SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ અંગબાહ્ય આગમો કુશળ, હાથી, ઘોડા અને રથ પર બેસી યુદ્ધ કરનાર, બાહુઓ વડે યુદ્ધ કરનાર તથા અત્યંત વીર અને સાહસી બની ગયો. કાળાંતરે શ્રમણ ધર્મ સ્વીકારી તેણે સિદ્ધગતિ પ્રાપ્ત કરી (૪૦). આજીવિકો : દુઘરંતરિયા–એક ઘરેથી ભિક્ષા ગ્રહણ કરી બે ઘર છોડી ભિક્ષા લેનાર. તિઘરંતરિયા–એક ઘરેથી ભિક્ષા ગ્રહણ કરી ત્રણ ઘર છોડી ભિક્ષા લેનાર. સત્તઘરતરિયા–એક ઘરેથી ભિક્ષા ગ્રહણ કરી સાત ઘર છોડી ભિક્ષા લેનાર. ઉપ્પલબેંટિયા–કમળના દાંડલા ખાઈને રહેનાર. ઘરસમુદાણિય–દરેક ઘરેથી ભિક્ષા લેનાર. વિજુઅંતરિયા–વીજળી પડવાના સમયે ભિક્ષા ન લેનાર. ઉટ્ટિયસમણ—કોઈ મોટા માટીના વાસણમાં બેસી તપ કરનાર. આ શ્રમણો મરીને અશ્રુત સ્વર્ગમાં ઉત્પન્ન થાય છે. અન્ય શ્રમણો : અનુક્કોસિય–આત્મપ્રશંસા કરનારા. પરંપરિવાઇય–પરનિંદા કરનારા, અવર્ણવાદી. ભૂકમિય–વરગ્રસ્ત લોકોને ભૂતિ (રાખ) આપી નિરોગી બનાવનારા. ભુજ્જો ભુક્કો કોયિકારક સૌભાગ્યની વૃદ્ધિ માટે વારંવાર સ્નાન વગેરે કરનારા. આજીવિક મતના અનુયાયી ગોશાલ અને મહાવીર સાથે-સાથે રહ્યા હોવાનો ઉલ્લેખ ભગવતીસૂત્ર (૧૫)માં આવે છે. આજીવિકા મતનો જન્મ ગોશાલથી ૧૧૭ વર્ષ પૂર્વે થયો હતો. ગોશાલ આઠ મહાનિમિત્તોનો જ્ઞાતા હતો તથા આર્ય કાલકે આજીવિક શ્રમણો પાસેથી નિમિત્તવિદ્યાનું અધ્યયન કર્યું હતું. (પંચકલ્પચૂર્ણિ, પં. કલ્યાણવિજયના “શ્રમણ ભગવાન મહાવીર', પૃ. ૨૬૦ પર ઉલિખિત). સ્થાનાંગ (૪-૩૦૯)માં આજીવિકોના ઉગ્ર તપનું વર્ણન છે. વિશેષ માટે જુઓ–જગદીશ ચન્દ્ર જૈન, લાઈફ ઈન એન્સિયન્ટ ઈન્ડિયા, પૃ. ૨૦૭ વગેરે, જૈન આગમ મેં ભારતીય સમાજ, પૃ. ૪૧૯-૪૨૫ તથા એ. એલ. બાશમ, હિસ્ટ્રી એન્ડ ડૉક્ટ્રીન્સ ઑફ ધી આજીવિકાઝ, ૨. ભગવતી (૧-૨)માં તેમને કિલ્વેિષક કહેવામાં આવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy