SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ અંગબાહ્ય આગમો ત્રીજો ઉદેશ : - તૃતીય ઉદેશમાં પણ માસ-લઘુ પ્રાયશ્ચિત્ત સાથે સંબંધિત ક્રિયાઓનો ઉલ્લેખ છે. તે ક્રિયાઓ નીચે મુજબ છે : – ધર્મશાળા (આગંતાર), આરામગૃહ (આરામગાર – બગીચામાં બનાવેલ ઘર), ગૃહપતિકુલ (માલિકનું ઘર) તથા અન્યતીર્થિકગૃહમાં જઈને અશનાદિની યાચના કરવી, મનાઈ કરવા છતાં પણ કોઈના ઘરમાં આહારાદિ નિમિત્તે પ્રવેશ કરવો, ભોજન આદિ બનાવાતું જોઈ ત્યાં જઈને આહારાદિ ગ્રહણ કરવો, ત્રણ ઘર-ત્રણ દરવાજા ઓળંગીને લાવવામાં આવેલ આહારાદિનો સ્વીકાર કરવો, પગ (શોભા માટે) ખંખેરી લૂછીને સાફ કરવા, પગ દબાવવા, પગમાં તેલ વગેરે લગાવવું, પગ ઠંડા અથવા ગરમ (અચિત્ત) પાણીથી ધોવા, પગમાં રંગ અથવા રસ લગાવવો, યાવતુ આખા શરીરને સાફ કરવું-દબાવવું-ધોવું વગેરે, ગુમડાં વગેરે રોગ થતાં તેને તીક્ષ્ણ હથિયાર વડે છેદાવવાં, કપાવવાં અને લોહી વગેરે કઢાવીને વિશુદ્ધ કરવા અથવા પોતાના હાથ વડે કાપી-છેદી વિશુદ્ધ કરવાં, આલેપન (મલમ) વગેરેનો લેપ કરવો-કરાવવો, ગુર્દા અથવા કુક્ષીમાં ઉત્પન્ન થયેલ કૃમિઓ આંગળીથી કાઢવાં, લાંબા નખ કાપવા, ગુહ્ય સ્થાનના લાંબા વાળ કાપવા, આંખોના લાંબા વાળ કાપવા, જાંઘના લાંબા વાળ કાપવા, કુક્ષિના લાંબા વાળ કાપવા, દાઢી-મૂછના લાંબા વાળ (વીદાડું મંસુરાપું) કાપવા, માથાના લાંબા વાળ કાપવા, નાકના લાંબા વાળ કાપવા, (આ બધી ક્રિયાઓ શોભા માટે ન કરવી જોઈએ, દાંત ઘસવા, દાંત ઠંડા અથવા ગરમ (અચિત્ત) પાણીથી ધોવા, દાંતોમાં રંગ વગેરે લગાવવો, આંખો મસળી-મસળી સાફસુફ કરવી, પગ વગેરે ઘસીઘસીને સાફ કરવા, આંખ વગેરેનો મેલ કાઢવો, શરીરનો સ્વેદ-પરસેવો સાફ કરવો, શણ વગેરેના દોરા વશીકરણ માટે વહેંચવા, ઘરમાં, ઘરના દ્વારે, ઘરની સામે, ઘરના આંગણમાં ઝાડો-પેશાબ (ફક્યારે આવા પાવM વા) ફેકવા, કોઈ સાર્વજનિક સ્થાન પર-લોકોના આવવા-જવાની જગ્યા પર ઝાડો-પેશાબ ફેંકવા, કીચડ, ફૂગ (પંસિ વા પણwifસ વા) વગેરેની જગ્યાએ ઝાડો-પેશાબ ફેંકવા, ઇક્ષુવન (શેરડીનું ખેતર), શાલિવન, કુસુમવન, કાર્પાસવન વગેરેમાં ઝાડો-પેશાબ ફેંકવા, અશોકવન, સપ્તવન (સપ્તપર્ણ વૃક્ષોનું વન), ચંપાવન, ચૂતવન (આમ્રવન) વગેરેમાં ઝાડો-પેશાબ ફેંકવા, સ્વપાત્ર અથવા પરપાત્રમાં કરેલ ઝાડો-પેશાબ સૂર્યોદય બાદ પહેલાંથી ન જોયેલાં સ્થાન પર ફેંકવા. ચોથો ઉદેશ : ચતુર્થ ઉદેશમાં લઘુ-માસ પ્રાયશ્ચિત્ત સંબંધિત ક્રિયાઓ પર પ્રકાશ પાડવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy