SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પપાતિક ૧૫ આ ગૌતમ વગેરે ઉપરોક્ત સાધુઓ સરસીયા તેલને છોડીને નવ રસો–દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મધ અને માંસનું ભક્ષણ કરતા નથી (૩૮), ગંગાતટવાસી વાનપ્રસ્થ તાપસો : હોરિય–અગ્નિહોત્ર કરનારા. પોત્તિય–વસ્ત્રધારી. કોરિય–ભૂમિ પર સૂનારા. જણઈ–યજ્ઞ કરનારા. સટ્ટઈ–શ્રદ્ધાશીલ. થાલઈ–બધો સામાન ઉપાડીને ચાલનારા. હુંબઉટ્ટ–કુંડી લઈને ચાલનારા. દંતુષ્પલિય–દાંતથી ચાવીને ખાનારા. ઉમ્મસ્જક–ઉન્મજ્જન (ડૂબકી) માત્રથી સ્નાન કરનારા. સમ્મસ્જક–અનેકવાર ડૂબકી મારી સ્નાન કરનારા. નિમજ્જક–સ્નાન કરતી વખતે ક્ષણભર જળમાં નિમગ્ન રહેનારા. સંપન્બાલ–શરીર પર માટી લગાવી સ્નાન કરનારા. દખ્રિણ કૂલગ-ગંગાના દક્ષિણ કિનારા પર રહેનારા. ઉત્તરકૂલગ-ગંગાના ઉત્તર કિનારા પર રહેનારા. સંખધમક-શંખ વગાડીને ભોજન કરનારા, જેથી ભોજન કરતી વખતે કોઈ બીજી વ્યક્તિ આવી ન જાય. કૂલધમક-કિનારા ઉપર ઊભા રહીને અવાજ કરીને ભોજન કરનારા. મિયલુદ્ધય–પશુભક્ષણ કરનારા. હWિતાવસ–જે હાથીને મારીને ઘણા સમય સુધી તેનું ભક્ષણ કરતા રહે. આ તપસ્વીઓનું એમ કહેવું છે કે તેઓ એક વર્ષમાં એક હાથીને જ મારીને માત્ર એક જ પાપનો સંચય કરે છે અને એ રીતે અનેક જીવોને મારવાના પાપમાંથી બચી જાય છે. ૧ ઉડંડક–જે દંડો ઊંચો રાખીને ચાલે છે. ૧. સૂત્રકૃતાંગ (૨, ૬)માં હસ્તિતાપસીનો ઉલ્લેખ છે. ટીકાકાર અનુસાર બૌદ્ધ ભિક્ષુઓને હસ્તિતાપસ કહેવામાં આવ્યા છે. લલિતવિસ્તર (પૃ. ૨૪૮)માં હસ્તિવ્રત તાપસીનો ઉલ્લેખ છે. ૨. આચારાંગચૂર્ણિ (પ, પૃ. ૧૬૯)માં ઉફંડગ, બોડિય અને સરબ્ધ સાધુઓને શરીરમાત્ર-પરિગ્રહી અને પાણિપુટ-ભોજી કહેવામાં આવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy