે જવાબ દીધો કે ભંભા રાજાના વિજયનું ચિહ્ન છે, એટલા માટે તેણે ભંભા લીધેલ છે. ત્યારથી અં.આ. - ૩ મ Page #42 -------------------------------------------------------------------------- ________________ અંગબાહ્ય આગમો રાજા કૂણિકની રાણી ધારિણી' લક્ષણ અને વ્યંજનયુક્ત, સર્વાંગસુંદરી અને વાર્તાલાપ વગેરેમાં કુશળ હતી. રાજા અને રાણી કામભાગોનું સેવન કરતાં કરતાં સુખપૂર્વક સમય પસાર કરતા હતા (૭) . એક દિવસ રાજા કૃણિક અનેક ગણનાયકો, દંડનાયકો, માંડલિક રાજાઓ, યુવરાજ, તલવર (નગરરક્ષક), માડંબિક (સીમા પ્રાંતનો રાજા), કૌટુંબિક (પરિવારનો મુખી), મંત્રી, મહામંત્રી, જ્યોતિષી, દ્વારપાળ, અમાત્ય, અંગરક્ષક, પીઠમર્દ (રાજાનો સહચર), નગરવાસીઓ, વ્યાપારીઓ, શ્રેષ્ઠીઓ, સેનાપતિ, સાર્થવાહો, દૂતો અને સંધિરક્ષકોની સાથે ઉપસ્થાનશાળા (સભામંડપ)માં બેઠો હતો. તે વેળાએ નિગ્રંથ-પ્રવચનના શાસ્તા શ્રમણ ભગવાન મહાવીર અનેક શ્રમણો વડે ઘેરાયેલા ગ્રામાનુગ્રામ વિહાર કરતા ચંપા નગરીની પાસે આવી પહોંચ્યા (૯-૧૦). રાજા કૃણિકના સમાચાર-નિવેદકને જેવા ભગવાન મહાવીરના આગમનના સમાચાર મળ્યા તેવો તે પ્રસન્નચિત્ત થઈ પોતાને ઘરે આવ્યો. તેણે સ્નાન કર્યું, દેવતાઓને બલિ ચઢાવી તથા કૌતુક (કપાળમાં તિલક વગેરે કરવું) અને મંગળ કરીને પછી શુદ્ધ વસ્ત્રાભૂષણ ધારણ કરીને તે રાજા કૃણિકના દરબારમાં પહોંચ્યો. બે હાથ જોડી રાજાને વધામણી આપતાં તેણે નિવેદન કર્યું : “હે દેવાનુપ્રિય ! જેમના દર્શનની આપ સદૈવ ઇચ્છા અને અભિલાષા રાખો છો અને જેમના નામગોત્રનાં શ્રવણમાત્રથી લોકો સંતુષ્ટ બને છે તેવા શ્રમણ ભગવાન મહાવીર પૂર્વાનુપૂર્વી વિહાર કરતા કરતા નગરના પૂર્ણભદ્ર ચૈત્યમાં હમણાં જ પધારવાના છે. આ જ વાત જણાવવા માટે આપની સેવામાં હું ઉપસ્થિત થયો છું.” (૧૧). ભંભસારનો પુત્ર રાજા કુણિક સમાચાર-નિવેદક પાસેથી આ સમાચાર સાંભળી અત્યંત પ્રસન્ન થયો, આનંદાતિરેકથી તેના કટક (કડાં), બાહુબંધ, બાજુબંધ, મુકુટ અને કુંડળો ચંચળ બની ગયા. વેગપૂર્વક તે પોતાના સિંહાસન શ્રેણિક ભંભસારના નામે ઓળખાયો. (આવશ્યક ચૂર્ણિ ૨, પૃ. ૧૫૮) કૂણિક (અજાતશત્રુ) રાજા શ્રેણિકની રાણી ચેલણાના પેટે જન્મ્યો હતો. કૂણિકને અશોકચંદ્ર, વર્જિવિદેહપુત્ર અથવા વિદેહપુત્ર નામથી પણ ઓળખવામાં આવે છે. વિશેષ માટે જુઓ–જગદીશ ચન્દ્ર જૈન, જૈન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ, પૃ. ૫૦૮-૫૧૨. ધારિણી રાજા કૃણિકની પટરાણી હતી. ઉવવાય (૩૩, પૃ. ૧૪૪)ના ટીકાકાર અભયદેવે સુભદ્રા એ ધારિણીનું નામાંતર હોવાનું કહ્યું છે. (નિરયાવલિયા ૧ મુજબ) પદ્માવતી કૂણિક રાજાની બીજી રાણી હતી જેણે ઉદાયીને જન્મ આપ્યો હતો . Page #43 -------------------------------------------------------------------------- ________________ પપાતિક પરથી ઊભો થયો, પાદપીઠથી નીચે ઉતર્યો અને પોતાની પાદુકાઓ ઉતારી. ત્યારપછી ખગ, છત્ર, મુકુટ, ઉપાનહ (જોડાં) અને ચામરનો ત્યાર કરી એકશાટિક ઉત્તરાસંગ કરી, પરમ પવિત્ર બની, હાથ જોડી તિર્થંકરની સામે સાત-આઠ પગલાં ચાલ્યો. પછી ડાબો ઘૂંટણ વાળી, જમણો જમીન પર રાખી, ત્રણ વાર મસ્તકથી જમીનને તેણે સ્પર્શ કર્યો. પછી સહેજ ઊંચે મસ્તક કરી કંકણ અને બાહુબંધોથી ભરેલી ભુજાઓને એકત્ર કરી, હાથ જોડી નમોલ્યુ અરિહંતાણં' વગેરે બોલી શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર કર્યા અને પછી પોતાના આસન પર પૂર્વાભિમુખ બની બેસી ગયો. કૂણિકે શુભ સમાચાર આપનાર સમાચાર-નિવેદકને પ્રીતિદાન આપી તેનો આદર-સત્કાર કર્યો અને તેને આદેશ આપ્યો કે જ્યારે ભગવાન પૂર્ણભદ્ર ચૈત્યમાં પધારે ત્યારે તે તરત જ નિવેદન કરે (૧૨). આગલા દિવસે મહાવીર પોતાના શિષ્ય-સમુદાય સાથે વિહાર કરતા કરતા ચંપા નગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં આવી પહોંચ્યા. તેમની સાથે ઉગ્ર, ભોગ, રાજન્ય, જ્ઞાત, કૌરવ વગેરે કુળોના અનેક ક્ષત્રિયો, સુભટો, યોદ્ધાઓ, સેનાપતિઓ, શ્રેષ્ઠીઓ અને ઈભ્યો (ધનવાનો) હાજર હતા, જેઓએ વિપુલ ધન-ધાન્ય અને હિરણ્ય-સુવર્ણનો ત્યાગ કરી મહાવીરના ચરણોમાં શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી. તે શિષ્યો મનોબળસંપન્ન હતા તથા શાપ દેવા માટે કે અનુગ્રહ કરવા માટે સમર્થ હતા. તેમનાં નિષ્ઠીવન (ઘૂંક), મળ, મૂત્ર તથા હસ્તાદિ-સ્પર્શ રોગીને સ્વસ્થ કરવા માટે ઔષધિનું કામ કરતાં. અનેક શ્રમણો મેધાવી, પ્રતિભાસંપન્ન તથા કુશળ વક્તા અને આકાશગામિની વિદ્યામાં નિષ્ણાત હતા. તેઓ કનકાવલિ, એકાવલિ, શુદ્ર સિંહનિષ્ક્રીડિત, મહાસિનિષ્ક્રીડિત, ભદ્રપ્રતિમા, મહાભદ્રપ્રતિમા, સર્વતોભદ્રપ્રતિમા, આયંબિલવર્ધમાન, માસિકભિક્ષુપ્રતિમા, ક્ષુદ્રમોકપ્રતિમા, મહામોકપ્રતિમા, યવમધ્યચન્દ્રપ્રતિમા અને વજમધ્યચન્દ્રપ્રતિમા નામના તપોનું આચરણ કરતા હતા. વિદ્યા અને મંત્રમાં તેઓ કુશળ હતા, પરવાદીઓનું માન-મર્દન કરવામાં નિષ્ણાત હતા તથા નિથ-પ્રવચન અનુસાર વિહાર કરતા હતા. તેઓ દ્વાદશાંગ-વેત્તા, ગણિપિટક (જિનપ્રવચન)ના ધારક અને વિવિધ ભાષાઓના પંડિત હતા. તેઓ પાંચ સમિતિ અને ત્રણ ગુતિઓનું પાલન ૧. પ્રીતિદાનના કોષ્ટક માટે જુઓ–નાયાધમ્મકતાઓ ૧, પૃ. ૪૨, અ-૪૩. ૨. અભયદેવે ગાયનો અર્થ નાગવંશ કર્યો છે જે બરાબર નથી–ટુફ્તીવૃવંશવિશેષપૂતા: ના વી ના વંશપ્રસૂતા: (ઉવવાઇય, પૃ. ૫૭). ૩. સંભવ છે કે એકાવલી તપની પરંપરા નષ્ટ થવાને કારણે અભયદેવસૂરિએ તેનું વિવેચન કર્યું નથી–ાવની ૨ નાખ્યોતિતિ ન વિતા (એજન, પૃ. પ૬). Page #44 -------------------------------------------------------------------------- ________________ અંગબાહ્ય આગમો કરતા હતા, વર્ષાકાળ છોડીને બાકીના આઠ મહિના એક સ્થળેથી બીજા સ્થળે ભ્રમણ કર્યા કરતા અને ગામમાં એક રાતથી વધુ તથા નગરમાં પાંચ રાતથી વધુ નિવાસ કરતા ન હતા. તે તપસ્વીઓ અનશન, અવમૌદર્ય, ભિક્ષાચર્યા (વૃત્તિસંક્ષેપ), રસપરિત્યાગ, કાયક્લેશ અને પ્રતિસંલીનતા નામે બાહ્ય તપ તથા પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ નામે આવ્યંતર તપનું પાલન કરતા હતા. સૂત્રોનું વાચન, મનન અને ચિંતન કરતા કરતા તથા તપ અને ધ્યાન દ્વારા આત્મચિંતન કરતા કરતા તેઓ વિહાર કરતા હતા (૧૩-૧૪). ચંપા નગરીમાં શ્રમણ ભગવાન મહાવીરના આગમનના સમાચાર સાંભળતાં જ નગરવાસીઓમાં હલચલ મચી ગઈ. તેઓ એકબીજાને કહેવા લાગ્યા : “ભગવાન રામાનુગ્રામ વિહાર કરતા કરતા પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા છે. જો તેમના નામગોત્રનું શ્રવણ કરવું પણ મહાફળદાયક છે તો પછી તેમની પાસે પહોંચીને તેમની વંદના કરવી, કુશળ સમાચાર પૂછવા અને તેમની પર્યાપાસના કરવી શું ફળદાયક ન થાય ? ચાલો હે દેવાનુપ્રિયો! આપણે મહાવીરની વંદના કરીએ, તેમનો સત્કાર કરીએ અને વિનયપૂર્વક તેમની ઉપાસના કરીએ. તેનાથી આપણને આ લોક અને પરલોકમાં સુખની પ્રાપ્તિ થશે.” આમ વિચારી અનેક ઉગ્રો, ઉગ્રપુત્રો, ભોગો, ભોગપુત્રો, રાજન્યો, ક્ષત્રિયો, બ્રાહ્મણો, ભટો, યોદ્ધાઓ, પ્રશાસ્તાઓ, મલ્લકીઓ, લિચ્છવીઓ, લિચ્છવીપુત્રો તથા અનેક માંડલિક રાજાઓ, યુવરાજો, તલવરો (કોટવાળો), સીમા પ્રાંતના અધિપતિઓ, પરિવારના સ્વામીઓ, ઇભ્યો (ધનપતિઓ), શ્રેષ્ઠીઓ, સેનાપતિઓ અને સાર્થવાહો વગેરે– કોઈ વંદન માટે, કોઈ પૂજન માટે, કોઈ દર્શન માટે, કોઈ કુતૂહલ શાંત કરવા માટે, કોઈ અર્થનિર્ણય કરવા માટે, કોઈ ન સાંભળેલી વાત સાંભળવા માટે, કોઈ સાંભળેલી વાતનો નિશ્ચય કરવા માટે તથા કોઈ અર્થ, હેતુ અને કારણો જાણવા માટે – પૂર્ણભદ્ર ચૈત્ય તરફ ચાલ્યા. કોઈએ કહ્યું અમે મુંડિત બની શ્રમણ૧. કાયક્લેશના ભેદો નીચે પ્રમાણે બતાવવામાં આવ્યા છે– સ્થાનસ્થિતિક, સ્થાનાતિગ, ઉત્કટુક આસનિક, પ્રતિમાસ્થાયી, વીરાસનિક, નૈષધિક, દિંડાયતિક, લકુટશાયી, આતાપક, અપાવૃતક (વસ્ત્રરહિત બની તપ કરવું), અકÇયક (તપ કરતાં કરતાં શરીર ખંજવાળવું નહિ), અનિષ્ઠીપક (તપ કરતાં કરતાં ઘૂંકવું નહિ)–ઉવવાય (૧૯, પૃ. ૭૫) ૨. નવ મલકી અને નવ લિચ્છવી કાશી-કોશલના અઢાર ગણરાજાઓ હતા જેમણે વૈશાલીના રાજા ચેતક સાથે મળીને રાજા કૃણિક સાથે યુદ્ધ કર્યું હતું (નિરયાવલિયા ૧), પાવા નગરીમાં Page #45 -------------------------------------------------------------------------- ________________ પપાતિક પ્રવ્રયા લઈશું, કોઈએ કહ્યું અમે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતોનું પાલન કરી ગૃહીધર્મ ધારણ કરીશું. ત્યારબાદ નગરવાસીઓ સ્નાન વગેરે કરી પોતાના શરીરને ચંદનથી ચર્ચિત કરી, સુંદર વસ્ત્રો અને માળા પહેરી, મણિ, સુવર્ણ તથા હાર, અર્થહાર, તિસરય (ત્રણ સેરનો હાર), પાલંબ (ગળાનું આભૂષણ) અને કટિસૂત્ર (કંદોરો) વગેરે આભૂષણો ધારણ કરી ભગવાન મહાવીરના દર્શન માટે નીકળ્યા. કોઈ ઘોડા, કોઈ હાથી, કોઈ રથ તથા કોઈ પાલખી પર સવાર થઈ અને કોઈ પગે ચાલી પૂર્ણભદ્ર ચૈત્ય પહોંચ્યા. શ્રમણ ભગવાન મહાવીરને દૂરથી જોઈને નગરવાસીઓ પોતપોતાના યાનો અને વાહનોમાંથી નીચે ઉતર્યા અને પછી ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વિનયપૂર્વક હાથ જોડી, તેમની ઉપાસનામાં લાગી ગયા (૨૭), સમાચાર-નિવેદક પાસેથી મહાવીરના આગમનના સમાચાર મળતાં રાજા કૃણિક અત્યંત પ્રસન્ન થયો. તેણે તરત જ પોતાના સેનાપતિને આદેશ આપ્યો-“હે દેવાનુપ્રિય! તરત જ હરિત્ન સજ્જ કરો, ચતુરંગિણી સેના તૈયાર કરો અને સુભદ્રા વગેરે રાણીઓ માટે અલગ અલગ યાન સજાવો. નગરીના શેરી-મહોલ્લાઓ સાફ કરાવી તેમાં જળછંટકાવ કરાવો, નગરીને માંચડાઓથી શોભાવો, ઠેર ઠેર ધ્વજાઓ અને પતાકાઓ ફરકાવો તથા ગોશીષ અને રક્તચંદનના થાપા લગાવી બધા સ્થળે અગરબત્તી વગેરેની ધૂપ ફેલાવો (૨૮-૨૯)." સેનાપતિએ હાથ જોડી રાજા કૃણિકની આજ્ઞા શિરોધાર્ય કરી. તેણે મહાવતને બોલાવ્યો અને તરત જ હસ્તિરત્ન તથા ચતુરંગિણી સેના સજ્જ કરવાનો આદેશ આપ્યો. સેનાપતિની આજ્ઞા મળતાં મહાવતે હસ્તિરત્નને ઉજ્વળ વસ્ત્રો પહેરાવ્યાં, કવચ વડે સજાવ્યો, વક્ષસ્થળમાં દોરડું બાંધ્યું, ગળામાં આભૂષણો અને કાનમાં કર્ણપૂર પહેરાવ્યાં, બંને તરફ ઝૂલ લટકાવી, અસ્ત્ર-શસ્ત્ર અને ઢાલથી સજ્જ કર્યો, છત્ર, ધ્વજા અને ઘંટડીઓ લટકાવી તથા પાંચ શિખાઓ વડે તેને વિભૂષિત કર્યો. ચતુરંગિણી સેના સજ્જ થઈ ગઈ એટલે મહાવતે સેનાપતિને જાણ કરી. ત્યારબાદ સેનાપતિએ યાનશાલિકને બોલાવીને સુભદ્રા વગેરે રાણીઓ માટેયાનો સજ્જ કરવાનો આદેશ આપ્યો. સેનાપતિની મહાવીરના નિર્વાણ સમયે મલ્લકા અને લિચ્છવી રાજાએ હાજર હતા અને તેમણે આ અવસરે સર્વત્ર દીપક પ્રગટાવી ઉત્સવ ઉજવ્યો હતો (કલ્પસૂત્ર ૧૨૮). ૧. પાંચ અણુવ્રતો – સ્થળ પ્રાણાતિપાત વિરમણ, સ્થૂળ મૃષાવાદ વિરમણ, સ્થૂળ અદત્તાદાન વિરમણ, સ્વદારસંતોષ, ઇચ્છાપરિમાણ. સાત શિક્ષાવ્રતો-અનર્થદંડ વિરમણ, દિવ્રત, ઉપભોગ-પરિભોગપરિમાણ, સામાયિક, દેશાવકાશિક, પ્રોષધોપવાસ, અતિથિસંવિભાગ, Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અંગબાહ્ય આગમો આજ્ઞા મળતાં યાનશાળાના અધિકારીએ યાનશાળામાં જઈ યાનોનું નિરીક્ષણ કર્યું, તેમની સાફસૂફી કરી બહાર કાઢ્યાં અને તેમની ઉપરના કપડાં દૂર કરી ગમન માટે સજજ કર્યા. ત્યારપછી તે વાહનશાળામાં ગયો, બળદો બહાર કાઢીને તેમને હાથ વડે પસવાર્યા, તેમને વસ્ત્રો વડે આચ્છાદિત કર્યા અને અલંકારો પહેરાવ્યાં. ત્યારપછી બળદોને યાનમાં જોડ્યા, ગાડીવાનોના હાથમાં આર (પઓઇલઢિ–પ્રતોદયષ્ટિ) આપી અને વાનોને માર્ગ ઉપર લાવી ઊભા રાખ્યા. સેનાપતિએ નગરરક્ષકોને બોલાવી તેમને નગરમાં છંટકાવ વગેરે કરવાનો આદેશ આપ્યો. બધી તૈયારી થઈ ગઈ એટલે સેનાપતિએ રાજા કૃણિક પાસે પહોંચી સવિનય નિવેદન કર્યું કે મહારાજ ગમન માટે તૈયાર થઈ જાય (૩૦). આ સાંભળી રાજા કૃણિકે વ્યાયામશાળામાં પ્રવેશ કર્યો. ત્યાં કુસ્તી વગેરે વિવિધ વ્યાયામ કરીને થાકી ગયા પછી તેણે શતપાક, સહસ્રપાક વગેરે સુગંધિત અને પુષ્ટિકારક તેલ દ્વારા કુશળ તૈલર્દિકો પાસે શરીરની માલિશ કરાવી અને થોડી વાર પછી થાક દૂર થઈ જતાં તે વ્યાયામશાળામાંથી નીકળ્યો. ત્યારપછી તે સ્નાનાગારમાં ગયો. ત્યાં મણિમુક્તા જડેલ સ્નાનમંડપમાં પ્રવેશ કર્યો અને રત્નજડિત જ્ઞાનપીઠ પર બેસી સુગંધી જળ દ્વારા વિધિપૂર્વક સ્નાન કર્યું. પછી રૂંછાદાર મુલાયમ ટુવાલથી પોતાનું શરીર લૂછીને ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો, બહુમૂલ્ય નવાં વસ્ત્રો ધારણ કર્યા, સુગંધી માળા પહેરી, ગળામાં હાર, બાહુઓમાં બાહુબંધ, આંગળીઓમાં વીંટીઓ, બંને કાનમાં કુંડળ, મસ્તક પર મુકુટ અને બંને હાથમાં વીરવલય ધારણ કર્યા. તેનાં મસ્તક પર છત્ર ધરવામાં આવ્યું, ચામર વીંઝવામાં આવ્યાં અને એ રીતે જય જય શબ્દપૂર્વક રાજા સ્નાનાગારમાંથી બહાર નીકળ્યો. ત્યારપછી કૂણિક અનેક ગણનાયકો, દંડનાયકો, માંડલિકો, રાજાઓ, યુવરાજો, કોટવાળો, સીમા પ્રાંતના રાજાઓ, પરિવારના સ્વામીઓ, ઇભ્યો, શ્રેષ્ઠીઓ, સેનાપતિઓ, સાર્થવાહો, દૂતો અને સંધિરક્ષકો સાથે બહારની ઉપસ્થાનશાળા (જનસભા)માં આવીને હાથી પર સવાર થયો. સહુથી આગળ આઠ મંગળ દ્રવ્યો', પછી પૂર્ણકળશ, છત્ર, પતાકા અને ચામરસહિત વૈજયંતી સજ્જ કરાયાં. ત્યારપછી દંડ, છત્ર, સિંહાસન, પાદપીઠ અને પાદુકા ઉપાડનારા અનેક કિંકરો તથા કર્મકારો ઊભા રહ્યા. તેમની પાછળ લાઠી, ભાલા, ધનુષ્ય, ચામર, પાશ, પુસ્તક, ફલક (ઢાલ), આસન, વીણા, કુતુપ (તલપાત્ર) અને પાનદાન (હડપ્પો ઉપાડનારા સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાન ક (ાવઃ પુરુષારૂઢપુરુષ ત્ય; સ્વસ્તિપંમિત્ય, પ્રસિવિશેષ રૂત્ય), ભદ્રાસન, કળશ, મત્સ્ય અને દર્પણ. મથુરાની કળામાં આઠમાંગલિક ચિહ્નો અંકિત છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ પપાતિક ઊભા રહ્યા. તેમની પાછળ અનેક દંડી, મુંડી, શિખંડી (શિખાધારી), જટી (જટાધારી), પિંછીવાળા, વિદૂષક, ચાટુકાર, ભાંડ વગેરે હસતા-બોલતા અને ગાતા-નાચતા તથા જય-જયકાર કરતા હતા. ત્યારપછી ઘોડા, હાથી અને રથ હતા અને તેમની પાછળ અસિ, શક્તિ (સાંગ), ભાલા, તોમર, શૂલ, લકુટ, ભિડિપાલ (લાંબા ભાલા) અને ધનુષ્ય વડે સજ્જ પાયદળ સૈનિકો ઊભા હતા. કૂણિક રાજાનું વક્ષસ્થળ હાર વડે, મુખ કુંડળ વડે અને મસ્તક મુકુટ વડે શોભી રહ્યું હતું. તેના મસ્તક પર છત્ર શોભતું હતું અને ચામર ઢળી રહ્યાં હતાં. આ રીતે ખૂબ ઠાઠમાઠ સાથે કૂણિકે હાથી પર સવાર થઈ પૂર્ણભદ્ર ચૈત્ય તરફ પ્રસ્થાન કર્યું. તેની આગળ મોટા ઘોડા અને ઘોડેસવારો, બંને બાજુ હાથીઓ અને હાથીસવારો તથા પાછળ પાછળ રથો ચાલી રહ્યા હતા. શંખ, પણવા (નાનો ઢોલ), પટણ, ભેરી, ઝાલર, ખરમુહી (ઝાંઝ), હુડુક્કી, મુરજ, મૃદંગ અને દુંદુભિના નાદથી આકાશ ગાજી રહ્યું હતું (૩૧). જયારે રાજા કૂણિક હાથી પર સવાર થઈ નગરમાંથી પસાર થયો ત્યારે માર્ગમાં અનેક દ્રવ્યાર્થી, કામાર્થી, ભોગાર્થી, ભાંડ, કારોડિક (તાંબુલવાહક–ટીકા), લાભાર્થી, રાજકરથી પીડાયેલા, શંખવાદક, કુંભકાર, તેલી, કૃષક (ગંગલિયા), ચાટુકાર, ભાટ તથા છાત્ર (ખંડિયગણ) વગેરે પ્રિય અને મનોજ્ઞ વચનો દ્વારા રાજાને વધામણી આપી રહ્યા હતા–આપ અજેયને જીતો, જીતેલાઓનું પાલન કરો, પરમ આયુષ્યમાન બનો, સમસ્ત રાજ્યની સુખપૂર્વક રક્ષા કરો અને વિપુલ ભોગોનો ઉપભોગ કરતા કરતા સમયયાપન કરો. આ રીતે અનેક નરનારીઓ વડે જેની સ્તુતિ અને અભિવાદન કરવામાં આવતું હતું તેવો રાજા કૃણિક પૂર્ણભદ્ર ચૈત્ય પહોંચ્યો. દૂરથી મહાવીરને જોઈને તે પોતાના હાથી પરથી નીચે ઉતર્યો, તેણે પોતાના રાજચિહ્નો દૂર કર્યા અને તેમની પાસે પહોંચી પાંચ અભિગમ પૂર્વક ત્રણ વાર પ્રદક્ષિણા કરી, નમસ્કાર કર્યા અને પોતાના હાથ-પગ સંકોચીને ધર્મશ્રવણ માટે બેસી ગયો (૩૨), સુભદ્રા વગેરે રાણીઓ પણ સ્નાન વગેરે કરી સર્વાલંકારવિભૂષિત બની દેશવિદેશની અનેક કુશળ દાસીઓ તથા વર્ષધર (અંતઃપુરનું રક્ષણ કરનારા નપુંસકો), ૧. નન્નાવર્તાવિતસુવમિત્રો વિશેષા –જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ-ટીકા, પૃ. ૧૪૨. ૨. સચિત્ત દ્રવ્યનો ત્યાગ, અચિત્તનું ગ્રહણ, એકશાટિક ઉત્તરાસંગ ધારણ, ભગવાનના દર્શન થતાં હાથ જોડી અભિવાદન તથા મનની એકાગ્રતા. ૩. કુન્ના, ચિલાત (કિરાત) દેશની રહેનારી, ઠીંગણી, વડભી (મોટા પેટવાળી), બર્બર દેશની રહેનારી, બઉસ (?) દેશની રહેનારી, યવન દેશની રહેનારી, પદ્વવ દેશની રહેનારી, Page #48 -------------------------------------------------------------------------- ________________ અંગબાહ્ય આગમો કંચુકી અને મહત્તર વગેરે વડે ઘેરાઈ અંતઃપુરમાંથી બહાર નીકળી અને પાનોમાં બેસી ભગવાનના દર્શન માટે ચાલી. પૂર્ણભદ્ર ચૈત્યમાં પહોંચીને તે યાનોમાંથી નીચે ઉતરી અને પાંચ અભિગમપૂર્વક મહાવીરની પ્રદક્ષિણા કરી, તેમને નમસ્કાર કરી, કૃણિક રાજાની પાછળ, પરિવારસહિત ઊભી રહી ભગવાનની ઉપાસના કરવા લાગી (૩૩). મહાવીર મેઘસમાન ગંભીર ધ્વનિ વડે અર્ધમાગધી ભાષામાં મોટી સભામાં ઉપસ્થિત જનસમૂહને ધર્મોપદેશ આપવા લાગ્યા. તેમણે નિર્ચથ-પ્રવચનનું પ્રતિપાદન કરતાં અગાર અને અનગાર ધર્મનો ઉપદેશ આપ્યો (૩૪). ધર્મોપદેશ સાંભળીને પરિષદના સભાસદોએ ત્રણ વાર પ્રદક્ષિણા કરી ભગવાનનું અભિવાદન કર્યું. કેટલાકે અગાર ધર્મનો ત્યાગ કરી અનગાર ધર્મ ધારણ કર્યો અને કેટલાકે પાંચ અણુવ્રત તથા સાત શિક્ષાવ્રત ગ્રહણ કરીને ગૃહસ્થ ધર્મ સ્વીકાર કર્યો. જનસમુદાય મહાવીરના ઉપદેશની પ્રશંસા કરવા લાગ્યા–“ભંતે ! નિગ્રંથ-પ્રવચનનું આપે સુંદર વ્યાખ્યાન કર્યું, સુંદર પ્રતિપાદન કર્યું. આપે ઉપશમ, વિવેક, વૈરાગ્ય અને પાપોના ત્યાગનું પ્રરૂપણ કર્યું. અન્ય કોઈ શ્રમણ-બ્રાહ્મણ આવા ધર્મનું પ્રતિપાદન કરતા નથી.' રાજા કૃણિક અને સુભદ્રા વગેરે રાણીઓએ પણ ભગવાનના ધર્મોપદેશના વખાણ કર્યા (૩૫-૩૭). તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના જયેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ નામે ગણધર મહાવીરની પાસે જ ધ્યાનમાં સંલગ્ન થઈ ઘોર તપ કરી રહ્યા હતા. તપ કરતાં કરતાં તેમના મનમાં કેટલીક શંકાઓ ઉત્પન્ન થઈ અને ભગવાન પાસે ઉપસ્થિત થઈ તેમણે જીવ અને કર્મબંધ વિષયક અનેક પ્રશ્નો કર્યા (૩૮). ઈસાન (?) દેશની રહેનારી, ધોકિન (?) અથવા વાડણ દેશની રહેનારી, લાસક દેશની રહેનારી, લઉસ (?) દેશની રહેનારી, સિંહલની રહે તેરી, દ્રવિડની રહેનારી, અરબની રહેનારી, પુલિંદની રહેનારી, પક્કણની રહેનારી, મુરું ની રહેનારી, શબરી અને પારસની રહેનારી. વાત્સ્યાયનના કામસૂત્રમાં કંચુકીયા અને મહત્તરિકાનો ઉલ્લેખ છે. તેમના દ્વારા અંતઃપુરની રાણીઓ રાજા પાસે સંદેશ મોકલતી. જુઓ-જગદીશ ચન્દ્ર જૈન, જૈન સાહિત્ય મેં ભારતીય સમાજ, પૃ. ૫૪-૫૫. ઈન્દ્રભૂતિ મહાવીરના પ્રથમ ગણધર હતા. બાકીના ગણધરોના નામ છે–અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા, પંડિત, મૌર્યપુત્ર, અકંપિત, અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ. Page #49 -------------------------------------------------------------------------- ________________ પપાતિક ૧ ૩ મનુષ્યોના ભવસંબંધી પ્રશ્નોના ઉત્તર આપતાં મહાવીરે અનેક વિષયોનું પ્રતિપાદન કર્યું– દંડના પ્રકારો: લોખંડ કે લાકડાના બંધનમાં હાથ-પગ બાંધી દેવા (અંડુબદ્ધગ), લોઢાની જંજીરમાં પગ બાંધી દેવા (ણિઅલબદ્ધગ), પગમાં ભારે લાકડું બાંધી દેવું (હડિબદ્ધગ), જેલમાં નાખવું (ચારગબદ્ધગ), હાથ, પગ, કાન, નાક, હોઠ, જીભ, માથું, મુરવ (ગરદનની નસ), ઉદર અને લિંગ (કચ્છ)નો છેદ કરવો, કલેજાનું માંસ ખેંચી લેવું, આંખ, દાંત, અંડકોશ અને ગરદન ખેંચી લેવાં, શરીરના ચોખા જેવડા નાના ટૂકડા કરી દેવા, આ ટૂકડા બળજબરીથી ખવરાવવા, દોરડાથી બાંધી ખાડામાં લટકાવવું, હાથ બાંધી વૃક્ષની ડાળીએ લટકાવી દેવું, ચંદનની માફક પીસવું, લાકડાની માફક ફાડવું, શેરડીની માફક છોલવું, શૂળી પર ચડાવવું, માથાની આરપાર શૂળ પરોવી દેવી, ખારમાં ડૂબાડી દેવું, ચામડાની માફક ઉતરડી લેવું, લિંગ તોડવું, દાવાનળમાં સળગાવી દેવું અને કીચડમાં ડૂબાડી દેવું. મૃત્યુના પ્રકારો : ભૂખ વગેરેથી પીડાઈને મરી જવું, ઈન્દ્રિયોની પરવશતાના કારણે મરી જવું, નિદાન (ઇચ્છા) કરીને મરી જવું, અંદરના ઘાથી મરી જવું, પર્વત કે વૃક્ષ પરથી પડીને અથવા નિર્જળ દેશમાં પાણી વિના મરી જવું, પાણીમાં ડૂબીને મરી જવું, વિષભક્ષણ કરીને અથવા શસ્ત્રઘાતથી મરવું, ફાંસી પર લટકી જવું, ગીધ પક્ષીઓ વડે ફાડી ખવાયું અથવા કોઈ જંગલમાં પ્રાણત્યાગ કરવો (૩૮). વિધવા સ્ત્રીઓ : જેમના પતિ મરી ગયા હોય, જે બાળવિધવા બની ગઈ હોય, જેનો ત્યાગ કરવામાં આવ્યો હોય, માતા-પિતા-ભાઈ-પિતૃગૃહ અને શ્વસુર દ્વારા રક્ષિત હોય, પુષ્પગંધમાલા-અલંકાર વગેરેનો ત્યાગ કર્યો હોય, સ્નાનના અભાવે જે શુદ્ધ અને સ્વચ્છ ન રહેતી હોય, દૂધ-દહીં-માખણ-તેલ-ગોળ-મીઠું-મધ-મદ્ય-માંસનો જેમણે ત્યાગ કર્યો હોય તથા જેમની ઇચ્છાઓ, આરંભ અને પરિગ્રહ ઓછા થઈ ગયા હોય (૩૮). ૧. દંડના પ્રકારો વગેરે માટે પ્રશ્નવ્યાકરણસૂત્ર (૧૨, પૃ. ૫૦ અ વગેરે) પણ જોવું જોઈએ. ૨. ટીકાકારે આનો અર્થ કર્યો છે– રોમણિ યદ્યપિ સ્ત્રી ન મન્ત તથા વાત્પર વિજ્યપતિ તપ્રદામ્ ! (પૃ. ૧૬૮). Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વ્રતી અને સાધુ : ગૌતમ—તેમની પાસે એક નાનકડો બળદ હોય છે, જેના ગળામાં કોડીઓની માળા બાંધી હોય છે. આ બળદ લોકોનો ચરણસ્પર્શ કરે છે. ભિક્ષા માગતી વખતે ગૌતમ સાધુઓ આ બળદને સાથે રાખે છે.૧ • ગોપ્રતિક—ગોવ્રત રાખનારા. જે વખતે ગાય ગામની બહાર જાય ત્યારે આ લોકો પણ તેની સાથે સાથે જાય છે. જ્યારે તે ચરે છે ત્યારે આ બધા પણ ચરવા લાગે છે, પાણી પીવે છે તો તેઓ પણ પાણી પીવા લાગે છે, અને જ્યારે સૂવે છે ત્યારે તેઓ પણ સૂઈ જાય છે. ગાયની માફક આ સાધુઓ પણ ઘાસ-પાંદડાંનું જ ભોજન કરે છે. ગૃહિધર્મ—તેઓ દેવ અને અતિથિ વગેરેને દાન આપી સંતુષ્ટ કરે છે અને ગૃહસ્થધર્મનું પાલન કરે છે. ધર્મચિંતક-ધર્મશાસ્ત્રના વાચકો. અંગબાહ્ય આગમો 3 અવિરુદ્ધ—જે દેવતા, રાજા, માતા, પિતા, પશુ વગેરેની સમાન ભાવે ભક્તિ કરે છે, જેમ કે વૈશ્યાયનપુત્ર.અે બધાનો વિનય કરવાને કારણે તેઓ વિનયવાદી તરીકે પણ ઓળખાય છે. વિરુદ્ધ—અક્રિયાવાદીઓને વિરુદ્ધ કહે છે. પુણ્ય-પાપ, પરલોક વગેરેમાં તેઓ વિશ્વાસ કરતા નથી. વૃદ્ધ—જેમણે વૃદ્ધાવસ્થામાં દીક્ષા ગ્રહણ કરી હોય. શ્રાવક-ધર્મશાસ્ત્ર સાંભળનારા બ્રાહ્મણો. ૧. અંગુત્તરનિકાય (૩, પૃ. ૨૭૬)માં ગોતમક સાધુઓનો ઉલ્લેખ છે. ૨. જિઝનિકાય (૩, પૃ. ૩૮૭ વગેરે અને ટીકા) તથા લલિતવિસ્ત૨ (પૃ. ૨૪૮)માં ગોવ્રતિક સાધુઓનો ઉલ્લેખ મળે છે. ૩. અનુયોગદ્વા૨સૂત્ર (૨૦)ની ટીકામાં યાજ્ઞવલ્ક્ય વગેરે ઋષિપ્રણીત ધર્મસંહિતાઓનું ચિંતન અને તદનુસાર આચરણ કરનારાઓને ધર્મચિંતક કહેવામાં આવ્યા છે. ૪. જ્યારે મહાવીર વિહાર કરતા કરતા ગોશાલક સાથે કુમ્ભગામ આવ્યા ત્યારે ત્યાં વેસાયણ પોતાના બંને હાથ ઊંચા કરીને, પ્રાણામા પ્રવ્રજ્યાપૂર્વક તપ કરી રહ્યો હતો. આ તપ અનુસાર સાધુ, રાજા, હાથી, ઘોડો, કાગડો વગેરે જે કોઈને પણ જુએ તેને નમસ્કાર કરતો (આવશ્યક નિર્યુક્તિ ૪૯૪; આવશ્યકચૂર્ણિ, પૃ. ૨૯૮). તાપ્રલિમિના મૌર્યપુત્ર તામલિએ પણ પ્રાણામા પ્રવ્રજ્યા લીધી હતી (ભગવતીસૂત્ર ૩, ૧). અંગુત્તરનિકાય (૩, પૃ. ૨૭૬)માં અવિરુદ્ધકોનો ઉલ્લેખ મળે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ પપાતિક ૧૫ આ ગૌતમ વગેરે ઉપરોક્ત સાધુઓ સરસીયા તેલને છોડીને નવ રસો–દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મધ અને માંસનું ભક્ષણ કરતા નથી (૩૮), ગંગાતટવાસી વાનપ્રસ્થ તાપસો : હોરિય–અગ્નિહોત્ર કરનારા. પોત્તિય–વસ્ત્રધારી. કોરિય–ભૂમિ પર સૂનારા. જણઈ–યજ્ઞ કરનારા. સટ્ટઈ–શ્રદ્ધાશીલ. થાલઈ–બધો સામાન ઉપાડીને ચાલનારા. હુંબઉટ્ટ–કુંડી લઈને ચાલનારા. દંતુષ્પલિય–દાંતથી ચાવીને ખાનારા. ઉમ્મસ્જક–ઉન્મજ્જન (ડૂબકી) માત્રથી સ્નાન કરનારા. સમ્મસ્જક–અનેકવાર ડૂબકી મારી સ્નાન કરનારા. નિમજ્જક–સ્નાન કરતી વખતે ક્ષણભર જળમાં નિમગ્ન રહેનારા. સંપન્બાલ–શરીર પર માટી લગાવી સ્નાન કરનારા. દખ્રિણ કૂલગ-ગંગાના દક્ષિણ કિનારા પર રહેનારા. ઉત્તરકૂલગ-ગંગાના ઉત્તર કિનારા પર રહેનારા. સંખધમક-શંખ વગાડીને ભોજન કરનારા, જેથી ભોજન કરતી વખતે કોઈ બીજી વ્યક્તિ આવી ન જાય. કૂલધમક-કિનારા ઉપર ઊભા રહીને અવાજ કરીને ભોજન કરનારા. મિયલુદ્ધય–પશુભક્ષણ કરનારા. હWિતાવસ–જે હાથીને મારીને ઘણા સમય સુધી તેનું ભક્ષણ કરતા રહે. આ તપસ્વીઓનું એમ કહેવું છે કે તેઓ એક વર્ષમાં એક હાથીને જ મારીને માત્ર એક જ પાપનો સંચય કરે છે અને એ રીતે અનેક જીવોને મારવાના પાપમાંથી બચી જાય છે. ૧ ઉડંડક–જે દંડો ઊંચો રાખીને ચાલે છે. ૧. સૂત્રકૃતાંગ (૨, ૬)માં હસ્તિતાપસીનો ઉલ્લેખ છે. ટીકાકાર અનુસાર બૌદ્ધ ભિક્ષુઓને હસ્તિતાપસ કહેવામાં આવ્યા છે. લલિતવિસ્તર (પૃ. ૨૪૮)માં હસ્તિવ્રત તાપસીનો ઉલ્લેખ છે. ૨. આચારાંગચૂર્ણિ (પ, પૃ. ૧૬૯)માં ઉફંડગ, બોડિય અને સરબ્ધ સાધુઓને શરીરમાત્ર-પરિગ્રહી અને પાણિપુટ-ભોજી કહેવામાં આવ્યા છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૧. અંગબાહ્ય આગમો દિસાપોક્ખીજે જળ દ્વારા દિશાઓ સિંચિત કરીને પુષ્પ, ફળ વગેરે એકઠાં કરતા હોય. વક્કવાસી—વલ્કલ વસ્ત્રો પહેરનારા. 2. અંબુવાસી—જળમાં રહેનારા. બિલવાસી—ગુફામાં રહેનારા. જલવાસી—જળમાં ડૂબકી મારીને બેઠા રહેનારા. વેલવાસી—સમુદ્ર કિનારે રહેનારા. સેવાલભક્ખી—શેવાળ ખાઈને રહેનારા. અનેક તપસ્વીઓ કંદમૂળ, છાલ, પાંદડાં, ફૂલ અને બી ખાઈને રહેતા હતા, અનેક સડેલા કંદમૂળ વગેરેનું ભક્ષણ કરતા હતા. સ્નાન કરતા રહેવાથી તેમનું શરીર પીળું પડી જતું અને આતાપના તથા પંચાગ્નિતપથી તેઓ પોતાના શરીરને તપાવતા (૩૮). રુક્ખમૂલિઆ—વૃક્ષની નીચે રહેનારા. અંબુભક્ખી—જલભક્ષણ કરનારા. વાઉભીહવા પીને રહેનારા. ભગવતી (૧૧-૯)માં હસ્તિનાપુરના શિવ રાજર્ષિની તપસ્યાનું વર્ણન મળે છે, જે દિશાપ્રોક્ષક તપસ્વીઓ પાસે જઈને દીક્ષિત થયા હતા. તે બંને હાથ ઊંચા રાખી છટ્ઠમછટ્ઠ તપ કરતા હતા. પ્રથમ છટ્ઠમ તપના પારણાના દિવસે તે પૂર્વ દિશાને સિંચિત કરીને સોમ મહારાજની વંદના-પૂજા કરી કંદ-મૂળ-ફળ વગેરે વડે પોતાની ટોપલી ભરી લેતા. ત્યારપછી પોતાની કુટીમાં પહોંચી વેદી લીંપીગૂંપી શુદ્ધ કરતા અને પછી ગંગાસ્નાન કરતા. ત્યારબાદ દર્ભ, કુશ અને રેતી વડે બીજી વેદી બનાવતા, મંથનકાષ્ઠ દ્વારા અરણી ધસીને અગ્નિ પેટાવતા, મધ, ઘી અને ચોખા દ્વારા અગ્નિમાં હોમ કરતા, અને ચરુ પકાવીને વઇસ્ટદેવ (અગ્નિ)ની પૂજા કરતા. ત્યારબાદ અતિથિઓને ભોજન કરાવી પોતે ભોજન કરતા. પછી તે બીજી વાર છટ્ઠમછટ્ઠ તપ કરતા. આ વખતે દક્ષિણ દિશાના અધિપતિ યમની પૂજા કરતા. ત્રીજી વાર પશ્ચિમ દિશાના અધિપતિ વરુણ અને ચોથી વાર ઉત્તર દિશાના અધિપતિ વૈશ્રમણ મહારાજની પૂજા કરતા. બનારસનો સોમિલ નામે તપસ્વી પણ ચાર દિશાઓનો પૂજક હતો (નિરયાવલિયા ૩, પૃ. ૩૯). રાજા પ્રસન્નચંદ્ર પણ પોતાની રાણી સહિત દિશાપ્રોક્ષકોના ધર્મમાં દીક્ષિત થયો હતો (આવશ્યકચૂર્ણિ, પૃ. ૪૫૭). આ તપસ્વીઓ માટે નિરયાવલિયા સૂત્ર (૩, પૃ. ૨૪-૨૫) પણ જોવું જોઈએ. Page #53 -------------------------------------------------------------------------- ________________ ઔપાતિક પ્રવ્રુજિત શ્રમણો : સંખા—સાંખ્યો. જોઈયોગના અનુયાયીઓ. કવિલ–કપિલને માનનારા. ભિઉચ્ચભૃગુ ઋષિના અનુયાયીઓ. હંસ—જે પર્વત, ખીણ, માર્ગ, આશ્રમ, દેવમંદિર અને બગીચાઓમાં રહેતા હોય તથા ભિક્ષા માટે ગામમાં પર્યટન કરતા હોય. પરમહંસ—જે નદીતટ અને સંગમ-પ્રદેશોમાં રહેતા હોય તથા ચીર, કૌપીન અને કુશનો ત્યાગ કરી પ્રાણ ત્યાગ કરતા હોય. બહુઉદય—જે ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાત રહેતા હોય. કુડિવ્વય—જે ઘરમાં રહેતા હોય તથા ક્રોધ, લોભ અને મોહરહિત બની અહંકારનો ત્યાગ કરવા માટે પ્રયત્નશીલ હોય.૧ કર્ણાપરિવ્વાયગ—કૃષ્ણ પરિવ્રાજક અથવા નારાયણના ભક્તો (૩૮). બ્રાહ્મણ પરિવ્રાજકો : કંડુ (અથવા કણ્) કરકંડુ, અંબડ, પરાસર, કણ્ડદીવાયણ, દેવગુપ્ત અને ણાય. ક્ષત્રિય પરિવ્રાજકો : સેલઈ, સસિહાર (સસિહર અથવા મસિહાર ?), ણગંઈ (નગ્નજિત), ૧૭ ૧. હિરભદ્રે ષડ્દર્શનસમુચ્ચય (પૃ. ૮) તથા એચ.એચ.વિલ્સને રિલીજિયન્સ ઑફ હિંદુઝ, ભાગ ૧ (પૃ. ૩૧ વગેરે)માં હંસ, ૫રમહંસ વગેરેનું વર્ણન કર્યું છે. ૨. ઋષિભાષિત, થેરીગાથા (૧૧૬) અને મહાભારત (૧.૧૧૪.૩૫)માં ઉલ્લેખ છે. ૩. કષ્ટદીવાયણનો જાતક (૪, પૃ. ૮૩, ૮૭) અને મહાભારત (૧. ૧૧૪.૪૫)માં ઉલ્લેખ છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભગઈ, વિદેહ, રાયારાય (?) રાયારામ (?) અને બલ (?). આ પરિવ્રાજકો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, ઇતિહાસ અને નિઘંટુના સાંગોપાંગ વેત્તા, ષષ્ઠિતંત્રમાં વિશારદ, ગણિત, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત અને જ્યોતિષશાસ્ત્ર તથા અન્ય બ્રાહ્મણગ્રંથોમાં નિષ્ણાત હતા. તેઓ દાન, શૌચ અને તીર્થસ્નાનનો ઉપદેશ આપતા. તેમનું એમ કહેવું હતું કે જે પદાર્થ અશુચિ છે તે માટી વડે ધોવાથી પવિત્ર બની જાય છે અને અમે નિર્મળ આચાર તથા નિરવદ્ય વ્યવહારથી યુક્ત બની અભિષેકજળ વડે પોતાને પવિત્ર કરી સ્વર્ગ પ્રાપ્ત કરીશું. આ પરિવ્રાજકો કૂવા, તળાવ, નદી, વાવ, પુષ્કરિણી, દીર્થિકા, ગુંજાલિકા, સરોવર અને સાગરમાં પ્રવેશ કરતા નહિ; ગાડી, પાલખી વગેરેમાં બેસતા નહિ; ઘોડા, હાથી, ઊંટ, બળદ, ભેંસ કે ગધેડા પર સવાર થતા નહિ; નટ, માગધ વગેરેના ખેલ જોતા નહિ; લીલી વનસ્પતિનો લેપ અને ઉન્મૂલન વગેરે કરતા નહિ; ભક્તકથા, દેશકથા, રાજકથા અને ચોરકથા કહેતા નહિ તથા અનર્થદંડ કરતા નહિ. તેઓ લોઢું, પીતળ, તાંબુ, જસત, સીસું, ચાંદી કે સોનાના તથા અન્ય બહુમૂલ્ય પાત્રો ધારણ કરતા નહિ; માત્ર તુંબડું, લાકડું કે માટીના પાત્રો જ રાખતા. જાત-જાતના રંગબેરંગી વસ્ત્રો પહેરતા નહિ, માત્ર ભગવા વસ્ત્રો (ધાઉરત્ત) જ પહેરતા. હાર, અર્ધહાર વગેરે કીમતી આભૂષણો પહેરતા નહિ, માત્ર એક તાંબાની વીંટી પહેરતા. માળાઓ ધારણ કરતા નહિ, માત્ર એક કર્ણપૂર જ પહેરતા. અગરુ, ચંદન અને કંકુ વડે પોતાના શરીર પર લેપ કરતા નહિ, માત્ર ગંગાની માટીનો જ ઉપયોગ કરી શકતા. તેઓ કીચડ વિનાનું વહેતું, ગળેલું અથવા તો કોઈએ આપેલું, મગધ દેશના એક પ્રસ્થ` જેટલું સ્વચ્છ પાણી માત્ર પીવા માટે લેતા, થાળી, ચમચા ધોવા અથવા સ્નાન વગેરે કરવા માટે નહિ, આ પરિવ્રાજકો મરીને બ્રહ્મલોકમાં ઉત્પન્ન થતા (૩૮). અમ્મડ પરિવ્રાજકના સાત શિષ્યો : એક વાર અમ્મડ પરિવ્રાજકના સાત શિષ્યોએ ગ્રીષ્મ સમયે જેઠ મહિનામાં ગંગાને કિનારે કિનારે કંપિલ્લપુર નગરથી પુરિમતાલ' તરફ જવા માટે પ્રસ્થાન કર્યું. રસ્તામાં ૨ અસઈ=૧ પસઈ, ૨ પસઈ-૧ સેઈયા, ૪ સેઈયા=૧ કુલઅ, ૪ કુલઅ=૧ પ્રસ્થ, ૪ પ્રસ્થ= ૧ આઢક, ૪ ઢક=૧દ્રોણ. ૧. ૨. કપિલ, ફરૂખાબાદ જિલ્લામાં, ઉત્તરપ્રદેશમાં આવેલ છે. ૩. આ સ્થાન અયોધ્યાનું શાખાનગર હતું. (આવશ્યકનિર્યુક્તિ, ૩૪૨), અંગબાહ્ય આગમો Page #55 -------------------------------------------------------------------------- ________________ ઓપપાતિક ૧૯ એક મોટું જંગલ આવતું હતું. પરિવ્રાજકોએ પહેલાં લીધેલું પાણી સમાપ્ત થઈ જતાં તેમને ખૂબ તરસ લાગી અને નજીકમાં કોઈ નજરે ન પડતાં તેમણે વિચાર્યું કે કોઈ જલદાતા શોધવો જોઈએ. પરંતુ ત્યાં કોઈ જલદાતા નજરે પડ્યો નહિ. તેમણે વિચાર્યું કે જો આપણે આપત્તિ સમયે વગર આપેલું જળ વાપરીશું તો તપભ્રષ્ટ થઈ જઈશું. આવી દશામાં સારું એ છે કે આપણે પોતાના ત્રિદંડ, કુંડિકા (કમંડલુ), કંચણિયા (રુદ્રાક્ષની માળા), કરોડિયા (માટીનું વાસણ), બિસિયા (આસન), છણાલય (ત્રિપાઈ), અંકુશ, કેસરિયા (સફાઈ કરવાનું વસ્ત્ર), પવિત્તિયા (અંગૂઠી), ગણેત્તિયા (હાથનું આભૂષણ), છત્રી, જોડાં, પાદુકા અને ભગવા કપડાં એકાંતમાં મૂકી, ગંગામાં પ્રવેશ કરી, રેતી પર પર્યક આસનપૂર્વક પૂર્વાભિમુખ બેસીને, સંલેખનાપૂર્વક ભોજન-પાણીનો ત્યાગ કરી, વૃક્ષની માફક નિશ્ચળ અને આકાંક્ષારહિત બની જીવનનો પરિત્યાગ કરીએ. આવો નિશ્ચય કરી અરિહંતો, શ્રમણ ભગવાન મહાવીર અને ધર્માચાર્ય અમ્મડ પરિવ્રાજકને નમસ્કાર કરી તેઓ કહેવા લાગ્યા–“પહેલાં અમે અમ્મડ પરિવ્રાજક પાસે માવજીવન સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂળ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, ધૂળ મૈથુન અને સ્થૂળ પરિગ્રહનો ત્યાગ કર્યો હતો. હવે અમે મહાવીરને સાક્ષી રાખીને સમસ્ત પ્રાણાતિપાત વગેરે પાપોનો, બધા પ્રકારના ક્રોધ, માન, માયા, લોભ વગેરેનો, બધા પ્રકારના અશન, પાન વગેરે મનોજ્ઞ પદાર્થોનો ત્યાગ કરીએ છીએ; અમને શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા, દેશમશક વગેરે પરીષહો બાધા ન કરો.” આમ બોલી તેઓએ સંલેખનાપૂર્વક શરીરનો ત્યાગ કર્યો. (૩૯). અમ્મડ પરિવ્રાજક : અમ્મડ પરિવ્રાજક કંપિલ્લપુર નગરમાં માત્ર સો ઘરમાંથી આહાર લેતો હતો અને સો ઘરમાં વાસ સ્વીકારતો હતો. તેણે છટ્ટમછઠ્ઠ તપોકર્મ વડે સૂર્ય સામે બન્ને હાથ ઊંચા રાખી આતાપનાભૂમિ પર આતાપના કરતાં અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે જળમાં પ્રવેશ કરતો નહિ, ગાડી વગેરેમાં બેસતો નહિ, ગંગાની માટી ઉપરાંત અન્ય કોઈ વસ્તુનો શરીર પર લેપ કરતો નહિ. પોતાના માટે બનાવેલું આધાકર્મ, દેશિક વગેરે ભોજન ગ્રહણ કરતો નહિ. કાંતાર-ભક્ત, દુર્મિક્ષ-ભક્ત, પ્રાપૂર્ણક-ભક્ત (અતિથિઓ માટે બનાવેલું ભોજન) તથા દુર્તિનમાં બનાવેલું ભોજન ગ્રહણ કરતો નહિ. અપધ્યાન, પ્રમાદચર્યા, હિંસાપ્રધાન અને પાપકર્મનો ઉપદેશ આપતો નહિ. તે કીચડરહિત વહેતું, ગળેલું, મગધ દેશના અર્ધા આઢક માપનું સ્વચ્છ જળ માત્ર પીવા માટે ગ્રહણ કરતો; થાળી, ચમચા ધોવા અથવા સ્નાન માટે નહિ. અહતું અને અતિ ચેત્યો છોડીને શાક્ય વગેરે કોઈ બીજા ધર્મગુરુને નમસ્કાર કરતો નહિ. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અંગબાહ્ય આગમો સંખનાપૂર્વક કાળધર્મ પામીને તે બ્રહ્મલોકમાં ઉત્પન્ન થયો." - દેવલોકથી શ્રુત થઈને અમ્મડ પરિવ્રાજક મહાવિદેહમાં ઉત્પન્ન થયો. તેના જન્મદિવસની ખુશીમાં પહેલા દિવસે ઠિઇવડિયર (સ્થિતિપતિતા) ઉત્સવ, બીજા દિવસે ચંદ્ર-સૂર્યદર્શન અને છઠ્ઠા દિવસે જાગરિક (રાત્રિજાગરણ) ઉત્સવ ઉજવવામાં આવ્યો. ત્યારપછી અગિયારમા દિવસે સૂતક વીતી જતાં બારમા દિવસે નામકરણ કરવામાં આવ્યું અને બાળકનું દઢપ્રતિજ્ઞ નામ પાડવામાં આવ્યું. આઠ વર્ષ પૂરાં થતાં તેને શુભ તિથિ અને નક્ષત્રમાં ભણવા માટે કલાચાર્ય પાસે મોકલવામાં આવ્યો. ત્યાં તેને નીચે પ્રમાણેની બોતેર કળાઓનું શિક્ષણ આપવામાં આવ્યું– ૧ લેહ (લેખન), ૨ ગણિય (ગણિત), ૩ રૂવ (ચિત્ર બનાવવું), ૪ નટ્ટ (નૃત્ય), પ વાઇય (વાચિત્ર) ૬ સરગય (સાત સ્વરોનું જ્ઞાન) ૭ પોખરગય (મૃદંગ વગેરે વગાડવાનું જ્ઞાન) ૮ સમતાલ (ગીત વગેરેના સમતાલનું જ્ઞાન) ૯ જૂય (જુગાર), ૧૦ જણવય (એક પ્રકારનો જુગાર), ૧૧ પાસય (પાસાઓનું જ્ઞાન) ૧. અમરસૂરિનું અંબાચરિત્ર પણ જોવું જોઈએ. ૨. સ્થિતી તથ ની વા માથાં પતતા-પતા યા પુત્રનનમહાપ્રક્રિયા (ભગવતી ૧૧-૧૧ ટીકા). ૩. મહાવીરનો જન્મ થયો ત્યારે પહેલા દિવસે સ્થિતિ પતિતા, બીજા દિવસે ચન્દ્રસૂર્યદર્શન અને છઠ્ઠા દિવસે ધર્મજાગરિકા ઉજવવાનો ઉલ્લેખ છે (કલ્પસૂત્ર ૫, પૃ. ૮૧-૮૨). નાયાધમ્મકહાઓ (૧, પૃ. ૩૬ અ)માં પહેલાં દિવસે જાતકર્મ, પછી જાગરિકા, પછી ચન્દ્ર-સૂર્યદર્શન વગેરેનો ઉલ્લેખ છે. ભગવતીસૂત્ર (૧૧-૧૧)માં પહેલા દસ દિવસ સુધી સ્થિતિપતિતા, પછી ચન્દ્રસૂર્યદર્શન, જાગરિકા, નામકરણ, પરંગામણ (ઘૂંટણિયે ચાલવું), ચંક્રમણ, જેમામણ, પિંડવર્ધન, પપ્પાવણ (પ્રજલ્પન), કર્ણવેધ, સંવત્સરપ્રતિલેખ (વરસગાંઠ), ચોલો પણ (ચૂડાકર્મ), ઉપનયન, કલાગ્રહણ વગેરેનો ઉલ્લેખ છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ પપાતિક ૧૨ અઢાવય (ચોપાટ), ૧૩ પોટેકવ્ય (શીર્ઘકવિત્વ), ૧૪દગમટ્ટિય (મિશ્રિત દ્રવ્યોની પૃથક્કરણ-વિદ્યા), ૧૫ અષ્ણવિહિ (પાકવિદ્યા), ૧૬ પાણવિહિ (પાણી સ્વચ્છ કરવાની તથા તેના ગુણ-દોષ પારખવાની વિદ્યા અથવા જલપાનની વિધિ), ૧૭ વFવિહિ (વસ્ત્ર પહેરવાની વિદ્યા), ૧૮ વિલવણવિહિ (કેશર, ચંદન વગેરેના લેપ કરવાની વિદ્યા); ૧૯ સયણવિહિ (પલંગ, બિસ્તરા વગેરેના પરિમાણનું જ્ઞાન અથવા શયનસંબંધી જ્ઞાન). ૨૦અજ્જ (આર્યા છંદના ભેદ-પ્રભેદોનું જ્ઞાન) ૨૧ પહેલિય (પ્રહેલિકા-કોયડાનું જ્ઞાન) ૨૨ માગહિય (માગધી છંદનું જ્ઞાન). ૨૩ ગાહા (ગાથાનું જ્ઞાન). ૨૪ સિલોય (શ્લોકના ભેદ-પ્રભેદોનું જ્ઞાન) ૨૫ હિરણજીત્તી (ચાંદીનાં આભૂષણો પહેરવાનું જ્ઞાન) ૨૬ સુવણજુત્તી (સોનાનાં આભૂષણો પહેરવાનું જ્ઞાન) ૨૭ ચુર્ણજુરી (સ્નાન, મંજન વગેરે માટે ચૂર્ણ બનાવવાની યુક્તિ) ૨૮ આભરણવિહિ (આભરણો પહેરવાની વિધિ) ૨૯ તરુણીપડિકમ્મ (યુવતીઓને શણગારવાની વિધિ) ૩૦ થીલક્ઝણ (સ્ત્રીઓનાં લક્ષણોનું જ્ઞાન) ૩૧ પુરિસલમ્બણ (પુરુષોનાં લક્ષણોનું જ્ઞાન) . ૩૨ હયલષ્મણ (ઘોડાઓનાં લક્ષણોનું જ્ઞાન). ૩૩ ગયેલખણ (હાથીઓનાં લક્ષણોનું જ્ઞાન) ૩૪ ગોણલખ્ખણ (ગાયોનાં લક્ષણોનું જ્ઞાન) ૩૫ કુક્કડલખ્ખણ (કુકડાઓનાં લક્ષણોનું જ્ઞાન). ૩૬ ચક્કલષ્મણ (ચક્રનાં લક્ષણોનું જ્ઞાન). ૩૭ છત્તલમ્બણ (છત્રનાં લક્ષણોનું જ્ઞાન) ૩૮ ચમ્મલખ્ખણ (ચામડાનાં લક્ષણોનું જ્ઞાન). ૩૯ દંડલક્ષ્મણ (દંડનાં લક્ષણોનું જ્ઞાન) જ અસિલખણ (તલવારનાં લક્ષણોનું જ્ઞાન) એ.આ.-૪. Page #58 -------------------------------------------------------------------------- ________________ અંગબાહ્ય આગમો ૪૧ મણિલખ્ખણ' (મણિનાં લક્ષણોનું જ્ઞાન) ૪૨ કાકણીલખણ (કાકણી રત્નનાં લક્ષણોનું જ્ઞાન) ૪૩ વત્થવિજ્જા (વાસ્તુવિદ્યા), ૪૪ ખંધારમાણ (સેનાનાં પરિમાણનું જ્ઞાન) ૪૫ નગરમાણ (નગરનાં પરિમાણનું જ્ઞાન). ૪૬ વયૂનિવેસણ (ઘરના પાયા વગેરે વિશેનું જ્ઞાન) ૪૭ વૂહ (બૃહ-રચનાનું જ્ઞાન). ૪૮ પડિવૂહ (પ્રતિકંઠીના ભૂપનું જ્ઞાન) ૪૯ ચાર (ગ્રહોની ગતિ વગેરેનું જ્ઞાન) ૫૦ પ્રતિચાર (ગ્રહોની પ્રતિકૂળ ગતિનું જ્ઞાન) ૫૧ ચક્રવ્યુહ પ૨ ગરુડબૂહ પ૩ શકટયૂહ ૫૪ જુદ્ધ (યુદ્ધ) પપ નિજુદ્ધ (મલ્લયુદ્ધ) પ૬ જુદ્ધાતિજુદ્ધ (ઘોરયુદ્ધ) પ૭ મુઢિજુદ્ધ (મુષ્ટિયુદ્ધ) ૫૮ બાહુજુદ્ધ (બાહુયુદ્ધ) ૫૯ લયાજુદ્ધ (લતાની માફક શત્રુને વીંટળાઈને યુદ્ધ કરવું) ૬૦ ઈસત્ય (ઇષ અર્થાત્ બાણ અને અસ્ત્રોનું જ્ઞાન) ૬૧ છરુપ્પવાય (ખગવિદ્યા) ૬૨ ધણુબેય (ધનુર્વેદ) ૬૩ હિરણપાગ (ચાંદી બનાવવાના કીમિયા) ૬૪ સુવણપાગ (સોનું બનાવવાના કીમિયા) ૬૫ વટ્ટપેડ (વસ્ત્રનો ખેલ બનાવવો) ૬૬ સુત્તખેડ” (દોરડાં કે દોરી વડે ખેલ કરવો) ૬૭ ણાલિયાખેડ (એક પ્રકારનો જુગાર) ૧. હય-ગ-ગોણ-કુક્ડ-છત્ત-અસિ-મણિ અને કાકિણી લક્ષણ કલાઓની વ્યાખ્યા બૃહત્સંહિતા (ક્રમશ: અધ્યાય ૬૭, ૬૫, ૬૬, ૬૦, ૬૨, ૭૨, ૪૯ અને ૭૯)માં કરવામાં આવી છે. ૨. કુટ્ટિનમતમ્ (૧૨૪)માં સૂત્રક્રીડાનો ઉલ્લેખ છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩ પપાતિક ૬૮ પત્તશ્કેજ (પત્રરચના)* ૬૯ કડચ્છજ્જ (અનેક વસ્તુઓને ક્રમથી છેવી) ૭૦ સજીવ (મૃત ધાતુઓને સ્વાભાવિક રૂપમાં ફેરવવી) ૭૧ નિજીવ (સુવર્ણ વગેરે ધાતુઓને મારવી) ૭૨ સઉણરુઅર (શુકન અને વિભિન્ન અવાજોનું જ્ઞાન) કળાઓનું શિક્ષણ સમાપ્ત કર્યા પછી દઢપ્રતિજ્ઞના માતા-પિતાએ કલાચાર્યને વિપુલ ભોજન, પાન તથા વસ્ત્રાલંકાર વગેરે વડે સમ્માનિત કરી પ્રીતિદાન આપ્યું. દઢપ્રતિજ્ઞ ૭૨ કળાઓમાં પંડિત, ૧૮ દેશી ભાષાઓમાં વિશારદ, ગીત, ગંધર્વ અને નાટ્યમાં પત્રચ્છેદ્યનો ઉલ્લેખ કુટ્ટિનમતમ્ (૨૩૬) અને કાદંબરી (પૃ. ૧૨૬, કાલે આવૃત્તિ)માં મળે છે. આ ગ્રંથો અનુસાર પત્રરચનાનો અર્થ છે દીવાલ કે ભૂમિ પર ચિત્રરચનાની કળા. જંબૂઢીપપ્રજ્ઞપ્તિની ટીકા પ્રમાણે આનો અર્થ થાય છે પત્રોના છેદનમાં હસ્તલાઘવ પ્રદર્શિત કરવું–અષ્ટોત્તરશતપત્રા मध्ये विवक्षितसंख्याकपत्रच्छेदने हस्तलाघवम् । સજીવ અને નિર્જીવનો ઉલ્લેખ દશકુમારચરિત (કાલે આવૃત્તિ ૨, પૃ. ૬૬)માં મળે છે. ચરક અને સુશ્રુતમાં ધાતુઓની મારણવિધિ આપવામાં આવી છે. ૩. આનો ઉલ્લેખ બૃહત્સંહિતા (અધ્યાય ૮૭)માં મળે છે. મૂલસર્વાસ્તિવાદના વિનયવસ્તુમાં પણ સર્વભૂતરુતનો ઉલ્લેખ છે. ૪. ૭૨ કળાઓમાં ઘણીબધી કળાઓનો એકબીજામાં અંતર્ભાવ થઈ જાય છે. વાત્સ્યાયનના કામસૂત્રમાં ૬૪ કળાઓનો ઉલ્લેખ છે. આ કળાઓની સાથે ઉપર્યુક્ત ૭૨ કળાઓની તુલના પં. બેચરદાસજીએ પોતાની “મહાવીરની ધર્મકથાઓ' (પૃ. ૧૯૩ વગેરે)માં કરી છે. જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિની ટીકા (૨, પૃ. ૧૩૯ વગેરે)માં સ્ત્રીઓની ૬૪ કળાઓની વ્યાખ્યા કરવામાં આવી છે. કળાઓ માટે જુઓ–નાયાધમ્મકહાઓ (૧, પૃ. ૨૧), સમવાયાંગ (પૃ. ૭૭ અ), રાયપાસણય (સૂત્ર ૨૧૧), જેબૂદ્વીપપ્રજ્ઞપિટીકા (પૃ. ૨, ૧૩૬ વગેરે), અમૂલ્યચન્દ્રસેન– સોશ્યલ લાઈફ ઈન જૈન સિસ્ટમ ઑફ એજ્યુકેશન, પૃ. ૭૪ વગેરે. ૫. મગધ, માલવ, મહારાષ્ટ્ર, લાટ, કર્ણાટ, દ્રવિડ, ગૌડ, વિદર્ભ વગેરે દેશોમાં બોલાતી ભાષાઓ. જૈન શ્રમણો માટે દેશી ભાષાઓનું જ્ઞાન આવશ્યક દર્શાવવામાં આવ્યું છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અંગબાહ્ય આગમો કુશળ, હાથી, ઘોડા અને રથ પર બેસી યુદ્ધ કરનાર, બાહુઓ વડે યુદ્ધ કરનાર તથા અત્યંત વીર અને સાહસી બની ગયો. કાળાંતરે શ્રમણ ધર્મ સ્વીકારી તેણે સિદ્ધગતિ પ્રાપ્ત કરી (૪૦). આજીવિકો : દુઘરંતરિયા–એક ઘરેથી ભિક્ષા ગ્રહણ કરી બે ઘર છોડી ભિક્ષા લેનાર. તિઘરંતરિયા–એક ઘરેથી ભિક્ષા ગ્રહણ કરી ત્રણ ઘર છોડી ભિક્ષા લેનાર. સત્તઘરતરિયા–એક ઘરેથી ભિક્ષા ગ્રહણ કરી સાત ઘર છોડી ભિક્ષા લેનાર. ઉપ્પલબેંટિયા–કમળના દાંડલા ખાઈને રહેનાર. ઘરસમુદાણિય–દરેક ઘરેથી ભિક્ષા લેનાર. વિજુઅંતરિયા–વીજળી પડવાના સમયે ભિક્ષા ન લેનાર. ઉટ્ટિયસમણ—કોઈ મોટા માટીના વાસણમાં બેસી તપ કરનાર. આ શ્રમણો મરીને અશ્રુત સ્વર્ગમાં ઉત્પન્ન થાય છે. અન્ય શ્રમણો : અનુક્કોસિય–આત્મપ્રશંસા કરનારા. પરંપરિવાઇય–પરનિંદા કરનારા, અવર્ણવાદી. ભૂકમિય–વરગ્રસ્ત લોકોને ભૂતિ (રાખ) આપી નિરોગી બનાવનારા. ભુજ્જો ભુક્કો કોયિકારક સૌભાગ્યની વૃદ્ધિ માટે વારંવાર સ્નાન વગેરે કરનારા. આજીવિક મતના અનુયાયી ગોશાલ અને મહાવીર સાથે-સાથે રહ્યા હોવાનો ઉલ્લેખ ભગવતીસૂત્ર (૧૫)માં આવે છે. આજીવિકા મતનો જન્મ ગોશાલથી ૧૧૭ વર્ષ પૂર્વે થયો હતો. ગોશાલ આઠ મહાનિમિત્તોનો જ્ઞાતા હતો તથા આર્ય કાલકે આજીવિક શ્રમણો પાસેથી નિમિત્તવિદ્યાનું અધ્યયન કર્યું હતું. (પંચકલ્પચૂર્ણિ, પં. કલ્યાણવિજયના “શ્રમણ ભગવાન મહાવીર', પૃ. ૨૬૦ પર ઉલિખિત). સ્થાનાંગ (૪-૩૦૯)માં આજીવિકોના ઉગ્ર તપનું વર્ણન છે. વિશેષ માટે જુઓ–જગદીશ ચન્દ્ર જૈન, લાઈફ ઈન એન્સિયન્ટ ઈન્ડિયા, પૃ. ૨૦૭ વગેરે, જૈન આગમ મેં ભારતીય સમાજ, પૃ. ૪૧૯-૪૨૫ તથા એ. એલ. બાશમ, હિસ્ટ્રી એન્ડ ડૉક્ટ્રીન્સ ઑફ ધી આજીવિકાઝ, ૨. ભગવતી (૧-૨)માં તેમને કિલ્વેિષક કહેવામાં આવ્યા છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ પપાતિક ૨૫ સાત નિહ્નવો : બહુર–આ મત અનુસાર કાર્ય ક્રિયાના અંતિમ સમયે પૂર્ણ થાય છે, ક્રિયમાણ અવસ્થામાં નહિ. આ મતનો પ્રવર્તક જમાલિ' હતો. જીવપએસિય–જીવમાં એક પણ પ્રદેશ ઓછો હોતાં તેને જીવ કહી શકાય નહિ, આથી જે એક પ્રદેશના પૂર્ણ થવાથી તેને જીવ કહેવામાં આવે છે તે એક પ્રદેશ જ જીવ છે. તિષ્યગુપ્ત આ મતના પ્રવર્તક મનાય છે. અવત્તિય–આ મત અનુસાર સમસ્ત જગત અવ્યક્ત છે અને શ્રમણ, દેવ, રાજા વગેરેમાં કોઈ ભેદ નથી. આષાઢાચાર્ય આ મતના પ્રવર્તક હોવાનું કહેવાય છે.' સામુશ્કેઇય–આ મતવાળા નરક વગેરે ભાવોને ક્ષણસ્થાયી હોવાનું માને છે. અશ્વમિત્ર આ મતના સંસ્થાપક ગણાય છે.* દોકિરિયા–આ મત અનુસાર જીવ એક જ સમયે શીત અને ઉષ્ણ બંને વેદનાઓનો અનુભવ કરે છે. ગંગાચાર્ય આ મતના પ્રવર્તક છે.” તેરાસિય–આ મતવાળા જીવ, અજીવ અને નો જીવ રૂપી ત્રિરાશિ માને છે. રોહગુપ્ત આ મતન ૧. જમાલિ મહાવીરની જયેષ્ઠ ભગિની સુદર્શનાનો પુત્ર તથા તેમની પુત્રી પ્રિયદર્શનાનો પતિ હતો. જમાલિ ખત્તિયકુંડગ્ગામનો રાજકુમાર હતો અને ગૃહસ્થ ધર્મનો ત્યાગ કરી મહાવીરની પાસે તેણે શ્રમણ-દીક્ષા ગ્રહણ કરી હતી, પરંતુ આગળ જતાં ગુરુ-શિષ્યમાં મતભેદ પેદા થયો અને જમાલિએ પોતાનો સ્વતંત્ર મત સ્થાપ્યો. પ્રિયદર્શનાએ પહેલાં જમાલિનો ધર્મ સ્વીકાર્યો પરંતુ પછીથી તે મહાવીરની અનુયાયિની બની ગઈ. આ મતનું પ્રવર્તન મહાવીરની જ્ઞાનોત્પત્તિ પછી ચૌદ વર્ષ પછી તેમના જીવનકાળમાં જ થયું હતું. ૨. તિષ્યગુપ્ત ૧૪ પૂર્વોના વેત્તા આચાર્ય વસુના શિષ્ય હતા. આ મતની ઉત્પત્તિ મહાવીરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ૧૬ વર્ષ પછી તેમના જીવનકાળમાં જ થઈ હતી. ૩. મહાવીરના મોક્ષગમન પછી ૨૧૪ વર્ષ બાદ આ મતની ઉત્પત્તિ થઈ હતી. ૪. મહાવીરના મોક્ષગમન પછી ૨૨૦ વર્ષ બાદ આ મતની ઉત્પત્તિ થઈ હતી. ૫. મહાવીરના મોક્ષગમન પછી ૨૨૮ વર્ષ બાદ આ મતની ઉત્પત્તિ થઈ હતી. ૬. રોહગુપ્ત સડૂલય નામે પણ ઓળખાતા હતા. તેઓ વૈશેષિક મતના પ્રવર્તક હતા. મહાવીરના મોક્ષગમનના ૫૪૪ વર્ષ પછી આ મતની ઉત્પત્તિ થઈ હતી. કલ્પસૂત્ર (૮, પૃ. ૨૨૮ અ) Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૬ અંગબાહ્ય આગમો અબદ્ધિય–આ મત અનુસાર જીવ પોતાના કર્મો વડે બદ્ધ નથી. ગોષ્ઠામાહિલ આ મતના પ્રવર્તક છે.' સૂત્ર ૪૨-૪૩માં કેવલીસમુદ્યાત તથા સિદ્ધિક્ષેત્ર અને ઈષ–ાભાર પૃથ્વીનું વર્ણન કરવામાં આવ્યું છે. * * * અનુસાર તેરાસિયો આર્યમહાગિરિના શિષ્યો હતા, તથા સમવાયાંગની ટીકા (૨૨, પૃ. ૩૯ અ) અનુસાર તેઓ ગોશાલ-પ્રતિપાદિત મતને માનતા હતા. આ મતની ઉત્પત્તિ મહાવીરના મોક્ષગમનના ૫૮૪ વર્ષ બાદ થયાનું માનવામાં આવે છે. વિશેષ માટે જુઓ–સ્થાનાંગ (૫૮૭), આવશ્યકનિયુક્તિ, (૭૭૯ વગેરે), ભાષ્ય (૧૨૫ વગેરે), ચૂર્ણિ (પૃ. ૪૧૬ વગેરે); ઉત્તરાધ્યયન ટીકા (૩, પૃ. ૬૮ અ-૭૫); ભગવતી (૯-૩૩); સમવાયાંગ (૨૨), તથા સ્થાનાંગ-સમવાયાંગ (ગુજરાતી) પૃ. ૩૨૭ વગેરે Page #63 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકરણ રાજપ્રશ્નીય રાયપણાંય (રાજપ્રશ્નીય) જૈન આગમોમાં બીજું મહત્ત્વપૂર્ણ ઉપાંગ છે. તેમાં ૨૧૭ સૂત્રો છે. પહેલા ભાગમાં સૂરિયાભ દેવ મહાવીર પાસે ઉપસ્થિત થઈ નૃત્ય કરે છે અને વિવિધ નાટકો રચાવે છે. અહીં તેના વિમાન (પ્રાસાદ)નું વિસ્તૃત ૧. (અ) મલયગિરિકૃત ટીકાસહિત–ધનપત સિંહ, ઈ.સ.૧૮૮૦, કલકત્તા; આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૨૫; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ઈ.સ.૧૯૩૮. (બ) હિંદી અનુવાદ સહિત, અમોલક ઋષિ, લાલા સુખદેવ સહાય જવાલા પ્રસાદ, હૈદરાબાદ, ઈ.સ.૧૯૨૦. (ઇ) ગુજરાતી અનુવાદ – પં. બેચરદાસ જીવરાજ દોશી, લાધાજી સ્વામી પુસ્તકાલય, લીંબડી, ઈ.સ.૧૯૩૫. (ઈ) સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે-મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૬૫. (ઉ) મૂળ, જિનેન્દ્રવિજયગણિ, હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા, લાખાબાવળ–શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ઈ.સ. ૧૯૭૭ (ઊ) (મૂળ) રતનલાલ દોશી, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, સૈલાના, ઈ.સ. ૧૯૮૦. (એ) હિંદી અનુવાદ સહિત–મધુકર મુનિ. છગનલાલ શાસ્ત્રી, આગમ પ્રકાશન સમિતિ, બાવર, ઈ.સ.૧૯૮૨. નંદીસૂત્રમાં આને રાયપસેણિય કહેવામાં આવ્યું છે. આ ઉપાંગના ટીકાકાર મલયગિરિએ રાયપાસેણીએ નામ સ્વીકાર્યું છે, જેનું સંસ્કૃત રૂપ તેઓ રાગનીયં–નાનેષ પર્વ–કરે છે. તત્ત્વાર્થવૃત્તિકાર સિદ્ધસેનગણિએ આનો રાજપ્રસેનકીય અને મુનિચન્દ્રસૂરિએ રાજપ્રસેનજિત રૂપે ઉલ્લેખ કર્યો છે. રાયપાસણયને સૂયગડનું ઉપાંગ સિદ્ધ કરતાં મલયગિરિએ લખ્યું છે કે જે ક્રિયાવાદી, અક્રિયાવાદી વગેરે પાખંડીઓના ભેદો ગણાવ્યા છે, તેમાંથી અક્રિયાવાદીઓના મતનું આલંબન લઈ રાજા પ્રદેશીએ કેશી સાથે પ્રશ્નોત્તર કરેલ છે, તેથી રાયપસણયને સૂયગડનું ઉપાંગ માનવું જોઈએ (પૃ. ૨). Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અંગબાહ્ય આગમો વર્ણન કરવામાં આવ્યું છે. બીજા ભાગમાં પાર્શ્વનાથના પ્રધાન શિષ્ય કેશીકુમાર અને શ્રાવસ્તીના રાજા પ્રદેશી વચ્ચેના જીવ-અજીવ વિષયક સંવાદનું વર્ણન છે. રાજા પ્રદેશી જીવ અને શરીરને અભિન્ન માને છે અને કેશીકુમાર તેના મતનું ખંડન કરતાં જીવના સ્વતંત્ર અસ્તિત્વના પ્રમાણો રજુ કરે છે. ઉવવાઈયસૂત્રની માફક આ ગ્રંથનો આરંભ આમલકપ્પા નગરી (બૌદ્ધ સાહિત્યમાં અલ્લકપ્પાનો ઉલ્લેખ આવે છે. આ સ્થાન શાહબાદ જિલ્લામાં મસાર અને વૈશાલીની વચ્ચે આવેલ હતું.) ના વર્ણનથી કરવામાં આવેલ છે. આમલકપ્પા : આમલકપ્પા નગરી ધન્ય-ધાન્યાદિ વડે સમૃદ્ધ અને મનુષ્યોથી વ્યાપ્ત હતી. સેંકડો-હજારો હળ વડે અહીં ખેતી કરવામાં આવતી હતી. ખેડૂતો પોતાના ખેતરોમાં શેરડી, જવ અને ચોખા વાવતા તથા ગાયો, ભેંસો અને ઘેટાં પાળતા. અહીંના લોકો આનંદ-પ્રમોદ માટે કૂકડા અને સાંઢ રાખતા. અહીં સુંદર આકારના ચૈત્યો અને ગણિકા યુવતીઓના મહોલ્લા હતા. લાંચ લેનારા, ખિસ્સાકાતરુઓ, તસ્કરો અને કોટવાળો (ખંડરખિય-દંડપાશિક)નો અહીં અભાવ હતો. શ્રમણોને યથેચ્છ ભિક્ષા મળતી. નટ, નર્તક, જલ્લ (દોરડા પર ખેલ કરનાર), મલ, મૌષ્ટિક (મુઠ્ઠીથી લડનારા), વિદૂષક, કથાવાચક, પ્લવક (તરવૈયા), રાસગાયક, શુભાશુભ ભવિષ્ય ભાખનારા, લખ (વાંસ ઉપર ખેલ કરનારા), મંખ (ચિત્રો બતાવી ભિક્ષા માગનારા), તૂર વગાડનારા, તુંબવીણા વગાડનારા અને તાલ દઈ દઈ ખેલ કરનારા અહીં નિવાસ કરતા હતા. આ નગરી આરામ, ઉદ્યાન, કૂવા, તળાવ, દીધેિકા (વાવ) અને પાણીની પરબોથી શોભતી હતી. ચારે તરફ ખાઈ અને ખાતથી તે શોભતી હતી તથા ચક્ર, ગદા, મુસુંઢી, ઉરોહ (છાતીમાં ઈજા પહોંચાડનાર), શતક્ની તથા છિદ્રરહિત દરવાજાઓને કારણે તેમાં પ્રવેશ કરવો મુશ્કેલ હતો. આ નગરી વક્ર પ્રાકાર (કિલ્લો)થી ઘેરાયેલી, કપિશીર્ષકો (કાંગરા)થી શોભતી હતી તથા અટારીઓ, ચરિકા (ઘર અને કિલ્લા વચ્ચે હાથી વગેરેને જવા માટેનો માર્ગ), દ્વાર, ગોપુર અને તોરણોથી શોભાયમાન હતી. ગોપુરના આગળા અને ઈન્દ્રનીલ કુશળ શિલ્પીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા. અહીંના બજારોમાં વણિકો અને કારીગરો પોતાનો માલ વેચતા હતા. આમલકપ્પા નગરીના રાજમાર્ગો સુંદર હતા અને હાથી, ઘોડા, રથ અને પાલખીઓના આવાગમનથી ભરચક ભરેલા રહેતા (સૂત્ર ૧). આ નગરીની ઉત્તર-પૂર્વમાં પુરાતન અને સુપ્રસિદ્ધ આમ્રશાલવન નામે એક ચૈત્ય હતું. આ ચૈત્ય વેદી, છત્ર,ધ્વજા અને ઘંટાઓથી શોભતું હતું. રૂંછાદાર માર્જની ૧. જુઓ–બી.સી. લાહા, યોગ્રોફી ઑફ અર્લી બુદ્ધિઝમ, પૃ. ૨૪ વગેરે. Page #65 -------------------------------------------------------------------------- ________________ રાજપ્રશ્નીય ૨૯ (સાવરણી) વડે અહીં સફાઈ કરવામાં આવતી. ગોશીર્ષ અને રક્તચંદન વડે પાંચ આંગળીઓના થાપા અહીં પાડેલા હતા. દ્વાર પર ચંદન-કળશ રાખ્યા હતા, તોરણો બાંધ્યાં હતાં અને પુષ્પમાળાઓ લટકી રહી હતી. આ ચૈત્ય વિવિધ રંગનાં પુષ્પો, કુંદુરુક (અગર), તુરુષ્ક (લોબાન) અને ધૂપસળીઓની સુગંધથી મહેકતું હતું. નટ, નર્તકો વગેરે અહીં પોતાનો ખેલ બતાવતા અને ભક્ત લોકો પોતાની મનોકામનાની સિદ્ધિ માટે પૂજા-અર્ચના કર્યા કરતા (૨). આ ચૈત્ય એક વનખંડ વડે ઘેરાયેલું હતું જેમાં અનેક પ્રકારના વૃક્ષો ઉગેલાં હતાં. વૃક્ષો પત્ર, પુષ્પ અને ફળો વડે આચ્છાદિત હતાં જેના પર વિવિધ પક્ષીઓ ક્રીડા કરતા હતા. આ વૃક્ષો જાત-જાતની વેલોથી વીંટળાયેલા હતાં. અહીં રથ વગેરે વાહનો ઊભા રાખવામાં આવતાં (૩). ચંપા નગરીમાં સેય નામે રાજા રાજય કરતો હતો. આ રાજા કુલીન, રાજલક્ષણોથી સંપન્ન, રાજ્યાભિષિક્ત, વિપુલ ભવન, શયન, આસન, યાન, વાહન, સોનું, ચાંદી, દાસ અને દાસીઓનો સ્વામી હતો તથા કોષ, કોઠાગાર અને આયુધાગારનો અધિપતિ હતો (૫). રાજા સયની રાણી ધારિણી લક્ષણ અને વ્યંજનયુક્ત, સર્વાંગસુંદરી અને વાર્તાલાપ વગેરેમાં કુશળ હતી. રાજા અને રાણી કામ-ભોગોનું સેવન કરતાં કરતાં સુખપૂર્વક સમય પસાર કરતા હતા (૬). એક વખતની વાત છે, મહાવીર અનેક શ્રમણો અને શ્રમણીઓથી ઘેરાઈને પ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા આમલકપ્પા નગરીમાં પધાર્યા અને નગરીની બહાર ઉત્તર-પૂર્વમાં આવેલ આમ્રશાલવન ચૈત્યમાં પૂર્વવર્ણિત વનખંડ વડે સુશોભિત અશોક વૃક્ષની નીચે, પૂર્વ તરફ મુખ કરીને એક શીલાપટ્ટ પર પર્યકાસનપૂર્વક બેસીને સંયમ અને તપમાં લીન થઈ ગયા (૭-૯). જ્યારે મહાવીર આમલકપ્પા નગરીમાં પધાર્યા ત્યારે નગરીમાં કોલાહલ મચી ગયો અને લોકો કહેવા લાગ્યા : “હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવાન મહાવીર ૧, ઠાણાંગ (૮.૬૨૧)માં મહાવીર વડે દીક્ષિત કરવામાં આવેલ આઠ રાજાઓમાં સેયનો પણ ઉલ્લેખ છે. ઠાણાંગના ટીકાકાર અભયદેવ અનુસાર આ રાજા આમલકપ્પાનો સ્વામી હતો. મલયગિરિએ સેયનું સંસ્કૃત રૂપાંતર શ્વેત કરેલ છે. રાણી ધારિણીને ઉવવાઇયસૂત્રમાં રાજા કૃણિકની રાણી કહેવામાં આવેલ છે. આમલકપ્પાચંપા, આમ્રપાલવન-પૂર્ણભદ્ર અને કૂણિક-સેય વગેરેનું વર્ણન રાયપાસેણઈય અને વિવાદયમાં એકસમાન છે. ધારિણીના નામની જગ્યાએ અહીં બીજું કોઈ નામ હોવું જોઈતું હતું, સંભવ છે કે બદલવાનું રહી ગયું. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અંગબાહ્ય આગમો નગરીમાં પધાર્યા છે. જ્યારે તેમનાં નામ-ગોત્રનું શ્રવણ કરવું પણ મહાફળદાયક છે ત્યારે તેમની પાસે જઈ તેમની વંદના કરવી, કુશળવાર્તા પૂછવી અને તેમની પર્યાપાસના ક૨વી કેટલી ફળદાયક થશે ? ચાલો, હે દેવાનુપ્રિયો ! આપણે મહાવીરની વંદના કરીએ, તેમનો સત્કાર કરીએ અને વિનયપૂર્વક તેમની ઉપાસના કરીએ. તેનાથી આપણને આ લોક અને પરલોકમાં સુખની પ્રાપ્તિ થશે.' આમ વિચારી અનેક ઉગ્ર, ઉગ્રપુત્ર, ભોગ, ભોગપુત્ર, રાજન્ય, ક્ષત્રિય, ક્ષત્રિયપુત્ર, ભટ, ભટપુત્ર, યોદ્ધા, યોદ્ધાપુત્ર, પ્રશાસ્તા, મલ્લકી, મલ્લકીપુત્ર, લિચ્છવી, લિચ્છવીપુત્ર તથા અનેક માંડલિક રાજાઓ, યુવરાજો, કોટવાળો (તલવર), સીમાપ્રાંતના અધિપતિઓ, પરિવારના સ્વામીઓ, ઈલ્યો (ધનપતિઓ), શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહ વગેરે કોઈ વંદન માટે, કોઈ પૂજન માટે, કોઈ કુતૂહલશમન માટે, કોઈ અર્થનિર્ણય કરવા માટે, કોઈ ન સાંભળેલી વાત સાંભળવા માટે, કોઈ સાંભળેલી વાતનો નિશ્ચય કરવા માટે, કોઈ અર્થ, હેતુ અને કારણો જાણવા માટે—આમ્રશાલવન ચૈત્ય તરફ ૨વાના થયા. કોઈએ કહ્યું અમે મુંડિત બની શ્રમણ-પ્રવ્રજ્યા લઈશું અને કોઈએ કહ્યું અમે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતોનું પાલન કરી ગૃહસ્થધર્મ ધારણ કરીશું. ત્યારપછી લોકો સ્નાન વગેરે કરી, પોતાના શરીરને ચંદનથી ચર્ચિત કરી, સુંદર વસ્ત્રો અને માળાઓ પહેરી, મણિ, સુવર્ણ તથા હાર, અર્ધહાર, તિસરય (ત્રણ સેરનો હાર), પાલંબ (ગળાનું ઘરેણું) અને કટિસૂત્ર વગેરે આભૂષણો ધારણ કરી મહાવીરના દર્શન માટે નીકળ્યા. કોઈ ઘોડા, કોઈ હાથી, કોઈ રથ પર અને કોઈ પાલખીમાં બેસી, તો કોઈ પગે ચાલીને આમ્રશાલવન ચૈત્યમાં પહોંચ્યા. શ્રમણ ભગવાન મહાવીરને દૂરથી જોઈને લોકો પોતપોતાના યાન-વાહન પરથી નીચે ઉતર્યા અને ભગવાનની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, તેમને વિનયપૂર્વક હાથ જોડી, તેમની ઉપાસનામાં લીન બની ગયા. રાજા સેય અને રાણી ધારિણી પણ આમ્રશાલવનમાં પહોંચી, ભગવાનની પ્રદક્ષિણા કરી, વિનયપૂર્વક હાથ જોડી તેમની ઉપાસના કરવા લાગ્યા. ઉપસ્થિત જનસમુદાયને મહાવીરે ધર્મોપદેશ આપ્યો (૧૦). મહાવીર પાસેથી ધર્મ સાંભળી સભાના લોકો અત્યંત પ્રસન્નભાવે કહેવા લાગ્યા : ‘ભંતે ! નિગ્રંથ-પ્રવચનનું જેટલું સુંદર પ્રતિપાદન આપે કર્યું છે, તેટલું અન્ય કોઈ શ્રમણ કે બ્રાહ્મણ કરતા નથી.’ પછી બધા લોકો પોતપોતાના ઘરે પાછા ફર્યા. રાજા સેય અને રાણી ધારિણીએ પણ મહાવીરના ધર્મોપદેશની પ્રશંસા કરી (૧૧). સૂર્યાભદેવ : તે સમયે સૂર્યાભ નામે દેવ દિવ્ય ભોગોનો ઉપભોગ કરતો કરતો સૌધર્મ દેવલોકમાં Page #67 -------------------------------------------------------------------------- ________________ રાજપ્રશ્નીય ૩૧ નિવાસ કરતો હતો. તેણે પોતાના દિવ્ય જ્ઞાન વડે આમલકા નગરીની બહાર આમ્રશાલવન ચૈત્યમાં સંયમ અને તપપૂર્વક વિચરણ કરતા મહાવીરને જોયા. તે અત્યંત પ્રસન્ન થયો, હર્ષોલ્લાસથી તેના કટક (કડાં), બાહુબંધ, બાજુબંધ, મુકુટ અને કુંડળ ચંચળ બની ગયાં. તે વેગપૂર્વક પોતાના સિંહાસન પરથી ઊભો થયો, પાદપીઠથી નીચે ઊતર્યો અને તેણે પાદુકાઓ ઉતારી. ત્યારપછી એકશાટિક ઉત્તરાસંગ ધારણ કરી તીર્થંકરની અભિમુખ સાત-આઠ પગલાં ચાલ્યો. પછી ડાબો ઘૂંટણ વાળીને, જમણો ઘૂંટણ જમીન પર રાખીને, ત્રણ વખત મસ્તક જમીન પર અડાડ્યું. પછી સહેજ ઊંચા થઈ કંકણ અને બાહુબંધ વડે સ્તબ્ધ થયેલી બંને ભુજાઓને ભેગી કરી, મસ્તક ૫૨ અંજલિ રચી, અરિહંતો અને શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર કરી પોતાના આસન ૫૨ પૂર્વાભિમુખ થઈ બેસી ગયો (૧૨-૧૫). સૂર્યાભદેવના મનમાં વિચાર આવ્યો કે—‘ભગવંતોના નામ-ગોત્રનું શ્રવણ પણ મહાફલદાયક છે, તો પછી તેમની પાસે પહોંચી તેમની વંદના કરવી, કુશળક્ષેમ પૂછવું અને તેમની પર્યુપાસના કરવી કેમ ફળદાયક ન બને ? કોઈ આર્યપુરુષના ધાર્મિક વચનો શ્રવણ કરવાનો અવસર મળવો કેટલો દુર્લભ છે, જ્યારે તેમનો કલ્યાણકારી ઉપદેશ સાંભળવાનું સૌભાગ્ય મળે તો તો કહેવાનું જ શું ?' આમ વિચારી સૂર્યાભે મહાવીરની વંદના અને ઉપાસના માટે આમલકપ્પા જવાનો નિશ્ચય કર્યો. આભિયોગિક દેવોને બોલાવીને તેણે આદેશ આપ્યો—‘હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવાન મહાવીર આમલકપ્પા નગરીની બહાર આમ્રશાલવન ચૈત્યમાં પધાર્યા છે. તમે ત્યાં જઈ તેમની પ્રદક્ષિણા કરી, તેમની વંદના કરી, પોતપોતાના નામ-ગોત્ર તેમને સૂચિત કરો. ત્યારપછી મહાવીરની આજુબાજુની જમીન પર પડેલો કચરો ઉપાડી એક તરફ ફેંકી દો. પછી સુગંધી જળથી છંટકાવ કરો, પુષ્પોની વર્ષા કરો અને તે પ્રદેશને અગર અને ધૂપ વગેરેથી મહેકાવી દો (૧૬-૧૮),’ આભિયોગિક દેવોએ સૂર્યાભદેવની આજ્ઞા વિનયપૂર્વક શિરોધાર્ય કરી અને ઉત્તર-પૂર્વ દિશા તરફ ત્વરિત ગતિએ પ્રસ્થાન કર્યું. તેઓ આમલકપ્પા નગરીની બહાર આમ્રશાલવન ચૈત્યમાં આવ્યા અને મહાવીરની પ્રદક્ષિણા કરી તેમને નમસ્કાર કરી પોતાનો પરિચય આપ્યો. વૈક્રિયસમુદ્દાત દ્વારા તેમણે સંવર્તક વાયુની રચના કરી અને તે દ્વારા ભગવાનની આજુબાજુની ભૂમિને સાફસૂફ કરી સ્વચ્છ બનાવી ૧. સમુદ્દાત સાત હોય છે—વેદન, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહારક અને કેવલી. દેવોને વૈક્રિયસમુદ્દાત હોય છે. વિશેષ માટે જુઓ—પન્નવણાસૂત્રમાં સમુદ્ધાતપદ. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૨ અંગબાહ્ય આગમો દીધી. કૃત્રિમ વાદળો દ્વારા સુગંધિત જળનો છંટકાવ કર્યો, પુષ્પોની વર્ષા કરી અને અગર વગેરે સુગંધિત પદાર્થો પેટાવી તે સ્થાનને મહેકાવી દીધું (૧૯-૨૩). ત્યારપછી આભિયોગિક દેવો ભગવાનને નમસ્કાર કરી સૌધર્મ દેવલોકમાં પાછા ફર્યા અને તેમણે સૂર્યાભદેવને જાણ કરી. સૂર્યાભદેવે પોતાના સેનાપતિને બોલાવીને આજ્ઞા આપી–“હે દેવાનુપ્રિય! સુધર્માસભામાં લટકાવેલાં ઘંટને જોર જોરથી વગાડીને નીચે પ્રમાણેની ઘોષણા કરો-હે દેવો ! સૂર્યાભદેવ આમલકપ્પા નગરીની બહાર આમ્રશાલવન ચૈત્યમાં વિહાર કરી રહેલા શ્રમણ ભગવાન મહાવીરના વંદનાર્થે જવા માટે તૈયાર છે, તમે બધા પણ પોતાની સમસ્ત ઋદ્ધિ અને પરિવાર સાથે પોતપોતાના કાનોમાં સવાર બની જવા માટે તૈયાર થઈ જાવ.” તે સમયે પોતપોતાના વિમાનોમાં રહેતા દેવી-દેવતાઓ રતિક્રીડા અને ભોગવિલાસમાં લીન હતા. ઘંટનો અવાજ સાંભળી તેમને ખૂબ કુતૂહલ થયું અને તેઓ સૂર્યાભદેવ સાથે મહાવીરની વંદના માટે જવાની તૈયારી કરવા લાગ્યા. કોઈ વિચારવા લાગ્યું આપણે ભગવાન મહાવીરની વંદના કરીશું, કોઈ કહેવા લાગ્યું–આપણે પૂજા કરીશું, આપણે દર્શન કરીશું, આપણે પોતાનું કુતૂહલ શાંત કરીશું, આપણે અર્થનો નિર્ણય કરીશું, ન સાંભળેલી વાત સાંભળીશું, સાંભળેલી વાતનો નિશ્ચય કરીશું અને ભગવાન સમીપ જઈ અર્થ, હેતુ અને કારણો સમજીશું (૨૪-૨૭). દેવો અને દેવીઓને સમયસર ઉપસ્થિત થયેલાં જોઈ સૂર્યાભદેવ પ્રસન્ન થયો. આભિયોગિક દેવોને બોલાવી તેણે આદેશ આપ્યો-“હે દેવાનુપ્રિયો ! તમે તરત જ એક સુંદર વિમાન (યાન) તૈયાર કરો. તેમાં અનેક સ્તંભો ગોઠવો, હાવભાવ પ્રદર્શિત કરનારી શાલભંજિકાઓ (પૂતળીઓ) ગોઠવો, ઈહામૃગો, વૃષભો, અશ્વો, મનુષ્યો, મગરો, પક્ષીઓ, સર્પો, કિન્નરો, શરભો, ચમરી ગાયો, હાથીઓ, વનલતાઓ અને પાલતાઓ વડે તેને ચિત્રિત કરો, સ્તંભો પર વજની વેદિકા બનાવો, વિદ્યાધર-યુગલને પ્રદર્શિત કરતા યંત્રો બનાવો. હજારો રૂપકો વડે તેને શોભિત કરો અને તેમાં અનેક ઘંટડીઓ લગાવો” (૨૮). વિમાનરચના : સૂર્યાભદેવની આજ્ઞા માથે ચડાવી આભિયોગિક દેવોએ વિમાનની રચના કરવાનું શરૂ કર્યું. તેમણે વિમાનની ત્રણે બાજુ ત્રણ સોપાન બનાવ્યા. તેમાં નેમ (ઊમરો; ૧. શાલભંજિકાઓનાં વર્ણન માટે જુઓ-સૂત્ર ૧૦૧. શાલભંજિકા નામે તહેવાર શ્રાવસ્તીમાં ઉજવવામાં આવતો હતો (અવદાનશતક ૬, ૫૩, પૃ. ૩૦૨). ૨. આ બધા “મોટીફ' મથુરાની સ્થાપત્યકલામાં ચિત્રિત છે, તેમનો સમય ઈ.સ.ની પહેલી-બીજી શતાબ્દી માનવામાં આવે છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ રાજપ્રશ્નીય ૩૩ નિમ્નદ્વારાળાં ભૂમિમાાત્ ઉર્ધ્વ નિર્વાચ્છન્તઃ પ્રવેશા:), પ્રતિષ્ઠાન (પાયો;મૂલપાવા:), સ્તંભ, ફલક (પાટિયા;ત્રિસોપાનાંનભૂતાનિ), સૂચિક (સળી), સંધિ (સાંધા), અવલંબન (ટેકા;અવતરતામુત્તરતાં ચાતંવનહેતુભૂતાઃ) અને અવલંબનબાહુ (બાંય) બનાવ્યાં. ત્રણે સોપાનો સામે મણિ, મુક્તા અને તારિકાઓથી રચિત તોરણ લગાવ્યાં. તોરણો ઉપર આઠ મંગળોની સ્થાપના કરી, પછી રંગબેરંગી ચામરોની ધ્વજાઓ તથા છત્રપતાકા, ઘંટડીઓ અને સુંદ૨ કમળોના ગુચ્છ લટકાવ્યા (૨૯-૩૨). ત્યારબાદ તેઓ દેવવિમાનની અંદરના ભાગને સજાવવા લાગ્યા. તેમણે તેને ચારે તરફથી સમ બનાવ્યો, તેમાં અનેક મણિઓ જડ્યા કે જે સ્વસ્તિક, પુષ્યમાણવ, શરાવસંપુટ, માછલીના ઈંડા કે મગરના ઈંડા જેવા જણાતા હતા તથા પુષ્પાવલિ, ક઼મળપત્ર, સાગરતરંગ, વાસંતીલતા અને પદ્મલતાનાં સુંદર ચિત્રોથી શોભતા હતા (૩૩-૪૦). આ વિમાનની વચ્ચોવચ્ચ એક પ્રેક્ષાગૃહ બનાવવામાં આવ્યું. તેમાં અનેક સ્તંભો લગાવવામાં આવ્યા તથા ઊંચી વેદિકાઓ, તોરણો અને શાલભંજિકાઓ સ્થાપિત કરવામાં આવી. તેમાં અનેક વૈસૂર્ય રત્નો જડ્યાં અને ઈહામૃગ, વૃષભ, ધોડા, હાથી, વનલતા વગેરેના ચિત્રો બનાવવામાં આવ્યાં. સુવર્ણમય અને રત્નમય સ્તૂપો સ્થાપ્યા અને વિવિધ પ્રકારની ઘંટડીઓ અને પતાકાઓ વડે તેના શિખરને સજાવવામાં આવ્યું. પ્રેક્ષામંડપને લીંપી-ઝૂંપી સાફ કર્યો, ગોશીર્ષ અને રક્તચંદનના થાપા લગાવ્યા, ચંદનકળશો પ્રતિષ્ઠિત કર્યા, તોરણો લગાવ્યાં, સુગંધી પુષ્પમાળાઓ લટકાવી, રંગબેરંગી પુષ્પોની વર્ષા કરી તથા અગર વગેરે સુગંધી દ્રવ્યોથી તેને મહેકાવી દીધો. મંડપની ચારે બાજુ વાજાં વાગી રહ્યાં હતાં અને દેવાંગનાઓ આમતેમ ટહેલી રહી હતી (૪૧). મંડપની વચ્ચોવચ્ચ પ્રેક્ષકોને બેસવાનું સ્થાન (અક્ખાડગ) બનાવવામાં આવ્યું. તેમાં એક પીઠિકા મૂકવામાં આવી. તેના પર એક્ર સિંહાસન રાખવામાં આવ્યું. આ સિંહાસન ચક્કલ (પાયાની નીચેના ભાગ), સિંહ, પાદ (પાયા), પાદશીર્ષક (પાયાના ઉપરના કાંગરા), ગાત્ર (અંગો) અને સંધિઓથી યુક્ત તથા ઈહામૃગ, વૃષભ, ઘોડા, હાથી, મગર વગેરેના ચિત્રોથી શોભિત હતું, તેની આગળનું પાદપીઠ મણિઓથી જડેલું હતું. પાદપીઠની ઉપર રાખવામાં આવેલ મસૂરગ (ગાલ રાખવાના ઓશીકા જેવી ચપટી મુલાયમ ગાદી) એક કોમળ વસ્ત્રથી ઢાંકેલ હતું. સિંહાસન ૧. આ જ રીતે રાજભવન અને શિબિકાના વર્ણન માટે જુઓ—ણાયાધમ્મકહાઓ ૧, પૃ. ૨૨, ૩૪ (વૈદ્ય આવૃત્તિ), તથા માનસાર (અધ્યાય ૪૭). www:hainelibrary.org Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અંગબાહ્ય આગમો ઉપર એક રજાણ હતું અને આ રજસ્ત્રાણ ઉપર દુકૂલ બિછાવવામાં આવ્યું હતું. સિંહાસન શ્વેતવર્ણના એક વિજયદૂષ્યથી સુશોભિત હતું, તેની વચમાં એક અંકુશ (અંકુશના આકારની ખીલો) ટાંગ્યો હતો, જેમાં મોતીઓની એક મોટી માળા લટકી રહી હતી. આ માળાની ચારે બાજુ ચાર માળાઓ હતી. આ માળાઓ સોનાના અનેક લંબૂસગો (ઝૂમખાં)થી શોભતી હતી અને અનેક હાર, અર્ધહાર તથા રત્નો વડે ચમકી રહી હતી. આ સિંહાસન પર સૂર્યાભદેવની પટરાણીઓ, તેના કુટુંબ પરિવાર તથા અંતરંગ પરિષદના સેનાપતિ વગેરેને બેસવા માટે ભદ્રાસનો બિછાવવામાં આવેલ હતાં (૪૨-૪૪). વિમાન સજ્જ થઈ ગયું એટલે આભિયોગિક દેવોએ સૂર્યાભદેવને તેની જાણ કરી. જાણ થતાં સૂર્યાભદેવ પરમ હર્ષિત થયો અને પોતાની પટરાણીઓ, ગંધર્વો તથા નાટ્યકારો વગેરેની સાથે સોપાન દ્વારા વિમાનમાં ચડી સિંહાસન પર બિરાજમાન થયો. બીજા દેવતાઓ પણ પોતપોતાના આસનો પર યથાસ્થાન બેસી ગયા (૪પ૪૬), વિમાનની આગળ સહુ પ્રથમ આઠ મંગળ સ્થાપિત કરવામાં આવ્યાં. ત્યારબાદ પૂર્ણ કળશ, ભંગાર (ઝારી), છત્ર અને ચામર સજાવવામાં આવ્યાં. વિજય-વૈજયંતી નામની પતાકા ફરકાવવામાં આવી. ત્યારબાદ દંડ અને સુશોભિત શ્વેત છત્ર તથા પાદપીઠ અને પાદુકાઓની જોડી સાથે સિહાસનને ઘણા બધા દેવો ઊપાડીને ચાલતા હતા. તેની પછી પતાકાઓ અને ઈન્દ્રધ્વજ હતાં. તેમની પાછળ પોતાના લશ્કર સાથે સેનાપતિઓ બેઠા હતા અને તેની પછી અનેક દેવી-દેવતાઓ હતા. સૂર્યાભદેવ અને દેવી-દેવતાઓને લઈને વિમાન ખૂબ વેગપૂર્વક ચાલી રહ્યું હતું (૪૭). " આ વિમાન સૌધર્મ દેવલોકથી ઊપડીને અસંખ્ય દ્વીપ-સમુદ્રોને ઓળંગતું ભારતવર્ષમાં આવી પહોંચ્યું અને પછી આમલકપ્પા નગરી તરફ ફરી આમ્રશાલવન ચૈત્યમાં ઊતર્યું. પોતાના કુટુંબ-પરિવારસહિત વિમાનમાંથી ઊતરી સૂર્યાભદેવે મહાવીરની પ્રદક્ષિણા કરી અને નમસ્કારપૂર્વક તેમની પાસે બેસી વિનયપૂર્વક તેમની પર્યાપાસના કરવા લાગ્યો (૪૮-૫૦). ત્યારપછી મહાવીરે ધર્મોપદેશ આપ્યો. ઉપદેશ સાંભળી આમલકપ્પાના રાજા, રાણી તથા અન્ય નગરવાસીઓ પોતપોતાના સ્થાને પાછા ફર્યા. આ અવસરે સૂર્યાભદેવે મહાવીરને કેટલાક પ્રશ્નો પૂળ્યા અને પછી ગૌતમ વગેરે નિગ્રંથ શ્રમણોની સમક્ષ ૧. પ્રાચીન કાળમાં ઈન્દ્રના માનમાં સમયે ઈન્દ્રમહ નામનો ઉત્સવ ખૂબ ઠાઠપૂર્વક ઉજવવામાં આવતો. આ અવસરે લોકો ઈન્દ્રધ્વજની પૂજા કરતા. જુઓ–ઉત્તરાધ્યયન ટીકા (નેમિચંદ્ર) ૮ પૃ. ૧૩૬ , Page #71 -------------------------------------------------------------------------- ________________ રાજપ્રશ્નીય બત્રીસ પ્રકારની નાટ્યકળા પ્રદર્શિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી (૫૧-૫૫). પ્રેક્ષામંડપ : સૂર્યાભદેવે પ્રેક્ષામંડપની રચના કરી અને પૂર્વોક્ત પ્રકારે પ્રેક્ષકોને બેસવા માટેનું સ્થાન, મણિપીઠિકા, સિંહાસન વગેરેનું નિર્માણ કર્યું. ત્યારપછી એક તરફથી રૂપયૌવન સંપન્ન અને નાટકીય ઉપકરણો અને વસ્ત્રાભૂષણોથી સજ્જ ઉત્તરીય વસ્ત્ર પહેરેલ ચિત્ર-વિચિત્ર પટ્ટો વડે શોભતા એકસો આઠ દેવકુમારો અને બીજી બાજુ તિલક વગેરેથી વિભૂષિત, ગળાનાં આભરણો પહેરેલ અને કંચુક ધારણ કરેલ, વિવિધ પ્રકારના મણિ, કનક અને રત્નોના આભૂષણો ધારણ કરેલ, હાસ્ય અને સંલાપ વગેરેમાં કુશળ એવી એકસો આઠ દેવકુમા૨ીઓ આવિર્ભૂત થઈ (૫૬-૫૮). વાઘો : ૩૫ ૩ ત્યારપછી સૂર્યાભદેવે નીચે પ્રમાણેના વાઘો તૈયાર કરાવ્યાં—શંખ, શ્રૃંગ, શ્રૃખિકા, ખરમુહી (હિના), પેયા (મતી નાહતા), પિરિ૫િરિકા (ìતિમુવાવનદ્ધ મુદ્ધવાદ્ય), પણવ (તષુપત્ન), પટહ, ભંભા (ઢા), હોરંભા (મહાકા), ભેરી (જ્ઞાતિ વાદ્ય), ઝલ્લરી (ધર્માવનદ્ધા વિસ્તીર્ણવતયાળા), દુંદુભી (મેર્યાારા સંટમુવી રેવાતોઘ), મુરજ (મહાપ્રમાળ મર્વત), મૃદંગ (તપુ મત્ત), નંદી મૃદંગ (ત: સંકીર્ણ: અન્યત્ર વિસ્તૃતો મુરખવિશેષ:), આલિંગ (મુરખ વાદ્યવિશેષ'), કુતૂંબ (ધર્માવનદ્ધપુયે વાવશેષ:), ગોમુખી, મર્દલ (૩મયત: સમ), વીણા, વિપંચી ૧. મહાવીરે આ તરફ કોઈ ધ્યાન ન દેવાનું કારણ બતાવતાં ટીકાકારે લખ્યું છે કે તેઓ પોતે વીતરાગ છે અને નાટ્ય ગૌતમ વગેરે શ્રમણોના સ્વાધ્યાયમાં વિઘ્નકા૨ક છે (સૂત્ર ૫૫ ટીકા). ૨. પ્રેક્ષાગૃહના વર્ણન માટે જુઓ—જીવાજીવાભિગમ, ૩ પૃ. ૧૪૬ અ. ૩. આને ડાબા હાથમાં પકડી જમણા હાથથી વગાડવામાં આવે છે, શાર્રધર, સંગીતરત્નાકર ૬, ૧૨૩૭. ૪. મંગળ અને વિજયસૂચક હોય છે તથા દેવાલયોમાં વગાડવામાં આવે છે, એજન, ૧૧૪૬. ૫. ગોપુચ્છાકૃતિ મૃદંગ જે એક છેડે પહોળું અને બીજા છેડે સાંકડું હોય છે—વાસુદેવશરણ અગ્રવાલ, હર્ષચરિત, પૃ. ૬૭. ૬. જુઓ—સંગીતરત્નાક૨, ૧૦૩૪ વગેરે. Page #72 -------------------------------------------------------------------------- ________________ અંગબાહ્ય આગમો (દ્વિતંત્રી વીના), વલ્લકી (સામાન્ય વા), મહતી, કચ્છભી (પાતી વીણા), ચિત્રવીણા, સબદ્ધી, સુઘોષા, નંદિઘોષા, ભ્રામરી, પભ્રામરી, વરવાદની (તંત્રી વી), તૂરા, તુમ્બવીણા (તુવયુજી વીળા), આમોદ, ઝંઝા, નકુલ, મુકુંદ (મુગ વાવિશેષ), હુડુક્કા, વિચિક્કી", કટાર, ડિડિમ, કિણિત, દર્દર, દર્દરિકા (વર્થ વધશરીરવસ્થાને વ સ નોધાવવનો, જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ, ૧૦૧), કલશિકા, મહુવર, તલ, તાલ, કાંચતાલ, રિગિસિકા (ffી , જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ), લરિયા, મગરિકા, શિશુમારિકા, વંશ, વેણુ, વાલી (તૂવિશેષ:, ર દિ મુ9 રત્વ વાદ્યતે), પિરલી અને બદ્ધક (fપત્નીવૌ સુખરૂપવાવશેષ, જંબૂઢીપપ્રજ્ઞપ્તિ, પૃ. ૧૦૧) (૫૯). નાટ્યવિધિ : ત્યારપછી સૂર્યાભદેવે દેવકુમારો અને દેવકુમારીઓને આદેશ આપ્યો કે તેઓ ગૌતમ વગેરે નિગ્રંથ શ્રમણો સમક્ષ બત્રીસ પ્રકારની નાટ્યવિધિનું પ્રદર્શન કરે. આદેશ મળતાં જ દેવકુમારો અને દેવકુમારીઓ ગૌતમ વગેરે શ્રમણોની સમક્ષ એક પંક્તિમાં ઊભા રહી ગયા. તેઓ બધા એકી સાથે નીચે નમ્યા અને બધાએ એક જ સાથે પોતાનું મસ્તક ઊંચું કર્યું. પછી બધી જગ્યાએ પ્રસરી જઈને તેઓએ પોતાના ગીત-નૃત્યનો પ્રારંભ કર્યો (૬૧-૬૨). ૧. આને આવજ અથવા સ્કંધાવજ પણ કહેવામાં આવે છે, એજન ૧૦૭૫. ૨. જુઓ–એજન, ૧૦૭૬ વગેરે. ૩. સૂત્ર ૬૪ પણ જોવું જોઈએ. વાદ્યોના વર્ણનમાં ઘણીબધી ગરબડ થયાનું જણાય છે. મૂળ પાઠમાં તેમની સંખ્યા ૪૯ આપવામાં આવી છે, પરંતુ વાસ્તવિક સંખ્યા પ૯ છે. ઘણા બધા વાઘોનું સ્વરૂપ અસ્પષ્ટ છે, સ્વયં ટીકાકારે તેમની પરિભાષા આપી નથી. ટીકાકારના મત અનુસાર વેણુ, પિરલી અને બદ્ધગ વાદ્યોનો વંશ નામના વાદ્યમાં અંતર્ભાવ થઈ જાય છે. બાર સૂર્યોના નામો–ભંભા, મુકુંદ, મદ્દલ, કદંબ, ઝલ્લરી, હુડુક્ક, કાંસ્યતાલ, કાહલ, તલિમા, વંસ, સંખ અને પણવ. વાદ્યો માટે જુઓબૃહત્કલ્પભાષ્ય પીઠિકા (પૃ. ૧૨), ભગવતી (૫, ૪), જીવાભિગમ, ૩, પૃ. ૧૪૫ અ, જંબૂઢીપ્રજ્ઞપ્તિ, ૨, પૃ. ૧૦૦ વગેરે; અનુયોગદ્વારસૂત્ર ૧૨૭, નિશીથસૂત્ર ૧૭, ૧૩૫-૩૮, સૂયગડંગ (૪, ૨, ૭) તથા સંગીતરત્નાકર, અધ્યાય ૬ (અહીં ચિત્રા, વિપંચી, શૃંગ, શંખ, પટક, મર્દલ, હુડુક્કા, કપટા, ઢક્કા, ઝલ્લરી, દુંદુભિ, ભેરી વગેરેના લક્ષણો બતાવવામાં આવ્યાં છે), રામાયણ ૫.૧૧.૩૮ વગેરે; મહાભારત ૭.૮૨ ૪. Page #73 -------------------------------------------------------------------------- ________________ રાજપ્રશ્નીય આ પ્રસંગે જેનો અભિનય કરવામાં આવ્યો છે તે બત્રીસ પ્રકારની નાટ્યવિધિઓ આ પ્રમાણે છે : ૧ – સ્વસ્તિક, શ્રીવત્સ, નંદ્યાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કલશ, મત્સ્ય અને દર્પણના દિવ્ય અભિનયો. ૨ – આવર્ત, પ્રત્યાવર્ત, શ્રેણી, પ્રશ્રેણી, સ્વસ્તિક, સૌવસ્તિક, પુષ્યમાનવ, વર્ધમાનક (શરાવસંપુટ), મસ્યાણ્ડક, મકરાણ્ડક, જાર, માર, પુષ્પાવલિ, પદ્મપત્ર, સાગરતરંગ, વસંતલતા અને પદ્મલતાના ચિત્રોનો અભિનય. ૩ – ઈહામૃગ, વૃષભ, અશ્વ, નર, મગર, પક્ષી, સર્પ, કિન્નર, ગુરુ, શરભ, અમર, કુંજર, વનલતા, પદ્મલતાના ચિત્રનો અભિનય. ૪ – એકતોવક્ર, દ્વિધાવક્ર, એકતશ્ચક્રવાલ, દ્વિધાચક્રવાલ, ચક્રાઈ, ચક્રવાલનો અભિનય. ૫ – ચંદ્રાવલિકા પ્રવિભક્તિ, સૂર્યાવલિકા પ્રવિભક્તિ, વલયાવલિકા પ્રવિભક્તિ, હંસાવલિકા પ્રવિભક્તિ, એકાવલિકા પ્રવિભક્તિ, તારાવલિકા પ્રવિભક્તિ, મુક્તાવલિકા પ્રવિભક્તિ, કનકાવલિકા પ્રવિભક્તિ અને રત્નાવલિકા પ્રવિભક્તિનો અભિનય. ૬ – ચંદ્રોદ્ગમન દર્શન અને સૂર્યોદ્ગમન દર્શનનો અભિનય. ૭ – ચંદ્રાગમદર્શન, સૂર્યાગમદર્શનનો અભિનય. ૮ – ચંદ્રાવણ દર્શન, સૂર્યાવરણ દર્શનનો અભિનય. - ૯ – ચંદ્રાસ્ત દર્શન, સૂર્યાસ્ત દર્શનનો અભિનય. ટીકાકાર અનુસાર આ નાટ્યવિધિઓનો ઉલ્લેખ ચતુર્દશ પૂર્વો અંતર્ગત નાટ્યવિધિ નામક પ્રાભૂતમાં મળે છે, પરંતુ અત્યારે આ પ્રાભૃત વિચ્છિન્ન થઈ ગયું છે. સ્વસ્તિક, વર્ધમાનક અને નંદ્યાવર્તનો ઉલ્લેખ મહાભારત (૭. ૮૨. ૨૦)માં પ્રાપ્ત થાય છે. અંગુત્તરનિકામાં નંદિયાવત્તનો અર્થ માછલી કરવામાં આવ્યો છે. (જુઓ મલાલસેકર, ડિક્શનરી ઑફ પાલિ પ્રોપર નેમ્સ, ભાગ ૨, પૃ. ૨૯).ભરતના નાટ્યશાસ્ત્રમાં સ્વસ્તિક ચોથો અને વર્ધમાનક તેરમો નાટ્યપ્રકાર હોવાનું બતાવવામાં આવ્યું છે. ૨. ભરતના નાટ્યશાસ્ત્રમાં મકરનો ઉલ્લેખ છે. ૩. જાર-મારની ટીકા કરતાં મલયગિરિએ લખ્યું છે–સમન્નિતિની તોહિતવ્યો જીવાજીવાભિગમ-ટીકા, પૃ. ૧૮૯. ૪. ભારતના નાટ્યશાસ્ત્રમાં પદ્મ. ૫. ભરતના નાટ્યશાસ્ત્રમાં ગજદંત. ૬. ભરતના નાટ્યશાસ્ત્રમાં હંસવત્ર અને હંસપક્ષ. અંઆ -૫ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અંગબાહ્ય આગમો ૧૦ – ચંદ્રમંડલ, સૂર્યમંડલ, નાગમંડલ, યક્ષમંડલ, ભૂતમંડલ, રાસમંડલ, ગંધર્વમંડલના ભાવોનો અભિનય. ૧૧ – કુતવિલંબિત અભિનય. તેમાં વૃષભ અને સિંહ તથા ઘોડા અને હાથીની લલિત ગતિઓનો અભિનય હોય છે. ૧૨ – સાગર અને નાગરના આકારોનો અભિનય. ૧૩ – નંદા અને ચંપાનો અભિનય. ૧૪ – મસ્યાડ, મકરાન્ડ, જાર અને મારની આકૃતિઓનો અભિનય. ૧૫ – , ૩, , , ની આકૃતિઓનો અભિનય. ૧૬ – ૨ વર્ગની આકૃતિઓનો અભિનય. ૧૭ – 2 વર્ગની આકૃતિઓનો અભિનય. ૧૮ - પ વર્ગની આકૃતિઓનો અભિનય. ૧૯ – અશોક, આમ્ર, જંબુ, કોઠંબના પલ્લવોનો અભિનય. ૨૦ – તે વર્ગની આકૃતિઓનો અભિનય. ૨૧ – પદ્મનાભ, અશોક, ચંપક, આમ્ર, વન, વાસંતી, કુંદ, અતિમુક્તક અને શ્યામલતાનો અભિનય. ૨૨ – દુત નાટ્યર. ૨૩ - વિલંબિત નાટ્ય. ૨૪ – કુતવિલંબિત નાટ્ય. ૨૫ – અંચિત.૩ ૨૬ – રિભિત. અંચિતરિભિત. ૨૮ – આરભટ. ૨૯ – ભસોલ (અથવા ભસલ)". ૩૦ – આરભટભસોલ. ૧. નાટ્યશાસ્ત્રમાં ૨૦ પ્રકારના મંડલ બતાવવામાં આવ્યાં છે. તેમાં ગંધર્વ નાટ્યનો ઉલ્લેખ છે. ૨. નાટ્યશાસ્ત્રમાં દ્રત નામક લયનો ઉલ્લેખ છે. ૩. નાટ્યશાસ્ત્રમાં ઉલ્લેખ છે. ૪. નાટ્યશાસ્ત્રમાં આરટી એક વૃત્તિનું નામ હોવાનું જણાવ્યું છે. ૫. નાટ્યશાસ્ત્રમાં ભ્રમર, Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૯ રાજપ્રશ્નીય ૩૧ – ઉત્પાત, નિપાત, સંકુચિત, પ્રસારિત, રયારઈય, ભ્રાંત અને સંભ્રાંત ક્રિયાઓ સંબંધી અભિનય. ૩૨ – મહાવીરનાં ચ્યવન, ગર્ભસંહરણ, જન્મ, અભિષેક, બાલક્રીડા, યૌવનદશા, કામોગલીલા, નિષ્ક્રમણ, તપશ્ચરણ, જ્ઞાનપ્રાપ્તિ, તીર્થપ્રવર્તન અને પરિનિર્વાણ સંબંધી ઘટનાઓનો અભિનય (૬૬-૮૪). દેવકુમાર અને દેવકુમારીઓ તત, વિતત, ધન અને સુષિર' નામના વાદ્યો વગાડવા લાગ્યાં; ઉસ્લિમ, પાદાંત”, મંદ અને રોચિત નામક ગીતો ગાવા લાગ્યાં; અંચિત, રિભિત, આરબટ અને ભસોલ નામક નાટ્યવિધિઓ પ્રદર્શિત કરવા લાગ્યાં તથા દાર્દાન્તિક, પ્રાત્યાન્તિક, સામાન્યતો વિનિપાત અને લોકમધ્યાવસાનિક નામક અભિનયો દર્શાવવા લાગ્યાં. અભિનય સમાપ્ત થયા પછી સૂર્યાભદેવ મહાવીરની ત્રણ પ્રદક્ષિણાઓ કરી, તેમને નમસ્કાર કરી પોતાના પરિવારસહિત વિમાનમાં બેસી જ્યાંથી આવ્યો હતો ત્યાં જવા પાછો ફર્યો (૮૫-૯૯). સૂર્યાભદેવનું વિમાન : ત્યારપછી ગૌતમ ગણધરે સૂર્યાભદેવ અને તેના વિમાન સંબંધી મહાવીરને કેટલાક પ્રશ્નો પૂછ્યા અને મહાવીરે તેમના ઉત્તરો આપ્યા – સૂર્યાભદેવનું વિમાન ચારે બાજુએ આવેલા રંગબેરંગી કાંગરાઓથી શોભતા પ્રાકાર (કિલ્લા) ૧. નાટ્યશાસ્ત્રમાં રચિત. જેબૂતીપપ્રજ્ઞપ્તિમાં રેચકરંચિત એવો પાઠ છે. આરબટી શૈલીમાં નાચનારા નટો મંડલાકાર રૂપે રેચક એટલે કે કમર, હાથ અને ગરદન હલાવતાં હલાવતાં રાસ નૃત્ય કરતા–વાસુદેવશરણ અગ્રવાલ, હર્ષચરિત, પૃ ૩૩. ૨. આનાથી મહાવીરની ગૃહસ્થાવસ્થાનું સૂચન થાય છે. ૩. પટહ વગેરે વાદ્યો તત, વીણા વગેરે વિતત, કાંસ્યતાલ વગેરે ઘન અને શંખ વગેરે શુષિરનાં ઉદાહરણો સમજી શકાય. ચિત્રાવલી (૭૩-૮)માં તંત અને વિનંતનો ઉલ્લેખ છે. તંત એટલે તારના અને વિસંત એટલે તાર વિનાના મઢેલાં વાદ્યો. . ૪. જીવાજીવાભિગમ (પૃ. ૧૮૫ અ)માં પાયતની જગ્યાએ પવત્તય (પ્રવૃત્તક) પાઠ છે. ૫. ગીતને સમસ્વર અને અષ્ટરસ સંયુક્ત, છ દોષરહિત અને આઠ ગુણસહિત બતાવવામાં આવ્યું છે–જુઓ જીવાજીવાભિગમ, પૃ. ૧૮૫ અ. ૬. ટીકાકારે નાટ્ય અને અભિનયવિધિની વ્યાખ્યા ન કરતાં આ વિધિઓ નાટ્યના વિશારદો પાસેથી સમજી લેવા કહ્યું છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૦ અંગબાહ્ય આગમો થી ઘેરાયેલું છે. આ વિમાનમાં અનેક મોટા મોટા દ્વાર છે, જેમના શિખર (ઘૂમટાકા૨) સોનાના બનેલા છે અને જે ઈહામૃગ, વૃષભ, અશ્વ વગેરેના ચિત્રોથી શોભાયમાન છે. તેમના સ્તંભો પર વેદિકાઓ છે જે વિદ્યાધરોના યુગલોથી વિભૂષિત છે. આ દ્વારો નેમ (ઉમરા), પ્રતિષ્ઠાન (પાયો), થાંભલા, દેહલી (ઉમરો), ઈન્દ્રનીલ (આગળો), દ્વારશાખાઓ (સાદુ વેડ-દારશge), ઉત્તરંગ (ઉત્તરંજનદારોપરિતિર્થવ્યસ્થિતમામ), સૂચિ (નળી), સંધિ (સાંધા), સમુગક (સ; સૂવિંગૃહ), અર્ગલા (આગળો), અર્ગલપાશક (જયાં આગળો ભરાવવામાં આવે છે), આવર્તનપીઠ (ધૂમપટિ; યત્ર રૂદ્રનો મતિ) અને ઉત્તરપાર્શ્વક (ઉત્તર પાંખોથી યુક્ત છે. તેમના બંધ થઈ જવાથી તેમાંથી હવા અંદર જઈ શકતી નથી. દરવાજાની બંને બાજુ અનેક ભિત્તિગુલિકા (ચોકી) અને ગોમાણસિયા (બેઠક) બનાવેલ છે અને તે વિવિધ રત્નોથી ખચિત અને શાલભંજિકાઓ વડે સુશોભિત છે. દ્વારોની ઉપર-નીચે કૂટ (કમાન; ઢિમા:), ઉત્સધ (શિખર, ઉલ્લોક (છત), ભૌમ (ફરસ), પક્ષ (પખું), પક્ષબાહ (બાજુઓ), વંશ (પૃષ્ઠવંશનામુમતિર્થ થામના વંશા), વંશકવેલુય (છાપરું), પટ્ટિકા (પાટિયું; વંશનામુપર વાસ્થાનીયા:), અવઘાટિની (છાજલી;આછા હેતુથ્વોપરિસ્થાન-મહાપ્રHI ક્રિતિવસ્થાનીયા:) અને ઉવરિપુંછણિ (ટાટ;વેઢુવાનીમધ માછીનો નજરે પડે છે. તેમની ઉપર અનેક તિલકરત્ન અને અર્ધચંદ્ર બનેલા છે અને મણિઓની માળાઓ ટાંગેલી છે. બંને બાજુ ચંદનકળશો રાખ્યા છે જેમાં સુગંધી જળ ભર્યું છે અને લાલ દોરા બાંધેલા છે. દ્વારોની બંને બાજુ નાગદંત (ખીલી) લગાવેલ છે જેમાં નાની-નાની ઘંટડીઓ અને માળાઓ લટકી રહી છે. એક નાગદંત ઉપર અનેક નાગદંતો બનેલ છે. તેમની ઉપર સિક્કક (શીકાં) લટકે છે અને આ સિક્કકોમાં ધૂપઘટિકાઓ રાખેલી છે જેમાં અગર વગેરે પદાર્થો મહેકી રહ્યા છે. દ્વારોની બંને બાજુ શાલભંજિકાઓ છે. તે વિવિધ વસ્ત્રાભૂષણો અને માળાઓથી સજાવેલ છે. તેમનો મધ્ય ભાગ મુષ્ટિગ્રાહ્ય છે, તેમના પયોધરો પીન છે અને કેશ કૃષ્ણ વર્ણનાં છે. તેઓ પોતાના ડાબા હાથોમાં અશોક વૃક્ષની શાખા પકડીને ઊભી ઊભી કટાક્ષપાત ૧. પુરપાટયુifઈનવેસ્થાનું, એજન, પૃ. ૪૮. ૨. વૃત્તિવાદળ, યત્ર ચતૌ વટી નિક્ષત્તતથા ઉતwત:, એજન. ૩. નિવડતરીછી દેતુરત્તસ્મતરતૃવિશેષસ્થાનીયા-જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ-રીંકા, પૃ. ૨૩, ૪. fપરિપુ છુ વિશેષાદ, એજન, પૃ. ૫૩ અ. Page #77 -------------------------------------------------------------------------- ________________ રાજપ્રગ્નીય ૪૧ કરી રહી છે, એકબીજા તરફ એવી રીતે જોઈ રહી છે કે જાણે અન્યોન્ય ખિજાતી ન હોય. ધારોની બંને બાજુ જાલકટક (જાળીવાળાં રમ્ય સ્થાનો) છે અને ઘંટો લટકી રહ્યા છે. બંને તરફની બેઠકોમાં વનપંક્તિઓ છે જેમાં નાનાં-નાનાં વૃક્ષો ઊગેલાં છે. દ્વારોની બંને તરફ બીજાં તોરણો લાગ્યાં છે; તેમની સામે નાગદંત, શાલભંજિકાઓ, ઘોડા, હાથી, નર, કિન્નર, ક્રિપુરુષ, મહો૨ગ, ગંધર્વ અને વૃષભનાં યુગલો , પદ્મ વગેરે લતાઓ તથા દિશાસ્વસ્તિક, ચંદનકળશ, શૃંગાર, દર્પણ, થાળ, પાત્રી, સુપ્રતિષ્ઠિક (ટોરી), મનોગુલિકા (આસન) અને કડક (પટારા) રાખેલ છે. ત્યારપછી હથકંઠ (રત્નવિશેષ), ગજકંઠ, નરકંઠ, કિન્નરકંઠ, ઝિંપુરૂષકંઠ, મહોરગકંઠ, ગંધર્વકંઠ અને વૃષભકંઠ શોભે છે. તેમાં ટોપલીઓ છે જે પુષ્પમાળા, ચૂર્ણ, ગંધ, વસ્ત્ર, આભરણ, સરસવ અને મયૂરપંખ વડે શોભાયમાન છે. પછી સિહાસન, છત્ર, ચામર તથા તેલ, કોઇ, પત્ર, ચૂઓ, તગર, ઈલાયચી, હરતાલ, હિંગુલક (હિંગળોક), મણસિલા (મનસીલ) અને અંજનના પાત્રો રાખ્યાં છે. વિમાનના એક-એક દ્વારમાં ચક્ર, મૃગ, ગરુડ વગેરેનાં ચિહ્નોવાળી અનેક ધ્વજાઓ લગાડેલી છે; તેમાં અનેક ભૌમ (વિશિષ્ટ સ્થાનો) બન્યાં છે જ્યાં સિંહાસનો બિછાવેલાં છે. દ્વારોની બારસાખ રત્નો વડે જડેલી છે અને અષ્ટમંગલ, ધ્વજા અને છત્ર વગેરેથી શોભે છે (૯૦-૧૦૭). સામાનિક દેવોએ સૂર્યાભદેવની સમક્ષ ઉપસ્થિત થઈને નિવેદન કર્યું–‘હે દેવાનુપ્રિય ! આપના વિમાનમાં રહેલા સિદ્ધાયતનમાં જિન-પ્રતિમા બિરાજમાન છે. આપની સુધર્માસભાના ચૈત્યસ્તંભમાં એક ગોળાકાર પેટીમાં જિન ભગવાનના અસ્થિ રાખેલાં છે, આપ તેમની વંદના-પૂજા કરી પુણ્ય પ્રાપ્ત કરો. આ સાંભળી પોતાની દેવશય્યા પરથી ઊભો થયો અને જળાશયમાં સ્નાન કરી અભિષેકસભામાં પહોંચ્યો. ત્યાં તેણે સામાનિક દેવોને ઈન્દ્રાભિષેક રચાવવા માટે આદેશ આપ્યો (૧૩૩-૧૩૫). ૧. જિનપ્રતિમાની આગળ નાગપ્રતિમા, યક્ષપ્રતિમા, ભૂતપ્રતિમા અને કુંડધાર–આજ્ઞાધાર (જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ ટીકા, પૃ. ૮૧ અ) પ્રતિમાઓ હોવાનો ઉલ્લેખ છે (સૂત્ર ૧૩૦). આથી યક્ષપૂજાના મહત્ત્વની જાણ થાય છે. ૨. આ શય્યા પ્રતિપાદ, પાદ, પાદશીર્ષક, ગાત્ર અને સંધિઓથી યુક્ત તથા તૂલી (રજાઈ), બિલ્બોયણા (તકિયા), ગંડોપધાનક (ગાલના ઓશીકા) અને સાલિંગનવર્તિક (શરીરના માપના તકિયા) વડે સંપન્ન હતી. તેની બંને બાજુ તકિયા ગોઠવેલા હતા. આ શપ્પા બંને બાજુથી ઊંચી અને વચમાં નીચી હોવાને કારણે ગંભીર તથા લૌમ અને દુકૂલ વસ્ત્રો, વડ આચ્છાદિત હતી (૧૨૭), Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૨ અંગબાહ્ય આગમો ખૂબ ઠાઠમાઠપૂર્વક ઈન્દ્રાભિષેક સમાપ્ત થયા પછી વસ્ત્રાલંકાર વડે વિભૂષિત થઈ સૂર્યાભદેવ વ્યવસાયસભામાં આવ્યો અને પોતાના પુસ્તકનો સ્વાધ્યાય કરવા લાગ્યો. પછી સિદ્ધાયતનમાં જઈ તેણે જિનપ્રતિમાનું પ્રક્ષાલન કરી તેના પર ચંદનનો લેપ કર્યો અને તેને શુદ્ધ કપડાંથી લૂછી દેવદૂષ્યથી વિભૂષિત કરી અલંકારો પહેરાવ્યાં. ત્યારબાદ પ્રતિમા પર પુષ્પ, માળા, ગંધ, ચૂર્ણ, વર્ણ, વસ્ત્ર, આભરણો વગેરે ચડાવ્યાં, તેની સામે ચોખાના આઠ મંગલ બનાવ્યા, ધૂપ, દીપર પેટાવ્યા અને પછી તે ૧૦૮ છંદો વડે સ્તુતિ કરવા લાગ્યો (૧૩૫-૧૩૯). સૂર્યાભદેવને આ અતુલ ઋદ્ધિ કયા શુભ કર્મો દ્વારા પ્રાપ્ત થઈ તેનો ઉત્તર બીજા ભાગમાં આપવામાં આવ્યો છે (૨૪૧). રાજા પએસીની કથા : કેક અર્ધ જનપદમાં સેયવિયા નામની નગરી હતી. તેની ઉત્તર-પૂર્વમાં મૃગવન નામનું એક સુંદર ઉદ્યાન હતું. આ નગરીનો રાજા પએસી હતો. તે ઘણો અધામિક, પ્રચંડ અને ક્રોધી હતો તથા માયા, વંચના અને કૂડકપટ ૧. આ પ્રસંગે પુસ્તકનો દોરો, ગાંઠ, લિપ્યાસન (ખડિયો), ઢાંકણ, શાહી, કલમ અને કંબિયા (પટ્ટિકા–પૂંઠું)નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે (સૂત્ર ૧૩૧). ૨. સૂર્યાભદેવની ચૈત્યવંદન-વિધિ સંબંધી મતભેદ હોવાનું પ્રતિપાદન કરતાં ટીકાકાર મલયગિરિએ એટલું જ કહીને સંતોષ માની લીધો છે કે તત્ત્વ તો કેવલી જાણે છે (સૂત્ર ૧૩૯ ટીકા, પૃ. ૨૫૯). ૩. જૈન ગ્રન્થોમાં ૨૫૧, દેશોની ગણના આર્યક્ષેત્રમાં કરવામાં આવી છે એટલે કે આ દેશોમાં જૈન શ્રમણો વિહાર કરી શકતા. કેકયાર્ધ ( કના અર્ધા ભાગોને આર્યક્ષેત્ર માનવાનું કારણ એ જ હોઈ શકે કે આ દેશના કેટલાક જ ભાગમાં શ્રમણોનો પ્રભાવ રહ્યો હશે. કેકય દેશ શ્રાવસ્તીની ઉત્તર-પૂર્વમાં નેપાળની ખીણમાં હતો. સેયવિયાને બૌદ્ધ સાહિત્યમાં સેતવ્યા કહેવામાં આવેલ છે. મહાવીરે ત્યાં વિહાર કર્યો હતો. આ સ્થાન શ્રાવસ્તી (સહેટ મહેટ)થી ૧૭ માઈલ અને બલરામપુરથી ૬ માઈલ દૂર આવેલ હતું. ૪. બૌદ્ધોના દીઘનિકાયમાં પાયાસિસુત્તમાં રાજા પાયાસિના આ જ પ્રકારના પ્રશ્નોત્તરોનું વર્ણન છે. અહીં પાયાસિને કોશલના રાજા પાસેનદિના વંશજ બતાવવામાં આવ્યો છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ રાજપ્રનીય દ્વારા બધાને કષ્ટ પહોંચાડતો હતો. ગુરુજનોનો તે ક્યારેય આદર કરતો નહિ, શ્રમણ-બ્રાહ્મણોનો વિશ્વાસ કરતો નહિ અને સમસ્ત પ્રજાને તેણે કરવેરાના ભારથી દુઃખી કરી દીધી હતી. તેની રાણીનું નામ સૂર્યકાન્તા હતું. રાજા પએસીને સૂર્યકાન્ત નામે એક રાજકુમાર હતો જે તેના રાજ્ય, રાષ્ટ્ર, બલ, વાહન, કોશ, કોઠાગાર, પુર અને અંતઃપુરની દેખભાળ કર્યા કરતો હતો. રાજા પએસીના સારથીનું નામ ચિત્ત હતું. તે સામ, દામ, ભેદ અને દંડમાં કુશળ અને અત્યંત બુદ્ધિશાળી હતો. રાજા પએસી પોતાના રાજ્યના અનેક કાર્યોમાં તેની સલાહ લેતો અને તેની વાત માનતો હતો (૧૪૨૧૪પ). કુણાલા જનપદમાં શ્રાવસ્તી નામની નગરી હતી. તેની ઉત્તર-પૂર્વમાં કોઇ નામનું એક ચૈત્ય હતું. તે સમયે રાજા પએસીનો આજ્ઞાંકિત સામંત જિતશત્રુ શ્રાવસ્તીમાં રાજ્ય કરતો હતો. - એક વખતની વાત છે. રાજા પએસી જિતશત્રુને કોઈ ભેટ મોકલવા માગતો હતો. તેણે ચિત્ત સારથીને બોલાવી ભેટ લઈ જવા માટે કહ્યું અને તેને આદેશ આપ્યો કે તે જિતશત્રુની સાથે કેટલાક દિવસ શ્રાવસ્તીમાં ગાળી તેના રાજ-કારોબારની દેખરેખ રાખે. ભેટ ગ્રહણ કરી ચિત્ત પોતાને ઘરે આવ્યો અને તેણે કૌટુંબિક પુરુષને બોલાવી ચાર ઘંટવાળો અશ્વરથ તૈયાર કરવાનો આદેશ આપ્યો. વચ્ચેના ગાળામાં ચિત્તે સ્નાન, બલિકર્મ, કૌતુક ૧. દીઘનિકાયમાં ચિત્તના સ્થાને ખરે શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ખરેનું પર્યાયવાચી સંસ્કૃતમાં ક્ષત-સતા થાય છે, જેનો અર્થ સારથિ છે. જુઓ–પં. બેચરદાસ, રાયપણઇયસુત્તનો સાર, પૃ. ૯૯, ફૂટનોટ. ૨. કુણાલને જૈનોના ૨૫, આર્ય દેશોમાં ગણવામાં આવેલ છે. તેને ઉત્તરકોશલ પણ કહેવામાં આવતું. કુણાલ જનપદની રાજધાની શ્રાવસ્તી (સહેટ-મહેટ, જિલ્લો ગોડા) હતી, જેનું બીજું નામ કુણાલ નગરી પણ હતું. શ્રાવસ્તી અને સાકેતની વચ્ચે સાત યોજન (એક યોજન=પાંચ માઈલ)નું અંતર હતું. ૩. આ રથ છત્ર, ધ્વજા, ઘંટા, પતાકા, તોરણ, નંદિઘોષ અને નાની ઘંટડીઓથી યુક્ત હતો, હિમાલયમાં ઉત્પન્ન થનારા તિનિસના લાકડામાંથી બનેલો હતો, સુવર્ણથી જડેલો હતો, તેના ચક્રોના આરા (નેમિ) લોઢાના બનેલા હતા અને તેની ધૂંસરી મજબૂત હતી. આ રથમાં શ્રેષ્ઠ ઘોડા જોડ્યા હતા તથા ભાથું, કવચ અને આયુધ વગેરેથી તે સંપન્ન હતો. જુઓ–વિવાદય સૂત્ર ૩૧, પૃ. ૧૩૨; જીવાજીવાભિગમ પૃ. ૧૮૫, ૧૯૨; જંબૂઢીપપ્રજ્ઞપ્તિ, પૃ. ૨ ૧૦. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૪૪ અંગબાહ્ય આગમો અને મંગળ વગેરે કૃત્યો સંપન્ન કર્યા, કવચ ધારણ કર્યું, ભાથું બાંધ્યું, ગળામાં હાર પહેર્યો, રાજપટ્ટ ધારણ કર્યો અને અસ્ત્ર-શસ્ત્રોથી સજ્જ થઈ રથમાં સવાર થયો. અનેક હથિયારબંધ યોદ્ધાઓથી ઘેરાઈ તે શ્રાવસ્તી તરફ જવા નીકળી પડ્યો. શ્રાવસ્તી પહોંચીને ચિત્ત સારથી જિતશત્રુ રાજાની બાહ્ય ઉપસ્થાનશાલા (સામાન્ય સભા)માં પહોંચ્યો અને ત્યાં તેણે ઘોડા છોડી રથ ઊભો રાખ્યો. પછી તે ભેટ લઈ જિતશત્રુની અંતરંગ ઉપસ્થાનશાળા (વિશેષ સભા)માં પહોંચ્યો. તેણે જિતશત્રુને પ્રણામ કર્યા, વધાઈ આપી અને પછી રાજા પએસીએ આપેલ ભેટ તેની સમક્ષ રજૂ કરી. ભેટ સ્વીકા૨ીને જિતશત્રુએ ચિત્તસારથિનો આદર-સત્કાર કર્યો અને તેને ઉતરવા માટે યથોચિત વ્યવસ્થા કરી આપી. ચિત્ત ગીત, નૃત્ય અને નાટક વગેરે વડે પોતાનો સમય યાપન કરતો કરતો આનંદપૂર્વક શ્રાવસ્તીમાં રહેવા લાગ્યો (૧૪૩). તે સમયે ચતુર્દશપૂર્વધારી, પાર્સ્થાપત્ય', કેશી નામક કુમારશ્રમણ પોતાના અનેક શિષ્યોથી ઘેરાઈને શ્રાવસ્તીના કોઇ નામક ચૈત્યમાં વિહાર કરી રહ્યા હતા. તેમના આગમનના સમાચાર સાંભળતાં નગરવાસીઓ પરસ્પર કહેવા લાગ્યા હે દેવાનુપ્રિયો ! ચાલો, આપણે પણ કુમારશ્રમણ કેશીની વંદના કરવા જઈએ. શ્રાવસ્તીમાં મોટો કોલાહલ સાંભળી ચિત્ત સારથીના મનમાં વિચાર આવ્યો—શું આજે નગરીમાં કોઈ ઈન્દ્ર, સ્કંદ, રુદ્ર, મુકુંદ, શિવ, વૈશ્રમણ, નાગ, યક્ષ, ભૂત, સ્તૂપ, ચૈત્ય, વૃક્ષ, ગિરિ, ગુફા, કૂપ, નદી, સરોવર કે સાગરનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે કે જેથી ઉગ્ર, ભોગ, ૧.જૈન સૂત્રોમાં મહાવીરના માતા-પિતાને પાર્શ્વનાથની પરંપરાના અનુયાયી કહેવામાં આવ્યા છે. પાર્શ્વનાથ પરંપરાના અનુયાયી શ્રમણો પાર્સ્થાપત્ય (પાસાવચ્ચિજ્જ) નામથી ઓળખાતા હતા. પાર્શ્વનાથ સચેલ ધર્મ સ્વીકારતા હતા અને ચાતુર્યામ (અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ)નો ઉપદેશ આપતા હતા, જ્યારે મહાવીર અચેલ ધર્મ માનતા હતા અને પંચ મહાવ્રતનો ઉપદેશ આપતા હતા. પાર્શ્વનાથના અનુયાયી કુમારશ્રમણ કેશી અને મહાવીરના અનુયાયી ગૌતમ ઈન્દ્રભૂતિના મહત્ત્વપૂર્ણ વાર્તાલાપનો ઉલ્લેખ ઉત્તરાધ્યયનસૂત્રમાં મળે છે. ---- ૨. નિશીથસૂત્ર (૧૯, ૧૧-૧૨ તથા ભાષ્ય)માં ઈન્દ્ર, સ્કંદ, યક્ષ અને ભૂતના તહેવારોને મહામહ ગણાવવામાં આવ્યા છે. આ તહેવારો ક્રમથી અષાઢ, આસો, કાર્તિક અને ચૈત્રની પૂર્ણમાસીના દિવસે ઉજવવામાં આવતા હતા. વધુ જાણકારી માટે જુઓ— જગદીશ ચન્દ્ર જૈન, જૈન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ, પૃ. ૪૩૦ આદિ. Page #81 -------------------------------------------------------------------------- ________________ રાજપ્રશ્નીય ૪૫ રાજન્ય, ઈક્વાકુ, જ્ઞાન, કૌરવ્ય, બ્રાહ્મણ વગેરે બધા લોકો નહાઈ-ધોઈ અને વસ્ત્રાભૂષણોથી સજ્જ થઈ, ઘોડા, હાથી વગેરે પર સવાર થઈ જઈ રહ્યા છે ? કંચુકી પુરુષને બોલાવીને કોલાહલનું કારણ પૂછતાં ચિત્તને જાણવા મળ્યું કે કેશીકુમાર ચૈત્ય કોઠમાં પધાર્યા છે અને નગરવાસીઓ તેમને વંદના કરવા જઈ રહ્યા છે (૧૪૩-૧૪૮). " આ સાંભળી ચિત્ત સારથીએ કૌટુંબિક પુરુષને બોલાવીને તેને પોતાનો અશ્વરથી સજ્જ કરવાનો આદેશ કર્યો. ત્યારપછી સ્નાન વગેરે કરી અને વસ્ત્રાભૂષણો વડે સજ્જ થઈ, પોતાના નોકર-ચાકરો સાથે તે કોઇક ચૈત્યમાં પહોંચ્યો. તેણે કેશીકુમારની પ્રદક્ષિણા કરી, તેમને નમસ્કાર કર્યા અને વિનયપૂર્વક તેમની પર્યુપાસનામાં લીન થઈ ગયો. કેશીકુમારે સભાના સભ્યોને ચાતુર્યામ ધર્મ – સર્વપ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ અને બહિદ્ધાદાનવિરમણનો ઉપદેશ આપ્યો (૧૪૯). ચિત્ત સારથી કેશીકુમારનો ઉપદેશ સાંભળી બહ પ્રસન્ન થયો. કેશીકુમારને નમસ્કાર કરી તે કહેવા લાગ્યો – ભંતે ! નિગ્રંથ-પ્રવચનમાં હું વિશ્વાસ કરું છું, મને તે રૂચિકર છે, તે સત્ય છે, તે ઈષ્ટ છે. કેટલાય ઉગ્ર, ભોગ અને ઈભ્યો વગેરે વિપુલ હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, બલ, વાહન, કોશ અને ધનસંપત્તિનો ત્યાગ કરી મુંડિત બની અનગાર-ધર્મમાં દીક્ષિત થઈ રહ્યા છે, પરંતુ હું એમ કરવા માટે અસમર્થ છું. આવી હાલતમાં હે દેવાનુપ્રિય ! હું આપની પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત ગ્રહણ કરી ગૃહસ્થ-ધર્મનું પાલન કરવા ઈચ્છું છું. ત્યારપછી ચિત્ત સારથી નિગ્રંથ-પ્રવચનમાં શ્રદ્ધાશીલ, દાનશીલ બનીને ચતુર્દશી, અમી, અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસે પ્રોષધ કરતો તથા નિગ્રંથ-શ્રમણોને નિર્દોષ અશન, પાન, આસન, શય્યા વગેરે માટે નિમંત્રિત કરતો આત્મચિંતનમાં લીન રહેવા લાગ્યો (૧૫૦-૧૫૧). કેટલોક સમય જતાં જિતશત્રુએ રાજા પએસીને કેટલીક ભેટ-સોગાદ મોકલવાનો વિચાર કર્યો. ચિત્ત સારથીને બોલાવી તેણે આદેશ આપ્યો – “હે ચિત્ત ! તું આ ભેટ-સોગાદ રાજા પએસીને પહોંચાડ અને નિવેદન કર કે મારે લાયક કોઈ કામ-સેવા હોય તો કહેવડાવે.” સેયવિયા માટે પ્રસ્થાન કરતાં પહેલાં ચિત્ત સારથીએ કેશીકુમાર પાસે પહોંચીને નિવેદન કર્યું – ભંતે ! જિતશત્રુ પાસેથી વિદાય લઈ આજે હું પાછો વળી રહ્યો છું. ૧. સ્થાનાંગની ટીકા (પૃ. ૨૦૨)માં બહિદ્ધાનો અર્થ મૈથુન અને આદાનનો અર્થ પરિગ્રહ કરવામાં આવ્યો છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ અંગબાહ્ય આગમો સેયવિયા નગરી સુંદર છે, દર્શનીય છે, આપ પધારો તો ઘણી કૃપા થાય.” પહેલાં તો કેશીકુમારે ચિત્તની વાત ઉપર કોઈ ધ્યાન આપ્યું નહિ, પરંતુ જ્યારે તેણે તે જ વાત બે-ત્રણ વખત બેવડાવી ત્યારે કેશીકુમારે ઉત્તર આપ્યો કે “ભલે સેવિયા સુંદર હોય પરંતુ ત્યાંનો રાજા અધાર્મિક છે, પછી ભલા હું કેમ ત્યાં આવી શકું ?' ચિત્તે નિવેદન કર્યું – “ભંતે ! આપને પએસી સાથે શું લેવા-દેવા ? સેયવિયામાં બીજા ઘણા-બધા સાર્થવાહો વગેરે નિવાસ કરે છે, જે આપની વંદના-ઉપાસના કરશે અને અશન-પાન તથા આસન-શપ્યા વગેરે વડે આપનો સત્કાર કરશે. એટલા માટે આપ કૃપા કરી જરૂર પધારો' (૧૫-૧૫૪). ચિત્ત સારથી પોતાના રથ પર સવાર થઈ સેવિયા નગરીમાં પહોંચી ગયો. ત્યાં પહોંચતાં જ તેણે મૃગવનના ઉદ્યાનપાલકને બોલાવીને કહ્યું – જુઓ, જો પાર્થાપત્ય કેશીકુમાર વિહાર કરતા-કરતા અહીં પધારે તો તેમના રહેવા માટે યોગ્ય સ્થાનનો પ્રબંધ કરજો અને પીઠ (ચોકી), ફલક (પાટિયું), શવ્યા અને સંસ્કારક માટે તેમને નિમંત્રિત કરજો. ત્યારપછી ચિત્ત સારથીએ રાજા પએસી પાસે પહોંચીને તેને ભેટ-સોગાદ અર્પણ કરી (૧૫૫-૧૫૬). કેટલાક દિવસ પછી કેશીકુમાર શ્રાવસ્તી નગરીમાંથી વિહાર કરી ગયા અને ગામોગામ પરિભ્રમણ કરતા-કરતા સેયવિયા નગરીના મૃગવન નામે ચૈત્યમાં પધાર્યા. ઉદ્યાનપાલકે પીઠ, ફલક વગેરે વડે તેમનો સત્કાર કર્યો અને ચિત્ત સારથીના ઘરે જઈ કેશીકુમારના આગમનના સમાચાર તેને આપ્યા. આ સમાચાર સાંભળી ચિત્ત પોતાના આસન પરથી ઊભો થયો, પાદપીઠથી નીચે ઉતર્યો, પાદુકાઓ ઉતારી અને એકશાટિક ઉત્તરાસંગ ધારણ કરી, હાથ જોડી જ્યાં કેશીકુમાર ઉતર્યા હતા તે દિશા તરફ સાતઆઠ પગલાં ચાલ્યો અને પછી પ્રણામપૂર્વક તેમની સ્તુતિ કરવા લાગ્યો. ઉદ્યાનપાલકને તેણે પ્રીતિદાન આપી વિદાય કર્યો. ત્યારબાદ રથ પર સવાર થઈ તે કેશીકુમારના દર્શન માટે જવા રવાના થયો (૧૫૭-૧૫૮). ધર્મોપદેશ શ્રવણ કર્યા પછી ચિત્ત સારથી કેશીકુમારને કહેવા લાગ્યો – ભંતે ! અમારો રાજા પએસી ઘણો અધાર્મિક છે, એટલા માટે જો આપ તેને ધર્મોપદેશ આપો તો તેનું પોતાનું ભલું થાય અને સાથે સાથે શ્રમણો, બ્રાહ્મણો, ભિક્ષુઓ અને આખા દેશનું પણ કલ્યાણ થાય. કેશીકુમારે ઉત્તર આપ્યો – “હે ચિત્ત ! જે વ્યક્તિ આરામ, ઉદ્યાન અથવા ઉપાશ્રયમાં આવેલા શ્રમણ કે બ્રાહ્મણની પાસે જતો નથી, તેની વંદના-પૂજા કરતો નથી, ઉપાસના કરતો નથી, પોતાની શંકાઓનું સમાધાન કરતો નથી તે ધર્મશ્રવણ કરવાનો અધિકારી નથી. તમારો રાજા પએસી અમારી પાસે આવતો નથી અને અમારી સામે સુદ્ધાં જોતો નથી.” (૧૫૯) Page #83 -------------------------------------------------------------------------- ________________ રાજપ્રશ્નીય ૪૭ પછીના દિવસે ચિત્ત સારથી રાજા પએસી પાસે જઈને કહેવા લાગ્યો – હે દેવાનુપ્રિય ! મેં આપને કંબોજ દેશના જે ચાર ઘોડા ભેટ આપ્યા છે, ચાલો આજ તેની પરીક્ષા કરીએ.' ત્યારબાદ બંને અશ્વરથમાં સવાર થઈ પરિભ્રમણ કરવા માટે નીકળી પડ્યા. ઘણી વાર સુધી બંને આમ-તેમ ઘૂમતા રહ્યા. ફરતા-ફરતા રાજા જ્યારે થાકી ગયો અને તેને તરસ લાગી ત્યારે ચિત્ત સારથી તેને મૃગવન ઉદ્યાનમાં લઈ ગયો. ત્યાં વિશાળ સભાને ઉચ્ચ સ્વરે ધર્મોપદેશ આપતા કેશીકુમારને જોઈને રાજા વિચાર કરવા લાગ્યો – ‘જડ લોકો જ જડની ઉપાસના કરે છે, મૂઢ જ મૂઢની ઉપાસના કરે છે, અપંડિત જ અપંડિતોની ઉપાસના કરે છે, મુંડ જ મુંડોની ઉપાસના કરે છે, અજ્ઞાની લોકો જ અજ્ઞાનીઓનું સન્માન કરે છે, તો પછી આ કોણ જડ, મુંડ, મૂઢ, અખંડિત અને અજ્ઞાની મનુષ્ય છે કે જે આટલો કાંતિમાન દેખાઈ રહ્યો છે ? આ શું ખાય છે ? શું પીએ છે ? વિશાળ સભામાં આ આટલા ઊંચા અવાજે બોલી રહ્યો છે કે હું પોતાની ઉઘાનભૂમિમાં સ્વચ્છંદપણે પર્યટન પણ કરી શકતો નથી.' ચિત્તે જવાબ આપ્યો · ‘હે સ્વામી ! આ પાર્સ્થાપત્ય કેશી નામના કુમા૨શ્રમણ છે. તેઓ ચતુર્થાન'ના ધારક, અધઃ અવિધ વડે સંપન્ન અને અન્નજીવી છે (૧૬૦-૧૬૩). - ત્યારપછી રાજા પએસી ચિત્ત સારથીની સાથે કેશીકુમાર પાસે પહોંચ્યો અને તે બંનેમાં વાર્તાલાપ થવા લાગ્યો પએસી – ભંતે ! આપ અધઃ અવધિજ્ઞાનથી સંપન્ન છો ? આપ અન્નજીવી છો? કેશી – જેવી રીતે રત્નોનો વેપારી રાજકરમાંથી છૂટકારો મેળવવા માટે કોઈને ઠીક માર્ગ પૂછતો નથી, તે રીતે હે પએસી ! વિનયમાર્ગથી ભ્રષ્ટ હોવાને કારણે તને યોગ્ય રીતે પ્રશ્ન કરવાનું આવડતું નથી. હું તને પૂછું છું કે શું મને જોઈને તારા મનમાં એવો વિચાર ઉત્પન્ન થયો હતો કે જડ લોકો જ જડની ઉપાસના કરે છે, વગેરે? પએસી હા ભંતે ! તે સાચું છે. પરંતુ મારા મનનો વિચાર આપે કેવી રીતે જાણી લીધો ? કેશી – હું આભિનિબોધિક, શ્રુત, અવધિ અને મનઃપર્યાયજ્ઞાનથી સંપન્ન છું એટલે મેં તારા મનના વિચારને જાણી લીધો (૧૬૪-૧૬૫). પએસી – હું પૂછવા ઈચ્છું છું કે શું શ્રમણ-નિગ્રંથ જીવ અને શરીરને જુદા-જુદા માને છે ? કેશી હા અમે જીવ અને શરીરને જુદા જુદા માનીએ છીએ. ૧. મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યવજ્ઞાન. -- Page #84 -------------------------------------------------------------------------- ________________ ૪૮ જીવ અને શરીરની ભિન્નતા પહેલી યુક્તિ : (ક) પએસી–જુઓ ભંતે ! આ નગરીમાં મારા એક દાદા રહેતા હતા. તે ખૂબ જ અધાર્મિક હતા. પ્રજાનું બરાબર યોગ્ય રીતે પાલન ન થવાને કારણે આપના મત મુજબ તેઓ નરકમાં ઉત્પન્ન થયા હશે. હું મારા દાદાનો અત્યંત લાડકો હતો અને તેઓ મને જોઈને ખુશીના માર્યા ફૂલ્યા સમાતા નહિ. એવી હાલતમાં જો મારા દાદા નરકમાંથી આવી અને મને કહે કે હે મારા પૌત્ર ! પૂર્વજન્મમાં હું તારો દાદો હતો અને અધાર્મિક કર્મો વડે પાપનો સંચય કરી હું નરકમાં ઉત્પન્ન થયો છું, એટલે તું પાપકર્મનો ત્યાગ કર, નહિ તો તું પણ નરકમાં ઉત્પન્ન થઈશ—તો હું માનું કે જીવ અને શરીર જુદા જુદા છે. પરંતુ હજી સુધી તો તેમણે મને આવીને કંઈ કહ્યું નથી, એટલા માટે હું માનું છું કે તેમનો જીવ તેમના શરીરની સાથે જ નાશ પામ્યો છે. કેશી – હે પએસી ! જો કોઈ કામી પુરુષ તારી રાણી સાથે વિષય-ભોગનું સેવન કરે તો તું તેને શું સજા કરીશ ? - પએસી – હું તેના હાથ-પગ કપાવીને તેને શૂળીએ ચડાવી દઈશ અથવા એક જ ઘા ભેગા તેના પ્રાણ લઈ લઈશ. - અંગબાહ્ય આગમો —— કેશી — જો તે પુરુષ તને કહે કે સ્વામી ! જરા અટકો, હું મારા મિત્રો અને મારા કુટુંબકબીલાના લોકોને એમ કહી આવું કે કામવાસનાને વશીભૂત થવાને કારણે મને આ મૃત્યુદંડ મળ્યો છે, જો તમે લોકો પણ આવું કરશો તો મારી જ માફક મૃત્યુદંડના ભાગીદાર થશો—તો શું તું તે લોકોની વાત સાંભળીશ ? પએસી નહિ. ક્યારેય નહિ, કેમ કે તે પુરુષ અપરાધી છે. - કેશી – એ જ રીતે ભલે તું તારા દાદાનો પ્રિય રહ્યો હોય, પરંતુ તે નરકમાં ખૂબ દુઃખ ભોગવતો રહેવાને કારણે ઈચ્છા હોય તો પણ મનુષ્યલોકમાં આવી શકતો નથી. આથી જીવ અને શરીર જુદાં છે. (ખ) પએસી – જુઓ, હું બીજું ઉદાહરણ આપું છું. મારી દાદી પરમ ધાર્મિક હતી. પોતાનાં શુભ કર્મો વડે પુણ્યોપાર્જન કરવાને કારણે આપના કથન અનુસાર તે સ્વર્ગમાં ઉત્પન્ન થઈ હશે. હું મારી દાદીનો લાડકો પૌત્ર હતો. એવી અવસ્થામાં તેણે મારી પાસે આવી કહેવું જોઈએ કે પુણ્યોપાર્જનના કારણે તે સ્વર્ગમાં ઉત્પન્ન થઈ છે એટલે મારે પણ દાન વગેરે દ્વારા પુણ્યોપાર્જન કરી સ્વર્ગનાં સુખો મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ હજી સુધી તો મને મારી દાદી પાસેથી કોઈ સમાચાર મળ્યા નથી, એટલે જીવ અને શરીર જુદાં નથી કેમ કે તેના શરીરની સાથે જ તેનો જીવ પણ નાશ પામી ગયો છે. કેશી – કલ્પના કર કે સ્નાન કરી, ભીનાં વસ્ત્રો ધારણ કરી, હાથમાં કળશ અને Page #85 -------------------------------------------------------------------------- ________________ રાજપ્રશ્નીય ४८ ધૂપદાની લઈ તું દેવમંદિરમાં દર્શન માટે જઈ રહ્યો છે અને એટલામાં કોઈ પાયખાને બેઠેલો પુરુષ તને બોલાવે કે સ્વામી ! થોડી વાર માટે અહીં આવી બેસો. તો તું એની વાત સાંભળીશ ? પએસી – નહિ, હું એવી વાત ક્યારેય નહિ સાંભળું, એક ક્ષણ માટે પણ હું પાયખાનામાં નહિ જાઉં. કેશી – એવી જ રીતે સ્વર્ગમાં ઉત્પન્ન થયેલો દેવ ઈચ્છા હોવા છતાં પણ મનુષ્યલોકમાં નથી આવી શકતો, કેમ કે તે સ્વર્ગના કામ-ભોગોનો ત્યાગ કરવા ઈચ્છતો નથી. આથી જીવ અને શરીર જુદાં છે (૧૬૬-૧૭૦). બીજી યુક્તિ : (ક) પીએસી - મારા પક્ષના સમર્થનમાં હું એક વધુ ઉદાહરણ આપું. કલ્પના કરો કે નગરનો કોટવાળ કોઈ ચોરને પકડીને મારી પાસે લઈ આવ્યો. મેં તેને જીવિત અવસ્થામાં જ લોઢાની કોઠીમાં નાખી ઉપરથી ઢાંકણું બંધ કરી દીધું. પછી તેને લોઢા અને સીસાથી સીલ કરીને ત્યાં વિશ્વાસુ સૈનિકોની ચોકી મૂકી. કેટલાક સમય પછી મેં કોઠી ખોલાવીને જોયું. તેમાં ક્યાંય કોઈ છિદ્ર વગેરે હતું નહિ કે જેનાથી જીવ બહાર નીકળી જઈ શકે, છતાં પણ પેલો પુરુષ મરી ગયો હતો. તેનાથી સિદ્ધ થાય છે કે જીવ અને શરીર બંને એક છે. કેશી – કલ્પના કર કે કોઈ છિદ્રરહિત કૂટાગારશાળામાં પ્રવેશ કરી કોઈ પુરુષ બારણાં બરાબર સારી રીતે બંધ કરી, અંદર બેસી જોરજોરપૂર્વક ભેરી વગાડે તો શું બહારથી તેનો અવાજ સાંભળી શકીશ ? પએસી – હા, સાંભળી શકીશ. કેશી – તો જો, જેવી રીતે છિદ્રરહિત મકાનમાંથી અવાજ બહાર નીકળી શકે છે, તેવી જ રીતે પૃથ્વી, શિલા અને પર્વતને ભેદીને જીવ બહાર આવી શકે છે. આથી સિદ્ધ થાય છે કે જીવ અને શરીર જુદાં છે. (ખ) પએસી – હું એક વધુ ઉદાહરણ આપું. માની લો કે કોઈ ચોરને મારીને તેને લોઢાની કોઠીમાં પૂરી દીધો અને તેની ઉપર સારી રીતે ઢાંકણ ઢાંકી વિશ્વાસુ સૈનિકોની ચોકી મૂકી. કેટલાક દિવસ વીત્યા પછી મેં જોયું તો મૃતકના શરીરમાં કૃમિકીડા પડી ગયા હતા. લોઢાની કોઠીમાં કોઈ છિદ્ર ન હોવા છતાં પણ આ કૃમિ-કીડા ક્યાંથી પ્રવેશી ગયા? એનાથી જણાઈ આવે છે કે જીવ અને શરીર જુદાં નથી. કેશી – પએસી ! તે ક્યારેય લોઢું ફૂક્યું છે કે તેને ફૂંકાતું જોયું છે ? પએસી – હા ભંતે ! મેં જોયું છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ પ૦ અંગબાહ્ય આગમો કેશી – તને ખબર છે કે તે સમયે લોઢું અગ્નિમય બની જાય છે. પ્રશ્ન થાય છે, ક્યાંય પણ કોઈ છિદ્ર ન હોવા છતાં લોઢામાં આ અગ્નિ કેવી રીતે પ્રવેશ્યો ? એ જ રીતે જીવ અનિરુદ્ધ ગતિવાળો હોવાને કારણે પૃથ્વી, શિલા વગેરેને ભેદીને બહાર જઈ શકે છે. એટલા માટે જીવ અને શરીર જુદાં છે (૧૭૧-૧૭૪). ત્રીજી યુક્તિ : (ક) પએસી – હું એક વધુ ઉદાહરણ આપું. કોઈ તરુણ પુરુષ ધનુર્વિદ્યામાં કુશળ હોય છે, પરંતુ તે જ પુરુષ બાલ્યાવસ્થામાં કદાચ એક પણ બાણ ધનુષ પર રાખીને છોડી શકતો નથી. જો બાળપણ અને યુવાની બંને અવસ્થાઓમાં પુરુષ એકસરખો શક્તિશાળી હોત તો હું સમજત કે જીવ અને શરીર જુદાં છે. કેશી – જો, ધનુર્વિદ્યામાં કુશળ કોઈ પુરુષ નવા ધનુષ-બાણ વડે જેટલી કુશળતા બતાવી શકે છે તેટલી કુશળતા જૂનાં ધનુષ-બાણ વડે બતાવી શકતો નથી. એનો મતલબ એ કે તરુણ પુરુષ શક્તિશાળી તો છે પણ સાધનોની કમીના કારણે તે પોતાની શક્તિનું પ્રદર્શન કરી શકતો નથી. એ જ રીતે મંદ જ્ઞાનવાળી વ્યક્તિ સાધનોની કમીના કારણે પોતાની શક્તિ બતાવી શકતી નથી, યુવાવસ્થામાં તેની શક્તિ વધી જાય છે. આનું તાત્પર્ય એ નથી કે જીવ અને શરીર એક છે. (ખ) પએસી – ભંતે ! કોઈ તરુણ પુરુષ લોઢું, સીસું કે જસતનો ભાર સારી રીતે વહન કરી શકે છે, પરંતુ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં જ તે જ પુરુષ લાકડી લઈને ચાલવા માંડે છે અને ભાર વહન કરવા માટે અસમર્થ બની જાય છે. તરુણાવસ્થાની માફક જો વૃદ્ધાવસ્થામાં પણ તે ભાર વહન કરવા માટે યોગ્ય રહેત તો આ વાત સમજમાં આવી શકત કે જીવ અને શરીર બંને ભિન્ન છે. કેશી – જો, હૃષ્ટપુષ્ટ પુરુષ જ ભાર વહન કરી શકે છે. જો કોઈ હષ્ટપુષ્ટ પુરુષની પાસે નવી કાવડ વગેરે ઉપકરણો હોય તો તે સારી રીતે ભાર ઉઠાવી લઈ જઈ શકશે, પરંતુ જો તેની પાસે જૂની કાવડ વગેરે હોય તો તે ભાર લઈ જઈ શકશે નહિ. આ જ વાત તરુણ પુરુષ અને વૃદ્ધ પુરુષની બાબતમાં સમજવી જોઈએ. આનાથી સિદ્ધ થાય છે કે જીવ અને શરીર ભિન્ન છે (૧૭૫-૧૭૮). ચોથી યુક્તિ : (ક) એસી – સારુ ભંતે ! એક બીજો પ્રશ્ન પૂછવાની આજ્ઞા આપો. કોઈ Page #87 -------------------------------------------------------------------------- ________________ રાજપ્રશ્નીય ૫૧ ચોરનું જીવિત અવસ્થામાં વજન કરીએ અને પછી તેને મારીને તેનું વજન કરીએ, બંને અવસ્થામાં ચોરના વજનમાં કોઈ ફેર પડતો નથી. આનાથી જીવ અને શરીરની અભિન્નતા જ સિદ્ધ થાય છે. કેશી – જેવી રીતે ખાલી અને હવા ભરેલી મશકના વજનમાં કોઈ ફેર પડતો નથી તેવી જ રીતે જીવિત પુરુષ અને મૃત પુરુષના વજનમાં પણ કોઈ ફેર પડતો નથી. જીવમાં અગુરુલઘુ ગુણ રહેલ છે એટલા માટે જીવ નીકળી જવાથી મૃતકનું વજન ઓછું થતું નથી. (ખ) પએસી – એકવાર મેં કોઈ ચોરના શરીરની ચારે તરફથી પરીક્ષા કરી પરંતુ તેમાં ક્યાંય પણ જીવ નજરે ચડ્યો નહિ. પછી મેં તેને કાપ્યો, ટુકડા કર્યા અને ચીરીને જોયું, પરંતુ છતાં પણ જીવ ક્યાંય દેખાયો નહિ. આનાથી જીવનો અભાવ જ સિદ્ધ થાય છે. કેશી – તું ઘણો મૂઢ જણાય છે એસી ! જો એક ઉદાહરણ આપી સમજાવું છું. એક વાર કેટલાક વનજીવીઓ પોતાની સાથે અગ્નિ લઈ એક મોટા જંગલમાં પહોંચ્યા. તેમણે પોતાના એક સાથીને કહ્યું – “હે દેવાનુપ્રિય ! અમે જંગલમાં લાકડાં લેવા જઈએ છીએ, તું આ અગ્નિથી આગ પેટાવી અમારા માટે ભોજન બનાવીને તૈયાર રાખજે. જો અગ્નિ બૂઝાઈ જાય તો લાકડાં ઘસીને આગ પેટાવી લેજે.” સંયોગવશાત તેના સાથીઓ ચાલ્યા ગયા પછી થોડી જ વારમાં આગ બૂઝાઈ ગઈ. પોતાના સાથીઓના આદેશ અનુસાર તે લાકડાંને ચારે બાજુ ઊંચાનીચા કરી જોવા લાગ્યો પરંતુ આગ ક્યાંય નજરે પડી નહિ. તેણે પોતાની કૂહાડીથી લાકડાં ચીર્યા, તેના નાના-નાના ટુકડા કર્યા, છતાં પણ ક્યાંય આગ નજરે પડી નહિ. તે નિરાશ થઈ બેસી ગયો અને વિચારવા લાગ્યો કે અરે ! હું હજી સુધી ભોજન તૈયાર કરી શક્યો નહિ. એટલામાં જંગલમાંથી તેના સાથીઓ પાછા આવ્યા. તેણે તે બધાને આખી વાત કહી. તે સાંભળી તેમનામાંથી એક સાથીએ ચકમક અરણી સાથે ઘસી અગ્નિ પેટાવ્યો અને પછી બધાએ ભોજન બનાવી ખાધું. હે પએસી ! જેમ લાકડાને ચીરીને આગ મેળવવાની ઈચ્છા રાખનારો પેલો મનુષ્ય મૂર્ખ હતો, તેવી જ રીતે શરીરને ચીરીને જીવને જોવાની ઈચ્છા રાખનારો તું પણ ઓછો મૂર્ખ નથી (૧૭૯-૧૮૨). પએસી – ભંતે ! જેમ કોઈ વ્યક્તિ પોતાની હથેળી ઉપર આમળું રાખીને બતાવે તેમ શું આપ જીવને બતાવી શકો છો ? ૧. વિજ્ઞાને સિદ્ધ કર્યું છે કે હવામાં પણ વજન હોય છે, એટલા માટે આ વાત યુક્તિસંગત જણાતી નથી. Page #88 -------------------------------------------------------------------------- ________________ અંગબાહ્ય આગમો કેશી – વીતરાગ જ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અશરીરી જીવ, પરમાણુ-પુદ્ગલ, શબ્દ, ગંધ અને વાયુ-આઠ પદાર્થોને જાણી શકે છે, અલ્પજ્ઞાની નહિ (૧૮૬). ૫૨ પએસી—ભંતે ! શું હાથી અને કુંથુ (એક જીવડું)માં એકસમાન જીવ હોય છે ? કેશી – હા, એકસમાન હોય છે. જો, જો કોઈ વ્યક્તિ ચારે બાજુથી બંધ કોઈ કૂટાગારશાળામાં દીપક પેટાવે તો દીપક આખી કૂટાગારશાળાને પ્રકાશિત કરશે અને જો તે જ દીપકને કોઈ થાળી વગેરેથી ઢાંકીને મૂકવામાં આવશે તો તે માત્ર થાળી જેટલા ભાગને જ પ્રકાશિત કરશે. આનો મતલબ એ થયો કે દીપક તો બંને જગ્યાએ એક જ છે, પરંતુ જો તે મોટા ઢાંકણાં નીચે રાખ્યો હોય તો વધુ ભાગને અને નાના ઢાંકણાં નીચે રાખ્યો હોય તો ઓછા ભાગને પ્રકાશિત કરે છે. આ જ વાત જીવ સંબંધમાં સમજવી જોઈએ (૧૮૭). કેશીકુમારની ધર્મકથા સાંભળી રાજા ૫એસીની શંકાઓ દૂર થઈ ગઈ. તે હવે શ્રમણોપાસક બની ગયો અને પોતાના રાજ્ય, રાષ્ટ્ર, બલ, વાહન, ભંડાર, કોઠાર, ગ્રામ, નગર અને અંતઃપુર પ્રત્યે ઉદાસીન રહેવા લાગ્યો. રાણી સૂર્યકાંતાએ જોયું કે રાજા વિષય-ભોગો તરફ ઉદાસીન રહેવા લાગ્યોછેત્યારે તે તેને વિષપ્રયોગ વગેરે દ્વારા મારીને પોતાના પુત્રને રાજગાદી પર બેસાડવાનો ઉપાય વિચારવા લાગી. એક દિવસ તેણે રાજાના ભોજન-પાન અને વસ્ત્રાભૂષણમાં વિષ ભેળવી દીધું. તેથી ભોજન કરતાં જ અને વસ્ત્રાભૂષણ ધારણ કરતાં જ રાજાના શરીરમાં તીવ્ર વેદના થવા લાગી. રાજા સમજી ગયો, પરંતુ રાણી પ્રત્યે પોતાના મનમાં સહેજ પણ રોષ ન રાખતાં પ્રોષધશાળાસાફસૂફ કરી દર્ભનોસંથારોલઈપર્યંકાસનપૂર્વક પૂર્વાભિમુખ બેસીને અર્હત ભગવંતોને નમસ્કાર કરી કેશીકુમારની સ્તુતિ કરવા લાગ્યો. ત્યારપછી તેણે સર્વ પ્રાણાતિપાત વગેરે પાપોનો ત્યાગ કરી પોતાના બધાં કર્મોની આલોચના કરી અને પ્રતિક્રમણ દ્વારા શરીરનો ત્યાગ કર્યો અને મરીનેસૌધર્મસ્વર્ગમાં સૂર્યભ નામે દેવ બન્યો. સૂર્યાભદેવ દ્વારા અતુલ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનું આ જ સાચું રહસ્ય છે (૨૦૧-૨૦૪). દેવલોકમાંથી ચ્યુત થઈ સૂર્યાભદેવ મહાવિદેહમાં ઉત્પન્ન થયો. તેના જન્મદિવસની ખુશીમાં પહેલા દિવસે સ્થિતિપતિતા, ત્રીજા દિવસે ચંદ્ર-સૂર્યદર્શન અને છઠ્ઠા દિવસે જાગરિકાઉત્સવ ઉજવવામાં આવ્યો. ત્યારબાદ અગિયારમા દિવસે સૂતક વીતી જતાં બારમા દિવસે તેનો નામસંસ્કાર કરવામાં આવ્યો અને તે દૃઢપ્રતિજ્ઞ નામે ઓળખાવા લાગ્યો.૧ ૧. વવાઇયસૂત્રમાં પણ દૃઢપ્રતિજ્ઞનું લગભગ આ જ વર્ણન મળે છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ રાજપ્રશ્નીય ૫૩ ત્યારબાદ તેના પ્રજનનક (ભોજન ગ્રહણ કરવું), પ્રતિવર્યાપનક, પ્રચંક્રમણ (પગથી ચાલવું), કર્ણવેધ, સંવત્સર-પ્રતિલેખ (વર્ષગાંઠ) અને ચૂડોપનયન વગેરે સંસ્કારો કરવામાં આવ્યા. તે પછી ક્ષીર, મંડન, મજ્જન, અંક અને ક્રીડા કરાવનારી પાંચ ધાત્રીઓ, દેશ-વિદેશથી લાવવામાં આવેલી અનેક કુશળ દાસીઓ તથા અંતઃપુરના રક્ષણ માટે નિયુક્ત કરવામાં આવેલા વર્ષધર, કંચુકી અને મહત્તર વગેરે કર્મચારીઓ બાળકનું લાલન-પાલન કરવા લાગ્યા. ત્યારપછી તેને કલાચાર્ય પાસે મોકલવામાં આવ્યો, જ્યાં તેણે ૭૨ કળાઓનું શિક્ષણ મેળવ્યું અને તે અઢાર દેશી ભાષાઓમાં વિશારદ, ગીત-નૃત્યરસિક અને નાટ્યકળામાં કોવિદ બની ગયો. દૃઢપ્રતિજ્ઞના માતા-પિતાએ ઈછ્યું કે તે સાંસારિક વિષય-ભોગો તરફ વળે, પરંતુ જળકમળની માફક તે નિર્લેપભાવે સાંસારિક જીવન ગુજારવા લાગ્યો. કાળાંતરે દૃઢપ્રતિશે મોક્ષની પ્રાપ્તિ કરી (૨૦૭-૨૧૭). એ.આ. – ૬ Page #90 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકરણ જીવાજીવાભિગમ જીવાજીવાભિગમ અથવા જીવાભિગમ જૈન આગમોનું ત્રીજું ઉપાંગ છે. તેમાં મહાવીર અને ગૌતમ ગણધરના પ્રશ્નોત્તર રૂપે જીવ અને અજીવના ભેદ-પ્રભેદોનું વિસ્તૃત વર્ણન છે. તેમાં ૯ પ્રકરણ (પ્રતિપત્તિ) અને ૨૭૨ સૂત્રો છે. ત્રીજું પ્રકરણ બધા પ્રકરણોમાં મોટું છે, તેમાં દેવો તથા દીપ અને સાગરોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. જીવાજીવાભિગમના ટીકાકાર મલયગિરિએ તેને સ્થાનાંગનું ઉપાંગ ગણાવ્યું છે. આ ઉપાંગ ઉપર પૂર્વાચાર્યોએ ટીકાઓ લખી હતી જે ગંભીર અને સંક્ષિપ્ત હોવાને કારણે દુર્બોધ હતી, એટલા માટે મલયગિરિએ આ વિસ્તૃત ૧. (અ) મલયગિરિકૃત વૃત્તિ સહિત – દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, મુંબઈ, ઈ.સ. ૧૯૧૯. (આ) હિંદી અનુવાદ સહિત – અમોલક ઋષિ, લાલા સુખદેવ સહાય જવાલા પ્રસાદ, હૈદરાબાદ, ઈ.સ. ૧૯૨૦ (ઈ) મલયગિરિકૃત વૃત્તિ અને ગુજરાતી વિવેચન સાથે – ધનપત સિંહ, અમદાવાદ, ઈ.સ. ૧૮૮૩ (ઈ) સંસ્કૃત વ્યાખ્યા તથા તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે – મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૭૧-૭૫ (ઈ) (મૂળ) જિનેન્દ્રગણિ, હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ઈ.સ. ૧૯૭૭ (ઊ) (મૂળ) રતનલાલ દોશી, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના, ઈ.સ. ૧૯૮૦ (એ) મૂળ અને હિંદી અનુવાદ સહિત – મધુકર મુનિ, આગમ પ્રકાશન સમિતિ, બાવર, ઈ.સ. ૧૯૮૦ પરંપરા અનુસાર આમાં ૨૦ ઉદ્દેશો હતા અને ૨૦માં ઉદ્દેશની વ્યાખ્યા શાલિભદ્રસૂરિના શિષ્ય ચંદ્રસૂરિએ કરી હતી. અભયદેવે પણ આના તૃતીય પદ પર સંગ્રહણી લખી હતી. દીવસાગરપન્નત્તિ નામક ઉપાંગ અલગ પણ છે, જે હાલ મળતું નથી. Page #91 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવાભિગમ ૫૫ ટીકા લખી છે. મલયગિરિએ અનેક સ્થળે વાચનાભેદ હોવાનો ઉલ્લેખ કર્યો છે.' પહેલી પ્રતિપત્તિ પહેલી જીવાજીવાભિગમ પ્રતિપત્તિ છે. સંસારી જીવો બે પ્રકારના હોય છે – ત્રસ અને સ્થાવર (સૂત્ર ૯). સ્થાવર જીવો ત્રણ પ્રકારના હોય છે – પૃથ્વીકાય, અષ્કાય અને વનસ્પતિકાય (૧૦). બાદર વનસ્પતિકાય બાર હોય છે – વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી, પર્વગ (શેરડી વગેરે), તૃણ, વલય (કેળ વગેરે કે જેની ત્વચા ગોળાકાર હોય છે), હરિત (હરિયાળી), ઔષધિ, જલરુહ (પાણીમાં ઉત્પન્ન થનારી વનસ્પતિ), કુહણ (પૃથ્વી ભેદીને બહાર ઉગી નીકળનાર વૃક્ષ) (૨૦). સાધારણ શરીર બાબર વનસ્પતિકાયિક જીવો અનેક પ્રકારના હોય છે (૨૨). ત્રસ જીવો ત્રણ પ્રકારના હોય છે – તેજસ્કાય, વાયુકાય અને ઔદારિક ત્રસ (૨૨). ઔદારિક ત્રણ ચાર પ્રકારના હોય છે – બે ઈન્દ્રિયોવાળા, ત્રણ ઈન્દ્રિયોવાળા, ચાર ઈન્દ્રિયોવાળા અને પાંચ ઈન્દ્રિયોવાળા (૨૭). પંચેન્દ્રિય ચાર પ્રકારના હોય છે – નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ (૩૧). નરક સાત હોય છે – રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ:પ્રભા, મહાતમ:પ્રભા (૩૨). તિર્યંચ ત્રણ પ્રકારના હોય છે – જલચર, સ્થલચર અને નભચર (૩૪). જલચર પાંચ પ્રકારના હોય છે – મસ્ય, કચ્છપ, મકર, ગ્રાહ અને શિશુમાર (૩૫). સ્થલચર જીવો ચાર પ્રકારના હોય છે – એકપુર, દ્વિખુર, ચંડીપય અને સણપ્પય (સનખપદ) (૩૬). નભચર જીવો ચાર પ્રકારના હોય છે – ચમ્મપષ્મી, લોમપષ્મી, સમુગપષ્મી અને વિતતપપ્પી (૩૬). મનુષ્ય બે પ્રકારના હોય છે – સંમૂચ્છિમ મનુષ્ય અને ગર્લોત્પન્ન મનુપ (૪૧), દેવ ચાર પ્રકારના હોય છે – ભવનવાસી, વ્યંતર, જયોતિષી અને વૈમાનિક (૪૨). બીજી પ્રતિપત્તિ : સંસારી જીવો ત્રણ પ્રકારના હોય છે – સ્ત્રી, પુરુષ અને નપુંસક (૪૪). સ્ત્રીઓ ત્રણ પ્રકારની હોય છે – તિર્યંચ, મનુષ્ય અને દેવ (૫). પુરુષ પણ ત્રણ પ્રકારના હોય છે – તિર્યચ, મનુષ્ય અને દેવ (૧૨). નપુંસક ત્રણ પ્રકારના १. इह भूयान् पुस्तकेषु वाचनाभेदो गलितानि च सूत्राणि बहुषु पुस्तकेषु यथावस्थितवाचनाभेद પ્રતિજ્યથ તિતસૂત્રો દ્ધાર્થ નૈવે નુ માપ વિવિયન્ત (જીવાજીવાભિગમ ટીકા ૩, ૩૭૬) ૨. ઘણા આચાર્યોએ તેજસ અને વાયુકાયને સ્થાવર જીવોમાં ગણેલ છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૫૬ અંગબાહ્ય આગમો હોય છે – નારક, તિર્યંચ અને મનુષ્ય (૫૮). નપુંસક વેદને કોઈ મહાનગર પ્રજ્વલિત થવા સમાન દાહકારી સમજવો જોઈએ (૬૧). ત્રીજી પ્રતિપત્તિ : નરકની સાત પૃથ્વીઓનું વર્ણન કરતી વેળાએ નીચેની વાતોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે : સોળ પ્રકારના રત્નો – રત્ન, વજ, વૈડૂર્ય, લોહિત, મસારગલ્લ, હંસગર્ભ, પુલક, સૌગન્ધિક, જયોતિરસ, અંજન, અંજનપુલક, રજત, જાતરૂપ, અંક, સ્ફટિક, અરિષ્ટ (૬૯), શસ્ત્રાસ્ત્રોનાં નામો – મુગર, મુસુંઢિ, કરપત્ર (કરવત), અસિ, શક્તિ, હલ, ગદા, મૂસલ, ચક્ર, નારાચ, કુંત, તોમર, શૂલ, લકુટ, બિડિપાલ (૮૯). ધાતુઓ વગેરેનાં નામો – લોઢું, તાંબુ, ત્રપુષ, સીસું, રૂપું, સુવર્ણ, હિરણ્ય, કુંભારનો અગ્નિ, ઈંટ પકાવવા માટેનો અગ્નિ, નળિયાં પકાવવા માટેનો અગ્નિ, યંત્રપાટક ચુલ્લી (જ્યાં શેરડીનો રસ પકાવવામાં આવે છે) (૮૯). જબૂદ્વીપના એકોરુ નામે દ્વિીપમાં વિવિધ કલ્પવૃક્ષોનું વર્ણન કરતી વેળાએ નીચેના વિષયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે – મદ્યનાં નામો – ચન્દ્રપ્રભા (ચન્દ્ર જેવો જેનો રંગ હોય તે), મણિશલાકા, વરસીધુ, વરવારુણી, ફલનિર્યાસસાર (ફળોના રસમાંથી તૈયાર કરાતી મદિરા), પત્રનિર્યાસસાર, પુષ્પનિર્યાસસાર, ચોયનિર્યાસસાર, ઘણાં દ્રવ્યોને એકઠાં કરી તૈયાર કરવામાં આવનાર, સંધ્યાસમયે તૈયાર કરવામાં આવનાર, મધુ, મેરક, રિષ્ઠ નામે રત્નસમાન વર્ણવાળી મદિરા (તને જંબૂકલકલિકા પણ કહેવામાં આવેલ છે), દુગ્ધજાતિ (પીવામાં દૂધ જેવી જણાય તે), પ્રસન્ના, નેલ્લક (અથવા તલ્લક), શતાયુ (સો વખત શુદ્ધ કરવા છતાં પણ જેમની તેમ રહેનારી), ખજૂરસાર, મૃદ્ધીકાસાર (દ્રાક્ષાસવ), કાપિશાયન, સુપક્વ, ક્ષોદરસ (શેરડીના રસમાંથી પકાવીને બનાવવામાં આવતી). ૧. રત્નો માટે જુઓ – ઉત્તરાધ્યયનસૂત્ર ૩૬, ૭પ વગેરે; પન્નવણા ૧, ૧૭; બૃહત્સંહિતા (૭૯-૮૪ વગેરે); દિવ્યાવદાન (૧૮, પૃ. ૨૨૯); પરમત્યદીપની (પૃ. ૧૦૩). ૨. શસ્ત્રો માટે જુઓ – પ્રશ્નવ્યાકરણ (૪, ૧૮); અભિધાનચિંતામણિ (૩, ૪૪૬) ૩. જુઓ – જેબૂદ્વીપપ્રજ્ઞપ્તિ સૂ. ૨૦, પૃ.૯૯ વગેરે; પન્નવણા ૧૭, પૃ. ૩૬૪ વગેરે; જગદીશચન્દ્ર જૈન, જૈન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ, પૃ. ૧૯૮-૨૦૦, મદ્યપાન કરવામાં આવે તો સાધુએ શું કરવું જોઈએ – બૃહત્કલ્પસૂત્રભાગ (૯૫૪-૬). Page #93 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવાભિગમ પાત્રોનાં નામો – વારક (મંગલ ઘટ), ઘટ, કરક, કલશ, કક્કરી, પાદકાંચનિકા (જેના વડે પગ ધોવામાં આવતા હોય), ઉદંક (જેના વડે પાણી છાંટવામાં આવે), વદ્ધણી (વાર્ધની–ગવંતિકા–નાની કળશી જેમાંથી રહી-રહીને પાણી ટપકતું હોય, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ ટીકા, ૧૦૦ અ), સુપવિઠ્ઠર (પુષ્પો રાખવાનું પાત્ર), પારી (દૂધ દોહવા માટેનું વાસણ; હિંદીમાં પાલી), ચષક (દારુ પીવા માટેનું પાત્ર), ભંગાર (ઝારી), કરોડી (કરોટિકા), સરગ (મદિરાપાત્ર), ધરગ (?), પાત્રીસ્થલ, રત્નગ (નલ્લક, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ, ૧૦) અ, ચવલિત (ચાલિત, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ), અપદવય. આભૂષણોનાં નામો – હાર (જેમાં અઢાર સેર હોય), અર્ધહાર (જેમાં નવ સેર હોય), વટ્ટણગ (વેસ્ટનક, કાનનું ઘરેણું), મુકુટ, કુંડલ, વાયુરંગ (વ્યામુક્તક, લટકતું ઘરેણું), તેમજાલ (કાણાવાળું સોનાનું આભૂષણ), મણિલાલ, કનકજાલ, સૂત્રક (વૈક્ષપ્ત સુવર્ષાસૂત્ર-જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ ટીકા, પૃ. ૧૦૫– જ્ઞોપવિતની માફક પહેરવામાં આવતું આભૂષણ), ઉચિયકડગ (વિતરિવાનિયો વિનયન, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ ટીકા), ખુફુગ (એક જાતની વીંટી), એકાવલી, કંઠસૂત્ર, મગરિય (મગરના આકારનું ઘરેણું), ઉરસ્થ (વક્ષસ્થળ પર પહેરવાનું ઘરેણું), રૈવેયક (ગ્રીવા – ડોકનું ઘરેણું), શ્રોણિસૂત્ર (કટિસૂત્ર), ચૂડામણિ, કનકતિલક, ફુલ્લ (ફૂલ), સિદ્ધાર્થક (સોનાની કંઠી), કણવાલિ (કાનની વાળી), શશિ, સૂર્ય, વૃષભ, ચક્ર (ચક્રાકાર આભૂષણ), તલભંગ (હાથનું ઘરેણું), તુડા (બાહુનું ઘરેણું), હત્યિમાલગ (હસ્તમાલક), વલક્ષ (ગળાનું ઘરેણું), દીનારમાલિકા, ચન્દ્ર - સૂર્યમાલિકા, હર્ષક, કેયૂર, વલય, પ્રાલમ્બ (ઝૂમખું), અંગુલીયક (અંગૂઠી), કાંચી, ૧. બાણના હર્ષચરિતમાં કર્કરી, કલશી, અલિંજર, ઉદકુંભ અને ઘટ આ પાંચ માટીના પાત્રોનો ઉલ્લેખ છે. કર્કરીને કંટકિત કહેવામાં આવેલ છે. અહિચ્છત્રા અને હસ્તિનાપુરના ખોદકામમાંથી મળેલ ગુપ્તકાલીન પાત્રોના આધારે જાણવા મળે છે કે તેમની બહારની બાજુએ ફણસના ફળ પર ઉપસેલાં કાંટા જેવું ઘરેણું બનતું. જુઓ – વાસુદેવશરણ અગ્રવાલ, હર્ષચરિત – એક સાંસ્કૃતિક અધ્યયન, પૃ. ૧૮૦. ૨. મકરિકાનો ઉલ્લેખ બાણભટ્ટના હર્ષચરિતમાં અનેક સ્થળે આવે છે. બે મકરમુખ એકઠા કરી ફૂલ-પાંદડી સાથે બનાવવામાં આવતું આભૂષણ મકરિકા કહેવાતું – વાસુદેવશરણ અગ્રવાલ, હર્ષચરિત – એક સાંસ્કૃતિક અધ્યયન, પૃ. ૧૪. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૫૮ અંગબાહ્ય આગમો મેખલા, પયરગ (પ્રતર), પાદજાલ' (પગનું ઘરેણું), ઘંટિકા, કિંકિણી, રમણોરુજાલ (રત્નોરુજાલ), નૂપુર, ચરણમાલિકા, કનકનિકરમાલિકા. ભવન વગેરેનાં નામો પ્રાકાર, અટ્ટાલગ (અટારી), ચરિય (ગૃહ અને પ્રાકારનો વચ્ચેનો માર્ગ), દ્વાર, ગોપુર, પ્રાસાદ, આકાશતલ, મંડપ, એકશાલા (એક ઘરવાળું મકાન), દ્વિશાલા, ત્રિશાલા, ચતુઃશાલા, ગર્ભગૃહ, મોહનગૃહ, વલભીગૃહ, ચિત્રશાલા, માલક (માળવાળું મકાન), ગોલઘર, ત્રિકોણઘર, ચતુષ્કોણઘર, નંદ્યાવર્ત, પંડુરતલહર્મ્સ (જેમાં શિખર ન હોય તે), ધવલગૃહ (હિંદીમાં ધહરા), અર્ધમાગધવિભ્રમ' (?), શૈલસંસ્થિત (પર્વતના આકારનું), શૈલાર્ધસંસ્થિત, ફૂટાગાર, સુવિધિકોષ્ટક, શરણ (ઝૂંપડી વગેરે), લયન (ગુફા વગેરે), વિડંક (કપોતપાલી, મહેલના અગ્રભાગમાં કબૂતરોને રહેવાનું સ્થાન, કબૂતરખાનું), જાલવૃન્દ (ગવાક્ષસમૂહ), નિયૂહ (ખીલી અથવા બારણું), અપવરક (અંદરનો કમરો), દોવાલી (?), ચન્દ્રશાલિકા. વસ્ત્રોનાં નામો આજિનક (ચામડાનું વસ્ત્ર), ક્ષૌમ, કંબલ, દુકૂલ, કૌશેય, કૃષ્ણમૃગના ચામડાંમાંથી બનાવેલું વસ્ત્ર, પટ્ટ, ચીનાંશુક, આભરણચિત્ર (આભૂષણોથી ચીત્રિત), સહિણગકલ્લાણગ (સૂક્ષ્મ અને સુંદર વસ્ત્ર) તથા સિંધુ, દ્રવિડ, બંગ, કલિંગ વગેરે દેશોમાં બનેલાં વસ્રો.૪ મિષ્ટાન્નનાં નામો ગોળ, ખાંડ, સાકર, મત્સ્યડી (મોરસ), બિસકંદ, પર્પટમોદક, પુષ્પોત્તર, પદ્મોત્તર, ગોક્ષીરપ ૧. જંબુઢીપપ્રજ્ઞપ્તિ ટીકા (પૃ. ૧૦પ્ )માં પારિહાર્ય—વલયવિશેષ. ૨. જેમાં એક આંગણાની ચારે બાજુ ચાર કમરા અથવા ઓસરી હોય, હિંદીમાં ચૌસલ્લા. ગુપ્તકાલમાં આને સંજવન કહેવા લાગ્યા હતા – વાસુદેવશરણ અગ્રવાલ, હર્ષચરિત – એક સાંસ્કૃતિક અધ્યયન, પૃ. ૯૨. ૩. 'વૃવિશેષા:, જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ ટીકા, પૃ. ૧૦૬ અ. ૪. અહીં વસ્રોનાં બીજા પણ નામો છે જેમના વિષયમાં ટીકાકારે લખ્યું છે — શેષ સન્ત્રવાયાવસાતવ્ય તદ્દન્તોળ સમ્યક્ પાશુદ્ધેપિ તુંમશતાત્, પૃ. ૨૬૯, વસો માટે જુઓ આચારાંગ (૨-૫-૧-૩૬૪, ૩૬૮), નિશીથચૂર્ણિ (૭.૧૨ની ચૂર્ણિ, પૃ. ૩૯૯); જગદીશચન્દ્ર જૈન, જૈન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ, પૃ. ૨૦૫-૧૨. ૫. સ્થાનાંગ સૂત્ર ૧૩૫, પૃ. ૧૧૧)માં નિમ્નલિખિત ૧૮ વ્યંજનો બતાવવામાં આવ્યા છે : ૧ સૂપ, ૨ ઓદન, 3 યવાન, ૪-૬ ત્રણ પ્રકારના માંસ, Page #95 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવાભિગમ પ૯ ગામ વગેરેનાં નામો – ગ્રામ, નગર, નિગમ (જયાં ઘણાં વણિકો રહેતા હોય), ખેટ (જની ચારે બાજુ માટીનો કિલ્લો બનેલો હોય), કબૂટ (ચારે બાજુથી પર્વત વડે ઘેરાયેલ હોય), મબ (જેની ચારે બાજુ પાંચ કોશ સુધી કોઈ ગામ ન હોય), પટ્ટ (જયાં વિવિધ દેશોમાંથી માલ આવતો હોય), દ્રોણમુખ (જ્યાં મોટા ભાગે જલમાર્ગ દ્વારા અવરજવર થતી હોય), આકર (જ્યાં લોઢા વગેરેની ખાણો હોય), આશ્રમ, સંબાધ (જ્યાં યાત્રા માટે ઘણાબધા લોકો આવતા હોય), રાજધાની, સંનિવેશ (જ્યાં સાર્થો આવીને ઊતરતા હોય). રાજા વગેરેનાં નામો – રાજા, યુવરાજ, ઈશ્વર (અણિમા વગેરે આઠ ઐશ્વર્યો વડે સંપન્ન), તલવર (નગરરક્ષક, કોટવાળ), માડંબિય (મડંબનો નાયક), કૌટુંબિક (અનેક કુટુંબોનો આશ્રયદાતા રાજસેવક), ઈભ્ય (પ્રચૂર ધનનો સ્વામી), શ્રેષ્ઠી (જેના મસ્તક ઉપર દેવતાની મૂર્તિ સહિત સુવર્ણપટ્ટ બાંધવામાં આવ્યો હોય), સેનાપતિ, સાર્થવાહ (સાર્થનો નાયક"). દાસોના પ્રકાર – દાસ (આમરણ દાસ), bષ્ય (જને કોઈ કામ માટે મોકલી શકાય), શિષ્ય, ભૂતક (જે પગાર લઈ કામ કરતો હોય), ભાઈલ્લગ (ભાગીદાર), ૭-ગોરસ, ૮-જૂસ, ૯-ભક્ષ્ય (ખંડખાદ્ય), ૧૦. ગુડપમ્પટિકા, ૧૧-મૂલફલ, ૧૨-હરીતક, ૧૩-શાક, ૧૪-રસાલુ, ૧૫-સુરાપાન, ૧૬-પાનીય, ૧૭-પાનક, ૧૮-છાસથી છૂટકારેલું શાક. ૧. બૃહત્કલ્પભાષ્યવૃત્તિ (૧-૧૦૯૪) માં ઉત્તાનમલ્લકાકાર, અવાકુખ મલ્લકાકાર, સમ્પટમલ્લકાકાર, ખંડમલ્લકાકાર વગેરે અનેક પ્રકારના ગામો બતાવવામાં આવ્યા છે. ૨. જુઓ – જગદીશચન્દ્ર જૈન, જૈન આગમગ્રંથો કી મહત્ત્વપૂર્ણ શબ્દ-સૂચિયાં, નાગરીપ્રચારિણી પત્રિકા, વર્ષ ૧૯, ૩-૪, સંવત ૨૦૧૧, પૃ. ૨૯૫ વગેરે. ૩. સતુષ્ટનરપત સૌfપટ્ટાનંdશરીવશુધિરી, જંબૂદીપપ્રજ્ઞપ્તિ ટીકા, પૃ. ૧૨૨. ૪. સાર્થવાહનાં લક્ષણો : गणिमं धरिमं भेज्जं पारिच्छं चेव दव्वजायं तु । घेत्तूण लाभत्थं वच्चई जो अन्नदेसं तु । निवबहुमओ पसिद्धो दीणाणाहाणवच्छलो पंथे । સો સત્થવાદના ધો તોા સમુદ્ગ છે - ટીકા, પૃ. ૨૭૯ અ. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૬૦ કર્મક૨.૧ તહેવારોનાં નામો આવાહ (વિવાહ પહેલાં તાંબૂલ વગેરે આપવું), વિવાહ, યજ્ઞ (પ્રતિદિન ઈષ્ટદેવતાની પૂજા), શ્રાદ્ધ, થાલીપાક (ગૃહસ્થનું ધાર્મિક કૃત્ય), ચેલોપનયન (મુંડન), સીમંતોન્નયન (ગર્ભસ્થાપન), મૃતપિંડનિવેદન. Kh -- ઉત્સવોનાં નામો – ઈન્દ્રમહ, સ્કન્દમહ, રુદ્રમહ, શિવમહ, વૈશ્રમણમહ, મુકુન્દમહ, નાગમહ, યક્ષમહ, ભૂતમહ, કૂપમહ, તડાગમહ, નદીમહ, હૃદમહ, પર્વતમહ, વૃક્ષારોપણમહ, ચૈત્યમહ, સ્તૂપમહ નટ વગેરેનાં નામો નટ (બાજીગર), નર્તક, મલ્લ (પહેલવાન), મૌષ્ટિક (મુષ્ટિયુદ્ધ કરનારા), વિડમ્બક (વિદૂષક), કહગ (કથાકાર), પ્લવગ (ઉછળકૂદ કરનારા), આખ્યાયક, લાસક (રાસ ગાનારા), લંખ (વાંસ ઉપર ચડી ખેલ કરનારા), મંખ (ચિત્રો બતાવી ભિક્ષા માગનાર), તૂર વગાડનારા, વીણા વગાડનારા, કાવણ (કાવડ લઈ જનારા), માગધ, જલ્લ (દોરડા પર ચડી ખેલ કરનારા). અંગબાહ્ય આગમો -- Liddes વાહનોનાં નામો શકટ, રથ, યાન (ગાડી), જુગ્ગ (ગોલ્લ દેશમાં પ્રસિદ્ધ બે હાથના માપની ચારે બાજુ વેદીથી યુક્ત પાલખી કે જેને બે માણસો ઉપાડી લઈ જતા હોય), ગિલ્લી (હાથી ઉપરની અંબાડી જેમાં બેસવાથી માણસ નજરે પડે નહિ), થિલ્લી (લાટ દેશમાં ઘોડાના જીનને થીલ્લી કહે છે. ક્યાંક બે ખચ્ચરોની ગાડીને થિલ્લી કહેવામાં આવે છે), શિબિકા (શિખરના આકારની ઢાંકેલી પાલખી), સન્દમાની (પુરુષપ્રમાણ લાંબી પાલખી). અનર્થના કારણો – ગ્રહદંડ, ગ્રહમુશલ, ગ્રહગર્જિત (ગ્રહોના સંચારથી થતો અવાજ), ગ્રહયુદ્ધ, ગ્રહસંઘાટક (ગ્રહની જોડી), ગ્રહઅપસવ્યક (ગ્રહનું પ્રતિકૂળ થવું), અભ્ર (વાદળ), અભ્રવૃક્ષ (વાદળોનું વૃક્ષાકારમાં પરિણત થવું), સંધ્યા, ગંધર્વનગર (વાદળોનું દેવતાઓના નગર રૂપે પરિણત થવું), ગર્જિત, વિદ્યુત્, ઉલ્કાપાત, દિશાદાહ, નિર્થાત (વીજળી પડવી), પાંશુવૃષ્ટિ, યૂપક (શુક્લ પક્ષના દ્વિતીયા વગેરે ત્રણ દિવસોમાં ચંદ્રની કળા અને સંધ્યાના પ્રકાશનું મિલન), યક્ષદીપ્તક, ધૂમિકા (ધૂંધળાપણું), મહિકા (ઝાકળ), ૧. નિશીથચૂર્ણિ (૧૧.૩૬૭૬)માં ગર્ભદાસ, ક્રીતદાસ, અનુણ (ઋણ ન ચૂકવવાને કારણે બનેલ) દાસ, દુર્ભિક્ષદાસ, સાપરાધદાસ અને રુહ્લદાસ (કેદી) આટલા દાસોના ભેદ બતાવવામાં આવ્યા છે. ૨. જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ ટીકા અનુસાર ડોળી’ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૬ ૧ જીવાજીવાભિગમ રજ-ઉદ્દાત (ચારે દિશામાં ધૂળનું ફેલાઈ જવું), ચંદ્રોપરાગ (ચંદ્રગ્રહણ), સૂર્યોપરાગ (સૂર્યગ્રહણ), ચંદ્રપરિવેશ, સૂર્યપરિવેશ, પ્રતિચન્દ્ર, પ્રતિસૂર્ય, ઈન્દ્રધનુષ, ઉદકમભ્ય (ઈન્દ્રધનુષનો એક ટુકડો), કપિઉસિત (આકાશમાં અકસ્માત ભયંકર અવાજ થવો), પ્રાચીનવાત, અપ્રાચીનવાત, શુદ્ધવાત, ગ્રામદાહ, નગરદાહ વગેરે. કલહના પ્રકારો – ડિબ (પોતાના દેશમાં કલહ), ડમર (પરરાજ્ય દ્વારા ઉપદ્રવ), કલહ, બોલ, ખાર (માત્સર્ય), વૈર, વિરુદ્ધ રાજય'. યુદ્ધનાં નામો – મહાયુદ્ધ, મહાસંગ્રામ, મહાશસ્ત્રપિતન, મહાપુરુષબાણ, મહારુધિરબાણ, નાગબાણ, તામસબાણ. રોગોનાં નામ – દુર્ભત (અશિવ), કુલરોગ, ગ્રામરોગ, નગરરોગ, મંડલરોગ, શિરોવેદના, અક્ષિવેદના, કર્ણવેદના, નાસિકાવેદના, દેતવેદના, નખવેદના, કાસ (ખાંસી), શ્વાસ, જવર, દાહ, કછૂ (ખુજલી), ખસર, કોઢ, અર્શ, અજીર્ણ, ભગંદર, ઈન્દ્રગ્રહ, સ્કન્દગ્રહ, નાગગ્રહ, ભૂતગ્રહ, ઉદ્વેગ, એકાહિકા (એકાંતરા તાવ આવવો), યાણિકા (બે બે દિવસના અંતરે તાવ આવવો), ચાહિકા, ચતુર્થિકા (ચોથિયો), હૃદયશૂલ, મસ્તકશૂલ, પાર્શ્વશૂલ, કુક્ષિશૂલ, યોનિશૂલ, મારી (૧૧૧). દેવોના પ્રકારો – દેવો ચાર પ્રકારના હોય છે – ભવનવાસી, વ્યત્તર, જયોતિષી, વૈમાનિક. ભવનવાસી દસ પ્રકારના હોય છે – અસુરકુમાર, નાગકુમાર, સુપર્ણકુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર (૧૧૪-૧૨૦), વ્યંતરોના અનેક પ્રકારો છે – પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, ઝિંપુરુષ, ભુજગપતિ, મહાકાય, ગંધર્વગણ વગેરે (૧૨૧). જ્યોતિષ્ક દેવોનું વર્ણન સૂત્ર ૧૨૨માં છે. પદ્મવરવેદિકા – દ્વીપસમુદ્રોમાં જંબૂદ્વીપનું વર્ણન કરતાં તેના પ્રાકારોના મધ્ય ભાગમાં રહેલ પદ્મવરવેદિકાનું વર્ણન કરવામાં આવ્યું છે. વેદિકા નેમ (ઉમરો), પ્રતિષ્ઠાન (પાયો), થંભો, ફલગ (પાટિયા), સંધિ (સાંધા), સૂચી (નળી), કલેવર (મનુષ્યપ્રતિમા), કલેવરસંઘાટક, રૂપક (દક્ષ્યાવીનાં રૂપwifળ, જંબૂઢીપપ્રજ્ઞપ્તિટીકા, પૃ. ૨૩), રૂપકસંઘાટક, પક્ષ (પાંખ), પક્ષબાહુ (પાંખની બાજુ), વંશ (ધારણ), વંશવેલુય (નેવાં), પટ્ટિકા (પાટિયા), અવઘાટની (છાજલી) અને ઉપરિપંછની (ટટ્ટી) વડે શોભે છે. તેની ચારે બાજુ હમજાલ, કિંકિણીજાલ, મણિલાલ, પદ્મવરજાલ લટકી રહેલ છે. તેની ચારે તરફ સુવર્ણપત્ર વડે મંડિત ૧. બૃહત્કલ્પસૂત્ર અને તેના ભાષ્યમાં આ નામનું એક મહત્ત્વપૂર્ણ પ્રકરણ છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૬૨ અંગબાહ્ય આગમો તથા હાર અને અર્ધહાર વડે શોભિત સોનેરી ઝૂમખાં દેખાઈ રહ્યાં છે જે પવનથી મંદ મંદ હલવાને કારણે અવાજ કરી રહ્યાં છે. પદ્મવરવેદિકાની વચ્ચે ઘોડા, હાથી, નર, કિન્નર, કિંપુરુષ, મહોરગ, ગંધર્વ અને વૃષભના યુગ્મો બનેલાં છે. અહીં ઘોડા વગેરેની પંક્તિઓ તથા પદ્મલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, વનલતા, વાસંતીલતા, અતિમુક્તકલતા, ગુંદલતા અને શ્યામલતાનાં ચિત્રો છે. વચ્ચે વચ્ચે અક્ષય-સ્વસ્તિક બનેલા છે. વેદિકાની નીચે, ઉપર અને ચારે બાજુ અતિ સુંદર પુષ્પો શોભી રહ્યાં છે (૧૨૫). પદ્મવરવેદિકામાં બહાર એક સુંદર વનખંડ છે (૧૨૬). તેમાં અનેક વાપીઓ અને પુષ્કરિણીઓ બનેલી છે. તેમના સોપાન નેમ (ઉમરો), પ્રતિષ્ઠાન (પાયો) વગેરે યુક્ત છે અને તેમની સામે મણિમય સ્તંભો પર વિવિધ તારાઓથી ચિત તથા ઈહામૃગ, વૃષભ વગેરેથી ચિત્રિત, વિદ્યાધરોના યુગલોથી શોભિત તોરણો લટકી રહ્યાં છે. તોરણો ઉપર આઠ મંગલ સ્થાપિત છે, વિવિધ રંગની ધજાઓ લટકી રહી છે તથા છત્ર, પતાકા, ઘંટડીઓ, ચામર અને કમળ લગાવેલાં છે. વનખંડમાં આલિઘર (આલિ એક વનસ્પતિ, ટીકાકાર), માલિઘર (માલિ એક વનસ્પતિ, ટીકાકાર), કદલિઘર, લતાઘર, અચ્છણઘર (આરામ કરવાનું ઘ૨), પ્રેક્ષણધર, સ્નાનઘર, પ્રસાધનઘર, ગર્ભઘર (અંદરનું ઘર), મોહનઘર, શાલઘર (ઓસરીવાળું ધર), જાલઘર (જાળીઓવાળું ઘ૨), કુસુમધર, ચિત્રધર, ગંધર્વઘર (જ્યાં ગીત, નૃત્ય વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે) અને આદર્શઘર (આયનાઘર) વગેરે બનેલ છે. વનખંડમાં જાતિમંડપ, યૂથિકામંડપ, મલ્લિકામંડપ, નવમાલિકામંડપ, વાસંતીમંડપ, દધિવાસુકા (વનસ્પતિવિશેષ, ટીકાકાર), સૂરિલ્લિ (વનસ્પતિ, ટીકાકાર), તંબોલીમંડપ, મૃદ્દીકામંડપ, નાગલતામંડપ, અતિમુક્તકલતામંડપ, અપ્લોય (વનસ્પતિ, ટીકાકાર)મંડપ, માલુકામંડપ અને શ્યામલતામંડપ બનેલા છે. તેમાં બેસવા માટે હંસાસન, ક્રૌંચાસન, ગુડાસન, ઉન્નતઆસન, પ્રણતઆસન, દીર્ધાસન, ભદ્રાસન, પક્ષાસન, મકરાસન, વૃષભાસન, સિંહાસન, પદ્માસન અને દિશાસ્વસ્તિકઆસન બિછાવેલાં છે (૧૨૭). વિજયદ્વાર – જંબુદ્વીપના વિજય નામે દ્વારનું વર્ણન કરતાં બતાવવામાં આવ્યું છે કે તેનાં શિખરો સોનાનાં બનેલાં છે જે ઈહામૃગ, વૃષભ વગેરેના ચિત્રોથી શોભાયમાન છે. એ નેમ, પ્રતિષ્ઠાન, સ્તંભો, ઉમરો, ઈન્દ્રકીલ, દ્વારશાખા, ઉત્તરંગ, કપાટ, સંધિ, સૂચી, સમુદ્ગક, અર્ગલા, અર્ગલાપાશક, આવર્તનપીઠિકા અને ઉત્તરપાર્શ્વક યુક્ત છે. દ્વાર બંધ થઈ જતાં ઘરમાં હવા પ્રવેશ કરી શકતી Page #99 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવાભિગમ ૬૩ નથી, દ્વારની બંને બાજુ ભિત્તિગુલિકા (ચોકી) અને ગોમાણસિય (બેઠકો) બનાવેલ છે. આ દ્વાર વિવિધ રત્નોથી ખચિત શાલભંજિકાઓ વડે શોભિત છે. દ્વારની ઉ૫૨ નીચે ફૂટ (કમાન), ઉત્સેધ (શિખર), ઉલ્લોક (છત), ભૌમ (ભોંય), પક્ષ (પાંખ), પક્ષબાહ (પાંખની બાજુ), વંશ (ધારણ), વંશકવેલ્લુય (નેવાં), પટ્ટિયા (પાટિયા), અવઘાટિની (છાજલી) અને ઉપરીપુંછની (ટટ્ટી) નજરે પડે છે. દ્વાર ઉપર અનેક તિલક અને અર્ધચંદ્રક બન્યાં છે અને મણિઓની માળાઓ ટીંગાડેલી છે. બંને બાજુ ચંદનકળશ રાખવામાં આવ્યા છે. તેમાં સુગંધિત જળ ભર્યું છે અને લાલ દોરા બાંધેલા છે. બંને તરફ બે બે નાગદંત (ખીલા) લગાવેલા છે જેમાં નાની નાની ઘંટડીઓ અને માળાઓ લટકી રહી છે. એક નાગદંત ઉપર અનેક નાગદંત છે. તેના પર સિક્કક (શીકાં) લટકી રહ્યાં છે અને આ સિક્કકોમાં ધૂપઘટિકાઓ રાખવામાં આવી છે જેમાં અગર વગેરે પદાર્થો મહેકી રહ્યા છે. દ્વારની બંને બાજુ બે બે શાલભંજિકાઓ છે, તે રંગબેરંગી વસ્ત્રો અને માળાઓ પહેરેલી છે, તેમનો મધ્ય ભાગ મુષ્ટિગ્રાહ્ય છે. તેઓ પીન પયોધરવાળી છે અને તેમના કેશ કાળા છે. તેઓ પોતાના જમણા હાથ વડે અશોક વૃક્ષની ડાળી પકડી કટાક્ષપાત કરી રહી છે, એકબીજાને એવી રીતે જોઈ રહી છે કે જાણે ખિજાઈ રહી હોય. દ્વારની બંને બાજુ જાલકટક(જાળીઓ) છે અને ઘંટો લટકી રહ્યા છે. . બંને બાજુની બેઠકોમાં વનપંક્તિઓ છે જેમાં વિવિધ વૃક્ષો ઉગેલાં છે (૧૨૯)૧. વિજયદ્વારની બંને બાજુ બે પ્રકંઠક (આસન) છે અને ઉપર પ્રાસાદાવતંસક નામે પ્રાસાદ બનેલા છે. આ પ્રાસાદોમાં મણિપીઠિકાઓ બિછાવેલી છે જે સિંહાસનોથી શોભાયમાન છે. આ સિંહાસનો ચક્કલ, સિંહ, પાદ, પાદપીઠ, ગાત્ર અને સંધિઓથી યુક્ત તથા ઈહામૃગ, વૃષભ વગેરેના ચિત્રોથી શોભિત છે. સિંહાસનોની આગળ પગ રાખવા માટે પાદપીઠ છે જે મસૂરગ (મુલાયમ ગાદી) અને અત્યંત કોમળ સિંહકેશર (એક પ્રકારનું વસ્ત્ર)થી શોભે છે. તેમની ઉપર રજસ્રાણ બિછાવેલ છે અને પછી તેના પર દૂકુલ બિછાવવામાં આવેલ છે. સિંહાસનો શ્વેત વર્ણના વિજયદૂષ્યથી આચ્છાદિત છે. તેમની વચ્ચોવચ અંકુશ (ખીલી) લાગેલ છે જેના પર મોતીઓની એક મોટી માળા લટકી રહી છે અને આ માળાની ચારે બાજુ ચાર માળાઓ છે. પ્રાસાદાવતંસક અષ્ટમંગલ વગેરે વડે શોભિત છે (૧૩૦)૨. ૧. આ જ વર્ણન રાજપસેણઈયસૂત્ર (૯૮-૧૦૪)માં છે. ૨. રાયપસેણઈય (૪૨-૪૩)માં પણ આ જ વર્ણન છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૬૪ અંગબાહ્ય આગમો | વિજયદ્વારની બંને બાજુ બે બે તોરણ લટકાવેલાં છે. તેમની સામે બે બે શાલભંજિકાઓ અને નાગદતો છે; નાગદતોમાં માળાઓ લટકે છે. તોરણોની સામે હયસંઘાટક, હયપંક્તિ, પાલતા વગેરે લતાઓના ચિત્રો છે તથા ચંદનકળશ અને ઝારીઓ રાખેલ છે. પછી બે આદર્શ (દર્પણ), શુદ્ધ અને શ્વેત અક્ષતથી ભરેલા થાળ, શુદ્ધ જળ અને ફળોથી ભરેલ પાત્રી, ઔષધિ વગેરેથી પૂર્ણ સુપ્રતિષ્ઠક તથા મનોગુલિકા (આસન) અને કરંડક (પટારા) રાખેલા છે. પછી બે બે હયકંઠ (રત્નવિશેષ, ટીકાકાર) વગેરે રાખેલ છે જેના પર ઘણી બધી ટોકરીઓ છે જે પુષ્પમાળા, ચૂર્ણ, વસ્ત્ર અને આભરણોથી ભરી છે. પછી સિહાસન, છત્ર, ચામર, તેલ, કોઇ વગેરે સુગંધી પદાર્થો સજાવેલાં છે' (૧૩૧). સુધર્મા સભા – વિજયદ્વારની વિજય રાજધાનીમાં વિજય નામે દેવ રહે છે (૧૩૪-૫). વિજયની સુધર્મા સભા અનેક સ્તંભો પર પ્રતિષ્ઠિત છે અને વેદિકા વડે શોભે છે. તેમાં તોરણો લટકાવેલાં છે અને શાલભંજિકાઓ નજરે પડે છે. તેની ફર્શ મણિ અને રત્નો વડે ખચિત છે. તેમાં ઈહામૃગ વગેરેનાં ચિત્રો દોરેલાં છે અને સ્તંભો ઉપર બનેલી વેદિકાઓ વિદ્યાધરોના યુગલો વડે શોભાયમાન છે. અહીં ચંદનકળશ રાખેલાં છે, માળાઓ અને પતાકાઓ લટકાવેલી છે તથા દેવાંગનાઓ નૃત્ય કરી રહી છે (૧૩૭). સિદ્ધાયતન – સુધર્મા સભાની ઉત્તર-પૂર્વમાં સિદ્ધાયતન છે. તેની વચ્ચે એક મણિપીઠિકા છે જેના પર અનેક જિનપ્રતિમાઓ વિરાજમાન છે. તેમની પાછળ છત્ર, ચમર અને દંડધારી પ્રતિમાઓ છે. તેમની આગળ નાગ, યક્ષ, ભૂત અને કુંડધાર (આજ્ઞાધારી) પ્રતિમાઓ છે. આ પ્રતિમાઓની આગળ ઘંટ લટકી રહ્યાં છે તથા ચંદનકળશ, ભંગાર, આદર્શ, થાળ, પાત્રી, ધૂપદાન વગેરે રાખેલાં છે (૧૩૯). સિદ્ધાયતનની ઉત્તરપૂર્વમાં એક ઉપપાત-સભા છે. ત્યાં એક જળાશયની પાસે અભિષેક-સભા છે. વિજયદેવે પોતાની દેવશય્યામાંથી ઊઠી, અભિષેકસભામાં સ્નાન કરી, દિવ્ય વસ્ત્રાલંકાર ધારણ કર્યા. પછી વ્યવસાય-સભામાં પહોંચી પોતાના પુસ્તકનો સ્વાધ્યાય કર્યો (૧૪૦). પછી નંદાપુષ્કરણીમાં જઈને હાથ-પગનું પ્રક્ષાલન કર્યું તથા ભંગારમાં જળ ભરી કમળ-પુષ્પો તોડી સિદ્ધાયતનમાં પ્રવેશ કર્યો. ૧, રાયપસેણઈય (૧૦૬) માં પણ આ જ વર્ણન છે. ૨. ભરપુતની બૌદ્ધ કળામાં સુધર્મા દેવસભાનું અંકન કરવામાં આવ્યું છે – મોતીચંદ, આર્કિટેક્ટરલ ડેટા ઈન જૈન કેનનીકલ લિટરેચર, ધી જર્નલ ઓફ ધી યુ.પી.હિસ્ટોરીકલ સોસાયટી, ૧૯૪૯, પૃ. ૭૯ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬૫ જીવાજીવાભિગમ ત્યાં તેણે જિનપ્રતિમાઓને સાફ કરી ગંધોદક વડે સ્નાન કરાવ્યું, તેમને લૂછી તેમના પર ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો અને પછી તેમને દેવદૂષ્ય પહેરાવ્યાં. ત્યાર પછી તેમના પર પુષ્પો, માળા, સુગંધી દ્રવ્યો વગેરે ચડાવ્યાં અને અક્ષત દ્વારા અષ્ટમંગલ વગેરે બનાવ્યા. પછી પુષ્પોની વર્ષા કરી અને ધૂપદાનમાં ધૂપ પેટાવી જિન ભગવાનની સ્તુતિ કરી (૧૪૨). આગળ નીચેના વિષયોનું વર્ણન આવે છે – ઉત્તરકુર (૧૪૭), જંબૂવૃક્ષ (૧૫૨), જંબૂદ્વીપમાં ચન્દ્ર, સૂર્ય વગેરેની સંખ્યા (૧પ૩), લવણસમુદ્ર (૧૫૪-૧૭૩), ધાતકી ખંડ (૧૭૪), કાલોદ સમુદ્ર (૧૭૫), પુષ્કરવરદ્વીપ (૧૭૬), માનુષોત્તર પર્વત (૧૭૮), પુષ્કરોદ સમુદ્ર, વરુણવર દ્વીપ અને વરુણવર સમુદ્ર (૧૮૦), ક્ષીરવર દ્વીપ અને ક્ષીરોદ સમુદ્ર (૧૮૧), વૃતવર દ્વિીપ, વૃર્તવર સમુદ્ર, સોદવર દ્વીપ અને સોદવર સમુદ્ર (૧૮૨), નંદીશ્વર દ્વીપ (૧૮૩), નંદીશ્વરોદ સમુદ્ર (૧૮૪), અરુણદીપ, અરુણોદ સમુદ્ર, કુંડલ દ્વીપ, કુંડલ સમુદ્ર, રુચક દ્વીપ, રુચક સમુદ્ર ઈત્યાદિ (૧૮૫), લવણ આદિ સમુદ્રોના જળનો સ્વાદ (૧૮૭), લવણાદિ સમુદ્રોમાં મત્સ્ય, કચ્છપ વગેરેની સંખ્યા (૧૮૮), ચન્દ્રસૂર્ય આદિનો પરિવાર (૧૯૩-૧૯૪), ચન્દ્રાદિ વિમાનોનો આકાર અને વિસ્તાર (૧૯૭), ચન્દ્રાદિ વિમાનોના વાહક (૧૯૮), વૈમાનિક દેવો (૨૦૭-૨૨૩). ચોથી પ્રતિપત્તિ : આમાં બતાવવામાં આવ્યું છે કે સંસારી જીવો પાંચ પ્રકારના હોય છે – એકેન્દ્રિય, દ્વિન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય (૨૨૪-૨૨૫). પાંચમી પ્રતિપત્તિ : આમાં બતાવવામાં આવ્યું છે કે સંસારી જીવો છ પ્રકારના હોય છે – પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને ત્રસકાયિક. નિગોદ બે પ્રકારના હોય છે – નિગોદ અને નિગોદજીવ (૨૨૮-૨૩૯). છઠ્ઠી પ્રતિપત્તિ : આમાં બતાવવામાં આવ્યું છે કે સંસારી જીવો સાત પ્રકારના હોય છે – નૈરયિક, તિર્યંચ, તિર્યંચયોનિક, મનુષ્ય, માનુષી, દેવ અને દેવી (૨૪૦). ૧. ઘણુંખરું આ જ વર્ણન રાયપાસેણઈય (૧૨૯-૧૩૯)માં પણ મળે છે. ૨. આ સમુદ્રમાં પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામના દેવો હોવાનો ઉલ્લેખ છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૬૬ અંગબાહ્ય આગમો સાતમી પ્રતિપત્તિ : આમાં બતાવવામાં આવ્યું છે કે સંસારી જીવો આઠ પ્રકારના હોય છે – પ્રથમ સમય-નૈરયિક, અપ્રથમ સમય-નૈરયિક, પ્રથમ સમય-તિર્યંચયોનિક, અપ્રથમ સમય-તિર્યંચયોનિક, પ્રથમ સમય-મનુષ્ય, અપ્રથમ સમય-મનુષ્ય, પ્રથમ સમયદેવ અને અપ્રથમ સમય-દેવ (૨૪૧). આઠમી પ્રતિપત્તિ : આમાં બતાવવામાં આવ્યું છે કે સંસારી જીવો નવ પ્રકારના હોય છે – પૃથ્વીકાયિક, અષ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. નવમી પ્રતિપત્તિ : આમાં જીવોનું સિદ્ધ-અસિદ્ધ, સેન્દ્રિય-અનિન્દ્રિય, જ્ઞાની-અજ્ઞાની, આહારકઅનાહારક, ભાષક-અભાષક, સમ્યગ્દષ્ટિ-મિથ્યાદષ્ટિ, પરીન-અપરીત્ત, પર્યાપ્તકઅપર્યાપ્તક, સૂક્ષ્મ બાદર, સંજ્ઞી-અસંજ્ઞી, ભવસિદ્ધિક-અભવસિદ્ધિક, યોગ, વેદ, દર્શન, સંયત, અસંયત, કષાય, જ્ઞાન, શરીર, કાય, વેશ્યા, યોનિ, ઈન્દ્રિય વગેરેની અપેક્ષાએ વર્ણન કરવામાં આવ્યું છે. * * * Page #103 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકરણ પ્રજ્ઞાપના પન્નવણા અથવા પ્રજ્ઞાપના જૈન આગમોમાં ચોથું ઉપાંગ છે. તેમાં ૩૪૯ સૂત્રોમાં નિમ્નલિખિત ૩૬ પદોનું પ્રતિપાદન છે – પ્રજ્ઞાપના, સ્થાન, બહુવક્તવ્ય, સ્થિતિ, વિશેષ, વ્યુત્કાન્તિ, ઉચ્છવાસ, સંજ્ઞા, યોનિ, ચરમ, ભાષા, શરીર, પરિણામ, કષાય, ઈન્દ્રિય, પ્રયોગ, વેશ્યા, કાયસ્થિતિ, સમ્યક્ત, અંતક્રિયા,અવગાહનાસંસ્થાન, ક્રિયા, કર્મ, કર્મબંધક, કર્મવેદક, વેદબંધક, વેદવેદક, આહાર, ઉપયોગ, પશ્યત્તા-દર્શનતા, સંજ્ઞા, સંયમ, અવધિ, પ્રવિચારણા, વેદના અને સમુંદ્ઘાત. ૧. (અ) મલયગિરિવિહિત વિવરણ, રામચંદ્ર કૃત સંસ્કૃત છાયા તથા પરમાનંદર્ષિ કૃત સ્તબક - સાથે, ધનપતસિહ, બનારસ, ઈ.સ.૧૮૮૪. (આ) મલયગિરિકૃત ટીકા સાથે – આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૧૯. (૪) હિન્દી અનુવાદ સહિત – અમોલક ઋષિ, લાલા સુખદેવ સહાય જવાલા પ્રસાદ, હૈદરાબાદ, ઈ.સ. ૧૯૨૦. (ઈ) મલયગિરિવિરચિત ટીકાના ગુજરાતી અનુવાદ સાથે – ભગવાનદાસ હર્ષચન્દ્ર, જૈન સોસાયટી, અમદાવાદ, ઈ.સ. ૧૯૩૫. . () હરિભદ્ર વિહિત પ્રદેશવ્યાખ્યા સહિત –ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા તથા જૈન પુસ્તક પ્રચારક સંસ્થા, ઈ.સ. ૧૯૪૭-૪૯. (G) હિન્દી થોકડા, રોશનલાલ, અગરચંદ ભૈરોદાન સેઠિયા પારમાર્થિક સંસ્થા, બીકાનેર, ઈ.સ.૧૯૬૧-૬૨ (એ) (મૂળ) સં. પુણ્યવિજયજી, મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ઈ.સ.૧૯૭૧ (એ) (મૂળ) સં. જિનેન્દ્રવિજયગણિ, હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા, લાખાબાવળ શાન્તિપુરી, સૌરાષ્ટ્ર, ઈ.સ.૧૯૭૬ (ઓ) (મૂળ) રતનલાલ ડોશી, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના, ઈ.સ. ૧૯૮૦ (ઔ) હિન્દી અનુવાદ સહિત – મધુકર મુનિ, જ્ઞાન મુનિ, આગમ પ્રકાશન સમિતિ, વ્યાવર, ઈ.સ.૧૯૮૩ Page #104 -------------------------------------------------------------------------- ________________ ६८ અંગબાહ્ય આગમો આ પદોનું વિસ્તૃત વર્ણન ગૌતમ ઈન્દ્રભૂતિ અને મહાવીરના પ્રશ્નોત્તર રૂપે કરવામાં આવ્યું છે. જેવી રીતે અંગોમાં ભગવતીસૂત્ર તેવી જ રીતે ઉપાંગોમાં પ્રજ્ઞાપના સૌથી મોટું છે. આ ઉપાંગના કર્તા વાચકવંશીય પૂર્વધારી આર્ય શ્યામાચાર્ય છે જે સુધર્માસ્વામીની ત્રેવીસમી પેઢીએ થઈ ગયા હતા અને મહાવીરનિર્વાણના ૩૭૬ વર્ષ બાદ હયાત હતા. આના ટીકાકાર મલયગિરિ છે જેમણે હરિભદ્રસૂરિકૃત વિષમ પદોના વિવરણરૂપ લઘુટીકાના આધારે ટીકા લખી છે. આ આગમને સમવાયાંગ સૂત્રનું ઉપાંગ માનવામાં આવ્યું છે, જો કે બંનેના વિષયવસ્તુમાં કોઈ સમાનતા નથી. નંદીસૂત્રમાં પ્રજ્ઞાપનાની ગણના અંગબાહ્ય આવશ્યક વ્યતિરિક્ત ઉત્કાલિક શ્રુતમાં કરવામાં આવી છે. પ્રજ્ઞાપના પદ : પ્રજ્ઞાપના બે પ્રકારની છે – જીવપ્રજ્ઞાપના અને અજીવપ્રજ્ઞાપન (સૂત્ર ૧). અરૂપી અજીવપ્રજ્ઞાપના દસ પ્રકારની છે – ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયનો દેશ, ધર્માસ્તિકાયનો પ્રદેશ, અધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયનો દેશ, અધર્માસ્તિકાયનો પ્રદેશ, આકાશાસ્તિકાય, આકાશાસ્તિકાયનો દેશ, આકાશાસ્તિકાયનો પ્રદેશ અને અદ્ધાસમય (કાળ) (૩). રૂપી અજીવપ્રજ્ઞાપના ચાર પ્રકારની છે – સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુપુદ્ગલ (૪). એકેન્દ્રિય સંસારી જીવપ્રજ્ઞાપના પાંચ પ્રકારની છે – પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક (૧૦). બાદર પૃથ્વીકાયિક અનેક પ્રકારના છે – શુદ્ધ પૃથિવી, શર્કરા (કાંકરા), વાલુકા (રેતી), ઉપલ (નાના પત્થરો), શિલા, લવણ, ઊષ (ખાર), લોઢું, તાંબુ, જસત, સીસું, ચાંદી, સોનું, વજરત્ન, હરતાલ, હિંગુલ (હિંગળો), મણસિલ (મનસિલ), સાસગ (પારો), અંજન, પ્રવાલ, અભ્રપટલ (અબરખ), અભ્રવાલુકા અને મણિના વિવિધ પ્રકારો – આ બધા બાદર પૃથિવીકાયિક છે. ગોમેદક, રુચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મરકત, મારગલ, ભુજમોચક, ઈન્દ્રનીલ, ચંદનરત્ન, ઐરિક, હંસગર્ભ, પુલક, સૌગંધક, ચંદ્રપ્રભ, વૈડૂર્ય, જલકાંત, સૂર્યકાંત ઈત્યાદિ ખરબાદર પૃથ્વીકાયિક છે (૧૫). બાદર અપ્લાયિક જીવો અનેક પ્રકારના હોય છે – અવશ્યાય (ઝાકળ), હિમ, મહિકા (ધૂમાડો), કરક (કરા), હરતનુ (વનસ્પતિ ઉપર બાઝેલ પાણીનાં ટીપાં), શુદ્ધોદક, શીતોદક, ઉષ્ણોદક, ક્ષારોદક, ખટાશ, ઉદક, અશ્લોદક, લવણોદક, વારુણોદક (મદિરાના સ્વાદવાળું પાણી), ક્ષીરોદક, ધૃતોદક, લોદોદક ૧. ગત મદ્રસૂરિછી દિવૃવષમભાવાર્થ: | યવનવાદપિ નાતો શેન ત્રિવૃતિ: || – પ્રજ્ઞાપનાટીકા, પૃ. ૩૪૯. ૨. જુઓ – ઉત્તરાધ્યયન (૩૬.૭૩-૭૬) પણ. Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના ૬૯ (શેરડીના રસ જેવું પાણી) અને રસોદક (૧૬). બાદર તેજસ્કાયિક અનેક પ્રકારના છે – અંગાર, જવાલા, મુર્ખર (રાખમાં ભળેલાં આગના કણો), અર્ચિ (આમતેમ ઉડતી જવાળા), અલાત (સળગતું લાકડું), શુદ્ધાગ્નિ, ઉલ્કા, વિદ્યુત, અશનિ (આકાશમાંથી પડતા અગ્નિકણો), નિર્ધાત (વીજળી પડવી), ઘર્ષણથી ઉત્પન્ન થતો અને સૂર્યકાંત મણિમાંથી નીકળતો અગ્નિ (૧૭). બાદર વાયુકાયિક જીવો અનેક પ્રકારના છે – પૂર્વમાંથી વહેતો વાયુ, પશ્ચિમમાંથી વહેતો વાયુ, દક્ષિણવાયુ, ઉત્તરવાયુ, ઊર્ધ્વવાયુ, અધોવાયુ, તિર્યવાયુ, વિદિશાનો વાયુ, વાતોબ્રામ (અનવસ્થિત વાયુ), વાતોત્કલિકા (સમુદ્રની માફક વાયુના તરંગો), વાતમંડલી, ઉત્કલિકાવાત (ઘણા બધા તરંગો સાથે મિશ્ર વાયુ), મંડલિકાવાત (મંડળાકાર વાયુ), ગુંજાવાત (ગુંજારવ કરતો વાયુ), ઝંઝાવાત વૃષ્ટિ સહિત વાયુ), સંવર્તક વાયુ, તનુવાત, શુદ્ધવત (૧૮). પ્રત્યેકશરીર બાબર વનસ્પતિકાયિક ૧૨ પ્રકારના છે – વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી, પર્વગ (પર્વવાળા), તૃણ, વલય (કેળા વગેરે જેની છાલ ગોળાકાર હોય), હરિત, ઔષધિ, જલરુહ (જળમાં ઉગનારી વનસ્પતિ), કુહણા (ભૂમિસ્ફોટ) (૨૨). વૃક્ષ બે પ્રકારનાં હોય છે – એકબીજવાળા અને અનેકબીજવાળા. એકબીજવાળામાં લીમડો, આંબો, જાંબુડી, કોશાગ્ર (જંગલી આંબો), શાલ, અંકોલ (પિસ્તાનું ઝાડ), પીલુડી, સેલુ શ્લેષ્માતક-કુંવારપાઠું), સલ્લકી, મોચકી, માલુક, બકુલ (બોરસલી), પલાશ (કેસૂડો), કરંજ, પુત્રજીવક, અરિષ્ટ (અરીઠો), બિભતક (બહેડો), હરિતક (હરડે), ભિલાવા (ભિલામો), ઉંબેભરિકા, ક્ષીરિણી, ધાતકી (ધાવડી), પ્રિયાલ, પૂતિબિંબકરંજ, સુર્ણા (શ્લષ્ણા), સીસમ, અસન (બીજક), પુન્નાગ (નાગકેસર), નાગવૃક્ષ, પર્ણી, અશોક (૩૧-૩૨). અનેકબીજવાળા વૃક્ષોમાં અસ્થિક, હિંદુક (ટિંબર), કપિત્થક (કોઠ), અંબાડક, માતુલિંગ (બીજોરાનું વૃક્ષ), બિલ્વ (બીલી), આમ્રાતક (આંબળા), ફણસ, દાડમી, અશ્વત્થ (પીપળો), ઉદુમ્બર (ઉમરો), વટ (વડ), ન્યગ્રોધ, નક્ટિવૃક્ષ, સાયરી (શતાવરી), પ્લેક્ષ, કાકોદુબરી, કુસુંબરી (કોથમીર), દેવદાલી, તિલક, લકુચ (તૃણવિશેષ), છત્રૌઘ, શિરીષ, સપ્તપર્ણ, દલિપર્ણ, લોધ, ધવ, ચંદન, અર્જુન, નીપ, કુટજ, કદંબ (૨૩). ૧. દસ ભવનવાસીઓના દસ ચૈત્યવૃક્ષો નીચે પ્રમાણે છે – આસત્ય, સત્તિવત્ર, સામલિ, ઉંબર, સિરીસ, દહિવત્ર, વંજુલ, પલાસ, વણ્ય, કણિયાર (સ્થાનાંગ, પૃ. ૬ ૧ અ. આઠ એ.આ- ૭. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૭૦ અંગબાહ્ય આગમો ગુચ્છ અનેક પ્રકારના છે – વાઇંગણિ (વંગણ), સત્યકી, થંડકી, કચ્છની (કપિકચ્છ, કેવાંચ-પાઇઅસ૬મહણવ), જાતુમણા (જયા), રૂપી, આઢકી, નીલી, તુલસી, માતુલિંગી, કુડુમ્બરી (કોથમીર), પિપ્પલિકા (પીપળ), અલસી, વલ્લી, કાકમાચી, લુચ્ચ (?), પટોલકંદલી, વિઉવા, વત્થલ, બદર (બોર), પત્તરિ, સીયઉર, જવસય (જવાસો), નિર્ગુન્ડી, અત્થઈ, તલઉડા, સન (શણ), પાણ, કાસમદ, અબ્બાડગ (અપામાર્ગ, અધેડો), શ્યામા, સિંદુવાર (નિર્ગુડી), કરમદ્ (કરમદા), અદરૂસગ (અરડૂસી), કરીર, ઐરાવણ, મહિલ્થ, જાઉલગ, માલગ, પરિલી, ગજમારિણી, કુવ્વકારિયા, ભંડી (મજીઠ), જીવંતી (ડોડી), કેતકી (કેવડો), ગંજ, પાટલા, દાસી, અંકોલ (૨૩). ગુલ્મ અનેક પ્રકારના હોય છે – સૈરિયક, નવમાલિકા, કોટક, બંધુજીવક (બપોરિયો), મનોજ્ઞ, પિઇય, પાણ, કણેર, કુન્શક (સફેદ ગુલાબ), સિંદુવાર, જાતી, મોગરો, જૂહી, મલ્લિકા, વાસંતી, વત્થલ, કલ્પલ, સેવાલ, ગ્રન્થી, મૃગદંતિકા, ચંપકજાતિ, નવણીયા, કુંદ, મહાજાતિ (૨૩). લતાઓ અનેક પ્રકારની હોય છે – પદ્મલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, ચૂતલતા, વનલતા, વાસંતીલતા, અતિમુક્તકલતા, કુંદલતા, શ્યામલતા (૨૩). વલ્લીઓ અનેક પ્રકારની હોય છે – પૂસફલી, કાલિંગી (જંગલી તરબૂચની વેલ), તુંબી, ત્રપુષી (કાકડી), એલવાલુંકી (ચિર્ભટ, એક પ્રકારની કાકડી), ઘોષાતકી, પંડોલા, પંચાંગુલિકા, નીલી, કંગૂયા, કંડુઇયા, કઠુઈયા, કંકોડી, કારિયલઈ (કારેલી), કુયધાય, વાગુલીયા, પાવવલ્લી, દેવદાલી, આમ્હોતા, અતિમુક્તક, નાગલતા, કૃષ્ણા, સૂરવલ્લી (સૂરજમુખીની વેલ), સંઘટ્ટા, સુમણસા, જાસુવણ, કુવિંદવલ્લી, મૃદ્ધીકા (દ્રાક્ષની વેલી), અંબાવલ્લી, ક્ષીરવિદારિકા, જયન્તી, ગોપાલી, પાણી, માસાવલ્લી, ગુંજાવલ્લી, વચ્છાણી (વત્સાદની, ગજપીપળી), શશબિંદૂ, ગોત્રસ્પર્શિકા, ગિરિકર્ણિકા, માલુકા, અંજનકી, દધિપુષ્પિકા, કાકણી, મોગલી, અબોદિ (૨૩). પર્વ (પર્વ–ગાંઠવાળા)-ઇક્ષુ, ઈશુવાટિકા, વીરણ, ઇક્કડ, માસ, સુષ્ઠ, શર, વેત્ર (નેતર), તિમિર, શતપોરક, નલ (એક પ્રકારનું ઘાસ), વાંસ, વેલૂ (વાંસનો એક પ્રકાર), કનક (વાંસનો પ્રકાર), કર્કવંશ, ચાપવંશ, ઉદક, કડક, વિમત (અથવા વિસય), કંડાવેણુ, કલ્યાણ (૨૩). વ્યંતરોના ચૈત્યવૃક્ષો નીચે પ્રમાણે છે – કલબ (પિશાચ), વટ (યક્ષ), તુલસી (ભૂત), કંડક (રાક્ષસ), અશોક (કિન્નર), ચંપા (ઝિંપુરષ), નાગ (ભુજંગ–મહોરગ), તેંદુઅ (ગંધર્વ). Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના ૭૧ તૃણ – સેડિય, ભંતિય, હોંતિય, દર્ભ, કુશ, પવય, પોડઇલ, અર્જુન, આષાઢક, રોહિતાંશ, સુય, વય, ક્ષીર, ભુસ, એરંડ,કુરુવિઢ, કરકર, મુઢ,વિભંગુ, મધુરતૃણ,પુર, સિપ્રિય, સંકલીતૃણ (૨૩). વલય-તાલ, તમાલ, તકલિ, તોયલી, સાલી, સારકલ્લાણ, સરલ(ચીડ),જાવતી, કેતકી, કેલ, ધર્મવૃક્ષ, ભુજવૃક્ષ (ભોજપત્રવૃક્ષ),હિંગુવૃક્ષ, લવંગવૃક્ષ, પૂગફલી (સોપારી), ખજૂરી, નાલિકેરી (નાળિયેરી) (૨૩). - હરિત – અજ્જોરુહ, વોડાણ, હરિતક, તંદુલેજ્જગ, વત્થલ, પોરગ, મજ્જારય, બિલ્લી, પાલક, દકપિપ્પલી (જળપીપળી), દર્વી, સ્વસ્તિક, સાય, મંડૂકી, મૂલગ, સરસવ, અંબીલ, સાએય, જિયંતય (જીવંતક, માળવામાં પ્રસિદ્ધ જીવશાક), તુલસી, કૃષ્ણા, ઉરાલ, ફણિક, અર્જક, ભૂજનક, ચોરક, દમનક, મરવા, શતપુષ્પ, ઇંદીવર (૨૩). ઔષધીઓ–શાલિ, વ્રીહિ, ગોધૂમ(ઘઉં), જો (જવ),જવજવ(એકપ્રકારના જવ), કલાય (વટાણા), મસૂર, તિલ (તલ), મૂંગ (મગ), માજ (અડદ), નિષ્પાવ, કુલથી (કળથી), આલિસંદ,સડિણ(અરહર),પલિમંથ(ચણા),અલસી,કસુંભ(કસુંબો), કોદ્રવ (કોદરી), કંગૂ(કાંગ), રાગ, વરદ, સામ, કોદૂસ (કોરદૂષક), સન (શણ), સરસવ, મૂળાના બીજ (૨૩). જલહઉદક, અબક,પનક, સેવાલ, કલંબુય, હઢ, કચેરુ(કચેરુ), કચ્છ, ભાણી, ઉત્પલ,પા, કુમુદ, નલિન, સુભગ, સુગંધિત,પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર,સહમ્રપત્ર, કલ્હાર, કોકનદ, તામરસ, બિસ, બિસમૃણાલ, પુષ્કર, સ્થલજપુષ્કર (૨૩). કુહણ-આય,કાય,કુહણ, કુણક, દબૃહલિય, સપ્લાય, સજઝાય,છત્રૌક, વંસી, સહિય, કરય(૨૩). સાધારણશરીરબાદરવનસ્પતિકાયિકજીવો–અબક, પનક, સેવાલ રોહિણી,થીQ, થિભગા, અશ્વકર્ણી,સિહકર્મી,સિઉંઢી, મુસુંઢિ,૨૨, કુંડરિકા, ભીરુ,ક્ષીરવિદારિકા,ટ્ટિી, હરિદ્રા (હળદર), શૃંગબેર (આદુ), આલુ, મૂલગ, કંબૂયા, કઝુકડ, મહુપોવલઇ (?), મધુશ્રુંગી, નીરુહ, સર્પસુગંધ, છિન્નરુહ, બીજરુહ, પાઢા, મૃગવલુંકી મધુરરસા, રાજવલ્લી, પદ્મા, માઢરી, દેતી, ચંડી, માષપર્ટી, મૃગપર્ણી, જીવક, ઋભિક, રેણુકા, કાકોલી, ક્ષીરકાકોલી, ભંગી, કૃમિરાશિ,ભદ્રમુસ્તા(મોથ),સંગલઇ, પેલુગા,કૃષ્ણ,પડલ, હઢ(જળવનસ્પતિ), હરતનુક, લોયાણી, કૃષ્ણકંદ,વજકંદ, સૂરણકંદ, ખલૂટ (૨૪). ૧. આ નામો માટે જીવાજીવાભિગમ (સૂત્ર ૨૧) તથા ઉત્તરાધ્યયન (૩૬.૯૬-૯૯) પણ જોવા જોઈએ. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭ર અંગબાહ્ય આગમો દ્વીન્દ્રિય જીવો – પુલકિમિય (ગુદામાં ઉત્પન્ન થતાં કૃમિ), કુક્ષિકૃમિ (પેટના કૃમિ), ગંડૂલગ ( ? ), ગોલોમ, સેલર, સોમંગલગ, વંસીમુહ, સૂચિમુખ, ગોજલૌકા, જલૌકા, જાલાઉય, શંખ, શંખનક (નાના શંખ), ઘુલ્લ, ખુલ્લ (સુદ્ર), ગુલય, બંધ, વરાટ (કોડી), શૌક્તિક, મૌક્તિક, કલુયાવાસ, એકતઃ આવર્ત, દ્વિધા આવર્ત, નંદિયાવર, અંબુક (શબુક), માતૃવાહ, સીપી, ચંદનક, સમુદ્રલિક્ષ (૨૭). ત્રીન્દ્રિય – ઔપયિક, રોહિણિય, કુંથુ, પિપીલિકા (કીડી), ઉર્દૂસગ (ડાંસ), ઉદ્દેહિય (ઉધઈ), ઉક્કલિયા, ઉપ્પાય (ઉત્પાદ), ઉપ્પાડ (ઉત્પાદક), તણાહાર (તૃણાહાર), કક્કાહાર (કાષ્ઠાહાર), માલુકા, પન્નાહાર, તણબેંટિય, પુફબેંટિય, ફલબૅટિય, બીજબેંટિય, તેવુરણમિજિય, તઓસિમિજિય, કમ્બાસઢિમિજિય, હિલ્લિય, ઝિલિય, ઝિગિર, કિંગિરિડ, બાય, લહુય, સુભગ, સૌવસ્તિક, સુયબૅટ, ઇંદકાયિક, ઇંદગોવય (ઇન્દ્રગોપ), તુરતુંબગ, કચ્છવાહગ (અથવા કોત્થવાહગ), જૂય (), હાલાહલ, પિસુય, સયવાઇય (શતપાદિકા), ગોમડી (કાનખજૂરો), હત્થિસૌંડર (૨૮). ચતુરિન્દ્રિય – અંધિય, પત્તિય, મછિય, મશક (મચ્છ૨), કીટ, પતંગ, ઢેકુણ (માંકડ), કુક્કડ, કુક્ત, નંદાવર્ત, સિંગિરડ (ઉત્તરાધ્યયનમાં ભિગિરીડી), કૃષ્ણપત્ર, નીલપત્ર, લોહિતપત્ર, હારિદ્રપત્ર, શુક્લપત્ર, ચિત્રપક્ષ, વિચિત્રપક્ષ, ઓહંજલિય, જલચારિકા, ગંભીર, ફીણિય, તંતવ, અચ્છિરોડ, અક્ષિવેધ, સારંગ, નેઉર, દોલ, ભ્રમર, ભરિલી, જરુલ, તોટ્ટ, વિષ્ણુ (વીંછી), પત્રવિષ્ણુ, છાણવિષ્ણુ, જલવિછૂ, પિયંગાલ (અથવા સેઇંગાલ), કણગ ગોમય-કીડા (છાણના કીડા) (૨૯). પંચેન્દ્રિય જીવ ચાર પ્રકારના હોય છે – નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવ (૩૦). તિર્યંચ ત્રણ પ્રકારના હોય છે – જલચર, થલચર અને નભચર (૩૨). જલચર – મત્સ્ય, કચ્છપ, ગ્રાહ, મગર અને સુસુમાર. મગર સહમચ્છ (શ્લષ્ણમસ્ય), ખવલ્લમસ્ય, જુંગમસ્ય, વિજઝડિયમસ્ય, હલિમસ્ય, મગરિમભ્ય (મગરમચ્છ), રોહિતમસ્ય, હલીસાગર, ગાગર, વડ, વડગર, ગર્ભય, સિગાર, તિમિ, ૧. જુઓ – ઉત્તરાધ્યયન (૩૬.૧૨૮-૯) પણ. ૨. જુઓ – એજન (૩૬.૧૩૭૯) પણ. ૩. જુઓ – એજન, ૩૬. ૧૪-૮ , Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાાપના તિમિંગલ, હક્ક (મગર), તંદુલમસ્ય, કણિકામસ્ય, સાલિ, સ્વસ્તિકમસ્ય, લંભનમસ્ય, પતાકા, પતાકાતિપતાકા. કચ્છ૫– અસ્થિકચ્છપ, માંસક૭૫. ગ્રાહ - દિલી, વેઢગ (વષ્ટક), મુદ્રય (પૂર્વજ), પુલક, સીમાકાર. મગર – સોંડમગર, મઢમગર (૩૩). થલચર જીવો ચાર પ્રકારના હોય છે – એકખુર, દ્વિખુર, ગંડીપદ અને સનખપદ (નખયુક્ત પગવાળા). એકપુર – અશ્વ, અશ્વતર (ખચ્ચર), ઘોડો, ગર્દભ, ગોરક્ષર, કંદલગ, શ્રીકંદલગ, આવર્તગ. બે ખરીવાળા – ઊંટ, ગાય, ગવય, રોઝ, પય, મહિષ, મૃગ, સંબર, વરાહ, બકરી, વરુ, ૨૩, શરભ, ચમર, કુરંગ, ગોકર્ણ, ગંડીપદ – હસ્તી, હસ્તીપૂયણગ, મંકુણહસ્તી, ખગી (ગુંડાની જાત). સનખપદ – સિંહ, વ્યાધ્ર, દ્વીપી, અચ્છ (રીંછ), તરસ, પરસ્ટર (સરમ:, ટીકાકાર), ગીદડ, બિડાલ (બિલાડી), કૂતરો, કૌલશુનક', કોકતિય (ત્રોન , ટીકાકાર), સસગ (સસલું), ચિત્તગ (ચિત્તો), ચિલલ્લગ (૩૪). ઉરપરિસર્પ ચાર પ્રકારના હોય છે – અહિ, અજગર, આસાલિકા, મહોરગ. અહિ બે પ્રકારના હોય છે – દર્વાકર (ફણધારી સાપ) અને મુકુલી (ફેણરહિત). દર્પીકર – આશીવિષ, દૃષ્ટિવિષ, ઉગ્રવિષ, ભોગવિષ, ત્વચાવિષ, લાલાવિષ, ઉચ્છવાસવિષ, નિઃશ્વાસવિષ, કૃષ્ણસર્પ, જેતસર્પ, કાકોદર, દગ્ધપુષ્પ, કોલાહ, મેલિમિંદ, શેષેન્દ્ર. મુકુલી – દિવ્યાગ, ગોણસ, કસાહીય, વઈઉલ, ચિત્તલી, મંડલી, માલી, અહિ, અહિસલાગ, વાસપતાકા (૩૫). ભૂજપરિસર્પ અનેક પ્રકારના છે – નકુલ, સેહ, સરડ (શરટ), શલ્ય, સરંઠ, સાર, ખોર, ઘરોઇલ (ગરોળી), વિસ્તૃભર, મૂષક, મંગુસ, પલાઇલ (પ્રચલાયિત), ક્ષીરવિરાલિય, જોહ, ચતુષ્પાદિક (૩૫). નભચર ચાર પ્રકારના હોય છે – ચર્મપક્ષી, લોમપક્ષી, સમુદગક પક્ષી અને વિતતપક્ષી. શર્મપક્ષી – વાગુલી, જલોય, અડિલ્ય, ભારંડ પક્ષી, જીવંજીવ, સમુદ્રવાસ, કચ્છત્તિય, પક્ષીવિરાલિક. લોમપક્ષી – ઢંક, કંક, કુરલ, વાયસ, ચક્રવાક, હંસ, કલહંસ, રાજહંસ, પાયહંસ, આડ, સેડી, બક (બગલો), બલાકા (બગલાની એક જાત), પારિપ્લવ, ક્રૌંચ, સારસ, મેસર, મસૂર, મયૂર, સહસ્ત, ગહર, પુંડરીક, કાક, કામિંજુય, વંજુલગ, તેતર, વગ (બતક), લાવક, કપોત, ૧. માશુક–જબૂઢીપદ્મશમિ ટીકા. ૨. સોમટો: જે સારી છે એ વં નિ – જંબૂઢીપપ્રજ્ઞપ્તિ ટીકા, પૃ. ૧૨૩ અ. Page #110 -------------------------------------------------------------------------- ________________ અંગબાહ્ય આગમો ૭૪ કપિંજલ, પારાવત, ચટક (ચકલી), ચાસ, કુક્કડ (ફૂકડો), શુક, બીં (મયૂર), મદનશલાકા, કોયલ, સેહ, વરિલ્લગ (૩૫). મનુષ્ય ત્રણ પ્રકારના હોય છે – કર્મભૂમક, અકર્મભૂમક અને અન્તરદ્વીપક. અન્તરદ્વીપક – એકોરુક, આભાસિક, વૈષાણિક, નાંગોલિક, હયકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ, શબ્દુલીકર્ણ, આદર્શમુખ, મેંઢમુખ, અયોમુખ, ગોમુખ, અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ, વ્યાઘ્રમુખ, અશ્વકર્ણ, હરિકર્ણ, આકર્ણ, કર્ણપ્રાવરણ, ઉલ્કામુખ, મેઘમુખ, વિદ્યુત્સુખ, વિદ્યુદ્ઘન્ત, ઘનદંત, લષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત (૩૬). અકર્મભૂમક ત્રીસ હોય છે પાંચ રમ્યકવર્ષ, પાંચ દેવકુરુ, કર્મભૂમક પંદર હોય છે પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહ. તે બે પ્રકારના હોય છે આર્ય અને મ્લેચ્છ. મ્લેચ્છ શક, યવન, ચિલાત (કિરાત), શબર, બર્બર, મુરુડ, ઉડ્ડ (ઓડ્ર), ભડગ, નિÇગ, પક્કણિય, કુલક્ખ, ગોંડ, સિંહલ, પારસ, ગોધ, કોંચ, અંધ, દમિલ (દ્રવિડ), ચિલ્લલ, પુલિંદ, હારોસ, ડોંબ, બોક્કણ, ગંધહારગ (?), બહલીક, અજઝલ (જલ?), રોમપાસ (?), બકુશ, મલય, બંધુય, સૂયલ, કોંણગ, મેય, પદ્ધવ, માલવ, મગર, આભાસિય, અણખ્ખુ, ચીણ, લાસિક, ખસ, ખાસિય, નેહુર, મોંઢ, ડોંબિલગ, લઓસ, પઓસ, કેકય, અક્બાગ, હૂણ, રોમક, રુરુ, મય વગેરે (૩૭). ― પાંચ હૈમવત, પાંચ હિરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ ઉત્તરકુરુ (૩૬). - ---- આર્ય બે પ્રકારના હોય છે ઋદ્ધિપ્રાપ્ત અને અવૃદ્ધિપ્રાપ્ત. ઋદ્ધિપ્રાપ્ત અરહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણ અને વિદ્યાધર. અમૃદ્ધિપ્રાપ્ત નવ - ૧. જીવોના ઉક્ત ભેદ-પ્રભેદોનું વર્ણન જીવાજીવાભિગમ (સૂત્ર ૧૫, ૧૭, ૨૦, ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૫, ૩૬, ૩૮, ૩૯)માં પણ કરવામાં આવ્યું છે. આ નામોમાં અનેક પાઠભેદો છે અને ટીકાકારે ઘણા શબ્દોની વ્યાખ્યા ન કરતાં માત્ર ‘સંપ્રદાયગમ્ય' કહેલ છે. શોધ કરવામાં આવે તો ઘણાં શબ્દોનો પત્તો લાગી શકે. ૨. અનાર્ય જાતિઓની યાદી માટે જુઓ પ્રશ્નવ્યાકરણ, પૃ. ૧૩; ભગવતી, પૃ. ૫૩ (૫. બેચરદાસ); ઉત્તરાધ્યયન ટીકા, પૃ. ૧૬૧ અ; પ્રવચનસારોદ્ધાર, પૃ. ૪૪૫. આ યાદીમાં પણ અશુદ્ધ પાઠો છે. જુઓ – જગદીશચન્દ્ર જૈન, લાઈફ ઈન એન્સિયન્ટ ઈન્ડિયા, પૃ. ૩૫૮-૬૬. ૩. અરહંત, ચક્રવર્તી અને બલદેવના વિષયમાં કહેવામાં આવ્યું છે કે તેઓ તુચ્છ, દરિદ્ર, કૃષ્ણ, ભિક્ષુક અને બ્રાહ્મણ કુળોમાં જન્મ ધારણ નથી કરતા; ઉગ્ર, ભોગ, રાજન્ય, ઇક્ષ્વાકુ, ક્ષત્રિય, હરિવંશ વગેરે વિશુદ્ધ કુળોમાં જ જન્મે છે કલ્પસૂત્ર, ૨૫. Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના ૭૫ પ્રકારના હોય છે – ક્ષેત્રાર્ય, જાત્યાય, કુલાર્ય, કર્માર્ય, શિલ્પાર્ય, ભાષાર્ય, જ્ઞાનાર્ય, દર્શનાર્ય અને ચારિત્રાર્ય. ક્ષેત્રાર્ય સાડી પચ્ચીસ (૨૫ ૧) દેશના માનવામાં આવ્યા છે – જનપદ રાજધાની ૧ મગધ રાજગૃહ ૨ અંગ ચંપા ૩ બંગ તાપ્રલિપ્તિ ૪ કલિંગ કાંચનપુર ૫ કાશી વારાણસી ૬ કોશલ સાક્ત ગજપુર ૮ કુશાવર્ત શૌરિપુર ૯ પાંચાલ કાંપિલ્યપુર ૧૦ જાંગલ અહિચ્છત્રા ૧૧ સૌરાષ્ટ્ર દ્વારવતી ૧૨ વિદેહ મિથિલા ૧૩ વત્સ કૌશાંબી ૧૪ શાંડિલ્ય નંદિપુર ૧૫ મલય ભદ્રિલપુર ૧૬ મત્સ્ય વૈરાટ ૧૭ વરણા અચ્છા ૧૮ દશાર્ણ મૃત્તિકાવતી ૧૯ ચેદિ શુક્તિ ૨૦ સિંધુ-સૌવીર વીતિભય ૨૧ શૂરસેન મથુરા ૨૨ ભંગિ પાપા ૨૩ વટ્ટા (?) માસપુરી () ૨૪ કુણાલ શ્રાવસ્તી. ૨૫ લાઢ કોટિવર્ષ ૧. આ સ્થળોની ઓળખાણ માટે જુઓ – જગદીશચન્દ્ર જૈન, લાઈફ ઈન એન્સિયન્ટ ઈન્ડિયા, પૃ. ૨૫૦ વગેરે તથા ભારત કે પ્રાચીન જૈન તીર્થ. Page #112 -------------------------------------------------------------------------- ________________ અંગબાહ્ય આગમો ૨૫', કેકથી અર્થ વ્યંતિકા જાત્યાય – અંબઇ, કલિંદ, વિદેહ, વેદન, હરિત, ચુંચુણ (અથવા તંતુણ) કુલાર્ક – ઉગ્ર, ભોગ, રાજન્ય, ઈક્વાકુ, જ્ઞાન, કૌરવ્ય”. કર્માર્ય – દૌષ્ટિક (કપડા વેચનાર), સૌત્રિક (સૂતર વેચનારા), કાર્યાસિક (કપાસ વેચનારા), સૂત્રવૈકાલિક, ભાંડવૈકાલિક, કોલાલિય (કુંભાર), નરવાહનિક (પાલખી વગેરે ઉપાડનારા). શિલ્પાર્ક – તુન્નાગ (રજૂ કરનારા), તન્તવાય (વણકર), પટ્ટકાર (પટવા), દેયડા (દતિકાર, મશક બનાવનારા), વરુટ (પીંછી બનાવનારા), છવિય (ચટાઈ વગેરે વણનારા), કાષ્ઠપાદુકાકાર (ચાખડી બનાવનાર), મુંજપાદુકાકાર, છત્રકાર, ૧. મહાવીરના સમયમાં સાકેતની પૂર્વમાં અંગ-મગધ, દક્ષિણમાં કૌશામ્બી, પશ્ચિમમાં પૂણા અને ઉત્તરમાં કુણાલા સુધી જૈન શ્રમણોને વિહાર કરવાની છૂટ હતી. ત્યારપછી રાજ સમ્મતિએ પોતાના ભટ વગેરે મોકલીને ૨૫ , દેશોને શ્રમણોના વિહાર માટે યોગ્ય બનાવ્યા. જુઓ – બૃહત્કલ્પભાષ્ય, ગા. ૩૨૬૨. ૨. બ્રાહ્મણ પુરુષ અને વૈશ્ય સ્ત્રીથી પેદા થયેલ સંતાનને અંબઇ કહેલ છે. જુઓ – મનુસ્મૃતિ તથા આચારાંગ નિર્યુક્તિ (૨૦-૨૭) ૩. વૈશ્ય પુરુષ અને બ્રાહ્મણ સ્ત્રીથી પેદા થયેલ સંતાનને વૈદેહ કહેલ છે. જુઓ – મનુસ્મૃતિ તથા આચારાંગ નિર્યુક્તિ (૨૦-૨૭) ૪. ઉમાસ્વાતિના તત્વાર્થભાષ્ય (૩.૧૫)માં ઈક્વાકુ, વિદેહ, હરિ, અંબઇ, જ્ઞાતિ, કુર, બબુનાલ (?), ઉગ્ર, ભોગ, રાજન્ય વગેરેની ગણના જાતિઆર્યમાં કરવામાં આવી છે. શ્વપચ, પાણ, ડોંબ વગેરેને જૈન ગ્રન્થોમાં જાતિજુગિત કહ્યા છે. ૫. ક્ષત્રિય પુરુષ અને શૂદ્ર સ્ત્રીથી જન્મેલ સંતાનને ઉગ્ર કહેલ છે. જુઓ – મનુસ્મૃતિ તથા આચારાંગ નિર્યુક્તિ ૬. તત્ત્વાર્થભાવ્ય (૩.૧૫)માં કુલકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ વગેરેની ગણના કુલઆર્યમાં કરવામાં આવી છે. અનુયોગદ્વારસૂત્ર (પૃ. ૧૩૬૮)માં તૃણહારક, કાષ્ઠહારક અને પત્રકારની ગણના પણ કરેલ છે. તત્ત્વાર્થભાષ્ય (૩.૧૫)માં યજન, યાજન, અધ્યયન, અધ્યાપન, પ્રયોગ, કૃષિ, લિપિ, વાણિજય, યોનિપોષણ વડે આજીવિકા ચલાવનારાઓને કર્મઆર્યમાં ગણ્યા છે. ઉત્તરકાલીન જૈન ગ્રંથોમાં મયૂર પોષક, નટ, માછીમાર, ધોબી વગેરેને કર્મજુગિત કહ્યા છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના ૭૭ વાર (વાહન બનાવનારા), પોત્થકાર (પૂંછડામાંથી સાવરણી બનાવનાર અથવા માટીના પૂતળા બનાવનાર), લેપ્યકાર, ચિત્રકાર, શંખકાર, દંતકાર, ભાંડકાર, જિઝગાર (?), સેલ્લગાર (ભાલા બનાવનારા), કોડિગાર (કોડીઓની માળા વગેરે બનાવનારા).૧ ભાષાર્ય અર્ધમાગધી ભાષા બોલનારા. બ્રાહ્મી લિપિના લખવાના પ્રકારો બ્રહ્મી, યવનાની, દોસાપુરિયા, ખરોષ્ટ્રી, — ૧. અનુયોગદ્વારસૂત્રમાં કુંભકાર, ચિત્તગાર, છંતિક્ક (કપડા સીવનાર), કમ્મગાર, કાસવ (હજામ)ની પાંચ મૂળ શિલ્પકારોમાં ગણના કરવામાં આવી છે. જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ (પૃ.૧૯૩)માં નવ નારુમાં કુંભાર, પટેલ, સોની, સૂપકાર, ગન્ધર્વ, હજામ, માળી, કાછિયા, તંબોળી તથા નવ કારુમાં ચમાર, કોલુ વગેરે ચલાવનાર, ધાંચી, છીપા, કંસારા, દરજી, ગુઆર (ગોવાળ), ભીલ અને ધીવરની ગણના કરવામાં આવી છે. ઉત્તરકાલવર્તી જૈન ગ્રન્થોમાં ચમાર, ધોબી અને હજામ વગેરેને શિલ્પજુંગિત કહ્યા છે. ૨. જૈન પરંપરા અનુસાર ઋષભદેવે પોતાના જમણા હાથથી આ લિપિ પોતાની પુત્રી બ્રાહ્મીને શિખવાડી હતી, એટલા માટે તેનું નામ બ્રાહ્મી પડ્યું (આવશ્યક ચૂર્ણિ, પૃ. ૧૫૬). ભગવતીસૂત્ર (પૃ. ૭)માં ‘ણમો બંભીએ લિવીએ' કહીને બ્રાહ્મી લિપિને નમસ્કાર કરવામાં આવેલ છે. આથી જણાય છે કે જૈન આગમો પહેલાં આ જ લિપિમાં લખાયાં હશે. આ લિપિમાં ઋ, ૠ, લૂ, લ અને ળ છોડીને ૪૬ મૂળાક્ષર (માઉયક્ખર) બતાવવામાં આવ્યા છે (સમવાયાંગ, પૃ. ૫૭ ). ઈ.સ.પૂર્વે ૫૦૦-૩૦૦ સુધી ભારતની સમસ્ત લિપિઓ બ્રાહ્મી નામથી ઓળખાતી હતી (મુનિ પુણ્યવિજય, ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા). ૩. આ લિપિ ઈ.સ.પૂર્વે પાંચમી શતાબ્દીમાં અરમઈક લિપિમાંથી નીકળી છે (મુનિ પુણ્યવિજય, એજન, પૃ.૮). લલિતવિસ્તર (પૃ. ૧૨૫ વગેરે)માં ૬૪ લિપિઓનો ઉલ્લેખ છે જેમાં બ્રાહ્મી અને ખરોષ્ટ્રી એ બે મુખ્ય લિપિઓ ગણવામાં આવી છે. બ્રાહ્મી ડાબીથી જમણી બાજુ અને ખરોષ્ટ્રી જમણીથી ડાબી બાજુ લખાતી હતી. ખરોષ્ટ્રી લિપિ લગભગ ઈ.સ.પૂર્વે ૫૦૦માં ગંધાર દેશમાં પ્રચલિત હતી. આગળ જતાં આ લિપિનું સ્થાન બ્રાહ્મી લિપિએ લઈ લીધું. આ જ લિપિમાંથી આજકાલ નાગરી લિપિના અક્ષરોનો વિકાસ થયો છે. અશોકના લેખો આ જ લિપિમાં લખાયા છે. જુઓ – ડૉ. ગૌરીશંકર ઓઝા, ભારતીય પ્રાચીન લિપિમાલા, પૃ. ૧૭-૩૬. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૭૮ અંગબાહ્ય આગમો પુખરસારિયા, ભોગવતી, પતરાઇયા, અંતર્ખરિયા (અંતાક્ષરી), અમ્મરપુઢિયા, વૈયિકી, નિહ્નવિકી, અંકલિપિ, ગણિતલિપિ, ગાન્ધર્વલિપિ, આદર્શલિપિ, માહેશ્વરી, દોમિલિપિ (દ્રાવિડી), પૌલિન્દી. ૧ જ્ઞાનાર્ય પાંચ પ્રકારના છે – આભિનિબોધિક, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન. | દર્શન-આર્ય – સરાગ દર્શન, વીતરાગ દર્શન. સરાગ દર્શન – નિસર્ગરચિ, ઉપદેશરુચિ, આજ્ઞારુચિ, સૂત્રરુચિ, બીજરુચિ, અભિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયારુચિ, સંક્ષેપરુચિ, ધર્મરુચિ. વીતરાગ દર્શન – ઉપશાંતકષાય, ક્ષીણકષાય. ચારિત્રાર્ય – સરાગ ચારિત્ર, વીતરાગ ચારિત્ર. સરાગ ચારિત્ર – સૂક્ષ્મ સંપરાય, બાદર સંપરાય. વીતરાગ ચારિત્ર – ઉપશાંતકષાય, ક્ષીણકષાય. અથવા ચારિત્રાર્ય પાંચ હોય છે – સામાયિક, છેદોપસ્થાપન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ચારિત્ર (૩૭). દેવ ચાર પ્રકારના હોય છે – ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક. ભવનવાસી – અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુકુમાર, અગ્નિકુમાર, દ્વિીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર. વ્યંતર – કિન્નર, કિપુરુષ, મહોરગ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત, પિશાચ, જયોતિષી – ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા. વૈમાનિક – કલ્પોપગ, કલ્પોપન્ન. કલ્પોપગ – સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતવ, મહાશુક્ર, સહસ્રાર, આનત, ૧. સમવાયાંગસૂત્ર (પૃ. ૩૧અ)માં ૧૮ લિપિઓમાં ઉચ્ચત્તરિઆ અને ભોગવઈયા લિપિઓનો ઉલ્લેખ છે. વિશેષાવશ્યકભાષ્યની ટીકા (પૃ. ૪૬૪)માં નિમ્નલિખિત લિપિઓ ગણાવવામાં આવી છે – હંસ, ભૂત, યક્ષી, રાક્ષસી, ઉઠ્ઠી, યવની, તરુક્કી, કીરી, દ્રાવિડી, સિંઘવીય, માલવી, નદી, નાગરી, લાટ, પારસી, અનિમિત્તી, ચાણક્યી, મૂલદેવી. વધુ માટે જુઓ –લાવણ્યસમયગણિ, વિમલપ્રબંધ; લક્ષ્મીવલ્લભ ઉપાધ્યાય, કલ્પસૂત્ર-ટીકા. ચાણક્યી, મૂલદેવી, અંક, નાગરી તથા શૂન્ય, રેખા, ઔષધિ, સહદેવી વગેરે લિપિઓ માટે જુઓ – મુનિ પુણ્યવિજય, ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા, પૃ. ૬; અગરચંદ નાહટા, જૈન આગમોમાં ઉલ્લિખિત ભારતીય લિપિમાં એવું “ઇચ્છા લિપિ', નાગરીપ્રચારિણી પત્રિકા, વર્ષ પ૭, અંક ૪, સં. ૨૦૦૯. Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના ૭૯ પ્રાણત, આરણ, અશ્રુત. કલ્પાતીત - રૈવેયક, અનુત્તરૌપપાતિક. રૈવેયક નવ હોય છે. અનુત્તરૌપપાતિક પાંચ છે – વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધિ (૩૮). સ્થાન પદ : આમાં પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, દીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, નૈરયિક, તિર્યંચ, ભવનવાસી, વ્યંતર, જયોતિષી, વૈમાનિક અને સિદ્ધ જીવોના નિવાસસ્થાનોનું વર્ણન છે (૩૯-૫૪). અલ્પબદુત્વ પદ : આમાં દિશા, ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, વેશ્યા, સમ્યક્ત, જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર, ભાષક, પીત્ત, પર્યાપ્ત, સૂમ, સંજ્ઞી, ભવ, અસ્તિકાય, ચરમ, જીવ, ક્ષેત્ર, બંધ, પુદ્ગલ અને મહાદંડક – આ ૨૭ દ્વારોની અપેક્ષાએ જીવોનું વર્ણન છે (૫૫-૯૩). સ્થિતિ પદ : આમાં નૈરયિક, ભવનવાસી, પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, દ્વિ-ત્રિ-ચતુર-પંચેન્દ્રિય, મનુષ્ય, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક જીવોની સ્થિતિનું વર્ણન છે (૯૪-૧૦૨). વિશેષ અથવા પર્યાય પદ : આમાં જીવપર્યાયનું વર્ણન કરતાં અજીવ પર્યાયમાં અરૂપી અજીવ અને રૂપી અજીવનું વર્ણન કરવામાં આવ્યું છે તથા અરૂપી અજીવમાં ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયદેશ, ધર્માસ્તિકાયપ્રદેશ, અધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયદેશ, અધર્માસ્તિકાય પ્રદેશ, આકાશાસ્તિકાય, આકાશાસ્તિકાયદેશ, આકાશાસ્તિકાયપ્રદેશ, અદ્ધાસમય તથા રૂપી અજીવમાં સ્કંધ, રકંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુપુદ્ગલનું વર્ણન કર્યું છે (૧૦૩-૧૨૧). વ્યુત્ક્રાન્તિ પદ : - બાર મુહૂર્ત અને ચોવીસ મુહૂર્તનો ઉપપાત અને ઉદ્વર્તન (મરણ) સંબંધી વિરહકાળ કેટલો છે, અહીં જીવ સાંતર ઉત્પન્ન થાય છે કે નિરંતર, એક સમયમાં કેટલા જીવો ઉત્પન્ન થાય છે અને કેટલા મરે છે, ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે, મરીને ક્યાં જાય છે, પરભવનું આયુષ્ય ક્યારે બંધાય છે, આયુબંધ સંબંધી આઠ આકર્ષ કયા છે – આ આઠ દ્વારો વડે જીવનું વર્ણન કરવામાં આવ્યું છે (૧૨૨૧૪૫). Page #116 -------------------------------------------------------------------------- ________________ ૮૦ અંગબાહ્ય આગમો ઉચ્છવાસ પદ : આ પદમાં નૈરયિક વગેરેના ઉચ્છવાસ ગ્રહણ કરવાના અને છોડવાના કાળનું વર્ણન છે (૧૪૬). સંજ્ઞી પદ : આમાં આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માયા, લોભ અને ઓઘ સંજ્ઞાઓના વિષય લઈને જીવોનું વર્ણન છે (૧૪૭-૧૪૯). યોનિ પદ : આ પદમાં શીત, ઉષ્ણ, શીતોષ્ણ, સચિત્ત, અચિત્ત, મિશ્ર, સંવૃત્ત, વિવૃત્ત, સંવૃત્ત-વિવૃત્ત, કૂર્મોન્નત, શંખાવર્ત અને વંશીપત્ર યોનિઓના વિષય લઈને જીવોનું વર્ણન છે (૧૫૦-૧૫૩). ચરમાગરમ પદ : આ પદમાં ચરમ, અચરમ વગેરે પદોના આશ્રયથી રત્નપ્રભા વગેરે પૃથ્વીઓ, સ્વર્ગ, પરમાણુપુદ્ગલ, જીવ વગેરેનું વર્ણન છે (૧૫૪-૧૬૦). ભાષા પદ : આ પદમાં બતાવવામાં આવ્યું છે કે સત્ય ભાષા દસ પ્રકારની છે – જનપદસત્ય, સંતસત્ય, સ્થાપનાસત્ય, નામસત્ય, રૂપસત્ય, પ્રતીત્યસત્ય, અપેક્ષાસત્ય, વ્યવહારસત્ય, યોગસત્ય અને ઉપમા સત્ય. મૃષા ભાષા દસ પ્રકારની હોય છે – ક્રોધનિશ્રિત, માનનિશ્રિત, માયાનિશ્રિત, લોભનિશ્રિત, પ્રેમનિશ્રિત, ષનિશ્રિત, હાસ્યનિશ્રિત, ભયનિશ્રિત, આખ્યાયિકાનિશ્રિત અને ઉપધાતનિશ્ચિત. સત્યમૃષા ભાષા દસ પ્રકારની છે – ઉત્પન્નમિશ્રિત, વિગત મિશ્રિત, ઉત્પન્નવિગતમિશ્રિત, જીવમિશ્રિત, અજીવમિશ્રિત, જીવાજીવમિશ્રિત, અનંતમિશ્રિત, પ્રત્યેકમિશ્રિત, અદ્ધામિશ્રિત અને અદ્ધાદ્ધમિશ્રિત. અસત્યામૃષા ભાષા બાર પ્રકારની છે – આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પૃચ્છની, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની, ઈચ્છાલોમા (ઈચ્છાનુકૂળ), અનભિગૃહીતા, અભિગૃહીતા, સંશયકરણી, વ્યાકૃતા અને અવ્યાકૃતા. વચન સોળ પ્રકારના હોય છે – એકવચન, દ્વિવચન, બહુવચન, સ્ત્રીવચન, પુરુષવચન, નપુંસકવચન, અધ્યાત્મવચન, ઉપનીતવચન, અપની તવચન, ઉપનીતાપનીતવચન, અપની તોપનીતવચન, અતીતવચન, પ્રત્યુત્પન્નવચન, અનાગતવચન, પ્રત્યક્ષવચન અને પરોક્ષવચન (૧૬૧-૧૭પ). ૧. આ પદનું વિવેચન ઉપાધ્યાય યશોવિજયજીએ કર્યું છે જેનો ગુજરાતી ભાવાર્થ પ.ભગવાનદાસ હર્ષચન્દ્ર પ્રજ્ઞાપનાસૂત્ર, દ્વિતીય ખંડ, પૃ. ૮૧૮-૩ષ્માં આપ્યો છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૧ પ્રજ્ઞાપના શરીર પદ : આમાં ઔદારિક, વૈક્રિયક, આહારક, તૈજસ અને કાર્મણ શરીરની અપેક્ષાએ જીવોનું વર્ણન છે (૧૭૬-૧૮૦). પરિણામ પદ : જીવપરિણામ દસ પ્રકારનાં છે – ગતિપરિણામ, ઈન્દ્રિયપરિણામ, કષાયપરિણામ, વેશ્યાપરિણામ, યોગપરિણામ, ઉપયોગપરિણામ, જ્ઞાનપરિણામ, દર્શનપરિણામ, ચારિત્રપરિણામ અને વેદપરિણામ (૧-૩). અજીવપરિણામ દસ પ્રકારનાં હોય છે – બંધનપરિણામ, ગતિપરિણામ, સંસ્થાનપરિણામ, ભેદપરિણામ, વર્ણપરિણામ, ગંધપરિણામ, રસપરિણામ, સ્પર્શપરિણામ, અગુરુલઘુપરિણામ અને શબ્દપરિણામ (૧૮૧-૧૮૫). કષાય પદ : કષાય પદ ચાર પ્રકારનાં હોય છે – ક્રોધ, માન, માયા અને લોભ. ક્રોધની ઉત્પત્તિ ચાર પ્રકારે થાય છે – ક્ષેત્ર, વસ્તુ, શરીર અને ઉપધિ. ક્રોધ ચાર પ્રકારનો હોય છે – અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન (૧૮૬૧૯૦). ઈન્દ્રિય પદ : પહેલા ઉદ્દેશકમાં શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયને લઈને જીવોનું વર્ણન કરવામાં આવ્યું છે (૧-૨૨). બીજા ઉદેશકમાં ઈન્દ્રિયોપચય, નિર્વતૈના (ઈન્દ્રિયોની ઉત્પત્તિ), નિર્વતૈનાના અસંખ્યાત સમય, લબ્ધિ, ઉપયોગનો કાળ, અલ્પબહુતમાં વિશેષાધિક ઉપયોગનો કાળ, અવગ્રહ, અપાય, ઈહા, વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ, અતીત, બદ્ધ અને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયના આશ્રયથી જીવોનું વર્ણન છે (૧૯૧-૨૦૧). પ્રયોગ પદ : પ્રયોગ પંદર પ્રકારના હોય છે – સત્યમનઃપ્રયોગ, અસત્યમન:પ્રયોગ, સત્યમૃષામનઃપ્રયોગ, અસત્યમૃષામન:પ્રયોગ; એ જ રીતે વચનપ્રયોગના ચાર ભેદ; ઔદારિકશરીરકાયપ્રયોગ, ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગ, વૈક્રિયકશરીરકાયપ્રયોગ, વૈક્રિયકમિશ્રશરીરકાયપ્રયોગ, આહારકશરીરકાયપ્રયોગ, આહારકમિશ્રશરીરકાયપ્રયોગ તથા તૈજસકાર્મણશરીરકાયપ્રયોગ (૧-૫). ગતિપ્રપાતના પાંચ ભેદ છે – પ્રયોગગતિ, તતગતિ, બંધન છેદનગતિ, ઉપપાતગતિ અને વિદાયગતિ (૨૦૧૨૦૭). Page #118 -------------------------------------------------------------------------- ________________ ૮૨ લેશ્યા પદ : આના પહેલા ઉદ્દેશકમાં સમકર્મ, સમવર્ણ, સમલેશ્યા, સમવેદના, સમક્રિયા અને સમઆયુ નામે અધિકારોનું વર્ણન છે. બીજા ઉદ્દેશકમાં કૃષ્ણ, નીલ, કાપોત, તેજ, પદ્મ અને શુક્લલેશ્યાના આશ્રયથી જીવોનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્રીજા ઉદ્દેશકમાં લેશ્યા સંબંધી પ્રશ્નોનો ઉત્તર આપવામાં આવ્યો છે. ચોથા ઉદ્દેશકમાં પરિણામ, વર્ણ, રસ, ગંધ, શુદ્ધ, અપ્રશસ્ત, સંક્લિષ્ટ, ઉષ્ણ, ગતિ, પરિણામ, પ્રદેશ, અવગાઢ, વર્ગણા, સ્થાન અને અલ્પબહુત્વ નામના અધિકારોનું વર્ણન છે. સાથે જ લેશ્યાઓના વર્ણ અને સ્વાદનું પણ વર્ણન છે. પાંચમા ઉદ્દેશકમાં લેશ્યાનું પરિણામ બતાવવામાં આવ્યું છે. છઠ્ઠા ઉદ્દેશકમાં કોને કેટલી લેશ્યાઓ હોય છે તે વિષયનું વર્ણન છે૧ (૨૦૮-૨૩૧). કાયસ્થિતિ પદ : અંગબાહ્ય આગમો આમાં જીવ, ગતિ, ઈન્દ્રિય, યોગ, ભેદ, કષાય, લેશ્યા, સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર, ભાષક, પરિત્ત, પર્યાપ્ત, સૂક્ષ્મ, સંશી, ભવસિદ્ધિક, અસ્તિકાય અને ચરમના આશ્રયથી કાયસ્થિતિનું વર્ણન છે (૨૩૨-૩૫૩). સમ્યક્ત્વ પદ : આમાં સમ્યક્દષ્ટિ, મિથ્યાદૅષ્ટિ અને સભ્યમિથ્યાદૅષ્ટિના ભેદપૂર્વક જીવોનું વર્ણન છે(૨૫૪). અંતક્રિયા પદ : આમાં જીવોની અંતક્રિયાકર્મનાશદ્વારા મોક્ષપ્રાપ્તિનું વર્ણન છે. અહીંચક્રવર્તીના સેનાપતિરત્ન, ગાહાપતિરત્ન, વર્ષકિરત્ન, પુરોહિતરત્ન અને સ્રીરત્નનું તથા કાંદર્ષિક, ચરક, પરિવ્રાજક, કિલ્વિષક, આજીવિકઅનેઆભિયોગિક તાપસોનો ઉલ્લેખછે (૨૫૫૨૬૬). શરીર પદ : આ પદમાં વિધિ (શરીરના ભેદો), સંસ્થાન (શરીરનો આકાર), શરીરનું પ્રમાણ, શરીરના પુદ્ગલોનો ચય, શરીરોનો પરસ્પર સંબંધ, શરીરોનું દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્ય-પ્રદેશો દ્વારા અલ્પબહુત્વ તથા શરીરની અવગાહનાનું અલ્પબહુત્વ – આ અધિકારોનું વર્ણન છે (૨૬૭-૨૭૮). ક્રિયાપદ : આમાં કાયિકી, અધિકરણિકી, પ્રાદ્ધેષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી – આ પાંચ ક્રિયાઓના આશ્રયથી જીવોનું વર્ણન કરવામાં આવ્યું છે (૨૭૯-૨૮૭). ૧. ઉત્તરાધ્યયનમાં પણ ૩૪મા અધ્યયનમાં લેશ્યાઓનું વર્ણન છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના કર્મપ્રકૃતિ પદ : આની પહેલાંના ઉદ્દેશકમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય – આ આઠ કર્મોના આશ્રયથી જીવોનું વર્ણન છે (૧૧૨). બીજા ઉદ્દેશકમાં આ કર્મોની ઉત્તરપ્રકૃતિઓનું વર્ણન છે (૨૮૮-૨૯૮). કર્મબંધ પદ : ૮૩ આમાં જ્ઞાનાવરણીય વગેરે કર્મો બાંધતાં જીવ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે તેનો વિચાર કરવામાં આવ્યો છે (૨૯૯). કર્મવેદ પદ : આમાં જ્ઞાનાવરણીય વગેરે કર્મો બાંધતા જીવ કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે તેનો વિચાર છે (૩૦૦). કર્મવેદબંધ પદ : આ પદમાં જ્ઞાનાવરણીય વગેરે કર્મોનું વેદન કરતાં જીવ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે તેનો વિચાર છે (૩૦૧). કર્મવેદવેદ પદ : પ્રસ્તુત પદમાં જ્ઞાનાવરણીય વગેરે કર્મોનું વેદન કરતાં જીવ કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે તેનો વિચાર કરવામાં આવ્યો છે (૩૦૨). આહાર પદ : આની પહેલાંના ઉદ્દેશકમાં સચિત્તાહારી આહારાર્થી કેટલા કાળ સુધી આહાર કરે છે, કઈ વસ્તુનો આહાર કરે છે, કયા સર્વાત્મપ્રદેશો દ્વારા આહાર કરે છે, કેટલો ભાગ આહાર કરે છે, શું સર્વ પુદ્ગલોનો આહાર કરે છે, કયા રૂપે તેનું પરિણમન થાય છે, શું એકેન્દ્રિય શરીર વગેરેનો આહાર કરે છે, લોમાહાર અને મનોભક્ષી શું છે — વગેરેની વ્યાખ્યા છે (૧-૯). બીજા ઉદ્દેશકમાં આહાર, ભવ્ય, સંજ્ઞી, લેશ્યા, દૃષ્ટિ, સંયત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર અને પર્યાપ્ત – આ તેર અધિકારોનું વર્ણન છે (૩૦૩-૩૧૧). - ઉપયોગ પદ : ઉપયોગ બે પ્રકારના હોય છે – સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ. સાકાર ઉપયોગ આઠ હોય છે—મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાનઅનેવિભંગજ્ઞાન. અનાકાર ઉપયોગચારહોયછે—ચક્ષુર્દર્શન, અચક્ષુર્દર્શન, અવધિદર્શન અને કેવલદર્શન (૩૧૨). Page #120 -------------------------------------------------------------------------- ________________ ૮૪ પશ્યત્તા પદ : પશ્યત્તા (પાસણયા) અર્થાત્ ત્રૈકાલિક અથવા સ્પષ્ટ દર્શનરૂપ જ્ઞાન. પશ્યત્તા બે પ્રકારની છે – સાકારપાસણયા, અનાકારપાસણયા. સાકારપાસણયાના છ ભેદ શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાન. અનાકારપાસણયાના ત્રણ ભેદ છે - ચક્ષુર્દર્શન, અવધિદર્શન અને કેવલદર્શન (૩૧૩-૪). છે - સંશી પદ : આમાં સંજ્ઞી, અસંશી અને નોસંજ્ઞી વિષયમાં જીવોનું વર્ણન છે (૩૧૫). સંયત પદ : અંગબાહ્ય આગમો આમાં સંયુત, અસંયત અને સંયતાસંયતના આધારે જીવોનું વર્ણન છે (૩૧૬). અવિધ પદ : આમાં વિષય, સંસ્થાન, અત્યંતરાવધિ, બાહ્યાવધિ, દેશાધિ, ક્ષય-અવધિ, વૃદ્ધિ-અવધિ, પ્રતિપાતી અને અપ્રતિપાતી આ દ્વારોની વ્યાખ્યા છે (૩૧૭૩૧૯). પરિચારણા પદ (પ્રવીચાર પદ) : આ પદમાં અનંતરાગત આહારક (ઉત્પત્તિના સમયે તરત જ આહાર કરનાર), આહાર વિષયક આભોગ અને અનાભોગ, આહાર રૂપે ગ્રહણ કરેલા પુદ્ગલોને જાણવા નહિ, અધ્યવસાયોનું કથન, સમ્યક્ત્વની પ્રાપ્તિ, કાય, સ્પર્શ, રૂપ, શબ્દ અને મન સંબંધી પરિચારણા વિષયોપભોગ, તેમનું અલ્પબહુત્વ અધિકારોનું વર્ણન છે (૩૨૦-૩૨૭). આ - વેદના પદ : આમાં શીત, ઉષ્ણ, શીતોષ્ણ; દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ; શારીરિક, માનસિક, શારીરિક-માનસિક; સાતા, અસાતા, સાતા-અસાતા; દુ:ખા, સુખા, અદુઃખ-સુખા; આલ્યુપગમિકી, ઔપક્રમિકી; નિદા (ચિત્ત લગાવીને), અનિદા નામક વેદનાઓના વિષયમાં જીવોનું વર્ણન છે (૩૨૮-૯). - સમુદ્દાત પદ : આ પદમાં વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહારક અને કેવલીસમુદ્ધાતની અપેક્ષાએ જીવોનું વર્ણન છે. અહીં કેવલીસમુદ્ધાતનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે (૩૨૯-૩૪૯). Page #121 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રકરણ સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂર્યપ્રજ્ઞપ્તિ જૈન આગમોમાં પાંચમું ઉપાંગ છે. તેના પર આચાર્ય ભદ્રબાહુએ નિયુક્તિ લખી હતી જે અનુપલબ્ધ છે. મલયગિરિએ આ ઉપાંગ ઉપર વિશદ ટીકા લખી છે જેનાથી ગ્રંથને સમજવામાં ઘણી સહાય મળે છે. સૂર્યપ્રજ્ઞપ્તિમાં સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રોની ગતિ વગેરેનું ૧૦૮ સૂત્રોમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં વીશ પ્રાભૂતો છે – સૂર્યના મંડળોની ગતિસંખ્યા, સૂર્યનું તિર્યફ ગમન, પ્રકાશ્ય ક્ષેત્રનું પરિમાણ, પ્રકાશસંસ્થાન, લેશ્યાપ્રતિઘાત, પ્રકાશનું અવસ્થાન, સૂર્યાવાર, ઉદયસંસ્થિતિ, પૌરુષી છાયાનું પ્રમાણ, યોગનું સ્વરૂપ, સંવત્સરોના આદિ-અંત, સંવત્સરોના ભેદ, ચંદ્રમાની વૃદ્ધિ અને ધ્રાસ, જ્યોસ્નાનું પ્રમાણ, શીધ્રગતિ અને મંદગતિનો નિર્ણય, જ્યોસ્નાનું લક્ષણ, વન અને ઉપપાત, ચંદ્ર-સૂર્ય વગેરેનું ઉચ્ચત્વ-માન, ચંદ્રસૂર્યનું પરિમાણ અને ચંદ્ર વગેરેનો અનુભાવ. વચ્ચે-વચ્ચે ગ્રંથકારે આ વિષયની અન્ય માન્યતાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. આ પ્રાભૂતોનું વર્ણન ગૌતમ ઈન્દ્રભૂતિ અને મહાવીરના પ્રશ્નોત્તર રૂપે કરવામાં આવ્યું છે. ૧. (અ) મલયગિરિવિહિત વૃત્તિ સહિત – આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૧૯. (આ)હિંદી અનુવાદ સહિત – અમોલક ઋષિ, લાલા સુખદેવ સહાય જવાલા પ્રસાદ, હૈદરાબાદ, ઈ.સ.૧૯૨૦. () મૂળ (રોમન લિપિમાં) જે. એફ. કોલ, ટુટગટે, ઈ.સ.૧૯૩૭. (ઈ) સંસ્કૃત વૃત્તિ અને તેના હિંદી-ગુજરાતી અનુવાદ સહિત ઘાસીલાલજી, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૨૦. (ઉ) (મૂળ) જિનેન્દ્રવિજયગણિ, હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ઈ.સ.૧૯૭૭. . () રતનલાલ ડોશી, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના, ઈ.સ.૧૯૮૦ એ.આ.-૮ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૮૬ અંગબાહ્ય આગમો પ્રથમ પ્રાભૃત : પ્રથમ પ્રાભૃતમાં આઠ અધ્યાય (પ્રાભૃત-પ્રાભૃત) છે : – ૧. દિવસ અને રાત્રિના મુહૂર્તોનું વર્ણન (૮-૧૧). ૨. અર્ધમંડળની વ્યવસ્થાનું વર્ણન – બે સૂર્યોમાંથી દક્ષિણ દિશાનો સૂર્ય દક્ષિણાઈ મંડળનું અને ઉત્તર દિશાનો સૂર્ય ઉત્તરાર્ધ મંડળનું પરિભ્રમણ કરે છે (૧૨-૧૩). ૩. આ જંબૂદ્વીપમાં બે સૂર્યો છે, એક ભરત ક્ષેત્રમાં, બીજો ઐરાવત ક્ષેત્રમાં – આ સૂર્યો ૩૦ મુહૂર્તમાં એક અર્ધમંડળનું અને ૬૦ મુહૂર્તમાં સમસ્ત મંડળનું ચક્કર લગાવે છે (૧૪). ૪. પરિભ્રમણ કરતા બંને સૂર્યોમાં પરસ્પર કેટલું અંતર રહે છે ? (૧૫). ૫. કેટલા દ્વીપ-સમુદ્રોનું અવગાહન કરીને સૂર્ય પરિભ્રમણ કરે છે ?(૧૬-૧૭). ૧. ભાસ્કરે પોતાના સિદ્ધાંતશિરોમણિ અને બહ્મગુએ પોતાના ફૂટસિદ્ધાંતમાં જૈનોની બે સૂર્ય અને બે ચંદ્રની માન્યતાનું ખંડન કર્યું છે. પરંતુ ડો. થીબોએ જર્નલ ઓફ ધી એશિયાટીક સોસાયટી ઑફ બેંગાલ (વો. ૪૯, પૃ. ૧૦૭ વગેરે, ૧૮૧ વગેરે)માં “ઓન ધી સૂર્યપ્રજ્ઞપ્તિ નામના પોતાના વિદ્વત્તાપૂર્ણ લેખમાં દર્શાવ્યું છે કે ગ્રીક લોકોના ભારતવર્ષમાં આગમન પૂર્વે ઉક્ત સિદ્ધાંત સર્વમાન્ય હતો. ભારતીય જ્યોતિષના અતિ પ્રાચીન જ્યોતિષ-વેદાંગ ગ્રંથની માન્યતાઓ સાથે તેમણે સૂર્યપ્રજ્ઞપ્તિના સિદ્ધાંતોની સમાનતા બતાવી છે. આની નિર્યુક્તિની કેટલીક ગાથાઓ વ્યવચ્છિન્ન થઈ જવાને કારણે ટીકાકારે તેમની વ્યાખ્યા કરી નથી (ટીકા, પૃ. ૧૫). ૨. જયારે સૂર્ય દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ દિશાઓમાં ઘૂમે છે ત્યારે મેરુની દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર અને પૂર્વવર્તી પ્રદેશોમાં દિવસ થાય છે. ૩. બ્રાહ્મણ પુરાણોની માફક જૈનોએ પણ આ લોકમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો હોવાનું સ્વીકાર્યું છે. આ અસંખ્યાત દ્વીપ-સમુદ્રોની વચ્ચે મેરુ પર્વત રહેલો છે. પહેલાં જેબૂદ્વીપ છે, તે પછી લવણસમુદ્ર, પછી ધાતકી ખંડ, કાલોદ સમુદ્ર, પુષ્કરવર દ્વીપ – આ રીતે મેરુ અસંખ્યાત દ્વીપ-સમુદ્રોથી ઘેરાયેલો છે. જેબૂદ્વીપના દક્ષિણ ભાગમાં ભારતવર્ષ અને ઉત્તર ભાગમાં ઐરાવત વર્ષ છે તથા મેરુ પર્વતના પૂર્વ અને પશ્ચિમમાં સ્થિત વિદેહ, પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહ એવા બે ભાગોમાં વહેંચાઈ ગયેલ છે. સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રો મેરુ પર્વતની ચોપાસ ભ્રમણ કરે છે. જૈન માન્યતા અનુસાર જ્યારે સૂર્ય જેબૂદ્વીપમાં ૧૮૦ યોજનથી વધુ પ્રવેશ કરી પરિભ્રમણ કરે છે ત્યારે વધુમાં વધુ ૧૮ મુહૂર્તનો દિવસ અને ઓછામાં ઓછી ૧૨ મુહૂર્તની રાત થાય છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ ૮૭ ૬. એક-એક રાત-દિવસમાં એક-એક સૂર્ય કેટલા ક્ષેત્રોમાં પરિભ્રમણ કરે છે ? (૧૮). ૭. મંડળોની રચના (૧૯). ૮. મંડળોનો વિસ્તાર (૨૦). દ્વિતીય પ્રાભૃત : બીજા પ્રાભૃતમાં ત્રણ અધ્યાય છે – ૧. સૂર્યના ઉદય અને અસ્તનું વર્ણન (૨૧). ૨. સૂર્યના એક મંડળમાંથી બીજા મંડળમાં જવાનું વર્ણન (૨૨). ૩. સૂર્ય એક મુહૂર્તમાં કેટલા ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેનું વર્ણન (૨૩). આ અધ્યાયોમાં અન્ય મતોનો ઉલ્લેખ કરવા સાથે સ્વમતનું પ્રતિપાદન કરવામાં આવ્યું તૃતીયાદિ પ્રાત : ત્રીજા પ્રાભૃતમાં ચંદ્રસૂર્ય દ્વારા પ્રકાશિત કરવામાં આવતા દીપ-સમુદ્રોનું વર્ણન છે. આ સંબંધમાં બાર મતાંતરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે (૨૪), ચોથા પ્રાભૂતમાં ચંદ્ર-સૂર્યના સંસ્થાન – આકારનું વર્ણન છે. આ બાબતમાં સોળ મતાંતરોનો ઉલ્લેખ છે (૨૫). પાંચમા પ્રાભૂતમાં સૂર્યની વેશ્યાઓનું વર્ણન છે (૨૬). છઠ્ઠા પ્રાભૂતમાં સૂર્યના ઓજનું વર્ણન છે અર્થાત્ સૂર્ય સદા એક રૂપમાં અવસ્થિત રહે છે અથવા પ્રતિ ક્ષણ બદલાતો જાય છે – એ બતાવવામાં આવ્યું છે. જૈન માન્યતા અનુસાર જેબૂદ્વીપમાં પ્રતિ વર્ષ માત્ર ૩૦ મુહૂર્ત સુધી સૂર્યનો પ્રકાશ અવસ્થિત રહે છે, બાકીના સમયમાં અનવસ્થિત રહે છે (૨૭), સાતમું પ્રાભૃત વરણ-પ્રાભૃત છે – સૂર્ય પોતાના પ્રકાશ દ્વારા મેરુ વગેરે પર્વતોને જ પ્રકાશિત કરે છે કે અન્ય પ્રદેશોને પણ ? (૨૮). આઠમું પ્રાભૃત ઉદય-સંસ્થિતિ-પ્રાભૂત છે – જે સૂર્ય પૂર્વ-દક્ષિણમાં ઉદિત થાય છે તે મેરુની દક્ષિણમાં રહેલા ભરત વગેરે ૧. અહીં ગ્રન્થકારે તીર્થિકોના અનેક મતોનો ઉલ્લેખ કર્યો છે. કેટલાક લોકોનું માનવું છે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉદિત થઈ આકાશમાં ચાલ્યો જાય છે. તે કોઈ વિમાન, રથ કે દેવતા નથી પરંતુ ગોળાકાર કિરણોનો સમૂહમાત્ર છે જે સંધ્યા સમયે નાશ પામે છે. કેટલાક લોકો સૂર્યને દેવતા માને છે જે સ્વભાવથી આકાશમાં ઉત્પન્ન થાય છે અને સંધ્યા સમયે આકાશમાં અદશ્ય થઈ જાય છે. બીજા કેટલાક લોકો સૂર્યને સદા સ્થિત રહેનાર દેવતા માને છે જે પ્રાતઃકાળે પૂર્વમાં ઉદિત થઈ સંધ્યાકાળે પશ્ચિમમાં પહોંચી જાય છે અને પછી ત્યાંથી અધોલોકને પ્રકાશિત કરતો નીચેની બાજુ પાછો ફરે છે. ટીકાકાર અનુસાર પૃથ્વીને ગોળ સ્વીકારનારાઓની જ આ માન્યતા હોઈ શકે છે, જૈનોની નહિ, કેમ કે તેઓ પૃથ્વીને ગોળાકાર ન માનતાં અસંખ્યાત દ્વીપ-સમુદ્રોથી ઘેરાયેલી માને છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૮. અંગબાહ્ય આગમો ક્ષેત્રોને પ્રકાશિત કરે છે, તથા પશ્ચિમ-ઉત્તરમાં ઉદિત થનાર સૂર્ય મેરુની ઉત્તરમાં રહેલા ઐરાવત વગેરે ક્ષેત્રોને પ્રકાશિત કરે છે (૨૯). નવમા પ્રાકૃતમાં બતાવવામાં આવ્યું છે કે સૂર્યના ઉદય અને અસ્ત સમયે પ૯ પુરુષ-પ્રમાણ છાયા જોવા મળે છે (૩૦-૩૧). આ પ્રાભૂતોમાં અનેક મતાંતરોનો ઉલ્લેખ છે. દશમ પ્રાભૂત ઃ દસમા પ્રાકૃતમાં ૨૨ અધ્યાય છે જેમાં નીચેના વિષયોનું વર્ણન છે – નક્ષત્રોમાં આવલિકાઓનો ક્રમ; મુહૂર્તની સંખ્યા; પૂર્વ; પશ્ચાત્ અને ઉભય ભાગ; નક્ષત્રોનો યોગ; નક્ષત્રોનાં કુળ; કયા નક્ષત્રોનો ચંદ્ર સાથે યોગ થવાથી પૂર્ણિમા અને અમાવાસ્યા થાય છે; ચંદ્રયોગની અપેક્ષાએ પૂર્ણિમા અને અમાવાસ્યાનું થવું; નક્ષત્રોનો આકાર; નક્ષત્રોમાં તારાઓની સંખ્યા; કયા નક્ષત્રોના અસ્ત થવાથી દિવસ અને રાત થાય છે; ચંદ્રનો પરિભ્રમણ કરવાનો માર્ગ; નક્ષત્રોના દેવતા— અભિજિત નક્ષત્રના બ્રહ્મ, શ્રવણ નક્ષત્રના વિષ્ણુ, ધનિષ્ઠાના વસુદેવ, ભરણીના યમ, કૃતિકાના અગ્નિ વગેરે; નક્ષત્રોના મુહૂર્તોનાં નામ; દિવસ અને રાત્રિનાં નામ; તિથિઓના ભેદ (૩૩-૪૯). સોળમા અધ્યાયમાં નક્ષત્રોનાં ગોત્રોનો ઉલ્લેખ છે – મોગલ્લાયણ (અભિજિત), સંખાયણ (શ્રવણ), અગ્ગભાવ (ધનિષ્ઠા), કર્ણાલાયણ (શતભિષજ), જોઉકણિય (પુવ્વાપોઢવતા), ધણંજય (ઉત્તરાપોઢવતા), પુસ્સાયણ (રેવતી), અસ્સાયણ (અશ્વિની), ભગવેસ (ભરિણી), અગ્નિવેસ (કૃતિકા), ગૌતમ (રોહિણી), ભારદ્દાય (સંસ્થાન), લોહિચ્ચાયણ (આર્દ્રા), વાસિઢ (પુનર્વસુ), ઉમાયણ (પુષ્ય), મંડવ્યાયણ (આશ્લેષા), પિંગાયણ (મહાનક્ષત્ર), ગોવલ્લાયણ (પૂર્વાફાલ્ગુની), કાશ્યપ (ઉત્તરાફાલ્ગુની), કોસિય (હસ્ત), દબ્નિય (ચિત્રા), ચામરચ્છાયન (સ્વાતિ), સુંગાયણ (વિશાખા), ગોલવ્યાયણ (અનુરાધા), તિગિચ્છાયણ (જ્યેષ્ઠા), કચ્ચાયણ (મૂલ), વિયાયણ (પૂર્વાષાઢ), વગ્યાવચ્ચ (ઉત્તરાષાઢ૧) (૫૦). કાશ્યપ, ગૌતમ, વત્સ, ૧. સ્થાનાંગ (પૃ. ૩૬૯ )માં સાત મૂળ ગોત્રોનો ઉલ્લેખ છે કુત્સ, કૌશિક, મંડવ, વાશિષ્ઠ. તેમના અવાંતરભેદો આ પ્રમાણે છે – કાસવ, સંઢેલ્લ, ગોલ્લ, વાલ, મુંજઇણ, પવપેચ્છઇણ, રિસકÇ. ગસેમ, ગગ્ગ, ભારદ્દ, અંગિરસ, સક્કરાભ, ભક્તરાભ, ઉદગત્તાભ. વચ્છ, અગેય, મિત્તિય, સામિલિણો, સેલતતા, અક્રિસેણ, વીયકમ્હ. કાશ્યપ ગૌતમ વત્સ Page #125 -------------------------------------------------------------------------- ________________ સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ ૮૯ સત્તરમા અધ્યાયમાં નક્ષત્ર-ભોજનનું વર્ણન છે અર્થાત કયા નક્ષત્રમાં કર્યું ભોજન લાભકારક થાય છે તે બતાવવામાં આવ્યું છે. ઉદાહરણ રૂપે કૃતિકા નક્ષત્રમાં દહીં, રોહિણીમાં ચમસ (વસભ-વૃષભ ?)નું માંસ, સંસ્થાનમાં મૃગનું માંસ, આદ્રમાં નવનીત, પુનર્વસુમાં વૃત, પુષ્યમાં દૂધ, આશ્લેષામાં દ્વીપકનું માંસ, મહાનક્ષત્રમાં કસોઈ (એક ખાદ્ય), પૂર્વાફાલ્ગનીમાં દેડકાનું માંસ, ઉત્તરાફાલ્ગનીમાં નખવાળા પશુઓનું માંસ, હસ્તમાં વત્થાણી (શિગોડાં), ચિત્રામાં મગનો સૂપ, સ્વાતિમાં ફળ, વિશાખામાં અસિત્તિયા (?), અનુરાધામાં મિસ્સાકૂર, જયેષ્ઠામાં લઠ્ઠિઓ (?), પૂર્વાષાઢમાં આમલગશરીર, ઉત્તરાષાઢમાં બલ (બિલ્લ–બિલા ?), અભિજિતમાં પુષ્પ, શ્રવણમાં ખીર, શતભિષામાં તુવર (તુંબર-તુંબડું), પૂર્વપટ્ટવયમાં કારેલા, ઉત્તરાપુટ્ટવયમાં વરાહનું માંસ, રેવતીમાં જલચરનું માંસ, અશ્વિનીમાં તેતરનું માંસ તથા ભરણીમાં તલ અને તાંદુલ ખાવાથી કાર્યની સિદ્ધિ થાય છે'(૫૧). અઢારમા અધ્યાયમાં સૂર્ય અને ચંદ્રના પરિભ્રમણનું વર્ણન છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે સૂર્ય અને ચંદ્ર કયા નક્ષત્રના યોગમાં કેટલું પરિભ્રમણ કરે છે. ઓગણીસમા અધ્યાયમાં બાર મહિનાના લૌકિક અને લોકોત્તર નામો ગણાવ્યા છે. વીસમા અધ્યાયમાં નક્ષત્રોના સંવત્સરોનો ઉલ્લેખ છે. સંવત્સર પાંચ હોય છે -- નક્ષત્ર સંવત્સર, યુગ સંવત્સર, પ્રમાણ સંવત્સર, લક્ષણ સંવત્સર અને શનૈશ્ચર સંવત્સર. એકવીસમા અધ્યાયમાં નક્ષત્રના દ્વારોનું વર્ણન છે. બાવીસમા અધ્યાયમા. નક્ષત્રોની સીમા, વિખંભ વગેરેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે (પ૨-૭૦). કુત્સ – કોચ્છ, મોગ્યલાયણ, પિંગલાયણ, કોડીણ, મંડલિણો, હારિત, સોમય. કૌશિક – કોસિય, કાયણ, સાલંકાયણ, હોલિકાયણ, પખિકાયણ, અગ્નિચ્ચ, લોહિય. મંડવ – મંડવ, અરિક, સમુત, તેલ, એલાવચ્ચ, કંડિલ્લ, ખારાયણ. વાશિષ્ઠ – વાસિઢ, ઉંજાયણ, જોરકહ, વડ્યાવચ્ચ, કોડિન, સહી, પારાસર. સંભવ છે કે અહીં લોકમાં પ્રચલિત માંસભક્ષણની દષ્ટિએ આ સૂત્રનું કથન કરવામાં આવ્યું હોય. આમ તો જૈન સૂત્રોમાં માંસ-સેવનના ઉલ્લેખ મળે છે – જુઓ, જગદીશચન્દ્ર જૈન, જૈન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ, પૃ. ૧૯૮-૨૦૪. શ્રી અમોલક ઋષિએ ચન્દ્રપ્રજ્ઞપ્તિના અનુવાદમાં માંસવાચક શબ્દોનો અર્થ બદલીને શાકવાચક અર્થ કર્યો છે. ચન્દ્રપ્રજ્ઞપ્તિમાં ચમસની જગ્યાએ વસભ, કસોઈની જગ્યાએ કસારિ, અસિરિયાની જગ્યાએ આતિસિયા, બલની જગ્યાએ બિલ, તુવરની જગ્યાએ તુંબર અને તલની જગ્યાએ તિલ પાઠ આપવામાં આવેલ છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ અંગબાહ્ય આગમો એકાદશાદિ પ્રાભૃત : અગિયારમા પ્રાભૃતમાં સંવત્સરોના આદિ-અંતનું વર્ણન છે (૭૧), બારમા પ્રાભૃતમાં નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, આદિત્ય અને અભિવર્ધિત – આ પાંચ સંવત્સરોનું વર્ણન છે (૭૨-૭૮). તેરમા પ્રાભૂતમાં ચંદ્રની વૃદ્ધિ-હાનિનું વર્ણન છે (૭૯-૮૧). ચૌદમા પ્રાભૃતમાં સ્નાનું વર્ણન છે (૮૨). પંદરમા પ્રાભૂતમાં ચંદ્ર-સૂર્ય વગેરેની ગતિના તારતમ્યનો ઉલ્લેખ છે (૮૩-૮૬). સોળમા પ્રાભૂતમાં જયોસ્નાનું લક્ષણ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે (૮૭). સત્તરમાં પ્રાભૃતમાં ચંદ્ર વગેરેના ચ્યવન અને ઉપપાતનું વર્ણન છે (૮૮). અઢારમા પ્રાભૂતમાં ચંદ્ર-સૂર્ય વગેરેની ભૂમિથી) ઊંચાઈનું પ્રતિપાદન છે (૮૯-૯૯). ઓગણીસમા પ્રાભૂતમાં સર્વ લોકમાં ચંદ્રસૂર્યની સંખ્યાનું પ્રતિપાદન છે (૧૦૦-૧૦૩). વીસમા પ્રાભૂતમાં ચંદ્ર વગેરેના અનુભાવનું વર્ણન છે. અહીં ૮૮ મહાગ્રહોનો ઉલ્લેખ છે (૧૦૪-૧૦૮). ઉપલબ્ધ ચંદ્રપ્રજ્ઞપ્તિ : ચંદ્રપ્રજ્ઞપ્તિ જૈન આગમોનું સાતમુ ઉપાંગ છે. તેને ઉવાસગદસાઓનું ઉપાંગ માનવામાં આવ્યું છે. મલયગિરિએ તેના પર ટીકા લખી છે. શ્રી અમોલક ઋષિએ તેનો હિંદી અનુવાદ કર્યો છે જે હૈદરાબાદથી પ્રકાશિત થયો છે. નામ પરથી જણાઈ આવે છે કે ચંદ્રપ્રજ્ઞપ્તિમાં ચંદ્રના પરિભ્રમણનું વર્ણન આવ્યું હશે તથા સૂર્યપ્રજ્ઞપ્તિમાં સૂર્યના પરિભ્રમણનું. વર્તમાનમાં ઉપલબ્ધ ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિનો વિષય બિલકુલ સરખો છે અથવા મળતો છે. ઠાણાંગસૂત્ર (૪.૧)માં ચંદપન્નત્તિ, સૂરપન્નત્તિ, જંબૂદીવપન્નત્તિ અને દીવસાગરપન્નત્તિને અંગબાહ્ય શ્રુતમાં ગણાવવામાં આવેલ છે. ૧. (અ) વૃત્તિસહિત – મુનિ ઘાસીલાલ, અખિલ ભારતીય શ્વેતાંબર સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૬૬ (આ) હિંદી અનુવાદ સહિત – અમોલક ઋષિ, લાલા સુખદેવ સહાય જવાલા પ્રસાદ, 'હૈદરાબાદ, ઈ.સ.૧૯૨૦. (ઈ) હિંદી અનુવાદ – ઘેવરચંદજી, સ્થા. શ્વેતાંબર જૈન હિતકારિણી સભા, બિકાનેર (ઈ) (મૂળ) સં. જિનેન્દગણિ, હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા, લાખાબાવળ, શાંતિપુરી, - સૌરાષ્ટ્ર, ઈ.સ.૧૯૭૭ (ઉ) (મૂળ) સં. રતનલાલ ડોશી, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના, ઈ.સ.૧૯૮૦ Page #127 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રકરણ જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ જમ્બુદીવપક્ષત્તિ (જમ્બુદ્વીપપ્રજ્ઞતિ) જૈન આગમોમાં છઠ્ઠું ઉપાંગ છે. મલયગિરિએ આ ઉપાંગ પર ટીકા લખી હતી પરંતુ તે કાળના દોષથી નાશ પામી. ત્યારપછી બાદશાહ અકબરના ગુરુ હીરવિજયસૂરિના શિષ્ય શાંતિચંદ્ર વાચકે પોતાના ગુરુની આજ્ઞાથી પ્રમેયરત્નમંજૂષા નામની ટીકા લખી. આ ગ્રંથ બે ભાગમાં પ્રકાશિત થયો છે ~~ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. પૂર્વાર્ધમાં ચાર અને ઉત્તરાર્ધમાં ત્રણ વક્ષસ્કાર છે. ત્રીજા વક્ષસ્કારમાં ભારતવર્ષ અને રાજા ભરતનું વર્ણન છે. આ ગ્રંથ જ્ઞાતાધર્મકથાનું ઉપાંગ ગણાય છે. ગૌતમ ઈન્દ્રભૂતિ અને મહાવીરના પ્રશ્નોત્તર રૂપે આની વ્યાખ્યા કરવામાં આવી છે. અનેક સ્થાનો ત્રુટિત હોવાને કારણે આની પૂર્તિ જીવાજીવાભિગમ વગેરેના પાઠો વડે કરવામાં આવી છે. પહેલો વક્ષસ્કાર : મિથિલા નગરીમાં રાજા જિતશત્રુ રાજ્ય કરતો હતો. ધારિણી તેની રાણી ૧ . (અ) શાંતિચંદ્રવિહિત વૃત્તિ સહિત—દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, મુંબઈ, ઈ.સ.૧૯૨૦, ધનપતસિંહ કલકત્તા, ઈ.સ.૧૮૮૫. અમોલકઋષિ, લાલા સુખદેવસહાય જ્વાલાપ્રસાદ, (આ) હિન્દી અનુવાદ સહિત હૈદરાબાદ, ઈ.સ.૧૯૨૦, (ઇ) સંસ્કૃત વૃત્તિ અને તેના હિન્દી-ગુજરાતી અનુવાદ સહિત, ઘાસીલાલજી, શ્રી અ.ભા.સ્થાનકવાસી શ્વેતામ્બર જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૭૮. (ઈ) હિન્દી અનુવાદ સહિત—મધુકર મુનિ, છગનલાલ શાસ્ત્રી, આગમ પ્રકાશન સમિતિ, બ્યાવ૨, ઈ.સ.૧૯૮૩. (ઉ) (મૂળ) – સં. જિનેન્દ્રગણિ, હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાળા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ઈ.સ. ૧૯૭૮. (ઊ) (મૂળ)—સં. રતનલાલ ડોશી, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના. ૨. અત્ર વાતોષળ ત્રુટિત સમ્ભાવ્યતે, તેનાત્ર સ્થાનાશૂન્યાર્થ નીવામિામાભ્યિો તિવ્યસ્તે, ટીકા— પૃ.૧૧૭ અ. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૯૨ અંગબાહ્ય આગમો હતી. એક વાર નગરના મણિભદ્ર નામક ચૈત્યમાં મહાવીરનું સમવસરણ થયું. તે સમયે તેમના જયેષ્ઠ શિષ્ય ગૌતમ ઈન્દ્રભૂતિએ જમ્બુદ્વીપ વિષયમાં પ્રશ્નો કર્યા, જેના યોગ્ય ઉત્તરો મહાવીરે આપ્યા (૧-૩). જમ્બુદ્વીપમાં સ્થિત પદ્મવરવેદિકા એક વનખંડ વડે ઘેરાયેલી છે. વનખંડની વચ્ચે અનેક પુષ્કરિણીઓ, વાપિકાઓ, મંડપ, ગૃહો અને પૃથ્વીશિલાપટ્ટક છે જયાં અનેક વ્યંતર દેવો અને દેવીઓ ક્રીડા કરે છે. જમ્બુદ્વીપના વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામના ચાર વારો છે (૪-૮). - જમ્બુદ્વીપમાં હિમવાન્ (હિમાલય) પર્વતની દક્ષિણમાં ભરત ક્ષેત્ર (ભારતવર્ષ) છે. તે અનેક સ્થાણુઓ, કંટકો, વિષમ સ્થાનો, દુર્ગમ સ્થાનો, પર્વતો, પ્રપાતો, ઝરણા, ગર્ત (ખાડા), ગુફાઓ, નદીઓ, તળાવો, વૃક્ષો, ગુચ્છો, ગુલ્મો, લતાઓ, વેલીઓ, અટવીઓ, શ્વાપદો, તૃણ વગેરેથી સંપન્ન છે. તેમાં અનેક તસ્કરો, પાખંડીઓ, કૃપણો અને વનપકો (વાચકો) રહેતા હતા. એમાં અનેક ડિબ (સ્વદેશમાં થનારા વિપ્લવો) અને ડમર (રાજ્યોપદ્રવો) થતા હતા, દુભિક્ષ અને દુષ્કાળ પડતા હતા તથા ઈતિ (ઉંદરો વગેરે દ્વારા ધાન્યનો બગાડ કરવો), મહામારી, રોગો વગેરે વિવિધ ક્લેશો વડે આ ક્ષેત્ર વ્યાપ્ત હતું. ભરતક્ષેત્ર પૂર્વપશ્ચિમમાં ફેલાયેલું, ઉત્તર-દક્ષિણમાં વિસ્તૃત, ઉત્તરમાં પર્યક સમાન અને દક્ષિણમાં ધનુષ્યના પૃષ્ઠભાગ સમાન છે. ત્રણ બાજુથી તે લવણસમુદ્ર વડે ઘેરાયેલું છે તથા ગંગા-સિંધુ અને વૈતાઢ્ય પર્વતને કારણે તેના છ વિભાગો થઈ ગયા છે. તેનો વિસ્તાર પર૬ / ૯ યોજન છે (૧૦). વૈતાઢ્ય પર્વતની દક્ષિણમાં દક્ષિણાર્ધ ભારતવર્ષ છે જ્યાં ઘણા મનુષ્યો રહે છે (૧૧). વૈતાઢ્ય પર્વતની બંને બાજુ બે પાવરવેદિકાઓ છે જે વનખંડોથી ઘેરાયેલી છે. આ પર્વતની પૂર્વ અને પશ્ચિમમાં બે ગુફાઓ છે – તમિસ્યગુહા અને ખંડપ્પવાયગુહ. તે બંનેમાં બે દેવો રહે છે. વૈતાઢ્ય પર્વતની બંને બાજુ વિદ્યાધર શ્રેણીઓ છે જ્યાં વિદ્યાધરો નિવાસ કરે છે. આભિયોગ શ્રેણીઓમાં અનેક દેવી-દેવતાઓ રહે છે (૧૨). વૈતાઢ્ય પર્વત પર એક સિદ્ધાયતન છે. તેમાં અનેક જિન-પ્રતિમાઓ બિરાજમાન છે (૧૩). આગળ દક્ષિણાઈ ભરતકૂટનું વર્ણન (૧૪), ઉત્તરાર્ધ ભારતનું વર્ણન (૧૫-૧૬) અને ઋષભકૂટનું વર્ણન આવે છે (૧૭). બીજો વક્ષસ્કાર કાળ બે પ્રકારનો હોય છે – અવસર્પિણી અને ઉત્સર્પિણી. અવસર્પિણીના છ ભેદ છે – સુષમ-સુષમા, સુષમા, સુષમા-દુષમા, દુષ્યમા-સુષમા, દુષ્યમાં, દુષ્યમા-દુષ્યમાં. ઉત્સર્પિણીના પણ છ ભેદ છે – દુષ્પમા-દુષ્યમાં, દુષ્પમા, દુષ્યમા Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૩ જંબુદ્દીપપ્રજ્ઞપ્તિ સુષમા, સુષમા-દુષ્પમા, સુષમા, સુષમ-સુષમા. આ પ્રસંગમાં આગળ બતાવવામાં આવ્યું છે – પ્રશ્ન – મુહૂર્તમાં કેટલા ઉચ્છવાસ હોય છે ? ઉત્તર – અસંખ્યાત સમય = ૧ આવલિ સંખ્યાત આવલિ = ૧ ઉચ્છવાસ સંખ્યાત આવલિ = ૧ નિ:શ્વાસ ૧ ઉચ્છવાસ નિઃશ્વાસ = ૧ પ્રાણ ૭ પ્રાણ = ૧ સ્તોક, ૭ સ્ટોક = ૧ લવ, ૭૭ લવ = ૧ મુહૂર્ત આ રીતે એક મુહૂર્તમાં ૭૭ x ૪૯ = ૩૭૭૩ ઉચ્છવાસ થાય છે. ૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્ર, ૧૫ અહોરાત્ર = ૧ પક્ષ ૨ પક્ષ = ૧ માસ ૨ માસ = ૧ ઋતુ ૩ ઋતુ = ૨ અયન ૨ અયન = ૧ સંવત્સર ૫ સંવત્સર = ૧ યુગ ૨૦ યુગ = ૧ વર્ષશત ૧૦ વર્ષશત = ૧ વર્ષસહસ્ર ૧૦૦ વર્ષસહસ્ર = ૧ વર્ષશતસહસ્ર ૮૪ વર્ષશતસહસ્ર = ૧ પૂર્વાગ ૮૪ પૂર્વાગ શતસહસ્ર = ૧ પૂર્વ ૮૪ પૂર્વશતસહસ્ર = ૧ ત્રુટિતાંગ ૮૪ ત્રુટિતાંગશતસહસ્ર = ૧ ત્રુટિત ૮૪ ત્રુટિતશતસહસ્ર = ૧ અડડાંગ ૮૪ અડડાંગશતસહસ્ર = ૧ અડડ ૮૪ અડડ શતસહસ્ત્ર = ૧ અવવાંગ ૮૪ અવવાંગ શતસહસ્ર = ૧ અવવ ૮૪ અવવ શતસહસ્ર = ૧ હુકાંગ ૮૪ હૂહુકાંગ શતસહસ્ર = ૧ હૂહુક ૮૪ જૂહુક શતસહસ્ર = ૧ ઉત્પલાંગ ૮૪ ઉત્પલાંગ શતસહસ્ર = ૧ ઉત્પલ ૮૪ ઉત્પલ શતસહસ્ર = ૧ પધાંગ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ૮૪ પદ્માંગ શતસહસ્ર = ૧ પદ્મ ૮૪ પદ્મ શતસહસ્ર = ૧ નલિનાંગ ૮૪ નલિનાંગ શતસહસ્ર = ૧ નલિન ૮૪ નલિન શતસહસ્ર = ૧ અસ્તિનીપૂરાંગ ૮૪ અસ્તિનીપૂરાંગ શતસહસ્ર = ૧ અસ્તિનીપૂર ૮૪ અસ્તિનીપૂર શતસહસ્ર ૧ અયુતાંગ ૮૪ અયુતાંગ શતસહસ્ર = ૧ અયુત ૮૪ અયુત શતસહસ્ર = ૧ નયુતાંગ ૮૪ નયુતાંગ શતસહસ્ર = ૧ નયુત ૮૪ નયુત શતસહસ્ર = ૧ પ્રયુતાંગ ૮૪ પ્રયુતાંગ શતસહસ્ર = ૧ પ્રયુત ૮૪ પ્રદ્યુત શતસહસ્ર = ૧ ચૂલિકાંગ ૮૪ ચૂલિકાંગ શતસહસ્ર = ૧ ચૂલિકા (સૂત્ર ૧૮). ૮૪ ચૂલિકા શતસહસ્ર = ૧ શીર્ષપ્રહેલિકાંગ ૮૪ શીર્ષપ્રહેલિકાંગ = ૧ શીર્ષપ્રહેલિકા ત્યારપછી સાગરોપમ અને પલ્યોપમનું વર્ણન કરવામાં આવ્યું છે અને એવું બતાવવામાં આવ્યું છે કે ચાર સાગરોપમ કોડાકોડીનો સુષમા-સુખમા કાળ હોય છે. આ કાળમાં ભારતવર્ષમાં દસ પ્રકારના કલ્પવૃક્ષો હોવાનું બતાવવામાં આવ્યું છે – મત્તાંગ, મૃતાંગ, ત્રુટિતાંગ, દીપશિખા, જ્યોતિષિક, ચિત્રાંગ, ચિત્રરસ, મણિઅંગ, ગેહાગાર અને અણિગણ. આ કલ્પવૃક્ષો પાસેથી ઈચ્છિત પદાર્થોની પ્રાપ્તિ થાય છે (૧૯-૨૦). આગળ જતાં આ કાળના પુરુષો અને સ્ત્રીઓનું વર્ણન (૨૧), તેમના આહાર અને નિવાસસ્થાનનું વર્ણન (૨૨-૨૪) અને તેમની ભવસ્થિતિનું વર્ણન છે (૨૫). અંગબાહ્ય આગમો સુષમા નામે બીજા કાળનું વર્ણન (૨૬) કર્યા બાદ સુષમા-દુષમા નામે ત્રીજા કાળનું વર્ણન કરવામાં આવ્યું છે (૨૭). આ કાળમાં સુમતિ, પ્રતિભુતિ, સીમંકર, સીમંધર, ક્ષેમંકર, ક્ષેમંધર, વિમલવાહન, ચક્ષુષ્માન્, યશસ્વી, અભિચંદ્ર, ચન્દ્રાભ, પ્રસેનજિત્, મરુદેવ, નાભિ અને વૃષભ નામે પંદર કુલકરો થયા. તેમાંના ૧ થી ૫ કુલકોએ હક્કાર (હાકાર) દંડનીતિ, ૬ થી ૧૦ કુલકરોએ મક્કાર (મા કરો) ૧. અહીં ટીકાકારે શીર્ષપ્રહેલિકાની સંખ્યા બતાવતાં વાચનાભેદના કારણે સૂત્રપાઠમાં ભેદ હોવાનું જણાવ્યું છે. જ્યોતિષ્મરંડમાં શીર્ષપ્રહેલિકાનું પ્રમાણ જુદું છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ દંડનીતિ અને ૧૧ થી ૧૫ સુધીના કુલકરોએ ધિક્કાર નામે દંડનીતિનો પ્રચાર કર્યો (૨૮-૨૯). નાભિ કુલકરની મરુદેવી ભાર્યાના ગર્ભમાં ઋષભનો જન્મ થયો. ઋષભ કોશલના નિવાસી હતા. તેઓ પ્રથમ રાજા, પ્રથમ જિન, પ્રથમ કેવલી, પ્રથમ તીર્થંકર અને પ્રથમ ધર્મવરચક્રવર્તી કહેવાતા હતા. તેમણે પુરુષોની ૭૨ કળાઓ, સ્ત્રીઓની ૬૪ કળાઓ તથા અનેક શિલ્પોનો ઉપદેશ આપ્યો. ત્યારપછી તેમણે પોતાના પુત્રોનો રાજયાભિષેક કર્યો. પછી હિરણ્ય-સુવર્ણ, ધન-ધાન્ય વગેરેનો ત્યાગ કરીને પાલખીમાં બેસી રાજધાની વિનીતાની વચ્ચે થઈને સિદ્ધાર્થવન ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યાં તેમણે સમસ્ત આભરણો અને અલંકારો ઉતારી કાઢ્યા, કેશનો લોચ કર્યો અને એક દેવદૂષ્ય ધારણ કરી શ્રમણધર્મમાં દીક્ષા ગ્રહણ કરી (૩૦). ઋષભ એક વર્ષ સુધી ચીવરધારી રહ્યા. તે પછી તેમણે વસ્ત્રનો સર્વથા ત્યાગ કર્યો. તપસ્વીજીવનમાં તેમને અનેક ઉપસર્ગો સહન કરવા પડ્યા પરંતુ તેઓ બધું શાંતભાવે સહન કરતા ગયા. તેમણે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કર્યું, તથા તેઓ શાંત, નિરુપલેપ અને નિરાલંબનભાવે અપ્રતિહત ગતિ પામ્યા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવસંબંધી સમસ્ત પ્રતિબંધોનો તેમણે ત્યાગ કર્યો. વર્ષા ઋતુને છોડી હેમંત અને ગ્રીષ્મમાં તેઓ ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાત વ્યતીત કરતા કરતા સુખ-દુઃખ, જીવન-મરણ, માન-અપમાન તથા સંપત્તિ-વિપત્તિમાં ૧. યાજ્ઞવક્યસ્મૃતિ (૧-૧૩-૩૬૭)માં ધિદંડ અને વાકુદંડનો ઉલ્લેખ છે. સ્થાનાંગ (૩.૭૭)માં સાત પ્રકારની દંડનીતિ જણાવવામાં આવી છે – હક્કાર, મક્કાર, ધિક્કાર, પરિભાષા, મંડલબંધ, ચારક, છવિચ્છેદ. નૃત્ય, ઔચિત્ય, ચિત્ર, વાચિત્ર, મંત્ર, તંત્ર, જ્ઞાન, વિજ્ઞાન, દંભ, જલસ્તંભ, ગીતમાન, તાલમાન, મેઘવૃષ્ટિ, ફલાવૃષ્ટિ, આરામપણ, આકારગોપન, ધર્મવિચાર, શકુનસાર, ક્રિયાકલ્પ, સંસ્કૃતજલ્પ, પ્રાસાદનીતિ, ધર્મરાંતિ, વર્ણિકાવૃદ્ધિ, સ્વર્ણસિદ્ધિ, સુરભિતૈલકરણ, લીલાસંચરણ, હયગજ-પરીક્ષણ, પુરુષ સ્ત્રીલક્ષણ, હેમરત્નભેદ, અષ્ટાદશલિપિપરિચ્છેદ, તત્કાલબુદ્ધિ, વાસ્તુસિદ્ધિ, કામવિક્રિયા, વૈદ્યકક્રિયા, કુંભભ્રમ, સારિશ્રમ, અંજનયોગ, ચૂર્ણયોગ, હસ્તલાઘવ, વચનપાટવ, ભોજયવિધિ, વાણિજયવિધિ, મુખમંડન, શાલિખંડન, કથાકથન, પુષ્પગ્રંથન, વક્રોક્તિ, કાવ્યશક્તિ, સ્ફારવિધિવેષ, સર્વભાષાવિશેષ, અભિધાજ્ઞાન, ભૂષણપરિધાન, નૃત્યોપચાર, ગૃહાચાર, વ્યાકરણ, પરનિરાકરણ, રંધન, કેશબંધન, વીણાનાદ, વિતંડાવાદ, અંકવિચાર, લોકવ્યવહાર, અંત્યાક્ષરિકા, પ્રશ્નપ્રહેલિકા. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૯૬ અંગબાહ્ય આગમો સમભાવ રાખતા રાખતા વિહાર કરવા લાગ્યા. વિહાર કરતા કરતા તેઓ પુરિમતાલ નગરના શકટમુખ ઉદ્યાનમાં આવ્યા અને ત્યાં ન્યગ્રોધ વૃક્ષની નીચે બેસી ધ્યાનમાં લીન થઈ ગયા. આ સમયે તેમને કેવળજ્ઞાન-દર્શનની પ્રાપ્તિ થઈ અને તેઓ કેવલી, સર્વજ્ઞ અને સર્વદર્શી કહેવાવા લાગ્યા. શ્રમણ-નિગ્રંથ અને નિગ્રંથીઓને પાંચ મહાવ્રત અને છ જીવનિકાયનો ઉપદેશ આપતા આપતા તેઓ પોતાના ગણધરો અને શ્રમણ-શ્રમણીઓ – આર્ય-આયિકાઓ સાથે વિહાર કરવા લાગ્યા (૩૧). કાળાંતરે અનેક શ્રમણો સાથે અષ્ટાપદ (કૈલાશ) પર્વત પર ઘોર તપશ્ચર્યા કરી તેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી. ઋષભદેવના નિર્વાણના સમાચાર મળતાં ઈન્દ્ર વગેરે દેવોએ ગોશીર્ષ-ચંદનની ચિતા રચી. ક્ષીરોદ સમુદ્રના જળથી તીર્થંકરના શરીરને સ્નાન કરાવ્યું, ચંદનનો લેપ કર્યો અને તેમને વસ્ત્રાલંકાર વડે વિભૂષિત કર્યા. પછી તેમને પાલખીમાં બેસાડી ચિતા પર સ્થાપિત કર્યા. અગ્નિકુમાર દેવોએ ચિતામાં અગ્નિ મૂક્યો, વાયુકુમાર દેવોએ અગ્નિ પ્રજ્વલિત કર્યો અને શરીર ભસ્મ થઈ જતાં મેઘકુમાર દેવોએ તેને જલવૃષ્ટિ દ્વારા શાંત કર્યો.' તે પછી દેવોએ તીર્થંકરનાં અસ્થિ ઉપર ચૈત્ય-સ્તૂપો સ્થાપિત કર્યા. ઈન્દ્ર વગેરે દેવોએ આઠ દિવસ સુધી પરિનિર્વાણ મહોત્સવ ઉજવ્યો. ત્યારબાદ પોતપોતાની સુધર્માસભાઓના ચૈત્ય-સ્તંભોમાં ગોળાકાર પાત્રોમાં તીર્થંકરનાં અસ્થિ સ્થાપિત કરીને તેઓ તેમની પૂજા-અર્ચના દ્વારા સમય યાપન કરવા લાગ્યા (૩૩). દુષમા-સુષમા નામક ચોથા કાળમાં અર્હત, ચક્રવર્તી અને દશાર વંશોમાં ૨૩ તીર્થંકર, ૧૧ ચક્રવર્તી, ૯ બલદેવ અને ૯ વાસુદેવ ઉત્પન્ન થયા. દુષમા નામક પાંચમા કાળમાં ઓછામાં ઓછા એક અન્તર્મુહૂર્ત અને વધુમાં વધુ ૧૦૦ વર્ષથી થોડું વધુ આયુષ્ય થશે. આ કાળમાં પાછળના ત્રીજા ભાગમાં ગણધર્મ અને ચરિત્રધર્મનો નાશ થશે (૩૫). દુષમા-દુષમા નામના છઠ્ઠા કાળમાં ભયંકર વાયુ વહેશે, દિશાઓ ધુમાડા અને ધૂળથી ભરાઈ જશે, ચન્દ્રમાં શીતળતા અને સૂર્યમાં ઉષ્ણતા રહેશે નહિ, વાદળોમાંથી અગ્નિ અને પત્થરોની વર્ષા થશે, ૧. રામાયણ (૬. ૧૦૧, ૧૧૪ વગેરે)માં કહેવામાં આવ્યું છે કે રાવણનું મૃત્યુ થતાં સુવર્ણની શિબિકા બનાવવામાં આવી, મૃતકને શૌમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં, રંગબેરંગી પતાકાઓ ફરકાવવામાં આવી અને પછી વાજતે-ગાજતે તેની શવયાત્રા કાઢવામાં આવી. આગ્નેય દિશામાં ચિતા પાસે એક વેદી બનાવવામાં આવી અને ત્યાં એક બકરાનો વધ કરવામાં આવ્યો. ત્યાર પછી ચિતા પર ખીલ વે૨ીને તેમાં આગ મૂકવામાં આવી. પ્રેતવાહન માટે દૂર્વા અને જળમિશ્રિત તલ ભૂમિ પર વેરવામાં આવ્યા. ત્યારપછી મૃતકને જલ-તર્પણ કરી નર-નારીઓ પોતાના ઘરે પાછા ફર્યા. વધુ માટે જુઓ મહાભારત ૧. ૧૩૪, ૧૩૬. - Page #133 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્વીપપ્રશક્તિ જેનાથી મનુષ્ય, પશુ, પક્ષી અને વનસ્પતિ વગેરે બધાનો નાશ થશે, માત્ર એક વૈતાઢય પર્વત બચી જશે. આ કાળના મનુષ્યો દીન, હીન તથા કૂડ, કપટ, કલહ, વધ અને વેરમાં સંલગ્ન રહેશે, તેઓ ચેષ્ટાવિહીન અને નિસ્તેજ બની જશે. વધુમાં વધુ ૨૦ વર્ષનું આયુષ્ય થશે, ઘરોના અભાવમાં તેઓ ગુફાઓમાં રહ્યા કરશે તથા માંસ, મત્સ્ય અને મૃત શરીર વગેરે ભક્ષણ કરી સમય યાપન કરશે (૩૬). આગળ ઉત્સર્પિણીના છ કાળનું વર્ણન છે (૩૭-૪૦)". ત્રીજો વક્ષસ્કાર : | વિનીતા રાજધાનીમાં ભરત ચક્રવર્તી રાજય કરતો હતો. તેની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. આયુધશાળાના અધ્યક્ષ પાસેથી ચક્રરત્નની ઉત્પત્તિ સાંભળીને ભરત ચક્રવર્તી અત્યંત પ્રસન્ન થયો. તે તરત પોતાના સિંહાસન પરથી ઊભો થયો, એકશાટિક ઉત્તરાસંગ ધારણ કરીને, હાથ જોડીને, ચક્રરત્નની સામે સાત-આઠ ડગલાં ચાલ્યો અને ડાબો ઘૂંટણ વાળીને તથા જમણો ઘૂંટણ ભૂમિ પર મૂકીને ચક્રરત્નને તેણે પ્રણામ કર્યા. ત્યારબાદ તેણે પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવીને વિનીતા નગરીને સાફ અને સ્વચ્છ કરવાનો આદેશ આપ્યો. ભરતે સ્નાનગૃહમાં પ્રવેશ કરી સુગંધિત જળ વડે સ્નાન કર્યું અને વસ્ત્રાભૂષણોથી અલંકૃત થઈ બહાર નીકળ્યો. પછી અનેક ગણનાયકો, દંડનાયકો, દૂતો, સંધિપાલો વગેરેથી ઘેરાઈને વાજતે-ગાજતે આયુધશાળા તરફ ચાલ્યો. તેની પાછળ પાછળ દેશ-વિદેશની અનેક દાસીઓ ચંદનકળશ, ભંગાર, દર્પણ, વાતકારક (જળશૂન્ય ઘડા), રત્નકરંડક, વસ્ત્રો, આભરણો, સિંહાસન, છત્ર, ચમર, તાડપત્રના પંખા, ધૂપદાની વગેરે લઈ ચાલી રહી હતી. આયુધશાળામાં પહોંચીને ભરત ચક્રરત્નને પ્રણામ કર્યા, રૂંવાદાર પીંછા વડે તેને સાફ કર્યું, જળધારા વડે સ્નાન કરાવ્યું, ચંદનનો લેપ કર્યો. પછી સુગંધી પદાર્થો, માળાઓ વગેરે વડે તેની પૂજા કરી. ત્યારબાદ ચક્રરત્નની સામે અક્ષતના આઠ મંગળ બનાવ્યા, પુષ્પોની વર્ષા કરી અને ધૂપ કર્યો. પછી ચક્રરત્નને પ્રણામ કરી ભરત આયુધશાળામાંથી બહાર આવ્યો. તેણે અઢાર શ્રેણી-પ્રશ્રેણીને ૧. જુઓ – લોકપ્રકાશ, ૧૮ મો સર્ગ અને તેથી આગળ; ત્રિલોકસાર, ૭૭૯-૮૬૭; જગદીશચન્દ્ર જૈન, સ્યાદ્વાદમંજરી, પરિશિષ્ટ, પૃ. ૩૫૭-૩૫૯ કુંભાર, પટ્ટઈલ (પટેલ), સુવર્ણકાર, સૂપકાર (રસોઈયા), ગાંધર્વ, કાશ્યપ (હજામ), માલાકાર (માળી), કચ્છકર (કાછીયા ?), તંબોલી, ચમાર, યંત્રપીડક (સંચા વગેરે ચલાવનાર), ગંછિય (ઘાંચી), છિપાય (છીપા), કંસકાર (કંસારા), સીવગ (દરજી), ગુઆર (ગોપાળ), ભીલ, ધીવર. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૯૮ અંગબાહ્ય આગમો બોલાવીને નગરીમાં આઠ દિવસના ઉત્સવની ઘોષણા કરી અને બધી જગ્યાએ કહેવડાવી દીધું કે આ દિવસોમાં વ્યાપારીઓ વગેરે પાસેથી કોઈપણ પ્રકારનો કર લેવામાં આવશે નહિ, રાજપુરુષો કોઈના ઘરમાં જબરદસ્તીથી પ્રવેશ કરી શકશે નહિ, કોઈનો અનુચિત દંડ કરવામાં આવશે નહિ અને લોકોનું ઋણ માફ કરી દેવામાં આવશે (૪૩). ઉત્સવ સમાપ્ત થઈ જતાં ચક્રરત્ન વિનીતાથી ગંગાના દક્ષિણ તટ પર પૂર્વ દિશામાં આવેલ માગધ તીર્થ તરફ પ્રયાણ કર્યું. આ જોઈ ભરત ચક્રવર્તી ચાતુરંગિણી સેના વડે સજજ થઈ, હસ્તિરત્ન પર સવાર થઈ, ગંગાના દક્ષિણ તટના પ્રદેશોને જીતતો જીતતો, ચક્રરત્નની પાછળ પાછળ ચાલીને માગધ તીર્થમાં આવ્યો અને ત્યાં પોતાનો પડાવ નાખ્યો. હસ્તિરત્ન પરથી ઊતરીને ભરતે પ્રોષધશાળામાં પ્રવેશ કર્યો અને ત્યાં દર્ભના સંથારા પર બેસીને માગધતીર્થકુમાર નામે દેવની આરાધના કરવા લાગ્યો. પછી ભરતે બહારની ઉપસ્થાનશાળામાં આવીને કૌટુંબિક પુરુષોને અશ્વરથ તૈયાર કરવાનો આદેશ આપ્યો (૪૪). ચાર ઘંટવાળા અશ્વરથ ઉપર સવાર થઈને પોતાના લાવલશ્કર સહિત ભરત ચક્રવર્તીએ ચક્રરત્નનું અનુગમન કરતાં લવણસમુદ્રમાં પ્રવેશ કર્યો. ત્યાં પહોંચીને તેણે મગધતીર્થાધિપતિ દેવના ભવનમાં એક બાણ માર્યું, જેનાથી દેવ પોતાના સિંહાસન પર ખળભળી ઉઠ્યો. બાણ પર લખેલું ભરત ચક્રવર્તીનું નામ વાંચીને દેવને જાણ થઈ કે ભારતવર્ષમાં ભરત નામે ચક્રવર્તીનો જન્મ થયો છે. તેણે તરત જ ભરતની પાસે પહોંચી વધાઈ આપી અને નિવેદન કર્યું – દેવાનુપ્રિયનો હું આજ્ઞાકારી સેવક છું, મારે યોગ્ય સેવાનો આદેશ આપો. ત્યારબાદ દેવનો આદરસત્કાર સ્વીકારીને ભરત ચક્રવર્તીએ પોતાના રથને ભારતવર્ષ તરફ પાછો વાળ્યો અને વિજયસ્કંધાવારનિવેશમાં પહોંચીને મગધતીર્થાધિપતિના સન્માનમાં આઠ દિવસના ઉત્સવની ઘોષણા કરી. ઉત્સવ સમાપ્ત થતાં ચક્રરને વરદામ તીર્થ તરફ પ્રસ્થાન કર્યું (૪૫). વરદામ તીર્થમાં ભરત ચક્રવર્તીએ વરદામતીર્થકુમાર દેવની અને પ્રભાસ તીર્થમાં પ્રભાસતીર્થકુમાર દેવની સિદ્ધિ પ્રાપ્ત કરી (૪૬-૪૯). એ જ રીતે સિંધુ દેવી, વૈતાઢયગિરિકુમાર અને કૃતમાલ દેવને સિદ્ધ કર્યા (૫૦-૫૧). ત્યારબાદ ભરત ચક્રવર્તીએ પોતાના સુષેણ નામના સેનાપતિને સિંધુ નદીની પશ્ચિમમાં રહેલ નિષ્ફટ પ્રદેશ જીતવા મોકલ્યો. સુષેણ મહા પરાક્રમી અને અનેક ૧. જૈન પરંપરા અનુસાર રાજા કૃણિક પણ દિગ્વિજય માટે તિમિસગુહામાં ગયો હતો, પરંતુ કૃતમાલ દેવ દ્વારા હણાઈને તે છઠ્ઠા નરકમાં ગયો હતો. જુઓ – આવશ્યકચૂર્ણિ ૨, પૃ. ૧૭૭,૦ Page #135 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્વીપપ્રાપ્તિ ૯૯ પ્લેચ્છ ભાષાઓનો પંડિત હતો. તે પોતાના હાથી પર બેસીને સિંધુ નદીના કિનારે પહોંચ્યો અને ત્યાંથી ચામડાની નૌકા દ્વારા નદીમાં પ્રવેશ કરીને તેણે સિંહલ, બર્બર, અંગકોક, ચિડાયલોક (ચિલાય અર્થાત્ કિરાત), યવનપ્લીપ, આરબક, રોમક, અલફંડ (અલેક્સેન્દ્રિયા) તથા પિમ્બુર, કાલમુખ અને જોનક (યવન) નામે પ્લેચ્છો તથા ઉત્તર વૈતાઢ્યમાં રહેનારી મ્લેચ્છ જાતિ અને દક્ષિણ-પશ્ચિમથી લઈને સિંધુસાગર સુધીનો પ્રદેશ તથા સર્વપ્રવર કચ્છ દેશને જીતી લીધો. સુષેણ વિજયી થતાં અનેક જનપદો અને નગરો વગેરેના સ્વામીઓ સેનાપતિની સેવામાં અનેક આભરણી, ભૂષણો, રત્નો, વસ્ત્રો તથા અન્ય બહુમૂલ્ય ભેટો લઈને હાજર થયા (૫૨), ત્યારપછી સુષેણ સેનાપતિએ તિમિસગુહાના દક્ષિણ દ્વારના કમાડોનું ઉદ્ઘાટન કર્યું (પ૩). ત્યારબાદ ભરત ચક્રવર્તી પોતાના મણિરત્નને લઈને તિમિસગુહાના દક્ષિણ દ્વાર પાસે ગયો અને ભીંત ઉપર કાકણિરત્ન વડે તેણે ૪૯ મંડલ દોર્યા (૫૪). | ઉત્તરાર્ધ ભારતમાં આપાત નામના કિરાતો રહેતા હતા. તેઓ અનેક ભવન, શયન, યાન, વાહન તથા દાસ, દાસી, ગૌ, મહિષ વગેરેથી સંપન્ન હતા. એક વાર પોતાના દેશમાં અકાલ ગર્જન, અકાળે વિદ્યુતના ચમકારા અને વૃક્ષોનું ફળવુંફૂલવું તથા આકાશમાં દેવતાઓનું નૃત્ય જોઈને તેઓને બહુ ચિંતા થઈ. તેમણે વિચાર્યું કે નજીકમાં જ કોઈ આપત્તિ આવનાર છે. એટલામાં તિમિસગુહાના ઉત્તરદ્વારથી બહાર નીકળીને ભરત ચક્રવર્તી પોતાની સેના સહિત ત્યાં આવી પહોંચ્યો. બંને સેનાઓ વચ્ચે યુદ્ધ થયું અને કિરાતોએ ભરતની સેનાને મારી ભગાડી (૫૬). પોતાની સેનાનો પરાજય જોઈને સુષેણ સેનાપતિ અથરત્ન પર આરૂઢ થઈ અસિરત્ન હાથમાં લઈ કિરાતો સામે ધસી ગયો અને તેણે શત્રુસેનાને યુદ્ધમાં હરાવી દીધી (૫૭). કિરાતો સિંધુ નદીના કિનારે વાલુકાપટ પર ઉર્ધ્વમુખ કરીને વસ્ત્રરહિત બની સૂઈ ગયા અને અષ્ટમભક્ત વડે પોતાના કુળદેવતા મેઘમુખ નામે નાગકુમારોની આરાધના કરવા લાગ્યા. તેનાથી નાગકુમારોનાં આસનો કંપાયમાન થયાં અને તેઓ તરત જ કિરાતો પાસે આવી હાજર થયા. પોતાના કુલદેવતાઓને જોઈને કિરાતોએ તેમને પ્રણામ કર્યા અને જય-વિજયપૂર્વક વધાવ્યા. તેઓએ કુલદેવતાઓને નિવેદન કર્યું - હે દેવાનુપ્રિયો ! આ કોણ દુષ્ટ અમારા દેશ પર ૧. ૪ મધુરતૃણફલ = ૧ શ્વેતસર્ષપ ૧૬ શ્વેતસર્ષપ = ૧ ધાન્યમાષફલ ૨ ધાન્યમાષફલ = ૧ ગુંજા ૫ ગુંજા = ૧ કર્મમાષક ૧૬ કર્મમાષક = ૧ સુવર્ણ ૧૮ સુવર્ણ = ૧ કાકણીરત્ન (- ટીકા) Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦) અંગબાહ્ય આગમો ચડી આવ્યો છે ? આપ તેને શીધ્ર ભગાડી દો. નાગકુમારોએ ઉત્તર આપ્યો – આ ભરત નામે ચક્રવર્તી છે, જે કોઈ પણ દેવ, દાનવ, કિન્નર, કિંપુરુષ, મહોરગ કે ગાંધર્વ વડે જીતી શકાતો નથી અને ન કોઈ શસ્ત્ર, અગ્નિ, મંત્ર વગેરેથી પણ તેની કોઈ હાનિ કરી શકાય. છતાં પણ તમારા બધાનાં હિત માટે ત્યાં પહોંચીને અમે કેટલોક ઉપદ્રવ કરીશું. આટલું કહી નાગકુમારો વિજયરૂંધાવારનિવેશમાં આવીને મૂશળધાર વર્ષા કરવા લાગ્યા (૫૮). પરંતુ ભારતે વરસાદની કોઈ પરવા ન કરી અને પોતાના ચર્મરત્ન પર સવાર થઈને, છત્રરત્ન વડે વરસાદને રોકીને મણિરત્નના પ્રકાશમાં સાત રાત્રિઓ પસાર કરી (૫૯-૬૦). દેવોને જ્યારે આ ઉપદ્રવની ખબર પડી ત્યારે તેઓ મેઘમુખ નાગકુમારોને ઠપકો આપતા કહેવા લાગ્યા – શું તમે નથી જાણતા કે ભરત ચક્રવર્તી અજેય છે ? છતાં પણ તમે વર્ષા દ્વારા ઉપદ્રવ કરી રહ્યા છો ? આ સાંભળી નાગકુમારો ભયભીત બની ગયા અને તેમણે કિરાતો પાસે જઈને બધી વિગત કહી. ત્યારપછી કિરાત લોકો ભીના વસ્ત્રો ધારણ કરી, શ્રેષ્ઠ રત્નો સાથે લઈ ભરતના શરણે ગયા અને અપરાધો માટે ક્ષમા માગવા લાગ્યા. રત્નો ગ્રહણ કરી ભરતે કિરાતોને અભયદાનપૂર્વક સુખેથી રહેવાની અનુમતિ આપી (૬૧). ત્યારપછી ભરતે ક્ષુદ્રહિમવંત પર્વત પાસે પહોંચીને શુદ્રહિમવંતગિરિકુમારની આરાધના કરી તેને સિદ્ધ કર્યો (૬૨), પછી ઋષભકૂટપર્વત પર પહોંચી ત્યાં કાકણિરત્ન વડે પર્વતની ભીંત પર પોતાનું નામ અંકિત કર્યું. ત્યારબાદ તે વૈતાઢ્ય પર્વત તરફ પાછો ફર્યો (૬૩). ત્યાં પહોંચીને ભરતે નમિ અને વિનમિ નામે વિદ્યાધર રાજાઓને સિદ્ધ કર્યા. વિનમિએ ભરત ચક્રવર્તીને સ્ત્રીરત્ન અને નમિએ રત્ન, કટક અને બાજુબંધ ભેટ આપ્યાં (૬૪). ત્યારપછી ભરતે ગંગા દેવીની સિદ્ધિ કરી, ખંડપ્રપાતગુફામાં પહોંચીને નૃતમાલક દેવતાને સિદ્ધ કર્યો અને ગંગાની પૂર્વમાં રહેલ નિષ્કટ પ્રદેશ જીતી લીધો. સુષેણ સેનાપતિએ ખંડપ્રપાત ગુફાના કપાટોનું ઉદ્ઘાટન કર્યું. અહીં પણ ભરતે કાકણિરત્ન દ્વારા મંડલો બનાવ્યાં (૬૫). આ પછી ભરતે ગંગાના પશ્ચિમ તટ પર વિજયરૂંધાવાર નિવેશ સ્થાપિત કરીને નિધિરત્નની સિદ્ધિ કરી. તે સમયે ચક્રરત્ન પોતાની યાત્રા સમાપ્ત કરી વિનીતા રાજધાની તરફ પાછુ વળ્યું. ભરત ચક્રવર્તી પણ દિગ્વિજય કર્યા પછી હસ્તિરત્ન પર સવાર થઈ તેની પાછળ પાછળ ચાલ્યો. હાથીની આગળ આઠ ૧. નૈસર્પ, પાંડુક, પિંગલક, સર્વરત્ન, મહાપદ્મ, કાલ, મહાકાલ, મવક અને શંખ – આ નવ નિધિ કહેવાય છે, Page #137 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્દીપપ્રજ્ઞપ્તિ ૧૦૧ મંગળ, પૂર્ણકલશ, ભંગાર, છત્ર, પતાકા અને દંડ વગેરે સ્થાપિત કરવામાં આવ્યાં. પછી ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, દંડરત્ન, અસિરત્ન, મણિરત્ન, કાકણિરત્ન અને ત્યારબાદ નવ નિધિઓ રાખવામાં આવ્યાં. ત્યારબાદ અનેક રાજાઓ, સેનાપતિરત્ન, ગૃહપતિરત્ન, વધેકિરત્ન, પુરોહિતરત્ન અને સ્ત્રીરત્ન ચાલી રહ્યાં હતાં. પછી બત્રીસ પ્રકારના નાટકોના પાત્રો તથા સૂપકાર, અઢાર શ્રેણી-પ્રશ્રેણી અને તેમની પાછળ ઘોડા, હાથી તથા અનેક પદાતિ ચાલી રહ્યાં હતાં. ત્યારપછી અનેક રાજાઓ, ઈશ્વરો વગેરે હતા અને તેમની પાછળ અસિ, યષ્ટિ, કુંત વગેરે વહન કરનાર તથા દેડી, મુંડી, શિખંડી વગેરે હસતા, નાચતા અને ગાતા ચાલી રહ્યા હતા. ભરત ચક્રવર્તીની આગળ આગળ મોટા અશ્વો, અશ્વધારીઓ, બંને બાજુ હાથીઓ, હાથીસવારો અને પાછળ પાછળ રથસમૂહ ચાલી રહ્યા હતા. અનેક કામાર્થીઓ, ભોગાર્થીઓ, લાભાર્થીઓ વગેરે ભરતની સ્તુતિ કરતા કરતા ચાલી રહ્યા હતા. પોતાના ભવનમાં પહોંચીને ભરત ચક્રવર્તીએ સેનાપતિરત્ન, ગૃહપતિરત્ન, વધેકિરત્ન અને પુરોહિતરત્નનો સત્કાર કર્યો, સૂપકારો, અઢાર શ્રેણી-પ્રશ્રેણી તથા રાજાઓ વગેરેનું સન્માન કર્યું તથા અનેક ઋતુકલ્યાણિકાઓ, જનપદકલ્યાણિકાઓ અને વિવિધ નાટકો વડે વેષ્ટિત સ્ત્રીરત્ન સાથે આનંદપૂર્વક જીવનયાપન કરવા લાગ્યો (૬૭). એક દિવસ ભરતે પોતાના સેનાપતિ વગેરેને બોલાવીને મહારાજયાભિષેકની તૈયારી કરવા આદેશ ક્ય. અભિષેકમંડપમાં અભિષેક-આસન સજાવવામાં આવ્યું. તેની ઉપર ભરત ચક્રવર્તી પૂર્વ તરફ મોઢું રાખીને બેઠો. માંડલિક રાજાઓએ ભરતની પ્રદક્ષિણા કરી જય-વિજય વડે તેને વધાવ્યો, સેનાપતિ, પુરોહિત, સૂપકાર, શ્રેણીપ્રશ્રેણી વગેરેએ તેનો અભિષેક કર્યો અને તેને હાર તથા મુકુટ વગેરે બહુમૂલ્ય આભૂષણો પહેરાવ્યાં. નગરીમાં આનંદમંગળ મનાવવામાં આવ્યું (૬૮). એક વખતની વાત છે. ભરત ચક્રવર્તી પોતાના આદર્શગૃહ (આયનાઘર)માં સિંહાસન પર બેઠો હતો તે સમયે તેને કેવળજ્ઞાન થયું. ભરતે તે જ વખતે આભરણો અને અલંકારોનો ત્યાગ કરી પંચમુષ્ટિ લોન્ચ કર્યો અને રાજ્ય છોડી અષ્ટાપદ પર્વત પર પ્રસ્થાન કર્યું. ત્યાં તેણે નિર્વાણપદ પ્રાપ્ત કર્યું (૭૦). ચોથો વક્ષસ્કાર : આમાં નીચેના વિષયો છે – શુદ્રહિવત પર્વતનું વર્ણન (૭૨), આ પર્વતની વચ્ચે પદ્મ નામનું એક સરોવર (૭૩). ગંગા, સિંધુ, રોહિતાયા નદીઓનું વર્ણન (૭૪), ક્ષુદ્રહિમવત્ પર્વત પર અગિયાર કૂટોનું વર્ણન (૭૫), હૈમવતક્ષેત્રનું વર્ણન (૭૬), આ ક્ષેત્રમાં શબ્દાપાતી નામક વૈતાઢ્યનું વર્ણન (૭૭), મહાહિમવત્ પર્વત અને તે પર્વતના મહાપર્વધ નામે સરોવરનું વર્ણન (૭૮-૭૯), હરિવર્ષનું પર્ણન (૮૨), નિષધ પર્વત અને તે પર્વતના તિબિંછ નામે સરોવરનું વર્ણન (૮૩-૮૪), એ.આ.- ૯ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ અંગબાહ્ય આગમો મહાવિદેહક્ષેત્ર અને ગંધમાદન નામક પર્વતનું વર્ણન (૮૫-૮૬), ઉત્તરકુરમાં યમક પર્વત (૮૭-૮૮), જંબૂવૃક્ષનું વર્ણન (૯૦), મહાવિદેહમાં માલવંત પર્વત (૯૧), મહાવિદેહમાં કચ્છ નામક વિજયનું વર્ણન (૯૩), ચિત્રકૂટનું વર્ણન (૯૪), બાકીના વિજયોનું વર્ણન (૯૫), દેવગુરુનું વર્ણન (૯), મેરુપર્વતનું વર્ણન (૧૦૩), નંદનવન, સોમનસવન વગેરેનું વર્ણન (૧૦૪-૧૦૬), નીલપર્વતનું વર્ણન (૧૧૦), રમ્યક, હૈરણ્યવત અને ઐરાવત ક્ષેત્રનું વર્ણન (૧૧૧). પાંચમો વક્ષસ્કાર : આમાં આઠ દિકુમારીઓ દ્વારા તીર્થકરનો જન્મોત્સવ ઉજવવાનો ઉલ્લેખ છે. આ દેવીઓ ચાર આંગળ છોડીને તીર્થંકરની નાભિનાળ કાપે છે અને પછી ખાડો ખોદી તેમાં દાટી દે છે. તે ખાડાની ઉપર દુર્વા વાવે છે અને કદલીનાં વૃક્ષો રોપે છે. આ કદલીગૃહમાં બનાવેલ ચતુઃ શાળામાં એક સિંહાસન સ્થાપિત કરવામાં આવે છે. તીર્થકર અને તેમની માતાને આ સિંહાસન પર બેસાડીને તેમને સ્નાન કરાવવામાં આવે છે અને પછી તેમને વસ્ત્રાલંકાર વડે વિભૂષિત કરવામાં આવે છે. ગોશીષચંદનનાં કાષ્ટ સળગાવીને ભૂતિકર્મ કરવામાં આવે છે, નજરથી બચાવવા માટે રક્ષાપોટલી બાંધવામાં આવે છે અને પછી બાળકના દીર્ધાયુની કામના માટે બે ગોળ પત્થરના ટુકડા તીર્થકરના કાનમાં વગાડવામાં આવે છે (૧૧૨-૧૧૪). ઈંદ્ર તીર્થકરના જન્મના સમાચાર મળતાં પોતાના સેનાપતિ નૈગમેલીને બોલાવીને સુધર્માસભામાં ઘોષણા કરવાનું કહે છે અને પાલક વિમાન સજ્જ કરવાની આજ્ઞા આપે છે (૧૧૫-૧૧૬). ઈન્દ્રનું પરિવારસહિત આગમન થાય છે અને તે પાંડુકવનમાં અભિષેકશિલા પર તીર્થકરને અભિષેક માટે લઈ જાય છે (૧૧૭). ઈશાનેન્દ્ર વગેરે દેવોનું આગમન થાય છે અને જલધારા વડે બાળકનો અભિષેક કરવામાં આવે છે (૧૧૮-૧૨૨). પછી બાળકને મા પાસે પાછો પહોંચાડવામાં આવે છે (૧૨૩). છઠ્ઠો વક્ષસ્કાર : જંબુદ્વીપમાં સાત ક્ષેત્રો (વર્ષ) છે – ભરત, ઐરાવત, હૈમવત, હિરણ્યવત, હરિ, રમ્યક અને મહાવિદેહ. જંબૂદ્વીપમાં ત્રણ તીર્થો છે – માગધ, વરદામ અને પ્રભાસ (૧૨૫). ૧. મથુરામાં નૈગમેષની મૂર્તિઓ મળી છે. કલ્પસૂત્ર (૨.૨૬)માં પણ હરિશૈગમેષીનો ઉલ્લેખ છે. અહીં તેણે દેવાનંદા બ્રાહ્મણીને અવસ્થાપિની વિદ્યા વડે સુવડાવીને મહાવીરનું હરણ કર્યું હતું. Page #139 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ૧૦૩ સાતમો વક્ષસ્કાર : જબૂદ્વીપમાં બે ચંદ્રો, બે સૂર્યો, છપ્પન નક્ષત્રો અને ૧૭૬ મહાગ્રહો પ્રકાશ કરે છે (૧૨૬). આગળ સૂર્યમંડળોની સંખ્યા વગેરે (૧૩૦-૧૩૨), એક મુહૂર્તમાં ગમન (૧૩૩), દિવસ અને રાત્રિનું માપ (૧૩૪), સૂર્યના આતપનું ક્ષેત્ર (૧૩૫), સૂર્યનું અંતર વગેરે (૧૩૬-૧૩૮), સૂર્યનો ઊર્ધ્વ અને તિર્યક્ તાપ (૧૩૯-૧૪૦), ચંદ્રમંડળોની સંખ્યા વગેરે (૧૪૩-૧૪૭), એક મુહૂર્તમાં ચન્દ્રની ગતિ (૧૪૮), નક્ષત્રમંડળો આદિ (૧૪૯) ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે તથા સૂર્યના ઉદયાસ્ત સંબંધી કેટલીક મિથ્યાધારણાઓ બતાવવામાં આવી છે (૧૧૦). સંવત્સરો પાંચ હોય છે – નક્ષત્ર, યુગ, પ્રમાણ, લક્ષણ અને શનૈશ્ચર. આ બધાના અવાંતર ભેદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે (૧૫૧). સંવત્સરના માસ, પક્ષ વગેરેનો ઉલ્લેખ કરતાં બતાવવામાં આવ્યું છે કે કરણ ૧૧ હોય છે (૧૫ર૧૫૩). આગળ ઉપર સંવત્સરાધિકાર (૧૫૪), નક્ષત્રાધિકાર (૧૫૫-૧૫૬), નક્ષત્રોના દેવતા (૧૫૭-૧૫૮), નક્ષત્રોનાં ગોત્ર અને આકાર (૧૫૯), નક્ષત્ર, ચંદ્ર અને સૂર્યનો યોગકાળ (૧૬૦), નક્ષત્રોનાં કુળ વગેરે (૧૬૧), વર્ષાકાળ વગેરેમાં નક્ષત્રોનો યોગ (૧૬૨), ચંદ્ર, સૂર્ય અને તારામંડળનો પરિવાર (૧૬૨૧૬૪), નક્ષત્રોનો આત્યંતર સંસ્થાન-વિસ્તાર (૧૯૫), ચંદ્ર વગેરે વિમાનોને વહન કરનારા દેવી-દેવતાઓ (૧૬૬), ચંદ્ર, સૂર્ય, ગ્રહો અને નક્ષત્રોની ગતિની તુલના (૧૯૭-૧૬૯), જ્યોતિષ્કન્દ્રોની અઝમહિષીઓ અને દેવોની સ્થિતિ (૧૭૦), નક્ષત્રોના અધિષ્ઠાતા (૧૭૧), ચંદ્ર વગેરેનું અલ્પબદુત્વ અને જિન વગેરેની સંખ્યા (૧૭૨-૧૭૩) અને જંબૂદ્વીપનો વિસ્તાર વગેરેનો ઉલ્લેખ છે (૧૭૪–૧૭૬). Page #140 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પ્રકરણ નિરયાવલિકા નિરયાવલિયા અથવા નિરયાવલિકા શ્રુતસ્કંધમાં પાંચ ઉપાંગો સમાવિષ્ટ છે – ૧. નિરયાવલિયા અથવા કપ્પિયા (કલ્પિકા), ૨. કપ્પવડંસિયા (કલ્પાવતંસિકા, ૩. પુલ્ફિયા (પુષ્પિકા), ૪. પુચૂલિયા (પુષ્પચૂલિકા) અને ૫. વષ્ટિદસા (વૃષ્ણિદશા). પ્રો. વિન્ટરનિત્ઝનું કહેવું છે કે મૂળમાં આ પાંચે ઉપાંગો નિરયાવલિસૂત્રના જ નામે ઓળખાતા હતા, પરંતુ આગળ જતાં ઉપાંગોની સંખ્યાનો અંગોની સંખ્યા સાથે મેળ બેસાડવા માટે તેમને અલગ અલગ ગણવામાં આવ્યા. નિરયાવલિયાસૂત્ર પર ચંદ્રસૂરિએ ટીકા લખી છે. નિરયાવલિયા : રાજગૃહ નગરમાં ગુણશિલ નામે એક ચૈત્ય હતું. ત્યાં મહાવીરના શિષ્ય આર્ય સુધર્મા નામે ગણધર વિહાર કરતા કરતા આવ્યા. પોતાના શિષ્ય આર્ય જંબૂના ૧. (અ) ટિપ્પણી સહિત સં. વારેન, એમ્સ્ટર્ડમ, ઈ.સ.૧૮૭૯. (આ) ચંદ્રસૂરિષ્કૃત વૃત્તિ તથા ગુજરાતી વિવેચન સાથે, આગમસંગ્રહ, બનારસ, ઈ.સ.૧૯૮૫. (ઇ) હિન્દી અનુવાદ સહિત અમોલકઋષિ, લાલા સુખદેવ સહાય જ્વાલા પ્રસાદ, હૈદરાબાદ, ઈ.સ.૧૯૨૦. (ઈ) ચંદ્રસૂરિકૃત વૃત્તિ સહિત – દાનવિજયગણિ, આગમોદય સમિતિ, ઈ.સ.૧૯૨૨ (ઉ) પ્રસ્તાવના વગેરે સાથે – પી.એલ.વૈદ્ય, પૂના. - એ. એસ. ગોપાણી અને વી. જે. ચોક્સી, અમદાવાદ, ઈ.સ.૧૯૩૪. (ઊ) ચંદ્રસૂરિકૃત ટીકાના ગુજરાતી અર્થ સાથે, જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, ઈ.સ.૧૯૩૪. (એ) સંસ્કૃત વ્યાખ્યા તથા તેના હિન્દી-ગુજરાતી અનુવાદ સાથે, મુનિ ઘાસીલાલજી, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૬૦. (ઐ) (મૂળ) સં. જિનેન્દ્રવિજયગણિ, હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાળા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ઈ.સ.૧૯૭૮ . (ઓ) (મૂળ) સં. રતનલાલ ડોશી, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના. (ઔ) હિન્દી અનુવાદ સહિત – મધુકરમુનિ, આગમ પ્રકાશન સમિતિ, બ્યાવર, ઈ.સ.૧૯૮૫. Page #141 -------------------------------------------------------------------------- ________________ નિરયાવલિકા ૧૦૫ પ્રશ્નોના ઉત્તરમાં તેમણે નિરયાવલિયા વગેરે ઉપાંગોનું પ્રતિપાદન કર્યું. નિરયાવલિયાસૂત્રમાં દસ અધ્યયનો છે જેમાં કાલ, સુકાલ, મહાકાલ, કષ્ટ, સુકર્ણા, મહાકહ, વીરકણ્વ, રામષ્ઠ, પિઉસેણકર્ણા અને મહાસેણકર્ણાનું વર્ણન છે. ચંપા નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તેની રાણી ચેલ્લણાના પેટે કૂણિકનો જન્મ થયો. શ્રેણિકની બીજી રાણી કાલી હતી. તેના પેટે કાલ નામક રાજકુમારનો જન્મ થયો. એક વખતની વાત છે, કાલે કૂણિક પર ચઢાઈ કરી અને બંને ભાઈઓમાં રથમુશલ સંગ્રામ' થવા લાગ્યો. તે સમયે મહાવીર પોતાના શ્રમણો સાથે ચંપા નગરીમાં વિહાર કરી રહ્યા હતા. કાલીએ મહાવીર સમીપ જઈને પ્રશ્ન કર્યો કે ભગવન્ ! કાલનો જય થશે કે પરાજય ? મહાવીરે જવાબ દીધો કાલ કૂણિકની સાથે રથમુશલ સંગ્રામ કરતો કરતો વૈશાલીના રાજા ચેટક દ્વારા મૃત્યુ પામશે અને હવે તું તેને જોઈ શકીશ નહિ. - રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તેની નંદા રાણીના પેટે અભયકુમાર નો જન્મ થયો હતો. એક વખતની વાત છે, શ્રેણિકની રાણી ચેલ્લણાને પોતાના પતિના ઉદરનું માંસ તળીને સુરા વગેરે સાથે ભક્ષણ કરવાનો દોહદ પેદા થયો અને દોહદ પૂર્ણ ન થવાને કારણે તે રુગ્ણ અને ઉદાસ રહેવા લાગી. રાણીની અંગપરિચારિકાએ આ સમાચાર રાજાને આપ્યા. રાજાએ ચેલ્લણા પાસે પહોંચી તેની ચિંતાનું કારણ પૂછ્યું. પહેલાં તો રાણીએ કંઈ જવાબ આપ્યો નહિ, ૧. અંતગડદસાઓ (૭, પૃ. ૪૩)માં કાલી, સુકાલી, મહાકાલી, કૃષ્ણા, સુકૃષ્ણા, મહાકૃષ્ણા, વીરકૃષ્ણા, રામકૃષ્ણા, પિઉસેણકૃષ્ણા, મહાસેણકૃષ્ણા આ શ્રેણિકની પત્નીઓના નામ ગણાવવામાં આવ્યા છે. G ૨. જૈન સૂત્રોમાં મહાશિલાકંટક અને રથમુશલ નામે બે મહાસંગ્રામોનો ઉલ્લેખ મળે છે. આ યુદ્ધોમાં લાખો માણસો માર્યા ગયા હતા. જુઓ ભગવતી, ૭. ૯. ૫૭૬-૭૮; આવશ્યકચૂર્ણિ, ૨, પૃ. ૧૭૪. ---- ૩. અભયકુમાર રાજા શ્રેણિકનો એક કુશળ મંત્રી હતો. તેની બુદ્ધિમત્તાની અનેક કથાઓ આવશ્યકચૂર્ણિ વગેરે જૈન ગ્રંથોમાં મળે છે. આજ પણ કાઠિયાવાડમાં અભયકુમા૨ના નામે અનેક કથાઓ પ્રસિદ્ધ છે. ૪. બાળક ગર્ભમાં આવ્યા પછી બે-ત્રણ મહિને ગર્ભવતી સ્ત્રીઓને અનેક પ્રકારની ઈચ્છાઓ થાય છે જેને દોહદ (દ્વિ–હૃદય) કહેવામાં આવે છે. જુઓ – સુશ્રુતસંહિતા, શારીરસ્થાન, અધ્યાય ૩; મહાવર્ગી, ૧૦. ૨. ૫. પૃ. ૩૪૩; પેન્જર, કથાસરિત્સાગર, એપેન્ડિક્સ ૩, પૃ. ૨૨૧-૮; જગદીશચંદ્ર જૈન, જૈન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ, પૃ. ૨૩૯-૨૪૦ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ અંગબાહ્ય આગમો પરંતુ વારંવાર પૂછાતાં તેણે બતાવ્યું કે સ્વામી મને અભાગણીને આપના ઉદરનું માંસ ભક્ષણ કરવાનો દોહદ થયો છે. રાજાએ ચેલ્લણાને પ્રિય અને મનોજ્ઞ વચનો દ્વારા આશ્વાસન આપ્યું અને કહ્યું કે તે દોહદ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે. એક દિવસ રાજા શ્રેણિક ચિંતામાં મગ્ન બની પોતાની ઉપસ્થાનશાળામાં બેઠો હતો ત્યારે ત્યાં અભયકુમાર આવી પહોંચ્યો. અભયકુમારે પૂછવાથી રાજાએ તેને બધી વાત કરી. અભયકુમારે એક વિશ્વાસપાત્ર નોકરને બોલાવીને વધસ્થાનમાંથી કેટલુંક તાજું માંસ – લોહી અને ઉદરપ્રદેશનું માંસ લાવવા માટે કહ્યું. ત્યારપછી તેણે રાજાને એકાંતમાં સીધો સુવડાવી તેના પેટ પર તે માંસ અને રૂધિર મૂકી તેને ઢાંકી દીધું. પ્રાસાદની ઉપર બેઠેલી ચેલ્લણા જોઈ શકે તેમ અભયકુમારે રાજાના પેટ ઉપરથી માંસના નાના-નાના ટુકડા કાપવાનો દેખાવ કર્યો અને રાજા થોડી વાર સુધી બેભાન હોવાનો દેખાવ કરી પડ્યો રહ્યો. આ રીતે અભયકુમારની બુદ્ધિમત્તાથી રાણીનો દોહદ પૂરો થયો. - છતાં પણ રાણી સંતુષ્ટ ન હતી. તે વિચાર્યા કરતી કે આ બાળક ગર્ભમાં આવતાં તેને પોતાના પતિનું માંસ ભક્ષણ કરવાનો દોહદ ઉત્પન્ન થયો છે તેથી આ અમંગળકારી ગર્ભને પાડી નાખવો તે શ્રેયસ્કર થશે. ગર્ભપાત કરવા માટે રાણીએ ઘણા ઉપાયો પણ કર્યા, પરંતુ કંઈ વળ્યું નહિ. ધીરે ધીરે નવ મહિના વીતી ગયા અને ચેલ્લણાએ પુત્રને જન્મ આપ્યો. રાણીએ વિચાર્યું કે આ બાળક ગર્ભમાં આવતાં મને પોતાના પતિનું માંસભક્ષણ કરવાની ઈચ્છા થઈ હતી એટલા માટે જરૂર કુળનો વિધ્વંસક હોવો જોઈએ. આમ વિચારી તેણે પોતાની દાસીના હાથે નવજાત બાળકને એક ઉકરડામાં ફેંકાવી દીધો. રાજા શ્રેણિકે જ્યારે આ વાત જાણી ત્યારે તેણે ઉકરડા પરથી બાળકને પાછો મંગાવ્યો અને ચેલ્લણાને ખૂબ ઠપકો આપ્યો. ઉકરડા પર પડેલા બાળકની આંગળી પર કૂકડાની ચાંચથી ઘા પડ્યો હતો, તેથી તેની આંગળી કંઈક નાની રહી ગઈ હતી. એટલે તેનું નામ કૂણિક રાખવામાં આવ્યું. ૧. કૂણિક અશોકચંદ્ર, વિિવદેહપુત્ત અથવા વિદેહપુત્ત નામોથી પણ પ્રસિદ્ધ હતો. કહે છે કે જયારે કૃણિકને અસોગવણિયા નામે ઉદ્યાનમાં ફેંકવામાં આવ્યો ત્યારે તે ઉઘાન ચમકી ઉઠ્યો હતો એટલે કૂણિકનું નામ અશોકચંદ્ર રાખવામાં આવ્યું હતું. કૃણિકની માતા ચેલ્લણા વિદેહની હતી તેથી કૃણિક વિદેહપુત્ર પણ કહેવાતો હતો. Page #143 -------------------------------------------------------------------------- ________________ નિરયાવલિકા ૧૦૭ કૂણિકની આંગળી પાકવાથી તેમાંથી વારંવાર લોહી અને પરુ નીકળતું હતું. તેથી તે ખૂબ રોતો હતો. પોતાના પુત્રની વેદના શાંત કરવા માટે શ્રેણિક તેની આંગળી મોંમા રાખી તેનું લોહી અને પરુ ચૂસી લેતો, જેથી બાળક શાંત થઈ જતો. મોટો થતાં કૂણિકે વિચાર્યું કે રાજા શ્રેણિક જીવતા હશે ત્યાં સુધી હું રાજા બની શકીશ નહિ એટલે કેમ તેને ગિરફતાર કરી મારો રાજ્યાભિષેક ન કરી લઉં? એક દિવસ કૂણિકે કાલ આદિ દસ રાજકુમારોને બોલાવીને તેમની સમક્ષ આ પ્રસ્તાવ રાખ્યો અને તેમની અનુમતિ પ્રાપ્ત કરી તેમણે રાજાને સાંકળમાં બાંધી ખૂબ ઠાઠમાઠથી પોતાનો રાજ્યાભિષેક કર્યો. આ રીતે કણિક રાજગાદી પર બેસી ગયો. એક દિવસ તે પોતાની માના પાયવંદન માટે ગયો. માને ચિંતાતુર જોઈ તેણે કહ્યું – જુઓ મા, હું હવે રાજા બની ગયો છું છતાં પણ તમે પ્રસન્ન કેમ નથી ? માએ જવાબ આપ્યો – હે પુત્ર ! તેં અત્યંત સ્નેહ રાખનાર પોતાના પિતાને બાંધીને કારાગૃહમાં નાખ્યા છે, પછી હું કેવી રીતે સુખી રહી શકું? ત્યારપછી રાણીએ ગર્ભથી માંડી તેના જન્મ સુધીની બધી વાતો તેને કહી. આ સાંભળી કૂણિકને ખૂબ પશ્ચાત્તાપ થયો અને તે તરત જ પરશુ હાથમાં લઈ તેના વડે રાજાનું બંધન કાપવા માટે કારાગૃહ તરફ ચાલ્યો. શ્રેણિકે દૂરથી જોયું કે કૂણિક પરશુ હાથમાં લઈ આવી રહ્યો છે એટલે તેણે વિચાર્યું કે હવે આ દુષ્ટ મને જીવતો છોડશે નહિ. આમ વિચારી તેણે તાલપુટ વિષ ખાઈને પોતાના પ્રાણોનો અંત આણ્યો. ' કેટલાક દિવસો પછી કૂણિકે રાજગૃહ છોડી દીધું અને ચંપામાં આવી રહેવા લાગ્યો. ત્યાં કૂણિકનો નાનો ભાઈ વેહલ્લકુમાર રહેતો હતો. તેને રાજા શ્રેણિકે પોતે જીતેલા સેચનક નામે ગંધહસ્તી અને અઢાર સેરનો હાર સોંપ્યો હતો. વેહલ પોતાની રાણીઓ સાથે હાથી પર સવાર થઈ ગંગામાં સ્નાન કરવા રોજ જતો. તે હાથી, કોઈ રાણીને સૂંઢ વડે પોતાની પીઠ પર બેસાડીને, કોઈને ખાંધ પર ૧. તત્કાળ પ્રાણનાશક વિષ. નેતન તાત્રા સંપુટનંતિ તેતરેન માયતીતિ તાતપુડું (દશવૈકાલિકચૂર્ણિ, ૮, ૨૯૨). સ્થાનાંગસૂત્ર (પૃ. ૩૫૫ અ)માં છ પ્રકારનું વિષપરિણામ બતાવ્યું છે – દષ્ટ, ભુક્ત, નિપતિત, માંસાનુસારી, શોણિતાનુસારી, સહસ્રાનુપાતી. ૨. આ સંબંધી બીજી પરંપરા માટે જુઓ – આવશ્યકચૂર્ણિ, ૨, પૃ. ૧૭૧. ૩. સેચનક ગંધહસ્તી અને હારની ઉત્પત્તિ માટે જુઓ – એજન, પૃ. ૧૭૦; ઉત્તરાધ્યયનચૂર્ણિ, ૧, ૩૪. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ અંગબાહ્ય આગમો બેસાડીને, કોઈને સૂંઢથી ઉપર ઉછાળીને, કોઈને પોતાના દાંતમાં પકડીને અને કોઈની ઉપર જળની વર્ષા કરી ક્રીડા કર્યા કરતો. રાજા કૃણિકની રાણી પદ્માવતીને આ જોઈ ખૂબ ઈર્ષા થઈ. તેણે કૂણિકને કહ્યું કે જો આપણી પાસે સેચનક હસ્તી ન હોય તો આપણું આખું રાજ્ય જ નકામું છે. રાણીએ વારંવાર આગ્રહ કરતાં એક દિવસ કૂણિકે વેહલકુમાર પાસે સેચનક ગંધહસ્તી અને હાર માગ્યો. વેહલે ઉત્તર આપ્યો – જો તું મને પોતાનું અડધું રાજ્ય આપવા તૈયાર હોય તો હું હાથી અને હાર આપી શકું. પરંતુ કૂણિક અડધું રાજય આપવા માટે તૈયાર થયો નહિ. વેહલ્લકુમારે વિચાર્યું કે કોણ જાણે કૂણિક શુંય કરશે, એટલા માટે તે હાથી અને હાર સાથે લઈને વૈશાલીના રાજા પોતાના નાના ચેટક પાસે ચાલ્યો ગયો. કૂણિકને જ્યારે આ વાત જાણવા મળી ત્યારે તેને ઘણું ખરાબ લાગ્યું. તેણે ચેટક પાસે દૂત મોકલ્યો કે વેહલને હાથી અને હાર સાથે પાછો મોકલી આપો. ચેટકે દૂત સાથે કહેવડાવ્યું જેવો મારો ભાણેજ કૂણિક છે તેવો જ વેહલ પણ છે એટલા માટે હું પક્ષપાત કરી શકે નહિ. રાજા શ્રેણિકે પોતાની જીવિતાવસ્થામાં જ હાથી અને હારનો ભાગ વહેંચી આપ્યો હતો, આવી સ્થિતિમાં જો કૂણિક અડધું રાજ્ય આપવા તૈયાર હોય તો તેને હાથી અને હાર મળી શકે. રાજદૂતે પાછા ફરી કૂણિકને બધી વાત કરી. કૂણિકે ફરી વાર દૂત મોકલ્યો. ચેટકે ફરી તે જ જવાબ આપી તેને પાછો મોકલ્યો. આ વખતે કૂણિકને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે દૂતને કહ્યું કે તું ચેટકની પાદપીઠનું ડાબા પગ વડે ઉલ્લંઘન કરી ભાલા ઉપર આ પત્ર રાખી તેને આપજે અને કહેજે કે કાં તો ત્રણે વસ્તુ પાછી મોકલી દો નહિ તો યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. કૂણિકનો આ વ્યવહાર ચેટકને ખૂબ ખરાબ લાગ્યો અને તેણે દૂતને અપમાનિત કરી પાછલા બારણેથી બહાર કાઢી મૂક્યો. કૂણિકે કાલ વગેરે કુમારોને બોલાવી તેમને યુદ્ધ માટે તૈયાર થઈ જવા આજ્ઞા કરી. કાલ વગેરે કુમારોને સાથે લઈ કૂણિક ચતુરગિણી સેનાથી સજ્જ થઈ અંગ જનપદને વીંધી વિદેહ જનપદ થઈને વૈશાલી નગરીમાં પહોંચ્યો. આ બાજુ ચેટકે કાશીના નવ મલકી અને કોશલના નવ લિચ્છવી – એમ અઢાર ગણરાજાઓને બોલાવી મંત્રણા કરી. બધાએ મળી નિશ્ચય કર્યો કે કૃણિકને હાથી અને હાર પાછા મોકલવાનું યોગ્ય નથી અને શરણાગત વેહલ્લકુમારને પણ પાછો મોકલવો યોગ્ય નથી. બંને સેનાઓ વચ્ચે ઘનઘોર યુદ્ધ થયું. કૃષિકે ગરુડ વ્યુહ રચ્યો અને તે રથમુશલ સંગ્રામ કરવા લાગ્યો. ચેટકે શકટ યૂહ રચ્યો અને તે પણ રથમુશલ Page #145 -------------------------------------------------------------------------- ________________ નિરયાવલિકા સંગ્રામમાં જોડાયો. આ યુદ્ધમાં કાકુમાર માર્યો ગયો. બીજા અધ્યયનમાં સુકાલ, ત્રીજામાં મહાકાલ, ચોથામાં કર્ણા, પાંચમામાં સુકર્ણા, છઠ્ઠામાં મહાકણ્ઠ, સાતમામાં વી૨કર્ણા, આઠમામાં રામકર્ણ, નવમામાં પિઉસેણકર્ણી અને દસમા અધ્યયનમાં મહાસેણકણ્ડની કથા છે. કલ્પવડિસિયા : આમાં નીચે મુજબના દસ અધ્યયનો છે :– પઉમ, મહાપઉમ, ભદ્દ, સુભદ્દ, પઉમભદ્દ, પઉમસેણ, પઉમચુમ્મ, નલિણિગુમ્મ, આણંદ અને નંદણ. ચંપા નગરીમાં કૃણિક રાજા રાજ્ય કરતો હતો. તેની રાણીનું નામ પદ્માવતી હતું. રાજા શ્રેણિકની બીજી રાણીનું નામ કાલી હતું. તેને કાલ નામે પુત્ર હતો. કાલની પત્નીનું નામ પદ્માવતી હતું. તેને પદ્મકુમાર નામે પુત્ર જન્મ્યો. પદ્મકુમારે મહાવીર પાસે શ્રમણદીક્ષા ગ્રહણ કરી. મરીને તે સ્વર્ગમાં ગયો. ૧૦૯ બાકીના અધ્યયનોમાં મહાપદ્મ, ભદ્ર, સુભદ્ર વગેરે કુમારોનું વર્ણન છે. પુલ્ફિયા : પુલ્ફિયામાં દસ અધ્યયનો છે :– ચંદ, સૂર, સુક્ક, બહુપુત્તિય, પુન્નભદ્દ, માણિભદ્દ, દત્ત, સિવ, બલ અને અણાઢિય. પહેલા અધ્યયનમાં – રાજગૃહમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. એક વાર મહાવીર રાજગૃહમાં પધાર્યા. જ્યોતિષેન્દ્ર ચન્દ્રે પોતાના અવધિજ્ઞાન વડે તેઓને જોયા. તે પોતાના યાન વિમાનમાં બેસી તેમના દર્શન માટે આવ્યો. અહીં ચન્દ્રના પૂર્વભવનું વર્ણન છે. બીજા અધ્યયનમાં ચન્દ્રની જગ્યાએ સૂર્યનું વર્ણન છે. ત્રીજા અધ્યયનમાં શુક્ર મહાગ્રહનું વર્ણન છે. તેમાં સોમિલ બ્રાહ્મણની કથા આ પ્રમાણે છે : વારાણસી નગરીમાં સોમિલ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે ઋગ્વેદ વગેરે શાસ્ત્રોનો પંડિત હતો. એકવાર નગરીના અંબસાલવનમાં પાર્શ્વનાથ પધાર્યા. સોમિલ તેમના દર્શન માટે ગયો અને તેમનો ઉપદેશ સાંભળી શ્રાવક બની ગયો. ૧. ૨. આ વિષયમાં આવશ્યકચૂર્ણિ (૨.૧૬૭-૧૭૩) પણ જોવી જોઈએ. આ અધ્યયનોમાં ઘણી ગરબડ જણાય છે. સ્થાનાંગના ટીકાકાર અભયદેવ અનુસાર બહુપુત્રિકાના સ્થાને પ્રભાવતીનું અધ્યયન હોવું જોઈએ. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અંગબાહ્ય આગમો કાળાંતરે સોમિલના વિચારોમાં પરિવર્તન થયું અને તે મિથ્યાત્વી બની ગયો. તેના મનમાં વિચાર ઉત્પન્ન થયો કે હું ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયો છું, મેં વ્રતોનું પાલન કર્યું છે, વેદોનું અધ્યયન કર્યું છે, પત્ની ગ્રહણ કરી છે, પુત્રોત્પત્તિ કરી છે, ઋદ્ધિઓનું સન્માન કર્યું છે, પશુઓનો વધ કર્યો છે, યજ્ઞ કર્યો છે, દક્ષિણા આપી છે, અતિથિઓની પૂજા કરી છે, અગ્નિહોમ કર્યો છે, ઉપવાસ કર્યા છે. આવી હાલતમાં મારે આંબા, માતુલિંગ (બિજોરા), બિલા, કપિત્થ (કોઠ), ચિંચા (આંબલી) વગેરેના બાગ ઉછેરવા જોઈએ. વૃક્ષો રોપ્યા પછી તેના મનમાં વિચાર ઉત્પન્ન થયો – કેમ ન હું પોતાના જયેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપી તથા પોતાના મિત્રો અને બંધુજનોની અનુમતિ પ્રાપ્ત કરીને, તાપસોને માટે યોગ્ય એવી લોઢાની કઢાઈ અને કડછી તથા તાંબાનાં પાત્રો લઈ ગંગાતટવાસી વાનપ્રસ્થ તપસ્વીઓની માફક વિહાર કરું? ત્યારપછી તે દિશામોક્ષિત તાપસોમાં દીક્ષા લઈને છમછઠ્ઠ તપ કરતો કરતો, બંને હાથ ઊંચા કરી સૂર્યાભિમુખ રહી આતાપનાભૂમિમાં તપશ્ચર્યા કરવા લાગ્યો. પહેલા છઠ્ઠમતપના પારણાના દિવસે તે આતાપનાભૂમિથી ચાલી વલ્કલના વસ્ત્રો ધારણ કરી પોતાની કુટિરમાં આવ્યો અને પોતાનો કરંડિયો લઈને પૂર્વ દિશા તરફ ચાલ્યો. ત્યાં તેણે સોમ મહારાજની પૂજા કરી અને કંદમૂળ, ફળ વગેરે પોતાની ટોકરીમાં ભરી પોતાની કુટિરમાં આવ્યો. ત્યાં તેણે વેદી વાળીલીંપી સ્વચ્છ કરી અને ત્યારપછી દર્ભ અને કળશ લઈ ગંગાસ્નાન માટે ગયો. ત્યારબાદ આચમન કરી, દેવતા અને પિતૃઓને જલાંજલિ આપી તથા દર્ભ અને પાણીનો કળશ હાથમાં રાખી પોતાની કુટિરમાં આવ્યો. દર્ભ, કુશ અને માટી વડે તેણે વેદી બનાવી, મંથન કાષ્ઠ દ્વારા અરણિ ઘસીને અગ્નિ પેદા કર્યો અને તેમાં સમિધ કાષ્ઠો નાંખીને તેને પ્રજવલિત કર્યો. અગ્નિની જમણી બાજુ તેણે સાત વસ્તુઓ સ્થાપિત કરી – સકક્ષ (એક ઉપકરણ), વલ્કલ, અગ્નિપાત્ર, શવ્યા ( સિક્કા), કમંડળ, દંડ અને સાતમી વસ્તુ તરીકે પોતાની જાત. પછી મધ, ઘી અને અક્ષત વડે અગ્નિમાં હોમ કર્યો તથા ચરુ (બલિ) પકાવીને અગ્નિદેવતાની પૂજા કરી. ત્યારબાદ અતિથિઓને ભોજન કરાવીને તેણે પોતે ભોજન કર્યું. એ રીતે તેણે દક્ષિણમાં યમ, પશ્ચિમમાં વરુણ અને ઉત્તરમાં વૈશ્રમણની પૂજા કરી. પછી એક દિવસ તેના મનમાં વિચાર પેદા થયો – હું વલ્કલનાં વસ્ત્રો પહેરી પાત્ર (કઢિણ) અને ટોપલી (સેકાઈય) લઈને કાષ્ઠમુદ્રા વડે મોઢે બાંધી ઉત્તર દિશા તરફ મહાપ્રસ્થાન કરી અભિગ્રહ ધારણ કરીશ કે જળ, સ્થળ, દુર્ગ, નિમ્ન પર્વત, ૧. અહીં હોરિય, પોનિય, કોનિય, જન્નઈ વગેરે વાનપ્રસ્થ સાધુઓનો ઉલ્લેખ છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ નિરયાવલિકા ૧ ૧ ૧ વિષમ પર્વત, ગર્ત અથવા ગુફામાં પડીને કે અલિત થઈને પછી ઉઠીશ નહિ. આમ વિચારીને તે એક અશોક વૃક્ષ નીચે ગયો, પાત્રો અને કરંડિયો એક બાજુ મૂક્યા અને તે સ્થાનને વાળીચોળી સાફ કરી ત્યાં વેદી બનાવી. પછી દર્ભ અને કળશ હાથમાં લઈ ગંગાસ્નાન કરવા ગયો. ત્યાંથી પાછા ફરી અશોક વૃક્ષ નીચે વાલુકા પર દર્ભ અને સંશ્લેષ દ્રવ્યો દ્વારા વેદિકા તૈયાર કરી, પછી અગ્નિ પેદા કરી તેની પૂજા કરી અને કાષ્ઠમુદ્રાથી મોટું બાંધી શાંતભાવે બેસી ગયો. એ જ રીતે સોમિલે સમપર્ણ, વટ અને ઉદુંબર વૃક્ષ નીચે બેસીને પોતાનું વ્રત પૂરું કર્યું. ચોથા અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે કે વારાણસી (બનારસ) નગરીમાં ભદ્ર નામે એક સાર્થવાહ રહેતો હતો. તેની ભાર્યાનું નામ સુભદ્રા હતું. સુભદ્રા વાંઝણી હોવાને કારણે બહુ દુઃખી રહ્યા કરતી હતી. તે વિચાર્યા કરતી કે તે માતાઓ કેટલી ધન્ય છે કે જેમણે પોતાની કૂખે સંતાનને જન્મ આપ્યો છે, જે ધાવણના લોભી અને મધુર આલાપ કરતા પોતાના સંતાનને પોતાનું દૂધ પીવડાવે છે અને તેને પોતાના હાથે ઊચકી પોતાના ખોળામાં બેસાડી તેની કાલીઘેલી વાણીનું શ્રવણ કરે છે. એક વખતની વાત છે, સુવ્રતા નામની આર્યા સમિતિ અને ગુતિપૂર્વક વિહાર કરતી કરતી બનારસમાં આવી અને તેણે ભિક્ષા માટે સુભદ્રાના ઘરમાં પ્રવેશ કર્યો, સુભદ્રાએ સુવ્રતાનો વિપુલ અશનપાન વગેરે વડે સત્કાર કર્યો. ત્યારપછી તેણે આર્યાને સંતાનોત્પત્તિ માટે કોઈ વિદ્યા, મંત્ર, વમન, વિરેચન, બસ્તિકર્મ, ઔષધી વગેરે આપવા માટે માંગણી કરી. આર્યાએ ઉત્તર આપ્યો કે આવો ઉપદેશ આપવો કે તેની વિધિ બતાવવી તો દૂર રહી, શ્રમણ સાધ્વીઓ આવી વાતો સુદ્ધાં સાંભળી શકે નહિ. તેઓ તો માત્ર કેવળી ભગવાને કહેલો ઉપદેશ જ આપે છે. આર્યાના ઉપદેશથી પ્રભાવિત થઈને સુભદ્રા શ્રમણોપાસિકા બની ગઈ. કેટલાક દિવસો બાદ પોતાના પતિની અનુમતિ મેળવી, સઘળાં આભરણો વગેરેનો ત્યાગ કરી અને પંચમુષ્ટિ દ્વારા પોતાના કેશનો લોચ કરી સુભદ્રાએ સુવ્રતા પાસે શ્રમણદીક્ષા ગ્રહણ કરી. શ્રમણી બનવા છતાં પણ સુભદ્રાના મોત બાળકોમાં અધિક હતો. ક્યારેક તે બાળકોને ઉપટન કરી આપતી, તેમને શણગારતી, તેમને ભોજન કરાવતી, તેમને ખોળામાં બેસાડતી અને તેમની સાથે વિવિધ રમતો કરતી. સુવ્રતાએ સુભદ્રાને સમજાવ્યું કે જો, સાધ્વી માટે આ ઉચિત નથી. પરંતુ તેણે ધ્યાન આપ્યું નહિ. આ જોઈ બીજી શ્રમણીઓ પણ સુભદ્રાની અવગણના કરવા લાગી. ૧. રાજીમતીએ પણ કેશ લોચ કરી આર્યાના વ્રતો ગ્રહણ કર્યા હતાં. જુઓ – ઉત્તરાધ્યયનનું રથનેમીય અધ્યયન. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ અંગબાહ્ય આગમો સુભદ્રાને આ સારું ન લાગ્યું અને તેથી તે કોઈ બીજા ઉપાશ્રયમાં જઈ રહેવા લાગી. ઘણા વર્ષો સુધી તે શ્રમણધર્મનું પાલન કરતી રહી. તે પછી સલ્લેખનાપૂર્વક શરીરનો ત્યાગ કરી તે સ્વર્ગમાં ઉત્પન્ન થઈ. સ્વર્ગમાંથી શ્રુત થઈ તે બિભેલ સન્નિવેષમાં એક બ્રાહ્મણના ઘરે જન્મી. તેનું નામ સોમા રાખવામાં આવ્યું. યુવાવસ્થા પ્રાપ્ત થતાં પોતાના ભાણેજ સાથે તેના વિવાહ કરી દીધા. તેને ઘણા પુત્રો અને પુત્રીઓ જમ્યા. તે બધા નાચતાં કૂદતાં, દોડતાં ભાગતાં, હસતાં રોતાં, એકબીજાને મારતાં પીટતાં, રોતાં કકળતાં અને ખાવાનું માગતાં; તેમનાં શરીર ગંદા અને મેલા તથા મળમૂત્રથી ખરડાયેલા રહેતાં. આ જોઈને સોમા ખૂબ તંગ આવી ગઈ. તેણે વિચાર્યું કે વાંઝણી માતાઓ કેટલી ધન્ય છે કે જેઓ ચિંતારહિત જીવન ગુજારે છે. આમ વિચારી તેણે ફરીથી શ્રમણધર્મમાં દીક્ષા ગ્રહણ કરી. પાંચમા અધ્યયનમાં પૂર્ણભદ્ર, છઠ્ઠામાં મણિભદ્ર, સાતમામાં દત્ત, આઠમામાં શિવ ગૃહપતિ, નવમામાં બલ અને દસમામાં અણાઢિય ગૃહપતિનું વર્ણન છે. પુષ્ફચૂલા : આ ઉપાંગમાં પણ દસ અધ્યયનો છે - સિરિ, હિરિ, દિતિ, કિત્તિ, બુદ્ધિ, લચ્છી, ઈલાદેવી, સુરાદેવી, રસદેવી અને ગંધદેવી. વહિદસા : આ ઉપાંગમાં બાર અધ્યયનો છે – નિષઢ, માઅનિ, વહ, વહ, પગતા, જુરી, દસરહ, દઢર, મહાપણું, સત્તધણુ, દસધર્ અને સયધણૂ. - પહેલું અધ્યયન – દ્વારવતી (દ્વારકા) નગરીની ઉત્તર-પૂર્વમાં રૈવતક નામે પર્વત હતો. એ પર્વત ઊંચો હતો, અનેક વૃક્ષો અને લતાઓ વગેરેથી શોભિત હતો, હંસ, મૃગ, મયૂર, ક્રૌંચ, સારસ વગેરે પક્ષીઓ એમાં નિવાસ કરતા હતા, દેવગણો ક્રિીડા કરતા હતા તથા દશાર્ણ રાજાઓનો તે અત્યંત પ્રિય પર્વત હતો. આ પર્વતની પાસે જ નંદનવન હતું જયાં બધી ઋતુઓનાં ફૂલો ખીલતાં હતાં. આ વનમાં સુરપ્રિય નામે એક યક્ષ રહેતો હતો. લોકો તેની પૂજા-ઉપાસના કરતા હતા. દ્વારવતી નગરીમાં કૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા. તેઓ સમુદ્રવિજયપ્રમુખ દસ દશાર્ણ રાજાઓ, બલદેવપ્રમુખ પાંચ મહાવીરો, ઉગ્રસેનપ્રમુખ રાજાઓ, પ્રદ્યુમ્નપ્રમુખ કુમારો, શાંબપ્રમુખ યોદ્ધાઓ, વીરસેનાપ્રમુખ વીરો, રુક્મિણીપ્રમુખ રાણીઓ તથા અનંગસેના વગેરે ગણિકાઓથી ઘેરાયેલા રહેતા હતા. દ્વારવતીમાં બલદેવનામક રાજા રહેતા હતા, તેમની રાણીનું નામ રેવતી હતું. તેણે નિસઢકુમારને જન્મ આપ્યો. ૧, સુરપ્રિય યક્ષની કથા માટે જુઓ – આવશ્યકચૂર્ણિ, પૃ. ૮૭ વગેરે. Page #149 -------------------------------------------------------------------------- ________________ નિરયાવલિકા ૧ ૧૩ તે સમયે અરિષ્ટનેમિ દ્વારવતીમાં પધાર્યા. તેમના આગમન વિશે સાંભળી કૃષ્ણ પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવી સામુદાનિક ભેરી વડે અરિષ્ટનેમિના આગમનની સૂચના નગરવાસીઓને આપવાનો આદેશ કર્યો. ભેરીની ઘોષણા સાંભળી અનેક રાજાઓ, ઈશ્વરો, સાર્થવાહો વગેરે કૃષ્ણની સેવામાં ઉપસ્થિત થઈ જય-વિજય દ્વારા તેમને વધામણી આપવા લાગ્યા. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ હાથી ઉપર સવાર થઈ પોતાના દળકટક સાથે ભગવાનની વંદના કરવા ચાલ્યા. નિસઢકુમારે શ્રાવકના વ્રતો ગ્રહણ કર્યા. ત્યારપછી નિસઢના પૂર્વભવનું વર્ણન છે. રોહીડય (રોહતક, પંજાબ) નગરમાં મહાબલ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને વીરાંગદ નામે પુત્ર હતો. એકવાર આચાર્ય સિદ્ધાર્થ તે નગરમાં પધાર્યા અને મણિદત્ત નામના યક્ષાયતનમાં ઉતર્યા. વીરાંગદે સિદ્ધાર્થ પાસે શ્રમણદીક્ષા ગ્રહણ કરી અને કાળાંતરે સલ્લેખના દ્વારા શરીરત્યાગ કરી સ્વર્ગ પ્રાપ્ત કર્યું. ત્યાંથી શ્રુત થઈ તેણે દ્વારવતીમાં બલદેવ રાજા અને રેવતી રાણીના ઘરે જન્મ લીધો. કાળાંતરે તેણે નિર્વાણ પ્રાપ્ત કર્યું. આ જ રીતે બાકીના અગિયાર અધ્યયનો સમજવા જોઈએ. બૃહત્કલ્પભાષ્ય (પીઠિકા, ગા. ૩૫૬)માં કૃષ્ણની ચાર ભેરીઓનો ઉલ્લેખ છે - કોમુઈયા, સંગામિયા, દુભૂઇયા અને અસિવોવસમણી. Page #150 -------------------------------------------------------------------------- ________________ મૂલસૂત્રો પ્રથમ પ્રકરણ ઉત્તરાધ્યયન 1 બાર ઉપાંગોની માફક મૂલસૂત્રોનો ઉલ્લેખ પણ પ્રાચીન આગમ ગ્રંથોમાં મળતો નથી. આ ગ્રંથોને મૂલસૂત્ર શા માટે કહેવામાં આવતાં હતાં, તેનું પણ સ્પષ્ટીકરણ મળતું નથી. જર્મન વિદ્વાન જાર્લ શાર્પેન્ટિયરના કથન અનુસાર આ મહાવીરે કહેલાં સૂત્રો હતાં, તેથી તેમને મૂલસૂત્ર કહેવામાં આવેલ છે. પરંતુ આ કથન બરાબર જણાતું નથી. મૂલસૂત્રોમાં ગણવામાં આવતું દશવૈકાલિક સૂત્ર શય્યભવસૂરિ પ્રણીત માનવામાં આવે છે. ડૉ. શુક્લિંગનું કથન છે કે આ ગ્રંથોમાં સાધુ-જીવનના મૂલભૂત નિયમોનો ઉપદેશ હોવાના કારણે તેમને મૂલસૂત્ર કહેવામાં આવેલ છે. ફ્રાન્સના વિદ્વાન પ્રો. ગેરીનોના મત મુજબ આ સૂત્રો પર અનેક ટીકા-ટિપ્પણો લખાયાં છે, આથી આ સૂત્રોને મૂલસૂત્ર કહેવામાં આવેલ છે. મૂલસૂત્રોની સંખ્યા : આગમોની સંખ્યામાં મતભેદ હોવાનો ઉલ્લેખ બાર ઉપાંગોના પ્રકરણમાં આવી ચૂક્યો છે. મૂલસૂત્રોની સંખ્યામાં પણ મતભેદ મળી આવે છે. કેટલાક લોકો ઉત્તરાધ્યયન, આવશ્યક અને દશવૈકાલિક - આ ત્રણ સૂત્રોને જ મૂલસૂત્ર માને છે, પિંડનિર્યુક્તિ અને ઓનિર્યુક્તિને મૂલસૂત્રોમાં ગણતા નથી. તેમના મત અનુસાર પિંડનિર્યુક્તિ, દશવૈકાલિકનિયુક્તિના આધારે અને ઓઘનિર્યુક્તિ આવશ્યક ૧. સહુ પ્રથમ ભાવપ્રભસૂરિએ જૈનધર્મવરસ્તોત્ર (શ્લોક ૩૦)ની ટીકા (પૃ. ૪૪)માં નિમ્નલિખિત મૂલસૂત્રોનો ઉલ્લેખ કર્યો છે : અથ ઉત્તરાધ્યયન o, આવશ્ય૨, પિઙનિવુંત્તિ તથા ओघनियुक्ति ३, दशवैकालिक ४, इति चत्वारि मूलसूत्राणि । પ્રો. એચ. આર. કાપડિયા, હિસ્ટરી ઓફ ધી કેનનીકલ લિટરેચર ઓફ ધી જૈન્સ, પૃ. ૪૩ (ફુટનોટ). = ૨. જૈન તત્ત્વપ્રકાશ (પૃ. ૨૧૮)માં કહેવામાં આવ્યું છે કે આ ગ્રંથો સમ્યક્ત્વના મૂળને દૃઢ કરે છે અને સમ્યક્ત્વમાં વૃદ્ધિ કરે છે, એટલા માટે તેમને મૂલસૂત્ર કહેવામાં આવે છે - એજન, પૃ. ૪૩. 3. भावस्सुवगारित्ता एत्थं दव्वेसणाइ अहिगारो । तीइ पुण अत्थजुत्ता वत्तव्वा पिंडनिज्जुत्ती ॥ २३९ ॥ - હરિભદ્રસૂરિ-વૃત્તિ, પૃ. ૩૨૭-૮. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ઉત્તરાધ્યયન નિર્યુક્તિના આધારે રચાઈ છે. પ્રોફેસર વિટનિસ્ત્ર આદિ વિદ્વાનોએ ઉક્ત ત્રણ મૂલસૂત્રોમાં પિંડનિર્યુક્તિનો સમાવેશ કરી મૂલસૂત્રોની સંખ્યા ચાર માની છે. કેટલાક લોક પિંડનિર્યુક્તિની સાથે ઘનિર્યુક્તિને પણ મૂલસૂત્ર તરીકે સ્વીકારે છે. ક્યાંક પખિયસુત્તની ગણતરી મૂલસૂત્રોમાં કરવામાં આવી છે. મૂલસૂત્રોનો ક્રમ : મૂલસૂત્રોની સંખ્યાની માફક તેમના ક્રમમાં પણ ગરબડ થયેલ જણાય છે. મૂલસૂત્રોના નિમ્નલિખિત ક્રમ ઉલ્લેખનીય છે : (૧) ઉત્તરાધ્યયન, આવશ્યક, દશવૈકાલિક. (૨) ઉત્તરાધ્યયન, આવશ્યક, દશવૈકાલિક, પિંડનિયુક્તિ. (૩) ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, આવશ્યક, પિંડનિર્યુક્તિ તથા ઓશનિયુક્તિ. (૪) ઉત્તરાધ્યયન, આવશ્યક, પિંડનિર્યુક્તિ તથા ઓઘનિર્યુક્તિ, દશવૈકાલિક. જૈન આગમોમાં મૂલસૂત્રોનું સ્થાન ઘણું મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક ભાષા તથા વિષયની દૃષ્ટિએ અત્યંત પ્રાચીન છે. આ સૂત્રોની તુલના સુત્તનિપાત, ધમ્મપદ વગેરે પ્રાચીન બૌદ્ધ સૂત્રો સાથે કરવામાં આવે છે. પિંડનિર્યુક્તિ અને ઓઘનિર્યુક્તિમાં સાધુઓના આચાર-વિચારનું વિસ્તૃત વર્ણન હોવાના કારણે તેમના દ્વારા સાધુ-સંસ્થાના ઈતિહાસ પર પ્રકાશ પડે છે. મૂલસૂત્રોના નિમ્નલિખિત પરિચયથી તેમના મહત્ત્વનું અનુમાન કરી શકાય છે. પ્રથમ મૂલસૂત્ર : ઉત્તરજઝયણ–ઉત્તરાધ્યયન જૈન આગમોમાં પ્રથમ મૂલસૂત્ર છે. ૧. આવશ્યકનિર્યુક્તિ, ૬૬૫; મલયગિરિ-ટીકા, પૃ. ૩૪૧. ૨. (અ) અંગ્રેજી પ્રસ્તાવના વ. સાથે – Jarl Charpentier, Upsala, 1923. (આ) અંગ્રેજી અનુવાદ – H. Jacobi, S. B. E. Series, ol. 45, Oxford, 1895; Motilal Banarasidass, Delhi, 1964. (ઈ) લક્ષ્મીવલ્લભવિહિત વૃત્તિ સહિત, આગમસંગ્રહ, કલકત્તા, વિ.સં.૧૯૩૬ (ઈ) જયકીર્તિકૃત-હીરાલાલ હંસરાજ, જામનગર, ઈ.સ.૧૯૦૯ (6) શાન્તિસૂરિવિહિત શિષ્યહિતા ટીકા સહિત - દેવચન્દ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, ઈ.સ.૧૯૧૬-૧૭. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ અંગબાહ્ય આગમો (9) ભાવવિજયવિરચિત વૃત્તિ સહિત – જૈન આત્માનંદ સભા, ભાવનગર, વિ. સં. ૧૯૭૪; વિનયભક્તિસુંદરચરણ ગ્રંથમાલા, બેણપ, વીર સંવત ૨૪૬૭-૨૪૮૫. (8) કમલસંયમકૃત ટીકા સાથે – યશોવિજય જૈન ગ્રંથમાલા, ભાવનગર, ઈ.સ.૧૯૨૭. (એ) નેમિચન્દ્રવિહિત સુખબોધા વૃત્તિસહિત – આત્મવલ્લભ ગ્રંથાવલી, વળાદ, અમદાવાદ, ઈ.સ.૧૯૩૭. (એ) ગુજરાતી અર્થ અને કથાઓ સાથે (અધ્યયન ૧-૧૫) – જૈન પ્રાપ્ય વિદ્યાભવન, અમદાવાદ, ઈ.સ.૧૯૫૪. (ઓ) હિંદી અનુવાદ સહિત – અમોલકઋષિ, હૈદરાબાદ, વીર સંવત ૨૪૪૬; રતનલાલ ડોશી, સૈલાના, વીર સંવત ૨૪૮૯; ઘેબરચંદ્ર બાંઠિયા, બીકાનેર, વિ. સં. ૨૦૧૦. (ઔ) મૂળ – R. D. Vadekar and N. V. Vaidya, Poona, 1954, શાંતિલાલ વ. શેઠ, ખ્યાવર, વિ. સં. ૨૦૧૦; હીરાલાલ હંસરાજ, જામનગર, ઈ.સ. ૧૯૩૮; જીવરાજ ઘેલાભાઈ દોશી, અમદાવાદ, ઈ.સ. ૧૯૧૧. (એ) સંસ્કૃત વ્યાખ્યા તથા તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે – મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ. ૧૯૫૯-૧૯૬૧. (અ) ગુજરાતી અનુવાદ અને ટિપ્પણો સાથે (અધ્યયન ૧-૧૮)- ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ઈ.સ. ૧૯૫૨. (ક) હિન્દી ટીકા સહિત – ઉપાધ્યાય આત્મારામજી, જૈન શાસ્ત્રમાલા કાર્યાલય, લાહોર, ઈ.સ. ૧૯૩૯-૪૨. (ખ) હિન્દી અનુવાદ – મુનિ સૌભાગ્યચન્દ્ર (સત્તબાલ), જે. સ્થાન, જૈન કોન્ફરન્સ, મુંબઈ, વિ.સં. ૧૯૯૨. (ગ) ગુજરાતી છાયાનુવાદ – ગોપાલદાસ જીવાભાઈ પટેલ, જૈનસાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ, ઈ.સ. ૧૯૩૮. (ધ) ચૂર્ણિ સાથે, રતલામ, ઈ.સ. ૧૯૩૩. (ડ) ગુજરાતી અનુવાદ, સંતબાલ, અમદાવાદ. (ચ) ટીકા, જયન્તવિજય, આગરા, ઈ.સ. ૧૯૨૩. ભદ્રબાહુએ આ ગ્રંથ પર નિર્યુક્તિ લખી છે અને જિનદાસગણિ મહત્તરે ચૂર્ણિ લખી છે. વાદિવેતાલ શાંતિસૂરિ (સ્વર્ગવાસ ઈ.સ.૧૦૪૦)એ શિષ્યહિતા ટીકા અને નેમિચન્દ્ર શાન્તિસૂરિની ટીકાના આધારે સુખબોધા (ઈ.સ. ૧૦૭૩માં સમાપ્ત) ટીકા Page #153 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન ૧૧૭ લખી છે. આ જ રીતે લક્ષ્મીવલ્લભ, જયકીર્તિ, કમલસંયમ, ભાવવિજય, મુનિ જયન્તવિજય વગેરે વિદ્વાનોએ સમયે સમયે ટીકાઓ લખી છે. કાર્લ શાર્પેન્ટિયરે અંગ્રેજી પ્રસ્તાવના સહિત મૂળ પાઠનું સંશોધન કર્યું છે. ડોક્ટર જેકોબીએ “સેક્રેડ બુક્સ ઑફ ધ ઈસ્ટમાં અંગ્રેજી અનુવાદ પ્રકાશિત કર્યો છે. ગુજરાતીમાં ગોપાલદાસ જીવાભાઈ પટેલે “મહાવીરસ્વામીનો અંતિમ ઉપદેશ' નામે ઉત્તરાધ્યયનનો છાયાનુવાદ કર્યો છે. (છ) વૃત્તિ અને હિન્દી અનુવાદસહિત – આચાર્ય તુલસી અને યુવાચાર્ય મહાપ્રજ્ઞ – તેરાપંથી મહાસભા, કલકત્તા, ઈ.સ. ૧૯૬૭. (જ) (મૂળ) આચાર્ય તુલસી/યુવાચાર્ય મહાપ્રજ્ઞતેરાપંથી મહાસભા, કલકત્તા, ઈ. સ. ૧૯૬૭. (9) હિન્દી સમીક્ષા–આચાર્ય તુલસી/યુવાચાર્ય મહાપ્રજ્ઞ–તેરાપન્થી મહાસભા, કલકત્તા, ઈ.સ. ૧૯૬૮. (અ) હિન્દી અનુવાદ–આચાર્ય તુલસી/યુવાચાર્ય મહાપ્રજ્ઞ–જૈન વિશ્વભારતી, લાડનું, ઈ.સ. ૧૯૭૫. (ટ) હિન્દી પદ્યાનુવાદ સહિત–મુનિ માંગીલાલજી મુકુલ, જૈન વિશ્વભારતી, લાડનું, ઈ.સ. ૧૯૭૬. (ઠ) (મૂળ) સં. મુનિ પુણ્યવિજયજી, મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ઈ.સ.૧૯૭૭. (ડ) હિન્દી અનુવાદ સહિત – આચાર્ય હસ્તીમલજી, સમ્યજ્ઞાન પ્રચારક મંડલ, જયપુર, ઈ.સ. ૧૯૮૩. (ઢ) હિન્દી અનુવાદ સહિત – મધુકરજી/રાજેન્દ્ર મુનિ શાસ્ત્રી, આગમ પ્રકાશન સમિતિ, બાવર, ઈ.સ. ૧૯૮૫. (ણ) (મૂળ) સં. જિનેન્દ્ર વિજયગણિ – હર્ષપુષ્યામૃત જૈન ગ્રન્થમાલા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ઈ.સ. ૧૯૭૫. (ત) (મૂળ) સં. મુનિ કયાલાલજી – આગમ અનુયોગ પ્રકાશન, બખતાવરપુરા, સાંડેરાવ, રાજસ્થાન, ઈ.સ. ૧૯૭૬. (થ) (મૂળ) સં. રતનલાલ ડોશી – અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, . સૈલાના. (દ) (મૂળ) સં. કલ્યાણ ઋષિ – અમોલ જ્ઞાનાલય, ધૂલિયા. અં.આ.-૧૦ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૮ અંગબાહ્ય આગમો લાયમનના મતે આ સૂત્ર ઉત્તર – પછીનું હોવાના કારણે અર્થાત્ અંગ ગ્રંથોની અપેક્ષાએ ઉત્તર કાળમાં રચાયું હોવાના કારણે ઉત્તરાધ્યયન કહેવાય છે. પરંતુ આ ગ્રંથના ટીકાગ્રંથો પરથી જાણી શકાય છે કે મહાવીરે પોતાના અંતિમ ચાતુર્માસમાં જે વણપૂક્યા ૩૬ પ્રશ્નોના ઉત્તરો આપ્યા, તેમનો આ ગ્રંથમાં સંગ્રહ હોવાથી આનું નામ ઉત્તરાધ્યયન પડ્યું.' ભદ્રબાહુની ઉત્તરાધ્યયન-નિર્યુક્તિ (૪) અનુસાર આ ગ્રંથના ૩૬ અધ્યયનોમાંથી કેટલાંક અંગ-ગ્રંથોમાંથી લેવામાં આવ્યાં છે, કેટલાંક જિનભાષિત છે, કેટલાંક પ્રત્યેકબુદ્ધો દ્વારા પ્રરૂપિત છે અને કેટલાંક સંવાદ રૂપે કહેવાયેલાં છે. વાદિવેતાલ શાન્તિસૂરિ અનુસાર ઉત્તરાધ્યયનસૂત્રનું પરીષહ નામક બીજું અધ્યયન, દષ્ટિવાદમાંથી લેવામાં આવ્યું છે, દ્રુમપુષ્પિકા નામક દસમું અધ્યયન મહાવીરે પ્રરૂપિત કર્યું છે, કપિલીય નામક આઠમું અધ્યયન પ્રત્યેકબુદ્ધ કપિલે પ્રતિપાદિત કર્યું છે તથા કેશીગૌતમીય નામક ત્રેવીસમું અધ્યયન સંવાદરૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. ઉત્તરાધ્યયનસૂત્ર ભાષા અને વિષયની દૃષ્ટિએ પ્રાચીન હોવાની વિસ્તૃત ચર્ચા શાપેન્ટિયર, જેકોબી તથા વિન્ટનિસ્ત્ર વગેરે વિદ્વાનોએ કરી છે. આ ગ્રંથનાં અનેક સ્થાનોની તુલના બૌદ્ધોના સુત્તનિપાત, જાતક અને ધમ્મપદ વગેરે પ્રાચીન ગ્રંથો સાથે થઈ શકે છે. ઉદાહરણરૂપે, રાજા નમિને બૌદ્ધ ગ્રંથોમાં પ્રત્યેકબુદ્ધ માનીને તેની કઠોર તપસ્યાનું વર્ણન કરવામાં આવ્યું છે. હરિકેશ મુનિની કથા પ્રકારાન્તરે માતંગ જાતકમાં કહેવાઈ છે. એ જ રીતે ચિત્તસંભૂત કથાની તુલના ચિત્તસંભૂત જાતકની કથા સાથે, અને ઈષકાર કથાની તુલના હત્યિપાલ જાતકમાં વણિત કથા સાથે કરી શકાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં વર્ણવાયેલ ચાર પ્રત્યેકબુદ્ધોની કથા કુંભકાર જાતકમાં કહેવાઈ છે. મૃગાપુત્રની કથા પણ બૌદ્ધ સાહિત્યમાં આવે १. इइ पाउकरे बुद्धे नायए परिनिव्वुए । છત્તી કરન્સી પવસિદ્ધી સમ્મા | ઉત્તરાધ્યયન, ૩૬. ૨૬૮. २. अंगप्पभवा जिणभासिया पत्तेयबुद्धसंवाया । बंधे मुक्खे य कया छत्तीसं उत्तरज्झयणा ।। ૩. ઉત્તરાધ્યયન-ટીકા, પૃ. ૫; ઉત્તરાધ્યયનના ૩૬ અધ્યયનોનાં નામો સમવાયાંગ સૂત્રમાં ઉલ્લિખિત ઉત્તરાધ્યયનના ૩૬ અધ્યયનોના નામોથી થોડાં જુદાં છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ઉત્તરાધ્યયન છે. આ ગ્રંથના અનેક સુભાષિતો અને સંવાદો વાંચતાં પ્રાચીન બૌદ્ધ સૂત્રોની યાદ આવી જાય છે.' વિનય : જે ગુરુની આજ્ઞાનું પાલન કરનાર હોય, ગુરુની સમીપમાં રહેતો હોય, ગુરુના ઇંગિત અને મનોભાવને જાણતો હોય તેને વિનીત કહે છે (૨), સાધુએ વિનયી હોવું જોઈએ કેમ કે વિનયથી શીલની પ્રાપ્તિ થાય છે. વિનયી સાધુને પોતાના ગચ્છ અને ગણ દ્વારા અપમાનિત થવું પડતું નથી (૭). જેવી રીતે અડિયલ ઘોડાને વારંવાર ચાબુક મારવાની જરૂર પડે છે, તેવી રીતે મુમુક્ષુને વારંવાર ગુરુના ઉપદેશની અપેક્ષા રહેવી ના જોઈએ. જેવી રીતે ઊંચી જાતનો ઘોડો ચાબુક જોતાં જ યોગ્ય માર્ગ પર ચાલવા લાગે છે, તેવી જ રીતે ગુરના આશયને સમજી મુમુક્ષુએ પાપકર્મનો ત્યાગ કરવો જોઈએ (૧૨). પોતાનાં આત્માનું દમન કરવું જોઈએ, કેમ કે આત્માને જ ખૂબ મુશ્કેલીથી વશ કરી શકાય છે. જેણે પોતાના આત્માને વશ કરી લીધો તે આ લોક અને પરલોક બંનેમાં સુખી થાય છે (૧૫), વાણી અથવા કર્મથી પ્રગટ રૂપે કે ગુપ્ત રૂપે ગુરુજનો વિરુદ્ધ કોઈપણ પ્રકારની ચેષ્ટા ન કરવી જોઈએ (૧૭). લુહારશાળાઓમાં, ઘરોમાં, બે ઘરની વચ્ચેની જગ્યામાં અને મોટા માર્ગો પર ક્યારેય કોઈ સ્ત્રીની સાથે ઊભા ન રહેવું કે ન તો તેની સાથે વાર્તાલાપ કરવો (૨૬). ભિક્ષા સમયે સાધુએ દાતાથી બહુ દૂર નહિ કે બહુ પાસે નહિ ઊભા રહેવું જોઈએ, તેણે એવા સ્થાને ઊભા રહેવું જોઈએ જ્યાં બીજા શ્રમણો તેને જોઈ ન શકે અને જયાં બીજાઓને વટાવીને જવું ન પડે (૩૩). જો ક્યારેક આચાર્ય ગુસ્સે થઈ જાય તો તેમને પ્રેમપૂર્વક પ્રસન્ન કરવા. હાથ જોડી તેમના ક્રોધાગ્નિને શાંત કરવો અને તેમને વિશ્વાસ આપવો કે ફરી પોતે કોઈ તેવું કામ નહિ કરે (૪૧). પરીષહ : પરીષણો જાણીને, જીતીને અને તેમનો પરાભવ કરીને, મિક્ષાટન જતી વેળાએ જો ભિક્ષુએ પરીષહોનો સામનો પણ કરવો પડે તો તે પોતાના સંયમનો ' ' ૧. જુઓ – વિન્ટરનિ, હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લીટરેચર, ભાગ ૨, ૬, કાન, ૨. સરખાવો – સત્તા દિ માનો સાથો દિ નાથો પર સિયા | * મત્તના રી સુરેન નાથ તપત કુલખે છે ધમ્મપદ ૧૨. ૪. Page #156 -------------------------------------------------------------------------- ________________ . ૧૨૦ અંગબાહ્ય આગમો નાશ થવા દેતો નથી. શ્રમણ ભગવાન કાશ્યપગોત્રીય મહાવીરે ૨૨ પરીષહો બતાવ્યા છે – સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, અચલ (વસ્ત્રરહિત હોવું), અરતિ (અપ્રીતિ), સ્ત્રી, ચર્યા (ગમન), નિષઘા (બેસવું), શવ્યા, આક્રોશ (કઠોર વચન), વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, જલ્લ (મળ), સત્કાર-પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને દર્શન. તપના કારણે બાહુ, જાંઘ વગેરે કાકજંઘાની માફક કૃશ ભલેને થઈ જાય અને ભલેને શરીરની નસેનસ દેખાવા લાગે છતાં પણ ભોજન-પાનની માત્રા જાણનાર ભિક્ષુ સંયમમાં દીનવૃત્તિ કરતો નથી (૩). તૃષાથી પીડિત હોવા છતાં પણ અનાચારથી ભયભીત, સંયમની લાજ રાખનારો ભિક્ષુ શીતજનની જગ્યાએ ઉષ્ણજળનું જ સેવન કરે (૪). શીતળવાયુથી રક્ષણ કરનારું કોઈ ઘર ન હોય અને ન તો શરીરનું રક્ષણ કરનાર કોઈ વસ્ત્ર હોય, છતાં પણ ભિક્ષુ ક્યારેય અગ્નિ વડે તાપ લેવાનો વિચાર મનમાં લાવતો નથી (૭). ગરમીથી વ્યાકુળ સંયમી સાધુ સ્નાનની ઈચ્છા ન કરે, ન પોતાના શરીર ઉપર જળનો છંટકાવ કરે કે ન તો પંખાથી હવા નાખે (૯). જો ડાંસ-મચ્છર માંસ અને રક્તનું ભક્ષણ કરતા હોય તો તેમને ન મારે, ન ઉડાડે, ન તેમને કોઈપણ પ્રકારે કષ્ટ પહોંચાડે કે ન તેમના પ્રત્યે મનમાં કોઈપણ પ્રકારનો દ્વેષ રાખે, પરંતુ તેમની ઉપેક્ષા જ કરે (૧૧). મારાં વસ્ત્રો જીર્ણ થઈ ગયાં છે એટલે હું થોડાક જ દિવસોમાં અચેલ (વસ્ત્રરહિત) થઈ જઈશ અથવા મારાં આ વસ્ત્રો જોઈ કોઈ મને નવાં વસ્ત્રો આપશે એ વાતની ચિંતા સાધુ ક્યારેય ન કરે(૧૨). જેણે એ જાણી લીધું છે કે સ્ત્રીઓ મનુષ્યોની આસક્તિનું કારણ છે, તેમનું ૧. સરખાવો – પગ અને જાંઘ જેમનાં સુકાઈ ગયાં છે, પેટ કમરમાં ચોંટી ગયું છે, હાડકાં-પાંસળાં નીકળી ગયાં છે, કમરનાં હાડકાં રુદ્રાક્ષની માળાની માફક એક એક કરીને ગણી શકાય છે, છાતી ગંગાના તરંગો જેવી દેખાય છે, ભુજાઓ સુકાઈ ગયેલા સાપ જેવી લટકી ગઈ છે, મસ્તક કાપી રહ્યું છે, શરીર કરમાઈ ગયું છે, આંખો અંદર જતી રહી છે, ખૂબ મુશ્કેલીથી ચાલી શકાય છે, બેસીને ઊભા થઈ શકાતું નથી અને બોલવા માટે જીભ ઊપડતી નથી – અનુત્તરોવવાયદસાઓ, પૃ. ૬૬; થેરગાથા ૫૮૦, ૯૮૨-૮૩, ૯૮૫, ૧૦૫૪-૬ પણ જોવાં જોઈએ. ૨. આ પરથી જણાય છે કે જૈન સંઘમાં જિનકલ્પી અને વિકલ્પી એમ બંને પ્રકારના સાધુઓ હતા. જુઓ – આચારાંગ, ૬.૩.૧૮૨; જગદીશચન્દ્ર જૈન, જૈન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ, પૃ. ૨૨, ૨૧૨-૧૩. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ઉત્તરાધ્યયન સાધુત્વ સફળ થયું સમજવું જોઈએ (૧૬), કઠોર, દારુણ અથવા દુઃખોત્પાદક વચનો સાંભળીને ભિક્ષુ મૌન ધારણ કરે અને એવાં વચનોને મનમાં રહેવા ન દે (૨૫). જો સંયમશીલ અને ઈન્દ્રિયજયી ભિક્ષુને કોઈ ક્યારેય મારે તો તેણે વિચાર કરવો જોઈએ કે જીવનો ક્યારેય નાશ થતો નથી (૨૭). ભિક્ષુ ચિકિત્સા કરાવવાની ઈચ્છા ન કરે, પરંતુ સમભાવથી રહે, તેનાથી જ તેનું સાધુત્વ સ્થિર રહી શકે છે (૩૩). કર્મક્ષયનો ઈચ્છુક સાધુ આર્યધર્મનું પાલન કરતો કરતો મૃત્યુપર્યત મલ ધારણ કરે (૩૭). ચતુરંગીય : ચાર વસ્તુઓ આ સંસારમાં દુર્લભ છે – મનુષ્યત્વ, શ્રુતિ (ધર્મશ્રવણ), શ્રદ્ધા અને સંયમ ધારણ કરવાની શક્તિ (૧). મનુષ્ય-શરીર પામીને પણ ધર્મશ્રવણ દુર્લભ છે. ધર્મશ્રવણ કરીને જીવ તપ, ક્ષમા અને અહિંસા પામે છે (૮). કદાચ ધર્મશ્રવણનો અવસર પણ મળી જાય તો તેના પર શ્રદ્ધા થવી ખૂબ મુશ્કેલ છે, કારણ કે ન્યાયમાર્ગનું શ્રવણ કરીને પણ ઘણા જીવો ભ્રષ્ટ થઈ જાય છે. (૯). મનુષ્યત્વ, ધર્મશ્રવણ અને શ્રદ્ધા પ્રાપ્ત થવા છતાં પણ સંયમપાલનની શક્તિ પ્રાપ્ત થવી દુર્લભ છે. ઘણા બધા જીવો સંયમની રુચિ રાખવા છતાં પણ તેનું આચરણ કરી શકતા નથી (૧૦). અસંસ્કૃત : તૂટેલો જીવનતંતુ ફરીથી સાંધી શકાતો નથી, એટલા માટે હે ગૌતમ! તું એક સમય(ક્ષણ)નો પણ પ્રમાદ ન કર. જરા વડે ગ્રસ્ત પુરુષનું કોઈ શરણ નથી, પછી પ્રમાદી, હિંસક અને અયત્નશીલ જીવ કોના શરણમાં જશે ? (૧) પ્રમાદી જીવ આ લોકમાં કે પરલોકમાં શરણ મેળવી શકતો નથી. જેવી રીતે દીપક બુઝાઈ જતાં કંઈ પણ દેખાતું નથી, તેવી જ રીતે અનંત મોહના કારણે મનુષ્ય ન્યાયમાર્ગને જોઈને પણ જોતો નથી (૫). સૂતેલામાં જાગ્રત, બુદ્ધિમાન અને આશુપ્રજ્ઞાવાળો સાધક જીવનનો વિશ્વાસ ન કરે. કાળ રૌદ્ર છે, શરીર નિર્બળ છે, એટલા માટે સાધકે સદા ભાચુંડ પક્ષીની માફક અપ્રમત્ત બની વિચારવું જોઈએ (૬). મંદ મંદ સ્પર્શ ખૂબ આકર્ષક હોય છે, એટલા માટે તેમની તરફ પોતાના મનને જવા ન દે. ક્રોધને રોકે, માનને દૂર કરે, માયાનું સેવન ન કરે અને લોભનો ત્યાગ કરે (૧૨). ૧. સંભવ છે કે માલધારી હેમચન્દ્ર નામ પડવાનું આ જ કારણ હોય. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૨ અંગબાહ્ય આગમો અકામમરણીય : . મરણ સમયે જીવોની બે સ્થિતિ હોય છે – અકામ-મરણ અને સકામમરણ (૨). સદ્-અસદુનો વિવેક ન કરી શકનાર મૂર્ખનું મરણ અકામ-મરણ હોય છે, તે વારંવાર થાય છે. પંડિતનું મરણ સકામ-મરણ હોય છે, તે માત્ર એક જ વાર થાય છે. (૩). કામ-ભોગોમાં આસક્ત થઈ જે અસત્ય કર્મ કરે છે તે વિચારે છે કે પરલોક તો મેં જોયો નથી, પરંતુ કામ-ભોગોનું સુખ તો પ્રત્યક્ષ છે (૫). ઘણા કાળથી ધારણ કરેલાં ચીવર, ચર્મ, નગ્નત્વ, જટા, સંઘાટી, મુંડન વગેરે ચિહ્નો શીહીન સાધુની રક્ષા કરતાં નથી. ક્ષુલ્લક-નિગ્રંથીય : માતા, પિતા, પુત્રવધુ, ભ્રાતા, ભાર્યા, પુત્ર વગેરે કોઈપણ પોતાના સંચિત કર્મો વડે પીડાયેલા મારી રક્ષા કરી શકતા નથી (૩). બંધ-મોક્ષની વાતો કરનારા અને મોક્ષપ્રાપ્તિ માટેનું આચરણ ન કરનારા માત્ર વાતોની શક્તિથી પોતાના આત્માને આશ્વાસન આપે છે (૧૦). ઔરશ્રીય : કોઈ પોતાના અતિથિ માટે કોઈ ઘેટાને ચોખા અને જવ ખવડાવીને પુષ્ટ બનાવે છે. ખાઈ ખાઈને તે ઘેટું હૃષ્ટ-પુષ્ટ અને વિપુલ દેહધારી બની જાય છે. એમ લાગે છે કે તે અતિથિના આવવાની વાટ જોતું હોય. જયાં સુધી અતિથિ આવતો નથી ત્યાં સુધી તે પ્રાણ ધારણ કરે છે, પરંતુ અતિથિ આવતાં જ લોકો તેને મારીને ખાઈ જાય છે. જેમ ઘેટું અતિથિના આગમનની પ્રતિક્ષા કરતું રહે છે, તેવી જ રીતે અધર્મી જીવ નરકગતિની પ્રતિક્ષા કરતો રહે છે (૧-૭). જેવી રીતે એક કાકિણી (રૂપિયાનો એંશીમો ભાગ) માટે કોઈ મનુષ્ય હજારો રૂપિયા ખોયા, અથવા કોઈ રાજાએ અપથ્ય કેરી ખાઈને પોતાનું આખું રાજ્ય ગુમાવી દીધું (એ જ રીતે પોતાના ક્ષણિક સુખ માટે જીવ પોતાનો સમગ્ર ભવ બગાડી નાખે છે) (૧૧). કામ-ભોગો કુશના અગ્રભાગ ઉપર રહેલાં જળબિંદુ જેવાં છે. આવી હાલતમાં આયુષ્ય અલ્પ હોઈને કેમ કલ્યાણમાર્ગ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો નહિ ? (૨૪) કપિલીય : અનિત્ય, ક્ષણભંગુર અને દુઃખોથી ભરેલા આ સંસારમાં એવું કયું કર્મ કરું કે જેનાથી હું દુર્ગતિને પ્રાપ્ત ન થાઉં ? (૧) પૂર્વસંયોગોનો ત્યાગ કરી કોઈપણ વસ્તુમાં રાગ ન કરો. પુત્ર-કલત્ર વગેરેમાં રાગ ન કરો. એવો ભિક્ષુ બધા દોષોમાંથી છૂટી જાય છે (૨). જે લક્ષણવિદ્યા, સ્વપ્રવિદ્યા અને અંગવિદ્યાનો Page #159 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન ૧૨૩ ઉપયોગ કરે છે, તેઓ શ્રમણ કહેવાય નહિ – એવું આચાર્યોએ કહ્યું છે (૧૩), જેમ જેમ લાભ થતો જાય છે, તેમ તેમ લોભ વધતો જાય છે. બે માસા સોનું માંગવાની ઈચ્છા એક કરોડથી પણ પૂરી થતી નથી (૧૭). નમિપ્રવ્રજ્યા : - પૂર્વ ભવનું સ્મરણ કરતાં નમિ રાજાને બોધ પ્રાપ્ત થયો અને તેઓ પોતાના પુત્રને રાજય સોંપીને અભિનિષ્ક્રમણ કરવાની તૈયારી કરવા લાગ્યા. મિથિલા નગરી, પોતાની સેના, અંતઃપુર અને પોતાના સગા-સંબંધીઓને છોડીને તેઓ એકાંતમાં ચાલ્યા ગયા. તે સમયે નગરીમાં ઘણો કોલાહલ મચી રહ્યો. ઈન્દ્ર બ્રાહ્મણનું રૂપ ધારણ કરી ત્યાં ઉપસ્થિત થયો અને રાજર્ષિ સાથે પ્રશ્નોત્તર કરવા લાગ્યો - ઈન્દ્ર – હે આર્ય ! એવું શું કારણ છે કે મિથિલા નગરીમાં કોલાહલ થઈ રહ્યો છે અને તેના મહેલોમાં અને ઘરોમાં દારુણ શબ્દો સંભળાઈ રહ્યા નમિ – મિથિલામાં શીતળ છાયાવાળું, મનોરમ્ય, પત્રપુષ્પોથી આચ્છાદિત ૧. ૧૪ પૂર્વગ્રંથોમાં ગણાય છે તેવા વિદ્યાનુવાદ નામક પૂર્વમાં વિદ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવતીસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે ગોશાલક આઠ મહાનિમિત્તોમાં કુશળ હતો. પંચકલ્પચૂર્ણિના ઉલ્લેખ પરથી જણાઈ આવે છે કે આર્ય કાલકના શિષ્યો શ્રમણધર્મમાં સ્થિર રહી શકતા ન હતા, એટલે પોતાના શિષ્યોને સંયમમાં સ્થિર રાખવા માટે કાલક નિમિત્તવિદ્યા શીખવા માટે આજીવિકોની પાસે ગયા હતા. ભદ્રબાહુને પણ નૈમિત્તિક માનવામાં આવે છે, તેઓ મંત્રવિદ્યામાં નિષ્ણાત હતા. તેઓએ કોઈ વ્યંતરથી સંઘની રક્ષા કરવા માટે ઉપસર્ગહરસ્તોત્રની રચના કરી હતી. આર્ય ખપૂટ પણ મંત્રવિદ્યાના જ્ઞાતા હતા. ઔપપાતિકસૂત્રમાં મહાવીરના શિષ્યોને આકાશગામિની વગેરે અનેક વિદ્યાઓ વડે સંપન્ન બતાવવામાં આવ્યા છે. જુઓ – જગદીશચન્દ્ર જૈન, જૈન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ, પૃ. ૩૩૯-૪૦. સ્થાનાંગ (૮.૬૦૮)માં ભૌમ (ભૂકંપ), ઉત્પાત (લોહીનો વરસાદ), સ્વમ, અંતરિક્ષ, અંગ (આંખ વગેરેનું ફરકવું), સ્વર, લક્ષણ અને વ્યંજન (તલ, મસા વગેરે) – આ આઠ મહાનિમિત્તો બતાવવામાં આવ્યા છે. કેશ, દત્ત, નખ, લલાટ, કંઠ વગેરે જોઈને શુભ-અશુભ જાણવાની વિદ્યા લક્ષણવિદ્યા છે. સ્વપ્રવિદ્યા દ્વારા સ્વમના શુભ-અશુભનું જ્ઞાન થાય છે. સ્વપ્ર માટે જુઓ – ભગવતીસૂત્ર, ૧૬-૬; સુશ્રુત, શારીરસ્થાન ૩૩, મસ્તક, આંખ, હોઠ, બાહુ વગેરેના ફુરણ વડે શુભ-અશુભ જાણવાની વિદ્યા અંગવિદ્યા છે. “અંગવિદ્યા'નું સંપાદન મુનિશ્રી પુણ્યવિજયજીએ કર્યું છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ અંગબાહ્ય આગમો તથા લોકો માટે લાભદાયક એક ચૈત્યવૃક્ષ છે. તે વૃક્ષ વાયુથી કંપી રહ્યું છે. એટલા માટે અશરણ થઈને આર્ત અને દુઃખી પક્ષીઓ વિલાપ કરી રહ્યાં છે. ઈન્દ્ર – વાયુથી પ્રદીપ્ત અગ્નિ આ ઘરને ભસ્મ કરી રહ્યો છે. હે ભગવન્! આપનું અંતઃપુર સળગી રહ્યું છે, આપ કેમ ત્યાં દષ્ટિપાત નથી કરતા? નમિ – અમે સુખેથી રહીએ છે, સુખેથી જીવીએ છીએ, અમારું અહીં કંઈ પણ નથી. મિથિલા નગરી સળગે તેમાં મારું કંઈ નથી સળગતું. જેણે પુત્ર-પત્નીને છોડી દીધાં છે અને જે સાંસારિક વ્યાપારોથી દૂર છે, તે ભિક્ષુ માટે કોઈ વસ્તુ પ્રિય અથવા અપ્રિય નથી હોતી. - ઈન્દ્ર - હે ક્ષત્રિય ! પ્રાકાર (કિલ્લો), ગોપુર, અટ્ટાલિકાઓ, ખાઈ (ઉસૂલગ) અને શતક્ની બનાવીને પછી પ્રવ્રજ્યા ગ્રહણ કરજો. નમિ – શ્રદ્ધારૂપી નગર, તપ અને સંવરરૂપી અર્ગલા (આગળો), ક્ષમારૂપી પ્રાકાર, ત્રણ ગુપ્તિરૂપી અટ્ટાલિકાઓ ખાઈ-શતક્ની, પરાક્રમરૂપી ધનુષ, ઈર્યા (વિવેકપૂર્વક ગમન) રૂપી પ્રત્યંચા અને ઘેર્યરૂપી ધનુષની મૂઠ બનાવીને સત્ય દ્વારા તેને બાંધવું જોઈએ, કેમ કે તારૂપી બાણ દ્વારા કર્મરૂપી કવચ ભેદીને મુનિ સંગ્રામમાં વિજયી થઈને આ સંસારથી છૂટી જાય છે. ઈન્દ્ર – હે ક્ષત્રિય ! ચોર, ડાકુ, (લોમહર – પ્રાણોનું હરણ કરનાર), ખિસ્સાકાતરુઓ અને ખાતર પાડનારાઓથી પોતાની નગરીની રક્ષા કરી પછી પ્રવ્રયા ગ્રહણ કરજો. નમિ – કેટલીયવાર મનુષ્ય નિરર્થક જ દંડ આપે છે, જેનાથી નિરપરાધી માર્યો જાય છે અને અપરાધી છૂટી જાય છે. | ઈન્દ્ર- હે ક્ષત્રિય ! જે રાજાઓએ તને નમસ્કાર નથી કર્યો, તેમને પોતાના વશ કર્યા બાદ જ પ્રવ્રજિત થજો. નમિ – દુર્જય યુદ્ધમાં દસ લાખ સુભટોને જીતવાને બદલે એક પોતાના આત્માને જીતવો સૌથી મોટો વિજય છે. આત્માએ પોતાની સાથે જ યુદ્ધ કરવું જોઈએ, બાહ્ય ૧. સરખાવો – મહાજનક જાતક (૫૩૯) તથા મહાભારત, શાન્તિપર્વ (૧૨. ૧૭૮) સાથે. પ્રોફેસર વિન્ટનિત્યે આ જાતના આખ્યાનોને શ્રમણકાવ્ય-સાહિત્યમાં સર્વશ્રેષ્ઠ બતાવ્યાં છેઃ જુઓ – સમ પ્રોબ્લેમ્સ ઑફ ઈન્ડિયન લિટરેચર, પૃ. ૨૧ વગેરે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન ૧૨૫ યુદ્ધોથી કંઈ નથી થતું. પોતાના આત્માને જીતીને જ વાસ્તવિક સુખ પ્રાપ્ત કરી શકાય છે. ઈન્દ્ર – હે ક્ષત્રિય ! વિપુલ યજ્ઞો રચાવીને, શ્રમણ-બ્રાહ્મણોને ભોજન કરાવીને, દાન દઈને તથા ભોગોનો ઉપભોગ કરીને પછી પ્રવ્રજ્યા ગ્રહણ કરજો. નોમ – જે પ્રતિમાસ દસ-દસ લાખ ગાયોનું દાન કરે છે તેની અપેક્ષાએ કંઈ પણ ન આપનારો સંયમી શ્રેયસ્કર છે. ઈન્દ્ર – હે ક્ષત્રિય ! ચાંદી, સોનું, મણિ, મુક્તા, કાંસુ, દૃષ્ય, વાહનો અને કોશમાં વૃદ્ધિ કર્યા પછી પ્રવ્રજ્યા લેજો. નમિ – કૈલાશ પર્વત સમાન સોના-ચાંદીના અસંખ્ય પર્વતો પણ લોભી માટે પૂરતા નથી, કેમ કે ઈચ્છાઓ આકાશ જેવી અનંત હોય છે. આ સાંભળી ઈન્દ્ર પોતાનું વાસ્તવિક રૂપ ધારણ કરી નમિ રાજર્ષિની સ્તુતિ કરવા લાગ્યો અને પછી તેમને નમસ્કાર કરી અંતર્ધાન થઈ ગયો (૧-૬૨). દ્રુમપત્રક ઃ જેવી રીતે પીળું પડેલું વૃક્ષનું પાંદડું સમય જતાં ખરીને નીચે પડે છે, તે જ રીતે મનુષ્યજીવન પણ ક્ષણભંગુર છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ ન કરીશ (૧). જેવી રીતે કુશના અગ્રભાગ ઉપર રહેલ ઝાકળનું બિંદુ ક્ષણસ્થાયી છે, તેવી જ રીતે મનુષ્યજીવન પણ ક્ષણભંગુર છે. એટલા માટે હે ગૌતમ ! ક્ષણભર પણ પ્રમાદ ન કરીશ (૨). મનુષ્યભવ દુર્લભ છે, જે જીવોને ઘણા સમય પછી પ્રાપ્ત થાય છે. કર્મોનો વિપાક ઘોર હોય છે, એટલા માટે હે ગૌતમ ! ક્ષણભર પણ પ્રમાદ ન કરીશ (૩). જીવ પંચેન્દ્રિયોની પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે પરંતુ તેને ઉત્તમ ધર્મનું શ્રવણ દુર્લભ છે, કેમ કે કુતીર્થસેવી લોકો ઘણા છે, એટલા માટે હે ગૌતમ ! ક્ષણભર પણ પ્રમાદ ન કરીશ (૧૮). તારું શરીર જર્જરિત થઈ રહ્યું છે, વાળ પાકી ગયા છે, ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ ગઈ છે, એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કરીશ (૨૬). અરિત, ગંડ (ગડગુમડ), વિશૂચિકા વગેરે અનેક રોગોનો ભય સદા બનેલો રહે છે અને આશંકા બની રહે છે કે ક્યાંક કોઈ વ્યાધિ ઉત્પન્ન ન થઈ જાય કે મૃત્યુ ન આવી જાય, એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કરીશ (૨૭). તેં ધન અને પત્નીને છોડી અણગારવ્રત ધારણ કર્યું છે, હવે તું વમન કરેલા વિષયોને ફરી ગ્રહણ ન કરીશ. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કરીશ (૨૯). નિર્બળ ભારવાહક વિષમ માર્ગનું અનુસરણ કરતાં પશ્ચાત્તાપનો પાત્ર બને છે, એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કરીશ (૩૩). Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ અંગબાહ્ય આગમો બહુશ્રુતપૂજા: માન, ક્રોધ, પ્રમાદ, રોગ અને આળસ – આ પાંચ સ્થાનોને કારણે જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી (૩). નીચે લખેલાં ૧૪ સ્થાનોને કારણે સંયમી અવિનીત કહેવાય છે – સદા ક્રોધ કરનારો, પ્રકુપિત થઈને મૃદુ વચનો વડે શાંત ન થનાર, મિત્રભાવનો ભંગ કરનાર, શાસ્ત્રાભિમાની, ભૂલ છુપાવવાનો પ્રયત્ન કરનાર, મિત્રો પર ક્રોધ કરનાર, પીઠ પાછળ નિંદા કરનાર, એકાંત રૂપે અસત્ય બોલનાર, દ્રોહી, અભિમાની, લોભી, અસંયમી, આહાર વગેરેનો ઉચિત ભાગ ન કરનાર અને અપ્રીતિ ઉત્પન્ન કરનાર (૬-૯). જે સદા ગુરુકુળમાં રહી યોગ અને તપ કરે છે, પ્રિયકારી છે અને પ્રિય બોલે છે, તે શિષ્ય ઉપદેશનો અધિકારી છે (૧૪). જેવી રીતે કંબોજ દેશના ઘોડાઓમાં આકર્ણને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, તેવી જ રીતે બહુશ્રુત જ્ઞાનીને સહુમાં ઉત્તમ માનવામાં આવે છે (૧૬). જેવી રીતે અનેક હાથણીઓથી ઘેરાયેલ સાઠ વર્ષનો હાથી બળવાન અને અજેય હોય છે, તે જ રીતે બહુશ્રુત જ્ઞાની પણ અજેય હોય છે (૧૮). જેવી રીતે મંદર પર્વત પર્વતોમાં મહાન છે, તેવી જ રીતે બહુશ્રુત જ્ઞાની પુરુષોમાં સર્વશ્રેષ્ઠ છે (ર૯). હરિકેશીય : ચાંડાલ કુળમાં ઉત્પન્ન થયેલ હરિકેશબલ નામે ભિક્ષુ એકવાર ભિક્ષા માટે ભ્રમણ કરતાં કરતાં બ્રાહ્મણોની યજ્ઞશાળામાં પહોંચ્યા. તપથી સુકાયેલ તથા મલીન વસ્ત્ર અને પાત્રો વગેરે ઉપકરણોથી યુક્ત તેમને આવતા જોઈને અશિષ્ટ લોકો હસવા લાગ્યા અને જાતિમદથી ઉન્મત્ત બની, હિંસક, અસંયમી અને અબ્રહ્મચારી બ્રાહ્મણો ભિક્ષુને લક્ષ્ય બનાવી કહેવા લાગ્યા – બિભત્સ રૂપવાળો, વિકરાળ, મલિન વસ્ત્રધારી, મેલાંઘેલાં વસ્ત્રો પોતાના ગળામાં લપેટેલો આ કોણ પિશાચ ધસી આવી રહ્યો છે? બ્રાહ્મણોએ પૂછ્યું – આટલો બદસૂરત તું કોણ છે ? કઈ આશાએ અહીં આવ્યો છે ? હે મલિન વસ્ત્રધારી પિશાચ ! તું અહીંથી ચાલ્યો જા. અહીં કેમ ઊભો રહ્યો છે? આ સાંભળી હિંદુક વૃક્ષ પર રહેનારો યજ્ઞ અનુકંપાપૂર્વક મહામુનિના શરીરમાં પ્રવેશીને બોલ્યો – હું શ્રમણ છું, બ્રહ્મચારી છું, ધન-સંપત્તિ અને પરિગ્રહ વગેરેથી વિરક્ત છું, એટલા માટે અનુદિષ્ટ ભોજન લેવા માટે અહીં આવ્યો છું.” બ્રાહ્મણો – આ ભોજન બ્રાહ્મણો માટે બનાવવામાં આવ્યું છે, બીજા કોઈ માટે નહીં, આ ભોજનમાંથી તને કંઈ મળી શકે નહીં, પછી તું અહીં શા માટે ઊભો છે? Page #163 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન ૧૨૭ હરિકેશ – ખેડૂત લોકો ઊંચી કે નીચી જમીનમાં આશા રાખીને બીજ વાવે છે. એ જ શ્રદ્ધાથી તમે પણ મને ભોજન આપો અને પુણ્ય સમજીને આ ક્ષેત્રની આરાધના કરો. બ્રાહ્મણો – અમે લોકો જાણીએ છીએ કે કયું ક્ષેત્ર પુણ્યક્ષેત્ર છે અને ક્યાં દાન દેવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. જાતિ અને વિદ્યાથી સંપન્ન બ્રાહ્મણ જ ઉત્તમ ક્ષેત્ર હરિકેશ – ક્રોધ, માન, વધ, મૃષા, અદત્તાદાન અને પરિગ્રહ સંપન્ન તથા જાતિ અને વિદ્યાવિહીન બ્રાહ્મણોને પાપનું જ ક્ષેત્ર સમજવું જોઈએ. અરે તમે લોકો વેદો ભણીને પણ તેમનો અર્થ સમજી શક્યા નહિ, એટલે તમે વેદવાણીનો માત્ર ભાર જ ઊચક્યો છે. જે મુનિ ઉચ્ચ અને નીચ કુળોમાં ભિક્ષા ગ્રહણ કરે છે તેઓ જ સુક્ષેત્ર છે. બ્રાહ્મણો – અમારા અધ્યાપકોની વિરુદ્ધ બોલનાર તું અમારી સામે શું બકબક કરી રહ્યો છે? ભલેને આ ભોજન નાશ પામે પરંતુ તે નિગ્રંથ ! આમાંથી તને અમે રતીભાર પણ આપીશું નહિ. હરિકેશ – પાંચ સમિતિઓ અને ત્રણ ગુક્તિઓથી સંપન્ન મને જો તમે આ આહાર નહિ આપો તો પછી આ યજ્ઞોનો શો લાભ ? આ સાંભળી તે બ્રાહ્મણો ઘાંટા પાડી કહેવા લાગ્યા – અરે ! અહીં કોઈ ક્ષત્રિય, યજમાન કે અધ્યાપક છે કે નહિ કે જે આ શ્રમણને દંડાથી સીધો કરી તેની ગરદન પકડી બહાર કાઢે ? પોતાના અધ્યાપકોના આ વચનો સાંભળી ઘણા બધા છાત્રો દોડી આવ્યા અને દંડા, છડીઓ તથા ચાબુક વગેરેથી શ્રમણને મારવા-પીટવા લાગ્યા. કોશલ દેશની રાજકુમારી ભદ્રાએ ઉપસ્થિત થઈ હરિકેશની રક્ષા કરી. તેના પતિ રુદ્રદેવ બ્રાહ્મણે ઋષિ પાસે પહોંચી તેમની ક્ષમા માંગી. ત્યારપછી બ્રાહ્મણોએ હરિકેશને આહાર આપ્યો. હરિકેશે તેમને ઉપદેશ દ્વારા લાભાન્વિત કર્યા – હે બ્રાહ્મણો ! યજ્ઞ-યાગ કરતા તમે જળ દ્વારા શુદ્ધિની કેમ કામના કરો છો ? બાહ્ય શુદ્ધિ વાસ્તવિક શુદ્ધિ નથી, એવું પંડિતોએ કહ્યું છે. કુશ, યૂપ (જેમાં યજ્ઞીય પશુને બાંધવામાં આવે છે તે કાષ્ઠતંભ), તણ, કાઇ, અગ્નિ તથા સવાર-સાંજ જળનો સ્પર્શ કરીને તમે પ્રાણીઓનો નાશ જ કરો છો. તપ જ વાસ્તવિક અગ્નિ છે, જીવ અગ્નિસ્થાન છે, યોગ કડછી છે, શરીર અગ્નિને પ્રદીપ્ત કરનાર સાધન છે, Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ અંગબાહ્ય આગમો કર્મ ઈંધણ છે, સંયમ શાંતિમંત્ર છે – આ સાધનો વડે યજ્ઞ કરવાને ઋષિઓએ પ્રશસ્ત માનેલ છે.૧ (૧-૪૭). ચિત્ત-સંભૂતીય : ચિત્ત અને સંભૂતિ પૂર્વજન્મમાં ચાંડાલપુત્રો હતા. સંભૂતિએ કાંપિલ્યપુરમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી રૂપે જન્મ લીધો અને ચિત્તે મુનિવ્રત ધારણ કર્યું. બ્રહ્મદત્તે પોતાના પૂર્વજન્મના ભાઈ ચિત્તને મુનિરૂપે જોઈને તેને વિષય-ભોગ ભોગવવા માટે નિમંત્રણ આપ્યું, પરંતુ ચિત્તે ઉલટો તેને જ ઉપદેશ આપ્યો – - હે રાજન ! બધાં ગીતો વિલાપ સમાન છે, નૃત્યો માત્ર વિડંબના છે, આભૂષણો ભારરૂપ છે અને કામસુખો દુ:ખ આપનાર છે (૧૬), પુણ્યના ફળથી જ તું મહા સમૃદ્ધિશાળી બન્યો છે, એટલા માટે છે નરેન્દ્ર ! તું ક્ષણિક ભોગોનો ત્યાગ કરી પ્રવ્રજ્યા ગ્રહણ કર (૨૦). જેવી રીતે સિંહ મૃગને પકડીને લઈ જાય છે તેવી જ રીતે અંતસમયે મૃત્યુ મનુષ્યને પકડી લે છે. તે સમયે તેના માતા-પિતા અને ભાઈઓ વગેરે કોઈપણ તેની રક્ષા કરી શકતા નથી (૨૨). મૃત્યુ થયા પછી નિર્જીવ શરીરને ચિતા પર ગોઠવી અને તેને અગ્નિ વડે સળગાવી ભાર્યા, પુત્રો અને સગા-સંબંધી બધા લોકો ઘરે પાછા ફરે છે (૨૫). રાજા બ્રહ્મદત્તે વિષય-ભોગોનો ત્યાગ કરવાનું અસામર્થ્ય બતાવતાં જવાબ આપ્યો – ધર્મને જાણવા છતાં પણ હું કામ-ભોગોનો ત્યાગ કરી શકતો નથી (૩૯). કાદવમાં ફસાયેલો હાથી જેમ કિનારાને જોવા છતાં ત્યાં જઈ શકતો નથી, તે જ રીતે કામ-ભોગોમાં આસક્ત તેવો હું સાયુમાર્ગ ગ્રહણ કરી શકતો નથી (૩૦). ચિત્ત – આયુષ્ય વ્યતીત થઈ રહ્યું છે, રાત્રીઓ જલદી-જલદી વીતી રહી છે, વિષય-ભોગો ક્ષણસ્થાયી . જેવી રીતે ફળરહિત વૃક્ષને છોડીને પક્ષીઓ ચાલ્યા જાય છે, તેવી જ રીતે વિષય-ભોગો પુરુષને છોડી દેશે (૩૯). હે રાજન ! જો તું વિષય-ભોગોને છોડવા માટે અસમર્થ છે તો ઓછામાં ઓછું તું સારા કર્મો તો કર્યા કર. પોતાના ધર્મમાં સ્થિર થઈને જો તું પ્રજા પર અનુકંપા રાખીશ તો પછીના જન્મમાં દેવજાતિમાં જન્મ લઈશ (૩૨). ૧. સરખાવો – ખાસ કરીને ઉત્તરાધ્યયનની ૬-૭, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૮ ગાથાઓ સાથે માતંગ જાતકની ૧, ૩, ૪, ૫, ૮ ગાથાઓ. Page #165 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન ૧૨૯ પરંતુ જ્યારે ચિત્ત મુનિના ઉપદેશની બ્રહ્મદત્તના મન પર કોઈ અસર ન થઈ ત્યારે તે ત્યાંથી ચાલ્યા ગયા (૩૩). ઈષકારીય : ઇષકાર નગરમાં કોઈ પુરોહિત બ્રાહ્મણના બે કુમારો હતા. તેમને પોતાના પૂર્વભવનું સ્મરણ થયું કે તેમણે પૂર્વજન્મમાં તપ અને સંયમનું પાલન કર્યું છે. ભોગોમાં આસક્ત ન થતાં, મોક્ષના અભિલાષી અને શ્રદ્ધાશીલ તેવા બંને પોતાના પિતા પાસે જઈ કહેવા લાગ્યા – આ જીવન ક્ષણભંગુર છે, વ્યાધિથી યુક્ત છે, અલ્પ આયુષ્યવાળું છે, એટલા માટે અમે મુનિવ્રત ધારણ કરવા ઈચ્છીએ છીએ. પિતાએ પોતાના પુત્રોને ઉપદેશ આપતાં કહ્યું – વેદવેત્તાઓનું કથન છે કે પુત્રરહિત પુરુષને ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી નથી. એટલા માટે હે પુત્રો ! વેદોનું અધ્યયન કરીને, બ્રાહ્મણોને સંતુષ્ટ કરીને, પોતાના પુત્રોને ઘરનો ભાર સોંપીને અને સ્ત્રીઓ સાથે ભોગોનું સેવન કરીને પછી મુનિવ્રત ધારણ કરજો. પુત્રો – પિતાજી! વેદોના અધ્યયનથી જીવોને શરણ મળતું નથી અને બ્રાહ્મણોને ભોજન કરાવવાથી નરકની જ પ્રાપ્તિ થાય છે, પુત્રો પણ રક્ષા કરી શકતા નથી; પછી આપની વાતનો કોણ સ્વીકાર કરે? કામ-ભોગો ક્ષણમાત્ર માટે સુખ આપે છે, તેમનાથી મોટા ભાગે દુઃખની જ પ્રાપ્તિ થાય છે, મુક્તિ મળતી નથી. પિતા – જેવી રીતે અરણિમાંથી અગ્નિ, દૂધમાંથી ઘી અને તલમાંથી તેલ પેદા થાય છે તેવી જ રીતે શરીરમાં જીવની ઉત્પત્તિ થાય છે અને શરીરનો નાશ થતાં તેનો નાશ થઈ જાય છે. પુત્રો – આત્મા અમૂર્ત હોવાને કારણે તે ઈન્દ્રિયગ્રાહ્ય નથી. અમૂર્ત હોવાને કારણે તે નિત્ય છે. અમૂર્ત હોવા છતાં પણ મિથ્યાત્વ વગેરેને કારણે આત્મા બંધનમાં બદ્ધ છે, આ જ સંસારનું કારણ છે. - પિતા – આ લોક કોનાથી પીડિત છે? કોનાથી વ્યાપ્ત છે? કયા તીણ શસ્ત્રોનો પ્રહાર તેના પર થઈ રહ્યો છે? આ જાણવા માટે હું ચિંતિત છું. પુત્રો – પિતાજી ! આ લોક મૃત્યુથી પીડિત છે, જરાથી વ્યાપ્ત છે અને રાત્રિઓ પોતાના અમોઘ પ્રહાર વડે તેને ક્ષીણ કરી રહી છે. જે રાત્રિ વીતી જાય છે તે ફરી પાછી આવતી નથી. આવી હાલતમાં અધર્મનું આચરણ કરનાર વ્યક્તિની રાત્રિઓ નિષ્ફળ જાય છે. ૧. ચિત્તસંભૂત જાતક સાથે સરખાવો; ખાસ કરીને ઉત્તરાધ્યયનની ૧૦, ૩૦ વગેરે ગાથાઓ ઉક્ત જાતકની ૧, ૨, ૩, ૨૨ વગેરે ગાથાઓ સાથે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩) અંગબાહ્ય આગમો પિતા – પુત્રો ! સમ્યક્ત પ્રાપ્ત કરીને આપણે બધા કેટલાક દિવસો સુધી સાથે રહ્યા પછી ઘેર ઘેર ભિક્ષા ગ્રહણ કરતા કરતા મુનિવ્રત ધારણ કરીશું, પુત્રો – જેમની મૃત્યુ સાથે મિત્રતા છે અથવા જે મૃત્યુનો નાશ કરે છે અને જેને એવો વિશ્વાસ છે કે તે મરનાર નથી, તે જ આવતી કાલનો વિશ્વાસ કરી શકે છે. પોતાના પુત્રોનાં વચનો સાંભળી પુરોહિતનું હૃદયપરિવર્તન થઈ ગયું અને પોતાની પત્નીને બોલાવી તે કહેવા લાગ્યો – હે વાશિષ્ઠ ! પુત્રો વિના હું આ ગૃહસ્થ જીવનમાં રહેવા ઈચ્છતો નથી, હવે મારો ભિક્ષુધર્મ ગ્રહણ કરવાનો સમય આવી પહોંચ્યો છે. જેવી રીતે શાખાઓને કારણે વૃક્ષ સુંદર લાગે છે, શાખાઓ વિના માત્ર ઠુંઠું બાકી રહે છે, એ જ રીતે પુત્રો વિના મારું ગૃહસ્થ જીવન શોભનીય જણાતું નથી. પત્ની-સૌભાગ્યથી આપણને સરસ અને સુંદર કામ-ભોગો પ્રાપ્ત થયા છે, એટલા માટે તેમનું યથેચ્છ સેવન કર્યા પછી જ આપણે બંને સંયમમાર્ગ ગ્રહણ કરીશું. જેવી રીતે કોઈ ઘરડો હંસ પ્રવાહની વિરુદ્ધ જવાને કારણે કષ્ટ પામે છે, તેવી જ રીતે તમે પ્રવ્રયા ગ્રહણ કર્યા પછી પોતાના સ્નેહીજનોને યાદ કરી કરીને દુઃખ પામશો. આથી ગૃહસ્થાશ્રમમાં રહીને મારી સાથે ભોગોનું સેવન કરો. ભિક્ષાચર્યાનો માર્ગ અત્યંત દુર્લભ છે. પતિ- હે ભદ્ર! જેવી રીતે સાપ કાંચળીનો પરિત્યાગ કરી ચાલ્યો જાય છે, તેવી જ રીતે આ મારા બંને પુત્રો ભોગો છોડીને જઈ રહ્યા છે, હું કેમ તેમનું અનુસરણ ન કરું? પોતાના પતિના માર્મિક વચનો સાંભળી બ્રાહ્મણીનું હૃદય પણ પરિવર્તિત થઈ ગયું. આ રીતે પુરોહિતને પોતાની પત્ની અને બંને પુત્રો સહિત સંસારનો ત્યાગ કરતો જોઈને, જયારે રાજા ઈષકારે પુરોહિતનું બધું ધનધાન્ય લઈ લીધું ત્યારે રાણી રાજાને કહેવા લાગી - હે રાજન ! જે કોઈના વમન કરેલા ભોજનને ગ્રહણ કરે છે તેને કોઈ સારો કહેતું નથી. તું બ્રાહ્મણ દ્વારા ત્યાગ કરાયેલા ધનને ગ્રહણ કરવા ઈચ્છે છે, તે ઉચિત નથી. હે રાજન! જો તને આખા જગતનું ધન પણ આપી દેવામાં આવે તો પણ તે તારા માટે પર્યાપ્ત નહિ થાય, તેનાથી તારી રક્ષા નહિ થઈ શકે. હે રાજન! કામ-ભોગોનો ત્યાગ કરી જયારે તું મૃત્યુને પ્રાપ્ત થઈશ તે સમયે ધર્મ જ તારી સાથે ચાલશે. અંતમાં રાજા ઇષકાર અને તેની રાણીએ પણ સંસારના વિષયભોગોનો ત્યાગ કરી દુ:ખોનો નાશ કર્યો (૧-પર). ૧. ૧૨, ૨૬, ૪૪, ૪૮ ગાથાઓ સાથે હત્યિપાલ જાતકની ૪, ૧૫, ૧૭, ૨૦ ગાથાઓની તુલના કરો. Page #167 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન ભિક્ષુ : ઉત્તમ ભિક્ષુનાં લક્ષણો આ પ્રમાણે છે :– છિન્ન (ઉંદર વગેરે દ્વારા વસ્ત્રના છેદનનું જ્ઞાન), સ્વર (પક્ષીઓના સ્વરનું જ્ઞાન), ભૌમ (ભૂકંપ વગેરેનું જ્ઞાન), અંતરિક્ષ (ગંધર્વનગર વગેરેનું જ્ઞાન), સ્વપ્ર (સ્વપ્રશાસ્ત્ર), લક્ષણ (લક્ષણશાસ્ત્ર), દંડ (દંડલક્ષણ), વાસ્તુવિદ્યા, અંગવિકાર (આંખ વગેરેનું ફરકવું) વગેરે વડે પોતાની જીવિકા મેળવે નહિ (૭). મંત્ર, જડીબુટ્ટી વગેરે ઉપચારોનો ઉપયોગ કરવો તથા વમન, વિરેચન અને ધૂપ દેવો, અંજન બનાવવું, સ્નાન કરાવવું વગેરે ક્રિયાઓ કરવી જોઈએ નહિ (૮). ક્ષત્રિય, ગણ, ઉગ્ર, રાજપુત્ર, બ્રાહ્મણ, ભોગિક અને શિલ્પીઓની પૂજા-પ્રશંસા ન કરવી જોઈએ (૯). બ્રહ્મચર્ય-સમાધિ : બ્રહ્મચર્ય-સમાધિના દસ સ્થાનો આ પ્રમાણે છે – સ્ત્રી, પશુ અને નપુંસક સાથે શયન-આસનનું સેવન ન કરવું, સ્રીકથા ન કરવી, સ્ત્રીઓ સાથે એક આસન ૫૨ ન બેસવું, સ્ત્રીઓને જોઈને તેમનું ચિંતન ન કરવું, પરદા અથવા દિવાલની પાછળથી તેમનાં રુદન, ગાયન તથા આનંદ, વિલાપ વગેરે સૂચક શબ્દો ન સાંભળવા, ગૃહસ્થાશ્રમમાં ભોગવેલા ભોગોનું સ્મરણ ન કરવું, પુષ્ટિકારક આહારનું સેવન ન કરવું, માત્રાથી અધિક ભોજન-પાન ગ્રહણ ન કરવાં, શૃંગાર ન કરવો, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ વગેરે ઈન્દ્રિયોના વિષયમાં આસક્ત ન બનવું (૧-૧૦). પાપશ્રમણીય : ૧૩૧ જે નિદ્રાશીલ ભિક્ષુ ખૂબ ભોજન કરી ઘણીવાર સુધી સૂતો રહે છે તે પાપશ્રમણ કહેવાય છે (૩). જે આચાર્ય, ઉપાધ્યાય વગેરે પાસેથી શ્રુત અને વિનય પ્રાપ્ત કર્યા પછી તેમની નિંદા કરે છે તે પાપશ્રમણ છે (૪). સંયતીય : કાંપિલ્ય નગરમાં બલ અને વાહન વડે સંપન્ન સંજય નામનો એક રાજા રહેતો હતો. તે એક વાર કેશર નામના ઉદ્યાનમાં શિકાર કરવા ગયો. તે સમયે ત્યાં સ્વાધ્યાય અને ધ્યાનમાં સંલગ્ન એવા એક તપસ્વી બેઠા હતા. રાજાની દૃષ્ટિ તપસ્વી પર પડી. રાજાને લાગ્યું કે તેનું બાણ મુનિરાજને વાગી ગયું છે. તે જલદી ઘોડા પરથી ઉતરી તેમની પાસે પહોંચી ક્ષમા માગવા લાગ્યો. પરંતુ ધ્યાનમાં સંલગ્ન હોવાને કારણે તેમણે કોઈ ઉત્તર આપ્યો નહિ. મુનિ મહારાજનો ઉત્તર ન મળતાં પોતાનો પરિચય આપતાં રાજાએ કહ્યું – ૧. દીર્ઘનિકાય (૧, પૃ. ૯)માં અંગ, નિમિત્ત, ઉપ્પાદ, સુપિન, લક્ષ્મણ અને મૂસિકછિન્નનો ઉલ્લેખ છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર. અંગબાહ્ય આગમો હે ભગવન્! હું સંયત નામે રાજા છું, આપનું સંભાષણ સાંભળવા ઈચ્છું છું. આપનો ક્રોધ કરોડો મનુષ્યોને ભસ્મ કરવા માટે સમર્થ છે. મુનિ – હે રાજન્ ! તું નિર્ભય બન અને આજથી તું બીજાઓને પણ અભયદાન આપ. આ ક્ષણભંગુર સંસારમાં તું શા માટે હિંસામાં આસક્ત બને છે? સ્ત્રી, પુત્ર, મિત્ર, બાંધવ જીવતેજીવ જ સાથ આપે છે, મરી ગયા પછી કોઈ સાથે આવતું નથી. જેવી રીતે પિતૃવિયોગથી દુ:ખી પુત્ર પિતા મરી જાય ત્યારે તેને સ્મશાનમાં લઈ જાય છે, તેવી જ રીતે પિતા પણ પુત્ર મરી જાય ત્યારે તેને સ્મશાનમાં લઈ જાય છે. એટલા માટે હે રાજન ! તું તપનું આચરણ કર. | મુનિનો ઉપદેશ સાંભળી રાજા અત્યંત પ્રભાવિત થયો અને તેણે પોતાના રાજ્યનો ત્યાગ કરી શ્રમણ-દીક્ષા ગ્રહણ કરી. સંયત મુનિનો એક ક્ષત્રિય રાજર્ષિ સાથે સંવાદ થાય છે. આ સંવાદમાં ભરત, સગર, મઘવા, સનકુમાર, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મહાપદ્મ, હરિપેણ અને જય નામના ચક્રવર્તીઓ તથા દશાર્ણભદ્ર, નમિ, કરકંડુ, દ્વિમુખ, નગ્નજિત્, ઉદ્દાયન, કાશીરાજ, વિજય અને મહાબલ નામે રાજાઓના દીક્ષિત થવાનો ઉલ્લેખ છે (૧-૧૪).૧ મૃગાપુત્રીય સુગ્રીવ નગરમાં બલભદ્ર નામનો રાજા રાજય કરતો હતો. તેની પટરાણીનું નામ મૃગા હતું. તેને મૃગાપુત્ર નામે પુત્ર હતો. એકવાર રાજકુમાર મૃગાપુત્ર પોતાના મહેલના ઝરૂખામાં બેઠો બેઠો નગરની શોભાનું નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યારે તેને એક તપસ્વી નજરે પડ્યો. એકધારી નજરે તેને જોતાં જોતાં મૃગાપુત્રને પોતાના પૂર્વભવનું સ્મરણ થઈ આવ્યું. વિષયભોગો પ્રત્યે વૈરાગ્ય અને સંયમમાં રાગ ધારણ કરતો પોતાના માતા-પિતા પાસે પહોંચી મૃગાપુત્ર આમ કહેવા લાગ્યો – મૃગાપુત્ર – મેં પૂર્વભવમાં પાંચ મહાવ્રતોનું પાલન કર્યું છે, નરક અને તિર્યંચયોનિ દુઃખોથી ભરેલ છે, એટલા માટે હું સંસારસમુદ્રથી વિરક્ત થવા માગું છું. આપ મને વ્રજ્યા ગ્રહણ કરવાની અનુમતિ આપો. હે માતા-પિતા ! વિષફળ સમાન કડવા ફળ આપનાર અને નિરંતર દુઃખદાયી વિષયોનું મેં યથેચ્છ સેવન કર્યું છે. અસાર, વ્યાધિ અને રોગોનું ઘર તથા જરા અને મરણથી વ્યાપ્ત આ શરીરમાં ક્ષણભર માટે પણ સુખ મળતું નથી. જેવી રીતે ઘરમાં આગ લાગવાથી ઘરનો માલિક બહુમૂલ્ય ૧. જુઓ – જગદીશચન્દ્ર જૈન, લાઈફ ઈન એન્સિયન્ટ ઈન્ડિયા, પૃ. ૩૭૧-૭૬ . Page #169 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન ૧૩૩ વસ્તુઓ બહાર કાઢી લે છે અને અસાર વસ્તુઓને છોડી દે છે, તે જ રીતે જરા અને મરણ વડે વ્યાપ્ત આ લોક પ્રજ્વલિત હોવાથી આપની આજ્ઞાપૂર્વક હું પોતાના આત્માનો ઉદ્ધાર કરવા ઈચ્છું છું. માતા-પિતા – હે પુત્ર ! શ્રમણધર્મનું પાલન અત્યંત દુષ્કર છે. ભિક્ષુએ હજારો વાતનું ધ્યાન રાખવું પડે છે. બધા પ્રાણીઓ પર સમભાવ રાખવો પડે છે, શત્રુ-મિત્ર પર સમાન દૃષ્ટિ રાખવી પડે છે અને જીવનપર્યંત પ્રાણાતિપાત-વિરમણ વગેરે વ્રતોનું પાલન કરવાનું હોય છે. હે પુત્ર ! તું અત્યંત કોમળ છે, ભોગવિલાસમાં ડૂબેલો છે, એટલા માટે તું શ્રમણધર્મનું પાલન કરવા માટે શક્તિમાન નથી. લોઢાનો ભાર વહન કરવાની માફક સંયમનો ભાર વહન કરવાનું દુષ્કર છે. જેવી રીતે ગંગાનો પ્રવાહ દુસ્તર છે અથવા સાગરને બે હાથ વડે તરી પા૨ કરી શકાતો નથી, તેવી જ રીતે સંયમ ધારણ કરવો મુશ્કેલ છે. જેવી રીતે રેતીનું ભક્ષણ કરવું, તલવારની ધાર પર ચાલવું, સાપનું એકાંતદૃષ્ટિએ સીધા ચાલવું અને લોઢાના ચણા ચાવવા મહા કઠિન છે, તેવી જ રીતે સંયમનું પાલન કરવું પણ મહા દુષ્કર છે. મૃગાપુત્ર – હે માતા-પિતા ! આપે જે કહ્યું તે ઠીક છે, પરંતુ નિસ્પૃહીને માટે આ લોકમાં કંઈપણ દુષ્કર નથી. માતા-પિતા — જો તું માનતો નથી તો ખુશીથી દીક્ષા ગ્રહણ કર, પરંતુ યાદ રાખજે કે ચારિત્રપાલનમાં સંકટ આવી પડતાં નિરુપાય બની જઈશ. મૃગાપુત્ર આપ જે કહો છો તે ઠીક છે પરંતુ બતાવો કે પશુ-પક્ષીઓને જંગલમાં કયો સહારો છે ? જંગલના મૃગને કષ્ટ પડતાં કોણ ઔષધિ આપે છે ? કોણ તેમનું કુશળક્ષેમ પૂછે છે ? અને કોણ તેમને ભોજન-પાણી આપે છે ? એ જ રીતે ભિક્ષુ પણ મૃગની જેમ અનેક સ્થાનોમાં વિચરણ કરે છે અને ભિક્ષા મળે કે ન મળે પણ તે દાતાની પ્રશંસા કે નિંદા કરતો નથી. એટલા માટે હું પણ જંગલના મૃગની માફક વિચરણ કરીશ. માતા-પિતાની અનુજ્ઞા પ્રાપ્ત થતાં મૃગાપુત્રે સંયમ ગ્રહણ કર્યો અને અંતમાં સિદ્ધિ ગતિ પ્રાપ્ત કરી (૧-૯૮). મહાનિગ્રંથીય : એકવાર મગધનો રાજા શ્રેણિક ફરતો ફરતો મંડિકુક્ષિ નામે ચૈત્યમાં પહોંચ્યો. ત્યાં તેણે વૃક્ષ નીચે બેઠેલા એક મુનિને જોયા. તેમનું રૂપ જોઈને રાજા અત્યંત વિસ્મીત થયો અને તેમનાં રૂપ, વર્ણ, સૌમ્યભાવ, ક્ષમા વગેરેની ફરી ફરી પ્રશંસા કરવા લાગ્યો. તેમને નમસ્કાર કરી અને તેમની પ્રદક્ષિણા કરી રાજા પ્રશ્ન કરવા લાગ્યો – અં.આ. - ૧૧ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ અંગબાહ્ય આગમો રાજા – હે આર્ય ! કૃપા કરી કહો કે ભોગ-વિલાસ સેવન કરવા યોગ્ય આ તરુણ અવસ્થામાં આપે શા માટે શ્રમણત્વની દીક્ષા ગ્રહણ કરી ? મુનિ – મહારાજ ! હું અનાથ છું, મારો કોઈ નાથ નથી, આજ સુધી મને કોઈ કૃપાળુ મિત્ર મળ્યો નથી. રાજા (હસીને) – શું આપ જેવા ઋષિસમાન પુરુષનો હું નાથ નથી ? જો આપનો કોઈ નાથ ન હોય તો આજથી હું આપનો નાથ બનું છું. મિત્ર તથા સ્વજનોથી ઘેરાઈને આપ યથેચ્છ ભોગોનો ઉપભોગ કરો. મુનિ – હે મગધાધિપતિ ! તું પોતે જ અનાથ છે, પછી બીજાનો નાથ કેવી રીતે થઈ શકે ? - રાજા – હાથી, ઘોડા, નોકર-ચાકર, નગર અને અંતઃપુરનો હું સ્વામી છું, મારું ઐશ્વર્ય અનુપમ છે. પછી હું અનાથ કેવી રીતે હોઈ શકે? ભંતે ! આપ મિથ્યા તો કહી રહ્યા નથી ને ? | મુનિ – હે પાર્થિવ ! તું અનાથ કે સનાથના રહસ્યને સમજી શક્યો નથી, એટલા માટે આ રીતે વાત કરી રહ્યો છે. આ પછી મુનિએ પોતાના જીવનનો આઘોપાંત વૃત્તાંત રાજાને કહ્યો અને તેને નિગ્રંથધર્મનો ઉપદેશ આપ્યો. મુનિનો ઉપદેશ સાંભળી રાજા શ્રેણિક પોતાના પરિવારસહિત નિગ્રંથધર્મનો ઉપાસક બની ગયો (૧-૬૦).૧ સમુદ્રપાલીય : ચંપા નગરીમાં પાલિત નામનો એક વ્યાપારી રહેતો હતો. તે મહાવીરનો શિષ્ય હતો. એકવાર પાલિત વેપાર કરતો કરતો વહાણ માર્ગે પિહુંડ નામે નગરમાં આવ્યો. ત્યાં કોઈ વણિકે પોતાની પુત્રી સાથે તેનો વિવાહ કર્યો. વહાણ દ્વારા ઘરે પાછા ફરતાં પાલિતને એક પુત્ર ઉત્પન્ન થયો, જેનું નામ સમુદ્રશાલિત રાખવામાં આવ્યું. મોટો થતાં સમુદ્ર પાલિતે ૭૨ કળાઓનું શિક્ષણ મેળવ્યું. તેનો વિવાહ થઈ ગયો અને તે આનંદપૂર્વક કાલનિર્ગમન કરવા લાગ્યો. એક દિવસ સમુદ્રપાલિત પોતાના મહેલના ઝરૂખામાં બેઠો બેઠો નગરની શોભા જોઈ રહ્યો હતો, તે સમયે તેણે વધ્યસ્થાન પર લઈ જવાતા એક ચોરને જોયો. ચોરને જોઈ સમુદ્ર પાલિતના હૃદયમાં વૈરાગ્ય પેદા થયો અને માતા-પિતાની આજ્ઞાપૂર્વક તેણે અણગારવ્રત ધારણ કર્યું (૧-૨૪). ૧. સરખાવો – સુત્તનિપાતના પવજ્જાસુત્ત સાથે. ૨. ખારવેલના શિલાલેખોમાં પિયુડગ અથવા પિથુડનો ઉલ્લેખ છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન ૧૩૫ રથનેમીય ? સોરિયપુર માં વસુદેવ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને રોહિણી અને દેવકી નામની બે સ્ત્રીઓ હતી. રોહિણીએ રામ (બલભદ્ર) અને દેવકીએ કેશવ (કૃષ્ણ)ને જન્મ આપ્યો. તે જ નગરમાં સમુદ્રવિજય નામનો એક રાજા રહેતો હતો. તેની ભાર્યા શિવાએ ગૌતમ ગોત્રીય અરિષ્ટનેમિને જન્મ આપ્યો હતો. કૃષ્ણ અરિષ્ટનેમિની સાથે વિવાહ કરવા માટે રાજીમતીની માગણી કરી. રાજમતીના પિતાએ કૃષ્ણને કહેવડાવ્યું કે જો અરિષ્ટનેમિ વિવાહ માટે તેમના ઘરે આવવા તૈયાર હોય તો તે તેને પોતાની કન્યા આપશે. અરિષ્ટનેમિને બધા પ્રકારની ઔષધિઓ દ્વારા સ્નાન કરાવવામાં આવ્યું, કૌતુકમંગલ કરાવવામાં આવ્યાં, દિવ્ય વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં, આભરણોથી વિભૂષિત કરવામાં આવ્યા અને ત્યારપછી મદોન્મત્ત ગંધહસ્તી પર આરૂઢ થઈ, દશાર્ણ રાજાઓ સાથે ચતુરંગિણી સેનાથી સજ્જ થઈ તેઓ વિવાહ માટે ચાલ્યા. પોતાના ભાવી શ્વસુરના ઘરે જતાં રસ્તામાં તેમણે વાડા અને પાંજરામાં બાંધેલાં મૃત્યુભયથી પીડિત ઘણાંબધાં પશુપક્ષીઓને વળવળતાં જોય સૌરથીને પૂછતાં જાણવામાં આવ્યું કે તે બધાને મારી જાનૈયાઓને માટે ભોજન તૈયાર કરવામાં આવનાર છે. આ સાંભળી અરિષ્ટનેમિને વૈરાગ્ય થઈ આવ્યો. તેમણે પોતાના કુંડળ, કટિસૂત્ર વગેરે આભરણો ઉતારી સારથીને સોંપી દીધાં અને તેઓ પાછા ફરી ગયા. નેમિનાથ પાલખીમાં સવાર થઈ દ્વારકા નગરીથી પ્રસ્થાન કરી દેવતકર પર્વત પર પહોંચ્યા અને ત્યાં પંચમુષ્ટિ કેશલોચ કરીને દીક્ષા ગ્રહણ કરી. આ બાજુ રાજકન્યા રામેતીએ નેમિનાથની દીક્ષાનો વૃત્તાંત સાંભળ્યો તો તે શોકથી મૂર્ણિત થઈ પડી ગઈ અને વિચાર કરવા લાગી – મારા જીવનને ધિક્કાર છે કે તેઓ મને છોડી ચાલ્યા ગયા. હવે મારા માટે પ્રવ્રયા ધારણ કરવી એ જ યોગ્ય છે. આમ વિચારી તેણે ભ્રમર જેવા કાળા અને ઓળેલા પોતાના કોમળ કેશનો લોચ કરી રૈવતક પર્વત પર પહોંચી આર્થિકા રૂપે દીક્ષા ગ્રહણ કરી. એકવાર વર્ષાને કારણે રાજીમતીનાં બધાં વસ્ત્રો ભીંજાઈ ગયાં. અંધારું થઈ જવાને કારણે તે એક ગુફામાં ઊભી રહી ગઈ. જ્યારે તે પોતાનાં વસ્ત્રો ઉતારીને ૧. સૂર્યપુર વટેશ્વર (જિલ્લો આગરા)ની પાસે. સૂર્યપુરની રાજધાનીનું નામ કુશાર્ત હતું. ૨. તેને ઉર્જયન્ત અથવા ગિરિનાર (ગિરિનગર) નામે પણ ઓળખાવવામાં આવેલ છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ અંગબાહ્ય આગમો - નીચોવી રહી હતી ત્યારે અકસ્માતે જ અરિષ્ટનેમિના ભાઈ રથમિ જે ત્યાં ધ્યાનાવસ્થામાં બેઠા હતા – તેમની નજર રાજીમતી પર પડી. રાજીમતીને વસ્રરહિત અવસ્થામાં જોઈને રથનેમિનું ચિત્ત વ્યાકુળ બની ગયું. એ જ સમયે રાજીમતીએ પણ રથનેમિને જોયા અને તેને જોતાં જ તે પણ ભયભીત બની ગઈ. તેનો દેહ ધ્રુજવા લાગ્યો અને તેણે પોતાના બંને હાથ વડે પોતાના ગુપ્ત અંગો ઢાંકી દીધાં. રાજીમતીને જોઈને રથનેમિ કહેવા લાગ્યા - હે ભદ્રે ! હે સુરૂપે ! હે મંજુભાષિણી ! હું ૨થનેમિ છું, તું મારાથી ડર નહીં. મારા દ્વારા તને લેશમાત્ર પણ કષ્ટ થશે નહીં. મનુષ્યભવ દુર્લભ છે, આવ આપણે બંને ભોગો ભોગવીએ. ભુક્તભોગી થયા પછી આપણે જિનમાર્ગનું સેવન કરીશું. સંયમમાં કાયર બનેલા રથનેમિની આ દશા જોઈને પોતાના કુલ-શીલની રક્ષા કરતી રાજીમતીએ સુસ્થિત ભાવે ઉત્તર આપ્યો – હે રથનેમિ ! જો રૂપમાં તું વૈશ્રવણ, વિલાસયુક્ત ચેષ્ટામાં નલકૂબર અથવા સાક્ષાત્ ઈન્દ્ર પણ બની જાય તો પણ હું તારી કામના કરીશ નહીં. હે કામ-ભોગના અભિલાષી ! તારા યશને ધિક્કાર છે. તું વમેલી ચીંજનો ફરી ઉપભોગ કરવા ઈચ્છે છે, તેનાથી તો મરી જવું સારું.૨ હું ભોગરાજ (ઉગ્રસેન)ના કુળમાં ઉત્પન્ન થઈ છું અને તું અંધકવૃષ્ણિના કુળમાં પેદા થયો છે. પછી આપણે પોતાના કુળમાં ગંધનસર્પ શા માટે બનીએ ? એટલા માટે તું નિશ્ચળ ભાવે સંયમનું પાલન કર. જે કોઈ પણ નારીને જોઈને જો १. नलकुब्बरसमाणा वैश्रमणपुत्रतुल्याः । इदं च लोकरूढ्या व्याख्यातम् यतो देवानां पुत्राः न सन्ति અન્તગડ-ટીકા, પૃ. ૮૯. ૨. સરખાવો – દશવૈકાલિક (૨. ૭ વગેરે) સાથે. તથા — धिरत्थु तं विसं वन्तं यमहं जीवितकारणा । वन्तं पच्चावमिस्सामि मतम्मे जीविता वरं ।। વિસવંત જાતક ૩. અંધકવૃષ્ણિ સોરિયપુરમાં રાજ્ય કરતો હતો. તેને સમુદ્રવિજય, વસુદેવ વગેરે પુત્રો અને કુંતી તથા માદ્રી પુત્રીઓ હતી. સમુદ્રવિજયના બે પુત્રો હતા – અરિષ્ટનેમિ અને રથનેમિ. વસુદેવના વાસુદેવ, બલદેવ, જરાકુમાર વગેરે અનેક પુત્રો હતા. યદુકુળના વંશવૃક્ષ માટે જુઓ – જગદીશચન્દ્ર જૈન, લાઈફ ઈન એન્શિયન્ટ ઈન્ડિયા, પૃ. ૩૭૭. ૪. ગંધન સર્પ મંત્ર વગેરેથી આકૃષ્ટ થઈ પોતે કાઢેલા વિષનું પાન કરી લે છે, જયારે અગંધનસર્પ કોઈપણ હાલતમાં આમ કરતા નથી. Page #173 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન ૧૩૭ તું તેના પ્રત્યે આસક્તિભાવ પ્રદર્શિત કરીશ તો વાયુના તરંગથી આમ-તેમ ડોલતા તૃણની માફક અસ્થિર ચિત્તનો બની જઈશ. રાજીમતીના વચનો સાંભળી જેવી રીતે હાથી અંકુશ વડે વશ થઈ જાય છે તેવી જ રીતે રથનેમિ પણ ધર્મમાં સ્થિર બની ગયા. પછી બંનેએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સમસ્ત કર્મોનો ક્ષય કરી સિદ્ધિગતિ પ્રાપ્ત કરી (૧-૪૮). કેશિ-ગૌતમય : એક વાર પાર્શ્વનાથના શિષ્ય, વિદ્યા અને ચારિત્રમાં પારગામી કેશીકુમાર શ્રમણ પોતાના શિષ્ય-પરિવાર સાથે પ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા શ્રાવસ્તી નગરીના તિંદુક નામે ઉદ્યાનમાં પધાર્યા. તે સમયે ભગવાન વર્ધમાનના શિષ્ય, દ્વાદશાંગવેત્તા ગૌતમ પણ પોતાના શિષ્ય-પરિવાર સહિત વિહાર કરતા કરતા શ્રાવસ્તી નગરીમાં આવ્યા અને કોઇક નામના ચૈત્યમાં ઉતર્યા. બંનેના શિષ્ય સમુદાયના મનમાં વિચાર આવ્યો – પાર્શ્વનાથે ચાતુર્યામનો ઉપદેશ આપ્યો છે અને મહાવીરે પાંચ મહાવ્રતોનો, આ તફાવતનું કારણ શું હોઈ શકે ? મહાવીરે અચેલ ધર્મનું પ્રરૂપણ કર્યું છે અને પાર્શ્વનાથે ચેલનું, તેનું શું કારણ હોઈ શકે? પોતાના શિષ્યોની શંકાનું સમાધાન કરવા માટે ગૌતમ પોતાના શિષ્યોની સાથે કેશીને મળવા સિંદુક ઉદ્યાનમાં આવ્યા. કેશીએ તેમનું સ્વાગત કરતાં તેમને પ્રાસુક પરાળ, કુશ અને તૃણના આસન ઉપર બેસાડ્યા. તે સમયે ત્યાં અનેક ધર્માનુયાયીઓ તથા ગૃહસ્થો વગેરે પણ ઉપસ્થિત હતા. બંને વચ્ચે પ્રશ્નોત્તર શરૂ થયો – કેશી – પાર્શ્વનાથે ચાતુર્યામનો ઉપદેશ આપ્યો છે અને મહાવીરે પાંચ વ્રતોનો. એક જ ઉદ્દેશ્યની સિદ્ધિને માટે પ્રયત્નશીલ બે તીર્થકરોના આવા મતભેદનું શું કારણ છે ? શું આપના મનમાં આ સંબંધે સંશય ઉત્પન્ન થતો નથી ? ગૌતમ – પ્રથમ તીર્થંકરના સમયમાં મનુષ્યો સરળ હોવા છતાં પણ જડ હતા, અંતિમ તીર્થકરના સમયમાં વક્ર અને જડ હતા તથા મધ્યવર્તી તીર્થકરોના સમયમાં સરળ અને બુદ્ધિમાન હતા. એટલા માટે ધર્મનું પણ બે પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પ્રથમ તીર્થકરના અનુયાયીઓ માટે ધર્મની સમજણ મુશ્કેલ છે, અંતિમ તીર્થકરના અનુયાયીઓ માટે ધર્મનું પાલન કઠણ છે અને મધ્યવર્તી તીર્થકરોના અનુયાયીઓ માટે ધર્મનું સમજવું અને પાલન કરવું બંને સરળ છે. એટલે વિચિત્ર પ્રજ્ઞાવાળા શિષ્યોને માટે ધર્મની વિવિધતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ અંગબાહ્ય આગમો કેશી – મહાવીરે અચેલ ધર્મનો ઉપદેશ આપ્યો છે અને પાર્શ્વનાથે સચેલનો, આ મતભેદનું શું કારણ છે ? ગૌતમપોતાના જ્ઞાન વડે જાણીને જ તીર્થકરોએ ધર્મના સાધનો – ઉપકરણોનો ઉપદેશ આપ્યો છે. બાહ્ય ચિહ્નો માત્ર વ્યવહાર નથી મોક્ષનાં સાધનો છે, નિશ્ચય નથી તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ વાસ્તવિક સાધનો છે. - કેશી – આ લોકમાં ઘણા જીવો કર્મરૂપી જાળમાં બદ્ધ જોવા મળે છે, છતાં આપ બંધનોને છેદી હળવા બની કેવી રીતે વિહાર કરી રહ્યા છો ? ગૌતમ – હું યોગ્ય ઉપાયો દ્વારા બંધનોનો નાશ કરી હળવો બની વિહાર કરું કેશી – શારીરિક અને માનસિક દુઃખોથી પીડિત પ્રાણીઓ માટે સુખકર અને બાધારહિત સ્થાન કયું છે? ગૌતમ – આ સ્થાન ધ્રુવ છે, લોકના અગ્રભાગમાં સ્થિત છે, ત્યાં પહોંચવું અત્યંત મુશ્કેલ છે; જરા, મૃત્યુ, વ્યાધિ અને વેદનાનો ત્યાં ભય નથી. માત્ર મહર્ષિઓ ત્યાં પહોંચી શકે છે (૧-૮૯). પ્રવચન-માતા: પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓને આઠ પ્રવચનમાતા કહેવામાં આવેલ છે. ઈર્યા, ભાષા, એષણા, આદાનભાંડનિક્ષેપણ અને ઉચ્ચારાદિપ્રતિષ્ઠાપન – આ પાંચ સમિતિઓ છે. મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુર્તિ – આ ત્રણ ગુપ્તિઓ છે (૧૩). યજ્ઞીય : એકવાર બ્રાહ્મણકુલોત્પન્ન જયઘોષ નામક મુનિ વિહાર કરતા કરતા બનારસના એક ઉદ્યાનમાં આવી ઉતર્યા. તે સમયે ત્યાં વિજયઘોષ નામક બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો હતો. જયઘોષ વિજયઘોષની યજ્ઞશાળામાં ભિક્ષા માટે આવી ઊભા. વિજયઘોષે ભિક્ષુને જોઈને કહ્યું – હે ભિક્ષુ ! હું તને ભિક્ષા આપીશ નહીં, તું બીજે જઈ ભિક્ષા માગ. આ ભોજન વેદોના પારંગત, યજ્ઞાર્થી, જયોતિષશાસ્ત્ર સહિત છ અંગોના જ્ઞાતા તથા પોતાને અને બીજાઓને પાર ઉતારવામાં સમર્થ એવા માત્ર બ્રાહ્મણોને માટે જ સુરક્ષિત છે. વેદો અને યજ્ઞોના વાસ્તવિક સ્વરૂપનું પ્રતિપાદન કરતાં જયઘોષે કહ્યું – વેદોનું મુખ અગ્નિહોત્ર છે, યજ્ઞોનું મુખ યજ્ઞાર્થી છે, નક્ષત્રોનું મુખ ચંદ્રમા છે, ધર્મનું મુખ કાશ્યપ (ઋષભદેવ) છે. આ લોકમાં જે અગ્નિની માફક પૂજ્ય છે, તેને કુશળ Page #175 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન ૧૩૯ પુરૂષો બ્રાહ્મણ કહે છે. ૧ મસ્તક મુંડાવી લેવાથી શ્રમણ નથી થતો, ૐકારનો જપ કરવાથી બ્રાહ્મણ નથી બનતો, અરણ્યવાસથી મુનિ નથી થતો અને કુશચીવર ધારણ કરવાથી તપસ્વી કહેવાતો નથી. સમતાથી શ્રમણ, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને તપથી તપસ્વી બને છે. કર્મથી બ્રાહ્મણ થાય છે, કર્મથી ક્ષત્રિય થાય છે, કર્મથી વૈશ્ય થાય છે અને પોતાના કર્મથી જ મનુષ્ય શૂદ્ર બને છે. જયઘોષ મુનિનો ઉપદેશ સાંભળી વિજયધોષ બ્રાહ્મણે તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી (૧-૪૫). સામાચારી : આવશ્યકી, નૈષધિની, આપૃચ્છના, પ્રતિપૃચ્છના, છંદના, ઈચ્છાકાર, મિથ્યાકાર, તથતિકાર, અભ્યત્થાન અને ઉપસંપદા– આ દસ સાધુ-સામાચારી કહેવામાં આવેલ છે (૧-૪). ખાંકીય : જેવી રીતે ગાડીમાં યોગ્ય બળદ જોતરવાથી કાંતાર (ભયાનક જંગલ)ને સરળતાથી પાર કરી શકાય છે, તેવી જ રીતે સંયમમાં સંલગ્ન શિષ્ય સંસારરૂપી અટવીને પાર કરી જાય છે (૨), જે અડિયલ બળદો (ખલુંક)ને ગાડીમાં જોડે છે તે તેને મારતા મારતા થાકી જાય છે અને તેનો ચાબુક પણ તૂટી જાય છે (૩). દુષ્ટ શિષ્યો અડિયલ બળદોની જેવા છે, જે ધર્મરૂપી યાનમાં જોડાતાં તેને તોડી-ફોડી નાખે છે (૮). ગર્ગાચાર્ય અડિયલ ટટ્ટની જેમ વર્તનાર પોતાના શિષ્યોને છોડીને એકાંતમાં તપ કરવા ચાલ્યા ગયા (૧૬). મોક્ષમાર્ગીય : જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને જિન ભગવાને મોક્ષનો માર્ગ કહ્યો છે (૨). જ્ઞાનના પાંચ ભેદો છે – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન (૪). ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ આ છ દ્રવ્યોના સમૂહને લોક કહેવામાં આવે છે (૭). જીવ, અજીવ, બંધ, પુષ્ય, પાપ, આગ્નવ, સંવર, નિર્જરા અને મોક્ષ – આ નવ તત્ત્વો છે (૧૪). આ તત્ત્વોમાં શ્રદ્ધા કરવી તે સમ્યક્ત છે (૧૫). આગળ જતાં સમ્યક્તના દસ ભેદ (૧૬), સમ્યક્તના આઠ ૧. સરખાવો – न जटाहि न गोत्तेन न जच्चा होति ब्राह्मणो । यम्हि सच्चं व धम्मो च सो सुची सो च ब्राह्मणो । ધમ્મપદ, બ્રાહ્મણવર્ગ ૧૧. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ અંગબાહ્ય આગમો અંગો (૩૧), ચારિત્રના પાંચ ભેદો (૩૨-૩૩) અનેતપનાબે પ્રકાર બતાવવામાં આવ્યા છે(૩૪). સમ્યક્ત-પરાક્રમઃ 'આ અધ્યયનમાં સંવેગ, નિર્વેદ, ધર્મશ્રદ્ધા, ગુરુસાધર્મિકસુશ્રુષણા, આલોચના, નિંદા, ગહ, સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન, સ્તવસ્તુતિમંગલ, કાલપ્રતિલેખના, પ્રાયશ્ચિત્તકરણ, ક્ષમાપના, સ્વાધ્યાય, વાચના, પ્રતિપૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા, ધર્મકથા, શાસ્ત્રારાધના વગેરે ૭૩ સ્થાનોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે (૧-૭૪). તપોમાર્ગ ગતિઃ પ્રાણવધ, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ અને રાત્રિભોજનથી વિરક્ત થવાને કારણે જીવ આગ્નવરહિત થાય છે (૨), પાંચ સમિતિ અને ત્રણ ગુપ્રિ સહિત, ચાર કષાયોથી રહિત, જિતેન્દ્રિય, નિરભિમાની અને શલ્યરહિત થવાથી જીવ આગ્નવરહિત થાય છે. (૩). આગળ જતાં તપના ભેદો બતાવ્યા છે (૭-૮). ચરણવિધિ: - બે પાપ, ત્રણ દંડ, ચાર વિકથાઓ, પાંચ મહાવ્રતો, છ લેશ્યાઓ, સાત પિંડગ્રહણ-પ્રતિમાઓ અને ભયસ્થાનો, આઠ મદ, નવ બ્રહ્મચર્ય, દસ ભિક્ષુધર્મ, અગિયાર પ્રતિમાઓ, બાર ભિક્ષુપ્રતિમાઓ, તેર ક્રિયાસ્થાનો, ચૌદ પ્રાણીસમૂહો, પંદર પરમાધાર્મિક દેવો, સોળ સૂત્રકૃતાંગના પ્રથમ સ્કંધના અધ્યયનો, સત્તર અસંયમ, અઢાર અબ્રહ્મચર્ય, ઓગણીસ જ્ઞાતાધર્મના અધ્યયનો, વીસ સમાધિસ્થાનો, એકવીસ સબલદોષો, બાવીસ પરીષહો, ત્રેવીસ સૂત્રકૃતાંગના કુલ અધ્યયનો, ચોવીસ દેવો, પચીસ ભાવનાઓ, દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ તથા વ્યવહારસૂત્રના બધા મળી છવ્વીસ વિભાગો, સત્યાવીસ અનગાર-ગુણો, અઠ્યાવીસ આચાર-પ્રકલ્પ, ઓગણત્રીસ પાપસૂત્રો, ત્રીસ મહામોહનીય સ્થાનો, એકત્રીસ સિદ્ધગુણો, બત્રીસ યોગસંગ્રહ અને તેત્રીસ આસાતનાઓ–આમાં જે સદૈવ ઉપયોગ રાખે છે તે ભિક્ષુ સંસારમાં પરિભ્રમણ કરતો નથી (૧-૨૧). પ્રમાદસ્થાન : સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશથી, અજ્ઞાન અને મોહના ત્યાગથી તથા રાગ અને દ્વેષના ક્ષયથી એકાંત સુખકારી મોક્ષની પ્રાપ્તિ થાય છે (૨). જેવી રીતે બિલાડીઓના નિવાસસ્થાન પાસે ઉંદરોનું રહેવું ઉચિત નથી, તેવી જ રીતે સ્ત્રીઓના નિવાસસ્થાન પાસે બ્રહ્મચારીનું રહેવું ઠીક નથીં(૧૩). કર્મપ્રકૃતિઃ કર્મ આઠ હોય છે – જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, , Page #177 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન ૧૪૧ નામ, ગોત્ર અને અંતરાય (૨-૩). આગળ તેમના અવાંતર ભેદો આપ્યા છે (૪૧૫). લેશ્યાઃ લેશ્યાઓ છ હોય છે – કૃષ્ણ, નીલ, કાપોત, તેજ, પદ્મ અને શુક્લ (૧૩). આગળ જતાં વેશ્યાઓનાં વર્ણ, રસ, ગંધ, સ્પર્શ અને પરિણામનું વર્ણન છે (૪૨૦). લેશ્યાઓનાં લક્ષણો વગેરે પણ બતાવવામાં આવ્યાં છે (૨૧-૬૧). અનગાર : સંયમીએ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, ઈચ્છા તથા લોભ – એટલાનો ત્યાગ કરવો જોઈએ (૩). મશાન, શૂન્યાગાર, વૃક્ષની નીચે અથવા બીજા માટે બનાવાયેલા એકાંત સ્થાનમાં રહેવું જોઈએ (૬). ક્રય-વિજ્યમાં સાધુએ કોઈપણ પ્રકારનો ભાગ લેવો ન જોઈએ (૧૪). જીવાજીવવિભક્તિઃ . અજીવના બે ભેદ છે – રૂપી અને અરૂપી. રૂપીના ચાર અને અરૂપીના દસ ભેદ છે. અરૂપીના દસ ભેદ આ પ્રમાણે છે – ધર્માસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ, અધર્માસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ, આકાશાસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ તથા અદ્ધાસમય (કાળ) (૪-૬). રૂપીના ચાર ભેદ આ પ્રમાણે છે – સ્કંધ, સ્કંધના દેશ, તેના પ્રદેશ અને પરમાણુ (૧૦). એ જ રીતે પુદ્ગલના બીજા પણ ભેદ-પ્રભેદો છે (૧૫-૪૭). જીવો બે પ્રકારના હોય છે – સંસારી અને સિદ્ધ (૪૮). સિદ્ધોના અનેક ભેદ છે (૪૯-૬૭). સંસારી જીવના બે ભેદ છે – ત્રસ અને સ્થાવર (૬૮). સ્થાવર જીવોના ત્રણ ભેદ છે – પૃથ્વીકાય, જલકાય અને વનસ્પતિકાય (૬૯). તેમના અનેક અવાંતર ભેદો છે (૭૦-૧૦૫). ત્રસ જીવોના ત્રણ ભેદ છે – અગ્નિકાય, વાયુકાય, હીન્દ્રિયાદિ જીવો (૧૦૭). તેમના અનેક ઉપભેદો છે (૧૦૮-૧૫૪). પંચેન્દ્રિય જીવ ચાર પ્રકારના હોય છે – નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ (૧૫૫). તેમના અનેક ઉત્તરભેદો છે (૧૫૬-૨૪૭). Page #178 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકરણ આવશ્યક આવશ્યક આગમોમાં બીજું મૂલસૂત્ર છે. આ ગ્રંથમાં નિત્યકર્મના પ્રતિપાદક આવશ્યક ક્રિયાનુષ્ઠાનરૂપ કર્તવ્યોનો ઉલ્લેખ છે, એટલા માટે તેને આવસય B ૧. (અ) ભદ્રબાહુકૃત નિર્યુક્તિની મલયગિરિકૃત ટીકા સાથે – આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ. ૧૯૨૮ (પ્રથમ ભાગ), ૧૯૩૨ (દ્વિતીય ભાગ), દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, સુરત, ઈ.સ. ૧૯૩૬ (તૃતીય ભાગ). (આ) ભદ્રબાહુકૃત નિર્યુક્તિની હરિભદ્રવિહિત વૃત્તિસહિત – આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ. ૧૯૧૬-૧૭. (ઇ) ભદ્રબાહુકૃત નિયુક્તિની માણિક્યશેખરવિરચિત દીપિકા સહિત વિજયદાન સૂરીશ્વર જૈન ગ્રંથમાલા, સુરત, ઈ.સ. ૧૯૩૯-૪૧. (ઈ) મલધારી હેમચંદ્રવિહિત પ્રદેશવ્યાખ્યા – દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, ઈ.સ. ૧૯૨૦. (ઉ) ગુજરાતી અનુવાદસહિત ભીમસી માણેક, મુંબઈ, ઈ.સ. ૧૯૦૬. (ઊ) હિંદી અનુવાદસહિત અમોલકઋષિ, હૈદરાબાદ, વી૨ સં. ૨૪૪૬. (ઋ) હિંદી વિવેચનસહિત (શ્રમણસૂત્ર) – ઉપાધ્યાય અમર મુનિ, સન્મતિ જ્ઞાનપીઠ, આગરા, વિ.સં. ૨૦૦૭. -- (એ) સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે ~ મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ. ૧૯૫૮ (ઐ) જિનદાસકૃત ચૂર્ણિ, રતલામ, ઈ.સ. ૧૯૨૮. (ઓ) ભદ્રબાહુકૃત નિર્યુક્તિ, જિનભદ્રકૃત ભાષ્ય અને હેમચંદ્રકૃત વૃત્તિસહિત – દિવ્યદર્શન કાર્યાલય, અમદાવાદ, (દ્વિ. સં.) ૧૯૬૩, જ્ઞાનસાગર/ભાવવિજય, દેવચંદ લાલભાઈ (ઔ) નિર્યુક્તિ અને અવસૂરિસહિત પુસ્તકોદ્ધાર ફંડ, સુરત, ૧૯૬૩. (અં) નિર્યુક્તિ, ભાષ્ય અને સ્વોપજ્ઞ વૃત્તિસહિત – સં. નથમલ ટાટિયા, પ્રાકૃત જૈન શોધ સંસ્થાન, વૈશાલી, ઈ.સ. ૧૯૭૨. (અઃ) નિર્યુક્તિ અને અવસૂરિસહિત – ધીરસુંદર, દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ, સુરત, ઈ.સ. ૧૯૭૪, Page #179 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક ૧૪૩ આવશ્યક કહેવામાં આવેલ છે. તેમાં છ અધ્યાય છે – સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. સામાયિક : રાગ-દ્વેષરહિત સમભાવને સામાયિક કહે છે. “હું સામાયિક કરું છું, માવજીવન બધા પ્રકારના સાવદ્ય યોગોનું પ્રત્યાખ્યાન કરું છું – મન, વચન, કાયાથી તથા કૃત, કારિત, અનુમોદનાથી ત્યાગ કરું છું, તેમનાથી નિવૃત્ત થાઉં છું, તેમની નિંદા કરું છું, પોતાની જાતનો ત્યાગ કરું છું. મેં દિવસભર જો વ્રતોમાં અતિચાર કર્યો હોય, સૂત્ર અથવા માર્ગની વિરુદ્ધ આચરણ કર્યું હોય, દુર્બાન કર્યું હોય, શ્રમણધર્મની વિરાધના કરી હોય તો તે બધું મિથ્યા થાઓ. જ્યાં સુધી હું અહંત ભગવાનના નમસ્કારમંત્રનું ઉચ્ચારણ કરી કાયોત્સર્ગ ન કરું, ત્યાં સુધી હું પોતાની કાયાને એક સ્થાન પર રાખીશ, મૌન રહીશ, ધ્યાનમાં સ્થિત રહીશ.” ચતુર્વિશતિસ્તવ : ચતુર્વિશતિસ્તવમાં ચોવીસ તીર્થકરોનું સ્તવન કરવામાં આવેલ છે. “લોકને ઉદ્યોતિત કરનારા ધર્મના તીર્થકરો એવા ચોવીસ કેવલીઓનું હું સ્તવન કરીશ. તીર્થકરો મારા પર પ્રસન્ન થાઓ, હું તેમની કીર્તિ, વંદના અને મહિમા કરું છું.” વંદન : વંદન અર્થાત્ સ્તવન. “હે ક્ષમાશ્રમણ ! હું આપને વંદન કરવાની ઈચ્છા કરું છું. આપ મને વંદન માટે ઉચિત અવગ્રહ (ગુરુની પાસે બેસવાનો મર્યાદાપ્રદેશ)ની અનુમતિ આપો.” શિષ્ય ગુરુના ચરણોને પોતાના હાથ વડે સ્પર્શ કરી કહે છે – “જો આપને કષ્ટ થયું હોય તો ક્ષમા કરશો. અતિશય સુખપૂર્વક આપનો દિવસ વ્યતીત થાઓ. તપ, નિયમ આદિ રૂપ આપની યાત્રા કેવી ચાલે છે? ઈન્દ્રિયોની સ્વાધીનતા રૂપી યાપનીયતા કેવી છે ? હે ક્ષમાશ્રમણ ! મેં મન, (ક) (મૂળ) સં. પુણ્યવિજય, મહાવોર જૈન વિદ્યાલય, મુંબઈ, ઈ.સ. ૧૯૭૭ (ખ) (મૂળ) વૃત્તિ અને ગુજરાતી અનુવાદ સહિત – ચિદાનંદ કીર્તિ પ્રકાશન, ૧૦/૧૨૭૦, ગોપીપુરા એનરોડ, સુરત. (ગ) (મૂળ) સં. જિનેન્દ્રગણિ – હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ઈ. સ. ૧૯૭૫. (ઘ) (મૂળ) સં. રતનલાલ ડોશી – અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના. અવશ્ય જીર્ણવ્યું આવશ્ય, શ્રમરિવર્ષે ૩મયાને યિતે | – મલયગિરિ. આવશ્યક-ટીકા, પૃ. ૮૬ અ. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ અંગબાહ્ય આગમો વચન અને કાયાની દુષ્ટતા અથવા ક્રોધ, માન, માયા અને લોભથી જે કંઈ કર્યું છે તેની ક્ષમા કરો.” પ્રતિક્રમણ : પ્રમાદવશ શુભયોગથી ટ્યુત થઈને અશુભ યોગ પ્રાપ્ત કર્યા પછી ફરી શુભ યોગ પ્રાપ્ત કરવાની ક્રિયાને પ્રતિક્રમણ કહે છે. “અરિહંતો, સિદ્ધો અને સાધુઓ લોકમાં ઉત્તમ છે, કેવલીએ કહેલો ધર્મ લોકમાં ઉત્તમ છે. હું અરિહંતો, સિદ્ધો અને સાધુઓના શરણમાં જાઉં છું. હું કેવલીકથિત ધર્મના શરણમાં જાઉં છું. મેં શાસ્ત્ર, માર્ગ અથવા આચાર વિરુદ્ધ જે કંઈ મન, વચન અને કાયા વડે દિવસ સંબંધી અતિચાર કર્યો હોય, અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, શ્રુત, સામયિક, ત્રણ ગુપ્તિ, ચાર અકષાય, પાંચ મહાવ્રત, છજીવનિકાયોની રક્ષા, સાતપિડેષણા, આઠપ્રવચનમાતા, નવ બ્રહ્મચર્યગુપ્તિ અને દસ શ્રમણધર્મ – આ બધાની વિરાધના કરી હોય તો તે બધી મિથ્યા થાઓ. ગમનાગમનથી પ્રાણ, બીજ, હરિત, અપકાય અને પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિય તથા દીન્દ્રિય આદિ જીવોને કોઈપણ પ્રકારનું કષ્ટ પહોંચાડ્યું હોય તે મિથ્યા થાઓ. સુતાં, શરીરને સંકુચિત કરતાં અથવા ફેલાવતાં જીવોને જે કષ્ટ પહોંચાડ્યું હોય તે મિથ્યા થાઓ. ગોચરી માટે જતી વેળાએ જીવોની જે વિરાધના થઈ હોય તે મિથ્યા થાઓ. સ્વાધ્યાય વગેરે ન કરવાથી જે દોષ થયો હોય તે મિથ્યા થાઓ.” પછી પાંચ ક્રિયા, પાંચ કામ-ગુણ વગેરેથી નિવૃત્ત થવાની ઈચ્છા, ચતુર્દશ જીવસમૂહ, સત્તર અસંયમ, અઢાર અબ્રહ્મચર્ય, વીસ અસમાધિસ્થાન તથા એકવીસ શબલ વગેરેથી નિવૃત્ત થવાની ભાવનાનું વર્ણન છે. “અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા વગેરેની આશાતનાપૂર્વક જો હિન અક્ષરોનું ઉચ્ચારણ કરીને, અતિ અક્ષરોનું ઉચ્ચારણ કરીને અથવા પદહીન અક્ષરોનું ઉચ્ચારણ કરીને સ્વાધ્યાયમાં પ્રમાદ કર્યો. હોય તો તે મિથ્યા થાઓ. તે ધર્મમાં હું શ્રદ્ધા કરું છું, તે ધર્મની આરાધના માટે ઉધત છું, અસંયમનો ત્યાગ કરું છું, સંયમ પામું છું, મિથ્યાત્વનો ત્યાગ કરું છું, સમ્યક્તને પામું છું, સમસ્ત દેવસિક અતિચારોથી નિવૃત્ત થાઉં છું, માયા અને મૃષા છોડીને હું અઢી દ્વીપસમુદ્રોની પંદર કર્મભૂમિઓમાં જેટલા મહાવ્રતધારી સાધુઓ છે તે બધાને મસ્તક નમાવીને વંદન કરું છું.” કાયોત્સર્ગ : કાયોત્સર્ગ અર્થાત્ ધ્યાન માટે શરીરની નિશ્ચલતા. “હું કાયોત્સર્ગમાં સ્થિત રહેવા ઈચ્છું છું. સૂત્ર, માર્ગ અને આચારનું ઉલ્લંઘન કરી મન, વચન અને કાયા વડે મેં જે કંઈ જ્ઞાન, દર્શન, ચારિત્ર, શ્રુત, સામાયિક વગેરેની વિરાધના કરી હોય તે મિથ્યા થાઓ. સમસ્ત લોકમાં અરિહંત ચૈત્યોના વંદન, પૂજન, સત્કાર, સમ્માન, બોધિલાભ Page #181 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક ૧૪૫ અને નિરુપસર્ગ (મોક્ષ)ને માટે કાયોત્સર્ગ કરું છું. પુષ્કરવર હીપાર્ધ, ધાતકીખંડ, જંબૂદ્વીપ, ભરત, ઐરાવત અને વિદેહમાં ધર્મના આદિ તીર્થકરોને નમસ્કાર કરું છું. તિમિરપટલનો વિધ્વંસ કરનારા સીમંધરની વંદના કરું છું. શ્રુત ભગવાનના વંદન, પૂજન વગેરે નિમિત્તે કાયોત્સર્ગ કરું છું. સિદ્ધ, બુદ્ધ, પારંગત, પરંપરાગત, લોકાગ્ર ભાગમાં અવસ્થિત સર્વ સિદ્ધોને નમસ્કાર કરું છું. દેવોના દેવ મહાવીરની વંદના કરું છું. ઉજ્જયંત (ગિરનાર) પર દીક્ષા ગ્રહણ કરી જ્ઞાન પ્રાપ્ત કરનારા અરિષ્ટનેમિને નમસ્કાર કરું છું. ચોવીસ જિનવરોને નમસ્કાર કરું છું. હે ક્ષમાશ્રમણ ! આત્યંતર અતિચારને ખમાવવા માટે હું ઉદ્યત છું. ભક્ત, પાન, વિનય, વૈયાવૃજ્ય, આલાપ, સંલાપ, ઉચ્ચ આસન, અંતર ભાષા અને ઉપરી ભાષામાં મેં જે કંઈ અવિનય દર્શાવ્યો હોય, તે આપ જાણો છો, હું જાણતો નથી, તે મિથ્યા થાઓ.” પ્રત્યાખ્યાન : સર્વ સાવદ્ય કર્મોથી નિવૃત્ત થવાને પ્રત્યાખ્યાન કહે છે. સૂર્યોદયથી બે ઘડી દિવસ સુધી ચાર પ્રકારના અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યનું પ્રત્યાખ્યાન કરું છું. સૂર્યોદયથી એકપ્રહર દિવસ સુધી ઉપરોક્ત ચારેયપ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરું છું. સૂર્યોદયથી મધ્યાહ્ન સુધી ચારેય પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરું છું. આદિકર, તીર્થકર, સ્વયંબુદ્ધ, પુરુષસિંહ, પુરુષવર-પુંડરીક, પુરુષવર-ગંધહસ્તી, લોકોત્તમ, લોકનાથ, લોકહિતૈષી, લોકપ્રદીપ, લોકપ્રદ્યોતક, અભયદાતા, ચક્ષુદાતા, માર્ગદાતા, શરણદાતા, જીવનદાતા, બોધિદાતા, ધર્મોપદેશક અને ધર્મનાયક અરિહંતોને નમસ્કાર કરું છું.” Page #182 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકરણ દશવૈકાલિક દસયાલિય – દશવૈકાલિક જૈન આગમોનું ત્રીજું મૂલસૂત્ર છે. શયંભવ તેના કર્તા છે. શય્યભવ બ્રાહ્મણ હતા અને તેઓ જૈન ધર્મમાં દીક્ષિત થયા હતા. ૧. (અ) મૂળ – જીવરાજ ઘેલાભાઈ દોશી, અમદાવાદ, ઈ.સ. ૧૯૧૨, ૧૯૨૪; હીરાલાલ હંસરાજ, જામનગર, ઈ.સ. ૧૯૩૮; ઉમેદચંદ રાયચન્દ, અમદાવાદ, ઈ.સ. ૧૯૩૦; શાંતિલાલ વ. શેઠ, ખ્યાવર, વિ.સં. ૨૦૧૦; જૈન મહિલા મંડળ, પાયધુનિ મુંબઈ, ૧૯૩૧, મુનિ ત્રિલોકચંદ, જીતમલ જૈન, ઈ.સ. ૧૯૫૧. (ક) આચાર્ય તુલસી, તેરાપંથી સભા, કલકત્તા, ૧૯૬૭. (ખ) (ગુટકા સંસ્કરણ), જૈન વિશ્વભારતી, લાડનું. ઈ.સ. ૧૯૭૫. (ગ) મુ. પુણ્યવિજયજી, મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ઈ.સ. ૧૯૭૭, (ઘ) જિનેન્દ્રગણિ – હર્ષ પુષ્યામૃત જૈન ગ્રંથમાલા, લાખાબાવળ શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ઈ.સ. ૧૯૭૮ (ડ) રતનલાલ ડોશી, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, સૈલાના, ઈ.સ. ૧૯૮૦. (આ) હરિભદ્ર અને સમયસુંદરની ટીકાઓ સાથે – ભીમસી માણેક, મુંબઈ, ઈ.સ. ૧૯00. (ઈ) સમયસુંદરવિહિત વૃત્તિસહિત – હીરાલાલ હંસરાજ, જામનગર, ઈ.સ. ૧૯૧૫; જિનયશસૂરિ ગ્રંથમાલા, ખંભાત, ઈ.સ. ૧૯૧૯. (ઈ) ભદ્રબાહુકૃત નિર્યુક્તિની હરિભદ્રીય વૃત્તિ સાથે – દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, ઈ.સ. ૧૯૧૮; મનસુખલાલ હીરાલાલ, મુંબઈ, વિ.સં. ૧૯૯૯. (૧) ભદ્રબાહુકૃત નિર્યુક્તિસહિત – E. Leumann, ZDMG. Vol. 46, pp. 580-663. (9) અંગ્રેજી અનુવાદ સહિત – W, Schubring, Ahmedabad, 1923, N. V. Vaidya, Poona, 1937. કે. સી. લાલવાણી, મોતીલાલ બનારસીદાસ, દિલ્લી, ૧૯૭૩. Page #183 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક ૧૪૭ શäભવે દીક્ષા લેતી વેળાએ તેમની પત્ની ગર્ભવતી હતી. દીક્ષા ગ્રહણ કર્યા બાદ તેમને એક પુત્ર થયો, જેનું નામ મણગ રાખવામાં આવ્યું. આઠ વર્ષનો (8) હિંદી ટીકા સહિત – મુનિ આત્મારામજી, જવાલાપ્રસાદ માણકચંદ જોહરી, મહેન્દ્રગઢ (પતિયાલા), વિ.સં. ૧૯૮૯; જૈન શાસ્ત્રમાલા, કાર્યાલય, લાહોર, વિ.સં. ૨૦૦૩; મુનિ હસ્તિમલજી, મોતીલાલ બાલમુકુંદ મૂથા, સતારા, ઈ.સ. ૧૯૪૦. (એ) હિંદી અનુવાદસહિત – અમોલકઋષિ, સુખદેવસહાય જવાલાપ્રસાદ જોહરી, હૈદરાબાદ, વિ.સં. ૨૪૪૬; મુનિ ત્રિલોકચન્દ્ર, જીતમલ જૈન, દિલ્લી, વિ.સં. ૨૦૦૭; ઘેબરચન્દ્ર બાંઠિયા, સેઠિયા જૈન પારમાર્થિક સંસ્થા, બીકાનેર, વિ.સં. ૨૦૦૨; સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના, વિ.સં. ૨૦૨૦; મુનિ અમરચંદ પંજાબી, વિલાયતીરામ અગ્રવાલ, માચ્છીવાડા, વિ.સં. ૨૦૦૦. (એ) સંસ્કૃત વ્યાખ્યા તથા તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે – મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ. ૧૯૫૭-૧૯૬૦. (ઓ)સુમતિસાધુવિરચિત વૃત્તિ સહિત – દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, સુરત, ઈ.સ. ૧૯૫૪. ! (ઓ) હિંદી અનુવાદ – મુનિ સૌભાગ્યચંદ્ર (સંતબાલ), જે. સ્થા. જૈન કોન્ફરેંસ, મુંબઈ, ઈ.સ. ૧૯૩૬; યુવાચાર્ય મહાપ્રજ્ઞ, તેરાપંથી મહાસભા કલકત્તા ૧૯૬૭; મરુધર કેશરી મિશ્રીમલ, મરુધર કેશરી પ્રકાશન સમિતિ, બાવર ૧૯૭૫; મધુકરજી, આગમ પ્રકાશન સમિતિ, બાવર, ૧૯૮૫. (અ) હિંદી અર્થ તથા ટિપ્પણો સાથે – આચાર્ય તુલસી, જૈન છે. તેરાપંથી મહાસભા, કલકત્તા, વિ.સં. ૨૦૨૦. (અ)ગુજરાતી છાયાનુવાદ – ગોપાલદાસ જીવાભાઈ પટેલ, જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ, ઈ.સ. ૧૯૩૯. (ક) જિનદાસકૃત ચૂર્ણિ – રતલામ, ઈ.સ. ૧૯૩૩, (ખ) ચયનિકા – કમલચન્દ્ર સોગાણી, પ્રાકૃત ભારતી અકાદમી, જયપુર, ૧૯૮૭. ૨. મહાવીરના પ્રથમ ગણધર (ગચ્છધર-પટ્ટધર) સુધર્મા હતા, તેમની પછી જંબૂ થયા. જંબૂ અંતિમ કેવલી હતા, તેમની પછી કેવલજ્ઞાનનું દ્વાર બંધ થઈ ગયું. જેબૂ સ્વામીની પછી પ્રભવ નામના ત્રીજા ગણધર થયા, તેમની પછી શäભવ થયા, પછી યશોભદ્ર, સંભૂતિવિજય, ભદ્રબાહુ અને તેમની પછી સ્થૂલભદ્ર થયા. શયંભવની દીક્ષા માટે જુઓ - હરિભદ્રકૃત દશવૈકાલિકવૃત્તિ, પૃ. ૨૦-૨૧. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ અંગબાહ્ય આગમો થતાં મણગે પોતાની માતાને પિતાજી વિશે પૂછ્યું. મણગને જ્યારે જાણવા મળ્યું કે તેઓ તો સાધુ થઈ ગયા છે ત્યારે તે તેમની શોધમાં નીકળી પડ્યો. મણગ ચંપામાં પહોંચી તેમને મળ્યો. શય્યભવને પોતાના દિવ્ય જ્ઞાનથી ખબર પડી કે તેમનો પુત્ર માત્ર છ મહિના જ જીવતો રહેવાનો છે. આ જાણી તેમણે દસ અધ્યાયોમાં આ સૂત્રની રચના કરી તથા વિકાલ એટલે કે સંધ્યા સમયે સ્વાધ્યાય કરવાને કારણે તેનું નામ દસકાલિય પડ્યું. તેના અંતે બે ચૂલિકાઓ છે જે શäભવની રચના ન હોય તેમ માનવામાં આવે છે. ભદ્રબાહુ અનુસાર (નિર્યુક્તિ ૧૬-૧૭) દશવૈકાલિકનું ચોથું અધ્યયન આત્મપ્રવાદ પૂર્વમાંથી, પાંચમું અધ્યયન કર્મપ્રવાદ પૂર્વમાંથી, સાતમું અધ્યયન સત્યપ્રવાદ પૂર્વમાંથી અને બાકીનાં અધ્યયનો નવમા પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી વસ્તુમાંથી લેવામાં આવ્યાં છે. દશવૈકાલિકના કેટલાંક અધ્યયનો અને ગાથાઓની ઉત્તરાધ્યયન અને આચારાંગસૂત્રના અધ્યયનો અને ગાથાઓ સાથે તુલના થઈ શકે છે. દ્રુમપુષ્પિત : ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે, તે અહિંસા, સંયમ અને પરૂપ છે. જેનું મન ધર્મમાં સંલગ્ન છે તેને દેવો પણ નમસ્કાર કરે છે (૧). જેવી રીતે ભમરો ફૂલોને પીડા આપ્યા વિના તેમાંથી રસનું પાન કરી પોતાની જાતને તૃપ્ત કરે છે, તેવી જ રીતે ભિક્ષુ આહાર વગેરેની ગવેષણામાં રત રહે છે (૨-૩). શ્રામણ્યપૂર્વિક: જે કામ-ભોગોનું નિવારણ નથી કરતો, તે સંકલ્પ-વિકલ્પને અધીન થઈ પગલે પગલે અલિત થતો થતો શ્રમણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે? (૧) ? १. मणगं पडुच्च सेजंभवेण निज्जुहिया दसऽज्झयणा । વૈિયતિયાડ઼ વિથા તખ્તી સાતિય પામ ! – નિર્યુક્તિ, ૧૫. 'वेयालियाइ ठविय' त्ति विगतः कालो विकालः, विकलनं वा विकाल इति, विकालोऽसकलः खण्डश्चेत्यनर्थान्तरम्, तस्मिन् विकाले - अपराह्ने । – હરિભદ્ર, દશવૈકાલિકવૃત્તિ, પૃ. ૨૪ ૨. સરખાવો – यथापि भमरो पुष्पं वण्णगंधं अहेठ्यं । પતિ રામલીય પર્વ અને મુની રે I – ધમ્મપદ, પુષ્કવષ્ણુ, ૬. ૩. સરખાવો – कतिहं चरेय्य सामखं चित्तं चे न निवारेय्य । ઘરે ઘરે વિકીચ્ય સંખ્યા વસનુો – સંયુક્તનિકાય, ૧. ૨. ૭. Page #185 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક ૧૪૯ વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી અને શયન આ બધાંનો જે સ્વેચ્છાએ ભોગ કરતો નથી તે ત્યાગી છે (૨). સમભાવનાપૂર્વક સંયમનું પાલન કરવા છતાં પણ ક્યારેક મન આમ-તેમ ભટકવા માંડે, તે સમયે એવો જ વિચાર કરે કે ન તે મારી છે અને ન હું તેનો છું (૪). અગંધન સર્પ અગ્નિમાં સળગીને પોતાનો પ્રાણ ત્યજી દેશે પરંતુ વમન કરેલા વિષનું ક્યારેય પાન કરશે નહિ (૬). ક્ષુલ્લિકાચાર-કથા : નિગ્રંથ મહર્ષિઓ માટે નિમ્નલિખિત વસ્તુઓ અનાચરણીય બતાવવામાં આવી છે – ઔદેશિક ભોજન, ખરીદીને લીધેલું ભોજન, આમંત્રણ સ્વીકારીને મેળવેલું ભોજન, ક્યાંકથી લાવવામાં આવેલું ભોજન, રાત્રિભોજન, સ્નાન, સુગંધી પદાર્થો, માળા, વ્યજન (પંખા) વડે હવા નાખવી, સંગ્રહ કરવો, ગૃહસ્થના પાત્રનો ઉપયોગ ક૨વો, રાજપિંડનું ગ્રહણ કરવું, સંબાધન (શરીર વગેરે દબાવરાવવું), દંતધાવન, ગૃહસ્થને કુશળપ્રશ્ન પૂછવો, દર્પણમાં મોં જોવું, અષ્ટાપદ (ચોપાટ), નાલી (એક પ્રકારનો જુગા૨), છત્રધારણ, ચિકિત્સા કરાવવી, ઉપાનહ (જોડાં) પહેરવાં, આગ પેટાવવી, નિવાસસ્થાન આપનારનો આહાર લેવો, આસન પર બેસવું, પલંગ ૫૨ સૂવું, બે ઘરોની વચ્ચે રહેવું, શરીર માલીશ કરાવવું, ગૃહસ્થની વૈયાવૃત્ય કરવી, ગૃહસ્થને પોતાના જાતિ, કુળ વગેરેની સમાનતા બતાવી ભિક્ષા ગ્રહણ કરવી. અપ્રાસુક જળનું સેવન કરવું, ક્ષુધા વગેરેથી આતુર થઈ પહેલાં ભોગવેલા ભોગોનું સ્મરણ કરવું, સચિત્ત મૂળા, શ્રૃંગબેર (આદું) અને શેરડીનું સેવન કરવું, સચિત્ત કંદ, મૂળ, ફળ અને બીજનું સેવન કરવું, સચિત્ત સૌવર્ચલ (એક પ્રકારનું મીઠું), સૈન્ધવ, લવણ, રૂમા લવણ, સમુદ્રનું મીઠુ, પાંશુક્ષાર (એક પ્રકારનું મીઠું) અને કાળા મીઠાનું સેવન કરવું, વસ્ત્ર વગેરેને સુગંધી ધૂપ આપવો, વમન, બસ્તિકર્મ, વિરેચન, અંજન લગાડવું, દાતણ કરવું, શરીરમાં તેલ વગેરેની માલીશ કરવી અને શરીરને વિભૂષિત કરવું (૨-૯), જે ગ્રીષ્મ ઋતુમાં આતાપના લે છે, શીત ઋતુમાં પ્રાવરણરહિત બનીને તપ કરે છે અને વર્ષા ઋતુમાં એક સ્થાન પર રહે છે તેઓ યત્નશીલ ભિક્ષુ કહેવાય છે (૨૨). ષડ્જવનિકાય : આ પૃથ્વીકાય, અપ્લાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય છ જીવનિકાય છે. ત્રસ જીવોમાં અંડજ, પોતજ, જરાયુજ, રસજ (રસમાંથી પેદા થનારા), સંસ્વેદજ (પ્રસ્વેદથી ઉત્પન્ન થનારા), સંમૂર્ચ્છન, ઉદ્ભિજ અને ઉપપાતજ ૧. ૭-૧૦ ગાથાઓની ઉત્તરાધ્યયનના ૨૨મા અધ્યયનની ૪૨-૪૬ ગાથાઓ સાથે સરખામણી કરો. અં.આ. -૧૨ – Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ અંગબાહ્ય આગમો (દેવ અને નારકી) જીવોની ગણના થાય છે (૧). છ જવનિકાયોને કૃત, કારિત, અનુમોદન અને મન, વચન, કાયા વડે હાનિ પહોંચાડવાનો નિષેધ કરવામાં આવ્યો છે (૨). સર્વ પ્રાણાતિપાત-વિરમણ, મૃષાવાદ-વિરમણ, અદત્તાદાન-વિરમણ, મૈથુન-વિરમણ અને પરિગ્રહ-વિરમણ – આ પાંચ મહાવ્રતો છે (૩-૭). છઠું રાત્રિભોજન-વિરમણ વ્રત કહેવામાં આવ્યું છે (૮), ભિક્ષુ-ભિક્ષુણી દિવસ કે રાતે, એકલા કે સમૂહમાં, સુસુપ્ત અથવા જાગૃત દશામાં, પૃથ્વી, ભીંત, શિલા, ધૂળ ભરેલા શરીર અથવા વસ્ત્રને હાથ, પગ, કાઇ, આંગળી કે લોઢાની સળી વગેરેથી ઝાટકે નહિ, લૂછે નહિ, આમ તેમ હલાવે નહિ, ન તેનું છેદન કરે કે ન ભેદન કરે. પાણી, ઝાકળ, હિમ, મહિકા (ભૂજ), કરક (કરા), ભીના શરીર અથવા તો ભીના વસ્ત્રનો સ્પર્શ ન કરે, સૂકવે નહિ, નીચોવે નહિ, ઝાટકે નહિ કે અગ્નિની સામે રાખે નહિ (૧૧), અગ્નિ, અંગાર, ચિનગારી, જવાળા, સળગતું કાષ્ઠ અને ઉલ્કાને સળગાવે નહિ, બુઝાવે નહિ, લાકડી વગેરેથી હલાવે ચલાવે નહિ, પાણીથી સીંચે નહિ કે છિન્ન ભિન્ન કરે નહિ (૧૨). પંખા, પાંદડાં, શાખા, મયૂરપંખ, વસ્ત્ર, હાથ કે મોઢાથી હવા ન નાખે (૧૩). બીજ, અંકુર, લીલ, સચિત્ત વગેરે ઉપર પગ રાખીને જાય નહિ, ન તેમના પર બેસે કે ન સૂવે (૧૪). જો હાથ, પગ, માથું, વસ્ત્ર, પાત્ર, રજોહરણ, દંડ, પીઠ (ચોકી), ફલક (પાટિયું), શય્યા અને સંથારા વગેરેમાં કીટ, પતંગિયાં, કુંથવા કે કીડી નજરે પડે તો ખૂબ પ્રયત્નપૂર્વક તેમને વારંવાર સંભાળીને એકાંતમાં મૂકી દે (૧૫). અયત્નપૂર્વક બેસવાથી, ઉઠવાથી, સૂવાથી, ખાવાથી, પીવાથી અને બોલવાથી ભિક્ષુ પાપકર્મોનો બંધ કરે છે, જેનું ફળ કડવું હોય છે. તેથી ભિક્ષુએ યતનાપૂર્વક આચરણ કરવું જોઈએ (૧૦૮). સૌથી પહેલાં જ્ઞાન છે, પછી દયા – આ રીતે સંયમી જ્ઞાનપૂર્વક આચરણ કરે છે, અજ્ઞાની શું કરી શકે છે ? તે પુણ્યપાપને કેવી રીતે સમજી શકે (૧૦)? જે જીવ, અજીવ, જીવાજીવને જાણે છે તે સંયમને જાણે છે (૧૩). જીવાજીવને સમજીને સંયમી જીવોની ગતિને સમજે છે, પુણ્ય, પાપ, બંધ અને મોક્ષને સમજે છે તથા પુણ્ય પાપ વગેરે સમજવાને કારણે વિષયભોગોમાંથી નિવૃત્ત થાય છે. પછી બાહ્ય-આધ્યેતર સંયોગને છોડીને મુંડ બની પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે, ઉત્કૃષ્ટ ચારિત્ર પ્રાપ્ત કરે છે, કમરજનું પ્રક્ષાલન કરે છે, જ્ઞાન-દર્શન પ્રાપ્ત કરે છે, લોકાલોકને જાણીને કેવલીપદ પ્રાપ્ત કરે છે, શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરે છે અને અંતે કર્મોનો ક્ષય કરી લોકના અગ્રભાગમાં પહોંચી સિદ્ધ બની જાય છે (૧૪-૨૫). પિચ્છેષણા – પહેલો ઉદ્દેશ: ગામ અથવા નગરમાં ભિક્ષાટન માટે ગયેલ ભિક્ષુએ ધીરે ધીરે અને શાંત Page #187 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક ૧૫૧ ચિત્તે ભ્રમણ કરવું જોઈએ (૨). તેણે ચાર હાથ પ્રમાણ ભૂમિ જોઈને ચાલવું જોઈએ તથા બીજ, હરિયાળી, બે ઈન્દ્રિયાદિ જીવો, અપ્લાય અને પૃથ્વીકાય જીવોને બચાવવા જોઈએ (૩). અંગાર, ક્ષારરાશિ, તુષરાશિ અને ગોમયરાશિ પરથી ધૂળ ભરેલા પગ સાથે પસાર થવું ન જોઈએ (૭). જ્યારે વરસાદ આવતો હોય, ઝાકળ પડતી હોય અથવા વાવાઝોડું ચાલતું હોય ત્યારે કીટ-પતંગ વગેરેથી વ્યાપ્ત ભૂમિ પર ભિક્ષુએ ચાલવું ન જોઈએ (૮). વેશ્યાઓના મહોલ્લામાં જવું ન જોઈએ (૯). કૂતરાં, તાજી વિયાયેલી ગાય, મદમત્ત સાંઢ, હાથી, ઘોડા, બાળકોનું ક્રીડાસ્થાન, કલહ અને યુદ્ધનો દૂરથી જ ત્યાગ કરવો જોઈએ (૧૨). જલદી જલદી વાતચીત કરતાં કરતાં અથવા હસતાં હસતાં ભિક્ષા માટે જાય નહિ; હંમેશા ઊંચનીચ કુળોમાં ગોચરી માટે જાય (૧૪). નિષિદ્ધ અને અપ્રીતિકા૨ક કુળોમાં ભિક્ષા માટે ન જાય (૧૭), ઘેટાં, બાળકો, કૂતરાં અને વાછડાંને વટાવી ઘરમાં પ્રવેશ ન કરવો (૨૨). કુળભૂમિનું ઉલ્લંઘન કરીને ન જવું (૨૪). જો કોઈ સ્ત્રી બે ઈન્દ્રિય વગેરે જીવો અથવા બીજ અને રિયાળીનું પગથી મર્દન કરતી કરતી ભિક્ષા આપે તો તે ગ્રહણ ન કરે (૨૯). જો ભોજન કરતા બે વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ ભોજન માટે આમંત્રણ આપે તો તેણે આપેલ આહાર ગ્રહણ ન કરે, પરંતુ તેના અભિપ્રાયને સમજવાની ચેષ્ટા કરે (૩૭). ગર્ભિણી અથવા સ્તનપાન કરતાં બાળકને એક બાજુ ખસેડીને આહાર આપનારી સ્ત્રી દ્વારા આપેલું ભોજન ગ્રહણ ન કરે (૪૦-૪૨). જલકુંભ, ચોકી અને શીલા વગેરેથી ઢાંકેલા વાસણને ખોલીને અથવા માટી વગેરેના લેપને દૂર કરીને આપેલ આહાર ગ્રહણ ન કરે (૪૫-૪૬). જો એમ લાગે કે અશન, પાન વગેરે શ્રમણોને દેવા માટે પહેલાંથી જ રાખેલ છે તો તે ગ્રહણ ન કરે (૪૭-૫૪). પુષ્પ, બીજ, હરિત, ઉદક અને અગ્નિથી મિશ્રિત ભોજન ગ્રહણ ન કરવાનું વિધાન છે (૫૭-૬૧). માંચડા વગેરે ઉપર ચડીને લાવેલ ભોજન ગ્રહણ ન કરવાનું વિધાન છે (૬૭). ઘણાં હાડકાં (અસ્થિ)વાળું માંસ (પુદ્ગલ) અને ઘણાં કાંટાવાળી માછલી' (મણિમિસ) ગ્રહણ ન કરે (૭૨-૭૩). જો ભોજન કરતાં કરતાં હાડકાં (અસ્થિ), કાંટ, તૃણ, કાજ, १. अयं किल कालाद्यपेक्षया ग्रहणे प्रतिषेधः; अन्ये त्वभिदधति वनस्पत्यधिकारात्तथा વિધતામિધાને – હરિભદ્રીય ટીકા, પૃ. ૩૫૬; મંત્રં વા ગેર્ પર્ સાધૂળ, વિ જાનું રેસં પડુત્ત્વ મં સુત્તમાનતું – દશવૈકાલિક-ચૂર્ણિ, પૃ. ૧૮૪. વધુ ક્રિયેળ મંસેળ વા વદુતળ मच्छेण वा उवनिमंतिज्जा - एयप्पगारं निग्घोसं सुच्चा नो खलु मे कप्पइ अभिकंखसि મે વાડ ખાવડ્યું તાવડ્યું પુષ્પાŕ વાદ મા ય ગઢ઼િયારૂં અર્થાત્ પુદ્ગલ (માંસ) જ આપો, -- Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર અંગબાહ્ય આગમો કાંકરાં વગેરે મોઢામાં આવી જાય તો તેને મોઢામાંથી ઘૂંકી ન નાખતાં હાથમાં લઈ એક બાજુ મૂકી દે (૮૪-૮૫). જિન ભગવાને મોક્ષ સાધનના કારણભૂત શરીર ધારણ માટે નિર્દોષ ભિક્ષાવૃત્તિ બતાવી છે (૯૨). મુધાદાતા (નિસ્વાર્થ બુદ્ધિથી દાન આપનાર) અને મુધાજીવી (નિસ્પૃહ ભાવથી ભિક્ષા ગ્રહણ કરનાર) એ બન્ને દુર્લભ છે, બન્નેને ય સુગતિ પ્રાપ્ત થાય છે (૧૦૦). પિચ્છેષણા-બીજો ઉદ્દેશ : ભિક્ષુએ ધ્યાન રાખવું કે તે સમયસર ભિક્ષા માટે જાય, સમયસર પાછો ફરે અને યથાસંભવ અકાળનો ત્યાગ કરે. જો સમયનું ધ્યાન ન રાખતાં ભિક્ષુ અસમયમાં જાય છે તો તે પોતાની જાતને કષ્ટ પહોંચાડે છે અને પોતાના સન્નિવેશ માટે નિંદાનું કારણ બને છે (૪-૫). ગોચરી માટે ગયેલા ભિક્ષુએ માર્ગમાં ક્યાંય બેસવું ન જોઈએ અને ઊભા ઊભા કથાઓ ન કહેવી જોઈએ (૮). તેણે આગળો, ભોગળ, દરવાજા કે બારણાં વગેરેનો ટેકો લઈ ઊભા ન રહેવું જોઈએ (૯). જો કોઈ શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ અથવા વનપક ભિક્ષા લેવા માટે ત્યાં હાજર હોય તો તેને વટાવીને પ્રવેશ ન કરે; તે એવા સ્થાને ઊભો ન રહે કે જ્યાંથી લોકો તેને જોઈ શકે; તે એક બાજુ જઈને ઊભો રહી જાય (૧૦-૧૧). કોઈના ઘરમાં ભોજન, પાન તથા શયન, આસન, વસ્ત્ર વગેરે ખૂબ પરિમાણમાં રાખેલા હોય છતાં દાતા તેનું દાન કરે નહિ તો પણ ભિક્ષુએ કોપાયમાન ન થવું જોઈએ (૨૭-૨૮). સ્ત્રી, પુરુષ, તરુણ અથવા કોઈ વૃદ્ધ જો વંદન કરે તો તેની પાસે યાચના ન કરે અથવા અસ્થિ નહિ, છતાં પણ જો કોઈ પાત્રમાં અસ્થિ નાખી દે તો માંસ-મસ્યનું ભક્ષણ કરી અસ્થિ એકાંતમાં રાખી દે. ટીકા – અવં માંસૂત્રમા નેય ! મણ ગોપાલાને વછૂતાછુપીમનાઈ સરોવેશતો વહાપરિમોન વેલવિના જ્ઞાનgવારવાઋત્તવ - આચારાંગ (૨), ૧. ૧૦. ૨૮૧, પૃ. ૩૨૩. વિવાદુપિયે (માપવા-ગૌત્સ) – “વહુલું पोग्गलं अणिमिसं वा बहुकंटयं" एवं अववादतो गिण्हंतो भणाइ - "मंसं दल, मा મયિ” આવશ્યકચૂર્ણિ; ૨, પૃ. ૨૦૨. ' વનપક પાંચ હોય છે – શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, અતિથિ અને શ્વાન (સ્થાનાંગ, પૃ. ૩૨૩ અ). શ્રમણોના પાંચ ભેદ છે –- નિગ્રંથ, શાક્ય, તાપસ, ઐરિક (ગેરુઆ રંગના વસ્ત્રો પહેરનાર) અને આજીવક (ગોશાલના શિષ્યો). આવશ્યકચૂર્ણિ (૨, પૃ. ૨૦)માં કહ્યું છે કે આજીવક, તાપસ, પરિવ્રાજક, સચ્ચક્રિય (બૌદ્ધ ભિક્ષુ) અને બોટિય (દિગંબર સંપ્રદાયના ભિક્ષુ)ની વંદના ન કરવી. Page #189 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક ૧૫૩ તેને કઠોર વચનો ન કહે (૨૯). ક્યારેક વિવિધ પ્રકારનું ભોજન મેળવીને ભિક્ષુ સુસ્વાદુ ભોજન પોતે ખાઈને બચેલું વિરસ ભોજન ઉપાશ્રયમાં લાવે છે જેથી બીજા ભિક્ષુઓ તેને રુક્ષભોજી સમજી તેની પ્રશંસા કરે છે, પરંતુ આમ કરવું ઉચિત નથી (૩૩-૩૪). યશનો લોભી ભિક્ષુ ક્યારેય સુરા, મે૨ક અથવા અન્ય માદક રસનું સાક્ષીપૂર્વક પાન ન કરે (૩૬). જે ભિક્ષુ ચોરની માફક એકલો બેસી મદિરાનું પાન કરે છે તે દોષી છે (૩૭)૧. મહાચાર કથા : પ્રારંભમાં છ વ્રતોનું પાલન, છકાય જીવોની રક્ષા, ગૃહસ્થના પાત્રનો ઉપયોગ ન કરવો, પલંગ ઉપર ન બેસવું, ગૃહસ્થના આસન પર ન બેસવું, સ્નાન ન કરવું અને શરીરની શોભાનો ત્યાગ કરવો વગેરે વિધાનો છે (૮). બધા જીવો જીવવાની ઈચ્છા કરે છે, કોઈ મરવા ઈચ્છતું નથી, એટલા માટે નિગ્રંથ મુનિઓ પ્રાણવધનો ત્યાગ કરે છે (૧૦). બીજાઓને પીડા પહોંચાડે તેવું મિથ્યાભાષણ ન કરે (૧૧). સચિત્ત અથવા અચિત્ત, અલ્પ અથવા બહુ, એટલે સુધી કે દાંત ખોતરવાનું તણખલું પણ વગર માગ્યે લે નહિ (૧૩). મૈથુન અધર્મનું મૂળ છે અને મહા દોષોનું સ્થાન છે, એટલા માટે નિગ્રંથ સાધુ મૈથુનના સંસર્ગનો ત્યાગ કરે છે (૧૬). વસ્ત્ર-પાત્ર વગેરે રાખવાને પરિગ્રહ કહેતા નથી, જ્ઞાતપુત્ર મહાવીરે મૂર્છા – આસક્તિને પરિગ્રહ કહેલ છે (૨૦). ભિક્ષુ રાત્રિભોજનનો ત્યાગ કરે તથા છ જીવનિકાયોની રક્ષા કરે (૨૪-૪૫). ગૃહસ્થના ઘરે બેસવાથી સાધુના બ્રહ્મચર્યની રક્ષા થઈ શકતી નથી અને સ્ત્રીઓના સંસર્ગને કારણે બ્રહ્મચર્યમાં શંકા પેદા થાય છે, એટલા માટે કુશીલ વધારનાર એવા સ્થાનનો દૂરથી જ ત્યાગ કરે (૫૯), યાવજ્જીવન શીતળ અથવા ઉષ્ણ જળથી સ્નાન ન કરે (૬૨). નાયાધમ્મકહા (૫)માં શૈલક ઋષિનો રોગ મદ્યપાન દ્વારા શાંત થવાનો ઉલ્લેખ છે. બૃહત્કલ્પભાષ્ય (૯૫૪-૫૬)માં ગ્લાન અવસ્થામાં વૈદ્યના ઉપદેશપૂર્વક વિકટ (મદ્ય) ગ્રહણ કરવાનો ઉલ્લેખ છે. ત્યાં કહેવામાં આવ્યું છે કે જો શૈક્ષકે કોઈના ઘરે વિકટ પાન કરી લીધું હોય તો ગીતાર્થ લોકો વિકટ પાત્રમાં ઈક્ષુ રસ વગેરે નાખી દે. જો તે પાત્ર ફૂટી જાય તો ગાયના પદચિહ્નો બનાવી દે, જેથી એમ જણાય કે તે પાત્ર ગાયે ફોડ્યું છે. ૨. સ્ત્રીઓ કેવી રીતે સાધુઓને વશ કરતી હતી, તે જાણવા માટે જુઓ – સૂત્રકૃતાંગનું સ્રીપરિજ્ઞા અધ્યયન. ૧. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ અંગબાહ્ય આગમો વાક્યશુદ્ધિ : જે ભાષા સત્ય છે પરંતુ સદોષ હોવાને કારણે અવક્તવ્ય છે, અને જે ભાષા સત્ય-મૃષા છે અથવા મૃષા છે, તથા જે બુદ્ધો દ્વારા અનાવરણીય છે, તેવી ભાષા પ્રજ્ઞાવાન સાધુ ન બોલે (૨). તેણે હંમેશા નિર્દોષ, અકર્કશ, અસંદિગ્ધ, અસત્યમૃષા વાણી બોલવી જોઈએ (૩). અતીત, વર્તમાન અથવા ભવિષ્યકાળ સંબંધી જે વાતને ન જાણે તેને નિશ્ચયાત્મક રૂપે ન બોલે (૮). કઠોર અને અનેક પ્રાણીઓનો સંહાર કરનારી સત્ય વાણી પણ ન બોલે, કેમ કે તેનાથી પાપનો બંધ થાય છે (૧૧). કાણાને કાણો, નપુંસકને નપુંસક, રોગીને રોગી અને ચોરને ચોર કહીને ન બોલાવે (૧૨). મનુષ્ય, પશુ, પક્ષી અથવા સર્પ વગેરેને જોઈને આ સ્થળ છે, ચરબીવાળો છે, વધ કરવા યોગ્ય છે અથવા પકાવવા યોગ્ય છે – આવા પ્રકારની ભાષા ન બોલે (૨૨). આ ગાય દોહવા જેવી છે, વાછડાં નાથવા જેવા છે અથવા રથમાં જોતરવા યોગ્ય છે – આવી જાતની ભાષા ન બોલે (૨૪). એ જ રીતે ઉદ્યાન, પર્વત અને વન વગેરેમાં જઈ ત્યાં વિશાળ વૃક્ષો જોઈને એમ ન કહે કે આ વૃક્ષો મહેલના થાંભલા, તોરણ, ભોગળ, આગળા અને હોડી વગેરે બનાવવા માટે યોગ્ય છે (૨૫-૨૬). ફળ પાકીને તૈયાર થઈ ગયા છે, પકાવીને ખાવા યોગ્ય છે, બહુ પાકી ગયા છે, હજી સુધી આમાં ગોટલી બાજી નથી, અથવા આ બે ફાડ કરવા યોગ્ય છે વગેરે ભાષા ન બોલે (૩૨). આ સંખડિ' કરવા યોગ્ય છે, આ ચોર મારવા લાયક છે અથવા આ નદી પાર કરવા યોગ્ય છે – આવા પ્રકારની ભાષા ન બોલે (૩૬). આ કામ કેટલું સારું કર્યું, આ તેલ કેટલું સરસ પકાવ્યું, સારું થયું આ વન કાપી નાખ્યું, સારું થયું તેનું ધન ચોરી લીધું, સારું થયું તે મરી ગયો વગેરે પ્રકારની ભાષા ન બોલે (૪૧). ભિક્ષુએ જોવું જોઈએ કે તે ગૃહસ્થને “આવો, બેસો”, “અહીં આવો”, “આમ કરો”, १. संखंड्यन्ते त्रोट्यन्ते जीवानां वनस्पतिप्रभृतीनामायूंषि प्राचुर्येन यत्र प्रकरणविशेषे सा खलु સંવડિરિત્યુચ્યતે (બૃહત્કલ્પભાષ્ય ૩, ૮૮૧). સંખડિના અનેક પ્રકાર બતાવવામાં આવ્યા છે – યાવત્તિકા, પ્રગણિતા, ક્ષેત્રાભ્યન્તર વર્તિની, અત્રસ્થિતા, બહિર્વતિની, આકર્ષા, અવિશુદ્ધપંથગમના, સપ્રત્યપાયા અને અનાચીÍ. ગિરનાર, અબુંદ (આબુ) અને પ્રભાસ વગેરે તીર્થો પર સંખડિનો ઉત્સવ ઉજવવામાં આવતો જેમાં શાક્ય, પરિવ્રાજક વગેરે અનેક સાધુઓ એકઠા થતા. આમાં લોકો દૂર દૂરથી આવી એકઠા થતા તથા ખૂબ ખાઈ-પી વિકાલમાં પડ્યા રહેતા (એજન ૫, ૫૮૩૮, પૃ. ૧૫૪૦). માંસપ્રચુર સંખડિમાં માંસના ઢગલો કાપી કાપી સુકવવામાં આવતા (આચારાંગ ૨, પૃ. ૨૯૭ અ - ૩૦૪). Page #191 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક ૧૫૫ અહીં સૂઈ જાઓ”, “અહીં ઊભા રહો”, “અહીંથી ચાલ્યા જાઓ” વગેરે ન કહે (૪૭). જ્ઞાન-દર્શનયુક્ત તથા સંયમ તથા તપમાં રત સાધુને જ સાધુ કહેવો જોઈએ (૪૯). જે ભાષા પાપકર્મનું અનુમોદન કરનારી હોય, બીજાઓને માટે પીડાકારક હોય, એવી ભાષા ક્રોધ, લોભ અને હાસ્યને વશીભૂત થઈ સાધુએ બોલવી જોઈએ નહિ (૫૪). આચારપ્રણિધિ : મન, વચન અને કાયાથી છકાય જીવો પ્રત્યે અહિંસાપૂર્વક આચરણ કરવું જોઈએ (૨-૩). સંયતાત્માએ પાત્ર, કંબલ, શય્યા, મળ વગેરે ત્યાગવાના સ્થાન (ઉચ્ચારભૂમિ), સંથારો અને આસનની એકાગ્ર ચિત્તે પ્રતિલેખના કરવી જોઈએ (૧૭). વિષ્ઠા, મૂત્ર, કફ અને નાકના મેલને નિર્જીવ પ્રાસુક સ્થાનમાં યતનાપૂર્વક રાખે (૧૮). ભિક્ષુ કાન વડે ઘણું બધું સાંભળે છે, આંખો વડે ઘણું બધું જુએ છે, પરંતુ જોયેલું અને સાંભળેલું બધું કોઈની સામે કહેવું ઉચિત નથી (૨૦). કાનને પ્રિય લાગનારા શબ્દોમાં રાગભાવ ન કરે, દારુણ અને કઠોર સ્પર્શ શરીર દ્વારા સહન કરે (૨૬). સુધા, પિપાસા, વિષમ ભૂમિમાં નિવાસ, શીત, ઉષ્ણ, અરતિ અને ભયને અદીનભાવે સહન કરે, કેમ કે દેહદુઃખને મહાફળ આપનાર કહેલ છે (૨૭). સૂર્ય અસ્ત થયા પછી સૂર્યોદય સુધી આહાર વગેરેની મનથી પણ ઈચ્છા ન કરે (૨૮). જાણે અજાણે જો કોઈ અધાર્મિક કામ પોતાનાથી થઈ જાય તો સાધુએ તત્કાળ પોતાના મનને ત્યાં જવાથી રોકવું અને ફરી વાર તેવું કામ ન કરવું (૩૧). જ્યાં સુધી ઘડપણ પીડા આપે નહિ, વ્યાધિઓ કષ્ટ પહોંચાડે નહિ અને ઈન્દ્રિયો ક્ષીણ થઈ જાય નહિ ત્યાં સુધી ધર્મનું આચરણ કરવું (૩૬). ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રોનો નાશ કરે છે અને લોભ સર્વ વિનાશકારી છે (૩૮). ક્રોધને ઉપશમથી, માનને મૃદુતાથી, માયાને આર્જવથી અને લોભને સંતોષથી જીતે (૩૯). જિતેન્દ્રિય મુનિ હાથ, પગ અને શરીરને સંકુચિત કરી મન, વચન અને કાયાથી સાવધાન બની ગુરુ સમીપ બેસે (૪૫). તે વગર પૂછ્યું કંઈ બોલે નહિ, ગુરુ વાત કરતા હોય ત્યારે વચમાં બોલે નહિ, પીઠ પાછળ ચુગલી ન કરે તથા માયા અને મૃષાનો ત્યાગ કરે (૪૭). નક્ષત્ર, સ્વમ, યોગ, નિમિત્ત, મંત્ર અને ઔષધ – આ પ્રાણીઓના અધિકરણના સ્થાનો છે, એટલા માટે ગૃહસ્થની સન્મુખ તેમની પ્રરૂપણા ન કરે (૫૧). જેવી રીતે મરઘીના બચ્ચાંને બિલાડીનો સદા ભય રહે છે, તેવી જ રીતે બ્રહ્મચારીએ સ્ત્રીઓના શરીરથી ભયભીત રહેવું જોઈએ (૫૪) . સ્ત્રીનાં ચિત્રો આલેખેલ ભીંતને અથવા અલંકૃત નારીને જોઈને તેનું ચિંતન ન Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ અંગબાહ્ય આગમો કરે, જો તે તરફ દૃષ્ટિ ચાલી પણ જાય તો જે રીતે સૂર્યને જોઈને લોકો દૃષ્ટિ સંકોચી લે છે તેવી જ રીતે ભિક્ષુએ પણ પોતાની દૃષ્ટિ પાછી ખેંચી લેવી જોઈએ (૫૫). જેનાં હાથ-પગ અને નાક-કાન કાપી નાખેલાં હોય અથવા જે સો વર્ષની વૃદ્ધા હોય તેવી સ્રીથી પણ ભિક્ષુએ દૂર જ રહેવું જોઈએ (૫૬). વિનય-સમાધિ પહેલો ઉદ્દેશ : જેઓ ગુરુને મંદબુદ્ધિ, બાળક અથવા અલ્પજ્ઞાની સમજીને તેમની અવહેલના કરે છે તેઓ મિથ્યાત્વ પામીને ગુરુજનોની આશાતના કરે છે (૨). જો આશીવિષ સર્પ ક્રોધાયમાન થાય તો પ્રાણોના નાશથી વધુ બીજું કંઈ કરી શકતો નથી પરંતુ જો આચાર્યપાદ અપ્રસન્ન થાય તો અબોધિને કારણે જીવને મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી (૫). ગુરુઓની આશાતના કરનાર એવા પુરુષ જેવો છે જે અગ્નિને પોતાના પગેથી કચડી બુઝાવવા ઈચ્છે છે, આશીવિષ સર્પને ગુસ્સે કરે છે અથવા જે જીવવાની ઈચ્છા માટે હળાહળ વિષનું પાન કરે છે (૬). જે ગુરુની સમીપે ધર્મપદ વગેરેનું શિક્ષણ મેળવ્યું હોય તેમનો સદા વિનય કરવો અને મસ્તક પર અંજલિ ધારણ કરી મન, વચન અને કાયાથી તેમનો સત્કાર કરવો (૧૨). જેવી રીતે નક્ષત્ર અને તારાગણ વડે કાર્તિકી પૂર્ણિમાનો ચંદ્ર મેઘરહિત આકાશમાં શોભા પ્રાપ્ત કરે છે, તે જ રીતે ભિક્ષુઓની વચ્ચે આચાર્ય (ગણિ) શોભાયમાન થાય છે (૧૫). વિનયસમાધિ બીજો ઉદ્દેશ : ધર્મનું મૂળ વિનય છે અને તેનું સર્વોત્કૃષ્ટ ફળ મોક્ષ છે (૨). જેવી રીતે જળના પ્રવાહમાં પડેલ લાકડું આમ-તેમ ગડથોલાં ખાય છે તેવી જ રીતે ક્રોધી, અભિમાની, દુર્વચન બોલનાર, કપટી, ધૂર્ત અને અવિનીત શિષ્ય સંસારના પ્રવાહમાં તણાતો જાય છે (૩). જે આચાર્ય અને ઉપાધ્યાયોની સેવા-સુશ્રૂષા કરે છે તેમનું જ્ઞાન જળથી સીંચાતાં વૃક્ષોની માફક વધતું જાય છે (૧૨). શિષ્યે પોતાની શય્યા, સ્થાન અને આસન ગુરુથી નીચા રાખવાં જોઈએ, વિનયપૂર્વક તેમની ચરણવંદના કરવી જોઈએ અને તેમને અંજલિ આપવી જોઈએ (૧૭). અવિનીત શિષ્યને વિપત્તિ અને વિનીતને સંપત્તિ પ્રાપ્ત થાય છે, જેણે આ બે વાતો સમજી લીધી છે તે જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે (૨૧). વિનયસમાધિ ત્રીજો ઉદ્દેશ : ધન વગેરેની પ્રાપ્તિની આશાથી મનુષ્ય લોઢાના તીક્ષ્ણ કાંટા સહન કરવા માટે સમર્થ થાય છે, પરંતુ કાનમાં બાણની જેમ ભોંકાના૨ કઠોર વચનોને જે સહન કરે છે તે પૂજ્ય છે (૬). ગુણોને કારણે સાધુ કહેવાય છે અને ગુણોના અભાવમાં ― Page #193 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક ૧પ૭ અસાધુ, એટલા માટે સાધુના ગુણો ગ્રહણ કરો અને અસાધુના ગુણોનો ત્યાગ કરો. આ રીતે પોતાના આત્મા દ્વારા પોતાના આત્માને સમજી જે રાગ-દ્વેષમાં સમભાવ ધારણ કરે છે તે પૂજ્ય છે (૧૧). વિનયસમાધિ – ચોથો ઉદ્દેશ : વિનયસમાધિનાં ચાર સ્થાન છે – વિનયસમાધિ, શ્રુતસમાધિ, તપસમાધિ અને આચારસમાધિ (૩). વિનયસમાધિના ચાર ભેદ છે (પ). એ જ રીતે શ્રુતસમાધિ, તપસમાધિ અને આચારસમાધિના પણ ચાર ચાર ભેદ છે (૭-૧૧). સભિક્ષુ : જેને જ્ઞાતપુત્ર મહાવીરનાં વચનોમાં શ્રદ્ધા છે, જે છકાય જીવોને પોતાની સમાન ગણે છે, પાંચ મહાવ્રતોની આરાધના કરે છે અને પાંચ આગ્નવોનો વિરોધ કરે છે તે ભિક્ષુ છે (પ). જે સમ્યક્ટ્રષ્ટિ છે, જ્ઞાન, તપ અને સંયમમાં દઢ વિશ્વાસ રાખે છે, તપ દ્વારા પૂર્વોપાર્જિત કર્મોને નષ્ટ કરે છે અને મન, વચન અને કાયાને સુસંવૃત રાખે છે તે ભિક્ષુ છે (૭). જે ઈન્દ્રિયોને કાંટાની માફક કષ્ટ પહોંચાડનાર આક્રોશ, પ્રહાર અને તર્જના તથા ભયને ઉત્પન્ન કરનાર ભૈરવ વગેરે શબ્દોમાં સમભાવ રાખે છે તે ભિક્ષુ છે (૧૧). જે હાથથી સંયત હોય, પગથી સંયત હોય, વચનથી સંયત હોય, ઈન્દ્રિયોથી સંયત હોય, અધ્યાત્મમાં રત હોય, જેમનો આત્મા સુસમાહિત હોય અને જે સૂત્રાર્થને જાણતો હોય તે ભિક્ષ છે (૧૫). જે જાતિમદ કરતો નથી, રૂપમદ કરતો નથી, લાભમદ કરતો નથી અને પોતાના જ્ઞાનનો પણ મદ-પણ કરતો નથી, બધા મદોને ત્યાગીને જે ધર્મધ્યાનમાં લીન રહે છે તે ભિક્ષુ. છે (૧૯). પહેલી ચૂલિકા – રતિવાક્ય : જેવી રીતે લગામથી ચંચળ ઘોડો વશ થાય છે, અંકુશથી મદોન્મત્ત હાથી વશ થઈ જાય છે, સમુદ્રમાં ગડથોલાં ખાતી નાવ યોગ્ય માર્ગ પર આવી જાય છે, તેવી જ રીતે અઢાર સ્થાનોનો વિચાર કરવાથી ચંચળ મન સ્થિર થઈ જાય છે (૧-૧૮). જે રીતે ગળામાં કાંટો ફસાઈ જવાના કારણે માછલીને પશ્ચાત્તાપ થાય છે તે જ રીતે યૌવન વીતી જતાં જયારે સાધુ વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે પશ્ચાત્તાપ કરે છે (૬). મારું આ દુ:ખ ચિરકાળ સુધી રહેશે નહિ, જીવની વિષયવાસના અશાશ્વત છે. જો તે આ શરીરમાં શક્તિ છે ત્યાં સુધીમાં નષ્ટ નહિ થાય તો મૃત્યુ આવતાં અવશ્ય નષ્ટ થઈ જશે (૧૬). ૧, ઉત્તરાધ્યયનના પંદરમાં અધ્યયનનું નામ અને વિષય વગેરે પણ આ જ છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ અંગબાહ્ય આગમો બીજી ચૂલિકા – વિવિક્તચર્યા : - સાધુએ મદ્ય-માંસ વગેરેનું સેવન ન કરવું જોઈએ, કોઈની ઈર્ષ્યા ન કરવી જોઈએ, સદા વિકૃતિઓ (વિકારજનક ઘી વગેરે વસ્તુઓ)નો ત્યાગ કરવો જોઈએ, ફરી ફરી કાયોત્સર્ગ કરવો જોઈએ અને સ્વાધ્યાય-યોગમાં સદા રત રહેવું જોઈએ (૭). રાત્રિના પહેલા અને છેલ્લા પ્રહરમાં પોતાના આત્માનું આત્મા દ્વારા સમ્યફ રીતે પરીક્ષણ કરવું જોઈએ. તે સમયે વિચાર કરવો જોઈએ કે મેં શું કર્યું છે, મારે શું કરવાનું બાકી છે અને એવું કર્યું કાર્ય છે કે જે મારી શક્તિની બહાર છે (૯). Page #195 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકરણ પિંડનિર્યુક્તિ ww પિંડનિજ્જુત્તિ – પિણ્ડનિર્યુક્તિ ચોથું મૂલસૂત્ર મનાય છે. ક્યારેક ઓનિર્યુક્તિને પણ તેના સ્થાને મૂલસૂત્ર માનવામાં આવે છે. પિંડનો અર્થ છે ભોજન. આ ગ્રંથમાં પિંડનિરૂપણ, ઉદ્ગમદોષ, ઉત્પાદનદોષ, એષણાદોષ અને ગ્રાસએષણાદોષોનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે. આમાં ૬૭૧ ગાથાઓ છે. નિર્યુક્તિ અને ભાષ્યની ગાથાઓ એકબીજામાં ભળી ગઈ છે. પિંડનિર્યુક્તિના રચયિતા ભદ્રબાહુ છે. દશવૈકાલિકસૂત્રના પાંચમા અધ્યયનનું નામ પિંડૈષણા છે. આ અધ્યયન પર રચાયેલી નિર્યુક્તિ વિસ્તૃત હોવાને કારણે તેને પિંડનિર્યુક્તિ નામે એક અલગ ગ્રંથરૂપે સ્વીકારી લેવામાં આવેલ છે. આઠ અધિકારો પિંડનિર્યુક્તિના આ આઠ અધિકારો છે ઉદ્ગમ, ઉત્પાદન, એષણા, સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ અને કારણ (૧). પિંડના નવ ભેદો આ પ્રમાણે છે – પૃથ્વીકાય, અપ્લાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. આમાંના પ્રત્યેકના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એવા ભેદ છે (૯-૪૭). દ્વીન્દ્રિય જીવોમાં અક્ષ (કોડી), છીપ, શંખ વગેરે, ત્રીન્દ્રિય જીવોમાં ઉધઈનો રાફડો (સર્પદંશ શાંત કરવા માટે) વગેરે, ચતુરિન્દ્રિય જીવોમાં માખીની વિષ્ઠા(વમન માટે) વગેરે અને પંચેન્દ્રિય જીવોમાં ચર્મ (ક્ષુર – અસ્રો વગેરે રાખવા માટે), હડ્ડી (હાડકું તૂટી જતાં હાથ વગેરેમાં બાંધવા માટે), દાંત, નખ, રોમ, સીંગ (માર્ગ પરિભ્રષ્ટ સાધુને બોલાવવા માટે શીંગડાનું વાજું વગાડવામાં આવતું), બકરાની લીંડી, ગોમૂત્ર (કોઢ વગેરે દૂર કરવા માટે), ક્ષીર, ૧. ૨. - (અ) મલયગિરિવિહિત વૃત્તિ સહિત – દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, ઈ.સ. ૧૯૧૮. જિનેન્દ્રગણિ, શ્રીહર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાળા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ૧૯૭૮. (આ) ક્ષમારત્નકૃત અવસૂરિ (તથા વીરગણિકૃત શિષ્યહિતા અને માણિક્યશેખરકૃત દીપિકાના આદ્યંત ભાગો) સાથે, – દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, સુરત, ઈ.સ. ૧૯૫૮. મલયગિરિની વૃત્તિ તથા હંસસાગર કૃત ગુજરાતી અનુવાદસહિત, હંસસાગર શાસન કંટકોદ્ધારક જ્ઞાનમંદિર, મુ. ઠળિયા (ભાવનગર), ૧૯૬૨. મુખ્યત્વે સાધુઓના પિંડ (ભોજન) સંબંધી વર્ણન હોવાને કારણે આની ગણના છેદસૂત્રોમાં પણ કરવામાં આવે છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ અંગબાહ્ય આગમો દધિ વગેરેનો ઉપયોગ સાધુઓ કરતા હતા (૪૮-૫૦). મિશ્ર પિંડમાં સૌવીર (કાંજી), ગોરસ, આસવ (મદ્ય), વેસન (જીરું, મીઠું વગેરે), ઔષધિ, તેલ વગેરે, શાક, ફળ, પુગલ (માંસ – ટીકા), લવણ, ગોળ અને ભાતનો ઉપયોગ થાય છે (૫૪). ઉદ્ગમદોષ : એષણા અર્થાત્ નિર્દોષ આહારની શોધ (૭૨-૮૪). ઉદ્ગમદોષો સોળ પ્રકારના છે – આધાકર્મ, ઔદેશિક, પૂતિકર્મ, મિશ્રજાત, સ્થાપના, પ્રાકૃતિકા, પ્રાદુષ્કરણ, ક્રીત, પ્રામિત્ય, પરિવર્તિત, અભ્યાહત, ઉભિન્ન, માલાપહત, આચ્છેદ્ય, અનિસૃષ્ટ અને અધ્યવપૂરક (૯૩). આધાકર્મ-દાનાદિ નિમિત્તે તૈયાર કરવામાં આવેલું ભોજન (૯૪-૨૧૭). ઔદેશિક-સાધુઓ માટે બનાવાયેલું ભોજન (૨૧૮-૨૪૨). પૂતિકર્મ – પવિત્ર વસ્તુમાં અપવિત્ર વસ્તુ ભેળવેલ ભોજન (૨૪૩-૨૭૦). મિશ્રજાત – સાધુ અને કુટુંબીજનો માટે એક જ ભોજન રાંધવું (૨૭૧-૨૭૬), સ્થાપના – સાધુને ભિક્ષામાં આપવા માટે રાખવામાં આવેલી વસ્તુ (૨૭૭-૨૮૩). પ્રાકૃતિકા – બહુમાનપૂર્વક સાધુને આપવામાં આવનારી વસ્તુ (૨૮૪-૨૯૧). પ્રાદુષ્કરણ – મણિ વગેરેનો પ્રકાશ કરીને અથવા ભીંત વગેરેને દૂર કરી પ્રકાશ કરી આપવામાં આવનારી વસ્તુ (૨૯૨-૩૦૫). ક્રીત – ખરીદેલી વસ્તુ ભિક્ષામાં આપવી (૩૦૬-૩૧૫). પ્રામિત્ય – ઉધાર લીધેલી વસ્તુ આપવી (૩૧૬-૩૨૨). પરિવર્તિત – બદલામાં લીધેલી વસ્તુ ભિક્ષામાં આપવી (૩૨૩-૩૨૮). અભ્યાહત – પોતાના અથવા બીજાના ગામમાંથી લાવેલી વસ્તુ (૩૨૯-૩૪૬). ઉભિન્ન – લેપ વગેરે કાઢી નાખીને મેળવેલી વસ્તુ (૩૪૭-૩પ૬). માલાપહૃત – ઉપર ચઢીને લવાયેલી વસ્તુ (૩૫૭-૩૬૫), આચ્છેદ્ય – બીજા પાસેથી છીનવીને આપેલી વસ્તુ (૩૬૬-૩૭૬). અનિસૃષ્ટ – જે વસ્તુના ઘણાબધા માલિકો હોય અને તેમની અનુમતિ વિના લેવામાં આવે તે (૩૭૭-૩૮૭). અધ્યવપૂરક – સાધુ માટે વિશેષ રૂપે ભોજન વગેરેનો પ્રબંધ કરવો (૩૮૮-૩૯૧). ઉત્પાદનદોષ : | ઉત્પાદનદોષના સોળ પ્રકાર છે – ધાત્રી, દૂતી, નિમિત્ત, આજીવ, વનીપક, ચિકિત્સા, ક્રોધ, માન, માયા, લોભ, પૂર્વસંસ્તવ-પશ્ચાતુસંસ્તવ, વિદ્યા, મંત્ર, ચૂર્ણ, યોગ અને મૂલકર્મ (૪૦૮-૪૦૯). ધાત્રીઓ પાંચ હોય છે– ક્ષીરપાત્રી, મજ્જનધાત્રી, મંડધાત્રી, ક્રીડનધાત્રી અને અંકધાત્રી. ભિક્ષા સમયે ધાત્રીનું કાર્ય કરીને ભિક્ષા પ્રાપ્ત કરવી તે ધાત્રી-પિંડદોષ છે. સંગમસૂરિ નાના બાળકની સાથે રમત કરીને ભિક્ષા લાવતા હતા, ખબર પડતાં તેમને પ્રાયશ્ચિત્ત કરવું પડ્યું (૪૧૦-૪૨૮). સમાચાર લઈ જઈને પ્રાપ્ત કરેલી ભિક્ષાને દૂતી-પિંડદોષ કહે છે. ધનદત્ત મુનિ આ રીતે ભિક્ષા Page #197 -------------------------------------------------------------------------- ________________ પિંડનિર્યુક્તિ ૧૬૧ ગ્રહણ કરતા હતા (૪૨૮-૪૩૪). ભવિષ્ય વગેરેનું કથન કરીને મેળવેલી ભિક્ષાને નિમિત્ત-પિંડદોષ કહે છે (૪૩૫-૪૩૬). જાતિ, કુળ, ગણ, કર્મ અને શિલ્પની સમાનતા બતાવીને ભિક્ષા ગ્રહણ કરવી તે આજીવ-પિંડદોષ છે (૪૩૩-૪૪૨). વનપક પાંચ ગણાય છે – શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, અતિથિ અને શ્વાન. શ્રમણ વગેરેના ભક્ત બનીને ભિક્ષા લેવી તે વનીપકદોષ છે (૪૪૩-૪૪૪), શ્રમણ પાંચ ગણાય છે – નિગ્રંથ, શાક્ય, તાપસ, પરિવ્રાજક અને આજીવક (૪૪૫). ગાય વગેરે પશુઓને તો બધા લોકો ઘાસ ખવડાવે છે પરંતુ કૂતરાને કોઈ પૂછતું નથી એમ માની કૂતરાના ભક્તો કૂતરાની પ્રશંસા કરે છે. આ કૂતરાઓ ગુહ્યક બનીને કૈલાશ પર્વત પરથી આ ભૂમિ પર અવતર્યા છે; તેઓ યક્ષ રૂપ ધારણ કરી ભ્રમણ કરે છે. એટલા માટે તેમની પૂજા કરવી હિતકારી છે. જે તેમની પૂજા નથી કરતા તેમનું અમંગળ થાય છે (૪૨૧-૪૫૨). ચિકિત્સા દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવાને ચિકિત્સાપિંડદોષ કહે છે (૪૫૬-૪૬૦). ક્રોધ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી તે ક્રોધ-પિંડદોષ, માન દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી માન-પિંડદોષ, માયા દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી માયાપિંડદોષ અને લોભ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી તે લોભ-પિંડદોષ છે. ક્રોધ વગેરે દ્વારા ભિક્ષા ગ્રહણ કરનારા સાધુઓનાં ઉદાહરણો આપવામાં આવ્યાં છે (૪૬૧-૪૮૩). ભિક્ષા પહેલાં દાતાના વખાણ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી તે પૂર્વસંસ્તવભિક્ષા અને ભિક્ષા લીધા પછી દાતાની પ્રશંસા કરવી તે પશ્ચાસંસ્તવ-પિંડદોષ કહેવાય છે (૪૮૪૪૯૩). વિદ્યા દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી તે વિદ્યાપિંડદોષ અને મંત્ર દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી તે મંત્ર-પિંડદોષ છે. અહીં પ્રતિષ્ઠાનપુરના રાજા મુરુંડની મસ્તકવેદના દૂર કરનારા પાદલિપ્તસૂરિનું ઉદાહરણ આપવામાં આવ્યું છે (૪૯૪-૪૯૯). ચૂર્ણપિંડદોષમાં બે ક્ષુલ્લકોનું અને યોગ-પિંડદોષમાં સમિતસૂરિનું ઉદાહરણ આપવામાં આવ્યું છે (૫૦૦-૫૦૫). વશીકરણ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી તે મૂલકર્મ-પિંડદોષ કહેવાય છે, તેને માટે જંઘાપરિજિત નામક સાધુનું ઉદાહરણ આપવામાં આવ્યું છે (પ૦૬-૫૧૨). એષણાદોષ ઃ એષણાદોષના દસ પ્રકાર છે – શંકિત, પ્રક્ષિત, નિક્ષિપ્ત, પિહિત, સંહૃત, દાયક, ઉન્મિશ્રિત, અપરિણત, લિ અને છર્દિત (૫૩૦). શંકાયુક્ત ચિત્તે ભિક્ષા ગ્રહણ કરવી તે શકિત દોષ છે (૫૫૧-૫૩૦). સચિત્ત પૃથ્વી વગેરે અથવા ઘી વગેરેથી લિત ભિક્ષા ગ્રહણ કરવી તે પ્રક્ષિતદોષ છે (પ૩૧-૫૩૯). સચિત્તની ઉપર રાખેલી વસ્તુ ગ્રહણ કરવી તે નિશ્ચિતદોષ છે (૫૪૦-૫૫૭). સચિત્તથી ઢાંકેલી વસ્તુ ગ્રહણ કરવી પિહિતદોષ છે (૫૫૮-૫૬૨). અન્યત્ર રાખેલી વસ્તુ ગ્રહણ કરવી સંદતદોષ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૨ અંગબાહ્ય આગમો છે (પ૬૩-૫૭૧), બાલ, વૃદ્ધ, મત્ત, ઉન્મત્ત, કંપાયમાન શરીરવાળો, જવરથી પીડિત, આંધળો, કોઢિયો, ચાખડી પહેરેલો, હાથમાં બેડીવાળો, પગમાં બેડીવાળો, હાથ-પગરહિત અને નપુરાક તથા ગર્ભિણી, ખોળામાં બાળકવાળી, ભોજન કરતી, દહીં વલોવતી, ચણા ભૂંજતી, લોટ દળતી, ચોખા કૂટતી, તલ પીસતી, રૂ પીંજતી, કપાસ ઓટતી, કાંતતી, પૂણી બનાવતી, છકાયના જીવોને ભૂમિ પર રાખતી, તેમના પર ચાલતી, તેમને સ્પર્શ કરતી, જેના હાથ દહીં વગેરેથી ખરડાયેલા હોય તેવી – વગેરે પ્રકારના દાતાઓ પાસેથી ભિક્ષા ગ્રહણ કરવાને દાયકદોષ કહે છે (પ૭૨૬૦૪). પુષ્પ વગેરેથી મિશ્રિત ભિક્ષા ગ્રહણ કરવાને ઉન્મિશ્રિતદોષ કહે છે (૬૦૫૬૦૮). અમાસુક ભિક્ષા ગ્રહણ કરવાને અપરિણતદોષ કહે છે (૬૦૯-૬૧૨). દહીં વગેરેથી લિપ્ત ભિક્ષા ગ્રહણ કરવી તે લિપ્તદોષ છે (૬૧૩-૬૨૬). છોડેલો આહાર ગ્રહણ કરવો તે છર્દિતદોષ છે (૬૨૭-૬૨૮). પછી ગ્રામૈષણા (૬૨૯-૬૩૫), સંયોજના એટલે કે સ્વાદ માટે પ્રાપ્ત વસ્તુઓને ભેળવવી (૬૩૬-૬૪૧), આહારપ્રમાણ એટલે કે આહારના પ્રમાણને ધ્યાનમાં રાખી ભિક્ષા લેવી વગેરેનું પ્રરૂપણ છે (૬૪૨૬૫૪). અગ્નિમાં સારી રીતે પકાવેલ આહારમાં આસક્તિ પ્રદર્શિત કરવી તે અંગારદોષ છે અને સારી રીતે ન પકાવેલા આહારની નિંદા કરવી તે ધૂમદોષ છે (૬પપ-૬૬૦). ભૂખની શાંતિ માટે, આચાર્યોની વૈયાવૃત્ય માટે, ઈર્યાપથના સંશોધનને માટે, સંયમને માટે, પ્રાણધારણ માટે અને ધર્મચિંતન માટે ભોજન કરવું - આ કારણોથી આહાર ગ્રહણ કરવામાં ધર્માચરણ છે અને રોગ વગેરેના કારણે આહાર ન લેવાય તો પણ તે ધર્માચરણ છે. આ “કારણ” વિષયક દ્વાર છે (૬૬૧૬૬૭). Page #199 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રકરણ ઓઘનિર્યુક્તિ પિડનિયુક્તિની સાથે સાથે ઘનિયુક્તિ (ઓહનિસ્તુત્તિ)' ને પણ ચોથું મૂલસૂત્ર માનવામાં આવે છે. તેમાં સાધુસંબંધી નિયમો અને આચાર-વિચારનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે; વચ્ચે વચ્ચે અનેક કથાઓ આપવામાં આવી છે. એટલા માટે પિંડનિર્યુક્તિની માફક આવે પણ છેદસૂત્રોમાં ગણવામાં આવ્યું છે. ઓઘનિર્યુક્તિના કર્તા ભદ્રબાહુ છે. આના પર દ્રોણાચાર્યે વૃત્તિ લખી છે. તેમાં ૮૧૧ ગાથાઓ છે. નિર્યુક્તિ અને ભાષ્યની ગાથાઓમાં ભેળસેળ થઈ ગઈ છે. આ ગ્રંથમાં પ્રતિલેખન દ્વાર, પિંડ દ્વાર, ઉપધિનિરૂપણ, અનાયતનવર્જન, પ્રતિસેવના દ્વાર, આલોચના દ્વાર અને વિશુદ્ધિ દ્વારનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જૈન શ્રમણ સંઘના ઈતિહાસનું સંકલન કરવાની દષ્ટિએ આ ગ્રંથ મહત્ત્વપૂર્ણ છે. પ્રતિલેખના : પ્રતિલેખના એટલે સ્થાન વગેરેનું સારી રીતે નિરીક્ષણ કરવું તે. તેના દસ દ્વાર છે – અશિવ, દુર્મિક્ષ, રાજભય, ક્ષોભ, અનશન, માર્ગભ્રષ્ટ, મંદ, અતિશયયુક્ત, દેવતા અને આચાર્ય (૩-૭). દેવાદિજનિત ઉપવવને અશિવ કહે છે. અશિવના સમયમાં સાધુજનો દેશાંતરમાં ગમન કરી જાય છે. તેઓ કિનારીદાર વસ્ત્રો વગેરેનો ત્યાગ કરે છે અને અશિવોપદ્રવથી પીડિત કુળોમાંથી આહાર લેતા નથી (ભાષ્ય ૧૫-૨૨). દુભિક્ષનો ઉપદ્રવ થાય ત્યારે ગણભેદ કરીને રોગી સાધુને પોતાની સાથે રાખવાનું વિધાન છે (ભાષ્ય ર૩). રાજા અમુક કારણોસર કુપિતર થઈને જો સાધુનું ભોજન-પાન અથવા ઉપકરણો છીનવી લેવા તૈયાર થઈ જાય તો તેવી હાલતમાં સાધુ ગચ્છની સાથે જ રહે, પરંતુ જો તે તેનું જીવન અને ચારિત્ર નષ્ટ કરવા ઈચ્છે તો પછી એકાકી વિહાર કરે (ભાષ્ય ૨૩-૨૫). કોઈ નગર વગેરેમાં ક્ષોભ અથવા આકસ્મિક કષ્ટ ઉપસ્થિત થાય ત્યારે એકાકી વિહાર ૧. દ્રોણાચાર્યવિહિત વૃત્તિસહિત – આગમોદય સમિતિ, મહેસાણા, ઈ.સ. ૧૯૧૯; વિજયદાન - સૂરીશ્વર જૈન ગ્રંથમાળા, સૂરત, ઈ.સ. ૧૯૫૭. . ૨. જેમ કે જો કોઈ પંડિતમન્ય દુરાત્મા રાજા નિગ્રંથદર્શનનો નિંદક હોય અને સાધુ રાજપંડિતને વાદમાં પરાજિત કરી પોતાની વિદ્યાના બળથી રાજાના મસ્તક ઉપર પાટુ મારી અદશ્ય થઈ ... " જાય તો તે રાજાના કોપનું કારણ બની શકે છે. જુઓ – બૃહત્કલ્પભાગ, ૩. ૮૮૦. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ અંગબાહ્ય આગમો કરે (ભાષ્ય ૨૬-૨૭). અનશન માટે સંઘાડા (સંઘાટક)ના અભાવમાં એકાકી ગમન કરે (ભાષ્ય ૨૮). ક્યારેક પથભ્રષ્ટ થઈ જાય ત્યારે સાધુએ એકલા જ ગમન કરવું પડે છે (ભાષ્ય ૨૯). ગ્લાન અર્થાત્ રોગપીડિત થાય ત્યારે સંઘાડાના અભાવમાં ઔષિધ વગેરે લાવવા માટે એકલા ગમન કરે (ભાષ્ય ૨૯). કોઈ બીજા સાધુ ન હોય ત્યારે નવદીક્ષિત સાધુને પોતાના સ્વજનોની સાથે એકલો જ મોકલી દેવો જોઈએ (ભાષ્ય ૩૦). દેવતાનો ઉપદ્રવ હોય ત્યારે એકાકી વિહારનું વિધાન છે (ભાષ્ય ૩૦). આચાર્યની આજ્ઞાથી એકાંતવિહાર કરી શકાય છે (ભાષ્ય ૩૧-૩૨). આગળ જતાં વિહારની વિધિ (નિર્યુક્તિ ૮-૧૫), માર્ગ પૂછવો (૧૮-૨૧), માર્ગમાં પૃથ્વીકાય (૨૨-૨૫), શીત-ઉષ્ણકાળમાં ગમન કરતી વખતે રજોહરણથી અને વર્ષાકાળમાં કાષ્ઠની પાદલેખનિકા વડે ભૂમિનું પ્રમાર્જન (૨૬-૩૭), માર્ગમાં અપ્લાય નદી પાર કરવાની વિધિ (૨૮-૩૮) વગેરેનું પ્રતિપાદન છે. વનમાં આગ લાગે ત્યારે ચર્મ, કંબલ અથવા જોડાં વગેરે ધારણ કરી ગમન કરે (૩૯). મહાવાયુ ફૂંકાય ત્યારે કામળા વગેરેથી શરીરને ઢાંકીને ગમન કરે (૪૦). આગળ વનસ્પતિ દ્વાર (૪૧) તથા ત્રસ દ્વારનું વર્ણન છે (૪૨). સંયમનું પાલન કરવા માટે આત્મરક્ષા આવશ્યક છે. સર્વત્ર સંયમની રક્ષા કરવી જોઈએ, પરંતુ સંયમપાલનની અપેક્ષાએ પોતાની રક્ષા અધિક આવશ્યક છે, કારણ કે જીવિત રહેવાય તો, ભ્રષ્ટ થવા છતાં પણ, તપ વગેરે દ્વારા વિશુદ્ધિ કરી શકાય છે. અંતે તો પરિણામોની શુદ્ધતા જ મોક્ષનું કારણ છે. સંયમ માટે દેહ ધારણ કરવામાં આવે છે, દેહના અભાવમાં સંયમ ક્યાંથી થઈ શકે ? એટલા માટે સંયમની વૃદ્ધિ માટે દેહનું પાલન ઉચિત છે (૪૬-૪૭). ઈર્યાપથ વગેરે १ १. सव्वत्थ संजमं संजमाउ अप्पाणमेव रक्खिज्जा । मुच्चइ अइवायाओ पुणो विसोही न याविरई ॥ ४६ ॥ ૨. સંયમહેરું તેહો ધારિષ્ન ્ સો ઓ ૩ તમાવે ? संयमफाइनिमित्तं देहपरिपालणा इट्ठा ॥ ४७ ॥ આ વિષયને લઈને જૈન આચાર્યોમાં ઘણો વિવાદ રહ્યો છે. નિશીથચૂર્ણિ જેવા મહત્ત્વપૂર્ણ છેદસૂત્રમાં આ જ અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી બની શકે ત્યાં સુધી વિરાધના ન જ કરવી જોઈએ, પરંતુ જો કામ ન ચાલે તો એવી હાલતમાં વિરાધના પણ કરી શકાય છે (ફ સાફ તો વિહિંદું, વિહિતહૈિં વિ ળ યોસો, પીઠિકા, પૃ. ૧૦૦). અહીં એક સાધુ દ્વારા કોંકણની ભયાનક અટવીમાં સંઘની રક્ષા માટે ત્રણ વાધને મારવાનો ઉલ્લેખ છે. એ જ રીતે ઉડ્ડાહની રક્ષા માટે, સંયમના નિર્વાહ માટે, બોધિક નામના ચોરોથી Page #201 -------------------------------------------------------------------------- ________________ ઓઘનિયુક્તિ ૧૬૫ વ્યાપાર અયત્નશીલ સાધુ માટે કર્મબંધનનું અને યત્નશીલ સાધુ માટે નિર્વાણનું કારણ બને છે (૫૪). ગામમાં પ્રવેશ, રોગી સાધુની વૈયાવૃત્ય, વૈદ્ય પાસે જવું-આવવું વગેરે વિષયમાં બતાવવામાં આવ્યું છે કે ત્રણ, પાંચ કે સાત સાધુઓ મળીને જાય, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને જાય, શુકન જોઈને જાય. વૈદ્ય જો કોઈના ગુમડામાં નસ્તર સંઘની રક્ષા માટે, પ્રત્યેનીક ક્ષેત્રોમાં, નવદીક્ષિત સાધુને કારણે તથા લોકિમિત્તે મૃષા ભાષણ કરવાનું વિધાન છે (એજન, પૃ. ૧૧૨). અશિવ, દુર્ભિક્ષ, રાજદ્વેષ, ચોર વગેરેનો ભય અને સાધુની ગ્લાન વગેરે અવસ્થાઓમાં અદત્તાદાનનું વિધાન કરવામાં આવ્યું છે (એજન, પૃ. ૧૧૯). આ બધા અપવાદ અવસ્થાનાં જ વિધાનો છે. હવે પ્રશ્ન થાય છે કે બ્રહ્મચર્ય વ્રતમાં અપવાદ થઈ શકે કે નહિ ? આ પ્રશ્નનો વાદ-વિવાદ પછી નિર્ણય થયો – जइ सव्वसो अभावो रागादीणं हवेज्ज णिद्दोसो | जतणाजूतेसु तेसु अप्पतरे होइ पच्छितं ॥ અર્થાત્ જો રાગ વગેરેનો સર્વથા અભાવ હોય તો તેમાં દોષ નથી. જો યતનાપૂર્વક વ્રતભંગ થાય તો અલ્પતર પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થઈ શકે છે (એજન, પૃ. ૧૨૭). અસાધારણ સંકટનો સમય આવી પડે તો સંભવતઃ કેટલાકની માન્યતા એવી હતી કે જેમ વાણિયો અલ્પ લાભવાળી વસ્તુ છોડી અધિક લાભવાળી વસ્તુ ખરીદે છે, તે જ રીતે અલ્પ સંયમનો ત્યાગ કરી અધિકતર સંયમ ગ્રહણ કરી શકાય છે (અખં સંગમં ઘણું बहुत संजमो गहेयव्वो, जहा वणियो अप्पं दविणं चइउं बहुतरं लाभं गेण्हति, एवं तुमं પિ હિ - પૃ. ૧૫૩), કેમ કે જો જીવન હશે તો પ્રાયશ્ચિત્ત વડે શુદ્ધિ કરી અધિક સંયમનું પાલન કરી શકાશે (તુમ નીવંતો યં પચ્છિન્ને વિસોત્તેહિતિ ગળે 7 સંગમં િિસ 1). પરંતુ એ ન ભૂલવું જોઈએ કે આ બધા વિધાનો અપવાદમાર્ગનાં જ છે. મહાભારત (૧૨. ૧૪૧. ૬૭)માં પણ કહ્યું છે जीवन् धर्मं चरिष्यामि । - સાથે સાથે એમ પણ જણાય છે કે કેટલાક પોતાના આચાર-વિચારમાં અત્યંત દ્રઢ હતા. તેમનું કહેવું હતું . वरं प्रवेष्टुं ज्वलितं हुताशनं न चापि भग्नं चिरसंचितं व्रतम् । वरं हि मृत्युः सुविशुद्धकर्मणो न चापि शीलस्खलितस्य जीवितम् ॥ અં.આ. - ૧૩ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ અંગબાહ્ય આગમો મૂકી રહ્યો હોય તો તે સમયે તેની સાથે કંઈ વાત કરે નહિ, શુદ્ધ સ્થાનમાં બેઠો હોય તો રોગીની હાલતથી વાકેફ કરે, ઉપચારવિધિ ધ્યાનપૂર્વક સાંભળે. વૈદ્ય કહે ત્યારે રોગીને વૈદ્ય પાસે લઈ જાય. વૈઘ રોગી પાસે આવે ત્યારે ગંધોદક વગેરેથી છંટકાવ કરે (૭૦). રોગીની પરિચર્યા કરે (૭૧-૮૩).૧ ભિક્ષા માટે જતાં વ્યાધાત (૮૪-૮૯), ભિક્ષાના દોષો (૯૧), સાધુની પરીક્ષા (૯૮-૧૦૨), સ્થાનવિધિ (૧૦૩-૧૧૦), ગણની અનુમતિ લઈ નિવાસ માટેનું સ્થાન જોવા જવું (૧૩૧-૧૩૮) વગેરેનું વિવેચન કરતાં કહેવામાં આવ્યું છે કે બાલ-વૃદ્ધ સાધુને આ કાર્ય માટે મોકલવા ન જોઈએ. નિવાસ પસંદ કરતી વખતે ઉચ્ચાર-પ્રસવણ ભૂમિ, ઉદકસ્થાન, વિશ્રામસ્થાન, ભિક્ષાસ્થાન, અંતર્વસતિ, ચોર, જંગલી જનાવરો અને આસપાસના માર્ગોનું સારી રીતે નિરીક્ષણ કરવું જોઈએ (ભાષ્ય ૬૯-૭૨). કઈ દિશામાં નિવાસ થવાથી કલહ થાય છે, કઈ દિશામાં થવાથી ઉદરરોગ થાય છે અને કઈ દિશામાં થવાથી પૂજા-સત્કાર થાય છે - તેનું વર્ણન ક૨વામાં આવ્યું છે (ભાષ્ય ૭૬-૭૭). સંથારા માટે તૃણનો અને અપાન પ્રદેશ લૂછવા માટે માટી વગેરેના ઢેફાં (ડગલક)નો ઉપયોગ (ભાષ્ય ૭૮), નિવાસના માલિક (શય્યાત) સાથે નિવાસમાં રહેવાના સમય વિશે વિચારણા (નિર્યુક્તિ ૧૫૩-૧૫૪), શય્યાતરને પૂછીને ક્ષેત્રાંતરમાં ગમન (૧૬૬-૧૬૮) વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં વિહાર કરતી વખતે સાધુ શય્યાતરને કહે છે – શેરડી વાડથી ઊંચી થઈ ગઈ છે, તુંબડીમાં ફળ આવી ગયાં છે, બળદોમાં બળ આવી ગયું છે, ગામોમાં કીચડ સુકાઈ ગયું છે, રસ્તામાં પાણી ઓછું થઈ ગયું છે, માટી પાકી ગઈ છે, માર્ગો પથિકોથી ભરાઈ ગયા છે— સાધુઓએ વિહાર અર્થાત્ અગ્નિમાં બળી મરવું સારું, પરંતુ ચિરસંચિત વ્રતનો ભંગ કરવો સારો નહિ. સુવિશુદ્ધ કર્મોનું આચરણ કરતાં કરતાં મૃત્યુનું આલિંગન કરવું ઉચિત છે પરંતુ પોતાના શીલવ્રતમાંથી સ્ખલિત થવાનું ઉચિત નથી (બૃહત્કલ્પભાષ્ય ૪. ૪૯૪૯). આ વિષયમાં ભગવતીઆરાધના (ગાથા ૬૧૨-૩, ૬૨૫ વગેરે) પણ જોવી જોઈએ. ૧. આનું વિસ્તૃત વર્ણન બૃહત્કલ્પભાષ્ય (૩. ૮૧૪)માં કરવામાં આવ્યું છે. ક્યારેક ક્યારેક હંસ વગેરેના રમકડાં બનાવી સાધુઓએ વૈદ્યરાજની ફીનો પ્રબંધ કરવો પડતો હતો. વૈદ્યના ઘરે કેવી અવસ્થામાં જવું તે માટે જુઓ – સુશ્રુતસંહિતા, અધ્યાય ૨૯, પૃ. ૧૭૩. ૨. વિશેષ માટે જુઓ – બૃહત્કલ્પભાષ્ય, ગા. ૪૨૬૩, પૃ. ૧૧૫૬, ગા. ૪૪૧-૪૫૭, પૃ. ૧૨૮-૧૩૩. Page #203 -------------------------------------------------------------------------- ________________ ઓઘનિયુક્તિ કરવાનો સમય આવી પહોંચ્યો છે.૧ શય્યાતર આપ આટલા જલદી જવા માટે કેમ ઉત્સુક છો ? આચાર્ય — શ્રમણ, પક્ષી, ભ્રમર, ગાય અને શરત્કાલીન વાદળોનું નિવાસસ્થાન નિશ્ચિત હોતું નથી. × - ૧૬૭ સંધ્યાસમયે આચાર્ય પોતાના ગમનની સૂચના આપે છે કે આપણે બધા કાલે વિહાર કરવાના છીએ. ગમન કરતાં પહેલાં તેઓ શય્યાતરના પરિવારને ધર્મોપદેશ આપે છે (૧૭૦-૭). સાધુઓ શુકન જોઈને ગમન કરે છે. જો ગમન કરતી વેળાએ માર્ગમાં કોઈ મેલું ઘેલું, શરીર પર તેલ ચોપડેલ, કૂતરો, કૂબડો કે ઠીંગણો માણસ મળી જાય તો અશુભ સમજવું જોઈએ. એવી જ રીતે તરતમાં જ પ્રશ્નવ કરવાની હોય તેવી સ્ત્રી, વૃદ્ધ કુમારી (જે વૃદ્ધાવસ્થામાં પણ અવિવાહિત હોય), લાકડાનો ભારો ધારણ કરનાર, કષાય વસ્ત્ર પહેરેલ અને કૂર્ચધર (કૂચડો કે પીંછી ધારણ કરનાર) મળી જાય તો કાર્યની સિદ્ધિ થતી નથી. જો માર્ગમાં ચક્રચર મળી જાય તો ભ્રમણ, પાંડુરંગ (ગોશાલના શિષ્યો) મળી જાય તો ક્ષુધામરણ, તચ્ચશિક (બૌદ્ધ ભિક્ષુ) મળી જાય તો રુધિરપાત અને બોટિક (દિગંબર સંપ્રદાયનો સાધુ) મળી જાય તો મરણ નિશ્ચિત છે. જો ગમન કરતી વેળાએ જંબૂક (શિયાળ), ચાસ, મયૂર, ભારદ્વાજ અને નોળિયાના દર્શન થાય તો તે શુભ ગણાય છે. એ જ રીતે નંદીતૂર, પૂર્ણકળશ, શંખ, પટહનો શબ્દ, શૃંગાર, છત્ર, ચામર, ધ્વજા અને પતાકાનું દર્શન શુભ સમજવું જોઈએ (ભાષ્ય ૮૨-૮૫). કોણ કયું ઉપકરણ લઈને ગમન કરે તેનું વર્ણન કરવામાં અવ્યું છે (ભાષ્ય ૮૮-૮૯). આચાર્યે બધી વાતનો સંકેત કરી દેવો જોઈએ કે આહો બધા અમુક સમયે ગમન કરીશું, અમુક સ્થળે રોકાઈશું, અમુક જગ્યાએ ભિક્ષા ગ્રહણ કરીશું વગેરે (ભાષ્ય ૯૧). એ જ રીતે રાત્રિગમન (ભાષ્ય ૯૨) અને એકાકીગમનનો નિષેધ કરવામાં આવ્યો છે (ભાષ્ય ૯૩). ગચ્છના ગમનની વિધિ (ર્યુિક્ત ૧૭૭), ૧. ૩૦ૢ વોતિતિ વડું, તુંત્રીઓ નાયપુત્તમંડા ય । वसभा जायत्थामा गामा पव्वायचिक्खला ॥ अप्पोदगा य मग्गा वसुहा वि पक्कमहिआ जाया । अण्णक्कंता पंथा साहूणं विहरिडं कालो ॥ १७०-१ ॥ २. समणाणं सउणाणं भमरकुलाणं च गोउलाणं च । अनिययाओ वसहीओ सारइयाणं च मेहाणं ॥ १७२ ॥ ૩. આ ગાથા પ્રક્ષિપ્ત છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ અંગબાહ્ય આગમો માર્ગ જાણનારા સાધુને સાથે રાખવા (૧૭૮) અને નિવાસસ્થાને પહોંચી તેનું પ્રમાર્જન કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. જો ભિક્ષાનો સમય થઈ ગયો હોય તો એક સાધુ પ્રમાર્જન કરે, બાકીના ભિક્ષા માટે જાય (૧૮૨). અન્યત્ર ભોજન કરીને નિવાસમાં પ્રવેશ (૧૮૬-૧૮૯), વિકાસમાં નિવાસમાં પ્રવેશ કરવાથી લાગનારા દોષો (૧૯૨), વિકાસમાં નિવાસમાં પ્રવેશ કરતી વખતે જંગલી જાનવરો, ચોર, રખેવાળ, બળદ, કૂતરાં, વેશ્યા વગેરેનો ડર (૧૯૩-૧૯૪), ઉચ્ચાર, પ્રગ્નવણ અને વમનને રોકવાથી થનારી હાનિ (૧૯૭) વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.' અન્ય કોઈ ઉપાય ન હોય તો વિકાલમાં પણ પ્રવેશ કરી શકાય છે (૧૯૮-૨00). એવા સમયે જો રખેવાળ ડરાવે તો કહેવું કે અમે ચોર નથી (૨૦૦૧). નિવાસમાં પ્રવેશ કર્યા પછી સંથારો પાથરવાની વિધિ બતાવવામાં આવી છે (૨૦૨-૨૦૬). ચોરનો ભય હોય તો બે સાધુઓમાંથી એક સાધુ બારણે ઊભો રહે અને બીજો મળ-મૂત્ર (કાયિકી)નો ત્યાગ કરે; વ્યાપદનો ભય હોય તો ત્રણ સાધુઓ સાથે ગમન કરે (૨૦૭). ગામમાં ભિક્ષાની વિધિ બતાવતાં (૨૧૦) સાધર્મિક કૃત્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે (૨૧૨-૨૧૬). જો નિવાસસ્થાન ઘણું મોટું હોય તો તેમાં અનેક દોષોની સંભાવના રહે છે, જેમ કે ત્યાં રાતમાં કોટવાળ, નાના-મોટા વ્યાપારીઓ, કાપેટિકો, સરજસ્ક સાધુઓ, વંઠ (ગુંડાઓ), ભય બતાવીને આજીવિકા મેળવનારા (બતિગવિખો ય) વગેરે સૂઈ જાય છે, તેનાથી સાધુઓને કષ્ટ પહોંચે છે (૨૧૮). આગળ નાની વસતિના દોષો (૨૨૩), પ્રમાણયુક્ત વસતિમાં રહેવાનું વિધાન (૨૨૬), વસતિમાં શયનવિધિ (૨૨૯-૨૩૦), આચાર્યને પૂછી ભિક્ષા માટે જવું (૨૪૦), જો કોઈ સાધુ વગર પૂછ્યું ચાલ્યો ગયો હોય અને વેળાસર પાછો ફર્યો ન હોય તો તેની ચારે દિશાઓમાં શોધ કરવાનું વિધાન (૨૪૬), જો ભિક્ષા માટે ગયેલ સાધુને ચોર વગેરે ઉપાડી ગયા હોય તો શું કરવું જોઈએ (૨૪૭-૨૪૮), પ્રતિલેખનાવિધિ (૨૫૬-૨૭૯), પૌરૂષી પ્રરૂપણા (૨૮૧-૨૮૬), પાત્રનું સારી પેઠે નિરીક્ષણ કરવું (૨૮૭-૨૯૫), અંડિલનું નિરીક્ષણ (૨૯૬-૩૨૧), મળત્યાગ કર્યા પછી અપાનશુદ્ધિ માટે માટીના ઢેફાં વગેરેનો ઉપયોગ (૩૧૨), મલમૂત્ર ત્યાગની વિધિ (૩૧૩-૩૧૪), મલમૂત્રનો ત્યાગ કરતી વખતે ઉત્તર અને પૂર્વ દિશા તરફ પીઠ ન કરવી, પવન, ગામ અને સૂર્યની તરફ પણ પીઠ ન કરવી (૩૧૬), અવખંભ દ્વાર (૩૨૨-૩૨૪), માર્ગ સારી રીતે જોઈને ચાલવાનું વિધાન (૩૨૫૩૨૬) વગેરે પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. १. मुत्तनिरोहे चक्खू वच्चनिरोहेण जीवियं चयइ । उड्डनिरोहे कोढे गेलनं वा भवे तिसु वि ॥ १९७ ॥ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ ઓઘનિર્યુક્તિ પિણ્ડ : એષણાના ત્રણ પ્રકાર છે : – ગવેષણએષણા, ગ્રહણ-એષણા અને ગ્રાસએષણા. સાધુઓ આ ત્રણેય એષણાઓથી વિશુદ્ધ પિંડ ગ્રહણ કરે છે (૩૩). દ્રવ્યપિંડ ત્રણ પ્રકારના છે – સચિત્ત, મિશ્ર અને અચિત્ત. અચિત્તના દસ ભેદ તથા સચિત્ત અને મિશ્રના નવ ભેદ છે (૩૩૫). આગળ જતાં ચીર-પ્રક્ષાલનના દોષ (૩૪૮), ચીર-પ્રક્ષાલન ન કરવાના દોષ (૩૪૯), રોગીઓનાં વસ્ત્રો વારંવાર ધોવાનું વિધાન, નહિ તો લોકોમાં જુગુપ્સાની આશંકા (૩૫૧), વસ્ત્રો કયા જળથી ધોવાં અને પહેલાં કોના વસ્ત્રો ધોવાં (૩૫૫-૩પ૬), અગ્નિકાપિંડ (૩૫૮), વાયુકાયપિંડ (૩૬૦), વનસ્પતિકાયપિંડ (૩૬૩), દ્વીન્દ્રિયાદિકપિંડની ચર્ચા (૩૬૫), ચર્મ, અસ્થિ, દંત, નખ, રોમ, શીંગ, બકરીની લીંડી, ગૌમૂત્ર, દૂધ, દહીં, ખોપરી વગેરેનો ઉપયોગ (૩૬૮-૯), પાત્રલેપપિંડ (૩૭૧-૨), પાત્ર પર લેપ કરવામાં દોષ (ભાષ્ય ૧૯૬), પાત્ર પર લેપ ન કરવામાં દોષ (૩૭૩-૩૭૪), પાત્રલેપનની વિધિ (૩૭૬-૪૦૧), લેપના પ્રકાર (૪૦૨), પ્રમાણ, કાળ અને આવશ્યક વગેરેના ભેદથી ગવેષણ-એષણાનું પ્રરૂપણ (૪૧૧; ભાષ્ય ૨૧૬૨૧૯), મહાવ્રતોમાં દોષ (ભાગ ૨૨૧) વગેરે બતાવવામાં આવ્યા છે. કોઈ વિધવા, પ્રોષિતભર્તૃકા અથવા રખાત સ્ત્રી જો સાધુને એકલો જોઈને ઘરનું બારણું બંધ કરી દે અને એવી હાલતમાં સાધુ જો સ્ત્રીની ઈચ્છા કરે તો તે સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે અને જો નથી કરતો તો સ્ત્રી દ્વારા ખોટી બદનામી થવાથી લોકોમાં હાસ્યાસ્પદ બનવાની આશંકા રહે છે (ભાષ્ય ૨૨૨). જો કોઈ સ્ત્રી જબરદસ્તીથી પકડી લે તો તેને ધર્મોપદેશ આપવો, જો તે છતાં પણ ન છોડે તો કહેવું કે હું ગુરુ પાસે જઈને હમણાં જ આવું છું અને પછી ત્યાંથી ચાલ્યા જવું. છતાં પણ સફળતા ન મળે તો કહેવું કે સારું ચાલો આ કમરામાં વ્રતભંગ કરીશું. આમ કહીને તે આત્મહત્યા કરવા માટે લટકતું દોરડું પકડી લે. આનાથી પણ સફળતા ન મળે તો પછી લટકીને સાચેસાચ પ્રાણોનો ત્યાગ કરે (૪૨૨). આગળ જતાં પરગ્રામમાં ભિક્ષાટનની વિધિ બતાવી છે (૪૩૦-૪૪૦). ગ્રહણ-એષણામાં આત્મ-વિરાધના, સંયમ-વિરાધના અને પ્રવચન-વિરાધના નામના દોષોનો ઉલ્લેખ છે (૪૨૩-૬૬). આઠ વર્ષથી નાની ઉંમરનો બાળક, વૃદ્ધ, નપુંસક, દારુથી ઉન્મત્ત થયેલ, વિક્ષિપ્ત ચિત્તવાળો, શત્રુ-પરાજય વગેરેના ૮). ૧. વિશેષ માટે જુઓ – વ્યવહારભાષ્ય, ભાગ ૪, ગાથા ૨૬૭-૬૮, પૃ. ૫૭ વગેરે; ભાગ ૫, ગાથા ૭૩-૭૪, પૃ. ૧૭; ભાગ ૬, ગાથા ૩૧, પૃ. ૪; આવશ્યકચૂર્ણિ, પૃ. ૫૩૬ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ અંગબાહ્ય આગમો કારણે ગર્વિષ્ઠ, યક્ષાભિભૂત, ઠુંઠો, લંગડો, આંધળો, બેડીમાં જકડેલો, કોઢિયો તથા ગર્ભિણી, બાલવન્સવાળી, છેડતી, પીસતી, કૂટતી અને કાંતતી સ્ત્રી પાસેથી ભિક્ષા ગ્રહણ ન કરવાનું વિધાન કરવામાં આવ્યું છે (૪૬૭-૬૮; ભાષ્ય ૨૪૧૨૪૭; નિર્યુક્તિ ૪૬૯-૪૭૪). નીચા બારણાંવાળા ઘરમાં ભિક્ષા ન ગ્રહણ કરવાનું વિધાન છે (૪૭૬; ભાષ્ય ૨૫૧-૨પ૬). પાત્રમાં નંખાયેલ ભિક્ષાપિંડ બરાબર જોઈ લેવો જોઈએ. સંભવ છે કે કોઈએ ઝેર, હાડકાં અથવા કાંટા વગેરે ભિક્ષામાં આપી દીધા હોય (૪૮૦). ભારે વસ્તુથી ઢાંકેલો આહાર ગ્રહણ ન કરવાનું વિધાન છે (૪૮૨). આગળ જતાં ભિક્ષા ગ્રહણ કરી નિવાસમાં પ્રવેશ કરવાની વિધિ (૫૦૦-૫૦૯), આલોચના-વિધિ (૫૧૩-૫૨૦), ગુરુને ભિક્ષા બતાવવી (પર૪૨૫), વૈયાવૃજ્ય (પ૩ર-પ૩૬) વગેરે પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ગ્રાસ-એષણાનું પ્રતિપાદન કરતાં (પ૩૯) સંયમનો ભાર વહન કરવા માટે જ સાધુઓએ આહાર લેવાનું વિધાન કરવામાં આવ્યું છે (૫૪૬). પ્રકાશયુક્ત સ્થાનમાં, મોટા મોઢાવાળા વાસણમાં, કૂકડીના ઈંડાના માપે કોળિયા બનાવી, ગુરુની પાસે બેસી આહાર ગ્રહણ કરવો (પપ૦). પ્રકાશમાં ભોજન કરવાથી ગળામાં હાડકાં- કે કાંટા વગેરે ફસાઈ જવાનો ડર રહેતો નથી (ભાષ્ય ૨૭૭). આગળ જ્યારે સાધુ ભિક્ષાટન માટે ગયા હોય તો વસતિના રખેવાળ સાધુએ શું કરવું જોઈએ (પપ૪), આહાર કરતી વખતે થંકવા વગેરે માટે તથા અસ્થિ, કાંટા વગેરે નાખવા માટે વાસણ રાખવાનું વિધાન (પ૬૫), ભોજનનો ક્રમ (ભાષ્ય ૨૮૩-૮૮), ભોજન-શુદ્ધિ (પ૭૬-પ૭૮), વેદનાના શમન માટે, વૈયાવૃત્ય માટે તથા સંયમ વગેરેના નિમિત્તે આહાર ગ્રહણ કરવો (પ૭૯-૮૦), આતંક, ઉપસર્ગ તથા તપ વગેરે માટે આહારનું અગ્રહણ (૫૮૧-૫૮૨), પરિષ્ઠાપનિકા – બચેલી ભિક્ષાના પરિત્યાગની વિધિ (પ૯૨-૫૯૭), ચંડિલ (શુદ્ધ ભૂમિ)માં મળનો ત્યાગ (૬૧૭-૬૨૩), આવશ્યક-વિધિ (૬૩૫-૩૭) તેમ જ આવશ્યક માટે કાળવિધિનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે (૬૩૮-૬૬૫). ઉપધિ : જિનકલ્પીઓ માટે બાર ઉપકરણ આ પ્રમાણે છે – પાત્ર, પાત્રબંધ, પાત્રસ્થાપન, પાત્રકેસરિકા (પાત્રમુખવસ્ત્રિકા), પટલ, રજસ્ત્રાણ, ગોચ્છક, ત્રણ પ્રચ્છાદક (વસ્ત્ર), રજોહરણ અને મુખવસ્ત્રિકા.' આમાં માત્રક અને ચોલપટ્ટ ૧. બૌદ્ધ ભિક્ષુઓના આઠ પરિષ્કાર નીચે મુજબ છે : ત્રણ ચીવર, એક પાત્ર, છરી (વાસિ), સૂચી, કાય-બંધન, પાણી ગળવાનું કપડું (કુંભકાર જાતક) Page #207 -------------------------------------------------------------------------- ________________ ઓઘનિર્યુક્તિ ૧૭૧ ઉમેરવાથી સ્થવિરકલ્પીઓનાં ચૌદ ઉપકરણો થઈ જાય છે (૬૬૭-૬૭૦). આર્થિકાઓનાં પચીસ ઉપકરણો આ પ્રમાણે છે – ઉપરના બાર ઉપકરણોમાં માત્રક, કમઢગ તથા ઉગ્ગહરંતગ (ગુહ્ય અંગની રક્ષા માટે; આ નાવના આકારનું હોય છે), પટ્ટક (ઉગહરંતગને બંને બાજુથી ઢાંકનાર; આ વસ્ત્ર જાંગિયા જેવું હોય છે), અદ્ધોરુગ (આ ઉગહરંતગ અને પટ્ટકની ઉપર પહેરવામાં આવે છે), ચલનિકા (આ ઘૂંટણ સુધી આવે છે, આ સીવ્યા વિનાનું હોય છે. વાંસ ઉપર ખેલ કરનારા લોકો આ વસ્ત્ર પહેરતા), અભિતર નિયંસિણી (આ અડધી જાંગ સુધી લટકતું રહે છે; આનાથી વસ્ત્ર બદલતી વખતે લોકો સાધ્વીઓને જોઈને તેમની મશ્કરી કરતા નથી), બહિનિયંસિણી (આ ઘૂંટણો સુધી લટકતું રહે છે અને તેને દોરીથી કમરમાં બાંધવામાં આવે છે). નીચેનાં વસ્ત્રો શરીરના ઉપરના ભાગમાં પહેરવામાં આવતાં – કંચુક (વક્ષસ્થળ ઢાંકનારું વસ્ત્ર), ઉજ્જયિ (આ કંચુક જેવું જ હોય છે), વેકચ્છિય (આનાથી કંચુક અને ઉક્કચ્છિય બંને ઢંકાઈ જાય છે), સંઘાડી (આ ચાર રહેતી – એક પ્રતિશ્રયમાં, બીજી તથા ત્રીજી ભિક્ષા વગેરે માટે બહાર જતી વેળાએ અને ચોથી સમવસરણમાં પહેરવામાં આવતી), બંધકરણી (ચાર હાથ લાંબું વસ્ત્ર જે વાયુ વગેરેથી રક્ષા કરવા માટે પહેરવામાં આવતું; રૂપવતી સાધ્વીઓને કુબ્બા જેવી દેખાડવાને માટે પણ આનો ઉપયોગ કરવામાં આવતો – નિર્યુક્તિ ૬૭૪-૭૭; ભાષ્ય ૩૧૩-૩૨૦). પાત્રના લક્ષણ બતાવતાં (૬૮૫-૨૯૦) પાત્ર વગેરે ગ્રહણ કરવાની આવશ્યકતા (૬૯૧-૭૨૫) તથા દંડ, યષ્ટિ, ચર્મ, ચર્મકોશ, ચર્મચ્છેદ, યોગપટ્ટક, ચિલિમિલી અને ઉપાનહ વગેરેનું પ્રયોજન બતાવવામાં આવ્યું છે (૭૨૮૭૪૦). ઉપધિ ધારણ કરવામાં અપરિગ્રહ– (૭૪૧-૭૪૭), પ્રમત્ત ભાવથી હિંસા અને અપ્રમત્ત ભાવથી અહિંસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે (૭૫૦૭૫૩). ૧. બૃહત્કલ્પ-ભાષ્ય (૩. ૮૧૭-૮૧૯)માં નિમ્નલિખિત ઉપકરણોનો ઉલ્લેખ છે – તલિકા (જોડાં), પુટક (બિમાર પડતી વખતે ઉપયોગમાં આવે છે), વર્બ (જોડાં સીવવા માટે ચામડાનો ટુકડો), કોશક (નખભંગની રક્ષા માટે અંગુઠી), કૃત્તિ (ચામડું), સિક્કક (છીકા જેવું સાધન જેમાં કંઈ લટકાવીને રાખી શકાય), કાપોતિકા (જમાં બાલમુનિ વગેરેને બેસાડીને લઈ જઈ શકાય), પિપ્પલક (છરી), સૂચી (સોય), આરા, નખહરણિકા (નેરણી), ઔષધ, નંદીભાજન, ઘર્મકરક (પાણી ગાળવા માટેનું ગળણું), ગુટિકા વગેરે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ અંગબાહ્ય આગમો અનાયતન વગેરે ? આગળ ઉપર અનાયતન- વર્જન દ્વારા (૭૬૨-૭૮૪), પ્રતિસેવના દ્વારા (૭૮૫-૭૮૮), આલોચના દ્વાર (૭૮૯-૭૯૧) તથા વિશુદ્ધિ દ્વાર (૭૯૨૮૦૪)નું પ્રરૂપણ છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ છેદસૂત્રો પ્રથમ પ્રકરણ દશાશ્રુતસ્કંધ દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહાર, નિશીથ, મહાનિશીથ અને પંચકલ્પ (અનુપલબ્ધ) અથવા જીવકલ્પ છેદસૂત્રો તરીકે ઓળખાય છે. સંભવ છે કે છેદ નામે પ્રાયશ્ચિત્તને દૃષ્ટિમાં રાખી આ સૂત્રોને છેદસૂત્રો તરીકે ઓળખાવાતાં હોય. વર્તમાનકાળે ઉપલબ્ધ ઉપરના છ છેદસૂત્રોમાં છેદ ઉપરાંત અન્ય અનેક પ્રકારના પ્રાયશ્ચિત્તો તથા વિષયોનું વર્ણન નજરે પડે છે જે ધ્યાનમાં રાખતાં એમ કહેવું મુશ્કેલ છે કે છેદસૂત્ર શબ્દનો સંબંધ છેદ નામના પ્રાયશ્ચિત્ત સાથે જ છે કે બીજી કોઈ વસ્તુ સાથે. આ સૂત્રોનો રચનાક્રમ પણ તે જ પ્રતીત થાય છે જે ક્રમે ઉપર તેમનો નામ-નિર્દેશ કરવામાં આવ્યો છે. દશાશ્રુતસ્કંધ, મહાનિશીથ અને જીતકલ્પને છોડી બાકીનાં ત્રણ સૂત્રોનાં વિષયવર્ણનમાં કોઈ સુનિશ્ચિત યોજના નજરે પડતી નથી. હા, કોઈ કોઈ ઉદ્દેશ – અધ્યયન આ વક્તવ્યમાં અપવાદ જરૂર છે. સામાન્યપણે શ્રમણ-જીવન સંબંધી કોઈપણ વિષયનો કોઈપણ ઉદેશમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નિશીથસૂત્રમાં વિભિન્ન પ્રાયશ્ચિત્તોની દષ્ટિએ ઉદેશોનું વિભાજન જરૂર કરવામાં આવ્યું છે, પરંતુ તત્સંબંધી દોષોના વિભાજનમાં કોઈ ચોક્કસ યોજના જણાતી નથી. છેદસૂત્રોનું મહત્ત્વ : છેદસૂત્રોમાં જૈન સાધુઓના આચાર સંબંધી પ્રત્યેક વિષયનું પર્યાપ્ત વિવેચન કરવામાં આવ્યું છે. આ વિવેચનને આપણે ચાર વર્ગોમાં વિભાજિત કરી શકીએ - ઉત્સર્ગ, અપવાદ, દોષ અને પ્રાયશ્ચિત્ત. ઉત્સર્ગનો અર્થ છે કોઈ વિષયનું સામાન્ય વિધાન. અપવાદનો અર્થ છે પરિસ્થિતિવિશેષની દૃષ્ટિએ વિશેષ વિધાન અથવા છૂટ. દોષનો અર્થ છે ઉત્સર્ગ અથવા અપવાદનો ભંગ. પ્રાયશ્ચિત્તનો અર્થ છે વ્રતભંગ માટે યોગ્ય દંડ. કોઈપણ વિધાન અથવા વ્યવસ્થા માટે આ ચાર બાબતો આવશ્યક હોય છે. સૌ પ્રથમ કોઈ સામાન્ય નિયમનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારપછી ઉપયોગિતા, દેશ, કાળ, શક્તિ વગેરેને ધ્યાનમાં રાખી થોડી ઘણી છૂટ આપવામાં આવે છે. આ પ્રકારની છૂટ ન દેવાથી નિયમ-પાલન ઘણું ખરું અશક્ય બની જાય છે. પરિસ્થિતિ વિશેષ માટે અપવાદ-વ્યવસ્થા અનિવાર્ય છે. માત્ર નિયમ-નિર્માણ અથવા અપવાદ-વ્યવસ્થાથી જ કોઈ વિધાન પૂર્ણ થઈ જતું નથી. તેના સમુચિત પાલન માટે તવિષયક દોષોની સંભાવનાનો વિચાર Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ અંગબાહ્ય આગમો પણ જરૂરી છે. જ્યારે દોષોનો વિચાર કરવામાં આવે ત્યારે તેમને માટે દંડવ્યવસ્થા પણ અનિવાર્ય બની જ જાય, કારણ કે જ્યાં સુધી પ્રાયશ્ચિત્ત દ્વારા દોષોની શુદ્ધિ ન કરવામાં આવે ત્યાં સુધી માત્ર દોષવિચારથી કોઈ લક્ષ્યની સિદ્ધિ થતી નથી. પ્રાયશ્ચિત્તથી અર્થાત્ દંડથી દોષશુદ્ધિ થવાની સાથે સાથે જ નવા દોષો પણ ઓછા થતાં જાય છે. પાલિ ગ્રંથ વિનયપિટકમાં બૌદ્ધ ભિક્ષુઓના આચાર-વિચારનું આ જ રીતે વિવેચન કરવામાં આવ્યું છે. છેદસૂત્રોના નિયમોની વિનયપિટકના નિયમો સાથે ઘણી રોચક તુલના કરી શકાય. છેદસૂત્રોનું જૈન આગમોમાં અતિ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. જૈન સંસ્કૃતિનો સાર શ્રમણ-ધર્મ છે. શ્રમણ-ધર્મની સિદ્ધિ માટે આચાર-ધર્મની સાધના અનિવાર્ય છે. આચાર-ધર્મના ગૂઢ રહસ્યો તથા સૂક્ષ્મતમ ક્રિયાકલાપને વિશુદ્ધ રૂપે સમજવા માટે છેદસૂત્રોનું જ્ઞાન અનિવાર્ય છે. છેદસૂત્રોના જ્ઞાન વિના જૈન અભિમત નિર્દોષ આચારનું પરિપાલન અસંભવિત છે. જૈન નિગ્રંથ-શ્રમણ-સાધુ-ભિક્ષ-યતિ-મુનિના આચરણ સંબંધી પ્રત્યેક પ્રકારની ક્રિયાનું સૂક્ષ્મ દૃષ્ટિથી સ્પષ્ટ વિવેચન કરવું તે છેદસૂત્રોની વિશેષતા છે. સંક્ષેપમાં છેદસૂત્રો જૈન આચારની ચાવી છે, જૈન સંસ્કૃતિનો અદ્વિતીય ભંડાર છે, જૈન સાહિત્યની ગરિમા છે. આપણે આ અદ્ભુત સાંસ્કૃતિક સંપત્તિ માટે સૂત્રકારોના અત્યંત ઋણી છીએ. આગળ આવનાર છેદસૂત્રોના વિસ્તૃત પરિચય પરથી તે વાત સ્પષ્ટ થઈ જશે કે જૈન આગમ ગ્રંથોમાં છેદસૂત્રોનું કેટલું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. દશાશ્રુતસ્કંધ અથવા આચારદશા : દશાશ્રુતસ્કંધ સૂત્રનું બીજું નામ આચારદશા પણ છે. સ્થાનાંગસૂત્રના દસમા અધ્યયનમાં આચારદશાનો નામપૂર્વક ઉલ્લેખ કરતાં એમાં પ્રતિપાદિત દસ અધ્યયનો – ઉદેશોનો નામોલ્લેખ કરવામાં આવ્યો છે – ૧, (અ) જિનેન્દ્રગણિ, હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ૧૯૭૬; રતનલાલ દોશી. અ. ભા. સા. જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના, ૧૯૮૦. (આ) મુનિ કહૈયાલાલજી, આગમ અનુયોગ પ્રકાશન, સોવેરાવ, પાલી, ૧૯૭૭ (ઈ) મૂળ-નિયુક્તિ-પૂર્ણિ – મણિવિજયજી ગણિ ગ્રંથમાલા, ભાવનગર, વિ.સં. ૨૦૧૧. (ઈ) મુનિ ઘાસીલાલ કૃત સંસ્કૃત વ્યાખ્યા તથા તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે – જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ. ૧૯૬૦. Page #211 -------------------------------------------------------------------------- ________________ દશાશ્રુતસ્કંધ ૧૭૫ “आचारदसाणं दस अज्झयणा पण्णत्ता । तं जहा-वीसं असमाहिठाणा, एगवीसं सबला, तेतीसं आसायणातो, अट्ठविहा गणिसंपया, दस चित्तसमाहिठाणा, एगारस उवासगपडिमातो, बारस भिक्खुपडिमातो, पज्जोसवणकप्पो, तीसं मोहणिज्जठाणा, आजाइद्वाणं ।" પ્રસિદ્ધ કલ્પસૂત્ર (પર્યુષણાકલ્પ) દશાશ્રુતસ્કંધના પસવણા નામના આઠમા અધ્યયનનું જ પલ્લવિત રૂપ છે. દશાશ્રુતસ્કંધમાં જૈનાચાર સંબંધી દસ અધ્યયનો માત્ર આઠમો ઉદ્દેશ (કલ્પસૂત્ર) (અ) ભૂમિકા સહિત H. Jacobi, Leipzihg, 1879. (આ)અંગ્રેજી અનુવાદ – H. Jacobi, S. B. E. Series, Vol. 22, Clarendon Press, Oxford, 1884. (ઇ) ચિત્ર દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, ઈ.સ. ૧૯૩૩. (ઈ) સચિત્ર – જૈન પ્રાચીન સાહિત્યોદ્વાર, અમદાવાદ, ઈ.સ. ૧૯૪૧. (ઉ) મુનિ પ્યારચન્દ્રસ્કૃત હિન્દી અનુવાદસહિત – જૈનોદય પુસ્તક પ્રકાશન સમિતિ, રતલામ, વિ.સં. ૧૯૭૩. — મફતલાલ ઝવેરચન્દ્ર, વિ.સં. (ઊ) મૂળ (એ) માણેકમુનિ કૃત હિન્દી અનુવાદ સહિત ૧૯૭૩ — (ઐ) હિન્દી અનુવાદ (ઓ)હિન્દી ભાવાર્થ ૧૯૨૨ આત્માનન્દ જૈન મહાસભા, જાલંધર શહર, ઈ.સ. ૧૯૪૮ જૈન શ્વેતાંબર સંઘ, કોટા, ઈ.સ. ૧૯૩૩. (ઔ)ગુજરાતી ભાષાંતર, ચિત્રવિવરણ, નિર્યુક્તિ, ચૂર્ણિ, પૃથ્વીચંદ્રસૂરિકૃત ટિપ્પણ વગેરે સાથે • સારાભાઈ મણિલાલ નવાબ, છીપા માવજીની પોળ, અમદાવાદ, ઈ.સ. ૧૯૫૨. (અ) ધર્મસાગરગણિવિરચિત વૃત્તિસહિત જૈન આત્માનન્દ સભા, ભાવનગર, ઈ. સ. ૨૦૦૫. સોભાગમલ હરકાવત, અજમેર, વિ. સં. — (અઃ)સંઘવિજયગણિસંકલિત વૃત્તિસહિત – વાડીલાલ ચકુભાઈ, દેવીશાહનો પાડો, અમદાવાદ, ઈ.સ. ૧૯૩૫ (ક) સમયસુન્દરગણિ વિરચિત વ્યાખ્યાસહિત – જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર, મુંબઈ, ઈ. સ. ૧૯૩૯ (ખ) વિનયવિજયવિરચિત વૃત્તિસહિત હીરાલાલ હંસરાજ, જામનગર, ઈ.સ. ૧૯૩૯; ગુજરાતી અનુવાદ મેઘજી હીરજી જૈન બુકસેલર, મુંબઈ, વિ.સં. ૧૯૮૧. - Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ અંગબાહ્ય આગમો છે. દસ અધ્યયનોના કારણે જ આ સૂત્રનું નામ દશાશ્રુતસ્કંધ (દસાસુયખંધ) અથવા આચારદશા રાખવામાં આવ્યું છે. તે મુખ્યત્વે ગદ્યમાં છે. પ્રસ્તુત છેદસૂત્રના પ્રથમ ઉદ્દેશમાં વસ અસમાધિસ્થાનોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન સમવાયાંગસૂત્રના વીસમા સ્થાનમાં મળે છે. ભેદ માત્ર એટલો જ છે કે સમવાયાંગમાં “વીસું મનમહિલા પuત્તા” એટલું જ કહીને અસમાધિ-સ્થાનોનું વર્ણન શરૂ કરી દેવામાં આવ્યું છે, જયારે પ્રસ્તુત સૂત્રમાં “સુર્થ છે મીરાં ! તેvi પવિયા વમરવાયું...” વગેરે પાઠ વધારે જોડવામાં આવ્યો છે અને ક્યાંક ક્યાંક સ્થાનપરિવર્તન પણ કરવામાં આવ્યું છે. એ જ રીતે બીજા ઉદ્દેશના એકવીસ શબલ દોષો અને ત્રીજા ઉદેશની આશાતનાઓ પણ સમવાયાંગસૂત્રમાં તે જ રૂપે મળે છે. ફેરફાર માત્ર પ્રારંભિક વાક્યોમાં જ છે. ચોથા ઉદેશમાં આઠ પ્રકારની ગણિ-સંપદાનું વિસ્તૃત વર્ણન છે. આ સંપદાઓનો માત્ર નામ-નિર્દેશ સ્થાનાંગસૂત્રના આઠમા સ્થાનમાં છે. પાંચમા ઉદેશમાં દસ ચિત્તસમાધિઓનું વર્ણન છે. તેમાંથી માત્ર ઉપોદ્ઘાત અંશ સંક્ષિપ્ત રૂપે ઔપપાતિકસૂત્રમાં ઉપલબ્ધ છે. દસ ચિત્ત-સમાધિઓનો ગદ્યરૂપ પાઠ સમવાયાંગસૂત્રના દસમા સ્થાનમાં મળે છે. છઠ્ઠા ઉદ્દેશમાં શ્રમણોપાસક – શ્રાવકની અગિયાર પ્રતિમાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આનો સૂત્રરૂપ મૂળપાઠ સમવાયાંગના અગિયારમાં સ્થાનમાં મળે છે. સાતમાં ઉદ્દેશમાં બાર ભિક્ષુ-પ્રતિમાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. આનું મૂળ સમવાયાંગના બારમા સ્થાનમાં તથા વિવેચન સ્થાનાંગના ત્રીજા સ્થાન અને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ-ભગવતી, અંતકૂદશા વગેરે સૂત્રોમાં ઉપલબ્ધ છે. આઠમા ઉદેશમાં શ્રમણ ભગવાન મહાવીરના પાંચ કલ્યાણો – પંચકલ્યાણકનું વર્ણન છે. આનું મૂળ સ્થાનાંગમાં પંચમ સ્થાનમાં છે. નવમા ઉદેશમાં ત્રીસ મહામોહનીયસ્થાનોનું વર્ણન છે. આનો ઉપોદ્દાત અંશ ઔપપાતિકસૂત્રમાં અને બાકીનું સમવાયાંગના ત્રીસમા સ્થાનમાં છે. દસમા ઉદેશમાં નિદાન-કર્મનું વર્ણન છે. આનો ઉપોદ્દાત સંક્ષેપમાં ઔપપાતિકસૂત્રમાં ઉપલબ્ધ છે. અસમાધિ-સ્થાનો : પ્રથમ ઉદેશમાં જે વીસ અસમાધિ-સ્થાનો અર્થાતુ અસમાધિના કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે આ પ્રમાણે છે – ૧. દ્રુત ગમન, ૨. અપ્રમાર્જિત ગમન, ૩. દુપ્રમાર્જિત ગમન, ૪. અતિરિક્ત શવ્યાસન, ૫. રાત્વિક પરિભાષણ “સમાધાન સમfધઃ વૈત: સ્વ મોક્ષમાડવસ્થાપત્યર્થ.” અર્થાત ચિત્તની સ્વસ્થ ભાવના એટલે કે મોક્ષમાર્ગાભિમુખ પ્રવૃત્તિ જ સમાધિ છે. તેનાથી વિપરીત લક્ષણવાળી અસમાધિ છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ દશાશ્રુતસ્કંધ ૧૭૭ (આચાર્ય વગેરેની સન્મુખ તિરસ્કારસૂચક શબ્દપ્રયોગ), ૬. સ્થવિરોપઘાત, ૭. ભૂતોપઘાત, ૮. સંજ્વલન (પ્રતિક્ષણ રોષ કરવો), ૯. ક્રોધ, ૧૦. પિશુન (પીઠ પાછળ નિંદા કરવી), ૧૧. સશંક પદાર્થો વિષયમાં નિઃશંક ભાષણ, ૧૨. અનુત્પન્ન નૂતન કલહોનું ઉત્પાદન, ૧૩. ક્ષમાપિત કલહોનું પુનરુદીરણ, ૧૪. અકાલસ્વાધ્યાય, ૧૫. સરજસ્ક પાણિ-પાદ, ૧૬. શબ્દકરણ (પ્રમાણથી વધુ શબ્દો બોલવા), ૧૭. ઝંઝાકરણ (ફૂટ પેદા થાય તેવા વચનોનો પ્રયોગ કરવો), ૧૮. કલહકરણ, ૧૯. સૂર્યપ્રમાણ ભોજનકરણ (સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ભોજનનું જ ધ્યાન રાખવું), ૨૦. એષણા-અસમિતિ (ભોજન વગેરેની ગવેષણામાં સાવધાની ન રાખવી). શબલ-દોષો : દ્વિતીય ઉદ્દેશમાં એકવીસ પ્રકારના શબલ-દોષોનું વર્ણન કરવામાં આવ્યું છે. વ્રત વગેરે સંબંધી વિવિધ દોષોને શબલ-દોષ કહે છે. શબલનો શબ્દાર્થ છે ચિત્રવર્ણ શવતં ર્ં વિત્રમ્ । પ્રસ્તુત ઉદ્દેશમાં વર્ણિત શબલ દોષો આવા છે ઃ ૧. હસ્તકર્મ, ૨. મૈથુનપ્રતિસેવન, ૩. રાત્રિભોજન, ૪. આધાકર્મગ્રહણ (સાધુ નિમિત્તે બનાવેલ આહાર વગેરેનું ગ્રહણ), પ. રાજપિંડગ્રહણ (રાજાને ત્યાંથી આહાર વગેરે ગ્રહણ કરવો), ૬. ક્રીત આદિ આહાર ગ્રહણ, ૭. પ્રત્યાખ્યાન અર્થાત્ ત્યજેલા પદાર્થોનો ભોગ, ૮. છ માસની અંદર ગણાંતરસંક્રમણ, ૯. એક માસની અંદર ત્રિ-ઉદકલેપન (એક માસની અંદ૨ ત્રણ વાર જળાશય, નદી વગેરે પાર કરવાં), ૧૦. એક માસની અંદર ત્રિ-માયાસ્થાનસેવન (એક માસની અંદર ત્રણ વાર માયાનું સેવન કરવું), ૧૧. સાગારિક અર્થાત્ સ્થાનદાતાને ત્યાંથી આહાર વગેરેનું ગ્રહણ, ૧૨. જાણી-બૂઝી જીવહિંસા કરવી, ૧૩. જાણીબૂઝી અસત્ય બોલવું, ૧૪. જાણી-બૂઝી ચોરી કરવી અર્થાત્ અનધિકૃત વસ્તુ ગ્રહણ કરવી, ૧૫. જાણી-બૂઝી પૃથ્વીકાયની હિંસા કરવી, ૧૬. જાણીબૂઝી સ્નિગ્ધ અને સરજસ્ક ભૂમિ ઉપર બેસવું-ઉઠવું, ૧૭. જાણી-બૂઝી ચિત્ત (સજીવ) શિલા વગેરે પર સૂવું-બેસવું, ૧૮. જાણી-બૂઝી મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ અને તૃણનું ભોજન કરવું, ૧૯. એક સંવત્સરાન્તર્ગત દશોદક્લેપન (એક વર્ષની અંદર દસ વાર જળાશય વગે૨ે પાર કરવાં), ૨૦. એક સંવત્સરાન્તર્ગત દસ માયાસ્થાનસેવન (એક વર્ષમાં દસ વાર માયાનું સેવન કરવું)૧, ૨૧. જાણી-બૂઝી સચિત્ત જળથી ખરડાયેલા હાથ વગેરેથી આહારનું ગ્રહણ અને ભોજન. ૧. ૧૯-૨૦માં નવમા અને દસમા દોષની કાલમાત્રા વધારવામાં આવી છે. — Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ અંગબાહ્ય આગમો આશાતનાઓ : - ત્રીજા ઉદેશમાં તેત્રીસ પ્રકારની આશાતનાઓ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે : જે ક્રિયા કરવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રનો હ્રાસ થાય છે તેને આશાતના અવજ્ઞાન કહે છે. તેત્રીસ પ્રકારની આશાતનાઓ આ પ્રમાણે છે : ૧. શિષ્યનું રત્નાકર (ગુરુ વગેરે)થી આગળ, ૨. સમશ્રેણીમાં અને ૩. અત્યંત સમીપ રહી ચાલવું, એ જ રીતે ૪-૬, ઊભા રહેવું અને ૭-૯, બેસવું, ૧૦. મળોત્સર્ગ વગેરે નિમિત્તે સાથે જતાં ગુરુની પહેલાં શુદ્ધિ વગેરે કરવું, ૧૧. ગુરુની પહેલાં આલોચના કરવી, ૧૨. ગુરુની પહેલાં કોઈની સાથે વાતચીત કરવી, ૧૩. જાગતાં છતાં પણ ગુરુના વચનોની અવગણના કરવી, ૧૪. ભિક્ષા વગેરેથી પાછા ફરતાં પહેલાં ગુરુની પાસે આવી આલોચના ન કરવી, ૧૫. આહાર વગેરે પદાર્થો ગુરુને પહેલાં ન દેખાડવા, ૧૬, આહાર વગેરે માટે પહેલાં ગુરુને નિયંત્રિત ન કરવા, ૧૭. ગુરુની આજ્ઞા વિના જ ગમે તેને આહાર વગેરે આપી દેવો, ૧૮. આહાર કરતી વખતે સરસ અને મનગમતા પદાર્થો મોટા મોટા કોળિયા ભરી જલદી સમાપ્ત કરવા, ૧૯. ગુરુ બોલાવે ત્યારે ધ્યાનપૂર્વક ન સાંભળવું, ૨૦. ગુરુ બોલાવે તો પણ પોતાની જગ્યાએ બેઠા બેઠા જ સાંભળતાં રહેવું, ૨૧. ગુરુના વાક્યોનું “શું છે, શું કહો છો” વગેરે શબ્દોથી જવાબ આપવો, ૨૨. ગુરુને “તમે” શબ્દથી સંબોધિત કરવા, ૨૩. ગુરુને અત્યંત કઠોર તથા વધુ પડતા શબ્દોથી આમંત્રિત કરવા, ૨૪. ગુરુના જ વચનને બેવડાવતાં ગુરુની અવજ્ઞા કરવી, ૨૫. ગુરુ બોલતા હોય ત્યારે વચમાં ટોકવા, ૨૬. ગુરુની ભૂલ કાઢી પોતે જ તે વિષયનું નિરૂપણ કરવા મંડવું, ૨૭. ગુરુનો ઉપદેશ પ્રસન્ન ચિત્તે ન સાંભળવો, ૨૮, કથા સાંભળતી સભાને ભંગ કરવાનો પ્રયત્ન કરવો, ર૯. ગુરુ કથા કહેતા હોય ત્યારે વચમાં કથા-વિચ્છેદ કરવો, ૩૦. ગુરુની કથા સાંભળવા એકઠી થયેલ મેદનીને ઉઠતાં, જુદાં પડતાં, વિખેરાતાં અથવા વિખેરાતાં પહેલાં તે જ કથા બે-ત્રણ વાર કહેવી (શિષ્ય પોતાનો પ્રભાવ જમાવવા માટે આવું કરે છે), ૩૧. ગુરુના શય્યા-સંસ્મારકને પગથી અડી અપરાધ સ્વીકાર્યા વિના ચાલ્યા જવું, ૩૨. ગુરુના શવ્યા-સંસ્મારક પર બેસવું, સૂવું અથવા ઊભા રહેવું, ૩૩. ગુરુથી ઊંચા આસન ઉપર અથવા ગુરુની બરોબરીના આસન ઉપર ઊભા રહેવું, બેસવું કે શયન કરવું. ગણિ-સમ્મદા : ચતુર્થ ઉદેશમાં આઠ પ્રકારની ગણિ-સંપદાઓનું વર્ણન છે. સાધુઓ અથવા १. तत्र आयः सम्यग्दर्शनाद्यवाप्तिलक्षणस्तस्य शातना खण्डना निरुक्ता आशातना । Page #215 -------------------------------------------------------------------------- ________________ દશાશ્રુતસ્કંધ ૧૭૯ જ્ઞાનાદિ ગુણોના સમુદાયને “ગણ” કહે છે. “ગણ”નો જે અધિપતિ હોય છે તે જ “ગણી” કહેવાય છે. પ્રસ્તુત ઉદ્દેશમાં આ જ પ્રકારના ગણીની સંપદા – સંપત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. ગણિ-સંપદા આઠ પ્રકારની છે : ૧. આચારસંપદા, ૨. શ્રુત-સંપદા, ૩. શરીર-સંપદા, ૪. વચન-સંપદા, ૫. વાચન-સંપદા, ૬. મતિ-સંપદા, ૭. પ્રયોગમતિ-સંપદા, ૮. સંગ્રહપરિજ્ઞા-સંપદા. આચાર-સંપદા ચાર પ્રકારની છે : ૧. સંયમમાં ધ્રુવયોગયુક્ત હોવું, ૨. અહંકારરહિત હોવું, ૩. અનિયતવૃત્તિ હોવું, ૪. વૃદ્ધ સ્વભાવી (અચંચળ સ્વભાવવાળા) હોવું. શ્રુત-સંપદા પણ ચાર પ્રકારની છે : ૧. બહુશ્રુતતા, ૨. પરિચિતશ્રુતતા, ૩. વિચિત્રશ્રુતતા, ૪. ઘોષવિશુદ્ધિકારકતા. શરીર-સંપદાના ચાર ભેદ છે : ૧. શરીરની લંબાઈ-પહોળાઈનું સમ્યફ માપ, ૨. અલજ્જાસ્પદ શરીર, ૩. સ્થિરસંગઠન, ૪. પ્રતિપૂન્દ્રિયતા. વચન-સંપદા ચાર પ્રકારની હોય છે : ૧. આદેય વચન (ગ્રહણ કરવા યોગ્ય વાણી), ૨. મધુર વચન, ૩. અનિશ્ચિત (પ્રતિબંધરહિત) વચન, ૪. અસંદિગ્ધ વચન. વાચના-સંપદા પણ ચાર પ્રકારની કહેવામાં આવી છે : ૧. વિચારપૂર્વક વાચ્ય વિષયનો ઉદેશ-નિર્દેશ કરવો, ૨. વિચારપૂર્વક વાચન કરવું, ૩. ઉપયુક્ત વિષયનું જ વિવેચન કરવું, ૪. અર્થનું સુનિશ્ચિત નિરૂપણ કરવું. મતિ-સંપદાના ચાર ભેદ છે : ૧. અવગ્રહ-અતિસંપદા, ૨. ઈહામતિસંપદા, ૩. અવાય-અતિસંપદા, ૪, ધારણા-મતિસંપદા.. અવગ્રહ-અતિસંપદાના ફરી છ ભેદ છે: ક્ષિપ્રગ્રહણ, બહુગ્રહણ, બહુવિધગ્રહણ, ધ્રુવગ્રહણ, અનિશ્રિતગ્રહણ અને અસંદિગ્ધગ્રહણ. એ જ રીતે ઈહા અને અવાયના પણ છ પ્રકાર છે. ધારણામતિસંપદાના આ મુજબ છ ભેદ છે : બહુધારણ, બહુવિધધારણ, પુરાતનધારણ, દુર્ધરધારણ, અનિશ્રિતધારણ અને અસંદિગ્ધધારણ. પ્રયોગમતિ-સંપદા ચાર પ્રકારની છે : ૧. પોતાની શક્તિ અનુસાર વાદવિવાદ કરવો, ૨. પરિષદને જોઈને વાદ-વિવાદ કરવો, ૩. ક્ષેત્રને જોઈને વાદવિવાદ કરવો, ૪. વસ્તુને જોઈને વાદ-વિવાદ કરવો. સંગ્રહપરિજ્ઞા-સંપદાના ચાર ભેદ છે : ૧. વર્ષા ઋતુમાં બધા મુનિઓના નિવાસ માટે યોગ્ય સ્થાનની પરીક્ષા કરવી, ૨. બધા મુનિઓ માટે પ્રાતિહારિક (પાછા આપવાના) પીઠ-ફલક-શયા-સંસ્મારકની વ્યવસ્થા કરવી, ૩. નિયત સમયે પ્રત્યેક કાર્ય કરવું, ૪. પોતાનાથી મોટાઓની પૂજા-પ્રતિષ્ઠા કરવી. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ અંગબાહ્ય આગમો ગણિ-સંપદાઓનું વર્ણન કર્યા પછી સૂત્રકારે તે સંબંધી ચતુર્વિધ વિનય-પ્રતિપત્તિનું સ્વરૂપ દર્શાવ્યું છે : આચાર-વિનય, શ્રુત-વિનય, વિક્ષેપણા-વિનય અને દોષનિર્ધાતવિનય. આ ગુરુસંબંધી વિનય-પ્રતિપત્તિ છે. એ જ રીતે શિષ્યસંબંધી વિનય-પ્રતિપત્તિ પણ ચાર પ્રકારની હોય છે : ઉપકરણોત્પાદનતા, સહાયતા, વર્ણસંજવલનતા (ગુણાનુવાદકતા) અને ભાર–પ્રત્યાવરોહણતા. આ આઠ પ્રકારની વિનય-પ્રતિપત્તિઓના ફરી ચાર-ચાર ભેદ કરવામાં આવ્યા છે. એ રીતે પ્રસ્તુત ઉદેશમાં કુલ બત્રીસ પ્રકારની વિનય-પ્રતિપત્તિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ચિત્તસમાધિ-સ્થાનો : પાંચમા ઉદેશમાં આચાર્યે દસ પ્રકારના ચિત્તસમાધિસ્થાનોનું વર્ણન કર્યું છે : ૧. ધર્મભાવના, ૨. સ્વપ્રદર્શન, ૩. જાતિસ્મરણ-જ્ઞાન, ૪. દેવદર્શન, પ. અવધિજ્ઞાન, ૬. અવધિદર્શન, ૭. મન:પર્યયજ્ઞાન, ૮. કેવલજ્ઞાન, ૯. કેવલદર્શન, ૧૦. કેવલમરણ (કેવલજ્ઞાનયુક્ત મૃત્યુ). આ દસ સ્થાનોનો સત્તર ગાથાઓમાં ઉપસંહાર કરવામાં આવ્યો છે જેમાં મોહનીય કર્મની વિશિષ્ટતા પર પણ પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો ઉપાસક-પ્રતિમાઓ : છઠ્ઠા ઉદ્દેશમાં અગિયાર પ્રકારની ઉપાસક-પ્રતિમાઓ (શ્રાવક પ્રતિમાઓ – સાધનાની ભૂમિકાઓ)નું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રારંભમાં મિથ્યાષ્ટિના વિવિધ અવગુણો ગણાવવામાં આવ્યા છે. મિથ્યાષ્ટિ (નાસ્તિક) ન્યાય અને અન્યાયનો વિચાર ન કરતાં જેને જેવો ફાવે તેવો દંડ કરી બેસે છે. આ પ્રસંગે સૂત્રકારે નિમ્નલિખિત દંડોનો ઉલ્લેખ કર્યો છે : સંપત્તિ-હરણ, મુંડન, તર્જન, તાડન, અંદુકબંધન (સાંકળમાં બાંધવું), નિગડબંધન (બડીમાં બાંધવું), હઠબંધન (હડમાં બાંધવો), ચારકબંધન (કારાગૃહમાં નાખવો), નિગડયુગલ-સંકુટન (અંગો વાળીને બાંધી દેવા), હસ્ત-છેદન, પાદ-છેદન, કર્ણ-છેદન, નાસિકા-છેદન, ઓછ-છેદન, શીર્ષ-છેદન, મુખ-છેદન, વેદ-છેદન (જનનેન્દ્રિય-છેદન), હૃદય-ઉત્પાટન, નયનાદિઉત્પાદન, ઉલ્લંબન (ઊંચે લટકાવવો), ઘર્ષણ, ઘોલન, શૂલાયન (શૂળી પર લટકાવવો), શૂલાભેદન (શૂળીથી ટુકડા કરવા), ક્ષારવર્તન (ઘા પર મીઠું વગેરે છાંટવું), દર્ભવર્તન (ડાભ વગેરેથી પીડવું), સિંહપુચ્છન સિંહના પૂંછડે બાંધવું), વૃષભપુચ્છન (બળદના પૂછડે બાંધવું), દાવાગ્નિદગ્ધન (દાવાગ્નિમાં સળગાવવું), કાકિણી-માંસખાદન (અપરાધીના માંસના નાના નાના ટુકડા કરી તેને જ ખવડાવવા), ભક્તપાનનિરોધ (ખાન-પાન બંધ કરી દેવું), યાવજીવનબંધન, અન્યતર અશુભ કુમારણ (બીજા ખરાબ મોતે મારવું), શીતોદકકાયબુડન (ઠંડા પાણીમાં ડુબાડવું), Page #217 -------------------------------------------------------------------------- ________________ દશાશ્રુતસ્કંધ ૧૮૧ ઉષ્ણોદક-કાયસિંચન (ગરમ પાણી શરીર ઉપર રેડવું), અગ્નિદાહ (સળગાવવું), યોક્સ-ત્ર-નેત્ર-કશ-લધુકશ-લતાજન્ય પાર્વોદાલન (ચાબુક વગેરેથી પીઠની ચામડી ઉતારવી), દંડ-અસ્થિ-મુષ્ટિ-લેણુક-કપાલજન્ય કાયાકુટ્ટન (દડા વગેરેથી શરીરને પીડા પહોંચાડવી). સમ્યગ્દષ્ટિ અર્થાત્ આસ્તિક (આહિયદિઠી)ના ગુણોનું વર્ણન કરતાં સૂત્રકારે ઉપાસકની અગિયાર પ્રતિમાઓનું આ પ્રમાણે વર્ણન કર્યું છે – પ્રથમ પ્રતિમામાં સર્વધર્મવિષયક રુચી હોય છે. તેમાં અનેક શીલવ્રત, ગુણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ વગેરે સમ્યપણે આત્મામાં સ્થાપિત હોતા નથી. | દ્વિતીય પ્રતિમામાં અનેક શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ વગેરે ધારણ કરવામાં આવે છે પરંતુ સામાયિક વ્રત અને દેશાવકાશિકવ્રત (નવમું અને દસમું શ્રાવકવ્રત)નું સમ્યકપણે પાલન થતું નથી. ત્રીજી પ્રતિમામાં સામાયિક અને દેશાવકાશિક વ્રતોની સમ્યફ અનુપાલના થવા છતાં પણ ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા તથા પૂર્ણિમાના દિવસે પૌષધોપવાસવ્રત (અગિયારમું વ્રત)ની સમ્યફ આરાધના થતી નથી. ચતુર્થ પ્રતિમામાં રહેલ શ્રમણોપાસક ચતુર્દશી વગેરેના દિવસે પ્રતિપૂર્ણ પૌષધવ્રતનું પૂર્ણપણે પાલન કરે છે પરંતુ “એકરાત્રિકી” ઉપાસકપ્રતિમાનું સમ્યફ આરાધન કરતો નથી. પંચમ પ્રતિમામાં રહેલ શ્રમણોપાસક “એકરાત્રિકી” ઉપાસકપ્રતિમાનું સમ્યકુ પાલન કરે છે, સ્નાન કરતો નથી, રાત્રિભોજનનો ત્યાગ કરે છે, ધોતિયાની પાટલી વાળતો નથી (મુકુલિત–મઉલિકડ), દિવસે બ્રહ્મચારી રહે છે અને રાત્રિમાં મૈથુનનું મર્યાદાપૂર્વક સેવન કરે છે. આ પ્રકારના ઉપાસકે ઓછામાં ઓછું એક-બે-ત્રણ દિવસ અને વધુમાં વધુ પાંચ મહિના સુધી પ્રસ્તુત પ્રતિમામાં સ્થિત રહેવું જોઈએ. છઠ્ઠી પ્રતિમામાં રહેલ ઉપાસક દિવસની માફક રાત્રિમાં પણ બ્રહ્મચર્યનું પાલન કરે છે પરંતુ બુદ્ધિપૂર્વક સચિત્ત આહારનો પરિત્યાગ કરતો નથી. આ પ્રતિમાની અધિકતમ સમયમર્યાદા છ મહિના છે. સાતમી પ્રતિમા ગ્રહણ કરનાર શ્રાવક સચિત્ત આહારનો પરિત્યાગ કરી દે છે પરંતુ આરંભ (કૃષિ વગેરે વ્યાપાર)નો ત્યાગ કરતો નથી. આ પ્રતિમાની અધિકતમ સમય-અવધિ સાત માસ છે. આઠમી પ્રતિમા ધારણ કરનાર પોતે તો આરંભનો પરિત્યાગ કરે છે પરંતુ ૧. રાત્રિમાં કાયોત્સર્ગ અવસ્થામાં ધ્યાન કરવું. એ. આ. - ૧ ૪ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ અંગબાહ્ય આગમો બીજા પાસે આરંભ કરાવવાનો પરિત્યાગ કરી શકતો નથી. આ પ્રતિમાની ઉત્કૃષ્ટ અવિધ આઠ મહિના છે. નવમી પ્રતિમા ધારણ કરનાર શ્રમણોપાસક આરંભ કરવાનો અને કરાવવાનો પરિત્યાગ કરે છે પરંતુ ઉદ્દિષ્ટ ભક્ત અર્થાત્ પોતાના નિમિત્તે બનાવેલા ભોજનનો ત્યાગ કરતો નથી. આ પ્રતિમાની ઉત્કૃષ્ટ અવધિ નવ મહિના છે. દસમી ઉપાસકપ્રતિમા ગ્રહણ કરનાર ઉદ્દિષ્ટ ભક્તનો પણ ત્યાગ કરે છે અને અસ્તરા (ક્ષુર)થી મંડિત બની શિખા ધારણ કરે છે. જ્યારે તેને કોઈ એક કે અનેક વાર બોલાવે છે ત્યારે તે બે જ ઉત્તર આપે છે. જાણતો હોય તો કહે છે કે હું આ વાત જાણું છું. ન જાણતો હોય તો તેનો ઉત્તર હોય છે કે હું આ વાત જાણતો નથી. આ પ્રતિમાની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ માસની કહેવામાં આવી છે. અગિયારમી ઉપાસક પ્રતિમામાં રહેલ શ્રાવક અસ્તરાથી માથું મુંડાવે છે અથવા હાથ વડે લુંચન કરે છે. સાધુનો આચાર અને ભાંડોપકરણ (પાત્રો વગેરે) ગ્રહણ કરી મુનિવેશમાં નિગ્રંથ ધર્મનું પાલન કરતો કરતો વિચરે છે. જ્ઞાતિ - જાતિના લોકો સાથે તેના પ્રેમ-બંધનનો વિચ્છેદ થતો નથી આથી તે તેમને ત્યાં જ ભિક્ષાવૃત્તિ માટે જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો અગિયારમી પ્રતિમામાં રહેલ શ્રમણોપાસક પોતાની જાતિના લોકો પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરે છે. ભિક્ષા ગ્રહણ કરતી વેળાએ તેણે તે ધ્યાન રાખવું જોઈએ કે દાતાને ત્યાં જતાં પહેલાં ચોખા ગંધાઈ ચૂક્યા હોય અને દાળ (સૂપ) ચડી ન હોય તો તેણે ચોખા લઈ લેવા જોઈએ, દાળ નહિ. એ જ રીતે જો દાળ ચડી ગઈ હોય અને ચોખા ન ચડ્યા હોય તો દાળ લઈ લેવી જોઈએ, ચોખા નહિ. પહોંચતાં પહેલાં બંને વસ્તુઓ ગંધાઈ ગઈ હોય તો બંને લેવામાં કોઈ દોષ નથી. જો બંને વસ્તુઓ પછી બની હોય તો બેમાંથી એક પણ ગ્રહણ કરવા યોગ્ય નથી. તાત્પર્ય એ છે કે પહોંચતાં પહેલાં રંધાઈ ગયેલી વસ્તુ તેણે ગ્રહણ કરવી જોઈએ, પછી બનનારી વસ્તુ નહિ. આ પ્રતિમાની ઉત્કૃષ્ટ સ્થિતિ અગિયાર મહિના છે. ભિક્ષુપ્રતિમાઓ : સાતમા ઉદ્દેશમાં ભિક્ષુ અર્થાત્ શ્રમણની પ્રતિમાઓનું વર્ણન છે. ભિક્ષુપ્રતિમાઓની સંખ્યા બાર છે ઃ ૧. માસિકી ભિક્ષુપ્રતિમા, ૨. દ્વિમાસિકી ભિક્ષુપ્રતિમા, ૩-૭. યાવત્ સપ્તમાસિકી ભિક્ષુપ્રતિમા, ૮-૧૦. પ્રથમ, દ્વિતીય અને તૃતીય સપ્તરાન્ત્રિદિવા ભિક્ષુપ્રતિમા, ૧૧. અહોરાત્રિ ભિક્ષુપ્રતિમા, ૧૨. એકરાત્રિકી ભિક્ષુપ્રતિમા. Page #219 -------------------------------------------------------------------------- ________________ દશાશ્રુતસ્કંધ ૧૮૩ માસિકી પ્રતિમાધારી અનગાર (ગૃહવિહીન), વ્યુત્કૃષ્ટકાય (શારીરિક સંસ્કારોનો ત્યાગ કરનાર), ત્યક્તશરીર (શરીરનું મમત્વ છોડી દેનાર) સાધુને જો કોઈ ઉપસર્ગ (આપત્તિ) આવી પડે તો તેને ક્ષમાપૂર્વક સહન કરે અને કોઈપણ પ્રકારની દીનતા બતાવે નહિ. આ પ્રતિમામાં સાધુએ એક દત્તિ' અન્નની અને એક દત્તિ જળની લેવી કલ્પે છે. તે પણ અજ્ઞાત કુળમાંથી શુદ્ધ અને અલ્પ માત્રામાં તથા મનુષ્ય, પશુ, શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, ભિખારી (વનીપક) વગેરે જતાં રહે ત્યાર પછી જ લેવાનું વિહિત છે. જ્યાં એક વ્યક્તિ માટે ભોજન બન્યું હોય ત્યાંથી ભોજન ગ્રહણ કરવું જોઈએ. ગર્ભવતી માટે, નાના બાળકોવાળી સ્ત્રી માટે, બાળકને દૂધ પીવડાવતી સ્ત્રીને માટે બનેલ ભોજન અકલ્પ્ય નિષિદ્ધ છે. જેના બંને પગ ઉંબરાની અંદર હોય અથવા બંને પગ ઉંબરાની બહાર હોય તેની પાસેથી આહાર ન લેવો જોઈએ. જે એક પગ ઉંબરાની અંદર અને એક પગ ઉંબરાની બહાર રાખીને ભિક્ષા આપે તેની પાસેથી જ ભિક્ષા લેવી જોઈએ (આ અભિગ્રહ એટલે કે પ્રતિજ્ઞાવિશેષ છે). માસિકી ભિક્ષુપ્રતિમા પ્રતિપન્ન નિગ્રંથનો ભિક્ષાકાળ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે : આદિ, મધ્ય અને અંત્ય. આદિ ભાગમાં ભિક્ષા માટે જાય ત્યારે મધ્ય અને અંત્ય ભાગમાં ન જવું જોઈએ. એ જ રીતે બાકીના બે ભાગોના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. માસિકી પ્રતિમામાં સ્થિત શ્રમણને જ્યાં કોઈ જાણતું હોય ત્યાં તે એક રાત રહી શકે છે, જ્યાં તેને કોઈ પણ જાણતું ન હોય ત્યાં તે બે રાત રહી શકે છે. આનાથી અધિક રહે તો તેટલા જ દિવસનું છેદ અથવા તપ પ્રાયશ્ચિત્ત લાગે છે. માસિકી પ્રતિભા પ્રતિપત્ર અણગાર માટે ચાર પ્રકારની ભાષા કલ્પ્ય છે આહાર વગેરે માટે યાચના કરવાની, માર્ગ વગેરે બાબતમાં પૂછવાની, સ્થાન વગેરે માટે અનુમતિ લેવાની અને પ્રશ્નોના ઉત્તર આપવાની. આ પ્રતિમામાં રહેલ સાધુ માટે સૂત્રકારે બીજી પણ અનેક વાર્તોનું વિધાન કર્યું છે જે વાંચીને જૈન આચારની કઠોરતાનું સહજપણે જ અનુમાન કરી શકાય છે. ઉદાહરણ માટે જો કોઈ વ્યક્તિ તેના ઉપાશ્રય (નિવાસસ્થાન) માં આગ લગાડે તો પણ તેણે ઉપાશ્રયની બહાર નીકળવું ન જોઈએ અને જો બહાર હોય તો અંદર ન જવું જોઈએ. જો કોઈ તેનો હાથ પકડી ખેંચવાનો પ્રયત્ન કરે તો તેણે હઠ ન કરતાં સાવધાનીપૂર્વક બહાર નીકળી જવું જોઈએ. એ જ રીતે જો તેના પગમાં લાકડાનું હૂં, કાંટા, કાંકરા વગેરે ઘૂસી જાય તો તેણે કાંટા વગેરે ન કાઢતાં ૧. સાધુના પાત્રમાં અન્ન કે જળ આપતી વેળાએ અપાતા પદાર્થની અખંડ ધારા ચાલુ રહે તેનું નામ “દત્તિ” છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ અંગબાહ્ય આગમો સાવધાનીપૂર્વક ચાલતાં રહેવું જોઈએ. સામે જો મદોન્મત્ત હાથી, ઘોડો, બળદ, પાડો, કૂતરો, વાઘ વગેરે આવી જાય તો પણ તેનાથી ડરીને એક ડગલું પણ પાછળ હટવું ન જોઈએ. જો કોઈ ભલી-ભોળો જીવ સામે આવી જાય અને તે સાધુથી ડરવા લાગે તો સાધુએ ચાર હાથ સુધી પાછળ હટી જવું જોઈએ. શીતળ સ્થાનમાંથી શીતળતાની બીકથી ઊઠીને ઉષ્ણ સ્થાન પર અથવા ઉષ્ણ સ્થાનમાંથી ઉષ્ણતાના ભયથી ઊઠીને શીતળ સ્થાન પર જવું ન જોઈએ. તેણે જે સમયે જયાં બેઠો હોય તે સમયે ત્યાં જ બેઠા રહી શીતળતા અથવા ઉષ્ણતાના પરીષહને વૈર્યપૂર્વક સહન કરવો જોઈએ. એ જ રીતે સૂત્રકારે અન્ય પ્રતિમાઓનાં સ્વરૂપનું પણ સ્પષ્ટ વિવેચન કર્યું છે. પર્યુષણાકલ્પ (કલ્પસૂત્ર) : આઠમા ઉદ્દેશનું નામ પર્યુષણાકલ્પ છે. વર્ષાઋતુમાં મુનિઓએ એક સ્થાન પર સ્થિર વાસ કરવાનું નામ પર્યુષણા છે. તેની વ્યુત્પત્તિઓ આ પ્રમાણે છે – પરિત: સાચ્ચેન, ૩ષણ વીસ, રૂતિ પર્યુષ પ્રસ્તુત ઉદ્દેશમાં પર્યુષણા-કાળમાં પઠન-પાઠન માટે વિશેષ ઉપયોગી શ્રમણ ભગવાન મહાવીરના જન્મ વગેરે સંબંધી પાંચ હસ્તોત્તરો (ઉત્તરા ફાલ્યુની નક્ષત્રો)નો નિર્દેશ કરવામાં આવ્યો છે: ૧. હસ્તોત્તરમાં દેવલોકમાંથી ચ્યવન અને માતાના ગર્ભમાં આગમન, ૨. હસ્તોત્તરમાં ગર્ભપરિવર્તન, ૩. હસ્તોત્તરમાં જન્મ, ૪. હસ્તોત્તરમાં અનગાર-ધર્મગ્રહણ અર્થાત પ્રવ્રજયા અને ૫. હસ્તોત્તરમાં જ કેવલજ્ઞાન-કેવલદર્શનની પ્રાપ્તિ. ભગવાન મહાવીરનું પરિનિર્વાણ સ્વાતિ નક્ષત્રમાં થયું હતું. તે બાબતનો મૂળ પાઠ આ પ્રમાણે છે: “તેમાં કાજો તેમાં समयेणं समणे भगवं महावीरे पंच हत्थुत्तरा होत्था, तं जहा - हत्थुत्तराहिं चुए चइत्ता गब्भं वकंते । हत्थुत्तराहिं गब्भाओ गब्भं साहरिए । हत्थुत्तराहिं जाए । हत्थुत्तराहिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वईए । हत्थुत्तराहिं अणंते अणुतरे निव्वाघाए निरावरणे कसिणे पडिपुण्णे केवलवरनाणदंसणे समुप्पण्णे । साइणा परिनिव्वुए भगवं जाव भुज्जो उवदंसेति ત્તિ વેનિ ” આજ કલ્પસૂત્ર નામે જે ગ્રંથનો જૈન સમાજમાં પ્રચાર અને પ્રતિષ્ઠા છે, તે આ જ સંક્ષિપ્ત પાઠ અથવા ઉદ્દેશનું પલ્લવિત રૂપ છે. અહીં કલ્પસૂત્રનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત કરવો અપ્રાસંગિક નહિ જણાય, કારણ કે તે વાસ્તવમાં દશાશ્રુતસ્કંધનું જ એક અંગ છે. કલ્પસૂત્રમાં સહુ પ્રથમ ભગવાન મહાવીરનું જીવનચરિત્ર પસ્તુત કરવામાં આવ્યું છે, જે ઉપર્યુક્ત પાંચ હસ્તોત્તર સંબંધી છે. તે પછી મુખ્ય રૂપે પાર્થ, અરિષ્ટનેમિ અને ઋષભ – આ ત્રણ તીર્થકરોનું જીવનચરિત્ર આપવામાં Page #221 -------------------------------------------------------------------------- ________________ દશાશ્રુતસ્કંધ ૧૮૫ આવ્યું છે. અંતે વિરાવલી પણ જોડવામાં આવી છે. અંતમાં સામાચારી (મુનિજીવનના નિયમો) ઉપર પણ થોડોક પ્રકાશ પાડવામાં આવ્યો છે.' ભગવાન મહાવીરના જીવનચરિત્રમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે : અષાઢ શુક્લ ષષ્ઠીની લગભગ મધ્યરાત્રિના સમયે હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાન મહાવીરનું બ્રાહ્મણકુંડગ્રામના નિવાસી કોડાલગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધરગોત્રીય દેવાનંદા બ્રાહ્મણીની કૂખે ગર્ભરૂપે ઉત્પન્ન થવું, દેવાનંદાનું ચૌદ મહાસ્વપ્રો જોઈ જાગી જવું (૧૪ સ્વપ્રો : ૧. ગજ, ૨. વૃષભ, ૩. સિંહ, ૪. અભિષેક, ૫. માલા, ૬. ચંદ્ર, ૭. સૂર્ય, ૮. ધ્વજ, ૯. કુંભ, ૧૦. પાસરોવર, ૧૧. સાગર, ૧૨. દેવવિમાન, ૧૩. રત્નરાશિ, ૧૪. અગ્નિર), ઋષભદત્ત દ્વારા સ્વપ્રફળની સમજૂતી, ઈન્દ્રનું સ્વર્ગમાં બેઠાં બેઠાં દેવાનંદાની કુક્ષિમાં અવતરેલા ભગવાનને વંદન કરવું, ઈન્દ્રના મનમાં એવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થવો કે અહંતુ, ચક્રવર્તી, બલદેવ અને વાસુદેવ બ્રાહ્મણ વગેરે કુળોમાં જન્મ ન લેતાં ક્ષત્રિય વંશમાં જન્મ લે છે પરંતુ ભગવાન મહાવીર બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યા એ એક આશ્ચર્ય છે તો મારે આનો કંઈક ઉપાય કરવો જોઈએ. ઈન્દ્રનો હરિભેગમેસિ નામના દેવને ગર્ભપરિવર્તનનો આદેશ, હરિણગમેસિ દ્વારા આસો સુદ તેરસના અર્ધરાત્રિના સમયે હસ્તોત્તરા નક્ષત્રમાં ઈન્દ્રના આદેશાનુસાર દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી ભગવાનને ઉપાડી ક્ષત્રિયકુંડગ્રામના જ્ઞાતૃવંશના કાશ્યપગોત્રીય ક્ષત્રિય સિદ્ધાર્થની ભાર્યા વાસિષ્ઠગોત્રીય ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં પીડા પહોંચાડ્યા વિના સ્થાપન કરવું અને ત્રિશલાના ગર્ભને દેવાનંદાની કુક્ષિમાં પહોંચાડવો (આ ઘટના પ્રથમ ગર્ભના ૮૨ દિવસ પછીની છે), દેવાનંદા દ્વારા સ્વપ્રાવસ્થામાં પોતાના પૂર્વોક્ત ચૌદ સ્વપ્રોનું ત્રિશલા દ્વારા હરણ કરાતું જોવું, ત્રિશલાનું ચૌદ મહાસ્વપ્રો જોઈ જાગી જવું, સિદ્ધાર્થ દ્વારા સ્વપ્રપાઠકો સમક્ષ ચૌદ સ્વમોનું વિવરણ પ્રસ્તુત કરવું તથા તેમનું ફળ સાંભળવું, સિદ્ધાર્થના ભંડારમાં ૧. વિદ્વાનોની માન્યતા છે કે કલ્પસૂત્રમાં આવતા ચૌદ સ્વપ્ર વગેરે સંબંધી આલંકારિક વર્ણનોનો કેટલોક ભાગ, વિરાવલી અને સામાચારીનો કેટલોક અંશ પાછળથી જોડવામાં આવેલ છે. જુઓ – મુનિ પુણ્યવિજયજી દ્વારા સંપાદિત કલ્પસૂત્ર, પ્રાસ્તાવિક, પૃ. ૯-૧૧ (પ્રકા. સારાભાઈ મણિલાલ નવાબ). ૨. Tય-વદ-સૌરં–મલેય-રામ-સવિનય ય હુંબ | પરમસર-સાર-વિમાન–મવા-યyવય-સિદં ર || - સૂ. ૫ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ અંગબાહ્ય આગમો ધનની અસાધારણ વૃદ્ધિ થવી, આ વૃદ્ધિ દૃષ્ટિમાં રાખતાં પોતાના આવનાર પુત્રનું નામ વર્ધમાન રાખવાનો સંકલ્પ કરવો, મહાવીરનું ગર્ભાવસ્થામાં કેટલાક સમય માટે હલનચલન બંધ કરવું અને એનાથી ઘરમાં શોક છવાઈ જવો, માતા-પિતાના સ્નેહને વશ થઈ મહાવીરનો માતા-પિતા જીવિત રહે ત્યાં સુધી ગૃહત્યાગ ન કરવાનો નિશ્ચય – અભિગ્રહ, ચૈત્ર સુદ તેરસની લગભગ મધ્યરાત્રિના સમયે હસ્તોત્તરા નક્ષત્રમાં ત્રિશલાની કુક્ષિમાં પુત્રનો જન્મ થવો (પ્રથમ ગર્ભની તિથિથી નવ મહિના સાડા સાત દિવસ વ્યતીત થતાં મહાવીરનો જન્મ થયો), દેવો અને મનુષ્યો દ્વારા વિવિધ ઉત્સવો કરવા, પુત્રનું વર્ધમાન નામ રાખવું, વર્ધમાનનો વિવાહ, અપત્ય વગેરે અવસ્થાઓમાંથી પસાર થવું, હસ્તોત્તરા નક્ષત્રનો યોગ આવતાં એક દેવદૂષ્ય (વસ્ત્ર) લઈને એકલા જ પ્રવ્રજિત થવું, તેર મહિના સુધી વર્ધમાનનું સચેલક – સવસ્ત્ર રહેવું તથા ત્યાર પછી અચેલક – દિગંબર – કરપાત્રી – નગ્ન બનવું (સંવછર સહિયે માં નાવ ચીવરધારી હોસ્થા, તેના પર અત્રે પાપડિશા), બાર વર્ષ તપસ્યા વગેરેમાં વ્યતીત થતાં વૈશાખ સુદ દશમના દિવસે જૂક્લિક ગામની બહાર ઋજુવાલિકા નદીના કિનારા પર એક ખંડેર જેવા પ્રાચીન ચૈત્યની પાસે આવેલા શ્યામક ગૃહપતિના ખેતરમાં રહેલ શાલ વૃક્ષની નીચે હસ્તોત્તરા નક્ષત્રનો યોગ થતાં મહાવીરને કેવલજ્ઞાન-કેવલદર્શન ઉત્પન્ન થવું, ભગવાનનો અસ્થિકગ્રામમાં પ્રથમ વર્ષાવાસ – ચાતુર્માસ, ત્યારપછી ચંપા, પૃષ્ઠચંપા, વૈશાલી, વાણિયગ્રામ, રાજગૃહ, નાલંદા, મિથિલા, ભદ્રિકા, આલબિકા, શ્રાવસ્તી, પ્રણીતભૂમિ (વજભૂમિ), મધ્યમ-પાવામાં વર્ષાવાસ કરવો, અંતિમ વર્ષાવાસ સમયે મધ્યમ-પાવા નગરીમાં કારતક વદિ અમાવાસ્યાની રાત્રિએ સ્વાતિ નક્ષત્રનો યોગ થતાં ભગવાનનું બોતેર વર્ષની અવસ્થામાં મુક્ત થવું. શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રના હતા. તેમનાં ત્રણ નામ હતાં : વર્ધમાન, શ્રમણ અને મહાવીર. મહાવીરના પિતાનાં પણ ત્રણ નામ હતાં : સિદ્ધાર્થ, શ્રેયાંસ અને યશસ્વી. મહાવીરના માતા વાશિષ્ઠ ગોત્રનાં હતાં. તેમનાં પણ ત્રણ નામ હતા : ત્રિશલા, વિદેહદિક્ષા અને પ્રિયકારિણી. મહાવીરના કાકા (પિતૃવ્ય)નું નામ સુપાર્શ્વ (સુપાસ), મોટાભાઈનું નામ નંદિવર્ધન, બહેનનું નામ સુદર્શના અને પત્નીનું નામ યશોદા હતું. યશોદા કૌડિન્ય ગોત્રની હતી. મહાવીરની પુત્રીનાં બે નામ હતાં : અનવદ્યા (અણોજ્જા) અને પ્રિયદર્શના. પ્રિયદર્શનાની પુત્રીનાં પણ બે નામ હતાં : શેષવતી અને યશસ્વતી. ભગવાન મહાવીરના સંઘમાં સાધુ-સાધ્વીઓ, શ્રાવક-શ્રાવિકાઓની સંખ્યા આ પ્રમાણે હતી : ૧૪,000 શ્રમણો, ૩૬,૦૦૦ શ્રમણીઓ, ૧,૫૯,૦૦૦ શ્રાવકો Page #223 -------------------------------------------------------------------------- ________________ દશાશ્રુતસ્કંધ ૧૮૭ અને ૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓ, ૩૦૦ ચતુર્દશ પૂર્વધરો, ૧, ૩૦૦ અવધિજ્ઞાનીઓ, ૭00 કેવલજ્ઞાનીઓ, ૭00 વૈક્રિયલબ્ધિધારીઓ, ૫૦૦ વિપુલમતિ-જ્ઞાનીઓમન:પર્યયજ્ઞાનીઓ, ૪૦૦ વાદીઓ. - ભગવાન પાર્શ્વનાથના જીવનમાં પાંચ પ્રસંગે વિશાખા નક્ષત્રનો યોગ થયો હતો : ૧. વિશાખા નક્ષત્રમાં ટ્યુત થઈ ગર્ભમાં આવવું, ૨. વિશાખા નક્ષત્રમાં જન્મ થવો, ૩. વિશાખા નક્ષત્રમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરવી. ૪. વિશાખા નક્ષત્રમાં કેવલજ્ઞાન-કેવલદર્શન ઉત્પન્ન થવું, ૫. વિશાખા નક્ષત્રમાં નિર્વાણ થવું. ભગવાન અરિષ્ટનેમિના ઉપર્યુક્ત પાંચ પ્રકારના જીવનપ્રસંગોનો સંબંધ ચિત્રા નક્ષત્ર સાથે છે. પ્રસ્તુત સૂત્રમાં ભગવાન મહાવીરના જીવનચરિત્રની માફક પાર્શ્વ અને અરિષ્ટનેમિના જીવનચરિત્ર પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે, પરંતુ એટલા વિસ્તારથી નહિ. એ જ રીતે ચાર ઉત્તરાષાઢ અને એક અભિજિત – એ પાંચ નક્ષત્રો સાથે જોડાયેલ ભગવાન ઋષભદેવનું પણ સંક્ષિપ્ત જીવનચરિત્ર પ્રસ્તુત કરવામાં આવ્યું છે. વિરાવલીમાં ભગવાન મહાવીરથી માંડી દેવર્ધિગણિ સુધીની ગુરુ-પરંપરાનો ઉલ્લેખ છે. આ સ્થવિરાવલી નંદિસૂત્રની સ્થવિરાવલીથી કંઈક જુદી છે. મોહનીય-સ્થાન : નવમા ઉદેશમાં ત્રીસ મોહનીય-સ્થાનોનું વર્ણન છે. મોહનીય તે કર્મ છે જે આત્માને મોહિત કરે છે અથવા જેના દ્વારા આત્મા મોહિત થાય છે. આ કર્મના પરમાણુઓના સંસર્ગથી આત્મા વિવેકશૂન્ય બની જાય છે. આ કર્મ બધા કર્મોમાં મુખ્ય છે. સૂત્રકારે પ્રસ્તુત ઉદ્દેશની ગાથાઓમાં ત્રણ મહામોહનીય-સ્થાનોનું સ્વરૂપ બતાવ્યું છે : (૧) જે વ્યક્તિ પાણીમાં ડૂબકીઓ મારી ત્રસ પ્રાણીઓને મારે છે તે મહામોહનીય-કર્મનું ઉપાર્જન કરે છે. (૨) જે વ્યક્તિ કોઈ પ્રાણીના મુખ વગેરે અંગોને હાથ વડે ઢાંકીને અથવા અવરોધીને જીવહત્યા કરે છે તે મહામોહનીય કર્મનું ઉપાર્જન કરે છે. (૩) જે અગ્નિ સળગાવીને અનેક લોકોને ઘેરીને ધુમાડાથી મારે છે તે મહામોહનીય-કર્મનો બંધ કરે છે. (૪) જે કોઈના મસ્તક ઉપર પ્રહાર કરે છે તેમ જ મસ્તક ફોડીને તેની હત્યા કરી નાખે છે તે મહામોહનીય-કર્મના પાશમાં બંધાય છે. (પ) જે કોઈ પ્રાણીના મસ્તક વગેરે અંગોને ભીના ચામડાથી બાંધી દે છે તે મહામોહનીય-કર્મનું ઉપાર્જન કરે છે. (૬) જે વારંવાર કપટથી કોઈ મૂર્ખ વ્યક્તિને મારીને હસે છે તે મહામોહનીયના બંધનમાં બંધાય છે. (૭) જે પોતાના દોષોને છુપાવે છે, માયાને માયાથી ઢાંકે છે, અસત્ય બોલે १. मोहयत्यात्मानं मुह्यत्यात्मा वा अनेन इति । Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ અંગબાહ્ય આગમો છે, સૂત્રાર્થને છુપાવે છે તે મહોમોહનીયનું બંધન કરે છે. (૮) જે કોઈને ખોટા આક્ષેપથી અથવા પોતે કરેલા પાપથી કલંક્તિ કરે છે તે મહામોહનીયના પાશમાં બંધાય છે. (૯) જે પુરુષ જાણી-બૂઝીને સભામાં સત્ય અને અસત્યનું મિશ્રણ કરીને કથન કરે છે અને કલહનો ત્યાગ કરતો નથી તે મહામોહનીયના બંધનમાં બંધાય છે. (૧૦) જે મંત્રી રાજાની સ્ત્રીઓ અથવા લક્ષ્મીને ધ્વસ્ત કરી અન્ય રાજાઓનું મન તેના પ્રત્યે પ્રતિકૂળ કરી દે છે તથા તેને રાજ્ય બહાર કાઢી પોતે રાજા બની બેસે છે તે મહામોહનીય કર્મનું બંધન કરે છે. (૧૧) જે સાચેસાચ બાલબ્રહ્મચારી ન હોવા છતાં પણ પોતાને બાલબ્રહ્મચારી કહેવડાવે છે અને સ્ત્રીવિષયક ભોગોમાં લિપ્ત રહે છે તે મહામોહનીયકર્મ બાંધે છે. (૧૨) જે બ્રહ્મચારી ન હોવા છતાં પણ લોકોને કહે છે કે હું બ્રહ્મચારી છું તે મહોમોહનીય-કર્મથી બંધાય છે. (૧૩) જેના આશ્રયમાં, જેના યશથી કે જેની સેવાથી આજીવિકા ચાલતી હોય તેના જધન પરલોભદષ્ટિ રાખનાર મહામોહનીયના બંધનમાં ફસાય છે. (૧૪) કોઈ સ્વામીએ અથવા ગામના લોકોએ કોઈ અનીશ્વર એટલે કે દરિદ્રને સ્વામી બનાવી દીધો હોય અને તેમની સહાયથી તેની પાસે ખૂબ સંપત્તિ આવી ગઈ હોય, ઈર્ષ્યા અને પાપથી કલુષિત ચિત્તવાળો તે જો પોતાના ઉપકારીઓના કાર્યમાં અંતરાય – વિપ્ન ઉપસ્થિત કરે તો તેને મહામોહનીય-કર્મના ભાગી થવું પડે છે. (૧૫) જેવી રીતે સર્પિણી પોતાના ઈંડાઓને મારી નાખે છે તેવી જ રીતે જે પુરુષ પોતાના પાલક, સેનાપતિ અથવા પ્રશાસ્તા (કલાચાર્ય કે ધર્માચાર્ય)ની હિંસા કરે છે તે મહામોહનીય-કર્મનું ઉપાર્જન કરે છે. (૧૬) જે રાષ્ટ્રનાયક, નિગમનેતા (વ્યાપારીઓનો નેતા) અથવા યશસ્વી શેઠની હત્યા કરે છે તે મહામોહનીયકર્મનું બંધન કરે છે. (૧૭) જે બહુજન-નેતા, બહુજન-રક્ષક અથવા તેવા જ પ્રકારના અન્ય પુરુષની હત્યા કરે છે તે મહામોહનીય-કર્મનો ભાગી બને છે. (૧૮) જે દીક્ષા લેવા માટે ઉપસ્થિત છે, જેણે સંસારથી વિરક્ત થઈ દીક્ષા ગ્રહણ કરી છે, જે સંયત છે, જે તપસ્યામાં સંલગ્ન છે તેને બલાત્કારે ધર્મભ્રષ્ટ કરવાથી મહામોહનીયનો બંધ થાય છે. (૧૯) જે અજ્ઞાની પુરુષ અનંત જ્ઞાન અને અનંત દર્શનવાળા જિનોની નિંદા – અવર્ણવાદ કરે છે તે મહામોહનીયના બંધનમાં ફસાય છે. (૨૦) જે ન્યાયયુક્ત માર્ગની નિંદા કરે છે અને પોતાના તથા બીજાઓના આત્માને તેનાથી જુદા પાડે છે તે મહામોહનીય કર્મનું ઉપાર્જન કરે છે. (૨૧) જે આચાર્ય-ઉપાધ્યાયની કૃપાથી શ્રત અને વિનયનું શિક્ષણ મળ્યું હોય તેમની જ નિંદા કરવાથી મહામોહનીય-કર્મનો બંધ થાય છે. (૨૨) જે આચાર્ય-ઉપાધ્યાયની સારી રીતે સેવા નથી કરતો તે અપ્રતિપૂજક અને અહંકારી હોવાથી મહામોહનીય-કર્મનું ઉપાર્જન કરે છે. (૨૩) જે વાસ્તવમાં અબહુશ્રુત છે પરંતુ લોકોમાં પોતાની જાતને બહુશ્રુત રૂપે પ્રખ્યાત કરે છે તે મહામોહનીયના ફંદામાં Page #225 -------------------------------------------------------------------------- ________________ દશાશ્રુતસ્કંધ ૧૮૯ ફસાય છે. (૨૪) જે વાસ્તવમાં તપસ્વી ન હોવા છતાં લોકોની સામે પોતાની જાતને તપસ્વી રૂપે પ્રગટ કરે છે તે મહામોહનીયના પાશમાં બંધાય છે. (૨૫) જે આચાર્ય વગેરે રોગગ્રસ્ત બને ત્યારે શક્તિ હોવા છતાં તેમની સેવા નથી કરતો તે મહામોહનીયના બંધનમાં બંધાય છે. (૨૬) જે હિંસાયુક્ત કથાનો વારંવાર પ્રયોગ કરે છે તે મહામોહનીયકર્મ ઉપાર્જિત કરે છે. (૨૭) જે પોતાની પ્રશંસા માટે અથવા બીજાઓ સાથે મિત્રતા કરવા માટે અધાર્મિક યોગો (વશીકરણ વગેરે)નો વારંવાર પ્રયોગ કરે છે તે મહામોહનીય-કર્મનો ભાગીદાર થાય છે. (૨૮) જે વ્યક્તિ મનુષ્ય અથવા દેવવિષયક કામ-ભોગોની હંમેશા અભિલાષા રાખે છે – ક્યારેય તૃપ્ત નથી થતો તે મહામોહનીયકર્મનું ઉપાર્જન કરે છે. (૨૯) જે દેવોની ઋદ્ધિ, ધૃતિ, યશ, વર્ણ, બલ, વીર્ય વગેરેની નિંદા કરે છે – અવર્ણવાદ કરે છે તેને મહામોહનીય-કર્મનું બંધન થાય છે. (૩૦) જે અજ્ઞાની પોતાની પૂજા-પ્રતિષ્ઠાની ભાવનાથી દેવ, યક્ષ વગેરેને પ્રત્યક્ષ ન જોતો હોય છતાં કહે છે કે હું તેઓને જોઉં છું તે મહામોહનીયનું બંધન કરે છે. અશુભ કર્મફળ આપનારા અને ચિત્તની મલીનતા વધારનારા ઉપર્યુક્ત મોહનીય સ્થાનો આત્મોન્નતિમાં બાધક છે. જે ભિક્ષુ – મુનિ આત્મ-ગવેષણામાં સંલગ્ન છે તેણે તેમને છોડી સંયમક્રિયામાં પ્રવૃત્ત થવું જોઈએ. આયતિ-સ્થાનો : દસમા ઉદ્દેશનું નામ “આયતિ-સ્થાન છે. તેમાં જુદા જુદા નિદાન-કર્મોનું વર્ણન કરવામાં આવ્યું છે. નિદાન (નિયાણ ણિદાણ)નો અર્થ છે મોહના પ્રભાવથી કામાદિ ઈચ્છાઓની ઉત્પત્તિનું કારણ બનનાર ઈચ્છાપૂર્તિમૂલક સંકલ્પ. જ્યારે મનુષ્યના ચિત્તમાં મોહના પ્રબળ પ્રભાવને કારણે કામાદિ ઈચ્છાઓ જાગી ઊઠે છે ત્યારે તે તેમની પૂર્તિની આશાથી તે વિષયમાં દઢ સંકલ્પ કરે છે. આ જ સંકલ્પનું નામ નિદાન છે. નિદાનના કારણે મનુષ્યની ઈચ્છાવિશેષ ભવિષ્યકાળમાં પણ બરાબર ચાલુ રહે છે. પરિણામે તે જન્મ-મરણના બંધનમાં ફસાયેલો રહે છે. ભવિષ્યકાલીન જન્મ-મરણની દૃષ્ટિથી જ પ્રસ્તુત ઉદ્દેશનું નામ “આયતિ-સ્થાન' રાખવામાં આવ્યું છે. “આયતિ’નો અર્થ છે જન્મ અથવા જાતિ. નિદાનને જન્મનો હેતુ હોવાને કારણે આયતિ-સ્થાન માનવામાં આવેલ છે અથવા “આયતિ' પદમાંથી “તિ' જુદુ કરવાથી બાકી રહેલ “આય'નો અર્થ “લાભ' પણ થાય છે. જે નિદાનકર્મ વડે જન્મ-મરણનો લાભ થાય છે તેનું જ નામ “આયતિ' પ્રસ્તુત ઉદેશના પ્રારંભમાં ઉપોદ્દાત (ભૂમિકા) રૂપે સંક્ષેપમાં રાજગૃહ નગરના ગુણશીલ નામે ચૈત્યમાં ભગવાન મહાવીરે પદાર્પણ કરવાનું તથા તેમના દર્શન માટે જનતા એકત્ર થવાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સંબંધી વિસ્તૃત વર્ણન ઔપપાતિક Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ અંગબાહ્ય આગમો ઉપાંગમાં મળે છે. ઔપપાતિકના આખ્યાન અને પ્રસ્તુત સૂત્રના કથાનકમાં એટલું જ અંતર છે કે ઔપપાતિકમાં નગરીનું નામ ચંપા છે અને રાજાનું નામ કોણિક, જયારે પ્રસ્તુત ઉદ્દેશમાં નગરીનું નામ રાજગૃહ અને રાજાનું નામ શ્રેણિક છે. ભગવાન મહાવીરના દર્શન માટે આવેલ રાજા શ્રેણિક તથા રાણી ચેલણાની ઐશ્વર્યપૂર્ણ સુખસમૃદ્ધિ જોઈને મહાવીરના દરેક નિગ્રંથ-નિગ્રંથી–સાધુ-સાધ્વીના મનમાં એક સંકલ્પ પેદા થયો. સાધુઓ વિચારવા લાગ્યા કે આપણે દેવલોકના દેવોને જોયા નથી. આપણા માટે તો શ્રેણિક જ સાક્ષાત્ દેવ છે. જો આ તપ, નિયમ, બ્રહ્મચર્ય વગેરેનું કોઈ ફળ હોય તો આપણે પણ ભવિષ્યમાં આવા જ પ્રકારના ઉદાર કામ-ભોગોનો ભોગ કરતાં-કરતાં વિચરીએ. મહારાણી ચેલણાને જોઈને સાધ્વીઓ વિચારવા લાગી કે આ ચલણા દેવી અત્યંત ઐશ્વર્યશાલિની છે કે જે વિવિધ પ્રકારના અલંકારો વડે આભૂષિત થઈ રાજા શ્રેણિકની સાથે ઉત્તમોત્તમ ભોગોનો ભોગ કરતી વિચરે છે. આપણે દેવલોકની દેવીઓ જોઈ નથી. આપણા માટે તો આ જ સાક્ષાત દેવી છે. જો અમારા આ ચારિત્ર, તપ, નિયમ, બ્રહ્મચર્ય વગેરેનું કોઈ ફળ હોય તો અમે પણ આગામી જન્મમાં આ જ પ્રકારના ઉત્તમ ભોગો ભોગવતી વિચરીએ. ભગવાન મહાવીરે તે સાધુ-સાધ્વીઓના ચિત્તની ભાવના જાણી લીધી. ભગવાન તેમને બોલાવી કહેવા લાગ્યા – શ્રેણિક રાજા અને ચેલણાદેવીને જોઈને તમને બધાને ચિત્તમાં આવા પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો છે વગેરે. શું આ વાત બરાબર છે? ઉપસ્થિત સાધુ-સાધ્વીઓએ સવિનય ઉત્તર આપ્યો – હા ભગવંત ! આ વાત સાચી છે. ત્યારપછી ભગવાન મહાવીર કહેવા લાગ્યા – હે દીર્ઘજીવી શ્રમણો ! મેં પ્રતિપાદિત કરેલ આ નિગ્રંથ-પ્રવચન સત્ય છે, સર્વોત્તમ છે, પ્રતિપૂર્ણ છે. અદ્વિતીય છે, સંશુદ્ધ છે, મોક્ષપ્રદ છે, માયા વગેરે શલ્યોનો વિનાશ કરનાર છે, સિદ્ધિમાર્ગ છે, મુક્તિમાર્ગ છે, નિર્માણમાર્ગ છે, નિર્વાણમાર્ગ છે, યથાર્થ છે, સંદેહરહિત છે, અવ્યવચ્છિન્ન છે, બધા પ્રકારના દુ:ખોને ક્ષીણ કરનાર છે. આ માર્ગમાં રહેલા જીવો સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે, બધા દુ:ખોનો નાશ કરે છે. આ પ્રકારના ધર્મમાર્ગમાં પ્રવૃત્ત સાધુઓ પણ કામવિકારોના ઉદયને કારણે ઐશ્વર્યશાળી વ્યક્તિઓને જોઈને પોતાના માર્ગથી વિચલિત થઈ જાય છે અને પોતાના ચિત્તમાં સંકલ્પ– નિદાન કરે છે કે જો આ તપ, નિયમ, બ્રહ્મચર્ય આદિનું કોઈ ફળ છે વગેરે. હે ચિરંજીવી શ્રમણો ! આ પ્રકારનું નિદાન-કર્મ કરનાર નિગ્રંથ તે કર્મનું પ્રાયશ્ચિત્ત કર્યા વિના મૃત્યુ પામી અંત સમયે કોઈ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. મહર્તિક અને ચિર સ્થિતિવાળા દેવલોકમાં તે મહદ્ધિક અને ચિર સ્થિતિવાળો દેવ બની જાય છે. ત્યાંથી આયુષ્યનો ક્ષય થતાં દેવશરીરનો ત્યાગ કરીને મનુષ્યલોકમાં ઐશ્વર્યયુક્ત કુળ (ઉગ્નકુળ, મહામાતૃકકુળ, ભોગકુળ)માં પુત્રરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં Page #227 -------------------------------------------------------------------------- ________________ દશાશ્રુતસ્કંધ ૧૯૧ તે રૂપસંપન્ન અને સુકોમળ હાથ-પગવાળો બાળક થાય છે. ત્યારબાદ તે બાલભાવ છોડીને વિજ્ઞાન-પ્રતિપન્ન યુવક બને છે અને સ્વાભાવિકપણે જ મૈતૃક સંપત્તિનો અધિકા૨ી બની જાય છે. પછી તે ઘરમાં પ્રવેશતી વેળાએ કે ઘરની બહાર નીકળતી વેળાએ અનેક દાસ-દાસીઓથી ઘેરાયેલો રહે છે. શું આ પ્રકારના પુરુષોને શ્રમણ કે બ્રાહ્મણ (માહણ) કેવલિ-પ્રતિપાદિત ધર્મ સંભળાવી શકે છે? હા, સંભળાવી શકે છે. પરંતુ, એ સંભવિત નથી કે તે તે ધર્મને સાંભળે, કારણ કે તે એવા ધર્મને સાંભળવાને યોગ્ય હોતો નથી. તે કેવો હોય છે ? ઉત્કટ ઈચ્છાઓવાળો, મોટા મોટા કાર્યોનો પ્રારંભ કરનારો, અધાર્મિક અને દુર્લભ-બોધિ હોય છે. હે ચિરંજીવી શ્રમણો ! આ રીતે નિદાનકર્મનું પાપરૂપી ફળ હોય છે જેના કારણે આત્મામાં કેવલિ-પ્રતિપાદિત ધર્મને સાંભળવાની શક્તિ રહેતી નથી. નિગ્રંથીના નિદાન-કર્મ વિષયમાં પણ આ જ વાત સમજવી જોઈએ. તે દેવીરૂપ અને બાલિકારૂપમાં ઉત્પન્ન થઈ સાંસારિક ઐશ્વર્યોનો ભોગ કરે છે. એ રીતે સૂત્રકારે પ્રસ્તુત ઉદ્દેશમાં નવ પ્રકારના નિદાન-કર્મોનું વર્ણન કર્યું છે અને અંતમાં બતાવ્યું છે કે આ નિગ્રંથ-પ્રવચન બધા પ્રકારના દુ:ખોનો અંત કરનાર છે. પ્રવચનમાં શ્રદ્ધા રાખનાર સંયમની સાધના કરતો કરતો બધા રાગોમાંથી વિરક્ત થાય છે, બધા પ્રકારની આસક્તિને છોડીને ચારિત્રમાં દૃઢ બને છે. પરિણામે તે બધા પ્રકારના દુ:ખોનો અંત કરી શાશ્વત સિદ્ધિ-સુખ પ્રાપ્ત કરે છે. * * * Page #228 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકરણ બૃહત્કલ્પ બૃહત્કલ્પસૂત્ર'નું છેદસૂત્રોમાં અતિ મહત્ત્વપૂર્ણ સ્થાન છે, તેમાં કોઈ સંદેહ નથી. બીજાં છેદસૂત્રોની માફક આમાં પણ સાધુઓના આચાર-વિષયક વિધિ-નિષેધ, ઉત્સર્ગ-અપવાદ, તપ-પ્રાયશ્ચિત્ત વગેરેનો વિચાર કરવામાં આવ્યો છે. આમાં છ ઉદેશ છે જે બધા ગદ્યમાં છે. આ ગ્રંથ ૪૭૫ શ્લોકપ્રમાણ છે. પ્રથમ ઉદેશ : પ્રથમ ઉદેશમાં પચાસ સૂત્રો છે. પ્રથમ પાંચ સૂત્રો તાલપ્રલંબ વિષયક છે. પ્રથમ તાલપ્રલંબ વિષયક સૂત્રમાં નિગ્રંથ-નિગ્રંથીઓ માટે તાલ અને પ્રલંબ ગ્રહણ કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથનિગ્રંથીઓ માટે અભિન્ન અર્થાત્ અવિદારિત, આમ અર્થાત્ અપક્વ, તાલ અર્થાત્ તાડફળ તથા પ્રલંબ અર્થાત્ મૂળનું પ્રતિગ્રહણ અર્થાત્ આદાન, અકથ્ય અર્થાત નિષિદ્ધ છે (નો પૂરૂ નિથાળ વા નિ થી વાં મામે તીનપત્ત બન્ને ડિદિત). શ્રમણ-શ્રમણીઓએ અખંડ અને અપક્વ તાડફળ તથા તાડમૂળ ગ્રહણ કરવા ન જોઈએ. બીજા સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથ-નિગ્રંથીઓ માટે ૧. (અ) સં. જિનેન્દ્રમણિ, હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ૧૯૭૭; રતનલાલ દોશી, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના, ૧૯૮૦. (આ) ગુજરાતી અનુવાદ સહિત – ડૉ. જીવરાજ ઘેલાભાઈ દોશી, અમદાવાદ, ઈ.સ. ૧૯૧૫. (ઈ) હિન્દી અનુવાદ (અમોલક ઋષિ કૃત) સહિત, સુખદેવસહાય જ્વાલાપ્રસાદ જૌહરી, હૈદરાબાદ, વી.સં. ૨૪૪૫. (ઈ) અજ્ઞાત ટીકા સહિત – સમ્યફ જ્ઞાન પ્રચારક મંડલ, જોધપુર. () નિર્યુક્તિ લઘુભાષ્ય તથા મલયગિરિ-ક્ષેમકીર્તિકૃત ટીકા સહિત – જૈન આત્માનંદ સભા, ભાવનગર, ઈ.સ. ૧૯૩૩-૪૨. (9) ચૂર્ણિ, ભાષ્યાવચૂરિ સહિત (ઘાસીલાલજી કૃત) અખિલ ભારતીય સ્થાનકવાસી જે. જૈન. શાસ્ત્રોદ્ધારક સમિતિ, અમદાવાદ, ૧૯૬૯. ૨. હિંદી તેમ જ ગુજરાતી અનુવાદોમાં આ સૂત્રનો અર્થ બરાબર જણાતો નથી. આમાં તાલનો અર્થ કેળા અને પ્રલંબનો અર્થ લાંબી આકૃતિવાળું કરવામાં આવેલ છે. ટીકાકાર આચાર્ય Page #229 -------------------------------------------------------------------------- ________________ બૃહકલ્પ ૧૯૩ વિદારિત અપક્વ તાલ-પ્રલંબ લેવાનું કપ્ય અર્થાત વિહિત છે. ત્રીજા સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથો માટે પક્વ તાલ-પ્રલંબ, ભલે વિદારિત હોય કે અવિદારિત, ગ્રહણ કરવાનું કહ્યું છે. ચતુર્થ સૂત્રમાં એમ બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથ માટે અભિન્ન – અવિદારિત પક્વ તાલ-પ્રલંબ લેવાનું અકથ્ય છે. પંચમ સૂત્રમાં એમ બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથો માટે વિદારિત પક્વ તાલપ્રલંબ ગ્રહણ કરવાનું કલ્યું છે પરંતુ જે વિધિપૂર્વક વિદારિત કરવામાં આવેલ હોય તે જ, નહિ કે અવિધિપૂર્વક વિદારિત કરેલ. માસકવિષયક પ્રથમ સૂત્રમાં સાધુઓના ઋતુબદ્ધ કાળ અર્થાત્ હેમંત અને ગ્રીષ્મ ઋતુના આઠ મહિનામાં એક સ્થાને રહેવાના અધિકતમ સમયનું વિધાન કરવામાં આવેલ છે. સાધુઓએ સપરિક્ષેપ અર્થાત્ સપ્રાચીર તથા અબાહિરિક અર્થાત પ્રાચીરની બહારની વસ્તી રહિત (પ્રચીરબહિર્વતિની ગૃહપદ્ધતિ રહિત) નીચેનાં સોળ પ્રકારનાં સ્થાનોમાં વર્ષાઋતુ છોડીને બાકીના સમયમાં એકસાથે એક મહિનાથી અધિક રહેવું અકથ્ય છે : ૧. ગ્રામ (જયાં રાજય તરફથી અઢાર પ્રકારના કર લેવામાં આવતા હોય). ૨. નગર (જ્યાં અઢાર પ્રકારના કરોમાંથી એકપણ પ્રકારનો કર લેવામાં ન આવતો હોય). ૩. ખેટ (જેની ચારે બાજુ માટીની દીવાલ હોય). ૪. કર્બટ (જયાં ઓછા લોકો રહેતા હોય). ૫. મડંબ (જની પછી અઢી કોશ સુધી કોઈ ગામ ન હોય). ૬. પત્તન (જ્યાં બધી વસ્તુઓ મળતી હોય). ૭. આકર (જયાં ધાતુની ખાણો હોય). ૮. દ્રોણમુખ (જયાં જળ અને સ્થળને જોડનાર માર્ગ હોય, જયાં સમુદ્રમાર્ગે આવતો માલ ઉતરતો હોય). ૯. નિગમ (જ્યાં વ્યાપારીઓની વસ્તી હોય). ૧૦. રાજધાની (જયાં રાજાના રહેવાના મહેલો વગેરે હોય). ૧૧. આશ્રમ (જ્યાં તપસ્વીઓ વગેરે રહેતા હોય). ક્ષેમકીર્તિએ મૂળ શબ્દોનો અર્થ આવી રીતે કર્યો છે – નો તે – , નિસ્થાનાં - साधूनां, निर्ग्रन्थीनां - साध्वीनां, आमं - अपक्वं तलः - वृक्षविशेषस्तत्र भवं तालं ૫ – તાતwત્ત, પ્રર્ષ નતે તિ પ્રતā – મૂર્વ, તાd a pવં ૨ તાતપ્રર્વ સાહીદ્ધદઃ, अभिन्नं - द्रव्यतो अविदारितं भावतोऽव्यपगतजीवं, प्रतिग्रहीतुं - आदातुमित्यर्थः । Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ અંગબાહ્ય આગમો ૧૨. નિવેશ – સન્નિવેશ (જયાં સાર્થવાહો આવીને ઉતરતા હોય). ૧૩. સમ્બાધ-સંબાહ(જ્યાં ખેડૂતો રહેતા હોય અથવા બીજા ગામના લોકો પોતાના ગામથી ધન વગેરેની રક્ષા માટે પર્વત, ગુફા વગેરેમાં આવીને ઉતર્યા હોય). ૧૪. ઘોષ (જ્યાં ગાય વગેરે ચરાવનારા ગૂજર લોકો – ગોવાળો રહેતા હોય). ૧૫. અંશિકા (ગામનો અર્થ, ત્રીજો કે ચોથો ભાગ). ૧૬. પુટભેદન (જયાં બહારગામના વેપારીઓ પોતાની વસ્તુઓ વેચવા આવતા હોય). માસકલ્પવિષયક બીજા સૂત્રમાં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે ગ્રામ, નગર વગેરે જો પ્રાચીરની અંદર અને બહાર એમ બે વિભાગોમાં વસેલ હોય તો ઋતુબદ્ધકાલમાં અંદર અને બહાર મળી એક ક્ષેત્રમાં નિગ્રંથ એકસાથે બે મહિના સુધી (એક માસ અંદર અને એક માસ બહાર) રહી શકે છે. અંદર રહેતી વખતે ભિક્ષાચર્યા વગેરે અંદર અને બહાર રહેતી વખતે ભિક્ષાચર્યા વગેરે બહાર જ કરવી જોઈએ. નિર્ચથીઓ માટે આ મર્યાદા બમણી કરવામાં આવી છે. બહારની વસતિ રહિત ગામ વગેરેમાં નિગ્રંથીઓ ઋતુબદ્ધકાળમાં લગાતાર બે મહિના સુધી રહી શકે છે. બહારની વસતિવાળા ગ્રામ આદિમાં બે મહિના અંદર અને બે મહિના બહાર એમ કુલ ચાર મહિના સુધી એક ક્ષેત્રમાં રહી શકે છે. ભિક્ષાચર્યા વગેરેના નિયમો નિગ્રંથોની જેવા જ સમજવા જોઈએ. વગડા વિષયક પ્રથમ સૂત્રમાં એક પરિક્ષેપ (પ્રાચીર) અને એક દ્વારવાળા ગ્રામ વગેરેમાં નિગ્રંથ-નિગ્રંથીઓને એકસાથે (એક જ સમયે) રહેવાનો નિષેધ કરવામાં આવ્યો છે. બીજા સૂત્રમાં આ જ વાતનું વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. અનેક પરિક્ષેપ – અનેક દ્વારવાળા ગ્રામ વગેરેમાં સાધુ-સાધ્વીઓએ એક જ સમયે રહેવાનું કલ્પ છે. આપણગૃહાદિસંબંધી સૂત્રોમાં બતાવવામાં આવ્યું છે કે જે ઉપાશ્રયની ચારે બાજુ દુકાનો હોય, જે ગલીના નાકે હોય, જ્યાં ત્રણ, ચાર અથવા છ રસ્તા મળતા હોય, જેની એક બાજુ અથવા બંને બાજુ દુકાનો હોય ત્યાં સાધ્વીઓએ ન રહેવું જોઈએ. સાધુ આવા પ્રકારના સ્થાનમાં યતનાપૂર્વક રહી શકે છે. ૨ ૧.આ શબ્દોની વ્યાખ્યા માટે જુઓ – બૃહત્કલ્પ-લઘુભાષ્ય, ગાથા ૧૦૮૦-૧૦૯૩. २.नो कप्पइ निग्गंथिणं आवणगिहंसि वा रच्छामुहंसि वा सिंघाडगंसि वा चउक्कंसि वा चच्चरंसि वा अंतरावणंसि वा वत्थए । कप्पई निग्गंथाणं आवणगिहंसि वा जाव अंतरावणंसि वा वत्थए । Page #231 -------------------------------------------------------------------------- ________________ બૃહત્કલ્પ ૧૯૫ અપાવૃતદ્વારોપાશ્રયવિષયક સૂત્રોમાં બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથીઓએ દરવાજા વિનાના ખુલ્લા ઉપાશ્રયમાં રહેવું ન જોઈએ. કારયુક્ત ઉપાશ્રય ન મળે તો તેવી દશામાં અપવાદરૂપે પડદો લગાવીને રહેવું કહ્યું છે. નિગ્રંથોએ દરવાજા વિનાના ઉપાશ્રયમાં રહેવાનું કહ્યું છે. ઘટીમાત્રપ્રકૃત સૂત્રોમાં નિગ્રંથીઓ માટે ઘટીમાત્રક (ઘડો) રાખવાનું તથા તેનો ઉપયોગ કરવાનું વિધાન કરવામાં આવ્યું છે, જ્યારે નિગ્રંથો માટે ઘટ રાખવાનો તથા તેનો ઉપયોગ કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. ચિલિમિલિકામકૃતસૂત્રમાં નિગ્રંથ-નિગ્રંથીઓને કપડાંની ચિલિમિલિકા (પડદો) રાખવાની તથા તેનો ઉપયોગ કરવાની અનુમતિ આપવામાં આવી છે. દકતીરપ્રકૃત સૂત્રમાં સૂત્રકારે બતાવ્યું છે કે નિગ્રંથ-નિગ્રંથીઓએ જળાશય વગેરેની સમીપે અથવા કિનારે ઊભા રહેવું, બેસવું, આડા પડખે થવું, સૂવું, ખાવું-પીવું. સ્વાધ્યાય-ધ્યાન-કાયોત્સર્ગ વગેરે કરવાનું અકથ્ય છે. ચિત્રકર્મવિષયક સૂત્રોમાં બતાવવામાં આવ્યું છે કેનિગ્રંથ-નિગ્રંથીઓએ ચિત્રકર્મયુક્ત ઉપાશ્રયમાં ન રહેવું જોઈએ પણ ચિત્રકર્મરહિત ઉપાશ્રયમાં રહેવું જોઈએ. - સાગારિકનિશ્રાવિષયક સૂત્રોમાં બતાવાયું છે કે નિગ્રંથીઓ સાગારિક- શય્યાતર – વસતિપતિ – મકાનમાલિકની નિશ્રા – રક્ષાની સ્વીકૃતિ વિના ક્યાંય પણ રહેવું ન જોઈએ. તેમણે સાગારિકની નિશ્રામાં જ રહેવું કલ્પ છે. નિગ્રંથ સાગારિકની નિશ્રા અથવા અનિશ્રામાં રહી શકે છે. - સાગરિકોપાશ્રયપ્રકૃત સૂત્રોમાં એ વાતનો વિચાર કરવામાં આવ્યો છે કે નિગ્રંથનિગ્રંથીઓએ સાગારિક સાથે સંબંધ રાખનારા– સ્ત્રી-પુરુષ, ધન-ધાન્ય વગેરેથી યુક્ત – ઉપાશ્રયમાં ન રહેવું જોઈએ. નિગ્રંથોએ સ્ત્રી-સાગારિકના ઉપાશ્રયમાં રહેવું અકથ્ય છે. નિગ્રંથીઓએ પુરુષ-સાગારિકના ઉપાશ્રયમાં રહેવું અકથ્ય છે. બીજા શબ્દોમાં નિગ્રંથોએ પુરુષ-સાગારિક અને નિગ્રંથીઓએ સ્ત્રી-સાગરિકના ઉપાશ્રયમાં રહેવું કલ્પ છે. પ્રતિબદ્ધશપ્યાપ્રકૃત સૂત્રોમાં બતાવવામાં આવ્યું છે કે જે ઉપાશ્રયની નજીક (અડીને –પ્રતિબદ્ધ) ગૃહસ્થો રહેતા હોય ત્યાં સાધુઓએ ન રહેવું જોઈએ, પરંતુ સાધ્વીઓ રહી શકે છે. ગૃહપતિકુલમધ્યવાસવિષયક સૂત્રોમાં નિગ્રંથો અને નિગ્રંથીઓ બંને માટે ગૃહપતિકુલમધ્યવાસ અર્થાત ગૃહસ્થના ઘરની વચ્ચોવચ થઈને જવા-આવવાનું કામ પડતું હોય તો તેવા સ્થાનમાં રહેવાનો નિષેધ કરવામાં આવ્યો છે. ૧. “પટીમાત્ર' પરીસંસ્થાને મુન્જામગનવિશેષ .... | – ક્ષેમકીર્તિકૃત વૃત્તિ, પૃ. ૬૭૦. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ અંગબાહ્ય આગમો અધિકરણ (અથવા પ્રાભૃત અથવા વ્યવશમન) સંબંધી સૂત્રમાં સૂત્રકારે તે વાત તરફ ધ્યાન દોર્યું છે કે ભિક્ષુ આચાર્ય, ઉપાધ્યાય, ભિક્ષુણી વગેરેનો એકબીજા સાથે ઝઘડો થયો હોય તો અન્યોન્ય ઉપશમ ધારણ કરી કલહ – અધિકરણ – પ્રાભૃત શાંત કરી લેવું જોઈએ. જે શાંત હોય છે તે આરાધક છે અને જે શાંત નથી હોતો તે વિરાધક છે. શ્રમણધર્મનો સાર ઉપશમ અર્થાત્ શાંતિ છે : ૩વસમારં સીમા | ચારસંબંધી પ્રથમ સૂત્રમાં નિગ્રંથ-નિગ્રંથીઓ માટે ચાતુર્માસ – વર્ષાઋતુમાં એક ગામથી બીજે ગામ જવાનો નિષેધ કરવામાં આવ્યો છે તથા દ્વિતીય સૂત્રમાં હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં વિહાર કરવાનું – વિચારવાનું વિધાન કરવામાં આવ્યું - વૈરાજયવિષયક સૂત્રમાં નિર્ગથ-નિગ્રંથીઓએ વિરુદ્ધ રાજ્ય – પ્રતિકૂળ ક્ષેત્રમાં તત્કાળ – તરત આવવા-જવાની મનાઈ કરવામાં આવી છે. જે નિગ્રંથ-નિગ્રંથી વિરુદ્ધ રાજ્યમાં તરત આવે-જાય છે અથવા આવનાર-જનારનું અનુમોદન કરે છે તેણે ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. અવગ્રહસંબંધી પ્રથમ બે સૂત્રોમાં એમ બતાવવામાં આવ્યું છે કે ગૃહપતિને ત્યાં ભિક્ષાચર્યા માટે ગયેલ અથવા સ્થડિલભૂમિ – શૌચ વગેરે માટે જતા નિગ્રંથને કોઈ વસ્ત્ર, પાત્ર, કંબલ વગેરે માટે ઉપનિમંત્રિત કરે તો તેણે વસ્ત્રાદિ ઉપકરણ લઈ પોતાના આચાર્ય પાસે ઉપસ્થિત થવું જોઈએ અને આચાર્યની સ્વીકૃતિ પ્રાપ્ત થાય ત્યારે જ તેને પોતાની પાસે રાખવું જોઈએ. તૃતીય અને ચતુર્થ સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે ગૃહપતિને ત્યાં ભિક્ષાચર્યા માટે ગયેલી અથવા સ્પંડિલ ભૂમિ વગેરે માટે નીકળેલી નિગ્રંથીને કોઈ વસ્ત્રાદિ માટે ઉપનિમંત્રિત કરે તો તેણે વસ્ત્રાદિ ગ્રહણ કરી પ્રવતિની પાસે ઉપસ્થિત થવું જોઈએ અને તેમની સ્વીકૃતિ મેળવીને જ તે ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ. રાત્રિભક્તવિષયક પ્રથમ સૂત્રમાં સાધુ-સાધ્વીઓ માટે રાત્રિના સમયે અથવા વિકાલ – અસમયે આહાર વગેરે ગ્રહણ કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. દ્વિતીય સૂત્રમાં આપવાદિક કારણોથી પૂર્વપ્રતિલિખિત (નિરીક્ષિત) વસતિ, શવ્યા, સંસ્મારક વગેરેના ગ્રહણની છૂટ આપવામાં આવી છે. ૧. ધરમાં ત્રઃ મૃ ત્યેોડ | – ક્ષેમકીર્તિકૃત વૃત્તિ, પૃ. ૭૫૧. વિનયપિટકમાં અધિકરણનું સુંદર વિવેચન કરવામાં આવ્યું છે. તે માટે જિજ્ઞાસુઓએ તેનું ચાર અધિકરણવાળું પ્રકરણ જોવું જોઈએ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ રાત્રિવસ્ત્રાદિગ્રહણપ્રકૃત સૂત્રમાં સાધુ-સાધ્વીઓ માટે રાતના સમયે અથવા વિકાલમાં વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ આદિ ગ્રહણ કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. બૃહત્કલ્પ હતાહૃતિકાપ્રકૃતસૂત્ર રાત્રિવસ્ત્રાદિગ્રહણપ્રકૃતસૂત્રના અપવાદરૂપે છે. તેમાં એમ બતાવવામાં આવ્યું છે કે સાધુ અથવા સાધ્વીનાં વસ્ત્રાદિક ચોર ઉપાડી જાય અને તે પાછાં મળી જાય તો તે રાત્રિસમયે પણ લઈ લેવાં જોઈએ. તે વસ્ત્રો જો ચોરોએ પહેર્યાં હોય, ધોયાં હોય, રંગ્યાં હોય, ઘૂંટ્યાં હોય, મુલાયમ કર્યાં હોય, ધૂપ વગેરેથી સુગંધિત કર્યાં હોય તો પણ તે લેવાયોગ્ય છે. અધ્વગમનસૂત્રમાં નિગ્રંથ-નિગ્રંથીઓને રાત્રિગમન અથવા વિકાલ-વિહારનો નિષેધ કરવામાં આવ્યો છે. એ જ રીતે આગળના સૂત્રમાં એમ બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથ-નિગ્રંથીઓએ રાત્રિ અથવા વિકાલ સમયે સંખડિમાં અર્થાત્ ઉજાણી વગેરેના અવસરે તે નિમિત્તે ક્યાંય ન જવું જોઈએ. વિચારભૂમિ અને વિહારભૂમિ સંબંધી પ્રથમ સૂત્રમાં આચાર્યે બતાવ્યું છે કે નિગ્રંથોએ રાત્રિસમયે વિચારભૂમિ-ઉચ્ચારભૂમિ અથવા વિહારભૂમિ-સ્વાધ્યાયભૂમિમાં એકલાં જવું કલ્પતું નથી. જરૂર પડતાં તેમણે પોતાની સાથે અન્ય સાધુ અથવા સાધુઓને લઈને જ બહાર નીકળવું જોઈએ. એ જ રીતે નિગ્રંથીઓએ પણ રાત્રિસમયે એકલા બહાર ન જવું જોઈએ. આર્યક્ષેત્રવિષયક સૂત્રમાં નિગ્રંથ-નિગ્રંથીઓના વિહારયોગ્ય ક્ષેત્રની મર્યાદા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પૂર્વમાં અંગદેશ (ચંપા) અને મગધ દેશ (રાજગૃહ) સુધી, દક્ષિણમાં કૌશામ્બી સુધી, પશ્ચિમમાં સ્થૂણા સુધી અને ઉત્તરમાં કુણાલ સુધી આર્યક્ષેત્ર છે. આથી સાધુ-સાધ્વીઓએ આ જ ક્ષેત્રમાં વિચરવું જોઈએ. આનાથી બહાર જવાથી જ્ઞાન-દર્શન-ચરિત્રની હાનિ થાય છે. જ્ઞાન-દર્શન-ચરિત્રની વૃદ્ધિનો નિશ્ચય હોવાની અવસ્થામાં આર્યક્ષેત્રથી બહાર જવામાં કોઈ હાનિ નથી. અહીં સુધી પ્રથમ ઉદ્દેશ્યનો અધિકાર છે. દ્વિતીય ઉદ્દેશ : દ્વિતીય ઉદ્દેશમાં પચ્ચીસ સૂત્રો છે. સહુ પ્રથમ ઉપાશ્રયવિષયક બાર સૂત્રોમાં આચાર્યે બતાવ્યું છે કે જે ઉપાશ્રયમાં શાલિ, વ્રીહિ, મુદ્ગ, માષ, તિલ, કુલત્થ, ગોધૂમ, યવ, યવયવ વગેરે વિખરાયેલાં પડ્યાં હોય ત્યાં નિગ્રંથ-નિગ્રંથીઓએ થોડાક સમય માટે પણ રહેવું ન જોઈએ. જે ઉપાશ્રયમાં શાલિ વગેરે વિખરાયેલાં ન હોય પરંતુ એકબાજુ ઢગલાંરૂપે પડ્યાં હોય ત્યાં હેમંત અને ગ્રીષ્મઋતુમાં સાધુ અં.આ. -૧૫ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ અંગબાહ્ય આગમો સાધ્વીઓએ રહેવું કહ્યું છે. જે ઉપાશ્રયમાં શાલિ વગેરે એકબાજુ ઢગલાંરૂપે પડ્યાં ન હોય પરંતુ કોઠાગાર વગેરેમાં સુરક્ષિત રૂપે રાખવામાં આવ્યા હોય ત્યાં સાધુસાધ્વીઓએ વર્ષાઋતુમાં રહેવું કપ્ય છે. જયાં સુરાવિકટ તથા સૌવીરવિકટં કુંભ વગેરે રાખ્યા હોય ત્યાં નિર્ચથ-નિગ્રંથીઓએ થોડાક સમય માટે પણ રહેવું અકથ્ય છે. જો કોઈ કારણે શોધવા છતાં પણ અન્ય ઉપાશ્રય ન મળે તો એક કે બે રાત્રિ માટે ત્યાં રહી શકાય છે, તેનાથી અધિક નહિ. અધિક રહેવાથી છેદ અથવા પરિહાર પ્રાયશ્ચિત્ત આવે છે. એ જ રીતે શીતલોદકવિકટકુંભ, ઉષ્ણોદકવિકટ કુંભ, જયોતિ, દીપક આદિ યુક્ત ઉપાશ્રયમાં રહેવાનો પણ નિષેધ છે. જે ઉપાશ્રયમાં પિંડ, લોચક, ક્ષીર, દધિ, નવનીત, સર્પિષ, તૈલ, ફાણિત, પૂપ, શક્કુલિકા, શિખરિણી વગેરે વિખરાયેલાં પડ્યાં હોય ત્યાં સાધુ-સાધ્વીઓએ રહેવું અકથ્ય છે. જ્યાં પિંડ વગેરે એક બાજુ રાખેલા હોય ત્યાં હેમંત કે ગ્રીષ્મ ઋતુમાં રહેવામાં કોઈ બાદ નથી અને જ્યાં તે કોષ્ઠાગાર વગેરેમાં સુવ્યવસ્થિત રૂપે રાખ્યા હોય ત્યાં વર્ષાઋતુમાં રહેવામાં પણ કોઈ બાધ નથી. નિગ્રંથીઓએ આગમનગૃહ (પથિક વગેરેના આગમન માટે બનેલા), વિકૃતગૃહ (અનાવૃતગૃહ), વંશીમૂલ, વૃક્ષમૂલ અથવા અબ્રાવકાશ (આકાશ)માં રહેવું અકથ્ય છે. નિગ્રંથ આગમનગૃહ વગેરેમાં રહી શકે છે. પછીના સૂત્રોમાં બતાવવામાં આવ્યું છે કે એક અથવા અનેક સાગરિકો – વસતિ-ઉપાશ્રયના માલિકોને ત્યાંથી સાધુ-સાધ્વીઓએ આહારાદિ ન લેવાં જોઈએ. જો અનેક સાગારિકોમાંથી કોઈ એકને ખાસ સાગારિક રૂપમાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હોય તો તેને છોડી બાકીનાને ત્યાંથી આહાર વગેરે લઈ શકાય છે. ઘરની બહાર કાઢેલ કે અન્ય કોઈના આહાર સાથે ભેળવેલો અથવા ન ભેળવેલો સાગરિકના ઘરનો આહાર અર્થાત બહિર્નિષ્ઠામિત (બહિરનિસ્કૃત) સંસ્કૃષ્ટ અથવા ૧. યુવટ પિનિષત્ર સૌવીરવિવારં તુ પિષ્ટવરેંડવિચૈત્રમ્ | – મકીર્તિકૃત વૃત્તિ, (પૃ. ૯૫૨. ૨. “છો વા, પટ્ટરિવાદિઃ “રહારો વા' માસનપુર્ણપવિશેષો મવતિ સૂવા ! – એજન. ૩. ઉપાડો રમ-યશન િ “પુત્ર' વિશMદરખપુરું પપેતતિ થાવ..... | “યg' યા પુનાનક વાવાવ “નુતનું' કહીનુપત ર્ તો નામ નાનીદિ... – એજન, પૃ. ૯૬૮. Page #235 -------------------------------------------------------------------------- ________________ બૃહત્કલ્પ ૧૯૯ અસંસૃષ્ટ સાગારિકર્પિડ સાધુ-સાધ્વીઓ માટે અકલ્પ્ય છે. હા, ઘરની બહાર કાઢેલ તથા બીજા કોઈના પિંડની સાથે મેળવેલ સાગારિકપિંડ તેમના માટે કલ્પ્ય છે. જે નિગ્રંથ-નિગ્રંથીઓ ઘરની બહાર કાઢેલા સાગારિકના અસંસૃષ્ટ પિંડને સંસૃષ્ટ પિંડ કરે છે અથવા તેને માટે સંમતિ પ્રદાન કરે છે તેઓ ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્તના ભાગી બને છે. કોઈને ત્યાંથી સાગારિક માટે આહાર વગેરે આવેલ હોય અને સાગારિકે તેનો સ્વીકાર કર્યો હોય તો તે સાધુ-સાધ્વીઓ માટે અકલ્પ્ય છે. જો સાગારિક તેનો અસ્વીકાર કરે તો તે પિંડ સાધુ-સાધ્વીઓ માટે કલ્પ્ય છે. સાગારિકની નિહૃતિકા (બીજાને ત્યાં મોકલેલ સામગ્રી) બીજાએ સ્વીકારી ન હોય તો તે નિગ્રંથ-નિગ્રંથીઓ માટે અકલ્પ્ય છે પરંતુ જો તેણે તે સ્વીકારી લીધી હોય તો તે કલ્પ્ય છે. સાગારિકનો અંશ અર્થાત્ હિસ્સો અલગ ન કર્યો હોય તો બીજાનો આંશિક પિંડ પણ શ્રમણ-શ્રમણીઓ માટે અકલ્પ્ય છે. સાગારિકનો અંશ અલગ કર્યા પછી જ બીજાનો અંશ ગ્રહણીય બને છે. સાગારિકના કલાચાર્ય વગેરે પૂજ્ય પુરુષો માટે તૈયાર કરવામાં આવેલ પ્રતિહારિક અર્થાત્ પાછું વાળવા યોગ્ય અશનાદિ સાગારિક પોતે અથવા તેના પરિવારની કોઈ વ્યક્તિ સાધુ-સાધ્વીને દે તો તે અગ્રહણીય છે. એ જ રીતે આ પ્રકારનું અશનાદિક સાગારિકના પૂજ્ય પોતે દે તો પણ તે અકલ્પ્ય છે. પ્રતિહારિક અર્થાત્ પાછું ન વાળવા યોગ્ય અશનાદિ સાગારિક અથવા તેના પરિજનો દે તો અકલ્પ્ય છે પરંતુ જો સાગારિકના પૂજ્ય સ્વયં આપે તો કલ્પ્ય છે. નિગ્રંથ-નિગ્રંથીઓએ પાંચ પ્રકારના વસ્ત્ર ધારણ કરવા કલ્પ્ય છે : જાંગિક, ભાંગિક, સાનક, પોતક અને તિરીટપટ્ટક,પ ૧. ૨. 3. ૪. ૫. ઉ. ૨, સૂ. ૧૩-૧૬. ૩. ૨, સૂ. ૧૭-૧૮ . ૩. ૨, સૂ. ૧૯. ૩. ૨, સૂ. ૨૦-૨૩. ઉ. ૨, સૂ. ૨૪ (નક઼મા; ત્રસા: તવયવનિષ્પન્ન નાકૃમિમ્, સૂત્રે પ્રાતત્ત્વાર્ મારોપ:, भङ्गा अतसी तन्मयं भाङ्गिकम्, सनसूत्रमयं सानकम्, पोतकं कार्पासिकम्, तिरीट: वृक्षविशेषस्तस्य य पट्टो वल्कलक्षणस्तन्निष्पन्नं तिरीटपट्टकं नाम पञ्चमम्) . Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨00 અંગબાહ્ય આગમો શ્રમણ-શ્રમણીઓએ પાંચ પ્રકારના રજોહરણ રાખવાં કહ્યું છે : ઔર્ણિક, ઔષ્ટ્રિક, સાનક, વચ્ચકચિપ્પક અને મુંજચિપ્પક. ૧ તૃતીય ઉદ્દેશ : તૃતીય ઉદ્દેશમાં એકત્રીસ સૂત્રો છે. ઉપાશ્રયપ્રવેશ સંબંધી પ્રથમ સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથોએ નિર્ચથીઓના ઉપાશ્રયમાં બેસવું, સૂવું, ખાવું, પીવું, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ ઈત્યાદિ કંઈપણ ન કરવું જોઈએ. બીજા સૂત્રમાં નિગ્રંથીઓને નિગ્રંથોના ઉપાશ્રયમાં બેસવા વગેરેની મનાઈ કરવામાં આવી છે. ચર્મવિષયક ચાર સૂત્રોમાં બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથીઓએ રોમયુક્ત - સલોમ ચર્મનો બેસવા વગેરેમાં ઉપયોગ કરવો અકથ્ય છે. નિગ્રંથ ગૃહસ્થ દ્વારા પરિભોગ કરાયેલ – વપરાશમાં લીધેલ સલોમચર્ય એક રાત માટે પોતાના ઉપયોગમાં લઈ શકે છે. ત્યારપછી તે માલિકને પાછું આપી દેવું જોઈએ. નિગ્રંથનિગ્રંથીઓએ કૃત્ન અર્થાત્ વર્ણ-પ્રમાણાદિથી પ્રતિપૂર્ણ ચર્મનો ઉપયોગ અથવા સંગ્રહ કરવો અકથ્ય છે. તેઓ અકૃત્ન ચર્મનો ઉપયોગ અને સંગ્રહ કરી શકે વસ્ત્રવિષયક સૂત્રોમાં એમ બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથ-નિગ્રંથીઓએ કૃત્ન વસ્ત્રનો સંગ્રહ અને ઉપયોગ કરવો અકથ્ય છે. તેમણે અકૃત્ન વસ્ત્રનો સંગ્રહ અને ઉપયોગ કરવો જોઈએ. એ જ રીતે સાધુ -સાધ્વીઓએ અભિન્ન અર્થાતુ અછિન્ન (ફાડ્યું ન હોય તેવું) વસ્ત્ર કામમાં ન લેવું જોઈએ. નિગ્રંથીઓએ અવગ્રહાનંતક (ગુહ્યદેશપિધાનક – કચ્છ) તથા અવગ્રહપટ્ટક (ગુહ્યદેશાચ્છાદક - પટ્ટો)નો ઉપયોગ કરવો જોઈએ. ત્રિકૃત્ન વિષયક સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે પ્રથમ વાર દીક્ષા લેનાર સાધુએ રજોહરણ, ગોચ્છક, પ્રતિગ્રહ (પાત્ર) અને ત્રણ આખાં વસ્ત્રો (જેમાંથી આવશ્યક ઉપકરણ બની શકે) લઈને પ્રવ્રજિત થવું જોઈએ. પૂર્વપ્રવ્રજિત સાધુએ C ૧. ઉ. ૨, સૂ. ૨૫, (‘ગૌfí' »ળાનામૂળfપવૃત્તયું, ‘મણિ' ૩ષ્ટ્રોનિવૃત્ત, 'सानकं' सनवृक्षवल्काद् जातम्, 'वच्चकः' तृणविशेषस्तस्य 'चिप्पकः' कुट्टितः त्वग्रूपः तेन निष्पन्नं वच्चकचिप्पकम्, 'मुञ्जः' शरस्तम्बस्तस्य चिप्पकाद् जातं मुञ्जचिप्पकं नाम पञ्चममिति). ૨. રંગ વગેરે વડે જેનો આકાર આકર્ષક અને સુંદર બનાવવામાં આવ્યો હોય તે કૃત્ન વસ્ત્ર છે. અભિન્ન વસ્ત્ર ફાડ્યા વગરના આખા વસ્ત્રને કહે છે, ભલે તે સાદું હોય કે રંગીન, શ્રમણશ્રમણીઓ માટે આ બંને પ્રકારનાં વસ્ત્રોનો નિષેધ કરવામાં આવ્યો છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ' ૨૦૧ બૃહત્કલ્પ ફરી દીક્ષા ગ્રહણ કરતી વેળાએ નવી ઉપધિ ન લેતાં પોતાની જૂની ઉપધિ સાથે જ દીક્ષિત થવું જોઈએ. ચતુઃકૃત્સ્ન વિષયક સૂત્રમાં પહેલી વાર દીક્ષા લેનારી સાધ્વી માટે ચાર આખા વસ્ત્રોનું વિધાન કરવામાં આવ્યું છે. બાકીનાં ઉપકરણો સાધુનાં જેવાં જ સમજવાં જોઈએ. સમવસરણ સંબંધી સૂત્રમાં ગ્રંથકારે બતાવ્યું છે કે નિગ્રંથ-નિગ્રંથીઓએ પ્રથમ સમવસરણ અર્થાત્ વર્ષાકાળમાં વસ્ર ગ્રહણ કરવાનું અકલ્પ્ય છે. દ્વિતીય સમવસરણ અર્થાત્ ઋતુબદ્ધકાળ હેમંત-ગ્રીષ્મ ઋતુમાં વસ્ત્ર લેવામાં કોઈ દોષ નથી. યથારાત્મિકવસ્ત્રપરિભાજનપ્રકૃત સૂત્રમાં નિગ્રંથ-નિગ્રંથીઓએ યથારત્નાધિક અર્થાત્ નાના-મોટાની મર્યાદા અનુસાર વસ્ત્ર-વિભાજન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એ જ રીતે સૂત્રકારે યથારાત્વિક શય્યા-સંસ્તારક પરિભાજનનું પણ વિધાન કર્યું છે અને બતાવ્યું છે કે કૃતિકર્મ – વંદનાદિ કર્મના વિષયમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. અંતરગૃહસ્થાનાદિપ્રકૃત સૂત્રમાં આચાર્યે બતાવ્યું છે કે નિગ્રંથ-નિગ્રંથીઓએ ઘરની અંદર અથવા બે ઘરોની વચ્ચે બેસવું, સૂવું વગેરે અકલ્પ્ય છે. કોઈ રોગી, વૃદ્ધ, તપસ્વી વગેરે બેભાન થઈ જાય અથવા પડી જાય તો બેસવા વગેરેમાં કોઈ દોષ નથી. નિગ્રંથ-નિગ્રંથીઓએ અંતરગૃહમાં ચાર-પાંચ ગાથાઓનું આખ્યાન ન કરવું જોઈએ. એક ગાથા વગેરેનું આખ્યાન ઊભા-ઊભા કરી શકાય છે. શય્યા-સંસ્તારક સંબંધી સૂત્રોમાં બતાવવામાં આવ્યું છે નિગ્રંથ-નિગ્રંથીઓએ પ્રાતિહારિક (પાછા આપવા યોગ્ય) ઉપકરણો માલિકને સોંપ્યા વિના અન્યત્ર વિહાર ન કરવો જોઈએ. શય્યાતર અર્થાત્ મકાનમાલિકના શય્યા-સંસ્તારકને પોતાને માટે પાથરેલા રૂપમાં ન છોડતાં વિખેરીને વ્યવસ્થિત કર્યા પછી જ અન્યત્ર વિહાર કરવો જોઈએ. પોતાની પાસેના શય્યાતરના શય્યા-સંસ્તારકને જો કોઈ ચોરી જાય તો તેની તપાસ કરવી જોઈએ અને પાછા મળતાં શય્યાતરને સોંપી દેવા જોઈએ. ફરી આવશ્યકતા હોય તો યાચના કરી તેનો ઉપયોગ કરવો જોઈએ. અવગ્રહ વિષયક સૂત્રોમાં સૂત્રકારે એ વાત પર પ્રકાશ પાડ્યો છે કે જે દિવસે કોઈ શ્રમણ વસતિ તથા સંસ્તારકનો ત્યાગ કરે એ જ દિવસે બીજા શ્રમણ ત્યાં આવી જાય તો પણ એક દિવસ સુધી પહેલાંના શ્રમણોનો અવગ્રહ (અધિકાર) *ચાલુ રહે છે. સેનાપ્રકૃત સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે ગ્રામ, નગર વગેરેની બહાર સેનાનો પડાવ હોય તો નિગ્રંથ-નિગ્રંથીઓએ તે જ દિવસે ભિક્ષાચર્યા કરી પોતાના Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ અંગબાહ્ય આગમો નિવાસસ્થાને પાછા ફરી જવું જોઈએ. આમ ન કરવાથી પ્રાયશ્ચિત્તના ભાગીદાર થવું પડે છે. અવગ્રહપ્રમાણપ્રકૃત સૂત્રમાં ગ્રંથકારે બતાવ્યું છે કે નિગ્રંથ-નિગ્રંથીઓએ ચારે બાજુ સવા વર્ગ યોજનાનો અવગ્રહ રાખીને ગ્રામ, નગર વગેરેમાં રહેવું કલ્પે છે. ચતુર્થ ઉદ્દેશઃ ચતુર્થ ઉદેશમાં સાડત્રીસ સૂત્રો છે. પ્રારંભિક સૂત્રોમાં આચાર્યે બતાવ્યું છે કે હસ્તકર્મ, મૈથુન અને રાત્રિભોજન અનુદ્ધાતિક અર્થાત્ ગુરુપ્રાયશ્ચિત્તને યોગ્ય છે. દુષ્ટ, પ્રમત્ત અને અન્યોન્યકારક માટે પારાચિક પ્રાયશ્ચિત્તનું વિધાન છે. સાધર્મિક સૈન્ય, અન્ય ધાર્મિક સ્તન્ય અને હસ્તાતાલ (હસ્તાતાડન–મુષ્ટિ વગેરે દ્વારા પ્રહાર) અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તને યોગ્ય છે. પંડક, વાતિક અને ક્લીબ પ્રવ્રયા માટે અયોગ્ય છે. એટલું જ નહિ, તેઓ મુંડન, શિક્ષા, ઉપસ્થાપના, સંભોગ (એક મંડળીમાં ભોજન), સંવાસ ઈત્યાદિ માટે પણ અયોગ્ય છે. અવિનીત, વિકૃતિપ્રતિબદ્ધ અને અવ્યવશમિત-પ્રાકૃત (ક્રોધાદિ શાંત ન કરનાર) વાચના – સૂત્રો વગેરે ભણાવવા માટે અયોગ્ય છે. વિનીત, વિકૃતિવિહીન અને ઉપશાંતકષાય વાચના માટે સર્વથા યોગ્ય છે. દુષ્ટ, મૂઢ અને વ્યગ્રાહિત (વિપરીત બોધમાં દઢ) દુઃસંજ્ઞાપ્ય છે અર્થાત મુશ્કેલીથી સમજાવવા પાત્ર છે. તેઓ ઉપદેશ, પ્રવ્રયા વગેરેના અધિકારી છે. અદુષ્ટ, અમૂઢ તથા અશ્રુગ્રાહિત ઉપદેશ વગેરેના અધિકારી છે." - નિર્ગથી ગ્લાન – ૨ણ અવસ્થામાં હોય તથા કોઈ કારણસર પોતાના પિતા, ભ્રાતા, પુત્ર વગેરેની સહાય લઈ ઉઠે-બેસે તો તેને ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત – ૧. વિનયપિટકના પારાજિક પ્રકરણમાં મૈથુનસેવન માટે પારાજિક પ્રાયશ્ચિત્તનું વિધાન છે. પારાજિકનો અર્થ છે ભિક્ષુને ભિક્ષપણામાંથી હમેંશ માટે દૂર કરવો. ૨. ઉં. ૪, સૂ. ૪ (‘પ :' નપું, “વાતો' નામ થવા નિમિત્તતથા વા काषायितं भवति तदा न शक्नोति वेदं धारयितुं यावन्न प्रतिसेवा कृता, 'क्लीब:' असमर्थः). વિનયપિટકના ઉપસંપદા અને પ્રવ્રજયા પ્રકરણમાં પ્રવ્રયાને માટે અયોગ્ય વ્યક્તિનો વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે. ૩. ઉં. ૪, સૂ. ૫-૯, ૪. ઉં. ૪, સૂ. ૧૦-૧. ૫. ઉ. ૪, . ૧૨-૩ Page #239 -------------------------------------------------------------------------- ________________ બૃહત્કલ્પ ૨૦૩ ગુરુપ્રાયશ્ચિત્તનું સેવન કરવું પડે છે. એ જ રીતે રુગ્ણ નિગ્રંથ પોતાની માતા, ભગિની, પુત્રી વગેરેની સહાય લે તો તેને પણ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનું સેવન કરવું પડે છે. નિગ્રંથ-નિગ્રંથીઓએ કાલાતિક્રાંત તથા ક્ષેત્રાતિક્રાંત અશન વગેરે ગ્રહણ કરવું અકલ્પ્ય છે. પ્રથમ પૌરુષી (પ્રહર)માં લાવેલ આહાર ચતુર્થ પૌરુષી સુધી રાખવાનું અકલ્પ્ય છે. કદાચ અજાણતા આવાં પ્રકારનો આહાર રહી પણ જાય તો તે ન પોતે ખાવો જોઈએ, ન બીજા સાધુને આપવો જોઈએ. એકાંત નિર્દોષ સ્થાન જોઈને તેની યતનાપૂર્વક પરિષ્ઠાપના કરી દેવી જોઈએ તેને સાવધાનીપૂર્વક મૂકી દેવો જોઈએ. નહિ તો ચાતુર્માસિક લઘુ પ્રાયશ્ચિત્તના ભાગી બનવું પડે છે. એ જ રીતે ક્ષેત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી પણ ચાતુર્માસિક લઘુ પ્રાયશ્ચિત્તનું સેવન કરવું પડે છે. ભિક્ષાચર્યામાં અજાણતાં અનેષણીય સ્નિગ્ધ અશન વગેરે લેવાઈ ગયું હોય તો તે અનુપસ્થિતિ-શ્રમણ (અનારોપિતમહાવ્રત)ને આપી દેવું જોઈએ. જો તેવો શ્રમણ ન મળે તો તેની નિર્દોષ ભૂમિમાં પરિઠાપના કરી દેવી જોઈએ. 3 કલ્પસ્થિત અર્થાત્ આચેલક્યાદિ દસ પ્રકારના કલ્પમાં સ્થિત શ્રમણો માટે બનાવેલો આહાર વગેરે અકલ્પસ્થિત શ્રમણો માટે કલ્પ્ય છે, કલ્પસ્થિત શ્રમણો માટે નહિ. જે આહાર વગેરે અકલ્પસ્થિત શ્રમણો માટે બનાવવામાં આવ્યો હોય તે કલ્પસ્થિત શ્રમણો માટે અકલ્પ્ય ગણાય છે પરંતુ અકલ્પસ્થિત શ્રમણો માટે કલ્પ્ય ગણાય છે. કલ્પસ્થિતનો અર્થ છે પંચયામધર્મપ્રતિપન્ન પંચયામિક તથા અકલ્પસ્થિતનો અર્થ છે ચતુર્યામધર્મપ્રતિપત્ર – ચાતુર્યામિક. કોઈ નિગ્રંથને જ્ઞાનાદિ કારણે અન્ય ગણમાં ઉપસંપદા લેવી હોય બીજા સમુદાય સાથે વિચરવું હોય તો આચાર્ય વગેરેની અનુમતિ લેવી અનિવાર્ય છે. એ જ રીતે આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક વગેરેએ પણ પોતાના સમુદાયની આવશ્યક વ્યવસ્થા કરીને જ અન્ય ગણમાં સમ્મિલિત થવું જોઈએ.પ - ૧. ઉ. ૪, સૂ. ૧૪-૫. ૪. ઉ. ૪, સૂ. ૧૯ સંધ્યા સમયે અથવા રાતે કોઈ સાધુ અથવા સાધ્વી મરી જાય તો બીજા સાધુઓ અથવા સાધ્વીઓએ તેના મૃત શરીરને રાતભર યોગ્ય રીતે રાખવું જોઈએ. પ્રાતઃકાળે ગૃહસ્થને ત્યાંથી વાંસ વગેરે લાવી મૃતકને બાંધી જંગલમાં નિર્દોષ ભૂમિ ૨. ઉ. ૪, સૂ. ૧૬-૭ ૫. ઉ. ૪, સૂ. ૨૦-૮. -M -- ૩. ઉ. ૪, સૂ. ૧૮ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ અંગબાહ્ય આગમો - જોઈ પ્રતિષ્ઠાપિત કરી દેવું જોઈએ · પાછા સોંપી દેવા જોઈએ.૧ ત્યજી દેવું જોઈએ તથા વાંસ વગેરે ગૃહસ્થને ભિક્ષુએ ગૃહસ્થ સાથે અધિકરણ - ઝધડો કર્યો હોય તો તેને શાંત કર્યા વિના ભિક્ષુએ ભિક્ષાચર્યા વગેરે કરવી અકલ્પ્ય છે. પરિહારકલ્પમાં સ્થિત સાધુને આચાર્ય-ઉપાધ્યાય ઈન્દ્રમહ વગેરે ઉત્સવના દિવસે વિપુલ ભક્ત-પાનાદિ અપાવી શકે છે. તે સિવાયના સમયમાં તેમ કરી શકતા નથી. જ્યાં સુધી તેમની વૈયાવૃત્ય – સેવાનો પ્રશ્ન છે, કોઈપણ પ્રકારની સેવા કરી-કરાવી શકાય છે. - નિગ્રંથ-નિગ્રંથીઓએ નીચેની પાંચ મહાનદીઓ એક મહિનામાં એકથી અધિકવાર પાર ન કરવી જોઈએ : ગંગા, યમુના, સરયૂ, કોશિકા અને મહી. ઐરાવતી વગેરે છીછરી નદીઓ મહિનામાં બે-ત્રણ વાર પાર કરી શકાય છે. જેમાં મનુષ્ય સારી રીતે ઊભો ન રહી શકે એવા ઘાસના નિર્દોષ ઘરમાં સાધુસાધ્વીઓએ હેમંત-ગ્રીષ્મ ઋતુમાં રહેવાનો નિષેધ છે. જો આવા પ્રકારના ઘરમાં સારી રીતે ઊભું રહી શકાય તો તેમાં સાધુ-સાધ્વીઓ હેમંત-ગ્રીષ્મ ઋતુમાં રહી શકે છે. જો ઘાસ વગેરેનું બનાવેલું નિર્દોષ ઘર મનુષ્યના બે હાથથી ઓછું ઊંચું હોય તો તે સાધુ-સાધ્વીઓ માટે વર્ષાઋતુમાં રહેવાયોગ્ય નથી. જો આ પ્રકારનું ઘર મનુષ્યના બે હાથથી વધુ ઊંચું હોય તો તેમાં સાધુ-સાધ્વીઓ વર્ષાઋતુમાં રહી શકે છે. પંચમ ઉદ્દેશ પાંચમા ઉદ્દેશમાં બ્રહ્માપાય વગેરે દસ પ્રકારના વિષયો સંબંધી બેંતાલીસ સૂત્રો છે. બ્રહ્માપાય સંબંધી પ્રથમ ચાર સૂત્રોમાં આચાર્યે બતાવ્યું છે કે જો કોઈ દેવ સ્ત્રીનું રૂપ ધારણ કરી સાધુનો હાથ પકડે અને તે સાધુ તે હસ્તસ્પર્શને સુખજનક માને તો તેને અબ્રહ્મની પ્રાપ્તિ થાય છે અર્થાત્ તે મૈથુનપ્રતિસેવનના દોષનો ભાગી બને છે અને તેને ચાતુર્માસિક ગુરુ પ્રાયશ્ચિત્તનો ભાગી થવું પડે છે. એ જ રીતે સાધ્વી માટે પણ ઉપર્યુક્ત અવસ્થામાં (પુરુષના હાથનો સ્પર્શ થયો હોવાથી) ચાતુર્માસિક ગુરુ પ્રાયશ્ચિત્તનું વિધાન છે. અધિકરણ વિષયક સૂત્રમાં એમ બતાવાયું છે કે જો કોઈ ભિક્ષુ ક્લેશ શાંત કર્યા વિના જ બીજા ગણમાં જઈ ભળે અને તે ગણના આચાર્યને આ વાતની ૧. ઉ. ૪, સૂ. ૨૯ ૨. ઉ. ૪, સૂ. ૩૦ ૪. ઉ. ૪, સૂ. ૩૨-૩ (ઐરાવતી નદી કુણાલા નગરીની પાસે છે.) ૫. ઉ. ૪, રૃ. ૩૪૭. . ૩. ઉ. ૪, સૂ. ૩૧ Page #241 -------------------------------------------------------------------------- ________________ બૃહત્કલ્પ જાણ થાય કે આ સાધુ કલહ કરીને આવ્યો છે તો તેને પાંચ રાત-દિવસનું છેદપ્રાયશ્ચિત્ત આપવું જોઈએ તથા પોતાની પાસે રાખી સમજાવી-મનાવી શાંત કરી ફરી પોતાના ગણમાં મોકલી આપવો જોઈએ. ૨૦૫ સંસ્કૃતાસંસ્કૃતનિર્વિચિકિત્સવિષયક સૂત્રોમાં બતાવવામાં આવ્યું છે કે સશક્ત અથવા અશક્ત ભિક્ષુ સૂર્યના ઉદય અને અનસ્ત પ્રત્યે નિઃશંક થઈને ભોજન કરતો હોય અને પછી જાણ થાય કે સૂર્ય ઉગ્યો જ નથી અથવા અસ્ત થઈ ગયો છે અને એમ જાણ થતાં જ ભોજન છોડી દે તો તેનું રાત્રિભોજનવિરમણવ્રત અખંડિત રહે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત પ્રત્યે શંકાશીલ થઈને આહાર કરનારનું રાત્રિભોજનવિરમણવ્રત ખંડિત થઈ જાય છે. ઉદ્ગારપ્રકૃત સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથ-નિગ્રંથીઓએ ઓડકાર વગેરે આવે ત્યારે થૂંકીને મોઢું સાફ કરી લેવાથી રાત્રિભોજનનો દોષ લાગતો નથી. આહારવિષયક સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે આહાર વગેરે ગ્રહણ કરતી વખતે સાધુ-સાધ્વીના પાત્રમાં દ્વીન્દ્રિયાદિક જીવો, બીજ, ૨જ વગેરે આવી પડે તો તેને યતનાપૂર્વક કાઢી આહારને શુદ્ધ કરીને ખાવો જોઈએ. જો રજ વગેરે આહારમાંથી ન નીકળી શકે તો તે આહાર લેનાર પોતે ન ખાય, અન્ય સાધુસાધ્વીઓને પણ ન ખવડાવે પરંતુ એકાંત નિર્દોષ સ્થાનમાં પરિષ્ઠાપિત કરી દે. આહારાદિ લેતી વખતે સચિત્ત પાણીનાં ટીપાં આહારમાં પડી જાય અને તે આહાર ગરમ હોય તો તે ખાવામાં કોઈ દોષ નથી, કેમ કે તેમાં પડેલ ટીપાં અચિત્ત બની જાય છે. જો તે આહાર ઠંડો હોય તો તે પોતે ન ખાવો જોઈએ, ન બીજાને ખવડાવવો જોઈએ પરંતુ એકાંત સ્થાનમાં યતનાપૂર્વક રાખી દેવો જોઈએ. બ્રહ્મરક્ષાવિષયક સૂત્રોમાં બતાવવામાં આવ્યું છે કે પેશાબ વગેરે કરતી વેળાએ સાધુ-સાધ્વીની કોઈ ઈન્દ્રિયનો પશુ-પક્ષી સ્પર્શ કરે અને તે તેને સુખદાયી માને તો તેને ચાતુર્માસિક ગુરુ પ્રાયશ્ચિત્ત લાગે છે. નિગ્રંથીના એકાકીવાસ વગેરેનો નિષેધ કરતા સૂત્રકાર કહે છે કે નિગ્રંથીએ એકલા રહેવું અકલ્પ્ય છે. એ જ રીતે સાધ્વીએ નગ્ન રહેવું, પાત્રરહિત રહેવું, વ્યુત્કૃષ્ટકાય બનીને (શરીરને શિથિલ રાખીને) રહેવું, ગ્રામ વગેરેની બહાર આતાપના લેવી, ઉત્કટુકાસને બેસી કાયોત્સર્ગ કરવો, વિરાસને બેસી કાયોત્સર્ગ કરવો, દંડાસને બેસી કાયોત્સર્ગ કરવો, લગંડશાયી બની કાયોત્સર્ગ કરવો, આકુંચનપટ્ટ (પર્યસ્તિકાપટ્ટ) રાખવો, સાવશ્રય सावश्रयं नाम यस्य पृष्ठतोऽवष्टम्भो भवति । ૧. પીઠવાળું Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ અંગબાહ્ય આગમો આસન પર બેસવું-સૂવું, સવિષાણ પીઠ-ફલક પર બેસવું-સૂવું, નાલયુક્ત અલાબુપાત્ર રાખવું, સવૃત્ત પાદકેસરિકા' રાખવી, દારુદંડક (પાદપ્રીંછનક) રાખવું વગેરે પણ કય નથી. મોકવિષયક સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથ-નિગ્રંથીઓએ પરસ્પર મોક (પેશાબ અથવા ઘૂંક)નું આચમન કરવું પાન કરવું અકથ્ય છે. રોગાદિક કારણોસર તેમ કરવાની છૂટ છે.. પરિવાસિત પ્રકૃતિ પ્રથમ સૂત્રમાં નિગ્રંથ-નિગ્રંથીઓએ પરિવાસિત અર્થાત રાતમાં રાખેલો આહાર ખાવાની મનાઈ કરવામાં આવી છે. બાકીના સૂત્રોમાં પરિવાસિત આલેપન, પરિવાસિત તેલ વગેરેનો ઉપયોગ કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. પરિહારકલ્પ વિષયક સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે પરિહારકલ્પમાં સ્થિત ભિક્ષુએ જો સ્થવિર વગેરેના આદેશથી બીજા સ્થળે જવું પડે તો તરત જવું જોઈએ અને કામ પૂરું કરી પાછા ફરી જવું જોઈએ. આમ કરવામાં જો ચરિત્રમાં કોઈ પ્રકારનો દોષ લાગે તો તેનું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. પુલાકભક્તપ્રકૃત સૂત્રમાં સૂત્રકારે એ વાત પર જોર દીધું છે કે સાધ્વીઓને એક સ્થાનમાંથી પુલકભક્ત અર્થાત સરસ આહાર (ભારે ભોજન) મળી જાય તો તે દિવસે તે જ આહારથી સંતોષ માનતાં બીજી જગ્યાએ વધુ આહાર લેવા માટે જવું ન જોઈએ. જો તે આહારથી પૂરું પેટ ન ભરાય તો બીજી વાર ભિક્ષા માટે જવામાં કોઈ બાધ નથી. ષષ્ઠ ઉદ્દેશ : ષષ્ઠ ઉદેશમાં વીસ સૂત્રો છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથ નિર્ચથીઓએ નિમ્નલિખિત છ પ્રકારના વચનો બોલવા ન જોઈએ : અલીકવચન, હીલિતવચન, ખિસિતવચન, પરુષવચન, ગાહસ્થિકવચન અને વ્યવશમિતાદીરણ-વચન. કલ્પ (સાધ્વાચાર)ના વિશુદ્ધિમૂલક છ પ્રસ્તાર (પ્રાયશ્ચિત્તની રચનાવિશેષ) છે : પ્રાણાતિપાતનો આરોપ લગાવનાર સંબંધી પ્રાયશ્ચિત્ત, મૃષાવાદનો આરોપ લગાડનાર સંબંધી પ્રાયશ્ચિત્ત, અદત્તાદાનનો આરોપ લગાડનાર સંબંધી પ્રાયશ્ચિત્ત, અવિરતિકા (સ્ત્રી) અથવા અબ્રહ્મ (મથુન)નો આરોપ લગાડનાર સંબંધી પ્રાયશ્ચિત્ત, અપુરુષ-નપુંસકનો આરોપ લગાડનાર સંબંધી પ્રાયશ્ચિત્ત અને દાસનો આરોપ લગાડનાર સંબંધી પ્રાયશ્ચિત્ત, १. "पादकेसरिया णाम डहरयं चीरं । असईए चीराणां दारुए बज्झति" इति चूर्णौ । . ૨. ઉ. ૬, સૂ. ૧ ૩. ઉ. ૬, સૂ. ૨૩ Page #243 -------------------------------------------------------------------------- ________________ બૃહત્કલ્પ ૨૦૭ નિગ્રંથના પગમાં કાંટા વગેરે લાગે અને નિગ્રંથ તે કાઢવામાં અસમર્થ હોય તો નિગ્રંથ તે કાઢી શકે છે. એ જ રીતે નિર્ચથની આંખમાં મચ્છર વગેરે પડી જાય તો નિગ્રંથી તેને પોતાના હાથે કાઢી શકે છે. આ જ વાત નિગ્રંથીઓના પગના કાંટા અને આંખના મચ્છર વગેરે વિષયમાં સમજવી જોઈએ.' સાધુ ડૂબતો હોય, પડે, લપસી પડે એવા સમયે સાધ્વી તેમ જ સાધ્વીના ડૂબવા વગેરે સમયે સાધુ હાથ વગેરે પકડી એક-બીજાને ડૂબવામાંથી બચાવી શકે છે. વિક્ષિપ્તચિત્ત નિગ્રંથીને નિર્ગથ પોતાના હાથે પકડીને તેના સ્થાને પહોંચાડી દે તો તેને કોઈ દોષ લાગતો નથી. એ જ રીતે દીપ્તચિત્ત સાથ્વીને પણ સાધુ પોતાના હાથે પકડી ઉપાશ્રય સુધી પહોંચાડી શકે છે. સાધ્વાચારના છ પરિમંથ – વ્યાધાતક કહેવામાં આવ્યા છે : કૌકુચિત (કુચેષ્ટા), મૌખરિક (વાચાળતા), ચક્ષુર્લોલ, તિત્તિણિક (ખેદયુક્ત), ઈચ્છાલોભ અને ભિજ્જાનિદાનકરણ (લોભવશ નિદાનકરણ). છ પ્રકારની કલ્પસ્થિતિ કહેવામાં આવી છે : સામાયિકસંયતકલ્પસ્થિતિ, છેદોપસ્થાપનીય સંયતકલ્પસ્થિતિ, નિર્વિશમાનકલ્પસ્થિતિ, નિર્વિષ્ટકાયિકકલ્પસ્થિતિ, જિનકલ્પસ્થિતિ અને વિકલ્પસ્થિતિ. કલ્પશાસ્ત્રોક્ત સાધ્વાચારની મર્યાદાનું નામ કલ્પસ્થિતિ છે. બૃહત્કલ્પસૂત્રના આ પરિચયથી સ્પષ્ટ થાય છે કે આ લઘુકાય ગ્રંથનું જૈન આચારશાસ્ત્રની દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ છે. સાધુ-સાધ્વીઓના જીવન તેમ જ વ્યવહારસંબંધી અનેક મહત્ત્વપૂર્ણ વાતોનું સુનિશ્ચિત વિધાન આની વિશેષતા છે. આ જ વિશેષતાના કારણે આ શાસ્ત્ર કલ્પશાસ્ત્ર (આચારશાસ્ત્ર) કહેવાય છે. ૧. ઉ. ૬, સૂ. ૩-૬. ૨. ઉ . ૬, સૂ. ૭-૯. ૩. ઉં. ૬, સૂ. ૧૦-૧૮. ૪. ઉં. ૬, સૂ. ૧૮ (આનો વિશેષ અર્થ વૃત્તિ વગેરેમાં જોવો જોઈએ).---- ૫. 3. ૬, સૂ. ૨૦. . Page #244 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકરણ વ્યવહાર બૃહત્કલ્પ અને વ્યવહાર એક બીજાનાં પૂરક છે. બૃહત્કલ્પની માફક વ્યવહાર પણ ગદ્યમાં જ છે. તેમાં દસ ઉદ્દેશ છે અને લગભગ ૩૦૦ સૂત્રો છે. પ્રથમ ઉદ્દેશમાં નિષ્કપટ અને સકપટ આલોચક, એકલવિહારી સાધુ વગેરે સંબંધી પ્રાયશ્ચિત્તો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. દ્વિતીય ઉદેશમાં સમાન સમાચારીવાળા દોષી સાધુઓ સંબંધી પ્રાયશ્ચિત્ત, સદોષ, રોગી વગેરેની વૈયાવૃત્ત્વ સેવા, અનવસ્થિત વગેરેની પુનઃસંયમમાં સ્થાપના, ગચ્છ ત્યજીને ફરી ગચ્છમાં સમ્મિલિત થનારાઓની પરીક્ષા અને પ્રાયશ્ચિત્તદાન, સાધુઓનો પારસ્પરિક વ્યવહાર વગેરે વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તૃતીય ઉદ્દેશમાં નીચેની વાતો પર વિચાર કરવામાં આવ્યો છે ઃ ગચ્છાધિપતિ થનારા સાધુની યોગ્યતા, પદવીધારીઓનો આચાર, તરુણ સાધઉનો આચાર, ગચ્છમાં રહીને અથવા ગચ્છ છોડીને અનાચારનું સેવન કરનારાઓ માટે પ્રાયશ્ચિત્ત, મૃષાવાદીને પદવી આપવાનો નિષેધ, ચતુર્થ ઉદ્દેશમાં નીચેના વિષયોનો સમાવેશ છે : આચાર્ય વગેરે પદવીધારીઓનો પરિવાર, આચાર્ય વગેરેની સાથે વિહારમાં રહેનારો પરિવાર, આચાર્ય વગેરેનું અવસાન અને સાધુઓનું કર્તવ્ય, યુવાચાર્યની સ્થાપના, જ્ઞાનાદિ નિમિત્તે અન્ય ગચ્છમાં જવું વગેરે. પંચમ ઉદ્દેશમાં સાધ્વીઓના આચાર, સાધુ-સાધ્વીનો પારસ્પરિક વ્યવહાર, ૧.(અ) સં. જિનેન્દ્રર્માણ, હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર,ઈ.સ. ૧૯૭૭; રતનલાલ દોશી, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના, ૧૯૮૦. (આ) મુ. કનૈયાલાલ આગમ, અનુયોગ પ્રકાશન, સાંડેરાવ (પાલિ), ઇ.સ.૧૯૮૦. (ઇ) ગુજરાતી અનુવાદ સહિત - જીવરાજ ઘેલાભાઈ દોશી, અમદાવાદ, ઈ.સ. ૧૯૨૫. નિર્યુક્તિ, ભાષ્ય તથા મલયગિરિ વિરચિત વિવરણ યુક્ત કેશવલાલ પ્રેમચંદ, અમદાવાદ, વિ. સં. ૧૯૮૨-૮૫. (ઇ) (6) સંસ્કૃત વૃત્તિ સહિત- ઘાસીલાલ, અ. ભા. શ્વે. સ્થા. જૈન શાસ્ત્રોદ્વાર સમિતિ, રાજકોટ, ઈ.સ. ૧૯૬૯. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ વ્યવહાર આચાર્યાદિની પ્રાયશ્ચિત્ત પ્રદાન કરવાની યોગ્યતા, સાધુ-સાધ્વીની પારસ્પરિક વૈયાવૃત્ય વગેરે પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. છઠ્ઠા ઉદેશમાં નીચેની વાતોનો વિચાર કરવામાં આવ્યો છે : સાધુઓએ સંબંધીઓના ઘેર કેવી રીતે જવું જોઈએ, આચાર્ય-ઉપાધ્યાય વગેરેના કયા અતિશયો છે, શિક્ષિત અને અશિક્ષિત સાધુઓમાં શું વિશેષતા છે, ખુલ્લા અને ઢાંકેલા સ્થાનમાં રહેવાની શું વિધિ છે, મૈથુનેચ્છા માટે શું પ્રાયશ્ચિત્ત છે, અન્ય ગચ્છમાંથી આવનાર સાધુ-સાધ્વીઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ વગેરે. સાતમા ઉદેશમાં નીચેના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે : સંભોગી (પરસ્પર આહાર-વિહારનો સંબંધ રાખનારા) સાધુ-સાધ્વીનો પરસ્પર વ્યવહાર, સાધુ-સાધ્વીની દીક્ષા, સાધુ-સાધ્વીના આચારની ભિન્નતા, સાધુ-સાધ્વીને પદવી પ્રદાન કરવાનો યોગ્ય કાળ, રાજ્યવ્યવસ્થામાં પરિવર્તન થાય ત્યારે સાધુઓનું કર્તવ્ય ઇત્યાદિ. આઠમા ઉદેશમાં શયાસંસ્મારક વગેરે વિવિધ ઉપકરણો ગ્રહણ કરવાની વિધિ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. નવમા ઉદેશમાં શઠાચર-સાગારિક (મકાનમાલિક)ના અતિથિ વગેરેના આહાર સંબંધી વિધિવિશેષનો વિચાર કરતાં ભિક્ષુપ્રતિમાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. દસમા ઉદેશમાં યવમધ્ય-પ્રતિમા, વજમધ્ય-પ્રતિમા, પાંચ પ્રકારના વ્યવહાર અને બાલદીક્ષાની વિધિ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રથમ ઉદેશ : પહેલા ઉદેશમાં પ્રારંભમાં સૂત્રકારે બતાવ્યું છે કે માસિક પ્રાયશ્ચિત્તને યોગ્ય દોષનું સેવન કરી તેની આચાર્ય વગેરે સમક્ષ કપટરહિત આલોચના કરનારા સાધુએ એકમાસિક પ્રાયશ્ચિત્ત જ કરવું પડે છે, જ્યારે કપટયુક્ત આલોચક તેનાથી બમણા અર્થાત્ દ્વિમાસિક પ્રાયશ્ચિત્તનો ભાગી બને છે. દ્વિમાસિક પ્રાયશ્ચિત્તને યોગ્ય નિષ્કપટ આલોચકને દ્વિમાસિક અને સકપટ આલોચકને ત્રિમાસિક પ્રાયશ્ચિત્તના ભાગી બનવું પડે છે. એ જ રીતે, ત્રિ, ચતુર, પંચ અને અધિકમાં અધિક પમાસિક પ્રાયશ્ચિત્તનું વિધાન છે. પંચમાસિક પ્રાયશ્ચિત્તને યોગ્ય નિષ્કપટ આલોચકને પંચમાસિક અને સકપટ આલોચકને પમાસિક પ્રાયશ્ચિત્ત લાગે છે. તદુપરાંત સકપટ અને નિષ્કપટ કોઈ પણ પ્રકારના આલોચન માટે ષમાસિક પ્રાયશ્ચિત્તનું વિધાન છે. અનેક દોષોનું સેવન કરનારા માટે બતાવવામાં આવ્યું છે કે અનેક દોષોમાંથી જેનું પહેલાં સેવન કરવામાં આવ્યું હોય તેની પહેલાં આલોચના કરે અને જેનું પછી સેવન કરવામાં આવ્યું હોય તેની પછી આલોચના કરે. આ રીતે આલોચના કરતાં કરતાં બધા દોષોનું એક સાથે પ્રાયશ્ચિત્ત કરે. પ્રાયશ્ચિત્ત કરતાં ફરી દોષ લાગે તો ફરી તેનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. પ્રાયશ્ચિત્ત સમાપ્ત થતાં જ કોઈ દોષ લાગે તો ફરીથી પ્રાયશ્ચિત્તનો પ્રારંભ કરવો જોઈએ. Page #246 -------------------------------------------------------------------------- ________________ અંગબાહ્ય આગમો પ્રાયશ્ચિત્તનું સેવન કરનાર સાધુએ સ્થવિર વગેરેને પૂછીને જ અન્ય સાધુઓ સાથે ઉઠવું-બેસવું જોઈએ. તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરી કોઈની સાથે ઉઠના૨-' બેસનારને જેટલા દિવસ સુધી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોય તેટલા જ દિવસનું છેદપ્રાયશ્ચિત્ત આવે છે અર્થાત્ તેટલા દિવસ તેની દીક્ષાની સમયગણનામાં ઓછા થઈ જાય છે. પરિહારકલ્પમાં રહેલ અર્થાત્ પારિહારિક પ્રાયશ્ચિત્તનું સેવન કરનાર સાધુ પોતાના આચાર્યની આજ્ઞાથી વચમાં જ પરિહારકલ્પનો ત્યાગ કરી સ્થવિર વગેરેની વૈયાવૃત્ય માટે અન્યત્ર જઈ શકે છે. સામર્થ્ય હોય તો પરિહારકલ્પનું સેવન કરતાં કરતાં જવું જોઈએ. સામર્થ્ય ન હોય તો તેનો ત્યાગ કરવો જોઈએ. ૨૧૦ એકલવિહારી સાધુના વિષયમાં સૂત્રકાર કહે છે કે કોઈ સાધુ ગણનો ત્યાગ કરી એકલો જ વિચરે અને એકલો વિચરતો તે પોતાને શુદ્ધ આચારનું પાલન કરવામાં અસમર્થ માની ફરી તે જ ગણમાં સમ્મિલિત થવા ઈચ્છે તો તેને આલોચના વગેરે કરાવી પ્રથમ દીક્ષાનો છેદ કરી – ભંગ કરી બીજી દીક્ષા અંગીકાર કરાવવી જોઈએ. જે નિયમ સામાન્ય એકલવિહારી સાધુ માટે છે તે જ એકલવિહારી ગણાવચ્છેદક, આચાર્ય વગેરેને માટે પણ છે. શિથિલાચારીઓ માટે પણ આ જ પ્રકારનું વિધાન છે. આલોચના કોની પાસે કરવી જોઈએ ? તેનો ઉત્તર આપતાં સૂત્રકાર કહે છે કે આચાર્ય-ઉપાધ્યાય વગેરેની ઉપસ્થિતિમાં તેમની જ પાસે આલોચના, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત વગેરે કરીને વિશુદ્ધ થવું જોઈએ. આચાર્ય વગેરેની અનુપસ્થિતિમાં સંભોગી (સહભોજી), સાધર્મિક (સમાનધર્મી), બહુશ્રુત વગેરેને પાસે આલોચના લેવાનું કલ્પે છે. કદાચિત સંભોગી વગેરે પણ નજીક ન હોય તો જ્યાં અન્ય ગણના સંભોગી, બહુશ્રુત વગેરે હોય ત્યાં જઈ આલોચના કરી પ્રાયશ્ચિત્ત અંગીકાર કરવું જોઈએ. કદાચ આ જાતના સાધુઓ પણ જોવામાં ન આવે તો જ્યાં સારૂપિક (સારૂ વિય—સદોષી) બહુશ્રુત સાધુ હોય ત્યાં જઈ પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. સારૂપિક બહુશ્રુત સાધુના અભાવમાં બહુશ્રુત શ્રમણોપાસક (શ્રાવક) અને તેના અભાવમાં સમભાવી સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ પાસે જઈ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું જોઈએ. આ બધાના અભાવમાં ગામની બહાર જઈ પૂર્વ અથવા ઉત્તર દિશા સામે ઊભા રહી બંને હાથ જોડી પોતાના અપરાધની આલોચના કરતાં પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. ૧. જધન્ય ત્રણ વર્ષ, મધ્યમ પાંચ વર્ષ અને ઉત્કૃષ્ટ વીસ વર્ષનો દીક્ષિત સાધુ સ્થવિર કહેવાય છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર ૨ ૧ ૧ દ્વિતીય ઉદ્દેશ વ્યવહારના બીજા ઉદેશમાં ગ્રંથકારે બતાવ્યું છે કે એક સમાન સામાચારી (આચારના નિયમો) વાળા બે સાધર્મિકો સાથે હોય અને તેમાંથી કોઈ એકે દોષસ્થાનનું સેવન કર્યું હોય તો બીજાની સન્મુખ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરવું જોઈએ. પ્રાયશ્ચિત્ત કરનારની વૈયાવૃજ્ય વગેરેનો ભાર બીજા સાધુ પર જ રહે છે. એ સાથેના સાધર્મિકોમાંથી બંનેએ દોષ-સ્થાનનું સેવન કર્યું હોય તો ક્રમશ: એકની પછી બીજાની સામે આલોચના કરીને પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ અને પરસ્પર વૈયાવૃત્ય કરવી જોઈએ. અનેક સાધર્મિક સાધુઓમાંથી કોઈ એક સાધુએ અપરાધ કર્યો હોય તો ગીતાર્થ (શાસ્ત્રજ્ઞ) સાધુનું કર્તવ્ય છે કે તે તેને પ્રાયશ્ચિત્ત આપે. કદાચ બધા સાધુઓએ અપરાધ સ્થાનનું સેવન કર્યું હોય તો પહેલાં તેમાંથી એકને મૂકીને બાકીના પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરે અને તેમનું પ્રાયશ્ચિત્ત પૂરું થતાં તે પણ પ્રાયશ્ચિત્ત કરી લે. પરિહારકલ્પસ્થિત સાધુ કદાચ રુણ થઈ જાય તો તેને ગચ્છની બહાર કાઢવો અકથ્ય છે. જ્યાં સુધી તે સ્વસ્થ ન થઈ જાય, તેની વૈયાવૃત્ય કરાવવી ગણાવચ્છેદકનું કર્તવ્ય છે. સ્વસ્થ થયા પછી તેને થોડું પ્રાયશ્ચિત્ત આપી દેવું જોઈએ કેમ કે તેણે સદોષાવસ્થામાં પોતાની સેવા કરાવી છે. તે જ પ્રકારે અનવસ્થાપ્ય અને પારાંચિક પ્રાયશ્ચિત્ત કરનારને પણ રુણાવસ્થામાં ગચ્છની બહાર ન કાઢવા જોઈએ. ક્ષિતચિત્ત (જેનું ચિત્ત અપમાનાદિના કારણે વિક્ષિપ્ત થઈ ગયું હોય) સાધુને ગચ્છની બહા કાઢવાનું ગણાવચ્છેદને અકથ્ય છે. જ્યાં સુધી તેનું ચિત્ત સ્થિર ન થઈ જાય, તેની યથોચિત સેવા કરવી જોઈએ. સ્વસ્થ થયા પછી તેને નામમાત્રનું પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ. તે જ રીતે દીપ્તચિત્ત (જનું ચિત્ત અભિમાનાદિના કારણે ઉદીપ્ત થઈ ગયું હોય), ઉન્માદપ્રાપ્ત, ઉપસર્ગપ્રાપ્ત, સાધિકરણ (ક્રોધાદિના આવેશથી યુક્ત), સપ્રાયશ્ચિત્ત (પ્રાયશ્ચિત્તથી અતિ વ્યાકુળ) વગેરેને ગચ્છની બહાર કાઢવાનું અકથ્ય છે. અનવસ્થાપ્ય તપ (નવમ પ્રાયશ્ચિત્ત) કરનાર સાધુને ગૃહસ્થલિંગ ધારણ કરાવ્યા વિના સંયમમાં સ્થાપિત કરવાનું નિષિદ્ધ છે કેમ કે તેનો અપરાધ એટલો મોટો હોય છે કે તેમ કર્યા વગર તેનું પૂરું પ્રાયશ્ચિત્ત નથી થઈ શકતું અને બીજા સાધુઓના મનમાં તે પ્રકારના અપરાધ પ્રત્યે ભય ઉત્પન્ન થાય છે. આ જ પ્રકારે પારાચિક તપ (દશમ પ્રાયશ્ચિત્ત)વાળા સાધુને પણ ગૃહસ્થનો વેષ પહેરાવ્યા પછી જ પુનઃ સંયમમાં સ્થાપિત કરવો જોઈએ. પ્રાયશ્ચિત્તદાતાને તે પણ અધિકાર છે કે તે ગૃહસ્થનો વેષ ન પહેરાવતાં અન્ય પ્રકારનો વેષ પણ પહેરાવી શકે છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ ૨ અંગબાહ્ય આગમો અનેક પારિવારિક (પ્રાયશ્ચિત્તવાળા) અને અપારિવારિક સાધુઓ એક સાથે ભોજન કરવા ઈચ્છે, તે યોગ્ય નથી. પારિહારિક સાધુઓની સાથે તપ પૂર્ણ થયા વિના અપારિહારિક સાધુઓએ ભોજન ન કરવું જોઈએ કેમ કે જે તપસ્વી છે તેમનું તપ પૂરું થયા પછી એક મહિનાના તપ પછી પાંચ દિવસ યાવતુ છ મહિનાના તપ પછી એક મહિનો વ્યતીત થઈ ગયા પહેલાં તેમની સાથે કોઈ ભોજન નથી કરી શકતું. કેમ કે આ દિવસોમાં તેમને વિશેષ પ્રકારના આહારની આવશ્યકતા રહે છે જે બીજાઓને માટે જરૂરી નથી હોતો. તૃતીય ઉદેશઃ - ત્રીજા ઉદેશમાં બતાવવામાં આવ્યું છે કે કોઈ સાધુના મનમાં પોતાનો અલગ ગણ – ગચ્છ બનાવીને વિચારવાની ઈચ્છા હોય પરંતુ તે આચારાંગાદિ સૂત્રો ન જાણતો હોય તો શિષ્યાદિ પરિવાર સહિત હોવા છતાં પણ અલગ ગણ બનાવીને સ્વેચ્છાચારી થવું તેને શોભા નથી આપતું. જો તે આચારાંગાદિ સૂત્રોના જ્ઞાતા હોય તો તે પોતાનો અલગ ગણ બનાવીને વિચારી શકે છે પરંતુ તેમ કરવા માટે સ્થવિરની અનુમતી લેવી અનિવાર્ય છે. સ્થવિરની ઈચ્છા વિરુદ્ધ અલગ ગણ બનાવીને વિચરનારને તેટલા જ દિવસના છેદ અથવા પારિવારિક પ્રાયશ્ચિત્તના ભાગી થવું પડે છે. તેની સાથેના સાધર્મિક સાધુઓ માટે કોઈ પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન નથી. ઉપાધ્યાય-પદની યોગ્યતાઓનું વર્ણન કરતાં સૂત્રકાર કહે છે કે જે ત્રણ વર્ષના દીક્ષા-પર્યાયવાળો છે, નિગ્રંથના આચારમાં કુશળ છે, સંયમમાં પ્રવીણ છે, આચારાંગાદિ પ્રવચન-શાસ્ત્રોમાં નિષ્ણાત છે, પ્રાયશ્ચિત્ત દેવામાં સમર્થ છે, ગચ્છ માટે ક્ષેત્રાદિનો નિર્ણય કરવામાં કુશળ છે, નિર્દોષ આહારાદિ શોધવામાં પ્રવીણ છે, સંક્ષિણ પરિણામોમાં અસ્પૃષ્ટ છે, ચારિત્રવાન છે, બહુશ્રુત છે તેને ઉપાધ્યાયના પદ પર પ્રતિષ્ઠિત કરવો કલ્પ છે. જે પાંચ વર્ષના નિર્ચથપર્યાયવાળો છે, શ્રમણના આચારમાં કુશળ છે, પ્રવચનમાં પ્રવીણ છે, યાવત ઓછામાં ઓછું દશાશ્રુતસ્કંધ, કલ્પ (બૃહત્કલ્પ) અને વ્યવહારનો જ્ઞાતા છે તેને આચાર્ય અને ઉપાધ્યાયના પદ પર પ્રતિષ્ઠિત કરવો કહ્યું છે. આઠ વર્ષના દીક્ષાપર્યાયવાળો શ્રમણ જો આચારકુશળ, પ્રવચનપ્રવીણ અને અસંક્લિષ્ટ મનવાળો હોય તથા ઓછામાં ઓછું સ્થાનાંગ તથા સમવાયાંગનો જ્ઞાતા હોય તો તેને આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તિની (સાધ્વીઓમાં મુખ્ય), સ્થવિર, ગણી (સૂત્રાર્થદાતા) અને ગણાવચ્છેદક (સાધુઓનો નિયંત્રણકર્તા)ની પદવી પ્રદાન કરી શકાય છે. આ નિયમોમાં અપવાદ પણ છે. નિરુદ્ધ પર્યાયવાળા અર્થાત્ કારણવશાત સંયમમાં ભ્રષ્ટ થઈ પુનઃ સંયમી બનનાર એક જ દિવસના દીક્ષાપર્યાયવાળા સાધુને Page #249 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર ૨૧૩ પણ આચાર્ય ઉપાધ્યાયના પદ પર પ્રતિષ્ઠિત કરી શકાય છે. આ પ્રકારનો સાધુ પ્રતીતિકારી, વૈર્યશીલ, વિશ્વસનીય, સમભાવી, પ્રમોદકારી, અનુમત તથા બહુમત કુળનો હોવો આવશ્યક છે. સાથે જ તેનામાં પ્રતીતિ, ધર્મ, સમભાવ વગેરે સ્વકુલોપલબ્ધ ગુણોનું હોવું પણ જરૂરી છે. આચારાંગાદિ સૂત્રોનું જ્ઞાન તો આવશ્યક છે જ. આ પ્રકારનો પુરુષ જાતિસંપન્ન, કુળસંપન્ન અને ગુણસંપન્ન હોવાને કારણે પોતાના ઉત્તરદાયિત્વનો સમ્યક્ પ્રકારે નિર્વાહ કરી શકે છે. તરુણ સાધુઓએ આચાર્ય-ઉપાધ્યાયનું દેહાવસાન થઈ જાય ત્યારે તે પદ પર કોઈની પ્રતિષ્ઠા કર્યા વગર રહેવું અકથ્ય છે. તેમણે આચાર્ય તેમ જ ઉપાધ્યાયની યોગ્યતાવાળા સાધુઓને તત્ત૬ પદ પર પ્રતિષ્ઠિત કરી તેમની આજ્ઞા અનુસાર જ સંયમનું પાલન કરવું જોઈએ. આ જ રીતે નવદીક્ષિત તરુણ સાધ્વીઓએ પણ પ્રવર્તિની વગેરેના અભાવમાં રહેવું અકથ્ય છે. મૈથુનનું સેવન કરનાર સાધુઓને આચાર્યાદિની પદવી માટે આયોગ્ય બતાવતાં સૂત્રકાર કહે છે કે જે ગચ્છથી અલગ થયા વિના અર્થાત્ ગચ્છમાં રહીને જ મૈથુનનું સેવન કરે તે માવજીવન આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, વિર, ગણી અને ગણાવચ્છદકની પદવી માટે અયોગ્ય છે. ગચ્છનો ત્યાગ કરીને મૈથુનનું સેવન કરનારને પુનઃ દીક્ષા ધારણ કરીને ગચ્છમાં સમ્મિલિત થયા પછી ત્રણ વર્ષ સુધી આચાર્યાદિની પદવી પ્રદાન કરવાનો નિષેધ છે. ત્રણ વર્ષ વીત્યા બાદ જો તેનું મન સ્થિર હોય, વિકાર શાંત હોય, કષાયાદિનો અભાવ હોય તો તેને આચાર્યાદિના પદ પર પ્રતિષ્ઠિત કરી શકાય છે. ચતુર્થ ઉદ્દેશ : ચોથા ઉદેશમાં સૂત્રકારે બતાવ્યું છે કે હેમંત અને ગ્રીષ્મઋતુમાં આચાર્ય અને ઉપાધ્યાયની સાથે ઓછામાં ઓછો એક સાધુ હોવો જ જોઈએ. ગણાવચ્છેદકે હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં ઓછામાં ઓછા બે અન્ય સાધુઓ સાથે હોય ત્યારે જ વિચરવું જોઈએ. વર્ષાઋતુમાં આચાર્ય અને ઉપાધ્યાયની સાથે બે અને ગણાવરચ્છેદક ની સાથે ત્રણ અન્ય સાધુઓનું હોવું અનિવાર્ય છે. ગ્રામાનુગ્રામ વિચરતાં પોતાના ગણના આચાર્ય વગેરેનું મૃત્યુ થઈ જાય તો અન્ય ગણના આચાર્ય વગેરેને પ્રધાનરૂપે અંગીકાર કરી રાગદ્વેષથી રહિત થઈને ભ્રમણ કરવું જોઈએ. જો કોઈ યોગ્ય આચાર્ય તે સમયે ઉપલબ્ધ ન થઈ શકે તો પોતાનામાંથી કોઈ યોગ્ય સાધુને આચાર્યાદિની પદવી આપીને તેની આજ્ઞા અનુસાર રહેવું જોઈએ. યોગ્ય સાધુના અભાવમાં જ્યાં સુધી પોતાના અમુક સાધર્મિક સાધુ ન મળી જાય ત્યાં સુધી રસ્તામાં એક રાત્રિથી અધિક ન રોકાતાં બરાબર વિહાર કરતાં રહેવું જોઈએ. રોગાદિ એ આ.-૧૬ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ અંગબાહ્ય આગમો વિશેષ કારણોથી અધિક રોકાવું પડે તો કોઈ વાંધો નથી. વિના કારણ અધિક રહેવાથી તેટલા જ દિવસના છેદ અથવા પરિહાર પ્રાયશ્ચિતના ભાગી થવું પડે છે. વર્ષાઋતુના દિવસોમાં આચાર્યાદિનું અવસાન થાય ત્યારે પણ આ જ નિયમ લાગુ પડે છે. આ જ પ્રકારની વિશેષ પરિસ્થિતિમાં વર્ષાઋતુમાં પણ જો વિહાર કરવો પડે તો કથ્ય છે. - આચાર્ય-ઉપાધ્યાયાદિ અધિક બીમાર હોય અને તેમને પોતાના જીવનની વિશેષ આશા ન હોય તો પોતાની સાથેના સાધુઓને બોલાવીને કહે કે “આર્યો! મારું આયુષ્ય પૂર્ણ થયા પછી અમુક સાધુને અમુક પદવી પ્રદાન કરજો.’ તેમના મૃત્યુ પછી જો તે સાધુ યોગ્ય પ્રતીત થાય તો તેને તે પદ પર પ્રતિષ્ઠિત કરવો જોઈએ. યોગ્ય પ્રતીત ન થવાની દશામાં અન્ય યોગ્ય સાધુને તે પદવી પ્રદાન કરવી જોઈએ. અન્ય યોગ્ય સાધુ આચારાંગાદિ વાંચીને કુશળ બની જાય ત્યાં સુધી આચાર્યાદિના સલાહસૂચન અનુસાર કોઈ પણ સાધુને અસ્થાયી રૂપે કોઈ પણ પદ પર પ્રતિષ્ઠિત કરી શકાય છે. બીજો યોગ્ય સાધુ પ્રવચન-કુશળ બની જાય પછી અસ્થાયી પદાધિકારીએ તરત પોતાનું પદ છોડી દેવું જોઈએ. તેમ ન કરવાથી તેને છેદ અથવા પારિવારિક તપના ભાગી થવું પડે છે. બે સાધુઓ સાથે વિચરતા હોય તો તેમણે સમાન કક્ષાએ ન રહેતાં યોગ્યતાનુસાર નાના-મોટા થઈ રહેવું જોઈએ. તે જ રીતે બે ગણાવચ્છેદકો, બે આચાર્યો, બે ઉપાધ્યાયોએ પણ સમાનતાનો દાવો કરતાં સાથે રહેવું અકથ્ય છે. અનેક સાધુઓ, ગણાવચ્છેદકો, આચાર્યો અને ઉપાધ્યાયોએ પણ આ પ્રકારે સમાન સ્થાનનો દાવો કરીને એક સાથે ન રહેતાં યોગ્યતાનુસાર નાના-મોટાની સ્થાપના કરી વંદનાદિ વ્યવહારપૂર્વક એકબીજાનું સન્માન કરવું જોઈએ. સાધ્વીઓ માટે પણ આ જ નિયમ પંચમ ઉદ્દેશ: પાંચમા ઉદેશમાં સાધ્વીઓની વિહારકાલીન ન્યૂનતમ સંખ્યાનું વિધાન કરતાં સૂત્રકાર કહે છે કે પ્રવર્તિની (મુખ્ય સાધ્વી)એ ઓછામાં ઓછું બે અન્ય સાધ્વીઓ સાથે જ શીતોષ્ણકાળમાં ગ્રામાનુગ્રામ વિચરવું જોઈએ. ગણાવચ્છેદિકા સાથે ઉપર્યુક્ત કાળમાં ઓછામાં ઓછું ત્રણ અન્ય સાધ્વીઓનું હોવું આવશ્યક છે. વર્ષાકાળ અર્થાત ચાતુર્માસ માટે ઉપર્યુક્ત બંને સંખ્યામાં એક-એકની વૃદ્ધિ કરવામાં આવી છે. પ્રવર્તિની વગેરેનું મૃત્યુ, વિવિધ પદાધિકારીઓની પ્રતિષ્ઠા વગેરે વિષયમાં પણ આ જ નિયમો છે જે ચતુર્થ ઉદેશમાં સાધુ-સમાજ માટે બતાવવામાં આવ્યા છે. વૈયાવૃત્યના વિષયમાં સામાન્ય નિયમ એ જ છે કે સાધુ સાધ્વી પાસેથી અથવા Page #251 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર ૨ ૧૫ સાધ્વી સાધુ પાસેથી કોઈ પણ પ્રકારની વૈયાવૃત્ય – સેવા ન કરાવે. અપવાદ રૂપે સાધુ-સાધ્વી પરસ્પર સેવા-સુશ્રુષા કરી શકે છે. આ જ રીતે સર્પદંશ વગેરે કોઈ વિષમ પરિસ્થિતિની ઉપસ્થિતિમાં સાધુ-સાધ્વીની આવશ્યકતાનુસાર સ્ત્રી અથવા પુરુષ કોઈ પણ ઔષધોપચારરૂપ સેવા કરી શકે છે. તે માટે કોઈ જાતના પ્રાયશ્ચિત્તનું વિધાન નથી. પ્રસ્તુત વિધાન સ્થવિરકલ્પિકો માટે છે. જિનકલ્પિકોએ કોઈ પણ પ્રકારની સેવા કરાવવાનું અકલ્પ છે. સેવા કરાવે તો પારિહારિક તપરૂપ પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. ષષ્ટ ઉદ્દેશ : - છઠ્ઠા ઉદેશમાં ગ્રંથકારે બતાવ્યું છે કે કોઈ પણ સાધુએ સ્થવિરની અનુમતિ વગર પોતાના જ્ઞાતિજનોને ત્યાં ન જવું જોઈએ. જે સાધુ-સાધ્વી અલ્પશ્રુત અને અલ્પાગમ છે તેમણે એકલા પોતાના જ્ઞાતિજનો–સંબંધીઓના ઘેર ન જવું જોઈએ, પરંતુ પોતાના બહુશ્રુત અને બઢ઼ાગમ સાધુ-સાધ્વીને સાથે લઈને જવું જોઈએ. ત્યાં જે વસ્તુ તેમના પહોંચ્યા પહેલાં રાંધીને તૈયાર હોય તે ગ્રહણીય છે, અન્ય નહિ. આચાર્ય અને ઉપાધ્યાયના પાંચ અતિશય-અતિશેષ (વિશેષાધિકાર) હોય છે : ૧. બહારથી ઉપાશ્રયમાં આવે ત્યારે તેમના પગ લૂછીને સાફ કરવા, ૨. તેમના પ્રઝવણ (પેશાબ) વગેરેનો યતનાપૂર્વક ભૂમિ પર ત્યાગ કરવો, ૩. યથાશક્તિ તેમની વૈયાવૃત્ય કરવી, ૪. ઉપાશ્રયની અંદર હોય ત્યારે તેમની સાથે અંદર રહેવું, ૫. ઉપાશ્રયની બહાર હોય ત્યારે તેમની સાથે બહાર વૃક્ષ વગેરેની નીચે રહેવું. ગણાવચ્છેદકના બે અતિશય હોય છે : ગણાવચ્છેદક ઉપાશ્રયની અંદર હોય ત્યારે અંદર અને બહાર રહે ત્યારે બહાર રહેવું. આચારાંગાદિ શાસ્ત્રોના જ્ઞાતા સાધુ-સાધ્વીઓ સાથે ન હોય ત્યારે બીજા સાધુસાધ્વીઓએ ક્યાંય પણ રહેવાનું અકથ્ય છે. શાસ્ત્રજ્ઞ સાધુ-સાધ્વીઓ ની ગેરહાજરીમાં રહેવાથી છેદ અથવા પારિહારિક પ્રાયશ્ચિત્તના ભાગી થવું પડે છે. કારણવિશેષ અથવા પ્રયોજનવિશેષથી અન્ય ગચ્છમાંથી છુટા પડીને આવનાર સાધુ અથવા સાધ્વી અખંડિત આચારથી યુક્ત હોય, શબલ દોષ રહિત હોય, ક્રોધાદિથી અસંક્લિષ્ટ હોય, પોતાના દોષોની આલોચના અને પ્રતિક્રમણ કરે, લાગેલા દોષનું પ્રાયશ્ચિત્ત કરે તો તેની સાથે સમાનતાનો વ્યવહાર કરવો કથ્ય છે, અન્યથા નહિ. ૧. દશાશ્રુતસ્કંધ સૂત્રના દ્વિતીય ઉદેશમાં ૨૧ પ્રકારના શબલ-દોષો બતાવવામાં આવ્યા છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સપ્તમ ઉદ્દેશ : સાતમા ઉદ્દેશમાં દર્શાવવામાં આવ્યું છે કે સામાન્યપણે સાધુ સ્ત્રીને તથા સાધ્વી પુરુષને દીક્ષા ન આપે. જો કોઈ એવા સ્થાનમાં કોઈ સ્ત્રીને વૈરાગ્ય ઉત્પન્ન થાય કે જ્યાં આસપાસમાં કોઈ સાધ્વી ન હોય તો સાધુ તેને એ શરતે દીક્ષા આપી શકે કે તે દીક્ષિત થયા પછી જેમ બને તેમ જલદી તેને કોઈ સાધ્વીને સોંપી દેશે. એ જ રીતે સાધ્વી પણ પુરુષને દીક્ષા આપી શકે છે. નિગ્રંથીઓ માટે વિકટ દિશા (જે દિશામાં ચોર, બદમાશ, ગુંડા વગેરે રહેતા હોય તે દિશા)માં વિચરવું અકલ્પ્ય છે, કેમ કે ત્યાં વસ્ત્રાદિના અપહરણ તથા વ્રતભંગ વગેરેનો ભય રહે છે. નિગ્રંથ વિકટ દિશામાં વિચરી શકે છે. કોઈ સાધુનો કોઈ એવા સાધુ વગેરે સાથે વેર-વિરોધ થઈ ગયો હોય જે વિકટ દિશામાં રહેતો હોય તો તેણે વિકટ દિશામાં જઈને તેની ક્ષમા યાચના કરવી જોઈએ, પોતાના સ્થાનમાં રહીને નહિ. કોઈ નિગ્રંથીનો કોઈ અન્ય સાધુ વગેરે સાથે વેર-વિરોધ થઈ ગયો હોય અને તે વિકટ દિશામાં રહેતો હોય તો તેણે ત્યાં ક્ષમાયાચના કરવા માટે જવાની કોઈ જરૂર નથી. તે પોતાના સ્થાન પર બેઠી રહીને જ તેની ક્ષમા માગી શકે છે. અંગબાહ્ય આગમો સાધુ-સાધ્વીઓએ વિકાલ-અકાલ-વિકટ કાળમાં સ્વાધ્યાય કરવો અકલ્પ્ય છે પરંતુ સ્વાધ્યાયના કાળમાં સ્વાધ્યાય કરવો કલ્પ્ય છે. પોતાની શારીરિક સ્થિતિ ઠીક ન હોય તો (વ્રણ આદિની અવસ્થામાં) સ્વાધ્યાય કરવો વર્જિત છે. હા, એવી સ્થિતિમાં પરસ્પર વાચનાનું આદાન-પ્રદાન થઈ શકે છે. ત્રણ વર્ષના શ્રમણ-પર્યાયવાળા નિગ્રંથને ત્રીસ વર્ષના શ્રમણ-પર્યાયવાળી નિગ્રંથીના ઉપાધ્યાય-પદ પર પ્રતિષ્ઠિત કરવાનું કલ્પ્ય છે. એ જ રીતે પાંચ વર્ષના દીક્ષા-પર્યાયવાળા સાધુને સાઠ વર્ષના દીક્ષા-પર્યાયવાળી સાધ્વીના આચાર્ય અથવા ઉપાધ્યાય પદ પર પ્રતિષ્ઠિત કરવાનું કલ્પ્ય છે. તાત્પર્ય એ છે કે સાધુ-સાધ્વીઓએ આચાર્ય-ઉપાધ્યાયના નિયંત્રણ વિના સ્વચ્છંદતાપૂર્વક વિચરતાં રહેવું ન જોઈએ. જે પ્રદેશમાં સાધુઓ રહેતા હોય ત્યાંની રાજ્ય-વ્યવસ્થા બદલાઈ જાય અને બધી સત્તા અન્ય રાજાના હાથમાં આવી જાય તો તે પ્રદેશમાં રહેવા માટે પુનઃ નવા રાજ્યાધિકારીઓની અનુમતિ લેવી આવશ્યક છે. જો બીજા રાજાનો પૂર્ણ અધિકાર ન થયો હોય તો તથા પહેલાની સત્તા ઉખડી ગઈ ન હોય તો પુનઃ અનુમતિ લેવાની કોઈ આવશ્યકતા નથી. અષ્ટમ ઉદ્દેશ : આઠમા ઉદ્દેશમાં સૂત્રકારે બતાવ્યું છે કે સાધુ એક હાથથી ઉંચકી શકાય તેવા નાના-મોટા શય્યા-સંસ્તા૨ક ત્રણ દિવસ જેટલા અંતર સુધી સાથે લઈ જઈ શકે છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર ૨૧૭ કોઈ વૃદ્ધ નિગ્રંથ માટે આવશ્યકતા ઊભી થાય તો પાંચ દિવસ જેટલા અંતરથી પણ લાવવાનું વિધાન છે. સ્થવિર માટે નિમ્નોક્ત ઉપકરણો કથ્ય છે : ૧. દંડ, ૨. ભાંડ, ૩. છત્ર, ૪. માત્રિકા (પેશાબ માટે), ૫. લાષ્ટિક (પીઠ પાછળ રાખવાનો તકિયો કે પાટલો), ૬. ભિતિ (સ્વાધ્યાય વગેરે માટે બેસવાનો પાટલો), ૭. ચેલ (વસ્ત્ર), ૮. ચેલ-ચિલિમિલિકા (વસ્ત્રનો પડદો), ૯, ચામડું, ૧૦. ચર્મકોશ (ચામડાની થેલી), ૧૧. ચર્મ-પછિ (વીંટવા માટે ચામડાનો ટૂકડો). એમાંથી જે ઉપકરણ સાથે રાખવા અથવા લાવવા-લઈ જવા યોગ્ય ન હોય તેને ઉપાશ્રયની નજીક કોઈ ગૃહસ્થને ત્યાં રાખીને તેની અનુમતિથી સમયે સમયે તેનો યથોચિત ઉપયોગ થઈ શકે છે. ક્યાંક અનેક સાધુઓ રહેતા હોય અને તેમાંથી કોઈ ગૃહસ્થના ઘરે પોતાનું ઉપકરણ ભૂલી આવ્યો હોય તથા બીજો કોઈ સાધુ ગૃહસ્થને ત્યાં ગયો હોય અને ગૃહસ્થ તેને તે ઉપકરણ સોંપતાં કહે કે તે તમારા સાધુનું છે આથી તે લઈ જાવ. ત્યારે તે સાધુ ઉપકરણ લઈ પોતાના સ્થાન પર આવી બધા સાધુઓને બતાવે અને જેનું હોય તેને સોંપી દે. જો તેમનામાંથી કોઈનું ન હોય તો સ્વયં તે તેનો ઉપયોગ ન કરે, ન કોઈ બીજાને ઉપયોગ માટે આપે પરંતુ એકાંત નિર્દોષ સ્થાન જોઈને તેનો ત્યાગ કરી દે. આ જ રીતે કોઈ સાધુ પોતાનું ઉપકરણ ભૂલીને અન્યત્ર ચાલ્યો ગયો હોય તો તેની તપાસ કરી સ્વયં તેની પાસે પહોંચાડે. તેનો પત્તો ન લાગે તો એકાંત નિર્દોષ સ્થાન જોઈ તેનો ત્યાગ કરી દે. આહારપ્રમાણના વૈવિધ્યની ચર્ચા કરતાં સૂત્રકાર કહે છે કે કુફ્ફટાણ્ડકપ્રમાણ પ્રતિ ગ્રાસના હિસાબે આઠ ગ્રાસનો આહાર કરનાર અલ્પાહારી, બાર ગ્રાસનો આહાર કરનાર અપાધંવમૌદરિક, સોળ ગ્રાસનો આહાર કરનાર દ્વિભાગપ્રાપ્ત, ચોવીસ ગ્રાસનો આહાર કરનાર પ્રાપ્તાવમૌદરિક, બત્રીસ ગ્રાસનો આહાર કરનાર પ્રમાણોપેતાહારી અને બત્રીસ ગ્રાસથી એક પણ ગ્રાસ ઓછું ખાનાર અવમૌદરિક કહેવાય છે. નવમ ઉદેશ : નવમા ઉદેશમાં બતાવવામાં આવ્યું છે કે સાગારિક (મકાન-માલિકોને ત્યાં આવેલ અતિથિ વગેરે સાગારિક પાસેથી એ શરતે ભોજન વગેરે લે કે બચેલો સામાન પાછો આપશે અને જો તે આહારમાંથી આગંતુક અતિથિ સાધુ-સાધ્વીને કંઈક આપવા માગે તો તે તેમને માટે અકય છે. જો તે આહાર પર આગંતુકનો Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ અંગબાહ્ય આગમો પૂરો અધિકાર હોય તો સાધુ-સાધ્વી માટે તે કપ્ય છે. બૃહત્કલ્પ સૂત્ર (દ્વિતીય ઉદેશ)માં પણ બરાબર આ જ વિધાન છે. આ રીતે કેટલાક બીજા વિધાનો પ્રસ્તુત ઉદેશના પ્રારંભમાં છે જે બૃહત્કલ્પસૂત્રના વિધાનો સાથે હૂબહુ મળતા આવે છે. આ બધા વિધાનોનું તાત્પર્ય એટલું જ છે કે સાગારિકના અધિકાર અથવા અંદાધિકારનો કોઈ પણ પદાર્થ નિગ્રંથ-નિર્ચથી માટે અકથ્ય છે. અંતમાં આચાર્ય સમાદિ છ ભિક્ષુપ્રતિમાઓનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. દશાશ્રુતસ્કંધસૂત્રના સાતમા ઉદેશમાં દ્વાદશ ભિક્ષુપ્રતિમાઓનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. દશમ ઉદેશ : દસમા ઉદેશના પ્રારંભમાં યવમધ્ય-ચંદ્રપ્રતિમા તથા વજમધ્ય-ચંદ્રપ્રતિમાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. જવની જેમ મધ્યમાં મોટી અને બંને બાજુ પાતળી તપસ્યાનું નામ યવમધ્ય-ચંદ્રપ્રતિમા છે. જે તપસ્યા વજ સમાન મધ્યમાં પાતળી તથા બંને બાજુ મોટી હોય તે વજમધ્ય-ચંદ્રપ્રતિમા કહેવાય છે. યવમધ્ય-ચંદ્રપ્રતિમા ધારણ કરનાર શ્રમણ એક માસ પર્યત પોતાના શરીરનું મમત્વ ત્યાગીને પ્રત્યેક પ્રકારના ઉપસર્ગ – કષ્ટ સમતાપૂર્વક સહે છે. ઉપસર્ગો ત્રણ પ્રકારના હોય છે : દેવજન્ય, મનુષ્યજન્ય અને તીર્થંચજન્ય. આ ત્રણે પ્રકારના ઉપસર્ગો અનુલોમ – અનુકૂળ તથા પ્રતિલોમ – પ્રતિકૂળના ભેદથી બે પ્રકારના હોય છે. યવમધ્યચંદ્રપ્રતિમા ધારણ કરનાર સાધુ શુક્લપક્ષની પ્રતિપદાએ એક દત્તિ આહારની અને એક દત્તિ પાણીની ગ્રહણ કરે છે. દ્વિતીયાએ બે દક્તિ આહારની અને બે દત્તિ પાણીની ગ્રહણ કરે છે. આ જ રીતે ક્રમશઃ એક-એક દત્તિ વધારતો વધારતો પૂર્ણિમાએ પંદર દત્તિ આહારની અને પંદર દત્તિ પાણીની ગ્રહણ કરે છે. કૃષ્ણપક્ષમાં ક્રમશ: એક-એક દક્તિ ઓછી કરતો જાય છે. અંતમાં અમાસના દિવસે ઉપવાસ કરે છે. વજમધ્ય-ચંદ્રપ્રતિમામાં કૃષ્ણપક્ષની પ્રતિપદાએ પંદર દત્તિ આહારની તથા પંદર દત્તિ પાણીની ગ્રહણ કરવામાં આવે છે યાવતુ અમાસે એક દત્તિ આહારની અને એક દત્તિ પાણીની લેવામાં આવે છે. શુક્લપક્ષમાં ક્રમશ: એક-એક દત્તિ વધારતાં પૂર્ણિમાએ ઉપવાસ કરવામાં આવે છે. આ રીતે ત્રીસ દિવસની પ્રત્યેક પ્રતિમામાં પ્રારંભના ઓગણત્રીસ દિવસ આહાર-પાણી તથા અંતિમ દિવસે ઉપવાસ કરવામાં આવે છે. વ્યવહાર પાંચ પ્રકારનો કહેવામાં આવેલ છે : આગમ-વ્યવહાર, શ્રુત૧. એક જ સમયે એક સાથે એકધારો જેટલો આહાર અથવા પાણી સાધુના પાત્રમાં નાખવામાં આવે છે તેને “દત્તિ કહે છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર ૨૧૯ વ્યવહાર, આજ્ઞા-વ્યવહાર, ધારણા-વ્યવહાર અને જીત-વ્યવહાર. આમાંથી આગમવ્યવહારનું સ્થાન સર્વપ્રથમ છે, પછી ક્રમશઃ શ્રુતવ્યવહાર વગેરેનું સ્થાન છે. જીતકલ્પભાષ્ય, વ્યવહારભાષ્ય વગેરેમાં પાંચ પ્રકારના વ્યવહારનું વિસ્તૃત વિવેચન સ્થવિર ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે : જાતિ-સ્થવિર, સૂત્ર-સ્થવિર અને પ્રવ્રજયા-સ્થવિર. સાઠ વર્ષની આયુવાળો શ્રમણ જાતિ-સ્થવિર કહેવાય છે. સ્થાનાંગ-સમવાયાંગ વગેરે સૂત્રોનો જ્ઞાતા (સાધુ) સૂત્ર-સ્થવિર કહેવાય છે. દીક્ષા ધારણ કર્યાના વીસ વર્ષ પછી નિગ્રંથ પ્રવ્રજ્યા-સ્થવિર કહેવાય છે. શૈક્ષ-ભૂમિઓ ત્રણ પ્રકારની હોય છે : સસરાત્રિદિની, ચાતુર્માસિટી અને ષમાસિકી, દીક્ષાના છ મહિના પછી મહાવ્રતારોપણ (મોટી દીક્ષા) કરવાનું નામ ષમાસિકી શૈક્ષ-ભૂમિ છે. દીક્ષાના ચાર મહિના પછી મહાવ્રતારોપણ કરવું ચાતુર્માસિકી શૈક્ષ-ભૂમિ કહેવાય છે. દીક્ષાના સાત દિવસ પછી જે મહાવ્રતારોપણ કરવામાં આવે છે તે સપ્તરાત્રિદિની શૈક્ષ-ભૂમિ છે. પરમાસિકી શૈક્ષ-ભૂમિ ઉત્કૃષ્ટ, ચાતુર્માસિકી મધ્યમ તથા સપ્તરાત્રિદિની જઘન્ય છે. નિગ્રંથ-નિગ્રંથીઓએ આઠ વર્ષથી ઓછી ઉંમરના બાલક-બાલિકાઓ સાથે ભોજન કરવું અકથ્ય છે અર્થાત આઠ વર્ષથી ઓછી ઉંમરના બાળક-બાલિકાઓને દીક્ષા ન આપવી જોઈએ. નાની ઉમરના સાધુ-સાધ્વીઓ જેમના કક્ષાદિમાં વાળ ન ઉગ્યા હોય, આચારકલ્પ-આચારાંગસૂત્રના અધિકારી નથી. તેમને કક્ષાદિમાં વાળ ઉગ્યા પછી જ (પરિપક્વ અવસ્થા થયા પછી જો આચારાંગ ભણાવવું જોઈએ. (પરિપક્વ અવસ્થા થવા છતાં પણ) ઓછામાં ઓછા ત્રણ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને આચારાંગ ભણાવવાનું કલ્પ છે. ચાર વર્ષના દીક્ષા-પર્યાયવાળાને સૂત્રકૃતાંગ, પાંચ વર્ષના દીક્ષા-પર્યાયવાળાને દશાશ્રુતસ્કંધ, કલ્પ (બૃહત્કલ્પ) અને વ્યવહાર, આઠ વર્ષની દીક્ષાવાળાને સ્થાનાંગ અને સમવાયાંગ, દસ વર્ષની દીક્ષાવાળાને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી), અગિયાર વર્ષની દીક્ષાવાળાને લઘુવિમાનપ્રવિભક્તિ, મહાવિમાન-પ્રવિભક્તિ, અંગચૂલિકા, વંગચૂલિકા અને વિવાહચૂલિકા, બાર વર્ષની દીક્ષાવાળાને અરુણોપપાતિક, ગરુલોપપાતિક, ધરણોપપાતિક, વૈશ્રમણોપપાતિક અને વૈલંધરોપપાતિક, તેર વર્ષની દીક્ષાવાળાને ઉપસ્થાનશ્રત, સમુપસ્થાનશ્રુત, દેવેન્દ્રોપપાત અને નાગપરિયાપનિકા (નાગપરિયાવણિઆ), ચૌદ વર્ષની દીક્ષાવાળાને સ્વપ્રભાવના, પંદર વર્ષની દીક્ષાવાળાને ચારણભાવના, સોળ વર્ષના દીક્ષાવાળાને વેદનીશતક, સત્તર વર્ષની દીક્ષાવાળાને આશીવિષભાવના, અઢાર વર્ષની દીક્ષાવાળાને દષ્ટિવિષભાવના, ઓગણીસ વર્ષની દીક્ષાવાળાને Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૦ અંગબાહ્ય આગમો દષ્ટિવાદ અને વીસ વર્ષની દીક્ષાવાળાને બધા પ્રકારના શાસ્ત્રો ભણાવવાં કથ્ય છે. વૈયાવૃત્ય (સવા) દસ પ્રકારની કહેવામાં આવી છે : ૧. આચાર્યની વૈયાવૃત્ય, ૨. ઉપાધ્યાયની વૈયાવૃત્ય, ૩. સ્થવિરની વૈયાવૃત્ય, ૪. તપસ્વીની વૈયાવૃત્ય, ૫. શૈક્ષ-છાત્રની વૈયાવૃત્ય, ૬. ગ્લાન-રુષ્ણની વૈયાવૃત્ય, ૭. સાધર્મિકની વૈયાવૃત્ય, ૮. કુળની વૈયાવૃત્ય, ૯. ગણની વૈયાવૃત્ય અને ૧૦. સંઘની વૈયાવૃત્ય. ઉપર્યુક્ત દસ પ્રકારની વૈયાવૃત્યથી મહાનિર્જરાનો લાભ થાય છે. દસ પ્રકારની વૈયાવૃત્યના વર્ણન સાથે દસમો ઉદેશ સમાપ્ત થાય છે અને સાથે જ વ્યવહારસૂત્ર પણ. Page #257 -------------------------------------------------------------------------- ________________ નિશીથ નામક છેદસૂત્રમાં ચાર પ્રકારના પ્રાયશ્ચિત્તોનું વર્ણન છે. આ પ્રાયશ્ચિત્તો સાધુઓ અને સાધ્વીઓ માટે છે. પ્રથમ ઉદેશમાં ગુરુમાસિક પ્રાયશ્ચિત્તનો અધિકાર છે. દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પંચમ ઉદ્દેશમાં લઘુમાસિક પ્રાયશ્ચિત્તનું વિવેચન છે. છઠ્ઠાથી લઈને અગિયારમા સુધી ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનો અધિકાર છે. બારમા ઉદ્દેશથી ઓગણીસમા ઉદ્દેશ સુધી લઘુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. વીસમાં ઉદેશમાં આલોચના અને પ્રાયશ્ચિત્ત કરતી વખતે લાગનારા દોષોનો વિચાર કરવામાં આવ્યો છે અને તેમના માટે વિશેષ પ્રાયશ્ચિત્તની વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યવહારસૂત્રના પ્રથમ ઉદ્દેશમાં પણ ફરીથી આ જ વિષય પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રસ્તુત ગ્રંથમાં લગભગ ૧૫૦૦ સૂત્રો છે. કેટલાક સૂત્રોનો તો પુનરાવૃત્તિના ભયથી ફક્ત સાંકેતિક (સંક્ષિપ્ત) નિર્દેશ કરવામાં આવ્યો છે. પ્રત્યેક ઉદ્દેશમાં પહેલાં તે તે પ્રાયશ્ચિત્તને યોગ્ય કાર્યો દોષોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને અંતમાં બધા માટે સંબંધિત પ્રાયશ્ચિત્તવિશેષનો નામોલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલો ઉદ્દેશ : પ્રથમ ઉદ્દેશમાં નિમ્નોક્ત ક્રિયાઓ માટે ગુરુ-માસ અથવા માસ-ગુરુ (ઉપવાસ) પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે : ૧. (અ) આચાર્ય તુલસી અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર તેરાપંથી મહાસભા, કલકત્તા, ઈ.સ. ૧૯૬૭; જિનેન્દ્રગણિ, હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ઈ.સ. ૧૯૭૬; રતનલાલ દોશી, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, સૈલાના, ઈ.સ. ૧૯૮૦. (આ)અમોલકઋષિ કૃત હિંદી અનુવાદ સહિત સુખદેવસહાય જ્વાલાપ્રસાદ જૌહરી, હૈદરાબાદ, વી. સં. ૨૪૪૬. (ઇ) ભાષ્ય તથા વિશેષ ચૂર્ણિ સહિત સન્મતિ જ્ઞાનપીઠ, આગરા, ઈ.સ. ૧૯૫૭ ૧૯૬૦. ઘાસીલાલજી, અ. ભા. શ્વે. સ્થાન. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, (ઈ) સંસ્કૃત વૃત્તિ સહિત રાજકોટ, ઈ.સ. ૧૯૬૯. ચતુર્થ પ્રકરણ નિશીથ - ૨. વિનયપિટકના પાતિમોક્ષ વિભાગમાં ભિક્ષુ-ભિક્ષુણીઓના વિવિધ અપરાધો માટે વિવિધ પ્રાયશ્ચિત્તોનું વિધાન છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ અંગબાહ્ય આગમો હસ્તકર્મ કરવું, અંગાદાન (લિંગ અથવા યોનિ)ને કાષ્ઠાદિની નળીમાં પ્રવિષ્ટ કરવું અથવા કાષ્ઠાદિની નળીને અંગાદાનમાં પ્રવિષ્ટ કરવી, આંગળી વગેરેને અંગાદાનમાં પ્રવિષ્ટ કરવી અથવા અંગાદાનને આંગળીઓથી પકડવું-હલાવવું, અંગાદાનનું મર્દન કરવું, તેલ વગેરેથી અંગાદાનનો અભંગ કરવો, પાચૂર્ણ વગેરેથી અંગાદાનનું ઉબટન કરવું, અંગાદાનને પાણીથી ધોવું, અંગાદાનની ઉપરની ત્વચા દૂર કરી અંદરનો ભાગ ખુલ્લો કરવો, અગાદાનને સુંઘવું, અંગાદાનને કોઈ અચિત્ત છિદ્રમાં પ્રવિષ્ટ કરી શુક્ર-પુગલો કાઢવા, સચિત્ત પુષ્પાદિ સુંઘવાં, સચિત્ત પદાર્થ પર રાખેલ સુગંધિત દ્રવ્ય સૂંઘવું, માર્ગમાં કીચડ વગેરેથી પગને બચાવવા માટે બીજા પાસે પત્થર વગેરે રખાવવા, ઊંચા સ્થાન પર ચઢવા માટે બીજા પાસે સીડી વગેરે મુકાવવી, ભરેલું પાણી કાઢવા માટે નાળ વગેરે બનાવડાવવી, બીજા પાસે પડદા વગેરે બનાવરાવવા, સોય વગેરેની ધાર કઢાવવી, કાતર (પિપ્પલક)ની ધાર કઢાવવી, નખછેદક સરખું કરાવવું, કર્ણશોધક સાફ કરાવવું, કારણ વિના સોયની યાચના કરવી, કારણ વગર કાતર માગવી, કારણ વિના નખોદક અને કર્ણશોધકની યાચના કરવી, અવિધિપૂર્વક સોય વગેરે માંગવું, પોતાના માટે માગીને લાવેલી સોય વગેરે બીજાને આપવી, વસ્ત્ર સીવવા માટે લાવેલી સોયથી પગ વગેરેનો કાંટો કાઢવો, સોય વગેરે અવિધિપૂર્વક પાછી આપવી, અલાબુ અર્થાત્ તુંબડાનું પાત્ર, દારુ અર્થાત્ લાકડાનું પાત્ર અને મૃત્તિ અર્થાત્ માટીનું પાત્ર બીજા પાસે સાફ કરાવવું-સુધરાવવું, દંડ, લાઠી વગેરે બીજા પાસે ઠીક કરાવવાં, પાત્ર પર શોભા માટે કારી વગેરે કરાવવી, પાત્ર અવિધિસર બાંધવા, પાત્રને એક જ બંધ (ગાંઠ)થી બાંધવું, પાત્રને ત્રણથી વધારે બંધનથી બાંધવું, પાત્રને વધારાના બંધથી બાંધીને દોઢ મહિનાથી વધુ રાખવું, વસ્ત્ર પર (શોભા માટે) એક કારી લગાવવી, વસ્ત્ર પર ત્રણથી વધારે કારીઓ લગાવવી, અવિધિપૂર્વક વસ્ત્ર સીવવું, વસ્ત્રના એક પાલવને (શોભા માટે) એક ગાંઠ વાળવી, વસ્ત્રના ત્રણ પાલવ (ફલિત)ને ત્રણથી વધારે ગાંઠ વાળવી (જીર્ણ વસ્ત્રને વધારે સમય ચલાવવા માટે), વસ્ત્રને નિષ્કારણ મમત્વ ભાવથી ગાંઠ મારી બાંધી રાખવું, વસ્ત્રને અવિધિપૂર્વક ગાંઠ મારવી, અન્ય જાતિના (શ્વેત રંગ સિવાયના) વસ્ત્રો ગ્રહણ કરવા, વધારાના વસ્ત્રો દોઢ મહિનાથી વધારે રાખવા, પોતાના રહેવાના મકાનનો ધુમાડો બીજા પાસે સાફ કરાવવો, નિર્દોષ આહારમાં સદોષ આહારની થોડી એવી માત્રા ભળી ગઈ હોય તેવા આહાર (પૂતિકર્મીનો ઉપભોગ કરવો. દ્વિતીય ઉદેશ : બીજા ઉદેશમાં લઘુ-માસ અથવા માસ-લઘુ (એકાશન) પ્રાયશ્ચિત્તને યોગ્ય નિમ્ન ક્રિયાઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે : – Page #259 -------------------------------------------------------------------------- ________________ નિશીથ ૨૨૩ દારુદંડનું પાદપ્રીંછન બનાવવું (મહૂવાથં પયપુંછi રે....),દારુદંડનું પાદપ્રીંછન ગ્રહણ કરવું, દારુદંડનું પાદપ્રીંછન રાખવું, દારુદંડનું પાદપ્રીંછન દોઢ મહિનાથી વધુ રાખવું, દારુડનું પાદપ્રીંછન (શોભા માટે) ધોવું, અચિત્ત ભોજન વગેરેમાં રહેલી ગંધને સૂંઘવી, કીચડવાળા રસ્તે પત્થર વગેરે મૂકવા, પાણી કાઢવાની નાળ વગેરે બનાવવી, બાંધવાનો પડદો વગેરે બનાવવો, સોયની પોતાની જાતે જ ધાર કાઢવી, કાતર વગેરેની પોતાની જાતે જ ધાર કાઢવી, જરા જેટલું પણ કઠોર વચન બોલવું, જરા જેટલું પણ જૂઠું બોલવું, જરા જેટલી પણ ચોરી કરવી, થોડા પણ અચિત્ત પાણીથી હાથ-પગ-કાન-આંખ-દાંત-નખ-મોં ધોવાં, અખંડ ચામડું રાખવું, અખંડ (આખું) વસ્ત્ર રાખવું, અભિન્ન (ફાડ્યા વગરનું) વસ્ત્ર રાખવું, તુંબડું વગેરેથી પગને પોતાની જાતે જ સાફ કરવા-ઘસવા, દંડ વગેરેને પોતાની જાતે જ ઠીક કરવા, (ગુરુની અનુમતિ વિના) પોતે લાવેલ પાત્ર વગેરે પોતે જ રાખી લેવા અથવા બીજાના લાવેલા પાત્ર વગેરે સ્વીકાર કરી લેવાં, કોઈ પર દબાણ કરીને પાત્ર વગેરે લેવું, હંમેશા અગ્રપિંડ (ચોખા વગેરે રાંધેલા પદાર્થોનો ઉપરનો ભાગ, પહેલી જ રોટલી) વગેરે ગ્રહણ કરવો, હંમેશા એક જ સ્થાન પર રહેવું, (દાનાદિ માટે) પહેલાં અથવા પછી (દાતાની) પ્રશંસા કરવી, એક જ ઘરનો આહાર લેવો, હંમેશા અર્ધભાગ (દાન માટે કાઢેલ ભોજનનો અડધો ભાગ)નો ઉપભોગ કરવો, નિત્યભાગ (દાન માટે કાઢેલ અંશ)નો ઉપભોગ કરવો, ભિક્ષાકાળ પહેલાં અથવા પછી વિનાકારણ પોતાના પરિચિત ઘરોમાં પ્રવેશ કરવો, અન્યતીર્થિક, ગૃહસ્થ, પારિવારિક (સદોષી) સાધુ વગેરે સાથે ગૃહસ્થના ઘરમાં આહારાદિ નિમિત્તે પ્રવેશ કરવો, અન્યતીર્થિક વગેરે સાથે ઈંડિલભૂમિ – વિચારભૂમિ માટે (શૌચ નિમિત્તે) જવું, અન્યતીર્થિક સાથે ગ્રામાનુગ્રામ વિચરવું, અનેક પ્રકારના ખાદ્ય પદાર્થો ગ્રહણ કરીને તેમાંથી સારી સારી વસ્તુઓ ખાઈ જવી અને ખરાબ ખરાબ ચીજો ફેંકી દેવી (સાવધાનીપૂર્વક), વધારે આહાર-પાણી લઈ આવવાની સ્થિતિમાં બચેલા આહાર-પાણીને નજીકના સાધર્મિક શુદ્ધાચારી સંભોગી સાધુને પૂછ્યા વિના (આમંત્રિત કર્યા વિના) ફેકી દેવાં, શય્યાતર (ગૃહસ્વામી)ના ઘરના આહાર-પાણી ગ્રહણ કરવાં, શવ્યાતરની નિશ્રા-દલાલીથી અહાર-પાણી માગવા, માગીને લાવેલા શયા-સંસ્તારક મર્યાદાથી વધારે સમય સુધી રાખવાં, ઉપાશ્રય (નિવાસ-સ્થાન)નું પરિવર્તન કરતી વખતે સ્વામીની અનુમતિ વગર કોઈ પ્રકારનો સામાન એક સ્થાનથી બીજા સ્થાન પર લઈ જવો, પ્રાતિહારિક (પાછાં આપવા યોગ્ય) શવ્યા-સંસ્મારક સ્વામીને પાછાં આપ્યા વિના એક ગામથી બીજા ગામ ચાલ્યા જવું – વિહાર કરી જવો, વિખરાયેલા સામાનને ઠીક કર્યા વગર વિહાર કરી જવો, પ્રતિલેખના વગર ઉપધિ – ઉપકરણ રાખવાં. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ અંગબાહ્ય આગમો ત્રીજો ઉદેશ : - તૃતીય ઉદેશમાં પણ માસ-લઘુ પ્રાયશ્ચિત્ત સાથે સંબંધિત ક્રિયાઓનો ઉલ્લેખ છે. તે ક્રિયાઓ નીચે મુજબ છે : – ધર્મશાળા (આગંતાર), આરામગૃહ (આરામગાર – બગીચામાં બનાવેલ ઘર), ગૃહપતિકુલ (માલિકનું ઘર) તથા અન્યતીર્થિકગૃહમાં જઈને અશનાદિની યાચના કરવી, મનાઈ કરવા છતાં પણ કોઈના ઘરમાં આહારાદિ નિમિત્તે પ્રવેશ કરવો, ભોજન આદિ બનાવાતું જોઈ ત્યાં જઈને આહારાદિ ગ્રહણ કરવો, ત્રણ ઘર-ત્રણ દરવાજા ઓળંગીને લાવવામાં આવેલ આહારાદિનો સ્વીકાર કરવો, પગ (શોભા માટે) ખંખેરી લૂછીને સાફ કરવા, પગ દબાવવા, પગમાં તેલ વગેરે લગાવવું, પગ ઠંડા અથવા ગરમ (અચિત્ત) પાણીથી ધોવા, પગમાં રંગ અથવા રસ લગાવવો, યાવતુ આખા શરીરને સાફ કરવું-દબાવવું-ધોવું વગેરે, ગુમડાં વગેરે રોગ થતાં તેને તીક્ષ્ણ હથિયાર વડે છેદાવવાં, કપાવવાં અને લોહી વગેરે કઢાવીને વિશુદ્ધ કરવા અથવા પોતાના હાથ વડે કાપી-છેદી વિશુદ્ધ કરવાં, આલેપન (મલમ) વગેરેનો લેપ કરવો-કરાવવો, ગુર્દા અથવા કુક્ષીમાં ઉત્પન્ન થયેલ કૃમિઓ આંગળીથી કાઢવાં, લાંબા નખ કાપવા, ગુહ્ય સ્થાનના લાંબા વાળ કાપવા, આંખોના લાંબા વાળ કાપવા, જાંઘના લાંબા વાળ કાપવા, કુક્ષિના લાંબા વાળ કાપવા, દાઢી-મૂછના લાંબા વાળ (વીદાડું મંસુરાપું) કાપવા, માથાના લાંબા વાળ કાપવા, નાકના લાંબા વાળ કાપવા, (આ બધી ક્રિયાઓ શોભા માટે ન કરવી જોઈએ, દાંત ઘસવા, દાંત ઠંડા અથવા ગરમ (અચિત્ત) પાણીથી ધોવા, દાંતોમાં રંગ વગેરે લગાવવો, આંખો મસળી-મસળી સાફસુફ કરવી, પગ વગેરે ઘસીઘસીને સાફ કરવા, આંખ વગેરેનો મેલ કાઢવો, શરીરનો સ્વેદ-પરસેવો સાફ કરવો, શણ વગેરેના દોરા વશીકરણ માટે વહેંચવા, ઘરમાં, ઘરના દ્વારે, ઘરની સામે, ઘરના આંગણમાં ઝાડો-પેશાબ (ફક્યારે આવા પાવM વા) ફેકવા, કોઈ સાર્વજનિક સ્થાન પર-લોકોના આવવા-જવાની જગ્યા પર ઝાડો-પેશાબ ફેંકવા, કીચડ, ફૂગ (પંસિ વા પણwifસ વા) વગેરેની જગ્યાએ ઝાડો-પેશાબ ફેંકવા, ઇક્ષુવન (શેરડીનું ખેતર), શાલિવન, કુસુમવન, કાર્પાસવન વગેરેમાં ઝાડો-પેશાબ ફેંકવા, અશોકવન, સપ્તવન (સપ્તપર્ણ વૃક્ષોનું વન), ચંપાવન, ચૂતવન (આમ્રવન) વગેરેમાં ઝાડો-પેશાબ ફેંકવા, સ્વપાત્ર અથવા પરપાત્રમાં કરેલ ઝાડો-પેશાબ સૂર્યોદય બાદ પહેલાંથી ન જોયેલાં સ્થાન પર ફેંકવા. ચોથો ઉદેશ : ચતુર્થ ઉદેશમાં લઘુ-માસ પ્રાયશ્ચિત્ત સંબંધિત ક્રિયાઓ પર પ્રકાશ પાડવામાં Page #261 -------------------------------------------------------------------------- ________________ નિશીથ ૨૨૫ આવ્યો છે. જે સાધુ (અથવા સાધ્વી) રાજાને પોતાને વશ કરે, રાજાની પૂજાઅર્ચના કરે, રાજાની પ્રશંસા કરે, રાજા પાસે કંઈક માગે, રાજરક્ષકને વશ કરે, તેની પૂજા વગેરે કરે, નગરરક્ષકને વશ કરે, તેની પૂજા વગેરે કરે, નિગમરક્ષકને વશ કરે, તેની પૂજા વગેરે કરે, સર્વરક્ષકને વશ કરે, તેની પૂજા વગેરે કરે, અખંડ ઔષધિ (પીસ્યા વગરનું અન્ન)નો આહાર કરે, આચાર્ય-ઉપાધ્યાયને આપ્યા વગર આહાર કરે, તપાસ્યા-પરખ્યા વિના આહારાદિ ગ્રહણ કરે, નિગ્રંથ અથવા નિગ્રંથીને (સાધુ નિગ્રંથીના અને સાધ્વી નિગ્રંથના) ઉપાશ્રયમાં કોઈ પ્રકારના સંકેત વગર (ખાંસી ખાવી વગેરે વિના) પ્રવેશ કરે, નિગ્રંથ અથવા નિગ્રંથીના આવવાજવાના માર્ગમાં દંડ, લાઠી, રજોહરણ, મુખગ્નિકા વગેરે (ગમ્મત કરવા માટે) રાખે, નવો ક્લેશ ઉત્પન્ન કરે, ક્ષમા માગ્યા-દીધા પછી પુનઃ કરે, મોં ફાડી-ફાડીને હસે, પાર્શ્વસ્થ (શિથિલાચારી) સાથે સંબંધ રાખે, કુશીલ વગેરે સાથે સંબંધ રાખે, ભીના હાથ, વાસણ, ચમચી વગેરેથી આહારાદિ ગ્રહણ કરે, સચિત્ત રજ, સચિત્ત માટી, મીઠું, ગેરૂ, અંજન, લોદ્ર, કંદ, મૂળ, ફળ, ફૂલથી અડેલ હાથ વગેરેથી આહારાદિ ગ્રહણ કરે, ઝાડો-પેશાબ વગેરે નાખવાની ભૂમિની પ્રતિલેખના ન કરે, સાંકડી જગ્યાએ ઝાડો-પેશાબ નાંખે, અવિધિપૂર્વક ઝાડો-પેશાબ નાંખે, માલિકની અનુમતિ વિના કોઈ સ્થાન પર ઝાડો-પેશાબ નાખે, ઝાડો-પેશાબ નાખીને અથવા કરીને કાષ્ઠ, વાંસ, આંગળી, લોઢાની સળી વગેરેથી લૂછે, ઝાડો-પેશાબ નાંખીને શુદ્ધ ન થાય, ઝાડો-પેશાબ કરીને ત્રણ અંજલિથી વધારે પાણી લઈને શુદ્ધિ કરે તેના માટે માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન અર્થાત્ લઘુ-માસિક (માસ-લઘુ) પ્રાયશ્ચિત્તનું વિધાન છે. પાંચમો ઉદ્દેશ : પાંચમો ઉદ્દેશ પણ માસ-લઘુ પ્રાયશ્ચિત્ત સંબંધિત છે. જે સાધુ-સાધ્વી સચિત્ત વૃક્ષના મૂળ પર કાયોત્સર્ગ કરે, પથારી કરે, બેસે, ઊભા રહીને આમ તેમ જુએ, અશનાદિ ચારે પ્રકાર (અશન, પાન, ખાદ્ય અને સ્વાઘ)નો આહાર કરે, ઝાડોપેશાબ કરે, સ્વાધ્યાય કરે, ભણાવે, વાચના આપે, વાચના લે, પોતાની ચાદર (સંઘાટિક) અન્યતીથિક અથવા ગૃહસ્થ પાસે સીવડાવે, ચાદર મર્યાદાથી વધારે લાંબી બનાવે, પલાશ વગેરેનાં પાંદડાં ધોઈને તેની પર આહાર કરે, પ્રાતિહારિક પાદપ્રોંછનને તે જ દિવસે પાછું ન આપે, શણ વગેરેના દોરા ખેંચીને લાંબા બનાવે, સચિત્ત લાકડાનો દંડ વગેરે બનાવે અથવા રાખે અથવા ઉપયોગમાં લે, ચિત્રવિચિત્ર દંડ વગેરે બનાવે, રાખે અથવા કામમાં લે, નવા વસેલા અથવા વસાવેલા (સેનાદિના પડાવને કારણે વસેલા) ગ્રામ વગેરેમાં જઈને આહારાદિ ગ્રહણ કરે, Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૬ અંગબાહ્ય આગમો નવી ખોદેલી લોઢું, તાંબુ, સીસું, ચાંદી, સોનું, રત્ન અથવા વજરત્નની ખાણમાં પ્રવેશ કરી આહારાદિ ગ્રહણ કરે, મોટું વિણા જેવું બનાવે, નાક વગેરેને વીણા જેવા બનાવે, પત્ર-ફૂલ-ફળ-બીજ વગેરેની વીણા બનાવે, ઉપર્યુક્ત વીણાઓ વગાડે, અન્ય પ્રકારના અવાજની નકલ કરે, ઔદેશિક – ઉદિષ્ટ શવ્યા વગેરેનો ઉપયોગ કરે, સામાચારી વિરુદ્ધ આચારવાળા સાધુ-સાધ્વીઓની સાથે આહારવિહાર કરે, મજબૂત તેમ જ આખા વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ વગેરે ભાંગીતોડીને ફેંકી દે, પ્રમાણથી વધુ લાંબુ રજોહરણ રાખે, બહુ નાનું અને પાતળું રજોહરણ રાખે, રજોહરણને અવિધિપૂર્વક બાંધે, રંગબેરંગી અથવા વિવિધ જાતિના દોરાનું રજોહરણ બનાવે, રજોહરણ પોતાનાથી ઘણું દૂર રાખે અથવા ગમનાગમન સમયે રજોહરણ પાસે ન રાખે, રજોહરણ પર બેસે, રજોહરણ મસ્તક નીચે રાખે, રજોહરણ પર સૂવે તેના માટે માસ-લઘુ પ્રાયશ્ચિત્તનું વિધાન છે. છઠ્ઠો ઉદેશ : છઠ્ઠા ઉદેશમાં મૈથુન સંબંધી ક્રિયાઓ માટે ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન અર્થાત્ ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે. તે ક્રિયાઓ આ પ્રમાણે છે :- સ્ત્રીને મૈથુન સેવન માટે પ્રાર્થના કરવી, મૈથુનની ઇચ્છાથી હસ્તકર્મ કરવું, સ્ત્રીની યોનિમાં લાકડી વગેરે નાખવી, પોતાના લિંગનું પરિમર્દન કરવું, પોતાના અંગાદાનની તેલ વગેરેથી માલિશ કરવી, અચિત્ત છિદ્ર વગેરેમાં અંગાદાનનો પ્રવેશ કરી શુક્ર-પુગલ કાઢવા, વસ્ત્ર દૂર કરી નગ્ન થવું, નિર્લજ્જ વચનો બોલવાં, ક્લેશ કરવો, ક્લેશકારી વચનો બોલવાં, વસતિ છોડી બીજે જવું, વિષયભોગ માટે લેખ લખવા-લખાવવા, લેખ લખવા-લખાવવાની ઇચ્છાથી બહાર જવું, ગુદા અથવા યોનિમાં લિંગ નાખવું વગેરે. સાતમો ઉદેશ : - આ ઉદેશમાં પણ મૈથુન વિષયક ક્રિયાઓ પર જ પ્રકાશ પાડવામાં આવ્યો છે અને તે માટે ચાતુર્માસિક અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે. તે ક્રિયાઓ નીચે પ્રમાણે છે -મૈથુનની અભિલાષાથી તૃણમાલા, મુંજમાલા, દંતમાલા, શૃંગમાલા, શંખમાલા, પત્રમાલા, પુષ્પમાલા, ફલમાલા, બીજમાલા વગેરે બનાવી રાખવી અને ધારણ કરવી, લોહ, તામ્ર, રૌણ, સુવર્ણ વગેરેનો સંચય અને ઉપભોગ કરવો, હાર, અર્ધહાર, એકાવલી, મુક્તાવલી, કનકાવલી, રત્નાવલી, કટક, તુડિય, કેયૂર, કુંડલ, પંજલ, મુકુટ, પ્રલંબસૂત્ર, સુવર્ણસૂત્ર વગેરે બનાવવા અને ધારણ કરવા, ચર્મના વિવિધ પ્રકારના વસ્ત્રો બનાવવા અને ધારણ કરવા, સુવર્ણના વિવિધ પ્રકારના વસ્ત્રો બનાવવા Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ નિશીથ અને ધારણ કરવા, આંખ, જાંઘ, ઉદર, સ્તન વગેરે હાથમાં પકડી હલાવવા અથવા મસળવા, પરસ્પર પગ સાફ કરવા, સ્ત્રીને અંક-પર્યકમાં બેસાડવી-સુવરાવવી, ખોળામાં બેસાડી આહાર વગેરે ખવડાવવો-પીવડાવવો, પશુ-પક્ષીના પગ, પાંખ, પૂંછડી વગેરે ગુપ્ત અંગમાં નાખવા, પશુ-પક્ષીના ગુહ્ય સ્થાનમાં લાકડી વગેરે નાખવી, પક્ષી-પક્ષીને સ્ત્રી રૂપ માની તેમનું આલિંગન-ચુંબન કરવું, મૈથુનની ઇચ્છાથી કોઈને આહાર વગેરે આપવો, શાસ્ત્ર ભણાવવા, વાચના આપવી, કોઈ વસ્તુનો કામવિકાર ઉત્પન્ન કરે તેવો આકાર બનાવવો ઇત્યાદિ. અષ્ટમ ઉદેશ: આ ઉદેશ પણ ચાતુર્માસિક ગુરુ-પ્રાયશ્ચિત્ત સંબંધી છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે જે સાધુ ધર્મશાળા (આગંતાર) વગેરેમાં એકલી સ્ત્રી સાથે રહે, સ્વાધ્યાય કરે, અશનાદિ ચારેય પ્રકારનો આહાર કરે, ઝાડો-પેશાબ કરે, કામોત્પાદક પાપકથા કહે, રાત્રિ અથવા સંધ્યાસમયે સ્ત્રીઓથી ઘેરાઈ લાંબી લાંબી કથા કહે, સ્વગણ અથવા પરગણની સાધ્વી સાથે પ્રામાનુગ્રામ વિચરતાં ક્યારેક તેની આગળ-પાછળ રહી જાય ત્યારે વિયોગથી દુઃખિત હૃદયવાળો બની વિહાર કરે, પોતાના ગૃહસ્થાવાસના સ્વજનોને રાતભર પાસે રાખી શયન કરે, પોતાની પાસે રહેલા સ્વજનોને પોતાનાથી દૂર ન જવા કહે, તેમની સાથે ઉપાશ્રયની બહાર જાય અને અંદર આવે, રાજા વગેરે દ્વારા ખાસ અવસરપરતૈયાર કરવામાં આવેલ આહાર વગેરે ગ્રહણ કરે, રાજાની હસ્તિશાલા', અશ્વશાલા, મંત્રશાલા, ગુહ્યશાલા, રહસ્યશાલા,મૈથુનશાલા વગેરેમાં જઈ આતારાદિ ગ્રહણ કરે, રાજાને ત્યાંથી દૂધ, ઘી, શર્કરા, મોરસ અથવા અન્ય કોઈપણ પ્રકારનું ભોજન ગ્રહણ કરે, રાજા દ્વારા દિનદુ:ખિયાઓને આપવામાં આવતી કોઈપણ પ્રકારની આહાર-સામગ્રી ગ્રહણ કરે તેને ગુરુ-ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તના ભાગી થવું પડે છે. નવમ ઉદ્દેશઃ નવમા ઉદેશમાં પણ ગુરુ-ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે. નિમ્નલિખિત ક્રિયાઓ આ પ્રાયશ્ચિત્તને પાત્ર છે : રાજપિંડ (રાજાઓને ત્યાંનો આહાર) ગ્રહણ કરવો, રાજપિંડનો ઉપભોગ કરવો, રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરવો, રાજાના દ્વારપાળ વગેરે પાસે આહાર વગેરે મંગાવવો, રાજાને ત્યાં તૈયાર કરવામાં આવેલ ભોજનના ચૌદ ભાગમાંથી કોઈપણ ૧. નિશીથ-વિશેષચૂર્ણિમાં ત્રણ પ્રકારના અંતઃપુર બતાવવામાં આવ્યાં છે : જીર્ણ અંતઃપુર (નષ્ટયૌવનાઓ માટે), નવ અંતઃપુર (વિદ્યમાનયૌવનાઓ માટે) અને કન્યકાંતઃપુર (અપ્રાપ્તયૌવનાઓ માટે). Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ અંગબાહ્ય આગમો ભાગનો આહાર ગ્રહણ કરવો (૧. દ્વારપાળનો ભાગ, ૨. પશુઓનો ભાગ, ૩. બૃત્યોનો ભાગ, ૪. બલિનો ભાગ, ૫. દાસ-દાસીઓનો ભાગ, ૬. ઘોડાઓનો ભાગ, ૭. હાથીઓનો ભાગ, ૮. અટવી વગેરે પાર કરી આવનારાઓનો ભાગ, ૯. દુભિક્ષપીડિતોનો ભાગ, ૧૦. દુષ્કાળપીડિતોનો ભાગ, ૧૧. દ્રમક – ભિખારીઓનો ભાગ, ૧૨. ગ્લાન – રોગીઓનો ભાગ, ૧૩. વર્ષા નિમિત્તે દાન કરવાનો ભાગ અને ૧૪. અતિથિઓનો ભાગ), નગરમાં પ્રવેશ કરતી વેળાએ અથવા નગરમાંથી બહાર જતી વેળાએ રાજાને જોવાનો વિચાર કરવો, રાજાની સર્વાલંકાર વિભૂષિત સ્ત્રીઓના પગ સુદ્ધાં જોવાનો વિચાર કરવો, રાજસભા વિસર્જિત થયા પૂર્વે આહારાદિની ગવેષણા માટે નીકળવું, રાજાના નિવાસસ્થાનની આસપાસ સ્વાધ્યાય વગેરે કરવો, નીચેની દસ રાજ્યાભિષેકની રાજધાનીઓમાં રાજ્યોત્સવ થતી વેળાએ મહિનામાં બે-ત્રણ વાર પ્રવેશ કરવો અથવા નીકળવું: ચંપા, મથુરા, વારાણસી, શ્રાવસ્તી, સાકેત, કાંપિલ્ય, કૌશાંબી, મિથિલા, હસ્તિનાપુર અને રાજગૃહ. દશમ ઉદ્દેશ : આ ઉદેશ પણ ગુરુ-ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત સંબંધી છે. જે સાધુ આચાર્યને કઠોર અને કર્કશ વચનો કહે, આચાર્યની આશાતના – અવજ્ઞા કરે, અનંતકાયમિશ્રિત (કંદમૂળ આદિ મિશ્રિત) આહાર કરે, આધાર્મિક (સાધુ નિમિત્તે બનાવેલ), આહાર કરે, લાભાલાભનાં નિમિત્ત બતાવે, કોઈ નિગ્રંથ-નિગ્રંથીને બહેકાવે, કોઈ નિગ્રંથનિગ્રંથીનું અપહરણ કરે, કોઈ દીક્ષાર્થી ગૃહસ્થ પુરુષ કે સ્ત્રીને બહેકાવે અથવા તેનું અપહરણ કરે, આપસમાં ઝઘડો થાય ત્યારે પ્રાયશ્ચિત્ત અને ક્ષમાયાચના કર્યા વિના ત્રણ રાતથી અધિક રહેનારાની સાથે આહાર-પાણી કરે, ઉદ્ધાતિક અર્થાત લઘુ-પ્રાયશ્ચિત્તવાળાને અનુદ્ધાતિક અર્થાત્ ગુરુ-પ્રાયશ્ચિત્તવાળો કહે અથવા અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્તવાળાને ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્તવાળો કહે, ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્તવાળાને અનુર્ઘાતિક પ્રાયશ્ચિત્ત આપે અને અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્તવાળાને ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્ત આપે, પ્રાયશ્ચિત્તવાળાની સાથે આહાર-પાણી લે, સૂર્યોદય અથવા સૂર્યાસ્ત પ્રતિ નિઃશંક બની આહારાદિનો ઉપયોગ કરતાં અન્યથા પ્રતીતિ થાય તો પણ આહારાદિનો ત્યાગ ન કરે (મોઢામાંથી ગ્રાસ વગેરે બહાર ન કાઢી નાંખે), રાતે અથવા સાંજે ઓડકાર (ઉગાર) આવે તો સાવધાનીપૂર્વક ન થુંકે – મુખશુદ્ધિ ન કરે, રોગી આદિ (સાધુ અથવા સાધ્વી)ની સેવા-સુશ્રુષા ન કરે, ૧. આવી સ્ત્રીઓને પૂરેપૂરી જોવી તો વર્જિત છે જ, તેમના પગ સુદ્ધાં જોવાનું નિષિદ્ધ છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ નિશીથ ૨૨૯ પ્રથમ ચોમાસામાં ગ્રામાનુગ્રામ વિચરણ કરે, વર્ષાવાસમાં વિહાર કરે, પર્યુષણ (વર્ષાવાસ)ના કાળ વિના જ પર્યુષણ કરે, પર્યુષણસમયે પર્યુષણ ન કરે, પર્યુષણ (સંવત્સરી)ના દિવસે ગોલોમ-માત્ર પણ વાળ (પોતાના મસ્તક આદિ પર) રાખે,પર્યુષણના દિવસે જરા જેટલા પણ આહારનું સેવન કરે, અન્યતીથિક અથવા ગૃહસ્થને પર્યુષણ (સાંવત્સરિક પ્રતિક્રમણ) કરાવે, પ્રથમ સમવસરણ (ચાતુર્માસ) પ્રારંભ થયા પછી અને સમાપ્ત થયા પહેલાં (પ્રથમ સમવસરણમાં) વસ્ત્રની યાચના કરે તે ગુરુ-ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનો ભાગી બને છે. એકાદશમ ઉદેશ : આ ઉદેશમાં પણ ગુરુ-ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત સંબંધી ક્રિયાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ક્રિયાઓ આ પ્રમાણે છે : લોહપાત્ર બનાવવું, લોહપાત્ર રાખવું, લોહપાત્રમાં આહાર કરવો, એ જ રીતે અન્ય ધાતુઓના પાત્રો ઉપયોગમાં લેવા, દંત, શૃંગ, વસ્ત્ર, ચર્મ, શ્વેત (પથ્થર), રત્ન, શંખ, વજ વગેરેનાં પાત્રો ઉપયોગમાં લેવા (માટી, તુંબડાં અને કાષ્ઠના પાત્રો જ ઉપયોગમાં લેવાનું વિધાન છે), લોઢાના તાર વગેરેથી બાંધેલા પાત્રનો ઉપયોગ કરવો, બે કોશ – અરધા યોજનથી આઘે પાત્રની યાચના કરવા જવું, અરધા યોજનથી આઘેથી લાવેલ પાત્ર ગ્રહણ કરવાં, ધર્મનો અવર્ણવાદ (નિંદા) કરવો, અધર્મની પ્રશંસા કરવી, અન્યતીથિક તથા ગૃહસ્થ વગેરેના પગ વગેરેનું પ્રમાર્જન કરવું, અંધકાર વગેરે ભયોત્પાદક સ્થાનોમાં જઈ પોતાને ભયભીત કરવો, બીજાને ભયભીત કરવા, પોતે વિસ્મિત થવું અને બીજાને વિસ્મિત કરવા, પોતે સંયમધર્મથી વિમુખ થવું અને બીજાને વિમુખ કરવા, અયોગ્ય સ્ત્રી-પુરુષની સ્તુતિ કરવી, વિરુદ્ધ રાજ્યમાં આવાગમન કરવું, દિવસના ભોજનની નિંદા અને રાત્રિભોજનની પ્રશંસા કરવી, રાતના સમયે ભોજન કરવું. વાસી (રાત્રિમાં) આહાર વગેરે રાખવો અને વાસી આહારાદિનો ઉપભોગ કરવો (કોઈ કારણસર વાસી આહાર રહી પણ જાય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ), માંસ-મસ્યાદિ વિરૂપ આહાર જોઈને તે ગ્રહણ કરવાની આશા અને ઇચ્છાથી પોતાનું સ્થાન છોડી અન્યત્ર જવું, નૈવૈદ્ય પિંડ ૧. હાલના સમયમાં આખી વર્ષાઋતુ અર્થાત્ વર્ષાના ચાર માસ સમાપ્ત થયા પછી જ વિહાર કરવામાં આવે છે. ૨. પર્યુષણ (સંવત્સરી)ની તિથિ વર્ષાઋતુનો પ્રારંભ થયાથી પચાસ દિવસ પછી અને સમાપ્ત થયાના સિત્તેર દિવસ પહેલાં (ભાદ્રપદ શુક્લા પંચમી) આવે છે. જુઓ – સમવાયાંગ, સૂ. ૭). .આ.-૧૭ · WWW.jainelibrary.org, . Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ અંગબાહ્ય આગમો (દેવાદિ માટે રાખેલ આહારાદિ)નો ઉપભોગ કરવો, અયોગ્યને દીક્ષા આપવી, અયોગ્યને વડી દીક્ષા આપવી, અયોગ્ય સાધુ-સાધ્વીની વૈયાવૃત્ય કરવી, અચેલ (નિર્વસ્ત્ર) હોવા છતાં સચેલ (સવસ્ત્રોની સાથે રહેવું, સચેલ હોવા છતાં અચેલ સાથે રહેવું, અચલે અચેલ સાથે રહેવું (કારણ કે અચેલ – જિનકલ્પી એકલા. જ રહે છે), નિમ્નોક્ત બાલમરણ અર્થાત અજ્ઞાનજન્ય મૃત્યુની પ્રશંસા કરવી :૧. પર્વત પરથી પડી મરવું, ૨. રેતીમાં પ્રવેશ કરી મરવું, ૩. ખાડામાં પડી મરવું, ૪. વૃક્ષ પરથી પડી મરવું, ૫. કીચડમાં ફસાઈ મરવું, ૬. પાણીમાં પ્રવેશ કરી મરવું, ૭. પાણીમાં કૂદીને મરવું, ૮. અગ્નિમાં પ્રવેશ કરી મરવું, ૯. અગ્નિમાં કૂદીને મરવું, ૧૦. વિષ ખાઈને મરવું, ૧૧. શસ્ત્રથી આત્મહત્યા કરવી, ૧૨. ઈન્દ્રિયોને વશ થઈ મરવું, ૧૩. તદ્દભવ અર્થાત આગળ જતાં તે જ ભવમાં ઉત્પન્ન થવાનું આયુષ્યકર્મ બાંધીને મરવું, ૧૪. અંત:કરણમાં શલ્ય (માયા, નિદાન અથવા મિથ્યાત્વ) રાખીને મરવું, ૧૫. ફાંસીએ ચડી મરવું, ૧૬. મૃતકના કલેવરમાં પ્રવેશ કરી મરવું, ૧૭. સંયમભ્રષ્ટ થઈ મરવું વગેરે. બારમો ઉદ્દેશ : પ્રસ્તુત ઉદેશમાં લઘુ-ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પાત્ર નિમ્ન ક્રિયાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે : કરુણા અર્થાત અનુકંપાપૂર્વક કોઈ ત્રસ પ્રાણીને તૃણપાશે, મુંજપાશ, કાષ્ઠપાશ, ચર્મપાશ, વેત્રપાશ, પાશ, સૂત્રપાશ વગેરેથી બાંધવું, બાંધેલા પ્રાણીને છોડવું, પ્રત્યાખ્યાન (ત્યાગવિશેષ)નો વારંવાર ભંગ કરવો, પ્રત્યેક વનસ્પતિકાય (જે વનસ્પતિના એક શરીરમાં એક જીવ રહેતો હોય) મિશ્રિત આહારનો ભોગ કરવો, સલોમ ચર્મ રાખવું, પરવસ્ત્રાચ્છાદિત તૃણપીઠ, કાષ્ઠપીઠ વગેરે પર બેસવું, સાધ્વીની સંઘાટી (ચાદર) અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે સીવડાવવી, પૃથ્વીકાય વગેરેની વિરાધના કરવી, સચિત્ત વૃક્ષ પર ચડવું, ગૃહસ્થના પાત્રમાં ભોજન કરવું, ગૃહસ્થનાં વસ્ત્રો પહેરવાં, ગૃહસ્થની શય્યા પર સૂવું, ગૃહસ્થનો ઔષધોપચાર કરવો, પૂર્વકર્મ (હાથ, વાસણ વગેરે ધોઈ તરત તૈયાર થઈ બેઠેલા દાતાના હાથે આહાર વગેરે ગ્રહણ કરવાથી લાગનાર) દોષથી યુક્ત આહાર વગેરે ગ્રહણ કરવા, કાષ્ઠ આદિના ચિત્ર-વિચિત્ર પૂતળાં આદિ જોવા માટે તલપાપડ રહેવું, ઝરણું, ગુફા, સરોવર વગેરે વિષમ સ્થાનો જોવા માટે ઉત્સુક રહેવું, ગ્રામ-નગર આદિ ચક્ષુદર્શનની તુષ્ટિ માટે જોવા માટે આતુર રહેવું, અશ્વક્રીડા, હસ્તિક્રીડા, શૂકરક્રીડા વગેરે જોવા માટે આતુર રહેવું, ગૌશાળા, અશ્વશાળા, હસ્તિશાળા વગેરે જોવાની અભિલાષા રાખવી, પ્રથમ પૌરુષી (પ્રહર)માં ગ્રહણ કરેલ આહાર પશ્ચિમ – ચતુર્થ પૌરુષી સુધી રાખવો, અર્ધયોજન Page #267 -------------------------------------------------------------------------- ________________ નિશીથ ૨૩૧ બે ગાઉથી આઘે જઈ આહાર લાવવો, (ગડગુમડ પર લગાડવા માટે) એક દિવસ ગોમય છાણ લાવી બીજા દિવસે કામમાં લેવું, દિવસે છાણ લાવી રાતે ઉપયોગમાં લેવું, રાતે છાણ લાવી દિવસે કામમાં લેવું, રાતે છાણ લાવી રાતે જ કામમાં લેવું (જે દિવસે દિવસના સમયે ગ્રહણ કર્યું હોય તે જ દિવસે દિવસના સમયે કામમાં લઈ લેવું જોઈએ), એ જ રીતે આલેપન વગેરેનો પણ સમયમર્યાદાનું ઉલ્લંઘન કરી ઉપયોગ કરવો, પોતાનાં ઉપકરણો અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે ઉપડાવવાં, ગૃહસ્થ વગેરેની પાસે કામ કરાવી બદલામાં આહારાદિ આપવો, નિમ્નોક્ત પાંચ મહાનદીઓ મહિનામાં બે-ત્રણ વાર પાર કરવી : ૧. ગંગા, ૨. યમુના, ૩. સરયૂ, ૪. ઐરાવતી અને ૫. મહી. તેરમો ઉદ્દેશ ઃ સાધુ આ ઉદ્દેશ પણ લઘુ-ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત સંબંધી છે. જે ભિક્ષુ નિગ્રંથ – મુનિ શ્રમણ સચિત્ત પૃથ્વીકાયને અડીને બેસે, સૂવે, સ્વાધ્યાય કરે, સચિત્ત રજથી ભરેલી શીલા ઉપર શયન કરે, બેસે, સ્વાધ્યાય કરે, સચિત્ત પાણીથી ભીંજાયેલી જમીન પર શયન કરે, બેસે, સ્વાધ્યાય કરે, ઘરના ઉંમરા પર, ખાંડણિયા પર, સ્નાન કરવાના સ્થળે બેસે-ઉઠે, નદી પર, ભીંત ૫૨, શીલા પર, પાષાણખંડ પર, ખુલ્લા આકાશમાં સૂવે-બેસે, અન્યતીર્થિક અથવા ગૃહસ્થને શિલ્પકળા વગેરે શીખવાડે, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પર કોપ કરે, તેમને કઠોર વચનો કહે, તેમની સાથે પ્રશ્નોત્તર કરે, તેમને ભવિષ્ય વગેરે બતાવે, હસ્તરેખા વગેરે જોઈ ફળાફળ બતાવે, સ્વપ્રનું ફળાફળ બતાવે, મંત્ર-તંત્ર શીખવાડે, ભૂલ્યા-ભટક્યાને માર્ગ બતાવે, પાત્ર, દર્પણ, તલવાર, મણિ, પાણી, તેલ, કાકબ (પાતળો ગોળ), વસા (ચરબી) વગેરેમાં પોતાનું મો જુએ, (નિષ્કારણ) વમન કરે, વિરેચન લે અને ઔષધીનું સેવન કરે, શિથિલાચારી (પાર્શ્વસ્થ) વગેરેને વંદન નમસ્કાર કરે, ધાતૃપિંડ (ગૃહસ્થના બાળકોને ક્રીડા કરાવી આહારાદિ) ગ્રહણ કરે, દૂતીપિંડ (બીજે ગામ જઈ સમાચાર પહોંચાડી આહારાદિ) ગ્રહણ કરે, નિમિપિંડ (જ્યોતિષ વગેરેનું ફળ બતાવીને આહાર) ગ્રહણ કરે, ચિકિત્સાપિંડ (ઔષધોપચાર કરીને આહા૨) ગ્રહણ કરે, ક્રોધાદિપૂર્વક આહાર ગ્રહણ કરે તેને માટે ઉદ્ઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન અર્થાત્ લઘુ-ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનું વિધાન છે. ચૌદમો ઉદ્દેશ : આ ઉદ્દેશમાં પાત્રસંબંધી દોષપૂર્ણ ક્રિયાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે અને બતાવવામાં આવ્યું છે કે જે ભિક્ષુ પોતે પાત્રો ખરીદે, બીજા પાસે ખરીદાવે, ૧. બૃહત્કલ્પસૂત્રમાં આ જ પાંચ નદીઓ મહિનામાં બે-ત્રણ વાર પાર કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. -- Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ અંગબાહ્ય આગમો બીજો કિંમત લઈ આપતો હોય તે ગ્રહણ કરે, ઉધાર લે, ઉધાર લેવડાવે, બીજો ઉધાર લઈને આપતો હોય તો તે ગ્રહણ કરે, અદલાબદલી કરે, અદલાબદલી કરાવે, અદલાબદલી કરી આપનાર પાસેથી ગ્રહણ કરે, બળપૂર્વક પડાવી લે, માલિકની અનુમતિ વિના લઈ લે, સંમુખ લાવી આપનાર પાસેથી ગ્રહણ કરે, વધારાનાં પાત્ર ગણિની અનુમતિ વિના બીજા સાધુઓને આપે, પૂર્ણાગ–જેના હાથ-પગ અખંડ હોય તેવા નાના સાધુ-સાધ્વી અથવા મોટા – સ્થવિર સાધુ-સાધ્વીને આપે, અપૂર્ણાગ સાધુસાધ્વીને ના આપે, તૂટેલું-ફૂટેલું પાત્ર રાખે, મજબૂત અને કામમાં આવે તેવું પાત્ર ન રાખે, વર્ણયુક્ત પાત્રને વિવર્ણ કરે, વિવર્ણ પાત્રને વર્ણયુક્ત કરે, નવા પાત્રમાં તેલ વગેરે લગાવે, સુગંધી પાત્રને દુર્ગધમય બનાવે, દુર્ગધમય પાત્રને સુગંધમય બનાવે, અંતરરહિત સચિત્ત પૃથ્વી પર પાત્ર તડકામાં રાખે, સચિત્ત રજથી ભરેલી ભૂમિ પર પાત્ર સૂકવે, સચિત્ત જળ વગેરેથી યુક્ત ભૂમિ પર પાત્ર સુકવાવે, છત, ખાટ, થાંભલો વગેરે પર પાત્ર સૂકવે, ગામની વચ્ચે અથવા બે ગામની વચ્ચેના માર્ગ વચ્ચે કોઈની પાસે પાત્રની યાચના કરે, સભા વચમાં ઉઠી કોઈ પાસે પાત્ર માંગે, પાત્રના લોભથી ક્યાંક રહે અથવા ચાતુર્માસ – વર્ષાવાસ કરે તે લઘુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનો ભાગી બને છે. પંદરમો ઉદેશ : પ્રસ્તુત ઉદેશમાં પણ લઘુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત સંબંધી ક્રિયાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જે ભિક્ષુ કોઈ સાધુને આક્રોશપૂર્ણ કઠોર વચન કહે, કોઈ સાધુની આશાતના કરે, સચિત્ત કેરી વગેરે ખાય, સચિત્ત પદાર્થ પર રાખેલ અચિત્ત કેરી વગેરે ખાય, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ વગેરે પાસે પોતાના હાથ-પગ દબાવડાવે, તેલ વગેરેનું માલિશ કરાવે, ગડગૂમડ વગેરે છેદાવે-ધોવડાવે, વાળ વગેરે કપાવે, આંખો વગેરે સાફ કરાવે, વાડી વગેરેમાં ઝાડો-પેશાબ નાખે, ગૃહસ્થ વગેરેને આહાર-પાણી આપે, ગૃહસ્થ ધારણ કરવાનું શ્વેત વસ્ત્ર ગ્રહણ કરે, વિભૂષા (શૃંગાર અને શોભા) માટે પગ વગેરેનું પ્રમાર્જન કરે, રોગ વગેરેનો ઉપચાર કરે, નખ વગેરે કાપે, દાંત વગેરે સાફ કરે, વસ્ત્ર વગેરે ધુએ તેના માટે લઘુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનું વિધાન છે. સોળમો ઉદ્દેશ: સોળમા ઉદેશમાં પણ લઘુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનું જ વિધાન કરવામાં આવ્યું છે. જે સાધુ પતિ-પત્નીના શયનાગારમાં પ્રવેશ કરે, સ્નાનાગારમાં પ્રવેશ કરે, અગ્નિગૃહ– રસોડામાં પ્રવેશ કરે, સચિત્ત ઇશુ – શેરડી વગેરે ચૂસે, અરણ્ય વગેરેમાં યાત્રા કરતી વેળાએ પોતાની સાથે રહેનારા મનુષ્ય અથવા વનોપજીવી લોકો પાસેથી આહારાદિ ગ્રહણ કરે, સદાચારીને દુરાચારી અને દુરાચારીને સદાચારી કહે, Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ નિશીથ ક્લેશપૂર્વક સંપ્રદાયનો ત્યાગ કરનાર સાધુ સાથે ખાનપાન તથા અન્ય પ્રકારનો વ્યવહાર રાખે, અનાર્ય દેશમાં વિચરવાની ઇચ્છા કરે, નિંદિત કુળોમાંથી આહારાદિ ગ્રહણ કરે, અશનાદિ જમીન, પથારી અથવા ખીલી પર રાખે, ગૃહસ્થ વગેરેની સાથે આહારપાણી કરે, સચિત્ત ભૂમિ પર ઝાડો-પેશાબ નાખે તેને ઉપર્યુક્ત પ્રાયશ્ચિત્તના ભાગી થવું પડે છે. સત્તરમો ઉદ્દેશ : આ ઉદેશ પણ લઘુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત સંબંધી છે. કુતૂહલ માટે કોઈ ત્રસ પ્રાણીને દોરડા વગેરેથી બાંધવું અથવા બાંધેલા પ્રાણીને છોડવું, તૃણ વગેરેની માળા બનાવવી, રાખવી અથવા પહેરવી, રમકડાં વગેરે બનાવવાં, રાખવાં અથવા તેનાથી રમવું, સમાન આચારવાળા સાધુ-સાધ્વીને સ્થાન વગેરેની સગવડ ન આપવી, કષ્ટપૂર્વક આપવામાં આવનાર આહારાદિ ગ્રહણ કરવો, અતિ ઉષ્ણ આહાર ગ્રહણ કરવો, પોતાના આચાર્ય – ગુરુના ઉપલક્ષણો બીજાની સામે પ્રગટ કરવા, ગીત ગાવું, વાદ્યયંત્ર વગાડવું, નૃત્ય કરવું, વીણા વગેરે સાંભળવાની ઈચ્છા કરવી ઇત્યાદિ ક્રિયાઓ લઘુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને યોગ્ય છે. અઢારમો ઉદ્દેશ : આ ઉદેશમાં પણ લઘુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત સંબંધી અનેક દોષપૂર્ણ ક્રિયાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, તે નીચે મુજબ છે : અકારણ નૌકામાં બેસવું, નૌકાના ખર્ચ માટે પૈસા લેવા, બીજાઓને પૈસા અપાવવા અથવા બીજા પાસેથી પૈસા અપાવવા, નૌકા ઉધાર લેવી, લેવડાવવી અથવા લઈને આપવામાં આવતી નૌકાનો ઉપયોગ કરવો, નૌકાની અદલાબદલી કરવી, કરાવવી અથવા કરનારાની નૌકાનો ઉપયોગ કરવો, બળાત્કારે નૌકા છીનવી લેવી, માલિકની અનુમતિ વિના નૌકામાં બેસવું, સ્થળ પર પડેલી નૌકા પાણીમાં રખાવવી અથવા પાણીમાં પડેલી નૌકાને સ્થળ પર રખાવવી, નૌકામાં ભરેલું પાણી બહાર ફેંકવું, ઉર્ધ્વગામિની અથવા અધોગામિની નૌકા પર બેસવું, એક યોજન અથવા અર્ધ યોજન દૂર સુધી જનારીનૌકા પર બેસવું, નૌકા ચલાવવી અથવા તો નાવિકને નૌકા ચલાવવામાં સહયોગ આપવો, છિદ્રમાંથી આવતું પાણી રોકવું અથવા ભરેલું પાણી પાત્ર વગેરેથી બહાર ફેંકવું, નૌકામાં આહારાદિ ગ્રહણ કરવો, વસ્ત્ર ખરીદવા, વર્ણયુક્ત વસ્ત્રને વિવર્ણ બનાવવાં, વિવર્ણ વસ્ત્રને વર્ણયુક્ત બનાવવાં, સુગંધી વસ્ત્રને દુર્ગંધમય અને દુર્ગધમય વસ્ત્રને સુગંધમય બનાવવાં, વસ્ત્ર સચિત્ત પૃથ્વી પર સૂકવવાં, અવિધિપૂર્વક વસ્ત્રની યાચના કરવી (ચૌદમા ઉદેશમાં નિર્દિષ્ટ પાત્રવિષયક દોષોની માફક વસ્ત્ર વિષયમાં પણ બધા દોષો સમજી લેવા જોઈએ) ઈત્યાદિ. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ અંગબાહ્ય આગમો ઓગણીસમો ઉદેશઃ ઓગણીસમા ઉદેશમાં નિમ્નોક્ત ક્રિયાઓ માટે લઘુચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે : અચિત્ત વસ્તુ ખરીદવી, ખરીદાવવી, ખરીદીને આપનાર પાસેથી ગ્રહણ કરવી, ઉધાર લેવું, ઉધાર લેવડાવવું વગેરે, રોગી સાધુ માટે ત્રણ દત્તિ (આપવામાં આવનાર પદાર્થની અખંડ ધારા અથવા ભાગ)થી વધુ અચિત્ત વસ્તુ ગ્રહણ કરવી, આહારાદિ ગ્રહણ કરી ગ્રામાનુગ્રામ વિહાર કરવો, અચિત્ત વસ્તુ (ગોળ વગેરે) પાણીમાં ગળાવવો, અસ્વાધ્યાય સમયમાં સ્વાધ્યાય કરવો, ઈન્દ્ર મહોત્સવ, સ્કંદ મહોત્સવ, યજ્ઞ મહોત્સવ અને ભૂત મહોત્સવ સમયે સ્વાધ્યાય કરવો, ચૈત્રી (સુનિષ્ક્રિયે – સુષ્મી) અસ્પિદા, આષાઢી પ્રતિપદા, ભાદ્રપદી પ્રતિપદા અને કાર્તિક પ્રતિપદાના દિવસે સ્વાધ્યાય કરવો, રાત્રિના પ્રથમ તથા અંતિમ અને દિવસના પ્રથમ તથા અંતિમ – આ ચારેય પ્રહર સમયે સ્વાધ્યાય ન કરવો, નીચેના સૂત્રનું ઉલ્લંઘન કરી ઉપરના સૂત્રની વાચના આપવી, નવબ્રહ્મચર્ય' (આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધ)ને છોડી અન્યસૂત્રો ભણાવવા, અયોગ્યને શાસ્ત્રો ભણાવવા, યોગ્યને શાસ્ત્રો ન ભણાવવા, આચાર્ય-ઉપાધ્યાય પાસેથી ભણ્યા વિના પોતાની મેળે જ સ્વાધ્યાય કરવો, અન્યતીર્થિક અથવા ગૃહસ્થને ભણાવવા અથવા તેમની પાસે ભણવું, પાર્શ્વસ્થ વગેરે શિથિલાચારીઓને ભણાવવા અથવા તેમની પાસે ભણવું. વીસમો ઉદેશઃ વીસમા ઉદેશના પ્રારંભમાં સકપટ અને નિષ્કપટ આલોચના માટે વિવિધ પ્રાયશ્ચિત્તોનું વિધાન કરવામાં આવ્યું છે. સકપટ આલોચના માટે નિષ્કપટ આલોચનાથી એકમાસિકી વધુ પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. કોઈપણ દશામાં જમાસિકથી અધિક પ્રાયશ્ચિત્તનું વિધાન નથી. પ્રાયશ્ચિત્ત કરતાં ફરી દોષનું સેવન કરનારા માટે વિશેષ પ્રાયશ્ચિત્તની વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યવહારસૂત્રના પ્રથમ ઉદેશમાં પણ આ જ શબ્દોમાં આ બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. નિશીથસૂત્રના પ્રસ્તુત પરિચય પરથી સ્પષ્ટ થાય છે કે આ ગ્રંથનું જૈન આગમોમાં એક વિશિષ્ટ સ્થાન છે. આમાં માત્ર પ્રાયશ્ચિત્ત સંબંધી ક્રિયાઓનું વર્ણન છે. ગરમાસિક, લઘુમાસિક, ગુરુચાતુર્માસિક અને લઘુચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને યોગ્ય સમસ્ત મહત્ત્વપૂર્ણ ૧. સાધુએ બે ગાઉથી આઘે આહારાદિ ખાદ્ય પદાર્થ લઈ જવાની મનાઈ છે. ૨. હાલના સમયમાં પહેલાં દશવૈકાલિક ભણાવવામાં આવે છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ નિશીથ ૨૩૫ ક્રિયાઓનો સમાવેશ આચાર્યે પ્રસ્તુત સૂત્રમાં કર્યો છે. આ દૃષ્ટિએ નિશીથ નિઃસંદેહ અન્ય આગમોથી વિલક્ષણ છે. નિશીથનો અર્થ છે અપ્રકાશ એટલે અંધકાર. દોષ અને પ્રાયશ્ચિત્ત વિષયક સહુની સમક્ષ અપ્રકાશનને યોગ્ય પરંતુ યોગ્યની સમક્ષ પ્રકાશનને યોગ્ય જિન-વચનોના સંગ્રહ માટે નિશીથસૂત્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. - * * * Page #272 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રકરણ મહાનિશીથ ભાષા અને વિષયની દૃષ્ટિએ આ સૂત્રની ગણના પ્રાચીન આગમોમાં કરી શકાય નહિ. આમાં અત્રતત્ર આગમેતર ગ્રંથોના ઉલ્લેખો પણ મળે છે. આમાં છ અધ્યયન અને બે ચૂલાઓ છે. આ ગ્રંથ ૪, ૫૫૪ શ્લોકપ્રમાણ છે. પ્રારંભમાં ગ્રંથના પ્રયોજનની ચર્ચા છે. અધ્યયનો : શલ્યોદ્ધરણ નામક પ્રથમ અધ્યયનમાં પાપરૂપી શલ્યની નિંદા અને આલોચના કરવાની દૃષ્ટિએ અઢાર પાપસ્થાનકો બતાવવામાં આવ્યાં છે. તેમાં આવશ્યક નિર્યુક્તિની દયે ના' ઇત્યાદિ ગાથાઓ ઉદ્ધત છે. દ્વિતીય અધ્યયનમાં કર્મવિપાકનું વિવેચન કરતાં પાપોની આલોચના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તૃતીય અને ચતુર્થ અધ્યયનમાં કુશીલ સાધુઓના સંસર્ગથી દૂર રહેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. એમાં મંત્ર-તંત્ર, નમસ્કારમંત્ર, ઉપધાન, અનુકંપા, જિનપૂજા આદિનું વિવેચન છે. અહીં એમ બતાવવામાં આવ્યું છે કે વજસ્વામીએ બુચ્છિન્ન પંચમંગલની નિર્યુક્તિ વગેરેનો ઉદ્ધાર કરી તેને મૂલસૂત્રમાં સ્થાન આપ્યું હતું. નવનીતસાર નામક પંચમ અધ્યયનમાં ગચ્છના સ્વરૂપનું વિવેચન કરવામાં આવ્યું છે. ગચ્છાચાર નામક પ્રકીર્ણકનો આધાર આ જ અધ્યયન છે. છઠ્ઠા અધ્યયનમાં પ્રાયશ્ચિત્તના દસ અને આલોચનાના ચાર ભેદોનું વ્યાખ્યાન છે. તેમાં આચાર્ય ભદ્રના એક ગચ્છમાં પાંચસો સાધુઓ અને બારસો સાધ્વીઓ હોવાનો ઉલ્લેખ છે. ચૂલાઓ : ચૂલાઓમાં સુસઢ વગેરેની કથાઓ છે. અહીં સતીપ્રથાનો તથા રાજા પુત્રહીન હોય ત્યારે કન્યાને રાજગાદી પર બેસાડવાનો ઉલ્લેખ છે. ૧. (અ) મૂળ : જિનેન્દ્રવિજયગણિ, હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ૧૯૮૩. (આ) આલોચનાત્મક અધ્યયન – W. Schubring, Berlin, 1918, E R. Hamm and W. Schubring, Hemburg, 1951. J. Deleu and W. Schubring, Ahmedabad, S. 1933. મુનિશ્રી પુણ્યવિજયજી પાસે આની હસ્તલિખિત પ્રતિ છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીથ હરિભદ્રકૃત ઉદ્ધાર : તૃતીય અધ્યયનમાં એ વાતનો ઉલ્લેખ છે કે ઉધઈએ ખાધેલા પ્રસ્તુત ગ્રંથનો ઉદ્ધાર અને સંશોધન હરિભદ્રસૂરિએ કર્યું હતું તથા સિદ્ધસેન, વૃદ્ધવાદી, યક્ષસેન, દેવગુપ્ત, યશોવર્ધન, રવિગુપ્ત, નેમિચંદ્ર, જિનદાસગણિ વગેરે આચાર્યોએ તેને માન્ય કર્યું હતું. Page #274 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રકરણ જીતકલ્પ જીતકલ્પસૂત્ર'ના પ્રણેતા પ્રસિદ્ધ ભાષ્યકાર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (વિ.સં. ૬૫૦ આસપાસ) છે. આ ગ્રંથમાં નિગ્રંથ-નિગ્રંથીઓના ભિન્ન ભિન્ન અપરાધસ્થાન વિષયક પ્રાયશ્ચિત્તનું જીત-વ્યવહાર ના આધારે નિરૂપણ કરવામાં આવ્યું છે. આમાં કુલ ૧૦૩ ગાથાઓ છે. સહુ પ્રથમ સૂત્રકારે પ્રવચનને નમસ્કાર કર્યો છે અને આત્માની વિશુદ્ધિ માટે જીત-વ્યવહારગત પ્રાયશ્ચિત્ત-દાનનું સંક્ષિપ્ત નિરૂપણ કરવાનો સંકલ્પ કર્યો છે : कयपवयणप्पणामो, वुच्छं पच्छित्तदाणसंखेवं । जीयव्यवहारगयं, जीवस्स विसोहणं परमं ॥ १ ॥ સંવર અને નિર્જરા વડે મોક્ષ થાય છે તથા તપ સંવર અને નિર્જરાનું કારણ છે. પ્રાયશ્ચિત્ત તપોમાં પ્રધાન છે આથી પ્રાયશ્ચિત્તનું મોક્ષમાર્ગની દૃષ્ટિએ અત્યધિક મહત્ત્વ છે. મોક્ષના હેતુભૂત ચારિત્રની વિશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત અતિ આવશ્યક છે. એવી દશામાં મુમુક્ષુ માટે પ્રાયશ્ચિત્તનું જ્ઞાન અનિવાર્ય છે. 3 પ્રાયશ્ચિત્તના નિમ્નલિખિત દસ ભેદ છે : (૧) આલોચના, (૨) પ્રતિક્રમણ, (૩) ઉભય, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (૬) તપ, (૭) છેદ, (૮) મૂલ, (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાંચિક : તું સવિમાનોય-પડિમોમય-વિવે-વોસ તવ-છે-મૂન-ઞળવયા ય પત્તિયં ચેવ ॥ ૪ ॥ ૧. (આ) સ્વોપજ્ઞ ભાષ્ય સહિત – સંશોધક મુનિ પુણ્યવિજય; પ્રકાશક : બબલચંદ્ર કેશવલાલ મોદી, હાજા પટેલની પોળ, અમદાવાદ, વિ.સં. ૧૯૯૪. (ઇ) સિદ્ધસેન કૃત ચૂર્ણિ તથા શ્રીચંદ્રસૂરિ કૃત વૃત્તિ સહિત – સંપા. મુનિ જિનવિજય, પ્રકા. જૈન સાહિત્ય સંશોધક સમિતિ, અમદાવાદ, ઈ.સ. ૧૯૨૬. (ઈ) ચૂર્ણિના સારાંશની સાથે E. Leumann, Berlin, 1892. ૨. જે વ્યવહાર પરંપરાથી ચાલ્યો આવતો હોય અને શ્રેષ્ઠ પુરુષો દ્વારા અનુમત હોય તે જીતવ્યવહાર કહેવાય છે (– જીતકલ્પ, ગા. ૬૭૫). ૩. જીતકલ્પસૂત્ર, ગા. ૨. Page #275 -------------------------------------------------------------------------- ________________ જીતકલ્પ ૨૩૯ આલોચના: છદ્મસ્થને આહારાદિ ગ્રહણ, બહિર્નિર્ગમ, મલોત્સર્ગ આદિ ક્રિયાઓમાં અનેક દોષો લાગતા રહે છે જેની આલોચનાપૂર્વક સંખેદ સ્વીકારોક્તિ સહિત) વિશુદ્ધિ કરવી જરૂરી છે.' પ્રતિક્રમણ: ગુપ્તિ અને સમિતિમાં પ્રમાદ, ગુરુની આશાતના, વિનયભંગ, ગુરુની ઈચ્છા વગેરેનું અપાલન, લઘુમૃષાદિનો પ્રયોગ, અવિધિપૂર્વક કાસ-જંભા-સુતવાતનું નિવારણ, અસંક્લિષ્ટ કર્મ, કંદર્પ, હાસ્ય, વિકથા, કષાય, વિષયાનુસંગ, સ્કૂલના આદિ પ્રતિક્રમણના અપરાધસ્થાનો છે. તેમનું સેવન કર્યા પછી પ્રતિક્રમણ કરવું (કરેલા અપરાધોમાંથી પાછા હટવું) આવશ્યક છે. ઉભયઃ સંભ્રમ, ભય, આપતું, સહસા, અનાભોગ, અનાત્મવશતા, દુશ્ચિતન, દુર્ભાષણ, દુશ્લેષ્ટા વગેરે અનેક અપરાધસ્થાનો ઉભય અર્થાત્ આલોચના અને પ્રતિક્રમણ બંને પ્રાયશ્ચિત્તોને યોગ્ય છે.? વિવેકઃ કાલાતીત – અધ્વાતીત વગેરે દોષોથી યુક્ત પિંડ (આહાર), ઉપધિ (ઉપકરણ), શપ્યા વગેરે ગ્રહણ કરવાથી લાગનારા દોષોના નિવારણ માટે વિવેક પ્રાયશ્ચિત્તનું વિધાન છે.* વ્યુત્સર્ગઃ ગમન, આગમન, વિહાર, શ્રુત, સાવદ્ય સ્વપ્ર, નાવ-નદી-સંતાર વગેરે સંબંધી દોષો વ્યુત્સર્ગ – કાયોત્સર્ગને યોગ્ય છે. આચાર્યે વિભિન્ન વ્યુત્સર્ગો માટે વિભિન્ન ઉચ્છવાસોનું પ્રમાણ બતાવ્યું છે. તપ: તપનું સ્વરૂપ બતાવતાં સૂત્રકારે જ્ઞાતિચાર (જ્ઞાનસંબંધી દોષ) આદિનો નિર્દેશ કર્યો છે અને વિભિન્ન પ્રકારના અપરાધો માટે એકાશન, ઉપવાસ, ષષ્ઠભક્ત, અષ્ટમભક્ત, આયંબિલ (રૂક્ષ આહારનો ઉપભોગ) વગેરેનું વિધાન કર્યું છે: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ તપોદાનનો વિચાર કરતાં આચાર્યે ગીતાર્થ, અગીતાર્થ, સહનશીલ, અસહનશીલ, શઠ, અશઠ, પરિણામી, અપરિણામી, અતિપરિણામી, ધૃતિ-દેહસંપન્ન, ધૃતિ-દેહહીન, આત્મતર, પરતર, ઉભયતર, નોભયતર, અન્યતર, કલ્પસ્થિત, અકલ્પસ્થિત વગેરે પુરુષોની દૃષ્ટિએ પણ તપોદાનનું વ્યાખ્યાન કર્યું છે. ૧, ગા. ૧-૮, ૨. ગા. ૯-૧૨. ૩. ગા. ૧૩-૧૫. ૪, ગા. ૧૬-૧૭. ૫. ગા. ૧૮. દ. ગા. ૧૯-૨૨. ૭ ગા. ર૩-૭૯ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ છેદ : છેદ નામક સાતમા પ્રાયશ્ચિત્તનું પ્રતિપાદન કરતાં આચાર્યે બતાવ્યું છે કે જે તપના ગર્વથી ઉન્મત્ત બને છે અથવા જે તપ કરવા માટે સર્વથા અસમર્થ છે અથવા જેની તપ ઉપર સહેજ પણ શ્રદ્ધા નથી અથવા જેનું તપથી દમન કરવું કઠિન છે તેને માટે છેદનું વિધાન છે.૧ છેદનો અર્થ છે દીક્ષાવસ્થાની કાલગણના – દીક્ષા-પર્યાયમાં કાપ (છેદ) કરવો. મૂલ ઃ પંચેન્દ્રિયઘાત, મૈથુનપ્રતિસેવન વગેરે અપરાધ-સ્થાનો માટે મૂલ નામક પ્રાયશ્ચિત્તનું વિધાન છે.ર અનવસ્થાપ્ય : તીવ્ર ક્રોધ વગેરેથી પ્રરુષ્ટ ચિત્તવાળા નિરપેક્ષ ઘોર પરિણામી શ્રમણ માટે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે. 3 પારાંચિક : તીર્થંકર, પ્રવચન, શ્રુત, આચાર્ય, ગણધર આદિની અભિનિવેશવશ વારંવાર આશાતના કરનાર પારાંચિક પ્રાયશ્ચિત્તનો અધિકારી બને છે. એ જ રીતે કષાયદુષ્ટ, વિષયદુષ્ટ, સ્થાનર્જિનિદ્રાપ્રમત્ત અને અન્યોન્યકારી પારાંચિક પ્રાયશ્ચિત્તના ભાગી બને છે. ४ આ દસ પ્રાયશ્ચિત્તોમાં અંતિમ બે પ્રાયશ્ચિત્ત અર્થાત્ અનવસ્થાપ્ય અને પારાંચિક ચતુર્દશપૂર્વધર (ભદ્રબાહુ) સુધી જ અસ્તિત્વમાં હતા. ત્યારબાદ તેમનો વિચ્છેદ થઈ ગયો.૫ ૧. ગા. ૮૦-૮૨. ૪. ગા. ૯૪-૯૬. અંગબાહ્ય આગમો *** ૨. ગા. ૮૩-૮૫. ૫. ગા. ૧૦૨. · ૩. ગા. ૮૭-૯૩ Page #277 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકાસૂત્રો પ્રથમ પ્રકરણ નન્દી નંદી અને અનુયોગદ્વાર ચૂલિકાસૂત્ર કહેવાય છે. ચૂલિકા શબ્દનો પ્રયોગ તે અધ્યયન અથવા ગ્રંથ માટે થાય છે જેમાં બાકી રહેલા વિષયોનું વર્ણન અથવા વર્ણિત વિષયોનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. દશવૈકાલિક અને મહાનિશીથના અંતમાં આ પ્રકારની ચૂલિકાઓ – ચૂલાઓ – ચૂડાઓ મળે છે. તેમાં મૂળ ગ્રંથના પ્રયોજન અથવા વિષયને દૃષ્ટિમાં રાખતાં એવી કેટલીક આવશ્યક વાતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે જેમનો સમાવેશ આચાર્ય ગ્રંથના કોઈ અધ્યયનમાં કરી શક્યા ન હોય. આજકાલ આ પ્રકારનું કાર્ય પુસ્તકના અંતમાં પરિશિષ્ટ જોડીને સંપન્ન કરવામાં આવે છે. નંદી અને અનુયોગદ્વાર પણ આગમો માટે પરિશિષ્ટનું જ કામ કરે છે. એટલું જ નહિ, આગમોના અધ્યયન માટે તેઓ ભૂમિકાનું પણ કામ આપે છે. આ કથન નંદીની અપેક્ષાએ અનુયોગદ્વારના વિષયમાં અધિક સત્ય છે. નંદીમાં તો માત્ર જ્ઞાનનું જ વિવેચન કરવામાં આવ્યું છે જ્યારે અનુયોગદ્વારમાં આવશ્યકસૂત્રની વ્યાખ્યાના બહાને સમગ્ર આગમની વ્યાખ્યા અભીષ્ટ છે. આથી તેમાં ઘણું કરી આગમોના સમસ્ત મૂળભૂત સિદ્ધાંતોનું સ્વરૂપ સમજાવતાં વિશિષ્ટ પારિભાષિક શબ્દોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે જેમનું જ્ઞાન આગમોના અધ્યયન માટે આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. અનુયોગદ્વારસૂત્ર સમજી લીધા પછી ભાગ્યે જ કોઈ આગમિક પરિભાષા એવી રહી જાય કે જે સમજવામાં જિજ્ઞાસુ પાઠકને મુશ્કેલીનો સામનો કરવો પડે. તે ચૂલિકાસૂત્ર હોવા છતાં પણ એક રીતે સમસ્ત આગમોનો – આગમજ્ઞાનનો પાયો છે અને તેથી અપેક્ષાકૃત મુશ્કેલ પણ છે. નંદીસૂત્રમાં પંચજ્ઞાનનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. નિર્યુક્તિકાર ૧. (અ) મુનિ પુણ્યવિજય, મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ૧૯૬૭; સાધ્વી શીલકુંવર તારક ગુરુ જૈન ગ્રંથાલય, ઉદયપુર, ૧૯૭૪; જિનેન્દ્રવિજય, હર્ષપુષ્પામૃત ગ્રંથમાલા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ૧૯૭૬; રતનલાલ દોશી, અ. ભા. સ્થા. ો. જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના, ૧૯૮૪. (આ) પારસકુમાર, અ. ભા. સ્થા. શ્વે. જૈન સંસ્કૃતિરક્ષક સંધ, સૈલાના, ૧૯૬૭; મધુકર મુનિ, આગમ પ્રકાશન સમિતિ, બ્યાવર, ઈ.સ. ૧૯૮૨. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ અંગબાહ્ય આગમો વગેરે આચાર્યોએ નંદી શબ્દને જ્ઞાનનો જ પર્યાય માન્યો છે. સૂત્રકારે સહુ પ્રથમ ૫૦ ગાથાઓમાં મંગલાચરણ કર્યું છે. ત્યારપછી સૂત્રના મૂળ વિષય આભિનિબોધિક વગેરે પાંચ પ્રકારના જ્ઞાનની ચર્ચા શરૂ કરી છે. પહેલા આચાર્યે જ્ઞાનના પાંચ ભેદ કર્યા છે. ત્યારબાદ પ્રકારાંતરે પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે બે ભેદ કર્યા છે. પ્રત્યક્ષના ઈન્દ્રિય-પ્રત્યક્ષ અને નોઈન્દ્રિય-પ્રત્યક્ષ રૂપે ફરી બે ભેદ કર્યા છે. ઈન્દ્રિય-પ્રત્યક્ષમાં પાંચ પ્રકારની ઈન્દ્રિયોથી થનાર જ્ઞાનનો સમાવેશ થાય છે. એ પ્રકારના જ્ઞાનને જૈન ન્યાયશાસ્ત્રમાં સાંવ્યવહારિક-પ્રત્યક્ષ કહેવામાં આવે છે. નોઈન્દ્રિય-પ્રત્યક્ષમાં અવધિ, મન:પર્યય અને કેવલજ્ઞાનનો સમાવેશ થાય છે. પરોક્ષ જ્ઞાન બે પ્રકારનું છે : આભિનિબોધિક અને શ્રત. આભિનિબોધિકને મતિ પણ કહે છે. આભિનિબોધિકના કૃતનિશ્રિત અને અશ્રુતનિશ્રિત રૂપે બે ભેદ છે. શ્રુતજ્ઞાનના અક્ષર, અનક્ષર, સંજ્ઞી, અસંજ્ઞી, સમ્યફ, મિથ્યા, સાદિ, અનાદિ, સાવસાન, નિરવસાન, ગમિક, અગમિક, અંગપ્રવિષ્ટ અને અનંગપ્રવિષ્ટ રૂપે ચૌદ ભેદ છે. નંદસૂત્રની રચના ગદ્ય અને પદ્યમાં છે. સૂત્રનું ગ્રંથમાન લગભગ ૭૦૦ શ્લોકપ્રમાણ છે. પ્રસ્તુત સૂત્રમાં પ્રતિપાદિત વિષય અન્ય સૂત્રોમાં પણ મળે છે. ઉદાહરણ રૂપે અવધિજ્ઞાનના વિષય, સંસ્થાન, ભેદ વગેરે પર પ્રજ્ઞાપનાસૂત્રના તેત્રીસમા પદમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) આદિ સૂત્રોમાં વિવિધ પ્રકારના અજ્ઞાનનો ઉલ્લેખ મળે છે. એ જ રીતે મતિજ્ઞાનનું પણ ભગવતી વગેરે સૂત્રોમાં વર્ણન મળે છે. દ્વાદશાંગી શ્રુતનો પરિચય સમવાયાંગસૂત્રમાં (ઇ) મુનિ હસ્તિમલ કૃત સંસ્કૃત છાયા, હિન્દી ટીકા-ટિપ્પણી વગેરેથી અલંકૃત – રાયબહાદુર મોતીલાલ મુથા, ભવાનીપેઠ, સતારા, ઈ.સ.૧૯૪૨. (ઈ) મલયગિરિ પ્રણીત વૃત્તિ યુક્ત – રાયબહાદુર ધનપતસિંહ, બનારસ, વિ.સં. ૧૯૩૬; આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ. ૧૯૨૪. (ઉ) ચૂર્ણિ અને હરિભદ્રવિહિત વૃત્તિ સહિત – ઋષભદેવજી કેસરીમલજી શ્વેતાંબર સંસ્થા, રતલામ, ઈ.સ. ૧૯૨૮. (ઊ) ચૂર્ણિ સહિત, સં. પુણ્યવિજયજી, પ્રાકૃત ટેસ્ટ સોસાયટી, અમદાવાદ, ઈ.સ.૧૯૬૬. (8) આચાર્ય આત્મારામ કૃત હિન્દી ટીકા સહિત – આચાર્યશ્રી આત્મારામ જૈન પ્રકાશન સમિતિ, લુધિયાણા, ઈ.સ. ૧૯૬૬. (એ) મુનિ ઘાસીલાલ કૃત સંસ્કૃત વ્યાખ્યા તથા તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે – જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ. ૧૯૫૮. (ઐ) હરિભદ્ર વૃત્તિ અને દુર્ગપદ સહિત – સં. પુણ્યવિજયજી, પ્રાકૃત ટેસ્ટ સોસાયટી, અમદાવાદ, ઈ.સ. ૧૯દ ૭. Page #279 -------------------------------------------------------------------------- ________________ નદી ૨૪૩ પણ આપવામાં આવ્યો છે પરંતુ તે નંદીસૂત્રથી સહેજ જુદો છે. એ જ રીતે અન્યત્ર પણ કેટલીક બાબતોમાં નંદીસૂત્રથી ભિન્નતા તેમ જ વિશેષતા જોવા મળે છે. મંગલાચરણ : સહુ પહેલાં સૂત્રકારે ભગવાન અહિત મહાવીરને નમસ્કાર કર્યા છે. ત્યારપછી જૈન સંધ, ચોવીસ જિન, અગિયાર ગણધર, જિનપ્રવચન તથા સુધર્મ આદિ વિરોને સ્તુતિપૂર્વક પ્રણામ કર્યા છે. પ્રારંભની કેટલીક મંગળ ગાથાઓ આ પ્રમાણે છે : जयइ जगजीवजोणीवियाणओ जगगुरू जगाणंदो । जगणाहो जगबंधू, जयइ जगप्पियामहो भयवं ॥ १ ।। जयइ सुआणं पभवो, तित्थयराणं अपच्छिमो जयइ । जयइ गुरू लोगाणं, जयइ महप्पा महावीरो ॥ २ ॥ भदं सव्वजगुज्जोयगस्स, भदं जिणस्स वीरस्स । भई सुरासुरनमंसियस्स, भदं धूयरयस्स ॥ ३ ॥ गुणभवणगहणसुयरयणभरियदंसणविसुद्धरत्थागा । संघनगर भदं ते, अखंडचारित्तपागारा ॥ ४ ॥ संजमतवतुंबारयस्स, नमो सम्मत्तपारियल्लस्स । अप्पडिचक्कस्स जओ, होउ सया संघचक्कस्स ॥ ५ ॥ મંગળ પ્રસંગે પ્રસ્તુત સૂત્રમાં આચાર્ય જે સ્થવિરાવલી – ગુરુ-શિષ્ય-પરંપરા આપી છે તે કલ્પસૂત્રની સ્થવિરાવલીથી જુદી છે. નંદીસૂત્રમાં ભગવાન મહાવીર પછીની સ્થવિરાવલી આ પ્રમાણે છે :૧. સુધર્મ ૧૨. સ્વાતિ ૨૨. નાગહસ્તિ ૨. જંબૂ, ૧૩. શ્યામાર્ય ૨૩. રેવતી નક્ષત્ર ૩. પ્રભવ ૧૪. શાંડિલ્ય ૨૪. બ્રહ્મદીપકસિંહ ૪. શઠંભવ ૧૫. સમુદ્ર ૨૫. સ્કંદિલાચાર્ય ૫. યશોભદ્ર ૧૬. મંગુ ૨૬. હિમવંત ૬. સંભૂતિવિજય ૧૭. ધર્મ ૨૭. નાગાર્જુન ૭. ભદ્રબાહુ ૧૮. ભદ્રગુપ્ત ૨૮. શ્રીગોવિંદ ૮. સ્થૂલભદ્ર ૧૯. વજ ૨૯. ભૂતદિન્ન ૯. મહાગીરિ ૨૦. રક્ષિત ૩૦. લૌહિત્ય ૧૦. સુહસ્તી ૨૧. નંદિલ (આનંદિલ) ૩૧. દૂષ્યગણિ ૧૧. બલિસહ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ કલ્પસૂત્રની સ્થવિરાવલી આ પ્રમાણે છે ૧. સુધર્મ ૨. જંબૂ ૩. પ્રભવ ૪. શય્યભવ ૫. યશોભદ્ર ૬. સંભૂતિવિજય ૭. સ્થૂલભદ્ર ૮. સુહસ્તી ૨૦. નક્ષત્ર ૯. સુસ્થિતસુપ્રતિબુદ્ધ ૨૧. ૨ક્ષ ૧૦. ઈન્દ્રદિશ ૧૧. દિશ ૧૨. સિંહગિરિ ૧૩. વજ ૧૪. શ્રીરથ ૧૫. પુષ્યગિરી ૧૬. ફલ્ગુમિત્ર ૧૭. ધનિંગરી ૧૮. શિવભૂતિ ૧૯. ભદ્ર ૨૨. નાગ ૨૩. જેહિલ અંગબાહ્ય આગમો ૨૪. વિષ્ણુ ૨૫. કાલક ૨૬. સંપલિતભદ્ર ૨૭. વૃદ્ધ ૨૮. સંઘપાલિત ૨૯. શ્રીહસ્તી ૩૦. ધર્મ ૩૧. સિંહ ૩૨. ધર્મ શ્રોતા અને સભા ઃ મંગલાચરણ રૂપે અર્હત્ વગેરેની સ્તુતિ કર્યા પછી સૂત્રકારે સૂત્રનો અર્થ ગ્રહણ કરવાની યોગ્યતા ધરાવનારા શ્રોતાઓનું ચૌદ દૃષ્ટાંતોપૂર્વક વર્ણન કર્યું છે. તે દૃષ્ટાંતો આ પ્રમાણે છે :- ૧. શૈલ અને ઘન, ૨. કુટક અર્થાત્ ઘડો, ૩. ચાળણી, ૪. પરિપૂર્ણક, ૫. હંસ, ૬. મહિષ, ૭. મેષ, ૮. મશક, ૯. જળો, ૧૦. બિલાડી, ૧૧. જાહક અર્થાત્ શાહુડી, ૧૨. ગાય, ૧૩. ભેરી, ૧૪. આભીરી. એ વિષયની ગાથા આ પ્રમાણે છે : ૩૩. શાંડિલ્ય ૩૪. દેવર્ધિગણિ સેલ-પળ-ડા-ચાતિળિ, પરિપુળા હંસ-મહિસ-મેતે હૈં । મસા-ખજૂર-બિરાજી, નાહા-ગો-મેરી-આમીરી આ દષ્ટાંતોનું ટીકાકારોએ વધુ સ્પષ્ટીકરણ કર્યું છે. || શ્રોતાઓના સમૂહને સભા કહે છે. સભા કેટલા પ્રકારની હોય છે ? આ પ્રશ્નનો વિચાર કરતાં સૂત્રકાર કહે છે કે સભા સંક્ષેપમાં ત્રણ પ્રકારની હાય છે : જ્ઞાયિકા, અજ્ઞાયિકા અને દુર્વિદગ્ધા. જેમ હંસ પાણી છોડીને દૂધ પી જાય છે તે જ રીતે ગુણસંપન્ન પુરુષો દોષો છોડીને ગુણો ગ્રહણ કરી લે છે. એ જાતના પુરુષોની સભા જ્ઞાયિકા કહેવાય છે. જે શ્રોતા મૃગ, સિંહ અને કુક્કુટના બચ્ચાઓની જેમ પ્રકૃતિથી મધુર હોય છે તથા અસંસ્થાપિત રત્નોની જેમ કોઈપણ રૂપમાં સ્થાપિત કરી શકાય છે – કોઈપણ માર્ગમાં ગોઠવી શકાય છે તેઓ અજ્ઞાયિકછે. આ પ્રકારના શ્રોતાઓની સભા અજ્ઞાયિકા કહેવાય Page #281 -------------------------------------------------------------------------- ________________ નન્દી ૨૪૫ છે. જે રીતે કોઈ ગ્રામીણ પંડિત કોઈપણ વિષયમાં વિદ્વત્તા ધરાવતો ન હોય છતાં અનાદરના ભયથી કોઈ વિદ્વાનને કંઈ પૂછતો નથી પરંતુ માત્ર વાતપૂર્ણ બસ્તિ-વાયુથી ભરેલી મશકની જેમ લોકો પાસેથી પોતાના પાંડિત્યની પ્રશંસા સાંભળીને ફુલાતો રહે છે, એ જ રીતે જે લોકો પોતાની આગળ બીજાને કંઈ નથી સમજતા તેમની સભા દુર્વિદગ્ધા કહેવાય છે. જ્ઞાનવાદ: આટલી ભૂમિકા બાંધ્યા પછી સૂત્રકાર પોતાના મૂળ વિષય પર આવે છે. તે વિષય છે જ્ઞાન. જ્ઞાન શું છે? જ્ઞાન પાંચ પ્રકારનું છેઃ ૧. આભિનિબોધિક જ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩. અવધિજ્ઞાન, ૪. મન:પર્યયજ્ઞાન અને ૫. કેવલજ્ઞાન (સેf નાખે ? ના પંવદં पन्नत्तं, तं जहा-आभिणिबोहियनाणं, सुयनाणं, ओहिनाणं, मणपज्जवनाणं, केवलनाणं।). આ જ્ઞાનસંક્ષેપમાં બે પ્રકારનું છે -પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષનું શું સ્વરૂપ છે? પ્રત્યક્ષના વળી બે ભેદ છે : ઈન્દ્રિય-પ્રત્યક્ષ અને નોઈન્દ્રિય-પ્રત્યક્ષ. ઈન્દ્રિય-પ્રત્યક્ષ શું છે? ઈન્દ્રિય-પ્રત્યક્ષ પાંચ પ્રકારનું છે: ૧. શ્રોત્રેન્દ્રિય-પ્રત્યક્ષ, ૨. ચક્ષુરિન્દ્રિય-પ્રત્યક્ષ, ૩. ધ્રાણેન્દ્રિય-પ્રત્યક્ષ, ૪. જિલૅન્દ્રિય-પ્રત્યક્ષ, ૫. સ્પર્શેન્દ્રિય-પ્રત્યક્ષ. નોઈન્દ્રિય-પ્રત્યક્ષ શું છે? નોઈન્દ્રિય-પ્રત્યક્ષ ત્રણ પ્રકારનું છે: ૧. અવધિજ્ઞાન-પ્રત્યક્ષ, ૨. મન:પર્યયજ્ઞાનપ્રત્યક્ષ, ૩. કેવલજ્ઞાન-પ્રત્યક્ષ. અવધિજ્ઞાન: અવધિજ્ઞાન-પ્રત્યક્ષ શું છે? અવધિજ્ઞાન-પ્રત્યક્ષ બે પ્રકારનું છે : ભવપ્રત્યયિક અને ક્ષાયોપથમિક. ભવપ્રત્યયિક અવધિજ્ઞાન કયું છે? ભવપ્રત્યયિક અર્થાત્ જન્મથી થનારું અવધિજ્ઞાન બે જણને થાય છે : દેવોને અને નારકોને, ક્ષાયોપથમિક અવધિજ્ઞાન શું છે? ક્ષાયોપથમિક અવધિજ્ઞાન પણ બે જણને થાય છે : મનુષ્યોને અને પંચેન્દ્રિય તિર્યંચોને. તેને ક્ષાયોપથમિક કેમ કહેવામાં આવે છે? અવધિજ્ઞાનને ઢાંકનારા કર્મોમાંથી ઉદીર્ણનો ક્ષય તથા અનુદીર્ણનું ઉપશમન થવાથી ઉત્પન્ન થવાને કારણે તેને લાયોપથમિક અવધિજ્ઞાન કહે છે. રવાવસયિં તથા વળિજ્ઞાનું મૂળ દ્રામાં કવિણા ૩વસમાં ગોહિના સમુjન અથવા ગુણપ્રતિપન્ન અનગાર – મુનિને જે અવધિજ્ઞાન થાય છે તે ક્ષાયોપથમિક છે. ક્ષાયોપથમિક અવધિજ્ઞાન સંક્ષેપમાં છ પ્રકારનું કહેવામાં આવ્યું છે : ૧. આનુગામિક, ર. અનાનુગામિક, ૩. વર્ધમાનક, ૪. ફ્રીયમાનક, ૫. પ્રતિપાતિક, ૬. અપ્રતિપાતિક*. આનુમાનિક અવધિજ્ઞાન બે પ્રકારનું છે : અંતગત અને મધ્યગત. અંતગત આનુગામિક ૧. સૂ. ૧, ૨. . ૨-૫. ૩. સૂ. ૮. ૪. સૂ. ૯. અં. આ.- ૧૮ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ અંગબાહ્ય આગમો અવધિજ્ઞાન ત્રણ પ્રકારનું છે :- પુરતઃ અંતગત, માર્ગત અંતગત અને પાર્શ્વતઃ અંતગત. જેવી રીતે કોઈ પુરુષ ઉલ્કા – દીવડી, ચટુલી – છેડેથી સળગતી ઘાસની પૂળી, અલાત – તણખલા ઉપર રહેલો અગ્નિ, મણિ, પ્રદીપ અથવા બીજા કોઈ પ્રકારની જ્યોત આગળ રાખી આગળ ચાલ્યો જાય છે તે જ રીતે જે જ્ઞાન આગળના પ્રદેશને પ્રકાશિત કરતું સાથે સાથે ચાલે છે તે પુરતઃ અંતગત અવધિજ્ઞાન છે. જેવી રીતે કોઈ પુરુષ ઉલ્કા વગેરે પાછળ રાખીને સાથે લઈ ચાલતો જાય છે તેવી રીતે જે જ્ઞાન પાછળથી ક્ષેત્રને પ્રકાશિત કરતું જાય છે તે માર્ગત અંતગત અવધિજ્ઞાન કહેવાય છે. જેવી રીતે કોઈ પુરુષ દીવડી વગેરે પોતાની બાજુમાં રાખી આગળ વધે છે તેવી રીતે જે જ્ઞાન બાજુના પદાર્થોને પ્રકાશિત કરતું સાથે સાથે ચાલે છે તે પાર્શતઃ અંતગત અવધિજ્ઞાન છે. મધ્યગત અવધિજ્ઞાન કોને કહે છે? જે રીતે કોઈ પુરુષ ઉલ્કા વગેરે પ્રકાશ આપતા પદાર્થોને મસ્તક પર રાખી ચાલે છે તે રીતે જે અવધિજ્ઞાન ચારેય બાજુના પદાર્થોનું જ્ઞાન કરાવતું જ્ઞાતાની સાથે સાથે ચાલે છે તે મધ્યગત આનુગામિક અવધિજ્ઞાન છે. અંતગત અને મધ્યગત અવધિમાં શું વિશેષતા છે ? પુરતઃ અંતગત અવધિજ્ઞાનથી સંખ્યય તથા અસંખ્યય યોજન આગળના પદાર્થો જ જાણવા તથા જોવામાં આવે છે (ગાળપાસ), માર્ગત અંતગત અવધિજ્ઞાનથી સંખ્યય તથા અસંખ્યય યોજન પાછળના પદાર્થો જ જાણી તથા જોઈ શકાય છે, પાર્શ્વતઃ અંતગત અવધિજ્ઞાન વડે બંને બાજુઓમાં રહેલા સંખેય તથા અસંખ્યય યોજન સુધીના પદાર્થો જ જાણી તથા જોઈ શકાય છે પરંતુ મધ્યગત અવધિજ્ઞાનથી બધી બાજુના સંખેય તથા અસંખ્યય યોજનની વચ્ચે રહેલા પદાર્થો જાણી અને જોઈ શકાય છે. આ જ અંતગત અવધિ અને મધ્યગત અવધિમાં વિશેષતા છે. અહીં સુધી આનુગામિક અવધિજ્ઞાનની ચર્ચા છે. અનાનુગામિક અવધિજ્ઞાનનું સ્વરૂપ બતાવતાં સૂત્રકાર કહે છે કે જેવી રીતે કોઈ પુરુષ એક મોટા અગ્નિસ્થાનમાં અગ્નિ પેટાવી તેની આજુબાજુ ફરતો ફરતો તેની આજુબાજુના પદાર્થોને જુએ છે, બીજા સ્થળે રહેલા પદાર્થોને અંધકારના કારણે જોઈ શકતો નથી, એ જ રીતે અનાનુગામિક અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે તે જ ક્ષેત્રના સંખેય તથા અસંખ્યય યોજન સુધીના સંબદ્ધ કે અસંબદ્ધ પદાર્થોને જાણે અને જુએ છે. તેનાથી બહારના પદાર્થોને જાણતો નથી. જે પ્રશસ્ત અધ્યવસાયમાં સ્થિત છે તથા જેનું ચારિત્ર પરિણામોની વિશુદ્ધિથી વર્ધમાન છે તેના જ્ઞાનની સીમી ચારેય બાજુથી વધે છે. આને જ વર્ધમાન અવધિજ્ઞાન કહે છે. અપ્રશસ્ત અધ્યવસાયમાં સ્થિત સાધુ જ્યારે સંક્લિષ્ટ પરિણામોથી સંક્ષિશ્યમાન ચારિત્રવાળો બને છે ત્યારે ૧. સૂ. ૧૦ ૨. સૂ. ૧૧ ૩. સૂ. ૧૨ Page #283 -------------------------------------------------------------------------- ________________ . ૨૪૭ નન્દી ચારેય બાજુથી તેના જ્ઞાનને હાનિ પહોંચે છે. આ જ ટ્વીયમાન અવધિનું સ્વરૂપ છે. જે જઘન્યપણે અંગુલના અસંખ્યાતમા ભાગ અથવા સંખ્યામાં ભાગ યાવત યોજનલક્ષપૃથક્વ અને ઉત્કૃષ્ટપણે સંપૂર્ણ લોકને જાણી પછી પાછું ફરી જાય છે તે પ્રતિપાતિક અવધિજ્ઞાન છે. અલોકના એક પણ આકાશ-પ્રદેશને જાણ્યા અને જોયા પછી આત્માનું અવધિજ્ઞાન અપ્રતિપાતિક બને છે. વિષયની દૃષ્ટિએ અવધિજ્ઞાન ચાર પ્રકારનું કહેવામાં આવ્યું છે : 1. દ્રવ્યવિષયક, ૨. ક્ષેત્રવિષયક, ૩. કાલવિષયક અને ૪. ભાવવિષયક. દ્રવ્યદૃષ્ટિએ અવધિજ્ઞાની જઘન્ય અર્થાત ઓછામાં ઓછું અનંત રૂપી દ્રવ્યોને જાણે છે અને જુએ છે અને ઉત્કૃષ્ટપણે અર્થાત અધિકમાં અધિક બધા રૂપી દ્રવ્યોને જાણે અને જુએ છે. ક્ષેત્રની દષ્ટિએ અવધિજ્ઞાની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગને જાણે અને જુએ છે અને ઉત્કૃષ્ટ લોકપ્રમાણ અસંખ્ય ખંડોને (અલોકમાં) જાણે અને જુએ છે. કાળની દષ્ટિએ અવધિજ્ઞાની જઘન્યપણે આવલિકાના અસંખ્યાતમા ભાગને જાણે છે, જુએ છે અને ઉત્કૃષ્ટપણે અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણી રૂપ અતીત અને અનાગત કાળને જાણે છે, જુએ છે. ભાવદષ્ટિએ અવધિજ્ઞાની જઘન્યપણે અનંત ભાવો પર્યાયો)ને જાણે અને જુએ છે તેમ જ ઉત્કૃષ્ટપણે પણ અનંત ભાવોને જાણે અને જુએ છે (સમસ્ત ભાવોના અનંતમા ભાગને જાણે અને જુએ છે). મન:પર્યયજ્ઞાન : મન:પર્યયજ્ઞાન શું છે? તે મનુષ્યોને થાય છે કે અમનુષ્યોને? મનુષ્યોને થાય છે તો સંમૂચ્છિમ મનુષ્યોને થાય છે કે ગર્ભજ મનુષ્યોને ? આ જ્ઞાન સંમૂચ્છિમ મનુષ્યોને નહિ પરંતુ ગર્ભજ મનુષ્યોને જ થાય છે. ગર્ભજ મનુષ્યોમાંથી પણ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને જ થાય છે, અકર્મભૂમિ અથવા અંત રદ્વીપના ગર્ભજ મનુષ્યોને નહિ. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોમાંથી પણ સંખ્યય વર્ષના આયુષ્યવાળાઓને જ થાય છે, અસંખ્યય વર્ષના આયુષ્યવાળાઓને નહિ. સંખ્યય વર્ષના ૧. સૂ. ૧૩. - ૨. રથી ૯ સુધીની સંખ્યા પૃથક્ત કહેવાય છે. ૩. સૂ. ૧૪. ૪. સૂ. ૧૫. ૫. અનંત અનેક પ્રકારનું છે, આથી આ કથનમાં કોઈ પ્રકારનો વિરોધ ન સમજવો જોઈએ. ૬. સૂ. ૧૬. અહીં ક્ષેત્ર અને કાળને જાણે છે – જુએ છે એમ કહ્યું છે પરંતુ આ ઉપચાર છે. હકીકતે તગત રૂપી પદાર્થને જાણે છે – જુએ છે. ૭. મળમૂત્ર વગેરેમાં પેદા થનારા મનુષ્યોને સંમૂછિમ મનુષ્યો કહે છે. તેમનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે અને તેઓ અંતર્મુહૂર્તના ઘણા થોડા સમયમાં જ મરી જાય છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪૮ અંગબાહ્ય આગમો આયુષ્યવાળાઓમાં પણ પર્યાપ્તક (ઈન્દ્રિય, મન વગેરે દ્વારા પૂર્ણ વિકસિત)ને જ થાય છે, અપર્યાપ્તકને નહિ. પર્યાપ્તકોમાં પણ સમ્યગ્દષ્ટિને જ થાય છે, મિથ્યાષ્ટિને અથવા મિશ્રદષ્ટિ (સમ્યક-મિથ્યાદષ્ટિ)ને નહિ. સમ્યગ્દષ્ટિવાળાઓમાં પણ સંયત (સાધુ) સમ્યગ્દષ્ટિને જ થાય છે, અસંયત અથવા સંયતાસંયત સમ્યગ્દષ્ટિને નહિ. સંતો-સાધુઓમાં પણ અપ્રમત્ત સંયતને જ થાય છે, પ્રમત્ત સંયતને નહિ. અપ્રમત્ત સાધુઓમાં પણ ઋદ્ધિપ્રાપ્તને જ થાય છે, ઋદ્ધિશૂન્યને નહિ.' એ રીતે મન:પર્યયજ્ઞાનના અધિકારીનું નવ્ય ન્યાયની શૈલીમાં પ્રતિપાદન કર્યા પછી સૂત્રકાર મન:પર્યયજ્ઞાનનું સ્વરૂપ-વર્ણન શરૂ કરે છે. મન:પર્યયજ્ઞાન બે પ્રકારનું હોય છે : ઋજુમતિ અને વિપુલમતિ. બંને પ્રકારના મન:પર્યયજ્ઞાનનો સંક્ષેપમાં ચાર દૃષ્ટિએ વિચાર કરવામાં આવે છે : ૧. દ્રવ્ય, ૨. ક્ષેત્ર, ૩. કાળ અને ૪. ભાવ. દ્રવ્યની અપેક્ષાએ ઋજુમતિ અનંતપ્રદેશી અનંત સ્કંધો (અણુસંઘાત)ને જાણે અને જુએ છે અને તેને જ વિપુલમતિ થોડું વધુ વિપુલ, વિશુદ્ધ તથા સ્પષ્ટ જાણે-જુએ છે (તે વેવ વિડતમરું કર્માફિયતરણ વિડનતરણ વિશુદ્ધતરણ વિનિમિતરાણ ના પાસç ) . ક્ષેત્રની અપેક્ષાએ ઋજુમતિ ઓછામાં ઓછું અંગુલના અસંખ્યાતમા ભાગ અને વધુમાં વધુ નીચે આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરી ભાગની નીચેના નાના પ્રતરો સુધી, ઉપર જ્યોતિષ્ક વિમાનના ઉપરી તલ પર્યત તથા તિર્ય-તિરછા મનુષ્ય-ક્ષેત્રની અંદર અઢી લીપ-સમુદ્રપર્યત અર્થાત પંદર કર્મભૂમિ, ત્રીસ અકર્મભૂમિ અને છપ્પન અંતરદ્વીપોમાં રહેલા સંજ્ઞી (સમનસ્ક) પંચેન્દ્રિય પર્યાપ્તક જીવોના મનોગત ભાવોને જાણે અને જુએ છે તથા વિપુલમતિ તેને જ અઢી અંગુલ વધુ, વિપુલતર, વિશુદ્ધતર તથા સ્પષ્ટતર જાણે-જુએ છે. કાળની અપેક્ષાએ ઋજુમતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગના ભૂત તથા ભવિષ્યને જાણે-જુએ છે અને વિપુલમતિ તેને જ કંઈક વધુ વિસ્તાર તથા વિશુદ્ધિપૂર્વક જાણે-જુએ છે. ભાવની અપેક્ષાએ ઋજુમતિ અનંત ભાવો (ભાવોનો અનંતમો ભાગ)ને જાણે-જુએ છે અને વિપુલમતિ તેને જ કંઈક વધુ વિસ્તાર તથા વિશુદ્ધિપૂર્વક જાણે-જુએ છે. સંક્ષેપમાં મન:પર્યયજ્ઞાન મનુષ્યોના ચિંતિત અર્થને પ્રગટ કરનાર છે, મનુષ્યક્ષેત્ર સુધી સીમિત છે તથા ચારિત્રયુક્ત પુરુષના ક્ષયોપશમ ગુણથી ઉત્પન્ન થનાર છે : मणपज्जवनाणं पुण, जणमणपरिचितिअत्थपागडणं ।। माणुसखित्तनिबद्धं, गुणपच्चइअं चरित्तवओ ॥ - સૂત્ર ૧૮, ગા. ૬૫. ૧. સૃ. ૧૭. ૨. સૂ. ૧૮. Page #285 -------------------------------------------------------------------------- ________________ નન્દી ૨ ૪૯ કેવલજ્ઞાન : કેવલજ્ઞાન શું છે? કેવલજ્ઞાન બે પ્રકારનું કહેવામાં આવ્યું છે : ભવસ્થ કેવલજ્ઞાન અને સિદ્ધકેવલજ્ઞાન. ભવસ્થ કેવલજ્ઞાન અર્થાત સંસારમાં રહેલાં અહિતોનું કેવલજ્ઞાન બે પ્રકારનું છે : સયોગિભવકેવલજ્ઞાન અને અયોગિભવકેવલજ્ઞાન.૧ સયોગિભવસ્થકેવલજ્ઞાન ફરી બે પ્રકારનું છે : પ્રથમ સમય-સયોગિભવકેવલજ્ઞાન અને અપ્રથમસમય-સયોગિભવસ્થકેવલજ્ઞાન અથવા ચરમસમય-સયોગિભવસ્થકેવલજ્ઞાન તથા અચરમસમય-સયોગિભવસ્થકેવલજ્ઞાન. એ જ રીતે અયોગિભવસ્થકેવલજ્ઞાન પણ બે પ્રકારનું છે. સિદ્ધકેવલજ્ઞાનના બે ભેદ છે : અનંતરસિદ્ધકેવલજ્ઞાન અને પરસ્પરસિદ્ધકેવલજ્ઞાન. અનંતરસિદ્ધકેવલજ્ઞાન પંદર પ્રકારનું કહેવામાં આવ્યું છે : ૧. તીર્થસિદ્ધ, ૨. અતીર્થસિદ્ધ, ૩. તીર્થંકરસિદ્ધ, ૪. અતીર્થકરસિદ્ધ, ૫. સ્વયંબુદ્ધસિદ્ધ, ૬. પ્રત્યેકબુદ્ધસિદ્ધ, ૭, બુદ્ધબોધિતસિદ્ધ, ૮. સ્ત્રીલિંગસિદ્ધ, ૯. પુરૂષલિંગસિદ્ધ, ૧૦. નપુંસકલિંગસિદ્ધ, ૧૧. સ્વલિંગસિદ્ધ, ૧૨. અન્યલિંગસિદ્ધ, ૧૩. ગૃહલિંગસિદ્ધ, ૧૪. એકસિદ્ધ, ૧૫. અનેકસિદ્ધ. પરસ્પરસિદ્ધકેવલજ્ઞાન અનેક પ્રકારનું છે, જેમ કે અપ્રથમસમયસિદ્ધ, દ્વિસંમસિદ્ધ, ત્રિસમયસિદ્ધ, ચતુઃસમયસિદ્ધ થાવત દસમયસિદ્ધ, સંખેયસમયસિદ્ધ, અસંખ્યયસમયસિદ્ધ, અનંતસમયસિદ્ધ વગેરે. સામાન્યપણે કેવલજ્ઞાનને ચાર દષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે : ૧. દ્રવ્ય, ૨. ક્ષેત્ર, ૩. કાલ અને ૪. ભાવ. દ્રવ્યની અપેક્ષાએ કેવલજ્ઞાની સંપૂર્ણ દ્રવ્યોને જાણે અને જુએ છે. ક્ષેત્રની અપેક્ષાએ કેવલજ્ઞાની લોકાલોક રૂપ સમસ્ત ક્ષેત્રને જાણે અને જુએ છે. કાળની અપેક્ષાએ કેવલજ્ઞાની સંપૂર્ણ કાળ – ત્રણે કાળોને જાણે અને જુએ છે. ભાવની અપેક્ષાએ કેવલજ્ઞાની દ્રવ્યોના સમસ્ત પર્યાયોને જાણે અને જુએ છે. સંક્ષેપમાં કેવલજ્ઞાન સમસ્ત પદાર્થોના પરિણામો અને ભાવોને જાણનાર છે, અનંત છે, શાશ્વત છે, અપ્રતિપાતી છે, એક જ પ્રકારનું છે : अह सव्वदव्वपरिणामभावविण्णत्तिकारणमणंतं । सासयमप्पडिवाई, एकविहं केवलं नाणं ॥ - સૂ. ૨૨, ગા. ૬૬. આભિનિબોધિક જ્ઞાન : નોઈન્દ્રિયપ્રત્યક્ષના અંતિમ પ્રકાર કેવલજ્ઞાનનું વર્ણન કર્યા પછી સૂત્રકાર પ્રત્યક્ષ જ્ઞાનની ચર્ચા સમાપ્ત કરી પરોક્ષ જ્ઞાનની ચર્ચા શરૂ કરે છે. પરોક્ષ જ્ઞાન બે પ્રકારનું ૧. કાય, વાફ અને મનના વ્યાપારને યોગ કહે છે. સયોગીનો અર્થ યોગસહિત અને અયોગીનો અર્થ યોગરહિત છે. ૨. સૂ. ૧૯-૨૨. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ અંગબાહ્ય આગમો છે ઃ આભિનિબોધિક અને શ્રુત. જ્યાં આભિનિબોધિક જ્ઞાન હોય છે ત્યાં શ્રુતજ્ઞાન હોય છે અને જ્યાં શ્રુતજ્ઞાન હોય છે ત્યાં આભિનિબોધિક જ્ઞાન હોય છે. તે બંને પરસ્પર અનુગત છે. આ બંનેમાં વિશેષતા એ છે કે સમ્મુખ આવેલા પદાર્થોનો જે નિયતબોધ કરાવે છે તે આભિનિબોધિક જ્ઞાન છે. તેને જ મતિજ્ઞાન પણ કહે છે. શ્રુતનો અર્થ છે સાંભળવું. શ્રુતજ્ઞાન અર્થાત્ શબ્દજન્ય જ્ઞાન મતિપૂર્વક થાય છે પરંતુ મતિજ્ઞાન શ્રુતપૂર્વક થતું નથી. અવિશેષિત મતિ મતિ-જ્ઞાન અને મતિ-અજ્ઞાન ઉભયરૂપે છે. વિશેષિત મતિ અર્થાત્ સમ્યગ્દષ્ટિની મતિ મતિ-જ્ઞાન છે તથા મિથ્યાદષ્ટિની મતિ મતિ-અજ્ઞાન છે. એ જ રીતે અવિશેષિત શ્રુત શ્રુત-જ્ઞાન અને શ્રુત-અજ્ઞાન ઉભયરૂપ છે જ્યારે વિશેષિત અર્થાત્ સમ્યગ્દષ્ટિનું શ્રુત શ્રુત-જ્ઞાન છે અને મિથ્યાદષ્ટિનું શ્રુત શ્રુત-અજ્ઞાન છે. આભિનિબોધિકજ્ઞાન-મતિજ્ઞાન બે પ્રકારનું કહેવામાં આવ્યું છે : શ્રુતનિશ્રિત અને અશ્રુતનિશ્ચિત. અશ્રુતનિશ્રિત મતિ બુદ્ધિ ચાર પ્રકારની હોય છે ઃ ૧. ઔત્પત્તિકી, ૨. વૈયિકી, ૩. કર્મજા, ૪. પારિણામિકી : उप्पत्तिया वेणइआ, कम्मया परिणामिया बुद्धी चउव्विहा वुत्ता, पंचमा नोवलब्भई સૂ. ૨૬, ગા. ૬૮ ૧. સૂ. ૨૪. ૪. ગા. ૬૯ - ઔત્પત્તિકી બુદ્ધિ : પહેલાં જોયા વિના, સાંભળ્યા વિના અને જાણ્યા વિના પદાર્થોને તત્કાળ વિશુદ્ધ રૂપે ગ્રહણ કરનાર અબાધિત લયુક્ત બુદ્ધિને ઔત્પત્તિકી બુદ્ધિ કહે છે. આ બુદ્ધિ કોઈ પણ પ્રકારના પૂર્વ અભ્યાસ અને અનુભવ વિના જ ઉત્પન્ન થાય છે.” સૂત્રકારે આનું સ્વરૂપ વિશેષ સ્પષ્ટ કરવા માટે અનેક રોચક દૃષ્ટાંતો આપ્યાં છે. આ દૃષ્ટાંતો ચૂર્ણિકાર અને હરિભદ્ર, મલયગિરિ વગેરે ટીકાકારોએ વિસ્તારપૂર્વક આલેખ્યાં છે. અહીં નમૂનારૂપ એક એક દૃષ્ટાંત ઉષ્કૃત કરવામાં આવે છેષ : ઉજ્જયિની પાસે નટોનું એક ગામ હતું. તેમાં ભરત નામે એક નટ રહેતો હતો. તેની સ્ત્રી કોઈ રોગના કારણે મરી ગઈ પરંતુ પોતાની પાછળ રોક નામે એક નાનો બાળક મૂકતી ગઈ. ભરતે પોતાની અને બાળક રોહકની સેવા માટે બીજાં લગ્ન કર્યાં. રોહકની નવી મા રોહક સાથે બરાબર વ્યવહાર કરતી નહિ ૨. અજ્ઞાન અર્થાત્ મિથ્યાજ્ઞાન. ૫. મુનિ હસ્તિમલકૃત હિન્દી ટીકા, પૃ. ૫૪-૫૬. I 11 ૩. સૂ. ૨૫. Page #287 -------------------------------------------------------------------------- ________________ નન્દી ૨૫૧ તેથી દુ:ખી થઈને રોહકે એક દિવસ તેને કહ્યું “મા ! તું મારી સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરતી નથી એ સારું નથી.' એટલે મા બોલી “અરે રોહક ! હું તારી સાથે ઠીક વ્યવહાર ના કરું તો તું શું મારું બગાડીશ ?” રોહકે કહ્યું કે હું એવું કરીશ કે જેથી તારે મારા પગે પડવું પડશે.” તે બોલી “અરે પગે પડાવનાર! જા તારાથી થાય તે કરી લેજે.” આમ કહી મા ચૂપ થઈ ગઈ. રોહક પોતાની કરામત દેખાડવાની તક શોધવા લાગ્યો. એક દિવસ રાત્રિના સમયે તે પોતાના પિતા પાસે સૂતો હતો ત્યારે અચાનક બોલવા લાગ્યો “પિતાજી ! આ જુઓ. કોઈ માણસ દોડ્યો જાય છે.’” બાળકની વાત સાંભળી નટને પોતાની સ્ત્રીનાં ચારિત્ર પ્રતિ શંકા પેદા થઈ. તે જ દિવસથી તેણે તેની સાથે સારી રીતે બોલવાનું પણ બંધ કરી દીધું અને અલગ સૂવા લાગ્યો. આ રીતે પતિને પોતાનાથી મોં ફેરવી લેતો જોઈને તે સમજી ગઈ કે આ બધી રોહકની જ કરામત છે. તેને પ્રસન્ન કર્યા વિના કામ ચાલશે નહિ. એમ વિચારી તેણે વિનંતીપૂર્વક ભવિષ્ય માટે સર્વ્યવહારનું આશ્વાસન આપીને બાળકને સંતુષ્ટ કર્યો. પ્રસન્ન થઈ રોહક પણ પિતાની શંકા દૂર કરવા માટે ચાંદની રાતમાં પોતાનો પડછાયો બતાવતાં પિતાને કહેવા લાગ્યો કે “પિતાજી ! જુઓ, આ કોઈ માણસ જઈ રહ્યો છે.” સાંભળતાં જ નટે તે પુરુષને મા૨વા માટે ગુસ્સે થઈ મ્યાનમાંથી તલવાર કાઢી અને બોલ્યો કે “ક્યાં છે તે લંપટ જે મારા ઘરમાં ઘૂસી ધર્મ નષ્ટ કરે છે ? બતાવ, અત્યારે જ તેને આ દુનિયામાંથી રવાના કરી દઉં.” રોહકે જવાબમાં આંગળીથી પોતાનો પડછાયો બતાવતાં કહ્યું કે “આ રહ્યો તે લંપટ.” પડછાયાને પુરુષ સમજવાની બાલચેષ્ટા જોતાં જ ભરત શરમાયો અને વિચારવા લાગ્યો કે અહો મેં નકામું જ બાળકના કહેવાથી પોતાની સ્ત્રી સાથે પ્રેમહીન વ્યવહાર કર્યો. આ રીતે પશ્ચાત્તાપ કર્યા પછી ભરત પોતાની સ્ત્રી સાથે પૂર્વવત્ પ્રેમપૂર્વક વ્યવહાર કરવા લાગ્યો. ત્યારે રોહકે વિચાર્યું કે મારા દુર્વ્યવહારથી અપ્રસન્ન થઈ માતા કદાચ મને વિષ વગેરે આપી મારી નાખશે એટલે હવે એકલા ભોજન ન કરવું જોઈએ. એમ વિચારી તે પોતાનું ખાનપાન પિતાની સાથે જ કરવા લાગ્યો અને હંમેશા પિતાની સાથે જ રહેવા લાગ્યો. એક દિવસ કાર્યવશાત્ રોહક પોતાના પિતાની સાથે ઉજ્જયિની ગયો. દેવપુરી જેવી નગરી જોઈને રોહક અતિ વિસ્મિત થયો અને પોતાના મનમાં તેનું પૂરું ચિત્ર આંકી લીધું. ઘરે પાછા ફરતી વેળાએ નગરીની બહાર નીકળતાં જ ભરતને કોઈ ભુલાયેલી વસ્તુ યાદ આવી અને તે લેવા માટે રોહકને સિપ્રા નદીના કાંઠે બેસાડી પાછો નગરીમાં ગયો. તે દરમિયાન રોહકે નદીકિનારે રેતી પર આખી નગરી દોરી કાઢી. આ બાજુ ફરવા નીકળેલો રાજા સંયોગવશાત્ -- Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ અંગબાહ્ય આગમો ન સાથીઓએ માર્ગ ભૂલી જવાથી એકલો જ ત્યાં પહોંચી ગયો. તેને પોતે આલેખેલી નગરીની વચ્ચેથી આવતો જોઈ રોહક બોલ્યો ‘રાજપુત્ર ! તે રસ્તે ન આવો.” રાજા બોલ્યો “કેમ ? શું છે ?’ રોહકે જવાબ આપ્યો “જોતાં નથી, આ રાજભવન છે. અહીં દરેક માણસ પ્રવેશ ન કરી શકે.” આ સાંભળી કુતૂહલવશ રાજાએ તેણે બનાવેલી આખી નગરી જોઈ અને પૂછ્યું “પહેલાં પણ તેં ક્યારેય આ નગરી જોઈ છે ?’’ રોહકે જવાબ દીધો “ક્યારેય નહિ, આજે જ ગામડેથી અહીં આવ્યો છું.” બાળકની અદ્ભુત ધારણાશક્તિ અને ચતુરાઈ જોઈ રાજા ચકિત થઈ ગયો અને મનોમન તેની બુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યો. ત્યાર પછી રાજાએ રોહકને પૂછ્યું “વત્સ ! તારું નામ શું છે ? તું ક્યાં રહે છે ?” રોહક બોલ્યો “રાજન! મારું નામ રોહક છે. હું બાજુના નટોના ગામમાં રહું છું.” આ રીતે બંને વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યાં રોકનો પિતા આવી પહોંચ્યો અને પિતા-પુત્ર પોતાને ગામ જવા નીકળ્યા. રાજા પણ પોતાના ભવનમાં ચાલ્યો ગયો. રોહકનો પ્રસંગ યાદ કરી એક દિવસ રાજા પોતાના મનમાં વિચારવા લાગ્યો કે મારે પાચસોમાં એક મંત્રી ઓછો છે. જો આ મંત્રીમંડળમાં અત્યંત બુદ્ધિમાન એક મુખ્યમંત્રી મળી જાય તો મારું રાજ્ય સુખપૂર્વક ચાલે. આમ વિચારીને રાજાએ રોહકની બુદ્ધિપરીક્ષા લેવાનું શરૂ કર્યું. એક દિવસ રાજાએ તેના ગામના લોકોને આદેશ આપ્યો કે તમે બધા મળી એક એવો મંડપ બનાવો કે જે રાજાને યોગ્ય હોય અને તમારા ગામની બહાર રહેલી મોટી શિલા ઉખાડ્યા વિના જ તેના છાપરારૂપે કામમાં લેવી. રાજાના આ આદેશથી ગામ લોકો વ્યાકુળ બની ગયા. ગામની બહાર ભેગા થઈ તેઓ પરસ્પર વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું જોઈએ ? રાજાના આ દુષ્ટ આદેશનું પાલન ન કરીએ તો અત્યંત ખરાબ દંડ ભરવો પડશે. આ આદેશ કઈ રીતે કાર્યરૂપે અમલમાં મૂકવો ? આ વિકટ સમસ્યા કેવી રીતે ઉકેલવી ? એ રીતે ચિંતાથી વ્યાકુળ તે બધા લોકોને વિચાર કરતાં કરતાં બપોર થઈ ગઈ. આ બાજુ રોહક પોતાના પિતા ભરત વિના ભોજન માટે વ્યાકુળ થઈ રહ્યો હતો. ઘણી વાર સુધી રાહ જોયા પછી તે પોતાના પિતાની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે “પિતાજી ! મને બહુ ભૂખ લાગી છે. આથી ભોજન માટે જલદી ઘરે ચાલો.'' ભરતે કહ્યું “વત્સ ! ગામના લોકો આજે બહુ દુ:ખી છે. તું એમની પીડા જાણતો નથી.” રોહક પૂછવા લાગ્યો “પિતાજી ! ગામવાળાની એવી કઈ પીડા છે કે તેઓ આટલા દુઃખી છે ?’' ભરતે રાજાની આજ્ઞાના પાલનની અશક્યતા પર પ્રકાશ પાડ્યો. ભરતની વાત સાંભળી રોહકને ખૂબ હસવું આવ્યું. હસતાં હસતાં જ તેણે કહ્યું “આટલા માટે તમે બધા દુ:ખી છો ? આમાં ચિંતાનું Page #289 -------------------------------------------------------------------------- ________________ નન્દી ૨૫૩ શું કામ છે? તમે બધા મંડપ બનાવવા માટે શિલાની ચારે તરફની નીચેની જમીન ખોદી નાખો અને પછી યોગ્ય જગ્યાએ આધારરૂપે થાંભલા લગાવી મધ્યવર્તી ભૂમિને પણ ખોદી નાખો તથા ચારે બાજુ એક સુંદર દિવાલ ઊભી કરી દો. રાજાના આદેશનું અક્ષરશઃ પાલન થઈ જશે.” મંડપ બનાવવાના આ ઉપાયથી ગામ લોકો અત્યંત ખુશ થયા. થોડા જ દિવસોમાં મંડપ તૈયાર થઈ ગયો. ગામ લોકોએ રાજાને જઈ નિવેદન કર્યું કે શ્રીમાનનો આદેશ પૂર્ણ થઈ ગયો છે. રાજાએ પૂછયું “આ કામ કેવી રીતે થયું ?” ગામ લોકોએ બધી કથા કહી સંભળાવી. રાજા સમજી ગયો કે આ બધું ભરતના પુત્ર રોહકનું બુદ્ધિકૌશલ્ય છે. આ રોહકની ઔત્પત્તિકી બુદ્ધિનું એક ઉદાહરણ છે. આ પ્રકારના બીજાં પણ અનેક ઉદાહરણો પ્રસ્તુત સૂત્રમાં સંકેત રૂપે આપવામાં આવ્યા છે. વનયિકી બુદ્ધિ : | મુશ્કેલ કાર્યભારના નિર્વાહમાં સમર્થ, ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિ-વર્ગનું વર્ણન કરનાર સૂત્ર અને અર્થનો સાર ગ્રહણ કરનારી તથા ઈહલોક અને પરલોક બંનેમાં ફળ આપનારી બુદ્ધિ વિનયસમુત્યુ એટલે વિનયથી ઉત્પન્ન થનારી વનયિકી બુદ્ધિ भरनित्थरणसमत्था, तिवग्गसुत्तत्थगहियपेयाला । उभओ लोगफलवई, विणयसमुत्था हवइ बुद्धी ॥ - ગા. ૭૩. આ બુદ્ધિનું સ્વરૂપ સમજાવવા માટે પંદર ઉદાહરણો આપવામાં આવ્યાં છે.' આ ઉદાહરણો પણ અત્યંત રોચક છે. કર્મજા બુદ્ધિ : એકાગ્ર ચિત્તે (ઉપયોગપૂર્વક) કાર્યના પરિણામને જોનારી, અનેક કાર્યોના અભ્યાસ અને ચિંતનથી વિશાળ બનેલી તથા વિદ્વજનો દ્વારા પ્રશસિત બુદ્ધિનું નામ કર્મના બુદ્ધિ છે : उवओगदिट्ठसारा, कम्मपसंगपरिघोलणविसाला । साहुकारफलवई, कम्मसमुत्था हवइ बुद्धी ।। - ગા. ૭૬. કર્મના બુદ્ધિનું સ્વરૂપ વિશેષ સ્પષ્ટ કરવા માટે સૂત્રકારે સુવર્ણકાર, કૃષક, કૌલિક, ડોવ એટલે દર્વીકાર (લોહકાર), મણિકાર, ધૃતવિક્રેતા, પ્લવક – કૂદનાર, સુન્નાગ – સીવનાર, વર્ધક – સુથાર, આપૂપિક – કંદોઈ, કુંભકાર, ચિત્રકાર વગેરે કર્મકારોના ઉદાહરણોનો નિર્દેશ કર્યો છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ અંગબાહ્ય આગમો પારિણામિકી બુદ્ધિ : અનુમાન, હેતુ અને દૃષ્ટાંત વડે વિષયને સિદ્ધ કરનારી, આયુષ્યના પરિપાકથી પુષ્ટ તથા ઇહલૌકિક ઉન્નતિ અને મોક્ષરૂપ નિઃશ્રેય આપનારી બુદ્ધિનું નામ પારિણામિકી બુદ્ધિ છે : अणुमाणहे उदिटुंतसाहिया, वयविवागपरिणामा । हियनिस्सेयसफलवई, बुद्धी परिणामिया नाम ॥ . - ગા. ૭૮ આનું સ્વરૂપ સમજાવવા માટે અભયકુમાર, શ્રેષ્ઠી, કુમાર, દેવી, ઉદિતોદય રાજા, સાધુ અને કુમાર નંદિસેન, ધનદત્ત, શ્રાવક, અમાત્ય વગેરેનાં ઉદાહરણો આપવામાં આવ્યાં છે. અહીં સુધી અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનનો અધિકાર છે. શ્રતનિશ્રિત મતિજ્ઞાનના પણ ચાર ભેદ છે: ૧. અવગ્રહ, ર. ઈહા, ૩. અવાય, ૪. ધારણા. અવગ્રહ બે પ્રકારનો કહેવામાં આવ્યો છે. અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. વ્યંજનાવગ્રહ ચાર પ્રકારનો છે : ૧. શ્રોત્રેન્દ્રિય-વ્યંજનાવગ્રહ, ૨. ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ, ૩. જિલૅન્દ્રિય વ્યંજનાવગ્રહ, ૪. સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ. અર્થાવગ્રહ છ પ્રકારનો છે: ૧. શ્રોસેન્દ્રિય અર્થાવગ્રહ, ૨. ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ, ૩. ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ, ૪. જિલૅન્દ્રિય અર્થાવગ્રહ, ૫. સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ, ૬. નોઇન્દ્રિય (મન) અર્થાવગ્રહ. અવગ્રહના આ પાંચે નામ એકાર્થક છે અવગ્રહણતા, ઉપધારણતા, શ્રવણતા, અવલંબનતા અને મેધા. ઈહા પણ અર્થાવગ્રહની માફક છ પ્રકારની હોય છે. ઈહાના એકાWક શબ્દો આ પ્રમાણે છે : આભોગનતા, માર્ગણતા, ગવેષણતા, ચિંતા અને વિમર્શ. અવાય પણ શ્રોત્રેન્દ્રિય વગેરે ભેદ વડે જ પ્રકારનો છે. તેના એકાWક નામો આ પ્રમાણે છે : આવર્તનતા, પ્રત્યાવર્તનતા, અપાય, બુદ્ધિ અને વિજ્ઞાન.' ધારણા પણ પૂર્વોક્ત રીતે છપ્રકારની છે. તેના એકાર્યકપદો આ પ્રમાણે છે: ધરણ, ધારણા, સ્થાપના, પ્રતિષ્ઠા અને કોઇ. અવગ્રહ વગેરેનું સ્વરૂપ સૂત્રકારે આગળદષ્ટાંત આપી સ્પષ્ટ કર્યું છે. મતિજ્ઞાનની અવગ્રહ વગેરે અવસ્થાઓનું કાળમાન બતાવતાં આચાર્ય કહે છે કે અવગ્રહએકસમય સુધી રહે છે, ઈહાની અવસ્થિતિ અંતર્મુહૂર્ત છે, અવાય પણ અંતર્મુહૂર્ત ૧. ઈન્દ્રિય અને પદાર્થના સંબંધ અર્થાત્ સંયોગને વ્યંજન કહે છે. તે સંબંધ-સંયોગથી પદાર્થોનું જે અવ્યક્ત જ્ઞાન થાય છે તે જ વ્યંજનાવગ્રહ છે. અર્થાવગ્રહ પદાર્થોના સામાન્ય જ્ઞાનનું નામ છે. ૨. સૂ. ૨૬- 30 ૩. સૂ. 3૧ ૪. સૂ. ૩૨ ૫. સૂ. ૩૩ Page #291 -------------------------------------------------------------------------- ________________ + નન્દી સુધી રહે છે, ધારણા સંખ્યેય અથવા અસંખ્યેય કાળ સુધી રહે છે.૧ અવગ્રહના એક ભેદ વ્યંજનાવગ્રહનું સ્વરૂપ સમજાવવા માટે સૂત્રકારે નીચેનું દૃષ્ટાંત આપ્યું છે : જેવી રીતે કોઈ પુરુષ સૂતેલા વ્યક્તિને ઓ ફલાણા ભાઈ ! ઓ ફલાણા ભાઈ! એમ કહીને જગાડેછે, તેના કાનમાં પ્રવિષ્ટ એક સમયના શબ્દપુદ્ગલો સંભળાતા નથી, બે સમયના શબ્દપુદ્ગલો સંભળાતા નથી યાવત્ દસ સમય સુધીના શબ્દપુદ્ગલો સંભળાતા નથી. એ જ રીતે સંધ્યેય સમયના પ્રવિષ્ટ પુદ્ગલોને પણ તે ગ્રહણ કરતો નથી. અસંખ્યેય સમયના પ્રવિષ્ટ પુદ્ગલોજ તેના ગ્રહણ કરવામાં આવેછે. આજવ્યંજનાવગ્રહ છે. આને આચાર્યે મલ્લક – શરાવ શકોરાના દૃષ્ટાંત વડે પણ સ્પષ્ટ કરેલ છે. અર્થાવગ્રહ વગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે : જેવી રીતે કોઈ પુરુષ જાગ્રત અવસ્થામાં અવ્યક્ત શબ્દ સાંભળે છે અને તેને “કંઈક શબ્દ છે’’ એમ સમજી ગ્રહણ કરે છે પરંતુ એ નથી જાણતો કે આ શબ્દ કોનો છે. ત્યારપછી તે ઈહામાં પ્રવેશ કરે છે અને ત્યારે જાણે છે કે આ શબ્દ અમુકનો હોવો જોઈએ. ત્યારબાદ તે અવાયમાં પ્રવેશ કરે છે અને નિશ્ચય કરે છે કે આ શબ્દ અમુકનો જ છે. ત્યારપછી તે ધારણામાં પ્રવેશ કરે છે અને તે શબ્દના જ્ઞાનને સંધ્યેય અથવા અસંખ્યેય કાળ સુધી હૃદયમાં ધારણ કરી રાખેછે. એ જ રીતે અન્ય ઈન્દ્રિયોના વિષયમાં પણ સમજવું જોઈએ. નોઈન્દ્રિય અર્થાત્ મન વડે અર્થાવગ્રહ વગેરે આ પ્રમાણે થાય છે જેવી રીતે કોઈ પુરુષ અવ્યક્ત સ્વપ્ર જુએ છે અને પ્રારંભમાં “કંઈક સ્વપ્ર છે” તેમ સમજે છે. આ મનોજન્ય અર્થાવગ્રહ છે. ત્યારબાદ ક્રમશઃ મનોજન્ય ઈહા, અવાય અને ધારણાની ઉત્પત્તિ થાય છે. ૧. સૂ. ૩૪ ૨. આ કાળનું એક પ્રમાણવિશેષ છે. ૩. સૂ. ૩૫ ૪. સૂ. ૩૬ 1 સંક્ષેપમાં ઉપર્યુક્ત ભેદોવાળા મતિજ્ઞાન-આભિનિબોધિક જ્ઞાનનો ચાર દૃષ્ટિએ વિચાર થઈશકેછેઃદ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. દ્રવ્યની અપેક્ષાએ મતિજ્ઞાની સામાન્યપણે બધા પદાર્થોને જાણે છે પરંતુ જોતો નથી. ક્ષેત્રની દૃષ્ટિએ મતિજ્ઞાની સામાન્યપણે સંપૂર્ણ ક્ષેત્રને જાણે છે પણ જોતો નથી. કાળની અપેક્ષાએ મતિજ્ઞાની સામાન્યપણે સંપૂર્ણ કાળને જાણે છે પરંતુ જોતો નથી. ભાવની અપેક્ષાએ મતિજ્ઞાની સામાન્યપણે સમસ્ત ભાવો – પર્યાયોને જાણે છે પરંતુ જોતો નથી. મતિજ્ઞાનનો ઉપસંહાર કરતાં આચાર્ય કહે છે ઃ શબ્દ સ્પષ્ટ (સ્પર્શ થતાં) જ સંભળાય છે, રૂપ અસ્પૃષ્ટ જ જોવાય છે, રસ, ગંધ અને સ્પર્શ સ્પષ્ટ અને બદ્ધ (આત્મપ્રદેશો વડે ગૃહીત થતાં) જ જાણી જવાય છે. ઈહા, અપોહ, ૨૫૫ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ અંગબાહ્ય આગમો વિમર્શ, માર્ગણા, ગવેષણા, સંજ્ઞા, સ્મૃતિ, મતિ અને પ્રજ્ઞા-આ બધા આભિનિબોધિક – મતિજ્ઞાનના પર્યાયો છે: पुढे सुणेइ सदं, रूवं पुण पासइ अपुढे तु । गंधं रसं च फासं च बद्धपुटुं वियागरे ।। ईहा अपोह वीमंसा, मग्गणा य गवेसणा । सना सई मई पन्ना, सव्वं आभिणिबोहियं ।। - ગા. ૮૫, ૮૭ શ્રુતજ્ઞાનઃ શ્રુતજ્ઞાન રૂપ પરોક્ષ જ્ઞાન શું છે? શ્રુતજ્ઞાન રૂપ પરોક્ષ જ્ઞાન ચૌદ પ્રકારનું છે : ૧. અક્ષરધૃત, ૨. અક્ષરદ્યુત, ૩. સંન્નિશ્રત, ૪. અસંન્નિશ્રત, ૫. સમ્યક્ત્રુત, ૬. મિથ્યાશ્રત, ૭. સાદિઋત, ૮, અનાદિઋત, ૯. સપર્યવસિતશ્રુત, ૧૦. અપર્યવસિતશ્રુત, ૧૧. ગમિકશ્રુત, ૧૨. અગમિકશ્રુત, ૧૩. અંગપ્રવિષ્ટ, ૧૪. અનંગપ્રવિષ્ટ, આમાંથી અક્ષરદ્યુતના ત્રણ ભેદ છે: સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યક્ષર. અક્ષરની સંસ્થાનાકૃતિનું નામ સંજ્ઞાક્ષર છે. અક્ષરના વ્યંજનાભિલાપને વ્યંજનાક્ષર કહે છે. અક્ષરલબ્ધિવાળા જીવને લક્ઝક્ષર (ભાવકૃત) ઉત્પન્ન થાય છે. તે શ્રોત્રેન્દ્રિય વગેરે ભેદથી છ પ્રકારનું છે. ૧ અનક્ષરદ્યુત અનેક પ્રકારનું કહેવામાં આવ્યું છે, જેમ કે ઊંચો શ્વાસ લેવો, નીચો શ્વાસ લેવો, થુંકવું, ઉધરસ ખાવી, છીંક ખાવી, નિસંઘવું, અનુસ્વારયુક્ત ચેષ્ટા કરવી વગેરે ऊससियं नीससियं, निच्छूढं खासियं च छीयं च । निस्सिघियमणुसारं, अणक्खरं छेलियाईयं ।। - ગા. ૮૮ સંન્નિશ્રુત ત્રણ પ્રકારની સંજ્ઞાવાળુ છે : (દીર્ઘ)કાલિકી, હેતૂપદેશિકી અને દષ્ટિવાદોપદેશિકી. જેમાં ઈહા, અપોહ, માર્ગણા, ગવેષણા, ચિંતા, વિમર્શ વગેરે શક્તિઓ વિદ્યમાન હોય તે કાલિકી સંજ્ઞાવાળો છે. જે પ્રાણી (વર્તમાનની દૃષ્ટિએ) હિતાહિતનો વિચાર કરી કોઈ ક્રિયામાં પ્રવૃત્ત થાય છે તે હેતુપદેશિકી સંજ્ઞાવાળો છે. સમ્યકશ્રુતના કારણે હિતાહિતનો બોધ પ્રાપ્ત કરનાર દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળો છે. અસંજ્ઞિશ્રુત સંજ્ઞિકૃતથી વિપરીત લક્ષણવાળું છે. સર્વજ્ઞઅને સર્વદર્શીઅહિંતભગવંતતીર્થંકરપ્રણીતદ્વાદશાંગીગણિપિટકસભ્યશ્રુત છે. દ્વાદશાંગ આ પ્રમાણે છે: ૧. આચાર, ૨. સૂત્રકૃત, ૩. સ્થાન, ૪. સમવાય, પ. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, ૬ જ્ઞાતાધર્મકથા,૭. ઉપાસકદશા, ૮. અંતકૃદશા,૯ અનુત્તરૌપપાતિકદશા, ૧૦. પ્રશ્નવ્યાકરણ, ૧૧. વિપાકશ્રુત, ૧૨. દષ્ટિવાદ. આ દ્વાદશાંગી ગણિપિટક ૧. સૂ. ૩૮ ૨. સૂ. ૩૯ Page #293 -------------------------------------------------------------------------- ________________ નન્દી ૨૫૭ ચતુર્દશ-પૂર્વધર માટે સમ્યક્શ્રુત છે, અભિન્ન દશપૂર્વી અર્થાત્ સંપૂર્ણ દશ પૂર્વોના જ્ઞાતા માટે પણ સમ્યશ્રુત છે, પરંતુ બીજાઓ માટે વિકલ્પે સમ્યશ્રુત છે અર્થાત્ તેમના માટે આ સભ્યશ્રુત પણ હોઈ શકે અને મિથ્યાશ્રુત પણ. મિથ્યાશ્રુત શું છે ? અજ્ઞાની મિથ્યાદષ્ટિઓ દ્વારા સ્વચ્છંદ બુદ્ધિએ કપોળકલ્પિત ગ્રંથો મિથ્યાશ્રુત અંતર્ગત આવે છે. તેમાંના કેટલાક ગ્રંથો આ પ્રમાણે છે ઃ ભારત (મહાભારત), રામાયણ, ભીમાસુરોક્ત, કૌટિલ્યક, શકટભદ્રિકા, ખોડમુખ (ઘોટકમુખ), કાર્પાસિક, નાગસૂક્ષ્મ, કનકસાતિ, વૈશેષિક, બુદ્ધવચન, ઐરાશિક, કાપિલિક, લોકાયતિક, ષષ્ઠિતંત્ર, માઠર, પુરાણ, વ્યાકરણ, ભાગવત, પાતંજલિ, પુષ્પદૈવત, લેખ, ગણિત, શકુનરુત, નાટક અથવા બોતેર કળાઓ અને સાંગોપાંગ ચાર વેદ. આ બધા ગ્રંથો મિથ્યાદષ્ટિ માટે મિથ્યાત્વ રૂપે પરિગૃહીત હોવાને કારણે મિથ્યાશ્રુતરૂપ છેતથાસમ્યક્દષ્ટિને માટેસમ્યક્ રૂપે પરિગૃહીત હોવાને કારણે સમ્યક્શ્રુતરૂપ છે. અથવા મિથ્યાદૅષ્ટિ માટે પણ આ સભ્યશ્રુત છે કેમ કે તેમના સમ્યક્ત્વની ઉત્પત્તિમાં તે હેતુરૂપ છે.૧ પૂર્વોક્ત દ્વાદશાંગી ગણિપિટક વ્યચ્છિત્તિનય અર્થાત્ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ સાદિઅનેસપર્યવસિત-સાંત છેતથાઅવ્યુચ્છિત્તિનય અર્થાત્વ્યાર્થિકનયની અપેક્ષાએ અનાદિ અને અપર્યવસિત – અનંત છે. - જે સૂત્રના આદિ, મધ્ય અને અંતમાં કંઈક વિશેષતા સાથે વારંવાર એક જ પાઠનું ઉચ્ચારણહોયતેને ગમિક કહેછે. દૃષ્ટિવાદ ગમિકશ્રુતછે. ગમિકથી વિપરીતકાલિકશ્રુત (આચારાંગ વગેરે) અગમિક છે. અંગબાહ્ય અર્થાત્ અનંગપ્રવિષ્ટશ્રુતનો પરિચય આપતાં સૂત્રકાર કહેછેકે અંગબાહ્ય બેપ્રકારનુંછેઃ આવશ્યક અને આવશ્યકવ્યતિરિક્ત. આવશ્યકછપ્રકારનુંછેઃ સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. આવશ્યકવ્યતિરિક્ત બે પ્રકારનું છે ઃ કાલિક અને ઉત્કાલિક.૪ ઉત્કાલિકશ્રુત અનેક પ્રકારનું કહેવામાં આવ્યું છે, જેમ કે દશવૈકાલિક, કલ્પિકાકલ્પિક, ચુલ્લકલ્પશ્રુત, મહાકલ્પશ્રુત, ઔપપાતિક, રાજપ્રશ્રીય (રાયપસેણિય), જીવાભિગમ, પ્રજ્ઞાપના, મહાપ્રજ્ઞાપના, પ્રમાદાપ્રમાદ, નંદી, અનુયોગદ્વાર, દેવેન્દ્રસ્તવ, તંદુલવૈચારિક, ચન્દ્રવેધ્યક, સૂર્યપ્રજ્ઞપ્તિ, પૌરુષીમંડલ, મંડલપ્રવેશ, વિદ્યાચરણવિનિશ્ચય, ગણિવિદ્યા, ધ્યાનવિભક્તિ, મરણવિભક્તિ, આત્મવિશોધિ, વીતરાગશ્રુત, સલ્લેખનાશ્રુત, વિહારકલ્પ, ચરણવિધિ, આતુરપ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન વગેરે. કાલિકશ્રુત પણ અનેક પ્રકારનું છે : ઉત્તરાધ્યયન, ૧. સૂ. ૪૦-૪૧. ૨. સૂ. ૪૨. ૩. સૂ. ૪૩. ૪. જે સૂત્ર દિવસ અને રાત્રિના પ્રથમ તથા અંતિમ પ્રહરરૂપ કાળમાં ભણાવવામાં આવે છે તે કાલિક છે, બાકીના ઉત્કાલિક છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ અંગબાહ્ય આગમો દશાશ્રુતસ્કંધ, કલ્પ (બૃહત્કલ્પ), વ્યવહાર, નિશીથ, મહાનિશીથ, ઋષિભાસિત, જંબૂઠ્ઠીપપ્રજ્ઞપ્તિ, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, ક્ષુલ્લિકાવિમાન-પ્રવિભક્તિ, મહલ્લિકાવિમાનપ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગચૂલિકા,વિવાહચૂલિકા, અરુણોપપાત, વરુણોપપાત, ગરુડોપપાત, ધરણોપપાત, વૈશ્રમણોપપાત, વેલધરોપપાત, દેવેન્દ્રોપપાત ઉત્થાનશ્રુત, સમુત્થાનશ્રુત, નાગપરિજ્ઞાપનિકા, નિરયાવલિકા, કલ્પિકા, કલ્પાવતંસિકા, પુષ્પિકા, પુષ્પચૂલિકા, વૃષ્ણિદશા, આશીવિષભાવના, દૃષ્ટિવિષભાવના, સ્વપ્રભાવના, મહાસ્વપ્રભાવના, તેજોગ્નિનિસર્ગ વગેરે ૮૪ સહસ્ર પ્રકીર્ણકો પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવનાં છે, સંધ્યેય સહસ્ર પ્રકીર્ણકો મધ્યમ જિનવરોનાં છે તથા ભગવાન વર્ધમાનનાં ૧૪સહસ્ર પ્રકીર્ણકો છે. અથવા જે તીર્થંકરના જેટલા શિષ્ય ઔત્પત્તિકી, વૈનયિકી, કર્મજા અને પારિણામિકી – આ ચાર પ્રકારની બુદ્ધિથી યુક્ત હોય છે તે તીર્થંકરના તેટલા જ સહસ્ર પ્રકીર્ણકો હોય છે અને પ્રત્યેક બુદ્ધ પણ તેટલા જ હોય છે. અહીં સુધી અંગબાહ્ય – અનંગપ્રવિષ્ટ શ્રુતનો અધિકાર છે. i અંગપ્રવિષ્ટ શ્રુત બાર પ્રકારનું છે. તેને દ્વાદશાંગ પણ કહે છે. પ્રસ્તુત સૂત્રમાં પ્રત્યેક અંગનો ક્રમશઃ પરિચય આપવામાં આવ્યો છે. અંતિમ અંગ દૃષ્ટિવાદ (જે આ સમયે વિદ્યમાન નથી)ને સર્વભાવપ્રરૂપક કહેવાયું છે. દૃષ્ટિવાદ સંક્ષેપમાં પાંચ પ્રકારે છે ઃ ૧. પરિકર્મ, ૨. સૂત્ર, ૩. પૂર્વગત, ૪. અનુયોગ, ૫. ચૂલિકા. આમાંથી પરિકર્મના સાત ભેદ છે : ૧. સિદ્ધશ્રેણિકાપરિકર્મ, ૨. મનુષ્યશ્રેણિકાપરિકર્મ, ૩. પૃષ્ઠશ્રેણિકાપરિકર્મ, ૪. અવગાઢશ્રેણિકાપરિકર્મ, ૫. ઉપસંપાદનશ્રેણિકાપરિકર્મ, ૬. વિપ્રજહશ્રેણિકાપરિકર્મ, ૭. ચ્યુતાચ્યુતશ્રેણિકાપરિકર્મ. આના અનેક ભેદ-પ્રભેદ છે. સૂત્ર બાવીસ પ્રકારના છે ઃ ૧. ઋજુસૂત્ર, ૨. પરિણતાપરિણત, ૩. બહુભંગિક, ૪. વિજયચરિત, ૫. અનન્તર, ૬. પરમ્પર, ૭. આસાન, ૮. સંયૂથ, ૯. સંભિન્ન, ૧૦. યથાવાદ, ૧૧. સ્વસ્તિકાવર્ત, ૧૨. નન્દાવર્ત, ૧૩, બહુલ, ૧૪. પૃષ્ટાપૃષ્ટ, ૧૫. વ્યાવર્ત, ૧૬. એવંભૂત, ૧૭. કાવર્ત, ૧૮. વર્તમાનપદ, ૧૯. સમભિરૂઢ, ૨૦. સર્વતોભદ્ર, ૨૧. પ્રશિષ્ય, ૨૨.દુષ્પ્રતિગ્રહ. પૂર્વગત ચૌદ પ્રકારનું છેઃ ૧. ઉત્પાદપૂર્વ, ૨. અગ્રાયણીય, ૩. વીર્યપ્રવાદ, ૪. અસ્તિનાસ્તિપ્રવાદ, ૫. જ્ઞાનપ્રવાદ, ૬. સત્યપ્રવાદ, ૭. આત્મપ્રવાદ, ૮. કર્મપ્રવાદ, ૯. પ્રત્યાખ્યાનપ્રવાદ, ૧૦.વિદ્યાનુપ્રવાદ, ૧૧. અવન્ધ્ય, ૧૨. પ્રાણાયુ, ૧૩. ક્રિયાવિશાલ, ૧૪. લોકબિંદુસાર. અનુયોગ બે પ્રકારનો છે ઃ : મૂલપ્રથમાનુયોગ અને ગણ્ડિકાનુયોગ. મૂલપ્રથમાનુયોગમાં તીર્થંકરોના પૂર્વભવ, જન્મ, અભિષેક વગેરેનું વિશદ વર્ણન છે. ગણ્ડિકાનુયોગમાં કુલકર–ગણ્ડિકા, તીર્થંકર-ગણ્ડિકા, ચક્રવર્તિ-ગણ્ડિકા વગેરેનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. ૧. સૂ. ૪૩ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ નન્દી ચૂલિકાઓ શું છે? આગળના ચાર પૂર્વોની ચૂલિકાઓ છે, બાકીના પૂર્વો ચૂલિકા વિનાના છે. ઉપર્યુક્ત વિષયના વિશેષ સ્પષ્ટીકરણ માટેનંદિસૂત્રનું વ્યાખ્યાત્મક સાહિત્ય – ચૂર્ણિ, હરિભદ્રીય વૃત્તિ, મલયગિરિ કૃત ટીકા વગેરે જોવું જોઈએ. શ્રુતજ્ઞાન અને તેની સાથે જ પ્રસ્તુત સૂત્રનો ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે નિમ્નોક્ત આઠ ગુણોયુક્ત મુનિને જ શ્રુતજ્ઞાનનો લાભ થાય છેઃ ૧. શુશ્રુષા (શ્રવણેચ્છા), ૨. પ્રતિપૃચ્છા, ૩. શ્રવણ, ૪. ગ્રહણ, ૫. ઈહા, ૬. અપોહ, ૭, ધારણા, ૮. આચરણઃ सुस्सूसइ पडिपुच्छइ, सुणेइ गिण्हइ य ईहए यावि । तत्तो अपोहए वा, धारेइ करेइ वा सम्म । - ગા. ૯૫ અનુયોગ અર્થાત વ્યાખ્યાની વિધિ બતાવતાં આચાર્ય કહે છે કે સર્વપ્રથમ સૂત્રનો અર્થ બતાવવો જોઈએ, ત્યારબાદ તેની નિયુક્તિ કરવી જોઈએ અને અંતે નિરવશેષ સંપૂર્ણ વાતો સ્પષ્ટ કરી આપવી જોઈએ : सुत्तत्थो खलु पढमो, बीओ निज्जुत्तिमीसिओ भणिओ । तइओ य निरवसेसो, एस विही होइ अणुओगे ।। - ગા. ૯૭ ૧. ચૂલિકામાં કેટલાક ન કહેવાયેલા વિષયોનું પ્રતિપાદન કરવામાં આવે છે. ૩રુશેષાનુવાવની નૂતા | ૨. સૂ. ૪૪-૫૬. Page #296 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકરણ અનુયોગદ્વાર અનુયોગનો અર્થ છે વ્યાખ્યાન અથવા વિવેચન. અનુયોગ, ભાષ્ય, વિભાષા, વાર્તિક વગેરે એકાર્થક છે. અનુયોગદ્વાર સૂત્ર'માં આવશ્યક સૂત્રનું વ્યાખ્યાન છે. પ્રસંગોપાત્ત એમાં જૈન પરંપરાના કેટલાક મૂળભૂત વિષયોનું પણ વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. તે માટે સૂત્રકારે નિક્ષેપ-પદ્ધતિનો વિશેષ ઉપયોગ કર્યો છે. વિભિન્ન દ્વારો અર્થાત્ ષ્ટિઓથી કોઈ વસ્તુનું વિશ્લેષણ કરવાનું નામ નિક્ષેપ છે. આચાર્ય ભદ્રબાહુકૃત આગમિક નિયુક્તિઓ પણ આ શૈલીમાં છે. પ્રસ્તુત સૂત્રમાં નિમ્ન વિષયોનો સમાવેશ છે : આવશ્યક, શ્રુત, સ્કંધ અને અધ્યયનના વિવિધ નિક્ષેપો, અનુયોગના ઉપક્રમાદિચાર દ્વારો, તેમનું વિવરણ તથા ૧. (અ) સં. પુણ્યવિજય, મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ૧૯૬૮, સં. જિનેન્દ્રવિજય ગણિ, હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ઈ.સ. ૧૯૭૬, રતનલાલ દોશી, અ. ભા. શ્વે. સ્થા. જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના, ઈ.સ. ૧૯૮૦. (આ)અમોલકઋષિ કૃત હિન્દી અનુવાદસહિત – સુખદેવસહાય જ્વાલાપ્રસાદ જૌહરી, હૈદરાબાદ, વી.સં. ૨૪૪૬, (ઇ) ઉપાધ્યાય આત્મારામકૃત હિન્દી અનુવાદસહિત-શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન કૉન્ફરેન્સ, મુંબઈ (પૂર્વાર્ધ); મુરારીલાલ ચરણદાસ જૈન, પટિયાલા, ઈ.સ. ૧૯૩૧ (ઉત્તરાર્ધ). (ઈ) અંગ્રેજી અનુવાદ લાઇકેન હનાકી, પ્રાકૃત જૈનશાસ્ત્ર તથા અહિંસા શોધસંસ્થાન, વૈશાલી, ઈ.સ. ૧૯૭૦. (ઉ) વૃત્તિ તથા હિંદી અનુવાદ સહિત-ધાસીલાલજી, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ. ૧૯૬૭-૬૮. (ઊ) મલધારી હેમચંદ્રકૃત વૃત્તિસહિત – રાયબહાદુર ધનપતસિંહ, કલકત્તા, ઈ.સ. ૧૮૮૦; દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, ઈ.સ. ૧૯૧૫-૧૬; આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ. ૧૯૨૪; કેસરબાઈ જ્ઞાનમંદિર, પાટણ, ઈ.સ. ૧૯૩૯. (એ) હિરભદ્રકૃત વૃત્તિસહિત – ઋષભદેવજી કેસરીમલજી શ્વેતામ્બર સંસ્થા, રતલામ, ઈ.સ. ૧૯૨૮. (ઐ) ગુજરાતી સાર દેવવિજયજી, આત્માનંદ જૈન સભા, ભાવનગર. - Page #297 -------------------------------------------------------------------------- ________________ અનુયોગદ્વાર ૨૬ ૧ ઉપક્રમનો અધિકાર, આનુપૂર્વીનો અધિકાર, સમવતારનો અધિકાર વગેરે, અનુગમનો અધિકાર, નામના દસ ભેદ, ઔદયિક વગેરે છ ભાવ, સમસ્વર, અષ્ટવિભક્તિ, નવરસ વગેરેનું સ્વરૂપ, પ્રમાણ, અંગુલ, પલ્યોપમ વગેરેનું વર્ણન, પાંચ પ્રકારના શરીર, ગર્ભજ મનુષ્યોની સંખ્યા, સમયનું સ્વરૂપ, સંખેય, અસંખ્યય અને અનન્તના ભેદ-પ્રભેદ, શ્રમણનું સ્વરૂપ તથા તેના માટે વિવિધ ઉપમાઓ, નિર્યુક્તિ-અનુગમના ત્રણ ભેદ, સામાયિકવિષયક પ્રશ્નોત્તર વગેરે. સૂત્રનું ગ્રંથમાન લગભગ ૨૦૦૦ શ્લોકપ્રમાણ છે. ગદ્યનિબદ્ધ પ્રસ્તુત સૂત્રમાં અહીં તહીં કેટલીક ગાથાઓ પણ છે. આવશ્યકાનુયોગ : ગ્રંથના પ્રારંભમા આચાર્યે આભિનિબોધિક વગેરે પાંચ પ્રકારના જ્ઞાનનો નિર્દેશ કરતાં શ્રુતજ્ઞાનનું વિસ્તારથી વર્ણન કર્યું છે. શ્રુતજ્ઞાનનો ઉદેશ, સમુદેશ, અનુજ્ઞા તથા અનુયોગ હોય છે, જ્યારે અન્ય જ્ઞાનોનો નથી હોતો. ઉદેશાદિ અંગપ્રવિષ્ટ તથા અંગબાહ્ય બંને પ્રકારના સૂત્રોના હોય છે. આ જ વાત કાલિક અને ઉત્કાલિક બંને પ્રકારના અંગબાહ્ય સૂત્રોના વિષયમાં પણ છે. જો ઉત્કાલિક સૂત્રોના ઉદ્દેશાદિ છે તો શું આવશ્યક સૂત્રમાં પણ ઉદ્દેશાદિ છે ? અન્ય સૂત્રોની માફક આવશ્યક સૂત્રના પણ ઉદેશાદિ હોય છે. આટલી સંક્ષિપ્ત ભૂમિકા બાદ સૂત્રકાર આવશ્યકનો અનુયોગ – વ્યાખ્યાન પ્રારંભ કરે છે. | સર્વપ્રથમ આચાર્ય આ પ્રશ્નનું સમાધાન કરે છે કે આવશ્યક એક અંગરૂપ છે અથવા અનેક અંગરૂપ, એક શ્રુતસ્કંધરૂપ છે અથવા અનેક શ્રુતસ્કંધરૂપ, એક અધ્યયનરૂપ છે અથવા અનેક અધ્યયનરૂપ, એક ઉદ્દેશરૂપ છે અથવા અનેક ઉદેશરૂપ ? આવશ્યક ન એક અંગરૂપ છે, ન અનેક અંગરૂપ. તે એક શ્રુતસ્કંધરૂપ છે, અનેક શ્રુતસ્કંધરૂપ નથી. તે એક અધ્યયનરૂપ ન હોતાં અનેક અધ્યયનરૂપ છે. તેમાં ન એક ઉદેશ છે, ન અનેક. આવશ્યક-શ્રુત-સ્કન્ધાધ્યયનનું સ્વરૂપ વિશેષ સ્પષ્ટ કરવા માટે આવશ્યક, શ્રુત, સ્કન્ધ અને અધ્યયન – આ ચારેયનો પૃથકુપૃથકુ નિક્ષેપ કરવો આવશ્યક છે. આવશ્યકનો નિક્ષેપ ચાર પ્રકારનો છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. ૧. ઉદેશ અર્થાત્ ભણવાની આજ્ઞા, સમુદેશ અર્થાત્ ભણેલાનું સ્થિરીકરણ, અનુજ્ઞા અર્થાત્ બીજાને ભણાવવાની આજ્ઞા, અનુયોગ અર્થાત વિસ્તારથી વ્યાખ્યાન. ૨. સૂ. ૧-૫. 3. સૂ. ૬ . અં. આ. -૧૯ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ અંગબાહ્ય આગમો કોઈનું ‘આવશ્યક’ નામ રાખી દેવું નામ-આવશ્યક છે. કોઈ વસ્તુની આવશ્યકના રૂપમાં સ્થાપના કરવાનું નામ સ્થાપના-આવશ્યક છે. તેના ચાલીસ ભેદ છે : ૧. કાષ્ઠકર્મજન્ય, ૨. ચિત્રકર્મજન્ય, ૩. વસકર્મજન્ય, ૪. લેપકર્મજન્ય, ૫. ગ્રન્થિકર્મજન્ય, ૬. વેષ્ટનકર્મજન્ય, ૭. પૂરિમકર્મજન્ય', ૮. સંઘાતિમુકર્મજન્યર, ૯. અક્ષકર્મજન્ય, ૧૦. વરાટકકર્મજન્ય’. આમાંથી પ્રત્યેકના એકરૂપ તથા અનેકરૂપ બે ભેદ થાય છે. તે પુનઃ સદ્ભાવસ્થાપના અને અસદ્ભાવસ્થાપનાના ભેદથી બે પ્રકારના છે. આ રીતે સ્થાપના આવશ્યકના કુલ ચાલીસ ભેદ છે. દ્રવ્ય આવશ્યકના બે ભેદ છે ઃ આગમતઃ અને નોઆગમતઃ. ‘આવશ્યક’ પદ શીખી લેવું તથા તેનું નિર્દોષ ઉચ્ચારણ વગેરે કરવું તે આગમતઃ દ્રવ્યાવશ્યક છે. તેનું વિશેષ સ્પષ્ટીકરણ કરવા માટે સૂત્રકારે સાતેય નયથી દ્રવ્ય-આવશ્યકનો વિચાર કર્યો છે. નોઆગમતઃ દ્રવ્યાવશ્યકનો ત્રણ દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે ઃ જ્ઞશરીર, ભવ્યશરીર અને તવ્યતિરિક્ત. ‘આવશ્યક’ પદના અર્થને જાણનાર પ્રાણીના પ્રાણરહિત શરીરને જ્ઞશરીરદ્રવ્યાવશ્યક કહે છે. જેમ મધ અથવા ઘીના ખાલી ઘડાને પણ મધુઘટ અથવા ધૃતઘટ કહે છે કેમ કે તેમાં પહેલા મધ અથવા ઘી હતું, તે જ રીતે આવશ્યક પદનો અર્થ જાણનાર ચેતન તત્ત્વ વર્તમાનમાં વિદ્યમાન નથી છતાં પણ તેનું શરીર આવશ્યકના ભૂતકાલીન સંબંધને કારણે દ્રવ્યાવશ્યક કહેવાય છે. જે જીવ આ સમયે ‘આવશ્યક’ પદનો અર્થ નથી જાણતો પરંતુ આગામી કાળમાં પોતાના આ જ શરીર દ્વારા તે શીખશે તેનું શરીર ભવ્યશરીર-દ્રવ્યાવશ્યક કહેવાય છે. જેમ નવા ઘડાને પણ આગામી કાળની અપેક્ષાએ કૃતઘટ અથવા મધુઘટ કહે છે તે જ રીતે ભવિષ્યમાં ‘આવશ્યક’ પદનો અર્થ જાણનાર શરીરને પણ દ્રવ્યાવશ્યક કહેવામાં આવે છે. તદ્યતિરિક્ત અર્થાત્ જ્ઞશરીર તથા ભવ્યશરીરથી વ્યતિરિક્ત દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ બતાવતાં સૂત્રકાર કહે છે કે એ ત્રણ પ્રકારનું છે : લૌકિક, કુપ્રાવચનિક અને લોકોત્તરીય. રાજા, યુવરાજ, શેઠ, સેનાપતિ, સાર્થવાહ વગેરેનું પ્રાતઃકાલીન અથવા સાયંકાલીન આવશ્યક કર્તવ્ય લૌકિક દ્રવ્યાવશ્યક છે. ચામડું વગેરે ધારણ કરનાર કુતીર્થિકોની ક્રિયાઓ કુપ્રાવચનિક દ્રવ્યાવશ્યક છે. શ્રમણના ગુણોથી રહિત, નિરંકુશ, જિન ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર સ્વચ્છંદવિહારી સ્વમતાનુયાયીની ઉભયકાલીન ક્રિયાઓ લોકોત્ત૨ દ્રવ્યાવશ્યક છે. અહીં સુધી દ્રવ્યાવશ્યકનો અધિકાર છે. ભાવઆવશ્યક પણ આગમતઃ અને નોઆગમતઃ ૧. ધાતુ વગેરેને પીગળાવીને સાંચામાં ઢાળવી. ૨. વસ્ત્રાદિના ટુકડા જોડવા. ૩. પાસા. ૪. કોડી. ૫. સૂ. ૭-૧૧. Page #299 -------------------------------------------------------------------------- ________________ અનુયોગદ્વાર ૨૬ ૩ ભેદથી બે પ્રકારનું છે. આવશ્યકના સ્વરૂપને ઉપયોગપૂર્વક જાણવું તે આગમત: ભાવાવશ્યક છે. નોઆગમત: ભાવાવશ્યક ત્રણ પ્રકારનું છે : લૌકિક, કુમારચનિક અને લોકોત્તરિક. પ્રાત:કાળે મહાભારત અને સાયંકાળે રામાયણનું ઉપયોગસહિત પઠન-પાઠન લૌકિક ભાવાવશ્યક છે. ચામડું વગેરે ધારણ કરનારનાં પોતાના ઈષ્ટ દેવને બે હાથ જોડીને સાદર નમસ્કાર વગેરે કરવા તે કુપ્રાવચનિક ભાવાવશ્યક છે. શુદ્ધ ઉપયોગપૂર્વક જિનપ્રણીત વચનોમાં શ્રદ્ધા રાખનાર શ્રમણગુણસંપન્ન અથવા શ્રાવકગુણયુક્ત સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા દ્વારા પ્રાતઃકાળે તથા સાયંકાળે ઉપયોગપૂર્વક આવશ્યક (પ્રતિક્રમણ) કરવાનું નામ લોકોત્તર ભાવાવશ્યક છે.' આવશ્યકનો નિક્ષેપ કર્યા પછી સૂત્રકાર શ્રત, સ્કન્ધ અને અધ્યયનનું નિક્ષેપપૂર્વક વિવેચન કરે છે. આવશ્યકની જેમ શ્રુત પણ ચાર પ્રકારનું છે : નામથુત, સ્થાપનાશ્રુત, દ્રવ્યશ્રુત અને ભાવઠુત.શ્રુતના એકાWક નામો આ છે : શ્રુત, સૂત્ર, ગ્રંથ, સિદ્ધાંત, શાસન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપન – પ્રવચન તથા આગમઃ सुयं सुत्तं गंथं सिद्धतं सासणं आण त्ति वयण उवएसो । पण्णवणे आगमे वि य एगट्ठा पज्जवा सुत्ते ॥ - સૂ. ૪૨, ગા. ૧. સ્કન્ધ પણ ચાર પ્રકારનાં છે : નામસ્કલ્પ, સ્થાપનાસ્કલ્પ, દ્રત્યસ્કન્ધ અને ભાવસ્કન્ધ. સ્કલ્પના એકાWક નામો આ છે : ગણ, કાય, નિકાય, સ્કન્ધ, વર્ગ, રાશિ, કુંજ, પિંડ, નિકર, સંઘાત, આકુલ, સમૂહ, એતદ્વિષયક સૂત્ર-ગાથા આ પ્રમાણે છે : गण काए निकाए चिए खंधे वग्गे तहेव रासी य । पुंजे य पिंडे निगरे संघाए आउल समूहे ।। - સૂ. ૧૨, ગા. ૧ (સ્કન્ધાધિકાર) આવશ્યકમાં નિમ્નોક્ત અર્વાધિકાર છે : ૧. સાવદ્યયોગવિરતિરૂપ પ્રથમ અધ્યયન, ૨. ગુણકીર્તનરૂપ દ્વિતીય અધ્યયન, ૩. ગુણયુક્તને બદનરૂપ તૃતીય અધ્યયન, ૪. અતિચારોની નિવૃત્તિરૂપ ચતુર્થ અધ્યયન, ૫. દોષરૂપ વ્રણની ચિકિત્સારૂપ પંચમ અધ્યયન, ૬. ઉત્તરગુણધારણરૂપ ષષ્ઠ અધ્યયન. આ અધ્યયનોનાં નામો આ પ્રમાણે છે : ૧. સામાયિક, ૨. ચતુર્વિશતિસ્તવ, ૩. વંદના, ૪. પ્રતિક્રમણ, ૫. કાયોત્સર્ગ, ૬. પ્રત્યાખ્યાન. સામાયિકરૂપ પ્રથમ અધ્યયનના ચાર અનુયોગદ્વાર છે : ૧. ઉપક્રમ, ૨. નિક્ષેપ, ૩. અનુગમ અને ૪. નય. ૧. સૂ. ૧૩-૨૫. ૨. સૂ. ૨૭ ૩. સૂ. ૧ (સ્કન્ધાધિકાર) Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ઉપક્રમદ્વાર : ઉપક્રમ છ પ્રકારનો છે ૧. નામોપક્રમ, ૨. સ્થાપનોપક્રમ, ૩.દ્રવ્યોપક્રમ, ૪. ક્ષેત્રોપક્રમ, ૫. કાલોપક્રમ અને ૬. ભાવોપક્રમ : વક્રમે વિંદે પળત્તે, तं जहा णामोवकक्कमे, ठवणोवक्कमे, दव्वोवक्कमे, खेत्तोवक्कमे, कालोवक्कमे માવોવક્રમે ।૧ અથવા ઉપક્રમના નિમ્નોક્ત છ ભેદ છે ઃ ૧. આનુપૂર્વી, ૨. નામ, ૩. પ્રમાણ, ૪. વક્તવ્યતા, ૫. અર્થાધિકાર, ૬. સમવતાર : અહવા उक्कमे छव्वि વળત્તે, तं जहा આનુપૂ∞ી, નામ, પમાળ, વત્તળયા, अत्थाहिगारे समोयारे । - અંગબાહ્ય આગમો આનુપૂર્વી : આનુપૂર્વીના દસ ભેદ છે ઃ ૧. નામાનુપૂર્વી, ૨. સ્થાપનાનુપૂર્વી, ૩. દ્રવ્યાનુપૂર્વી, ૪. ક્ષેત્રાનુપૂર્વી, ૫. કાલાનુપૂર્વી, ૬. ઉત્કીર્તનાનુપૂર્વી, ૭. ગણનાનુપૂર્વી, ૮. સંસ્થાનાનુપૂર્વી, ૯. સામાચાર્યનુપૂર્વી, ૧૦. ભાવાનુપૂર્વી. આ દસ પ્રકારની આનુપૂર્વીઓનું સૂત્રકારે અતિવિસ્તારપૂર્વક વિવેચન કર્યું છે. આ વિવેચનમાં અનેક જૈન માન્યતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉદાહરણ રૂપે કાલાનુપૂર્વીનું સ્વરૂપ બતાવતાં સૂત્રકારે પૂર્વાનુપૂર્વીના રૂપમાં કાળનું આ પ્રમાણે વિભાજન કર્યું છે : સમય, આવલિકા,શ્વાસોચ્છ્વાસ, સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્રિ, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, વર્ષશત, વર્ષસહસ્ર, વર્ષશતસહસ્ર, પૂર્વાંગ, પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત, અડડાંગ, અડડ, અવવાંગ, અવવ, હુષ્ટુતાંગ, હુહુત, ઉત્પલાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અસ્તિનિપુરાંગ, અસ્તિનિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચુલિતાંગ, ચલિત, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, પુદ્ગલપરાવર્ત, અતીતકાલ, અનાગતકાલ, સર્વકાલ. આ રીતે લોક વગેરેના સ્વરૂપનો પણ સંક્ષેપમાં વિચાર કરવામાં આવ્યો છે. ૧. સૂ. ૨ (અધ્યયનાધિકાર) ૨. સૂ. ૧૪ ૩. સૂક્ષ્મતમ કાળનું નામ સમય છે. અસંખ્યાત સમયની એક આવલિકા હોય છે. આ રીતે શ્વાસોચ્છ્વાસ, સ્ટોક, લવ વગેરેનો કાળ ક્રમશઃ વધતો જાય છે. અનંત અતીત કાળ અને અનંત અનાગત કાળને મેળવવાથી સંપૂર્ણકાળ – સર્વકાળ બને છે. મૂળ ભેદો માટે જુઓ કાલાનુપૂર્વીનો અધિકાર, સૂ. ૮૭. Page #301 -------------------------------------------------------------------------- ________________ અનુયોગદ્વાર નામ : આનુપૂર્વીનું વર્ણન કર્યા પછી નામનું વિવેચન કરતાં સૂત્રકાર કહે છે કે નામ દસ પ્રકારનાં હોય છે : એકનામ, દ્વિનામ, ત્રિનામ યાવત્ દશનામ. સંસારના બધા દ્રવ્યોનાં એકાર્થવાચી અનેક નામો હોય છે પરંતુ તે બધાનો એક નામમાં જ સમાવેશ થાય છે. તેનું જ નામ એકનામ છે. દ્વિનામનું બે પ્રકારે પ્રતિપાદન કરવામાં આવે છે : એકારિક નામ અને અનેકાક્ષરિક નામ. જેના ઉચ્ચારણમાં એક જ અક્ષર હોય તે એકાક્ષરિક નામ છે જેમ કે ઘી, સ્ત્રી, શ્રી વગેરે. જેનાં ઉચ્ચારણમાં અનેક અક્ષરો હોય તેને અનેકાક્ષરિક નામ કહેવાય છે જેમ કે કન્યા, વીણા, લતા, માલા વગેરે. અથવા દ્વનામના નિમ્નલિખિત બે ભેદ છે : જીવનામ અને અજીવનામ અથવા અવિશેષિક અને વિશેષિક. આનું પ્રસ્તુત સૂત્રમાં વિવેચન છે. ત્રિનામ ત્રણ પ્રકારનાં છે : દ્રવ્યનામ, ગુણનામ અને પર્યાયનામ. દ્રવ્યનામના છ ભેદ છે : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, આકાશ અને અદ્ધાસમય. ગુણનામના પાંચ ભેદ છે : વર્ણનામ, ગંધનામ, રસનામ, સ્પર્શનામ અને સંસ્થાનનામ. આનાં અનેક ભેદ-પ્રભેદ છે. પર્યાયનામ અનેક પ્રકારના છે : એકગુણકૃષ્ણ, દ્વિગુણકૃષ્ણ, ત્રિગુણકૃષ્ણ યાવત્ દશગુણકૃષ્ણ, સંધ્યેયગુણકૃષ્ણ, અસંખ્યયગુણકૃષ્ણ, અનન્તગુણકૃષ્ણ વગેરે. ચતુર્નામ ચાર પ્રકારનાં છે : આગમતઃ, લોપતઃ, પ્રકૃતિતઃ અને વિકારતઃ. વિભક્ત્યન્ત પદમાં વર્ણનો આગમ થાય છે જેમ કે પદ્મ નું પદ્મનિ વગેરે. તે આગમતઃ પદ બનવાનું ઉદાહરણ થયું. વર્ષોના લોપથી જે પદ બને છે તેને લોપતઃ પદ કહે છે જેમ કે તે અને અત્રનું તેત્ર, પયે અને અત્રનું પોત્ર વગેરે. સંધિ થવાનું જણાતું હોય ત્યારે પણ સંધિનું ન હોવું પ્રકૃતિભાવ કહેવાય છે જેમ કે શાલે તે, માત્તે મે વગેરે. વિકારતઃ પદ બનવાના ઉદાહરણ આ છે : ફંડાઘ્ર (વઙ + અગ્ર), નવીદ (નવી + IT), ધીવું (ધી + રૂર), મધૂ (મધુ + ૩) વગેરે. પંચનામ પાંચ પ્રકારના છે : નામિક, નૈપાતિક, આખ્યાતિક, ઉપસર્ગિક અને મિશ્ર. આનું સ્વરૂપ વ્યાકરણશાસ્ત્ર અનુસાર સમજવું જોઈએ.નામ છ પ્રકારનાં છે : ઔદિયક, ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપમિક, પારિણામિક અને સન્નિપાતિક. આ છ પ્રકારના ભાવોનું સૂત્રકારે કર્મસિદ્ધાંત અને ગુણસ્થાનની દૃષ્ટિએ વિસ્તારપૂર્વક વિવેચન કર્યું છે. તેની પછી સપ્તનામ (ના રૂપમાં સપ્તસ્વર), અષ્ટનામ (ના રૂપમાં અષ્ટવિભક્તિ), નવનામ (ના રૂપમાં નવરસ) અને દશનામનું સ્વરૂપ બતાવ્યું છે. અહીં સુધી ઉપક્રમના દ્વિતીય ભેદ નામનો અધિકાર છે. ૧ ૧. સૂ. ૯૫-૧૪૮ (નામાધિકાર). ૨૬૫ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ અંગબાહ્ય આગમો પ્રમાણ-માન : ઉપક્રમના તૃતીય ભેદ પ્રમાણનું વિવેચન કરતાં સૂત્રકાર કહે છે કે પ્રમાણ ચાર પ્રકારનું હોય છે : દ્રવ્યપ્રમાણ, ક્ષેત્રપ્રમાણ, કાલપ્રમાણ અને ભાવપ્રમાણ. દ્રવ્યપ્રમાણ : દ્રવ્યપ્રમાણ બે પ્રકારનું છે : પ્રદેશનિષ્પન્ન અને વિભાગનિષ્પન્ન. પરમાણુ, દ્વિપ્રદેશિકસ્કન્ધ, ત્રિપ્રદેશિકસ્કન્ધ યાવત દશપ્રદેશિકસ્કન્ધ વગેરે પ્રદેશનિષ્પન્ન દ્રવ્યપ્રમાણાન્તર્ગત છે. વિભાગનિષ્પન્ન દ્રવ્યપ્રમાણના પાંચ ભેદ છે : માન, ઉન્માન, અવમાન, ગણિતમાન અને પ્રતિમાન. આમાંથી માન બે પ્રકારનું છે : ધાન્યમાનપ્રમાણ અને રસમાનપ્રમાણ. ધાન્યમાન પ્રમાણના પ્રસૃતિ, સેતિકા, કુડવ, પ્રસ્થ, આઢક, દ્રોણી, જઘન્યકુંભ, મધ્યમકુંભ, ઉત્કૃષ્ટકુંભ, વાહ વગેરે ભેદ છે. આ જ રીતે રસમાનપ્રમાણના પણ અનેક ભેદો થાય છે. ઉન્માનના અર્ધકર્ષ, કર્ણ, અર્ધપલ, પલ, અર્ધતુલા, તુલા, અર્ધભાર, ભાર વગેરે ભેદો છે. આના વડે અગર, કુંકુમ, ખાંડ, ગોળ, સાકર વગેરે વસ્તુઓનું પ્રમાણ કાઢવામાં આવે છે. જેનાથી ભૂમિ વગેરેનું માપ કરવામાં આવે છે તેને અવમાન કહે છે. તેના હસ્ત, દંડ, ધનુષ વગેરે અનેક પ્રકારો છે. ગણિતમાનમાં સંખ્યાથી પ્રમાણ કાઢવામાં આવે છે જેમ કે એક, બે, દસ, સો, હજાર, દસ હજાર વગેરે. આ પ્રમાણથી દ્રવ્યના આયવ્યયનો હિસાબ કાઢી શકાય છે. પ્રતિમાનથી સુવર્ણ વગેરેનું પ્રમાણ કાઢવામાં આવે છે. તેના ગુંજા, કાંગની, નિષ્પાવ, કર્મમાષક, મંડલક અને સુવર્ણ (સોનામહોર) વગેરે ભેદો છે : તે નહી – ગુંગા, ઋiાળી, નિષ્ઠાવો, માસો, મંત્રો, સુવા | અહીં સુધી દ્રવ્યપ્રમાણની ચર્ચા છે. ક્ષેત્રપ્રમાણ : ક્ષેત્રપ્રમાણ પણ બે પ્રકારનું છે : પ્રદેશનિષ્પન્ન અને વિભાગનિષ્પન્ન. એકપ્રદેશાવગાહી, હિંપ્રદેશાવગાહી વગેરે પુદ્ગલોથી વ્યાપ્ત ક્ષેત્રને પ્રદેશનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ કહે છે. વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણના અંગુલ, વિતસ્તી, હસ્ત, કુક્ષ, દંડ, ક્રોશ, યોજન વગેરે વિવિધ પ્રકારો છે. અંગુલ ત્રણ પ્રકારના હોય છે : આત્માંગુલ, ઉત્સધાંગુલ અને પ્રમાણાંગુલ. જે કાળમાં જે મનુષ્યો ઉત્પન્ન થાય છે તેમનું પોતાના અંગુલ (આત્માંગુલ)થી ૧૨ અંગુલપ્રમાણ મુખ હોય છે, ૧૦૮ અંગુલપ્રમાણ આખું શરીર હોય છે. આ પુરુષો ઉત્તમ, મધ્યમ અને જઘન્ય ભેદથી ત્રણ પ્રકારના છે. જે પૂર્ણ લક્ષણોથી યુક્ત છે તથા ૧૦૮ અંગુલપ્રમાણ શરીરવાળા ૧. સુ. ૧-૮ (પ્રમાણાધિકાર). Page #303 -------------------------------------------------------------------------- ________________ અનુયોગદ્વાર ૨૬૭ છે તે ઉત્તમ પુરુષ છે. જેમનું શરીર ૧૦૪ અંગુલપ્રમાણ હોય છે તે મધ્યમ પુરુષ છે. જે ૯૬ અંગુલપ્રમાણ શરી૨વાળા હોય છે તે જધન્ય પુરુષ કહેવાય છે. આ જ અંગુલોના પ્રમાણથી છ અંગુલનો એક પાદ, બે પાદની એક વિતસ્તી, બે વિતસ્તીની એક રત્નિ હાથા, બે હાથની એક કુક્ષિ, બે કુક્ષિનું એક ધનુષ, બે હજાર ધનુષનો એક ક્રોશ – કોશ અને ચાર કોશનો એક યોજન થાય છે. આ પ્રમાણ વડે આરામ, ઉદ્યાન, કાનન, વન, વનખંડ, કૂપ, નદી, વાપિકા, સ્તૂપ, ખાઈ, પ્રાકાર, અટ્ટાલક, દ્વાર, ગોપુર, પ્રાસાદ, શકટ, રથ, યાન વગેરે માપવામાં આવે છે. આ આત્માંગુલનું સ્વરૂપ થયું. ઉત્સેધાંગુલનું અનેક પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે જેમ કે પરમાણુ, ત્રસરેણુ, રથરેણુ વગેરે. પ્રકાશમાં જે ધૂલિકણ જોવામાં આવે છે તેને ત્રસરેણુ કહે છે. રથ ચાલવાથી જે રજ ઉડે છે તેને રથરેણુ કહે છે. પરમાણુનું બે દૃષ્ટિએ પ્રતિપાદન કરવામાં આવ્યું છે : સૂક્ષ્મ પરમાણુ અને વ્યાવહારિક પરમાણુ. અનંત સૂક્ષ્મ પરમાણુઓ મળવાથી એક વ્યાવહારિક પરમાણુ બને છે. વ્યાવહારિક પરમાણુઓની ક્રમશઃ વૃદ્ધિ થતાં થતાં મનુષ્યોનો બાલાગ્ર, લિક્ષા (લીખ), જૂ, યવ અને અંગુલ બને છે. તે ઉત્તરોત્તર આઠગણા વધુ હોય છે. આ જ અંગુલના પ્રમાણથી ૬ અંગુલનો અર્ધપાદ, ૧૨ અંગુલનો એક પાદ, ૨૪ અંગુલનો એક હસ્ત, ૪૮ અંગુલની એક કુક્ષિ અને ૯૬ અંગુલનું એક ધનુષ થાય છે. આ જ ધનુષના પ્રમાણથી ૨૦૦૦ ધનુષનો એક કોશ અને ૪ કોશનો એક યોજન થાય છે. ઉત્સેધાંગુલનું પ્રયોજન ચાર ગતિઓ – નરક, દેવ, તિર્યક્ અને મનુષ્ય ગતિના પ્રાણીઓની અવગાહના (શરી૨પ્રમાણ) માપવાનું છે. અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ બે પ્રકારની હોય છે. ઉદાહરણ માટે નરકગતિના પ્રાણીઓની ભવધારણીયા અર્થાત્ આયુપર્યન્ત રહેનારી જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે તથા ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ ધનુષપ્રમાણ હોય છે. તેમની જ ઉત્તરવૈક્રિયા અર્થાત્ કારણવશ બનાવવામાં આવતી અવગાહના જધન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ ૧૦૦૦ ધનુષ જેટલી હોય છે. આ જ રીતે ઉત્સેધાંગુલનું પ્રમાણ એક સ્થાયી, નિશ્ચિત તથા સ્થિર માપ છે. ઉત્સેધાંગુલથી ૧૦૦૦ ગણુ મોટું પ્રમાણાંગુલ હોય છે. ઉત્સેધાંગુલની જેમ આનું પ્રમાણ પણ નિશ્ચિત છે. અવસર્પિણીકાળના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ તથા તેમના પુત્ર ચક્રવર્તી ભરતના અંગુલને પણ પ્રમાણાંગુલ કહે છે. અંતિમ તીર્થંકર ભગવાન વર્ધમાનના એક અંગુલના પ્રમાણમાં બે ઉત્સેધાંગુલ હોય છે અર્થાત્ તેમના પ૦૦ અંગુલ બરાબર ૧૦૦૦ ઉત્સેધાંગુલ અર્થાત્ એક પ્રમાણાંગુલ ૧. સૂ. ૧૩. ૨. સૂ. ૧૪-૧૫. - Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ અંગબાહ્ય આગમો હોય છે. આ અંગુલથી અનાદિ પદાર્થોનું માપ કરવામાં આવે છે. આનાથી મોટું કોઈ અંગુલ નથી હોતું.' કાલપ્રમાણ : કાલપ્રમાણ પણ બે પ્રકારનું છે : પ્રદેશનિષ્પન્ન અને વિભાગનિષ્પન્ન: એક સમયની સ્થિતિવાળા પરમાણુ કે સ્કન્ધ, બે સમયની સ્થિતિવાળા પરમાણુ કે સ્કન્ધ વગેરેનો કાળ પ્રદેશનિષ્પન્ન કાલ પ્રમાણ કહેવામાં આવે છે. સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, અહોરાત્રિ, પક્ષ, માસ, સંવત્સર, યુગ, પલ્ય, સાગર, અવસર્પિણી, ઉત્સર્પિણી, પરાવર્તન વગેરેને વિભાગનિષ્પન્ન કાલપ્રમાણ કહેવાય છે. સમય અતિ સૂક્ષ્મ કાલપ્રમાણ છે. તેનું સ્વરૂપ સમજાવતાં સૂત્રકારે દરજીના બાળક ( તુ વાર) અને વસ્ત્રના ટુકડાનું ઉદાહરણ આપ્યું છે. અસંખ્યાત સમયના સંયોગથી એક આવલિકા બને છે. સંખ્યાત આવલિકાઓનો એક ઉચ્છવાસ અને નિઃશ્વાસ બને છે. પ્રસન્ન મન, નીરોગી શરીર, જરા અને વ્યાધિથી રહિત પુરુષના એક શ્વાસોચ્છવાસને પ્રાણ કહે છે. સાત પ્રાણોનો એક સ્તોક, સાત સ્તોકોનો એક લવ, ૭૭ લવો અર્થાત ૩૭૭૩ શ્વાસોચ્છવાસોનું એક મુહૂર્ત, ત્રીસ મુહૂર્તોની એક અહોરાત્રિ-દિવસરાત, પંદર અહોરાત્રિઓનો એક પક્ષ, બે પક્ષોનો એક માસ, બે માસની એક ઋતુ, ત્રણ ઋતુઓનું એક અયન, બે અયનોનું એક સંવત્સર, પાંચ સંવત્સરોનો એક યુગ, વીસ યુગોનું એક વર્ષશત, દસ વર્ષશતનું એક વર્ષસહસ્ર, સો વર્ષસહસ્રોનું એક વર્ષશતસહસ્ર (એક લાખ વર્ષ), ચોર્યાસી વર્ષશતસહસ્રોનું એક પૂર્વાગ, ચોર્યાસી પૂર્વાગશતસહસ્રોનું એક પૂર્વ બને છે. આ જ રીતે ક્રમશઃ પ્રત્યેકને ચોર્યાસી લાખ (ચોર્યાસી શતસહસ્ર) વડે ગુણવાથી ત્રુટિતાંગ, ત્રુટિત, અડડાંગ, અડડ, અવવાંગ, અવવ, હુહુતાંગ, દુહુત, ઉત્પલાંગ, ઉત્પલ, પમાંગ, પા, નલિતાંગ, નલિન, અક્ષનિપુરાંગ, અક્ષનિપુર, અયુતાંગ, અયુત, પ્રયુતાંગ, પ્રયુત, નયુતાંગ, નયુત, ચુલિતાંગ, યુલિત, શીર્ષપ્રહેલિકાંગ અને શીર્ષપ્રહેલિકા બને છે. અહીં સુધી ગણિતનો વિષય છે. તેની પછી ઉપમાની વિવેચના છે. ઉપમા બે પ્રકારની છે : પલ્યોપમ અને સાગરોપમ. પલ્યોપમના ત્રણ ભેદ છે : ઉદ્ધારપલ્યોપમ, અદ્ધાપલ્યોપમ અને ક્ષેત્રપલ્યોપમ. આમાંથી પ્રત્યેકના બે ભેદ છે : સૂક્ષ્મ અને વ્યાવહારિક, આ ભેદ-પ્રભેદોનું સૂત્રકારે સદષ્ટાંત વિસ્તારપૂર્વક વ્યાખ્યાન કર્યું છે. નારકીઓ, દેવો, સ્થાવરો, વિકસેન્દ્રિયો, તિર્યંચ પંચેન્દ્રિયો, ખેચરો, મનુષ્યો, વ્યંતરો, જ્યોતિષ્કો તથા વૈમાનિકોની જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિ - આયુષ્ય પર પણ પ્રકાશ પાડ્યો છે. આ જ રીતે સાગરોપમનું પણ ૧. સ. ૨ ૩. ૨. સૂ. ૨૪-૬ . Page #305 -------------------------------------------------------------------------- ________________ અનુયોગદ્વાર ઉદાહરણસહિત વર્ણન કર્યું છે. આ વર્ણન વિશેષ રોચક છે. ભાવપ્રમાણ : ભાવપ્રમાણ ત્રણ પ્રકારનું છે : ગુણપ્રમાણ, નયપ્રમાણ અને સંખ્યાપ્રમાણ, ગુણપ્રમાણના બે ભેદ છે : જીવગુણપ્રમાણ અને અજીવગુણપ્રમાણ. અજીવગુણપ્રમાણ પાંચ પ્રકારનું છે : વર્ણગુણપ્રમાણ, ગંધગુણપ્રમાણ, રસગુણપ્રમાણ, સ્પર્શગુણપ્રમાણ અને સંસ્થાનગુણપ્રમાણ. આના ફરી ક્રમશઃ પાંચ, બે, પાંચ, આઠ અને પાંચ ભેદ છે. જીવગુણપ્રમાણ ત્રણ પ્રકારનું છે : જ્ઞાનગુણપ્રમાણ, દર્શનગુણપ્રમાણ અને ચારિત્રગુણપ્રમાણ. આમાંથી જ્ઞાનગુણપ્રમાણના ચાર ભેદ છે : પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ. પ્રત્યક્ષ : પ્રત્યક્ષ બે પ્રકારનું છે ઃ ઇન્દ્રિયપ્રત્યક્ષ અને નોઇન્દ્રિયપ્રત્યક્ષ. ઇન્દ્રિયપ્રત્યક્ષ પાંચ પ્રકારનું છે: શ્રોત્રેન્દ્રિયપ્રત્યક્ષ, ચક્ષુરિન્દ્રિયપ્રત્યક્ષ, ઘ્રાણેન્દ્રિયપ્રત્યક્ષ, જિહેન્દ્રિયપ્રત્યક્ષ અને સ્પર્શેન્દ્રિયપ્રત્યક્ષ. નોઇન્દ્રિયપ્રત્યક્ષના ત્રણ ભેદ છે : અવધિજ્ઞાનપ્રત્યક્ષ, મન:પર્યયજ્ઞાનપ્રત્યક્ષ અને કેવલજ્ઞાનપ્રત્યક્ષ.પ અનુમાન : અનુમાન ત્રણ પ્રકારનું છે : પૂર્વવત્, શેષવત્ અને દૃષ્ટસાધર્યવત્. પૂર્વવત્ અનુમાનનું સ્વરૂપ સમજાવવા માટે સૂત્રકારે નિમ્ન ઉદાહરણ આપ્યું છે : જેમ કે માતાનો કોઈ પુત્ર બાલ્યાવસ્થામાં અન્યત્ર ચાલ્યો ગયો અને યુવાન થઈને પોતાના નગરમાં પાછો આવ્યો. તેને જોઈને તેની માતા પૂર્વદષ્ટ અર્થાત્ પહેલાં જોયેલાં લક્ષણોથી અનુમાન કરે છે કે તે પુત્ર મારો જ છે.° આને જ પૂર્વવત્ અનુમાન કહે છે. ૧. સૂ. ૨૭-૪૪. ૨. ભાવપ્રમાણનો અર્થ છે વસ્તુનું યથાવસ્થિત જ્ઞાન. ૨૬૯ ૩. સૂ. ૬૪-૬૫. ૪. સૂ. ૬૬. ૫. આ જ્ઞાનોના સ્વરૂપ-વર્ણન માટે નંદીસૂત્ર જોવું જોઈએ. ૬. સૂ. ૬૭-૭૨. ७. माया पुत्तं जहा नट्टं, जुवाणं पुणरागयं । काई पच्चभिजाणेज्जा, पुव्वलिंगंण केणई || E Page #306 -------------------------------------------------------------------------- ________________ અંગબાહ્ય આગમો શેષવત્ અનુમાન પાંચ પ્રકારનું છે : કાર્યતઃ, કારણતઃ, ગુણતઃ, અવયવતઃ અને આશ્રયતઃ. કાર્યથી કારણનું જ્ઞાન થવું કાર્યતઃ અનુમાન છે. શંખ, ભેરી વગેરેના શબ્દો વડે તેમના કારણભૂત પદાર્થોનું જ્ઞાન થવું તે આ તે પ્રકારનું અનુમાન છે. કારણ વડે કાર્યનું જ્ઞાન કારણતઃ અનુમાન કહેવાય છે. તંતુઓ વડે પટ બને છે, માટીના પિંડથી ઘટ બને છે વગેરે ઉદાહરણો આ જ પ્રકારના અનુમાનોનાં છે. ગુણના જ્ઞાનથી ગુણીનું જ્ઞાન કરવું તે ગુણતઃ અનુમાન છે. કસોટીથી સુવર્ણની પરીક્ષા, ગંધથી પુષ્પોની પરીક્ષા વગેરે આ જ પ્રકારના અનુમાનનાં ઉદાહરણો છે. અવયવોથી અવયવીનું જ્ઞાન થવું તે અવયવતઃ અનુમાન છે. શ્રૃંગોથી મહિષનું, શિખાથી કુક્કુટનું, દાંતથી હાથીનું, દાઢથી વરાહ ભૂંડનું જ્ઞાન આ કોટિનું અનુમાનજન્ય જ્ઞાન છે. સાધનથી સાધ્યનું અર્થાત્ આશ્રયથી આશ્રયીનું જ્ઞાન આશ્રયતઃ અનુમાન છે. ધૂમ્રથી અગ્નિનું, વાદળોથી જળનું, અભ્રવિકારથી વૃષ્ટિનું, સદાચરણથી કુલીન પુત્રનું જ્ઞાન આ જ પ્રકારનું અનુમાન છે. ૨૦૦ દષ્ટસાધર્મ્સવત્ અનુમાનના બે ભેદ છે : સામાન્યદ્રષ્ટ અને વિશેષર્દષ્ટ. કોઈ એક પુરુષને જોઈને તદ્દેશીય અથવા તાતીય અન્ય પુરુષોની આકૃતિ વગેરેનું અનુમાન કરવું તે સામાન્યદેષ્ટ અનુમાનનું ઉદાહરણ છે. આ જ રીતે અનેક પુરુષોની આકૃતિ વગેરેથી એક પુરુષની આકૃતિ વગેરેનું પણ અનુમાન કરી શકાય છે. કોઈ વ્યક્તિને કોઈ સ્થાન પર એક વાર જોઈને ફરીથી તેને અન્યત્ર જોવામાં આવતાં તેને સારી રીતે ઓળખી લેવી તે વિશેષદષ્ટ અનુમાનનું ઉદાહરણ છે. - ઉપમાન : ઉપમાનના બે ભેદ છે : સાધર્મોપનીત અને વૈધર્મોપનીત.૧ સાધર્મોપનીત ત્રણ પ્રકારનું છે ઃ કિંચિત્તાધર્મોપનીત, પ્રાયઃસાધર્મોપનીત અને સર્વસાધર્મોપનીત. કિંચિત્તાધર્મોપનીત તેને કહેવાય છે જેમાં કંઈક સાધર્મ્સ હોય. ઉદાહરણ તરીકે જેવો મેરુ પર્વત છે તેવું જ સર્જપનું બીજ છે (કેમ કે બંને મૂર્ત છે). આ જ રીતે જેવો આદિત્ય છે તેવો જ ખદ્યોત છે (કેમ કે બંને પ્રકાશયુક્ત છે), જેવો ચન્દ્ર છે તેવું જ કુમુદ છે (કેમ કે બંને શીતળતા આપે છે). પ્રાયઃસાધર્મોપનીત તેને કહેવાય છે જેમાં નજીકની સમાનતા હોય. ઉદાહરણાર્થ જેવી ગાય છે તેવી જ નીલગાય છે. ૧. સૂ. ૭૪૮૨. Page #307 -------------------------------------------------------------------------- ________________ અનુયોગદ્વાર ૨૭૧ સર્વસાધર્મોપનીત તેને કહે છે જેમાં બધા પ્રકારની સમાનતા હોય. આ જ પ્રકારની ઉપમા દેશ-કાળ વગેરેની ભિન્નતાને કારણે મળી શકતી નથી. આથી તેની તેના વડે જ ઉપમા આપવી સર્વસાધર્મોપનીત ઉપમાન છે. તેમાં ઉપમેય અને ઉપમાન અભિન્ન હોય છે. ઉદાહરણ તરીકે અહિત જ અહિતની સમાન કાર્ય કરે છે, ચક્રવર્તી જ ચક્રવર્તી સમાન કાર્ય કરે છે વગેરે. વૈધર્મોપનીત પણ આ જ રીતે ત્રણ પ્રકારના છે : કિંચિધર્મોપનીત, પ્રાય વૈધર્મોપખીત અને સર્વધર્મોપનીત. આગમ : આગમ બે પ્રકારના છે : લૌકિક અને લોકોત્તરિક. મિથ્યાદષ્ટિઓ માટે બનાવેલા ગ્રંથો લૌકિક આગમ છે, જેમ કે રામાયણ, મહાભારત વગેરે. લોકોત્તરિક આગમ તે છે જે પૂર્ણ જ્ઞાન અને દર્શન ધારણ કરનાર, ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના પદાર્થોના જ્ઞાતા, ત્રણે લોકના પ્રાણીઓ દ્વારા પૂજિત, સર્વજ્ઞ, સર્વદર્શી અહેતુ પ્રભુએ બતાવ્યાં છે, તે દ્વાદશાંગ ગણિપિટક. અથવા આગમ ત્રણ પ્રકારનાં છે : સૂત્રાગમ, અર્થાગમ અને તદુભયાગમ અથવા આત્માગમ, અનન્તરાગમ અને પરમ્પરાગમ. તીર્થંકર પ્રરૂપિત અર્થ તેમને માટે આત્માગમ છે. ગણધરપ્રણીત સૂત્ર ગણધર માટે આત્માગમ તથા અર્થ અનન્તરાગમ છે. ગણધરોના શિષ્યો માટે સૂત્રો અનન્તરાગમ અને અર્થ પરંપરાગમ છે. ત્યાર બાદ સૂત્ર અને અર્થ બંને ય પરમ્પરાગમ બની જાય છે. અહીં સુધી જ્ઞાનગુણપ્રમાણનો અધિકાર છે. . દર્શનગુણપ્રમાણ ચાર પ્રકારનું છે: ચક્ષુર્દર્શનગુણપ્રમાણ, અચક્ષુર્દર્શનગુણપ્રમાણ, અવધિદર્શનગુણપ્રમાણ અને કેવલદર્શનગુણપ્રમાણ. ચારિત્રગુણપ્રમાણનું વ્યાખ્યાન કરતા સૂત્રકાર કહે છે કે ચારિત્ર પાંચ પ્રકારનું હોય છે : સામાયિક-ચારિત્ર, છેદોપસ્થાપનીય-ચારિત્ર, પરિહારવિશિદ્ધ-ચારિત્ર, સૂક્ષ્મસંપરાયચારિત્ર અને યથાપ્યાત-ચારિત્ર. સામાયિક-ચારિત્રના બે ભેદ છે : ઇત્વરિક (અલ્પકાલીન) અને યાવસ્કથિત (જીવનપર્યન્ત). છેદોપસ્થાપનીય-ચારિત્રના પણ બે ભેદ છે : સાતિચાર અને નિરતિચાર (સદોષ અને નિર્દોષ). આ જ રીતે બાકીના ત્રણ પ્રકારના ચારિત્ર પણ ક્રમશઃ બે બે પ્રકારના છે. નિર્વિશ્યમાન અને નિર્વિષ્ટકાયિક, પ્રતિપાતી અને અપ્રતિપાતી, છાહ્મર્થિક અને કેવલિક. પ્રસ્તુત સૂત્રમાં આ ભેદ-પ્રભેદોના સ્વરૂપ પર પ્રકાશ નથી પાડવામાં આવ્યો. અહીં સુધી ગુણપ્રમાણનો અધિકાર છે. ૧. સૂ. ૮૩-૮૬. ૨. સૂ. ૮૭. ૩. સૂ. ૮૮ Page #308 -------------------------------------------------------------------------- ________________ અંગબાહ્ય આગમો ભાવપ્રમાણના દ્વિતીય ભેદ નયપ્રમાણનું વિવેચન કરતાં સૂત્રકારે પ્રસ્થક, વસતિ તથા પ્રદેશના દૃષ્ટાંતથી નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત – આ સાત નયોનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. ભાવપ્રમાણના તૃતીય ભેદ સંખ્યાપ્રમાણનું પ્રતિપાદન કરતાં સૂત્રકાર કહે છે કે સંખ્યા આઠ પ્રકારની હોય છે ઃ નામસંખ્યા, સ્થાપનાસંખ્યા, દ્રવ્યસંખ્યા, ઉપમાનસંખ્યા, પરિમાણસંખ્યા, જ્ઞાનસંખ્યા, ગણનાસંખ્યા અને ભાવસંખ્યા. આમાંથી ગણનાસંખ્યા વિશેષ મહત્ત્વપૂર્ણ છે. આથી સૂત્રકારે આનું વિશેષ વિવેચન કર્યું છે. જેના દ્વારા ગણના કરવામાં આવે તેને ગણનાસંખ્યા કહે છે. એકનો અંક ગણનામાં નથી આવતો (એક્કો ગણાં ન ઉવેઇ) આથી બેથી ગણના-સંખ્યાનો પ્રારંભ થાય છે. સંખ્યા ત્રણ પ્રકારની છે ઃ સંધ્યેયક, અસંખ્યેયક અને અનંતક, સંધ્યેયકના ત્રણ ભેદ છે : જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, અસંખ્યેયકના પણ ત્રણ ભેદ છે : પરીતાસંધ્યેયક, યુક્તાસંધ્યેયક અને અસંખ્યયાસંધ્યેય. આ ત્રણેના વળી ત્રણ-ત્રણ ભેદ છે ઃ જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. આ રીતે અસંખ્યેયકના કુલ ૩ X ૩ = ૯ ભેદ થયા. અનંતક ત્રણ પ્રકારનું છે ઃ ૫૨ીતાનન્તક, યુક્તાનન્તક અને અનન્તાનન્તક. આમાંથી પરીતાનન્તક અને યુક્તાનન્તકના ત્રણ-ત્રણ ભેદ છે ઃ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. અનન્તાનન્તકના બે ભેદ છે ઃ જઘન્ય અને મધ્યમ. આ રીતે અનન્તકના કુલ ૩+૩+ ૨ = ૮ ભેદ થયા. પ્રસ્તુત સૂત્રમાં સંધ્યેયકના ત્રણ, અસંખ્યેયકના નવ અને અનન્તકના આઠ – આ રીતે સંખ્યાના કુલ વીસ ભેદનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન કલ્પના તથા ગણિત બંનેથી પરિપૂર્ણ છે.” અહીંસુધી ભાવ પ્રમાણનો અધિકાર છે. આની સાથે જ પ્રમાણદ્વાર પણ સમાપ્ત થાય છે. 3 ૨૭૨ સામાયિકના ચાર અનુયોગદ્વારોમાંથી પ્રથમ અનુયોગદ્વાર ઉપક્રમના છ ભેદ કરવામાં આવ્યા હતા : ૧. આનુપૂર્વી, ૨. નામ, ૩. પ્રમાણ, ૪. વક્તવ્યતા, ૫. અર્થાધિકાર અને ૬. સમવતા૨.૫ આમાંથી આનુપૂર્વી, નામ અને પ્રમાણનું વર્ણન થઈ ચૂક્યું. હવે સૂત્રકાર વક્તવ્યતા વગેરે ભેદોનું વ્યાખ્યાન કરે છે. વક્તવ્યતા : વક્તવ્યતા ત્રણ પ્રકારની હોય છે : સ્વસમયવક્તવ્યતા, પરસમયવક્તવ્યતા અને ઉભયસમયવક્તવ્યતા. પંચાસ્તિકાય વગેરે સ્વસિદ્ધાંતોનું વર્ણન કરવું તે ૧. સૂ. ૮૯-૯૨. ૨. સૂ. ૯૩. ૩. સૂ. ૧૦૧-૨. ૪. વિશેષ વિવેચન માટે જુઓ – ઉપાધ્યાય આત્મારામકૃત હિન્દી અનુવાદ, ઉત્તરાર્ધ, પૃ. ૨૩૯૫. જુઓ – સૂ. ૧૪ (પ્રારંભમાં). 240. Page #309 -------------------------------------------------------------------------- ________________ અનુયોગદ્વાર ૨૭૩ સ્વસમયવક્તવ્યતા છે. અન્ય મતોના સિદ્ધાંતોની વ્યાખ્યા કરવી પરસમયવક્તવ્યતા છે. સ્વ-પર બંને મતોની વ્યાખ્યા કરવી તે ઉભયસમયવક્તવ્યતા છે.' અર્થાધિકાર : જે જે અધ્યયનનો અર્થ – વિષય છે તે જ તે અધ્યયનનો અર્થાધિકાર છે. ઉદાહરણરૂપે આવશ્યક સૂત્રના છ અધ્યયનોનો સાવદ્યયોગવિરત્યાદિરૂપ વિષય તેમનો અર્થાધિકાર છે. જે સમવતાર : સમવતારના છ ભેદ છે : નામસમવતાર, સ્થાપનાસમવતાર, દ્રવ્યસમવતાર, ક્ષેત્રસમવતાર, કાલસમવતાર અને ભાવસમવતાર. દ્રવ્યોના સ્વગુણની અપેક્ષાએ આત્મભાવમાં સમવર્તીણ થવું, વ્યવહારનયની અપેક્ષાએ પરરૂપમાં સમવર્તીણ થવું વગેરે દ્રવ્યસમવતારના ઉદાહરણો છે. આ જ રીતે ક્ષેત્ર વગેરેના પણ સ્વરૂપ, પરરૂપ અને ઉભયરૂપમાં સમવતાર હોય છે. ભાવસમવતારના બે ભેદ છે : આત્મભાવસમવતાર અને તદુભયભાવસમવતાર, ભાવનું પોતાના જ સ્વરૂપમાં સમવતીર્ણ થવું આત્મભાવસમવતાર કહેવાય છે. જેમ કે ક્રોધનું ક્રોધરૂપમાં સમવતીર્ણ થવું. ભાવનો સ્વરૂપ તથા પરરૂપ બંનેમાં સમવતાર થવો તે તદુભયભાવસમવતાર કહેવાય છે. ઉદાહરણાર્થ ક્રોધનો ક્રોધરૂપમાં સમાવતાર થવાની સાથે જ માનરૂપમાં પણ સમવતાર થાય છે.? ભાવસમવતારની સાથે સમવતારદ્વાર સમાપ્ત થાય છે અને સાથે સાથે જ ઉપક્રમ નામક પ્રથમ અનુયોગદ્વાર પણ પૂર્ણ થાય છે. નિક્ષેપઢાર : | નિક્ષેપ નામક દ્વિતીય અનુયોગદ્વારનું વ્યાખ્યાન કરતાં સૂત્રકાર કહે છે કે નિક્ષેપ ત્રણ પ્રકારની હોય છે : ઓઘનિષ્પન્ન નિક્ષેપ, નામનિષ્પન્ન નિક્ષેપ અને સૂત્રાલાપકનિષ્પન્ન નિક્ષેપ. આના ભેદ-પ્રભેદ આ પ્રમાણે છે : ઓઘનિષ્પન્ન નિક્ષેપ ચાર પ્રકારનો છે : અધ્યયન, અફીણ, આય અને ક્ષપણા. અધ્યયનના ચાર ભેદ છે : નામાધ્યયન, સ્થાપનાધ્યયન, દ્રવ્યાધ્યયન અને ભાવાધ્યયન. અક્ષણના પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવભેદથી ચાર પ્રકાર છે. આમાંથી ભાવાક્ષીણતાના બે ભેદ છે : આગમતઃ ભાવાક્ષીણતા અને નોઆગમત ૧. સૂ. ૧-૩ (વક્તવ્યતાધિકાર અને તેની પછી). ૨. સૂ. ૪. ૩. સૂ. ૫-૯. ૪. સૂ. ૧-૧૭ (નિક્ષેપાધિકાર). Page #310 -------------------------------------------------------------------------- ________________ અંગબાહ્ય આગમો ભાવાક્ષીણતા. ‘અક્ષીણ' શબ્દના અર્થને ઉપયોગપૂર્વક જાણવો તે આગમતઃ ભાવાક્ષીણતા છે. નોઆગમતઃ ભાવાક્ષીણ તેને કહે છે જે વ્યય કરવા છતાં જરા પણ ક્ષીણ ન થાય. જેમ કે કોઈ એક દીપકથી સેંકડો બીજા દીપક પ્રદીપ્ત કરી શકાય છે પરંતુ તેથી તે દીપક નષ્ટ નથી થતો. તેવી જ રીતે આચાર્ય શ્રુતનું દાન અર્થાત્ પઠન-પાઠન કરતા કરતા સ્વયં દીપ્ત રહે છે તથા બીજાઓને પણ દીપ્ત કરે છે. સંક્ષેપમાં શ્રુતનું ક્ષીણ ન થવું, એ જ ભાવાક્ષીણતા છે. આયના પણ નામાદિ ભેદથી ચાર પ્રકાર છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રનો લાભ પ્રશસ્ત આય છે, જ્યારે ક્રોધાદિની પ્રાપ્તિ અપ્રશસ્ત આય છે. ૨૭૪ ક્ષપણાના પણ ચાર ભેદ છે : નામક્ષપણા, સ્થાપનાક્ષપણા, દ્રવ્યક્ષપણા અને ભાવક્ષપણા. આનું વિવેચન પણ પૂર્વવત્ સમજી લેવું જોઈએ. ક્ષપણા કર્મની નિર્જરાનું કારણ છે. ઓધનિષ્પન્ન નિક્ષેપના ઉપર્યુક્ત વિવેચન પછી સૂત્રકાર નામનિષ્પન્ન નિક્ષેપનું પ્રતિપાદન કરતાં કહે છે કે જે વસ્તુનું નામવિશેષ નિષ્પન્ન થઈ ચૂક્યું હોય તેને નામનિષ્પન્ન નિક્ષેપ કહે છે જેમ કે સામાયિક. આના પણ નામાદિ ચાર ભેદ છે. ભાવસામાયિકનું વ્યાખ્યાન કરતાં સૂત્રકારે સામાયિક કરનારા શ્રમણોનું આદર્શ રૂપ પ્રસ્તુત કરવા માટે છ ગાથાઓ આપી છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે જેમનો આત્મા બધા પ્રકારના સાવદ્ય વ્યાપારથી નિવૃત્ત થઈને મૂલગુણરૂપ સંયમ, ઉત્તરગુણરૂપ નિયમ તથા તપ વગેરેમાં લીન છે તેને જ સામાયિકનો લાભ થાય છે. જે ત્રસ અને સ્થાવર (ચર અને અચર) બધા પ્રકારના પ્રાણીઓને આત્મવત્ જુએ છે તથા તેમના પ્રત્યે સમાન ભાવ રાખે છે તે જ સામાયિકનો સાચો અધિકા૨ી છે. જેમ મને દુઃખ પ્રિય નથી તેમ જ અન્ય પ્રાણીઓને પણ દુઃખ સારું નથી લાગતું, એવું સમજીને જે પોતે નથી કોઈ જીવનું હનન કરતો, નથી બીજા પાસે કોઈનું હનન કરાવતો તે શ્રમણ છે. જેનો કોઈ સાથે દ્વેષ નથી પરંતુ બધા સાથે પ્રીતિભાવ છે તે જ શ્રમણ છે. જેને સર્પ, પર્વત, અગ્નિ, સાગર, આકાશ, વૃક્ષ, ભ્રમર, મૃગ, પૃથ્વી, કમલ, સૂર્ય, પવન વગેરેની ઉપમાઓ આપવામાં આવે છે તે જ શ્રમણ છે. જેનું મન શુદ્ધ છે, જે ભાવથી પણ પાપ નથી કરતો અર્થાત્ જેની પાપ કરવાની ઈચ્છા સુદ્ધાં નથી થતી, જે સ્વજન અને સામાન્યજનને સમાન ભાવે જુએ છે, જેનો માન અને અપમાનમાં સમભાવ છે તે શ્રમણ છે. ‘કરેમિ ભંતે ! સામાઇયં’ – વગેરે પદોનું નામાદિ ભેદપૂર્વક વ્યાખ્યાન કરવું તે સૂત્રાલાપકનિષ્પન્ન નિક્ષેપ કહેવાય છે. અહીં સુધી દ્વિતીય અનુયોગદ્વાર નિક્ષેપની ચર્ચા છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ અનુયોગદ્વાર ૨૭૫ અનુગમાર : અનુગમ (સૂત્રાનુકૂળ વ્યાખ્યાન) નામક તૃતીય અનુયોગદ્વારનું વિવેચન કરતાં સૂત્રકાર કહે છે કે અનુગામના બે પ્રકાર છે : સૂત્રાનુગમ અને નિયુકત્યનુગમ. નિકુંજ્યનગમના ત્રણ ભેદ છે : નિક્ષેપ-નિકુંજ્યનુગમ, ઉપોદ્ધાતનિયુજ્યનુગમ અને સૂત્રસ્પર્શિક-નિકુંજ્યનુગમ. નિક્ષેપ નિર્યુયેનગમનું પ્રતિપાદન આગળ આવી ચૂક્યું છે. ઉપોદઘાત-નિકુંજ્યનગમના નિમ્નોક્ત ૨૬ લક્ષણ છે : ૧. ઉદેશ, ૨. નિર્દેશ, ૩. નિર્ગમ, ૪. ક્ષેત્ર, ૫. કાલ, ૬. પુરુષ, ૭. કારણ, ૮, પ્રત્યય, ૯. લક્ષણ, ૧૦. નય, ૧૧. સમવતાર, ૧૨. અનુમત, ૧૩. કિમ્, ૧૪. કતિવિધિ, ૧૫. કસ્ય, ૧૬. કુત્ર, ૧૭. કમિન્, ૧૮. કથમ્, ૧૯, કિચ્ચિર, ૨૦. કતિ, ૨૧. વિરહકાલ, ૨૨. અવિરહકાલ, ૨૩. ભવ, ૨૪. આકર્ષ, ૨૫. સ્પર્શન, ૨૬, નિરુક્તિ.' સૂત્રસ્પર્શિક-નિકુંજ્યનગમનો અર્થ છે અમ્મલિત, અમીલિત, અન્ય સૂત્રોના પાઠો સાથે અસંયુક્ત, પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણઘોષયુક્ત, કંઠ અને ઓષ્ઠથી વિપ્રમુક્ત તથા ગુરુમુખથી ગ્રહણ કરવામાં આવેલ ઉચ્ચારણ યુક્ત સૂત્રોના પદોનું સ્વસિદ્ધાન્તાનુરૂપ વ્યાખ્યાન. નયદ્વાર : નય નામના ચતુર્થ અનુયોગદ્વારમાં નૈગમાદિ સાત મૂળનયોનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે : સત્ત મૂના પુ0ા , તે નહીં મામે, સંદે, વહારે, ૩નુસુ, સદે સમરૂ૮, પર્વમૂ— આ સાત નો જૈનદર્શનમાં સુપ્રસિદ્ધ છે. નયદ્વારના વ્યાખ્યાન સાથે ચાર પ્રકારના અનુયોગદ્વારનું વ્યાખ્યાન પૂર્ણ થાય છે. અનુયોગદ્વાર સૂત્રના આ પરિચયથી સ્પષ્ટ છે કે કેટલાક મહત્ત્વપૂર્ણ જૈન પારિભાષિક શબ્દો અને સિદ્ધાંતોની સંક્ષિપ્ત તથા સૂત્રરૂપ વ્યાખ્યા કરનાર પ્રસ્તુત ગ્રંથનું જૈન આગમોમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે. નિક્ષેપશૈલીની પ્રધાનતા અને ભેદપ્રભેદની પ્રચુરતાને કારણે ગ્રંથમાં કેટલીક ક્લિષ્ટતા જરૂર આવી ગઈ છે જે સ્વાભાવિક છે. ૧. આાવશ્યક-નિર્યુક્તિ (ગા. ૧૪૦-૧૪૧)માં તે પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે. ૨. સૂ. ૧ (અનુગમાધિકાર). Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક અર્થાત્ વિવિધ. ભગવાન મહાવીરના તીર્થમાં પ્રકીર્ણકો—વિવિધ આગમિક ગ્રંથોની સંખ્યા ૧૪૦૦૦ કહેવામાં આવી છે. વર્તમાનકાળે પ્રકીર્ણકોની સંખ્યા મોટાભાગે ૧૦ માનવામાં આવે છે. આ ૧૦ નામોમાં પણ એકરૂપતા નથી. નીચેના ૧૦ નામો વિશેષરૂપે માન્ય છે ઃ— ૧. ચતુઃશરણ, ૨. આતુરપ્રત્યાખ્યાન, ૩. મહાપ્રત્યાખ્યાન, ૪. ભક્તપરિજ્ઞા, ૫.તંદુલવૈચારિક, ૬. સંસ્થારક, ૭. ગચ્છાચાર, ૮. ગણિવિદ્યા, ૯. દેવેન્દ્રસ્તવ, ૧૦. મરણસમાધિ.૨ પ્રકીર્ણકો પ્રથમ પ્રકરણ ચતુઃશરણ કોઈ મરણસમાધિ અને ગચ્છાચારના સ્થાને ચંદ્રવેધ્યક અને વી૨સ્તવને ગણાવે છે. તો કોઈ દેવેન્દ્રસ્તવ અને વીરસ્તવને એક ગણાવે છે અને સંસ્થાકને ગણતા નથી પરંતુ તેના સ્થાને ગચ્છાચાર અને મરણસમાધિનો ઉલ્લેખ કરે છે. ચઉસરણ———ચતુઃ શરણ' નું બીજુ નામ કુસલાણુબંધી-અજઝયણ(કુશલાનુબંધિઅધ્યયન) છે. તેમાં ૬૩ ગાથાઓ છે. તેમાં અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી કથિત ધર્મ—આ ચારને શરણ માનવામાં આવેલ છે એટલા માટે તેને ચતુઃશરણ કહેલ છે. પ્રારંભમાં ષડાવશ્યકની ચર્ચા છે. ત્યારપછી આચાર્યે કુશલાનુબંધી અધ્યયનની રચનાનો સંકલ્પ કર્યો છે અને ચતુઃશરણને કુશલહેતુ બતાવતાં ચાર શરણોનો નામોલ્લેખ કરેલ છે : ૧. જુઓ— જૈન ગ્રંથાવલિ, પૃ. ૭૨ (જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ, મુંબઈ, વિ.સં. ૧૯૬૫). ૨. આગમોદય સમિતિ, મુંબઈ, ઇ.સ.૧૯૨૭, રાયબહાદુર ધનપતસિંહ, બનારસ, ઇ,સ. ૧૮૮૬ (ગચ્છાચારના સ્થાને ચન્દ્રવેધ્યક) ૩. (અ) બાલાભાઈ કકલભાઈ, અમદાવાદ, વિ. સં. ૧૯૬૨. (આ) જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, વિ. સં. ૧૯૬૬. (ઇ) દેવચંદ્ર લાલભાઈ જૈન ગ્રંથમાલા મુંબઈ, ઇ.સ. ૧૯૨૨ (સાવસૂરિક). Page #313 -------------------------------------------------------------------------- ________________ ચતુ:શરણ २७७ अमरिंदनरिंदमुणिंदवंदिअं वंदिउं महावीरं । कुसलाणुबंधि बंधुरमज्झयणं कित्तइस्सामि ॥९॥ चउसरणगमण दुक्कडगरिहा सुकडाणुमोअणा चेव। एस गणो अणवरयं कायव्वो कुसलहेउ त्ति ॥१०॥ अरिहंत सिद्ध साहू केवलिकहिओ सुहावहो धम्मो । एए चउरो चउगइहरणा सरणं लहइ धन्नो ॥११॥ છેલ્લી ગાથામાં વીરભદ્રનો ઉલ્લેખ હોવાથી આ પ્રકીર્ણક વીરભદ્રની કૃતિ હોવાનું માનવામાં આવે છે : इअ जीवपमायमहारिवीरभदंतमेअमज्झयणं । झाएसु तिसंझमवंझकारणं निव्वुइसुहाणं ॥६३॥ .म- २० Page #314 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકરણ આતુરપ્રત્યાખ્યાન આઉરપચ્ચખાણ–આતુરપ્રત્યાખ્યાન મરણસંબંધી હોવાને કારણે અંતકાલપ્રકીર્ણક તરીકે પણ ઓળખાય છે. તેને બૃહદાતુરપ્રત્યાખ્યાન પણ કહે છે. તેમાં ૭૦ ગાથાઓ છે. દસમી ગાથા પછીનો કેટલોક ભાગ ગદ્યમાં છે. આ પ્રકીર્ણકમાં મુખ્યત્વે બાલમરણ અને પંડિતમરણનું વિવેચન છે. પ્રારંભમાં આચાર્યે બાલપંડિતમરણનું સ્વરૂપ બતાવ્યું છે : देसिक्कदेसविरओ सम्मद्दिट्ठी मरिज्ज जो जीवो। तं होइ बालपंडियमरणं जिणसासणे भणियं ॥१॥ ત્યારબાદ પંડિતપંડિતમરણનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. આચાર્યે મરણ ત્રણ પ્રકારનું બતાવ્યું છે : બાલોનું, બાલપંડિતોનું અને પંડિતોનું. એ વિશેની ગાથાઓ આ પ્રમાણે છે : तिविहं भणंति मरणं बालाणं बालपंडियाणं च । तइयं पंडितमरणं जं केवलिणो अणुमरंति ॥३५॥ મારણાંતિક પ્રત્યાખ્યાનની ઉપાદેયતા બતાવતાં આચાર્ય અંતમાં લખે છે : निक्कसायस्स दंतस्स सूरस्स ववसाइणो। संसारपरिभीयस्स पच्चक्खाणं सुहं भवे ॥६८॥ एयं पच्चक्खाणं जो काही मरणदेसकालम्मि। धीरो अमूढसन्नो सो गच्छइ सासयं ठाणं ॥६९।। धीरो जरमरणविऊ वीरो विनाणनाणसंपन्नो। लोगस्सुज्जोयगरो दिसउ खयं सव्वदुक्खाणं !॥७०।। ૧. (અ) બાલાભાઈ કકલભાઈ, અમદાવાદ, વિ.સં. ૧૯૬૨. (આ) જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, વિ. સં. ૧૯૬૬ Page #315 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકરણ મહાપ્રત્યાખ્યાન મહાપચ્ચખ્ખાણ-મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણકમાં ૧૪૨ ગાથાઓ છે. તેમાં પ્રત્યાખ્યાન અર્થાત ત્યાગનું વિસ્તૃત વિવેચન છે. પ્રારંભમાં ગ્રંથકારે તીર્થકરો, જિનો, સિદ્ધો અને સંયતોને પ્રણામ કર્યા છે : एस करेमि पणामं तित्थयराणं अणुत्तरगईणं । सव्वेसिं च जिणाणं सिद्धाणं संजयाणं च ॥१॥ ત્યારપછી પાપ અને દુશ્ચરિતની નિંદા કરતાં તેમનું પ્રત્યાખ્યાન કર્યું છે તથા . ત્રિવિધ સામાયિક અંગીકાર કર્યું છે. રાગ, દ્વેષ, હર્ષ, દીનતા, ઉત્સુકતા, ભય, શોક, રતિ, અરતિ, રોષ, અભિનિવેશ, મમત્વ, આદિ દોષોનો ત્રિવિધ ત્યાગ કર્યો છે. એકત્વ ભાવનાની ઉત્કૃષ્ટતાનું પ્રતિપાદન કરતાં આચાર્ય લખે છે : इक्कोहं नत्थि मे कोई, न चाहमवि कस्सई । एवं अदीणमणसो, अप्पाणमणुसासए ।।१३।। इक्को उप्पज्जए जीवो, इक्को चेव विवज्जई। इक्कस्स होइ मरणं, इक्को सिज्झई नीरओ ॥१४॥ एक्को करेइ कम्मं फलमवि तस्सिक्कओ समणुहवइ । एक्को जायइ मरइ परलोअं इक्कओ जाई ॥१५॥ इक्को मे सासओ अप्पा, नाणदंसणसंजुओ। " सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥१६॥ પ્રસ્તુત પ્રકીર્ણકમાં સંસાર-પરિભ્રમણ, પંડિતમરણ, પંચમહાવ્રત, વૈરાગ્ય, આલોચના, વ્યુત્સર્જન વગેરે પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. અંતમાં આચાર્યે બતાવ્યું છે કે ધીરનું પણ મૃત્યુ થાય છે અને કાયરપુરુષનું પણ. ૧. બાલાભાઈ કકલભાઈ, અમદાવાદ, વિ.સં. ૧૯૬૨. Page #316 -------------------------------------------------------------------------- ________________ २८० અંગબાહ્ય આગમો આ બેમાંથી ધીરત્ત્વપૂર્ણ મૃત્યુ જ શ્રેષ્ઠ છે. પ્રત્યાખ્યાનનું સુવિહિત અને સમ્યફ પાલન કરનાર મરીને કાં તો વૈમાનિક દેવ બને છે અથવા સિદ્ધ : धीरेणावि मरियव्वं काऊरिसेण विवस्स मरियव्वं । दुहंपि य मरणाणं वरं खु धीरत्तणे मरिउं ॥१४१।। एयं पच्चक्खाणं अणुपालेऊण सुविहिओ सम्मं । वेमाणिओ व देवो हविज्ज अहवा वि सिज्झिज्जा ॥१४२।। * * * Page #317 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકરણ ભક્તપરિજ્ઞા ભત્તપરિણા–ભક્તપરિજ્ઞા માં ૧૭૨ ગાથાઓ છે. આ પ્રકીર્ણકમાં ભક્તપરિજ્ઞા નામના મરણનું વિવેચન છે. પ્રારંભમાં ગ્રંથકારે મહાવીરને નમસ્કાર કરી ભક્તપરિજ્ઞાની રચનાનો સંકલ્પ કર્યો છે : नमिऊण महाइसयं महाणुभावं मुणिं महावीरं । भणिमो भत्तपरिणं निअसरणट्ठा परट्ठा य॥१॥ અભ્યઘત મરણથી આરાધના પૂરેપૂરી સફળ થાય છે, એમ બતાવતાં ગ્રંથકારે અભ્યદ્યત મરણના ત્રણ ભેદ આપ્યા છે : ભક્તપરિજ્ઞા, ઇંગિની અને પાદોપગમન. આ વિષયની ગાથા આ પ્રમાણે છે : तं अब्भुज्जअमरणं अमरणधम्मेहि वनिअंतिविहं। भत्तपरिना इंगिणि पाओवगमं च धीरेहिं ॥९॥ ભક્તપરિજ્ઞા મરણ બે પ્રકારનું હોય છે : સુવિચાર અને અવિચાર. આચાર્ય ભક્તપરિજ્ઞા મરણના પોતાના વિવેચનમાં દર્શનભ્રષ્ટ એટલે શ્રદ્ધાભ્રષ્ટને મુક્તિનો અનધિકારી બતાવ્યો છે : दंसणभट्ठो भट्ठो दंसणभट्ठस्स नत्थि निव्वाणं । सिझंति चरणरहिआ दंसणरहिआ न सिझंति ॥६६।। અંતની એક ગાથામાં વીરભદ્રનો ઉલ્લેખ હોવાથી આ પ્રકીર્ણકના કર્તા વિરભદ્ર હોવાનું મનાય છે : इअजोइसरजिणवीरभद्दभणिआणुसारिणीमिणमो। भत्तपरिन्नं धन्ना पढंति णिसुणंति भावेंति ॥१७१।। ૧. (અ) બાલાભાઈ કકલભાઈ, અમદાવાદ, વિ.સં. ૧૯૬૨. (આ) જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, વિ. સં. ૧૯૬૬ Page #318 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રકરણ તન્દુલવૈચારિક તંદુલવેયાલિયતન્દુલવૈચારિક પ્રકીર્ણકમાં ૧૩૯ ગાથાઓ છે. વચ્ચે વચ્ચે કેટલાંક સૂત્રો પણ છે. તેમાં વિસ્તારપૂર્વક ગર્ભવિષયક વર્ણન કરવામાં આવ્યું છે. ગ્રંથનાં અંતિમભાગમાં નારીજાતિ સંબંધમાં એકપક્ષીય વિચારો પ્રગટ કરવામાં આવ્યા છે. ૧૦૦ વર્ષના આયુષ્યવાળો પુરુષ કેટલા તંદુલ અર્થાત્ ચોખા ખાય છે ? તેનો સંખ્યાપૂર્વક વિશેષ વિચાર કરવાના કારણે ઉપલક્ષણથી આ સૂત્ર તંદુલવૈચારિક કહેવાય છે. ગ્રંથના પ્રારંભમાં આચાર્યે જિનવર મહાવીરની વંદના કરી છે. તથા તંદુલવૈચારિક નામના પ્રકીર્ણકના કથનની પ્રતિજ્ઞા કરી છે : निज्जरियजरामरणं वंदित्ता जिणवरं महावीरं । वोच्छं पइन्नगमिणं तंदुलवेयालियं नाम ॥१॥ તે પછી જેમનું આયુષ્ય સૌ વર્ષનું હોય તેની જે રીતે દસ અવસ્થાઓ બને તેનો હિસાબ કરી તે દસ અવસ્થાઓ સંકલિત કરી કાઢી લેવાતાં તેનું જેટલુ આયુષ્ય બાકી રહે તેનું વર્ણન કરવામાં આવ્યું છે : सुणह गणिए दस दसा वाससयाउस्स जह विभज्जंति । संकलिए वोगसिए जं चाऊ सेसयं होइ ॥२॥ આ જીવ બસો સાડા સત્તર દિવસ-રાત ગર્ભમાં રહે છે. આટલા દિવસ-રાત સામાન્યપણે ગર્ભવાસમાં લાગે છે. વિશેષ પરિસ્થિતિમાં તેનાથી ઓછા કે વધુ દિવસ-રાત પણ લાગી શકે છે ઃ दोन्नि अहोरत्तसए संपुणे सत्तसत्तरिं चेव । गब्भंमि वसइ जीवो अद्धमहोरत्तमन्नं च ॥४॥ एए उ अहोरत्ता नियमा जीवस्स गब्भवासंमि । हीणाहिया उ इत्तो उवघायवसेण जायंति ॥५॥ ૧. (અ) વિજયવિમલવિહિત વૃત્તિસહિત—દેવચંદ લાલભાઈ જૈન ગ્રંથમાલા, મુંબઈ, ઈ.સ. ૧૯૨૨. (આ) હિન્દી ભાવાર્થસહિત—શ્વે. સા. જૈન હિતકારિણી સંસ્થા, બીકાનેર, વિ.સં. ૨૦૦૬ Page #319 -------------------------------------------------------------------------- ________________ તન્દુલવૈચારિક ૨૮૩ યોનિનું સ્થાન, આકાર, ગર્ભધારણની યોગ્યતા વગેરેનું વર્ણન કરતા ગ્રંથકારે બતાવ્યું છે કે સ્ત્રીની નાભિની નીચે ફુલની નાળના આકારની બે શિરાઓ હોય છે. આ શિરાઓ નીચે યોનિ હોય છે. આ યોનિ અધોમુખ અને કોશાકાર હોય છે તેની નીચે આંબાની મંજરી જેવી માંસની મંજરી હોય છે. જે ઋતુકાળમાં ફૂટી જાય છે અને તેમાંથી રક્તબિંદુઓ પડે છે. આ રક્તબિંદુઓ જ્યારે શુક્ર મિશ્રિત થઈને કોશાકાર યોનિમાં પ્રવેશે છે ત્યારે સ્ત્રી જીવોત્પાદન માટે યોગ્ય બને છે. આ રીતની યોનિ બાર મુહૂર્ત સુધી જ ગર્ભધારણ માટે યોગ્ય રહે છે. ત્યારબાદ તેની ગર્ભધારણની યોગ્યતા નષ્ટ થઈ જાય છે. ગર્ભમાં રહેલા જીવોની સંખ્યા વધુમાં વધુ નવ લાખ હોય છે : आउसो ! इत्थीए नाभिहिट्ठा सिरादुगं पुप्फनालियागारं । तस् य हिट्ठा जोणी अहोमुहा संठिया कोसा ॥ ९ ॥ तस्स य हिट्ठा चूयस्स मंजरी तारिसा उ मंसस्स । तंरिकाले फुडिया सोणियलवया विमुंचति ॥१०॥ कोसायारं जोणीं संपत्ता सुक्कमीसिया जइया । तइया जीवववाए जोग्गा भणिया जिणिदेहिं ॥ ११ ॥ बारस चेव मुहुत्ता उवरिं विद्धंसं गच्छई सा उ । जीवाणं परिसंखा लक्खपुहुत्तं य उक्कोसं ॥ १२ ॥ ઘણુંખરું ૫૫ વર્ષ પછી સ્ત્રીની યોનિ ગર્ભધારણ માટે યોગ્ય રહેતી નથી તથા ૭૫ વર્ષ પછી પુરુષ વીર્યહીન બની જાય છે : पणपण्णाय परेण जोणी पमिलायए महिलियाणं । पणसत्तरीया परओ पाएण पुमं भवेऽबीओ || १३|| રક્તોત્કટ સ્ત્રીના ગર્ભમાં એકસાથે વધુમાં વધુ નવ લાખ જીવો ઉત્પન્ન થાય છે, બાર મૂહુર્ત સુધી વીર્ય સંતાન ઉત્પન્ન કરવા યોગ્ય રહે છે, ઉત્કૃષ્ટ નવ સો પિતાનું એક સંતાન હોય છે, ગર્ભની સ્થિતિ ઉત્કૃષ્ટ બાર વર્ષની હોય છે : रत्तुक्कडा उ इत्थी लक्खपुहुत्तं य बारस मुहुत्ता । पिउसंख सयपत्तं बारस वासा उ गब्भस्स ॥१५॥ દક્ષિણ કુક્ષિમાં રહેનારો જીવ પુરુષ હોય છે, વામ કુક્ષિમાં રહેનારો જીવ સ્ત્રી હોય છે અને બંનેની વચ્ચે રહેનારો જીવ નપુંસક હોય છે. તિર્યંચોની ગર્ભસ્થિતિ ઉત્કૃષ્ટ આઠ જ વર્ષની હોય છે : Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ અંગબાહ્ય આગમો दाहिणकुच्छी पुरिसस्स होइ वामा उ इत्थियाए य । उभयंतरं नपुंसे तिरिए अद्वैव वरिसाइं ॥१६॥ જયારે અલ્પ વીર્ય તથા બહુ રક્ત હોય છે ત્યારે સ્ત્રીની ઉત્પત્તિ થાય છે અને જયારે અલ્પ રક્ત તથા બહુ વીર્ય હોય છે ત્યારે પુરુષની ઉત્પત્તિ થાય છે. વીર્ય અને રક્ત સમાન માત્રામાં હોય તો નપુંસક ઉત્પન્ન થાય છે. સ્ત્રીના રક્તના જામી જવાથી બિંબ(માંસપિંડ) ઉત્પન્ન થાય છે : अप्पं सुक्कं बहुं अउयं इत्थी तत्थ जायइ। अप्पं अउयं बहु सुक्कं पुरिसो तत्थ जायइ ॥२२॥ दुण्हं वि रत्तसुक्काणं तुल्लभावे नपुंसगो। इत्थीओयसमाओगे बिंबं तत्थ जायइ ॥२३॥ ગર્ભથી પેદા થયેલ પ્રાણીની નીચે મુજબ દસ અવસ્થા હોય છે : ૧. બાલા, ૨. ક્રીડા, ૩. મંદા, ૪, બલા, ૫. પ્રજ્ઞા, ૬. હાયની, ૭. પ્રપંચા, ૮. પ્રામ્ભારા, ૯. મુ—ખી, ૧૦. શાયિની. પ્રત્યેક અવસ્થા દસ વર્ષની હોય છે : મોડસો પર્વ ગાયિસ્ત ગંતુક્સ મેળ વદનંતિ, તે जहा बाला किडा मंदा बला य पण्णा य हायणि पवंचा। पब्भारा मुम्मुही सायणी दसमा य कालदसा ॥३१॥ ગ્રંથકારે આ દસ દશાઓનો પરિચય કરાવ્યો છે. યુગલધર્મીઓના અંગપ્રત્યંગોનું સાહિત્યિક ભાષામાં વર્ણન કરતાં સંહનન અને સંસ્થાનનું વિવેચન કરવામાં આવ્યું છે. સો વર્ષ જીવનાર મનુષ્ય પોતાના જીવન કાળમાં સાડી બાવીસ વાહ તંદુલ ખાય છે, સાડા પાંચ ઘડા મગ ખાય છે, ચોવીસસો આઢક સ્નેહ એટલે ઘી-તેલ ખાય છે તથા છત્રીસ હજાર પલ મીઠું ખાય છે : તં પર્વ પદ્ધતેવી સં તંદુત્વવાદે भुंजतो अद्धछठे मुग्गकुंभे भुंजइ अद्धछठे मुग्गकुंभे भुंजंतो चउवीसं णेहाढगसयाई भुंजइ चउवीसं णेहाढगसयाई भुंजतो छत्तीसं लवणपलसहस्साई भुंजइ । એક વાહ તંદુલમાં ચાર અબજ સાઠ કરોડ અને એસી લાખ દાણા હોય છે? चत्तारि य कोडिसया सर्ट्सि चेव य हवंति कोडीओ। असीइं य तंदुलसयसहस्साणि हवंति त्ति मक्खायं ॥५५।। ગ્રંથકારે આગળ જતાં કાળના વિભિન્ન વિભાગોનું સ્વરૂપ સમજાવતાં માનવજીવનની ઉપયોગિતાનું પ્રતિપાદન કર્યું છે તથા શરીરની રચનાનું વિસ્તૃત Page #321 -------------------------------------------------------------------------- ________________ તન્દુલચારિક ૨૮૫ વિવેચન કરતાં વૈરાગ્યનો ઉપદેશ આપ્યો છે. સ્ત્રીઓના વિષયમાં આચાર્યે કહ્યું છે કે સ્ત્રીઓનું હૃદય સ્વભાવથી જ કુટિલ હોય છે. તેઓ મધુર વચન બોલે છે પરંતુ તેમનું હૃદય મધુર હોતુ નથી. સ્ત્રીઓ શોક ઉત્પન્ન કરનારી છે, બળનો નાશ કરનારી છે, પુરુષો માટે વધશાળા જેવી છે, શરમનો નાશ કરનારી છે, અવિનય-દંભ-વેર-અસંયમની જનની છે. તેઓ મત્ત હાથી માફક કામાતુર, વાઘણ માફક દુષ્ટ હૃદયવાળી, ઘાસથી ઢાંકેલા કુવા માફક અપ્રકાશહૃદય, કાળા સાપ માફક અવિશ્વસનીય, વાનર સમાન ચંચળ ચિત્તવાળી, કાળ સમાન નિર્દય, પાણીની માફક નિમ્નગામી, નરક સમાન પીડા આપનારી, દુષ્ટ અશ્વ સમાન દુર્દમ્ય, કિંપાકફળ સમાન મુખમધુર હોય છે વગેરે. અંતમાં એમ બતાવવામાં આવ્યું છે કે આપણું આ શરીર જન્મ, જરા, મરણ અને વેદનાઓથી ભરેલ એક પ્રકારનું શર્ટ(ગાડું) છે. તેને પામીને એવું કાર્ય કરો કે જેનાથી સમસ્ત દુઃખોમાંથી મુક્તિ મળે : एयं सगडसरीरं जाइजरामरणवेयणाबहुलं। तह घत्तह काउं जे जह मुच्चह सव्वदुक्खाणं ।।१३९।। Page #322 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રકરણ સંસ્મારક સંથારગ સંસ્તારક' પ્રકીર્ણકમાં ૧૨૩ ગાથાઓ છે. તેમાં મૃત્યુ સમયે અપનાવવા યોગ્ય સંસ્મારક અર્થાત્ ઘાસ વગેરેની શૈયાનું મહત્ત્વ વર્ણવાયેલું છે. સંસ્મારક પર બેસીને પંડિતમરણ પ્રાપ્ત કરનાર મુનિ મુક્તિને વરે છે. આ રીતે મુક્ત થનાર અનેક મુનિઓના દૃષ્ટાંતો પ્રસ્તુત પ્રકીર્ણકમાં આપવામાં આવ્યાં છે. પ્રારંભમાં ગ્રંથકારે વર્ધમાન જિનવરને નમસ્કાર કર્યા છે. ત્યારપછી સંતારકનો મહિમા ગાયો છે : काऊण नमुक्कारं जिणवरवसहस्स वद्धमाणस्स। संथारंमि निबद्धं गुणपरिवाडि निसामेह ।।१।। જે રીતે પર્વતોમાં મેરુ, સમુદ્રોમાં સ્વયંભૂરમણ અને તારાઓમાં ચંદ્ર શ્રેષ્ઠ છે, તે જ રીતે સુવિદિતોમાં સંસ્મારક સર્વશ્રેષ્ઠ છે : मेरू व्व पव्वयाणं सयंभुरमणु व्व चेव उदहीणं । चंदो इव ताराणं तह संथारो सुविहिआणं ॥३०॥ આચાર્ય સંસ્મારક પર આરૂઢ થઈ પંડિતમરણપૂર્વક મુક્તિ પ્રાપ્ત કરનારા અનેક મુનિઓના ઉદાહરણો આપ્યાં છે. આમાંથી કેટલાકનાં નામ આ પ્રમાણે છે : અર્ણિકાપુત્ર, સુકોશલર્ષિ, અવન્તિ, કાર્તિકાર્ય, ચાણક્ય, અમૃતઘોષ, ચિલાતિપુત્ર, ગજસુકુમાર. અંતે આચાર્ય સંસ્તારકરૂપી હાથીના સ્કંધ પર આરૂઢ સુશ્રમણરૂપી નરેન્દ્રચંદ્રો પાસે સુખસંક્રમણની યાચના કરી છે : एवं मए अभिथुआ संथारगइंदखंधमारूढा । सुसमणनरिंदचंदा सुहसंकमणं सया दिंतु ॥१२३॥ * * * ૧. જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, વિ. સં. ૧૯૬૬, Page #323 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પ્રકરણ ગચ્છાચાર ગચ્છાયાર–ગચ્છાચાર પ્રકીર્ણકમાં ૧૩૭ ગાથાઓ છે. તેમાં ગચ્છ અર્થાત સમૂહમાં રહેનારા સાધુ-સાધ્વીઓના આચારનું વર્ણન છે. આ પ્રકીર્ણક મહાનિશીથ, કલ્પ(બૃહકલ્પ) તથા વ્યવહાર સૂત્રોના આધારે બનાવવામાં આવ્યું છે. પ્રારંભમાં પ્રકીર્ણકકારે ભગવાન મહાવીરને નમસ્કાર કર્યા છે અને ગચ્છાચારની રચનાનો સંકલ્પ કર્યો છે. नमिऊण महावीरं तिअसिंदनमंसियं महाभागं । गच्छायारं किंची उद्धरिमो सुअसमुद्दाओ॥१॥ અસદાચારી ગચ્છમાં રહેવાથી સંસાર-પરિભ્રમણ વધે છે જ્યારે સદાચારી ગચ્છમાં રહેવાથી ધર્માનુષ્ઠાનની પ્રવૃત્તિ વિકસીત થાય છે ? अत्थेगे गोयमा ! पाणी, जे उम्मग्गपइट्ठिए । गच्छंमि संवसित्ताणं, भमइ भवपरंपरं ॥२॥ जामद्धं जाम दिण पक्खं, मासं संवच्छरं पि वा । सम्मग्गपट्ठिए गच्छे, संवसमाणस्स गोयमा ! ||३|| लीलाअलसमाणस्स, निरुच्छाहस्स वीमणं । पक्खाविक्खीइ अन्नेसि, महाणुभागाण साहूणं ।।४।। उज्जमं सव्वथामेसु, घोरवी तवाइअं। लज्जं संकं अइक्कम्म, तस्स विरियं समुच्छले ॥५॥ આત્મકલ્યાણની સાધના માટે મુનિએ આજીવન ગચ્છમાં રહેવું જોઈએ : ૧. (અ) વાનરષિવિહિત વૃત્તિસહિત–આગમોદય સમિતિ, મહેસાણા, ઇ.સ. ૧૯૨૩. (આ) વિજયરાજેન્દ્રસૂરિકૃત ગુજરાતી વિવેચનયુક્ત–ભૂપેન્દ્રસૂરિ જૈન સાહિત્ય સમિતિ, આહાર, વિ. સં. ૨૦૦૨ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ અંગબાહ્ય આગમો तम्हा निउणं निहालेउं, गच्छं सम्मग्गपट्ठियं । वसिज्ज तत्थ आजम्मं, गोयमा ! संजए मुणी ॥७॥ જે ગુરુ શિષ્યને દંડ વગેરે દ્વારા હિતમાર્ગમાં લગાડતો નથી તે વેરી સમાન છે. એજ રીતે જે શિષ્ય ગુરુને ધર્મમાર્ગ બતાવતો નથી તે પણ શત્રુ સમાન છેઃ जीहाए विलिहंतो न भद्दओ सारणा जहिं नत्थि । डंडेण वि ताडतो स भद्दओ सारणा जत्थ ।।१७॥ सीसो वि वेरिओ सो उ, जो गुरुं न विबोहए। पमायमइराघत्थं, सामायारीविराहयं ।।१८।। ભ્રષ્ટાચારી આચાર્ય, ભ્રષ્ટાચારીઓની ઉપેક્ષા કરનાર આચાર્ય તથા ઉન્માર્ગ પર ગયેલ આચાર્ય–આ ત્રણેય મોક્ષમાર્ગનો વિનાશ કરનારા છે : ___भट्ठायारो सूरी भट्ठायाराणुवेक्खओ सूरी। उम्मग्गठिओ सूरि तिन्नि वि मग्गं पणासंति ॥२८॥ ગચ્છ મહાપ્રભાવશાળી હોય છે. તેમાં રહેવાથી મહાનિર્જરા થાય છે તથા સારણા, વારણા, પ્રેરણા વગેરે વડે નવા દોષોની ઉત્પત્તિ રોકાઈ જાય છે : गच्छो महाणुभावो तत्थ वसंताण निज्जरा विउला । सारणवारणचोअणमाईहिं न होमपडिवत्ती ॥५१॥ જે ગચ્છમાં દાન, શીલ, તપ અને ભાવના–આ ચાર પ્રકારના ધર્મોનું આચરણ કરનારા ગીતાર્થ મુનિઓ અધિક હોય તે ગચ્છ સુગચ્છ છે : सीलतवदाणभावण चउव्विहधम्मंतरायभयभीए। जत्थ बहू गीअत्थे गोअम ! गच्छं तयं भणियं ॥१००॥ સાધ્વીઓએ કેવી રીતે શયન કરવું જોઈએ ? તેનો વિચાર કરતાં પ્રસ્તુત પ્રકીર્ણકમાં કહેવામાં આવ્યું છે કે જે ગચ્છમાં સ્થવિરા(વૃદ્ધસાધ્વી)ની પછી તરુણી અને તરુણીની પછી સ્થવિરા–એવી રીતે સૂવાની વ્યવસ્થા હોય તેને જ્ઞાનચારિત્રનો આધારભૂત શ્રેષ્ઠ ગચ્છ સમજવો જોઈએ : जत्थ य थेरी तरुणी थेरी तरुणी य अंतरे सुयइ । गोअम! तमं गच्छवरं वरनाणचरित्तआहारं ॥१२३।। અંતમાં ગચ્છાચારના આધાર અને ઉદ્દેશનો ઉલ્લેખ તથા ઉપસંહાર કરતાં ગ્રંથકાર લખે છે : Page #325 -------------------------------------------------------------------------- ________________ ગચ્છાચાર ૨૮૯ महानिसीहकप्पाओ, ववहाराओ तहेव य। साहुसाहुणिअट्ठाए, गच्छायारं समुद्धरियं ॥१३५॥ पढतुं साहुणो एअं, असज्झायं विवज्जिउं। उत्तमं सुयनिस्संदं, गच्छायारं तु उत्तमं ॥१३६॥ गच्छायारं सुणित्ताणं, पढित्ता भिक्खुभिक्खुणी। कुणंतु जं जहा भणियं, इच्छंता हियमप्पणो ॥१३७॥ Page #326 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રકરણ ગણિવિદ્યા ગણિવિજ્જા–ગણિવિદ્યામાં ૮૨ ગાથાઓ છે. આ ગણિતવિદ્યા અર્થાત્ જ્યોતિષવિદ્યાનો ગ્રંથ છે. આમાં નીચેના નવ વિષયો(નવ બલ)નું વિવેચન છે ૧ દિવસ, ૨. તિથિ, ૩. નક્ષત્ર, ૪. કરણ, ૫. ગ્રહદિવસ, ૬. મુહૂર્ત, ૭. શકુન, ૮. લગ્ન, ૯.નિમિત્ત. પ્રારંભમાં ગ્રંથકારે પ્રવચનશાસ્ત્ર અનુસાર નવ બળના રૂપમાં બળાબળનો વિચાર કરવાનો સંકલ્પ કર્યો છે. ત્યારપછી નવ બળનો નામોલ્લેખ કર્યો છે : वुच्छं बलाबलविहिं नवबलविहिमुत्तमं विउपसत्थं । जिणवयणभासियमिणं पवयणसत्थम्मि जह दिटुं ॥१॥ दिवस-तिही-नक्खत्ता करणग्गहदिवसया मुहुत्तं च । सउणबलं लग्गबलं निमित्तबलमुत्तमं वावि ॥२॥ અંતમાં ગ્રંથકારે એમ બતાવ્યું છે કે દિવસ કરતાં તિથિ બળવાન હોય છે, તિથિ કરતાં નક્ષત્ર, નક્ષત્ર કરતાં કરણ, કરણ કરતાં ગ્રહદિવસ, ગ્રહદિવસ કરતાં મુહૂર્ત, મુહૂર્ત કરતાં શકુન, શકુન કરતાં લગ્ન અને લગ્ન કરતાં નિમિત્ત બળવાન હોય છે. આ બળાબળવિધિ સંક્ષેપમાં સુવિહિતોએ બતાવી છે : दिवसाओ तिही बलिओ तिहीउ बलियं तु सुव्वई रिक्खं । नक्खत्ता करणमाहंसु करणाउ गहदिणा बलिणो ॥७९॥ गहदिणाउ मुहुत्ता, मुहुत्ता सउणो बली। सउणाओ बलवं लग्गं, तओ निमित्तं पहाणं तु ॥८०॥ विलग्गाओ निमित्ताओ, निमित्तबलमुत्तम । न तं संविज्जए लोए, निमित्ता जं बलं भवे ॥८१॥ एसो बलाबलविही समासओ कित्तिओ सुविहिएहिं । अणुओगनाणगज्झो नायव्वो अप्पमत्तेहिं ।।८२।। Page #327 -------------------------------------------------------------------------- ________________ દેવિંદથય—દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકમાં ૩૦૭ ગાથાઓ છે. તેમાં ૩૨ દેવેન્દ્રોનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. પ્રારંભમાં કોઈ શ્રાવક ઋષભ આદિ તીર્થંકરોનું વંદન કરીને અંતિમ તીર્થંક વર્ધમાન મહાવીરની સ્તુતિ કરે છે. બત્રીસ દેવેન્દ્રો વડે પૂજિત મહાવીરની સ્તુતિ કરી તે પોતાની પત્ની સન્મુખ તે ઇન્દ્રોના મહિમાનું વર્ણન કરે છે. આ વર્ણનમાં નીચેના પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે : બત્રીસ દેવેન્દ્રોનાં નામ, આવાસ, સ્થિતિ, ભવન, વિમાન, નગર, પરિવાર, શ્વાસોચ્છ્વાસ, અધિજ્ઞાન વગેરે. આ વિષેની ગાથાઓ નીચે પ્રમાણે છે. करे ते बत्तीसं देविंदा को व कत्थ परिवसइ । केवइया कस्स ठिई को भवणपरिग्गहो तस्स ॥८॥ केवइया व विमाणा भवणा नगरा व हुंति केवइया । पुढवीण व बाहल्लं उच्चत्त विमाणवण्णो वा ॥९॥ का रंति व का लेणा उक्कोसं मज्झिम जहणणं । उस्सासो निस्सासो ओही विसओ व को केसिं ॥१०॥ અંતમાં આચાર્યે એવો ઉલ્લેખ કર્યો છે કે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવનિકાયોની સ્તુતિ સમાપ્ત થઈ : भोजवणयराणं जोइसियाणं विमाणवासीणं । देवनिकायाणं थवो समत्तो अपरिसेसो ॥३०७॥ નવમ પ્રકરણ દેવેન્દ્રસ્તવ *** Page #328 -------------------------------------------------------------------------- ________________ મરણસમાહી—મરણસમાધિનું બીજુ નામ મરણવિભક્તિ(મરણવિભત્તી) છે. તેમાં ૬૬૩ ગાથાઓ છે. આ પ્રકીર્ણક નીચેના આઠ પ્રાચીન શ્રુતગ્રંથોના આધારે રચવામાં આવ્યું છે ઃ ૧. મરણવિભક્તિ, ૨. મરણવિશોધિ, ૩. મરણસમાધિ, ૪. સંલેખનાશ્રુત, ૫. ભક્તપરિજ્ઞા, ૬. આતુરપ્રત્યાખ્યાન, ૭. મહાપ્રત્યાખ્યાન, ૮. આરાધના. પ્રારંભમાં ગ્રંથકારે પ્રવચનને પ્રણામ કર્યા છે અને શ્રમણની મુક્તિ માટે મરણવિધિનું કથન કરવાનો સંકલ્પ કર્યો છે : तिहुयणसरीरिवंदं सप्पवयणरयणमंगलं नमिउं । समणस्स उत्तमट्ठे मरणविहीसंगहं वुच्छं ॥ १ ॥ સમાધિમરણ અથવા મરણસમાધિનું નીચેના ચૌદ દ્વા૨ોમાં વિવેચન કરવામાં આવ્યું છે : ૬. આતોયાફ ૨. સંત્તેહનાર્ રૂ. વુમનાર્ છે. ગત્ત ૧. ગુસ્સì { ૬. કાસે ૭. સથરે ૮. નિસજ્જ ૬. વેરળ ૦. મુવાદ્ ||૮|| ૧૨. જ્ઞાવિસેો ૨. જેસા ૧૨. સમ્મત્ત ૧૪. પાયામાયં સેવ । चउदसओ एस विही पढमो मरणमि नायव्वो ૧૮૨|| દશમ પ્રકરણ મરણસમાધિ સંલેખના બે પ્રકારની હોય છે : આપ્યંતર અને બાહ્ય. કષાયોને કૃશ કરનાર આપ્યંતર સંલેખના છે અને કાયાને કૃશ કરનાર બાહ્ય સંલેખના છે : संलेहणाय दुविहा अभितरिया य बाहिरा चेव । अतिरिय कसा बाहिरिया होइ य सरीरे ॥ १७६ ॥ પંડિતમરણનો મહિમા બતાવતાં ગ્રંથકાર લખે છે : इक्कं पंडियमरणं छिंदइ जाईसयाणि बहुयाणि । तं मरणं मरियव्वं जेण मओ सुम्मओ होइ ॥ १४५॥ Page #329 -------------------------------------------------------------------------- ________________ મરણસમાધિ ૨૯૩ પ્રસ્તુત પ્રકીર્ણકમાં અનેક પ્રકારના પરીષહો–કષ્ટો સહન કરી પંડિતમરણપૂર્વક મુક્તિ પ્રાપ્ત કરનારા અનેક મહાપુરુષોના દષ્ટાંતો આપવામાં આવ્યાં છે. ' આમાં અનિત્ય આદિ બાર ભાવનાઓનું પણ વિવેચન કરવામાં આવ્યું છે. ૨ અંતમાં મરણ સમાધિના આધારભૂત આઠ ગ્રંથોનો નામોલ્લેખ કરતાં ગ્રંથકારે આનાં મરણવિભક્તિ અને મરણસમાધિ એવા બે નામોનો નિર્દેશ કર્યો છે : एयं मरणविभत्तिं मरणविसोहिं च नाम गणरयणं । मरणसमाही तइयं संलेहणसुय चउत्थं च ॥६६१॥ पंचम भत्तपरिण्णा छटुं आउरपच्चक्खाणं च। सत्तम महपच्चक्खाणं अट्ठम आराहणपइण्णो ॥६६२॥ इमाओ अट्ठ सुयाओ भावा उ गहियंमि लेस अत्थाओ। मरणविभत्ती रइयं बिय नाम मरणसमाहिं च ॥६६३॥ ૧. ગાથા ૪૨૩ થી ૫૨૨. ૨. ગાથા ૫૭૨ થી ૬૩૮. એ.આ.- ૨૧ Page #330 -------------------------------------------------------------------------- ________________ એકાદશ પ્રકરણ ચન્દ્રવેશ્ચક અને વીરસ્તવ ચંદાવિઝય–ચંદ્રવેધ્યક અથવા ચંદગવિઝ–ચંદ્રકવેધ્યમાં ૧૭પ ગાથાઓ છે. ચંદ્રવેધ્યકનો અર્થ થાય છે રાધાવેધ. જેવી રીતે સુસજ્જ હોવા છતાં પણ અંતિમ ક્ષણે સહેજ પણ પ્રમાદ કરનાર વેધક રાધાવેધનું વેધન કરી શકતો નથી, તેવી જ રીતે મૃત્યુ સમયે પણ સહેજ પણ પ્રમાદનું આચરણ કરનાર સાધક સર્વસાધન-સંપન્ન હોવા છતાં પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી. આથી આત્માર્થીએ સદૈવ અપ્રમાદી રહેવું જોઈએ : उप्पीलिया सरासणगहियाउहचावनिच्छयमईओ। विधइ चंदगविज्झं ज्झायंतो अप्पणो सिक्खं ॥१२८॥ जइ य करेइ पमायं थोवं पि य अत्रचित्तदोसेणं। तह कयसंधाणो विय चंदगविज्झं न विधेइ ॥१२९।। तम्हा चंदगविज्झस्स कारणा अप्पमाइणा निच्चं । अविराहियगुणो अप्पा कायव्वो मुक्खमग्गंमि ॥१३०॥ પ્રસ્તુત પ્રકીર્ણકમાં મરણગુણાંત સાત વિષયોનું વિવેચન છે : ૧. વિનય, ૨. આચાર્યગુણ, ૩. શિષ્યગુણ, ૪. વિનયનિગ્રહગુણ, ૫. જ્ઞાનગુણ, ૬. ચરણગુણ, ૭. મણિગુણ. આ વિષેની ગાથા આ પ્રમાણે છે : विणयं आयरियगुणे सीसगुणे विणयनिग्गहगुणे य । नाणगुणे चरणगुणे मरणगुणे इत्थ वुच्छामि ॥३॥ વીરWવ–વીરસ્તવમાં ૪૩ ગાથાઓ છે. નામ પરથી સ્પષ્ટ છે તે મુજબ આ પ્રકીર્ણક ભગવાન મહાવીરની સ્તુતિરૂપે છે. આમાં મહાવીરના વિવિધ નામોનો ઉલ્લેખ છે. ૧. કેસરબાઈ જ્ઞાનમંદિર, પાટણ, ઇ. સ. ૧૯૪૧. Page #331 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા શબ્દ શબ્દ પૃષ્ઠ ૭૮ ૮૨ ૧૯ ૨, ૧૦પ ૨ ૨૭ ૨૦૧ ૭૪ ૧૪૦ ૭૪ ૧૩૬ ૧ ૨૩ ૧૮૦ ૭૨ ૯૯ છે ૧૨૨ 0 અંક ૫૬, ૬૮ અંકલિપિ ૭૮ અંકુશ અંકોલ ૬૯, ૭૦ અંગ ૧, ૨, ૭૫, ૧૦૮, ૧૨૩, ૧૩૧ અંગચૂલિકા ૩, ૨૧૯, ૨૫૮ અંગદેશ - ૧૯૭ અંગપ્રવિષ્ટ ૨૫૬, ૨૫૮ અંગબાહ્ય ૨૫૭ અંગરક્ષક અંગલોક અંગવિકાર ૧૬૦ અંગવિદ્યા અંગદાન ૨૨૨ અંગાર ૬૯, ૧પ૯ અંગિરસ ૮૮ ૨૬૧, ૨૬૬ અંગુલિયન ૫૭, ૫૮ અંગૂઠી અંચિત ૩૯ અંચિતરિભિત ૩૮ અંજન ૪૧, પ૬, ૬૮ અંજનકી ૭૦ અંજનપુલક પ૬ અંડુબદ્ધગ ૧૩. અંતકાલ-પ્રકીર્ણક ૨૭૮ અંતકૃદ્દશા ૨૫૬ અંતખરિયા અંતક્રિયા અંતગડદસાઓ અંતઃપુર અંતરગૃહસ્થાન અંતરદ્વીપક અંતરાય અંધ અંધકવૃષ્ણિ અંતરિક્ષ અંદુક-બંધન અંધિય અંબડ અંબચરિત્ર અંબઇ અંબસાલ અંબાડક અંબાવલ્લી અંબીલ અંબુભખ્ખી અંબુવાસી અંશિકા અકંડૂયક અકંપિત અકબર અકર્મભૂમિક અકામમરણીય અકાલ ૭૬ ૧૦૯ અંગુલ ૭૧ ૧૯ w ૧૬ ૧૯૪ ૧ ૨ ૨ ૨૧૬ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ અંગબાહ્ય આગમો પૃષ્ઠ પૃષ્ઠ \ ७४ પ ૧ Gઇ ૦ જ ૦ = ) ૨, ૧૪, ૨૭ ૨૬૮ ૨૬૮ ૨૫૮ m • ર A ૫૮ U ) ૨ ૧ ૨૭૩ ૩૫૦ ૨૫૭ ૧૨ ૮૮ ૮૯ શબ્દ અમ્મરપુક્રિયા અમ્બાગ અખાડગ અક્રિયાવાદી અક્ષનિપુર અનિપુરાંગ અક્ષરશ્રુત અક્ષિવેદના અક્ષિવેધ અક્ષીણ અગમિક અગમિકહ્યુત અગાર અગ્નભાવ અગ્નિ અગ્નિવેસ અગેય અગ્વાડક અગ્નિકુમાર અગ્નિદાહ અગ્નિભૂતિ અગ્રાયણીય અચલભ્રાતા અચેલ અચેલધર્મ અચ્છ અણઘર અચ્છા અચ્છિરોડ અશ્રુત અજગર અજીર્ણ શબ્દ અજીવ પ૪, ૧૪૧ અજીવપ્રજ્ઞાપના અજ્જ અજ્જોરુહ અજઝલ અજ્ઞાની અટારી અટ્ટાલગ અટ્ટાલિકા ૫, ૨૮ અઠ્ઠાવય અટ્ટીએણ ૮૯ અડડ ૯૩, ૨૬૪, ૨૬૮ અડડાંગ ૯૩, ૨૬૪, ૨૬૮ અડિલ્લ અણમ્બ અણહિલપુરપાટણ અણિગણ ૯૪ અણિમિસ ૧૫૧ અણુટ્ટાણવિહિ અણુત્તરોવવાઈયદસાઓ અણુવ્રત ૯, ૧૨ અણોજ્જા ૧૮૬ અષ્ણવિહિ ૨૧ અતિથિ ૧૫૨ અતિમુક્તક ૩૮, ૭૦ અતિમુક્તકલતા ૭૦ અતિમુક્તકલતામંડપ અતિશય ૨૧૫ અતિશયયુક્ત ૧૬૩ અતીત કાલ ૨૬૪ અતીર્થકરસિદ્ધ ૨૪૯ અતીર્થસિદ્ધ ૨૪૯ ૨, ૩ ૮૯ ૭૦ ૬૧, ૭૮, ૯૬ ૧૮૧ ૧૨ ૨૫૮ ૧૨ ૧૩૭ ४४ ૭૩ છ ૬૨ ૭૫ ૭૨ ૭૩ ૬૧ Page #333 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા શબ્દ અસ્તુક્કોસિય અત્યઈ અદત્ત અદત્તાદાન-વિરમણ અદરૂસગ અદ્ધાપલ્યોપમ અક્રોર્ટુગ અધર્માસ્તિકાય અધિકરણ અધ્યયન અધ્યપૂરક અધ્યાપન અધ્વગમન અનંગપ્રવિષ્ટ અનંગપ્રવિષ્ટશ્રુત અનંગસેના અનંત અનંતક અનંતર અનંતરાગમ અનંતાનંતક અનક્ષરશ્રુત અનગાર અનગારગુણ અનર્થ અનવદ્યા અનવસ્થાપ્ય અનશન અનાગતકાલ અનાચરણીય અનાદિશ્રુત અનાથ પૃષ્ઠ ૨૪ ૭૦ ૧૪૦ ૧૫૦ ૭૦ ૨૬૮ ૧૭૧ ૫૨ ૧૯૬, ૨૦૪ ૭૬, ૨૬૦, ૨૭૩ ૧૬૦ ૭૬ ૧૯૭ ૨૫૬ ૨૫૭ ૧૧૨ ૨૪૭, ૨૬૧ ૨૭૨ ૨૫૮ ૨૭૧ ૨૭૨ ૨૫૬ ૧૨ ૧૪૦ ૬૦ ૧૮૬ ૨૧૧, ૨૩૮,૨૪૦ ૮, ૧૬૩ ૨૬૪ ૧૪૯ ૨૫૬ ૧૩૪ શબ્દ અનાનુગમિક અનાયતન અનાયતનવર્જન અનારોપિતમહાવ્રત અનાહારક અનિમિત્તી અનિષ્ઠીપક અનિસૃષ્ટ અનુકંપા અનુગમ અનુગમહાર અનુજ્ઞા અનુત્તરોપપાતિક અનુત્તરોપપાતિકદશા અનુદ્ધાતિક અનુપસ્થાપિત-શ્રમણ અનુપ્રેક્ષા અનુમાન અનુયોગ અનુયોગદ્વાર અનુરાધા અનૃષ્ણદાસ અવૃદ્ધિપ્રાપ્ત અનેકસિદ્ધ અનેષણીય અન્નજીવી અન્યતર-અશુભ-કુમારણ અન્યધાર્મિકસૈન્ય અન્યલિંગસિદ્ધ અન્યોન્યકારક અપદય અપરાજિત અપરિણત ૨૯૭ પૃષ્ઠ ૨૪૫ ૧૭૨ ૧૬૩ ૨૦૩ ૬૬ ७८ ८ ૧૬૦ ૨૩૦, ૨૩૬ ૨૬૧, ૨૭૫ ૨૭૫ ૨૩૧ ૭૯ ૨૫૭ ૨૦૬ ૨૦૩ ૧૪૦ ૨૬૯, ૨૬૯ ૨૫૮, ૨૬૦, ૨૬૧ ૨૪૧, ૨૫૭, ૨૬૦ ૮૮, ૮૯ ૬૦ ૭૪ ૨૪૯ ૨૦૩ ૪૭ ૧૮૦ ૨૦૨ ૨૪૯ ૨૦૨ ૫૭ 26 ૧૬૧ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શબ્દ અપરીત્ત અપર્યવસિતશ્રુત અપર્યાપ્તક અપવરક અપવાદ અપાનશુદ્ધિ અપામાર્ગ અપાય અપાધવમૌદરિક અપાવૃતક અપાવૃતદ્વા૨ોપાશ્રય અપ્લાય અપ્લાયિક અપ્લોયમંડપ અપ્રતિપાતિક અપ્રાચીનવાત અબક અબુદ્ધિય અબ્રહ્મચર્ય અભયકુમાર અભયદેવસૂરિ અભવસિદ્ધિક અભાષક અભિગમ અભિગમરુચિ અભિચન્દ્ર અભિજિત અભિવર્ધિત અભિષેક-સભા અભ્યાહત અભ્યુદત મરણ અત્ર અત્રપટલ પૃષ્ઠ ૬૬ ૨૫૬ ૬૬ ૫૮ ૧૭૩ ૧૬૮ ૭૦ ૨૫૪ ૨૧૭ ८ ૧૯૫ ૫૫ ૬૫, ૬૮ ૬૨ ૨૪૬ ૬૧ ૭૧ ૨૬ ૧૪૦ ૧૦૫ ૨ ૬૬ ૬૬ ૧૧,૧૨ ७८ ૯૪ ૮૮, ૮૯ 02 ૪૧, ૬૪ ૧૬૦ ૨૮૧ ૬૦ ૬૮ શબ્દ અભ્રવાલુકા અમ્રવૃક્ષ અશ્રાવકાશ અમરસૂરિ અમલકપ્પા અમાત્ય અમાવાસ્યા અમૃતઘોષ અમ્મડ અમ્લોદક અયન અયુત અયુતાંગ અયોધ્યા અયોમુખ અરડૂસી અરનાથ અરબ અરમઈક અરહંત અરિક અરિષ્ટ અરિષ્ટનેમિ અરુણ-દ્વીપ અરુણોદ-સમુદ્ર અરુણોપપાત અરુણોપપાતિક અર્કબોંદિ અર્ગલ અર્ગલપાશક અર્ગલા અર્ચિ અંગબાહ્ય આગમો પૃષ્ઠ ૬૮ ૬૦ ૧૯૮ ૨૦ ૨૮ ૬ ८८ ૨૮૬ ૧૮, ૧૯ ૬૮ ૯૩, ૨૬૪, ૨૬૮ ૯૪, ૨૬૪, ૨૬૮ ૯૪, ૨૬૪, ૨૬૮ ૧૮ ૭૪ ৩০ ૧૩૨ ૧૨ ૭૮ ૭૪ ૮૯ ૫૬, ૬૯ ૧૧૩, ૧૩૫, ૧૮૪, ૧૮૭ ૬૫ ૬૫ ૨૫૮ ૨૧૯ ૭૦ ૫, ૨૮ ૪૦ ૪૦ FC Page #335 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૨૯૯ પૃષ્ઠ ૨૬૬ ૨૧૭ ૨૮દ I * w * '૨૫૪ ૩૩ ૯૩, ૨૬૪ ૯૩, ૨૬૪ w w w w w w ? z ૯૨, ૨૬૮ ૨૮૪ ૧ર ૨૫૪ અબ્દ ૨૦૨ શબ્દ પૃષ્ઠ શબ્દ અર્જક અવમાન અર્જુન ૬૯, ૭૧ અવમૌદરિક અર્ણિકાપુત્ર અવમૌદર્ય અર્થાગમ ૨૭૧ અવર્ણવાદી અર્થાધિકાર ૨૭૩ અવલંબન અર્થાવગ્રહ અવલંબનતા અર્ધકર્ષ અવલંબનબાહુ અધતુલા અવવા અર્ધપલ અવવાંગ અર્ધભાર અવશ્યાય અર્ધમંડલ અવસર્પિણી અર્ધમાગધવિભ્રમ અવસ્થા અર્ધમાગધી અવાય અર્ધહાર ૯, ૩૦, ૫૭ અવિનીત ૧૫૪ અવિરુદ્ધ અર્શ અવિરુદ્ધક અલસંડ ૯૯ અલસી ૭૦, ૭૧ અવ્યવશમિત-પ્રાભૂત અધ્વત્તિય અલાત અલિંજર અશનિ ૫૮ અલ્પબદુત્વ ૭૯ અશિવ અલ્લકપ્પા ૨૮ અશોક અવંતિ ૨૮ અશોકચન્દ્ર અવંધ્યા ૨૫૮ અશોકલતા અવગાઢશ્રેણિકાપરિકર્મ ૨૫૮ અશ્વ અવગ્રહ ૧૯૬, ૨૦૧, ૨૫૪ અશ્વકર્ણ અવગ્રહણતા ૨૫૪ અશ્વકર્ણી અવગ્રહણપટ્ટક ૨૦૦ અશ્વતર અવગ્રહાનંતક ૨૦૦ અશ્વત્થ અવઘાટિની અશ્વમિત્ર અવધિ અશ્વમુખ અવધિજ્ઞાન ૭૮, ૨૪૫ અશ્વિની ૧૪ ૨૦૨ ૨૫ ૬૯ ૬૧, ૧૬૩ ૩૮, ૭૦ ૬, ૧૦૬ 0 હૈ 0 = 0 ૦ 0 0 0 » ४० જ ८४ છે ૮૮, ૮૯ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ અંગબાહ્ય આગમો પૃષ્ઠ પૃષ્ઠ ૨૬૫ ૨૬૧, ૨૬૫ ૯૬, ૧૦૧ ૨૬૧ ૨૭૨ ૨૭૨ ૫૮ જે ૧૪૦ ૧૨ ૧ ૬૯ ૧૭૬ ૧૧, ૫૬ શબ્દ અનામ અષ્ટમંગલ અષ્ટવિભક્તિ અષ્ટાપદ અસંખ્યય . અસંખેયક અસંખ્યયાસંપેયક અસંજ્ઞી અસંયત અસંયમ અસંસ્કૃત અસન અસમાધિસ્થાન અસિ અસિદ્ધ અસિરિયા અસિલખ્ખણ અસિવોવસમણી અસુરકુમાર અસોગવણિયા અસ્ત અસ્તિનાસ્તિપ્રવાદ અસ્તિનીપૂર અસ્તિનીપૂરાંગ અસ્ત્ર અસ્થિ અસ્થિક અસ્થિકચ્છપ અલ્સાયણ અહિ અહિચ્છત્રા અહિંસલા ગ શબ્દ અહોરાત્ર ૯૩ અહોરાત્રિ ૨૬૪, ૨૬૮ આ આઉરપચ્ચખ્ખાણ ૨૭૮ આંબો આકર પ૯, ૧૯૩ આકર્ણ આકાશગામિની ૭, ૧૨૩ આકાશતલ આકાશાસ્તિકાય આકુંચનપટ્ટ ૨૦૫ આકુલ ૨૬૩ આખ્યાનક ૬૦ આગમ ૨૬૩, ૨૬૯, ૨૭૧ આગમ-વ્યવહાર ૨ ૧૮ આગમનગૃહ ૧૯૮ આચાર ૨૫૬ આચારદશા ૧૭૪ આચારપ્રકલ્પ ૧૪૦ આચારપ્રણિધિ ૧૫૫ આચારસમાધિ ૧૫૭ આચારાંગ ૧, ૨૧૯, ૨૩૪ આચાર્ય ૧૬૩, ૨૧૩, ૨૧૪, ૨૦૧૫ આચ્છેદ્ય ૧૬૦ અજિનક ૫૮ આજીવ ૧૬૦ આજીવિક ર૪, ૧૨૨, ૧પર આજ્ઞા ૨૬૩ આજ્ઞાધાર ૪૧ આજ્ઞારુચિ ૭૮ આજ્ઞા-વ્યવહાર ૨૧૯ આડ આઢક ૨૧ ૧૧૩ ૬૧, ૭૮ ૧૦૬ ૨૫૮ ૯૪, ૩૨૯ ૯૪, ૨૬૪ પ૬ ૧૫૧ ૧૮૬ ૭૩ ૮૮ ) પ૭, ૭પ ૭ ૩ Page #337 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૩૦૧ શબ્દ આઢકી આણંદ આણાઢિય પૃષ્ઠ ૭૦ ૧૦૯ ૧૦૯, ૧૧૨ પૃષ્ઠ ૨૪૪ પ૭ ૨૫૪ - ૮ પ૯ لن ૨૫૭, ૨૭૮ ૧૬૯ ૧૪૮, ૨૫૮ ૧૬૪ له ૩૮ ૨૮ , , ૩૧ ૨૫૭ ૨૭૧ ૨૭૩ ૧૮૯ ૧૮૯ ૧૪૦ શબ્દ આભીરી આભૂષણ આભોગનતા આમરણદાસ આમલ કમ્પા આમલગશરીર આમોદ આમ્ર આમ્રશાલવન આમ્રતક આય આયતિ આયતિસ્થાન આયંબિલવર્ધમાન આયારાંગ આયુ આયુધશાલા આરણ . આરબક આરટ આરભસોલ આરટી આરા આરાધના આદ્ર આર્ય આર્યક્ષેત્ર આયિકા આલભિકા આલિંગ આલિઘર આલિસંદ આતાપક આતુરપ્રત્યાખ્યાન આત્મઘાત આત્મપ્રવાદ આત્મરક્ષા આત્મવિશોધિ આત્માગમ આત્માંગુલ આદર્શઘર આદર્શમુખ આદર્શલિપિ આદિત્ય આધાકર્મ આનંદિલ આનત આનુગામિક આનુપૂર્વી આપણગૃહ આપાત આબૂ આભરણચિત્ર આભરણવિહી આભાસિક આભાસિય આભિનિબોધિક આભિનિબોધિકજ્ઞાન આભિયોગિક ૭૮ ७४ ૭૮ ૧૯૦ ૧૯, ૧૬૦ ૨૪૩ ૭૮ ૨૪૫ ૨૬૧, ૨૬૪ ૧૯૪ ૯૯ ૧૫૪ 0 0 0 १७१ ૨૯૨ ૮૮, ૮૯ ૭૪ ૪૨, ૧૯૭ ૨૧ ૧૭૧ - ૧૮૬ 0 ७४ ७४ ૭૮ ૨૪૯ ૩૧ m (9 Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ અંગબાહ્ય આગમો ૩૭ ૭૧ ( ૬૧ ૨૩૬ શબ્દ પૃષ્ઠ શબ્દ પૃષ્ઠ આલૂ ૭૧ આલોચના ૧૪૦, ૧૬૩, ૧૭૨, ૨૧૦, ઇંગિની ૨૮૧ ૨૩૪, ૨૩૬, ૨૩૮ ઇંદકાયિક આવતી ઇંદગોવય આવર્તગ ઇંદીવર આવર્તનતા ૨૫૪ ૩૪, ૪૪, ૯૬, ૧૦૨, આવર્તનપીઠ ૪૦ ૧૨૩, ૧૨૪, ૧૨૫, ૧૩૬, ૧૮૫ આવલિ ઇંદ્રનીલ ૫, ૨૮, ૪૦ આવલિકા ૨૬૪, ૨૬૮ ઇંદ્રગ્રહ આવશ્યક ૧૧૪, ૧૪૨, ૧૭૦, ઇંદ્રદિન્ન ૨૪૪ ૨૫૭, ૨૬૦ ઇંદ્રધનુષ આવશ્યકનિર્યુક્તિ ઇંદ્રધ્વજ આવશ્યકતિરિક્ત ૨૫૭ ઇંદ્રનીલ ૬૮ આવશ્યકાનુયોગ ૨૬૧ ઇંદ્રભૂતિ ૧૨, ૧૩, ૪૪ આશીવિષભાવના ૨૧૯, ૨૫૮ ઇંદ્રમહ ૩૪, ૬૦ આવસ્મય ૧૪ર ઇંદ્રાભિષેક ૪૧ આવાહ ૬૦ ઇંદ્રિય ૬૬, ૮૧ આશાતના ૧૭૬, ૧૭૮ ઈસુ આશીવિષ ૭૩ ઈશુવાટિકા આશ્રમ પ૯, ૧૯૩ ઇક્વાકુ ૪૫, ૭૬ આશ્લેષા ૮૮, ૮૯ ઇચ્છા લોભ ૨૦૭ આષાઢક ૭૦ ઇતિહાસ ૧૮ આષાઢાચાર્ય ૨૫ ઇત્થીલખ્ખણ ૨૧ અસત્ય ૬૯ ઇભ્ય ૮, ૯, ૫૯ આસન ૧૦, ૧૯ ઇલાદેવી ૧૧૨ આસાતના ૧૪૦ ઇલાયચી આસાન ૨૫૮ ઈષકાર ૧૨૯ આસાલિક ૭૩ ઈષકારીય આસ્ફોતા આહાર ૮૩, ૧૪૮, ૧૭૦, ૨૦૫ આહારક ૬૬ ઈશાનંદ્ર ૧૦૨ આહા૨પ્રમાણ ૨૧૭ ઈશ્વર ૪૧ ૧૨૯ ૭૦ ઈસત્ય ૫૯ Page #339 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૩૦૩ ૧૫ શબ્દ ઈષત્સાભાર ઈસાન ઈહા ઈહામૃગ ૧૨ ૨૫૪ ૩૨, ૩૭ ૬૯ શબ્દ ઉત્તરકૂલગ ઉત્તરંગ ४० ઉત્તરજઝયણ ૧૧૫ ઉત્તરપાર્શ્વક ૪૦ ઉત્તરાધ્યયન ૧૪, ૪૪, ૨પ૭ ઉત્તરાધ્યયન-નિર્યુક્તિ ૧૧૮ ઉત્તરાપુટ્ટવય ૮૯ ઉત્તરાપોદ્ભવતા ૮૮ ઉત્તરાફાલ્ગની ૮૮, ૮૯, ૧૮૪ ઉત્તરાષાઢ ૮૮, ૮૯ ઉત્તરાસંગ ઉત્થાનશ્રુત ૨૫૮ ઉત્પલ ૭૧, ૯૪, ૨૬૪, ૨૬૮ ઉત્પલાંગ ૯૪, ૨૬૪, ૨૬૮ ઉત્પાત ૩૯, ૧૨૩ ઉત્પાદન ૧૫૯ ઉત્પાદનદોષ ૧૬૦ ઉત્પાદપૂર્વ ૨૫૮ ઉત્સર્ગ ૧૭૩ ઉત્સર્પિણી ૯૨, ૨૬૪ ઉત્સવ ૬૦ ઉલ્લેધ ૪૦ ઉત્સધાંગુલ ૨૬૬ ઉજાયણ ૮૯ ઉબેભરિકા ઉક્કચ્છિય ૧૭૧ ઉજ્જલિયા ૭૨ ઉગહરંતગ ૧૭૧ ઉગ્ર ૭, ૮, ૩૦, ૪૫, ૭૬ ઉમ્રપુત્ર ૮, ૩૦ ઉગ્રવિષ ૭૩ ઉગ્રસેન ૧૩૧, ૧૩૬ ઉચિતકટક ૭૦ ઉચિયકડગ ઉચ્ચત્તરિઆ ઉચ્છવાસ ૮૦, ૯૩, ૨૬૮ ઉચ્છવાસવિષ ૭૩ ઉજ્જયિની ૨૫૦ ઉક્રિયસમણ ૨૪ ઉડડ ७४ ઉર્ફડગ ૧૫ ઉડી ૭૮ ઉત્કટુકાસન ૨૦૫ ઉત્કાલિક ૧, ૨પ૭, ૨૬૧ ઉત્કાલિકશ્રુત ૨૫૭ ઉત્કાલિકાવાત ૬૯ ઉલ્લુટુક-આસનિક ઉત્કૃષ્ટકુંભ ૨૬૬ ૩૯ ૬૫, ૭૪ ૭૮ ઉર્દક ૫૭ ૭૦, ૭૧ ૫૭ ૮૯ ઉદક ઉદકમસ્ય ઉપકુંભ ઉદગત્તાભ ઉદધિકુમાર ઉદય ઉદાયી ઉદુંબર ૬૧, ૭૮ ઉત્સિસ ઉત્તરકુર, Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ અંગબાહ્ય આગમો છે ૨૧૧ ૬, ૪૪, ૧૦૬ ૨૧૯ ૨૦૨. ૧, ૨, ૧૦૪ ૧૬૩ ૨ ૧૧-૨૧૪ ૧૭૧ ૨૫૬ ૧૮૦ ૧૩૨ ૧૬૦ શબ્દ ઉપસર્ગપ્રાપ્ત ઉપસ્થાનશાળા ઉપસ્થાનશ્રુત ઉપસ્થાપના ઉપાંગ ઉપાધિનિરૂપણ ઉપાધ્યાય ઉપાનહ ઉપાસકદશા ઉપાસક-પ્રતિમા ઉપાશ્રય ઉપ્પલબેંટિયા ઉપ્પાડ ઉખાદ ઉપ્પાય ઉભય ઉમwાયણ ઉમરો ઉમ્મસ્જક n ق ૧૯૭ ૨૪ ૭૨ ૧૩૧ શબ્દ ઉગમ ૧૫૯ ઉગમદોષ ૧૬૦ ઉગાર ૨૦૫ ઉદ્દસગ ઉહિય ઉદાનપાલક ૪૬ ઉદાયન ઉદ્ધારપલ્યોપમ ૨૬૮ ઉભિન્ન ઉદ્વેગ ઉન્નત-આસન ૬૨ ઉન્માદાપ્ત ૨૧૧ ઉન્માન ૨૬૬ ઉન્મિશ્રિત ૧૬૧ ઉપકરણ ૧૬૭, ૧૭૦, ૨૧૭ ઉપક્રમ ૨૬૧ ઉપક્રમદ્વાર ૨૬૪ ઉપદેશ ૨૬૩ ઉપદેશરુચિ ઉપધાન ૨૩૬ ઉપધારણતા ૨૫૪ ઉપધિ ૧૭૦ ઉપનયન ઉપપાત-સભા ૭૭ ઉપમા ઉપમાન ૨૬૯, ૨૭૧ ઉપયોગ ઉપલ ઉપવાસ ૨૨૧ ઉપશાંતકષાય ૭૮, ૨૦૨ ઉપસંપદા ૨૦૨ ઉપસંપાદન શ્રેણિકાપરિકર્મ ૨ ૫૮ ઉપસર્ગ ૨૧૮ ૨૩૯ ८८ ૭૮ ઉરF ૨૦ V ૨૬૮ * * ઉરપરિસર્પ ઉરાલ ઉરોહ ઉલ્લંબન ઉલ્કા ઉલ્કાપાત ઉલ્કામુખ ઉલ્લોક ઉવવાઈય ઉવરિપંછણિ ઉવાસ દસાઓ ઉષ્ણોદક ઉષ્ણોદક-કાયસિંચન જ છે. ૪૦ ૧, ૨, ૩ ૪૦ ૨,૯૦ - ૬૮ ૧૮૧ Page #341 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૩૦૫ શબ્દ ઉસગાર ૭૨ છ ઊંટ ઊર્જયંત ઊષ ૭૩ ૧૩૫ શબ્દ એકાવલિ એકાવલિકા એકાવલી એકાશન એકાધિકા એકેન્દ્રિય ૨ ૨૨ - * 2 * એકોરુ ? d. ७४ ૭૦ ઋગ્વદ ઋજુમતિ ઋજુવાલિકા 28જુસૂત્ર ઋણ ઋતુ ઋદ્ધિપ્રાપ્ત ઋષભ ઋષભક ઋષભકૂટ ઋષભદત્ત ઋષભદેવ ઋષિભાષિત ૧૮ ૨૪૮ ૧૮૬ ૨૫૮ ૯૮ ૯૦, ૯૩, ૨૬૪, ૨૬૮ ૭૪ ૯૫, ૧૮૪, ૨૫૮ એકોરુક એરંડ એલવાલુંકી એલોવચ્ચ એલેજ઼ડ્રિયા એવંભૂત એષણા એષણાદોષ ૭૦ ૮૯ ૯૯ ૨૫૮ ૧૫૯, ૧૬૯ ૧૬૧ ૭૧ ૯૨, ૧૦૦ ૧૮૫ ૧૮૭ ૨૫૮ ઐરાવણ ઐરાવત ઐરાવતી એખુર પપ, ૭૩ ૭૦ ૭૪, ૮૬, ૧૦ર - ૨૦૪, ૨૩૧ ઓ ૧૧૪,૧૫૯, ૧૬૩ ७४ ૫૮ ૧૮૦ ૩૭ ૨૬૫ ૨૦૯ ઓઘનિર્યુક્તિ ઓ ઓદન ઓષ્ઠ-છેદન ઓહંજલિય ઓહનિજજુત્તિ ૨૧૦ એકતઃ આવર્ત એકતશ્ચક્રવાલ એકનામ એકમાસિક એકલવિહારી એકશાટિક એકતોવક્ર એકશાલા એકસિદ્ધ એકાકીગમન ૭૨ ૧૬૩ ૩૭ ઓ ૫૮ ૨૪૯ ૧૬૭ ઔત્પત્તિકા ઔદારિક ઔદેશિક ૨૫૦ ૨૫૫ ૧૯, ૧૬૦ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શબ્દ ઔપપાતિક ઔપયિક ઔર્ણિક ઔષધ ઔષધિ ઔષ્ટ્રિક કંક કંકણ કંકોડી કંચૂ કંયા કંચણિયા કંચુક કંચુકી કંચુકીયા કંઠસૂત્ર કંડક કંડાવેણૂ કંડિલ્લ કંડ કંડુઇયા કંદલગ કંપિલ કંપિલ્લ કંપિલ્લપુર કંબલ કંબિયા કંબૂછ્યા કંબોજ કંસકાર કંસારા પૃષ્ઠ ૧, ૩, ૨૫૭ ૭૨ ૨૦૦ ૧૭૧ ૫૫, ૬૯, ૭૧ ૨૦૦ ૭૩ ૭ ૭૦ ૭૦ ૭૦ ૧૯ ૧૭૧ ૧૨, ૪૫, ૫૩ ૧૨ ૫૭ 90 ૭૦ ૮૯ ૧૭ ૭૦ ૭૩ ૧૮ ૨૨૮ ૧૮ ૫૮ ૪૨ ૭૧ ૪૬ ૯૭ ૭૬, ૯૭ શબ્દ કક્કરી કચ્ચાયણ કચ્છ કચ્છકર કચ્છપ કચ્છપી કચ્છલવાહગ કચ્છક કચ્યુરી કમ્પ્યૂ કટક કટિસૂત્ર કટ્ટાહાર કટ્ટુઇયા કડચ્છેજ્જ કડંબ કણગ કણિકામત્સ્ય કણેર કણ કણનિય કણલાયન કણ્વાલિ કણિયાર કહ કણ્ડદીવાયણ કણ્ડરિક્વાયગ કહ્યુલ કથાકાર કથાવાચક કદંબ કદલીઘર અંગબાહ્ય આગમો પૃષ્ઠ ૫૭ ૮૮, ૮૯ ૭૧, ૯૯,૧૦૨ ૯૭ ૫૫, ૭૨ ૩૬ ૭૨ ૨૦૦ ૭૦ ૬૧ ૭ ૯, ૩૦, ૫૭ ૭૨ 06 ૨૩ ૩૬ ૭૨ ૭૩ ૭૦ ૧૭ ૭૩ ८८ ૫૭ ૬૯ ૧૦૫, ૧૦૯ ૧૭ ૧૭ ૭૦ ૬૦ ૪, ૨૮ ૬૯ ૬૨ Page #343 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૩૦૭ શબ્દ પૃષ્ઠ ૭૦ પ૭ પ૦ ૫૮ પૃષ્ઠ ૭૦ ૬૯ ૩૬ ૧૦૩, ૨૯૦ ૨પ૭ ૫૬ ૭૦ ૩૭ ૭૧ ૨૩૦ ૨ ૨૮ ૨૩૬ ૭૩ ૮૯ ૫૭ ૬૯ ૧૧૮ ૫, ૨૮ ૫૭ કનક કનકાલ કનકતિલક , કનકનિકરમાલિકા કનકસપ્તતિ કનકાવલિ કનકાવલિકા કશુકડ કન્યકાન્તઃપુર કન્યા કપિંજલ કપિકચ્છ કપિત્થક કપિલ કપિશીર્ષક કપિહસિત કપોત કપોતપાલી કપોતિકા કપૂવડસિઆઓ કપ્પવડંસિયા કપૂવડિસિયા કપ્પાકપ્રિય કપ્પાસેટ્ટિમિજિય કપ્રિયા કમંડલુ કમઢગ કમલપત્ર કમાન કમ્પગાર કરકંડુ કરક શબ્દ કરકર કરજ કરટા કરણ કરપત્ર કરમદ્ કરા કરીર કરુણા કારેલા કરોટિકા કરોડિયા કરોડી કર્કરી કર્કવંશ કર્ણચ્છેદન કર્ણવેદના કર્ણપ્રાવરણ કર્ણવેધ કબૂટ કર્મ કર્મ કર કર્મજા કર્મપ્રકૃતિ કર્મપ્રવાદ કર્મબંધ કર્મભૂમક કર્મમાષક કર્મવિપાક કર્મવેદ કર્મવેદબંધ કર્મવેદવેદ ૧૮૦ ૬૧ . ૭૪ ७४ ૫૮ ૧૭૧ ૨ ૧૦૪ ૧૦૯ ૨૦, ૫૩ ૫૯, ૧૯૩ ૧૪૦ ૬૦ ૨૫૦, ૨૫૩ ૭૪, ૧૪૦ ૧૪૮, ૨૫૮ ૭૨ ૧૦૪ ૧૯ ૧૭૧ ૩૩ ૪૦ જ ઝ જ 1 ૮૩ ૮૩ , ૧૭, ૧૩૨ પ૭, ૬૮ છ Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ અંગબાહ્ય આગમો શબ્દ કર્માર્ય ૭પ, ૭૬ ક જ છે ?? કલંબ કલબુલ કલશ કલશિકા કલહ કલહંસા ૭૧ ૧૧, ૩૭, ૫૭ ૩૬ ૬૧ ૨૦ ૨૬૬ ૨૮ ૫૩, ૯૫, ૨પ૭ ૨૦, ૫૩ ૧૩૧ ૭૫, ૧૨૮ છે 99 જે ) ૭૬ શબ્દ કસાહીય કસેરુય કસોઈ કહગ કળશી કળા કાંગની કાંગરા કાંચનપુર કાંચી કાંતાર-ભક્ત કાંડિલ્યા કાંપિલ્યપુર કાંસતાલા કાક કાકડી કાકણિરત્ન કાકાણીલખણ કાકમાચી કાકિણી-માંસ-ખાદન કાકોદર કાકોદુબરી કાકોલ કાછી કાદંબરી કાપિલિક કપિલીય કાપિશાયન કામસૂત્ર કામાર્થી કામિંજુય કાય છે ૦ એ ૦. કલા કલાગ્રહણ કલાચાર્ય કલાય કલિંગ કલિંગી કલિંદ કલુયાવાસ કલ્પ કલ્પવૃક્ષ કલ્પસૂત્ર કલ્પસ્થિત કલ્પસ્થિતિ કલ્પાતીત કલ્પાવતંસિકા કલ્પિકા કલ્પિકાકલ્પિક કલ્પોપગ કલ્પોપન્ન લ્યાણ કલ્હાર કવિલ કષાય ૭૨ ૧, ૧૮, ૨૧૯, ૨પ૭ પ૬, ૯૪ ૧૭૫ ૨૦૩ ૨૦૩ ૨૨ ૭૦ ૧૮૦ જ છે ૭૮ ને ૧૦૪, ૨૫૮ ૧૦૪, ૨૫૭ છે ૨૨ ૨૫૮ ૨૫૭ ૧૧૮, ૧૨૨ પ૬ ૫ ૭૮ ૭૦ ૭૧ ૧૭ ૬૬, ૮૧ છે ७४ ૬૬, ૭૧, ૨૬૩ Page #345 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા શબ્દ કાયક્લેશ કાયસ્થિતિ ૮ રે કાયાકુટન ૧૮૧ કાયોત્સર્ગ ૧૪૦, ૧૪૪, ૨૫૭, ૨૬૩ કારણ કારિયલ્લઈ કારુ કારવ કારોડિક કાતિકાર્ય કાર્પાસિક કાલ કાલક કાલકુમાર કાલપ્રતિલેખના કાલપ્રમાણ કાલમુખ કાલાતિક્રાંત કાલિક કાલિકશ્રુત કાલી કાલોદસમુદ્ર કાવણ કાશ્મ કાશીરાજ કાશ્યપ કાઇપાદુકાકાર કાઠહારક કાસ કાસમદ કાસવ કાળ કિંકિણી કિંગિરિડ અં.આ.-૨૨ પૃષ્ઠ ८ ૧૫૯ 06 66 ८८ ૧૧ ૨૮૬ ૭૬, ૨૫૭ ૧૦૦, ૧૦૫, ૨૪, ૧૨૩, ૨૪૪ ૧૦૯ ૧૪૦ ૨૬૮ 22 ૨૦૩ ૧, ૨૫૭, ૨૬ ૧ ૨૫૭ ૧૦૫, ૧૦૯ ૬૫ ૬૦ ૮, ૭૫, ૧૦૮ ૧૩૨ ૮૮, ૯૭, ૧૩૮, ૧૮૬ ૭૬ 36 ૬૧ ૭૦ ૭૭, ૮૮ ૯૨, ૨૮૪ ૫૮ ૭૨ શબ્દ કિંચિત્ વૈધર્મોપનીત કિંચિત્સાધર્મોપનીત કિંપુરુષ કિટ્ટી કિણિત કિત્તિ કિન્નર કિરાત કિલા કીટ કીરી કુંજર કુંડધાર કુંડરિકા કુંડલ કુંડલ દ્વીપ કુંડલ-સમુદ્ર કુંડિકા કુંત કુંથુ કુંથુનાથ કુંથ્ કુંદ કુંદલતા કુંદુક્ક કુંદુવક કુંભાર કુંભકાર કુંવારપાઠું કુક્કડ કુડ કુક્કુડલક્ખણ झुल ३०८ પૃષ્ઠ ૨૭૦ ૨૭૦ ૬૧, ૭૮ ૭૧ ૩૬ ૧૧૨ ૩૨, ૩૭, ૬૧, ૭૮ ૧૧, ૭૪, ૯૯ ૪ ૭૨ ७८ ૩૭ ૪૧, ૬૪ ૭૧ ૭, ૫૭ 1 ૬૫ ૬૫ ૧૯ ૫૬ ૫૧ ૧૩૨ ૭૨ ૩૮, ૭૦ 06 ૫ ૨૯ ૭૬ ૧૧, ૭૬, ૯૮ ૬૯ ર ૩૪ ૨૧ ૭૨ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ અંગબાહ્ય આગમો ' શબ્દ કw , ૨૬૬ કુલરોગ ૨૬૭ ૭૫, ૭૬ ૭૦ ૬૧ શબ્દ કુલ કુક્ષિ કુક્ષિકૃમિ કુક્ષિશૂલ કુચેષ્ટા કુટક કુટજ કુટ્ટિનીમતમ્ કુડક ૭૧ ૨૦૭ ૨૪૪ ૨૭૬ પ. ૬૯ ૧૩૫ ૨૨ ૭૦ કુલાય કુચિંદવલ્લી કુવ્વકારિયા કુશ કુશલાનુબંધિ-અધ્યયન કુશાગ્રપુર કુશાર્તા કુશાવર્ત કુશીલ કુર્તી કુસલાણુબંધિ-અઝયણ કુટુંભ કુસુમધર કુસુમ્બ કુટુમ્બરી કઠણ ૭૫ ૨૩૬ કુડવા ૧૦ ૨૭૬ છે ૨૬૬ ૧ ૧ ૭ '૭૧ ૪૩ ૪૩, ૧૯૭ ૧૦ ૮૮ ૮૯ / કડિગ્વય કુણ* કુણાલ કુણાલા કુતુપ કુસ કુજક કુન્જા કુમારશ્રમણ 9 / ૫૫, ૭૧ ૬૯ કુહણા ૪૦ ૫, ૬, ૨૯, ૧૦૫, ૧૦૬ કુમુદ 0 ૧ ૫ કુમ્મગામ કુયધાય કુરંગ કુરય કુરલ કુટાગાર કૂણિક કૂતરો ફૂપ ફૂપમહ કૂલધમક કમાલ કૃતિકર્મ કૃત્તિ કૃત્તિકા કૃપણ કૃમિરાશિ કૃષક કુ, કુરૂવિંદ ૨૦૧ ૧૭૧ ૮૮, ૮૯ ૧૫૨ કુલકર ૭૪ ૭૧ કુલેમ્પ કુલથી ૧૧ Page #347 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૩૧ ૧ શબ્દ પૃષ્ઠ પૃષ્ઠ ૭૬ શબ્દ કોડિનાર, કોડિન્ન ૮૯ ૭૧, ૧૧૨, ૧૩૫ ૭૧ કોઢ ૬૧ ૧૯૦ ૧૧૦ કૃષ્ણ કૃષ્ણકંદ કૃષ્ણપત્ર કૃષ્ણમૃગ કૃષ્ણસર્પ કૃષ્ણા કેકય કેકયાર્થ કેકથીઅર્ધ કેતકી કેદી ૫૮ ૭૩ ૭૦, ૭૧, ૧૦૫ ૭૪ ૪૨ કોણિક કોન્દ્રિય કદૂસ કોદ્રવ કોઇયા કોયલ કોરંટક કોયલ કોલાલિય કોલાહ ૧૧૩ ७४ ७४ ૭૧ ૭૩ છે કેયૂર કોલ ૫૭ ૩૮ ૭૧ ૭૮, ૨૪૯ કોસંબા કોશ કોશક કોશલ ૧૭૧ ૮, ૪૨, ૭૫, ૯૫, ૧૦૮, ૧૨૭ કોશાગ્ર . ૨૦૪ ૪૧, ૪૩, ૨૫૪ છે કેલ કેવલજ્ઞાન કેવલિસમુદ્ધાત કેશર કેશલોચ કેશવ કેશિ-ગૌતમીય કેશી કેશીકુમાર કેસરિયા કૈલાશ કોંકણ કોંકણગ કોંચ કોકંતિય કોકનદ કોચ્છ કોટવાળ કોટિવર્ષ કોડીણ ૧૩૧ ૧૧૧ ૧૩૫ ૧૧૮, ૧૩૭ ૪૪, ૪૫ ૨૭, ૨૮, ૧૩૭ - ૧૯ ૯૬ ૧૬૪ છે કોશિકા કોઇ કોઇક કોસ કોસલ કોસિય કૌકુચિત કૌટિલ્યક કૌટુમ્બિક કૌતુક કૌરવ કૌરવ્ય કૌલશુનક કૌશાંબી કૌશિક કૌશેય ક્રિયા ૮૮, ૮૯ ૨૦૭ ૨૫૭ ૬, ૫૯ ૭૪ ૭૪ ૭૩ . ૪૫, ૭૬ ૭૧ ૮૯ ૯, ૧૦, ૨૮, ૩૦, ૫૯ ૭૫ ૭૫, ૧૯૭, ૨૨૮ ૮૮, ૮૯ ૫૮ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૨ અંગબાહ્ય આગમો પૃષ્ઠ ७८ ૨૭ ૨૫૮ ૧૪૦ ૨૮૪ પૃષ્ઠ ૧૦૦ ૧૦૧ ૧ ૨૨ ૧૪૯ ૨૫૮ ૧૦૨ ૨૬૬ ૧૬૦ ૨૬૭ શબ્દ સુદ્રહિમવંતગિરિકુમાર સુદ્રહિમવત્ ક્ષુલ્લકનિગ્રંથીયા ફુલ્લિકાચાર-કથા ફુલ્લિકાવિમાનપ્રવિભક્તિ ક્ષેત્ર ક્ષેત્રપ્રમાણ ક્ષેત્રાતિક્રાન્ત ક્ષેત્રાય ક્ષેમંકર ક્ષેમંધર ક્ષોદરસ ક્ષોદવર-દ્વીપ સોદવર-સમુદ્ર ક્ષોભ ક્ષૌમ ૨૦૩ ૭૫ છે. 99 ८४ ૦ ૨૦૨ ૪૩ ૬૫ દv શબ્દ ક્રિયારુચિ ક્રિયાવાદી ક્રિયાવિશાલ ક્રિયસ્થાન ક્રીડા ક્રીત ક્રીદાસ ક્રોધ ક્રોશ ક્રૌંચ ક્રૌંચાસન ક્લીબ ક્ષત સત્તા ક્ષત્રિય ક્ષત્રિયકુડ-રામ ક્ષત્રિયપુત્ર ક્ષપણા ક્ષમાપના ક્ષારોદક ક્ષિપ્તચિત્ત ક્ષીણકષાય ક્ષીર ક્ષીરકાલી ક્ષીરવર-દ્વીપ ક્ષીરવિદારિકા ક્ષીરવિરાલિયા ક્ષીરિણી , ક્ષીરોદ-સમુદ્ર સુદ્રમોકપ્રતિમા સુદ્રસિંહનિષ્ક્રીડિત સુદ્રહિમવંત ૮, ૧૭, ૩૦ ૧૮૫ ૧૬૧ ૭૮ ૩૦ - બ. ર૭૩ ૧૪૦ ૬૮ ૨૦૭, ૨૧૧ ખંડપવાયગુહા ખંડપ્રપાતગુફા અંડરખિઆ ખંડખાદ્ય ખંડિયગણ ૧૦૦ ૪, ૨૮ ૫૯ છે જે બંધ ૧૧ ૭૨ ૧૭૧ તે . છે ૪૨ ખંધકરણી ખંધારમાણ ખજૂરી ખડિયો ખગવિદ્યા ખગી ખત્તા ખત્તિયકુંડગ્રામ له سه له ૧૦૦ ૨૫, Page #349 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા શબ્દ ખપુર ખરમુહી ખરોષ્ટ્રી ખજૂંરસાર ખલુંકીય ખવલ્લમસ્ય ખલૂટ ખસ ખસર ખાઈ ખાંડ ખાંસી ખાત ખાર ખારવેલ ખારાયણ ખાસિય ખીર ખીલ ખીલી ખુજલી ખુઽગ ખુલ્લ ખેટ ખેદયુક્ત ખોડમુખ ખોર ગંગા ગંગાચાર્ય ગંગાતટવાસી ગંગાદેવી પૃષ્ઠ ૧૨૩ ૧૧, ૩૫ ૭૭ ૫૬ ૧૩૯ ૭૨ ૭૧ ૭૪ ૬૧ ૪ ૫૮ ૬૧ ૪ ૬૧ ૧૩૪ ૮૯ ૭૪ ૮૯ ૯૬ ૫૮ ૬૧ ૫૭ ૭૨ ૧૯, ૧૩૯ ૨૦૭ ૨૫૭ ૭૩ ગ ૯૨, ૯૮, ૧૦૦, ૧૦૧, ૨૦૪, ૨૩૧ ૨૫ ૧૫, ૧૧૦ ૧૦૦ શબ્દ ગંછિઅ ગંજ ગંડિકાનુયોગ ગંડીપદ ગંડીપય ગંડૂયલગ ગંધ ગંધગુટિકા ગંધદેવી ગંધનસર્પ ગંધમાદન ગંધર્વ ગંધર્વગણ ગંધર્વઘર ગંધર્વનગર ગંધર્વમંડલ ગંધહસ્તી ગંધહારગ ગંધાર ગંભીર ગગ્ન ગચ્છ ગચ્છાચાર ગચ્છાયાર ગજકર્ણ ગજદંત ગજપુર ગજમારિણી ગણ ગણધર ગણનાયક ગણનાસંખ્યા ગણરાજા ૩૧૩ પૃષ્ઠ ૯૭ ७० ૨૫૮ ૭૩ ૫૫ કર ૫૨, ૨૫૫ ૫ ૧૧૨ ૧૩૬ ૧૦૨ ૩૮, ૭૮ ૬૧ ૬૨ ૬૦ ૩૮ ૧૦૭ ૭૪ ૭૮ ૭૨ ८८ ૨૧૨, ૨૧૬, ૨૩૬ ૨૩૬, ૨૮૭ ૨૮૭ ૭૪ ૩૭ ૭૫ ૭૦ ૨૧૨, ૨૬૨ ૧૨ ૧૦ ૬, ૨૭૨ ૮, ૧૦૮ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શબ્દ ગણાવચ્છેદક ગણાવચ્છેદિકા ગણિત ગણિતમાન ગણિતલિપિ ગણિપિટક ગણિય ગણિવિજ્જા ગણિવિદ્યા ગણિસંપદા ગણી ગણેત્તિયા ગદા ગભય ગમન ગમિક ગમિકશ્રુત ગયલક્ખણ ગડવ્યૂહ ગરુડાસન ગરુડોપપાત ગ્લોપપાતિક ગર્જિત ગર્દભ ગર્ભ ગર્ભગૃહ ગર્ભઘર ગર્ભજ ગર્ભદાસ ગર્ભધારણ ગર્ભસ્થાન પૃષ્ઠ ૨૧૨, ૨૧૫ ૨૧૪ ૧૮, ૨૦, ૨૫૭, ૨૬૮ ૨૬૬ ७८ ૨૫૬, ૨૭૧ ૨૦ ૨૯૦ ૨૯૦ ૧૭૬, ૧૭૮ ૨૧૩ ૧૯ ૪, ૨૮, ૫૬ ૭૨ ૧૬૭ ૨૫૭ ૨૫૬, ૨૫૭ ૨૧ ૨૨, ૧૦૮ ૬૨ ૨૫૮ ૨૧૯ ૬૦ ૭૩ ૨૮૨, ૨૮૩ ૫૮ ૬૨ ૨૬૧ ૬૦ ૨૮૩ ૬૦ શબ્દ ગર્ભોત્પન્ન ગહ ગવય ગવાક્ષસમૂહ ગવેષણતા ગહર ગાંઠ ગાંધર્વ ગાંધર્વલિપિ ગાગર ગાડી ગાત્ર ગાથા ગાય ગાયા ગિરનાર ગિરિ ગિરિકર્ણિકા ગિરિનગર ગિરિનાર ગિલ્લી ગીત ગીદડ ગુઆર ગુંજા ગુંજાવલ્લી ગુંજાવાત ગુચ્છ ગુટિકા ગુડ ગુડપર્પટિકા અંગબાહ્ય આગમો પૃષ્ઠ ૫૫ ૧૪૦ ૭૩ ૫૮ ૨૫૪ 9.3 ૪૨ ૮૭ ७८ ૭૨ ૬૦ 3.3 ૨૧ ૭૩ ૨૧ ૧૫૪ ૪૪ ૭૦ ૧૩૫ ૧૩૫ ૬૦ ૩૯ ૭૩ ૭૭, ૯૭ ૨૬૬ ૭૦ ૬૯ ૫૫, ૬૯ ૧૭૧ ૫૮ ૫૯ Page #351 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૩૧૫ પૃષ્ઠ ७४ * V ગુફા ) W \S V ) " છ ર " ૫ એ ) છે ७४ ) જ શબ્દ પૃષ્ઠ શબ્દ ગુણપ્રમાણ. ર૬૯ ગોમુખ ગુણશિલ ૧૦૪ ગોમુખી ગુપ્તિ ૧૩૮ ગોમેધ્યક ૪૪ ગોખ્ખી ગુરુ, ર૬૬, ૨૨૭, ૨૨૮, ૨૨૯ ગોયમ ગુરુસાધમિકસુશ્રુષણા ૧૪૦ ગોરક્ષર ગુરુમાસ ૨૨૧ ગોરસ ગુલય ગોલઘર ગુલ્મ ૫૫, ૬૯, ૭૦ ગોલબાયણ ગુહ્યદેશપિધાનક ૨૦૦ ગોવાળ ગૂઢદેત ગોલોમ ગૃહકોકિલ ગોલ્ડ ૬૦, ૮૮ ગૃહપતિકુલમધ્યવાસ ૧૯૫ ગોવ@ાયણ ८८ ગૃહલિંગસિદ્ધ ૨૪૯ ગોવિંદ ગૃહિધર્મ ૯, ૧૪ ગોવ્રતિક ૧૪ ગેરીનો ૧૧૪ ગોશાલ ૧૫, ૨૪, ૨૬, ૧૨૩ ગેહાગાર ૯૪ ગોશીર્ષ ૫ ઐરિક ૬૮, ૧પર ગોષ્ઠામાહિલ ગોંડ ૭૪ ગૌ ૨૪૪ ગોકર્ણ ૭૩, ૭૪ ગૌતમ ૧૪, ૪૪, ૮૮, ૮૯, ૧૩૭ ગોક્ષીર ૫૮ ગોચ્છક ૧૭૦, ૨૦૦ ૭૦ ગોજલૌકા ગ્રહ ગોણલખણ ગ્રહઅપસવ્યક ગોણસ ૭૩ ગ્રહગજિત ગોત્ર ૮૮, ૧૪૦ ગ્રહદંડ ગોત્રસ્પર્શિકા ગ્રહદિવસ ૨૯૦ ગોધ ૭૪ ગ્રહમુશલ ગોધૂમ ૭૧ ગ્રહયુદ્ધ ગોપાલી ૭૦ ગ્રહસંઘાતક ૫, ૨૮, ૫૮ ગ્રામ પ૯, ૧૯૩ ગોમય-કીડા ૭૨ ગ્રામદાહ ગોમાણસિયા ૪) ગ્રામરોગ ગ્રંથ ૨૬ ૨. ગ્રંથી 4 છે 0 - ૨૧ 0 ' ૬૦ ૭૦ 0 * પ્રn 0 0 n ગોપુર Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શબ્દ ગ્રાહ ગ્રીષ્મઋતુ ત્રૈવેયક ઘંટિકા ઘટ ઘટીમાત્ર ઘટીમાત્રક ઘડો ધન ઘરસમુદાણિય ઘરોઇલ ઘર્ષણ ઘાંચી ઘુલ્લ ધૃત મૃતવર-સમુદ્ર ધૃતોદક ઘોટકમુખ ઘોડા ઘોડો ઘોરયુદ્ધ ઘોલન ઘોષ ઘોષાતકી ચઉસરણ ચંક્રમણ ચંડી ચંદ ચંદગવિજ્ઞ ચંદન ઘ પૃષ્ઠ ૫૫, ૭૨ ચ ૧૯૬, ૨૧૩ ૫૭, ૭૯ ૫૮ ૫૭ ૧૯૫ ૧૯૫ ૨૪૪ ૩૯, ૨૪૪ ૨૪ ૭૩ ૧૮૦ 99 ૭ર ૮૯ ૬૫ ૬૯ ૨૫૭ ૩૨, ૪૫, ૪૬ ૩૨, ૪૩, ૪૬, ૭૩ ૨૨ ૧૮૦ ૧૯૪ ૭૦ ૨૭૬ ૨૦ ૭૧ ૧૦૯ ૨૯૪ ૬૯ અંગબાહ્ય આગમો પૃષ્ઠ ૭૨ ૫ ૬૮ ૯૦ ૧૦૪ ૨૯૪ ૭૮, ૮૫-૯૦, ૧૦૩ ૨૯૪ ૬૧ ૬૧ ૨, ૯૦ ૬૮ ૫૬ ૩૮ ૨૫૭ ૫૮ ૨૦, ૫૨ ૫૭ ૩૭ ૯૪ ૩૭ ૩૭ ૩૮ ૩૭ ૬૧ ૩૮ ૭૦ ૭૦ ૩, ૪, ૫, ૬, ૨૯, ૩૮, ૭૦, ૭૫, ૧૦૫, ૧૩૪, ૧૮૫, ૧૯૦, ૧૯૭, ૨૮૮ ૩ શબ્દ ચંદનક ચંદનકલશ ચંદનરત્ન ચંદપન્નત્તિ ચંદસૂરિ ચંદાવિજય ચંદ્ર ચંદ્રકવેધ્યક ચંદ્રગ્રહણ ચંદ્રપરિવેશ ચંદ્રપ્રજ્ઞપ્તિ ચંદ્રપ્રભ ચંદ્રપ્રભા ચંદ્રમંડલ ચંદ્રવેધ્યક ચંદ્રશાલિકા ચંદ્ર-સૂર્યદર્શન ચંદ્રસૂર્યમાલિકા ચંદ્રાગમ ચંદ્રાભ ચંદ્રાવરણ ચંદ્રાવલિકા ચંદ્રાસ્ત ચંદ્રોદ્ગમન ચંદ્રોપરાગ ચંપક ચંપકજાતિ ચંપકલતા ચંપા ચંપાનાલા ૨, Page #353 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા A શબ્દ ચક્કલ ચક્કલખણ = ચક્ર ચમ ૦૪, ૯૬ @ ૧ ૦ ૦ هم لي @ ૨૨ ૩૭ છે % ૧ 5 6 4 o ચક્રરત્ન ચક્રવર્તી ચક્રવાક ચક્રવાલ ચક્રવ્યુહ ચક્રાર્ધ ચક્ષુર્લામ ચક્ષુબ્બાનું ચટક ચતુ કૃત્ન ચતુશરણ ચતુ:શાલા ચતુરંગીયા ચતુરિંદ્રિય ચતુર્થક ચતુર્નામ ચતુર્યામધર્મપ્રતિપન્ન ચતુર્વિશતિસ્તવ ૦ ૩૧૭ શબ્દ પૃષ્ઠ ચરિકા ૫, ૨૮ ચરિયા ૫૮ ૪, ૨૮, ૫૬, ૫૭ ૧૭૧, ૨૦૦, ૨૧૭ ચર્મકોશ ૧૭૧ ચર્મચ્છેદ ૭૩ ચર્મપક્ષી ૩૭ ચર્મ-પલિછ ૨ ૧૭ ચલનિકા ૧૭૧ ચવલિય ૨૦૭ ચષક ૯૪ ચાંદી ચાટુકાર ૨૦૧ ચાણક્ય ૨૮૬ ર૭૬ ચાણક્યી ૭૮ ૫૮ ચાતુર્માસ ૧૯૬ ૧ ૨૧ ચાતુર્માસિક ૨૨૬, ૨૨૭, ૨૨૯, ૨૨૬ રર ૬૫, ૭૨ ૨૩૦, ૨૩૧, ૨૩, ૨૩૩, ૨૩૪, ૨૩પ ૨૬૫ ચાતુર્માસિકી ૨૧૯ ૨૦૩ ચાતુર્યામ ૧૪૦, ૧૪૩, ચાતુર્યામિક ૨૧૯ ૨૫૭, ૨૬૩ ચાપવંશ ૭૦ ૫૮ ચામર ૧૧ ચામરછાયન ८८ ચાર ૨૨, ૧૯૬ ચારેક ચારકબંધન ૧૮૨ પપ ચારગબદ્ધગ ૨૧ ચારણ ૭૪ ૫૮ ચારણભાવના ૨૧૯ ૧૪૦, ૨૫૭ ચારિત્ર ૧૩૯, ૨૭૧ ૮૦ ચારિત્રગુણપ્રમાણ ૨૬૯ ૪૫, 6 ચતુષ્કોણ ઘર ચતુષ્પાદિક ચમર ચમરીગાય ચમસ ચમાર ચમ્મપખી ચમ્મલખણ ચરણમાલિકા ચરણવિધિ ચરમાગરમ ૭૭, ૯૭ ૧૩ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શબ્દ ચારિત્રાર્ય ચાસ ચાળણી ચિંતા ચિકિત્સા ચિત્ત ચિત્તગ ચિત્તગાર ચિત્તલી ચિત્ત-સંભૂતીય ચિત્ત-સમાધિ ચિત્તસમાધિ-સ્થાન ચિત્રકર્મ ચિત્રકાર ચિત્રકૂટ ચિત્રધર ચિત્રપક્ષ ચિત્રરસ ચિત્રવીણા ચિત્રશાલા ચિત્રા ચિત્રાંગ ચિલલ્લગ ચિલાત ચિલાતીપુત્ર ચિલાયલોક ચિલિમિલિકા ચિલિમિલી ચિલ્લલ ચીડા ચીણ ચીનાંશુક પૃષ્ઠ ૭૫, ૭૮ ૭૪ ૨૪૪ ૨૫૪ ૨૬૧ ૪૩, ૧૨૮ ૭૩ ૭૭ ૭૩ ૧૨૮ ૧૭૬ ૧૮૦ ૧૯૫ ૭૭ ૧૦૨ ૬૨ ૭૨ ૯૪ ૩૬ ૫૮ ૮૮, ૮૯, ૧૮૭ ૯૪ ૭૩ ૧૧, ૧૨ ૨૮૬ 2) ૧૯૫ ૧૭૧ ૭૪ ૫, ૨૯ ૭૪ ૫૮ શબ્દ ચીર-પ્રક્ષાલન ચંચુણ ચુÇજુત્તી ચલિત ચુલિતાંગ ચુલ્લકલ્પશ્રુત ચૂઆ ચૂડાકર્મ ચૂડામણિ ચૂડોપનયન ચૂર્ણ ચૂતલતા ચૂલિકા ચૂલિકાંગ ચૂલિકાસૂત્ર ચેટક ચેદિ ચેલ ચેલ-ચિલિમિલિકા ચેલના ચેલોપનયન ચેલ્લણા ચૈત્ય ચૈત્યમહ ચૈત્યવંદન ચૈત્યવૃક્ષ ચોપાટ ચોનિર્યાસસાર ચોરક ચોલપટ્ટ ચોલોપણ અંગબાહ્ય આગમો પૃષ્ઠ ૧૬૯ ૭૬ ૨૧ ૨૬૪, ૨૬૮ ૨૬૪, ૨૬૮ ૨૫૭ ૪૧ ૨૦ ૫૭ ૫૩ ૧૬૦ ૭૦ ૯૪, ૨૪૧ ૯૪ ૨૪૧ ૮, ૧૦૫, ૧૦૮ ૭૫ ૧૯૦ ૨૧૭ ૧૦૫ Ο ૧૦૫ ૨૯, ૪૪, ૯૬ ૬૦ ૪૨ ૬૯ ૨૧ ૫૬ ૭૧ ૧૭૦ ૨૦ Page #355 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા શબ્દ ચૌસલ્લા ચ્યુતાચ્યુતશ્રેણિકાપરિકર્મ છંદ છણાલય છત છત્તલક્ષ્મણ છત્ર છત્રકાર છત્રી છત્રૌક છત્રૌધ છરુપ્પવાય છર્દિત છવિચ્છેદ છલ્વિય છાજન છાણવિસ્ટ્ છાત્ર છાપરું છાયા છાશ છિપાય છિન્ન છિન્નરુહ છીંકા છીપા છેદ છેદસૂત્ર છેદોપસ્થાપના છ ૧, ૧૮ ૧૯ ૪૭ ૨૧ ૨૧૭ ૭૭ ૧૯ ૭૧ ૬૯ ૨૧ ૧૬૧ ૯૫ ૭૬ ४० ૭૨ ૧૧ ૪૦ ૮૮ ૫૯ ૯૭ ૧૩૧ ૭૧ ૪૦ ૭૭, ૯૭ ૧૭૩, ૨૧૦, ૨૩૮, ૨૪૦ ૧૭૩ ૭૮ ૨૭૧ ૨૦૭ છેદોપસ્થાપનીય-ચારિત્ર છેદોપસ્થાપનીયસંયતકલ્પ સ્થિતિ પૃષ્ઠ ૫૮ ૨૫૮ શબ્દ જંબૂદીવપત્તિ જંબૂ જંબૂઢીપ જંબુઢીપપ્રજ્ઞપ્તિ જંબૂફલકલિકા જંબૂવૃક્ષ જઘન્યકુંભ જટી જણવય જણઈ જન્નઈ જન્મદિન જપા જમાલિ જય જયઘોષ જયંત જયંતી જલ. જલકાંત જલચર જલચારિકા જલહ જલવાસી જવિસ્ફૂ જલોય જલૌકા જલ્લ જવજવ જવસય . જ ૩૧૯ પૃષ્ઠ ૨, ૯૦, ૯૧ ૩૮, ૧૦૫, ૨૪૩ ૬૨, ૮૬, ૯૨, ૧૦૩ ૯૨, ૨૫૮ પદ ૬૫, ૧૦૨ ૨૬૬ ૧૧ ૨૦ ૧૫ ૧૧૦ ૨૦, ૧૨ 90 ૨૫ ૧૩૨ ૧૩૮ ૭૯, ૧૧૪ ૭૦ ૭૨ ૬૮ ૧૫, ૭૨, ૮૯ ૭૨ ૫૫, ૬૯, ૭૧ ૧૬, ૧૭ ૭૨ ૭૩ ૭૨, ૨૪૪ ૪, ૨૮, ૬૦, ૭૪ ૭૧ ૭૭ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શબ્દ જસ્તા જાઉલગ જંગલ જાંગિક જાંબુડી જાગરિક જાગરિકા જાતકર્મ તરૂપ જાતિમંડપ જાતિ-સ્થવિર જાતી જાતુમણા જાત્યાયે જાર જાલફટક જાલઘર જાલવૃંદ જાલાય જાવતી જાસુવણ જાણક જિઝગાર જિતશત્રુ જિનકલ્પિક જિનકલ્પી જિનદાસગણિ જિનપૂજા જિનપ્રતિમા જિનભદ્રગણિ જિનેશ્વરસૂરિ જીતકલ્પ પૃષ્ઠ ૬૮ શબ્દ ૪૧, ૬૪, ૬૫,૯૨ ૨૩૮ ૪ ૨૩૮ જીતકલ્પવ્યવહાર ૭૦ જીત-વ્યવહાર ૭૫ જીર્ણન્તઃપુર ૧૯૯ ૬૯ ૨૦ ૨૦, ૫૨ ૨૦ ૫૬ ૬૨ ૨૧૯ ૭૦ ૭૦ ૭૫, ૭૬ ૩૭, ૩૮ ૪૧ ૬૨ ૫૮ ૭૨ ૭૧ ૭ ૨૪૪ ৩৩ ૪૩, ૯૧ ૨૧૫ ૧૨૦, ૧૭૦ ૨૩૭ ૨૩૬ જીવ જીવક જીવંજીવ જીવંતી જીવપએસિય જીવપ્રજ્ઞાપના જીવાજીવવિભક્તિ જીવાજીવાભિગમ જીવાભિગમ જ્ગમત્સ્ય જુગાર ફુગ્ગ જુત્તી યુદ્ધ જુદ્ધાતિજુદ્ધ જૂથ સ જૂહી તૃભિક જેકોબી જેમામણ જેહિલ જોઈ જોઉતિણય જોડાં જોનક જો કર્ણા જોહ જ અંગબાહ્ય આગમો પૃષ્ઠ ૨૩૮ ૨૧૯ ૨૨૮ ૪૮, ૫૨, ૧૫, ૧૪૧ ૭૧ ૭૩ ૭૦ ૨૫ F ૧૪૧ ૧૪, ૫૫ ૧, ૨, ૩, ૫૪, ૨૫૮ ૭૨ ૨૦ ૬૦ ૧૧૨ ૨૨ ૨૨ ૨૦, ૭૨ ૫૯ ૭૦ ૧૮૬ ૧૧૮ ૨૦ ૨૪૩ ૧૭ ૮૮ ૧૯ ૯૯ ૮૯ ૭૩ ૩૧ Page #357 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૩ ૨૧ છે ટિંબર છે પૃષ્ઠ શબ્દ ૭, ૭૬ ૧૪૦ ૨૫૬ ૨ ૧૫ ઠાણાંગ ૬૬, ૧૩૯, ૨૪૧ ઠિવાડિયા ૨૬૯ ઠીંગણી ૨૫૮ ૨૪૪ ડમર ૭૫, ૭૮ ડિડિમ ૧૪૦ 9 , ૬૧ શબ્દ જ્ઞાત જ્ઞાતાધર્મ જ્ઞાતાધર્મકથા જ્ઞાતિજન જ્ઞાન જ્ઞાનગુણપ્રમાણ જ્ઞાનપ્રવાદ જ્ઞાનવાદ જ્ઞાનાર્ય જ્ઞાનાવરણીય જ્ઞાની જયેષ્ઠા જ્યોતિરસ જ્યોતિર્વિદ્યા જ્યોતિષ જયોતિષશાસ્ત્ર જ્યોતિષિક જ્યોતિષી જ્યોતિષકરંડ જ્યોન્ઝા જવર જવાલા ડિબ ડોંબ ૭૪ ७४ ૮૭, ૮૯ પ૬ ૨૯૦ ડોંબિલગ ડોરા P ઝ ૭૩ ૭૨ ८४ ૩૫ ૪૨ ૭૧ ૧૧ ૧૮ ઢકુણ ઢક્કા ૬, પ૫, ૬૧, ૭૯ ઢાંકણ ૯૪ ૯૦ સંગલ ૬૧ સંગલિયા ૬૦ સંતિક હક્ક ૩૬ ણગ્નઈ ૬૯ સત્યગ ૧૧ સહિય ૭૨ ભારય ૭૨ સાલિયાખેડ ૧૧, ૩પ ણિઅલબદ્ધગ ૭૩ ૧૭ ઝા ઝંઝાવાત ઝાંઝ ઝિગિર ઝિલ્લિય ઝાલર ૭૧ ૧૭ ૧૩ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શબ્દ ણિદાણ ણિયાણ ણીણિય ણેઉર ણોણિકાયણ સંતવ તંદુલ તંદુલમસ્ત્ય તંદુલવેયાલિય તંદુલવૈચારિક તંદુલેજ્જગ તંબોલી તંબોલીમંડપ તઓસિમિંજિય તક્કલિ તગર તચ્ચનિક તચ્ચનિય તડાગમહ તણબેંટિય તણાહાર તત તત્ત્વ તદુભયાગમ તનુવાત તપ તપસમાધિ તપસ્વી તપોમાર્ગગતિ તરક્ષ તર્જન P પૃષ્ઠ ૧૮૯ ૧૮૯ ૭૨ ૭૨ ૮૯ ૭૨ ૮૯, ૨૮૨ ૭૩ ૨૮૨ ૨૫૭, ૨૮૨ ૭૧ ૭૭, ૯૭ ૬૨ ૭૨ ૭૧ ૪૧ ૧૬૭ ૧૫૨ ૭૨ ૭૨ ૩૯ ૧૩૯ ૬૯ ૬૯ ૧૩૯, ૧૪૦, ૨૩૯, ૨૪૦ ૧૫૭ ૧૩૯ ૧૪૦ ૭૩ ૧૮૦ ૬૦ શબ્દ તમઃપ્રભા તમાલ તમિસગુહા તરવૈયા તરુણીપડિકમ્મ તલ તલઉડા તલભંગ તલવર તલિકા તહેવાર તાંબું તાડન તાપસ તામરસ તાલિ તામસબાણ તાપ્રલિમિ તારા તારાવલિકા તાલ તાલપુર તાલપ્રલંબ વિંતિણિક હિંદુક તિગિછ તિગિચ્છાયણ તિઘરંતરિયા તિથિ તિમિ તિમિંગિલ તિમિસગુહા તિમિર અંગબાહ્ય આગમો પૃષ્ઠ ૫૫ 06 ૫૬, ૯૨ ૪ ૨૧ ૭૧ ૭૦ ૫૭ ૬,૮, ૯, ૨૯, ૩૦, ૫૯ ૧૭૧ ૬૦ ૬૮ ૧૮૦ ૧૫, ૧૫૨ ૭૧ ૧૫ ૬૧ ૧૫, ૭૫ ૭૮ ૩૭ ૩૬, ૭૦ ૧૦૭ ૧૯૩ ૨૦૭ ૬૯, ૧૩૭ ૧૦૧ ८८ ૨૪ ૮૮, ૨૯૦ ૭૨ ૭૩ ૯૮ ૭૦ Page #359 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૩૨૩ ૨૫૮ શબ્દ તિરીટપટ્ટક તિર્યચ તિર્યંચયોનિક તિલ ૪૧, ૮૯ ૧૧ તિલક તિષ્યગુપ્ત તિસરય તીર્થ ૧૧, ૫૬ 0 ૮૯ + ૮૯ 2 તીર્થકર તીર્થંકરસિદ્ધ તીર્થસિદ્ધ તંતુણ તંબતું તુંબર તુંબવીણા તુંબી તુડમાં તુનાગ તુર્કી તુરતુમ્બગ તુરષ્ક તુલસી તુલા તુવર પૃષ્ઠ શબ્દ ૧૯૯ તેજોગ્નિનિસર્ગ પ૫, પદ તેતર તેરાસિયા ૭૧, ૮૯ તેલ તેલી ૨૫ તેવુરણભિજિય ૯, ૩૦ તૈલમર્દક ૧૦૨ તોટ્ટ તોમર ૨૪૯ તોયલી ૨૪૯ તોરણ ત્રપુષી ત્રપુષ ત્રસ ૪, ૩૬ ત્રસકાયિક ૭૦ ત્રસરેણુ પ૭ | ત્રિકૃત્ન ત્રિકોણઘર ત્રિદંડ ત્રિનામ ૫, ૨૯ ત્રિપાઈ ૬૯, ૭૧ | ત્રિમાસિક ૨૬૬ ત્રિરાશિ ત્રિશલા ત્રિશાલા ૪, ૨૮, ૩૬ ત્રીદ્રિય ૫૫, ૬૯, ૭૦ ત્રુટિત ત્રુટિતાંગ ત્રરાશિક ૫૫ સ્ત્રાહિક ૬૫, ૬૮ ત્વચાવિષ m. 5 ૧૦૦ ૫૮ ૧૮, ૧૯ ૨૬૫ ૧૯ ૨૦૯ 0 ૨૫ ૧૮૫, ૧૮૬ ૫૮ તૂર તૃણ તૃણહારક તેંદુઆ તેજસ્કાય તેજલ્કાયિક ૬૫ ૯૩, ૨૬૪, ૨૬૮ ૯૩, ૯૪, ૨૬૪, ૨૬૮ ૩પ૭ ૬૯ ૬૯ Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ અંગબાહ્ય આગમો પૃષ્ઠ છે. 9 P V ૧૫ - 0 5 છે 0 જ , ૧૧, ૩૭ 0 0 ૭૧ શબ્દ શબ્દ દધિપુષ્યિકા થલચર ૫૫, ૭૨, ૭૩ દધિવાસુકા થાંભલા ४० દમિંદ થાલઈ દમનક થાલીપાક મિલ થિમગા ૭૧ દરજી થિલ્લી થીQ ૭૧ દર્દરિકા થંડકી ૬૯ દર્પણ દર્ભ દંડ ૧૩, ૧૩૧, ૧૪૦, ૧૭૧, દર્ભવર્તન ૧૮૦, ૨૧૭ દંડનાયક ૬, ૧૦ દર્શન દંડનીતિ ૯૪, ૯પ દર્શન-આર્ય દંડપાલિક ૪, ૨૮ દર્શનાર્ય દંડલખણ ૨૧ દર્શનગુણપ્રમાણ દંડાયતિક - ૮ દર્શનાવરણીય દંડાસન ૨૦૫ દબહલિયા દંડી ૧૧ દશનામ દંતકાર દશવૈકાલિક દંતવેદના - ૬૧ દંતી દશા જિંતુમ્બલીય ૧૫ દશાર દકતીરપ્રકૃત ૧૯૫ દશાર્ણ દકપિપ્પલી દશાર્ણભદ્ર દખિણકૂલગ ૧૫, ૧૬ દશાશ્રુતસ્કંધ દગમટ્ટિય દગ્ધપુષ્પ દશકાલીય દઢરહ ૧૧૨ દસધ દત્ત ૧૦૯, ૧૧૨ દસરહ દત્તિ ૧૮૩ દસયાલિયા દધિપર્ણ ૬૯ દહિવત્ર ૬૬, ૮૩, ૮૪ ૭૮ ૭૫ ૨૬૯, ૨૭૧ ૧૪૦ ૭૧ ૨૬૫ ૧૧૪, ૧૪૬, ૨૩૫, ૨૫૭ ૨૮૪ ૨.૧ ૭૫ ૧૩૨ ૧૪૦, ૧૭૨, ૧૭૪, ૨૧૯, ૩પ૭ ૧૪૮ ૧૧૨ ૧૧૨ ૧૪૬ ૬૯ Page #361 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા શબ્દ દહીં દાડમ દાયક દારુદંડક દાવાગ્નિ ન-દગ્ધન દાસ દાસી દાહ દિક્કુમાર દિક્યુરી દિષ્ટિવાય દિન દિશ દિલી દિવસ દિવ્યાગ દિશાકુમાર દિશાદાહ દિશાપ્રોક્ષક દિશાપ્રોક્ષિત દિશાસ્વસ્તિક-આસન દિસાપોક્ખી દીક્ષા દીઘનિકાય દીનારમાલિકા દીપશિખા દીપ્તચિત્ત દીર્ઘાસન દીવસાગરપતિ દુંદુભિ દુકૂલ આ. -૨૩ પૃષ્ઠ ૮૯ ૬૯ ૧૬૧ ૨૦૬ ૧૮૦ ૧૫૯ ૧૨, ૧૩ ૬૧ ૦૨ ૩ ૮૬, ૮૧, ૮૮ ૨૪૩ ૭૩ ૨૯૦ ૭૩ ૭૮ FO ૧૬ ૧૧૦ ૬૨ ૧૬ ૨૧૬ ૧૩૧ ૫૭ ૯૪ ૨૬૭, ૨૧૧ ૬૨ ૩, ૫૪, ૯૦ ૧૧, ૩૫ ૧૮ શબ્દ દુગ્ધજાતિ દુધરંતરિયા દુભ્રુઇયા દુર્ભિક્ષ દુર્ભિક્ષદાસ દુર્ભિક્ષ-ભક્ત દુર્ભૂત દુષ્ટ દુષ્ટ તિઃ દુખમા દુખમા-દુષ્ટ મા દુખમા-સુષમા ६53 1 દૂતી દૂધ દૂષ્યગણી દૃઢપ્રતિજ્ઞ કૃતિકાર દૃષ્ટિવિષ દૃષ્ટિવિષભાવના દેયડા દેવ દેવકી દેવકુમાર દેવકુમારી દૃષ્ટસાધર્માવત્ ૨૬૯ દૃષ્ટિવાદ ૧૧૮, ૨૧૯, ૨૫૬, ૨૫૭, ૨૫૮ દેવકુરુ દેવગુપ્ત ૩૨૫ પૃષ્ઠ ૫૬ ૨૪ ૧૧૩ ૧૬૩ FO ૧ ૬૧ ૨૦૨ ૨૫૮ ૯૨, ૯૬ ૯૨, ૯૬ ૯૨, ૯૬ 06 ૬ ૧૬૦ ૮૯ ૨૪૩ ૨૦, ૫૨ ૭૬ ૭૩ ૨૧૯, ૨૫૮ ૭૬ ૫૪, ૫૫, ૬૧, ૬૫, ૭૨, ૭૮, ૧૪૦ ૧૩૫ ૩૫, ૩૬ ૩૫, ૩૬ ૭૪, ૧૦૨ ૧૭ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૬ અંગબાહ્ય આગમો પૃષ્ઠ ૧ ૨૫ ૧૧૮ પ૯, ૧૯૩ પૃષ્ઠ ૧૬૩ ૬૯, ૭૦ ૬૫, ૯૫ ૧૮૭, ૨૪૩ ૧૦૨, ૧૮૫ ૨૯૧ ૬૫ ૨પ૭, ૨૯૧ ૨૧૯ ૨૬૬ ૨પ૬, ૨૫૮ ૫, ૨૮, ૫૮ ૧૧૨, ૧૩પ ૨ ૩. ૫૩ ૪C ૭૫, ૧૧૨, ૧૧૩ ૪૦ ૨૫૮ પપ, ૭૩ શબ્દ દેવતા દેવદાલી દેવદૂષ્ય દેવર્ધિગણિ દેવાનંદા દેવિંદથય દેવી. દેવેંદ્રસ્ત દેવેંદ્રોપરાત દેશીભાષા દેહલી દોકિરિયા દોગિદ્ધિદસા દોમિલિપિ દોલ દોવાલી દોષ દોષાપરિયા દોહદ દૌષ્યિક દ્રવિડ દ્રવ્ય દ્રવ્ય આવશ્યક દ્રવ્યપ્રમાણ. દ્રવ્યાર્થી દ્રાક્ષાસવ દ્રાવિડી શબ્દ દ્રુમપત્રક દ્રુમપુષ્યિકા દ્રોણમુખ દ્રોણાચાર્ય દ્રોણી દ્વાદશાંગ દ્વારે દ્વારકા દ્વારપાળ દ્વારવતી દ્વારશાખા દ્વિકાવર્ત દ્વિખર દ્વિધા આવર્ત દ્વિધાચક્રવાલ દ્વિધાવક્ર દ્વિનામ દ્વિમાસિક દ્વિમુખ દ્વિશાલા દ્વીંદ્રિય દ્વીપ દ્વીપક દ્વીપકુમાર દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ દ્વીપી દ્વયાલિકા છે ઇ ૧૭૩ ૩૭ ૨૭૫ ૨૦૯ ૧૩૨ * * * * * * * * ૯૩ ૧૦૫ ૫૮ ૧૨, ૫૮, ૭૪ ૧૩૯ ૨૬૨ ૬૫, ૭૨ ૫૪, ૮૬, ૮૭ ૮૯ ૬૧, ૭૮ ૨૫૮ ૭૩ છે 7 ૦ ) જી ૧ ૨ જી દુતનાટ્ય કુતવિલંબિત દુતવિલંબિતનાટ્ય ધણંજય ધણુવેય ધનગિરિ ધનપતિ ૩૮ ૩૮ ૨૪૩ જ Page #363 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા છ શબ્દ ધનિષ્ઠા ધનુર્વિદ્યા ધનુર્વેદ ૧૫૯ ધનુષ્ય ધરગ ધરણોપરાત ધરણોપપાતિક ધરહરા = = =1 ) (o & ધર્મ V શબ્દ ધીવ૨ ૭૭, ૯૭ ૫૦ ધુરય ૭૦ ૨૨ ધૂમ ૧૧, ૨૬૬, ૨૬૭ ધુમપ્રભા ૫૫ ૫૭ ધૂમિકા ૨૫૮ ધોબી ૨૧૯ ધોરુકિન ૫૮ ધ્યાન ૧૪૮, ૨૪૩, ૨૪૪ ધ્યાનવિભક્તિ ૨૫૭ ૧૪૦ ૧૭૧ નંદન ૧૦૯ ૧૪ નંદનવન ૧૦૨ ૨૦ નંદા ૩૮, ૬૪, ૧૦૫ ૭૮ નંદાવર્ત ૭૨, ૨૫૮ ૭૧ નંદિ નંદિઘોષા ૧૪૦ નંદિયાવર નંદિત ૨૪૩ ૬૯ નંદિવર્ધન ૧૮૬ નંદિવૃક્ષ નંદિસૂત્ર ૧, ૩ ૬૫ નંદિપુર ૭૫ નંદી ૨૪૧, ૨૫૭ પ૩, ૧૬૦ નંદીભાજન ૧૭૧ ૨૫૪ નંદીમૃદંગ ૨૧૯ નન્દીશ્વર-દ્વીપ ૨૫૪ નંદીશ્વરોદ-સમુદ્ર ૬, ૨૯, ૯૧ નંદ્યાવર્ત ૧૧, ૩૭, ૫૮ ૯૫ નકુલ ૩૬, ૯૧ ૯૪ નક્ષત્ર ૭૮, ૮૫, ૮૬, ૮૭, ૮૮, ૧૧ ૨ ૮૯, ૧૦૩ W Y ૫૨ ૫૮ ધર્મકથા ધર્મકરક ધર્મચિંતક ધર્મજાગરિકા ધર્મરુચિ ધર્મવૃક્ષ ધર્મશાસ્ત્ર ધર્મશ્રદ્ધા ધર્માસ્તિકાય ધવ ધવલગૃહ ધાતકી. ધાતકીખંડ ધાતુ ધાત્રી ધારણ ધોરણ-વ્યવહાર ધારણા ધારિણી ધિક્કાર કૂિદંડ ધિતિ છે. દેશ ક83 12 3 ૪ ૫૬ જ છે • Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શબ્દ નખવેદના નખહરણિકા નગર નગરરક્ષક નગરદાહ નગરમાણ નગરરોગ નગ્નજિત્ નટ નટી નટ્ટ નદી નદીમહ નપુંસક નપુંસકલિંગસિદ્ધ નભચર નમસ્કારમંત્ર નિમ નમિપ્રવ્રજ્યા નય નયદ્વાર નયનાદિ-ઉત્પાદન નયપ્રમાણ નયુત નયુતાંગ નર નરક નરવાહનિક નર્તક નલ નલકૂબર નલિણિગુમ્મ ૧૭૧ ૧૯૩ 2, ૫૯ ૬૧ ૨૨ ૬૧ ૧૩, ૧૩૨ ૪, ૨૮, ૬૦, ૭૬ ૭૮ ૨૦ ૪૪ ૬૦ ૫૫, ૨૮૪ ૨૪૮ ૫૫, ૭૨ ૨૩૬ ૧૦૦, ૧૨૩, ૧૩૨ ૧૨૩ ૨૭૨, ૨૭૫ ૨૭૫ ૫ પૃષ્ઠ ૬, ૧૮૦ ૨૬૯, ૨૭૨ ૯૪ ૯૪ ૩૭ ૪૮, ૫૬ 99 ૪, ૨૮, ૬૦ ৩০ ૧૩૬ ૧૦૯ શબ્દ નલિન નલિનાંગ નવણીઇયા નવનામ નવનીત નવનીતસાર નવબલ નવમલ્લિકામંડપ નવમાલિકા નવસ ન -અંતઃપુર નાગોલિક ' ' નાગકુમા નાગહ નાગદંત નાગપરિજ્ઞાપનિકા નાગપરિયાપનિકા નાગપરિયાવણિઆ નાગપ્રતિમા નાગબાણ નાગમંડલ નાગમહ નાગર નાગરી નાગલતા નાગલતામંડપ અંગબાહ્ય આગમો પૃષ્ઠ ૭૧, ૯૪, ૨૬૪, ૨૬૮ ૯૪, ૨૬૮ ૭૦ ૨૬૫ ૮૯ ૨૩૬ ૨૯૦ નાગવૃક્ષ નાગસૂક્ષ્મ નાગહસ્તી નાગાર્જુન * ૬૧, ૬૨ ૭૦ ૨૨૮ ૭૪ ૪૪, ૬ ૨૪૩ :૧, ૭૮ ૬૧ ૪૧ ૨૫૮ ૨૧૯ ૨૧૯ ૪૧ ૬૧ ૩૮ ૬૦ ૩૮ ૭૭ ૭૦ ૬૨ ૬૯ ૨૫૭ ૨૪૩ ૧૪૩ 1 Page #365 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૩૨૯ કે પૃષ્ઠ છે. જે શબ્દ નાટક નાટ્યકલા નાટ્યવિધિ જ છે નાથ નાભિ નામ. ૩૯ ૧૫ નામ-આવશ્યક નામકરણ નામ-સંસ્કાર નાયાધમ્મકહા નાયાધમ્મકતાઓ નારક નારાચ નારી નાલંદા નાલિકેરી નાસિકછેદન નાસિકાવેદના ૨૮૨ ૧, ૧૮ શબ્દ ૨૫૭ નિજજીવ નિણગ ૩૭ નિદાન ૧૩, ૧૮૯ ૧૩૩ નિદાનકર્મ ૧૭૬ ૯૪, ૯૫ નિધિ ૧૦૦ ૧૪૦, ૨૬૧ નિપાત ૨૬ર નિમજજક ૨૦ નિમિત્ત ૧૩૦, ૧૬૦, ૨૯૦ પર નિમિત્તવિવા ૨૪, ૧૬૩ ૧૫૩ નિયંસિણી ૧૭૧ નિરયાવલિકા ૧૦૪ ૫૫ નિરયાવલિયા ૧, ૨, ૨૦૫, પ૬ ૨૫૮ નિરુક્ત ૧૮૬ નિરુહ નિર્ગુડી ૭૦ ૧૮૦ નિગ્રંથ નિગ્રંથ પ્રવચન ૧૪૦ નિર્ધાત ૬૦, ૬૮ ૯૩, ૨૬૮ નિર્યુક્તિ-અનુગમ ૨૬૧ ૭૩ નિર્ધક્યનુગમ ૨૭૫ ૨૬૨ ૨૬૨ નિર્વેદ ૧૪૦ ૧૬૧ નિવેશ નિશીથ ૪૪, ૨૩૪, ૨૫૮ ૨૭૩ નિષધ ૧૦૧ ૧૮૦ નિષ્કપટ ૨૩૪ ૧૮૦ નિષ્ફટ, ૯૮, ૧૨૦ પ૯, ૧૯૩ નિષ્પાવ ૭૧, ૨૬૬ નિસઢ નિસઢકુમાર ૨૨ નિસર્ગરુચિ નિંદા નિસ્પૃહ નિ:શ્વાસ નિઃશ્વાસવિષ નિકર નિકાય નિક્ષિપ્ત નિક્ષેપ ૫૮ ૨૧૯ ૨૬૦ નિક્ષેપદ્વાર નિગડબંધન નિયડ-યુગલ-સંકુટના નિગમ નિગોદ નિઘંટુ નિજુદ્ધ ૬૫ ૧૮ ૧૧૩ Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ અંગબાહ્ય આગમો પૃષ્ઠ ܡ છે ? ܫ ur P = શબ્દ નિહ્નવ નિહ્નવિકી નીપ નીલપત્ર નીલપર્વત નીલી નૂપુર નૃતમાલક નૃત્ય ને ઉર નેપાલ નેમ નેમિચંદ્ર નેમિનાથ નેલ્લક Q ... ર. નેહુર શબ્દ ૨૫ પઓસ ૭૮ પંકપ્રભા પંચકલ્પ-ચૂર્ણિ ૧૨૩ ૭૨ પંચકલ્યાણક ૧૭૬ ૧૦૨ પંચજ્ઞાન ૨૪૧ ૭૦ પંચનામ ૫૮ પંચમંગલ ૧૦૦ પંચમાસિક ૨૦ પંચયામધર્મપ્રતિપન્ન ૨૦૩ પંચયામિક ૨૦૩ - ૪૨ પંચાંગુલિકા ૭૦ ૩૩, ૪૦ પચેંદ્રિય ૬૫, ૭ર ૨૩૭. પંચેદ્રિયઘાત ૨૯૭ ૧૩૫ પંડક ૨૦૨ પ૬ પંડિતમરણ ૨૭૮, ૨૯૨ પંડરતલહમ્મ ૧૦૨ પંડોળા ૧૦૨ પક્કણ ૧૨૩ પક્કણિય ૭૨ પખિકાયણ પખિયસુત્ત ૧૧૫ ૧૦૦ પક્ષ ૪૦, ૯૩, ૨૬૪, ૨૬૮ પક્ષબાહ પક્ષાસન પક્ષી ૩૨, ૩૭ ૧૦૯ પક્ષીવિરાલિક ૧૦૯ પગતા ૧૦૯ પજગ્ધાવણ ૧ ૧૯ પક્ઝોસવણા ૧૭૫ ૪૨ પટલ ૧૭૦ ૧૦ પટવા ૦ ૦ ૦ છ ૮૯ નૈગમેષ નૈગમેપી નૈમિત્તિક નૈરયિક નૈષધિક નૈસર્પ ન્યગ્રોધ ન્યાય ૪૦ 0 - ૧ ૧ ૨ 0 પઉમા પઉમગુખ્ય પઉમભદ્ર પઉમલેણ પએસી પઓઇલટ્ટિ ७६ Page #367 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૩૩૧ પૃષ્ઠ પૃષ્ઠ ૧૧ છે. છે છે . ૩૩, ૩૭, ૭૭ ૬૧, ૯૨ ૭૧ ૯૩, ૨૬૪ ૬, ૧૦૮ . જે M T ૫ ) - ૭૧ - ૨૨ શબ્દ પટ પટેલ પટોલકંદલી ૭૦ પટ્ટ ૫૮ પટ્ટઈલ પક ૧૭૧ પટ્ટકાર પટ્ટણ, ૫૯ પટ્ટિકા ૪૦, ૪૨ પટ્ટો ૨૦૦ પડલ પડિવૂહ પણવ , ૩૫ પણ્ય તરુણી પહવાગરણાઈ પતંગ પતાકા ૭૩ પતાકાતિપતાકા ૭૩ પત્તઉર પત્તશ્લેક્સ પત્તન ૧૯૩ પત્તિય ૭૨ પત્ર ૪૧ પત્રવિછૂ ૭૨ પત્રનિર્યાસસાર પ૬ પત્રરચના ૫ત્રહારક ૫ત્રાહાર ૭૨ ૩૭, ૭૧, ૯૪, ૧૦૧, ૨૬૪, ૨૬૮ પાકુમાર ૧૦૯ # શબ્દ પદ્મનાગ પદ્મપત્ર પાલતા પદ્મવરવેદિકા ૫માં પમાંગ પદ્માવતી પદ્માસન પદ્મોત્તર પનક પન્નવણા પયગ પલાઇલ પરંગામણ પરંપર પરંપરાગમ પ૨પરિવાઇય પરમહંસ પરમાણુ પરમાણુ-પુદ્ગલ પરમાધાર્મિક પરસ્ટર પરાજિક પરાસર પરિકર્મ પરિચારણા પરિગ્રહ પરિગ્રહ-વિરમણ પરિણતા પરિણત પરિણામ પરિપૂર્ણાક ૧, ૨, ૩, ૬૭ ૫૮ ૭૩ ૨૦ ૨૫૮ ૨૭૧ ૨૪ # ૧૭ ૭૦. ૨૩ ૨૬૭ પ૨, ૬૮ ૧૪) ૭૩ ૧૭ ૨ ૫૮ ८४ ૧૪૦ ૧૫૦ ૨૫૮ ૮૧ ૨૪૪ પદ્મ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શબ્દ પરિભાષા પરિમંથ પરિવર્તના પરિવર્તિત પરિવાસિત પરિવ્રાજક પરિષ્કાર પરિષ્ઠાપનિકા પરિહારકલ્પ પરિહારવિશુદ્ધિ પરિહારવિશુદ્ધિ-ચારિત્ર પરિહારસ્થાન પરીતાનંતક પરીતાસંધ્યેયક પરીત્ત પરીષહ પરોક્ષ પર્પટમોદક પર્યસ્તિકાપટ્ટ પર્યાપ્તક પર્યાય પર્યુષણ પર્યુષણાકલ્પ પર્વક પર્વગ પર્વતમહ પલ પલાશ પલાસ પલ્યોપમ પ્રવિત્તિયા પદ્મપેચ્છઇણ પૃષ્ઠ ૯૫ ૨૦૭ ૧૪૦ ૧૬૦ ૨૦૬ ૧૭, ૧૫૨ ૧૭૦ ૧૭૦ ૨૦૪,૨૦૬, ૨૧૦, ૨૧૧ ७८ ૨૭૧ ૨૨૬ ૨૭૨ ૨૭૨ ૬૬ ૧૧૮, ૧૧૯, ૧૪૦ ૨૪૫ ૫૮ ૨૦૫ ૬૬ 26 ૨૨૯ ૧૭૫, ૧૮૪ ૭૦ ૧૫, ૬૯ ૬૦ ૨૬૬ 2ૐ ૬૯ ૯૪, ૨૬૧, ૨૬૪, ૨૬૮ ૧૯ .. શબ્દ પય પશ્યત્તા પસય પસેદિ પહરાઇયા પહેલવાન પહેલિય પલ્લવ પાંચાલ પાંડુક પાંડુરંગ પાંશુવૃષ્ટિ પાટલા પાઢા પાણ પાણવિહિ પાણવિહિ પાણી પાતંજલિ પાતિમોક્ખ પાત્ર પાત્રકેસરિકા પાત્રબંધ પાત્રમુખવસ્ત્રિકા પાત્રલેખપિંડ પાત્રસ્થાપન પાત્રીસ્થાલ પાદ પાદકાંચનિકા પાદકેસરિકા પાદજાલ અંગબાહ્ય આગમો પૃષ્ઠ ૭૧ ૮૪ ૭૩ ૪૨ ૭૮ ૬૦ ૨૧ ૧૧,૧૨, ૭૪ ૭૫ ૧૦૦, ૧૦૨ ૧૬૭ ૬૦ ૭૦ ૭૧ ૭૦ ૨૧ ૨૧ ૨૫૭ ૨૨૧ ૫૭, ૧૬૯, ૧૭૦, ૨૦૦, ૨૩૧ ૧૭૦ 06 ૧૭૦ ૧૭૦ ૧૬૯ ૧૭૦ ૫૭ ૩૩, ૨૬૭ ૫૭ ૨૦૬ ૫૮ Page #369 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૩૩૩ पृष्ठ શબ્દ પાદ-છેદન પાદપ્રોછનક પાદશીર્ષક પાદાંત પાદુકા પાદોપગમન ૨૦ પાનક ૫૯ ૧૦ શબ્દ ૧૮૦ પાવા ૨૦૬ પાશ ૧ ૧ ૩૩ પાદાલન ૧૮૧ ૩૯ પાસણયા ८४ ૧૯ પાસ ૨૮૧ પિઇય પિઉસેણ કણહ ૧૦૫, ૧૦૯ પિઉસણકૃષ્ણા ૧૦૫ પ૯ પિંગલક ૧૦૦ ૧૪) પિંગલામણ ૮૯ ૧૩૧ પિંગાયણ ८८ ૧૪૦ પિંડ ૧પ૯, ૧૬૩, ૧૬૯, ૧૯૯, ૨૩૬ ૨૬૩ ૭૫ પિંડગ્રહણ-પ્રતિમા ૧૪૦ ૭૩ પિંડનિજજુત્તિ ૧૫૯ પિંડનિર્યુક્તિ ૧૧૪, ૧૫૯ ૧૨, ૭૪ પિડવર્ધન ૨૦ ૭૮ પિંડેષણા ૧૫૦, ૧૫૨ ૨૧૧, ૨૩૮, ૨૪૦ પિર ૯૯ ७४ પિયુડ ૧૩૪ ૮૯ પિયુડગ ૧૩૪ ૨૫૦, ૨૫૪ પિપીલિકા ૭૨ ૭૩ પિપ્પલક ૧૭૧, ૨૨૨ ૨ ૧ ૨. પિપ્પલિકા ૫૭ પિયંગાલ ૧૮૪ પિરલી ૨૮, ૪૪, ૧૩૭, ૧૮૭ પિરિપિરિકા પિશાચ ૬૧, પિશ્ચા ૭૨ ૯, ૩૦ પિહિત ૧૬૧ પિહુંડ ૧૩૪ પીઠમર્દ પાનદાન પાનીયા પાપ પાપશ્રમણીય પાપસૂત્ર પાપસ્થાનક પાપા પાયહંસ પાયાસિ પારસ પારસી, પારાંચિક પારાવત પારાસર પારિણામિકી પારિપ્લવ પારિહારિક પારી. પાર્થ પાર્શ્વનાથ પાર્શ્વભૂલ પાર્થાપત્ય પાલંબ પાલક પાલિત પાવવલ્લી * * * * * * * * છે ) . ૪૪ ૧૩૪ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શબ્દ પીપળ પીલુ પુંજ પુંડરીક પુખ્ખરસારિયા પુટક પુટભેદન પુકા પુતળી પુત્રંજીવક પુદ્ગલ પુદ્ગલપરાવર્ત પુનર્વસુ પુત્રભદ્ પુન્નાગ પુચૂલા પુચૂલિયાઓ પુબેંટિય પુલ્ફિઆઓ પુલ્ફિયા પુરાણ પુરિમતાલ પુરિસલક્ષ્મણ પુરુષ પુરુષલિંગસિદ્ધ પુલક પુલાકભક્ત પુલાકિમિય પુલિંદ પુવ્વાપોટ્ટવતા પુષ્કર પૃષ્ઠ શબ્દ ૭૦ ૬૯ ૨૬૩ ૭૧, ૭૩ ૭૮ ૧૭૧ ૧૯૪ ૪૨ ૩૨ ૬૯ ૧૫૧ ૨૬૪ ૮૮, ૮૯ ૧૦૯ ૬૯ ૧૧૨ ૨ ૭૨ ૧૦૪, ૧૦૯ ૧, ૨૫૭ ૧૮, ૯૬ ૨૧ ૫૫, ૯૪, ૨૮૪ ૨૫૯ ૫૬, ૬૭, ૭૩ ૨૬૨ ૭૨ ૧૨, ૭૪ ८८ ૭૧ પુષ્કરવરદ્વીપ પુષ્કરોદ-સમુદ્ર પુષ્પ પુષ્પચૂલિકા પુષ્પનિર્યાસસાર પુષ્પાવલિ પુષ્પિકા પુષ્પોત્તર પુષ્ય પુષ્યગિરિ પુષ્યદૈવત પુષ્યમાણવ પુષ્યમાનવ અંગબાહ્ય આગમો પૃષ્ઠ ૬૫ પુસ્તક પુસ્સાયણ પૂગફલી પૂતિકર્મ પૂતિનિંબકરંજ પૂર્ણભદ્ર પૂર્વ પૂર્વગત પૂર્વપુઢવય પૂર્વવત્ પૂર્વસંસ્તવ-પશ્ચાત્સંસ્તવ પૂર્વાંગ પૂર્વાફાલ્ગુની પૂર્વાષાઢ પૂસલી પૃથક્ક્સ પૃથિવીકાયિક પૃથિવીશિલાપટ્ટક ૫ ૩૩, ૩૭ ૧૦૪, ૨૫૮ ૧૮ ૮૮, ૮૯ ૨૪૪ ૨૫૭ ૩૨ ૩૭ ૧૦, ૪૨, ૬૪ ८८ ૭૧ ૧૬૦, ૨૨૨ ૬૯ ૫,૬, ૧૧, ૬૫, ૧૧૨ ૯૩, ૧૨૨, ૨૬૪, ૨૬૮ ૨૫૮ ૮૯ ૨૬૯ ૧૬૦ ૯૩, ૨૬૪, ૨૬૮ ૮૮, ૮૯ ૮૮, ૮૯ ૬૫ ૮૯ ૧૦૪, ૨૫૮ 06 ૨૪૭ ૬૮ ૯૨ Page #371 -------------------------------------------------------------------------- ________________ " 6 7 81 ૧૯૫ V ૭૧ ૪૩ ૧૯૯ 2 4 ૬૧ ૧૦ શબ્દાનુક્રમણિકા ૩૩૫ શબ્દ શબ્દ પૃષ્ઠ પૃથ્વીકાય ૬૫ પ્રતિપાતિક ૨૪૬ પૃથ્વીકાયિક પ્રતિપૃચ્છના ૧૪૦ પૃષ્ઠશ્રેણિકાપરિકર્મ ૨૫૮ પ્રતિબદ્ધશપ્યા પૃષ્ઠચંપા ૧૮૬ પ્રતિમાન ૨૬૬ પૃછાપૃષ્ઠ ૨૫૮ પ્રતિમા સ્થાયી પેયા ૩૫ પ્રતિલેખના ૧૯૯ પેલુગા પ્રતિવર્યાપનક પોમ્મરગયા ૨૦ પ્રતિશ્રુતિ ૯૪ પોઇલ ૭૧ પ્રતિષ્ઠા ૨ ૫૪ પોતક પ્રતિષ્ઠાન ૩૩, ૪૦ પોરિય ૧૫ પ્રતિસલીનતા પોત્યકાર પ્રતિસૂર્ય પોરગ ૭૧ પ્રતિસેવના ૧૬૩, ૧૭૨ પોરેકવ્વા ૨૧ પ્રતોદયષ્ટિ પૌરુષીમંડલ ૨૫૭ પ્રત્યક્ષ. ૨૪૫, ૨૬૯ પૌલિંદી ૭૮ પ્રત્યાખ્યાન ૧૪૮, ૧૪૫, ૧૪૮, પ્રકીર્ણક ૨૫૮, ૨૭૬ ૨પ૭, ૨૬૩, ૨૭૯ પ્રકૃતિભાવ ૨૬૫ પ્રત્યાખ્યાન-પ્રવાદ, ૨૫૮ પ્રચંક્રમણ, ૫૩ પ્રત્યાવર્ત ૩૭ પ્રચ્છાદક ૧૭૦ પ્રત્યાવર્તનતા ૨૫૪ પ્રજલ્પન ૨૦ પ્રત્યેકબુદ્ધ ૨૫૮ પ્રજમનક પ૩ પ્રત્યેકબુદ્ધસિદ્ધ ૨૪૯ પ્રજ્ઞા ૨૮૪ પ્રદેશી ૨, ૨૭, ૨૮ પ્રજ્ઞાપના ૬૭, ૬૮, ૨પ૭, ૨૬૩ પ્રદ્યુમ્ન ૧૧ ૨ પ્રણત આસન પ્રપંચા ૨૦૩ પ્રણામ ૧૪ પ્રભવ ૨૪૩, ૨૪૪ પ્રણીતભૂમિ ૧૮૬ પ્રભાવતી ૧૦૯ પ્રતર ૫૮ પ્રભાત ૧૩, ૯૮, ૧૦૨, ૧૫૪ પ્રતિક્રમણ ૧૪૦, ૧૪૪, ૨૩૯, ૨૫૭, પ્રભાસ ૧૨ ૨૬૩ પ્રભાસતીર્થ ૯૮ પ્રતિગ્રહ ૨૦૦ પ્રમત્ત ૨૦૨ પ્રતિચંદ્ર ૬૧ પ્રમાણ ૧૦૩, ૧૬૦, ૨૬ ૧, ૨૬૬ પ્રતિચાર ૨ ૨ પ્રમાણાંગુલ = ? Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ . અંગબાહ્ય આગમો શબ્દ પૃષ્ઠ ૨ ૧૭ ૧૨૫ ૧૪૦ ૨૫૭ ૯૪, ૨૬૪ ૯૪, ૨૬૪, ૨૫૯ ૯૩, ૯૮ ૨૬૩ ૧૫૭ ૨૧૨, ૨૧૪ ૬૮ શબ્દ પૃષ્ઠ પ્રાણાતિપાત-વિરમણ ૧૫) પ્રાણાયુ ૨૫૮ પ્રાણીસમૂહ ૧૪૦ પ્રાદુષ્કરણ ૧૬૦ પ્રાભૃત ૧૯૬ પ્રાભૃતિકા ૧૬૦ પ્રાહિત્ય ૧૬૦ પ્રાય વૈધર્મોપનીત ૨૭૧ પ્રાય:સાધર્મોપનીત ૨૭૦ પ્રાયશ્ચિત્ત ૮, ૧૭૩, ૨૦૯, ૨૧૦, ૨૨૧, ૨૨૬, ૨૩૮ પ્રાયશ્ચિત્તકરણ ૧૪૦ પ્રાલંબ પ્રાસાદ પ્રાસાદાવતંસક પ્રિયકારિણી ૧૮૬ પ્રિયદર્શના ૨૫, ૧૮૬ પ્રિયાલ ૬૯ પ્રીતિદાન પ્રેક્ષણ ઘર પ્રેક્ષાગૃહ ૩૩ પ્રેક્ષામંડપ પ્રે ૫૯. પ્રોષધ ૪૫ પ્રોષિતભર્તુકા ૧૬૯ ८४ ૫૭ ૫૮ પ્રમાણોપેતાહારી પ્રમાદ પ્રમાદસ્થાન પ્રમાદાપ્રસાદ પ્રમેયરત્નમંજૂષા પ્રયુત પ્રયુતાંગ પ્રયોગ પ્રવચન પ્રવચનમાતા પ્રવર્તિની પ્રવાલ પ્રવીચાર પ્રવ્રજ્યા પ્રવ્રજ્યા-સ્થવિર પ્રશાસ્તા પ્રશ્નવ્યાકરણ, પ્રશ્રેણી પ્રસન્નચંદ્ર પ્રસન્ના પ્રસાધનધર પ્રસારિત પ્રસૃતિ પ્રસેનજિત પ્રસ્થ પ્રહેલિકા પ્રાકાર પ્રાભરા પ્રાથૂર્ણક-ભક્ત પ્રાચીનવાત પ્રાણ પ્રાણત ૬૩ ૨૦૨ ૧૧૯ ૮, ૩૦ ૧૩, ૨૫૬ ૩૭ w પ૬ ? ૩૫ ઇ ૨૬૬ 2' પ્લેક્ષ, પ્લવક ૪, ૨૮ ૨૬૬ ૨૧ ૪, ૨૮, ૫૮ ૨૮૪ ૧૯ ૬૧ ૯૩ ૭૮, ૨૬૮ ૧૪૦ ૬૯ ૭૧ ફણસ ફણિક ફરસ ફરેખાબાદ ફલક ૪૦ ૧૮ ૧૦, ૩૩ પ્રાણવધ Page #373 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા શબ્દ ફલનિર્યાસસાર ફલબેંટિય ફલ્ગુમિત્ર ફુલ્લ ફૂલ બઉસ બંગ બંધુજીવક બંધુય બક બકરી બકુલ બ બદર બક બટ્ટીસ બનારસ રિસકહ્ બર્બર બર્હિ બલ બલદેવ બલભદ્ર બલરામપુર બલા બલાકા બિલ બલિસ્સહ બહલીક બહિદ્ધાદાન બ પૃષ્ઠ ૫૬ ૭૨ ૨૪૪ ૧૭ ૫૭ ૧૧ ૭૫ ૭૦ ૭૪ ૭૩ ૭૩ ૬૯ ૭૪ 90 ૩૬ ૩૬ ૧૩૮ ८८ ૧૧, ૭૪, ૯૯ ૭૪ ૧૮, ૮૯, ૧૦૯, ૧૧૨ ૯૬, ૧૧૨ ૧૩૨, ૧૩૫ ૪૨ ૨૮૪ ૭૩ દ ૨૪૩ ૭૪ ૪૫ શબ્દ બહુઉદય બહુપુત્તિય બહુપુત્રિકા બહુભાષી બહુભંગીક બહુરય બહુલ બહુશ્રુતપૂજા બાજીગર બાજુબંદ બાદર બાદરસંપરાય બારસાખ બાલમરણ બાલા બાહુ બાહુબંદ બાય બાહુયુદ્ધ બિંબ બિંબિસાર બિડાલ બિડાલી બિલવાસી બિલા બિલાડી બિલ્લ બિલ્વ બિસ બિસકંદ ૩૩૭ પૃષ્ઠ ૧૭ ૧૦૯ ૧૦૯ ૨૦૦ ૨૫૮ ૨૫ ૨૫૮ ૧૨૬ ૬૦ ૭ ૬૬ ७८ ૪૧ ૨૩૦, ૨૭૮ ૨૮૪ 6 ૭૨ ૨૨ ૨૮૩ pr ૭૩ ૨૪૪ ૧૬ ૮૯ ૭૧ ૮૯ 2í ૭૧ ૫૮ Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ અંગબાહ્ય આગમો પૃષ્ઠ ૭૧ ૭૨ ૭૧ ૧૮ ૧૫ શબ્દ શબ્દ પૃષ્ઠ બિસમૃણાલ ૭૧ ભંતિય બીજબેંટિય ભંભસાર ૫, ૬ બીજરુચિ ७८ ભંભા ૫, ૩૫ બીજરુહ ભખ્ખરામ ૮૮ બીલી ભક્તપરિજ્ઞા ૨૮૧, ૨૯૨ બુદ્ધબોધિતસિદ્ધ ૨૬૯ ભક્ત-પાન-નિરોધ ૧૮૦ બુદ્ધવચન ૨૫૭ ભક્ષ્ય ૧૧૨, ૨૫૦, ૨૫૪ ભગંદર બૃહત્કલ્પ ૧૪૦, ૧૯૨, ૨૧૯, ભગવતી ૨૧૯ ૨૫૭, ૨૮૭ ભગવતીસૂત્ર ૨૪ બૃહદાતુરપ્રત્યાખ્યાન ૨૭૮ ભગ્ગઈ બિલા ૮૯ ભગવેસ ८८ બોક્કણ ७४ ભટ ૮, ૩૦ બોટિક ૧૬૭ ભટપુત્ર ૩૦ બોટિય ૧૫૨ ભડગ ७४ બોડિયા ભત્તપરિણા ૨૮૧ બોરસલી ભદ્ર ૧૦૯ ભદ્ર ૧૦૯, ૧૧૧, ૨૩૬, ૨૪૪ બૌદ્ધ ૧૫ ભદ્રગુપ્ત ૨૪૩ બ્રહ્મ ८८ ભદ્રપ્રતિમા બ્રહ્મચર્ય ૧૪૦, ૧૬૫ ભદ્રબાહ ૧૧૮, ૧૨૩, ૨૪૩ બ્રહ્મચર્ય-સમાધિ ૧૩૧ ભદ્રમુસ્તા ૭૧ બ્રહ્મદત્ત ૧૨૮ ભદ્રા ૧૨૭ બ્રહ્માદ્ધપકસિંહ ૨૪૩ ભદ્રાસન ૧૧ બ્રહ્મરક્ષા ૨૦૫ બ્રહ્મલોક ૧૮, ૭૮ ભદ્રિલપુર ૭૫ બ્રહ્માપાય ૨૦૪ ભયસ્થાન ૧૪૦ બ્રાહ્મણ ૮, ૧૮, ૪૫, ૧૩૯, ૧પર ભરણી ૮૮, ૮૯ બ્રાહ્મણકુંડગ્રામ ૧૮૫ ભરત ૭૪, ૮૬, ૯૨. ૯૭, ૧૦૨, બ્રાહ્મી ૭૭, ૭૮ ૧૩૨, ૨૫૦ ભરતકૂટ ૯૨ ભંગિ ભરિણી ભંડી બોલ ભદ્રિકા - ૧૮૬ ૮૮ Page #375 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૩૩૯ or * 01 0 ૪૦ m w ૮૭ ૧૮ શબ્દ ભરિલી ભવન, ભવનવાસી. ભવસિદ્ધિક ભસલ ભસોલ ભાઈલ્લક ભાંગિક ભાંડ ભાંડકાર ભાંડવૈકાલિક ભાગલપુર ભાગવત ભાટ ભાણી ભાર ભારંડપક્ષી ભારત ભારતવર્ષ ભારદ્દ ભારદાય ભાલા ભાવ ભાવના ભાવ-ર-:Jવશ્યક ભાવ-પ્રમાણ ભાષક ભાષા ભાષાર્થ ભાગ ભિઉચ્ચ ભિગિરીડી ભિપિાલ પૃષ્ઠ શબ્દ ભિભિસાર ભિક્ષા ૧૬૬, ૧૭૦ ૫૫, ૬૧, ૬૯,૭૮ ભિક્ષાચર્યા ભિક્ષુ ૧૩૧, ૧૫૭ (૩૮ ભિક્ષુધર્મ ૧૪) ૩૮ ભિક્ષુપ્રતિમા ૧૪૦, ૧૭૬, ૧૮૨, ૨૧૮ ૧૯૯ ભિક્ઝાનિદાનકરણ ૨૦૭ ૧૧, ૨૬૬ ભિત્તિગુલિકા ભિલાવા ભિલામો ભિલ્લ ૨૫૭ ભિસિ ૨૧૭ ૧૧ બિસિયા ૭૧ ભીલ ૭૭ ૨૬૬ ભીમાસુરોક્ત ૨ ૫૭ ૭૩ ભુજઈણ ૨ ૫૭ ભુજગપતિ ૩૪, ૯૨ ભુજપરિસર્પ ભુજમોચક ૮૮ ભુજવૃક્ષ ૧૧ ભુજ્જો-ભુક્કો-કોડયકારક ૨૬૧ ભૂઇકમ્પિય ૨૪ ૧૪૦, ૨૯૩ ભૂક૫ ૧૨૩ ૨૬૨ ભૂજનક ૭૧ ૨૬૯, ૨૭૨ ભૂત ૪૪, ૬૧, ૬૪, ૬૬ ભૂતગ્રહ ૮૦, ૧૫૪ ભૂતદિન્ન ૨૪૩ ૭૫, ૭૭ ભૂતપ્રતિમા ર૬૦ ભૂતમંડલ ૧૭ ભૂતમહ ૭૨ ભંગાર પ ૧ ૧, પદ Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શબ્દ ભુતક ભેડ ભેરી ભોગ ભોગપુત્ર ભોગરાજ ભોગવઇયા ભોગવતી ભોગવિષ ભોગાર્થી ભોજન ભૌમ ભ્રમર ભ્રાંત - રી મંકુણહસ્તી મંખ મંગલ મંગલદ્રવ્ય મંગી મંગુ મંગુસ મંડપ મંડલ મંડલક મંડલપ્રવેશ મંડલબંધ મંડલરોગ મંડલિકાવાત પૃષ્ઠ ૬૦ ૭૩ ૧૧, ૩૫, ૧૧૩, ૨૪૪ ૭, ૮, ૩૦, ૪૫, ૭૬ <, 30 ૧૩૬ ૭૮ ૭૮ ૭૩ ૧૧ ૮૯, ૧૫૯, ૧૭૦ ૪૦, ૧૨૩, ૧૩૧ ૩૮, ૭૨ ૩૯ ૧૫ = ૭૩ ૪, ૨૮, ૬૦ ૬, ૩૪ ૧૧ ૭૧ ૨૪૩ ૭૩ ૫ ૩૮, ૮૭ ૨૬૬ ૨૫૭ ૯૫ ૬૧ ૬૯ શબ્દ મંડલિણો મંડલી મંડવ મંડવ્યાયણ મંડિકુક્ષિ મંડિત મંડૂકી મંત્ર મંત્ર-તંત્ર મંત્રવિદ્યા જંત્રી મંદા મકર મુકરાં મકરાંડ મકરાસન મકરિકા મક્કાર મગધ મગધદેશ મગર મગરિકા મગરિમત્સ્ય મગરિય મગર મઘવા મલ્જીિય મજજારય મટ્ઠમગર અંગબાહ્ય આગમો પૃષ્ઠ ૮૯ 9.3 ૮૮, ૮૯ ८८ ૧૩૩ ૧૨, ૧૩ ૩૧ ૧૩૧, ૧૬૦ ૨૩૬ ૧૨૩ ૬ ૩૯, ૧૬૩ ૨૮૪ ૫૫ ૩૮ ૩૭ ૬૨ ૫૭ ૯૪ ૭૫, ૧૧૩ ૧૯૭ ૩૨, ૩૭, ૭૩ ૩૬ ૭૨ ૫૭ ૭૪ ૧૩૨ ૭૨ ૭૧ ૭૩ Page #377 -------------------------------------------------------------------------- ________________ છે ૯૪ જ તુ ૬૪ જો * શબ્દાનુક્રમણિકા ૩૪૧ શબ્દ પૃષ્ઠ શબ્દ પૃષ્ઠ મઠંબા પ૯, ૧૯૩ મધ્યમા પાવા ૧૮૬ મણગ ૧૪૭ મન:પર્યયજ્ઞાન ૨૪૭ મણસિલ ૬૮ મન:પર્યવજ્ઞાન ૭૮ મણસિલા ૪૧ મનુષ્ય ૩૨, ૫૫, ૬૫, ૭૨, ૭૪ મણિ ૬૮ મનુષ્યશ્રેણિકાપરિકર્મ ૨૫૮ મણિઅંગ મનોજ્ઞ મણિજાલા મનોભક્ષી મણિદત્ત ૧૧૩ મણિપીઠિકા મયૂર-પોષક મણિભદ્ર ૬૫, ૯૨ મરકત મણિલખ્ખણ ૨૨ મરણ ૧૨૨, ૨૮૧ મણિશલાકા પ૬ મરણવિભક્તિ ૨૫૭, ૨૯૨ મતાંતર મરણવિભરી ૨૯૨ મતિ ૨૫૦ મરણવિશોધિ ૨૯૨ મતિ-અજ્ઞાન ૨૫૦ મરણસમાધિ ૨૯૨. મતિજ્ઞાન ૨૫૦ મરણસમાહી મતિ-સમ્મદા ૧૭૯ મરવા મત્તાંગ ૯૪ મરુદેવ 'મસ્ય ૧૧, ૩૭, ૫૫, ૭૨, ૭૫ મરુદેવી મન્સુડી ૫૮ મરુય મસ્યાંડ ૩૮ મર્દલ મસ્યાંક ૩૭ મલ ૧૬૮ મથુરા ૩૨, ૭૫, ૧૦૨, ૨૨૮ મલધારી હેમચન્દ્ર ૧૪૦ મલય ૭૪, ૭૫ મદનશલાકા ७४ મલયગિરિ મદ્ય પ૬, ૧૫૩ મલ્લ ૪, ૨૮, ૬૦ મદ્યપાન ૧૫૩ મલ્લકી ૮, ૩૦, ૧૦૮ મધ-માંસ ૧૫૮ મલકીપુત્ર ૩૦. મધુ . પ૬ મલ્લયુદ્ધ ૨૨ મધુરતૃણ ૭૧ મલ્લિકા મધુરરસા | ૭૧ મલ્લિકામંડપ મધુશ્રુંગી મશક મધ્યમકુંભ ૨૬૬ મસાર છે. છે ૧૨ ૧ મદ ૭૨, ૨૪૪ ૨૮ એ.આ. - ૨૪ Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ અંગબાહ્ય આગમો ૧૭ M શબ્દ શબ્દ પૃષ્ઠ મસા૨ગલ્લ. પ૬, ૬૮ મહાપ્રત્યાખ્યાન ર૫૭, ૨૭૯, ૨૯૨ મસિહાર મહાબલ ૧૧૩, ૧૩૨ મસૂર ૭૧, ૭૩ મહાભદ્રપ્રતિમા મસૂરગ ૩૩ મહાભારત ૨પ૭, ૨૬૩, ૨૭૧ મસ્તકશૂલ ૬૧ મહામંત્રી મહતી મહામહ ४४ મહાર ૧૨, ૫૩ મહામોકપ્રતિમા મહત્તરિકા ૧૨ મહામોહનીયસ્થાન ૧૪૦, ૧૭૬ મહલ્લિકાવિમાનપ્રવિભક્તિ ૧૨, ૨૫૮ મહાયુદ્ધ ૬૧ મહાકહ ૧૦૯ મહારુધિરબાણ ૬૧ મહાકલ્પશ્રુત ૨૫૭ મહાવત ૧૦ મહાકાય મહાવિદેહ ૭૪, ૧૦૨ મહાકાલી ૧૦૫, ૧૦૯ મહાવિમાન-પ્રવિભક્તિ ૨૧૯ મહાકૃષ્ણ ૧૦૫ મહાવીર ૬,૯, ૨૪, ૨૭, ૨૯, ૩૯, મહાગિરિ ૨૬, ૨૪૩ ૯૧, ૧૦૨, ૧૦૫, ૧૧૮, ૧૩૭, મહાગ્રહ ૯૦, ૧૦૩ ૧૭૬, ૧૮૪, ૧૮૬, ૨૪૩, ૨૯૪ મહાચાર-કથા ૧પ૩ મહાવ્રત ૧૪૦, ૧૬૯ મહાજાતિ મહાવ્રતારોપણ ૨૧૯ મહોત:પ્રભા ૫૫ મહાશસ્ત્રનિપતન મહાધણ. મહાશિલાકંટક ૧૦૫ મહાનક્ષત્ર ८८, ८८ મહાશુક્ર મહાનદી ૨૦૪ મહાસંગા મહાનિમિત્ત ૨૪, ૧૨૩ મતાસિંહનિષ્ક્રીડિત મહાનિર્ચથીય ૧૩૩ મહાસેણકણહ ૧૦૫, ૧૦૯ મહાનિશીથ ૨૩૬, ૨૫૮, ૨૮૭ મહાસેનકૃષ્ણા ૧૦૫ મહાપઉમ ૧૦૯ મહાસ્વમ ૧૮૫ મહાપચ્ચખાણ ૨૭૯ મહાસ્વભાવના ૨૫૮ મહાપણવણા મહાહિમવત્ ૧૦૧ મહાપદ્મ ૧૦૦, ૧૦૧, ૧૦૯, ૧૩૨ મહિકા ૬૦, ૬૮ મહાપુંડરીક મહિન્દ મહાપુરુષવાણ મહિષ ૭૩, ૨૪૪ મહાપ્રજ્ઞાપના ૨૫૭ મહી ૨૦૪, ૨૩૧ ૧૧ ૨ ७८ ૭૦ ૭૧ ૬૧ Page #379 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા શબ્દ મહિના મહુપોવલઇ મહુવર મહોરગ માંડલિક માંસ માંસકચ્છપ માનિ માગધ માગધતીર્થકુમાર માગધતીર્થાધિપતિ માગધી માગહિય માછલી માછીમાર માઠર માડંબિય માઢરી માણવક માણિભદ્ માણિભદ્ર માતુલિંગ માતુલિંગી માતૃવાહ માત્રક માત્રિકા માત્સર્ય પૃષ્ઠ ૮૯ ૭૧ ૩૬ ૭૩, ૭૮ ૬, ૮,૧૦, ૩૦ ૫૮, ૮૯, ૧૫૧, ૧૫૪ ૭૩ માન માનુષી માનુષોત્તર-પર્વત માયા માર મારી ૧૧૨ ૬૦, ૯૮, ૧૦૨ ૯૮ ૯૮ ૨૧ ૨૧ ૧૫૧ ૭૬ ૨૫૭ ૫૯ ૭૧ ૧૦૦ ૧૦૯ ૧૧૨ ૬૯ ૭૦ ૭૨ ૧૭૦ ૨૧૭ ૬૧ ૧૬૦ ૬૫ ૬૫ ૧૬૦ ૩૭ ૬૧ શબ્દ માર્ગણતા માર્ગભ્રષ્ટ માલક માલગ માલવ માલવંત માલવી માલાકાર માલાપત માલિવર માલી માલુક માલુકા માલુકામંડપ માષ માષપર્ણી માસ માસકલ્પ માસગુરુ માસપુરી માસ-લઘુ માસાવલ્લી માસિકભિક્ષુપ્રતિમા માહેન્દ્ર માહેશ્વરી મિત્તિય મિથિલા મિથ્યાદષ્ટિ મિથ્યાશ્રુત મિયલુદ્ધય મિશ્રજાત મિષ્ટાન્ન ૩૪૩ પૃષ્ઠ ૨૫૪ ૬૩ ૫૮ ૭૦ ૭૪ ૧૦૨ ૧૮ ૯૭ ૧૬૦ ૬૨ ૭૩, ૭૭ ૬૯ ૭૨ ૬૨ ૭૧ ૭૧ ૭૦, ૯૩, ૨૬૪, ૨૬૮ ૧૯૩ ૨૨૧ ૧૫ ૨૨૨, ૨૨૪ ૭૦ ૭૦, 6 ૭૮ ૭૮ ८८ ૭૫, ૯, ૧૨૩, ૧૮૬, ૨૨૮ ૧૬, ૬૬ ૨૫૬, ૨૫૭ ૧૫ ૧૬૦ ૫૮ Page #380 -------------------------------------------------------------------------- ________________ ३४४ અંગબાહ્ય આગમો પૃષ્ઠ ૮૮, ૨૩૮, ૨૪૦ ૧૬૦ ૭૧ ૭૮ ૨૫૮ પ૯ ૧૧૪, ૧૧૫ ૭૩ મુકુલી ૧૭૦ શબ્દ પૃષ્ઠ શબ્દ મિસ્સાફૂર ૮૯ મૂલ મીમાંસા મૂલકર્મ મુંજચિપ્પક ૨૦૦ મૂલગ મુંજપાદુકાચાર મૂલદેવી મુંડન ૬૦, ૧૮૦, ૨૦૨ મૂલપ્રથમાનુયોગ મુંડમાલહમ્મ ૫૮ મૂલફલ મુંડી મૂલસૂત્ર મુકુંદ ૩૬, ૪૪ મૂષક મુકુંદમહ ૬૦ મુસલ મુકુટ મૂસિછિન્ન મૃગ મુક્તાવલિકા મૃગદંતિકા મુખ-છેદન ૧૮૦ મૃગવન મુખવસ્ત્રિકા મૃગવાલુંકી મુદ્દે મૃગા મુઢિજુદ્ધ મૃગાપુત્ર મુગપર્ટી મૃગાપુત્રીય મુદ્રગર પ૬ મુન્દ્રય મૃતપિડનિવેદન મુનિ ૧૩૯ મૃતાંગ મુનિચન્દ્રસૂરિ મૃતિકાવતી મુમ્મુખી મુરજ મૃત્યુ ૧૧, ૩૫ મૃદંગ મુરવ મૃદ્ધીકા મુરેડ ૧૨, ૭૪ મૃદ્ધીકામંડપ મુર્મર મુષ્ટિયુદ્ધ ૨૨, ૬૦ મૃદ્ધીકાસાર મુસુંઢી ૪, ૨૮, પ૬, ૭૧ મૃષાવાદ મુહૂર્ત ૮૮, ૯૩, ૨૬૪, ૨૬૮, ૨૯૦ મૃષાવાદ-વિરમણ મૂંગ ૭૧ મેંઢમુખ મૂઢ ૨૦૨ મૂત્રત્યાગ ૧૬૮ મેઘકુમાર મેઘમુખ ૫, પ૬ ૧૩૧ ૭૩, ૮૯ ૭૦ ૪૨ ૭૧ ૧૩૨ ૧૩૨ ૧૩૨ ૨૦૩ મૃતક - ૭૩ ૨૭ ૨૮૪ ૭૫ ૧૩, ૨૮૬ ૧૧, ૩૫ 0 ૦ જ ૧૪૦ ૧૫૦ ७४ મેખલા ૫૮ ૭૪, ૧૦૦ Page #381 -------------------------------------------------------------------------- ________________ મેઢક મેધા મેય ન જ છે મેષ ૬૦ ૭૩ ૭૮ ૧૩૬ શબ્દાનુક્રમણિકા ૩૪૫ શબ્દ પૃષ્ઠ શબ્દ ८८ બ્લેચ્છ ૪, ૯૯ મેતાર્ય ૧૨, ૧૩ ૨૫૪ યંત્રપીડક ૯૭ ७४ યક્ષ ૪૪, ૬૧, ૬૪ મેરક યક્ષદીપ્તક ૮૬, ૮૭ યક્ષ-પૂજા મેરુપર્વત ૧૦૨ યક્ષ-પ્રતિમા મેલિમિંદ ૭૩ યક્ષ-મંડલ ૨૪૪ યક્ષમત મેસર યક્ષસેન ૨૩૭ મૈથુન ૧૪૦, ૨૦૨, ૨૧૩, ૨૨૬ યક્ષી મૈથુન-પ્રતિસેવન ૨૪૦ યજન મૈથુન-વિરમણ ૧૫૦ ૧૮ મોઢ. ૭૪ યજ્ઞ ૬૦, ૧૩૮ મોક ૨૦૬ યદુકુલ મોક્ષમાર્ગીય ૧૩૯ યથાખ્યાત-ચારિત્ર ૨૭૧ મોગરો ૭૦ યથારાત્નિકવસ્ત્રપરિભાજન ૨૦૧ મોગલી યથાવાર ૨૫૮ મોગલામણ , ૮૯ યમ ૮૮, ૧૧૦ મોચકી યમુના ૨૦૪, ૨૩૧ મોટિકા યવન ૧૧, ૭૪, ૯૯ મોરસ યવનદ્વીપ ૯૯ મોહનગૃહ યવનાની મોહનધર યવની ७८ મોહનીય ૧૪૧ યવમધ્ય-ચંદ્ર પ્રતિમા ૭, ૨૧૮ મોહનીયસ્થાન ૧૮૭ યવાન મૌક્તિક ૭૨ યશસ્વતી મૌખરિક ૨૦૭ યશસ્વી ૯૪, ૧૮૬ મૌર્યપુત્ર ૧૨, ૧૩, ૧૫ યશોદા મૌષ્ટિક ૪, ૨૮, ૬૦ યશોભદ્ર ૨૪૩, ૨૪૪ પ્રક્ષિત ૧૬૧ યશોવર્ઝન ૨૩૭ યષ્ટિ 3 44 # # # # ?? ૭૦ ૬૯ જી રે ૭૭ ૫૮ ૧૮૬ ૧૮૬ 2 ૧૭૧ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શબ્દ યાજન યાજ્ઞવલ્ક્યસ્મૃતિ યાન યાનશાલા યાનશાલિક યાવજીવન-બન્ધન યુક્તાનંતક યુક્તાસંધ્યેયક યુગ યુગલધર્મી યુદ્ધ યુવરાજ યૂથિકામંડપ ચૂપક યોગ યોગપટ્ટક યોગસંગ્રહ યોજન યોદ્ધા યોધા યોધાપુત્ર યોનિ યોનિપોષણ યોનિશૂલ પૃષ્ઠ ૭૬ ૯૫ ૬૦ ૧૦ ૧૦ ૧૮૦ ૨૭૨ ૨૭૨ ૯૩, ૧૦૩, ૨૬૪, ૨૬૮ ૨૮૪ રક્તચંદન રક્ષ રક્ષિત રજઉદ્ધાત રજત રજસાણ ૧૪૦ ૨૬૭ ८ 30 ૩૦ ૬૬, ૮૦, ૨૨૨, ૨૮૩ ૭૬ ૬૧ ૨૨, ૬૧ ૬, ૮, ૩૦, ૫૯ ૬૨ ૬૦ ૬૬, ૧૬૦, ૨૪૯ ૧૭૧ ૨ ૫ ૨૪૪ ૨૪૩ ૬૧ ૫૬ ૧૭૦ શબ્દ રજોહરણ રતિવાક્ય રત્ન રત્નપ્રભા રત્નાવલિકા રત્નિ રત્નોરુજાલ રથ રથનેમિ રથનેમીય રથમુશલ રથરેણુ રમ્યક રમ્યકવર્ષ રયણોરુજાલ યારઇય વિગુપ્ત રસ રસદેવી રસપરિત્યાગ રસાલૂ રસોદક રાક્ષસ રાક્ષસમણ્ડલ રાક્ષસી રાજગાદી રાજગૃહ રાજધાની રાજન્ય રાજપ્રશ્નીય અંગબાહ્ય આગમો પૃષ્ઠ ૧૭૦, ૨૦૦ ૧૫૭ ૫૬ ૫૫ ૩૭ ૨૬૭ ૫૮ ૬૦ ૧૩૫ ૧૩૫ ૧૦૫, ૧૦૮, ૧૦૯ ૨૬૭ ૧૦૨ ૭૪ ૫૮ ૩૯ ૨૩૭ ૨૫૫ ૧૧૨ ८ ૫૯ ૬૯ ૬૧, ૭૮ ૩૮ ૭૮ ૨૩૬ ૫, ૧૦૪, ૧૦૫, ૧૮૬, ૧૯૦, ૧૯૭, ૨૨૮ ૫૯, ૧૯૩ ૭, ૮, ૩૦, ૪૫, ૭૬ ૨૭, ૨૫૭ Page #383 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૩૪૭ પૃષ્ઠ 8 w ovo ૫૯ ४४ રૂપ ૩૭, ૭૧, ૭૩, ૭૪ ૨૫૫ ૭) રૂપી પ૬ રેચિત શબ્દ પૃષ્ઠ શબ્દ રાજપ્રસેનનીય રુષ્ણમૂલિઆ રાજપ્રસેનજિત ૨૭ રુક્મિણી રાજભય ૧૬૩ ચક રાજભવન ૩૩ ટુચક-દીપ રાજવલ્લી ૭૧ ચક-સમુદ્ર રાજહંસ ૭૩ ઉદ્ધદાસ રાજા રુદ્ર રાજીમતી ૧૧૧, ૧૩૫ રુદ્રમહ રાત ૮૭, ૮૮ ૨૩ રાત્રિ ૮૮ રાત્રિગમન ૧૬૭, ૧૯૭ રાત્રિજાગરણ રૂધ્યક ૨૦ રાત્રિભક્ત રૂવ ૧૯૬ રેચકચિત રાત્રિભોજન ૧૪૦, ૨૦૨,૨૦૫ રાત્રિભોજન-વિરમણ ૧૫૦ રેણુકા રાત્રિવસ્ત્રાદિગ્રહણ ૧૯૭ રેવતી ૧૩૫ રેવતી નક્ષત્ર રામકહ ૧૦૫, ૧૦૯ રૈવતક રામાયણ ૯૬, ૨૫૭ રોગ રાયપાસેણઈય ૧, ૨, ૩ રોઝ રાયપાસેણિયા ૨પ૭ રોમક રાયપાસેણીએ ૨૭ રોમપાસ રાયારામ ૧૮ રોહક રાયારાય રોહગુપ્ત રાલગા ૭૧ રોહતક રાવણ રોહિણિય રાશિ ૨૬૩ રોહિણી રાસગાયક ૪, ૨૮ રોહિતમસ્ય રિગિસિકા ૩૬ રોહિતાંશ રિભિત ૩૮ રોહિતામ્યા ડેલ્સ રોહીડયા - રામ ૩૯ ૩૯ ૭૧ ૮૮, ૮૯, ૧૧૨ ૨૪૩ ૧૩૫ ૬૧ . ૭૩ ७४ ७४ ૧૮ ૯૬ ૨૫૦ ૨૫ ૧ ૧૩ ૭૨ ૭૧, ૮૮,૮૯, ૧૩૫ ૭૨ ૭૧ ૧૦૧ ૧૧૩ ૮૮ Page #384 -------------------------------------------------------------------------- ________________ उ४८ અંગબાહ્ય આગમો શબ્દ પૃષ્ઠ પૃષ્ઠ ૭૪ ૧ ૧ ૧૧ ૭૩ લઉસ ૧૨ લઓસ સંખ ૪, ૨૮, ૬૦ લંભનમસ્ય લકુચ ૬૯ લકુટ લકુટશાયી ૮ લખણ ૧૩૧ લક્ષણ ૧૦૩, ૧૨૩ લક્ષણવિદ્યા ૧૨ ૨ લગંડશાયી ૨૦૫ લન ૨૯૦ લધુ ૨૩૦-૨૩૪ લઘુ-માસ ૨૨૨, ૨૨૪ લઘુવિમાન-પ્રવિભક્તિ ૨૧૯ લચ્છી ૧૧૨ લક્રિએ ૮૯ લતા ૫૫, ૬૯, ૭૦ લતાઘર ૬૨ લત્તિયા ૩૬ લધ્યક્ષર ૨૫૬ લયન લવાજુદ્ધ લલિતવિસ્તર. ૯૩, ૨૬૪, ૨૬૮ લવંગ ૭૧ લવણ ૬૮ લવણસમુદ્ર ૬૫, ૯૨, ૯૮ લવણોદક લષ્ટદંત ૭૪ શબ્દ લહુય લાંતક લાટ ૭૮ લાઢ ૭૫ લાભાર્થી લાયમના ૧૧૮ લાલાવિષ ૭૩ લાવક લાસ્ટિક ૨૧૭ લાસક ૧૨, ૬૦ લાસિક લિંગ ૨ ૨ ૨ લિચ્છવી ૮, ૩૦, ૧૦૮ લિચ્છવીપુત્ર ૮, ૯, ૩૦ લિપિ ૭૭, ૭૮ લિપ્ત ૧૬૧ લિપ્યાસન ૪૨ લેખ લેખન ૨૦ લેખની ૪૨ લેપ ૧૬૯ લેપ્યકાર લેશ્યા ૬૬, ૮૨, ૮૭, ૧૪૮, ૧૪૧ ૨૦ લોક ૧૩૮ લોકબિંદુસાર ૨૫૮ લોધ લોભ ૧૬૦ લોમપષ્મી લોમપક્ષી લોમાહાર લોયાણી ૨૫૭ પ૮ લેહ જે લવ ૬૯ ૫૫ ૭૩ ૬૮ می Page #385 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા શબ્દ લોહા લોહિચ્ચાયણ લોહિત લોહિતપત્ર લોહિતાક્ષ લોહિય લૌકાયતિક લૌહિત્ય વઇઉલ વંગ વંગચૂલિકા વંજુલ વંજુલગ વંદન વંદના વંશ વંશકવેલ્લુય વંશીમૂલ વંસી વંસીમુહ વવાસી વક્ષસ્કાર વગડા વગ્યાવચ્ચ વચન વચન-સંપદા વચ્ચકચિષ્પક વચ્છ વાણી વિિવદેહપુત્ર વાર પૃષ્ઠ ૫૬, ૬૮ ८८ ૫૬ ૭૨ ૬૮ ૮૯ વજરત્ન ૨૫૭ ૨૪૩ ૭૩ ૫૮, ૨૬૩ ૨૧૯ ૬૯ ૭૩ ૧૪૦, ૧૪૩ ૨૫૭, ૨૬૩ ૩૬, ૪૦ ૪૦ ૧૯૮ ૭૧ ૭૨ ૧૬ ૯૧ ૧૯૪ ૮૮, ૮૯ ૨૦૬ ૧૭૯ ૨૦૦ શબ્દ વિયાયણ ८८ ૭૦ ૬, ૧૦૬ ૭૭ વજ વજકંદ વજ્રભૂમિ વજમધ્યચન્દ્રપ્રતિમા વજ્રસ્વામી વટ વટેશ્વર વટ્ટખેડ વરંગ વટ્ટણગ વટા વડ વડગર વડભી વહ વહિંદસા વહિંદસાઓ વર્ત્યવિહિ વાણી વત્સુનિવેસણ વત્યુલ વત્તુવિજ્જા વત્સ વન્દ્વણી વન વનખડ વનલતા વનસ્પતિકાય વનસ્પતિકાયિક વીપક ૩૪૯ પૃષ્ઠ ८८ ૫૬, ૨૪૩, ૨૪૪ ૭૧ ૧૮૬ ૭, ૨૧૮ ૬૮ ૨૩૬ ૬૯ ૧૩૫ ૨૨ ૭૩ ૫૭ ૭૫ ૭૨ ૭૨ ૧૧ ૧૧૨ ૧૦૪, ૧૧૨ ૨ ૨૧ ૮૯ ૨૨ ૭૦, ૭૧ ૨૨ ૭૫, ૮૮ ૫૭ ३८ ૬૨, ૯૨ ૩૨, ૭૦, ૫૫ ૫૫ ૫૫, ૬૮, ૬૯,૭૧ ૧૫૨, ૧૬૦ Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ અંગબાહ્ય આગમો પૃષ્ઠ શબ્દ પૃષ્ઠ - ૫૮ પ૫, ૫૭, ૬૯, ૭૧ ૭૦ ૫૫, ૭૦ ૩૬ ૧૬૬, ૧૬૮ ૨૮ ૮૮, ૧૩૫ ૧૯૯, ૨૦૦ શબ્દ વિલભીગૃહ વલય વલયાવલિકા વલ્લકી વલિ વલ્લી વસંતલતા વસતિ વસું. વસુદેવ વસ્ત્ર વહ વાઇંગણિ વાઈઓ વાઉભખ્ખી વાંસ વાદંડ વાક્યશુદ્ધિ વાગુલી વાગુલીયા વાચકવંશ વાચના વાચન-સંપદા વાણિજ્ય વાણી વાતમંડલી વાતિક વાતાત્કાલિકા વાતોશ્રામ વાત્સ્યાયન વાદિત્ર વાદ્ય વિષ્પ ૬૯ વરટ્ટ ૭૧ વરણા ૭૫ વરદામ ૯૮, ૧૦૨ વરદામતીર્થકુમાર ૯૮ વરવાદની વરવારુણી પ૬ વરસગાંઠ ૨૦ વરસીધુ પ૬ વરાટ ૭૨ વરાહ ૭૩, ૮૯ વરિલ્લગ ૭૪ વરે વરુણ ૧૧૦ વરુણવર-દ્વીપ ૬પ વરુણવર-સમુદ્ર ૬૫ વરુણોદક વરુણોપપાત ૨૫૮ વરુભ વર્ગચૂલિકા ૨૫૮ વર્તમાનપદ ૨૫૮ વર્ધમાન ૧૩૭, ૧૮૫, ૧૮૬, ૨૫૮ વર્ધમાનક ૧૧, ૩૭, ૨૪૫ વપ્ન ૧૭૧ ૧૦૨ વર્ષગાંઠ ૫૩ વર્ષધર ૧૧, ૧૨, ૫૩ વર્ષશત ૯૩, ૨૬૪, ૨૬૮ વર્ષશતસહસ્ર ૯૩, ૨૬૪, ૨૬૮ વર્ષસહસ્ર ૯૩,૨૬૪, ૨૬૮ વર્ષાઋતુ વર્ષાવાસ ૧૮૬ ૭૦ ૬૮ ૯૫ ૧૫૪ ૮૯ ६८ ૧૪૦, ૨૦૨ ૧૭૯ વર્ષ ૧૫૪ ૬૯ ૨૦૨ ૬૯ ૬૯ ૧૨ ૧૯૬ ૨૦, ૩૯ ૩૫, ૩૬ Page #387 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા શબ્દ વાનપ્રસ્થ વાનપ્રસ્થી વામુત્તગ વાયસ વાયુ વાયુકાય વાયુકાયિક વાયુકુમાર વાયુભૂતિ વારાણસી વારણ વાર્તાનિવેદક વાર્તિક વાલ વાલી વાલુકા વાલુકાપ્રભા વાશિષ્ઠ વાસંતી વાસંતીમંડપ વાસંતીલતા વાસપતાકા વાસિક વાસિષ્ઠ વાસુદેવ વાસ્તુવિદ્યા વાહ વાહનશાલા વિઉઘ્વા વિંટરનિત્ઝ વિકટ વિકથા વિકાલ પૃષ્ઠ ૧૧૦ ૧૫ ૫૭ ૭૩ ૫૧ ૫૫ ૬૬, ૬૮ ૬૧, ૭૮, ૯૬ ૧૨,૧૩ ૭૫, ૧૧૧, ૨૨૮ ૧૨ ૬ ૨૬૦ ८८ ૩૬ ૬૮ ૫૫ ૮૮, ૮૯ ૩૮, ૭૦ ૬૨ ૩૩, ૭૦ ૭૩ ૮૮, ૮૯ ૧૮૬ ૭૪, ૯૬ ૨૨, ૧૩૧ ૨૬૬ ૧૦ ૭૦ ૧૦૪, ૧૧૯ ૧૫૩ ૧૪૦ ૧૪૮, ૨૧૬ શબ્દ વિકાલવિહાર વિકૃતગૃહ વિકૃતિ વિકૃતિપ્રતિબદ્ધ વિકૃતિવિહીન વિચારભૂમિ વિચિક્કી વિચિત્રપક્ષ વિસ્ફૂ વિજય વિજયઘોષ વિજયચરિત વિજયદૃષ્ય વિજયદ્વાર વિજયસ્કંધાવાર વિજયા વિજ્જાચરણ વિજ્યુઅંતરિયા વિજ્ઝડિયમત્સ્ય વિજ્ઞાન વિડંક વિડંબક વિતત વિતતપક્ખી વિતતપક્ષી વિતસ્તી વિદૂષક વિદેહ વિદેહદિશા વિદેહપુત્ત વિદેહપુત્ર વિદ્યા ૩૫૧ પૃષ્ઠ ૧૯૭ ૧૯૮ ૧૪૮ ૨૦૨ ૨૦૨ ૧૯૭ ૩૬ ૭૨ ૭૨ ૬૪, ૭૯, ૧૩૨ ૧૩૮ ૨૫૮ ૩૪ ૬૨ ૯૮ ૬૪ ૩ ૨૪ ૭૨ ૨૫૪ ૫૮ ૬૦ ३८ ૫૫ ૭૩ ૨૬૭ ૪, ૧૧, ૨૮, ૬૦ ૧૮, ૭૫, ૭૬, ૧૦૮ ૧૮૬ ૧૦૬ ૬ ૧૨૨, ૧૬૦ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ અંગબાહ્ય આગમો પૃષ્ઠ શબ્દ વિદ્યુ ૨૧૯, ૨૫૮ ૧૫૮ ૨૩૮ ૮૮, ૮૯, ૧૮૭ ૧૬૩, ૧૭૨ ७४ ૭૯ વિધવા ૨૭૦ ૮૮, ૨ શબ્દ વિદ્યાચરણવિનિશ્ચય ૨૫૭ વિલવણવિહિ વિદ્યાધર ૭૪, ૯૨ વિવાગસુય વિદ્યાધરયુગલ ૩૨ વિવાહ વિધાનપ્રવાદ ૨૫૮ વિવાહ ચૂલિકા વિદ્યાનુવાદ ૧ ૨ ૩ વિવિક્તચર્યા ૬૦, ૬૯ વિવેક વિધુકુમાર ૬૧, ૭૮ વિશાખા વિદ્યુદંત ૭૪ વિશુદ્ધિ વિદ્યુમ્મુખ વિશેષ ૧૩, ૧૬૯ વિશેષદષ્ટ વિનમિ - ૧૦૦ વિષ્ણુ વિનય ૮, ૧૧૯, ૧પ૬ વિસ્તારરુચિ વિનયપિટક ૧૯૬, ૨૦૨,૨૨૧ વિસ્તૃભર વિનયવાદી ૧૫ વિહાર વિનય-સમાધિ ૧૫૬, ૧૫૭ વિહારકલ્પ વિનીત ૨૦૨ વિહારભૂમિ વિનીતા ૯૫, ૯૭ વીણા વિપેચી ૩૫ વીતરાગ વિપાકશ્રુત ૨૫૬ વીતરાગચારિત્ર વિપુલમતિ ૨૪૮ વીતરાગદર્શન વિપ્રજહત-શ્રેણિકાપરિકર્મ ૨૫૮ વીતરાગધ્રુત વિભંગુ વીતિભય વિભાષા ૨૬૦ વીયકમ્ય વિભીતક ૬૯ વીરંગય વિભેલ ૧૧૨ વીરકત વિમત ૭૦ વીરણ વિમર્શ ૨૫૪ વીરત્થવ વિમલવાહન વીરભદ્ર વિમાન ૩૯ વીરસેન વિમાનરચના વીરસ્તવ વિરુદ્ધ ૧૪ વીરાસન વિરુદ્ધ રાજય વીરાસનિક વિલંબિત નાટ્ય ૩૮ વીર્યપ્રવાદ ૭૮ ૭૩ ૧૬૪ ૨૫૭ ૧૯૭ ૬, ૩૬, ૬૦ ૫૨ ७८ ७८ ૨૫૭ ૭૫ ૭૦ ८८ ૧૧૩ ૧૦૫, ૧૦૯ ૭૦ ૯૪ ૨૯૪ ૨૭૭, ૨૮૧ ૧૧ ૨ ૨૯૪ ૨૦૫ ૨૫૮ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૬O. ૬૨. શબ્દાનુક્રમણિકા ૩૫૩ શબ્દ પૃષ્ઠ શબ્દ પૃષ્ઠ વચ્ચે ૭૦ વૈતાઢ્ય ૯૨, ૧૦૦, ૧૦૧ વૂહ ૨૨ વૈતાઢ્યગિરિકુમાર ૯૮ વૃક્ષ ૪૪, ૫૫, ૬૯ વૈધર્મોપનીત ૨૭૧ વૃક્ષમૂલ ૧૯૮ વૈનાયિકી ૭૮, ૨૫૦, ૨૫૩ વૃક્ષારોપણમહ વૈમાનિક ૫૫, ૬૧, ૬૫, ૭૮ વૃત્તિસંક્ષેપ વૈયાવૃત્ય ૮, ૨૧૪, ૨૨૦ ૧૪, ૨૪૪ વૈર વૃદ્ધવાદી ૨૩૭ વૈરાજય ૧૯૬ વૃષભ ૩૨, ૫૭, ૮૯, ૯૪ વૈરાટ ૭૫ વૃષભ-પુચ્છન ૧૮૦ વૈલંધરોપપાતિક ૨૧૯ વૃષભાસન વૈશાલી ૮, ૨૮, ૧૦૫, ૧૦૮, વૃષ્ણિદશા ૧૦૪, ૨૫૮ ૧૮૬ વેકરચ્છ ૧૩ વૈશેષિક ૨૫૭ વેકચ્છિય ૧૭૧ વૈશ્યાયનપુત્ર ૧૫ વેણગ ૭૩ વૈશ્રમણ ૪૪, ૧૧૦ વૈશ્રમણમહ વૈશ્રમણોપપાત ૨૫૮ વેદ ૧, ૬૬, ૧૩૮, ૨૫૭ વૈશ્રમણોપપાતિક ૨૧૯ વેદગ વૈશ્રવણ ૧૩૬ વેદ-છેદન ૧૮૦ વૈષાણિક ૭૪ વેદના ८४ વોડાલ ૭૧ વેદનીય ૧૪૦ વ્યંજન ૧૨૬ વેદનીશતક ૨૧૯ વ્યંજનાક્ષર ૨૫૬ વેય વ્યંજનાવગ્રહ ૨૫૪, ૨૫૫ વેલંધરોપપાત ૨૫૮ બંતર , ૬૧, ૬૯, ૭૯ વેલવાસી - ૧૬ વ્યક્ત ૧૨, ૧૩ વેલૂ ૭૦ વ્યવશમન ૧૯૬ વેઇનક ૫૭ વ્યવસાયસભા ૪૨, ૬૪ વેસાયણ ૧૫ વ્યવહાર ૧૪૦, ૨૦૮, ૨૧૮, ૨૧૯, વેહલ્લકુમાર ૧૦૭, ૧૦૮ ૨૫૮, ૨૮૭ વૈક્રિયસમુદ્યાત વ્યાકરણ ૧, ૧૮, ૨૫૭ વૈજયંત ૭૯, ૯૨ વ્યાકરણશાસ્ત્ર ૨૬૫ વૈડૂર્ય પ૬, ૬૮ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૨૧૯, ૨૫૬ વિત્ર ૭૦ ૩૧ Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ અંગબાહ્ય આગમો પૃષ્ઠ ૨૦૭ છે જ ૧૦ ૨૫૮ શબ્દ વ્યાઘાતક વ્યાધ્ર વ્યાધ્રમુખ વ્યામુક્તક વ્યાયામશાલા વ્યાવર્ત વ્યુત્ક્રાંતિ વ્યુત્સર્ગ વ્યક્ઝાહિત મૂહ વ્રતભંગ વતી વ્રીહિ ૧૨ ૮, ૨૩૯ ૨૦૨ ૨૨ • ૧૦૧ ૧૬૯ - ૧૪ ૭૧ ૪૧ ૧૬૧ ૧૧, ૩૫, ૭૨, ૧૦૦ શબ્દ પૃષ્ઠ શતપુષ્પ ૭૧ શતપોરક ૭૦ શતભિષજ ૮૮, ૮૯ શતાયું ૫૬ શનૈશ્ચર ૧૦૩ શબર ૭૪ શબરી શબલદોષ ૧૭૬, ૧૭૭, ૨૧૫ શબ્દ પ૨, ૨૫૫ શબ્દાપાતી શઠંભવ ૧૪૬, ૨૪૩, ૨૪૪ શપ્યા શધ્યા-સંસ્તારક ૨૦૧, ૨૧૭ શર ૭૦ શરણ ૫૮ ૩૨, ૩૭, ૭૩ શરાવસંપુટ ૩૩, ૩૭ શરીર ૪૭, ૬૬, ૮૧, ૮૨, ૨૬૧ શરીર-સંપદા ૧૭૯ શર્કરા ૬૮ શર્કરામભા ૫૫ શલ્ય શોદ્ધરણ શશબિંદૂ શશિ શષ્ફલીકર્ણ ७४ શ શાંડિલ્ય ૭૫, ૨૪૩, ૨૪૪ શાંતિચંદ્ર શાંતિનાથ ૧૩૨ શાંતિસૂરિ ૧૧૮ શાંબ ૧૧ ૨ શંકિત શંખ શંખકાર શંખનક શંખવાદક શરભ શક ૭૨ ૧૧ ७४ ૬૦ ૨૫૭ ૭૩ શકટ શકટભદ્રિકા શકટમુખ શકટયૂહ ૭૦ ૫૭ શકુન શકુનરુત શક્તિ શતદની શતપત્ર શતપાક ૨૨, ૧૦૮, ૧૦૯ ૧૬૭, ૨૯૦ ૨૫૭ ૧૧, ૫૬ ૪, ૨૮ ૭૧ ૧૦ ૯૧ Page #391 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૩૫૫ ૫૮ શબ્દ શાક શાક્ય શાયિની શાર્પેટિયર શાલ શાલઘર શાલભંજિકા શાલિ પૃષ્ઠ ૧૮૦ ૧૮૦ ૨૬૪, ૨૬૮ ૨૬૪, ૨૬૮ m 6 $ $ $ ૬૧, ૬૯ ૮૯ ૧૧૪ પૃષ્ઠ શબ્દ શીતોદક-કાયવૂડન ૧૫૨ શીર્ષ-છેદન ૨૮૪ શીર્ષપ્રહેલિકા, ૧૧૪, ૧૧૮ શીર્ષપ્રહેલિકાંગ શીલવ્રત શુક ૩૨, ૪૦ શુક્તિ ૭૧ શુક્લપક્ષ ૨૬૩ શુદ્ધદત ૧૪૦ શુદ્ધવાત ૨૮ શુદ્ધાગ્નિ - ૨૪૪ શુદ્ધોદક શુબિંગ ૧, ૧૮, ૨૦૨ શુલ્ક ૯, ૧૨ શુષિર શૂરસેન ४० શૂલ ૩૩, ૬૦, ૯૬ શૂલાભેદન ૬૯ શૂલાયન ૬૧ ઍખિકા ઝિંગ ૯૫ શૃંગબેર ૭૫, ૭૬ શેષવતી ૧૬, ૪૪, ૧૧૨ શેષવતુ ૨૪૪ શેષેન્દ્ર શૈક્ષ-ભૂમિ ૧૩૫ શૈલ ૫૫ શૈલક ૩૬ શૈલસંસ્થિત શેલાર્ધસંસ્થિત ૨૧ શૌક્તિક ૬૮ શૌરિપુર ૧૧ ) ૧૧, ૫૬ ૧૮૦ ૧૮૦ શાસન શાસ્ત્રારાધના શાહબાદ શાહુડી શિંગોડાં શિક્ષા શિક્ષાવ્રત શિખંડી શિખર શિબિકા શિરીષ શિરોવેદના શિલા શિલ્પ શિલ્પાર્ય શિવ રિવભૂતિ શિવમહ શિવા શિશુમાર શિશુમારિકા શિષ્ય શીઘ્રકવિત્વ શીતોદક જી ૬૮ ૮ ૦ જા 9 છે ૭૩ ૨૧૯ ૨૪૪ ૧૫૩ ૫૮ ૫૮ ૭ ૨ P ૭૫ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શબ્દ શ્યામ શ્યામલતા શ્યામલતામંડપ શ્યામા શ્યામાક શ્યામાચાર્ય શ્યામાર્ય શ્યાહી શ્રમણસંઘ શ્રમણોપાસક શ્રમણ ૧૭, ૨૪, ૧૫૨, ૧૮૬, ૨૭૪ ૧૬૩ શ્રવણ શ્રવણતા શ્રાદ્ધ શ્રામણ્યપૂર્વિક શ્રાવક શ્રાવક-પ્રતિમા શ્રાવસ્તી શ્રીકંદલગ શ્રીગોવિંદ શ્રીચંદ્રસૂરિ શ્રીપર્ણી શ્રીરથ શ્રીવત્સ શ્રીહસ્તી શ્રુત શ્રુત-અજ્ઞાન શ્રુતજ્ઞાન શ્રુતવ્યવહાર શ્રુત-સંપદા શ્રુતસમાધિ શ્રેણિક પૃષ્ઠ ૨ ૩૮, ૭૦ ૬૨ ৩০ ૧૮૬ ૬૮ ૨૪૩ ૨, ૪૩ ૮૮; ૮૯ ૨૫૪ ૬૦ ૧૪૮ ૧૪ ૧૮૦ ૨૮, ૪૨, ૭૫, ૧૩૭, ૧૮૬, ૨૨૮ ૭૩ ૨૪૩ ૧ ૬૯ ૨૪૪ ૧૧, ૩૭ ૨૪૪ ૨૬૦, ૨૬૩ ૨૫૦ ૨૫૦, ૨૫૫ ૨૧૮ ૧૭૯ ૧૫૭ ૧૯૦ ૫, શબ્દ શ્રેણી શ્વાસોચ્છ્વાસ શ્વેત શ્વેતસર્પ ૧૭૬ ક્ષેતિકા શ્રેણી-પ્રશ્રેણી શ્રેયાંસ શ્રેષ્ઠી શ્રોણિસૂત્ર શ્લોક શ્વાસ બર્નામ ષડ્વનિકાય પડ્યામરી ષણ્માસિક ષષ્માસિકી ષષ્ઠિતંત્ર સઉરુઅ સંકુચિત સંક્ષેપચિ સંખિડ સંખધમક સંખા સંખાયણ સંખ્યા સંઘ અંગબાહ્ય આગમો પૃષ્ઠ 39 ૯૮ ૧૮૬ સંખ્યાપ્રમાણ સંધ્યેય સંધ્યેયક સંગામિયા સંગ્રહ-પરિજ્ઞા-સંપદા સ ૬, ૮ ૫૭ ૨૧ ૬૧ ૨૬૪ ૨૯ ૭૩ 30 ૨૬૫ ૧૪૯ ૩૬ ૨૦૯ ૨૧૯ ૧૮, ૨૫૭ ૨૩ ૩૯ ૭૮ ૧૫૪ ૧૫ ૧૭ ८८ ૨૭૨ ૨૬૯ ૨૬૧ ૨૭૨ ૧૧૩ ૧૭૯ ૧૮૬ Page #393 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા શબ્દ સંઘટ્ટા સંઘાડી સંઘાત સંજય સંજવન સંજ્ઞાક્ષર સંશિશ્રુત સંજ્ઞી સંથારગ સંથારો સંધિ સંધિરક્ષક સંધ્યા સંપક્બાલ સંપત્તિ-હરણ સંપલિતભદ્ર સંબર સંબાધ સંબુક્ક સંભિન્ન સંભૂતવિજય સંભૂતિ સંભૂતિવિજય સંભોગ સંભ્રાંત સમૂચ્છિમ સંયત સંયતીય સંયમ સંયૂથ સંયોજના સંલેખના અં.આ.-૨૫ પૃષ્ઠ ૭૦ ૧૭૧ ૨૬૩ ૧૩૧ ૫૮ ૨૫૬ ૨૫૬ ૬૬, ૮૦, ૮૪ ૨૮૬ ૧૬૬, ૧૬૮ ૩૩, ૪૦ ૬ ૬૦ ૧૫ ૧૮૦ ૨૪૪ ૭૩ ૫૯, ૧૯૪ ૭૨ ૨૫૮ ૨૪૩ ૧૨૮ ૨૪૪ ૨૦૨ ૩૯ ૫૫ ૬૬ ૧૩૧ ૧૬૪ ૨૫૮ ૧૫૯ ૨૯૨ શબ્દ સંલેખનાશ્રુત સંવત્સર સંવત્સરપ્રતિલેખ સંવત્સરી સંવર્તકવાયુ સંવાસ સંવેગ સંસ્તારક સંસ્થાન સંસ્કૃતાસંસ્કૃતનિર્વિચિકિત્સ સંહત સક્કરાભ સગર સચેલ સચેલધર્મ સજીવ સજ્ઝાય ડિણ સડ્રેલય સâઈ સણપ્પય સહમચ્છ સહી સતી-પ્રથા સત્તઘરતિયા સત્તણૂ સત્તિવત્ર સત્યકી સત્યપ્રવાદ સન સનખપદ ૩૫૭ પૃષ્ઠ ૨૯૨ 40, 23, 103 ૨૦, ૫૩ ૨૨૯ ૬૯ ૨૦૨ ૧૪૦ ૨૮૬ ૮૮, ૮૯ ૨૦૫ ૧૬૧ ८८ ૧૩૨ ૧૩૭ ૪૪ ૨૩ ૭૧ ૭૧ ૨૫ ૧૫ ૫૫ ૭૨ ૮૯ ૨૩૬ ૨૪ ૧૧૨ 23 ૭૦ ૧૪૮ ૭૦, ૭૧ ૫૫, ૭૩ Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ અંગબાહ્ય આગમો પૃષ્ઠ ૭૮, ૧૩૨ પ૯ ૨૫૬ ૨૬૧ ૨૬૫ ૧૩૪ ૧૩૪ ૭૨ ૭૩ ૧૧૨, ૧૩૫ ૨૬૩ ૧૫ ૮૨, ૧૩૯ ૧૪૦ ૨૫૬ ૨૧૯ ૨૬૧, ૨૬૫ ૭૩ ૭૧ ૨ ૧૧ ૧૪૦ ૨૪૪ ૧૩૧, ૧૫૭ ૨૦ ૨૪૧ ૨૧ ૫. ૦ ૦ શબ્દ સનકુમાર સન્નિવેશ સપર્યવસિતશ્રુત સમય સપનામ સપ્તપર્ણ સપ્તરાત્રિદિની સપ્તસ્વર સસહસ્ત સપ્લાય સપ્રાયશ્ચિત્ત સબલદોષ સભા સભિક્ષુ સમતાલ. સમભિરૂઢ સમય સમવતાર સમવસરણ સમવાય સમવાયાંગ સમાધિમરણ સમાધિસ્થાન સમિતિ સમુચ્ચપષ્મી સમુત સમુત્થાનશ્રુત સમુગક સમુદ્ગકપક્ષી સમુદ્ધાત સમુદ્રદેશ સમુદ્ર શબ્દ સમુદ્રપાલિત સમુદ્રપાલીય સમુદ્રલિક્ષ સમુદ્રવાસ સમુદ્રવિજય સમૂહ સમ્મજજક સમ્યક્ત સમ્યત્વ-પરાક્રમ સમ્યફશ્ચત સમ્યગ્દષ્ટિ સયણવિહિ સયધણું સયરી સવાઈય સરંઠ સરખ સરગ સરગય સ૨ડ સરયું સરલ સરસવ સરાગચારિત્ર સરાગદર્શન સરોવર સર્પ સર્પસુગન્ધ સર્વકાલ સર્વતોભદ્ર સર્વતોભદ્ર-પ્રતિમા સર્વધર્મોપનીત Go છે ને કે જ છે ૨૦૪ ૨૬૧, ૨૭૨ ૨૧૦ ૨૫૬ ૧, ૨, ૨૧૯ ૨૯૨ ૧૪) ૧૩૮ ૫૫ ૭૧ ૭૧ | ૮૯ ૨૫૮ ૭૮ ४४ ૩૨, ૩૭ ૭૧ ૨૬૪ ૨૫૮ ४० ૭૩ - ૮૪ ૨૬૧ ૮૬, ૮૭ ૨૭૦ Page #395 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૩૫૯ પૃષ્ઠ ૧૦૦ ૨૭૧ ૨૫૭ ૨૫ م છે ه ૧૭ ૧૭ ૭૧ ૧૦ ૭૮ ૫૮ ૪૨ ૭૧ ૫૮ ૭૫, ૨૨૮ ૩૮, ૪૪, ૫૪ ૩૩, ૩૭ છે ا م તું શબ્દ સર્વરત્ન સર્વધર્મોપનીત સલ્લકી સલ્લેખનાશ્રુત સસગ સહિર સસિહાર સહસ્રપત્ર સહસ્રપાક સહસ્રાર સહિણગકલ્યાણગ સહેટ-મહેટ સાએ સાકર સાકેત સાગર સાગરતરંગ સાગરોપમ સાગારિકપિંડ સાગારિકનિશ્રા સાગારિકોપાશ્રય સાદિશ્રુત સાધર્મિક સાધર્મિકસૈન્ય સાધર્મોપનીત સાધિકરણ સાધુ સાનક સાપરાધદાસ સામ સામલિ સામવેદ سه શબ્દ પૃષ્ઠ સામાચારી ૧૩૯, ૧૮૫ સામાનિક ૪૧ સામાન્યદે ૨૭૦ સામાયિક ૭૮, ૧૪૮, ૧૪૩, ૨૫૭, ૨૬૧, ૨૬૩, ૨૭૧, ૨૭૪ સામાયિકસંયતકલ્પસ્થિતિ ૨૦૭ સામિલિણો ८८ સામુચ્છઇયા સામુદાનિક ૧૧ ૩ સાય સારંગ સાર સાર કલ્યાણ સારસ સાર્થવાહ ૬, ૮ સાલંકાયણ ૮૯ સાલિ સાલી સાવશ્રય ૨૦૫ સાસંગ ૬૮ સિકંઢી સિંગરફ સિંગિરડ સિઘાડા સિંદુવાર સિંધવીય સિંધુ પ૮, ૯૨, ૯૯, ૧૦૧ સિંધુદેવી ૯૮ સિંધુ-સૌવીર ૭૫ સિંહ ૩૩, ૭૩, ૨૪૪ સિંહકર્મી ૭૧ સિંહગિરિ ૨૪૪ ૭૩ 0 5 ) V. ૧૯૯ ૧૯૫ ૧૯૫ ૨પ૬ ૨૧૧ ૨૦૨ ૨૭૧ ૨૧૧ ૧૪ ૧૯૯ ૬૦ ૭૧ ૬૯ ૧૮ ૭૮ Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ શબ્દ સિંહ-પુચ્છન સિંહમુખ સિંહલ સિંહાસન સિક્કક સિદ્ધ સિદ્ધગુણ સિદ્ધશ્રેણિકાપરિકર્મ સિદ્ધસેન સિદ્ધસેનગણિ સિદ્ધાંત સિદ્ધાયતન સિદ્ધાર્થ સિદ્ધાર્થક સિદ્ધાર્થવન સિદ્ધિક્ષેત્ર સિપ્પિય સિરિ સિરીસ સિલોય સિલ્ડક સિવ સીપી સીમંકર સીમંતોન્નયન સીમંધર સીમાકાર સીમાપ્રાંત સીયઉર સીવગ સીસમ સીસા સંકલીતૃણ પૃષ્ઠ ૧૮૦ ૭૪ ૧૨, ૭૪, ૯૯ ૬૨ ૧૭૧ ૬૬ ૧૪૦ ૨૫૮ ૨૩૭ ૨૭ ૨૬૪ ૪૧, ૬૪, ૯૨ ૧૧૩, ૧૮૫, ૧૮૬ ૫૭ ૯૫ ૨૬ ૭૧ ૧૧૨ 2′ ૫૬, ૨૧ ૫ શબ્દ સુંગાયણ સુંઠ સંસુમાર સુકÇ સુકાલ સુકાલી સુકૃષ્ણ સુકોશલર્ષિ 2 સુક્ક સુગંધિત સુઘોષા સુત્તખેડ સુદર્શના સુધર્મ સુધર્મા સુધર્મા-સભા ૧૦૯ સુપાસ ૭૨ સુપિન ૯૪ ૬૦ સુભગ ૯૪ સુભદ ૭૩ સુભદ્ર સુનાર સુપક્વ સુપર્ણકુમા૨ સુપવિટ્ટર સુપાર્શ્વ સુભદ્રા સુમણસા ૭૦ ૯૭ સુમતિ ૬૯ સુય ૬૮ સુયરેંટ ૭૧ સુરપ્રિય અંગબાહ્ય આગમો પૃષ્ઠ ८८ ૭૦ ૭૨ ૧૦૫, ૧૦૯ ૧૦૫, ૧૦૯ ૧૦૫ ૧૦૫ ૨૮૬ ૧૦૯ ૭૧ ૩૬ ૨૨ ૨૫, ૧૮૬ ૨૪૩, ૨૪૪ ૧૨, ૧૩, ૧૧૮ ૪૧, ૬૪ ૭૭ ૫૬ ૬૧ ૫૭ ૧૮૬ ૧૮૬ ૧૩૧ ૭૧, ૭૨ ૧૦૯ ૧૦૯ ૬, ૯, ૧૨, ૧૧૧ ૭૦ ૯૪ ૭૧ ૭૨ ૧૧૨ Page #397 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા શબ્દ સુરાદેવી સુરાપાન સુરાવિકટ સુવર્ણ સુવર્ણકાર સુવર્ણકુમાર સુવણજુત્તી સુવર્ણપાગ સુવિધિકોષ્ટક સુવ્રતા સુષમા સુષમા-દુખમા સુષમા-સુષમા સુસેણ સુસઢ સુસ્થિતસુપ્રતિબુદ્ધ સુહબોહસામાયારી સુહસ્તી સુહા સૂક્ષ્મ સૂક્ષ્મસં૫રાય સૂક્ષ્મસં૫રાય-ચારિત્ર સૂચિ સૂચિક સૂચિમુખ સૂતક સૂત્ર સૂત્રક સૂત્રકૃત સૂત્રકૃતાંગ સૂત્રચિ સૂત્રવૈકાલિક પૃષ્ઠ ૧૧૨ ૫૯ ૧૯૮ ૫૬, ૬૮, ૨૬૬ ૯૭ શબ્દ સૂત્રસ્થવિર સૂત્રાગમ સૂત્રાનુગમ ૨૫૬ ૧૪૦, ૨૧૯ ७८ ૭૬ સૂપ સૂપકાર સૂયગડંગ ७८ ૨૧ સૂયગડ ૨૨ સૂર્યલિ ૫૮ ૧૧૧ ૯૪ ૯૨, ૯૪ ૯૨, ૯૪ ૯૮ ૨૩૬ ૨૪૪ ૧ ૨૪૩, ૨૪૪ ૬૯ ૬૬ ७८ ૨૭૧ ૪૦, ૨૭૧ ૩૩ ૭૨ ૫૨ ૨૫૮, ૨૬૩ ૫૭ સૂર સૂરણ સૂરપન્નત્તિ સૂરવલ્લી સૂરિયાભ સૂરિલ્લિ સૂર્યાવરણ સૂર્યાવલિકા સૂર્યભ સૂર્યાભદેવ સૂર્યાસ્ત સૂર્યોદ્ગમન સેઇંગાલ સેંદ્રિય સેચનક ૩૬૧ પૃષ્ઠ ૨૧૯ ૨૭૧ ૨૭૫ ૫૮ ૭૭, ૯૭ ૧, ૨ ૨૭ ૭૪ ૧૦૯ ૭૧ સૂર્ય ૫૭,૭૮,૮૫-૮૭,૮૯,૯૦,૧૦૩ સૂર્યકાંત સૂર્યકાંતા સૂર્યગ્રહણ સૂર્યપરિવેશ સૂર્યપુર સૂર્યપ્રજ્ઞપ્તિ સૂર્યમંડલ સૂયંગમ ૨, 0-2 ૭૦ ૨૭ ૭૨ ૪૩, ૬૯ ૪૩, ૫૨ ૬૧ ૬૧ ૧૩૫ ૨, ૮૧, ૮૯, ૨૫૭ ૩૮ ૩૭ 39 ૩૭ ३०. ૩૦, ૫૨ ३८ ૩૭ ૭૨ ૬૬ ૧૦૭ Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૨ અંગબાહ્ય આગમો પૃષ્ઠ શબ્દ સેડિયા ? ૭૩ છે ૪૨ ઇ ૨૬૬ ૨૦૧ ૧ ૬, ૮, ૩૨ ૧ ૪૨ ૧૭ ૮૮ • ૭૭ ૨ ૨ ૭ સ્ત્રી ૭૦, ૭૧ ૧૬ ૭૩, ૭૪ સેડી સેતવ્યા સેતિકા સેના સેનાપતિ સેય સેવિયા સેલઈ સેલતતા સેલુ સેલુગાર સેવા સેવાલ સેવાલભખ્ખી સેહ સોંડમગર સોમંગલક સોમ સોમય સોમા સોમિલ સોરિયપુર સૌગંધિક સૌત્રિક સૌધર્મ સૌમનસવન સૌરાષ્ટ્ર સૌરિયક સૌવસ્તિક સૌવીરવિકટ અંદ શબ્દ પૃષ્ઠ અંગ્રહ સ્કંદમહ સ્કંદિલાચાર્ય ૨૪૩ સ્કંધ ૬૮, ૨૬૦, અંધદેશ સ્કંધપ્રદેશ સ્તંભ સ્વનિતકુમાર સ્તવસ્તુતિમંગલ સૂપ ૪૪, ૯૬ તૂપમહ ૬૦ સ્ટોક ૯૩, ૨૬૪, ૨૬૮ ૫૫, ૯૪, ૧૬૯, ૨૮૪ સ્ત્રીપરિજ્ઞા ૧૫૩ સ્ત્રીલિંગ ૨૪૯ સ્પંડિલ ૧૬૮, ૧૭૦ સ્થલપુષ્કર ૭૧ સ્થવિર ૨૧૦, ૨૧૨, ૨૧૭, ૨૧૯ સ્થવિરકલ્પસ્થિતિ ૨૦૭ વિકલ્પી ૧૨૦, ૧૭૦ વિરાવલી ૧૮૭, ૨૪૩ સ્થાન ૨૫૬ સ્થાન સ્થિતિક સ્થાનાંગ ૯૫, ૧૭૪, ૨૧૯ સ્થાનાતિગ સ્થાપના ૧૬૦, ૨૫૪ સ્થાપના-આવશ્યક ૨૬૨ સ્થાવર ૫૫ સ્થિતિ સ્થિતિપતિતા ૨૦, પર ધૂણ ૭૩ ૭૨ ૧ ૧૦ ૧૧૨ ૧૦૯ ૧૩૫ ૫૬, ૬૮ ૩૦, ૭૮ ૭૦ ૩૭, ૭૨ ૧૯૮ ४४ ૧૯૭ Page #399 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૩૬૩ 0 * ક8 - 9 ) ) 5. શબ્દ સ્થૂલભદ્ર સ્નાન સ્નાનઘર સ્નાનપીઠ સ્નાનમંડપ સ્નાનાગાર સ્પર્શ સ્ફટિક અંદમાની સ્વમ સ્વપ્રભાવના સ્વપ્રવિદ્યા સ્વયંબુદ્ધસિદ્ધ સ્વર સ્વર્ગ સ્વલિંગસિદ્ધ સ્વસ્તિક સ્વસ્તિકમસ્યા સ્વતિકાવર્ત સ્વાતિ પૃષ્ઠ શબ્દ ૨૪૩, ૨૪૪ હડતાલ ૧૫૩ હઢ હત્થિતાવસ ૧૦ હત્થિસોંડ ૧૦ હયકર્ણ ૧૦. હયલખણ ૨૫૬ હરતનુંક પ૬, ૬૮ હરતાલ ૬૦. હરિ ૧૨૨, ૧૩૧, ૧૮૫ હરિકિર્ણ ૨૧૯, ૨૫૮ હરિકેશ ૧૨૨ હરિકેશબલ ૨૪૯ હરિકેશીય ૧૨૩, ૧૩૧ હરિસેગમેસિ ૪૯ હરિહૈમમેષી ૨૪૯ હરિતક ૧૧, ૩૩, ૩૭, ૭૧ હરિત ૭૩ હરિદ્રા ૨૫૮ હરિભદ્ર ૮૮, ૮૯, ૨૪૩ હરિવર્ષ ૮, ૧૪૦ હરિષણ હરીતક ૧૭, ૭૩, ૭૮, ૨૪૪ હર્ષક પ૬, ૬૮ હલ ૩૭ હલિમસ્ય ૩૭ હલીસાગર ૩૭ હસ્ત : ૬૨ હસ્તકર્મ ૯૪, ૯૫ - હસ્ત-છેદન હસ્તાતાન હસ્તાતાલ હસ્તિતાપસી 98 ૧૦૨ ७४ ૧૨૭ ૧૨૬ ૧૨૬ ૧૮૫ ૧૦૨ ૬૯, ૭૧ પ૫, ૬૯, ૭૧, ૭૬ ૭૧ ૨૩૭ ૭૪, ૧૦૧ ૧૩૨ પ૯ પ૭ પ૬ ૭૨ ૭૨ ૮૮, ૮૯, ૨૬૬ ૨૦૨, ૨૨૨ ૧૮૦ ૨૦૨ ૨૦૨ ૧ ૫ સ્વાધ્યાય rum હંસ હંસગર્ભ હંસપક્ષ હંસવસ્ત્ર હંસાવલિકા હંસાન હઝાર હજામ હડફ હડિબદ્ધગ m * * ૧૧ Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ અંગબાહ્ય આગમો પૃષ્ઠ પ૬ શબ્દ હસ્તિનાપુર હસ્તિમુખ હસ્તિરત્ન હસ્તિવ્રત ૭૪, ૧૦૨ ૧ ૧૨ ના હસ્તી ૨૪૫ ૯૧ હસ્તીપૂયણગ હસ્તોત્તર હાથ. હાથી હાયની ૧૫ ૧૧, ૩૬ ૨૬૪, ૨૬૮ ૨૬૪, ૨૬૮ ૭૪ ૯૩ ૯૩ ૧૯૭ હા૨ પૃષ્ઠ શબ્દ ૧૬, પ૭, ૨૨૮ હિરણ્ય ૭૪ હિરણ્યપર્વત ૯, ૧૦, ૯૮ હિરિ હિલ્લિયા ૭૩ હીયમાનક ૫૩ હીરવિજયસૂરિ ૧૮૪ હુબઉટ્ટ ૨૬૭ હુડુક્કા ૩૨, પર હુહુત ૨૮૪ હુહુતાંગ ૯, ૩૦, ૫૭, ૧૦૮ ૮૯ હૂહુકાંગ હતાહૃતિકા ૭૨ હૃદય-ઉત્પાદન ૪૧ હૃદયશૂલ ૬૮ હેમચંદ્રસૂરી ૭૧ હેમંત ૪૧ હમજાલ ૬૮ હૈમવત ૨૪૩ હરણ્યવત ૯૨ હોંતિય ૯૨ હોરિયા ૨૧ હોરંભા ૨૨ હૃદમહ ૭૨ ७४ ૧૮૦ હારિત હારિદ્રપત્ર હારોસ હાલાહલ હિંગળોક હિંગુલ હિંગુવૃક્ષ હિંગૂલક હિમ હિમવંત હિમવાન હિમાલય હિરણજુરી હિરણ્યપાગ ૬૧ ૧૯૬, ૨૧૩ પ૭ ૭૪, ૧૦૧, ૧૦૨ ૧૦૨ ૭૧ ૧૫ ૩૫ ૬O Page #401 -------------------------------------------------------------------------- ________________ સહાયક ગ્રંથોની સૂચિ અંગવિદ્યા–પ્રાકૃત ટેકસ્ટ સોસાયટી, વારાણસી, ૧૯૫૭. અંગુત્તરનિકાય (ભાગ ૫)–પાલિ ટેસ્ટ સોસાયટી, લંડન, ૧૮૮૫-૧૯૦૦ અંતકૃદશા–એમ. સી. મોદી, પૂના ૧૯૧૨. અનુત્તરૌપપાતિકદશા–પી.એલ.વૈદ્ય, પૂના, ૧૯૩૨ અભિધાનચિત્તામણિ—હેમચંદ્ર, ભાવનગર, વી. સં. ૨૪૪૧. અવદાનશતક (ભાગ ૨)-સેંટ પીટર્સબર્ગ, ૧૯૦૬. આચારાંગ–નિર્યુક્તિ, ભદ્રબાહુ –ચૂર્ણિ, જિનદાસગણિ, રતલામ, ૧૯૪૧. –ટીકા, શીલાંક, સૂરત, ૧૯૩૫. ઉદાન-અટ્ટકથા (પરમત્યદીપની)– લંડન, ૧૯૧૫. ઋષિભાષિત-સુરત, ૧૯૨૭. કથાસરિત્સાગર સોમદેવ; સંપાદક, પૅજ૨ (ભાગ ૧-૧૦), લંડન, ૧૯૨૪-૨૮ કાદંબરી–બાણભટ્ટ; સંપાદન, કાલે, મુંબઈ, ૧૯૨૮. કટ્ટિનીમત–દામોદર, મુંબઈ, વિ. સં. ૧૯૮૦. ચરકસંહિતા–હિન્દી અનુવાદ,જયદેવ વિદ્યાલંકાર,લાહૌર, વિ.સં.૧૯૯૧-૯૩. જર્નલ ઓફ ધી એશિયાટીક સોસાયટી ઓફ બેંગાલ. જર્નલ ઓફ યુ.પી. હિસ્ટોરિકલ સોસાયટી, જાતક (ભાગ ૬)-કુઝબૉલ, લંડન, ૧૮૭૭-૯૭; ભદત્ત આનંદ કૌશાત્યાયન, હિન્દી સાહિત્ય સંમેલન, પ્રયાગ, ૧૯૪૧-૫૬ જૈન આગમ-દલસુખ માલવણિયા, જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ, બનારસ, ૧૯૪૭. જૈન આગમ સાહિત્યમે ભારતીય સમાજ-જગદીશચંદ્ર જૈન, ચૌખંબા - વિદ્યાભવન, વારાણસી, ૧૯૬૫. જૈન આચાર–મોહનલાલ મેહતા, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન, વારાણસી, ૧૯૬૬ એ.આ. - ૨૬ Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ અંગબાહ્ય આગમો જૈન દર્શન–મોહનલાલ મેહતા, સન્મતિ જ્ઞાનપીઠ, આગ્રા, ૧૯૫૯. જ્ઞાતાધર્મકથા–ટીકા, અભયદેવ, આગમોદય સમિતિ, મુંબઈ, ૧૯૧૯. – ભગવાન્ મહાવીરની ધર્મકથાઓ (ગુજરાતી), બેચરદાસ, અમદાવાદ, ૧૯૩૧. જ્યોગ્રાફી ઓફ અર્લી બુદ્ધિઝમબી.સી. લાહા, લંડન, ૧૯૩૨. જ્યોતિષ્કરંડ-ટીકા, મલયગિરિ, રતલામ, ૧૯૨૮. ડિક્શનરી ઓફ પાલિ પ્રોપર નેમ્સ (ભાગ ૨)-મલાલસેકર, લંડન, ૧૯૩૭-૩૮. તત્ત્વાર્થભાષ્ય–ઉમાસ્વાતિ, આહિમતપ્રભાકર, પૂના, વી.સં. ૨૪૫૩ ત્રિલોકસાર–નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી, માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાલા, મુંબઈ, ૧૯૧૯. થેરગાથા–રાહુલ સાંકૃત્યાયન, રંગૂન, ૧૯૩૭. થેરીગાથા–રાહુલ સાંકૃત્યાયન, રંગૂન, ૧૯૩૭. દશકમારચરિત–દંડી; સંપાદક- કાલે, મુંબઈ, ૧૯૨૫. દિવ્યાવદાન-કેમ્બ્રિજ, ૧૮૮૬. દીઘનિકાય (ભાગ ૩)–રાઈસ ડેવિડ્ઝ, પાલિ ટેક્સ્ટ સોસાયટી, લંડન, ૧૮૮૯-૧૯૧૧. ધમ્મપદ સસ્તું સાહિત્ય મંડળ, અમદાવાદ, વિ. સં. ૨૦૦૨. નાગરીપ્રચારિણી પત્રિકા. પાક્ષિકસૂત્ર—ટીકા, યશોદેવસૂરિ, સૂરત, ૧૯૫૧. પ્રવચનસારોદ્વાર–નેમિચંદ્ર, મુંબઈ, ૧૯૨૨-૨૬. પ્રશ્નવ્યાકરણ–ટીકા, અભયદેવ, મુંબઈ, ૧૯૧૯. પ્રાકૃત ઔર ઉસકા સાહિત્ય—મોહનલાલ મેહતા, બિહાર રાષ્ટ્રભાષા પરિષદ, પટણા, ૧૯૬૬. પ્રાકૃત સાહિત્ય કા ઈતિહાસ-જગદીશચંદ્ર જૈન, ચૌખંબા વિદ્યાભવન, - વારાણસી, ૧૯૬૧. બૃહત્સંહિતા (ભાગ ૨)–વરાહમિહિર; સંપાદન, સુધાકર દ્વિવેદી, બનારસ, વિ. સં. ૧૯૮૭. Page #403 -------------------------------------------------------------------------- ________________ સહાયક ગ્રંથોની સૂચિ ૩૬૭ ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ)-ટીકા – અભયદેવ, આગમોદય સમિતિ, મુંબઈ, ૧૯૨૧; રતલામ ૧૯૩૭. ભગવતી આરાધના–શિવકોટિ, સોલાપુર, ૧૯૩૫. ભરતનાટ્યશાસ્ત્ર–ભરત, ગાયકવાડ ઓરિએંટલ સિરીઝ, ૧૯૨૪, ૧૯૩૬; કાશી સંસ્કૃત સિરીઝ, ૧૯૨૯. ભારતકે પ્રાચીન જૈન તીર્થ–જગદીશચંદ્ર જૈન, બનારસ, ૧૯૫૨. ભારતીય પ્રાચીન લિપિમાલા-ગૌરીશંકર ઓઝા, અજમેર, વિ. સં. ૧૯૭૫. મઝિમનિકાય (ભાગ ૩)-ટૅકનર ઔર ચાલમેર્સ, લંડન, ૧૮૮૮-૯૯. મનુસ્મૃતિ–નિર્ણયસાગર, મુંબઈ, ૧૯૪૬. મહાભારત–ટી.આર.કૃષ્ણાચાર્ય, મુંબઈ, ૧૯૦૬-૯. મહાવગ્મ (વિનયપિટક પ ભાગ)–ઓલ્ડનબર્ગ, લંડન, ૧૮૭૯-૮૩. યાજ્ઞવક્યસ્મૃતિ-વિજ્ઞાનેશ્વર ટીકા, મુંબઈ, ૧૯૩૬. રામાયણ–ટી.આર.કૃષ્ણાચાર્ય, મુંબઈ, ૧૯૧૧. રિલીજીયન્સ ઓફ હિન્દુ—એચ.એચ.વિલ્સન, કલકત્તા, ૧૮૯૯. લલિતવિસ્તર–લંડન, ૧૯૦૨ અને ૧૯૦૮. લોકપ્રકાશ–વિનયવિજય, દેવચંદ્ર લાલભાઈ, મુંબઈ, ૧૯૨૬-૩૭. વિનયવસ્તુ (મૂલ સર્વાસ્તિવાદ)–ગિલગિટમેન્યુક્ઝિર્સ, વોલ્યુમ ૩, ભાગ ૨, - શ્રીનગર-કાશ્મીર, ૧૯૪૨. વિશેષાવશ્યક ભાષ્ય જિનભદ્રગણિ, યશોવિજય જૈન ગ્રંથમાલા, કાશી, વી.સં. ૨૪૨૭-૨૪૪૧. શ્રમણ ભગવાન મહાવીર–કલ્યાણવિજય, જાલોર, વિ. સં. ૧૯૮૮. પદર્શનસમુચ્ચય-હરિભદ્રસૂરિ (ગુણરત્નસૂરિકૃતટીકા), ભાવનગર, વિ. સં. ૧૯૭૪. સંગીતરત્નાકર-શાદેવ,પૂના. ૧૮૯૬. સંયુત્તનિકાય (૨ ભાગ)- લિયો ફીર, લંડન, ૧૮૮૪-૯૮. સમ પ્રોબ્લેમ્સ ઓફ ઇન્ડિયન લિટરેચર–મોરિસ વિટરનિલ્ક, કલકત્તા, - ૧૯૨૫. સમવાયાંગ-ટીકા- અભયદેવ, અમદાવાદ. ૧૯૩૮. સુત્તનિપાત–રાહુલ સાંકૃત્યાયન, રંગૂન, ૧૯૩૮. Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ અંગબાહ્ય આગમો સુશ્રુતસંહિતા–હિન્દી અનુવાદ, ભાસ્કર ગોવિંદ ઘાણેકર, - લાહૌર, ૧૯૩૬, ૧૯૪૧. સૂત્રકૃતાંગ–ટીકા- શીલાંક, આગમોદય સમિતિ, મુંબઈ, ૧૯૩૭. સોશિયલ લાઇફ ઇન એએિન્ટ ઇન્ડિયા સ્ટડીઝ ઈન વાત્સ્યાયન કામસૂત્ર, એચ. સી. ચકલેદાર, કલકત્તા, ૧૯૨૯. સોશિયલ લાઇફ ઇન એન્જિમેન્ટ ઇન્ડિયા એજ ડિપિન્ટેડ ઈન જૈન કેનન્સ જગદીશચંદ્ર જૈન, ન્યુ બુક કંપની, મુંબઈ, ૧૯૪૭. સ્થાનાંગ-ટીકા- અભયદેવ, અમદાવાદ. ૧૯૩૭. હર્ષચરિત: એક સાંસ્કૃતિક અધ્યયન–વાસુદેવશરણ અગ્રવાલ, બિહાર રાષ્ટ્રભાષા પરિષદ્દ, પટણા, ૧૯૫૩. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન લિટરેચર (ભાગ ૨)–મોરિસ વિટરનિસ્ત્ર, કલકત્તા, ૧૯૩૩. હિસ્ટ્રી ઓફ કેનનિકલ લિટરેચર ઓફ ધી જૈન્સ-એચ.આર.કાપડિયા, મુંબઈ, ૧૯૪૧. Page #405 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજની ગોદમાં, નજરે નિહાળતાં, મનને હરી લેતા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન-સમવસરણ મહામંદિરની આછેરી ઝલક જગતના તમામ ધર્મોમાં જૈન ધર્મની એક મહત્તા એનાં ભવ્ય, અલૌકિક અને અધ્યાત્મભાવનાથી ભરપૂર તીર્થો છે. આ તીર્થો ભક્તની ભક્તિ, શ્રેષ્ઠીની દાનવીરતા, સાધકની ઉપાસના અને સાધુજનોની સમતાનો સંદેશ આપીને સંસારસમુદ્ર તરવા માટે જિનભક્તિનો ઉપદેશ આપે છે. સમગ્ર દેશમાં જ નહિ બલ્ક વિદેશોમાં અનેક જિનાલયો આવેલાં છે, પરંતુ આ બધા જિનાલયની યાત્રા કરીને પોતાની ભક્તિભાવનાને ધન્ય કરવાની પણ સહુને સાંપડતી નથી. ક્યારેક શારીરિક કે આર્થિક શક્તિ ન હોય, તો ક્યારેક સમય કે સગવડનો અભાવ હોય. આથી જ પાલિતાણામાં આવેલા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિરમાં એક સાથે અનેક તીર્થોનાં દર્શન અને ભાવપૂજનનો લાભ મળે છે. જાણે તીર્થોનું સંગમસ્થાન જ જોઈ લો ! ગિરિવર દર્શન વિરલા પાવે આ સંગમસ્થાન તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજ ચડતાં જ જમણી બાજુ આવેલું છે. દેશ અને વિદેશના ખૂણે ખૂણેથી પ્રત્યેક જૈન તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરવાની સદૈવ ઝંખના રાખતો હોય છે. આથી જ શ્રી ૧૦૮ તીર્થદર્શન ભવન પાલિતાણામાં નિર્માણ કરવામાં આવ્યું, જેથી સિદ્ધગિરિની યાત્રાએ આવનાર યાત્રાળુને અનોખો તીર્થદર્શન, વંદન અને પૂજનનો ધર્મમય સુયોગ સાંપડે છે. નિમિત્તમાત્રમ્ આની રચનાનું નિમિત્ત સુરત દેસાઈ પોળના શ્રી સુવિધિનાથ જિનમંદિરમાં શ્રી દેસાઈ પોળ પેઢીના સંસ્થાપક ધર્મનિષ્ઠ ડાહ્યાભાઈ (કીકાભાઈ) રતનચંદ કિનારીવાળાએ તૈયાર કરાવેલ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન બન્યું. અહીં પ્રાચીન તીર્થોના મૂળનાયકજીના ૩૬ X ૩૦ ઇંચની સાઇઝનાં ચિત્રો દીવાલ પર બિરાજમાન કરવામાં આવ્યાં. પરમપૂજય ધર્મરાજા આચાર્ય દેવ શ્રી વિજયકસૂરસૂરીશ્વરજી મહારાજ તથા પ.પૂ. પંન્યાસજી (હાલ આચાર્ય મ.સા.) શ્રી ચંદ્રોદયવિજયજી ગણિ મહારાજની નિશ્રામાં વિ. સં. ૨૦૨૪ના કારતક વદરના રોજ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદ ડાહ્યાભાઈએ ૧૦૮ તીર્થોનો એક પટ્ટ બહાર પાડ્યો. પછી પોતાના દીક્ષા ગ્રહણના દિવસે જ વિ. સં. ૨૦૨૬ પોષ સુદ ૧૧ના ૧૦૮ તીર્થદર્શનાવલિ નામક એક આલબમ પ્રકાશિત કર્યું. જેમાં ૧૦૮ તીર્થના મૂળનાયકજી, દેરાસર અને તેમનો ઇતિહાસ લેવામાં આવ્યો. Page #406 -------------------------------------------------------------------------- ________________ (II) લોકઆદર પામેલ આનું નિમિત્ત જોઈને વિ. સ. ૨૦૨૮માં સુરેન્દ્રનગરમાં શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો. પૂજ્ય ધર્મરાજા ગુરુદેવશ્રીની સ્ફુરણા થાય છે સાકાર શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન અને શ્રી સમવસરણ મહામંદિર, સરસ્વતી મંદિરની બાજુમાં (બાબુના દેરાસરની સામે) વીસ હજાર વાર ૪૦૦ × ૪૫૦ ફૂટ લંબાઈ-પહોળાઈવાળી વિશાળ જમીન પર તૈયાર કરવામાં આવ્યું છે. ૨૫૦૦ વર્ષ પહેલાં તીર્થંકર પરમાત્મા શ્રીમહાવીર સ્વામી જેમાં બિરાજમાન હશે, એ સમવસરણ કેવું હશે ? જિનાગમો, સમવસરણસ્તવ આદિ પ્રાચીન સ્તવો, સ્તવનોમાં અને અન્યત્ર પણ સમવસરણ સંબંધી ઉલ્લેખ મળે છે તે જ રીતે કેટલાય શિલ્પીઓએ પોતાની કલા તેમજ આગવી સૂઝથી એની રચનાનો ખ્યાલ આપ્યો છે, તો કેટલાંય ચિત્રકારોએ એનાં ચિત્ર પણ બનાવ્યાં છે. પૂજય આચાર્યદેવ શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ પોતાના ધ્યાનમાં શ્રી સમવસરણનું ચિંતન કરતા હતા. આ સમયે ૧૦૮ જૈન તીર્થદર્શન ગોઠવવાની વિચારણા ચાલી રહી હતી. એવામાં એકાએક તેઓશ્રીને એક નૂતન વિચાર સ્ફૂર્યો. એમણે વિચાર્યું કે સમવસરણ પણ બનાવવું અને તેમાં ૧૦૮ તીર્થો આવી જાય તેવી રમણીય રચના કરવી. એવી સરસ ગોઠવણી કરવી કે જેથી વર્તમાન ચોવીશી, ૧૦૮ પાર્શ્વનાથજી, ૧૦૮ તીર્થપટ્ટો તથા ૧૦૮ ચિત્રપટ્ટો વગેરે બધું જ આ સંગમમાં મહાસંગમ બની રહે સમવસરણની સફળતાના સુકાની પૂજ્ય ગુરુ ભગવંતો ૫૨મપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજની શિલ્પ-સ્થાપત્ય સંબંધી સૂઝ-બૂઝના સહારા સાથેના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ પૂજ્ય તપસ્વી મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી મ. સા.ની જહેમતથી આ કાર્ય સારી એવી સફળતાને પામ્યું. તેમજ આ તીર્થધામના ઉત્થાનમાં માર્ગદર્શન પૂજ્યાચાર્ય મહારાજ તથા તેઓશ્રીના ગુરુબંધુ પ. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.આચાર્ય શ્રી વિજય જયચંદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. પં. શ્રી પ્રમોદચંદ્રવિજયજીગણી મ.સા., પ.પૂ.પં. શ્રી અજિતચંદ્રવિજયજી ગણિ મ.સા., પ.પૂ.પં. શ્રીવિનીતચંદ્રવિજયજી ગણિ મ.સા., પ.પૂ.પં. શ્રી હ્રીંકારચંદ્રવિજયજી ગણિ મ.સા., પ.પૂ.પં. શ્રી પુષ્પચંદ્રવિજયજી ગણિ, પં. શ્રી સોમચંદ્ર વિ.મ., પ.પૂ. મુનિશ્રી અમરચંદ્ર વિ.મ., પ.પૂ. મુનિ કૈલાસચંદ્ર વિ.મ., પૂ. મુનિ શ્રી રાજચંદ્ર વિ. મ. આદિ ધર્મરાજા પૂજ્ય ગુરુદેવના શિષ્ય-પ્રશિષ્ય સમુદાયનો અથાક પ્રયત્ન પણ નિમિત્તરૂપ બનેલ છે. * Page #407 -------------------------------------------------------------------------- ________________ (III) વિશ્વમાં અજોડ શ્રી સમવસરણ મહામંદિર શ્રી સમવસરણ મહામંદિર જોનારને પ્રથમ નજરે જ જાણે આકાશમાંથી ઊતરી આવ્યું હોય તેવું લાગે છે. જેમાં શ્રી પાર્શ્વનાથજી ૧૦૮, તીર્થપટ્ટો ૧૦૮ અને ચિત્રપટ્ટો પણ ૧૦૮ છે. તેની ઊંચાઈ પણ ૧૦૮ ફૂટની રાખી છે. મહા મંદિરમાં પ્રવેશતાં શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી ધર્મોઘાન આવે છે. સુંદર ...કારીગરીથી શોભતું આકર્ષક આ પ્રવેશદ્વાર દૂરથી જ યાત્રાળુનાં મનને મોહી લે છે. તેની બન્ને બાજુ નીકળતી પથ્થરમાંથી કંડારેલ ચક્રોની ચક્રાવલિ અને તેની ઉપર પથ્થરમાં જ અંકિત અક્ષરોની અદ્ભુતતા દ્વારની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. દ્વારની અંદરના ભાગમાં એક તરફ પરબ અને બીજી બાજુ વિશ્રાંતિગૃહનું સુંદર આયોજન વિચારેલ છે. હાલ યાત્રિકો માટે ઠંડા અને ઉકાળેલા પાણીની પરબ પણ રાખેલી છે. લીલા-ગુલાબી કમળોની પંક્તિ સમવસરણની આસપાસ પથરાયેલ કમળો જેવી લાગે છે. મુખ્ય દરવાજામાં પ્રવેશતાં જ જમણા હાથે એક અજોડ અને અદ્વિતીય મંદિરના દર્શન થાય છે. ત્રણ ગઢ રૂપે તેની રચના થઈ છે. શાસ્ત્રીય રીતે તૈયાર કરેલ ચારે દિશાના બાર દરવાજા, સુંદર કમાનો, દ્વારપાળો, બારે પર્ષદા, ચૈત્યવૃક્ષ અને અશોકવૃક્ષ નજરે ચઢ્યા વગર રહેતાં નથી અને તેથી જ આજે શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિર વિશ્વમાં એની ભવ્યતા, પવિત્રતા અને મહત્તાથી ખ્યાતનામ બન્યું છે. અહીં માત્ર જિનાલય જ નહિ પરંતુ જૈન ખગોળ, ભૂગોળ અને જૈન ઇતિહાસની માર્મિક ઝાંખી થતી હોવાથી જ આને મહામંદિર કહેવામાં આવે છે. પ્રભુદર્શનથી મન પાવન બને છે મુખ્ય દ્વારના ઉંબરમાં પગ મૂકતાં જ ક્યાં પહેલા દર્શન કરવા જવું ? તે વિચારમાં મુગ્ધ બનેલ (મુંઝાતો) ભાવિક શ્રી આદિનાથદાદાની ભવ્યમૂર્તિના દર્શનથી તે તરફ જતી જાજ્વલ્યમાન આરસની પગથાર દ્વારા અંદરના દરવાજે પહોંચી જાય છે અને પહોંચતા જ આંખ ઠરી જાય છે. અહો કેટલો વિશાળ ડોમ ! તેમજ નાંખી નજરે નીરખી ન શકાય એટલો ઊંચો માણેક સ્તંભ. આ મહામંદિરની વિશ્વભરમાં સૌથી મોટી એ જ વિશિષ્ટતા છે કે ૪૨ ફૂટ ઊંચો અને ૭૦ ફૂટ પહોળો ગોળ ઘુમ્મટ(ડોમ) પથ્થરથી જ તૈયાર થયેલ છે. વીંટી જેવા આ વર્તુળાકા૨માં ૪૨ ફૂટ ઊંચો અને ૧૬ ફૂટ પહોળો અષ્ટમંગલથી તેમજ છેક ટોચ ઉપર ઊંધા કમળની પાંખડીઓથી સુશોભિત માણેકથંભ રત્નની જેમ દીપી ઊઠે છે. માણેકસ્તંભની ચારે દિશામાં વર્તમાન ચોવીસ તીર્થંકરોની ભાવોલ્લાસ જગાડતી ૨૪ મૂર્તિઓ બિરાજમાન છે. આ ચોવીસમાંથી ચારે બાજુના મૂળનાયક તીર્થંકર શ્રી આદિનાથજી, શ્રી શાંતિનાથજી, શ્રી નેમિનાથજી, શ્રી પાર્શ્વનાથજીની ૪૧-૪૧ Page #408 -------------------------------------------------------------------------- ________________ (IV) ઇંચની આધ્યાત્મિક ચેતનાને જાગ્રત કરતી પ્રતિમાઓ સુંદર પવાસણ ઉપર બિરાજમાન છે. તેમજ ડોમની ગોળાઈમાં ચારે દિશામાં કુલ ૨૭-૨૭ના વિભાગમાં, જુદાં જુદાં નામોથી વર્તમાનમાં પ્રસિદ્ધ કુલ ૧૦૮ શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિઓ થાંભલા વિનાની, ઝૂલતી કમાનો ઉપર રહેલ ઘુમ્મટવાળી જુદીજુદી મીની (નાનશી) દેવકુલિકામાં પ્રતિષ્ઠિત કરેલ છે. દરેક પ્રભુની પલાઠીમાં શ્રી સમવસરણ મંદિરના પ્રતીક સહિત લાંછનો કળામયતાથી કોતરવામાં આવેલ છે. આ રીતે એક સાથે થતા ૨૪+ ૧૦૮ =૧૩૨ પ્રભુના દર્શનથી જીવન-મન પાવન બની જાય છે. આ છે મહામંદિરનું આંતરદર્શન પ્રભુદર્શનથી પાવન પથિક પ્રાણપ્યારાં એવા ઐતિહાસિક તીર્થોનાં દર્શન કરવા બહાર આવે છે. જયાં સામેની ગોળાઈમાં ૨૭-૨૭ના ૪ વિભાગમાં ભારતભરનાં ૧૦૮ તીર્થનાં જિનાલયો, તેના મૂળનાયક ભગવાન, તેનો ઇતિહાસ અને પરિચય સાથે, જે તે તીર્થોમાં જઈને લીધેલ આબેહૂબ તસ્વીરો આધુનિક લેમિનેશન પદ્ધતિથી આરસ પર મૂકવામાં આવેલ છે. શ્રી ગિરિરિજથી શરૂ કરી રાજ્યવાર ગોઠવેલ ૧૦૮ તીર્થપટ્ટોના દર્શનથી દર્શક જાણે તે તીર્થોની યાત્રા કર્યાનો સંતોષ અનુભવે છે. તે તીર્થપટ્ટોની સામેની ગોળાઈમાં પ્રભુ શ્રીવીરના સમયથી આજદિન સુધીમાં થયેલાં. ધર્મ-સંઘ-દેશ અને સમાજ માટે પોતાનું આગવું સમર્પણ કરનાર પુણ્યવંત એવા ૨૭ સાધુ, ૨૭ સાધ્વીજી. ૨૭ શ્રાવક અને ર૭ શ્રાવિકાનાં ચિત્રો પણ આરસ ઉપર લેમિનેશન કરી મૂકવામાં આવ્યાં છે. અત્યારે પણ ઇતિહાસનાં પાનાં ઉકેલતાં જાણવા મળેલ ઐતિહાસિક હકીકતો દ્વારા આ ચિત્રો જે રીતે બેનમૂન તૈયાર કરેલાં છે, તે જોતાં લાગે છે કે આ ચિત્રપટ્ટો લાગવાથી આ મહામંદિરની દર્શનીયતા/ઐતિહાસિકતાનો ઘણો જ વધારો થયો છે અને સાથે સાથે જૈન ઇતિહાસમાં એક સુવર્ણપૃષ્ઠનો ઉમેરો થયો છે. મહામંદિરમાં શિલ્પની સાથે સાહિત્યનું ગઠન સમવસરણ મંદિરના અંદરના ચારે દરવાજા ઉપર તીર્થંકર પ્રભુના ચાર વિશિષ્ટ વિશેષણોને દર્શાવતા - (૧) મહામાયણ; (૨) મહાગો૫; (૩) મહાસાર્થવાહ; (૪) મહાનિર્ધામકનાં દશ્યો કલાત્મક રીતે કંડાર્યા છે. વળી ચારે દિશાના ચાર મુખ્ય દરવાજાની આજુબાજુના બે-બે બ્લૉક (રૂમ) કુલ આઠ બ્લૉક સુંદર નકશીકામનાં દ્વારોથી શણગાર્યા છે. પહેલા-બીજા દ્વારમાં ૧૬ વિદ્યાદેવીના, ત્રીજા દ્વારમાં શુભ શુકન, ચોથા દ્વારમાં ચાર શરણ, ચાર સાધન અને ચાર પ્રકારનાં દાનના; પાંચમા-છઠ્ઠા દ્વારમાં નવકાર-વજપંજરની વિવિધ મુદ્રાના અને નવકારના પદોનાં પ્રતીકો, સાતમા દ્વારમાં આઠ પ્રતિહાર્ય અને આઠમા દ્વારમાં અષ્ટમંગલના Page #409 -------------------------------------------------------------------------- ________________ (V) પ્રતીકો ઝીણવટભરી દૃષ્ટિએ જોતાં નજરે ચઢે છે. આઠે બ્લોકમાં પહેલામાં હમણાં વહીવટી ઑફીસ છે, બીજામાં ગુરુગણ પ્રદર્શિત કરતું ભવ્ય ગુરુમંદિર - શ્રી ગૌતમ સ્વામીજી, પૂજ્ય શાસનસમ્રાટ્, પૂજ્ય શ્રી વિજ્ઞાનસૂરિજી મ.સા, પૂજય ધર્મરાજા ગુરુદેવની ગુરુ પ્રતિમા તથા મા ચક્કેસરી ને મા પદ્માવતીની મૂર્તિઓથી દીપે છે. જ્યારે બાકીના બીજા બ્લૉકમાં અતીત, અનાગત ને વર્તમાન ચોવીશીનો ખ્યાલ પણ આપવામાં આવશે. શાશ્વતા તીર્થંકરોના પરિચય ચિત્રોની સાથે ૬૩ શલાકા પુરુષ, ૪૫ આગમની પાંચ વાચના, અઢી દ્વીપ, ઉત્સર્પિણી – અવસર્પિણી કાળપાંચમા-છઠ્ઠા આરાની તેમજ શ્રી વીરપાટ પરંપરાની સમજ આપતાં ચિત્રો વગેરે મૂકવામાં આવશે. મહામંદિરનું હૃદયંગમ બહારનું ભવ્યદર્શન, સદેહે વિચરતા ભાવ જિનેશ્વર ભગવંતની લોકોત્તર પુણ્યાઇનો ખ્યાલ શ્રી સમવસરણ મહામંદિરના અંદરના વિભાગોના દર્શનથી પ્રભાવિત પુણ્યાત્મા ઉપર બિરાજમાન પ્રભુ શ્રીવીરને વંદન ક૨વા ઉત્કટ બની બહાર આવે છે. ત્યાં ચારે મુખ્ય દરવાજા ઉ૫૨ તીર્થંકર પ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણકનાં કંડારેલા દશ્યોને, નીકળતાં જમણી બાજુએ પથ્થરમાંથી બનાવેલ, સાક્ષાત્ જેવી લાગતી ગાડામાં રહેલ ઊંચી ઇન્દ્રધ્વજાને, વિશાળ ભીંતો ઉપર પથ્થરમાં કંડારેલ રાજા દશાર્ણભદ્ર ને ઇન્દ્ર મહારાજાની પ્રભુવીરના ચરણોમાં આત્મસમર્પણ ભાવ પ્રકટ કરતા પટ્ટને, પ્રદક્ષિણાકારે આગળ વધતાં પાછળના ભાગમાં શ્રી નેમિનાથ પ્રભુ ને કૃષ્ણ મહારાજા ; શ્રી પાર્શ્વનાથજી, શ્રી આદિનાથજી પ્રભુ ને મરુદેવા માતાજીના પટ્ટને તેમજ શ્રી પ્રભુવીર પ્રત્યે સંપૂર્ણ સમર્પિતતા પ્રકટ કરતા શ્રેણિક મહારાજની ભક્તિનાં દૃશ્યોને તેમજ નાની નાની વાડીઓને જોઈ પ્રસન્ન બને છે. જ્યારે યાત્રિકને પૂજા-ભક્તિ કરવા માટે જરૂરિયાતવાળું સાધન જોઈએ, તે માટે ડાબી બાજુએ રહેલ ભક્તિભવન તરફ નજર જાય છે, જ્યાં આધુનિક સોલાર મશીન દ્વારા યાત્રિક માટે ગરમ-ઠંડા પાણીની સુંદર વ્યવસ્થા છે અને પ્રભુની પ્રક્ષાલ પૂજા માટે જરૂરી પાણીનો સંચય સમવસરણની અંદર રહેલ ટાંકામાં તેમજ નવા તૈયાર થયેલ કુંડમાં થાય છે. યાત્રાળુની આ બધી વ્યવસ્થા જોઈ સમવસરણ ઉપર જવા માટે પગથિયાં ચઢતાં નાના નાના પત્થરનાં કુંભો, કાંગરા, સુંદર તોરણ-કમાનોવાળા ચારે તરફના બારે દરવાજા, પહેલા ગઢમાં પથ્થરમાં કંડારેલા વિવિધ વાહનો, બીજા ગઢમાં વિભિન્ન પશુ-પક્ષીઓ, ત્રીજા ગઢમાં સાધુ-સાધ્વી-મનુષ્ય-સ્ત્રી-દેવ-દેવીઓની બારે પર્ષદાને નિહાળતો, તો ક્યારેક વિશિષ્ટ થાંભલીએ ટેકણ ઉપર ટેકો લેતો, ધીમે ધીમે ૧૦૮ પગથિયાં ચઢી ઉપર પહોંચે છે. જયાં સુંદર પવાસણ ઉપર શ્રી મહાવીર સ્વામીજીની સાત હાથની કાયાને લક્ષમાં રાખીને પદ્માસને બેઠેલ ૬૧। ઇંચની પ્રતિમા અષ્ટપ્રતિહાર્ય સહિત Page #410 -------------------------------------------------------------------------- ________________ (VID ચારે દિશામાં બિરાજમાન છે. ઉપર માત્ર પથ્થરથી જ નિર્માણ કરેલ અશોકવૃક્ષ અને ચૈત્યવૃક્ષનું સુંદર ડાળી પાંદડાં સાથે નિર્માણ કર્યું છે. ૨૭ ફૂટ ઊંચા અને ૩૭ ફૂટનો વ્યાપ ધરાવતા આ વૃક્ષનું વજન અંદાજે ૫૦૦ ટન છે. તે બધું વજન વૃક્ષની વડવાઈ જેવા દેખાતા તોતિંગ થાંભલા ઉપર પથરાઈ ગયેલું છે. પાંગરતા પરોઢિયે/પ્રભાતે પરમાત્માના પૂજકને અહીં અનુપમ આત્મિક આહ્લાદ અવનવા અનુભવ થાય છે. આ રીતે શ્રી સમવસરણ એ માત્ર મંદિર નહિ, બલ્કે મહામંદિર છે, જેમાં જિનશાસનની ધાર્મિક અને આધ્યાત્મિક ભવ્યતા, શિલ્પ અને રંગરેખામાં ગુંજી ઊઠે છે. ***** શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ ટ્રસ્ટીમંડળ તથા પુસ્તક પ્રાપ્તિસ્થાન ફોન નં.૦૨૮૪૮-૨૪૯૨, ૨૫૬૧ શ્રી સમવસરણ મહામંદિર, તળેટી રોડ, પાલિતાણા - ૩૬૪૨૭૦ (૧) શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન (૨) શ્રી મહેન્દ્રભાઈ ખૂબચંદ શાહ C/o રતનચંદ જોરાજી એન્ડ કું., ગોડીજી બિલ્ડીંગ નં. ૧, કીકા સ્ટ્રીટ, પાયધુની, મુંબઈ-૪૦૦ ૦૦૨. (૩) શ્રી કાંતિલાલ રતિલાલ શાહ સરદાર સોસાયટી બંગલો, સુરેન્દ્રનગર - ૩૬૦ ૦૦૧. (૪) શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવી કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા, સુરત. (૫) શ્રી અનિલભાઈ શાંતિલાલ ગાંધી ૧૧૦, મહાકાન્ત બિલ્ડિંગ, વી.એસ.હોસ્પિટલ સામે, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૬. (૬) શ્રી મહેન્દ્રભાઈ ચંદુલાલ વખારિયા C/o વખારિયા બ્રધર્સ, જવાહરચોક, સુરેન્દ્રનગર - ૩૬૩૦૦૧. (૭) શ્રી હર્ષદરાય પ્રેમચંદ શાહ C/o ધર્મેન્દ્ર વાસણ ભંડાર, મહાત્મા ગાંધી રોડ, ભાવનગર - ૩૬૪૦૦૧. (૮) શ્રી હર્ષદરાય ચુનીલાલ ભારત ટ્રેડીંગ કંપની, ૧૧૧, ટનટનપુરા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૯. Page #411 -------------------------------------------------------------------------- ________________ (VII) (૯) શ્રી મુકેશભાઈ જમનાદાસ શાહ ૩૬, સંપતરાવ સોસાયટી, અલકાપુરી, વડોદરા. (૧૦) શ્રી રમેશભાઈ ગાઠાણી ૨, સ્વીનગર બંગલોજ, સેટેલાઈટ રોડ, સોમેશ્વર જૈન મંદિર સામે, અમદાવાદ-૩૮૦૦૧૫ (૧૧) શ્રી કિરીટભાઈ ચુનીલાલ શાહ સી-૨૦, વસુંધરા એપાર્ટમેન્ટ, ત્રીજે માળે, કૃષ્ણનગર, ભાવનગર. નીચેના પુસ્તક વિક્રેતાઓ પાસેથી પણ શ્રી જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ પ્રકાશિત પુસ્તકો પ્રાપ્ત થશે. (૧) સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૧ (૨) પાર્થ પ્રકાશન ઝવેરીવાડ નાકા, રીલીફ રોડ, અમદાવાદ-૧ નવભારત સાહિત્યમંદિર શ્રી મહાવીર સ્વામી દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧ નવભારત સાહિત્યમંદિર ૧૩૪, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪OOOOR (૫) સેવંતીલાલ વી. જેને ૨૦, મહાજન ગલી, પહેલે માળે, ઝવેરી બજાર, મુંબઈ-૪૦૦૦૦૨ (૬) શ્રી નેમિ-વિજ્ઞાન-કસૂરસૂરિ જ્ઞાનમંદિર મેઈન રોડ, ગોપીપુરા, સુરત. Page #412 -------------------------------------------------------------------------- ________________ (VIII) શ્રીનેમિ-વિજ્ઞાન-કસૂરજ્ઞાનમંદિર, સુરત તથા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ટ્રસ્ટ-પાલીતાણા પ્રકાશિત ગ્રંથોની યાદી ગ્રંથનું નામ ભાષા પ્રકાશન-વર્ષ ક્રમ ૨૦૧૩ ૨૦૨૯ ૧. અભિધાન ચિંતામણિ કોશ (ચંદ્રોદયટીકા) પ્રથમવૃત્તિ દ્વિતીયાવૃત્તિ ૨. અહપૂજન-પૌષ્ટિક વિધાન ૩. અજિત-વિનીત સ્વાધ્યાય સંગ્રહ ૪. આરામસોહાકહા ૫. આત્મદર્પણ ૬. કરુણરસ કદંબક પાઇઅ તથા સંસ્કૃત ૭. કર્મપ્રકૃતિ-ભાગ-૧ ૮. કર્મપ્રકૃતિ-ભાગ-૨ e. Glory of Jainism ૧૦. ગાગરમાં સાગર ૧૧. ચતુર્વિશતિ જિન સ્તવવૃત્તિ ૧૨. ચાલો ચોવીશી જુહારીએ ૧૩. જિનશાસનની કીર્તિગાથા ૧૪. જિનશાસનની કીર્તિગાથા ૧૫. જિનશાસનની બલિહારી ૧૬. જૈન દર્શન સિદ્ધાંતો અને પરિચય ભાગ-૧ ૧૭. જૈન દર્શન સિદ્ધાંતો અને પરિચય ભાગ-૨ ૧૮. જૈન ધર્મ કે મૂલતત્ત્વ - ભાગ-૧ ૧૯. જૈન ધર્મ કે મૂલતત્ત્વ – ભાગ-૨ ૨૦. જૈન દર્શનનું તુલનાત્મક દિગ્દર્શન ૨૧. તીર્થાધિરાજને ચરણે – પ્રથમવૃત્તિ ૨૨. તીર્થાધિરાજને ચરણે - દ્વિતીયાવૃત્તિ ૨૩. નિત્ય સ્મરણિકા ૨૪. પચ્ચે નમસ્કાર સ્તવવૃત્તિ ગુજરાતી પ્રાકૃત ગુજરાતી ૨૦૫૫ પ્રાકૃત-સંસ્કૃત ૧૯૯૭ ગુજરાતી ગુજરાતી અંગ્રેજી ગુજરાતી ૨૦૫૪ ૨૦૧૩ ગુજરાતી હિંદી ૨૦૫૪ ગુજરાતી ૨૦૫૪ ગુજરાતી ગુજરાતી ૨૦૪૪ ગુજરાતી ૨૦૪૪ હિંદી ૨૦૪૪ હિંદી ૨૦૪૪ ગુજરાતી ૨૦૨૪ ગુજરાતી ૨૦૨૨ ગુજરાતી ૨૦૨૪ ગુજરાતી ૨૦૩૨ સંસ્કૃત ૨૦૦૪ Page #413 -------------------------------------------------------------------------- ________________ (IX) ૨૫. પાઇઅ વિજ્ઞાણ કહા ભાગ-૧- પ્રથમાવૃત્તિ પ્રાકૃત પ્રાકૃત પ્રાકૃત પ્રાકૃત દ્વિતીયાવૃત્તિ ૨૬. પાઇઅ વિજ્ઞાણ કહા ભાગ-૨-પ્રથમાવૃત્તિ દ્વિતીયાવૃત્તિ ૨૭. પાઇઅ વિત્રાણ ગાહા પ્રાકૃત-સંસ્કૃત ગુજરાતી સાથે પ્રાકૃત-ગુજરાતી ૧૯૮૨ પ્રાકૃત-ગુજરાતી ૧૯૯૬ પ્રાકૃત-ગુજરાતી ૨૦૦૪ પ્રાકૃત-ગુજરાતી ૨૦૧૯ પ્રાકૃત-ગુજરાતી ૨૦૪૪ પ્રાકૃત-ગુજરાતી ૨૦૪૭ ૩૦. પ્રાકૃત માર્ગદર્શિકા ૩૧. પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ભાગ-૧ પ્રથમાવૃત્તિ ગુજરાતી ૨૦૨૪ દ્વિતીયાવૃત્તિ ગુજરાતી ૨૦૩૨ ૩૨. પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ભાગ-૨ પ્રથમાવૃત્તિ ગુજરાતી ૨૦૧૪ દ્વિતીયાવૃત્તિ ગુજરાતી ૨૦૩૨ ૨૦૪૨ ૨૦૪૭ ૨૦૧૦ ૧૯૯૮ ૧૯૯૮ ૨૦૫૪ ૨૦૧૮ ૨૦૫૫ ૨૦૦૪ ૨૦૦૪ ૨૦૦૭ ૨૦૨૫ ૨૦૨૭ ૨૦૩૮ ૨૦૩૩ ૨૮. પ્રાકૃત રૂપમાલા ૨૯. પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલા-પ્રથમાવૃત્તિ દ્વતીયાવૃત્તિ તૃતીયાવૃત્તિ ચર્તુથ્યાવૃત્તિ ૩૩. પ્રતિષ્ઠાકલ્પ-અંજનશલાકાવિધિ (જૂની) પ્રથમાવૃત્તિ ૩૪. પ્રીતિની રીતિ ૩૫. પિસ્તાલીસ આગમની સંક્ષિપ્ત રૂપરેખા ૩૬. પંડિઅ ધણવાલકહા ૩૭. મહોપાધ્યાય ભાનુચંદ્ર ગણિચરિતમ્ ૩૮. મેરુ શિખર નવરાવે ૩૯. વિનય સૌરભ ૪૦. સચિત્ર સરસ્વતી પ્રાસાદ ૪૧. શ્રાવક ધર્મ વિધાન ૪૨. સિરિજંબૂસામીરિયં ૪૩. સિરિ વિજયચંદકેવલી ચરિય ૪૪. સિરિ ઉસહણાહરિય ૪૫. સિરિચંદરાયરિય ૪૬. સિરિચંદરાયચરિયું ગુર્જરાનુવાદ ૪૭. સિરિસહણાહચરિયું ગુર્જરાનુવાદ ગુજરાતી ગુજરાતી સંસ્કૃત ‘સંસ્કૃત ગુજરાતી ગુજરાતી ગુજ-સંસ્કૃત ગુજરાતી સંસ્કૃત સંસ્કૃત પ્રાકૃત પ્રાકૃત ગુજરાતી ગુજરાતી ૨૦૧૩ ૨૦૨૪ ૨૦૨૭ ૨૦૪૬ Page #414 -------------------------------------------------------------------------- ________________ (X) ૨૦૦૮ સંસ્કૃત સંસ્કૃત ૧૯૯૬ ૨૦૨૩ ૨૦૫૨ ૨૦૫૨ ૨૦૫૪ ૪૮. શ્રીપાલચરિત્રમ્ (સંક્ષિપ્ત) ધર્મોપદેશ ૪૯. શ્રી જિન સ્તોત્ર કોશઃ ૫૦. શ્રી વીતરાગ સ્તોત્રાદિ સભ્યયઃ સંસ્કૃત ૫૧. શ્રી સ્થંભન પાર્શ્વનાથ માહાભ્ય ગુજરાતી પર. શ્રી ઉપદ્યાન તપ માર્ગદર્શિકા ગુજરાતી પ૩. શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શનાવલી ગુજ-અંગ્રેજી ૫૪. શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શનાવલી ગુજ-હિંદી ૫૫. સુરત તીર્થ વંદુ કરોડ ગુજરાતી પ૬ સૂર્ય સહસ્ત્રનામમાલા સંસ્કૃત પ૭. સૂર્યપૂંજ (પુંજ) ગુજરાતી ૫૮. સંખિત્ત તરંગવઇ કહા (તરંગલોલા) ૫૯. સંક્ષિપ્ત પ્રાકૃત રૂપમાલા પ્રાકૃત ૬૦. સંસ્કૃત મંદિરાંત પ્રવેશિકા (બીજી બુક) ૬૧. હરિયાલી સંચય ગુજરાતી ૬૨. હૈમ નૂતન લઘુપ્રક્રિયા ૬૩. જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર ગુજરાતી પ્રાપ્તિસ્થાન શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ જ્ઞાનમંદિર મેઈન રોડ, ગોપીપુરા, સુરત-૧ પ્રાકૃત ૨૦૫૩ ૨૦૦૦ ૨૦૦પ ૨૦૨૫ ૨૦૨૫ Page #415 -------------------------------------------------------------------------- ________________ (XI) શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ ગ્રંથ શ્રેણી ગ્રંથનું નામ ક્રમ ૧. પ્રાકૃત વિજ્ઞાન બાળ પોથી -૧ ૨. પ્રાકૃત વિજ્ઞાન બાળ પોથી - ૨ ૩. પ્રાકૃત વિજ્ઞાન બાળ પોથી - ૩ ૪. પ્રાકૃત વિજ્ઞાન બાળ પોથી – ૪ ૫. શ્રી વીશ સ્થાનક તપ આરાધના વિધિ ૬. શ્રી વીશ સ્થાનક તપ (કથાઓ સહિત) ૭. શ્રી વીશ સ્થાનકની કથાઓ ૮. વંદુ જિન ચોવીશ ૯. ભક્તિ વૈભવ ૧૦. પ્રાકૃત વિજ્ઞાન સંક્ષેપ ૧૧. હે જીવ! જાગીશ ૧૨. પ્રતિષ્ઠા કલ્પ- અંજન શલાકા-પ્રતિષ્ઠાવિધિ (દ્વિતીયાવૃત્તિ) ૧૩. દશવૈકાલિકસૂત્રમ્ (તિલકાચાર્યકૃત વૃત્તિ). ૧૪. કર્મપ્રકૃતિ ભાગ-૩ ૧૫. મૌન એકાદશી પર્વ ૧૬. અભિધાન ચિન્તામણિ નામમાલા વ્યુત્પત્તિરત્નાકરટીકા) ૧૭. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૧ – અંગ આગમ ૧૮. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૨ – અંગબાહ્ય આગમો ૧૯. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૩- આગમિક વ્યાખ્યાઓ ૨૦. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૪ – કર્મ સાહિત્ય-આાગમિક પ્રકરણ ૨૧. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૫ – લાક્ષણિક સાહિત્ય ૨૨. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૬ - કાવ્ય સાહિત્ય ૨૩. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૭ – કન્નડ-તામિલ, મરાઠી ૨૪. જૈન સાહિત્યનો બૃહ, ઇતિહાસ ભાગ-૮ - અપભ્રંશ સાહિત્ય ૨૫. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૯ - અવશિષ્ટ જૈન સાહિત્ય Page #416 -------------------------------------------------------------------------- ________________ • ઋણ સ્વીકાર અમો આભારી છીએ પરમપૂજ્ય આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયસોમચંદ્રસૂરિજી મહારાજ તથા અન્ય મુનિ ભંગવતોના. ભાગ-૨ ‘અંગબાહ્ય આગમોના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપવા બદલ શ્રી વિલેપાર્લા શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ એન્ડ ચેરીટીઝ, વીલેપાર્લા(પૂર્વ), મુંબઇના. આ પ્રકાશનના આર્થિક સહયોગમાં ફાળો આપનાર અનેક સંસ્થાઓ તથા દાતાશ્રીઓના. શ્રી પાર્શ્વનાથ જૈન શોધ સંસ્થાન, વારાણસીના તથા તેના પૂર્વ નિયામક ડૉ. સાગરમલજી જૈનના. ગુજરાતી આવૃતિના માનદ્ સંપાદકો ડૉ. નગીનભાઈ શાહ તથા ડૉ. રમણીકભાઈ શાહના. ઉત્તમ છાપકામ માટે લેસર ઈમ્પ્રેશન્સવાળા શ્રી મયંક શાહ તથા માણિભદ્ર પ્રિન્ટર્સવાળા શ્રી કનુભાઈ ભાવસાર અને સુંદર સચિત્ર ટાઈટલ ડિઝાઈન માટે કીંગ ઈમેજ પ્રા. લિ. ના ડાયરેક્ટર શ્રી જીવણભાઈ વડોદરિયાના. લિ. શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ. Page #417 -------------------------------------------------------------------------- ________________ विनानिमान यादव। विनापापिदिकाननधायिकार्य सुधामयः कः कमि नालाकालादेवी मचिव विसानियत ॥ वर्षाका लावाला नाम जानने मान्यवनिवि गावच निसानानिमन्नृपतिकाटीचे सत्र का नालायेव रूग्णांसमिधा मादनमा विद्यानासा नजायमानराव संगमानविष्यवान संवम्यान साकार सामगमानिविविनाग्वलियिपा यष्यसि वनिताथमा मानानामापितव नानामाथि गादिकासिवा ४विषययामजामा स्वीणयन्त्रधानिवासन नाशिक मानडिकमानानानादर नियमः कार्मणामिपरावदन यागिनीवानान्मानेपद्मिना दिनिर्थिवस नोनियानासु मनः।।१७दविद्यानाथनथादिनावनादवानवप्रति श्रीमति तवानुदिन घायायनामयज्ञात्र यौनक्सामयी सुपाक्रमतञ्चक्रमान ॥ अवमानिकविमानची मादार्यमंत्र प्रेमेाकानां शान के साय झकेन नदीपा ममधि कलाय का विद्यादायामास विद्यापय आसाविक प्रिय।।४२ सिटाम दाराय मममम स्वासनिः विधीयमामलक्षणावताराम पिला कल मानवाला न्यायममा सदनवासिनानवितार्थदानविधाको कानमंड लियोन स्वामिनितिज्ञपनियातियोश्रीरामाया नाड दिद्यामिवाम दिया मिनिमणिमयानिखापि मानिस प्रकियामास का सायासद हिनासम्मकाद्याचार्जिग्राह शिर मनोमालिना। पर जालसाज Jain Education Internatio Priyate & Personal Use Only. 하 घा अनाव खलील लक प्रभय नाऊम AMER रा यः पराड पुदी नाभि सुन घट www.jainelibra yorg Page #418 -------------------------------------------------------------------------- ________________ अशावतापश्यदणामचनामिकाशिकानश्पनिवसादिवासर्भिमायकादका मारवधापयाचिश्मावटीचारिखमाबाधामसमाधिनाथमाइकायादववंडावी सामग्रीमचिवालयमावनाबाएिनानिशाखासारनाजिरकार्य पिसामाविानामसिमावस्यालायामासयकसमाशायरशास्दिन दाकातयानचकापायावकाशनाचणावधानवायकायद्यायवाहरकत फाटिकाव नपावल भावानया इटीनालाकणयालयादवमानमपिवयविनानियताउदीकों सनिर्मचाविलावालयनवालालामायापखामावादमजसवासनीयवस्मात झंगनायवरहिमदजलखिोलिसिहानाहानमनपाताकाटारसम लालयिवकजिजाग्यासामिविकसमाधवनारसुवमाविरंवद्यार गायनातनायनाङिगलधसंगमातवियायवाचोयनामसवमयानमार लपिवद्यासपटाघालावामिराजदेसावधानविविनास्वलिहिण्यायपिया। मापिातारास्वसिवनिनाधमेश्मयानानालaryमावयाचुरुपोरिमपितारातर मानवाइकागनाज्ञानयमावाणाधिअादिनःशुश्चत्कासिवान वंगमानश्चयाविषययामजीसारडासायन्नाधानिवस्वामिन FFSC mनाभिकम्नानाडिमानानानादरनिगासयमाकागामियाजदर निकायागिनावानवान्मानपसिनीयतामायदानावसमानिायवधायनामक माथासुजननद्यानमारविशणसविधानाधनधादिगावनादवानाधान नयनमनिलामन्चपनिाकतवान्तादनश्चिवटसिटोबासवनयापनामयना समयानश्मामयासपाक्रमनचकमानाउवमानिकर्विसामधीमावापिस अन्य अमेशिकायतीबद्यादेनशानालायझमकलयविकताइताल किनमणिदावधासाहलाकलापलाविवादायाबामपञ्चातुर्मासाना निादबावनामवणमेलावखानामाविकायाधिसतवसनुजयामक गाव यापदालायसनममस्वामिविधायमानलवणावतारामपिसागसवका चक्रमाला पूनावावासमामदनापवामिमावस्वधिनादाविधकिाकानमंड इकरागमवासिनिमातिानाज्ञयनिमानियाविधीवानाधायखखालण्यात नार्यनसचानाडूचामदियामिवामासिवसुवाचौज्ञिपणानिमरिणारिणमयानिहाय मानागनाडानबामवासनामारामाणिकिणयामासकाक्षादानक REETमायसाहनासुवमाकाद्याहाडिारिनामानिmr Page #419 -------------------------------------------------------------------------- ________________ निमायागिनाधीनगन्मा साधासुखननवद्यान न्यत्रमनिलीमजयनिकलवान झियमअमायमराजनाथ मापनासानादखानामाशा दक्षारखानयामकान सेकस्यिसानामपिमालामममि वारंवाडियसनापनपनायाम ममयानश्मामयापाक प्रत्ययमधिगाकार्यनागार निमणिदीपमालासा नादवावमानवामनावर पापदावायमगंजममख लायवधानानामासमबंद आददाधिादवमाधायाँ जिविवनसिकभिवमसि पातालधयानास्पृहावर कुमाऽन्यपरीवारसमासदता कश्यागरूवामिनियमिता सार्थनासवानाखामदियानिवास माanyाइलिनमानहनाई मनावतानधिसाधनवादमामिला सुखमायपाहमाचवमाकााद्याहा पलानुनसक्नानामयानामिविशवतमा लकगानिलामयिनसनबनानाध्यम सखयानिधिमाजाधकानध्यमयेदीमबार नासनकाअयानिनिम्मायगावर मसावाशमानवमाना कसम्मानजिनानकादव मुलगाववादबाजोमसेवम नविदनशविरुद्धमनामजा मिडायगियावाचकमिनिमा बनश्यिययुबमानवानमालिकन्या यघाधिधिलटायनिsafarmकानि नवनामिकमाइपौवात कविाचनमामिमा वभिश्चर्यदिहिनामा स्यकशामिडियायनने मिकमेडलाउडशिशि सासमयावणियावधमध॥४य मनौगावाममिताकतनं ३ नामायावदिनताकचानासाना नलागाराचनानिलकिनधिशा कातिनामिवान मावयवावंटामचियावयति साकसमासादयावयवयोगमा दाबामामुदीनारणानला निकाजाविवमानापन पराजावेंसुजातासन्मभुवनयविवाद वायुमा उमझमायादdausarorists BRUNEI Page #420 -------------------------------------------------------------------------- ________________ શ્રી 108 જૈન તીર્થ દર્શન ભવન-સમવસરણ મહામંદિર - પાલીતાણા, King-(91)+79-26585596